Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal
Catalog link: https://jainqq.org/explore/005211/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ OI - મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી.. છે . ' “ ગલા ૬. શી હિ જી સ્વામી છે સ્વામી જી પચંદ્રજી ચંદ્રજી* છે સ્વામી. જી સ્વામી એકાવતારી યુગપ્રધાન શ્રી અજરામરજી રવામી - ૧ શ્રી શ્રી ડુંગરસિંહજી જી સ્વામી ને પુલચંદ્રજી છે સ્વામી * જી કેવચંહ્ય જી સ્વામી આ રચંદ્રજી છે સ્વામી. slain Education Intematione Page #2 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા પૂજ્ય શ્રી ગુલાબ-વીર ગ્રન્થમાળા રત્ન ૮૨મું આ છે અણગાર અમા ૨૪ તીર્થંકરો તથા પટ્ટાવલિની ટૂંક માહિતી ઉપરાંત અજરામર ધર્મસંઘમાં થયેલા પ્રભાવશાળી સાધુ-સાધ્વીજીની પ્રેરણાદાયી જીવન ઝાંખી પ્રેરકઃ પુણ્યપ્રભાવક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામીના આજીવન અંતેવાસી પરમ કૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી લેખક : પુણ્યશ્લોક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામીના આજીવન અંતેવાસી પરમ કૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના લઘુતમ સુશિષ્ય મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી પ્રકાશકઃ શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંડળ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિ : પ્રત - ૨૦૦૦ વીર સંવત ૨૫૧૫, વિ.સં. ૨૦૪૫ દ્વિતીયાવૃત્તિ ઃ પ્રત - ૨૦૦૦ વીર સંવત ૨૫૨૪, વિ.સં. ૨૦૫૪ તૃતીયાવૃત્તિ : પ્રત - ૧૦૦૦ વીર સંવત ૨૫૩૧, વિ.સં. ૨૦૬૧ મૂલ્ય રૂા. ૭૦/- (જ્ઞાન ખાતે) - -: પ્રાપ્તિ સ્થાન : રમણીકલાલ નાગજી દેઢિયા દુર્ગા ટેસ્ટાઈલ્સ', ૧૬/બી, ક્રિષ્ના નિવાસ, દુ.નં. ૫, ગ્રાઉન્ડ ફલોર, મ્યુનિસિપલ સ્કૂલ સામે, કલ્પના લોન્ડ્રી પાછળ, હિન્દમાતા, દાદર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૧૪. ફોન: ૨૪૧૧૫૮૪૧, ૩૦૯૩૫૯૦૩, ૩૦૯૩૫૯૦૪ -: મુદ્રણ વ્યવસ્થાપકઃ નિર્મિત ગ્રાફિક્સ બી/૧૬, અગ્રવાલ ટાવર, ભૂયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ, અમદાવાદ. (ગુજરાત) મોબાઈલ : ૯૮૨૫૫ ૨૯૭૩૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના શુભેચ્છક દાતા કરછ-લાકડિયા નિવાસી | રવ. હરખચંદ કરમણ છેડા II પિતૃદેવો ભવ || ગં. રવ. ભચીબહેન હરખચંદ છેડા | માતૃદેવો ભવ II રવર્ગવાસ : તા. ૨૦-૪-૧૯૯૯ “મા તે મા બાકી બધા વગડાના વા” અમારા પૂ. પિતાશ્રી વર્ષો પહેલાં પેથાપરમાં અજરામર સંપ્રદાયના કલિકાલકલ્પવૃક્ષ સમાન પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ગીતાથી ગુરુદેવ શ્રી નવલચંદ્રજી રવામી, પૂ. સર્વક્તા કેવળચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓના સત્સંગમાં આવ્યા ત્યારથી તેમણે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી રવામીને ગુરુ માન્યા. તેમની પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત આદિ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા હતાં. તેમના જીવનમાં અપાર કરુણા હતી. સાધર્મિક બંધુઓ, અબોલ પ્રાણીઓના દુઃખ હરહંમેશ ભાંગતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મારાધના, વ્યાખ્યાનવાણી શ્રવણ, રાત્રિભોજન ત્યાગ, ઉપવાસ, એકાસણા આદિ અનેકવિધ તપસ્યા કરીને જીવન ધન્ય બનાવ્યું હતું. સાધુ-સાધ્વીજીઓની ખૂબ ખૂબ સેવા-ભક્તિ કરીને મહાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જના કરેલ છે. અનેક ધર્મસ્થાનકો તથા સારી સંસ્થાઓમાં માતબર રકમનું દાન પણ કરેલ છે. પૂ. પિતાશ્રીના સર્વ કાર્યોમાં પૂ. માતુશ્રીનો સહયોગ હંમેશા રહેતો. એમના ધર્મસંસ્કાર, વાત્સલ્યભાવ, લાગણી પરિવાર ઉપર શીતળ છાયા બનીને રહેલ છે. અમારા ઉપર અનંત ઉપકાર કરેલ છે એવા પરમ ઉપકારી માતા-પિતાના ચરણોમાં ભાવપૂર્વક વંદના નમસ્કાર. આવા ધાર્મિક પ્રેમાળ માતા-પિતા મેળવવા બદલ અમે સહુ ગૌરવનો અનુભવ કરીએ છીએ. લિ. આપનો સમસ્ત પરિવાર..... સુપુત્રો : (૧) ચંતિલાલ હરખચંદ છેડા (૨) નેમચંદ હરખચંદ છેડા (૩) જયંત હરખચંદ છેડા | દીકરી-જમાઈ : (૧) નલિની મોતીલાલ ભીમજી નીસર (૨) રમીલાબેન મણીલાલ છાડવા (૩) રવ. વિમળાબહેન અશ્વિન નીસર Jain Ede Page #5 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી જ્યંતિલાલ હરખચંદ છેડા જન્મભૂમિ : લાકડિયા, હાલ : પાર્લા (ઈસ્ટ) પૂ. માતા-પિતાના સંસ્કારોને ટકાવી રાખનાર અમારા મમ્મી-પપ્પા અમારા માટે પ્રેરણારૂપ છે. અજરામર સંપ્રદાયના અગ્રગણ્ય સાઘ્વીરત્ન બા.બ્ર. પ્રેક્ષાબાઈ મહાસતીજી છઠ્ઠના પારણે છઠ્ઠની આરાધનામાં આગળ વધી રહ્યાં છે. ૫૦૦ છઠ્ઠ કરવાના ભાવ છે. તેમાં ૨૫૧ જેટલા છઠ્ઠ થઈ ચૂક્યા છે. અન્ય માસખમણ, અનેક વર્ષીતપ આદિ તપસ્યાઓ કરી છે. પૂ. મહાસતીજીના મોટા બહેન અને અમારા મમ્મી રતનબહેને પણ માસખમણ, સિદ્ધિતપ, વર્ષીતપ આદિ અનેક તપસ્યાઓ કરી છે. પૂ. પપ્પાએ પણ વર્ષીતપ આદિ અનેક તપસ્યાઓ કરીને કર્મોની નિર્જરા કરવા સાથે અમને બધાને ખૂબ જ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સામાયિક-પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, અનુકંપા દાન, સારી સંસ્થાઓમાં માતબર રકમનું દાન આદિ સત્કાર્યો કરીને અમને સૌને સારી પ્રેરણા આપી રહ્યા છે. સાધુસાધ્વીજીની વૈયાવચ્ચ દ્વારા મહાન પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે, એવા અમારા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો..... સુપુત્ર હિતેશ જ્યંતિલાલ પુત્રવધૂઃ પ્રફુલ્લા હિતેશ પૌત્રી : હર્ષી હિતેશ પૌત્ર દેવાંશ હિતેશ 00 Jain Education intern ધર્માનુરાગી રતનબહેન જ્યંતિલાલ છેડા બા.બ્ર. પ્રેક્ષાબાઈ મહાસતીજીના સંસારપક્ષે મોટા બહેન 18000 લિ. આપનો પરિવાર સુપુત્રઃ હિમાંશુ જ્યંતિલાલ પુત્રવધૂ : શિલ્પા હિમાંશુ પૌત્રી : શ્રુતિ હિમાંશુ પૌત્રી : પંક્તિ હિમાંશુ પૌત્રી ઃ પશ્મી હિમાંશુ : આદિ પરિવારના જય જિનેન્દ્ર -ઃ અપ્સરા આઈસ્ક્રીમ : વાલકેશ્વર ૨૩૬૧૦૪૧૦ વરલી ૨૪૯૩૩૩૦૩ સુપુત્રઃ કલ્પેશ જ્યંતિલાલ પુત્રવધૂ રશ્મી કલ્પેશ પૌત્ર વત્સલ કલ્પેશ વિલેપાર્લા ૨૬૧૪૪૯૯૦ ..... www.jainmallbrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી નેમચંદ હરખચંદ છેડા જન્મભૂમિ : લાકડિયા, હાલ : વાલકેશ્વર (મુંબઈ) ધર્માનુરાગી પુષ્પાબહેન નેમચંદ છેડા “કૂવામાં હોય તો હવાડામાં આવે” આ ઉક્તિ અનુસાર પૂ. માતા-પિતાના સંસ્કાર સુપુત્રોમાં અવશ્ય આવે છે. અમારા મમ્મી-પપ્પાએ સજોડે વર્ષીતપની આરાધના કરેલ છે તથા દર વર્ષે નાની-મોટી તપસ્યા કરીને કર્મોની નિર્જરા કરતા હોય છે. પરિવારમાં પ્રેમ-સંપ-લાગણી જેવા ગુણોને ટકાવી અમને સૌને સારી પ્રેરણા આપી રહ્યા છે. સારી સંસ્થાઓમાં દર વર્ષે સારી રકમનું દાન આપી કુટુંબની કીર્તિને ચાર ચાંદ લગાવી રહ્યા છે. સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, જિનવાણી શ્રવણ, વ્યસનફેશનથી દૂર રહેવું ઈત્યાદિ સગુણો જીવનમાં ઉત્તરોત્તર વિકસાવી રહેલા અમારા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો..... લિ. આપનો પરિવાર સુપુત્રી : કુ, ક્રિષ્ના નેમચંદ છેડા સુપુત્રી-જમાઈ: ડિમ્પલ કીર્તિકુમાર છાડવા સુપુત્રી-જમાઈ : ચાંદની અશ્વિન ગાલા ..... આદિ પરિવારના જય જિનેન્દ્ર ..... -: અપ્સરા આઈસ્ક્રીમ :વાલકેશ્વર વરલી વિલેપાલ ૨૩૬૧૦૪૧૦ ૨૪૩૩૩૦૩ ૨૬૧૪૪૯૯૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી જયંત હરખચંદ છેડા વતન : લાકડિયા હાલ વાલકેશ્વર (મુંબઈ) ધર્માનુરાગી ધનલક્ષ્મી જયંત છેડા “પૂ. માતા-પિતાના ધર્મના સંસ્કારો સુપાત્ર સંતાનોમાં અવશ્ય આવે છે.” આ ઉક્તિ પ્રમાણે અમારા મમ્મી-પપ્પાએ દાદા-દાદીના ધર્મના સંસ્કારો પોતાના જીવનમાં ઉતારેલ છે. અમારા મમ્મી દર વર્ષે ધાર્મિક શ્રેણિની પરીક્ષાઓ આપે છે. અત્યાર સુધી 15 શ્રેણિની પરીક્ષા આપી ચૂક્યા છે. અમને પણ ધર્મનું ઊંડું જ્ઞાના આપ્યું છે તેથી અમે પણ ઘણી ધાર્મિક પરીક્ષાઓ આપી ચૂક્યા છીએ. ડૉક્ટર અને એજીનીયરનું ભણવા છતાં અમારામાં ધર્મના સંસ્કારો ટકી રહે તેવી મીઠી ટકોર હંમેશા મમ્મી કરી રહી છે તથા અમારા સંસ્કાર જીવંત રાખેલ છે. સર્વ પરિવારજનો પ્રેમથી રહે છે તથા દર વર્ષે સારા માર્ગે સારી રકમનું દાન આપી અમારા સૌમાં સારા સંસ્કાર આપી રહેલ છે તેવા મમ્મી-પપ્પા જુગ જુગ જીવો.... લિ. આપનો પરિવાર સુપુત્રો : કિરણ જયંત છેડા કેયૂર જયંત છેડા સુપુત્રી : પિન્કી જયંત છેડા - -: અપ્સરા આઈસ્ક્રીમ :વાલકેશ્વર | વરલી. વિલેપાર્લા 23610410 24933303 26144990 Page #8 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ' પ્રથમવૃત્તિ પ્રસંગે STOP ! LOOK !! AND REAK !! चांद तो होता गगनका ही, चांदनी सबके लिए। बांसुरी चाहे पराई हो, रागिनी सबके लिए ॥ बांध सकते फुल तुम, लेकिन सुगंध बंध सकती नहि। दीप चाहे हो किसीका भी, रोशनी सबके लिए ॥ ચંદ્રમા ભલે આકાશનો કહેવાય પરંતુ તેનો પ્રકાશ બધાને માટે હોય છે. વાંસળી ભલે એકની માલિકીની હોય પણ તેનો સૂર બધા માટે હોય છે; ફૂલ ભલે ઉદ્યાનમાં હોય છતાં તેની સુરભિ બધાને માટે હોય છે; દીપક ગમે તેનો હોય પણ રોશની સર્વને માટે હોય છે. તદનુસાર મહાપુરુષો-મહાસંતો ભલે અમુક સંપ્રદાયના કહેવાય પરંતુ તેમનું પ્રેરણાદાયી જીવન બધાને માટે લાભપ્રદ છે. લોંગફેલો નામના વિદેશી વિદ્વાને નીચેના અંગ્રેજી કાવ્યમાં સરસ કહ્યું છે Lives of great men all remind us, We can make our lives Sublime; And departing leave behind us, Footprints on the Sands of time; Foot prints that perhaps another, Sailing over Life Solemn aim; A for-lorn and Ship-Wrecked brother, Seeing Shall take heart again. આનો સારાંશ એ છે, મહાપુરુષોના જીવન આપણને એ યાદ અપાવે છે કે આપણે આપણા જીવનને ઉન્નત બનાવીએ. સમયની રેતી ઉપર તેમનાં પગલાં રહી જાય છે; તે પગલાંને આધારે કોઈ ભૂલો પડેલો માનવી જીવનના ધ્યેય સુધી પહોંચી શકે છે. સંવત ૨૦૪૩ના મહા-ફાગણના ભચાઉ (કચ્છ) રોષકાળ દરમ્યાન અસીમ ગુરકપાથી અંતઃસ્કુરણા થઈ કે લીંબડી સંપ્રદાયની પરંપરામાં ભગવાન શ્રી મહાવીરસ્વામીના પંચમ ગણધર અને પંચમકાળના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા સ્વામીથી માંડીને અત્યાર સુધીમાં થઈ ગયેલા અગ્રગણ્ય મહાન સંતોના જીવન અને કવનનું એક પુસ્તક તૈયાર કરવું. Page #9 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૪૪ના ભાવનગર-કૃષ્ણનગર સ્થા. જૈન સોસાયટીના ઉપાશ્રયે શેષકાળ દરમ્યાન (આયંબિલની ઓળી તથા વર્ષીતપના પારણાં) લખવાની શુભ શરૂઆત કરી અને ‘આ છે અણગાર અમારા' નામ રાખવાનું નક્કી કર્યું. તે લેખનની પૂર્ણાહુતિ સં. ૨૦૪૪ના મનફરા ચાતુર્માસમાં પરમ પ્રભાવક આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીની નિર્વાણ તિથિની આસપાસ કરી. યોગાનુયોગ તે મહાપુરુષનો દ્વિશતાબ્દી પટ્ટોત્સવ સં. ૨૦૪૫ના ફાગણ સુદ-૩ના આવતો હોવાથી તે પ્રસંગે પૂજ્યશ્રીની સ્મૃતિ નિમિત્તે પ્રકાશિત કરતાં પરમ આનંદની અનુભૂતિ થાય છે. સુવિખ્યાત સંતો માટે લીંબડી મોટો સંપ્રદાય ખૂબ જ જાણીતો છે; કારણ કે તેમાં સમયે સમયે વિદ્વાન, ગીતાર્થ, સુવિહિત અને પ્રવચન પ્રભાવક સંતો થતા આવ્યા છે. ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાક સંતોનાં જીવનચરિત્ર પ્રગટ થયાં છે અને કેટલાંક નથી થયાં તેથી આ પુસ્તકમાં તે અગ્રગણ્ય સંતો અને આચાર્યોનાં જીવનચરિત્ર મારી અલ્પમતિ પ્રમાણે અદ્યતન ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો છે, તે ગુણાનુરાગી આત્માઓને ગમશે જ; છતાં નિર્ણય તો વાચકોના શિરે છોડું છું. આ પુસ્તકમાં ચાર વિભાગ પાડ્યા છે. પ્રથમ વિભાગમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી થઈ ગયેલા મહાપુરુષો, બીજા વિભાગમાં ધર્મપ્રાણ લોકાચાર્ય, પૂ. શ્રી ધર્મસિંહજી સ્વામી, પૂ. શ્રી લવજી સ્વામી, પૂ. શ્રી ધર્મદાસજી સ્વામી વગેરે ક્રિયોદ્ધા૨ક મહાપુરુષોના જીવન પ્રસંગો આપ્યા છે. ત્રીજા વિભાગમાં લીંબડી સંપ્રદાયમાં થઈ ગયેલા પૂ. શ્રી અજરામરજી સ્વામી પૂ. શ્રી દેવજી સ્વામી, તપસ્વીરાજ શ્રી લખાજીસ્વામી, પૂ. શ્રી દીપચંદ્રજી સ્વામી સ્થવી૨ શ્રી મંગળજી સ્વામી, પૂ. શ્રી ગુલબચન્દ્રજી સ્વામી, પ્રસિદ્ધ વક્તા નાગજી સ્વામી, શતાવધાની રત્નચન્દ્રજી સ્વામી, કવિવર્ય નાનચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી વગેરે ઘણા મહાપુરુષોનાં જીવનચરિત્ર આપ્યાં છે. ચોથા વિભાગમાં લીંબડી સંપ્રદાયની પટ્ટાવલિ તથા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન સંતો તથા સતીજીઓની નામાવલિ વગેરે આપ્યું છે. આ પુસ્તકમાં નીચેના ગ્રંથોનો સાભાર આધાર લેવામાં આવ્યો છે. ૧) જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ. ૨) નૈન તિહાસ ૩) ધર્મપ્રાણ લોંકાશાહ. ૪) સાધુ સંમેલન સુવર્ણગ્રન્થ. ૫) પૂ. શ્રી અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર. ૬) જૈન સ્વાધ્યાય મંગલમાલા. ૭) પૂ. શ્રી લવજીસ્વામીનું જીવનચરિત્ર. ૮) પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીનું જીવનચરિત્ર. ૯) શ્યામ સુધારસ. ૧૦) પ્રસિદ્ધવક્તા Page #10 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા નાગજી સ્વામીનું જીવનચરિત્ર. ૧૧) રત્ન જીવન જ્યોત. ૧૨) રત્ન જીવન દર્પણ. ૧૩) યુગદ્રષ્ટા મુનિ શ્રી રત્નચન્દ્રજી. ૧૪) નાનચન્દ્રજી સ્વામી શતાબ્દી ગ્રંથ. ૧૫) રૂપાંજલિ. ૧૬) જૈનાચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી શતાબ્દી ગ્રંથ. ૧૭) ગિરિવાણી. ૧૮) કેવલજીવન દર્પણ. ૧૯) તસ્મ શ્રી ગુરવે નમઃ ૨૦) ભદ્ર સ્વામી શ્રી નાગજી સ્વામીનું જીવનચરિત્ર. ૨૧) પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામીનું જીવન ચરિત્ર. ૨૨) પૂ. શ્રી. લાધાજી સ્વામીનું જીવનચરિત્ર વગેરે.... છબસ્થ ભાવે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુવડું.. તા. ૬-૨-૧૯૮૯ મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી. મહા સુદ ૧ લાકડિયા (કચ્છ) દ્વિતીયાવૃત્તિ પ્રસંગે બે બોલ... આ છે અણગાર અમારા' પુસ્તકની પ્રથમવૃત્તિને ખૂબ જ સારો પ્રતિભાવ સાંપડતાં અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પુસ્તક અપ્રાપ્ત થતાં તેની બીજી આવૃત્તિ બહાર પાડતાં આનંદ અનુભવીએ છીએ. ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી થયેલા પટ્ટધરો, ભસ્મગ્રહ ઉતરી ગયા પછી થયેલા મહાપુરુષો, અજરામર સંપ્રદાયમાં થયેલા મહાન જ્યોતિર્ધરો વગેરેની ઐતિહાસિક માહિતી આ પુસ્તકમાં હોવાથી લોકોની માગણી રહ્યા જ કરતી હતી. મુનિશ્રીના દરેક પુસ્તકોની જેમ આ પુસ્તકને છપાવવા માટે દાતાઓએ ખૂબ જ સારો સહકાર આપતાં આ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ. મહાપુરુષોના જીવનમાંથી સૌ કોઈ સારી પ્રેરણા પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના સાથે..... શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંડળ તૃતીય આવૃત્તિ પ્રસંગે બીજી આવૃત્તિ ઘણા સમયથી અપ્રાપ્ય થતાં ત્રીજી આવૃત્તિની આવશ્યકતા ઊભી થઈ તેમાં સુધારો વધારો કરી સમાજ સમક્ષ મૂકતાં આનંદ થાય છે. આ આવૃત્તિમાં અગ્રગણ્ય મહાસતીજીઓની જીવન ઝરમર પણ મૂકવામાં આવી છે જેમાંથી આપણને સારી પ્રેરણા મળી શકશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૨ ૮૩ ૯) ૯૫ વિભાગ - ૧ ૨૪ તીર્થકરો, ૧૧ ગણધર, ૧૨ ચક્રવર્તી આદિની વિગત-૧ વિભાગ - ૨ ભગવાન શ્રી મહાવીરસ્વામી પછીના ૨000 વર્ષમાં થઈ ગયેલા પ્રભાવશાળી પટ્ટધરો તથા આચાર્ય ભગવંતોની પટ્ટાવલી વિભાગ - ૩ ધર્મક્રાન્તિકાળઃ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ સમયે બેઠેલ ભસ્મગ્રહ ઉતરી ગયા પછીનો ધર્મક્રાન્તિકાળ અને મહાન ક્રાન્તિકારી વિભૂતિઓ મહાન ક્રાંતિકારી શ્રી લોંકાશાહ પ્રથમ સુધારક શ્રી જીવરાજજી ઋષિ દ્વિતીય સુધારક શ્રી ધર્મસિંહજી સ્વામી ૮૫ તૃતીય સુધારક શ્રી લવજી ઋષિજી સ્વામી ધર્મોદ્ધારક યુગપ્રધાન આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી પંચમ સુધારક શ્રી હરજી ઋષિજી મહારાજ ૧૦૦ વિભાગ - ૪ “અજરામર ધર્મસંઘના સુવાસિત સુમનો” અજરામર સંઘમાં થઈ ગયેલા અગ્રગણ્ય મુનિવરો તથા આચાર્ય પ્રવરોની જીવન ઝરમર અજરામર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૦૧ શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી ૧૦૩ શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના પ્રભાવક પ્રસંગો ૧૪૮ દિવ્યયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી ૧૫૭ તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામી ૧૬૮ પૂજ્ય આચાર્યદેવ શ્રી કાનજી સ્વામી ૧૭૨ શાસન પ્રભાવક પૂજય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ બંધત્રિપુટી ૧૭૪ પૂ. શ્રી લાધાજી સ્વામી તથા પૂ. શ્રી મેઘરાજજી સ્વામી (બંધુ બેલડી) ૧૮૧ પૂજય આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામી ૧૮૯ પૂજય સાહેબ શ્રી લવજી સ્વામી ૧૯) Page #12 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સ્વયં દીક્ષિત સ્થવીર શ્રી મંગળજી સ્વામી સુવર્ણયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્યશ્રી વીરજી સ્વામી (બંધુ બેલડી) પ્રસિદ્ધ વક્તા શ્રી નાગજી સ્વામી શાસ્ત્રજ્ઞ પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામી ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી પ્રખર પ્રવચનકાર કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી પ્રવચન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી પરમકૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી સક્તા પંડિત મ. શ્રી કેવળચન્દ્રજી સ્વામી લીંબડી અજરામર સંપ્રદાયની સુવિશુદ્ધ પરંપરા પૂજ્ય સાહેબ શ્રી ચુનીલાલજી સ્વામી અપ્રમત્ત તપસ્વીરત્ન પૂ. શ્રી રામચંદ્રજી સ્વામી વર્તમાન ગાદીપતિ પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી વિભાગ - ૫ લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂર્વે થઈ ગયેલા વિદુષી - મહાસતીજી - આર્યાજીઓના જીવન ચરિત્ર પૂજ્ય શ્રી કંકુબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી મોટા પૂરીબાઈ મહાસતીજી પૂજય શ્રી મૃગાબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી ડાહીબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી કુંવરબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી મોટા મણીબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી બા.બ્ર. પાંચીબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી લાડકુંવરબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી નાના ડાહીબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી રતનબાઈ મહાસતીજી ૧૯૮ ૨૦૨ ૩૭૨ ૩૭૪ ૩૭૫ ૩૦૭ ૩૦૯ ૩૮૨ ૩૮૪ ૩૮૬ ૩૮૮ ૩૮૯ ૪૧૬ પૂજ્ય શ્રી વેલબાઈ મહાસતીજી તથા પૂજ્ય શ્રી માણેકબાઈ મહાસતીજી ૪૦૭ પૂજય શ્રી ભાણબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી પ્રભાકુંવરબાઈ મહાસતીજી પૂજ્ય શ્રી જવેરબાઈ મહાસતીજી ૪૧૮ ૪૨૨ ૨૨૧ ૨૩૮ ૨૪૩ ૨૭૪ ૨૮૮ ૩૦૭ ૩૧૨ ૩૩૭ ૩૪૪ ૩૪૮ ૩૫૨ ૩૬૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજય શ્રી પ્રેમકુંવરબાઈ મહાસતીજી ૪૨૬ પૂજય શ્રી સમજુબાઈ મહાસતીજી ૪૨૮ પૂજ્ય શ્રી મોટા સૂરજબાઈ મહાસતીજી ૪૨૯ પૂજ્ય શ્રી દીવાળીબાઈ મહાસતીજી ૪૩૩ પૂજ્ય શ્રી બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી ૪૩૪ પૂજય શ્રી વિમળાબાઈ મહાસતીજી ૪૩૯ પૂ. શ્રી ભાનુમતીબાઈ મ. તથા પૂ. શ્રી સરસ્વતીબાઈ મ. ૪૪૨ પૂજ્ય શ્રી ધનગૌરીબાઈ મહાસતીજી ४४४ પૂજ્ય શ્રી પુષ્પાબાઈ મહાસતીજી ૪૪૬ પૂજ્ય શ્રી બા.બ્ર. દીક્ષિતાબાઈ મહાસતીજી ४४७ પૂજય શ્રી બા.બ્ર. લીલાબાઈ મહાસતીજી ४४८ પૂજય શ્રી બા.બ્ર. હસુમતીબાઈ મહાસતીજી ૪૫O પૂજય શ્રી બા.બ. હેમલતાબાઈ મહાસતીજી ૪૬૨ પૂજ્ય શ્રી બા.બ્ર. સુલોચનાબાઈ મહાસતીજી ૪૬૪ પૂજય શ્રી નિરંજનાબાઈ મહાસતીજી ૪૬૭ પૂજ્ય શ્રી બા.બ્ર. કુસુમબાઈ મહાસતીજી | વિભાગ - ૫ સુધર્માગચ્છીય યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મપ્રસાદજી સ્વામીની પાટ પરંપરાએ લીબડી અજરામર સંપ્રદાયની પટ્ટાવલિ તથા તે પરંપરામાં થઈ ગયેલા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન મુનિરાજો તથા મહાસતીજીઓની નામાવલિ અજરામર સંપ્રદાયની પાટ પરંપરાની પટ્ટાવલી ૪૭૦ દિવંગત થયેલા સાધ્વીજીઓની નામાવલી સ્થા. જૈન છ કોટી સંપ્રદાયના દિવંગત થયેલા સાધ્વીજીઓની નામાવલી ૪૮૭ કચ્છના મ. વાંછીબાઈ, મ. મેઘબાઈ, મ. લક્ષ્મીબાઈ, ४८० મ. દેવબાઈનો દિવંગત પરિવાર સૌરાષ્ટ્રના મ. નાનબાઈ, મ. મેઘબાઈનો દિવગંત પરિવાર ૪૯૫ વર્તમાનકાળે વિચરતા મુનિરાજોની નામાવલી ૪૯૬ મહાસતીજીઓની નામાવલી ૪૯૭ ૪૬૮ ૪૮૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા વિભાગ - ૧ (૨૪ તીર્થકર, ૧૧ ગણધર, ૧૨ ચક્રવર્તી આદિની વિગત 'પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમના સમયમાં એક કાલચક્ર પસાર થઈ જાય છે. તેમાં ઉત્સર્પિણી કાળના ૧૦ ક્રોડાકોડી સાગરોપમ અને અવસર્પિણી કાળના ૧૦ ક્રોડાકોડી સાગરોપમ કાળમાં છ – છ આરા થાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૨૩ તીર્થકર અને ચોથા આરામાં એક તીર્થંકર થાય છે. અવસર્પિણી કાળના ત્રીજા આરામાં એક તીર્થકર તથા ચોથા આરામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. ઉત્સર્પિણી કાળના છેલ્લા ત્રણ આરામાં યુગલિયા થાય છે તથા અવસર્પિણી કાળના પહેલા ત્રણ આરામાં યુગલિયા થાય છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ..... દિવસે દિવસે સારો સમય આવે છે જયારે અવસર્પિણી એટલે ઉતરતો કાળ..... દિવસે દિવસે ખરાબ સમય આવે છે. આ બંને કાળ પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં “નો ઉત્સર્પિણી નો અવસર્પિણી” નામનો સમાન કાળ પ્રવર્તે છે. ત્યાં સદેવ ચોથા આરા જેવું વાતાવરણ હોય છે. તીર્થકરો, ચક્રવતીઓ, બળદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો કાયમ હોય છે. ભરત - ઐરવતમાં ત્રીજા – ચોથા આરામાં જ ઉત્તમ પુરુષો હોય છે. ગત ઉત્સર્પિણી કાળમાં ચોવીસમા તીર્થંકર થયા પછી અઢાર ક્રોડાકોડી સાગરોપમ પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી (આદિનાથ ભગવાન) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયા..... જન્મભૂમિ : કોશલ દેશની | માતા : મરૂદેવી મહારાણી રાજધાની, વિનીતા | લાંછન : (ચિહ્ન) વૃષભનું નગરી (અયોધ્યા | નામકરણ : માતાએ પ્રથમ વૃષભ નગરી) યાને ઋષભનું સ્વપ્ન જન્મદિવસ : ફાગણ વદ - ૮ જોયું તેથી ઋષભદેવ પિતા : નાભિકુલકર રાજા નામ આપ્યું. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ચૌવિહાર ઉપવાસ, વર્ષીતપની પરંપરા ઋષભદેવ ભગવાનથી : (૧) ભરત ચક્રવર્તી શરૂ થઈ. (૨) બાહુબલી આદિ | પ્રથમ પારણું: હસ્તિનાપુર નગરમાં ૧૦૦ (સર્વે મોક્ષમાં ઈક્ષરસથી, શ્રેયાંસકુમારના હાથે ગયા) અવગાહના : (ઉંચાઈ) ૫૦૦ ધનુષ્ય : (૧) સુમંગલા (૨) સુનંદા પત્ની પુત્રો પુત્રીઓ : (૧) બ્રાહ્મી (૨) સુંદરી | કેવળજ્ઞાન કલ્યાણક કુમારાવસ્થા ઃ ૨૦લાખ પૂર્વ (જયાં સુધી રાજ્ય ગાદીએ ન બેસે ત્યાં સુધી કુંવર કહેવાય) રાજ્યાવસ્થાઃ ૬૩ લાખ પૂર્વ રાજ્ય ભોગવ્યું. દીક્ષા કલ્યાણક: ૮૩ લાખ પૂર્વની ઉંમરે, ફાગણ વિંદ - ૮ના ૪૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા શિબિકાનું નામ : સુદર્શના દીક્ષા તપ : બે ઉપવાસ : વંશના કુળ અને ગોત્ર : ઈક્ષ્વાકુ કાશ્યપ ગોત્રમાં ઉગ્રતપસ્યા : દીક્ષા લીધી ત્યારથી ૪૦૦ દિવસના : મહાદિ -૧૧ના દિવસે અયોધ્યા પ્રથમ ગણધર : ઋષભસેન (પુંડરિક) પ્રથમ સાધ્વીઃ બ્રાહ્મી ગણધર : ૮૪ દીક્ષા વન : સિધ્ધાર્થ વન શરીરનો વર્ણ : સુવર્ણ (કંચનવર્ણી સાધુ સંખ્યા : ૮૪ હજાર (૮૪૦૦૦) સાધ્વી સંખ્યા ૩,૦૦,૦૦૦ કાયા) શ્રાવક સંખ્યા : ૩,૫૦,૦૦૦ નગરીના શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે, પ્રભાતના સમયે અઠ્ઠમતપ સહિત કેવળ જ્ઞાન થયું. પ્રથમ દેશનાનો ઃ (૧) સાધુ ધર્મ વિષય (૨) શ્રાવક ધર્મ શ્રાવિકા સંખ્યા : ૫,૫૪,૦૦૦ કેવળ જ્ઞાની સાધુ : ૨૦,૦૦0 | કેવળ જ્ઞાની સાધ્વી : ૪૦,૦૦૦ ભક્ત રાજા : ભરત ચક્રવર્તી આદિ Page #16 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા મન:પર્યવજ્ઞાની સાધુ-સાધ્વી : ૧૨,૭૫૦ અવધિજ્ઞાની સાધુ-સાધ્વી : ૯,૦૦૦ ચૌદપૂર્વધર સંતોઃ ૪,૭૫૦ સંયમ પર્યાય : એક લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ નિર્વાણ દિનઃ પોષ વદિ ૧૩ અંતિમ અનશન : ૬ દિવસનો સંથારો નિર્વાણ ભૂમિ : અષ્ટાપદ પર્વત નિર્વાણ સંગાથ : ૧૦,૦૦૦ સાધુઓ શાસનકાળ : ૫૦ લાખ ક્રોડી સાગરોપમ (અડધો ચોથો આરો) મોક્ષપ્રાપ્તિ : પ્રભુના શાસનમાં અસંખ્યાતા જીવો મોક્ષમાં ગયા. નોંધ : ઋષભદેવ ભગવાન મોક્ષમાં પધાર્યા પછી અસંખ્યાત કાળ સુધી અસંખ્ય પાટ સુધી (પૂરા શાસન કાળ દરમિયાન) જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન બીજા તીર્થકર અજિતનાથ ભગવાન થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા મરૂદેવી મોક્ષમાં ગયા તથા પિતા નાભિકુલકર નાગકુમાર જાતિના દેવ થયા. ઋષભદેવ ભગવાન આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા થયા. પ્રથમ સાધુ થયા તથા પ્રથમ તીર્થકર થયા તેથી તેઓ શ્રી આદિનાથ તરીકે પ્રસિદ્ધ થયા. ઋષભદેવ ભ. ને સમકિતની પ્રાપ્તિ ધન્યસાર્થવાહના ભવમાં થઈ. તીર્થકર નામ કર્મ વજનાભના ભવમાં બાંધ્યું. તેમના સમકિત પ્રાપ્તિ પછીના ૧૩ ભવ થયા. 'બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામી પ્રથમ તીર્થંકર થયા પછી પચાસ લાખ ક્રોડી સાગરોપમ પછી બીજા તીર્થકર શ્રી અજીતનાથ સ્વામી આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં થયા. જન્મભૂમિ : કોશલ દેશની | જન્મદિવસ : મહા સુદ – ૮ રાજધાની, અયોધ્યા | પિતા : જિતશત્રુ રાજા નગરી | માતા : વિજયા દેવી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ લાંછન : ગજનું (હસ્તીનું) શરીરનો વર્ણ : સુવર્ણ (કંચનવર્ણી કાયા) અવગાહના : ૪૫૦ ધનુષ્ય : મનોરમા પત્ની પુત્રો : અનુપલબ્ધ કુમારાવસ્થા ઃ ૧૮ લાખ પૂર્વ રાજ્યાવસ્થાઃ ૫૩ લાખ પૂર્વ દીક્ષા કલ્યાણક મહાસુદ ૯ દીક્ષા શિબિકાનું નામ : સુપ્રભા દીક્ષા વન : સહસ્રામ્ર વન દીક્ષા તપ સહ દીક્ષા : 998 : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું : વિનીતા (અયોધ્યા) પ્રથમ : બ્રહ્મદત્ત, ખીરથી પારણું ભિક્ષાદાતા કરાવ્યું. છદ્મસ્થકાળ : ૧૨ વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ ઃ શાલ (સમછદ) કેવળજ્ઞાન દિન : પોષ સુદ - ૧૧ કેવળજ્ઞાન સમય : પ્રભાતે પ્રથમ દેશનાનો વિષય : ધર્મધ્યાનના ૪ પાયા પ્રથમ ગણધર : સિંહસેન શ્રી અજિતનાથ સ્વામી પ્રથમ સાધ્વી : ફલ્ગુ | ભક્ત રાજા ઃ સગર ચક્રવર્તી ગણધર : ૯૫ સાધુ સંખ્યા : ૧,૦૦,000 સાધ્વી સંખ્યા : ૩,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૯૮,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૪૫,૦૦૦ કેવળજ્ઞાની સાધુ ઃ કેવળજ્ઞાની સાધ્વી ઃ ૪૪,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૧૨,૫૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૪૦૦ ચૌદ પૂર્વધર સંતો ઃ ૩,૭૨૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય : ૭૨ લાખ પૂર્વ અંતિમ અનશનઃ માસખમણ ૨૨,૦૦૦ નિર્વાણ ભૂમિ : સમ્મેત શિખર નિર્વાણ દિન: ચૈત્ર સુદ - ૫ નિર્વાણ સંગાથ : ૧,૦૦૦ સાધુ શાસન કાળ ઃ ૩૦ લાખ ક્રો. સા. સમકિત પ્રાપ્તિનો પ્રથમ ભવ : વિમલ વાહન તીર્થંકર નામ કર્મ નિકાચનનો ભવ : વિમલ વાહન પૂર્વનો દેવ ભવ (ચ્યવન સ્થાન) : વિજય સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા નોંધ : અજીતનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ત્રીજા તીર્થકર સંભવનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા મોક્ષમાં ગયા અને પિતા ઈશાન દેવલોકમાં ગિયા. ખાસ નોંધ : બીજા તીર્થકરશ્રી અજીતનાથ પ્રભુના સમયમાં તીર્થકરો ઉત્કૃષ્ટ પદે ૧૭૦ હતા. કેવળીઓ નવક્રોડ, સાધુઓ નવ હજાર ક્રોડ તથા શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉત્કૃષ્ટ સંખ્યામાં હતા. 'ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ સ્વામી બીજા તીર્થકર થયા પછી ૩૦ લાખ ક્રોડી સાગરોપમ પછી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કૃણાલ દેશની શ્રાવસ્તી | દીક્ષા વન : સહસ્રાગ્ર વન નગરી દીક્ષા તપ : છઠ્ઠ જન્મદિવસ : માગશર સુદ – ૧૪, સહ દીક્ષા : ૧,OOO પિતા : જિતાર્થ રાજા દિક્ષાબાદ પ્રથમ પારણું : શ્રાવસ્તિ માતા : સેનાદેવી રાણી પ્રથમ ભિક્ષાદાતાઃ સુરેન્દ્રદત્ત લાંછન : અશ્વ – ઘોડાનું આહારની વસ્તુ: ખીર વર્ણ : કંચન છપ્રસ્થકાળ : ૧૪ વર્ષ અવગાહના : ૪૦૦ ધનુષ્ય કેવળજ્ઞાન તપ : છ8 કુમારાવસ્થા: ૧૫ લાખ પૂર્વ કેવળજ્ઞાન નગરી : શ્રાવસ્તિ પત્ની : ત્રિલોચના કેવળજ્ઞાન વન : સહસ્રાગ્ર વન પુત્રો : ૩ પુત્ર કેવળજ્ઞાન વૃક્ષ શાલ (પ્રિયાલ) રાજ્યવસ્થાઃ ૪૪ લાખ પૂર્વ કેવળજ્ઞાન દિનઃ આસો વદ - ૫ દીક્ષા દિન : માગશર સુદ ૧૫ કેવળજ્ઞાન સમય : પ્રભાત દીક્ષા કલ્યાણકઃ મહા સુદ ૯ પ્રથમ દેશનાનો દીક્ષા શિબિકા : સિધ્ધાર્થ વિષય : અનિત્ય ભાસ્ત્રના Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામી પ્રથમ ગણધર : ચાર સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ પ્રથમ સાધ્વી: શ્યામા સંપૂર્ણ આયુષ્ય ઃ ૬૦ લાખ પૂર્વ ગણધર : ૧૦૨ નિર્વાણ તપ : માસખમણ ભક્ત રાજા : મૃગસેન નિર્વાણ ભૂમિ : સમેતશિખર સાધુ સંખ્યા : ૨,૦૦,૦૦૦ નિર્વાણ દિન: ચૈત્ર સુદ ૫ સાધ્વી સંખ્યા : ૩,૩૬,000 નિર્વાણ સંગાથ શ્રાવક સંખ્યા : ૨,૯૩,૦૦૦ શાસન કાળ: ૧૦ લાખ ક્રોડી શ્રાવિકા સંખ્યા: ૬,૩૬,૦૦૦ સાગરોપમ કેવળજ્ઞાની સાધુ: ૧૫,૦૦૦ | સમકિત પ્રાપ્તિનો ભવ: વિપુલ વાહન કેવળજ્ઞાની સાધ્વીઃ ૩૦,OOO તીર્થકર નામકર્મ મન:પર્યવજ્ઞાની : ૧૨,૧૫૦ નિકાચનનો ભવ : વિપુલ વાહન અવધિજ્ઞાનીઃ ૯, ૬૦૦ પૂર્વનો દેવ ભવ (ચ્યવન સ્થાન) : આનત દેવલોક ૧૪ પૂર્વધર સંતોઃ ૨,૧૫૦ સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ નોંધ : સંભવનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતાં. પ્રભુનું શાસન ચોથા તીર્થકર અભિનંદન સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સેનાદેવી મોક્ષમાં ગયાં અને પિતા જિતાર્થરાજા ઈશાન દેવલોકમાં ગયા. 'ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી ત્રીજા તીર્થકર થયા પછી ૧૦ લાખ ક્રોડી સાગરોપમ પછી ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની વનિતા | માતા : સિધ્ધાર્થ નગરી લાંછન : વાનરનું જન્મદિવસ : મહા સુદ – ૨ વર્ણ : કંચન પિતા : સંવર રાજા અવગાહના : ૩૫૦ધનુષ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા કુમારાવસ્થા : : ૧૨।। લાખ પૂર્વ : રંભા પત્ની : ૩૦૩ પુત્રો પુત્રો રાજ્યાવસ્થાઃ ૩૬૫ લાખ પૂર્વ દીક્ષા દિન : મહા સુદ ૧૨ દીક્ષા શિબિકા ઃ અસિધ્ધા દીક્ષા વન : સહસ્રામ વન : છઠ્ઠ દીક્ષા તપ સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું ઃ અયોધ્યા પ્રથમ ભિક્ષાદાતા : ઈન્દ્રદત્ત આહારની વસ્તુ : ખીર છદ્મસ્થકાળ : ૧૮ વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ : પ્રિયંગુ કેવળજ્ઞાન દિન : પોષ સુદ ૧૪ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : અશરણ ભાવના પ્રથમ ગણધર : વજ્રનાભ પ્રથમ સાધ્વી : અજિતા ગણધર : ૧૧૬ ભક્ત રાજા : ચિત્રવીર્ય સાધુ સંખ્યા : ૩,૦૦,000 સાધ્વી સંખ્યા : ૬,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૮૮,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૨૭,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : ૧૪,૦૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૨૮,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૧૧,૬૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૮૦૦ ૧૪ પૂર્વધર સંતો ઃ ૧,૫૦૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય નિર્વાણ તપ : માસખમણ : ૫૦ લાખ પૂર્વ નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર નિર્વાણ દિન : વૈશાખ સુદ ૮ નિર્વાણ સંગાથ : શાસન કાળ ૯ લાખ ક્રોડી સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવ : મહાબલ તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : મહાબલ પૂર્વનો દેવ ભવ (ચ્યવન સ્થાન) : વિજય સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ નોંધ : અભિનંદનસ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતાં હતાં. પ્રભુનું શાસન પાંચમાં તીર્થંકર શ્રી સુમતિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સિધ્ધાર્થ રાણી મોક્ષમાં ગયા અને પિતા સંવર રાજા ઈશાન દેવલોકમાં ગયા. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ સ્વામી પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ સ્વામી ચોથા તીર્થકર થયા પછી ૯ લાખ ક્રોડી સાગરોપમ પછી પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની કુશલપુરી | કેવળજ્ઞાન તપઃ છઠ્ઠ નગરી કેવળજ્ઞાન નગરીઃ અયોધ્યા જન્મદિવસ : વૈશાખ સુદ – ૮ કેવળજ્ઞાન વન : સહસ્સામ્ર વન પિતા : મેઘરથ રાજા કેવળજ્ઞાન વૃક્ષ : શાલ માતા : સુમંગલા દેવી કેવળજ્ઞાન દિન: ચૈત્ર સુદ - ૧૧ લાંછન : ક્રૌંચ પક્ષીનું કેવળજ્ઞાન સમય : પ્રભાત વર્ણ : કંચન પ્રથમ દેશનાનો અવગાહના : ૩૦૦ ધનુષ્ય વિષય : એકત્વ ભાવના કુમારાવસ્થા: ૧૦ લાખ પૂર્વ પ્રથમ ગણધર : અમર પત્ની : રેવતી , પ્રથમ સાધ્વીઃ કાશ્યપી પુત્રો : ૩૦૩ ગણધર : ૧૦૦ રાજ્યવસ્થાઃ ૨૯ લાખ પૂર્વ ભક્ત રાજા : સત્યચિત્ર દિક્ષા દિન : વૈશાખ સુદ ૯ સાધુ સંખ્યા : ૩, ૨૦,૦૦૦ દીક્ષા શિબિકા : અભયંકરા સાધ્વી સંખ્યા: ૫,૩૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રમ્ર વન શ્રાવક સંખ્યા : ૨,૮૧,૦૦૦ દીક્ષા તપ : નિત્યભાજી શ્રાવિકા સંખ્યા: ૫,૧૬,૦૦૦ સહ દીક્ષા : ૧,૦૦૦ કેવળજ્ઞાની સાધુ: ૧૩,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ વિજયપુર કેવળજ્ઞાની સાથ્વી : ૨૬,000 પ્રથમ ભિક્ષાદાતા : પદ્મ મન:પર્યવજ્ઞાની : ૧૦,૪૫૦ આહારની વસ્તુ : ખીર અવધિજ્ઞાનીઃ ૧૧,૦૦૦ છદ્મસ્થકાળ : ૨૦ વર્ષ ૧૪ પૂર્વધર સંતો : ૨,૪OO Page #22 -------------------------------------------------------------------------- ________________ સાગરા આ છે અણગાર અમારા સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૪૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિઃ સમેતશિખર નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિર્વાણ દિનઃ ચૈત્ર સુદ ૯ શાસન કાળઃ ૯૦ હજાર ક્રોડી સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવઃ પુરુષસિંહ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવઃ પુરુષસિંહ પૂર્વનો દેવ ભવ : વૈજયંત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ નોંધ : સુમતિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન છઠ્ઠા પદ્મપ્રભસ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિ રહ્યું હતું. તેમના માતા સુમંગલા દેવી મોક્ષમાં ગયા અને પિતા મેઘરથ રાજા ઈશાન દેવલોકમાં ગયા. 'છટ્ટા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી પાંચમાં તીર્થકર થયા પછી ૯૦ હજાર ક્રોડી સાગરોપમ પછી છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી થયા. જન્મભૂમિ : વત્સ દેશની કૌશાંબી / પુત્રો : ૧૩ પુત્ર નગરી રાજ્યાવસ્થાઃ ૨૧ લાખ પૂર્વ જન્મદિવસ : આસો વદ - ૧૨ દીક્ષા દિન : આસો વદ ૧૩ પિતા .: ધર રાજા દીક્ષા શિબિકાઃ નિવૃત્તિ કરા માતા : સુસીમા દેવી દીક્ષા વન : સહસ્રામ્ર વન લાંછન : પદ્મ-કમલનું દીક્ષા તપ : છઠ્ઠ વર્ણ : રાતો સહ દીક્ષા : ૧,000 અવગાહના : ૨૫૦ ધનુષ્ય દીક્ષાબાદ પ્રથમ પારણું બ્રહ્મસ્થળ કુમારાવસ્થાઃ લા લાખ પૂર્વ પ્રથમ ભિક્ષાદાતા : સોમદેવ પત્ની : લક્ષ્મી | આહારની વસ્તુ: ખીર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦. છદ્મસ્થકાળ : ૬ મહિના કેવળજ્ઞાન તપ : છ કેવળજ્ઞાન નગરી : કૌશાંબી કેવળજ્ઞાન વન : સહસ્રમ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ : છત્ર (વટ) કેવળજ્ઞાન દિનઃ ચૈત્ર સુદ - ૧૫ કેવળજ્ઞાન સમયઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : સંસાર ભાવના પ્રથમ ગણધર: સુવ્રત પ્રથમ સાધ્વી: રતિ ગણધર : ૧૦૭ ભક્ત રાજા : અજિત સેન સાધુ સંખ્યાઃ ૩,૩૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૪,૨૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૭૬,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૫,૦૫,૦૦૦ શ્રી પદ્મપ્રભ સ્વામી કેવળજ્ઞાની સાધુ: ૧૨,૦૦૦ કેવળજ્ઞાની સાથ્વીઃ ૨૪,000 મન:પર્યવજ્ઞાની : ૧૦,૩00 અવધિજ્ઞાનીઃ ૧૦,૦૦૦ ૧૪ પૂર્વધર સંતોઃ ૨,૩૦૦ સંયમ પર્યાયઃ ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૩૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમ્મતશિખર નિર્વાણ સંગાથ : ૭૩ સાધુ નિર્વાણ દિનઃ કારતક વદ ૧૧ | શાસન કાળઃ ૯ હજાર ક્રોડી સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવ: અપરાજિત તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : અપરાજિત પૂર્વનો દેવ ભવ : ૯મી રૈવેયક | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩ નોંધ : પદ્મપ્રભ સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન સાતમા સુપાર્શ્વનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સીમા દેવી મોક્ષમાં ગયા અને પિતા ધર રાજા ઈશાન દેવલોકમાં ગયા. Page #24 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી છઠ્ઠા તીર્થંકર થયા પછી ૯ હજાર ક્રોડી સાગરોપમ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન નગરી : વારાણસી નગરી કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન જન્મદિવસ : જેઠ સુદ - ૧૨ પિતા : પઈઠ્ઠ રાજા માતા લાંછન વર્ણ : કંચન : પૃથ્વી દેવી : સાથિયા અવગાહના : ૨૦૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૫ લાખ પૂર્વ : પ્રિયદર્શના પત્ની પુત્રો : ૧૭ પુત્ર રાજ્યાવસ્થાઃ ૧૪ લાખ પૂર્વ દીક્ષા દિન : જેઠ સુદ ૧૩ દીક્ષા શિબિકા : મનોહરા દીક્ષા વન દીક્ષા તપ : 98 સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું ઃ પાટલી ખંડ પ્રથમ ભિક્ષાદાતા : મહેન્દ્ર આહારની વસ્તુ : ખી૨ (૫૨માન્ન) છદ્મસ્થકાળ : ૯ મહિના કેવળજ્ઞાન તપ : છઠ્ઠ : સહસ્રામ વન કેવળજ્ઞાન વૃક્ષ : શિરીષ કેવળજ્ઞાન દિન : મહા વદ કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : અન્યત્વ ભાવના દ પ્રથમ ગણધર : વિદર્ભ પ્રથમ સાધ્વીઃ સોમા ગણધર : ૯૫ ભક્ત રાજા : દાનવીર્ય સાધુ સંખ્યા : ૩,૦૦,000 સાધ્વી સંખ્યા : ૪,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૫૭,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૯૩,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : કેવળજ્ઞાની સાધ્વી : ૨૨,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૯,૧૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૦00 ૧૪ પૂર્વધર સંતો ઃ ૨,૦૩૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ ૧૧ ૧૧,૦૦૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ચંદ્રપ્રભ સ્વામી સંપૂર્ણ આયુષ્ય : ૨૦ લાખ પૂર્વ | સમકિત પ્રાપ્તિનો ભવઃ નંદ નિર્વાણ તપ : મા ખમણ તીર્થકર નામકર્મ નિર્વાણ ભૂમિઃ સમેતશિખર નિકાચનનો ભવ : નંદ નિર્વાણ સંગાથઃ ૫૦૦ સાધુ પૂર્વનો દેવ ભવ : છઠ્ઠી રૈવેયક નિર્વાણ દિનઃ મહા વદ ૭ સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩ શાસન કાળઃ ૯૦૦ ક્રોડી સાગરોપમ નોંધ : સુપાર્શ્વનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન આઠમા ચંદ્રપ્રભ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા પૃથ્વીદેવી મોક્ષમાં ગયા અને પિતા પઈઠ્ઠ રાજા ઈશાન દેવલોકમાં ગયા. 'આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી સાતમા તીર્થંકર થયા પછી ૯૦૦ ક્રોડી સાગરોપમ પછી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી થયા. જન્મભૂમિ : પૂર્વ દેશની ચંદનપૂરી | રાજ્યાવસ્થા: ૬ લાખ પૂર્વ નગરી | દીક્ષા દિન : માગશર વદ ૧૩ જન્મદિવસ : માગશર વદ – ૧૨ | દીક્ષા શિબિકા: મનોરમિકા પિતા : મહાસેન રાજા દીક્ષા વન : સહસ્રાગ્ર વન માતા : લક્ષ્મણા દેવી દીક્ષા તપ : છ8 લાંછન : ચંદ્રમાનુ સહ દીક્ષા : ૧,૦૦૦ વર્ણ : ઉજ્જવળ (સફેદ) દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ પદ્મખંડ પુર અવગાહના : ૧૫૦ ધનુષ્ય પ્રથમ ભિક્ષાદાતા સોમદત્ત કુમારાવસ્થા: રાા લાખ પૂર્વ આહારની વસ્તુ: ખીર પત્ની : અનુપલબ્ધા છઘકાળ ૬ મહિના પુત્રો : ૧૮ પુત્ર કેવળજ્ઞાન તપ : છ8 Page #26 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા કેવળજ્ઞાન નગરી : ચંદ્રાનના કેવળજ્ઞાન વન : સહસ્રાગ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ : પુનાગ કેવળજ્ઞાન દિન : મહા વદ - ૭ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : અશુચિ ભાવના પ્રથમ ગણધર : દિન્ન પ્રથમ સાધ્વીઃ સુમના ગણધર : ૯૩ ભક્ત રાજા : મઘવા સાધુ સંખ્યા : ૨,૫૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩,૮૦,OOO શ્રાવક સંખ્યા : ૨,૫૦,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૯૧,OOO કેવળજ્ઞાની સાધુ: ૧૦,૦૦૦ કેવળજ્ઞાની સાધ્વીઃ ૨૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૮,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૮,૦૦૦ ૧૪ પૂર્વધર સંતો ૨,૦૦૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૧૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિર્વાણ દિન: શ્રાવણ વદ ૭ શાસન કાળઃ ૯૦ ક્રોડી સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવ: પદ્મ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : પદ્મ પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : ચંદ્રપ્રભસ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન નવમા સુવિધિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા લક્ષ્મણાદેવી મોક્ષમાં ગયા અને પિતા મહાસેન રાજા ઈશાન દેવલોકમાં ગયા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સુવિધિનાથ સ્વામી 'નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ સ્વામી નગરી આઠમા તીર્થંકર થયા પછી ૯૦ ક્રોડી સાગરોપમ પછી નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની કાકંદી | કેવળજ્ઞાન નગરી : કાકન્દી કેવળજ્ઞાન વન : સહસ્રમ્ર વન જન્મદિવસ : કારતક વદ – ૫ કેવળજ્ઞાન વૃક્ષ : માલૂટ પિતા : સુગ્રીવ રાજા કેવળજ્ઞાન દિન : કારતક સુદ – ૩ માતા : રામાદેવી કેવળજ્ઞાન સમય : પ્રભાત લાંછન : મગરમચ્છનું પ્રથમ દેશનાનો વર્ણ : ઉજજવળ વિષય : આસ્રવ ભાવના અવગાહના : ૧૦૦ ધનુષ્ય પ્રથમ ગણધર : વરાહ કુમારાવસ્થાઃ અર્ધ લાખ પૂર્વ પ્રથમ સાધ્વીઃ વાણી પત્ની : સોમદત્તા ગણધર : ૮૮ પુત્રો : ૧૯ પુત્ર ભક્ત રાજા : યુધ્ધવીર્ય રાજ્યાવસ્થા: અર્ધ લાખ પૂર્વ સાધુ સંખ્યા : ૨,૦૦,૦૦૦ દીક્ષા દિન : કારતક વદ ૬ સાધ્વી સંખ્યા : ૩,૨૦,૦૦૦ દીક્ષા શિબિકાઃ સુરપ્રભા શ્રાવક સંખ્યા ૨,૨૯,૦૦૦ દીક્ષા વન : સહક્ઝામ્ર વન શ્રાવિકા સંખ્યાઃ ૪,૭૨,000 દીક્ષા તપ : છ૪ કેવળજ્ઞાની સાધુઃ ૭,૫00 સહ દીક્ષા : ૧,000 કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૫,000 દીક્ષાબાદ પ્રથમ પારણું : શ્વેતપુર મન:પર્યવજ્ઞાની : ૭,૫OO પ્રથમ ભિક્ષાદાતા : પુષ્પ અવધિજ્ઞાનીઃ ૮,૪૦૦ આહારની વસ્તુ : ખીર ૧૪ પૂર્વધર સંતો : ૧,૫૦૦ છાસ્યકાળ : ૪ મહિના સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ Page #28 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૫ સંપૂર્ણ આયુષ્ય : ૨ લાખ પૂર્વ શાસન કાળ: ૯ ક્રોડી સાગરોપમ નિર્વાણ તપ : માસખમણ સમકિત પ્રાપ્તિનો ભવ: મહાપદ્મ નિર્વાણ ભૂમિ: સમેતશિખર તીર્થકર નામકર્મ નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિકાચનનો ભવ : મહાપદ્મ નિર્વાણ દિન: ભાદરવા સુદ ૯ પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ નોંધ : સુવિધિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૯ ક્રોડી સાગરમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા રામાદેવી સનકુમાર દેવલોકમાં ગયા અને તેમના પિતા સુગ્રીવ રાજા પણ સનકુમાર દેવલોકમાં ગયા. 'દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી નવમા તીર્થંકર થયા પછી ૯ ક્રોડી સાગરોપમ પછી દસમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી થયા. જન્મભૂમિ : મલય દેશની ભીલપુર | રાજ્યવસ્થા અર્ધ લાખ પૂર્વ નગરી દીક્ષા દિન : પોષ વદ ૧૨ જન્મદિવસ : પોષ વદ - ૧૨ દીક્ષા શિબિકા: ચંદ્રપ્રભા પિતા : દઢરથ રાજા દીક્ષા વન : સહસ્રામ્ર વન માતા : નંદા દેવી દીક્ષા તપ : છ8 લાંછન : શ્રી વત્સ (સાથિયા) સહ દીક્ષા : ૧,૦૦૦ વર્ણ : કંચન દીક્ષાબાદ પ્રથમ પારણું રિખપુર અવગાહના ૯૦ ધનુષ્ય પ્રથમ ભિક્ષાદાતા : પુનર્વસુ કુમારાવસ્થાઃ Oી લાખ પૂર્વ આહારની વસ્તુ: ખીર પત્ની : ચંદ્રકાંતા છદ્મસ્થકાળ : ૩ મહિના પુત્રો : ૧૨ પુત્ર કેવળજ્ઞાન તપ : છઠ્ઠ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શીતલનાથ સ્વામી કેવળજ્ઞાન નગરી : ભદીલપુર અવધિજ્ઞાની : ૭,૨૦૦ કેવળજ્ઞાન વન : સહસ્રામ્ર વન ૧૪ પૂર્વધર સંતો : ૧,૪૦૦ કેવળજ્ઞાન વૃક્ષ: પીપળો સંયમ પર્યાય : પા લાખ પૂર્વ કેવળજ્ઞાન દિનઃ માગશર વદ – ૧૪ | સંપૂર્ણ આયુષ્ય : ૧ લાખ પૂર્વ કેવળજ્ઞાન સમયઃ પ્રભાત નિર્વાણ તપ : મા ખમણ પ્રથમ દેશનાનો વિષય: સંવર ભાવના | નિર્વાણ ભૂમિ : સમેતશિખર પ્રથમ ગણધર : આનંદ નિર્વાણ સંગાથ ઃ ૧૦૦૦ સાધુ પ્રથમ સાધ્વી: સુલતા નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૨ ગણધર : ૮૧ શાસન કાળ : ૧ ક્રોડી સાગર તેમાં ભક્ત રાજા : સીમંધર ૧૦૦ સાગર ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ પા પલ્ય સાધુ સંખ્યા : ૧,૦૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩,૮૦,૦૦૦ | સમકિત પ્રાપ્તિનો ભવ: પમોત્તર શ્રાવક સંખ્યા : ૨,૮૯,૦૦૦ તીર્થકર નામકર્મ શ્રાવિકા સંખ્યા : ૪, ૫૮,૦૦૦ નિકાચનનો ભવ : પદ્મોત્તર કેવળજ્ઞાની સાધુઃ ૭,000 પૂર્વનો દેવ ભવ : પ્રાણત કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૪,000 સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ મન:પર્યવજ્ઞાની : ૭,૫૦૦ ઉણું. નોંધ : શીતલનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૧ ક્રોડી સાગર તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, ૨૬ હજાર તથા પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું. તેમના માતા નંદાદેવી સનકુમાર દેવલોકમાં ગયા અને તેમના પિતા પણ સનકુમાર દેવલોકમાં ગયા. Page #30 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી દસમા તીર્થંકર થયા પછી ૧ ક્રોડી સાગર તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ ઉણે આંતરે અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કાશી દેશની સિંહપુરી | કેવળજ્ઞાન તપ : છઠ્ઠ નગરી જન્મદિવસ : મહા વદ ૧૨ પિતા : : વિષ્ણુ રાજા : વિષ્ણુ દેવી : ગેંડાનું : કંચન માતા લાંછન વર્ણ અવગાહના : ૮૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૨૧ લાખ વર્ષ : સુશીલા : ૧૨ પુત્ર રાજ્યાવસ્થાઃ ૪૨ લાખ પર્વ દીક્ષા દિન : મહા વદ ૧૩ દીક્ષા શિબિકા : વિમલપ્રભા દીક્ષા વન દીક્ષા તપ સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું : સિદ્ધાર્થપુર પ્રથમ ભિક્ષાદાતા : નંદ આહારની વસ્તુ : ખી૨ છદ્મસ્થકાળ : ૨ મહિના પત્ની પુત્રો : સહસ્રામ વન : બે ઉપવાસ કેવળજ્ઞાન નગરી : સિંહપુર કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ વન કેવળજ્ઞાન વૃક્ષ ઃ અશોક કેવળજ્ઞાન દિન : પોષ વદ અમાસ કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : નિર્જરા ભાવના ૧૭ પ્રથમ ગણધર : ગૌસ્તુભ પ્રથમ સાધ્વીઃ ધારિણી ગણધર : ૭૬ ભક્ત રાજા : ત્રિપૃષ્ઠ વાસુદેવ સાધુ સંખ્યા : ૮૪,૦૦૦ સાધ્વી સંખ્યા : ૧,૦૩,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૭૯,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૪૮,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : ૬,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૧૩,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૬,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૬,૦૦૦ ૧૪ પૂર્વધર સંતો : ૧,૩૦૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંયમ પર્યાય : ૨૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૮૪ લાખ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિર્વાણ દિનઃ અષાઢ વદ ૩ નોંધ : શ્રેયાંસનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૫૪ સાગરોપમમાં પોણો પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વિષ્ણુદેવી અને પિતા વિષ્ણુરાજા બન્ને સનત્કૃમાર દેવલોકમાં ગયા. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી અગિયારમા તીર્થંકર થયા પછી ૫૪ સાગરોપમ પછી બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી થયા. જન્મદિવસ : મહા વદ પિતા માતા : જયા દેવી લાંછન : ભેંસ વર્ણ ઃ રાતો અવગાહના : ૭૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૧૮ લાખ વર્ષ પત્ની : અભિરમા જન્મભૂમિ : અંગ દેશની ચંપાપુરી | પુત્રો નગરી શ્રી વાસુપૂજ્ય સ્વામી સાગરોપમમાં પોણો પલ્ય ઉભું સમકિત પ્રાપ્તિનો ભવ ઃ નલિની ગુલ્મ તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : નલિની ગુલ્મ : મહાશુક્ર સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ પૂર્વનો દેવ ભવ - શાસન કાળ : ૫૪ ૧૪ ઃ વસુપૂજય રાજા ઃ ૯૯ પુત્ર રાજ્યાવસ્થાઃ૦ દીક્ષા દિન : મહા વદ ૧૫ (અમાસ) દીક્ષા શિબિકા ઃ પૃથ્વી દીક્ષા વન દીક્ષા તપ સહ દીક્ષા : સહસ્રામ વન : ૧ ઉપવાસ : ૬૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું : મહાપુર સુનંદ પ્રથમ ભિક્ષાદાતા : આહારની વસ્તુ ઃ ખીર Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ છે અણગાર અમારા છઘસ્યકાળ : ૧ મહિનો કેવળજ્ઞાન તપ : ૧ ઉપવાસ કેવળજ્ઞાન નગરી : ચંપાપુરી કેવળજ્ઞાન વન : વિહારગૃહ વન કેવળજ્ઞાન વૃક્ષઃ પાટલા કેવળજ્ઞાન દિન: મહા સુદ ૨ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : ધર્મભાવના પ્રથમ ગણધરઃ સુધર્મ પ્રથમ સાધ્વી: ધરણી ગણધર : ૬૬ ભક્ત રાજા દિપૃષ્ઠ વાસુદેવ સાધુ સંખ્યા : ૭૨,OOO સાધ્વી સંખ્યા : ૧,૦૬,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૧૫,૦૦૦ શ્રાવિકા સંખ્યાઃ ૪,૩૬,૦૦૦ કેવળજ્ઞાની સાધુઃ ૬,૦૦૦ કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૨,૦૦૦ મન ૫ર્યવજ્ઞાની : ૬,000 અવધિજ્ઞાનીઃ ૫,૪૦૦ ૧૪ પૂર્વધર સંતો: ૧, ૨૦૦ સંયમ પર્યાય : ૫૪ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્યઃ ૭૨ લાખ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : ચંપાપુરી નિર્વાણ સંગાથઃ ૬૦૦ સાધુ નિર્વાણ દિનઃ અષાઢ સુદ ૧૪ શાસન કાળ : ૩૦ સાગરોપમમાં પા પલ્ય ઉણું સમકિત પ્રાપ્તિનો ભવ: પદ્મોતર તીર્થકર નામકર્મ નિકાચનનો ભવઃ પદ્મોતર પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩ નોંધ : વાસુપૂજ્ય સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૩૦ સાગરોપમમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા જયાદેવી અને પિતા વસુપૂજ્ય રાજા બન્ને સનકુમાર દેવલોકમાં ગયા. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ સ્વામી 'તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી બારમા તીર્થંકર થયા પછી ૩૦ સાગરોપમ પછી તેરમા તીર્થકર શ્રી વિમલનાથ સ્વામી થયા. જન્મભૂમિ : પાંચાલ દેશની ! કેવળજ્ઞાન તપ ઃ છઠ્ઠ કંપિલપુર નગરી કેવળજ્ઞાન નગરીઃ કાંપિલ્યપુર જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કૃતવર્મ રાજા કેવળજ્ઞાન વૃક્ષ : જંબૂ માતા : સામાદેવી કેવળજ્ઞાન દિન : પોષ સુદ ૬ લાંછન : વરાહ (સુવર) કેવળજ્ઞાન સમય : પ્રભાત વર્ણ : હેમ પ્રથમ દેશનાનો અવગાહના : ૬૦ ધનુષ્ય વિષય : બોધિદુર્લભ ભાવના કુમારાવસ્થા: ૧૫ લાખ વર્ષ પ્રથમ ગણધર : મંદર પત્ની : શ્રીકાન્તા પ્રથમ સાધ્વીઃ શિવા પુત્રો : અનુપલબ્ધ ગણધર : પ૭ રાજ્યાવસ્થા: ૩૦ લાખ વર્ષ ભક્ત રાજા : સ્વયંભૂ વાસુદેવ દીક્ષા દિન : મહા સુદ ૪ સાધુ સંખ્યા : ૬૮,૦૦૦ દીક્ષા શિબિકા : દેવદત્તા સાધ્વી સંખ્યા : ૧,૦૮,૦૦૦ દીક્ષા વન : વિહારગૃહ વન શ્રાવક સંખ્યા : ૨,૦૮,૦૦૦ દીક્ષા તપ : છ શ્રાવિકા સંખ્યા ૪,૩૪,000 સહ દીક્ષા : ૧૦૦૦ કેવળજ્ઞાની સાધુ ૫,૫૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણુંઃ ધાન્યકંટકપુર | | કેવળજ્ઞાની સાથ્વી: ૧૧,000 પ્રથમ ભિક્ષાદાતા : જયનૃપ મન:પર્યવજ્ઞાની : ૫,૫00 આહારની વસ્તુ : ખીર અવધિજ્ઞાનીઃ ૪, ૮૦૦ છાસ્યકાળ : ૨ મહિના ૧૪ પૂર્વધર સંતો : ૧,૧૦૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૧ સંયમ પર્યાય : ૧૫ લાખ વર્ષ શાસન કાળ : ૯ સાગરોપમમાં પોણો સંપૂર્ણ આયુષ્યઃ ૬૦ લાખ વર્ષ પલ્ય ઉણું નિર્વાણ તપ : માસખમણ સમકિત પ્રાપ્તિનો ભવ : પદ્મસેન નિર્વાણ ભૂમિ : સમેતશિખર તીર્થકર નામકર્મ નિર્વાણ સંગાથ : ૬૦૦ સાધુ નિકાચનનો ભવ : પાસેન નિર્વાણ દિન: જેઠ વદ ૭ પૂર્વનો દેવ ભવ : સહસ્રાર સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩ નોંધ : વિમલનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૯ સાગરમાં પોણો પલ્પ ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સામાદેવી ને પિતા કૃતવર્મ બન્ને સનકુમાર દેવલોકમાં ગયા. 1 ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામી તેરમા તીર્થંકર થયા પછી ૯ સાગરોપમ પછી ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની રાજ્યાવસ્થા: ૧૫ લાખ વર્ષ અયોધ્યાનગરી દીક્ષા દિન : ચૈત્ર વદ ૧૪ જન્મદિવસ : વૈદ વદ – ૧૩ દીક્ષા શિબિકાઃ સાગરદત્તા પિતા : સંઘસેન રાજા દીક્ષા વન : સહસ્રામ્રવન માતા : સુયશા દેવી દીક્ષા તપ : છઠ્ઠ લાંછન : સકરાનું સહ દીક્ષા : ૧OOO વર્ણ : કંચન દિક્ષાબાદ પ્રથમ પારણું : વર્ધમાનપુર અવગાહના : ૫૦ ધનુષ્ય પ્રથમ ભિક્ષાદાતા : વિજયનૃપ કુમારાવસ્થા: ૭ લાખ વર્ષ આહારની વસ્તુ: ખીર પત્ની : કમળાદેવી | યશોમતી | છઘસ્યકાળ ૩ મહિના પુત્રો : ૨૨ (૮૮) પુત્ર કેવળજ્ઞાન તપ : છઠ્ઠ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન કેવળજ્ઞાન વૃક્ષ : અશ્વત્થ કેવળજ્ઞાન દિન: ચૈત્ર વદ ૧૪ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : લોકભાવના, નવ - તત્ત્વનું સ્વરૂપ પ્રથમ ગણધર : યશ પ્રથમ સાધ્વીઃ શુચિ ગણધર : ૫૦ ભક્ત રાજા : પુરુષોત્તમ વાસુદેવ સાધુ સંખ્યા : ૬૬,૦૦૦ સાધ્વી સંખ્યા : ૧,૦૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૦૬,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૧૪,000 કેવળજ્ઞાની સાધુ: ૪,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૦,૦૦૦ શ્રી અનંતનાથ સ્વામી મન:પર્યવજ્ઞાની : ૫,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૪,૩૦૦ ૧૪ પૂર્વધર સંતોઃ ૧,000 સંયમ પર્યાય : ૭ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્યઃ ૩૦ લાખ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ: સમેતશિખર નિર્વાણ સંગાથ : ૭૦૦ સાધુ નિર્વાણ દિનઃ ચૈત્ર સુદ ૫ શાસન કાળઃ ૪ સાગરોપમમાં પા પલ્ય ઉણું સમકિત પ્રાપ્તિનો ભવઃ પદ્મરથી તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : પદ્મરથી પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : અનંતનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન પંદરમા તીર્થંકર ધર્મનાથસ્વામી થયા ત્યાં સુધીમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુયશાદેવી સનકુમાર દેવલોકમાં અને પિતા સંઘસેન રાજા પણ સનકુમાર દેવલોકમાં ગયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા 'પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી ચૌદમા તીર્થંકર થયા પછી ૪ સાગરોપમ પછી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની રત્નપૂરી | કેવળજ્ઞાન તપ : છ8 નગરી કેવળજ્ઞાન નગરી : રત્નપુરા જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વનઃ વપ્રકાંચન વન પિતા : ભાનુ રાજા કેવળજ્ઞાન વૃક્ષઃ દધિપર્ણ માતા : સુવ્રતા દેવી કેવળજ્ઞાન દિન: પોષ સુદ ૧૫ લાંછન : વજનું કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : કંચન પ્રથમ દેશનાનો અવગાહના : ૪૫ ધનુષ્ય વિષય : મોક્ષઉપાય અને કષાયનું કુમારાવસ્થાઃ રાા લાખ વર્ષ સ્વરૂપ પત્ની : સુનંદા પ્રથમ ગણધરઃ અરિષ્ટ પુત્રો : ૧૯ પુત્ર પ્રથમ સાધ્વીઃ અંજુકા રાજ્યાવસ્થા: ૬ll લાખ વર્ષ ગણધર : ૪૩ દીક્ષા દિન : મહા સુદ ૧૩ ભક્ત રાજા : પુરુષસિંહ વાસુદેવ દીક્ષા શિબિકાઃ નાગદત્તા સાધુ સંખ્યા : ૬૪,૦૦૦ દીક્ષા વન : સહસ્રામ્રવન સાધ્વી સંખ્યા : ૬૨,૪૦૦ દીક્ષા તપ : છઠ્ઠ શ્રાવક સંખ્યા : ૨,૪૦,૦૦૦ સહ દીક્ષા : ૧OOO શ્રાવિકા સંખ્યા : ૪,૧૩,૦૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : સોમનસપર | કેવળજ્ઞાની સાધુઃ ૪,૫OO પ્રથમ ભિક્ષાદાતાઃ ધર્મસિંહ કેવળજ્ઞાની સાધ્વીઃ ૯,000 આહારની વસ્તુ : ખીર મન:પર્યવજ્ઞાની : ૪,૫૦૦ છઘWકાળ : ૨ મહિના અવધિજ્ઞાનીઃ ૩,૬૦૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૪ પૂર્વધર સંતોઃ ૯૦૦ સંયમ પર્યાય : ૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૧૦ લાખ વર્ષ નિર્વાણ તપ : મા ખમણ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિર્વાણ સંગાથ : ૮૦૦ સાધુ નિર્વાણ દિનઃ જેઠ સુદ ૫ શ્રી શાંતિનાથ સ્વામી શાસન કાળ : ૩ સાગર તેમાં પોણો પલ્ય ઉણું તથા પા પલ્ય ઉણું સમકિત પ્રાપ્તિનો ભવ : દઢરથ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : દઢરથ | પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : ધર્મનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન સોળમા શાંતિનાથ ભ. થયા ત્યાં સુધીમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુવ્રતા દેવી અને પિતા ભાનુરાજા બન્ને સનસ્કુમાર દેવલોકમાં ગયા. 'સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામી પંદરમા તીર્થંકર થયા પછી ૩ સાગર તેમાં પોણા પલ્યને ઉણે આંતરે ! | સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કુરુદેશની હસ્તિનાપુર | પત્ની : વિજ્યા (સ્ત્રીરત્ન) નગરી પુત્રો : ૧ કરોડ જન્મદિવસ : વૈશાખ વદ ૧૩ રાજ્યાવસ્થા: ૦ લાખ વર્ષ, 9 લાખ પિતા : વિશ્વસેન રાજા વર્ષ ચક્રવર્તીપણું માતા : અચિરા દેવી દીક્ષા દિન : વૈશાખ વદ ૧૪ લાંછન : મૃગ દીક્ષા શિબિકાઃ સર્વાર્થી વર્ણ : કંચન દીક્ષા વન : વપ્રકાંચન વન અવગાહના : ૪૦ ધનુષ્ય દીક્ષા તપ : છઠ્ઠ કુમારાવસ્થાઃ Oી લાખ વર્ષ સહ દીક્ષા : ૧૦૦૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આ છે અણગાર અમારા દીક્ષાબાદ પ્રથમ પારણું મંદિરપુર | કેવળજ્ઞાની સાધુઃ ૪,૩00 પ્રથમ ભિક્ષાદાતા : સુમિત્ર કેવળજ્ઞાની સાથ્વી: ૮,૬૦૦ આહારની વસ્તુ : ખીર મન:પર્યવજ્ઞાની : ૪,૦૦૦ છઘસ્યકાળ : ૧ મહિના અવધિજ્ઞાનીઃ ૩,000 કેવળજ્ઞાન તપઃ છ8 ૧૪ પૂર્વધર સંતોઃ ૮OO કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર સંયમ પર્યાય : Oી લાખ વર્ષ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન સંપૂર્ણ આયુષ્ય : ૧ લાખ વર્ષ કેવળજ્ઞાન વૃક્ષ: તિલક નિર્વાણ તપ : મા ખમણ કેવળજ્ઞાન દિન: પોષ સુદ ૯ નિર્વાણ ભૂમિ : સમેતશિખર કેવળજ્ઞાન સમય : પ્રભાત નિર્વાણ સંગાથઃ ૯૦૦ સાધુ પ્રથમ દેશનાનો નિર્વાણ દિનઃ વૈશાખ વદ ૧૩ વિષય : ઈન્દ્રિયોનો જય શાસન કાળ : અર્ધ પલ્યોપમ પ્રથમ ગણધર : ચકાયુધ સમકિત પ્રાપ્તિનો ભવ: શ્રીષેણ પ્રથમ સાધ્વી : ભાવિતા તીર્થકર નામકર્મ ગણધર : ૯૦ નિકાચનનો ભવ : મેઘરથ ભક્ત રાજા : કુણાક પૂર્વનો દેવ ભવ : સર્વાર્થસિધ્ધ સાધુ સંખ્યા : ૬૨,૦૦૦ સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૧૨ સાધ્વી સંખ્યા : ૬૨,૬૦૦ શ્રાવક સંખ્યા : ૨,૯૦,000 શ્રાવિકા સંખ્યા: ૩,૯૩,૦૦૦ નોંધ : શાંતિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન સત્તરમા તીર્થકરશ્રી કુંથુનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા અચિરાદેવી અને પિતા વિશ્વસેન રાજા બન્ને સનકુમાર દેવલોકમાં ગયા. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ સ્વામી 'સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ સ્વામી સોળમા તીર્થકર થયા પછી અર્ધ પલ્યોપમ પછી સત્તરમા તીર્થકર શ્રી ! કુંથુનાથ સ્વામી થયા. જન્મભૂમિ ઃ કુરુદેશની ગજપુર | છઘસ્યકાળઃ ૧૬ મહિના નગરી કેવળજ્ઞાન તપઃ છઠ્ઠ જન્મદિવસ : ચૈત્ર વદ ૧૪ કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર પિતા : સુર રાજા કેવળજ્ઞાન વન : સહસ્ત્રાપ્રવન માતા : સુરા દેવી કેવળજ્ઞાન વૃક્ષ: તિલક લાંછન : બોકડો કેવળજ્ઞાન દિન : ચૈત્ર સુદ ૩ વર્ણ : હેમ કેવળજ્ઞાન સમય : પ્રભાત અવગાહના : ૩પ ધનુષ્ય પ્રથમ દેશનાનો કુમારાવસ્થાઃ ૨૩ણા હજાર વર્ષ વિષય : મનઃ શુદ્ધિ પત્ની : કૃષ્ણશ્રી (સ્ત્રીરત્ન) પ્રથમ ગણધરઃ સ્વયંભૂ પુત્રો : ૧ કરોડ પ્રથમ સાધ્વી: રક્ષિતા રાજ્યાવસ્થા: ૨૩ હજાર વર્ષ. ગણધર : ૩૫ ૨૩ હજાર વર્ષ ભક્ત રાજા કુબેરા ચક્રવર્તીપણું સાધુ સંખ્યા : ૬૦,૦૦૦ દીક્ષા દિન : ચૈત્ર વદ ૫ સાધ્વી સંખ્યા : ૬૦,૬૦૦ દીક્ષા શિબિકાઃ વિજ્યા શ્રાવક સંખ્યા : ૧,૮૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવિકા સંખ્યા: ૩,૮૧,૦૦૦ દીક્ષા તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુઃ ૩, ૨૩ર સહ દીક્ષા : ૧OOO કેવળજ્ઞાની સાધ્વીઃ ૬,૪૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું ચક્રપુર મન:પર્યવજ્ઞાની : ૩,૩૪૦ પ્રથમ ભિક્ષાદાતા : વ્યાઘ્રસિંહ અવધિજ્ઞાનીઃ ૨,૫૦૦ આહારની વસ્તુ : ખીર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આ છે અણગાર અમારા ૧૪ પૂર્વધર સંતોઃ ૬,૭00 શાસન કાળઃ પા પલ્યમાંથી ૧ કરોડ સંયમ પર્યાય : ૨૩ill હજાર વર્ષ હજાર વર્ષને ઉણે આંતરે સંપૂર્ણ આયુષ્ય : ૯૫ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : સિંહાવહ નિર્વાણ ત૫ : માસખમણ તીર્થકર નામકર્મ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિકાચનનો ભવ : સિંહાવહ નિર્વાણ સંગાથઃ ૧૦૦૦ સાધુ | પૂર્વનો દેવ ભવ : સર્વાર્થસિધ્ધ નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૧ સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : કુંથુનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન અઢારમા અરનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુરાદેવી અને પિતા સુરરાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા. 'અઢારમાં તીર્થકર શ્રી અરનાથ સ્વામી સત્તરમા તીર્થંકર થયા પછી પા પલ્પમાંથી ૧ કરોડ ને હજાર વર્ષને ઉત્તે આંતરે અઢારમા તીર્થકર શ્રી અરનાથ સ્વામી થયા. જન્મભૂમિ ઃ કુરુદેશની નાગપુર | પુત્રી : ૧ કરોડ નગરી રાજ્યાવસ્થાઃ ર૧ હજાર વર્ષ, ૨૧ જન્મદિવસ : માગશર સુદ ૧૦ હજાર વર્ષ ચક્રવર્તીપણું પિતા : સુદર્શન રાજા દીક્ષા દિન : માગશર સુદ ૧૧ માતા : દેવકી દેવી દીક્ષા શિબિકા? વૈજયન્તી લાંછન : નંદાવર્ત સાથિયો દીક્ષા વન : સહસ્રાગ્ર વન વર્ણ : હેમ દીક્ષા તપ : છઠ્ઠ અવગાહના : ૩૦ ધનુષ્ય સહ દીક્ષા : ૧OOO કુમારાવસ્થા: ૨૧ હજાર વર્ષ દીક્ષા બાદ પ્રથમ પારણું રાજગૃહ પત્ની : સુરશ્રી (સ્ત્રીરત્ન) પ્રથમ ભિક્ષાદાતા : અપરાજિત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી અરનાથ સ્વામી આહારની વસ્તુ : ખીર શ્રાવિકા સંખ્યા: ૩,૭૨,000 છદ્મસ્થકાળ : ૩ વર્ષ કેવળજ્ઞાની સાધુ: ૨,૮૦૦ કેવળજ્ઞાન તપ : છ કેવળજ્ઞાની સાથ્વી: ૫,૬૦૦ કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર | મન:પર્યવજ્ઞાની : ૨,૫૫૧ કેવળજ્ઞાન વન : સહક્ઝામ્રવન અવધિજ્ઞાનીઃ ૨,૬૦૦ કેવળજ્ઞાન વૃક્ષ : આમ્ર-સહકાર ૧૪ પૂર્વધર સંતોઃ ૬૧૦ કેવળજ્ઞાન દિન : કારતક સુદ ૧૨ સંયમ પર્યાય : ૨૧ હજાર વર્ષ કેવળજ્ઞાન સમય: પ્રભાત સંપૂર્ણ આયુષ્ય : ૮૪ હજાર વર્ષ પ્રથમ દેશનાનો નિર્વાણ તપ : મા ખમણ વિષય : રાગ, દ્વેષ અને મોહ | નિર્વાણ ભૂમિઃ સમેતશિખર ઉપર વિજય નિર્વાણ સંગાથઃ ૧૦00 સાધુ પ્રથમ ગણધર: કુંભ નિર્વાણ દિન: માગશર સુદ ૧૦ પ્રથમ સાધ્વીઃ રક્ષિકા શાસન કાળ : ૧ કરોડને ૧ હજાર વર્ષ ગણધર : ૩૩ સમકિત પ્રાપ્તિનો ભવ: ધનપતિ ભક્ત રાજા : સુભૂમ તીર્થકર નામકર્મ સાધુ સંખ્યા : ૫૦,૦૦૦ નિકાચનનો ભવ : ધનપતિ સાધ્વી સંખ્યા : ૬૦,૦૦૦ પૂર્વનો દેવ ભવ : ૯મી રૈવેયક શ્રાવક સંખ્યા : ૧,૮૪,000 સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : અરનાથ ભ. મોલમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ઓગણીસમા મલ્લિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા દેવકી દેવી અને પિતા સુદર્શન રાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા. Page #42 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯ 'ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી અઢારમા તીર્થંકર થયા પછી ૧ કરોડ ને ૧ હજાર વર્ષ પછી ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : વિદેહ દેશની મિથિલા | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી કેવળજ્ઞાન નગરીઃ મિથિલા જન્મદિવસ : માગશર સુદ ૧૧ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કુંભ રાજા કેવળજ્ઞાન વૃક્ષઃ અશોક વૃક્ષ માતા : પ્રભાવતી કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ લાંછન : કલશાનું કેવળજ્ઞાન સમયઃ પ્રભાત વર્ણ : નીલ પ્રથમ દેશનાનો અવગાહના : ૨૫ ધનુષ્ય | વિષય : સમતાભાવ-સામાયિક કુમારાવસ્થાઃ ૧૦૦ વર્ષ કુંવરીપણું પ્રથમ ગણધર : ઈન્દ્ર પત્ની : અવિવાહિત પ્રથમ સાધ્વીઃ બંધુમતી પુત્રો : --- ગણધર ઃ ૨૮ રાજ્યવસ્થા: ૦ ભક્ત રાજા : અજિત દીક્ષા દિન : માગશર સુદ ૧૧ સાધુ સંખ્યા : ૪૦,૦૦૦ દીક્ષા શિબિકા: જયંતિ સાધ્વી સંખ્યા : ૫૫,000 દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવક સંખ્યા : ૧,૮૩,૦૦૦ દીક્ષા તપ : ૩ ઉપવાસ શ્રાવિકા સંખ્યા: ૩,૭૦,000 સહ દીક્ષા : ૩૦૦ સ્ત્રી | ૧,૦૦૦ કેવળજ્ઞાની સાધુઃ ૨, ૨૦૦ પુરુષો કેવળજ્ઞાની સાધ્વી ઃ ૬,૪૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : મિથિલા મન:પર્યવજ્ઞાની : ૧,૭૫૦ પ્રથમ ભિક્ષાદાતા : વિશ્વસન અવધિજ્ઞાનીઃ ૨, ૨૦૦ આહારની વસ્તુ: ખીર ૧૪ પૂર્વધર સંતોઃ ૬૬૮ છઘકાળ : ૩ પ્રહર Page #43 -------------------------------------------------------------------------- ________________ ३० સંયમ પર્યાય : ૫૪,૯૦૦ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૫૫,૦૦૦ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર નિર્વાણ સંગાથ : ૫૦૦ સાધુ, ૫૦૦ સાધ્વી નિર્વાણ દિનઃ ફાગણ સુદ ૧૨ નોંધ: મલ્લિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન વીસમા મુનિસુવ્રત સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા પ્રભાવતી અને પિતા કુંભરાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા. શાસન કાળ : ૫૪ લાખ વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : મહાબલ તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : મહાબલ : જયંત પૂર્વનો દેવ ભવ સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી ઓગણીસમા તીર્થંકર થયા પછી ૫૪ લાખ વર્ષ પછી વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. જન્મભૂમિ : મગધ દેશની રાજગૃહી | પુત્રો નગરી જન્મદિવસ : વૈશાખ વદ ૮ પિતા : સુમિત્ર રાજા માતા : પદ્માવતી લાંછન : કાચબો વર્ણ : શ્યામ અવગાહના : ૨૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ॥ હજાર વર્ષ પત્ની : મનજીતા (પ્રભાવતી) શ્રી મુનિસુવ્રત સ્વામી : ૧૧ પુત્ર રાજ્યાવસ્થા: ૧૫ હજાર વર્ષ દીક્ષા દિન : ફાગણ સુદ ૧૨ દીક્ષા શિબિકા : અપરાજિતા દીક્ષા વન : નીલ ગૃહોઘાન દીક્ષા તપ : છઠ્ઠ સહ દીક્ષા : ૧,૦૦૦ પુરુષો દીક્ષાબાદ પ્રથમ પારણું : રાજગૃહ પ્રથમ ભિક્ષાદાતા : બ્રહ્મદત્ત છદ્મસ્થકાળ : ૧૧ મહિના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ છે અણગાર અમારા કેવળજ્ઞાન તપ : છ8 કેવળજ્ઞાની સાધુઃ ૧,૮00 કેવળજ્ઞાન નગરી : રાજગૃહી કેવળજ્ઞાની સાધ્વીઃ ૩, ૬00 કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન મન:પર્યવજ્ઞાની : ૧,૫00 કેવળજ્ઞાન વૃક્ષ: ચંપક અવધિજ્ઞાની: ૧,૮૦૦ કેવળજ્ઞાન દિન : મહા વદ ૧૨ ૧૪ પૂર્વધર સંતોઃ ૫૦૦ કેવળજ્ઞાન સમય : પ્રભાત સંયમ પર્યાય : ૭ હજાર વર્ષ પ્રથમ દેશનાનો સંપૂર્ણ આયુષ્ય : ૩૦ હજાર વર્ષ વિષય : યતિધર્મને શ્રાવક ધર્મને નિર્વાણ તપ : માસખમણ યોગ્ય જીવો. નિર્વાણ ભૂમિઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ કુંભ નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ પ્રથમ સાધ્વીઃ પુષ્પમતી નિર્વાણ દિન: વૈશાખ વદ ૯ ગણધર : ૧૮ શાસન કાળ : ૬ લાખ વર્ષ ભક્ત રાજા ઃ વિજય સમકિત પ્રાપ્તિનો ભવઃ શૂરશ્રેષ્ઠ સાધુ સંખ્યા : ૩૦,OOO તીર્થકર નામકર્મ સાધ્વી સંખ્યા : ૫૦,૦૦૦ નિકાચનનો ભવ : શૂરશ્રેષ્ઠ શ્રાવક સંખ્યા : ૧,૭૨,૦૦૦ પૂર્વનો દેવ ભવ : પ્રાણિત શ્રાવિકા સંખ્યા ૩,૫૦,૦૦૦ | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩ નોંધ : મુનિસુવ્રત સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન એકવીસમાં નમિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા પદ્માવતી અને સુમિત્ર રાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી નમિનાથ સ્વામી એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી - વીસમા તીર્થંકર થયા પછી ૬ લાખ વર્ષ પછી એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : વિદેહ દેશની મથુરા | કેવળજ્ઞાન નગરીઃ મિથિલા નગરી કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન જન્મદિવસ : અષાઢ વદ ૮ કેવળજ્ઞાન વૃક્ષ : બકુલ પિતા : વિજય રાજા કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ માતા : વિપુલા દેવી કેવળજ્ઞાન સમય : પ્રભાત લાંછન : નીલોત્પલ કમલનું પ્રથમ દેશનાનો વર્ણ : હેમ વિષય : શ્રાવક કરણી અવગાહના : ૧૫ ધનુષ્ય પ્રથમ ગણધર : શુભ કુમારાવસ્થા: રાઈ હજાર વર્ષ પ્રથમ સાધ્વીઃ અમલા પત્ની : આનંદ ગણધર : ૧૭ પુત્રો : -- ભક્ત રાજા : હરિફેણ ચક્રવર્તી રાજ્યાવસ્થા: ૬ll હજાર વર્ષ સાધુ સંખ્યા : ૨૦,૦૦૦ દીક્ષા દિન : જેઠ વદ ૯ સાધ્વી સંખ્યા : ૪૧,૦૦૦ દીક્ષા શિબિકા : દેવગુરુ શ્રાવક સંખ્યા : ૧,૭૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવિકા સંખ્યા : ૩,૪૮,૦૦૦ દીક્ષા તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુઃ ૧,૬OO સહ દીક્ષા : ૧,000 પુરુષો કેવળજ્ઞાની સાથ્વી: ૩, ૨૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું વીરપુર મન:પર્યવજ્ઞાની : ૧, ૨૬૦ પ્રથમ ભિક્ષાદાતા : દત્ત અવધિજ્ઞાનીઃ ૧,૬૦૦ આહારની વસ્તુ: ખીર ૧૪ પૂર્વધર સંતોઃ ૪૫૦ છપ્રસ્થકાળ : ૯ મહિના સંયમ પર્યાય : ૧ હજાર વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ Page #46 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સંપૂર્ણ આયુષ્ય : ૧૦ હજાર વર્ષ | શાસન કાળ : ૫ લાખ વર્ષ નિર્વાણ તપ : મા ખમણ સમકિત પ્રાપ્તિનો ભવ: સિધ્ધાર્થ નિર્વાણ ભૂમિ : સમેતશિખર તીર્થકર નામકર્મ નિર્વાણ સંગાથ ઃ ૧000 સાધુ નિકાચનનો ભવ : સિધ્ધાર્થ નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૧૦ પૂર્વનો દેવ ભવ : અપરાજિત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : નમિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન બાવીસમા નેમિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વિપુલાદેવી અને પિતા વિજયરાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા. 'બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી એકવીસમા તીર્થંકર થયા પછી ૫ લાખ વર્ષ પછી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કુશાવર્ત દેશનું શૌર્યપુર | રાજ્યાવસ્થા: ૦ નગર દીક્ષા દિન : શ્રાવણ સુદ ૬ જન્મદિવસ : શ્રાવણ સુદ ૫ દીક્ષા શિબિકાઃ ઉત્તરકુરુ પિતા : સમુદ્રવિજય રાજા દીક્ષા વન : સહસ્રાગ્ર વન માતા : શિવાદેવી દીક્ષા તપ : છ8 લાંછન : શંખ સહ દીક્ષા : ૧,OOO વર્ણ : શ્યામ દીક્ષા બાદ પ્રથમ પારણું : દ્વારામતી અવગાહના : ૧૦ ધનુષ્ય પ્રથમ ભિક્ષાદાતા : વરદત્ત કુમારાવસ્થાઃ ૩૦૦ વર્ષ આહારની વસ્તુ : ખીર પત્ની : અવિવાહિત છાર્થીકાળ : ૫૪ દિવસ પુત્રો : 0 કેવળજ્ઞાન તપ : અઠ્ઠમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કેવળજ્ઞાન નગરી : રૈવતગિર કેવળજ્ઞાન વન : શેષાવન કેવળજ્ઞાન વૃક્ષ : વેતસ મન:પર્યવજ્ઞાની : ૧,૫૦૦ કેવળજ્ઞાન દિન ઃ ભાદરવા વદ અમાસ | અવધિજ્ઞાનીઃ ૧,૦૦૦ કેવળજ્ઞાન સમય : પ્રભાત ૧૪ પૂર્વધર સંતો ઃ ૩૦૦ પ્રથમ દેશનાનો વિષય સંયમ પર્યાય : ૭૦૦ વર્ષ : મહાવિગય, રાત્રિ | સંપૂર્ણ આયુષ્ય : ૧ હજાર વર્ષ ભોજન, અભક્ષ્યનો નિર્વાણ તપ : માસખમણ ત્યાગ પ્રથમ ગણધર : નરદત્ત પ્રથમ સાધ્વીઃ યક્ષિણી ગણધર : ૧૧ ભક્ત રાજા : કૃષ્ણવાસુદેવ સાધુ સંખ્યા : ૧૮,૦૦૦ સાધ્વી સંખ્યા : ૪૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૧,૬૯,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૩,૩૯,૦૦૦ શ્રી નેમિનાથ સ્વામી કેવળજ્ઞાની સાધુ : ૧,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૩,૦૦૦ નિર્વાણ ભૂમિ : રૈવતગિર નિર્વાણ સંગાથ ઃ ૫૩૬ સાધુ નિર્વાણ દિનઃ અષાઢ સુદ ૮ શાસન કાળ ઃ ૮॥॥ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : ધનકુંવર તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : શંખરાજા પૂર્વનો દેવ ભવ : અપરાજિત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૯ નોંધ : નેમિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી આઠ પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ત્રેવીસમા પાર્શ્વનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા શિવાદેવી અને પિતા સમુદ્રવિજય રાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૫ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી બાવીસમા તીર્થકર થયા પછી ૮૩ હજાર વર્ષ પછી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી થયા. જન્મભૂમિ કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી કેવળજ્ઞાન નગરીઃ વારાણસી જન્મદિવસ : માગશર વદ ૧૦ કેવળજ્ઞાન વન : આશ્રમવન પિતા : અશ્વસેન કેવળજ્ઞાન વૃક્ષ: ધાતકી માતા : વામાદેવી કેવળજ્ઞાન દિનઃ ફાગણ વદ ૪ લાંછન : સર્પનું કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : નીલ પ્રથમ દેશનાનો અવગાહના : ૯ હાથની વિષય : બારવ્રત તેના કુમારાવસ્થાઃ ૩૦ વર્ષ અતિચાર, ૧૫ પત્ની : પ્રભાવતી કર્માદાનનું વર્ણન પુત્રો : ૦ પ્રથમ ગણધરઃ દિન રાજ્યાવસ્થા: ૦ પ્રથમ સાધ્વીઃ પુષ્પચૂલા દીક્ષા દિન : માગશર વદ ૧૧ ગણધર : ૮ દીક્ષા શિબિકાઃ વિશાલા ભક્ત રાજા પ્રસેનજિત દીક્ષા વન : આશ્રમ વન સાધુ સંખ્યા : ૧૬,૦૦૦ દીક્ષા તપ : અઠ્ઠમ સાધ્વી સંખ્યા ૩૮,૦૦૦ સહ દીક્ષા : ૩૦૦ શ્રાવક સંખ્યા : ૧,૬૪,૦૦૦ | શ્રાવિકા સંખ્યાઃ દીક્ષા બાદ પ્રથમ પારણું : કૌપકટ ૩,૭૭,000 પ્રથમ ભિક્ષાદાતા ધન્ય ગૃહપતિ કેવળજ્ઞાની સાધુઃ ૧,૪૦૦ આહારની વસ્તુ : ખીર કેવળજ્ઞાની સાધ્વી: ૨,૮00 છઘર્થીકાળ : ૮૪ દિવસ મન:પર્યવજ્ઞાની : ૭૫૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી મહાવીરસ્વામી અવધિજ્ઞાની: ૧,૪૦૦ નિર્વાણ દિનઃ શ્રાવણ સુદ ૮ ૧૪ પૂર્વધર સંતો : ૩૫૦ શાસન કાળ : ૨૫૦ વર્ષ સંયમ પર્યાય : ૭૦ વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવઃ મરુભૂતિ સંપૂર્ણ આયુષ્ય : ૧૦૦ વર્ષ તીર્થકર નામકર્મ નિર્વાણ તપ : મા ખમણ નિકાચનનો ભવ : સુવર્ણબાહુ નિર્વાણ ભૂમિ : સમેતશિખર પૂર્વનો દેવ ભવ : પ્રાણત નિર્વાણ સંગાથઃ ૧000 સાધુ | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૧૦ નોંધ : ત્રેવીસમા પાર્શ્વનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી ચાર પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ચોવીસમા મહાવીરસ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વામાદેવી અને પિતા અશ્વસેન રાજા બન્ને માટેન્દ્ર દેવલોકમાં ગયા. 'ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામી ત્રેવીસમા તીર્થકર થયા પછી ૨૫૦ વર્ષ પછી ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી થયા. જન્મભૂમિ : પૂર્વ દેશનું ક્ષત્રિયકુંડ | પુત્રી : પ્રિયદર્શન - ૧ ગ્રામ નગર રાજ્યાવસ્થા: ૦ જન્મદિવસ : ચૈત્ર સુદ ૧૩ દીક્ષા દિન : કારતક વદ ૧૦ પિતા : સિધ્ધાર્થ રાજા દીક્ષા શિબિકા: ચંદ્રપ્રભા માતા : ત્રિશલા દેવી દીક્ષા વન : જ્ઞાતખંડ વન લાંછન : સિંહનું દીક્ષા તપ : છ8 વર્ણ : કંચન સહ દીક્ષા : એકાકી અવગાહના : ૭ હાથ દીક્ષા બાદ પ્રથમ પારણું કોલ્લાક કુમારાવસ્થા: ૩૦ વર્ષ પ્રથમ ભિક્ષાદાતા : બહુલદ્વિજ પત્ની : યશોદા આહારની વસ્તુ: ખીર Page #50 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા છદ્મસ્થકાળ : ૧૨૫ વર્ષ ૧૫ દિવસ શ્રાવિકા સંખ્યા : ૩,૧૮,૦૦૦ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુ ઃ ૭૦૦ કેવળજ્ઞાન નગરી : શૃંભિકા નગ૨ની | કેવળજ્ઞાની સાધ્વી ઃ ૧,૪૦૦ મન:પર્યવજ્ઞાની : ૫૦૦ બહાર કેવળજ્ઞાન વન ઃ ઋજુવાલિકા નદીના | અવધિજ્ઞાની: ૧,૩૦૦ તટે કેવળજ્ઞાન વૃક્ષ ઃ શાલ ૧૪ પૂર્વધર સંતો ઃ ૩૦૦ સંયમ પર્યાય કેવળજ્ઞાન દિન : વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન સમય : સાંજે પ્રથમ દેશનાનો વિષય : યતિધર્મ, ગૃહસ્થ ધર્મ તથા ગણધરવાદ પ્રથમ ગણધર : ઈન્દ્રભૂતિ પ્રથમ સાધ્વીઃ ચંદનબાળા ગણધર : ૧૧ ભક્ત રાજા : શ્રેણિક સાધુ સંખ્યા : ૧૪,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩૬,૦૦૦ શ્રાવક સંખ્યા : ૧,૫૯,૦૦૦ ૩૭ : ૪૨ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૭૨ વર્ષ નિર્વાણ તપ : ૨ ઉપવાસ નિર્વાણ ભૂમિ : પાવાપુરી નિર્વાણ સંગાથ : એકાકી નિર્વાણ દિનઃ આસો વદ અમાસ શાસન કાળ : ૨૧ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : નયસાર તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : નંદન પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૨૭ નોંધ : મહાવીર સ્વામી મોક્ષમાં પધાર્યા પછી ૩ પાટ સુધી જીવો મોક્ષમાં ગયા. પ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્ન પણે ચાલશે. ત્યારબાદ વિચ્છેદ જશે. તેમના પ્રથમ માતા-દેવાનંદા તથા પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણ મોક્ષમાં ગયા અને તેમના માતા ત્રિશલાદેવી તથા પિતા સિધ્ધાર્થ રાજા અચ્યુત દેવલોકમાં ગયા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ક્રમાંક ગણધરનું નગર પિતા માતા નામ ૧ ઈન્દ્રભૂતિ | ગૌવર | વસુભૂતિ ૨ અગ્નિભૂતિ ગૌવર | વસુભૂતિ | વાયુભૂતિ | ગૌવર | વસુભૂતિ | કોલ્લાક | ધનમિત્ર | ૩ ૪ વ્યક્ત સંનિવેશ સુધર્મા | કોલ્લાક | ધમ્મિલ | ભદિલા ૫ દ ૭ ८ ૯ મહાવીરસ્વામીના ગણધરો સંબંધી યંત્ર ૧૦ ૧૧ મંડિત પુત્ર મૌર્ય પુત્ર મૌર્ય સંનિવેશ અંકપિત | મિથિલ અચલ કોશલા ભ્રાતા મેતાર્થ તંગીકસંનિ. દત્ત પ્રભાસ રાજગૃહ બલ કેવળી પર્યાય આયુષ્ય શિષ્ય વર્ષ - ૧૨ વર્ષ - ૧૬ વર્ષ - ૧૮ વર્ષ - ૧૮ વર્ષ - ૮ મૌર્ય ધનદેવ વિજ્યા સંનિવેશ મોર્ય વર્ષ - ૧૬ વર્ષ -- ૧૬ વર્ષ - ૨૧ વર્ષ - ૧૪ વર્ષ - ૧૬ વર્ષ - ૧૬ દેવ વસુ પૃથ્વી પૃથ્વી પૃથ્વી પૃથ્વી વારુણી ગોત્ર ૯૨ વર્ષ ૨૫૦૦૨ ગૌતમ ૭૪ વર્ષ | ૫૦૦ | ગૌતમ શ્રી ગણધર ચક્રવર્તીનું કોષ્ટક | જન્મ નક્ષત્ર જ્યેષ્ઠા | ૫૦ વર્ષ | ૩૦ વર્ષ કૃત્તિકા | ૪૬ વર્ષ | ૧૨ વર્ષ સ્વાતિ | ૪૨ વર્ષ | ૧૦ વર્ષ શ્રવણ ૫૦ વર્ષ | ૧૯ વર્ષ ગૃહસ્થ છદ્મસ્થ પર્યાય | પર્યાય ઉત્તરા | ૫૦ વર્ષ | ૪૨ વર્ષ ફાલ્ગુની મઘા ૫૩ વર્ષ | ૧૪ વર્ષ વિજ્યા | રોહિણી | ૬૫ વર્ષ | ૧૪ વર્ષ યંતિ |ઉત્તરાષાઢા ૪૮ વર્ષ | ૯ વર્ષ નંદા | મૃગશીર્ષ| ૪૬ વર્ષ | ૧૨ વર્ષ વરુણાદેવી અશ્વિની | ૩૬ વર્ષ | ૧૦ વર્ષ અતિભદ્રા પુષ્ય ૧૬ વર્ષ | ૮ વર્ષ મનમાં રહેલી શંકા આત્મા છે કે નહિ? કર્મ અને કર્મ ફળ છે કે નહિ. ૭૦ વર્ષ | ૫૦ | ગૌતમ | જીવ અને શરીર બંને એકરૂપ છે કે ભિન્ન ૮૦ વર્ષ | ૫૦૦ | ભારદ્વાજ જગત મિથ્યા છે કે પદાર્થો સત્ય છે. ૧૦૦ વર્ષ પ∞ અગ્નિવેશ આ ભવ છે તેવો જ પરભવ છે કે અન્યથા છે. ૮૩ વર્ષ ૩૫૦ વશિષ્ઠ જીવને બંધ-મોક્ષ છે કે નહિ ૯૫ વર્ષ | ૩૫૦ ૭૮ વર્ષ | ૩૦૦ ૭૨ વર્ષ | ૩૦૦ ૬૨ વર્ષ|૩૦ ૪૦ વર્ષ ૩૦૦ કાશ્યપ | સ્વર્ગ છે કે નહિ ગૌતમ |નરક છે કે નહિ હરિતાયન પુણ્ય-પાપ છે કે નહિ કોડીન | પરલોક-પુનર્જન્મ છે કે નહિ કોડીન મોક્ષ છે કે નહિ Page #52 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ચક્રવર્તીનું કોષ્ટક ક્રમાંક ચક્રવર્તીનું નગર | માતા | પિતા | દેહમાન | આયુષ્ય ભરત || અયોધ્યા સુમંગલા આદિનાથ ૫૦૦ ધનુષ્ય ૮૪ લાખ પૂર્વ સગર || અયોધ્યા યશોમતી સુમિત્રવિજય૪િ૫૦ધનુષ્ય ૭૨ લાખ પૂર્વ મઘવા | શ્રાવસ્તિ | ભદ્રા | સમુદ્રવિજય ૪રા ધનુષ્ય પલાખ પૂર્વ સનકુમાર હસ્તિનાપુર સહદેવી | અશ્વસેન ૧ી ધનુષ્ય ૩ લાખ પૂર્વ શાંતિનાથ હસ્તિનાપુર અચિરા | વિશ્વસેન ૪૦ ધનુષ્ય ૧ લાખ પૂર્વ કુંથુનાથ | ગજપુર સુરાદેવી સુર રાજા |૩૫ ધનુષ્ય ૯૫,૦૦૦વર્ષ અરનાથ | નાગપુર | દેવકી | સુદર્શન | ૩૦ ધનુષ્ય | ૮૪,૦૦૦વર્ષ સુભૂમ હસ્તિનાપુ તારા કૃતવીર્ય | ૨૮ ધનુષ્ય |૬૦,૦૦૦વર્ષ | મહાપદ્મ | વારાણસી | જ્વાલા | પદ્મોત્તર | ૨૦ધનુષ્ય | ૩૦,૦૦૦ વર્ષ | હરિફેણ કિાંડિત્યપુર મેરા | મહાહરિ | ૧૫ ધનુષ્ય | ૧૦,૦૦૦ વર્ષ જય | રાજગૃહ' વપ્રા અશ્વસેન ૧ર ધનુષ્ય ૩,૦૦૦વર્ષ બ્રહ્મદત્ત કાંપિલ્યપુર ચુલની બ્રહ્મ | ૭ ધનુષ્ય | ૭૦ વર્ષ = ? = ૦ 0 = વિજયા દ ધર્મનાથ m ક્રમાંક સ્ત્રીરત્ન | કેટલા સાથે દીક્ષા | ગતિ | કયા તીર્થકર શાસનમાં સુભદ્રા ૧૦,OOO આદિનાથ સુકેશા ૧,OOO અજિતનાથ જયા ૧,OOO ધર્મનાથ સુનંદા ૧,OOO ધર્મનાથ ૧,OOO ૧,૦૦૦ શાંતિનાથ ૧,000 કુંથુનાથ પદ્મશ્રી | દીક્ષા નથી લીધી ૭મી નરક અરનાથ વસુંધરા ૧,OOO | મોક્ષ મુનિસુવ્રત (મદનાવલી) | ૧,૦૦૦ મોક્ષ નમિનાથ લક્ષ્મીવતી ૧,OOO | મોક્ષ નમિનાથ ૧૨ | કુરુમતી | દીક્ષા નથી લીધી ૭મી નરકી નેમિનાથ કૃષ્ણશ્રી ૦ સુરશ્રી = 8 દેવી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી બળદેવ વાસુદેવનું કોષ્ટક બળદેવનું કોષ્ટક નં. નામ નગર | પિતા | માતા | આયુષ્ય | કયા | પૂર્વ | ગતિ દેવલોકથી | ભવનું ચ્યવન | નામ ૧ | અચલ પોતનપુર પ્રજાપતિ ભદ્રા ૮૫ લાખ વર્ષ અનુત્તર વિમાનવિશ્વનંદી મોક્ષ સુભદ્રા ૭પ લાખ વર્ષ અનુત્તર વિમાન રુદ્ર | સુપ્રભા પ લાખ વર્ષ અનુત્તર વિમાન ૪ સુપ્રભ | તારવતી | સોમ સુદર્શના પપ લાખ વર્ષ મહાશુક્ર | અશોક ૫ સુદર્શન અશ્વપુર | શિવ | વિજયા ૧૭લાખ વર્ષ મહાશુક્ર લલિત ૬ આનંદ | ચકપુર મહાશિવ જયન્તિ દપ હજાર વર્ષ મહાશુક્ર વરાહ ૭, નંદન વારાણસી અગ્નિસિંહું જયંતિ દપ હજાર વર્ષ બ્રહ્મલોક ધનસેન | મોક્ષ ૮ રામચન્દ્ર અયોધ્યા | દશરથ અપરાજિતા૧૫ હજાર વર્ષ બ્રહ્મલોક અપરાજિત મોક્ષ (કૌશલ્યા)| ૯ બલભદ્રા મથુરા | વસુદેવ | રોહિણી ૧,૨૦૦ વર્ષ બ્રહ્મલોક | લલિત બ્રહ્મલોક રાજ | દે. સોળ સતીનું કોષ્ટક (૧) બ્રાહ્મી (૨) સુંદરી; પહેલા ઋષભદેવ સ્વામીના શાસનમાં થયા. (૩) દમયંતી – પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીના શાસનમાં થયા. (૪) કૌશલ્યા (પ) સીતા; વીશમા શ્રી મુનિ સુવ્રત સ્વામીના શાસનમાં થયા. (૬) રાજેમતી (૭) કુન્તી (૮) દ્રોપદી; બાવીસમા શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં થયા. (૯) પુષ્પચૂલા - ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીના શાસનમાં થયા. (૧૦) ચંદનબાળા (૧૧) તુલસા (૧૨) મૃગાવતી (૧૩) પદ્માવતી (૧૪) પ્રભાવતી (૧૫) શિવા દેવી (૧૬) સુભદ્રા; આ સાત સતીઓ ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયા. Page #54 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૧ વાસુદેવનું કોષ્ટક નિં. વાસુદેવનું નગર | માત | પિતા | પૂર્વ ભવનું નિયાણું નામ ૧ | ત્રિપૃષ્ઠ |પોતનપુર,મૃગાવતી પ્રજાપતી |અત્યંત બળવાન થાઉં અને દેવોને પણ અજેય થાઉં ૨ |દ્વિપૃષ્ઠ |દ્વારવતી ઉમા બ્રહ્મ વિદય શક્તિનો નાશ કરનારો થાઉં ૩ સ્વયંભૂ દ્વારવતી |પૃથ્વી રુદ્ર | બલિરાજાને મારનારો થાઉં ૪]પુરુષોત્તમ દ્વારવતી સીતા |સોમ |સ્ત્રીના હરણ કરનારાને મારનારો થાઉં ano na xwe ૫ પુરુષસિંહ અશ્વપુર અમ્મકા | શિવ પૂર્વશત્રુનો ઘાત કરનાર થાઉં ૬ |પુરુષ- ચિક્રપુર લક્ષ્મીવતી | મહાશિવ સ્ત્રીને હરણ કરનારને મારનારો પુંડરિક થાઉં. વારાણસી શેષવતી અગ્નિસિહ મંત્રીને મારનાર થાઉં ૮ લક્ષ્મણ |અયોધ્યા સુમિત્રા દશરથ સુંદરીને પ્રાણપ્રિય થાઉં ૯ કૃષ્ણ મથુરા દેવકી વસુદેવ |વિશ્વ વલ્લભ થાઉં ૬ો નં. દેહમાન આયુષ્ય ગતિ ગોત્ર કયા તીર્થકરના શાસનમાં ૧|૮૦ધનુષ્ય ૮૪ લાખ વર્ષ | ૭મી નરક | ગૌતમ | શ્રેયાંસનાથ ૭૦ ધનુષ્ય ૭૨લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ગૌતમ | વાસુપૂજ્ય ૩ ૬િ૦ ધનુષ્ય ૬૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક | ગૌતમ | વિમલનાથ ૩૦લાખ વર્ષ ગૌતમ | અનંતનાથ ૪૫ ધનુષ્ય ૧૦લાખ વર્ષ | ગૌતમ | ધર્મનાથ ૬૫ હજાર વર્ષ ૬ઠ્ઠી નરક ગૌતમ | અરનાથ ૨૬ ધનુષ્ય | પ૬ હજાર વર્ષ પમી નરક | ગૌતમ | મલ્લિનાથ ૧૬ ધનુષ્ય | ૧૨ હજાર વર્ષ ૪થી નરક | કાશ્યપ | મુનિસુવ્રત ૯ /૧૦ધનુષ્ય | ૧ હજાર વર્ષ ૩જી નરક | કાશ્યપ | નેમિનાથ nom a wwe ૫૦ ધનુષ્ય ૬ઠ્ઠી નરક ૬ [૨૯ ધનુષ્ય ૯ પ્રતિવાસુદેવનાં નામ: ૧. અશ્વગ્રીવ, ૨. તારક, ૩. મેરક, ૪. મધુકૈટભ, નિશુંભ, ૬. બલિ, ૭. પ્રલાદ, ૮. રાવણ, ૯. જરાસંઘ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨. પટ્ટાવલિ વિભાગ - ૨ 'ભગવાન શ્રી મહાવીરસ્વામી પછીના ૨000 વર્ષમાં થઈ ગયેલા પ્રભાવશાળી પટ્ટધરો ૧ પટ્ટાવલિ અનાદિ કાળથી આ સંસાર છે, તેમાં જૈનધર્મ પણ અનાદિ છે. અત્યાર સુધીમાં અનંત તીર્થકરો થઈ ગયા. અનંતા ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે. ગત ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી થયા. તેમના ૧૧ ગણધર થયા. તેમના વ્યવસ્થા પૂરતા નવ ગચ્છ કહેવાતા. પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીથી આ પટ્ટાવલી શરૂ થાય છે. આ અવસર્પિણી કાળના ચોથા આરાના ૩ વર્ષ અને ૮ મહિના બાકી રહ્યા ત્યારે શ્રી મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા. તે જ પ્રભાતે ભગવાનના પ્રથમ ગણધર (ઈન્દ્રભૂતિ) ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. નવ ગણધરો તો પ્રભુની હયાતિમાં જ રાજગૃહી નગરીમાં મોક્ષે પધાર્યા હતા. તેથી પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામી પાટે આરૂઢ થયા. કેવળજ્ઞાની પાટારૂઢ થઈ શકે નહિ એવો નિયમ હોવાથી જ સુધર્માસ્વામી, ભગવાન મહાવીર પછી પહેલા પટ્ટધર બન્યા. 