Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ગુન અમલનુ જાપાન
૧૯૫
*
ફૂવારા લાકાએ જ એ જમીનદાર વર્ગ ઊભા કર્યા હતા અને તેમને સરકારના કર ઉઘરાવવાને નીમ્યા હતા. તેઓ ' દામ્યો ' કહેવાતા. એના અર્થ માટા સમવાળા' એવા થાય છે. અંગ્રેજોના આગમન પહેલાં જ આપણા પ્રાંતમાં પણ એવા જ એક વર્ગ પેદા થયા હતા. તેની અને આ જાપાની વર્ગની સરખામણીથી આપણને તે એમાં જે સામ્ય જોવા મળે છે તે કૈાતુકભરેલું છે. અયેાધ્યાના એક દુળ નવાબે કર ઉધરાવનારાઓ નીમ્યા હતા. નવાબને કર ઉઘરાવવામાં મદદ કરવાને તેઓ નાનાં નાનાં લશ્કર રાખતા અને બળજબરીથી લોકા પાસેથી કર ઉઘરાવતા. અલબત, આ રીતે ઉધરાવેલા કરના માટે ભાગ તે પોતાની પાસે જ રાખતા. આ કર ઉધરાવનારાઓમાંથી કેટલાયે આખરે મોટા મોટા તાલુકદાર બની બેઠા.
દામ્યા લાકા પોતાનાં નાનાં નાનાં સૈન્ય તથા પરિચારકાને લીધે અતિશય બળવાન બન્યા. તે માંહેામાંહે એકબીજા સાથે લડતા અને ક્યોટાની મધ્યસ્થ સરકારને ગણકારતા નહિ. તારા અને મિનામેાતા એ એ દામ્યો વનાં મુખ્ય કુટુંબે હતાં. તેમણે ૧૧૫૬ની સાલમાં ફૂવારા કુટુંબને દાખી દેવામાં સમ્રાટને મદદ કરી. પણ પછીથી એ બંને કુટુંબ એકબીજા સામે લડ્યાં. એમાં તારા કુટુંબ જીત્યું અને વિષ્યમાં મિનામેાતા તરફથી કદી પણ તકલીફ ઊભી ન થાય એટલા ખાતર તેમણે પોતાના એ આખાયે હરીફ્ કુટુંબના સહાર કર્યાં. ચાર બળકા સિવાય આગળ પડતા બધાયે મિનામેાતાને તેમણે મારી નાંખ્યા. એ ચારમાં યેરીતામે નામનો એક બાર વરસના બાળક હતા. ભારે પ્રયત્ન કરવા છતાં તારા કુટુંબને પૂરેપૂરી સફળતા ન મળી, બાળક ચેરીતેામે કશી વિસાતમાં નથી એમ ધારીને તેને જતા કરવામાં આવ્યો હતો. પરંતુ માટે થતાં તે તારા કુટુંબનો કટ્ટો દુશ્મન બન્યો. વેર લેવા માટે તે નલસી રહ્યો હતા અને એમાં તેને સફળતા પણ મળી. તેણે તાઇરા કુટુંબને રાજધાનીમાંથી હાંકી કાઢ્યું અને એક નાકાયુદ્ધમાં તેનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યા.
હવે ચારીતામે સર્વાં સત્તાધીશ થઈ પડ્યો અને સમ્રાટે તેને સી-એ-તાઇ શગુન એવા ભારે માનવ તો ખિતાબ આપ્યા. એને અ જંગલી લોકાનું દમન કરનાર ' એવા થાય છે. ૧૧૯૨ની સાલમાં આ બનાવ બન્યા હતા. આ ખિતાબ વશપરંપરાગત હતો અને તેની જોડે રાજવહીવટ ચલાવવાને કુલ અખત્યાર પણ જતા હતા. ખા