________________
૩૧
સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ કરતાં નથી, પણ અમુક ટાઈમ પછી જ કામ કરે છેહરડેનું કાર્ય રેચ કરવાનું છે, તે પણ હરડે લીધા બાદ હરડેની બીજી અસર થતી હોય તે પણ રેચનું કાર્ય તે અમુક ટાઈમ પછી જ કરે. ચૂલે ચડાવતાં જ તરત કઈ પણ ચીજ પાકી જતી નથી. જેવી વસ્તુ, તે પ્રમાણમાં તેને પાક થતાં વાર લાગે છે. તેમ બંધાયેલું કર્મ બંધાતાંની સાથે જ કામ કરતું નથી. તે કર્મને પાકકાળ ન થાય ત્યાં સુધીના કાળને જૈન પરિભાષામાં “અબાધાકાળ* કહેવામાં આવે છે. કમને એ અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ, કર્મ તેનું ફળ દેવાનું શરૂ કરે છે. એને કર્મને ઉદય કહેવામાં આવે છે. ઉદય કાળમાં કમને ક્રમશઃભોગવવા માટે કર્મલિકની રચના થાય છે, માટે તેને નિષેકકાળ કહેવાય છે. એટલે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ. તેમાંથી અમુક સ્થિતિ અબાધાકાળમાં જાય છે, અને બાકીની સ્થિતિ નિષેક-ભોગ્ય કાળમાં જાય છે. ભાગ્યા કાળમાં કર્મનાં પુગલે ક્રમશઃ ઉદયમાં આવે છે. અને ફળ આપીને આત્માથી છુટાં પડી જાય છે.
કર્મના સ્થિતિબંધમાં પણ અબાધાકાળ અને ભોગ્યકાળ નિયત હોય છે. જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બંધાય, તેને તેટલા સે વર્ષને અબાધાકાળ હોય છે. જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ બંધાતી હેવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને સાત હજાર વરસને અબાધકાળ હોય"