________________
૩૪૨
જૈન દર્શનને કર્મવાદ રસબંધ થતું નથી. કારણકે અશુભ કર્મ પ્રકૃતિઓના એક સ્થાનિક સબંધને યોગ્ય અધ્યવસાયને સંભવ તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી જ હોય છે. અને તે તે સમયે ઉપરોક્ત સત્તર પ્રકૃતિએ સિવાય બાકીની અશુભ પ્રકૃતિઓના બંધહેતુઓને જ વિચ્છેદ વતે છે.
બંધ હેતુઓના અભાવે તે પ્રકૃતિઓના બંધને જ અભાવ હોય, પછી રસબંધ શામાં પડે? એટલે તે પ્રકૃતિ એના બંધ હેતુઓનું જ્યાં સુધી હોવાપણું હોય ત્યાં સુધીમાં તે પ્રકૃતિઓના એકસ્થાનિક રસબંધને વેગ્ય અધ્યવસાયે જે હેતા નથી. પણ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુ સ્થાનિક રસબંધને એગ્ય જ અધ્યવસાયે હોય છે. તથા કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય, એ બે પ્રકૃતિઓ અનિવૃતિ બાદર સંપરાય ગુણસ્થાનક પછી પણ બંધાય છે.
પરંતુ આ બન્ને પ્રકૃતિએ સર્વઘાતી હેવાથી ઓછામાં ઓછા પણ દ્રિસ્થાનિક રસેજ બંધાય છે, પરંતુ એક સ્થાનિક રસે બંધાતી નથી. રસ બંધમાં કારણભૂત કાષાયિક અધ્યવસાયે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં કષાયની હીનતાથી વર્તતા અધ્યવસાયને શુભ અધ્યવસાય કહેવાય છે. અહીં અધ્યવસાયમાં શુભાશુભપણું અપેક્ષાપૂર્વક કહેવામાં આવ્યું છે.
જે પ્રકારના કષાયના ઉદયે વર્તતા જે અધ્યવસાયે એક સમયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસાયે