________________
સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ
૩૧૫ પરભવનું આયુ પણ અંતર્મુહુત પ્રમાણ બાંધનારના હિસાબે આયુને બંધ અને અબાધાકાળ બંને જઘન્ય હેય છે.
અંતર્મુહુર્તના આયુવાળ તંદુલીયે મત્સ્ય, તે તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળું સાતમી નારકીનું આયુ બાંધે. તે હિસાબે આયુને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ, અને અબાધા જઘન્ય, હોય છે. પૂર્વ કોટિ વર્ષના આયુવાળે પિતાના તે આયુના ભેગવટાથી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ અંતમુહુર્ત સ્થિતિ પ્રમાણ બાંધે, તે હિસાબે સ્થિતિબંધ જઘન્ય અને અબાધકાળ ઉત્કૃષ્ટ હોય છે.
પૂર્વકેટિ વર્ષના આયુવાળે પિતાના આયુના ભેગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ વાળું દેવ કે નારકીનું પરભવનું આયુ બાંધવાના હિસાબે, તે સ્થિતિબંધ અને અબાધા બંને ઉત્કૃષ્ટ હોય છે.
આ રીતે બધ્યમાન આયુની અબાધા, ભેગવાતા. આયુને આધીન છે. પણ બંધાતા આયુને આધીન નથી. જ્યારે આયુ સિવાય શેષ સાત કમની અબાધા, બંધાતા. કર્મને આધીન હોવાથી તે કર્મોમાં વર્તતી અબાધા તે બંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે. જેથી અપવર્તના વડે તે કર્મોની અબાધા ઉડાડી શકાય છે, યા તે બંધાતા કર્મની સ્વજાતીય પ્રકૃતિને તે સમયે જે ઉદય હોય તે બંધાવલિકા ગયા બાદ ઉદીરણા વડે તેને ઉદય પણ થઈ શકે છે. આયુમાં તેમ બની શકતું નથી. કારણ કે બેધ્યમાન આયુની અબાધા, તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત.