Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રરક જગતના ઇતિહાસનું રેખાદર્શન બહુ લાભ નથી ઉઠાવી શક્યા. માણસ પોતાની કાર્યદક્ષતા અને લાયકાતથી ઊંચે ચડી શકે એ ખરું, પરંતુ તેણે એ કાર્યદક્ષતા અને લાયકાત કેવી રીતે પ્રાપ્ત કરવી ? કોઈ છોકરો કે છોકરી બહુ ચપળ હોય અને તેને યોગ્ય કેળવણી અને તાલીમ આપવામાં આવે તે તે હોશિયાર અને કુશળ બને. પરંતુ તેની કેળવણી અને તાલીમ માટે એગ્ય પ્રબંધ કરવામાં ન આવ્યું હોય તે બીચારે તે છોકરે કે છોકરી શું કરી શકે?
એ જ રીતે લેકમત પણ આખરે શું છે ? કાના મતને લેકમત સમજવો ? સંભવ છે કે “નીતિસાર'ના લેખકે મજૂરી કરનારા સંખ્યાબંધ શુદ્રોને કઈ પણ પ્રકારને મત આપવાના અધિકારી નહિ ગણ્યા હેય. એ લેકે કશી વિસાતમાં નહોતા. ઘણું કરીને ઉચ્ચ વર્ગના અને રાજકર્તા વર્ગના મતને જ લેકમત ગણવામાં આવત.
છતાં પણ એ વસ્તુ નોંધપાત્ર છે કે તે પહેલાંના સમયના હિંદની પેઠે મધ્યકાલીન હિંદના રાજકારણમાં રાજાની નિરંકુશ સત્તા કે રાજાના દેવી અધિકાને સ્થાન નહોતું.
એ ઉપરાંત રાજસભા, જેમને હસ્તક જાહેર બાંધકામ, બાગબગીચાઓ અને જંગલ હતાં તે મેટા મેટા અમલદારો, તેમ જ કસબા અને ગામડાંની વ્યવસ્થા, પુલે, વહાણ, ધર્મશાળાઓ, જાહેર રાજમાર્ગો અને સૌથી વધારે મહત્વની વસ્તુ તે એ કે, ગામ અને શહેરની ગટરે વિષે નીતિસારમાંથી આપણને માહિતી મળે છે.
ગામને લગતી બધી બાબતમાં ગ્રામપંચાયતને પૂરેપૂર કાબૂ . હતું અને રાજ્યના અમલદારે પંચ પ્રત્યે ભારે અદબથી વર્તતા. પંચાયત જ જમીનની વહેંચણી કરતી, કર ઉઘરાવતી અને પછી ગામની વતી તે રાજ્યને ભરણું ભરતી. આ પંચાયતે ઉપર એક મહા પંચાયત અથવા મહાસભા હોય એમ જણાય છે. તે પંચાયતના કામ ઉપર દેખરેખ રાખતી અને જરૂર પડે છે તેમાં દરમ્યાનગીરી પણ કરી શકતી. ગ્રામપંચાયત પાસે ન્યાયની સત્તા પણ હતી અને તે ન્યાયાધીશ તરીકે લોકોના મુકદમા પણ ચલાવી શકતી.
પંચાયતના સભ્યની ચૂંટણી કેવી રીતે થતી તથા તેમની લાયકાત અને બિનલાયકાત શી હતી તે વિષે આપણને દક્ષિણ હિંદના કેટલાક પ્રાચીન લેખે ઉપરથી માહિતી મળે છે. જો કોઈ સભ્ય સાર્વજનિક નાણુને બરાબર હિસાબ ન આપે તે તે પંચ તરીકે નાલાયક ઠરતે.