________________
૨૭૧
પ્રકૃતિ બંધ
ગરીબ, ભિખારી, તુચ્છને ત્યાં જન્મેલે કટિધ્વજ થાય ખરે, પણ તે બહારથી લાવે ત્યારે થાય. તેવી રીતે અન્ય કુલમાં જન્મેલાઓને શ્રમ કરીને, પરિશ્રમ કરીને, પરીક્ષા કરીને, ધર્મને, ધર્મના સંસ્કારને બહારથી, બીજા કુલ પાસેથી, સંસર્ગથી મેળવવા પડે. ઉચ્ચકુલના સંસ્કારવાળા હંમેશાં સારી પરિણતિવાળા રહેવા જોઈએ, અને તેઓમાં નીચ પરિણતિ ન જ હોય એમ તે ન બને, પણ ઉડતી આવેલી છાંટા રૂપે હોય, મૂળ રૂપે હોય નહિં. હીરાની ખાણમાં ઉગ્યા છતાં બધા કંઈ હીરા નથી હોતા, પત્થરો પણ હોય છે, તેમ છતાં તે ખાણ તે હીરાની જ કહેવાય છે. તેમ ઉચ્ચગેત્રને અંગે સમજી લેવું.
શ્રીમંતને ત્યાં જ મેલે, ગરીબ પણ થઈ જાય, અને ગરીબને ત્યાં જન્મેલે શ્રીમંત પણ થઈ જાય. દશાના ખેલ છે, લક્ષમી ચંચલ છે. આ બધું જાણવા છતાં પણ શ્રીમતના ઘરે જન્મેલા છોકરાને ભાગ્યવાન ગણીએ છીએ. દરિદ્રિના ઘેર જન્મેલા છેકરાને ભાગ્યહીન-દુર્ભાગી માનીએ છીએ.
| ઉચ્ચકુલના સંસ્કારવાળાને ઉપદેશ પરિણમતાં વાર લાગતી નથી. નીચ નેત્રવાળાને ઉપદેશની અસર ન જ થાય, એમ તે ન કહેવાય, પણ વાર તે જરૂર લાગે.
સંસ્કાર વિકસાવતાં પણ નીચગોત્રના સંયોગો અંતરાયભૂત થાય,