________________
૫૦.
જૈન દર્શનને કર્મવાદ મનુષ્યભવાદિ સામગ્રી ભવિતવ્યતા અર્પનાર છે, પરંતુ તે સામગ્રી વડે સંવર તથા નિર્જરા કરવી તે તે પુરૂષાર્થથી જ થાય છે. જ્યાં સંવર-નિર્જરા માટે પ્રયત્નની જરૂર છે, ત્યાં ભવિતવ્યતાના ભરેષે રહેવું એ ભૂલ છે,
કર્મને ઉદય ભવિતવ્યતાને આધીન થઈ જાય, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર,એ રત્નત્રયીની આરાધના -સંવર તથા નિર્જરાનું પિષણ-આશ્રવ-બંધનું શેષણ એ તમામ ભવિતવ્યતા કરવાની નથી. ત્યાં તે આત્માએ પોતે પ્રયત્ન આદર પડેશે.
- શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે (પંચ વસ્તુ પૃષ્ઠ ૨૬-ર૭) બાદરપણું, રસપણું, પર્યાપ્તપણું, પંચે ન્દ્રિયપણું, મનુષ્યપણું, દેવગુરૂ ધર્મની જોગવાઈ, અને શ્રદ્ધા આદીની પ્રાપ્તિ થઈ છે, પણ તે બધાની સફળતા પુરૂષાર્થથીજ છે. પુરૂષાર્થમાં જ કસોટી છે, ત્યાં પાછો પડે તે ખલાસ. ઉપરોક્ત તમામ વસ્તુની પ્રાપ્તિ થયે છતે પણ આરાધના ન કરીયે તે પ્રયત્નની ખામી છે. સાધન દ્વારા પણ સાધ્ય સિદ્ધ ન કરાય તે સાધનની સાર્થકતા શી ?
નવાં કર્મો ન બાંધવાં, બધેલાં કર્મ તેડવાં તથા ઊદયમાં આવેલાં કર્મોને નિષ્ફળ કરવાના પુરૂષાર્થ વિના મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ નથી.
- શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા કહે છે કે છેલ્લા પુદગલપરાવર્સમાં આવેલે જીવ જ ઉદ્યમમાં કટીબદ્ધ હોય છે. પૂર્વસંચિત અંતરાયકર્મ હોય, ત્યાં સુધી કાર્ય