Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૬૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ઉલ્લેખ કરે છે. તે તેલુગુ પ્રદેશ એટલે કે મદ્રાસની ઉત્તરના પૂર્વ કાંઠાના પ્રદેશની રાણી હતી. એણે ચાળીસ-વરસ સુધી રાજ્ય કર્યું હતું. માર્કોપોલોએ એનાં ભારે વખાણ કર્યા છે.
માર્કપોલા આપણને બીજી એક મજાની માહિતી એ આપે છે કે અરબસ્તાન તથા ઇરાનમાંથી દરિયામાગે દક્ષિણ હિંદમાં સંખ્યાબંધ ધોડાની આયાત કરવામાં આવતી હતી. ઘેાડાના ઉછેર માટે દક્ષિણની આબેહવા અનુકૂળ નહોતી. એમ કહેવામાં આવે છે કે હિંદ ઉપર હુમલા કરનારા મુસલમાનો સારા લડવૈયા હતા તેનું એક કારણ એ છે કે તેમની પાસે વધારે સારી જાતના ઘેાડાઓ હતા. ઘેાડાના ઉછેર માટેના એરિયાના ઉત્તમ પ્રદેશે! તેમના કબજામાં હતા.
આમ, ચેલ લોકાની પડતી પછી તેરમી સદીમાં પાંચ રાજ્ય એ આગળ પડતું તામિલ રાજ્ય હતું. ચૌદમી સદીના આરંભમાં (૧૩૧૦ની સાલમાં ) મુસલમાની હુમલાનું શિરોબિંદુ દક્ષિણમાં પહોંચ્યું. એ શિરોબિંદુ પાંડ્ય રાજ્ય સુધી પહેાંચ્યું અને પરિણામે તે ઝપાટાબંધ પડી ભાંગ્યું.
આ પત્રમાં મેં દક્ષિણ હિંદના ઇતિહાસનું પણ અવલોકન કર્યું. સંભવ છે કે આગળ ઉપર એ વિષે મે જે કહેલું તેની પુનરુક્તિ પણ કરી હોય. પરંતુ આ વિષય કંઇક ગૂંચવણભર્યાં છે અને લોકા પલ્લવ, ચાલુકય તથા ચોલ વગેરે જુદી જુદી પ્રજાની બાબતમાં ભ્રમણામાં પડીને એકને ખીજી માની બેસે છે. છતાંયે એ વિષયને તું સમગ્ર રીતે નિહાળશે તે એનું આખું ચોકઠું તારા મનમાં ખરાબર બેસાડી શકશે. તને યાદ હશે કે અશોકે છેક દક્ષિણના નાના ટુકડા સિવાય સમસ્ત હિંદુસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ઘેાડા ભાગ ઉપર રાજ્ય કર્યું હતું. એના પછી દક્ષિણમાં આંધ્ર સત્તાને ઉદય થયા. તેની સત્તા છેક દક્ષિણ સુધી ફેલાઈ હતી. એની હકૂમત લગભગ ૪૦૦ વરસ સુધી ચાલી. એ સમય દરમ્યાન ઉત્તરમાં કુશાતાનું સરહદી સામ્રાજ્ય હતું. તેલુગુ આંધ્ર લોકાની પડતી થઈ તે પછી પૂર્વ કિનારે અને દક્ષિણમાં તામિલ પલ્લવેની સત્તાના ઉદય થયા. તેમની હકૂમત ધણા લાંબા સમય સુધી ચાલી. મલેશિયામાં તેમણે વસાહત સ્થાપી. ૬૦૦ વરસના તેમના અમલ પછી તેમને સ્થાને ચોલ લે આવ્યા. તેમણે દૂરદૂરના દેશો જીત્યા અને પોતાના નૌકાસૈન્યથી સમુદ્ર ઉપર પ્રભુત્વ મેળવ્યું. ૩૦૦ વરસ પછી તેમની સત્તાને પણ અંત આવે છે અને પાંડ્ય રાજ્ય આગળ આવે છે. તેનું પાટનગર મદુરા