________________
૪૪૮
જૈન દર્શનને કર્મવાદ જ પડશે કે જે આત્માને પ્રયત્ન તેવી ભવિતવ્યતા ઘડાઈ. આત્માને પ્રયત્ન સારે હોય તે ફળરૂપ ભવિતવ્યતા સારી, આત્માને પ્રયત્ન નરસ હોય તે ફળરૂપ ભવિતવ્યતા નરસી. આથી સિદ્ધ થાય છે કે ભવિતવ્યતાતે બિચારી પાંગળી છે. જ્યાં સુધી જીવ કર્મ ન બાંધે ત્યાં સુધી ભવિતવ્યાની તાકાત નથી કે જીવને કોઈ પણ ગતિમાં લઈ જઈ શકે. એટલે ભવિતવ્યતા પેદા થવામાં પણ જીવને ઉધમ (પુરૂષાર્થ) જ કારણરૂપ છે. ભવિતવ્યતાના નિર્માણ થવા ટાઈમે પણ જીવને ઉદ્યમ તે હેાય જ છે. પણ મિથ્યાત્વના ગે ત્યાં વિપરીત ઉદ્યમ હોય છે. એટલે પરંપરાએ સંસારની વૃદ્ધિ કરનારી ભવિતવ્યતાનું તે નિર્માણ કરે છે. સાચે ઉદ્યમ કે સાચા પુરૂષાર્થનું તેને જ્યાં સુધી ભાન ન હોય ત્યાં સુધી સ્વઉદ્યમ દ્વારા ભવિતવ્યતાનું નિર્માણ થતું હોવા છતાં પણ જવાબદારી ભવિતવ્યતાને જ સેંપે છે. ભવિતવ્યતા, કાળ કે સ્વભાવ એ પુરૂષાર્થથી બહાર છે. તે પુરૂષાર્થને વિષય નથી. પુરૂષાર્થને વિષય તો કર્મોકરવાં, ભેગવવાં, યાતે મેક્ષના કારણે પ્રાપ્ત કરી છેવટે મોક્ષ મેળવવું એજ છે. હિંસા, જૂઠ, ચેરી વગેરે કર્મો– દયથી બને છે. તેમાં ઉદ્યમ કરવાનું શ્રી જિનેશ્વર દેવે કહ્યું નથી, પણ મેક્ષ માગને અંગે ઉદ્યમ કરવાનું ભગવાને ફરમાવ્યું છે. મિથ્યાત્વ દશામાં જીવને પુરૂષાર્થ, કર્મો કરવામાં તથા ભેગવવામાં જ થાય છે. અને મિથ્યાત્વ નષ્ટ થયે છતે મેક્ષનાં કારણે મેળવવામાં પુરૂષાર્થ થાય છે. અને તે કારમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થવારૂપ કાર્ય સિદ્ધિ થાય છે.