________________
૧૯:
પ્રકૃતિ બંધ ખ્યાલ ભૂલાઈ જાય છે. પરંતુ જાગૃતિ તરત જ આવી જાય છે.
ઉપશમ સમ્યક્ત્વમાં અંતમુહૂર્ત સુધી જીવ દેહા ભિમાનથી અલગ બની આત્મતિમાં જ લીન મનવાળા બની રહે છે. ક્ષાયિક સમ્યકત્વમાં તે આત્મતિનું જ્ઞાન સ્થાયી બની જઈ, ચાહે તેટલા વ્યવહાર પ્રપંચની જાલમાં યે વિષમ પ્રસંગમાં પણ હું તે શુદ્ધ આત્મતિ જ છું” એવા ખ્યાલ પૂર્વક, જીવને શરીરમાં આત્મભાન નહી રહેતાં, આત્મામાં જ અખંડ આત્મભાન રહે છે.
સમ્યવી આત્મા, ગુણ અને ગુણી પ્રત્યે પ્રશસ્ત રાગી બની રહે છે. પરંતુ અવગુણી (મિથ્યાત્વી) પ્રત્યે - દ્વેષી બનતું નથી. કારણ કે તે સમજે છે કે દ્વેષ ન કરાય, એ સમ્યકત્વનું રહસ્ય છે.
પિતાના આત્મામાં સમ્યકત્વ છે કે નહિ, તેને નિશ્ચય કરવા માટે સૂર્યાભ સરખા દે કે જે ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તે પણ પ્રભુને પૂછે છે. તે સામાન્ય માણસે પણ પોતાના સમ્યક્ત્વને કાર્ય દ્વારા નિર્ણય કરે જોઈએ. સમ્યક્ત્વી આત્મા તે વિચારે છે કે ક્રોધાદિ કષાયે સંસારમાં ભટકાવનાર છે. તે કઈ પણ રીતે મારા આત્મામાંથી દૂર થાય, તે જ મારા આ આત્માની મુક્તિ થાય. અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. આ રીતે કરેલ ચિંતવનના પરિણામે ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોને
બકતા જ
નાનાં નાના મ મ મ
નકલ,