Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 479
________________ ૪૬૦ જૈન દર્શનને કર્મવાદ માણિક ભાવવાળો અને ક્રિયાશીલ માને છે. એટલે રાગદ્વેષ આદિ જુદા જુદા અધ્યવસાયેથી જીવમાં સતત ક્રિયા ચાલુ રહે છે, જેને પરિણામે અનાદિકાળથી જીવ, પુદ્ગલના સંબં. ધમાં રહેલું છે, અને વર્તમાન કાળમાં પણ તે ક્રિયા ચાલુ હેવાથી કર્મ અને જીવને સંબંધ ચાલુ રહ્યા કરે છે. વળી જીવ, અનાદિ કર્મસંતતિમાં પતિત હોવાથી એકાંત અમૂર્ત પણ નથી. કથંચિત્ મૂર્ત પણ છે. એટલે જડ કર્મ, તે મૂર્ત હોવા છતાં, તેને અમૂર્ત જીવને સંબંધ થઈ શકે છે. કર્મ એ પૌગલિક છે, એટલે મૂર્ત છે. કારણ કે મૂર્તતા (Extension) એ જડને સ્વભાવ છે. અમૂર્તતા એ ચેતનને સ્વભાવ છે. શરીર વગેરે મૂર્ત છે, એટલે તેનું કારણ કમ પણ મત હેવું જોઈએ. કર્મ, જુદા જુદા શરીરેને ઉત્પન્ન કરે છે, તેમ જીવને સુખ દુખ પણ આપે છે. જુદા જુદા પ્રકારના શરીરની ઉત્પત્તિનું કારણ, કર્મ-કાર્પણ શરીર છે. એટલે શરીર આદિની ઉત્પત્તિમાં, કર્મ એ ઉપાદાન કારણ છે. સુખ દુખ એ આત્માના ધર્મો છે, એટલે સુખ દુખમાં ઉપાદાન-સમવાયી કારણ આત્મા છે, અને કર્મ એ નિમિત્ત કારણ છે. જીવ સંસ્થાનમાં મિશ્રિત થયેલ કર્મ અને ચેતનતને બુદ્ધિથી જુદા પાડી, તેનો વિચાર કરવામાં આવે તે જીવના સંબંધથી કર્મમાં કાંઈ ગુણ થતું નથી, તેમ કર્મના સંબંધથી જીવમાં કાંઈ ગુણ ઉત્પન્ન થતું નથી. જીવ અને પુદગલ તે એકબીજાના નિમિત્તથી વિશિષ્ટ પરિ.

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500