'પાટ-૧ સુધર્મા સ્વામી (વીર સં. ૧) પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીનો જન્મ કોલાગાસન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણને ત્યાં થયો હતો. પોતાની અનિચ્છા હોવા છતાં માતાપિતાએ તેમનો વિવાહ કરાવ્યો. ઉદાસીનભાવે સંસાર ચલાવતાં તેમને એક પુત્રી થઈ. તેઓ ચાર વેદ, શ્રુતિ, સ્મૃતિ વગેરેમાં સંપૂર્ણ પારંગત થયા. સંન્યાસપણું સ્વીકાર્યું. ૫૦ વર્ષની ઉંમરે ભગવાન મહાવીરસ્વામીનો સમાગમ થયો. શંકાનું સમાધાન થયું અને ભગવાન પાસે દીક્ષા લીધી. તેઓશ્રી ભગવાનના પાંચમા ગણધર બન્યા. પ૦ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમનું પાલન કર્યું. દીક્ષિત થયા પછી ૩૦ વર્ષ છબસ્થ અવસ્થામાં ગાળ્યા. ૧૨ વર્ષ આચાર્યપદવી ભોગવી અર્થાત્ પટ્ટધર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આ છે અણગાર અમારા તરીકે બિરાજયા. ૮ વર્ષ કેવળીપર્યાયનું પાલન કરી કુલ્લ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સં. ૨૦માં તેઓ મોક્ષે પધાર્યા. પાટ-૨ જંબુસ્વામી (વીર સં. ૧૨) | સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામીનો જન્મ રાજગૃહી નગરીમાં ઋષભદાસ શેઠને ત્યાં ધારિણી માતાની કુક્ષિએ થયો હતો. માતાને આવેલા સ્વપ્નાનુસાર જંબુકુમાર નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થતાં સુધીમાં તેમણે સર્વપ્રકારની વ્યવહારિક વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી. એકદા સુધર્માસ્વામી શિષ્ય પરિવાર સહિત રાજગૃહી નગરમાં પધાર્યા. તેમની વાણી સાંભળી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતાપિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યા. તે જ રાતે આઠે પત્નીઓને પ્રતિબોધ પમાડ્યો. ચોરી કરવા માટે આવેલ પ્રભવાદિ ૫૦૦ ચોરોને પ્રતિબોધ્યા. પ્રાતઃકાળે સૌના આશ્ચર્ય વચ્ચે જંબુકુમાર, તેમનાં માતાપિતા, આઠ પત્નીઓ તથા તેઓના માતાપિતા અને પ્રભવાદિ ૫૦૦ ચોરો એમ કુલ્લ પર૭ મહાન આત્માઓએ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. જંબુસ્વામી ૧૬ વર્ષ ગૃહવાસમાં રહ્યા. ૧૨ વર્ષ ગુરુભક્તિ કરી. જ્ઞાન સંપાદન કર્યું. ૮ વર્ષ આચાર્યપદ પર રહ્યા. ત્યાર બાદ કેવળજ્ઞાન થયું. ૪૪ વર્ષ કેવલ પ્રવ્રજ્યા પાળી ૮૦ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી વીર સંવત ૬૪માં મોક્ષ પધાર્યા. ચોથા આરાનો જન્મેલો હોય તે પાંચમા આરામાં મોક્ષે જાય પરંતુ પાંચમા આરાનો જન્મેલો પાંચમા આરામાં મોક્ષે જાય નહિ. ગૌતમસ્વામી, સુધર્માસ્વામી તથા જંબુસ્વામી ચોથા આરાના જન્મેલા હતા પરંતુ પાંચમા આરામાં મોક્ષે ગયા. શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી દશ બોલ વિચ્છેદ ગયા. (૧) પરમ અવધિ જ્ઞાન (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪) પુલાક લબ્ધિ (૫) આહારક શરીર (૬) લાયક સમકિત અથવા મતાંતરે ક્ષપક શ્રેણિ (૭) જિનકલ્પી સાધુ (૮) પરિહાર વિશુદ્ધ ચારિત્ર (૯) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર (૧૦) યથાખ્યાત ચારિત્ર.. પાટ-૩ શ્રી પ્રભવસ્વામી (વીર સં. ૨૦) જંબુસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીનો જન્મ વિંધ્યાચલ પર્વતની તળેટીમાં જયપુર નામના નગરમાં, કાત્યાયન ગોત્રી જયસેન રાજાને ત્યાં થયો હતો. તેમનું નામ પ્રભાવ પાડવામાં આવ્યું. તેના નાના ભાઈનું નામ વિનયધર કુમાર હતું. Page #57 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલિ પ્રભવકુમારની વર્તણૂક અનિષ્ટ અને પ્રજાને દુઃખપ્રદ હતી. ખરાબ મિત્રોની સોબતમાં રહી તે વસતિમાં વારંવાર ત્રાસ વર્તાવતો. આથી પ્રજાજનોએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. જયસેન રાજા પોતાના પાટવી કુંવરની આવી વર્તણૂકથી ખેદ પામ્યો અને ગુસ્સે થઈને તેને દેશનિકાલ કર્યો તથા નાના પુત્ર વિનયધરને રાજગાદી સોંપી. ૪૪ પ્રભવકુમાર ક્રોધે ભરાઈ વનમાં ચાલ્યો ગયો; તેવામાં તેને ત્યાં ભીલપલ્લીનો અધિપતિ ભીમસેન મળ્યો. બન્નેને પરસ્પર વાર્તાલાપ થતાં મિત્રાચારી થઈ, કારણ કે સમાનશીત વ્યસનેષુ સમ્ । ભીમસેન તેને પોતાની પલ્લીમાં લઈ ગયો. ત્યાં અનેક ચોરોના સહવાસમાં રાખી ચૌર્યકળા વગેરેમાં તેને પ્રવીણ બનાવ્યો. તે પણ મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. સમય જતાં પલ્લીપતિ ભીમસેનનું મૃત્યુ થતાં પ્રભવને ચોરોએ પોતાનો અધિપતિ બનાવ્યો. લાખો પાપી તીર ગયે, સતસંગ કે પરતાપ સે । ક્ષણ મેં બેડા પાર હૈ, સતસંગ કે પરતાપ સે ॥ એકદા તે પ્રભવ ચોર પોતાના ૫૦૦ સાથીઓ સાથે જંબુકુમારને ત્યાં લગ્નની રાતે જ ચોરી કરવા માટે આવ્યો. તે બધા ચોરોને મોટી આશા હતી કે રાજગૃહીના ધનાઢ્ય શ્રેષ્ઠી ઋષભદાસના પુત્ર જંબુકુમારના આઠ શ્રીમંત કન્યાઓ સાથે લગ્ન થયાં છે તેથી કરિયાવર ઘણું મળ્યું હશે. આપણને સારો માલ મળી રહેશે. ત્યાં જંબુકુમાર અને એની આઠ પત્નીઓનો સંવાદ સાંભળ્યો. જંબુકુમારની વૈરાગ્યમય વાણીથી પ્રભવ તથા એના સાથીઓ પીગળી ગયા અને જંબુકુમારની સાથે જ શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. સત્સંગનો કેટલો પ્રભાવ છે તે ઉપરના પ્રસંગ ઉપરથી સમજી શકાય છે, તેથી હંમેશા સંતોનો સમાગમ કરવો. પ્રભવસ્વામી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. દીક્ષા લીધા પછી ૨૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું. ૫૦ વર્ષની ઉંમરે આચાર્ય પદવી પામ્યા. ૫૪ વર્ષ સુધી સમસ્ત જૈન સંઘનું નેતૃત્વ કર્યું. ૧૦૪ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી વીર સં. ૭૫માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. પાટ-૪ શય્યભવાચાર્ય સ્વામી (વીર સં. ૭૫) શ્રી શય્યભવાચાર્ય પોતાની સંસારી અવસ્થામાં રાજગૃહી નગરીમાં રહેતા હતા. જાતે વત્સગોત્રી બ્રાહ્મણ હતા. ચાર વેદ, વ્યાકરણ, છંદ, નિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા. એકદા પ્રભવસ્વામીએ જ્ઞાનબળથી જોતાં પોતાનું Page #58 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૫ આયુષ્ય અલ્પ લાગ્યું તેથી તેમણે વિચાર કર્યો કે મારા પછી કોઈ લાયક પુરુષ આચાર્ય પદવી પર આવે તો શાસનની શોભા વધે. શ્રુતજ્ઞાનથી જોતાં જૈન સંઘમાં કોઈ યોગ્ય પુરુષ ન મળ્યો. યોગબળથી જાણ્યું કે અગ્નિહોત્રી શય્યભવ જો દીક્ષા લે તો તે આચાર્યપદને શોભાવી શકશે. તુરત તેની પાસે આવી ભાવયજ્ઞનું આબેહૂબ સ્વરૂપ સમજાવી પ્રતિબોધ પમાડ્યો. ૨૮ વર્ષ તેઓ સંસારાવસ્થામાં રહ્યા. ગુરુદેવના સાન્નિધ્યમાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ૨૩ વર્ષ આચાર્ય પદે રહ્યા. જ્યારે શય્યભવસ્વામીએ દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની સગર્ભા હતી. પાછળથી પુત્રનો જન્મ થયો. તેનું નામ મનક રાખવામાં આવ્યું. પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેણે એની માતાને પૂછ્યું, “મારા પિતા ક્યાં છે ?” માતાએ જવાબ આપ્યો કે, “તારા પિતાએ તો તારા જન્મ પહેલાં જ દીક્ષા લીધી છે”, આ સાંભળી માતાની રજા લઈને પિતાને જોવા માટે મનક ચંપાનગરીમાં આવ્યો. રસ્તામાં જ શસ્થંભવાચાર્ય મળ્યા. વાતચીત કરતાં બન્નેની ઓળખાણ થઈ. પૂર્વ સંસ્કારના સુયોગે આવા સર્વોચ્ચ સાધુ જીવન ઉપર મનકને ખૂબ પ્રેમ થયો. તેણે પિતા મુનિરાજ પાસે દીક્ષા લીધી. શસ્થંભવાચાર્યે જ્ઞાનબળથી નવદીક્ષિત મનક મુનિનું આયુષ્ય જોયું તો તેમને ખ્યાલ આવ્યો કે મનકનું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી છે. માટે એટલા વખતમાં એને સંક્ષેપમાં સૂત્રજ્ઞાન આપી આત્માનુભવ કરાવવો જેથી એનો ઉદ્ધાર થાય. તેમણે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધૃત કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી. વિકાલથી નિવૃત્ત તે વિકાલિક અને તેમાં દશ અધ્યયનો છે તેથી “દશવૈકાલિક” ત્યારથી નવદીક્ષિત મુનિરાજને પહેલા દશવૈકાલિક સૂત્ર શીખવવાની પ્રથા શરૂ થઈ. તેનાથી આગળ, પહેલાં આચારાંગ સૂત્ર શીખવવામાં આવતું. તે જરા કઠિન છે. મનક મુનિએ દશે અધ્યયનો કંઠસ્થ કરી, સારી રીતે સંયમ પાળી છ માસમાં પોતાનું કામ કરી સમાધિભાવે સ્વર્ગે સિધાવ્યા. શષ્યભવાચાર્ય ૫૨ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સં. ૯૮માં કાળધર્મ પામ્યા. ઓસવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ મહાવીરસ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં છઠ્ઠીપાટે શ્રી રત્નપ્રભ નામે આચાર્ય થયા. તેમણે ‘ઓસિયા’ નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધ પમાડી શ્રાવકો બનાવ્યા ત્યારે ઓસવાળોની સ્થાપના થઈ અને શ્રીમાળ નગરમાં શ્રીમાળીઓની સ્થાપના થઈ. આ હકીકત શ્રી જૈન Page #59 -------------------------------------------------------------------------- ________________ - ૪૬ પટ્ટાવલિ ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી બહાર પડેલ “જૈન ઈતિહાસ' નામના ગ્રન્થમાંથી મળી આવે છે. 'પાટ-૫ શ્રી યશોભદ્રસ્વામી (વીર સં. ૯૮) શ્રી યશોભદ્રસ્વામી કાત્યાયન ગોત્રી બ્રાહ્મણ હતા. ૨૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા પછી શય્યભવાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. ર૪ વર્ષ ગુરુસેવામાં રહી ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ આચાર્ય પદે બિરાજયા. ૫૦ વર્ષ સુધી આચાર્ય પદવી ભગોવી કુલ્લ ૯૬ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૧૪૮માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. 'પાટ-૬ શ્રી સંભૂતિવિજયસ્વામી (વીર સં. ૧૪૮) શ્રી સંભૂતિવિજયસ્વામી માઢરગોત્રી હતા. ૪૨ વર્ષ સંસારાવસ્થામાં રહી યશોભદ્રસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરુના વિનય વૈયાવચ્ચ કરી ચૌદ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું. શુદ્ધ સંયમ પાળતા અને પળાવતા તથા સુવ્યવસ્થિત રીતે ગચ્છનું નેતૃત્વ કરતા. ૮ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ૧૫૬માં સ્વર્ગવાસ પામ્યા. પાટ-૭ શ્રી ભદ્રબાહુસ્વામી (વીર સં. ૧૫૬)પંચમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી મૌર્યવંશી મહારાજ ચન્દ્રગુપ્તના સમયમાં થયા હતા. એકદા પાટલીપુત્રમાં કારતક સુદિ પૂનમના દિવસે ચન્દ્રગુપ્ત રાજાએ પૌષધ કર્યો હતો. રાત્રિના પાછલા પ્રહરમાં તેમણે ૧૬ સ્વપ્ન જોયાં. તેમાં એક સ્વપ્ન એવું હતું કે તેમાં બાર ફણાવાળો નાગ જોયો. ભદ્રબાહુસ્વામી પાસે સ્વપ્ન ફળ પૂછયું. ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ભારતમાં ૧૨ વર્ષનો દુષ્કાળ પડશે. એક વખત ભદ્રબાહુસ્વામી આહાર માટે કોઈ ગૃહસ્થના ઘરે ગયા. એક બાળક ખૂબ જોરથી રડી રહ્યું હતું છતાં કોઈ ઉત્તર આપતું ન હતું તેથી ભદ્રબાહુ સ્વામીને ખ્યાલ આવી ગયો કે ૧૨ વર્ષના દુષ્કાળનો પ્રારંભ થઈ ગયો છે. ચન્દ્રગુપ્ત રાજા પણ વૈરાગ્ય પામી ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા લીધી. મુનિધર્મનું પાલન કરવું કઠિન બનશે એવું જાણી ભદ્રબાહુસ્વામી ઘણા મુનિઓને લઈ દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો. મગધમાં મોટો દુષ્કાળ પડ્યો. ચારેબાજુ હાહાકાર વર્તાવા લાગ્યો. ચતુર્વિધ સંઘ ભેગો મળી પરસ્પર વિચાર કરવા Page #60 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४७ લાગ્યો કે જો ભદ્રવાહુસ્વામી અહીં હોત તો જરૂર શાંતિ થાત. તેઓશ્રીને તેડી લાવવાનો નિર્ણય કર્યો. ઘણા શ્રાવકો તેમની પાસે આવી વિનંતી કરી ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે તમારે ત્યાં મુનિઓનો નિર્વાહ થઈ શકે તેમ નથી તેથી હું આવી શકું તેમ નથી. વળી મહાપ્રાણ ધ્યાનનો પ્રારંભ કર્યો છે. બાર વર્ષના દુષ્કાળ પછી ચૌદ પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જશે. સમજદાર શ્રાવકો સમજી ગયા. ગુરુદેવ! આપની પાસે રહેલ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો કોઈ મુમુક્ષુને મળવો જોઈએ. આ વાત સાંભળી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે કોઈ સરળ પ્રજ્ઞાવંત સાધુ અહીં આવે તો હું જ્ઞાનનો વારસો તેને આપી શકું. તે શ્રાવકો સ્વદેશમાં પાછા આવ્યા પછી પુનઃચતુર્વિધ સંઘ ભેગો કરી ભદ્રબાહુસ્વામીએ કહેલી સર્વ વાત કહી સંભળાવી. આ સાંભળી સ્થૂલિભદ્ર સ્વામી આદિ પાંચ મુનિવરો ત્યાં જવા માટે તૈયાર થયા. ત્યાં ગયા પછી જ્ઞાનની ભિક્ષા માગી. વિગયનો ત્યાગ કરી જ્ઞાન સંપાદનના કાર્યમાં લાગી ગયા. અભ્યાસ કરતાં કરતાં ચાર મુનિવરો તો કંટાળી ગયા. એક સ્થૂલિભદ્રજીએ અલ્પ સમયમાં ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. સ્થૂલિભદ્રજીનાં સંસારી સાત બહેનોએ દીક્ષા લીધી હતી. એકદા તે સાતે સાધ્વીજીઓ ભદ્રબાહુ સ્વામી તથા ધૂલિભદ્રજી વગેરે મુનિરાજોને વાંદવા માટે આવ્યાં. પહેલા ભદ્રબાહુસ્વામીને વંદન કર્યા પછી પૂછયું કે સ્થૂલિભદ્રજી ક્યાં બિરાજે છે? ભદ્રબાહુસ્વામીએ બાજુનો રૂમ બતાવ્યો. સ્થૂલિભદ્રજીને ખબર પડી ગઈ કે મારી બહેનો વંદન કરવા માટે આવી છે તો લાવને જરા બતાવું કે એમના ભાઈ કેટલા આગળ વધી ગયા છે. વિદ્યાબળથી તેમણે સિંહનું રૂપ બનાવ્યું, સાતે સાધ્વીજી સિંહને જોઈ ડરી ગયાં અને તરત જ ભદ્રબાહુ સ્વામી પાસે આવીને વાત કરી. ગુરુદેવ ! અમારા ભાઈ મહારાજને સિંહ ખાઈ ગયો લાગે છે. - ભદ્રબાહુ સ્વામી સમજી ગયા કે સ્થૂલિભદ્રજીને જ્ઞાનનું અજીર્ણ થયું લાગે છે. આ કાળ જ એવો વિષમ છે કે હવે જ્ઞાનનો વિચ્છેદ થઈ જશે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાનનું અજીર્ણ અહંકાર. અહંકાર આવે એટલે જ્ઞાનપ્રાપ્તિ ન થાય. બીજે દિવસે સ્થૂલિભદ્રજીએ વાચના આપવા માટે વિનંતી કરી પરંતુ ભદ્રબાહુવામીએ કહ્યું કે, “હવે તમે વિદ્યા ગ્રહણ કરવાને લાયક નથી. ભૂલની પુનઃ પુનઃ ક્ષમા યાચી પરંતુ ભદ્રબાહુસ્વામી એક ના બે ન થયા.' શ્રાવકોએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે બાકીના ચાર પૂર્વની વાચના આપી પણ અર્થ કે રહસ્ય સમજાવ્યા નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८ પટ્ટાવલિ શ્રી ભદ્રબાહુ સ્વામી વિશે બીજી પણ એક દંતકથા પ્રચલિત છે કે તેમના મોટા ભાઈ વરાહમિહિરે પણ દીક્ષા લીધી હતી પરંતુ આચાર્યપદવી ભદ્રબાહુ સ્વામીને અપાતાં વરાહમિહિર નારાજ થઈ દીક્ષા છોડી સંન્યાસી બની ગયા અને અષ્ટાંગ નિમિત્ત વગેરે દ્વારા આજીવિકા રળવા લાગ્યા. ભદ્રબાહુસ્વામી તથા જૈન સંઘ તરફ ભારે દ્વેષ રાખવા લાગ્યા. એકદા નંદ રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજાએ વરાહમિહિર પાસે પુત્રની જન્મપત્રિકા બનાવડાવી. તેમાં પુત્રનું આયુષ્ય બહુ લાંબું બતાવ્યું હતું. પછી રાજાએ ભદ્રબાહુસ્વામીને પૂછતાં તેમણે કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના નિમિત્તે મૃત્યુ થશે. રાજાએ આખા નગરમાંથી બિલાડીઓને કાઢી મૂકવાનો આદેશ આપ્યો કે એક પણ બિલાડી રહે નહિ. સાતમા દિવસે બાળકને બારણામાં સૂવડાવ્યો હતો ત્યાં અચાનક ઉપરથી લોખંડનો ટુકડો બાળક ઉપર પડ્યો અને બાળકનું મૃત્યુ થયું. રાજાને થયું કે ભદ્રબાહ સ્વામીની વાત સાચી પડી, પરંતુ બિલાડીથી ક્યાં મોત થયું. ઊંડી તપાસ કરતાં ખબર પડી કે તે લોખંડની બનાવેલી બિલાડી હતી. ભદ્રબાહુસ્વામીની વાત અક્ષરશઃ સાચી પડી તેથી વરાહમિહિરનું અપમાન થયું. અંતે દુર્ગાનથી મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. દેવે પૂર્વના વેરના કારણે રોગચાળો વગેરે ફેલાવી લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા. સંધે ભદ્રબાહુસ્વામીને આનું નિવારણ કેવી રીતે થાય તે પૂછયું ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામીએ “ઉવસગ્ગહર” સ્તોત્રની રચના કરી. તેમાં સાત ગાથાઓ હતી. એ બોલે એટલે દેવ હાજર થાય. ઉપસર્ગનું નિવારણ થઈ ગયું પરંતુ એ સ્તોત્રના લોકો ગેરલાભ ઉઠાવવા લાગ્યા ત્યારે તે દેવે આવીને ભદ્રબાહુસ્વામીને વાત કરી કે લોકો કચરો ઉપડાવવા જેવાં નકામાં કાર્યો બતાવી મને હેરાન કરે છે ત્યારે ભદ્રબાહુસ્વામીએ તેમાં ચમત્કારિક બે ગાથાઓ કાઢી લીધી. પાંચ ગાથાઓ રહેવા દીધી. તેનો અદશ્ય પ્રભાવ અત્યારે પણ પડે છે. ભદ્રબાહુસ્વામી ૪૫ વર્ષ સુધી ગૃહાવસ્થામાં રહ્યા. ૧૭ વર્ષ સુધી જ્ઞાન સંપાદન કરી ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તેઓશ્રી છેલ્લા શ્રુતકેવળી હતા. હાલના છેદ સૂત્રો, કલ્પ સૂત્ર, ભદ્રબાહુ સંહિતા વગેરે અનેક ગ્રન્થોની તેમણે રચના કરેલી છે. ચૌદ વર્ષ સુધી આચાર્યપદે રહી વીર સંવત ૧૭૦માં કાળધર્મ પામ્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૯ 'પાટ-૮ શ્રી સ્થૂલિભદ્રજીસ્વામી (વીર સં. ૧૭૦) मंगलं भगवान्वीरो, मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूलिभद्राद्या, जैनधर्मोस्तु मंगलम् ॥ શ્રી સ્થૂલિભદ્રજીસ્વામી નંદ રાજાના મંત્રી સકડાલના પુત્ર હતા. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. સંસારાવસ્થામાં બાર વર્ષ સુધી કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતા. આખરે ઉપાદાન જાગૃત થતાં સંભૂતિવિજયસ્વામીના સદ્ધોધનું નિમિત્ત પ્રાપ્ત કરી તેમની પાસે સંયમ અંગીકાર કર્યો હતો. તેમણે ભદ્રબાહુસ્વામી પાસે રહી ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમાં છેલ્લા ચાર પૂર્વના મૂળપાઠ જ શીખ્યા. દશ પૂર્વ અર્થરહસ્ય સહિત કર્યા. એકદા સ્થૂલિભદ્રજી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને લલચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળતા મળી. આખરે સ્થૂલિભદ્રજીના ઉપદેશથી કોશા બાર વ્રતધારી શ્રાવિકા બની. બીજા એક મુનિએ સિંહની ગુફામાં ચાતુર્માસ કર્યું. એકે સાપના રાફડા પાસે રહીને ચાતુર્માસ કર્યું, એક મુનિએ કૂવા કાંઠે ચાતુર્માસ કર્યું. આ બધા મુનિરાજો ચાતુર્માસ હેમખેમ પાર કરી ગુરુમહારાજ પાસે આવ્યા ત્યારે ગુરુમહારાજે બધાને દુષ્કર' કહીને ધન્યવાદ આપ્યા પરંતુ સ્થૂલિભદ્રજીને “દુષ્કર દુષ્કર' કહીને મહાધન્યવાદ આપ્યા. સિંહ ગુફાવાસી મુનિને આમાં પક્ષપાત લાગ્યો. ઈમ્પ્રભાવથી પ્રેરાઈને તેમણે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું પરંતુ ચલિત થઈ ગયા. આખરે વેશ્યાએ તેમને ઠેકાણે લાવી દીધા. ગુરુ મહારાજ પાસે આવી પોતાના અપરાધની અંતઃકરણપૂર્વક ક્ષમા યાચી. - સ્થૂલિભદ્રજી વેશ્યાના પૂર્વ પરિચિત અને પૂર્વપ્રેમી હોવા છતાં બ્રહ્મચર્યમાં અડગ રહ્યા તેથી તેમનું નામ અમર બની ગયું. ધન્ય છે આવા મહાબ્રહ્મચારી મહાત્માને. આ તેમની જીવન કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. એકદા શ્રી સ્કૂલિભદ્રજીને વિચાર ઉદ્ભવ્યો કે શાસન હિતાર્થે આગમ સાહિત્યનું લખાણ કરવાની આવશ્યકતા આવી પહોંચી છે. પોતાની પાસે જે પૂર્વધર મુનિઓ હતા તે બધાને એકત્ર કરી પોતાને ઉદ્ભવેલા વિચારો કહ્યા. બધા મુનિઓને આ વાત રુચિ. તે સર્વે પૂર્વધરોએ શ્રી સ્થૂલિભદ્રજીની આગેવાની નીચે ૮૪ આગમો લખી સુવ્યવસ્થિત સ્થાને રખાવ્યા. ૪૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી, સર્વ આયુષ્ય ૯૯ વર્ષનું પૂર્ણ કરી વીર સંવત ર૧પમાં સ્વર્ગવાસ પામ્યા. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૦ પટ્ટાવલિ શ્રી યૂલિભદ્રજીસ્વામીના પછીથી છેલ્લા ચાર પૂર્વ તથા પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયા. તત્ત્વ કેવળીગમ્ય. 'પાટ-૯ શ્રી મહાગિરિજીસ્વામી (વીર સં. ૨૧૫) આર્ય મહાગિરિસ્વામી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી ૪૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહી બહુશ્રુત થયા. ૩૦ વર્ષ આચાર્ય પદવી ભોગવી કુલ્લ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૨૪૫માં સ્વર્ગવાસ પામ્યા. પાટ-૧૦ શ્રી આર્યસહસ્તીસ્વામી (વીર સં. ૨૪૫) શ્રી આર્યસુહસ્તીસ્વામી વસિષ્ઠ ગોત્રી હતા. ૩૦ વર્ષના ગૃહવાસ પછી દીક્ષા ગ્રહણ કરી હતી. ૨૪ વર્ષ સુધી ગુરુદેવની સેવાભક્તિ કરી તેથી ગુરુદેવે તેમને આગમોનું રહસ્ય સમજાવ્યું અને બહુસૂત્રી બનાવ્યા. ત્યાર પછી તેમને આચાર્ય પદવી આપવામાં આવી. તેઓશ્રી શિષ્ય પરિવાર સાથે એક વખત વિચરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યા અને ત્યાં ભદ્રા નામની એક શેઠાણીની વાહનશાળામાં ઊતર્યા. તે ભદ્રા શેઠાણીને અવંતી સુકુમાર નામનો એક તેજસ્વી પુત્ર હતો. તે બત્રીસ કન્યાઓ પરણ્યો હતો અને અપાર સુખસમૃદ્ધિ વચ્ચે જીવન વિતાવતો હતો. એક વખત સંધ્યા સમય થઈ ગયા પછી આર્ય સુહસ્તી મહારાજ “નલિની ગુલ્મ” નામના અધ્યનનો પાઠ કરતા હતા. તે પાઠ અવંતી સુકુમારે સાંભળ્યો: પૂર્વનો સંસ્કારી જીવ હોવાથી તે પાઠના શબ્દો કર્મેન્દ્રિયમાં પ્રવેશતાં તેની વિસ્મયતા વધતી ચાલી. મનન કરતાં તેને સ્મરણ થઈ આવ્યું કે અહો ! આવું સુખ મેં પૂર્વકાળે જોયું છે. એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પ્રભાવે તેને પૂર્વ નલિની ગુલ્મ નામના વિમાનમાં અનુભવેલું સુખ યાદ આવ્યું. તે જ સુખ પુનઃ મેળવવાની તેને ઉત્કટ અભિલાષા થઈ. તરત જ તે પોતાના મહેલમાંથી નીચે ઊતરી આચાર્ય મહારાજ પાસે આવ્યો અને વંદન કરી બોલ્યો, પ્રભુ ! આપ જે અધ્યયનનો પાઠ કરતા હતા તે નલિની ગુલ્મ વિમાનનું સુખ મેં પૂર્વભવમાં અનુભવેલું છે, હે કૃપાળુ ! ફરીને તે સુખો મેળવવાની ઈચ્છા થઈ છે તેથી મારે આપની પાસે દીક્ષા લેવી છે. આચાર્ય મહારાજ કહે, નહિં રેવીનુપ્રિયા ! મ પરિવંઘ દ! જેમ સુખ ઊપજે તેમ કરો, ધર્મના કામમાં ઢીલ કરો નહિ. અવંતી સુકુમાર ઘરે આવ્યા અને દીક્ષા માટે માતાની અનુજ્ઞા માગી. પરંતુ Page #64 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૫૧ માતાએ રજા ન આપી તેથી કુમારે સ્વયં કેશ લોચ કરી મુનિનો વેશ પહેરી લીધો. માતાને ખૂબ જ વિસ્મય થયો. તેમણે વિચાર્યું કે પુત્રની પ્રબળ ઈચ્છાને કોઈ રોકી શકવા સમર્થ નથી; આથી જાતે ભદ્રામાતા આચાર્ય મહારાજ પાસે આવી પુત્રને અર્પણ કર્યો. આર્ય સુહસ્તી મહારાજે તેને દીક્ષા આપી. નવદીક્ષિત મુનિએ વિચાર કર્યો કે પોતે અત્યંત સુકુમાર હોવાથી સંયમવ્રતના આકરાં કષ્ટો વધુ વખત સહન કરી શકશે નહિ તેથી અનશન કરવા માટે તેમણે ગુરુદેવની આજ્ઞા માગી. ગુર્વજ્ઞા મળવાથી સ્મશાન ભૂમિમાં જઈ કાયોત્સર્ગમાં સ્થિર થયા. તેવામાં એક ભૂખી શિયાળણીએ બચ્ચાં સાથે આવીને તે જ રાત્રિએ તેમનાં શરીરનું ભક્ષણ કર્યું. આ ઉપસર્ગ તેમણે શાંતભાવે સહ્યો અને સમાધિભાવે કાળ કરી પોતાના ચિંતવેલા નલિની ગુલ્મ નામના વિમાનમાં જ ઉત્પન્ન થયા. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ' નામના પુસ્તકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ શ્રી આર્ય સુહસ્તીસ્વામીના સમયવિશે લખે છે કે આર્યસુહસ્તી મહારાજના ઉપદેશથી ઉજ્જિયનીમાં સંપ્રતિ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. પોતાના પિતામહની પાછળ સંપ્રતિ રાજાએ હિંદુનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સંપ્રતિ રાજાએ હિન્દુસ્તાનની બહાર જૈનધર્મનો ઉપદેશ દેવા માટે આર્ય સુહસ્તી સ્વામીને વિનંતી કરી. પ્રથમ અનાર્ય દેશોમાં વિહાર કરવા માટે અને અનાર્ય લોકોને આર્ય બનાવવા માટે વીરપુરુષોને સાધુનો વેશ પહેરાવી તથા સાધુઓનો આચાર શીખવી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કસ્તાન, ગ્રીસ, અરબસ્તાન, ટીબેટ, બ્રહ્મદેશ અને તાતાર વગેરે દેશોમાં મોકલ્યા. તેઓએ ત્યાં જઈ અનાર્ય લોકોને જૈન ધર્મનો ઉપદેશ દઈ ખરા આર્ય બનાવ્યા. તેથી ત્યાંના લોકો જૈન સાધુઓની ભક્તિ કરવા લાગ્યા તથા ધર્મના આચારવિચારોમાં કુશલ થયા. આંધ્ર વગેરે અનાર્ય દેશમાં વિહાર કરવા માટે સંપ્રતિ રાજાએ કરી આપેલી સગવડતા બાદ શુદ્ધ સાધુઓના વૃન્દ તે દેશોમાં વિચરવા લાગ્યા અને અનાર્યો હવે તો આર્યો કરતાં પણ અધિક સરળ અને ઉત્તમ છે એવા તેમણે આર્ય સુહસ્તી સ્વામી પાસે ઉદ્ગારો પણ કાઢ્યા. સંપ્રતિ રાજાના સમયમાં જૈનોની વસતિ ૪૦ કરોડની ઈતિહાસકારો જણાવે છે, તે ઉપરોક્ત હકીકત જોતાં યથાર્થ માની શકાય છે. તે વખેત ઈસુ ખ્રિસ્ત કે હજરત મહમદસાહેબનો જન્મ થયો ન હતો. અનેક દેશોમાં જૈન ધર્મ પ્રસરેલો હોવાથી આટલી સંખ્યા વિશે કોઈ શંકા રહેતી નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પટ્ટાવલિ વીર સંવત ૨૫૪માં આર્યસહસ્તી સ્વામી આચાર્યપદે આવ્યા પછી તેમના ઉપદેશથી સંપ્રતિ મહારાજા જૈનધર્મી થયા. ૪૬ વર્ષ સુધી આચાર્યપદે રહ્યા. ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૨૯૧માં સ્વર્ગવાસ પામ્યા. પાટ-૧૧ શ્રી સુપ્રતિબુદ્ધસ્વામી (વીર સં. ૨૯૧) શ્રી સુપ્રતિબદ્ધ સ્વામી વ્યાધપત્ય ગોત્રી હતા. દીક્ષા લઈ ૨૮ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું. પછી આચાર્યપદે આવ્યા. સુસ્થિત નામના મુનિ તેમના ગુરુભાઈ હતા. બન્નેએ મળીને ક્રોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો તેથી અત્યાર સુધી નિર્ગસ્થ ગચ્છના નામથી ઓળખાતો આ ગચ્છ કોટીલ ગચ્છના નામે ઓળખાવા લાગ્યો. અહીં સુધી તો શુદ્ધ નિર્ઝન્ય માર્ગ ચાલતો હતો પરંતુ ત્યાર બાદ તેમાં ફેરફાર થતો ગયો એમ અનુમાન થઈ શકે છે. તેમણે ૪૮ વર્ષ સુધી આચાર્યપદવી ભોગવી, કુલ્લ ૯૬ વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૩૩૯માં સ્વર્ગવાસ પામ્યા. 'પાટ-૧૨ શ્રી ઈન્દ્રનિસ્વામી (વીર સં. ૩૩૯) ઈન્દ્રબિનસ્વામીનું બીજું નામ વીરસ્વામી હતું. તેઓ કૌશિક ગોત્રના હતા. નાની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી ૧૦ પૂર્વનું જ્ઞાન સંપાદન કર્યું હતું. ૮૨ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી વીર સંવત ૪૨૧માં સ્વર્ગવાસ પામ્યા. પાટ-૧૩ શ્રી આર્યદિનસ્વામી '(અપરમતે સ્કંદિલાચાર્ય વી. સં. ૪૨૧) | શ્રી આર્યદિન સ્વામી ગૌતમગોત્રી કર્ણાટકના બ્રાહ્મણ હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૩ર વર્ષ ગુરુભક્તિ કરી બહુમુત્રી થયા. તેઓશ્રી ઉગ્ર તપસ્વી પણ કહેવાય. દીક્ષા લીધી ત્યારથી જ સર્વ વિગયનો ત્યાગ કર્યો હતો. પ૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી, ૧૧૫ વર્ષનું સર્વ આયુષ્ય ભોગવી સ્વર્ગવાસ પામ્યા. વીર. સં. ૪૭૬. વિક્રમ સંવત ક્યારે શરૂ થયો ? ભગવાન મહાવીર પછી ૬૦ વર્ષ સુધી પાલક રાજાએ અવંતી નગરીમાં રાજય કર્યું. ત્યાર પછી પાટલીપુત્રમાં નવ નંદ રાજાઓએ ૧૫૫ વર્ષ સુધી રાજય Page #66 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા પ૩ કર્યું. ત્યાર બાદ ચન્દ્રગુપ્ત, બિન્દુસાર, અશોક, કુણાલ અને સંપ્રતિ એ પાંચ રાજાઓએ ૧૦૮ વર્ષ રાજય કર્યું. પુષ્પમિત્ર રાજાએ ૩૦ વર્ષ, બલમિત્ર અને ભાનુમિત્ર રાજાએ ૬૦ વર્ષ, નભવાહન રાજાએ ૪૦ વર્ષ અને પછી શક રાજાએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૨૧ રાજાઓએ ૪૭૦ વર્ષ સુધી રાજય કર્યું. વીર સંવત ૪૭૧મે વર્ષે વિક્રમ નામના મહા પરાક્રમી રાજાએ શકોને હરાવી રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યારથી વિક્રમ રાજાને લોકોએ મહારાજાધિરાજના ઈલકાબથી વધાવી લીધા. વિક્રમ રાજાએ અનેક લોકોના કર્જ માફ કર્યા હતા તેથી તેઓ પરદુઃખભંજન કહેવાયા, તેથી તેમના નામનો સંવત ચાલ્યો. એ સંવતનો પ્રારંભ ઈસવીસનની પહેલાં પ૭મે વર્ષે થાય છે. કેટલાક લોકો વિક્રમ સંવતની શરૂઆત વીર સંવત ૪૮૩ વર્ષે થઈ છે એમ માને છે. 