Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન ઓછા લેકીને મતાધિકાર હતો. આજેથી સે વરસ ઉપરના સમય સુધી ત્યાં આગળ કેટલાક મતવિભાગે તે અમુક વ્યક્તિઓના ગજવામાં હતા. એથી કરીને એવા મતવિભાગે “ખિસ્સા મતવિભાગે” (પોકેટ બોઝ) તરીકે ઓળખાતા. આખા મત વિભાગમાં એક યા બે મતદારો હતા અને તે પિતાને એક પ્રતિનિધિ પાર્લામેન્ટમાં એકલતા ! કહેવાય છે કે, છ૯૩ની સાલમાં આમની સભાના ૩૦૬ સભ્યને એકંદરે માત્ર ૧૬ મતદારોએ ચૂંટાયા હતા. ઓલ્ડ સેરૂમ નામનું એક નાનકડું ગામડું પાર્લામેન્ટમાં બે સભ્ય મેકલિતું. આ ઉપરથી તને જણાશે કે, પ્રજાને મેટે ભાગ મતાધિકારથી વંચિત હતો અને પાર્લામેન્ટમાં તેમનું પ્રતિનિધિત્વ નહોતું. આમની સભા સમગ્ર જનતાની સંસ્થા નહોતી. શહેરામાં આગળ આવતા નવા મધ્યમ વર્ગનું પણ તેમાં પ્રતિનિધિત્વ નહતું. કેવળ જમીનદારવર્ગ અને ગણ્યાગાંઠયા ધનિક વેપારીઓને તેમાં પ્રતિનિધિત્વ હતું. પોલમેન્ટની જગ્યાઓનું લિલામ થતું અને એ બાબતમાં ભારે રશવતખોરી ચાલતી. આ બધું છેક ૧૮૩૩ની સાલ સુધી એટલે કે આજથી ૧૦૦ વરસ પહેલાંના સમય સુધી ચાલતું હતું. આખરે ભારે ચળવળને પરિણામે ૧૮૩રની આલમાં ‘રિફોર્મ બિલ” પસાર કરવામાં આવ્યું અને એથી થોડા વધારે લેકિને મતાધિકાર મળે.
આ ઉપરથી જણાશે કે પાર્લમેન્ટનો રાજા ઉપરનો વિજ્ય એ વાસ્તવિક રીતે ગણ્યાગાંઠયા તવંગર લોકોને વિજ્ય હતું. આ મૂકીભર જમીનદાર અને મૂડીભર વેપારીઓ ઇંગ્લંડને રાજવહીવટ ચલાવતા હતા. બાકીના બધા વર્ગોને એટલે કે લગભગ આખી પ્રજાને એમાં લેશમાત્ર પણ અવાજ નહોતે. • એ જ રીતે, પેન સાથેની મહાન લડત પછી ઊભું થયેલું હેલેંડનું પ્રજાતંત્ર પણ ધનિકનું જ પ્રાતંત્ર હતું એ હકીકત તારે ધ્યાનમાં રાખવી જોઈએ. - વિલિયમ તથા મેરી પછી મેરીની બહેન એન ઇંગ્લંડની રાણી બની. ૧૭૧૪માં એના મરણ પછી બીજે રાજા કોને બનાવવો એ વિષે વળી પાછી મુશ્કેલી ઊભી થઈ. પાર્લમેન્ટે રાજાની શોધ માટે જર્મની સુધી નજર દોડાવી. તેણે એક જર્મનને પસંદ કર્યો અને
જં ૧લે એ નામથી તેને ઇંગ્લંડની ગાદી ઉપર બેસાડ્યો. એ તે સમયે હેવરને ઇલેકટર હતેઘણું કરીને તે કમઅક્કલ હતું અને ચતુરાઈનું તેનામાં નામ પણ ન હતું એટલા ખાતર પામેટે તેને