________________
૨૧૦
જૈન દર્શનને કર્મવાદ આવા બધા મનુષ્ય અનુકંપાહીને જ કહેવાય છે. આવા મનુષ્ય પિતાની યશ-કીર્તિ ખાતર ગમે તેવાં લાંબાં ભાષણે કરતા હોય, થોડું ઘણું લેકહિત કરતા હોય કે અન્ય જીવને દુભાવી પ્રાપ્ત કરેલ પૈસાને કોઈ જનહિતાર્થે કે અન્ય સમાગે છેડે ઘણે વ્યય કરતા હોય, તે પણ વાસ્તવિક રીતે તેઓ અનુકંપાવાળા કહી શકાય જ નહિં.
સાચા દયાળુ મનુષ્ય તે નાતજાતને તફાવત વિના પિતાની દયાળુવૃત્તિને સર્વત્ર માર્ગ આપી, લેકોનાં દુઃખ દૂર કરવા માટે પોતાની શક્તિને તેઓ જરા પણ છુપાવતા નથી. એટલું જ નહિ પણ આને મદદ આપું અને આને મંદદ ન આપું એ પક્ષપાત જરા પણ તેઓને હેત નથી. તેઓતો શક્તિ અનુસાર સર્વને મદદ આપતા જ રહે છે.
બીજાનાં દુખે જોઈને જ તેનું હૃદય રડી ઉઠશે. અન્યને સુખી જોઈને જ તે આનંદ માણશે. કારણ કે તેને સર્વમાં આત્મા જ દેખાય છે. તેને દેહભાન ઉડી ગયેલું હોય છે. સર્વત્ર પવિત્ર પ્રેમ–પ્રેમ–જો–પ્રેમ જ તેને હોય છે.
અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. દ્રવ્ય અનુકંપાથી તે દુઃખી જાને મદદ કરે છે. સાથે સાથે ભાવ અનુકંપાને તે પ્રસંગે અજમાવે જાય છે. આત્મભાન ભૂલેલા અને અજ્ઞાન અંધકારમાં ભૂલા પડી ગેથાં ખાનાર ઈવેને આત્મભાન કરાવવું, સત્ય સમજાવવું, સુરસ્તે ચડાવવા તે ભાવઅનુકંપ છે. આત્મા એજ સત્ય છે. તેને મૂળ સત્તાગત સ્વભાવ આનંદ સ્વરૂપ છે. તેને પ્રગટ
ની : - નામના
ના. - '*