________________
૨૦૨
જૈન દર્શનને કર્મવાદ
બેચેની, પશ્ચાતાપ, લાજ અને અશાંતિ તેને વારંવાર ડંખ્યા કરશે. એટલે પિતાના બચાવ માટે અપરાધીઓને શિક્ષા આપવા કહે, કે પિતાને તથા પિતાના આશ્રિતોને બચાવ કરવાને કહે, તે માટે તેને પ્રયત્ન કરવો પડે, ત્યાં સુધી તે સમ્યગૃદૃષ્ટિ પિતાની હદ જરા પણ ઉલ્લંઘતે નથી, એમ માનવામાં જરા પણ અડચણ નથી.
આવી જ રીતે દેવ, ગુરૂના અવર્ણવાદ કઈ બોલતું હોય કે ધર્મનાં અમુક સાધનોને કોઈ નાશ કરતું હોય, સાધુ સંતને કઈ તરફથી હરકત થતી હોય, ધર્મનાં સ્થાને દેવમંદિરે, આદિને કોઈ નાશ કરતું હોય, પિતાના સ્વધમી બંધુઓને વિના અપરાધે કેઈએ વિપત્તિમાં સપડાવ્યા હોય, તે તેમાંથી તે તે વસ્તુઓને કે મનુષ્યને બચાવ કરવા અને તેને માટે કેઈ વિશેષ પ્રવૃત્તિ કરવી પડે તે તે પ્રવૃત્તિ પણ કરવી, તે સમ્યગ્દષ્ટિને ભૂષણ રૂપે થાય છે. પણ દૂષણ રૂપે નથી.
આમાં પિતાની શક્તિને વિચાર જરૂર કરો. પિતાની શક્તિવાળું તે કાર્ય જણાય, પિતાની ફરજવાળું કાર્ય સરૂ જાય, તે તે કાર્યમાં પોતાની શક્તિ નહિ છુપાવતાં બનતી પ્રવૃત્તિ કરવી. આવાં કાર્યમાં ઉપશમ ગુણને આગળ ધરી, શક્તિવાન મનુષ્ય તે કાર્યની ઉપેક્ષા કરે છે, તે તે સમ્યકર્વને દુષિત કરે છે. પિતાની ફરજ નહિ બજાવવાથી તે આત્મા ધર્મમાંથી પતિત થાય છે.
આત્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં તેને કદી વિજય