________________
પ્રકૃતિ બંધ
૨૫૯ નામ કર્મ છે. જે કર્મના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ચાલ હોય, તે શુભ વિહાગતિ નામકર્મ, અને જે કર્મના ઉદયથી ઊંટ, ગધેડા વગેરેની પેઠે ખરાબ ચાલ પ્રાપ્ત થાય, તે અશુભ વિહાગતિ નામકર્મ છે.
( આ પ્રમાણે (૧) ગતિનામકર્મ (૨) જાતિનામકર્મ (૩) શરીર નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ (૫) બંધન નામકર્મ (૬) સંઘાતન નામકર્મ (૭) સંસ્થાન નામકર્મ (૯) વર્ણ નામકર્મ (૧૦) ગંધ નામકર્મ (૧૧) રસ નામકર્મ (૧૨) સ્પર્શ નામકર્મ (૧૩) આનુપૂર્વી નામકર્મ અને (૧) વિહાગતિ નામકર્મ. આ ચૌદે પિંડ પ્રકૃતિ કહેવાય છે.
પિંડ-સમૂહ. જે એક પ્રકૃતિના અનેક ભેદ હેય, તે પિડ પ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિ નામ, તેના ચાર અવાક્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિંડ પ્રકૃતિ છે.
એવી રીતે ચૌદ પિંડપ્રકૃતિના અવાન્તર ભેદ પાંસઠ થાય છે. તેમાં બંધન તે પાંચને બદલે પંદર ગણીએ તે, પતેર અવાન્તર ભેદ થાય છે.
જેના અવાર ભેદ ન હોય, તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે, એવી પ્રત્યેક કર્મ પ્રકૃતિએ આઠ છે. તેનાથી જીવને સંસારી અવસ્થામાં નીચે મુજબ સંજોગે પ્રાપ્ત થાય છે.
(૧) પિતાની આકૃતિને દેખવા માત્રથી, કે પિતાની વાણીથી યા બુદ્ધિ બળથી બીજાને આંજી નાખે, બળવાનને