________________
૩૦૪
જૈન દર્શનને કર્મવાદ ઈચછે, અન્યને અનુકુળતા થવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આત્માની સ્વભાવદશા પ્રત્યે લક્ષ્ય રહે, તે તેવા ઉદયમાં આવેલ પાપને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે.
પૂર્વકૃત પાપના ઉદયમાં જીવને આ ધ્યાન-રૌદ્રધ્યાન થાય, નવું પાપ કરવાની વૃત્તિ રહે, ભૂખે મરતે અનેક જીવને સંહાર કરે, ચેરી લુંટફાટ કરે, કપટ કરી લેકેને છેતરે, ઈત્યિાદિ દુષ્ટપ્રવૃત્તિ દ્વારા નવું પાપ બંધાવનાર પૂર્વકૃત પાપના ઉદયને, “પાપાનુબંધિ પાપ” કહેવાય છે.
બન્ને પ્રકારના પુણ્યની માફક આ બંને પ્રકારના પાપના સંસ્કારની ભિન્નતાનું કારણ પણ, પાપ બંધ ટાઈમે થતી દામ્પ્રવૃત્તિમાં વર્તતા જીવના અધ્યવસાયેજ છે. પાપભીરૂ હોવા છતાં પણ, અનિવાર્ય સંયોગેમાં દુઃખાતા દિલે, ન છૂટકે, પાપની ઘણા પૂર્વક પાપ થઈ ગયું હોય, થઈ ગયા પછી પણ થયેલ પાપ હૃદયમાં ડંખતું હોય, તે તે પાપોદય સમયે પ્રતિકુળ સંયોગમાં પણ જીવની ભાવના સારી રહે છે.
અત્યંત આશક્તિપૂર્વક અને કર્યા બાદ પણ તે પાપની થતી પુનઃ પુનઃ અનુમોદનવાળો પાપને બંધ, “પાપાનુ બંધિ પાપ” રૂપે બની, તે પાદિયસમયે પ્રાપ્ત પ્રતિકુળતામાં જીવને દુધ્ધની બનાવી, પાપની પરંપરા વધારે છે. કર્મની ઉત્તર પ્રવૃતિઓ બંધમાં ૧૨૦ બંધાય છે. તેમાં ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ નીચે મુજબ