________________
૧૧૭
-
-
- - -
-
તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ તત્વથી જ, સર્વ બાબતેને નિકાલ કરી લેવાથી, કે એકપણ તત્વને સર્વથા નિષેધ કરવાથી, જગતના સ્વરૂપને વાસ્તવિક ખ્યાલ આવી શકતું નથી. વળી તત્વ અંગે એકલા નિત્યવાદને કે એકલા અનિત્યવાદને જ સ્વીકારી લેવાથી વસ્તુના અનંત ધર્માત્મક સ્વરૂપની સમજ પણ સમજી શકાતી નથી. અને તત્વજ્ઞાન અધુરૂં જ રહી જાય છે.
જૈન દર્શન કહે છે કે વસ્તુમાત્ર સ્વભાવથી જ એવી છે કે, તેને વિચાર અનેક દષ્ટિથી થઈ શકે છે. એ દૃષ્ટિનું નામ અનેકાન્તવાદ છે. વસ્તુના કોઈ એક ધર્મનું પ્રતિપાદન “સ્યાતશબ્દથી જ થાય છે. આથી અનેકાન્તવાદને સ્યાદ્વાદ પણ કહે છે. વસ્તુને એક દેષ્ટિબિન્દુથી જેનાર તે એકાન્તવાદી છે. વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિં, પરંતુ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાય છે.
આચારના નામે પણ અહિંસાને જેટલો વિકાસ, જૈન પરંપરામાં થયે છે, તેટલે વિકાસ ભારતીય પરંપરાની બીજી કઈ ધારામાં થયેલ જોવામાં આવતું નથી. એનું મુખ્ય કારણ જગતની દશ્ય વસ્તુઓ પૈકી કઈ કઈ વસ્તુઓમાં
ક્યારે ક્યારે કેવા પ્રકારે ચેતનાનું અસ્તિત્વ છે, અને કયા સંગમાં દશ્ય વસ્તુઓમાં પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે (જીવ જન્મ ધારણ કરે છે), જીવની બાહ્ય અને આંતરિક દશા વિભિન્ન રીતે પણ કેવા પ્રકારે હોય છે, આત્માની વિશુદ્ધ દશા કેવી છે, વિગેરે જીવતત્વ સંબંધી જ્ઞાનની સંપૂર્ણતાને ખ્યાલ જૈનદર્શનમાં દષ્ટિગોચર થાય છે.