'શ્રી સ્કંદિલાચાર્ય અને માધુરી વાચના શ્રતની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ એટલે વીર નિર્વાણ પછી છઠ્ઠી સૈકામાં અને પાટલીપુત્ર પરિષદ પછી લગભગ ૪૦૦ વર્ષે આર્ય સ્કંદિલાચાર્ય અને વજસ્વામીના વખતમાં પુનઃ સૂત્રોને સંકલિત કરવામાં આવ્યા, કારણ કે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડવાથી સાધુઓ અન્નના માટે ભિન્ન ભિન્ન સ્થળે ફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, મનન અને ચિંતન કરી ન શક્યા તેથી તે શ્રુત વિનષ્ટ થયું અને જ્યારે સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય સાધુ સમુદાય ભેગો કરી જેને જે જે સાંભર્યું છે તે બધું એકત્ર કરી વ્યવસ્થિત કર્યું. આ ભયંકર દુષ્કાળ પૂર્વરચિત શ્રુતજ્ઞાનની ઘણી હાનિ કરેલી. તેનો ઉદ્ધાર સૂરસેન દેશના પાટનગર મથુરામાં થવાથી માથુરી વાચના કહેવામાં આવે છે. વિદ્યાધર નામક ગચ્છમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી થયા અને વૃદ્ધવાદીના શિષ્ય સિદ્ધસેન દિવાકર થયા જેમણે કલ્યાણ મંદિર સ્તોત્ર વગેરેની રચના કરી છે. પાટ-૧૪ શ્રી વજસ્વામી (વીર સં. ૪૭૬) અવન્તિકા નામની નગરીમાં ધન નામના એક શેઠ રહેતા હતા. તેને ધનગિરિ નામનો એક પુત્ર હતો. તે બાળપણથી જ વૈરાગ્યવાન હતો પરંતુ પિતાના અતિ આગ્રહથી સુનંદા નામની એક કન્યા સાથે લગ્નગ્રન્થિથી જોડાવું પડ્યું હતું. કેટલાક સમય પછી તે સુનંદાને ગર્ભ રહ્યો એટલે ધનગિરિ તરત જ ત્યાંથી નીકળી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પટ્ટાવલિ ગુરુ મહારાજ પાસે ગયો અને ત્યાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. છેવટે કુટુંબીજનોની રજા લઈ તેણે દીક્ષા અંગીકાર કરી. નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વજ રાખવામાં આવ્યું. દિન પ્રતિદિન તે બાળક શુક્લ પક્ષના ચન્દ્રમાની જેમ વધતો હતો, પરંતુ તે ખૂબ રડ્યા કરતો. જ્યારે તે અતિશય રુદન કરતો ત્યારે માતા સુનંદા તેને કહેતી કે બેટા, તારા પિતાએ જો દીક્ષા ન લીધી હોય તો તારો જન્મ મહોત્સવ કરત તથા તારી બધી ઈચ્છાઓ પૂરી થાત. માટે હવે ધીરજ રાખી છાનો રહે ઈત્યાદિ શબ્દો વારંવાર સંભળાવ્યા કરતી. આ શબ્દોની બાળકના કોમળ માનસ પર ચમત્કારિક અસર થઈ. પૂર્વના સુસંસ્કારોના બળે “દીક્ષા' શબ્દનાં શ્રવણથી બાળકની જિજ્ઞાસાવૃત્તિ સતેજ થઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવમાં દીક્ષા લીધેલી તે યાદ આવ્યું. આથી તેણે પારણામાં નિશ્ચય કર્યો કે મારે દીક્ષા લેવી પણ મારી માતા મારા ઉપરના અતિ સ્નેહને કારણે મને છોડી શકશે નહિ તેથી જો હું નિરંતર રડ્યા જ કરીશ તો કંટાળીને મારી માતા મને છોડી દેશે એ ગણતરીએ રડવાનું શરૂ કર્યું. એકદા સુનંદાના ભાઈ શ્રી આર્ય સમિતિ તથા તેના પતિ શ્રી ધનગિરિ આદિ મુનિરાજો વિચરતા વિચરતા અવન્તિકા નગરીમાં પધાર્યા. ગોચરીનો સમય થતાં ગુરુદેવ પાસે આજ્ઞા માગી ત્યારે ગુરુદેવે કહ્યું કે તમને સચિત્ત કે અચિત્ત જે કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય તે લેતા આવજો. ધનગિરિ મુનિરાજ સુનંદાને ત્યાં વહોરવા આવ્યા. કંટાળી ગયેલી સુનંદા પુત્રને લઈ આવી અને કહ્યું કે, “આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન કરી નાખે છે, હું તેનાથી કંટાળી ગઈ છું માટે તમે આને લઈ જાઓ.’ ધનગિરિએ કહ્યું “તું જો આ પુત્ર અમને આપીશ તો પાછળથી પશ્ચાત્તાપ થશે. અમે તો તેને લઈ જશું પરંતુ તે ફરી પાછો મળશે નહિ, હવે શો વિચાર છે?” કંટાળેલી સુનંદાએ પુત્રને લઈ જવાનો આગ્રહ કર્યો. પુત્રને જેવો ઝોળીમાં નાખ્યો કે તે તરત જ છાનો રહી ગયો. ધનગિરિ મુનિએ બાળક ગુરુને સોંપી દીધો. ગુરુદેવે તે બાળકને સાધ્વીજી મારફત એક શ્રાવિકાને સોંપ્યો. ત્યાર બાદ તે મુનિવરો અન્યત્ર વિહાર કરી ગયા. તે શ્રાવિકા પ્રેમથી વજકુમારને ઉછેરવા લાગી. બીજી શ્રાવિકાઓ પણ ખૂબ પ્રેમથી તેને રમાડતી. થોડા જ દિવસમાં તેની કાંતિ ખૂબ ચમકવા લાગી. એક વાર સુનંદાએ શ્રાવિકાઓ પાસે પોતાના પુત્રને જોયો તેથી તેને પાછો સુપરત કરવાનું તે શ્રાવિકાઓને કહ્યું. શ્રાવિકાઓએ કહ્યું કે, “અમે નથી જાણતા કે આ પુત્ર તમારો Page #68 -------------------------------------------------------------------------- ________________ પપ આ છે અણગાર અમારા હોય, અમને તો ગુરુમહારાજે આ પુત્રને થાપણ તરીકે રક્ષણ કરવા સોંપ્યો છે, માટે અમારાથી તેમની રજા વગર તમને પુત્ર કેમ સોંપી શકાય ?'' પરંતુ જ્યારે સુનંદાએ ખૂબ હઠ લીધી ત્યારે તેમણે કહ્યું કે, “તું અમારા ઘરે આવીને ખુશીથી પુત્રને રમાડી શકે છે, ધવડાવી શકે છે.” આ ઉપરથી સુનંદા દરરોજ તે શ્રાવિકાને ત્યાં જવા લાગી અને પુત્રને જોઈ રમાડી સુખ અનુભવવા લાગી. વજકુમાર ત્રણ વર્ષનો થયો ત્યારે ધનગિરિ વગેરે મુનિવરો અવન્તિકા નગરીમાં પધાર્યા. સુનંદાએ પ્રથમ વિચાર કર્યો જ હતો કે ફરી મુનિરાજ આવશે ત્યારે પુત્રની માગણી કરીશ. આથી ધનગિરિ પાસે પોતાના પુત્રની માગણી કરી. મુનિએ તેનો ઈન્કાર કર્યો. અંતે સુનંદાએ રાજા પાસે ફરિયાદ કરી ન્યાય માગ્યો. રાજાએ ધનગિરિને બોલાવ્યો. સંઘ સહિત ધનગિરિ મુનિ રાજસભામાં આવ્યા. સુનંદા પણ કેટલાક માણસોને લઈ રાજસભામાં આવી. ઉભય પક્ષની દલીલો સાંભળીને છેવટે રાજાએ ન્યાય આપ્યો કે જેના બોલાવવાથી આ બાળક જેની પાસે જાય તેને તે બાળ સ્વાધીન કરવો. આથી સુનંદાએ ભાતભાતનાં રકમડાં આદિ વસ્તુઓ બતાવી બોલાવ્યો પણ વજકુમાર જાતિસ્મરણ જ્ઞાનવાળો હોવાથી તેને વિચાર આવ્યો કે માતાનો ઉપકાર ઘણો છે, આ વખતે તેમની પાસે નહિ જાઉં તો તેમને દુ:ખ લાગશે અને જો ગુરુદેવની ઉપેક્ષા કરીશ તો શાસનની હીલના થશે અને મારો સંસાર પણ વધશે તેથી પિતા મુનિરાજ પાસે જવું શ્રેષ્ઠ છે. આ વિચારથી તે માતા પાસે ગયો નહિ. પછી મુનિરાજ મુનિએ વજકુમારને કહ્યું, “વત્સ ! દીક્ષા લેવાની ઈચ્છા હોય તો રજોહરણને ગ્રહણ કરો.” આ સાંભળી કુમારે તત્કાળ રજોહરણ લઈને નાચવા માંડ્યું અને ધનગિરિ મુનિના ખોળામાં જઈને બેઠો. - રાજાએ ન્યાય આપ્યો કે બાળક ધનગિરિને સોંપાશે. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આઠ વર્ષની ઉંમરે ગુરુમહારાજે વજકુમારને દીક્ષા આપી એટલું જ નહિ પરંતુ તેને યોગ્ય જાણીને તે જ સમયે આચાર્ય પદવી આપી. પછી થોડા જ સમયમાં આર્યદિનસ્વામી સ્વર્ગવાસ પામ્યા. અગિયાર અંગનું જ્ઞાન તો તેમણે બાળપણમાં મેળવી લીધું હતું. દીક્ષા પછી ભદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. પોતાના અભુત જ્ઞાન અને સંયમના પ્રભાવથી ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો અને મહાન શાસન પ્રભાવના કરી. તેમની પ્રશંસા સર્વત્ર પ્રસરી રહી હતી. તે વખતે પાટલીપુત્ર નગરમાં ધન નામના એક ધનાઢ્ય શેઠને રુકિમણી નામની એક સ્વરૂપવાન કન્યા હતી. તેણે કેટલાંક સાધ્વીજીઓના મુખેથી વજસ્વામીની પ્રશંસા સાંભળીને એવો નિશ્ચર્ય કર્યો Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૬ પટ્ટાવલિ કે મારે પરણવું તો વજ સ્વામીને જ! આથી સાધ્વીજીઓએ તેણીને કહ્યું કે, “અરે મુર્ખ ! વજસ્વામી તો પાંચ મહાવ્રતધારી મુનિરાજ છે. તેમણે તો કંચન અને કામિનીનો સર્વથા ત્યાગ કર્યો છે.” આ સાંભળી રુક્િમણીએ જવાબ આપ્યો કે, “જો એમ છે તો હું પણ દીક્ષા લઈશ.” એવામાં વજસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે જ નગરમાં પધાર્યા. તે વાતની ખબર પડવાથી રુકિમણીના પિતા ક્રોડ સોનામહોરો લઈ પોતાની પુત્રીની સાથે વજસ્વામી પાસે આવી આગ્રહપૂર્વક કહ્યું કે, “આ મારી પુત્રી હઠ લઈને બેઠી છે, તેને પરણીને અમારા ઉપર અનુગ્રહ કરો અને આ ક્રોડ સોનામહોરો ગ્રહણ કરો.” આ સાંભળી વજસ્વામીએ મિતપૂર્વક કહ્યું, “આ સંસારના વિષયો ઝેર સમાન માનીને મેં તેને તજ્યા છે, પણ જુઓ, તમારી પુત્રીને મારા પર સ્નેહ હોય તો તે મારી જેમ દીક્ષા ગ્રહણ કરે.” આ સાંભળી રુકિમણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને સાચા પ્રેમના દર્શન કરાવ્યા. છેલ્લે વજસ્વામીને શ્લેષ્મનો વિકાર થવાથી ઔષધ માટે સૂંઠ લાવેલા, તે વાપરવાની તેઓ ભૂલી ગયા. સધ્યાકાળે પ્રતિક્રમણ બાદ યાદ આવ્યું. આથી તેને પાઠવી પ્રાયશ્ચિત લીધું. તેમને વિચાર થયો મારું સંયમી જીવન દોષિત બન્યું માટે હવે જીવવું વ્યર્થ છે. એમ પશ્ચાતાપ કરી પોતાના શિષ્ય વજસેનસ્વામીને પોતાની પાટે બેસાડી કહ્યું કે, “આજથી બાર વર્ષનો દુષ્કાળ પડશે અને જ્યારે તમને લક્ષ મૂલ્યના અનાજમાંથી ભિક્ષા મળે ત્યારે સમજવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે.” આટલું કહી અનશન શરૂ કર્યું. વજસ્વામીનો જન્મ વીર સં. ૪૬૮માં થયો હતો. આઠ વર્ષે ગૃહવાસમાં રહી દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તરત જ આચાર્યપદવી મળી હતી. તેમણે ૧૦૮ વર્ષ આચાર્ય પદવી ભોગવી. સર્વ આયુષ્ય ૧૧૬ વર્ષનું ભોગવી દક્ષિણ ભારતમાં આવેલા રથાવર્ત પર્વત પર જઈ અનશન કરી વીર સંવત ૧૮૪માં સ્વર્ગવાસ પામ્યા. તેમના સ્વર્ગવાસ પછી અર્ધનારાચ સંઘયણ અને દશમાં પૂર્વનું જ્ઞાન વિચ્છેદ ગયું હતું. તત્ત્વ કેવળીગમ્ય. 'પાટ-૧૫ શ્રી વજસેનસ્વામી (વીર સં. ૫૮૪) શ્રી વજસેનસ્વામીનું બીજું નામ આર્યમંગુ આચાર્ય હતું. તેમનું ગોત્ર ભારદ્વાજ હતું. તેમણે ૩૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ૫૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. Page #70 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા પ૭ તેમના વખતમાં પ્રથમ ચાર ગચ્છ નીકળ્યા હતા. ત્યાર પછી તેમાંથી ક્રમે ક્રમે ૮૪ ગચ્છ થયા હતા. વજસેનસ્વામીના સમયમાં એક પાંચ વર્ષનો અને એક સાત વર્ષનો એમ બન્ને મળી બાર વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. તે વખતે જૈન સાધુઓને સાદર-સત્કાર અને નિર્દોષ આહાર-પાણી મેળવવામાં મુશ્કેલી પડતી તેથી શુદ્ધ ક્રિયાપાલક અને આત્માર્થી ૭૮૪ સાધુઓએ તો આલોઈ, પડિક્કમી, નિંદી, નિઃશલ્ય થઈ સંથારો કરી સદ્ગતિને વરેલા; પરંતુ જે સાધુઓ શિથિલાચારી હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે ભોળા અને સ્વાર્થી મનુષ્યોને કહેવા લાગ્યા કે, “આ ભયંકર કાળમાં સૌને મરવાનું તો છે જ પરંતુ પોતાની જીંદગી સાર્થક કરવા માટે પ્રભુજી પાસે કાંઈપણ નૈવેદ્ય કે ભેટ ધરશો તો પુણ્યની કમાણી થશે અને તમારો પરલોક સુધરશે.” એમ લાલચ અને આકર્ષણની અનેક વાતો તેઓ પોતાના ભક્તો પાસે કરવા લાગ્યા. ભક્તોને પણ તેમની આ વાત ગમી અને તે સાધુઓના કહેવા પ્રમાણે કરવા લાગ્યા. “દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ.” આ કટોકટીના સમયે એક મોટા કુટુંબવાળો જિનદાસ નામનો શ્રાવક હતો, તેની પાસે પુષ્કળ પૈસો હતો પરંતુ અનાજનો દાણો પણ ન હતો. “નાણું મળે પણ ટાળું ન મળે.” એવો આ પ્રસંગ હતો. જિનદાસ અને તેનું કુટુંબ ભૂખે ટળવળતું હતું. ત્રણ દિવસ સુધી ભૂખ સહન કરી પણ મુઠ્ઠી અનાજ ક્યાંયથી મળ્યું નહિ. ત્યારે જિનદાસે વિચાર કર્યો કે આ કુટુંબનું દુ:ખ જોવું એના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. એમ વિચારી મહામહેનતે તેણે લાખ સોનામહોરો આપીને એક પાલી જાર મેળવી અને તેને દબાવી રાબ બનાવરાવી. તે રાબ તૈયાર થઈ એટલે તેમાં ઝેર ભેળવીને પી જવી, એવો વિચાર કરી જિનદાસ તે રાબમાં ભેળવવા માટે ઝેર ઘોળીને તૈયાર કરતો હતો તે જ સમયે વજસેનસ્વામી વહોરવા માટે ત્યાં પધાર્યા. તે સમયે જિનદાસની પરિસ્થિતિ જાણી તેને તેમ કરતાં અટકાવી શુભ ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું, “જિનદાસ ! સબૂર, મારા ગુરુદેવ મને કહી ગયા છે કે જયારે તમને લક્ષ દ્રવ્યના અન્નમાંથી ભિક્ષા મળે ત્યારે જાણવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે. ભદ્ર ! તું ધીરજ રાખ. આવતી કાલે અન્ય દેશના વહાણો અનાજથી ભરેલા અહીં આવશે. એટલું કહી આચાર્ય સ્વસ્થાનકે ગયા.” બીજા દિવસના પ્રભાતે દરિયાકિનારે આવતાં અન્નથી ભરેલાં વહાણો આવેલાં જિનદાસે જોયાં એટલે તેમાંનો બધો માલ તેણે ખરીદી લીધો. તે માલ ગામમાં લાવી જિનદાસે બધા ગ્રામવાસી લોકોને થોડો વહેંચી આપ્યો એટલે લોકોને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પટ્ટાવલિ શાંતિ થઈ. સૌ તે શેઠનો ઉપકાર માનવા લાગ્યા. ધીરે ધીરે દુષ્કાળ દૂર થયો અને સર્વત્ર સુકાળ પ્રવર્તવા લાગ્યો. વજસેનસ્વામીએ જે ભવિષ્ય કથન કરી જિનદાસ પર અથાગ ઉપકાર કરેલો; તેના બદલામાં જિનદાસ શેઠે પોતાના ચાર પુત્રો :- ૧. ચંદ્ર, ૨. નાગેન્દ્ર, ૩. નિવૃત્તિ અને ૪. વિદ્યાધર; વજસેનસ્વામીને શિષ્યાર્થે અર્પણ કર્યા. તે ચારેને દીક્ષા આપી ગુરુદેવે ખૂબ ભણાવ્યા પરંતુ છેવટે તે ચારે શિષ્યો ગુરુ આજ્ઞામાં ન રહેતા જુદા જુદા વિચર્યા અને તેમણે નવા ચાર ગણ્ય સ્થાપ્યા. શ્રી વજસેનસ્વામી ૩૬ વર્ષ સુધી આચાર્યપદે રહી સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભોગવી વીરસંવત ૬૨૦, વિ.સં. ૧૫૦માં સ્વર્ગવાસ પામ્યા. દિગમ્બર સંપ્રદાયની ઉત્પત્તિ શ્રી વજસેન સ્વામીના શાસનમાં વીર સં. ૬૦૯ અને વિ.સં. ૧૩૯ની સાલમાં દક્ષિણ ભારતના કર્ણાટક રાજયમાં દિગમ્બર સંપ્રદાય શરૂ થયો તેની ટૂંક વિગત નીચે પ્રમાણે છે. રથવીરપુર નામના નગરમાં એકદા કૃષ્ણ નામના આચાર્ય પધાર્યા. તેમની સાથે શિવભૂતિ નામના મુનિ હતા. તે મુનિને રાજાએ એક રત્નકંબલ વહોરાવી. મુનિને તે રત્નકંબલ પ્રત્યે અત્યંત મોહ જાગ્યો. તે જોઈ ગુરૂમહારાજે કહ્યું કે, આવું બહુમૂલ્ય વસ્ત્ર રાખવું ઉચિત નથી, એમ કહીને તેમણે રત્નકંબલના ટુકડા કરી નાખ્યા અને રજોહરણના નિશિથિયા બનાવી નાખ્યા. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો અને ખેદ પામ્યા. ત્યાર પછી કોઈ એક દિવસ આચાર્ય મહારાજ જિનકલ્પી સાધુઓનો આચાર વર્ણવી રહ્યા હતા; તે વખતે શિવભૂતિએ કહ્યું કે, “જ્યારે જિનકલ્પી સાધુઓનો આવો ઉત્કૃષ્ટ આચાર છે ત્યારે તમે શા માટે આવી ઉપધિ રાખી રહ્યા છો?” ગુરૂમહારાજે કહ્યું કે, “આ કાળમાં જિનકલ્પીપણું પાળી ન શકાય કારણ કે એવું સંઘયણ નથી તથા તેટલું જ્ઞાન નથી.” આ સાંભળી શિવભૂતિએ કહ્યું કે, “તમારી વાત યથાર્થ નથી. તીર્થકરો પણ અચેલક હતા માટે વસ્ત્રરહિતપણું જ શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “તમે વસ્ત્રાદિ પરિગ્રહના સર્ભાવમાં કષાય, મૂર્છાદિ દોષો કેમ નથી સ્વીકારતા?” તીર્થકરો પણ એકાંત વસ્ત્રરહિત ન હતા કેમ કે આગમ સાક્ષી આપે છે. સર્વે વિ દુખ નિયા વિરા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આ છે અણગાર અમારા ચડવીસું । અર્થાત્ દરેક તીર્થંકરોએ એક દેવદુષ્ય સહિત સંસાર છોડેલો છે. આમ અનેક રીતે સમજાવ્યા પણ તે ન સ્વીકારતાં શિવભૂતિ મુનિ દિગમ્બર બની વસતિ બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા. એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી થઈ હતી તે શિવભૂતિને વંદન કરવા ગઈ. ત્યાં શિવભૂતિને નગ્ન દેખી પોતે પણ નગ્ન બની વિચરવા લાગી. એક વખતે તે સાધ્વી ભિક્ષાર્થે શહેરમાં આવી તે વખતે એક વેશ્યાએ તેને નગ્ન જોઈને તેના શરીર પર સાડી નાખી. તે સાડી સાથે શિવભૂતિ પાસે આવી ત્યારે શિવભૂતિએ કહ્યું કે, “આ વસ્ર તું તારી પાસે જ રાખ કેમ કે તને દેવતાએ અર્પણ કર્યું છે.’” એટલે ત્યાર પછી તે સાધ્વીજી વસ્ત્ર સહિત વિચરવા લાગ્યાં. ,, શિવભૂતિએ કોડિન્સ અને કોષ્ટવીર નામના બે શિષ્ય કર્યા. ક્રમે ક્રમે સંખ્યા વધી અને નવી પરંપરા ચાલુ થઈ. ત્યાર પછી અલગ શાસ્ત્રો રચાયાં. આમ વી.સં. ૬૦૯ થી દિગંબરોની શરૂઆત થઈ. શ્રી વજ્રસેન સ્વામી ૩૬ વર્ષ સુધી આચાર્યપદે રહી સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભોગવી વીર સંવત ૬૨૦, વિક્રમ સંવત ૧૫૦માં સ્વર્ગવાસ પામ્યા. પાટ-૧૬ શ્રી ભદ્રગુપ્ત સ્વામી, બીજા મતે આર્યરોહ સ્વામી. પાટ-૧૭ શ્રી વયર સ્વામી, બીજા મતે ફાલ્ગુણમિત્ર સ્વામી. પાટ-૧૮ શ્રી આર્યરક્ષિત સ્વામી, બીજા મતે ધરણીધર સ્વામી. પાટ-૧૯ શ્રી નન્દિલાચાર્ય, બીજા મતે શિવભૂતિ સ્વામી. પાટ-૨૦ શ્રી નાગહસ્તી સ્વામી, બીજા મતે શ્રી આર્યભદ્ર સ્વામી. પાટ-૨૧ શ્રી રેવતી આચાર્ય, અન્ય મતે આર્યનક્ષત્ર સ્વામી. પાટ-૨૨ શ્રી સિંહાચાર્ય. પાટ-૨૩ શ્રી સ્કંદિલાચાર્ય, અન્યમતે શ્રી નાગાચાર્ય. પાટ-૨૪ શ્રી નાગજિતાચાર્ય, અન્યમતે શ્રી હિલવિષ્ણુ આચાર્ય. પાટ-૨૫ શ્રી ગોવિંદાચાર્ય. પાટ-૨૬ શ્રી ભૂતદિનાચાર્ય અન્યમતે કંદિલાચાર્ય. પાટ-૨૭ શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ. અહીં સુધી એટલે વીર સંવત ૯૮૦ સુધીમાં ઉપરોક્ત આચાર્ય ભગવંતો મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાટ પર અનુક્રમે થયા. તે સમય દરમ્યાન અનેક જાતની ચડતીપડતી આવી ગઈ તે સર્વે ઊતરતા કાળનો પ્રભાવ જાણવો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મૂર્તિપૂજાની શરૂઆત ક્યારે થઈ ? શ્રી વીર નિર્વાણ ૧૭૦માં શ્રી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસ થયા બાદ શ્રી વિશાખાચાર્ય નેપાળથી પાટલીપુત્ર આવ્યા, તે વખતે શ્રી સ્થૂલિભદ્રસ્વામી ગામની બહાર વસતિથી દૂર રહેતા હતા, તેઓ શ્રાવકોના અતિ આગ્રહથી દેશકાળ વિચારીને વસતિમાં વાસ કરવા લાગ્યા. જ્યારે વિશાખાચાર્ય પૂર્વ પ્રણાલિકાને વળગી રહી વસતિ બહાર વનમાં રહ્યા. શ્રી સ્થૂલિભદ્રજી તથા શ્રાવકોના અતિ આગ્રહભરી વિનંતી છતાં શ્રી વિશાખાચાર્યે પોતાનો આગ્રહ ન છોડ્યો. પરિણામે તે વખતથી સમાજમાં બે પક્ષ પડ્યા. (૧) વસતિવાસી મુનિ અને વનવાસી મુનિ. પટ્ટાવલિ બન્ને પક્ષો પોતે યોગ્ય કરે છે અને બીજો પક્ષ યોગ્ય નથી કરતો; એવા આગ્રહથી પોતપોતાના પક્ષ જમાવવાને યથાશક્ય સર્વ પ્રયત્નો કરવા લાગ્યા, એ પ્રયત્નો મમત્વ અને છેવટે ઈર્ષામાં પરિણમ્યા અને એ ઈર્ષા વાણી દ્વારા પરસ્પરની નિંદાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થવા લાગી. આ એક જ સમાજના બે આચાર્યોના મતભેદનો લાભ લઈ બૌદ્ધો અને વેદાંતિઓ પોતાનો પક્ષ પ્રબળ કરવાને અનેકવિધિ પ્રયત્ન કરવા લાગ્યા કારણ કે બેની લડાઈમાં ત્રીજો ફાવે.” જૈન સમાજના આંતરક્લેશના પરિણામે અને સુવિહિત સાધુ સમાગમના અભાવે ગૃહસ્થોની જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘટતી ચાલી. એમાં પણ ખાસ કરીને રાજાઓ જે જૈનધર્મી હતા તેઓ એ ક્લેશના પરિણામે ઈતરપંથ તરફ આકર્ષાયા અને જૈન મટી જૈનેતર બનવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈને કેટલાક સુવિહિત અને સમાજહિતની સાચી ધગશવાળા આચાર્યોએ રાજાઓ અને ગૃહસ્થોને જૈન ધર્મથી પતિત થતા અટકાવવા માટે શું કરવું ? તેનો વિચાર કર્યો અને એ વિચારને પરિણામે તેમણે નિશ્ચય કર્યો કે - “રાજાઓ અને ગૃહસ્થો જૈનેતર સમાજમાં જાય છે એનું ખાસ કારણ તેઓના ઈષ્ટદેવની મૂર્તિનું આકર્ષણ છે. ધર્મગુરુઓ હાજર હોય કે ન હોય પણ પ્રભુનાં દર્શન કરીએ, તેનું પૂજન-અર્ચન કરીએ તો પણ આત્મકલ્યાણ સાધી શકાય છે.’ આ પ્રકારની ભાવનાના યોગે રાજાઓ વગેરે જૈન ધર્મ તજી દઈ ઈતર પંથમાં જાય છે. માટે તેઓને ધર્માંતર કરતા અટકાવવા માટે આપણે પણ શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાનું અવલંબન બતાવીએ તો જરૂર ઘણા મનુષ્યો ધર્માંતર કરતાં અટકે. વળી સિદ્ધાન્તોમાં પણ સ્થાપના કરવામાં કોઈ જાતનો પ્રતિબંધ નડતો નથી. અને એ પ્રતિમાને અવલંબન તરીકે માનવાથી બાળજીવોને ધર્મભ્રષ્ટ થતાં બચાવી શકાશે. આમ શુભ હેતુથી તેમણે મૂર્તિપૂજાની શરૂઆત કરી દીધી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૧ આ છે અણગાર અમારા બાળજીવોને અન્ય દર્શનીઓની મૂર્તિ પ્રત્યે થતી શ્રદ્ધા અટકાવવા માટે આચાર્યોએ શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાનું અવલંબન બતાવ્યું અને તેનું પરિણામ ધાર્યા પ્રમાણે કેટલેક અંશે આવ્યું પણ ખરું પરંતુ ભાવિમાં તેનું પરિણામ કેવું આવશે તેનો તે વખતે તેમણે જરાય વિચાર ન કર્યો. તેમજ સિદ્ધાન્તની તથા શ્રી વીતરાગદેવની આજ્ઞાનો પણ વિચાર ન કર્યો. શ્રી વીતરાગદેવે અનુયોગદ્વાર સૂત્રમાં ચાર નિક્ષેપાનું વર્ણન કર્યું છે, તે યથાર્થ છે પણ તેમાં નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપને પ્રભુએ અવશ્થ એટલે નિરુપયોગી કહીને તેને આત્મહિતના સાધન તરીકે માન્યા નથી. માત્ર જાણવા અને સમજવા પૂરતા જ નામ નિર્દેશ કરેલ છે. એવી તો ઘણી બાબતો માત્ર જાણવા પૂરતી જ હોય છે. તેમ પ્રથમના ત્રણ નિક્ષેપ જાણવા પૂરતા જ કહેલ છે. જયારે એક ભાવનિક્ષેપ જે ગુણયુક્ત છે તેને આત્મ કલ્યાણસાધક ગણી ઉપયોગી અને આદરણીય કહેલ છે. આવી રીતે પ્રતિમાનું સ્થાપન અને પૂજન વગેરેની શરૂઆત ખાસ કારણને લીધે એટલે કે લોકોને જૈન ધર્મથી ભ્રષ્ટ થતાં અટકાવવા માટે જ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલ છે પણ તેનું પરિણામ ધાર્યા કરતાં વિપરીત આવ્યું. વ્યવહારમાં પણ ઘણી વાર એવું બને છે કે કોઈ પ્રણાલિકા અપવાદ રૂપે શરૂ કરાય છે પછી જો તે બંધ ન થાય તો આગળ જતાં કર્તવ્યરૂપ બની જાય છે, સમય જતાં તે સિદ્ધાન્તરૂપે સ્થાપિત થાય છે. એ સૂત્રાનુસાર નાનું કાણું મોટા વહાણમાં પડ્યું હોય અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો આગળ જતાં તે વહાણ દરિયામાં ડૂબી જશે. વડનું બીજ નાનું હોય છે પણ એનાથી વૃક્ષ કેટલું મોટું બની જાય છે, મકાનમાં પડેલી નાનીશી તિરાડને જો સાંધવામાં ન આવે તો જતે દહાડે મકાનને પાડી દે છે, તેમ મૂર્તિપૂજાનું સમય જતાં પરિણામ કેટલું વિપરીત આવ્યું છે. જૈનેતરોની દેખાદેખીથી શ્રી વીતરાગદેવની પ્રતિમાને પૂર્ણ વૈભવી બનાવી દીધી, અનાહારી એવા ભગવાન પાસે ફળ-ફૂલના ઢગલા થાય. ધર્મનિમિત્તે કેટલી હિંસા થાય, વીતરાગની મૂર્તિ સામે જ વીતરાગની આજ્ઞાનો ભંગ થાય. આ રીતે શ્રી વીરનિર્માણના બીજા સૈકાના અંતમાં પ્રતિમા પૂજનની શરૂઆત થઈ અને શ્રી વીર નિર્વાણ પછી ૪૦૦ વર્ષે શ્રી સંપ્રતિ રાજા થયા. તેમણે પ્રતિમાપ્રતિષ્ઠાપક ગુરુઓના ઉપદેશથી અનેક સ્થળે દેરાસર બનાવ્યાં અને તેમાં મૂર્તિઓ બેસાડી. તેનો પ્રચાર ખૂબ વધાર્યો. પણ એમ કરવા જતાં તેમાં વિકૃતિ જન્મી અને એ પ્રતિમાપૂજન એ જ આત્મકલ્યાણનું પરમોત્કૃષ્ટ સાધન છે એમ પાછળથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પટ્ટાવલિ શિથિલાચારી સાધુઓએ ઉપદેશ્ય અને વિષયના અને સંસ્કૃતપ્રાકૃત ગ્રન્થો રચાયા. આમ નિર્વદ્ય ધર્મના સ્થાને સાવદ્ય ધર્મની સ્થાપના થઈ. આ સંબંધી “નોટ્સ ઓન ધી સ્થાનકવાસી જૈન” નામના એક પુસ્તકની નકલ પર અભિપ્રાય આપતાં સમર્થ જૈન સુત્રજ્ઞ જર્મન પ્રો. હર્મન જેકોબી કહે છે Worship in temples is not an original element of Jain religion but has been introduced inorder to meet the devotional requirement of the daity. I think even now, worship was not and is not theoretically considered as a means of allaining Nirvrati. સમય જતાં પહાડ, પર્વતો અને શહેરો વગેરેમાં પ્રતિમાનું સ્થાપન કરી, તેની પ્રાચીનતા બતાવનારા ગ્રન્થોની રચના કરી તે ભૂમિને તીર્થધામ તરીકે જાહેર કરી અને તે તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું તેમાં તેમને સફળતા પણ મળી. ટૂંકમાં મૂર્તિપૂજા ભગવાન મહાવીર પછી જ શરૂ થઈ છે. 'ધર્મ કે મોક્ષના માટે કરવામાં આવતી હિંસા અહિતકારી છે. तत्थ खलु भगवया परिण्णा पवेइया । इमस्स चेव जीवियस्स, परिवंदणमाणण - पूयणाए, जाइमरणमोयणाए, दुक्खपडिद्यायहेडं, से सयमेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ । अण्णे वा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए, तं से अबोहिए। આચારાંગ સૂત્ર અ. ૧, ઉ. ૨ પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા (શુદ્ધ સમજ) બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિર્વાહ માટે, કીર્તિમાટે, માન પૂજા માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને દુ:ખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે અથવા આરંભ કરનારની અનુમોદના કરે છે, પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તથા બોધિ બીજનો નાશ કરનારી છે. સર્વજ્ઞદેવ શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનનું કારણ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાંપણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વીકર્મ-સમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૬૩ તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે ? તેના ઉત્તરમાં તીર્થકરદેવ ફરમાવે છે કે જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છે, કોઈ પગને, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને, પીઠને, છાતીને, દયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને, આંગળીને, નખને, ગળાને, દાઢીને, હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને, આંખને, ભ્રમરને, લલાટને, હોઠને અને મસ્તક ઈત્યાદિ અવયવોને છેદે, ભેદે તેને મૂચ્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી તેવી જ રીતે પૃથ્વીકાયના જીવો પણ અવ્યક્ત રૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. ઉપરોક્ત સર્વ વર્ણન અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાયના વિષયમાં આ જ રીતે કરવામાં આવેલ છે. ત્રીજાથી સત્તામાં ઉદ્દેશામાં છ કાયના જીવોની હિંસા બાબત સરખું વર્ણન કરવામાં આવેલ છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા પૂલ શસ્ત્રોનો પ્રયોગ કરતા નથી. તેથી તે હિંસાના ભેદોને સમજી, વિવેકયુક્ત થઈ તેનો ત્યાગ કરે છે. બુદ્ધિમાન પુરુષ એ સર્વ જાણી પૃથ્વીકાય આદિ છ કાયના જીવોની હિંસા સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, હિંસા કરનારની અનુમોદના ન કરે. જે હિંસાના પરિણામોને જાણે અને છોડે છે તે કર્મને જાણનાર (શુદ્ધ સંયમી) મુનિ છે, એમ હું કહું છું. ત્રણે કાળના તીર્થકરો દ્વારા હિંસાનો નિષેધ 'આચારાંગ સૂત્ર, શ્રત. ૧, અ. ૪, ઉં. ૧ सेबेमि - जे य अईया, जे य पडुप्पण्णा, जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति एवं भासंति एवं पण्णविंति, एवं पविंति - सव्वे पाणा, सव्वे भूया, सब्वे जीवा, सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा ॥ २२१ ॥ एस धम्मे सुद्धे, णिइए - सासए - समिच्च लोयं खेयण्णेहिं पवेइए तंजहा - उठ्ठिएसु वा, अणुठ्ठिएसु वा, उवठ्ठिएसु वा, अणुवठ्ठिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પટ્ટાવલિ વા, મોહિસુ વા, ગળુવહિપ્પુ વા, સંગોપરભુ વા, અસંતોરણમુ વા ॥૨૨॥ तच्चं चेयं तहा चेयं अस्सि चेयं पवुच्चइ ॥ २२३ ॥ હે જંબૂ ! હું કહું છું કે જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે તે સર્વ આ પ્રકારે કહે છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે તથા કરશે. સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વોને મારવા ન જોઈએ, તેના ૫૨ હુકમ ન કરવો જોઈએ, તેને દાસની જેમ કબજામાં ન રાખવા જોઈએ. તેને સંતાપ ન દેવો જોઈએ તથા તેને પ્રાણરહિત કરવા ન જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. સંસારના દુઃખોને જાણનાર હિતકારી તીર્થંકરોએ સંયમમાં તત્પર અને અતત્પર, ઉપસ્થિત અને અનુપસ્થિત, મુનિઓ અને ગૃહસ્થો, રાગીઓ અને ત્યાગીઓ, ભોગીઓ અને યોગીઓને સમાન ભાવથી આ ઉપદેશ આપ્યો છે. જેવો ધર્મ ભગવાને કહ્યો છે તેવો જ છે અને આવો ધર્મ આ જિનપ્રવચનમાં જ કહ્યો છે. જીવ હિંસાનું પરિણામ આચારાંગ સૂત્ર. શ્રુ. ૧, અ. ૫, ઉ. ૧ आवंती केयावंती लोयंसि विपरामुसंति अठ्ठाए अणठ्ठाए । एएसु चेव विप्परामुसंति, गुरु से कामा, तओ से मारस्स अंतो जओ से मारस्स अंतो तओ મે દૂરે, હેવ સે સંતો એવ મે રે ॥ ૨૬૪ ॥ આ સંસારમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન અથવા નિષ્પ્રયોજન જીવોની હિંસા કરે છે તેઓ તે જીવોની ગતિમાં ઉત્પન્ન થાય છે. આવા અજ્ઞાની જીવને વિષય ભોગો છોડવા બહુ કઠિન લાગે છે. તેથી તેઓ જન્મ - મરણમાં ફસાઈ રહે છે તથા મોક્ષના સુખોથી દૂર રહે છે. વળી તેઓ વિષય - સુખને ભોગવી શકતા નથી કે તેથી વિમુખ પણ થઈ શકતા નથી. જેને તું હણવા ઈચ્છે છે તે તું પોતે છે આ. સૂ. બ્રુ. ૧, અ. ૫, ઉ. પ ' तुमंसि णाम सच्चेव, जं हंतव्वंति मण्णसि तुमंसि णाम सच्चेव, जं अज्जावेयव्वंति मण्णसि तुमंसि णाम सच्चेव, जं परियावेयव्वंति मण्णसि, एवं जं परिद्येत्तव्वंति मण्णसि, जं उद्दवेयव्वंति मण्णसि । अंजू चेह पडिबुद्धजीवी तम्हा ण हंता ण विघायए; अणुसंवयेणमप्पाणेणं जं हंतव्वं णामिपत्थए ॥३२०॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૬૫ હે આત્મન ! જેને તું મારવાનો વિચાર કરી રહ્યો છે તે તું સ્વયં છે. જેના પર તું હુકમ ચલાવવાનો વિચાર કરે છે, તે તું પોતે છે, જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. જેને તું પકડવા ઈચ્છે છે, તે સ્વયં તું છે, જેને તું મારી નાખવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. તું એમ વિચાર કર. આ પ્રકારની સમજણથી કોઈપણ જીવને મારવા ન જોઈએ કારણ કે બીજાને મારનારને તેનું ફળ એ જ રીતે ભોગવવું પડે છે. એમ જાણી કોઈપણ પ્રાણીને મારવાની ઈચ્છા ન કરવી જોઈએ. | દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં હિંસાનો નિષેધ सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिजिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ અર્થાત્ સર્વે જીવો જીવવાને ઈચ્છે છે, નહિ કે મરવાને, તેથી પ્રાણીવને ઘોર (ભયંકર) જાણીને સાધુઓ તેનો સદંતર ત્યાગ કરે છે. હિંસા કરવી, કરાવવી કે અનુમોદવી; આ ત્રણેમાં સરખું પાપ છે તેથી નવ નવ કોટિએ પચ્ચક્ખાણ લેનાર સાધુ – સાધ્વીજીએ ત્રિવિધ ત્રિવિધ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આમ અનેક આગમ શાસ્ત્રોમાં હિંસાનો બિસ્કુલ નિષેધ હોવા છતાં ઉતરતાં કાળના પ્રભાવે જૈનોના ચારે ફીરકા (દિગંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી) એક યા બીજી રીતે આરંભ- સમારંભ અને શાસ્ત્રવિરુધ્ધ પ્રવૃત્તિમાં પડી ગયા છે. સર્વેની ત્રુટિઓ પોતે સ્વીકારીને તેનો ત્યાગ કરવો ઘટે. કમસે કમ શ્રદ્ધા અને પ્રરૂપણામાં તો નિગ્રન્થ પ્રવચન (તીર્થકરના વચનો) ને ૧૦૦% સ્વીકારવું જોઈએ. સ્પર્શના પણ એ જ પ્રમાણે થાય તો બેડો પાર થઈ જાય. જે વિરલ આત્માઓ મન – વચન - કાયાથી, કરણ – કરાવણ અને અનુમોદન દ્વારા હિંસા આદિ પાપોથી બચે છે તેઓને કોટિ કોટિ વંદના. ભગવાન મહાવીરના શાસનની ચડતી-પડતી 'સમુત્થાન સૂત્ર, ઉ. ૬ના આધારે जिनकप्पी वि मुहे सया लिंगं धारेति । समुत्थान सूत्र, उ. ६ અર્થાત્ જિનકલ્પી પણ હંમેશા મુખે મુહપત્તિ ધારણ કરે છે. નંદી સૂત્રમાં જે શાસ્ત્રોના નામ છે તેમાં આ સમુત્થાન સૂત્રને સ્થાન આપવામાં આવેલ છે તથા વ્યવહાર સૂત્રમાં પણ ૧૩ વર્ષથી વધારે દીક્ષા પર્યાયવાળાને સમુત્થાન સૂત્ર ભણવું Page #79 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલિ પડે છે તેમ બતાવ્યું છે તેથી ત્યાં પણ પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. એમાં જિનકલ્પી સાધુ પણ મહુપત્તિ બાંધે તો વિકલ્પીને તો અવશ્ય બાંધવી જ પડે તેમાં કોઈ શંકા રહેતી નથી. તેમાં જીવોની ઉત્પત્તિ માનવી તે સ્વચ્છંદ મતિ કલ્પના 1वा. तुब्भेणं भंते सासणे कया हायमाणे भविस्सति, कया उदए भविस्सति, कया काले सासणे ठिओ भविस्सति ? गोयमा ! एगवीसं वाससहस्सेहिं मम सासणे ठिओ भविस्सति, दो वाससहस्सेहिं मम सासणे हायमाणे भविस्सति । હે ભંતે! આપનું શાસન ક્યારે હાયમાન થશે? ક્યારે ઉદિત થશે? કેટલા કાળ સુધી આપનું શાસન ચાલશે ? “હે ગૌતમ ! મારું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. (પ્રારંભના) બે હજાર વર્ષ સુધી મારું શાસન હાયમાન થશે.” से केणढेणं भंते ! एवं वुच्चई ? गोयमा ! मम जम्मनक्खत्ते भासरासी नामे महग्गहे संकंते तस्स पहावेहिं दो वाससहस्सेहिं साहुणं वा सहुणीणं वा जाव णो उदए पूया भविस्सति । गोयमा बहवे मुणी सच्छंदचारी भविस्संति, सयमेव संजमिया भविस्संति, बहवे मुणी मम सलिंगं मुहे मुहपत्तिबंधणं वज्जइत्ता दव्वलिंगधारी समइएणं भविस्संति जोणं से दव्वसलिंगधारी भविस्संति । હે ભગવન્! આપ શા માટે એમ ફરમાવો છો? હે ગૌતમ ! મારા જન્મ નક્ષત્ર ઉપર ભસ્મરાશિ નામનો મહાગ્રહ સંક્રમણ કરે છે તેથી તેના પ્રભાવ વડે બે હજાર વર્ષ સુધી સાધુઓ અને સાધ્વીજીઓ યાવત્ ઉદય પૂજા પામશે નહિ. હે ગૌતમ ! ઘણા મુનિઓ સ્વેચ્છાચારી થશે. પોતાની મેળે સંયમી થશે. ઘણા મુનિઓ સ્વલિંગી મુખે મુહપત્તિ બાંધશે નહિ અર્થાત્ તે કાળે દ્રવ્ય લિંગધારી થશે, નિશ્ચય તે દ્રવ્યસ્વ લિંગધારી થશે. से केणतुणं भंते ! गोयमा ! ते बहवे मुणि णामधारी, सेवं वत्थं रयहरणमादियं उवहिं णं सलिंगं मनिस्संति से तेणढेणं । गो. णोणं ते दव्वसलिंगधारी वि भविस्संति, गो. केई मुणिणो मुहपत्तिबंधणं कालपमाणे करिस्संति, ते सव्वे मणी अविहिमग्गेणं उवएसं करिस्संति, बहवे मुणिणो जिणपडिमं कराविस्संति, बहवे मुणिणो जिणमुत्तिणं पइठं कराविस्संति, बहवे मुणी जिणपडिमाणं ठावया भविस्संति जाव सव्वेवि अविहिपंथे पडिस्संति, ते सव्वे पुव्ववुत्ताई कज्जाइं सछन्देणं करिस्संति । गो. जया भासगहे णिवट्टिए समाणे तया पणो मम सासणेणं उदए पया भविस्संति, साहणं वि उदय पया भविस्संति, साहणीणं वि सावयाणं वि सावियाणं वि गोयमा । उदये पुया भविस्सन्ति ॥५॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા • હે પૂજય ! તે ક્યા અર્થે ? હે ગૌતમ ! તે ઘણા નામધારી મુનિઓ શ્વેત વસ્ત્ર, યહરણ આદિ ઉપધિને સ્વલિંગ માનશે. તે તે અર્થે હે ગૌતમ ! નિશ્ચય દ્રવ્યલિંગધારી થશે. હે ગૌતમ ! કેટલાક મુનિઓ મુહપત્તિ બાંધવાનું સમય અનુસાર રાખશે, ઘણા મુનિઓ અવિધિ માર્ગે ઉપદેશ કરશે. ઘણા મુનિ જિન પ્રતિમા કરાવશે. ઘણા મુનિઓ જિન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવશે. ઘણા મુનિઓ જિન પ્રતિમાને સ્થાપન કરશે યાવત્ સર્વે અવિધિ માર્ગે પડશે. તે સર્વ પૂર્વે કહેલાં કાર્યોને સ્વેચ્છાએ કરશે. હે ગૌતમ ! જયારે ભસ્મગ્રહ નિવૃત્ત થશે ત્યારે ફરી મારાં શાસનનો અભ્યદય થશે. સાધુની પણ ઉદય પૂજા થશે. સાધ્વીની અને શ્રાવકોની તથા શ્રાવિકાઓની પણ હે ગૌતમ ! ઉદય પૂજા (અભ્યદય) થશે. सेणं भंते । अमुगे जीवे पगइभद्दे उज्जुभावे देवाणुप्पिये णं पडिमं करावेइ, पडिमाणं वा पइळं करावेइ तेणं जीवे किं जणयइ ? નવમી ! સે નવે પાવાડું મારૂં નાયડું છે ૬ . હે ભગવન્! અમુક જીવ પ્રકૃતિનો ભદ્ર, સરલ ભાવવાળો અને દેવાનુપ્રિય પ્રતિમા કરાવે, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવે તે જીવ શું ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! તે જીવ પાપકર્મ ઉત્પન્ન કરે. से केणठेणं भंते ! एवं वुच्चई ? गोयमा ! से जीवे मिच्छा भाव पडिवन्ने अजीवं जीवभाव मनिस्सति, छण्हं जीवणिकायाणं वहं करिस्सति, मम मग्गस्स णं हीलणं कराविस्सति, मम सासणेणं उदयं णो करिस्सति, मए अत्थित्तं अस्थि वुत्तं, नत्थित्तं नत्थि वुत्तं, से जीवे अत्थित्तं नत्थि वदिस्सति नत्थित्तं अस्थि वदिस्सति, से तेणठेणं गोयमा ! से जीवे पावाइं कम्माइं जणयइ वा मिच्छा मोहणिज्ज कम्मं निबंधइ ॥७॥ હે પૂજ્ય ! તે કયા અર્થ એમ કહો છો? હે ગૌતમ ! તે જીવ મિથ્યા ભાવને પામેલ અજીવમાં જીવ ભાવને માનશે, છ કાયના જીવોનો વધ કરશે, મારા માર્ગની હીલણા (નિંદા) કરાવશે. મારા શાસનનો ઉદય કરશે નહિ. મેં છે તેને છે કહ્યું છે અને નથી તેને નથી કહ્યું છે. તે જીવ છે તેને નથી કહેશે અને નથી તેને છે કહેશે. તે અર્થે હે ગૌતમ ! તે જીવ પાપ કર્મને ઉત્પન્ન કરે છે અથવા મિથ્યા મોહનીય કર્મ બાંધે છે. પાટ-૨૭ દેવર્કિંગણી ક્ષમાશ્રમણ શ્રી દેવદ્ધિગણી વેરાવળ (સૌરાષ્ટ્ર) નિવાસી શ્રી કામર્ધિ ક્ષત્રિયના પુત્ર હતા. તેમના શિક્ષાગુરુ આચાર્ય દેવગુપ્ત હતા. શ્રી નન્દીસૂત્રોની રચના શ્રી Page #81 -------------------------------------------------------------------------- ________________ ६८ પટ્ટાવલિ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ દ્વારા થઈ છે. બાર દુકાળોને લીધે શ્રમણ સંસ્થાનો અને શ્રુતજ્ઞાનનો બહુધા લોપ થયેલો જાણી, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવિ પ્રજાના કલ્યાણ માટે વીર સંવત ૯૮૦માં શ્રી સંઘના આગ્રહથી રહ્યા સહ્યા સાધુઓને વલ્લભીપુરમાં એકત્ર કર્યા અને તેઓના મુખેથી શેષ રહેલાં ઓછાવત્તા સુટિત અને અત્રુટિત આગમોના પાઠોને અનુક્રમે સ્વબુદ્ધિથી સંકલિત કરીને પુસ્તકારૂઢ કર્યા. વીર સંવત ૧000માં શત્રુંજય પર્વત પર છેલ્લા એક પૂર્વધર મહાવાચક શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સ્વર્ગવાસ પામ્યા. તે વખતે વસતિવાસી સંવેગી મુનિ મંડણોમાંના શ્રી કાલિકાચાર્ય તેમના મુખ્ય સહાયક હતા. જેથી તેઓ યુગપ્રધાન ગણાય છે. એ કાલિકાચાર્ય પાંચમની જ સંવત્સરી કરતા. 'ચોથની સંવત્સરી ક્યારે થઈ ? વીર સંવત ૯૯૩થી વિક્રમસૂરિ થયા. તેમના સમયમાં તે જ વર્ષે ભાવડગચ્છી કાલિકાચાર્ય ત્રીજા થયા. તેમણે પઈઠાણપુરમાં શતવાહનરાજાના કારણે, તેની અનુકૂળતા સાચવવા ચોથની સંવત્સરી કરી અને વીર સંવત ૯૯૪માં સ્વર્ગે ગયા. બીજે વર્ષે પાંચમની સંવત્સરી કરવાની હતી પણ કાલિકાચાર્યના શિષ્યોએ કરી નહિ અને ચોથની કાયમ રાખી. ત્યારથી ચોથની સંવત્સરીની પરંપરા ચાલી. અને હવે તો “આગે સે ચલી આતી હૈ” પ્રમાણે સમજવા છતાં કોઈ ચોથ છોડી પાંચમની સંવત્સરી કરવા તૈયાર નથી. “મુલ્લાજીનું નાડું પકડ્યું તે પકડ્યું” કાળની બલિહારી ! પાટ-૨૮ આર્યઋષિ સ્વામી. પાટ-૨૯ ધર્માચાર્ય સ્વામી. પાટ-૩૦ શિવભૂતિ સ્વામી. પાટ-૩૧ સિંહદેવ સ્વામી (સોમાચાય). પાટ-૩૨ આર્યભદ્ર સ્વામી. પાટ-૩૩ વિષ્ણચન્દ્રાચાર્ય સ્વામી. પાટ-૩૪ ધર્મવર્ધન સ્વામી. પાટ-૩૫ શ્રી ધરાચાર્ય (ભુરાજી સ્વામી). પાટ-૩૬ સુદત્ત સ્વામી. Page #82 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ६८ પાટ-૩૭ સુહસ્તી સ્વામી. પાટ-૩૮ વરદત્ત સ્વામી. પાટ-૩૯ સુબુદ્ધિ સ્વામી. પાટ-૪૦ શિવદત્ત સ્વામી. પાટ-૪૧ વીરદત્ત સ્વામી. પાટ-૪ર જયદત્ત સ્વામી. પાટ-૪૩ જયદેવ સ્વામી. પાટ-૪૪ જયઘોષ સ્વામી. પાટ-૪૫ વીરચક્રાધર સ્વામી (વિવેક સ્વામી). પાટ-૪૬ સ્વાતિસેન સ્વામી. પાટ-૪૭ શ્રીવ્રતાચાર્ય. પાટ-૪૮ સુમતિરત્નાચાર્ય (સુમતિ સ્વામી). પાટ-૪૯ લોકાચાર્ય (લક્ષ્મી વિજયજી-લોકચન્દ્રજી સ્વામી). ચડતીપડતીના ચમકારો ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યાને બરાબર બે હજાર વર્ષ વીતી ગયાં. ભગવાન મહાવીરના નિર્વાણ પછી વચ્ચેના ગાળામાં કાન્તિના અનેક મોજાંઓ આવી ગયાં અને વિલય પણ પામી ગયાં. સૌપ્રથમ ભદ્રબાહુસ્વામીએ (પંચમ કેવલી) જંબુસ્વામીના નિર્વાણ પછી પડેલ મહાદુષ્કાળ પછી જૈન શ્રમણવર્ગનું લુપ્ત થયેલ જ્ઞાનનું પુનરુદ્ધાર કરવા માટે પટણામાં (પાટલીપુત્ર) સંઘમિલન કર્યું. ત્યાર બાદ વીર નિર્વાણ પછી પાંચમાં અને છઠ્ઠા સૈકાની વચ્ચે મથુરામાં શાસ્ત્રોદ્ધાર થયો. શ્રી સ્કંદિલાચાર્ય અને શ્રી વજસ્વામીની નિકટના સમયમાં ફરી દુષ્કાળ પડવાથી શ્રમણ સંઘની જ્ઞાનની થયેલી દુર્દશાને સુધારવા માટેનો આ સુયોગ આગમોદ્ધાર ક્રાન્તિનો બીજો અવસર. વીર સંવત ૯૮૦માં શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે શ્રમણવરોનું સંમેલન વલ્લભીપરમાં (ભાવનગર પાસે) મળ્યું તે ક્રાન્તિનું ત્રીજું મોજું. આમ ક્રાન્તિની અનેક ચિનગારીઓ આવી અને બૂઝાઈ ગઈ કારણ કે એ મથુગની ક્રાન્તિઓમાં પાંડિત્યના પરિસ્પંદન હતા. વિતંડાવાદની ઝપાઝપી હતી, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પટ્ટાવલિ સત્યાગ્રહ કરતાં મતાગ્રહ તરફ વિશેષ લક્ષ્ય હતું તેથી માનસિક હિંસા થતી, વેર બંધાતા, ટૂંકમાં ધર્મના નામે આ બધું હતું. તેમાં પણ હિન્દને માટે પંદરમો સૈકો મહાભયંકર હતો. પઠાણોનો ત્રાસ પ્રજાને ત્રાહિ ત્રાહિ પોકારાવી રહ્યો હતો. ધાર્મિક ઝનૂને નિર્દયતાનું પૈશાચિક સ્વરૂપ પકડ્યું હતું. દેવ-દેવીની પૂજાને નામે મહાહિંસાઓ થતી. ધર્મના ઠેકેદારો પોપશાહીની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે ભારતની પ્રજાને એક સાચા ધર્મપ્રાણની અને સાચા ક્રાન્તિકારની ખૂબ જરૂર હતી. શકેન્દ્ર દેવરાજે જ્યારે ભગવાન મહાવીરને પૂછયું હતું કે, “ભગવાન્ ! આપના જન્મ નક્ષત્ર પર મહાભસ્મ ગ્રહ બેઠો છે, તેનું ફળ શું?” પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે, “હે ઈન્દ્ર ! આ ભસ્મ ગ્રહને લીધે બે હજાર વર્ષ સુધી સાચા સાધુ-સાધ્વીજીઓની પૂજા મંદ થશે. બરાબર બે હજાર વર્ષ પછી આ ગ્રહ ઊતરશે ત્યારે ફરીથી જાગૃતિ આવશે અને સાચા સંતો અને સતીઓનો આદર સત્કાર થશે.” Page #84 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા 'વિભાગ - ૩ ધર્મક્રાન્તિકાળ ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ સમયે બેઠેલા 'ભસ્મગ્રહ ઉતરી ગયા પછીનો ધર્મક્રાન્તિકાળ ' અને મહાન ક્રાન્તિકારી વિભૂતિઓ. મહાન ક્રાન્તિકારી શ્રી લોકાશાહ "Necessity is the mother of invention." આવશ્યકતા આવિષ્કારની જનની છે.” જ્યારે જ્યારે ધર્મની કે સમાજની પડતી દશા થાય છે ત્યારે ત્યારે તેનો ઉદ્ધાર કરનાર મહાપુરુષનો જન્મ અવશ્ય થાય છે. કટોકટીના સમયે મહાન ક્રાન્તીકારની જરૂર હતી અને તેનો પ્રાદુર્ભાવ થયો. વાંચો એ દુમહાપુરુષનું જીવનવૃત્તાન્ત. ગુજરાત રાજયના સૌથી મોટા શહેર અમદાવાદમાં મૂળ ક્ષત્રિય છતાં હાલમાં ઓસવાળ વણિક) તરીકે ઓળખાતા કુળ અને શીલથી ઉચ્ચ ગણાતા શાહ કુટુંબના અગ્રણી હેમાભાઈ હતા. તેઓ ચતુર અને પ્રામાણિક હતા. દિલ્હીની સલ્તનત નીચે આવેલા એ અમદાવાદમાં તે સમયે સુબાનું સામ્રાજ્ય હતું. મુસલમાનોની રાજસત્તા હોવા છતાં હિન્દુઓને રાજકારોબારમાં સારું સ્થાન મળતું હતું. શ્રી હેમાભાઈને પણ રાજકારોબારમાં ઉત્તમ સ્થાન મળ્યું હતું. તેમનાં ધર્મપત્નીનું નામ ગંગાબાઈ હતું. ગંગાબાઈ સુશીલ અને સદ્ગુણી હતા. આનંદપૂર્વક દિવસો પસાર થતા હતા. વિ. સં. ૧૪૭ના (મતાંતરે ૧૪૮૨) કારતક સુદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર સોળે કળાએ ખીલી રહ્યો હતો ત્યારે તેમાભાઈને પુત્રરત્નના જન્મની વધામણી મળી. તેમની આખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં, રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી લોકાશાહ માતા ગંગાબાઈના આનંદની અવધિ ન રહી. “પુત્રનાં લક્ષણ પારણામાં” એ લોકોક્તિ પ્રમાણે નવપ્રસ્ત બાળકનાં લક્ષણો જ કહી આપતાં હતાં કે આ બાળક વિશ્વના મહાપુરુષોની નામાવલિમાં પોતાનું નામ ઉજ્જવલ બનાવશે. તેમની ફઈબાએ તદ્દનુરૂપ નામ પણ લોંકાશાહ રાખ્યું. હેમાભાઈ અને તેમનાં ધર્મપત્નીનો હર્ષ ઉરમાં સમાતો ન હતો. તેમની ચિરકાળની ભાવના પૂર્ણ થઈ હતી તેથી છાતી ગજગજ ઊછળતી હતી. છઠ્ઠા વર્ષના પ્રારંભે જ માતા-પિતાએ લોંકાશાહને પાઠકજીના હાથ તળે વિદ્યાભ્યાસ માટે મૂક્યા. પૂર્વકાળના વિદ્યાના પ્રગાઢ સંસ્કારને માત્ર તાજા જ કરવાનું કાર્ય એમના માટે બાકી હતું. પુસ્તકનું પુસ્તક બીજે જ દહાડે જ્યારે પાઠકજી અક્ષરશઃ કંઠસ્થ થયેલું જુએ ત્યારે તેને આશ્ચર્ય થયા કરે. આવી અપૂર્વ સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિનયભાવની પ્રધાનતાને કારણે તેમણે થોડા જ વખતમાં વિવિધ વિષયોનું જ્ઞાન સંપાદન કર્યું. પિતાજીના સંસ્કાર પ્રમાણે રાજનીતિનો પણ ઊંડો અભ્યાસ કર્યો. કળાકૌશલ અને વ્યવહાર દક્ષતામાં તે નિપુણ બન્યા. તેમના અક્ષરો તો જાણે મોતીના દાણા ન હોય ! તેમ સ્વચ્છ સુરેખ અને પ્રમાણોપેત હતા. લોકાશાહ પંદરેક વર્ષના થયા ત્યાં તો શીરોહીના સુપ્રસિદ્ધ શાહ ઓધવજીની વિચક્ષણ પુત્રી સુદર્શન સાથે તેમના લગ્ન થયાં. કાલાનુક્રમે દમ્પતીજીવનમાં સુખદ સહચારની સ્મૃતિરૂપે તેમને એક પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ પૂર્ણચન્દ્ર (પૂનમચંદ) રાખવામાં આવ્યું. આવી રીતે એક સુપુત્રના પિતા, રાજ્યાધિકારી, ગર્ભશ્રીમન્ત અને સફળ યશસ્વી વીર લોકશાહનું જીવન અતિ સુખદ અને આકર્ષક હતું. ભલભલા શ્રીમંતોને તેમના આકર્ષક જીવનની ઈર્ષા આવતી. એક મહાન રાજ કર્મચારી છતાં અધિકારવાદનો લેશ પણ ગર્વ તેમને ન હતો. ઊલટું તેઓ એમ સમજતા કે રાજા અને પ્રજા બન્નેની સલામતી અને સ્નેહના સંરક્ષણનું આ મહાન જવાબદારીવાળું પદ છે. આથી તે પદ ઉપર હોવા છતાં રાજકારણની ખટપટો, કાવાદાવા, રાજ પ્રપંચો કે લાંચરૂશ્વતોનાં પ્રલોભનોએ તેમને સ્પર્શ કર્યો ન હતો. દયા અને દાન તો જન્મસિદ્ધ સાથી હતા. સંયમ અને સાદાઈ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. મળેલી સાહ્યબી અને સાધનોનો હંમેશા Page #86 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૭૩ સદુપયોગ કરતા. કોઈને ધનથી, કોઈને આશ્વાસનથી તેઓ સંતોષતા હતા. આમ ધર્મ અને વ્યવહારનો સુમેળ સાધ્યો'તો. તે વખતે અવ્યવસ્થા, રૂઢિયોના તાંડવનૃત્ય, સ્વાર્થ અને વિલાસની અતિ માત્રાએ જૈન સમાજને પણ છોડ્યો ન હતો. એ સડો જૈન શાસનને દોરનાર સાધુવર્ગ સુધી પહોંચી વળ્યો હતો તેમ જ ધર્મના નામે ધતીંગ પણ તેટલાં જ વધી ગયાં હતાં. સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક એ ત્રણે ક્ષેત્રોની અવનતિના ઝાળાં બાઝયાં હતાં. ધર્મના નામે ગરીબ અને નિર્દોષ પ્રજા ચગદાઈ રહી હતી. તે સમયે સાધુઓ સૂર્ય ઊગતાં જ ખાતા, માલમલિદા, મિષ્ટાન્ન ઉડાવતા. શપ્યા, જોડાં, વાહન, શસ્ત્ર અને તાંબા વગેરેના પાત્રો પણ સાથે રાખતા. તેલ, અત્તર લગાવતા. પ્રવચનના બહાને નિંદા-વિકથા કરતા. ક્રય-વિક્રયનાં કાર્યોમાં ભાગ લેતા. નાના બાળકોને ચેલા કરવા માટે વેચાતા લેતા. વૈદું કરતા, દોરા ધાગા કરતા, ધનાદિ પોતાની પાસે રાખતા. ગૃહસ્થોને શાસ્ત્રો વાંચવાની મનાઈ કરતા. એકદા લોકાશાહના ઘરે ભિક્ષાર્થે એક જ્ઞાનજી નામના યતિ જઈ ચડ્યા. યતિ શ્રી ખૂબ જ નિખાલસ દયના અને શાંત પ્રકૃતિના હતા. તેમનું ભવ્ય વદન જોઈને લોંકાશાહને તેમના તરફ બહુમાન ઉત્પન્ન થયું. મુનિશ્રી પણ તેમના ભક્તિભાવથી બહુ સંતુષ્ટ થયા. ભિક્ષા લઈને પાછા ફરતા એ મુનિરાજની દૃષ્ટિ સામે ઉઘાડા પડેલ ગ્રન્થ પર પડી. તેમનું દિલ આકર્ષાયું. જેમ જેમ અક્ષરો જોતાં જાય તેમ તેમ તેમની દૃષ્ટિ ઠરતી જાય અને મનમાં એમ થયા કરે કે કેવા સુંદર અક્ષરો છે! થોડીવાર પછી યતિશ્રી વિદાય થયા અને લોંકાશાહને કહેતા ગયા કે અવકાશ મળે ત્યારે ઉપાશ્રયે પધારવાની જરૂર ભાવ રાખજો . મુનિશ્રીને એમ જ થયા કરતું હતું કે આવા અક્ષરોથી આગમો લખાય તો બહુ સારું. ત્યાં તો લોકાશાહ ઉપાશ્રયે આવ્યા. વંદન કરી બેઠા પછી કેટલીક સામાન્ય ધર્મ ચર્ચા ચાલી. મુનિશ્રીના મનમાં થયા જ કરતું હતું તેથી તેમણે વાત વાતમાં લોકાશાહને કહ્યું કે, “તમારા અક્ષરો બહુ સારા છે પરંતુ અમને શા ખપના ?” આમ કહેવાનું કારણ એ હતું કે સાધુઓ ગૃહસ્થો પાસેથી શાસ્ત્રો લખાવતા નહિ. આ વાત સાંભળતા લોંકાશાહના અંગે અંગમાં ઉત્સાહ અને આશાનાં કિરણો પ્રસરી ગયાં. લોકાશાહ બોલ્યા કે, “ગુરુદેવ ! આપ જે અમને શ્રમણોપાસક કહો છો તો સેવાનો લાભ આપવા કૃપા નહિ કરો?” લોકાશાહની ભક્તિ અને પ્રેમ જોઈને યતિશ્રીએ દશવૈકાલિક સૂત્રની એક પ્રત લખવા માટે આપી. લોંકાશાહે તેનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો અને ઉત્સાહભેર ઘર ભણી વળ્યા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી લોકાશાહ લોકશાહે દશવૈકાલિક સૂત્રનું પહેલું જ પાનું હાથમાં લીધું. પ્રથમ ગાથા જ ફરી ફરીને વાંચી. धम्मो मंगलमुक्र्छि, अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति, जस्स धम्मे सयामणो ॥ ભાવાર્થ:- અહિંસા, સંયમ અને તપમય ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા ધર્મમાં જેનું મન સદા રમે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. આ ગાથા પર તેમણે ખૂબ ખૂબ મનન કર્યું. જેમ જેમ તેઓ ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમને આ ઉદાર વ્યાખ્યાનમાં વિશ્વનાં નાનાં-મોટાં સૌ પ્રાણીઓનાં કલ્યાણ અને વિકાસ સમજાયાં. ભગવાન મહાવીરનાં વચનામૃતો જેમ જેમ દષ્ટિગોચર થતા ગયા તેમ તેમ મનોમંથન વધતું ગયું. જેમ જેમ સૂત્રો તેમના હાથમાં આવતાં ગયાં તેમ તેમ તેમણે તે સૂત્રોની બે બે નકલો કરવા માંડી. એક પોતા પાસે રાખે અને બીજી યતિને આપે. જોઈતી સામગ્રી મળી ગયા પછી લોકશાહે પડકાર કર્યો કે મૂર્તિપૂજા શાસ્ત્રસંમત નથી. અહિંસામાં ધર્મ છે. ધર્મના નામે સૂમ હિંસા પણ જૈન શાસ્ત્રમાં ક્ષમ્ય નથી. તેમનું અતઃકરણ ઉચ્ચારતું હતું કે ધર્મ એ વિકાસના પંથે લઈ જનારી સીડી છે. ધર્મમાં જો અવનતિ આવે તો તે ધર્મ હોઈ જ ન શકે. ધર્મમાં વિકૃતિ ચાલી જ ન શકે. એમના માર્ગમાં ત્રણ વિરાધક બળો ઝઝૂમી રહ્યાં હતાં. (૧) શ્રમણ વર્ગની આચાર શિથિલતા (૨) ચૈત્યવાદનો વિકાર (૩) અધિકારવાદની શૃંખલા આ વિરાધક બળોએ કૈક જયોતિર્ધરોને નિરુત્સાહી બનાવ્યા હતા. કેંકને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને કેંકના ભોગ લીધા હતા. વિ. સં. ૧૫૩૦ની સાલ લોકાશાહના મહામન્થનની હતી. અંતરચક્ષુ ઊઘડી ગયાં હતાં. ધર્મના નામે વિકૃતિ પેસી ગયેલી તેને દૂર કરવા માટે અર્થાત્ તીર્થકર દેવ પ્રરૂપિત શુદ્ધ ધર્મનો પુનરુદ્ધાર કરવા માટે અંતરાત્માએ પોકાર કર્યો, જૈન ધર્મના ક્રાન્તિકાર ! ઊઠ, ઊઠ, નિરાશ થવાનું કાંઈ કારણ નથી. તેમણે દઢ સંકલ્પ કર્યો, આજથી ઉત્તરાર્ધ જીવનવ્યવહારને ગૌણ કરી ધર્મને પંથે આગળ વધારીશ. રાજકર્મચારીના બદલે તેઓ ધર્માચારી બન્યા. ભગવાન મહાવીરનાં જ સૂત્રોમાંથી સત્ય શોધી લોકોમાં નવચેતના જાગૃત કરી. ઉપાશ્રયો શ્રાવકો વિનાના સૂના પડવા લાગ્યા. પોતાના ભક્ત શ્રાવકોને Page #88 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૭૫ લોકાશાહ પાસે જવા માટે રોકવાના પ્રયાસો ઘણા થયા પરંતુ સત્ય આગળ તે પ્રયાસો નિષ્ફળ થવા લાગ્યા. વીર લોકાશાહની સિંહગર્જના આગળ તેઓની પિપુડી ઠંડીગાર જેવી થઈ ગઈ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોંકાશાહનો પ્રભાવ વધતો ગયો અને એ મહાક્રાન્તિનાં મોજાં દૂર સુદૂર ફરી વળ્યો. એ જ અરસામાં અણહીલપુર પાટણથી લખમશી શેઠ લોકાશાહની બહુશ્રુતતા, ધર્મક્રાન્તિ ઉદારતા અને ઉત્તમ ચારિત્રની પ્રશંસા સાંભળી ખાસ અમદાવાદ આવ્યા. લખમશી શેઠનું અહીં આવવાનું પ્રયોજન તો લોકશાહને ચકાસવાનું જ હતું તેથી અને દલીલો તૈયાર કરી તેમની પાસે આવ્યા હતા. પાટણમાં અધિકારવાદના શોખીન સાધુઓએ એવી અફવાઓ ફેલાવી દીધી હતી કે અમદાવાદમાં એક લોંકા નામનો લહિયો શાસનનો દ્રોહ કરી રહ્યો છે. સૂત્રના નામે ઉસૂત્રની પ્રરૂપણા કરી રહ્યો છે. શાસ્ત્રમાં લખેલી મૂર્તિપૂજાને વખોડી કાઢે છે. સાધુઓને હલકા પાડવાની પ્રરૂપણા કરે છે, તેની બરાબર ખબર લેવી જોઈએ. લખમશી શેઠે આવી વાતો સાંભળી હતી. એક તરફથી આવી નિંદા તથા ભક્તવર્ગ તરફથી પ્રશંસા સાંભળીને ચકાસવાનું મન થઈ આવેલું તેથી જ આવ્યા હતા. લોંકાશાહનું તેજ જોતાં જ તે ઠરી ગયા. તેમની પ્રતિભા શેઠને અપ્રતિમ દેખાઈ. શાન્તભાવે તેમણે ધર્મચર્ચા શરૂ કરી. તેમના સંવાદનો મુખ્ય સાર નીચે પ્રમાણે હતો. લખમશી - શાહ! એમ સાંભળ્યું છે કે તમે ઉપદેશ આપી લોકોને ભરમાવી એક નવો પંથ ઊભો કરવાનો પ્રયત્ન કરો છો તે શું સાચું છે? લોકાશાહ - હું ઉપદેશક નથી. હું માત્ર સામાન્ય શોધક છું. મારી પાસે સૂત્રો પડ્યાં હોય ત્યારે તેમાંથી થોડું થોડું શોધીને એકઠું કરતો જાઉં છું અને કોઈ ગ્રાહક આવે તો તેને તે માલ દેખાડું છું. લોકો મને ઢંઢક તરીકે ઓળખે છે. અને નવાપંથની વાતમાં તો એમ છે કે પ્રભુ મહાવીરે કંઈ પંથ કાઢ્યો ન હતો પણ આજે એ એક જ ધર્મમાં સેંકડો ગચ્છો પડી ગયા છે અને તે એકબીજાને ભાંડ્યા કરે છે એટલે વળી એમાં ઉમેરો ક્યાં કરવો? મારા જેવા ગરીબ વાણિયાની શક્તિ પણ શું? પણ ભગવાન મહાવીરના સૂત્ર વાંચનથી મને એટલું તો જરૂર સમજાયું છે કે ધર્મમાં ભેદ અને ઝઘડા ન હોય. લખમશી – એ બધા ઝઘડા શાથી થયા હશે? Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ લોંકાશાહ - તે જ હું તમારી પાસે સમજવા માગું છું. લખમશી - મને તો કશુંય સમજાતું નથી. તમારી આ જ્યોતિ આગળ મારો દીવો ફીક્કો પડી જાય છે. એટલું કહેતાં જ એકદમ એ બોલી ઉઠ્યા, લોંકાશાહ ! તમે મૂર્તિપૂજાનો વિરોધ કરો છો ? તમારા જેવા ધોરી શ્રાવકને એ શોભે ? શ્રી લોકાશાહ લોંકાશાહે આચારાંગ, સુયગડાંગ, ભગવતી, દશવૈકાલિક વગેરે શાસ્ત્રોના પાઠો બતાવીને પુરવાર કરી આપ્યું કે મૂર્તિપૂજા જૈન શાસ્ત્રમાં ક્યાંય નથી. જૈન ચૈતન્યપુંજને પૂજે છે, જૈન ગુણપૂજાનો જ પૂજારી છે. ચૈતન્ય પુંજને જ માને છે, સત્કારે છે, સન્માને છે અને પૂજે છે. મૂર્તિપૂજા જૈન શાસ્ત્ર સંમત નથી. આ સાંભળી લખમશી કહે છે - जिणभवणकज्जम्मि, सगडा वहन्ति जे गुणा । ते सव्वे मरिऊण, गच्छन्ति अमरभवणाई ॥ મંદિરનાં કાર્યોમાં ગાડાંઓને જે બળદો વહન કરે છે તે બધા મરીને દેવગતિ પામે છે. આ તો આપણાં આચાર્યોએ પોતાના ગ્રન્થોમાં જ ભાખ્યું છે, તેનું શું ? લોંકાશાહ - જરા પૂછી લઉં આત્મા મોટો કે આંખ ? લખમશી - એમ કેમ ? લોંકાશાહ - મૂળ આગમો તે આત્મા છે. ગ્રન્થો એ આંખ છે. આત્માવિહોણી આંખ ન શોભે અને કાર્ય ન કરી શકે. શાસ્ત્રો પહેલાં અને ગ્રન્થ પછી. લોકાશાહ તરત જ દશવૈકાલિક લાવીને હાજર થયા અને ધર્મની વાસ્તવિક વ્યાખ્યા બતાવી. આમ જ્યારે લખમશી શેઠને સ્પષ્ટ સમજાવ્યું ત્યારે તેણે વિહ્વળતાથી પૂછ્યું કે ધર્મનિમિત્તે કંઈ સૂક્ષ્મ હિંસા થાય તેનું જૈનદર્શનમાં ધર્મરૂપ સ્થાન નથી ? લોકાશાહ – જૈન ધર્મ તો શું પણ કોઈ પણ ધર્મમાં સૂક્ષ્મ હિંસાને ધર્મ તરીકે સ્વીકારી શકાય નહિ. લખમશી લાલચોળ થઈ ગયા અને બોલ્યા, “ત્યારે આપણે જેને જૈન ધર્મના મુખ્ય સ્તંભ ગણીએ છીએ તેવા સાધુઓ પોતે શાસ્ત્રમાં ન હોવા છતાં કેટલીક સૂક્ષ્મ હિંસામાં અનુમોદન આપી રહ્યા છે. સંયમના બદલે સુખપાલખીઓ પર બેસી આચાર્યો બની વિલાસ માણી રહ્યા છે, તપશ્ચર્યાને બદલે ગચ્છભેદના ઝઘડાઓ પ્રવર્તાવી રહ્યા છે, શું આ જૈન ધર્મ છે ?” લોંકાશાહ - ના, આ બધું જૈનધર્મમાં થયેલા વિકારનું પરિણામ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા લખમશી – વિકારને નાબૂદ કરવાનો ઉપાય ? લોંકાશાહ – સત્યનો પ્રચાર. સત્યની શક્તિ વિશ્વમાં વ્યાપક છે. જ્યાં જ્યાં તેનું એક આંદોલન જશે ત્યાં ત્યાં તેની પરંપરા વિકસે જ જશે. અસત્યનો પ્રકોપ ગમે તેટલો પ્રબળ હશે તો પણ સત્યરૂપી સૂર્યના પ્રકાશ આગળ આગિયાની જયોતિની જેમ નિસ્તેજ અને હતો ન હતો થઈ જશે. આ રીતે સંવાદ થવાથી લખમશી ચકાસવા આવ્યા હતા તેના બદલે સત્ય સમજાયાથી પક્કા સહાયક થઈ પડ્યા. પાટણ ગણા પછી એક જબ્બર આંદોલન શરૂ કર્યું. આથી ઘણા લોકાશાહના વિરોધીઓ તેમના સંસર્ગમાં આવ્યા પછી તેમના જ સહાયકો બનતા ગયા. અધિકારવાદના બદલે સ્વાતંત્ર્યવાદ વિકસવા લાગ્યો. એકદા અહટવાડા, પાટણ, સુરત વગેરેના ચાર સંઘ અમદાવાદમાં આવ્યા. ઘણો જ વરસાદ થવાથી ધારવા કરતાં વધુ રોકાવું પડ્યું. તેઓને શ્રીમાન લોકાશાહને જોવાની અને તેમની ચર્ચા સાંભળવાની ઈચ્છા હતી તેથી ચર્ચા કરવા ત્યાં ગયા. સાધુવર્ગનું શૈથિલ્ય, ચૈત્યવાદ અને અધિકારવાદના વિષયની લાંબી ચર્ચાઓ પછી જેમ જેમ તેમનું સમાધાન થતું ગયું તેમ તેમ લોકાશાહ પ્રત્યે માન વધતું ગયું. ઉપરના ચારે સંઘના સંઘવીઓ નાગજી, દલીચંદ, મોતીચંદ અને શંભુજી લોકાશાહના પ્રભાવથી આકર્ષાયા, લોંકાશાહને પૂજ્ય તરીકે સ્વીકાર્યા. આ વાતની સુરિસમ્રાટ સાધુઓને ખબર પડી ત્યારે તેઓ ખૂબ ધૂંધવાયા. ખુલ્લી રીતે લોંકાશાહની વિરુદ્ધ બોલી શકે તેવું ન હતું તેથી બહાનું શોધી કાઢ્યું કે, “સંઘવીઓ ! સંઘના લોકોને ખર્ચ માટે હરકત થશે માટે હવે ક્યાં સુધી પડી રહેશો?” હવે તો સંઘને ચલાવો. સંઘવીઓએ જવાબ આપ્યો, “મહારાજ ! વરસાદ ઘણો પડ્યો હોવાથી જીવની ઉત્પત્તી ખૂબ થઈ ગઈ છે, માટે હમણાં કેમ ચાલી શકાય?” સાધુઓએ કહ્યું, “વળી આવો ધર્મ તમને કોણે શીખવ્યો ? ધર્મના મહાકાર્યમાં આવી સૂક્ષ્મ હિંસા થાય તે ગણાતી હશે ? હિંસાના પાપ કરતાં તીર્થયાત્રાનું ફળ સો, હજાર, લાખ અને તેથીય અધિકગણું વિશેષ છે. બહુ નફા આગળ થોડી ખોટ જાય તેનો કંઈ હિસાબ ગણાતો હશે ?” “મહારાજ! માફ કરો. બહું થયું. તમારા આવી રીતે વર્ષો થયાં બંધાવેલા પાટાઓએ ધર્મપ્રાણ લોકાશાહની ચેતન શક્તિએ મહાવીરનાં વચનો દ્વારા ઉખેડી નાખ્યા છે. હવે અમે ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજતા થઈ ગયા છીએ. ધર્મમાં અધર્મને Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી લોકાશાહ ૭૮ લેશ પણ સ્થાન હોઈ શકે નહિ.” સંઘવીઓએ કહ્યું. આ ઉત્તર સાંભળતાં જ તે બધા સાધુઓ નિરુત્તર બન્યા. સંઘ ત્યાંથી વિખરાયો. આ પ્રમાણે જૈન ધર્મની આ ક્રાન્તિએ ખળભળાટ મચાવી મૂક્યો. આ પ્રસંગે લોંકાશાહના વિચારને અનુસરનારો બહોળો વર્ગ વારંવાર પ્રાર્થના કરવા લાગ્યો કે આપણા વિચારને અનુસરનારો જે કોઈ હોય તેમની એક સંખ્યા નિશ્ચિત થવી જોઈએ. આપ શક્તિમાન છો. આ નેતૃત્વ સ્વીકારો અને પંથ (MissiON)ની સ્થાપના કરો. લોંકાશાહે કહ્યું, “ભાઈઓ ! નવો મત સ્થાપવાની મને જરાય આકાંક્ષા નથી. હું જે કંઈ છું તે ભગવાન મહાવીરની જ મૂડી છે. હું તો માત્ર તેનો દલાલ છું, માટે જે સત્ય તમે સમજ્યા છો તેને આચરવાનો પુરુષાર્થ કરો. શાસનની પ્રભાવના કેવળ ખૂણામાં હશે તો પણ તેની વ્યાપક્તા વેગભર જગતને ખૂણે ખૂણે પહોંચી વળશે.” આ સાંભળીને તે વખતે ત્યાં હાજર રહેલામાંથી ૪૫ જણા તૈયાર થઈ ગયા અને લોકશાહના ચરણે ઢળી પડ્યા, “ઓ પરમ પિતા ! અમને દીક્ષા આપો.” સંવત ૧૫૩૧માં ૪૫ સાધકોએ દીક્ષા અંગકાર કરી. સત્યની સાધના અને તેના પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા. પોતાના ઉપકારી પુરુષનું નામ અમર રાખવા તેમણે લોંકાગચ્છ” એવું નામ રાખ્યું. ચૈત્યવાદની વિરુદ્ધ જબ્બર પ્રચાર થયો તેથી ચૈત્યવાસીઓ ઉશ્કેરાયા. અસત્ય આક્ષેપો આપ્યા પરંતુ જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ થાય છે તેમ મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયો. શ્રીમાન લોંકાશાહના વખતમાં સ્થિતિ કેવી હતી તેનું આબેહૂબ વર્ણન ભાઈ નેનમલજીએ નીચેની કવિતામાં કર્યું છે – યતિયોકે ઉપદેશોને જબ, ભક્તોં કો ભરમાયા થા. અંધશ્રદ્ધાને એ અવનિપર, રાજ્યધ્વજ લહરાયા થા | અંધકાર છાયા થા જગમેં, જ્યોતિ નહિ જબ મિલતી થી ! પાપોંકે બોઝે કે કારન, માતૃભૂમિ સબ હિલતી થી II ધર્મતત્ત્વકો ભૂલ ગયે થે, અંધભક્તિ જબ છાઈ થી ! જૂઠ ઔર કુભાવના જગમેં, જબ સર્વત્ર સમાઈ થી II તબ ઐસે વિકરાલ કાલમે, લોકાશાહ કા જન્મ હુઆ 1 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આ છે અણગાર અમારા ગહન તિમિરસે પૂર્ણ દેશમેં, અદ્ભૂત એક પ્રકાશ હુઆ / ધર્મપ્રાણ લોંકાશાહને, દયાધર્મનો ફેલાયા ! અંધશ્રદ્ધાળુ ભક્તજનોંકા, સત્યધર્મ તબ સિખલાયા ભારત કે કોને કોને મેં, ઉસને ડંકા બજવાયા! ગહન નીંદમેં પડે હુએ કો, ફિરસે ઉસને જગવાયા // સરળ આપકે ઉપદેશોને, બિજલી જૈસા કામ કીયા. ચુંબક બન ઉસ ધર્મવીરને, ભક્તહૃદયકો ખીચ લીયા | આગમ ઉદ્ધારક લોંકાશાહને માર્ટીન લ્યુથર કા કામ કીયા ! હિંસક પૂજા બંધ કરા કે, અહિંસક ઝંડા ફરકાયા ! જે કામ યુરોપમાં માર્ટીન લ્યુથરે કર્યું તે કામ હિંદમાં લોકશાહે કર્યું. લોંકાશાહના સમયમાં દરેક ધર્મમાં મહાપુરુષો થયા હતા. સાધુસંસ્થાના કલ્યાણ માટે લોકશાહે આગમસંમત કેટલાક નિયમો ઘડ્યા હતા તે નીચે મુજબ છે. (૧) આગમસંમત ટીકાઓ જ પ્રામાણિક માનવી. (૨) આગમ અનુસાર દઢતાપૂર્વક સંયમી જીવન વ્યતીત કરવું. (૩) ધર્મ દૃષ્ટિએ પ્રતિમાપૂજન શાસ્ત્રસંમત નથી. (૪) શુદ્ધ, સાત્ત્વિક, શાકાહારી પ્રત્યેક કુળનો આહાર લઈ શકાય. (૫) સ્થાપનાચાર્યની સ્થાપનાની કોઈ આવશ્યકતા નથી. (૬) ઉપવાસાદિ વ્રતમાં દરેક પ્રાસુક પાણી લઈ શકાય. (૭) પર્વ-તિથિ વિના પણ ઉપવાસ કરી શકાય છે. (૮) સાધુઓથી મંત્ર-તંત્ર તથા મંત્રાદિ વિદ્યાઓનો પ્રયોગ કરી ન શકાય. (૯) શ્રાવક ભિક્ષા લઈ શકે પણ દાન ન લે. (૧૦) અનુકંપાથી ગરીબોને દાન દેવું એ પાપ નથી પણ પુણ્ય છે. (૧૧) દંડ રાખવો નહિ. (ઉપરોક્ત નિયમ “હમારા ઈતિહાસ” લે.-અમરમુનિ માંથી લીધા છે) સંવત ૧૫૩ર પછી એ ધર્મક્રાન્તિકાર અને જૈન ધર્મના માર્ટીન લ્યુથરનું જરાજીર્ણ શરીર વીશીર્ણ થવા લાગ્યું અને એક ગોઝારા સમયે તેઓ કાળધર્મ પામ્યા. મતાંતર લોકાશાહના જન્મવર્ષમાં બીજો મત એવો છે કે તેમનો જન્મ સંવત Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી લોકાશાહ ૮૦ ૧૫૮૨માં થયો હતો. અમદાવાદના બદલે અહરડવાડા (રાજસ્થાનના શિરોહી જિલ્લામાં) થયો હતો. કોઈ સ્થળે લોકાશાહ દીક્ષિત થયા હતા અને એમનું નામ લક્ષ્મીવિજયજી અથવા લોકચન્દ્રજી સ્વામી એવું પણ વાંચવા મળે છે. તત્ત્વ કેવળીગમ્ય તેમના મૃત્યુ સંબંધી પણ મતભેદ છે. સંવત ૧૫૪૧ વધુ પ્રચલિત છે. ચૈત્યવાસી યતિઓ પોતાની પોલ ખૂલી જવાથી ખિજાયા અને લોંકાશાહનું નિકંદન કાઢવા માટે દિલ્હીમાં બાદશાહ પાસે ફરિયાદ નોંધાવી. બાદશાહે (લક્ષ્મીવિજયજી) લોંકાશાહને તથા યતિઓને ધર્મપુસ્તકો આદિ સામગ્રી લઈ હાજર થવાની ફરજ પાડી. ઉભય પક્ષના સાધુઓ – યતિઓ આવ્યા. ધર્મચર્ચા થઈ પણ કંઈ ન્યાય થયો નહિ. લોકાશાહ વિહાર કરી વિચરતા વિચરતા જયપુર પધાર્યા. ત્યાં વિરોધીઓએ અમના પારણે ઝેર આપ્યું. એક કવલ લેતાં જ ખ્યાલ આવી ગયો. આહાર પૂરો કરી જાવજીવ સંથારાના પચ્ચકખાણ કર્યા. ૬૯ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૪૮૫, વિ. સં. ૧૫૪૧માં સમાધિપૂર્વક દેહ છોડ્યો. તેમના લગભગ ૪૦૦ શિષ્યો તથા આઠ લાખ શ્રાવકો (અનુયાયીઓ) હતા. સત્યની કેવી તાકાત ! લોંકાગચ્છની પરંપરા એક શતાબ્દી સુધી બરાબર ચાલી. ત્યાર બાદ પારસ્પરિક અનેજ્યના કારણે અનેક દોષો આવ્યા. અંદરોઅંદર વૈમનસ્ય પ્રગટ્યું. ધર્મના ઉપદેશકો જ ભ્રષ્ટ થવા લાગ્યા. ફરી સમય એવો આવ્યો કે લોકાશાહની આવશ્યકતા જણાઈ. શિથિલાચારી ચૈત્યવાસીઓને લોકાશાહ તથા તેમના અનુયાયીઓ તરફ ભારે દ્વેષ જાગ્યો તેથી તેમને “ઢુંઢિયા” કહેવા લાગ્યા પરંતુ શુદ્ધ સનાતન ધર્મનું આચરણ કરવાવાળા સહિષ્ણુ શ્રાવકોએ સમભાવથી એવો વિચાર કર્યો કે ટુંઢિયા” શબ્દ લઘુતાનો દ્યોતક નથી. ધાર્મિક ક્રિયાઓના આડંબરયુક્ત ” આવરણોને ભેદી અહિંસામય, સત્ય ધર્મ શોધવાવાળા (ઢુંઢવાવાળા) ને આપેલ ટુંઢિયા બિરુદ ગૌરવ અપાવે તેવું છે. પ્રખર ફિલોસોફર અને મહાન વિચારક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ પોતાની તટસ્થતા બતાવવા ઐતિહાસિક નોંધમાં લખે છે કે આ શબ્દનું મૂળ રહસ્ય આ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧. આ છે અણગાર અમારા ढुंढत ढुंढत ढुंढ लियो सब वेद पुराण किताबमें जोई। जैसे दहीमें माखन ढूंढत, ऐसो दयामें लियो है जोई ॥ ढुंढत है तब वस्तु पावत, बिन ढूंढे नहीं पावत कोई॥ ऐसो दयामें धर्म है ढूंढय, जीवदया बिन धर्म न होई ॥ ૧૦૦ વર્ષ પછી લોકાગચ્છ ત્રણ વિભાગમાં વહેંચાઈ ગયો. (૧) ગુજરાતી લોંકાગચ્છ (૨) નાગૌરી લોંકાગચ્છ (૩) ઉત્તરાર્ધ લોંકાગચ્છ. પાટ-૫૦ પૂ. શ્રી ભાણજી ઋષિ : જન્મભૂમિ રાજસ્થાન શિરોહી જિલ્લાના અરહટવાડાના રહીશ. જ્ઞાતે પોરવાડ વિ. સંવત ૧૫૩૧માં છત્રી ઋદ્ધિનો ત્યાગ કરી ૪૫ પુરુષો સાથે અમદાવાદમાં દીક્ષા લીધી. પાટ-૫૧ પૂ. શ્રી ભિદાજી ઋષિઃ શિરોહીના રહીશ ઓસવાળ; સાથરિયા ગોત્રી. પોતાના કુટુંબના ચાર પુરુષો સાથે પુષ્કળ દ્રવ્ય છોડી વિક્રમ સં. ૧૫૪૦માં ભાણજી ઋષિ પાસે દીક્ષા લીધી. પાટ-પર પૂ. શ્રી લુણાજી ઋષિ (મુનાજી ઋષિ) : જાતે ઓસવાળ, પુષ્કળ દ્રવ્ય છોડી સંવત ૧૪૫૬માં શ્રી ભિદાજી ઋષિ પાસે દીક્ષા લીધી. પાટ-૫૩ પૂ. શ્રી જગમાલજી ઋષિ : લાખોની સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. (પાલીતાણાના રહીશ) પાટ-૫૪ પૂ. શ્રી જગમાલજી ઋષિ : નાનપુરા ગામના રહીશ. વીસા ઓસવાળ સુરાણા ગોત્રી, લાખો રૂપિયાનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી. (સંવત ૧૫૫૦) પાટ-પપ પૂ. શ્રી સરવાજી ઋષિ (સરવોજી ઋષિ): વીસા ઓસવાળ. બાદશાહના વજીર હતા. શ્રી જગમાલજી ઋષિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તૈયાર થયા ત્યારે અકબર બાદશાહે કહ્યું કે – सखा ! ये संसार एक अजब चीज है, दुनिया के बीच रहेना अजब चीज है। આ વાક્ય સાંભળી સરવાજીએ કહ્યું કે – बादशाह ! ये हि दुनियामें मरण अजब चीज है। कितनी भी मौज उडाओ लेकिन एक दिन मरना होगा । आना न पडे इस कारन से मैं संसार त्यागता हूं। બાદશાહ મૌન રહ્યા. ઉપર્યુક્ત ઉત્તર આપી સરવાજીએ ઘણું દ્રવ્ય છોડીને સંવત ૧૫૫૪માં દીક્ષા લીધી. પાટ-પ૬ પૂ. શ્રી રૂપઋષિજી : અણહીલપુર પાટણના રહીશ. વેદગોત્રી. જન્મ સંવત ૧૫૫૪. ઘણું દ્રવ્ય છોડી નાની ઉંમરમાં સં. ૧પ૬૬માં સ્વયં દીક્ષા લીધી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮ર શ્રી લોકાશાહ સં. ૧પ૬૮માં પાટણમાં ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લોકાગચ્છમાં ભળ્યા. ૧૯ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૫૮૫માં બાવન દિવસનો સંથારો કરી સ્વર્ગે ગયા. પાટ-પ૭પૂ. શ્રી જીવાજી ઋષિઃ સુરતના રહીશ. પિતાનું નામ તેજપાલ શાહ, માતાનું નામ કપૂરાબાઈ. જન્મ સંવત ૧૫૫૧ મહાવદી-૧૨. સંવત ૧૫૭૮માં ઘણું દ્રવ્ય છોડી દીક્ષા લીધી. સં. ૧૫૮૫ની સાલમાં અમદાવાદ ઝવેરીવાડમાં લોકાગચ્છના નવલખી ઉપાશ્રયમાં પૂજય પદવી મળી. સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબોધી શ્રાવક કર્યા હતા. ૩૫ વર્ષ સંયમ પાળી સંવત ૧૬ ૧૩માં સંથારો કરી સ્વર્ગવાસી થયા હતા. એમના વખતમાં શિરોહીની રાજ્ય કચેરીમાં શિવમાર્ગી ને જિનમાર્ગીઓ વચ્ચે વાદ થયો હતો એમાં જૈન યતિઓ હાર પામવાથી તેમને દેશ છોડી જવાનો હુકમ થયો. એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવાજી ઋષિને ખબર પડવાથી પોતાના શિષ્ય વરસિંગજી તથા કુંવરજી વગેરેને ત્યાં મોકલ્યા. તેમણે ચર્ચા કરીને જૈન ધર્મની વિજય ધ્વજા ફરકાવી હુકમ પાછો ખેંચાવી લીધો. તે સમયમાં ૧૧૦૦ ઠાણા લોકાગચ્છના હતા પરંતુ સંપ તૂટવાથી અને બીજાં કારણોથી એકમાંથી ત્રણ વિભાગ થયા. પાટ-૫૮ પૂ. શ્રી મોટા વરસિંગજી સ્વામી : તેમને ૧૬૧૩ ને જેઠ વદી-૧૦ના દિવસે વડોદરાના ભાવસારોએ શ્રી પૂજ્યની પદવી આપી ત્યારથી તેમના પક્ષને “ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષ" એવું નામ આપ્યું અને વડોદરામાં ગાદી સ્થાપી. પાટ-૫૯ પૂ. શ્રી નાના વરસિંગજી સ્વામી સંવત ૧૬૨૭માં ગાદીએ બેઠા, સં. ૧૬૫રમાં દિલ્હીમાં ૧૦ દિવસનો સંથારો કરી સ્વર્ગવાસી થયા હતા. પાટ - ૬૦ પૂજ્ય શ્રી યશવંતઋષિજી. પાટ - ૬૧ પૂજ્ય શ્રી રૂપસિંહજી ઋષિ. પાટ - ૬૨ પૂજ્ય શ્રી દામોદરજી ઋષિ. પાટ - ૬૩ પૂજ્ય શ્રી કર્મસિંહજી ઋષિ. પાટ - ૬૪ પૂજ્ય શ્રી કેશવજી ઋષિ. પાટ - ૬૫ ધર્મોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી જન્મ-૧૭૮૧ દીક્ષા ૧૭૬૧ આસો સુદ – ૧૧, આચાર્યપદ ૧૭૨૧ મહાસુદ-૫ ઉજજૈન સ્વર્ગવાસ : ધારાનગરી ૧૭૫૯ અષાઢ સુદ-૫. Page #96 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ( પંચમુખી ક્રિયોદ્ધાર ) સદીઓ પહેલાં યતિ શબ્દ સાધના માટે વપરાતો હતો. યતિ શબ્દની વ્યુત્પત્તિ યમ્ ધાતુ પરથી થઈ છે. એમના નિયંત્રત્ યતિ છે અથવા યમ-થાRUTIટૂ પતિ: અર્થાત્ ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર યતિ કહેવાય. એ શબ્દનો વાસ્તવિક અર્થ ભુલાઈને ખાનપાન, મોજશોખ, કીર્તિ-લાલસા ઈત્યાદિ આત્માના મૂળ ગુણોનો હ્રાસ કરનારી પ્રવૃત્તિઓ શરૂ થઈ કિન્તુ કાળની ગતિ બહુ વિચિત્ર છે. નીચૈઋત્યુપર વરશ નેમિપેજ ગાડીનાં પૈડાની જેમ સાસરમાં બધાની દશા પરિવર્તિત થાય છે. સત્તરમી સદીની શરૂઆત સુધી લોંકાગચ્છની ધાર્મિક પ્રગતિ પૂર્ણરૂપથી ચાલી પણ પાછળથી જેટલા વેગથી વિકાસ થયો, દુર્ભાગ્યવશ તેટલા જ વેગથી આચાર વિચારમાં શિથિલતા આવી. જનતાને સાચો માર્ગ બતાવનારાઓની નિતાન્ત જરૂરિયાત જણાઈ. એવા સમયમાં પાંચ મહાપુરુષો અવતરિત થયા. (૧) શ્રી જીવરાજજી સ્વામી (૨) શ્રી લવજી ઋષિજી સ્વામી (૩) શ્રી ધર્મસિંહજી સ્વામી (૪) શ્રી ધર્મદાસજી સ્વામી (૫) શ્રી હરજી ઋષિજી સ્વામી. આ પાંચ મુનિપુંગવોએ ચારે દિશામાં સત્યધર્મનો સિંહનાદ કર્યો. પુનઃ જનતાનું સૂતેલું સિંહત્વ જાગૃત થયું. ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો. સરોવર તરુવર સંત જન, ચોથા વરસે મેહ પરમારથકે કારણે, ચારોં ધરિયા દેહ , - - - 'પ્રથમ સુધારક શ્રી જીવરાજજી ઋષિ (લોંકાશાહની આઠમી પાટ પર આવેલા પૂજ્ય શ્રી જીવાજી ઋષિના શિષ્ય જગાજી ઋષિ, તેમના શિષ્ય) શ્રી જીવરાજજી ઋષિ હતા. તેમણે સૌથી પહેલાં યતિ વર્ગમાંથી જુદા પડી વિક્રમ સંવત ૧૬૬૬માં ક્રિયોદ્ધાર કર્યો અને મારવાડમાં શુદ્ધ જૈન ધર્મના ઉપદેશની ઘોષણા કરી. તેમના જન્મ તથા માતા-પિતા આદિ વિષયમાં પ્રામાણિક ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. કોઈ ઈતિહાસજ્ઞોનો મત છે કે જીવરાજજીનો વિવાહ થયેલો, તેમના યૌવનનો કેટલોક ભાગ આમોદ પ્રમોદમાં વ્યતીત થયેલો. કેટલાક દિવસો બાદ તેઓ ભોગથી ઉદાસીન થઈ ગયા. ભોગમાર્ગને છોડી ત્યાગમાર્ગ પર પ્રયાણ કરવા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી જીવરાજજી ઋષિ ઈચ્છતા હતા. માતા-પિતા, પત્ની આદિ કુટુંબીજનો પાસે દીક્ષાની અનુમતિ માગી. તેમનો નિશ્ચિત નિર્ણય જોઈ કુટુંબીજનોને અનુમતિ આપવી પડી. તે સમયમાં પીપાડ શહેરમાં લોકાગચ્છના યતિશ્રી જેતરાજજી બિરાજતા હતા. તેઓ પ્રસિદ્ધ યતિરાજ હતા. જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. જીવરાજજી તેમના દર્શનાર્થે ગયા. આગન્તુક વૈરાગીના પુણ્ય ચીહ્નો જોઈને તેઓ પ્રસન્ન થયા. ધર્મ સંભળાવ્યો. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈ વિ. સં. ૧૬૫૪ (લગભગ) શ્રી તેજરાજજી યતિ પાસે દીક્ષિત થયા. ન દીક્ષા બાદ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. સત્યનું દર્શન થયું. અનેક વખત ગુરુદેવને શાસ્ત્રીય પ્રશ્નો કર્યા; પણ સંતોષજનક ઉત્તર ન મળ્યો તેથી તેમણે નિશ્ચય કર્યો કે યતિમાર્ગ સાધનાપથથી સર્વથા વિપરીત છે. તેને છોડવામાં જ ભલાઈ છે. મુત્તસ્ય મળેળ વરિષ્ન મિલ્લૂ સૂત્રાનુસાર સાધુએ આચરણ કરવું જોઈએ. આ વાત તેમણે પોતાના ગુરુદેવને કરી, પરંતુ ગુરુમહારાજે કહ્યું કે આજના ભયંકર જમાનામાં સાધુચર્યાયુક્ત કઠોર જીવનનું પાલન શક્ય નથી. શાસ્ત્રોનો માર્ગ આદર્શ માર્ગ છે; પરંતુ તે વ્યવહાર્ય નથી. આમ ગુરુ-શિષ્ય વચ્ચે ઘણો સમય વિચારણા ચાલી, પરંતુ ગુરુદેવ ગચ્છની મમતા ત્યાગી ન શક્યા. વિ.સં. ૧૬૬૬માં જીવરાજજી સ્વામી જુદા થયા. તેમની સાથે અમીપાલજી, મહીપાલજી, હીરોજી, ગિરધરજી અને હરજી આ પાંચ મુમુક્ષુઓએ પણ યતિમાર્ગનો પરિત્યાગ કર્યો. પીપાડ નગરની બહાર છ એ કલ્યાણપથના પથિકોએ એક વૃક્ષ નીચે બેસી ભવિષ્યના કર્તવ્યનો નિર્ણય કર્યો. અરિહંત, સિદ્ધને ભાવવંદના કરી, ભૂતકાળના યતિ જીવનના દોષોની શુદ્ધ હૃદયપૂર્વક આલોચના કરી તથા પૂર્વાભિમુખ થઈ પાંચ મહાવ્રતનો પુનઃ સ્વીકાર કર્યો. (મતાંતરે શ્રી જીવરાજજી સ્વામીનો જન્મ સુરતમાં સંવત ૧૫૮૧ના શ્રાવણ સુદી-૧૪ને મધ્યરાત્રિએ શ્રી વીરજીભાઈની ધર્મપરાયણ ભાર્યા કેશરબહેનની કુક્ષિએ થયો હતો. તેમણે ૧૯૦૧માં (વિ.સં.) શ્રી જગાજી યતિ પાસે દીક્ષા લીધી હતી તેઓ જગાજી યતિના શિષ્ય હતા તે પહેલાં જ કહ્યું છે તે આ મત પ્રમાણે સમજવું. સંવત ૧૬૦૮માં તેમણે ક્રિયોદ્ધાર કર્યો.) શ્રી જીવરાજજી સ્વામીની આચાર-વિચાર ક્રાન્તિએ ફરીથી એક વખત તિ સમાજમાં ખળભળાટ મચાવ્યો. પ્રતિષ્ઠા, સુખ અને ઐશ્વર્યના નામ પર ક્યારેક માણસ સત્યનો બલિ ચઢાવી દે છે. આ વાત યતિઓ માટે પૂર્ણતઃ લાગુ પડે છે. હજારોની સંખ્યામાં લોકોએ તેમને ધર્મગુરુ તરીકે સ્વીકાર્યા. માલવા, મારવાડ અને Page #98 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૮૫ મેવાડ આદિ અને પ્રાંતોમાં વિહાર કરી તેમણે સારું સન્માન પ્રાપ્ત કર્યું. પૂજ્ય શ્રી જીવરાજજી મહારાજ લોકાશાહના સિદ્ધાન્તોના પ્રબળ સમર્થક હતા. તેમણે પણ આગમવિરુદ્ધ મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. બત્રીસ સૂત્રોને પ્રામાણિક માન્યા. મુહપત્તિ મુખ ઉપર જ બાંધવી જોઈએ, હાથમાં રાખવાથી પ્રમાદ જન્ય દોષો લાગે છે. તેઓ સ્પષ્ટપણે માનતા કે – મુખ બાંધી તે મહુપત્તિ, હેડકી પાટો ધાર ! અતિ હેઠી દાઢી થઈ, જોતર ગળે નિરધાર ! એક કાને ધ્વજ સમ કહી, ખભે પઠેડી ઠામ ! કેડે ખોસી કોથળી, નાવી પુણ્યને કામ || તેમ જ શિવ પુરાણના એકવીસમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં જૈન સાધુનું વર્ણન છે તે પણ આ વાતને પુષ્ટ કરે છે. हस्ते पात्रं दधानाच, तुण्डे वस्त्रस्य धारकाः । मलिनान्येव वस्त्राणि, धारयन्तोऽ ल्पभाषिणः ॥ અર્થ : જૈન સાધુઓ હાથમાં પાત્ર રાખે છે, મોઢા ઉપર વસ્ત્ર ધારણ કરે છે, વસ્ત્રો મલિન હોય છે અને ઓછું બોલે છે. તેમણે સાધુ સામાચારીના અને શાસ્ત્રાનુકૂલ નિયમોનું નિર્માણ કર્યું હતું. સાધુ તથા શ્રાવક વર્ગ પણ તેનું પાલન કરતા હતા. પૂજય શ્રી જીવરાજજી સ્વામી વક્તાની સાથે કવિ પણ હતા. તેમની કવિતાઓ સાધ્વાચારને અનુરૂપ હતી. | વિ. સં. ૧૬૯૬ની આસપાસ તેઓ આગ્રામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. જોકે તેમને અગાઉથી ખ્યાલ આવી ગયો હતો. 'દ્વિતીય સુધારક શ્રી ધર્મસિંહજી સ્વામી - -- -- --- - હાલાર પ્રાન્તની રાજધાની જામનગર શહેરમાં આ મહાપુરુષનો જન્મ થયો હતો. પિતાનું નામ જિનદાસ અને માતાનું નામ શિવબાઈ હતું. માતા-પિતાના ધાર્મિક સંસ્કારોનું બીજારોપણ શ્રી ધર્મસિંહજીમાં થયેલું હોવાથી બાળવયથી જે તેમનામાં ધાર્મિક સંસ્કારોનો પ્રાદુર્ભાવ થયો હતો તેથી તેઓ જયાં જયાં ધર્મની વાતો થતી હોય ત્યાં ત્યાં રસપૂર્વક સાંભળતાં અને તેના ઉપર ખૂબ જ મનન કરતાં. નાનપણથી જ સ્મરણશક્તિ અભુત હોવાથી અલ્પ સમયમાં વ્યાવહારિક કેળવણી મેળવી લીધી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ધર્મસિંહજી સ્વામી એકદા લોંકાગચ્છના શ્રી રત્નસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માગી પરંતુ મોહના કારણે તેમણે પુત્રને સંસારમાં રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો છતાં પુત્ર સંસારમાં રહ્યો નહિ. માતા-પિતાને યુક્તિપૂર્વક સંસારની અસારતા સમજાવી રજા મેળવી, એટલું જ નહિ પરંતુ પુત્રની સાથે પિતા પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. આખરે પિતા-પુત્રે શિવજી ઋષિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ અલ્પકાળમાં ધર્મસિંહ મુનિ આગમ, વ્યાકરણ, તર્ક અને દર્શનશાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન થયા. તેમની ધારણા શક્તિ ખૂબ જ હતી. પંડિત્યની સાથે તેઓ બન્ને હાથ અને બન્ને પગની આંગળીમાં કલમ પકડી લખી શકતા તેમ જ તેઓ અવધાન પણ કરતા હતા. પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજને જેમ જેમ શાસ્ત્ર સિદ્ધાન્તોનું જાણપણું થતું ગયું તેમ તેમ મનોમંથન વધી ગયું. યતિઓની પ્રવૃત્તિ પર ધૃણા થઈ. એક વખત અસલી દૂધ પીધા પછી નકલી દૂધ પીવા કોણ ઈચ્છે? સાધુતાના નામે શિથિલાચાર તેમને પસંદ ન હતો. એક વખત દઢ સંકલ્પ કરી ગુરુમહારાજ પાસે આવ્યા અને કહ્યું, “ગુરુદેવ ! પરમાત્માએ ભગવતી સૂત્રના વીસમા શતકમાં ફરમાવ્યું છે કે મારું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે. મનુષ્યભવ મળ્યો, વીતરાગદેવનો શુદ્ધ માર્ગ મળ્યો હવે આપણે કાયરતા તજી દેવી જોઈએ. સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ.” શિષ્યની યથાર્થ વાત સાંભળીને ગુરુમહારાજે કહ્યું, “આજના યુગમાં શુદ્ધ સંયમનું પાલન કરવું અસંભવિત છે. વળી મારી અવસ્થા પણ મોટી થઈ છે. તમે કહો છો તે માર્ગે હું ચાલી નહિ શકું. જો તમારે તમારો ઉદ્ધાર કરવો હોય તો મારી આજ્ઞા છે પરંતુ પરીક્ષામાં સફળ થવું પડશે.” પૂ. ધર્મસિંહજી મહારાજે કહ્યું, “કબૂલ.” ત્યારે ગુરુમહારાજે કહ્યું, “આજની રાત પ્રસિદ્ધ દરિયાખાનની દરગાહમાં રહો. સવારે મારી છેવટની આજ્ઞા લેવા આવજો.” ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી શ્રી ધર્મસિંહજી મહારાજ તે જગ્યાએ જવા માટે પ્રયાણ કર્યું. યક્ષના સ્થાન પાસે પહોંચ્યા. ત્યારે માત્ર બે ઘડી દિવસ બાકી હતો. ત્યાં બેઠેલા મુસલમાન ભાઈઓ પાસે દેવળમાં રહેવાની આજ્ઞા માગી. આ સાંભળી પેલા ભાઈઓએ કહ્યું, “પતિજી ! તમને શું આ દરિયાખાન પીરની તાકાતની ખબર નથી ? મરવું હોય તો ખુશીથી અહીં રાત રહો.” ધર્મસિંહજી મહારાજ કહે, Page #100 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૮૭ “ભાઈ ! મને તો મારા ગુરુની આજ્ઞા છે અને ઞજ્ઞા ગુસાંઘવિદ્યારળીયા ।ગુરુની આજ્ઞામાં કાંઈ વિચાર કરવાનો ન હોય.” રહેવાની આજ્ઞા લઈ ધર્મસિંહજી મહારાજ ત્યાં રાત્રિવાસ રહ્યા. જેમ જેમ રાત્રિ વ્યતીત થવા લાગી તેમ તેમ તે જગ્યા બિહામણી બનતી ગઈ. હંમેશના નિયમ મુજબ યક્ષ પ્રગટ થયો. મુનિશ્રી શાસ્ત્ર-સિદ્ધાન્તના સ્વાધ્યાયમાં તલ્લીન બની ગયા હતા. યક્ષ મુનિશ્રી તરફ એકાગ્ર દૃષ્ટિથી જોવા લાગ્યો. કદી નહિ સાંભળેલા શબ્દો તેણે સાંભળ્યા તેથી તે આશ્ચર્ય પામ્યો, એટલું જ નહિ પણ એના હૃદયનું પરિવર્તન થઈ ગયું. મુનિશ્રી તરફ માનની લાગણી જન્મી. વૈર ભૂલી જઈ મુનિનાં ચરણોમાં નમસ્કાર કર્યા. દેવના હ્રદયનું પરિવર્તન જોઈ ધર્મસિંહજી મહારાજે તેને બોધ આપ્યો. તે સદ્બોધથી પ્રેરાઈને હવે પછી કોઈ પણ પ્રાણીને આ સ્થાનકમાં ઉપદ્રવ નહિ કરવાનો નિશ્ચય કર્યો. પોતાની શુભ ભાવના બતાવી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. શ્રી ધર્મસિંહજી મહારાજ કસોટીમાંથી પાર ઊતરી ગયા. આ બધો પ્રભાવ ગુરુકૃપા, હૃદયની દઢતા, ધર્મશ્રદ્ધા અને વીતરાગ વાણીનો હતો. ધન્ય છે આવા મહાન પ્રભાવક મુનિરાજને ! "" સવાર પડતાં જ અનેક મનુષ્યો શું થયું છે તે જોવાના ઈરાદે દરિયાખાનની જગ્યા પાસે આવી પહોંચ્યા. ત્યાં તો સૌએ આશ્ચર્ય વચ્ચે મુનિરાજને સહિસલામત ધ્યાનસ્થ સ્થિતિમાં જોયા. થોડીવાર પછી ધર્મસિંહજી મહારાજે સૌને ગત રાત્રિની વાત કરીને કહ્યું, “હવે આ સ્થાન વીતરાગ દેવની કૃપાથી ભયરહિત બન્યું છે.’ ચાર ઘડી દિવસ ચડ્યા પછી ધર્મસિંહજી મહારાજ કાળુપુરના ઉપાશ્રયે આવ્યા અને ગુરુમહારાજને ભાવપૂર્વક વંદન કર્યા. કસોટીમાંથી પાર ઊતરેલા જાણી ગુરુમહારાજે તેમની મુક્તકંઠે પ્રશંસા કરી અને કહ્યું કે, “તમારા શૂરાતન ભરેલા કાર્યથી હું સંતોષ પામ્યો છું. તમને શુદ્ધ ત્યાગમાર્ગ ગ્રહણ કરવાની આજ્ઞા આપું છું.’” જાઓ અને ભગવાન મહાવીરના શાસનને દીપાવો. શિવાસ્તે સત્તુ પન્થાન:। આ પ્રસંગ સંબંધી એક ઐતિહાસિક નોંધ મળે છે. સંવત સોળ પંચાસીએ, અમદાવાદ મોઝાર । શિવજી ગુરુકો છોડ કે, ધર્મસિંહ હુવા ગચ્છ બહાર ॥ આમ ગુરુનું આશીર્વચન મેળવી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા ઈચ્છતા કેટલાક યતિઓને સાથે લઈ ધર્મસિંહજી મહારાજ દરિયાપુર દરવાજા બહારના ઈશાન ખૂણામાં આવેલા એક ઉદ્યાનમાં પ્રવેશ્યા અને ત્યાં પુનઃ દીક્ષા ધારણ કરી. તે સાલ હતી સંવત ૧૬૮૫. (જ્યારે ‘હમારા ઈતિહાસ’' પુસ્તકમાં લવજી ઋષિ તરફથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ધર્મસિંહજી સ્વામી પ્રેરણા મેળવી ૧૬૯૪માં પુનઃ દીક્ષા લીધી તેવો ઉલ્લેખ મળે છે.) દીક્ષા લીધા પછી દરિયાપુર દરવાજા પાસે આવી દરવાનની આજ્ઞા લઈ ઓટલા ઉપર બેસી જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. સત્યધર્મનો ઉપદેશ જનતાને રુચે તે સ્વાભાવિક હતું; તેથી ઘણા લોકો તેમનો ઉપદેશ દરરોજ સાંભળવા લાગ્યા. તેમાં દલપતરાયજી નામના બાદશાહના કામદાર રોજ આ રસ્તે થઈને સાબરમતી નદીના કિનારે બાદશાહને મળવા જતા. તેઓ પૂ. શ્રીના અલૌકિક બોધથી પ્રસન્ન થયા અને જૈન ધર્મના અનુરાગી બન્યા. ગુરુભક્તિથી પ્રેરાઈને દલપતરાયજીએ ધર્મસિંહજી મહારાજને પોતાના એક વધારાના મકાનમાં ઉતારો આપ્યો. જે મકાનમાં ઉતારો આપ્યો તે જ મકાન હાલ છીપાપોળમાં આવેલો ઉપાશ્રય જે પુરાતન કહેવાય છે. પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજના શુદ્ધ ઉપદેશને અનુસરનારો જે સમૂહ થયો તે હાલ “દરિયાપુરી સંપ્રદાય”ના નામે પ્રસિદ્ધ છે. પૂજય શ્રી ધર્મસિંહજી મહારાજ તથા તેમનું શિષ્યમંડળ વીતરાગ પ્રણીત શાસ્ત્રાનુસાર આચારનું પાલન કરતા હતા. એક વાર તેઓ પોતાના શિષ્યોને વિનયનું માહાસ્ય સમજાવતા હતા. તે વખતે ત્યાં બેઠેલા બ્રાહ્મણને શંકા પડી. તેણે ધર્મસિંહજી મહારાજને નમ્રભાવે પૂછયું, “મહારાજ ! આપ જે પ્રકારનું વિનયનું સ્વરૂપ બતાવો છે તે પ્રમાણે આજના જમાનામાં વર્તન થતું હશે ?” “હા.” પૂજયશ્રીએ ટૂંકમાં જવાબ આપ્યો, પરંતુ વિપ્રને સંતોષ ન થયો. આ વાતની પ્રત્યક્ષ સાબિતી કરવા માટે પોતાના સુંદરજી નામના શિષ્ય કે જે એકાંતમાં શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા, તેમને બોલાવ્યા. મુનિશ્રી હાથ જોડી ઊભા રહ્યા. પણ ધર્મસિહજી મહારાજ તેમની સાથે કાંઈ પણ વાત કર્યા વગર બ્રાહ્મણ સાથે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા. થોડીવાર પછી મુનિ પોતાના સ્થાને જતા રહ્યા. પુનઃ શિષ્યને બોલાવ્યા. મુનિ હાજર થયા પરંતુ ગુરુદેવે આ વખતે પણ સામે જોયું નહિ. મુનિ સ્વસ્થાને ગયા. ફરીને ત્રીજી વખત બૂમ પાડી. મનમાં લેશ પણ ક્ષોભ પામ્યા વગર સુંદરજી ગુરુદેવ પાસે આવી ઊભા રહ્યા પરંતુ ગુરુમહારાજ મૌન રહ્યા. આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામી બોલી ઊઠ્યો, “મહારાજ ! આપ કહો છો તે વિનયનું પાલન અક્ષરશ: મેં આપના શિષ્યમાં જોયું.” પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક વાર એક બ્રાહ્મણ પંડિત એક હજાર શ્લોકવાળો નવો ગ્રન્થ લઈને ધર્મસિંહજી મહારાજ પાસે આવ્યો અને કહ્યું, “મહારાજ! આ શ્લોકોના અર્થ મને આવડતા નથી, આપ કૃપા કરી સમજાવશો?” “હા, આજે તમે આ ગ્રન્થ આપતા જાવ, આવતી કાલે Page #102 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સવારે આવજો, હું તેના અર્થ સમજાવીશ.” તેમ પૂ.શ્રીએ ઉત્તર આપ્યો. બ્રાહ્મણના ગયા પછી પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજે ગ્રન્થના ૫૦૦ શ્લોક શિષ્ય સુંદરજીને મુખપાઠ કરવા આપ્યા તથા ૫૦૦ શ્લોક પોતે કર્યા. રાત્રે પ્રતિક્રમણ પછી ગુરુ-શિષ્યે અરસપરસ તમામ શ્લોકો મોઢે કરી લીધા. બીજા દિવસે સવારે તે બ્રાહ્મણ પંડિત આવ્યો. ત્યારે પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજે બધા શ્લોકો મોઢે બોલી અર્થ સમજાવ્યા. પંડિત આશ્ચર્યમાં પડી ગયા કે આ ગ્રન્થ એકદમ નવો છે, મારા સિવાય કોઈની પાસે નથી અને આમને આટલા ટૂંકા ગાળામાં મોઢે કેમ થઈ ગયો. તેમણે પૂછ્યું, “મહારાજ ! આ ગ્રન્થ આપને મોઢે ક્યારથી છે ?” ગઈ કાલથી જ. મુનિશ્રીએ જવાબ આપી બધી હકીકત કહી. પેલા પંડિત તેમની સ્મરણશક્તિ અને પરિશ્રમની મુક્તકંઠે પ્રશંસા કરી અને તે જૈન ધર્મનો અનુયાયી થયો. ૮૯ પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજે સત્તાવીશ આગમો ઉપર તત્ત્વપૂર્ણ ટબ્બા લખ્યા છે. (ભગવતી, જીવાભિગમ, પક્ષવણા, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ સિવાય) તેઓશ્રી અકાલ મૃત્યુને માનતા ન હતા. આયુષ્ય તૂટવાનાં સાત કારણોને તેઓ સ્વીકરતા ન હતા. તેઓની માન્યતા હતી કે સાધુને નવ કોટિએ સામાયિક હોય તો શ્રાવક આઠ કોટિએ સામાયિક કરી શકે. આજે પણ દરિયાપુરી સંપ્રદાયની સામાચારી કંઈક અંશે જુદી છે. કચ્છ આઠ કોટિ મોટિ પક્ષ તથા નાની પક્ષ સંપ્રદાયે પણ તેમનું અનુકરણ કરી આઠ કોટિથી શ્રાવકો સામાયિક વગેરેની આરાધના કરે છે. આ ત્રણ સંપ્રદાય સિવાય તમામ સ્થાનકવાસી, દેરાવાસી, દિગમ્બર તથા તેરાપંથીના બધા શ્રાવકો છ કોટિએ જ સામાયિક વગેરે કરે છે. પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજે બીજાં પણ કેટલાંક ઉપયોગી પુસ્તકો લખ્યાં છે. તેમનો જૈન સમાજ ઉપર મોટો ઉપકાર છે. તેઓને સારણગાંઠનું દર્દ હોવાથી ગુજરાત અને કાઠિયાવાડના અમુક પ્રાન્ત સિવાય દૂરના પ્રાન્તોમાં વિહાર કરી શક્યા નહિ તેથી તેમનો સંપ્રદાય પણ એટલા જ વિસ્તારમાં છે. તેઓશ્રી ૪૩ વર્ષ દીક્ષા પાળી વિ. સંવત ૧૭૨૮ આસો સુદ૪ના દિવસે સ્વર્ગવાસ પામ્યા, Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી લવજી ઋષિજી સ્વામી 'તૃતીય સુધારક શ્રી લવજી ઋષિજી સ્વામી સુરત શહેરમાં (ગોપીપુરામાં) જૈન લોકાગચ્છાનુયાયી દશા શ્રીમાળી વણિક વીરજી વોરા” નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમના સંબંધી એવું કહેવાય છે કે નાની ઉંમરમાં તેઓ ગરીબ હતા જેથી એક વૈષ્ણવધર્મી શેઠને ત્યાં નોકરી કરતા હતા. તે શેઠના વતી હંમેશા તેઓ દૂધની એક તાંબડી ભરી વલંદાની કોઠી પાસે કોઈ પશ્ચિમ તરફ રાંદેર ગામના રસ્તે તાપી નદીમાં નાખવા જતા હતા. એક વખત રસ્તામાં એક સર્ષ આવીને ઊભો રહ્યો અને વીરજી વોરાના જવાનો માર્ગ રોકવા લાગ્યો, આથી તેમણે વિચાર્યું કે આ સર્પને દૂધ પીવાની ઈચ્છા લાગે છે. તેમણે દૂધની તે તાંબડી સર્પના મોઢા આગળ મૂકી; એટલે તે સર્પ બધું દૂધ પી ગયો. પછી વીરજી વોરાએ પાછું ફરવા માંડ્યું, ત્યારે પણ સર્પ તેમની આડે આવીને ઊભો રહ્યો. થોડી વાર પછી તે સર્વે વીરજી વોરાના વસ્ત્રનો એક છેડો પોતાના મોઢામાં લઈને તેમને કોઈક જગ્યાએ લઈ જવાનો સંકેત કરવા લાગ્યો. વીરજી વોરા સર્પની પાછળ ચાલવા મંડયા. સર્પ તેમને નદીકિનારે લઈ ગયો અને ત્યાં પડેલી એક શિલાને ભરડો દઈને શિલા ઊંચી કરી. એટલે ત્યાં એક મોટું ભોયરું દેખાયું, તેમાં તે વીરજી શેઠને લઈ ગયો. તે વખતે સર્પે પોતાની પાસેનો મણિ કાઢી પોતાના માથા પર મૂક્યો, એટલે ભોંયરામાં પ્રકાશ થયો. આગળ જતાં પુષ્કળ ધનથી ભરેલો એક ભંડાર દેખાયો; તે સાથે ત્યાં દેવતાઈ ભૂંગળો વાગતી સંભળાઈ. આ બધું ધન જાણે સર્પ વીરજી વોરાને અર્પણ ન કરતો હોય, તેમ તેણે પોતાની ફેણ વીરજી વોરાના માથે ધરી ખુશી બતાવી. તે બધું ધન ગણતા છપ્પન ક્રોડ સોનૈયા હતા એમ કહેવાય છે તેથી છપ્પન ઉપર ભૂંગળ વાગતી હતી. હાલમાં ગોપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે, ત્યાંથી રાંદેરનો પૂલ બંધાયેલો છે ત્યાં સુધી ભોંયરું હતું એમ કહેવાય છે. તે બધું ધન વીરજી વોરાએ ગ્રહણ કરેલું તેથી તેઓ સમૃદ્ધિવાન થયા હતા અને મોટો વેપાર કરતા હતા. શ્રી વીરજી શેઠને નગરશેઠની પદવી મળી હતી. તેઓ ઘણા રાજાઓને મદદ કરતા તેથી રાજ તરફથી તેમને ખૂબ માન મળતું. તેઓ લોંકાગચ્છીય જૈન હોવાથી દિવાળીના દિવસે પૌષધ કરતા અને એકમના દિવસને શારદાપૂજન કરતા. ગામ લોકો પણ તેમનું જ અનુકરણ કરતા. અત્યારે પણ સુરતમાં તે પ્રમાણે પૂજન થાય છે અને તે પડવાને “વીરજી વોરાનો પડવો' કહેવાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૧ આ છે અણગાર અમારા લોકાગચ્છની ત્રણ શાખાઓ પૈકી કેશવજી ગચ્છની શાખાને વીરજી વોરા માનતા હતા તે વખતે તે ગચ્છના વરજાંગજી નામના યતિ ત્યાં બિરાજતા હતા. તેઓ સાધુના આચારવિચારમાં કાંઈક શિથિલ હતા પરંતુ બીજાઓની જેમ તદન શિથિલાચારી ન હતા. વીરજી વોરાને ફુલબાઈ નામની એક પુત્રી હતી તેને યોગ્ય ઉંમરે સુરતમાં જ પરણાવી હતી. મહાપુરુષ શ્રી લવજી સ્વામીનો જન્મ આ ભાગ્યશાલી બાઈની કુક્ષિએ થયો હતો. દેવવશાત્ થોડા સમય પછી તેમના પતિનું અવસાન થયું એટલું જ નહિ પણ લક્ષ્મી પણ તેમની પાસેથી ચાલી ગઈ. માતા-પુત્ર નિરાધાર બની ગયા તેથી વીરજી વોરાએ પોતાની પુત્રી અને દૌહિત્રને પોતાને ત્યાં રાખી લીધાં હતાં. ફુલબાઈ પિતાને ત્યાં રહી ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરતી અને પુત્રને પણ ધર્મના સંસ્કાર આપતી. પુત્ર ધ્યાનપૂર્વક બધું સાંભળતો. તેની યાદશક્તિ એટલી બધી સતેજ હતી કે સામાયિક – પ્રતિક્રમણ વગેરે સાંભળતા (૨) કંઠસ્થ થઈ ગયાં. એક દિવસ ફુલબાઈ પોતાના પુત્રને લઈ વરજાંગજી યતિના વંદનાર્થે ગયાં. વાતચીતમાં ફુલબાઈએ લવજીને સામાયિકાદી ગુરુ પાસે શીખી લેવાનું સૂચન કર્યું; ત્યારે લવજીએ કહ્યું કે તે બધું કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી પરીક્ષા કરવા માટે માતાએ તેને ગુરુ પાસે બોલી જવાનું કહ્યું, એટલે વિચક્ષણ લવજી તે બધું કડકડાટ ગુરુ પાસે બોલી ગયો. ગુરુજી લવજી તરફ આકર્ષાયા. તેમણે વિચાર કર્યો કે આ બુદ્ધિશાળી બાળક મારી પાસે દીક્ષા લે તો શાસનનો જરૂર ઉદ્ધાર કરે. આમ વિચારી તેમણે બાળકના સામુદ્રિક ચિહ્નો જોયાં, તે પ્રભાવશાળી જણાયાં. માતા-પુત્ર ત્યાર પછી ઘરે આવ્યાં. એક પ્રસંગે વરજાંગજી સ્વામીએ વીરજી વોરાને કહ્યું કે લવજીને મારી પાસે ભણવા મૂકો તો તે ઘણો હોશિયાર થશે. વીરજીભાઈને આ વાત ગમી. તે દિવસથી લવજી વરજાંગજી યતિ પાસે અભ્યાસ કરવા લાગ્યો. ધાર્મિક અભ્યાસ કરતાં કરતાં વૈરાગ્યભાવ જાગ્યો. સૂતેલો આત્મા જાગૃત થયો. વિ.