Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અમેરિકાની માયા સંસ્કૃતિ
૩૧૯ એ સ્પષ્ટપણે જણાતું નથી. પરંતુ મેકિસકોના સંવતની શરૂઆત ઈ. સ. પૂ. ૬૧૩ના અરસામાં થઈ હતી. ઈસવી સનનાં શરૂઆતનાં વરસમાં એટલે કે બીજી સદી પછી ત્યાં આગળ કેટલાયે શહેરે ઉદય પામતાં માલૂમ પડે છે. તે સમયે પથ્થર કામ, માટીનાં વાસણો બનાવવાનું કામ, વણુટ અને સુંદર રંગાટી કામ ત્યાં આગળ થતું હતું. ત્રાંબું અને તેનું ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતું પણ લેટું નહતું. સ્થાપત્ય ખીલતું હતું અને બાંધકામ તથા ઈમારતોમાં બધાં શહેરે એકબીજાની સ્પર્ધા કરતાં હતાં. ત્યાં આગળ એક ખાસ પ્રકારની અને જટિલ લેખનકળા પણ હતી. કળા, અને ખાસ કરીને સ્થાપત્યકળાને, વધારે પ્રચાર હતા અને તેનું સર્ણ અપ્રતિમ હતું.
સંસ્કૃતિના આ દરેક પ્રદેશમાં ઘણાં રાજ્ય હતાં. વળી ત્યાં આગળ ઘણી ભાષાઓ હતી અને તેમનું સાહિત્ય પણ મોટા પ્રમાણમાં હતું. બધે ઠેકાણે રાજ્યતંત્ર બળવાન અને સારી રીતે વ્યવસ્થિત હતું તથા શહેરને સમાજ સંસ્કારી અને બુદ્ધિશાળી હતી. એ રાજ્યની અર્થ વ્યવસ્થા અને કાયદા ઘડવાની પદ્ધતિ સારી પેઠે વિકાસ પામેલી હતી. ૯૬૦ની સાલના અરસામાં ઉમલ શહેર સ્થપાયું હતું અને એમ કહેવાય છે કે થોડા જ વખતમાં વિકાસ પામીને તે એશિયાનાં તે સમયનાં મહાન શહેરેની બરાબરી કરે એવું થયું હતું. એ સિવાય લાબુઆ, માયાપન અને ચામુલુન વગેરે બીજા મેટાં શહેર પણ હતાં.
મધ્ય અમેરિકામાં ત્રણ આગળ પડતાં રાજ્યમાં એકત્ર થઈને એક સંઘ સ્થાપે. એ સંધ આજે માયાપન સંઘને નામે ઓળખાય છે. ઈશ પછી લગભગ એક હજાર વરસ પછી આ બન્યું હતું. આપણે યુરોપ તથા એશિયામાં પણ એ સમય સુધી જ આવી પહોંચ્યા છીએ. આમ ઈશુના સહસ્ત્રાબ્દ પછી મધ્ય અમેરિકામાં સુધરેલાં રાજ્યનું બળવાન જોડાણ થયું હતું. પરંતુ આ બધાં રાજ્ય અને માયા સંસ્કૃતિ ઉપર ધર્માધિકારીઓનું પ્રભુત્વ હતું. ત્યાં આગળ તિષની ભારે પ્રતિષ્ઠા હતી, અને જેમ હિંદુસ્તાનમાં સૂર્ય તથા ચંદ્રગ્રહણ વખતે લાખો લેકને સ્નાન તેમજ ઉપવાસ કરવાને સમજાવવામાં આવે છે તેમ એ શાસ્ત્રના જ્ઞાનને લીધે પુરેહિતે જનતાના અજ્ઞાનનો લાભ લેતા હતા.
સે વરસથી વધુ સમય સુધી માયાપન સંધ ટક્યો. પછીથી ત્યાં આગળ સામાજિક ક્રાંતિ થઈ હોય એમ જણાય છે અને સરહદ પરની વિદેશી સત્તા તેમાં વચ્ચે પડી. ૧૧૯ની સાલમાં માયાપનને નાશ