________________
પ્રકૃતિ બંધ
૨૫૧ અને આહારક શરીરને એગ્ય અંગઉપાંગ અને અંશેપાંગના સ્પષ્ટ વિભાગરૂપ પરિણામ અનુક્રમે (૧) દારિક અંગે પાંગ નામકર્મ (૨) વૈકિય અંગોપાંગ નામકર્મ અને (૩) આહારક અંગોપાંગ નામકર્મના ઉદયથી જ થાય છે.
પાંચેય શરીરમાં આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુગલેને અન્ય એકાકાર સંબંધ કરવાવાળું બંધન નામકર્મ તે (૧) ઔદારિક બંધન નામકર્મ (૨) વૈકિય બંધન નામકર્મ (૩) આહારક બંધન નામકર્મ (૪) તૈજસ બંધન નામકર્મ અને (૫) કામણ બંધમ નામકર્મ, એમ પાંચ પ્રકારે છે.
દરેક સંસારી જીવ બે-ત્રણ કે ચાર શરીરોના એકી સાથે સંબંધવાળો પણ હોય છે. એટલે જેટલાં શરીરને એકી સાથે સંબંધ ચાલુ હોય, તે દરેક શરીરને મેગ્ય. પુદગલનું ગ્રહણ પણ ચાલુ હોય છે. તે ટાઈમે પોતાની જાતના કે બીજી જાતના ગ્રહણ કરાતા શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થઈ, તે સર્વને એકમેક સંબંધ થઈ જતે હવાના હિસાબે, તે બંધનમાં હેતુભૂત ઉપરોક્ત પાંચ બંધનનામકર્મ ઉપરાંત, બીજા દશ મળી કુલ્લ પંદર બંધનનામકર્મ પણ કહેવાય છે.
તે દશનાં નામ આ પ્રમાણે છે.
(૧) ઔદારિક તૈજસ બંધન નામકર્મ (૨) દારિક કામણ બંધન નામકર્મ (૩) દારિક તૈજસકાર્માણ બંધન. નામકર્મ (૪) વૈક્રિય તૈજસ બંધન નામકર્મ (૫) વૈક્રિય.