________________
૩૦ .
જૈન દર્શનને કર્મવાદ. એ ભેદમાં પૂર્વવર્તી ભેદે તે ઉત્તરવતી ભેદોની ઉત્પત્તિમાં કારણરૂપ છે. અને ઉત્તરવસ્તીભેદે તે કાર્યરૂપે છે. જેથી પૂર્વવતી ભેદસિવાય ઉત્તરવતભેદોની ઉત્પતિ થઈ શકતી નથી. માટે ઉત્તરવતી ભેદની પહેલાં પૂર્વવત ભેદની ઉત્પતિ થવી જ જોઈએ. પરંતુ પૂર્વવતીભેદની ઉત્પતિ થયા બાદ ઉત્તરવતભેદોની ઉત્પતિ થાય પણ ખરી અને ન પણ થાય. આ હકીકત સ્વયં બુદ્ધિથી વિચારવાથી મતિજ્ઞાનને વ્યંજનાવગ્રહાદિ ઉત્પતિક્રમ સમજી શકાય તેવે છે.
વ્યંજનાવગ્રહાદિક જ્ઞાનનું સામર્થ્ય પણ દરેક જીવને અને એક જીવને પણ સદાકાળમાટે એક સરખું હેઈ શકતું નથી. તેમાં પણ બહુ, અબહુ, વગેરે વિવિધ પ્રકારે જ્ઞાનશક્તિ હોવાથી પૂર્વોક્ત ૨૮ ભેદમાં દરેકના બહુ, અબહુ વિગેરે બારબાર ભેદ કરતાં મતિજ્ઞાનના ૩૩૬ભેદે થાય છે.
આ ઉપરાંત વિકટ સમસ્યાના ઉકેલમાં તાત્કાલિક સહજબુદ્ધિની થતી ઉત્પતિરૂપ યાતિકીબુદ્ધિ, ગુરૂને વિનય અને સેવા કરતા ઉત્પન્ન થવા વાળી વૈનમિડી બુદ્ધિ, શિલ૫ અને કર્મથી સંસ્કાર પામેલી કર્મજ બુદ્ધિ, અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત દીર્ઘ કાળના પૂર્વાપર અર્થના અવકનરૂપ પત્રિરામિડી બુદ્ધિ, એમ ચાર પ્રકારની બુદ્ધિને પણ જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન તરીકે જણાવી છે. આ ચાર પ્રકારની બુદ્ધિમાં પણ વ્યંજનાવગ્રહાદિત પ્રવર્તે
૧
દીકરી અ.