________________
પ્રકૃતિ બંધ
૨૭૩ હવાને અંગે જ શિક્ષણપ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ વધુ પ્રય-- ત્નશીલ રહે છે, અને શિક્ષણની કિંમત વધે છે. રાજ્ય વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, માણસની બુદ્ધિ અને આવડતને હિસાબે હોય છે. હજારો માણસની કેઈન જાહેર મીટીંગમાં ઉચ્ચ હોદ્દાદારીનું આસન ઊંચું જ હોય. છે. ઉચ્ચ આસને તથા નીચઆસને બેઠેલ વ્યક્તિઓ મનુષ્યપણે તે સરખા જ છે. તે પણ સંસ્કારના હિસાબે. તેમાં અસમાનતા છે. ઊંચું આસન એ, તે આસનસ્થિત. માણસની ઉચ્ચતા જ દર્શાવે છે, તેથી કરીને નીચા આસનસ્થિત માનવીઓને તિરસ્કાર થયે, એમ માનનાર મૂર્ખ જ કહેવાય છે. એ રીતે વિકાસની દષ્ટિએ અન્ય માનવી કરતાં એક માનવી ઉચ્ચ જ મનાય છે. એ નિયમ અનાદિકાળથી જગતમાં પ્રવર્તી રહ્યો છે. અને પ્રવર્તશે. એમાં એક માનવી પ્રત્યે આદર અને બીજા માનવી પ્રત્યે તિરસ્કાર છે, એમ કલ્પી શકાય જ નહિ. એ રીતે સુસંસ્કારને પોષક પ્રાપ્તસ્થાનની અનુકુળતા અને પ્રતિકુળતાના હિસાબે ત્રકર્મના બે વિભાગ છે.
મનુષ્યપણે સર્વને સરખા માનવામાં અડચણ નથી.. પ્રાણ પણે જાનવર તથા મનુષ્યને સરખા માનવામાં મતભેદ નથી. જીવપણે પૃથ્વીકાય અને મનુષ્ય પણ સરખા જ છે.. આ રીતે અપેક્ષાએ સરખામણી થાય તેમાં હરકત નથી. પરંતુ ઉત્તમપણાની કિંમત અધમપણાની કિંમત સાથે સરખાવી શકાય જ નહિ. ગુણેથી સંસ્કારી તથા સંસ્કારહીનને જૈ. ૧૮