________________
કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૩૦૩ પણ જીવને કષ્ટ નહીં દેવાની વૃત્તિ, યથાર્થ અને પ્રિય ભાષણ, પોતાનું બુરું કરનાર પ્રત્યે પણ ક્રોધને અભાવ, અભિમાનને ત્યાગ, ચિત્તની ચંચળતાનો અભાવ, કેઈની પણ નિંદા કરવાનો ત્યાગ, ઇન્દ્રિયને વિષયે સાથે સગ થવા છતાં પણ અનાસક્ત ભાવ, લેકવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ આચરણમાં લજજા, મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને મધ્યસ્થતા, આ સર્વ સદ્દગુણોની પ્રાપ્તિ “પુણ્યાનુબંધિ પુણ્ય” ના ઉદયથી જ થાય છે. માટે અહીં સમજવું જરૂરી એ છે કે, દાનાદિ શુભ અનુષ્ઠાને પુણ્યબંધમાં કારણભૂત છે, પણ તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવા ટાઈમે જીવનું લક્ષ્ય સારું હોય તે, તે અનુષ્ઠાનેથી “ પુણ્યાનુબંધિ પુણ્ય ” બંધાય છે. અને લક્ષ્ય સારું ન હોય તે “પાપાનુબંધિ પુન્ય” બંધાય છે.
પુણ્યની માફક પાપ પણ બે પ્રકારનું છે. (૧) જે પાપ ભગવતાં નવું પુણ્ય બંધાય, તે “પુણ્યાનુબંધિ પાપ” અને (૨) પાપ ભેગવતાં નવું પાપ બંધાય, તે “પાપાનુ. બંધિપાપ” કહેવાય છે.
અત્ત ધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વિના સમભાવે ભેગવતા પૂર્વકૃતપાના ઉદયને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે. વળી જે પાપોદયથી પ્રાપ્ત અનેક પ્રતિકુળ સંગોમાં પણ, લેશમાત્ર અધર્મ સેવવાની ઈચ્છા ન થાય, અને દીનપણું ન દાખવે, જગત માત્રના પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રવ, પિતાની પ્રતિકુળતામાં પણ અન્યની અનુકુળતા