________________
૩૭૨
જૈન દર્શનને કર્મવાદ નને વધુ વપરાશ થઈ શકે, એવી બુદ્ધિથી ભૂખ્યા રહેનારને તપસ્વી કહેવાય નહિ. તેવી રીતે હિંસાદિક અઢાર પાપસ્થાનકેને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરરૂપે ન મનાય, ત્યાં સુધી બાહ્યદેખીતી પાપ નિવૃત્તિ, તે અવિરતિની નિવૃત્તિ રૂપે ગણું શકાતી જ નથી.
એક ગણું દઈ સહસ્ત્રગણું પ્રાપ્ત કરવાની બુદ્ધિવાળે, દાની ન કહેવાય. વિષયભોગેને અત્યંત લુપી મનુષ્ય, તે વિષયભોગો માટે શારીરિક અનુકુળતા પ્રાપ્ત કરવા, પૌષ્ટિક ઔષધિઓના સેવન સમયે સ્ત્રીસંસર્ગથી દૂર રહેનારે, બ્રહ્મચારી ન કહેવાય. અજીર્ણ ટાઈમે ભૂખ્યા રહેનારે તપસ્વી ન કહેવાય. અને ઉપરોક્ત ત્રણે અવસ્થામાં દાનશીલ–અને તપની ભાવનાવાળો પણ ન ગણાય. તેવી રીતે અધ્યાત્મ દ્રષ્ટિએ અઢાર પાપસ્થાનકના ભયવિહણે જીવ, કઈ અશક્તિથી કે સાંસારિક ભયથી યા માનપાનાદિસ્વાર્થ બુદ્ધિથી કે અન્યભવે ભૌતિક સામગ્રી મેળવવાની તીવ્ર લાલસાએ, કઈ પાપસ્થાનકની નિવૃત્તિરૂપ સગોમાં રહેવા માત્રથી, તેનું અવિરતિપણું ટળી જતું નથી.
પાપસ્થાનક અઢાર છે. તે અઢારે પાપસ્થાનકે સંસારમાં રખડાવનાર છે. નરક તિર્યંચાદિના ઘેર દુઃખે પમાડનાર છે. આવી માન્યતાને સ્વીકાર નહિ કરવા દેવાવાળું એક મિથ્યાત્વ નામનું જ પાપસ્થાનક છે. પહેલાં સત્તર વાપસ્થાનકે પ્રવૃત્તિરૂપ છે, જ્યારે મિથ્યાત્વ તે વિપરીત માન્યતા રૂપ છે. એટલે સત્તર વાપસ્થાનકને યથાર્થ રીતે નહિં સમજવા