________________
૪૧૨
જૈન દર્શનને કર્મવાદ વરતુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે, - ક્ષુધાતૃષા-ઠંડી–ગરમી-માન-અપમાન-રોગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રભનની સામે લલચાવું નહિં, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું, એ વિગેરે, શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષદમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહય કહેવાય છે.
ક્ષમા-મૃદુતા–બાજુતા – નિર્લોભતા-તપસંયમ (૫ મહાવ્રત, ૫ ઇંદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મનવચન-કાયના અશુભ વ્યાપાર રૂ૫ ત્રણ દંડની નિવૃત્તિ એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ-અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય, એ દશ યતિધર્મ છે.
વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહેવાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જૈનગ્રંથમાં એ માટે નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે.
(૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના” કહેવાય છે.
(૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા - મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના” છે.