________________
૧૬૬
જૈન દર્શનને કર્મવાદ કહે કે હાલ સારો છે, પણ જડ સ્વભાવ હોવાથી છેવટે તે હેય છે. એમ સમજે અને વર્તે છે. - મિથ્યાદષ્ટિ કે અભવ્ય જે પદાર્થ દેખે તે વર્તમાન પર્યાયને જુએ. પણ અતીત અનાગત કાળના પર્યાયને તે જુએ નહિ, કારણ કે તેઓ ભૂતભાવિ પર્યાને માનતા નથી, તે પછી જુએ શાના? સમ્યગ્દષ્ટિભવ્ય તે વર્તમાન પર્યા.
ને જોતાં ભૂતભાવિ પર્યાની અપેક્ષા રાખે છેદ્રવ્યમાં વર્તન માન પર્યાયની વિશિષ્ટતા જેવા સાથે અતીત અનાગત પર્યાને જુએ તે જ્ઞાન, સમ્યગાન કહેવાય. જૈનધર્મની આરાધનામાં જ્ઞાનાચાર રૂપે જ્ઞાનની આરાધના કરાય છે.
જ્ઞાન આરાધનને મુખ્ય દિવસ જ્ઞાન પંચમી છે. આ આરાધનામાં ઈન્દ્રિયેના સંબંધથી થતાં જે જ્ઞાને છે, તેની તેટલા લક્ષ્ય પૂરતી આરાધના નથી. પણ સમ્યગજ્ઞાનની અપેક્ષાએ જ આરાધ્યતા છે. જે ચક્ષુથી સમ્યગ્દષ્ટિ જુએ, તેજ ચક્ષુથી મિથ્યાદષ્ટિ જુએ, તે પણ તેમાં જ્ઞાન અને અજ્ઞાન એમ ભેદો પડે છે. અનાદિકાળથી જીવનું જે જ્ઞાન, ભવ (સંસાર) બ્રમણ હેતુરૂપ હોય છે, તે જ્ઞાન, સમ્યગ્દર્શનના પ્રભાવથી એક સમય માત્રમાં જ ભવનિવૃત્તિરૂપ બની જાય છે.
જીવને નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય, પરંતુ સમ્યકુવ રહિત હોય તે તે જ્ઞાન નહીં હોતાં, અજ્ઞાન જ કહે વાય છે. અને ફક્ત અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન પણ, સમ્યકત્વ પૂર્વક હોય તે, તેટલું જ્ઞાન પણ જ્ઞાન કહેવાય છે.