________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૩૧ કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણત્વાદિ વિચિત્ર સ્વભાવે ઉત્પન્ન થવાની સાથે જ, જીવના કાષાયિક અધ્યવસાવડે અનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. પુદ્ગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે -પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે કર્મરૂપે પરિણામ પામેલ. કામણવગણના પુદ્ગલમાં અમુક સ્વભાવ કે સામર્થ્યનું નિર્માણ આ રીતે થાય, તેમાં કંઈ અસંભવિત જેવું નથી.
આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રગ દ્વારા અમુક અમુક વસ્તુઓમાં ઉત્પન્ન થતે અમુક પ્રકારને સ્વભાવ અને સામર્થ્ય, એ કર્મપ્રદેશમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સામથ્યની હકીકતને સત્યરૂપે પુરવાર કરવામાં સચોટ દષ્ટાંતરૂપ છે. અનંત જ્ઞાનીઓએ કહેલાં સર્વ વચનેની ખૂબ દીર્ઘ દૃષ્ટિથી ગવેષણ કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રગથી આપણે જે થનથનાટ અનુભવીએ છીએ, તે થનથનાટ, સર્વજ્ઞ દેએ કહેલ તત્વજ્ઞાન આગળ તુચ્છવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયું હોય કે ન સાંભળ્યું હોય, તેને એક ટમટમીયા દીપકને પ્રકાશ પણ આનંદમગ્ન બનાવે, તેમાં કઈ આશ્ચર્ય ન કહેવાય.
રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દોની સમજણ ન પડે તે, તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તે તે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી લઈએ. એટલે આ વિષય સમજવામાં સુલભતા રહે..
કર્મપ્રદેશ-કર્મરૂપે પરિણામ પામેલ પુદ્દગલ સ્કધને અવિભાજ્ય (અનાડીવાઈ ડેબલપાટકલ) ભાગ,