________________
પ્રકૃતિ બંધ
૨૭૭
પામેલા દરેકને ઉચ્ચ સ્થિતિની પ્રાપ્તિ અને નીચગોત્રમાં જન્મ પામેલા દરેકને નીચ સ્થિતિની પ્રાપ્તિ સમાનપણે હેતી નથી. પરંતુ પૂર્વભવમાં તે તે ગેત્રના બંધ સમયે વર્તતા અધ્યવસાય ભેદે, તે કર્મ જે પ્રકારે બંધાયેલું હોય, તે તે પ્રકારેને અનુસરીને તરતમતા હોય છે.
પુણ્ય-પાપ-આત્મા-પરમાત્મા–મેક્ષ-પુનર્જન્મ, એ વગેરેના ખ્યાલપૂર્વક થતી જીવનચર્યા તે અધ્યાત્મ છે. અને તેવા આધ્યાત્મિક જીવનના વિકાસમાં સહાયક સંસ્કારને જ, સુસંસ્કારો કહેવાય છે. તેવા સુસંસ્કારનું પિષક જે ગોત્ર, તે ઉચ્ચગોત્ર કહેવાય છે. જેમ જેમ પિષક તો વધારે તેમ તેમ તે ગોત્રની ઉચતા વિશેષ ગણાય છે. ઉચ્ચ ગેત્રની જીવન–સંસ્કૃતિ તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પાયાઉપરની હોય છે. માત્ર અર્થ અને કામને જ અનુસરતું જીવન ઉચ્ચકુલમાં હોતું નથી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થના જીવનના ધોરણે જીવતા, ઉચ્ચ ગોત્રવાળાઓની જીવનવ્યવસ્થા, આધ્યાત્મિક આદર્શોને સુવ્યવસ્થિત રાખવાપૂર્વક જ ગોઠવાયેલી હોય છે. એટલે તે ઉચ્ચગેત્રમાં રહેલા માનવીઓને, આધ્યાત્મિક જીવન જીવવાને લાભ, અનિચ્છાએ પણ મળતું જ રહે છે, અને તેનાથી છટકી શકાતું નથી, એ જ ઉચ્ચગેત્રની મહત્તા છે.
ફક્ત અર્થ અને કામના જ ધ્યેયવાળી સંસ્કૃતિયુક્ત જીવન જીવવાવાળે વર્ગ, ભૂતકાળમાં આ ભારતવર્ષની અંદર અલ્પ હતું. તે વર્ગ, ચાર પુરૂષાર્થને ધરણે જીવનારાઓ કરતાં