Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન તરફના ભાગમાં બીજું એક વણિક રાજ્ય ઊભું થયું. એ હિંદુ રાજ્ય હતું અને તેણે શ્રીવિજ્યથી દબાઈ જવાને ઇન્કાર કર્યો.
નવમી સદીના આરંભથી માંડીને લગભગ ૪૦૦ વરસ સુધી પૂર્વ જાવાના આ રાજ્ય ઉપર ઉત્તરોત્તર બળવાન થતા જતા શ્રીવિજયનો ભય ઝઝમ રહ્યો. એમ છતાં પણ તે પિતાની સ્વતંત્રતા ટકાવી રાખવામાં ફતેહમંદ થયું એટલું જ નહિ પણ એ દરમ્યાન તેણે પષાણનાં અસંખ્ય મંદિર બંધાવ્યાં. બરબુદુરના નામથી ઓળખાતાં એમનાં સાથી ભવ્ય મંદિરે આજે પણ મેજૂદ છે અને અસંખ્ય પ્રવાસીઓને પિતા તરફ આકર્ષે છે. શ્રીવિજયના આધિપત્યમાંથી ઊગરી ગયા પછી પૂર્વ જાવાનું આ રાજ્ય પણ આક્રમક બન્યું અને હવે તે પિતાના પહેલાંના હરીફ શ્રી જય માટે જોખમરૂપ બન્યું. આ બંને વણિક રાજ્યો હતાં અને વેપાર માટે દરિયે ખેડતાં હતાં એટલે તેમની વચ્ચે વારંવાર તકરાર થતી.
જાવા અને સુમાત્રાની આ હરીફઈ સાથે આધુનિક રાની – ઈગ્લેંડ અને જર્મની વચ્ચેની હરીફાઈની સરખામણી કરવાને હું લલચાઉં છું. શ્રી વિજયને અંકુશમાં રાખવા માટે તથા પિતાને વેપાર વધારવા માટે નૌકાદળ વધારવાની જરૂર • જવાને જણાતાં તેણે તેનું દરિયાઈ બળ ખૂબ વધારી મૂક્યું. હુમલે કરવા ખાતર વારંવાર મેટા મેટ નકાકાફલા રવાના કરવામાં આવતા પરંતુ વર્ષો સુધી તેમને દુશ્મને સાથે ઝપાઝપી કરવાનો મેકે મળ નહિ. આમ જાવાનું સામર્થ્ય ઉત્તરોત્તર વધતું ગયું અને દિનપ્રતિદિન તે વધારે ને વધારે આક્રમણકારી થતું ગયું. તેરમી સદીના અંતમાં મજાપહિત નામનું એક શહેર વસાવવામાં આવ્યું અને તે વિસ્તરતા જતા જાવા રાજ્યનું પાટનગર બન્યું.
પછીથી તે જાવાનું રાજ્ય એટલું બધું ગુમાની અને ઉદ્ધત બની ગયું કે, મહાન ખાન કુબ્લાઈએ ખંડણી વસુલ કરવા માટે મેકલેલા તેના એલચીઓનું પણ તેણે અપમાન કર્યું. ખંડણી તે ન જ આપવામાં આવી પણ વધારામાં એક એલચીના કપાળ ઉપર અપમાનજનક સંદેશે અંકિત કરવામાં આવ્યમંગલ ખાન સાથે આ બેવકૂફીભરી અને જોખમકારક રમત હતી. આવી જ જાતના અપમાનને પરિણામે ચંગીઝ ખાને મધ્ય એશિયાને ખેદાનમેદાન કરી નાખ્યું હતું અને ચેડા વખત પછી હુલાગુએ બગદાદને નાશ કર્યો હતો. એમ