Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૪૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન મૂળ ધ્યેયને એકધારે ઈનકાર જ છે. એને બદલે યુરોપ તે ત્યાંથી સાધુ પીટરે તીવ્રપણે ધિકારી કાઢી હતી એવી વસ્તુઓ એટલે કે, લલિત કળાઓ, કારીગરી, વૈભવવિલાસ, વિજ્ઞાન તથા બૌદ્ધિક જિજ્ઞાસા લાવ્યું.”
૧૧૧૩ની સાલમાં સલાદીન મરણ પામે અને તે પછી પુરાણું આરબ સામ્રાજ્યના અવશેષ રૂપે જે કંઈ રહ્યું હતું તે છિન્નભિન્ન થઈ ગયું. નાના ફડલ લૉર્ડ અથવા ઉમરના અમલ નીચે પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ. છેલ્લી ક્રઝેડ ૧૨૪૯ની સાલમાં થઈ. ફ્રાંસના રાજા લૂઈ ૯માએ તેની આગેવાની લીધી હતી. તે હારી ગયે અને કેદ પકડાયે.
દરમ્યાન પૂર્વ તેમ જ મધ્ય એશિયામાં ભારે મહત્ત્વના બનાવે બની રહ્યા હતા. ચંગીઝ અથવા જંગીઝખાન નામના મહાન સરદારની આગેવાની નીચે મંગલ લેકે આગળ વધતા જતા હતા અને પૂર્વ તરફની ક્ષિતિજ તેમણે એક વિશાળ કાળા વાદળાની માફક આવરી લીધી હતી. ક્રુડરો અને તેમના પ્રતિસ્પધીઓ અથવા ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાન ઉભય આ આવતા હુમલાને એકસરખા ભયથી નિહાળી રહ્યા હતા. ચંગીઝ અને મંગલ લે કે વિષે આપણે હવે પછીના પત્રમાં વાત કરીશું આ પત્ર પૂરો કરું તે પહેલાં હું એક વસ્તુને ઉલ્લેખ કરવા ઈચ્છું છું. મધ્ય એશિયાના બુખારા શહેરમાં એ સમયે એક મહાન અરબ હકીમ રહેતે હતે. એશિયા તેમ જ યુરેપભરમાં તેની નામના હતી. ઇગ્ન સીના તેનું નામ હતું. પરંતુ યુરોપમાં તે આવિસેન્નાના નામથી વધારે પરિચિત છે. તે હકીમ અથવા તે વૈદ્યોના રાજા તરીકે ઓળખાતો હતો. ક્રૂઝેડને આરંભ થયે તે પહેલાં ૧૦૩૭ની સાલમાં તે મરણ પામ્યા હતા.
તેની ખ્યાતિને લીધે ઇન સીનાના નામને હું ઉલ્લેખ કરું છું. પરંતુ તું એ લક્ષમાં રાખજે કે આ આખા જમાના દરમ્યાન, આરબ સામ્રાજ્યનાં વળતાં પાણી થયાં તે સમયે પણ, મધ્ય એશિયાના પશ્ચિમ ભાગમાં આરબ સંસ્કૃતિ ચાલુ રહી હતી. સલાદીન ઝેડ જોડે યુદ્ધમાં ગૂંથાયેલું હોવા છતાં પણ તેણે ઘણાં મહાવિદ્યાલય અને ઇસ્પિતાલે બંધાવ્યાં હતાં. પરંતુ એ સંસ્કૃતિ તેના અચાનક અને સંપૂર્ણ નાશની અણી ઉપર આવીને ઊભી હતી. પૂર્વ તરફથી મળેલ લેકે આગળ વધી રહ્યા હતા.