________________
૨૯૮
જૈન દર્શનને કર્મવાદ લેવાનું છે. દેવાનુપૂવ–મનુષ્યાનુપૂર્વી–તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂવ, એ ચારે આનુપૂવકમેં ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતા જીવને ઉદયમાં આવે છે. પુણ્ય અને પાપ કર્મપ્રકૃતિઓ –
આત્માની સાથે સંબંધિત થયેલી આઠે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાં જે કર્મપ્રકૃતિઓના ફલસ્વરૂપે જીવને અનુકુળસામગ્રીની પ્રાપ્તિ થાય, તે કર્મપ્રકૃતિઓને પુણ્યપ્રકૃતિ અને પ્રતિકુળ સામગ્રી પ્રાપ્ત કરાવનાર કર્મપ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે. આ પ્રમાણે તમામ કર્મપ્રકૃતિએનું પુણ્ય અને પાપ, એમ બે વિભાગમાં વિભાજન થઈ શકે છે. આ બે ભેદસ્વરૂપે તે તમામ કર્મ પ્રકૃતિએને બાલછે સરલાથી સમજે છે. કારણ કે પ્રત્યેક ભવમાં, જીવ જે જે સંગ પ્રાપ્ત કરે છે, તે પૂર્વકૃત પુન્ય અગર પાપનું જ ફળ છે. અને વર્તમાન કાળે કરાતાં પુન્ય-પાપકર્મ, તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા શુભાશુભ સંયેગનું કારણ છે. પોતાનું ભલું યા બુરું ભવિષ્ય તે જીવ પોતે જ ભલા–બુરાકાર્યથી સ્વયં જ બનાવે છે, માટે જ કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં ગાયું છે કે –
બંધ સમય ચિત્ત ચેતીયે રે,
શ્ય ઉદયે સંતાપ સલુણે. સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યે આદર, સેવા અને ભક્તિ આદિ શુભકાર્યો તે પુણ્ય કહેવાય અને તેવા શુભ કાર્યો કર