Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ગ્રીન ગેાપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૯૧
પાકન્યા, વિલાસપ્રિયતા અને વૈભવ સિવાય એ રાજાઓમાં તેમના પુરોગામીને એક પણ સદ્ગુણ નહેાતા. આથી રાજ્યમાં સર્વત્ર સડે પેઠા અને એની સાથે પ્રજા ઉપરતે કરતા બાજો પણ વધતા ગયા. વળી એ કરતા ઘણાખરે એજ્ ગરીબ વર્ગો ઉપર પડ્યો. પરિણામે અસતેષ વધી ગયો અને દશમી સદીના આરભમાં ૯૦૭ની સાલમાં તગ વંશના અત આવ્યેા.
એ પછી અધી સદી સુધી એક પછી એક મામૂલી અને નમાલા રાજાએ આવ્યા. પણ .૯૬૦ની સાલમાં ચીનના ખીજા એક મોટા રાજવશને આરંભ થયા. કાએન્નુએ એ વંશની સ્થાપના કરી હતી અને તે સુંગ વંશને નામે ઓળખાય છે, પરંતુ રાજ્યની સરહદ ઉપર તેમજ અંદરના ભાગમાં તકલીફ ચાલુ જ રહી. ખેડૂત વર્ગ ઉપર જમીનમહેલનો ભારે બેજો હતા અને એની સામે તેમને ભારે રોષ હતો. હિંદની માકૅ, ચીનમાં પણ જમીનમહેલ પદ્ધતિ લેાકા ઉપર ભારે એન્નરૂપ હતી અને તેને સંપૂર્ણ પણે બદલી નાખવામાં ન આવે ત્યાં સુધી શાંતિ સ્થપાવાનો કે પ્રગતિ થવાનો સંભવ નહોતો. પરંતુ સમાજવ્યવસ્થામાં આમૂલાગ્ર ફેરફાર કરવાનું હમેશાં મુશ્કેલ હાય છે. પ્રચલિત પદ્ધતિથી ઉપલા વર્ગના લોકાને લાભ થતા હેાવાથી તેમાં કશે! ફેરફાર કરવાની વાત આવે ત્યારે તે ભારે ખ્રુમરાણ મચાવી મૂકે છે. પરંતુ વેળાસર અને સમજથી જરૂરી ફેરફાર કરવામાં નથી આવતા તે તે વહુનાત આવી પહોંચે છે અને બધું ઊંધુંચત્તુ કરી મૂકે છે!
જરૂરી ફેરફારો ન કરવાને લીધે જ તંગ વંશના અંત આવ્યો. એ જ કારણે સુંગ વંશના અમલ દરમ્યાન પણ નિર ંતર મુશ્કેલી આવતી રહી. એક એવા પુરુષ ચીનમાં પેદા થયા જે એ મુશ્કેલીઓની સામે સફળ થઈ શકે એમ હતું. તેનું નામ વાંગ-આન-શી હતું. અગિયારમી સદીમાં સુંગ રાજાના તે વડા પ્રધાન હતા. મેં તને આગળ ઉપર જણાવ્યું છે તેમ ચીનનું શાસન કૉન્ફ્યુશિયસના વિચારે પ્રમાણે ચાલતું હતું. બધા સરકારી અમલદારાને કોન્ફ્યુશિયસના ગ્રંથાની પરીક્ષામાં પાસ થવું પડતું હતું. અને કોન્ફ્યુશિયસના વચનની વિરુદ્ધ કશું પણ કરવાની કાઈની હિંમત નહેાતી. વાંગ-આન-શીએ પણ તેના સિદ્ધાંતાના વિરોધ ન કર્યાં પરંતુ તેમને વિચક્ષણતાથી જુદા અમાં ઘટાવ્યા. બુદ્ધિમાન લોક મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા કંઈક આવી જ તરકામ