________________
પ્રકૃતિ બંધ
૨૧૫ કોઈને તીવ્ર હોય છે, કેઈ ને મંદ હોય છે, કોઈને ઘણે ટાઈમ ટકી રહે છે, કેઈ ને શેડો ટાઈમ રહે છે, એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાત ભેદે તે ક્રોધાદિ ચારે થાય છે. પરંતુ તે લક્ષમાં ન આવી શકે માટે તે ક્રોધાદિ દરેકને સ્કુલ ચાર ભેદે શાસ્ત્રમાં બતાવ્યા છે.
૧. અનંતાનુબંધી – અનંતકાળ અનંત સુધી સંસારની પરંપરા ચાલે તે અનુબંધ ધરાવતા જે તીવ્રતર કષાય તે અનન્તાનુબંધી કષાય છે. ભયંકરમાં ભયંકર કેટિના, મરણ સુધી ટકી રહેવાવાળા, બીજા જન્મમાં પણ સાથે જવાવાળા, સમજાવટથી પણ શાંત ન કરી શકાય એવા, પશ્ચાતાપથી રહિત, નરકગતિના કારણભૂત અને સમ્યકત્વને ઘાત કરનારા તે અનન્તાનુબંધી કષાય છે. જો કે સમ્યગ્દર્શનગુણનું આવરણ કરનાર તે મિથ્યાત્વમેહનીય કર્મ છે, પરંતુ તેમાં સહાયક અનંતાનુબંધી કષાય છે. તે સમ્યગ્દર્શનમાં સહાયક આચરણને કરવા દેતા નથી. માટે તે ચારિત્રાવરણીય હોવા છતાં સમ્યક્ત્વના ઘાતક પણ કહેવાય છે. ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ફક્ત દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃએના જ ઉપશમ–ક્ષપશમ કે ક્ષયથી હોતી નથી, પરંતુ દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ અને અનંતાનુંબંધી ક્રોધ-માન-માયા તથા લેભ, એ સાતે પ્રકૃતિએના ઉપશમક્ષપશમ કે ક્ષયથી હોય છે. ઉપશાંતથયેલ મિથ્યાત્વે ફરીથી ઉદયમાં આવવા ટાઈમે, પહેલા તો અનંતાનુબંધી