________________
४६४
જન દર્શનને કર્મવાદ
આવિર્ભાવ દ્વારા સૂક્ષમ અણુસમૂહુરૂપ કર્મને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેકી દઈ શકે? આત્મા પિતાનામાં વમાન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક બને છે, તે સમયે આત્મા અને કર્મ વચ્ચે કેવું યુદ્ધ જામે છે? છેવટ અનંત શક્તિવંત આત્મા, કેવા પ્રકારના પરિણામથી બળવાન કમેને કમજોર બનાવી પિતાના પ્રગતિમાર્ગને નિષ્કટક બનાવે છે? ક્યારેક ક્યારેક પ્રગતિશીલ આત્માને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે? કયા કર્મને બંધ અને ઉદય કઈ અવસ્થામાં અવશ્યભાવી અને કંઈ અવસ્થામાં અનિયત છે? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણનાં આચ્છાદક કમને ક્યા ક્રમે હટાવી શકાય ? જ્ઞાનાદિ ચતુષ્ક ગુણેના વિકાસ સ્વરૂપ આત્માની વિવિધ દશાને કયા કેમે બતાવી શકાય? જીવપર કર્મફળ સ્વયં ભગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કેઈની પ્રેરણાથી ભેગવાય છે? સર્વથા કર્મસંબંધથી સદાના માટે રહિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કઈ વ્યક્તિ હોઈ શકે ખરી ? હાઈ શકતી હોય તે તેની તે વિશેષતાનું કારણ શું? ન હોઈ શકતી હોય તે નહિ હોવાનું કારણ શું ? એકજીવે બાંધેલું કર્મ, અન્ય જીવદ્વારા નષ્ટ થઈ શકે ખરૂં? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખદ સમાધાન તથા શરીર-વિચાર અને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શક્તિથી તે તેને ગ્ય અણુસમૂહ ખેંચાય છે? આકર્ષિત તે અણસમૂહમાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવપ્રયત્ન, અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો, કેવી રીતે ભાગ ભજવે છે? પ્રાણી