________________
૪૦૫
કર્મબન્ધના હેતુઓ ઉચ્ચગેત્ર બંધાય છે. અને પરની નિંદા, આત્મ પ્રશંસા, સદ્દગુણુચ્છાદન અને અસદગુણદભાવનથી જીવ, નીચ ગેત્ર બાંધે છે.
(૮) કોઈ દાન કરતું હોય, કોઈને કંઈ લાભ થત હોય, કોઈને અનાદિ ભેગ સામગ્રીની અને ઉપગ્ય સામગ્રીની અનુકુળતા હોય, કઈ પિતાની શક્તિ શુભ કાર્યમાં ફેરવતુ હોય, આ બધામાં વિન કરવાથી, જિન પૂજાને નિષેધ કરવાથી અને હિંસાદિમાં તત્પર રહેવાથી અંતરાય કર્મ બંધાય છે.
આ પ્રમાણે આ આઠે કર્મબંધનના બાહ્યહેતુઓ છે. શાસ્ત્ર નિયમ તે એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છોડી સાતે કર્મપ્રકૃતિઓને બંધ તે જીવને પ્રતિસમય થાય છે. એટલે જીવે પ્રતિસમય ગ્રહિત કામણ વર્ગણાનાં પુદ્ગલે, તેજ સમયે સાતે કર્મરૂપે વહેંચાઈ જાય છે. તે હકીક્ત પ્રદેશબંધના સ્વરૂપમાં વિચારાઈ ગઈ છે.
તેમ છતાં પ્રકૃતિવાર કર્મબંધના જે બાહ્યહેતુ શાસ્ત્રમાં કહેલા છે, તે, તે તે પ્રકૃતિના અનુભાગ અર્થાત્ રસબંધને ઉદ્દેશીને સમજવા. કેઈ પણ એક કર્મને આ બાહ્યહેતુના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજા પણ કર્મો બંધાય તે છે જ, પરંતુ તે નિયમ, પ્રદેશબંધ અંગે જ છે. વળી આ અનુભાગબંધ પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજ. અર્થાત જ્ઞાનપ્રદોસ આદિ હેતુના સેવન સમયે