Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કરડેબા અને ગ્રેનેડા બુદ્ધિવૈભવ અને વિદ્યા ખીલી રહ્યાં હતાં ત્યાંના અજ્ઞાન અને બેવકૂફ લોકોમાં તેની પ્રજાવ્યાપી સ્થગિતતા અને અવનતિમાં આપણને નજરે પડે છે. બીજી પ્રજાઓની સરખામણીમાં એ પ્રજા અતિશય હેઠી પડી છે અને એ નામેશીને તે લાયક છે.”
આ સાચે જ આ ચુકાદો છે. લગભગ એક વરસ ઉપર સ્પેનમાં ક્રાંતિ થઈ હતી અને રાજાને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હતે. હવે ત્યાં પ્રજાસત્તાક રાજ્ય છે. સંભવ છે કે આ પ્રજાસત્તાક રાજ્ય વધારે સારું કાર્ય કરી બતાવશે અને સ્પેનને ફરી પાછું બીજા દેશોની હોળમાં લાવશે.