________________
૩૭૧
કર્મબન્ધના હેતુઓ જાય એવું દુઃખનું નિમિત્ત એક માત્ર મિથ્યાત્વ છે. રેગ, અંધકાર, શત્રુ અને વિષને એક જ જન્મમાં દુઃખદાયક છે. જ્યારે મિથ્યાત્વને પ્રતિકાર કરવામાં ન આવે તે, તે હજારે જન્મમાં દુઃખ દેવાવાળું બને છે. અવિરતિ –
હિંસાદિ પાપદોષોથી નહિં વિરમવું, તેને અવિરતિ કહેવાય છે. જેઓને હિંસાદિ સર્વ પ્રકારના પાપની શ્રદ્ધા જ નથી, અગર હિંસાદિક સર્વ પાપોથી વિરમવું જ જોઈએ, એવી જેઓની માન્યતા પણ નથી, તેવા છો તે ભવાભિનંદી યા ગાઢ મિથ્યાત્વી જ છે.
આવા ગાઢ મિથ્યાત્વી જીવે કદાચ બાહ્ય રીતે હિંસાદિ પાપ દોષથી કંઈક અંશે નિવૃત્ત દેખાય તે પણ, તેવાઓની પાપ નિવૃત્તિ તે અવિરતિ દશાવાળી જ કહેવાય છે. તત્ત્વપ્રતીતિ અને તત્ત્વપ્રીતિ વિનાની એ રીતની નિવૃત્તિ, મિથ્યાત્વી જીવ, અનંતીવાર પામીને તે નિવૃત્તિદ્વારા, આત્મિગુણના વિકાસરૂપી અનાજને પ્રાપ્ત નહિં કરતાં પૌગલિક સુખરૂપ ઘાસને જ પ્રાપ્ત કરે છે. માટે તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિપૂર્વકજ હિંસાદિક પાપદોષથી નિવૃત્ત જીવ, અવિરતિથી વિરામ પામ્ય ગણાય છે. અને એ જીવ જ અવિરતિપણું અંગે થતા, કર્માશ્રવને રોકી શકે છે.
ભૂખ્યા રહેવાથી બીજા દિવસે મળવાના મિષ્ટ ભેજ