________________
૧૯૧
નમ
: * - * *
*
જાર' t :
* *
બ
- *
* * *
*
*
આયુષ્ય કર્મ સિવાય શેષ સામેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી દરેકની સ્થિતિ માત્ર એક કડાકડિ સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રડે, અને બાકીની સ્થિતિને ક્ષય થયેલ હોય. કર્મસ્થિતિની આવા પ્રકારની લઘુતા કરવામાં પ્રાપ્ત પરિ ણામને “યથાપ્રવૃત્તિકરણ” કર્યું કહેવાય છે. આવું યથાપ્રવૃત્તિકરણ જીવને અનાગપણે થાય છે. અને તે પણ ભવચક્રમાં અનંતીવાર થાય છે.
યથાપ્રવૃત્તિકરણ થવા છતાં પણ જ્યાં સુધી જીવ, આત્મ પુરૂષાર્થને વિકસીત કરી અસાધારણ સામર્થ્ય દ્વારા દુર્ભેદ દુર્ગ (ગ્રન્થિ)ને ભેદવામાં મગ્ન થતું નથી, ત્યાંસુધી ગ્રન્થિભેદ કરવામાં સફળ થતું નથી. અને અનન્તીવાર ગ્રન્થિ સુધી આવી સ્થિભેદ કર્યા વિના જ પાછો પડી જઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માંડે છે. એમ અનંતીવાર પ્રાપ્ત યથાપ્રવૃત્તિકરણ પૈકી, છેલલા યથાપ્રવૃત્તિકરણમાં જીવને જ્યારે કષાય મંદ પડે છે, મોક્ષપ્રાપ્તિ સિવાય તેને કોઈ ઈચ્છા રહેતી નથી, અંતરમાં દયાને સંચાર થાય છે, અને તેને સંસાર અદ્ધ પુદ્ગલ પરાવર્તાથી વિશેષ શેષ ન હોય ત્યારે જીવ, અપૂર્વ આત્મપરિણામ રૂપી ભલ્લાસ પ્રાપ્ત કરી, અપૂર્વ આત્મસામર્થ્ય દ્વારા ગ્રન્થિભેદ કરે છે.
યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને હવે પણ કહેવાતું અનિવૃત્તિકરણ, એ આત્માની ભિન્નભિન્ન અવસ્થાનાં પરિણામે છે. તેમાં યથાપ્રવૃત્તિકરણ થતાં પહેલાં તીવ્ર મિથ્યાત્વને ઉદય હેવા છતાં પણ, એક અંતર્મુહૂર્ત સુધી અનેક પ્રકારની
અ.
- '*.
-- **
*
* **--**
ને * . . .
. . . '
' '
'
નગરના રાજા