________________
પ્રકૃતિ બંધ
૨૧૭ લન કષાયથી બંધાતાં કર્મની તીવ્રતા તે ઓછામાં ઓછી બંધાય છે. આ કષાય તે યથાખ્યાતચારિત્રને ઘાત કરનાર, પંદર દિવસ રહેવાવાળા અને દેવગતિના કારણભૂત છે.
આ પ્રમાણે ચાર પ્રકારને ક્રોધ, ચાર પ્રકારને માન, ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારને લેભ ગણતાં ૧૬ પ્રકાર કષાયન થાય છે. તેમાં યાજજીવપૂર્યત, એક વરસ પર્યત, ચાર માસ પર્યત અને પંદર દિવસ પર્યત સ્થિતિનું જે કથન છે, તે કષાયેની તીવ્રતા મંદતા બતાવવા માટે સ્કૂલ વ્યવહાર નયને આશ્રયી છે. કેમકે પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીય કષાયની અંતમુહૂર્નાદિકાળની સ્થિતિ પણ પંભવે છે.
કેઈમનુષ્યને અમુક નિમિત્તે કઈ અન્ય માણસના “ઉપર તીવ્ર ઇંધ થયે, તે જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી તેના અંતઃકરણમાંથી જતું નથી. એટલું જ નહિ પણ તે કષાયને અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાંતરમાં પણ પ્રાદુર્ભાવ થાય છે. તે તીવ્ર કષાય તે અનંતાનુબંધી જાણ. આ અનંતાનુબંધી કષાયની લાગણીથી ફરી તેવું કષાયકર્મ અંધાય, અને તે બંધાયેલું કષાયકર્મ ઉદયમાં આવી એ કષાય કરાવે કે જેથી બીજું પણ તેવું જ કષાય કર્મ બંધાય. એમ અનંતવાર બંધાવાની પરંપરા ચલાવનાર હોવાથી તેને અનંતાનુબંધી કહેવાય છે.
કેઈ માણસને માત્ર એકવર્ષ પર્યત જ રહે છે. એક વરસ પછી સાંવત્સરિક પ્રતિકમણ કાળે ક્ષમાપના કરવાથી કે