________________
૧૫૯
ના
'E'
'
.
'
+
+ *
41.
પ્રકૃતિ બંધ
આથી સમજી શકાય છે કે અતીન્દ્રિય એવા આત્મા -કર્મ વગેરે સંબંધી વાસ્તવિકપણાની માન્યતા તે સર્વજ્ઞના પ્રત્યક્ષને વિષય છે. અને છઘસ્થ , તેનું શ્રદ્ધાન કરી તે વિષયનું નિરૂપણ, લિંગ-અનુમાન તથા આગમ પ્રમાણને આધારે જ કરે છે.
આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, તે સર્વને કંઈ અલ્પજ્ઞ મનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણું શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે કેટલાક સૂમ વિષયને વીતરાગ સર્વજ્ઞ પુરૂષના વચનામૃતથી સમૃદ્ધ શા દ્વારા જ જાણું શકાય છે. આવા સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણને સ્વીકાર, તેનું નામ જ સમકિત છે. આ રીતનું સમકિત તે પરોક્ષ જ્ઞાનમૂલક હોવાથી શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા જ જૈન દર્શનમાં “સમ્યગ દર્શન ” તરીકે ઓળખાય છે. જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એટલે સુદઢતા, એકનિષ્ટતા, પરિપૂર્ણ નિશ્ચળતા. “તમેવ સનિત કે નહિં ફર્યો“તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનેએ કહ્યું છે.” ઈત્યાદિ ભાવના-શ્રદ્ધા જ ધર્મ, જીવનને પામે છે.
૬
-
* * *
*
*
જF
જગ . ***
આ શ્રદ્ધાસ્વરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિને રોકનાર કર્મને જ જૈન દર્શનમાં “દર્શન મેહનીય કર્મ તરીકે ઓળખાવ્યું છે.