________________
૨૩૨
જૈન દર્શનને કર્મવાદ સ્થિતિ યા અવસ્થાને ગતિ કહેવાય છે. ગતિ ચાર પ્રકારે છે. સંસારી આત્માને એ ચારે પૈકી કેઈપણ એક પરિ સ્થિતિમાં કાયમ જવું પડતું જ હોવાથી તેને ગતિ કહી છે. જીવને અમુક એક ગતિમાં લઈ જનારું અમુક એકજ ચેકસ કર્મ હોય છે. એટલે ગતિ તે ચાર પ્રકારે હેઈ તેને અપાવનાર કર્મ પણ ચાર પ્રકારે છે.
જીવ જે સુખ, દુઃખ વેદે છે તે તે વેદનીય કર્મના ઉદયથી, પરંતુ સુખ, દુઃખના સગવાળી પરિસ્થિતિમાં જઈ મુકાવું તે તે ગતિ નામકર્મના ઉદયથી જ થાય છે. એટલે ગતિનામકર્મ સુખ દુઃખના ઊપગમાં નિયામક છે. - પ્રાયઃ ઉગ્રપુણ્ય ભોગવવારૂપ શારીરિક અને માનસિક સુખવાળી અવસ્થા, યા કુદરતી પરિસ્થિતિને દેવગતિ કહેવાય છે. અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે દેવગતિ નામકર્મ કહેવાય છે. શારીરિક અને માનસિક સુખ દુઃખ યુક્ત પરિસ્થિતિ તે મનુષ્યગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે મનુષ્યગતિ નામકર્મ કહેવાય છે.
ભૂખ, તરસ, શીત, તાપ આદિ દુખયુક્ત પરિસ્થિતિ તે તિર્યંચગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે તિર્યંચગતિ નામકર્મ. તીવ્ર શીત, ઉષ્ણુદિ દુઃખરૂપ ઉગ્ર પાપના ભગવટાવાળી પરિસ્થિતિ તે નરકગતિ અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે નરકગતિ નામકર્મ. આ રીતે દેવગતિ, મનુષ્યગતિ તિર્યંચ