________________
૪૨ ૬
જૈન દર્શનને કર્મવાદ વાળા કમને “નિધત્તિ કર્મ” કહેવાય છે. આ બે સંસ્કારવાળા સિવાયના અન્ય કર્મમાં કોઈ વખત અધ્યવસાયના બળથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશમાં ન્યૂનાધિક ફેરફારો થવાનું સંભવી શકે છે.
આ ફેરફારે તે ઓછેવત્તે અંશે અબાધાકાળ દરમ્યાન જ થાય છે. અબાધાકાળ એટલે કર્મ બંધાયા પછી અને ઉદય (ભેગવટા) પહેલાંને કાળ સમજે. ઉદયાવલિકેને પ્રાપ્ત થયેલાં કર્મોમાં કંઈ ફેરફાર થઈ શકતું નથી. કર્મની કઈ કઈ બાબતમાં કેવા કેવા પ્રકારે ફેરફાર થાય છે, અને તે પ્રમાણે થતા ફેરફારે શું નામે ઓળખાય છે, તે આ પ્રમાણે છે – અપવર્તન અને ઉદવર્તના –
કર્મની સ્થિતિ અને રસની, વૃદ્ધિ તથા હાનિને આધાર મનુષ્યના પૂર્વ કર્મ કરતાં વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ રહે છે. એક સમયે કરાયેલ અશુભકર્મોની સ્થિતિ અને રસમાં પણ પાછળથી કરાયેલ શુભકૃવડે ઘટાડો થઈ શકે છે, અને પ્રથમ કરેલ શુભકૃત્ય દ્વારા ઉપાર્જિત શુભ કર્મની સ્થિતિ અને રસમાં પણ પાછળથી થતા દુષ્કૃત્યેના ગે ઘટાડો થવા પામે છે. આ ક્રિયાને જૈનદર્શનમાં અપવર્તન કહેવાય છે. આમાં અશુભકર્મને રસ અશુભ હોય છે. આત્મવિકાસને માર્ગ સુલભ બનાવવામાં અશુભકર્મની સ્થિતિ અને રસની જ અપવર્તના જરૂરી છે.