સં. ૧૬૯૨માં યતિ દીક્ષા અંગીકાર કરી. ગુરુદેવ પાસે આગમોનો ઊંડો અભ્યાસ કર્યો તેથી તેમના આંતરચક્ષુ ખૂલી ગયાં. વર્તમાનનું યતિજીવન ભારરૂપ લાગ્યું. શ્રી લવજી ઋષિએ અનેક વખત ગુરુમહારાજને પ્રાર્થના કરી કે આપણે જે માર્ગ છીએ તે સાચો નથી. આપ આમાંથી બહાર નીકળો અને મારો ઉદ્ધાર કરો. ગુરુદેવે ઉત્તરમાં કહ્યું કે, પંચમ કાળ છે, મારી વૃદ્ધાવસ્થા છે તેથી તમારા કહેલા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી લવજી ઋષિજી સ્વામી કઠોર માર્ગ ઉપર હું ચાલી નહિ શકું. જો તમારે જવું હોય તો મારી આજ્ઞા છે. ગુરુની આજ્ઞા મેળવી લવજી ઋષિ, થોભણ ઋષિ અને ભાનુ ઋષિની સાથે (અપરનામ ભાણાજી અને સુખાજી) ખંભાત શહેરના ઉદ્યાનમાં પહોંચ્યા. પૂર્વ તરફ મુખ રાખી અરિહંત તથા સિધ્ધોને વંદન કરી દોષોની શુદ્ધ હૃદયપૂર્વક આલોચના કરી. શ્રી સંઘની સમક્ષ ફરીને પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. આ ઘટના વિ.સં. ૧૬૯૪માં થઈ. અપરમતે ૧૭૦માં પુનઃ દીક્ષા લીધી એવો ઉલ્લેખ મળી આવે છે. પુનઃ દીક્ષા લીધા પછી શ્રી લવજી ઋષિ ખંભાતમાં જાહેર પ્રવચનો આપવા લાગ્યા. દિન પ્રતિદિન લવજી ઋષિના આ મહાન ત્યાગની સર્વત્ર પ્રશંસા થવા લાગી. હજારોની સંખ્યામાં શ્રાવકો લવજી ઋષિના અનુયાયી થવા લાગ્યા. તેમની પ્રશંસાની વાત સુરતમાં વીરજી વોરાને કાને પહોંચી. લવજી ઋષિ ગુરુનો ત્યાગ કરી ગયા હોવાથી વીરજી વોરાને તેમના ઉપર અભાવ તો થયો જ હતો તેમાં તેમની પ્રશંસા સાંભળી તો વોરાનો દ્વેષાગ્નિ વધુ તીવ્ર બન્યો. તેઓ મનમાં બબડ્યા કે અરે ! શું યતિ વર્ગનો અવિનય ? શું ગુરુએ આપેલા જ્ઞાનનું અજીર્ણ ! તેનો આવો ઉપયોગ ! જે ગુરુએ જ્ઞાન આપી તેને ભણાવ્યો તેનો ઉપકાર ન માનતા તેનાથી વિરુદ્ધ વર્તી નવો પંથ કાઢવા લવજી તૈયાર થયો ? હું તેને યોગ્ય બદલો આપું છું તેવા વિચાર કરી વીરજી વોરાએ ખંભાતના નવાબ પર એક ચિઠ્ઠી લખી માણસને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે – ‘મારો દૌહિત્ર તેના ગુરુથી જુદો પડી ગુરુને ઉતારી પાડવા ખોટો ઉપદેશ આપે છે માટે ત્યાં આવેલા લવજી યતિને ગામમાંથી કાઢી મૂકશો.' નવાબ સાહેબને પત્ર મળતાં જ લવજી ઋષિ તથા તેમના સંતોને નજરકેદમાં રાખ્યા. તે સ્થાન રાજમહેલની તદ્ન સામે જ હતું. દરેક સંતોએ અક્રમના પચ્ચકખાણ કર્યા. ત્રીજા દિવસે એક દાસીએ તેમને જોયા. તરત જ બેગમ સાહિબા પાસે જઈને કહ્યું, ‘આપના રાજ્યમાં નિર્દોષ સંત અન્ન-જળનો ત્યાગ કરી બેઠા છે. આવા યોગીને સંતાપવાથી ફાયદો થતો નથી. બેગમને પણ લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે.’ જ્યારે નવાબે અંતઃપુરમાં પ્રવેશ કર્યો ત્યારે બેગમે કહ્યું, “ખાવિંદ ! સંતોને સંતાપવામાં સાર નથી. જો તેમને સતાવશો તો આપણું સુખ નષ્ટ થઈ જશે, માટે તેમને છોડી દો.’’ બેગમનું વચન સાંભળી બાદશાહે જાતે આવી ક્ષમા માગી અને સંતોને છોડી મૂક્યા. ત્યાંથી વિહાર કરી તેઓ કલોદરા ઉપર થઈ અમદાવાદ પધાર્યા. ઘણા Page #106 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૯૩ ઓસવાળોને ધર્મ પમાડ્યો. આ વખતે કાલુપુરના દશા પોરવાડ શ્રાવક સોમજીએ વૈરાગ્ય પામી ૨૩ વર્ષની ઉંમરે તેમની પાસે દીક્ષા લીધી. એક દિવસ અમદાવાદમાં પૂજય શ્રી લવજી સ્વામી આહાર માટે જઈ રહ્યા હતા. રસ્તામાં મહાપુરુષ શ્રી ધર્મસિંહજી સ્વામી મળ્યા. બન્ને વચ્ચે આહાર-વિહાર, આચાર-વિચાર સંબંધી અનેક પ્રશ્નોત્તર થયા. લવજી સ્વામીએ ધર્મસિંહજી મહારાજને કહ્યું કે, “તમે તો ધર્મના સિંહ છો ? યતિના ક્રિયાકાંડમાં શા માટે ફસાયા છો ? અંદર રહેલા સૂતેલા સિંહને જગાડો. મુખવસ્ત્રિકા મુખપર બાંધવી જ જોઈએ.’’ ધર્મસિંહજી મહારાજ ખૂબ જ પ્રભાવિત થયા. ક્રિયોદ્ધારની ભાવના દેઢ થઈ. ઉપાશ્રયે જઈ સર્વપ્રથમ મુખ પર મુખવસ્તિકા બાંધી. (આ ઉલ્લેખ મતાંતરથી મળે છે, સત્ય કેવળીગમ્ય.) પૂજ્ય શ્રી લવજી ઋષિ અમદાવાદ વિહાર કરી ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવા અને મેવાડ આદિ અનેક પ્રાંતોમાં ધર્મપ્રચાર કરી સુરત પધાર્યા. ત્યાં વીરજી વોરાને ઉપદેશ આપ્યો. વીરજી વોરાએ યતિપરંપરાનો ત્યાગ કર્યો અને પૂ.શ્રીના અનુયાયી બન્યા. મહાપુરુષોનાં જીવનમાં સહિષ્ણુતા તેમજ સમતા અપાર હોય છે. મરણાન્ત ઉપસર્ગ આવવા છતાં પણ તેઓ પોતાના માર્ગથી વિચલિત થતા નથી. સમર્થ ક્રિયોદ્ધારક પૂ. શ્રી લવજી ઋષિના શિષ્ય શ્રી ભાનુઋષિની કુટિલતા પૂર્વક મંદિરની પાછળ કતલ કરી તેના શબને ખાડો ખોદી દાટી દીધો. સાંજ સુધી ભાનુઋષિ ઉપાશ્રયમાં ન પહોંચતા હાહાકાર થઈ ગયો. ખૂબ તપાસ કરવા છતાં પત્તો ન લાગ્યો. અંતે પાપ ક્યાં સુધી છૂપું રહે ? સોની દ્વારા ભેદ ખુલ્લો થયો. સંઘમાં અશાંતિ થઈ ગઈ. લવજી ઋષિએ કર્મનો સિદ્ધાન્ત સમજાવી સૌને શાંત કર્યા. પૂજ્ય શ્રી લવજી ઋષિ વિહાર કરતાં કરતાં બુરાનપુર પધાર્યા. તે વખતે યતિઓને માનવાવાળા શ્રાવકોએ વિચાર કર્યો કે લવજી ઋષિના બોધથી આપણામાંના ઘણા શ્રાવકો ખેંચાઈને તેમના પંથમાં ભળી જશે માટે આપણે અગમચેતી વાપરીને સખત બંદોબસ્ત કરવો જોઈએ. તેમણે સંઘ એકત્ર કર્યો અને લવજી ઋષિના અનુયાયી થયેલા શ્રાવકોને ગચ્છ બહાર કરી તેમની સાથેનો બધો વ્યાવહારિક સંબંધ તજી દીધો. ધર્મ કેટલી મુશ્કેલીથી સચવાય છે અને ખરા જિજ્ઞાસુઓ કેવા દૃઢ અને સહનશીલ હોય છે તે જાણવાનો આ પ્રેરણાદાયી પ્રસંગ છે. દશ હજાર ઘર સામે શ્રી લવજી ઋષિના અનુયાયીઓના માત્ર અલ્પ સંખ્યામાં ઘરો હતા. તે પ્રબળ પક્ષે આ લોકોને એટલી હદે પજવ્યા કે કૂવા પરથી તેમને પાણી પણ ભરવા ન Page #107 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી લવજી ઋષિજી સ્વામી દેતા, એટલું જ નહિ પણ ધોબી, હજામ વગેરેને તેમનું કામ કરવાની મનાઈ કરવામાં આવી હતી ! આવા કટોકટીના સમયે પેલાં અલ્પ ઘરોમાં જેઓ શ્રીમંત હતા તેમણે બાકીનાઓને પૈસાની પૂરતી સહાય આપી. કિન્તુ છેવટે પ્રબળ પક્ષની ખટપટને લીધે જયારે અમદાવાદના સુબા તરફથી તેમને કનડગત થવા લગી ત્યારે તેઓ દિલ્હીના બાદશાહને દયાળુ માની તેની પાસે ફરિયાદ કરવા ગયા પરંતુ સામાવાળાએ એટલી બધી લાગવગ લગાવી હતી કે ત્યાં લવજી ઋષિના અનુયાયીઓને બાદશાહની મુલાકાત થઈ શકી નહિ. એટલું જ નહિ પણ ઊલટું અધિકારી વર્ગના હુકમથી તેમને દિલ્હી શહેરની બહાર નીકળી જવાનો હુકમ મળ્યો. આ રીતે લવજી ઋષિના અનુયાયીઓને ખૂબ સહન કરવું પડ્યું તેથી તેઓ શહેરની બહાર નીકળી નજીકના કોઈ કબ્રસ્તાનમાં ઉતારો કરીને રહ્યા પણ પોતાના ધર્મથી જરાય ડગ્યા નહિ. સત્યમેવ જયતે આખરે સત્યનો જ જય છે. દૈવયોગે એવું બન્યું કે ત્રીજા દિવસની મધ્યરાત્રિએ બાદશાહના માનીતા કાજીના એકના એક દીકરાને સર્વે વંશ આપ્યો. પુત્ર મૃતપ્રાયઃ થઈ જતાં અને બધાય પ્રયત્નો નિષ્ફળ જતાં તેને જનાનામાં નાખીને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યો. આ વાતની શ્રાવકોને ખબર પડી ત્યારે એક ધર્મિષ્ઠ અને ચારિત્ર્યવાન શ્રાવકે ઝેર ઉતારવા માટે કાજીને નમ્ર વિનંતી કરી. કાજી તો નિરાશ થઈ ગયેલો છતાં છેલ્લી તક જતી ન કરવાનું તેણે યોગ્ય માન્યું. બ્દયના એક તાર સાથે ઉચ્ચારાયેલો નવકાર મંત્રી કાજીના માટે અને લવજીના ઋષિના ધર્મને માટે ફલીભૂત થયો. કાજીના પુત્રનું ઝેર ઊતરી ગયું અને તે જાગૃત થયો. કાજીના હર્ષનો પાર ન રહ્યો. બધાને જમાડ્યા પછી આગમનનું કારણ પૂછ્યું. શ્રાવકોએ બધી વાત કરી. કાજીએ બાદશાહને વાત કરી. બાદશાહ બધી હકીકત સાંભળીને ખુશ થયા. તેમની અરજ સાંભળી. કાજીને અમદાવાદ મોકલ્યો. હંમેશના માટે લવજી ઋષિના અનુયાયીઓ પર થતો ત્રાસ બંધ કરાવ્યો, એટલું જ નહિ પરંતુ કાજીએ જૈનધર્મનો સ્વીકાર કર્યો. આગળ જતાં કાજી સાહેબ ભગવાન પાર્શ્વનાથના દઢ શ્રદ્ધાળુ થયા અને પાર્શ્વનાથ ભગવાનની અનેક સ્તુતિઓ પણ તેણે બનાવી. રહાનપુરના ઉપનગર ઈન્દલપુરમાં યતિઓનું ખૂબ જોર હતું. તેઓ લવજી ઋષિ ઉપર ચિડાતા. તેઓની દઢ ધારણા હતી કે લવજી જીવતા હશે ત્યાં સુધી યતિઓનો ઉદ્ધાર નહિ થાય. તેથી તેઓએ બે વિષમિશ્રિત લાડવા બનાવ્યા. છઠ્ઠના પારણે જયારે લવજી ઋષિ ગોચરીએ પધાર્યા ત્યારે એક રંગારી બાઈ દ્વારા બન્ને Page #108 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૯૫ લાડવા વહોરાવવામાં આવ્યા. ધર્મનાયક સંથારો કરી સમાધિમૃત્યુ પામ્યા. તેમની પાટે તેમના શિષ્ય સોમજી ઋષિ આવ્યા. પૂજ્ય શ્રી લવજી ઋષિ પછી તેમના ખંભાત, પંજાબ વગેરે ચાર સંપ્રદાય થયા. ' ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્ય ( શ્રી ધર્મદાસજી સ્વામી (ચતુર્થ સુધારક) પૂજય શ્રી ધર્મદાસજી મહારાજ યુગપ્રધાન આચાર્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૭૦૧ ચૈત્ર સુદિ અગિયારસના દિને અમદાવાદની પાસે સરખેજમાં થયો હતો. તેઓ ભાવસાર હતા. તે ગામમાં ભાવસારનાં ૭૦૦ ઘર હતાં જેઓ લોંકાગચ્છના અનુયાયીઓ હતા. તેમના પિતાનું નામ શ્રી જીવણલાલ કાલિદાસ પટેલ હતું. માતાનું નામ ડાહીબાઈ હતું. ગર્ભમાં આવતાં જ માતા-પિતાની ધાર્મિક ભાવનાઓ વધુ પ્રબળ થઈ તેથી તેમનું નામ ધર્મદાસ પાડવામાં આવ્યું. પૂર્વના સુસંસ્કારોના યોગે ધર્મદાસ આઠ વર્ષના થયા, તેટલામાં તેમનું દય ધર્મભાવનાથી રંગાઈ ગયેલું. તે જ અરસામાં શ્રી કેશવજી પક્ષના લોકાગચ્છીય યતિ શ્રી તેજસિંહજી સરખેજ પધાર્યા. ધર્મદાસ તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. વૈરાગ્ય ઉત્પન્ન થયો. સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ, જીવ વિચાર આદિ જૈન ધર્મનું જ્ઞાન નાની ઉંમરમાં જ મેળવી લીધું. પંદર વર્ષની ઉંમર થતાં જ સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન મેળવી લીધું. જ્યારે તેમના સગપણ સંબંધી વાતો આવવા લાગી ત્યારે તેમણે પોતાના માતા-પિતાને સાફ શબ્દોમાં કહી દીધું કે હું બિલકુલ પરણવા ઈચ્છતો નથી. તમે મારા હિતેચ્છુ હો તો મારી સંયમ લેવાની ઈચ્છાને ફલીભૂત કરવા પરવાનગી આપશો. પુત્રનો વૈરાગ્ય જોઈ પિતાએ લગ્નની વાત છોડી દીધી. ધર્મદાસે પણ યતિવર્ગની શિથિલતા જોઈ હતી. દવાઓ કરવી, પૈસા મેળવવા, પાલખી વગેરેમાં બેસવું, લક્ષ્મી આદિ વૈભવ-આ બધુંય હોવા છતાં ત્યાગી કહેવરાવવું એ તેમના આત્માને કારી ઘા જેવું લાગ્યું. તેમને તો સાચા સાધુ થવાની ભાવના હતી, તે માટે સુયોગ્ય સાધુપુરુષની રાહ જોતા હતા. એવા વખતમાં કલ્યાણજી નામના “એકલ પાતરિયા શ્રાવક સરખેજમાં આવી ચડ્યા. ધર્મદાસ કુમાર તેમનો બોધ સાંભળી ઘણા સંતુષ્ટ થયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ८६ શ્રી ધર્મદાસજી સ્વામી 'એકલ પાતરિયા શ્રાવક ક્યારે થયા ? વિ.સં. ૧પ૬૨ માં ત્રણ થઈ માનનારાં કડવા મતી નીકળ્યા પણ તેમની ચોથી પાટે પાછા કડવા મતી સાધુઓ ઢીલા પડ્યા તેથી તેમનાં જે આત્માર્થી સાધુઓ હતા તેઓએ વિચાર કર્યો કે સાધુનાં વ્રતો લઈ ભાંગવાં કરતાં શ્રાવકપણું પાળવું વધુ ઈષ્ટ છે કારણ કે સાધુનો વેશ લઈ ન પાળવાથી ભાષાદોષ લાગે તેથી શ્રાવકવ્રત સ્વીકારી વીતરાગ પ્રણીત શુદ્ધ ધર્મનો ઉપદેશ દેવો શ્રેયસ્કર છે, આમ વિચારી તેઓ જુદા થઈ બાર વ્રતધારી શ્રાવકપણે વિચરી ધર્મોપદેશ દેવા લાગ્યા. તેમનો વેશ સાધુ જેવો જ, યહરણ ઉપરનું કપડું કાઢી ખુલ્લી દાંડી રાખતા. એક પાત્ર ગ્રહણ કરી ભિક્ષા લેતા તેથી તેઓ “એકલ પાતરિયા” શ્રાવક તરીકે ઓળખાવા લાગ્યા. તેમના ગચ્છમાં ૮૦૦ શ્રાવકો હતા એમ કહેવાય છે. શ્રી કલ્યાણજી શ્રાવકના સુંદર આચારે શ્રી ધર્મદાસજીનું મન તેમના તરફ આકર્ષાયું પણ હજુ ઊંડે ઊંડે સાધુઆચાર પાળવાની ભાવના બલવત્તર હતી. કલ્યાણજી પાસે વધુને વધુ સૂત્રજ્ઞાન મેળવતા ગયા. એક વાર ભગવતી સૂત્રમાં વાંચ્યું કે, “શ્રી મહાવીર સ્વામીનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે અને પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવો રહેશે.” આ જાણી તેમનો સાધુપણાનો આચાર પાળી બતાવવાનો નિશ્ચય વધુ પ્રોત્સાહિત બન્યો. કાયરતા દૂર થઈ ગઈ. શ્રાવક પરથી શ્રદ્ધા ચાલી ગઈ. વીતરાગ પ્રણીત સાચી દીક્ષા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. શ્રી ધર્મદાસજી સાચ સંયમની શોધમાં નીકળી પડ્યા. ત્યાં પ્રથમ લવજી ઋષિનો ભેટો થયો, તેમની સાથે ૧૭ બોલનો વાંધો પડ્યો. ત્યાર બાદ ધર્મસિંહજી મહારાજનો સમાગમ થયો, એમની સાથે ૨૬ બોલનો વાંધો પડ્યો. છતાં તેમને એક જબરજસ્ત પ્રેરણા એ બે મહાપુરુષોનાં જીવનમાંથી મળી કે બન્ને મહાત્માઓ ભગવાન મહાવીરનો સાચો વેશ દીપાવી રહ્યા છે, તો મારાથી તે કેમ ન બને? આ પ્રત્યક્ષ ઉચ્ચ આચારથી ધર્મદાસજીનો ઉત્સાહ અજબ પ્રેરણાત્મક નીવડ્યો અને તરત જ તેઓ ત્યાંથી સરખેજ આવ્યા. અંતમાં માતા-પિતાની આજ્ઞા મેળવી. એ વર્ષે સરખેજમાં યતિનાયક શ્રી તેજસિંહજી ચાતુર્માસ હતા. ધર્મદાસજીએ શુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાનું આહ્વાન આપ્યું. તે સાથે પોતે પણ નીકળવાનું વચન આપ્યું પણ પ્રત્યુત્તરમાં યતિવર્યે કહ્યું કે, “હાલમાં હું અશક્ત થયો છું. પરંતુ તમે તેમ કરી શકશો. જાઓ, ખુશીથી કર્મરાજા સામે સંગ્રામ માંડો. અંધકારને નષ્ટ કરી સાચો પ્રકાશ પાથરો.” Page #110 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૯૭ આવી રીતે પોતાના ઉપકારીનો વિનય કરીને તેઓ નીકળ્યા. સોળમાં વર્ષે ૧૭ જણાની સાથે વિક્રમ સંવત ૧૭૧૬ના આસો સુદિ-અગિયારસના · અમદાવાદમાં આવી પાદશાહ વાડીમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા સ્થળે તેઓ ત્રણ દિવસ સુધી અઠ્ઠમ તપ કરીને રહ્યા. ચોથે દિવસે ગામમાં ગોચરી માટે નીકળ્યા. ગવેષણા કરતાં કરતાં એક કુંભારના ઘેર જઈ ચડ્યા. તે વખતે કુંભારને ત્યાં પતિ-પત્નીને કોઈ કારણસર ઝઘડો થયેલો. તે જ અરસામાં આ નવદીક્ષિત મુનિ આવવાથી ક્રોધમાં તે કુંભારણે શ્રી ધર્મદાસજી સ્વામીના પાત્રામાં રાખ નાખી. પવનના કારણે તે રાખ થોડી પાત્રામાં પડી બાકીની ચારે બાજુ ઊડી. ત્યાર પછી બીજા ઘરેથી છાશ મળી. બન્ને મિશ્ર કરી પારણું કર્યું. બીજે દિવસે નવદીક્ષિત શ્રી ધર્મદાસજી સ્વામી પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજને વંદન કરવા ગયા. ત્યાં તેમણે આગલા દિવસે પોતાને ભિક્ષામાં મળેલી રાખની વાત કરી. તેમણે કહ્યું, “અહો મહાભાગ ! તમે ખરેખર પુણ્યશાળી છો.’’ પ્રથમ જ પારણે મળેલી રાખ ભાગ્યોદયની નિશાની સૂચવે છે. રાખ એ શુભસૂચક ચિહ્ન હોવાથી તમે વીતરાગ માર્ગને દીપાવશો. વળી જે રાખ હવાને લીધે ચોતરફ ઊડી તેથી તમારો પરિવાર ચારે તરફ વિસ્તાર પામશે. ઉપરાંત તમે રાખને છાશ સાથે મેળવીને પી ગયા તે એમ સૂચવે છે કે છાશનો ગુણ ખટાશવાળો હોવાથી પ્રાયઃ તમારા મુનિઓ ખટાશવાળા એટલે પ્રકૃતિમાં જલદ થશે. જેમ રાખના રજકણો જુદાં જુદાં છે તેમ તમારો પરિવાર એકત્ર નહિ રહે, પરંતુ ભિન્ન ભિન્ન અનેક પેટા સંપ્રદાયોમાં વહેંચાઈ જશે. આ સાંભળી ધર્મદાસજી મહારાજે એવો જ એક પ્રશ્ન ધર્મસિંહજી મહારાજને કર્યો કે આપને પ્રથમ પારણે શું મળ્યું હતું ? અને તેનો આપ કેવો નિર્ણય બાંધ્યો છે ? ત્યારે ધર્મસિંહજી મહારાજે કહ્યું કે, “મેં જ્યારે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠ કર્યો હતો, તેના પારણે મને ચુરમાના લાડવાની ભિક્ષા મળી હતી, તેથી જેમ લાડુ પાત્રામાં પડતાં જ એક ઠેકાણે ચોંટી ગયો તેમ મારો પરિવાર વધુ વિસ્તાર ન પામતાં અમુક સ્થળમાં જ સંગઠિતરૂપે રહેશે.” આમ પરસ્પર વાર્તાલાપથી બન્નેને ખૂબ આનંદ થયો અને બન્ને જુદા પડ્યા. પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજની ભવિષ્યવાણી સાચી પડી, કેમ કે પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજનો પરિવાર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા વગેરે ઘણા પ્રાંતોમાં ફેલાઈ ગયો અને તેના જુદા જુદા વિભાગ પણ ઘણા થઈ ગયા. જ્યારે પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજનો પરિવાર (દરિયાપુરી સં.) ફક્ત ગુજરાત તથા ઝાલાવાડના અમુક ભાગમાં જ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી લવજી ઋષિજી સ્વામી પુજ્ય શ્રી ધર્મદાસજી સ્વામીને સંવત ૧૭૨૧ના મહા સુદ પાંચમના ઉજ્જૈનમાં M.P) આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમણે અદ્વિતીય વિદ્વત્તા પ્રાપ્ત કરી ગુજરાત, મેવાડ, રાજપુતાના અને મધ્યભારતમાં વિચરી અનેક પરીષહ અને ઉપસર્ગો સહન કરીને જૈનધર્મનો વિજય ડંકો વગાડ્યો. તેમના સત્ય ઉપદેશના કારણે તેમને ૯૯ શિષ્યો થયા હતા, જેમાંથી ૨૨ શિષ્યો તો મહાપંડિત અને શાસ્ત્રજ્ઞ હતા. એક વખત યુગપ્રધાન આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી ઉજ્જૈનમાં બિરાજતા હતા ત્યારે એક શ્રાવકે આવી સમાચાર આપ્યા કે, “મહારાજ ! ધારાનગરીમાં રહેલા આપના એક શિષ્ય રોગથી કંટાળીને જાવજીવ સંથારો કર્યો છે પરંતુ સુધાનો પરીષહ સહન ન થઈ શકવાના કારણે સંથારો છોડવા તૈયાર થયા છે. માટે આપશ્રી કૃપા કરી ત્યાં પધારો.” પૂજયશ્રીએ કહ્યું કે, “જલદી આવી પહોંચે છું. માટે તે શિષ્ય સંથારો ન ભાંગે એટલું કહેજો.” શ્રાવક જલદી ધારાનગરી આવી પૂજયશ્રીનો સંદેશ શિષ્યને કહ્યો. પૂજયશ્રીએ તરત જ ધારાનગરી તરફ વિહાર કર્યો. થોડા સમય પછી ધારાનગરી પધારી ગયા. શિષ્ય આકુળવ્યાકુળ થઈ ગયો હતો. ગુરુદેવે આશ્વાસન આપતાં કહ્યું, “વત્સ ! રત્નચિંતામણિ સમાન માનવભવ ફરીને મળતો નથી, વળી સંયમરૂપી હીરાને તથા તારૂપી રત્નને પાષાણ સમજી ખોઈ બેસવું એ નરી મૂર્ખતા છે. માટે અરિહંત-સિદ્ધનું સ્મરણ કરી અંતિમ સમય સુધારી લે. દઢ મનોબળ રાખી આવેલ પરીષહને સહન કર.” તે મુનિની પદ્ગલિક લાલસા એટલી બધી તીવ્ર હતી કે ગુરુવર્યના વચનને માન્ય કરી શક્યો નહિ પણ એટલું તો કહ્યું કે, “ગુરુદેવ ! હું જૈનધર્મથી ભ્રષ્ટ નહિ થાઉં એટલું ચોક્કસ માનજો, પરંતુ મારો આ નિયમ ક્ષણ વાર પણ નિભાવી લેવા તૈયાર નથી.” ધર્મદાસજી મહારાજે વિચાર કર્યો કે આમ કરવા જતાં શાસનની હીલના થશે માટે હું જ સંથારો કરી બેસી જાઉં છું. શિષ્યને ઉઠાડીને પૂજ્યશ્રી પોતે જાવજીવ ચારે આહારના પચ્ચકખાણ કર્યા અર્થાત સંથારો લઈ બેસી ગયા. જેઠ મહિનાની ભયંકર ગરમી, ઉગ્રવિહાર છતાં તેમણે કાંઈ પણ વાપર્યા વિના અનશન કર્યું. કોટિ કોટિ ધન્યવાદ છે એ મહાપુરુષને ! કવિએ વર્ણન કર્યું કે - ધર્મક્રાન્તિહિત ધર્મસિંહને કબ્રોમેં નિવાસ કિયા શાસનયશહિત ધર્મદાસને આનશન તક સ્વીકાર કિયા, લોંકાશાહને જ્ઞાનબાણ લે યતિયાંકા ભ્રમ જાલ હના, કેવલ કહતે પારસ તૂ ભી અપના જીવન ધન્ય બના; Page #112 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા આવો જૈનો હમ સબ મીલકર નાદ કરે જયગાન કી..... ભાવસહિત સબ મિલકે ગાઓ જૈનં જયતિ શાસનમ્ સંથારો હોવા છતાં પૂજ્યશ્રી નિયમિત ઉપદેશ આપતા હતા. ગામેગામના શ્રાવકો દર્શન માટે ઊમટ્યા. શરીર એકદમ કૃશ થઈ ગયેલું. બરાબર સાતમાં દિવસના વ્યાખ્યાન બાદ પૂજ્યશ્રીનું શરીર એકદમ શિથિલ થઈ ગયેલું. સર્વ જીવોની સાથે હૃદયપૂર્વક ક્ષમાપના કરી વિક્રમ સંવત ૧૯૫૯ના અષાઢ સુદપાંચમના સાંજે સાડા પાંચ વાગ્યે ૫૯ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. પૂજ્યશ્રીના ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો મહાન પંડિત અને પરાક્રમી થયા પરંતુ તેઓ ભિન્ન ભિન્ન વિભાગમાં વહેંચાઈ ગયા તેથી તે ૨૨ સંપ્રદાયો ૨૨ ટોળાના નામથી પ્રખ્યાત થયા. તેમના નામ નીચે પ્રમાણે છે. (૧) પૂ. શ્રી મૂલચંદજી મ. (૨) ,, ” ધનાજી મ. (3) (૪) (૫) (૬) (6) (૮) 17 37 ,, ,, ,, ,, ,, ,, 27 ,, ,, 33 તારાચંદજી મ. (૯) પ્રેમચંદજી મ. (૧૦) ખેતશીજી મ. ઃ પદાર્થજી મ. ', (૧૧) 33 ,, ,, "" લાલચંદજી મ. મનાજી મ. મોટા પૃથ્વીરાજજી મ. નાના પૃથ્વીરાજ મ. બાલચંદજી મ. 33 (૧૨) પૂ. શ્રી લોકમલજી મ. (૧૩) ભવાનીદાસજી મ. ,, ,, (૧૪) મલુકચંદજી મ. (૧૫) પુરુષોત્તમજી મ. ,, "3 ,, (૧૬) (૧૭) (૧૮) રામચન્દ્રજી મ. (૧૯) ગુરુસહાયજી મ. (૨૦) ,, વાઘજી મ. (૨૧) '' રામરતનજી મ. "" ,, (૨૨) મૂળચંદજી મ. 39 ,, 27 ,, 22 22 ,, 11 ,, "" ,, 22 મુકુટરાયજી મ. મનોરદાસજી મ. (એક) વિદ્વાન આચાર્યશ્રીને એક વખત એવો ભાસ થયો કે પૂ. શ્રી ધર્મદાસજી મ. આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોકમાં ગયા અને મનુષ્યનો એક ભવ કરી મોક્ષે જશે. આ વાતની પુષ્ટિ માટે “સિદ્ધિ પાહુડા” ગ્રન્થમાં પૂ. શ્રી ધર્મદાસજી મ. નું નામ વિદ્યમાન છે. સત્ય કેવળીગમ્ય.) Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧OO શ્રી હરજીઋષિજી મહારાજ ‘પંચમ સુધારકે શ્રી હરજીઋષિજી મહારાજ શ્રી ગુજરાતી લોંકાગચ્છની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા. તેમના પરિવારમાં વિ. સં. ૧૭૮૫ પછી શ્રી હરજી ઋષિ આદિ છ આત્માર્થી સાધુઓએ યતિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયોદ્ધાર કર્યો. તેમના સંબંધી વિશેષ ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. તેમનું અનુશાસન ખૂબ કઠિન હતું. પૂજ્ય શ્રી હરજી ઋષિના સંપ્રદાય આગળ જતાં “કોટા સંપ્રદાય'ના નામથી પ્રસિદ્ધ થયો. આ સંપ્રદાયમાં તે વખતે ર૬ મહાપંડિત મુનિરાજો અને એક પરમ વિદુષી સાધ્વીજી હતા. આગળ જતાં તે એક સંપ્રદાયમાંથી ચાર સંપ્રદાય થઈ ગયા. આ બધું પંચમકાળને આભારી છે. આ પાંચ સુધારક મહાપુરુષોમાં પૂજય શ્રી જીવરાજજી ઋષિ તથા પૂજ્ય શ્રી હરજી ઋષિ મારવાડમાં થયા, જ્યારે પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજ, પૂજય શ્રી લવજીઋષિ મહારાજ તથા પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ એ ત્રણ મહાપુરુષો ગુજરાતમાં થયા. તેરાપંથી ક્યારે થયા? પુજય શ્રી ધર્મદાસજી મહારાજના શિષ્ય પૂ. શ્રી ધનાજી મહારાજ તેમના શિષ્ય પૂ. શ્રી ભૂધરજી મહારાજ, તેમના શિષ્ય રૂગનાથજી મહારાજ (મોટી સાધુ વંદનાના રચયિતા પૂ. શ્રી જયમલજી મહારાજના નાના ગુરુભાઈ)એ રૂગનાથજી મહારાજના એક શિષ્ય ભિખણજી સ્વામી થયા. તેમણે વિ. સં. ૧૮૦૮માં રૂગનાથજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તેમને ગુરુમહારાજ સાથે મતભેદ થવાથી અર્થાત્ અમુક માન્યતા ભેદ થવાથી ૧૩ સાધુઓ અલગ થયા તેથી તેરાપંથ એવું નામ પડ્યું. તેના સ્થાપક હતા શ્રી ભિખણજી સ્વામી. તેમની દશમી પાટે આચાર્ય મહાપ્રજ્ઞ બિરાજે છે. વિક્રમ સંવત ૧૮૧૫માં તેરાપંથની સ્થાપના થઈ. Page #114 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૦૧ વિભાગ - ૪ '“અજરામર ઉપવનના સુવાસિત સુમનો” | અજરામર સંઘમાં થઈ ગયેલા અગ્રગણ્ય મુનિવરો તથા આચાર્યપ્રવરોની ' જીવન ઝરમર 'અજરામર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઈતિહાસ લીંબડીમાં ગાદી ક્યારે આવી ? (૧૮૦૧), ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીએ વિ. સં. ૧૭૨૩માં અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને પાટે બેસાડ્યા. સંવત ૧૭૬૪માં અમદાવાદમાં સાધુ સંમેલન થયું. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને આચાર્યપદ દેવાનું નક્કી થયું. તે વખતે આસ્ટોડિયા વિસ્તારમાં ઉપાશ્રય હતો. ઉપાશ્રયમાં પાટ-પાટલા ન હતા. ગૃહસ્થના ઘરેથી એક પાટ મુખ્ય સંતના માટે લાવવામાં આવતી. તે વખતે અમદાવાદના ધનરાજજી શ્રાવકે વિ. સં. ૧૭૬૦ના ચૈત્ર સુદ પુનમના દિવસે આંબાના લાકડાના એક જ પાટિયામાંથી એક પાટ બનાવેલી. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્યો તે પાટ પાઢિયારી યાચી લાવ્યા. પૂજય શ્રી મૂલચંદજી મહારાજને એ પાટ ઉપર બેસાડી આચાર્યપદની પછેડી સંવત ૧૭૬૪માં ઓઢાડવામાં આવી. પાછળથી ધનરાજ શ્રાવકે તે પાટ સંઘને અર્પણ કરી દીધી. વિ. સં. ૧૭૮૧માં પૂજય શ્રી મૂલચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની પાટે સં. ૧૭૮૨માં પૂ. શ્રી પચાણજી સ્વામી આચાર્યપદે આવ્યા. ધર્મપ્રભાવના થોડો સમય સારી થઈ. “ચડતી પડતીના ચમકાર જગમાં આવે જાવે છે.” એ નિયમાનુસાર તે વખતે સ્થાનકવાસી દેરાવાસીમાં કડવાશ વધી. સંઘર્ષ થયો. મૂર્તિપૂજક સ્થાનકવાસીની દીકરી લેવીદેવી નહિ. દુકાનની લેતીદેતી ન કરવી. આવું નક્કી કર્યું. મોટા ભાગના શ્રાવકો સ્થાનકવાસી ધર્મ છોડી મૂર્તિપૂજક થવા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સંપ્રદાયનો સંક્ષિપ્ત ઈતિહાસ માંડ્યા. સ્થાનકવાસીઓની સંખ્યા ઘટી. સોએક ઠાણા ભેગા થાય તો ગોચરીપાણીમાં તકલીફ પડે. આવા સંયોગોમાં ગાદીનું ગામ ફેરવવાની આવશ્યકતા ઊભી થઈ. પૂજ્યપાદ શ્રી પચાણજી સ્વામીએ ગાદીનું ગામ ફેરવવાનું નક્કી કર્યું. તે અરસામાં ધોરાજીના નગરશેઠ સંઘપતિ દોશી પરસોત્તમ વાસણજી દર્શન કરવા આવ્યા. તેમની સાથે વાતચીત કરતાં પૂજય સાહેબે કહ્યું, “ગાદીનું ગામ ફેરવવું પડશે.” તરત જ નગરશેઠે કહ્યું, “ધોરાજી પધારો, અમે તૈયાર છીએ. ત્યાં ગાદીની સ્થાપના કરો.” આ વાતચીત ચાલતી હતી તે વખતે લીંબડીના નગરશેઠ નાનજી ડુંગરશી વંદનાર્થે આવ્યા. (શેઠ ના. ડું. એ મહારાણીને ધર્મની બહેન બનાવેલ. કાપડના ૯ લાખ રૂા. આપેલા. પોતાના જ ખર્ચે લીંબડીમાં ઉપાશ્રય બંધાવેલ.) તેમણે પૂરી વાત સાંભળ્યા પછી કહ્યું, “સાહેબ ! ધોરાજી છેટે આવેલું છે. ગુજરાત, ઝાલાવાડને વીંધીને જવું પડે. જ્યારે લીંબડી મધ્યનું સેન્ટર છે. ત્યાં ૪૦૦ ઘર સ્થાનકવાસીનાં છે. માટે આપ અમને લાભ આપો. પરસ્પર અનુકૂળતા રહેશે.” પૂજય શ્રી પચાણજી સ્વામીને શેઠ નાનજી ડુંગરશીની વાત ગળે ઊતરી ગઈ. તેમણે લીંબડીના શેઠને કહ્યું, “જ્યાં ગાદી સ્થાપીએ ત્યાં છે શરત મૂકીએ, જો મંજૂર હોય તો નક્કી.” આ રહી તે છે શરતો – (૧) સાધુ સમુદાય કોઈ કામે એકઠો થાય ત્યાં શ્રી સંઘના સંઘપતિ એકલા હાજર રહે. (૨) ઘરડા-ગ્લાન સાધુ-સાધ્વીજીની સંભાળ રાખી વૈયાવચ્ચ કરે. (૩) ભણનાર મુનિઓને સહાયતા આપે. (૪) કોઈનો પક્ષ ખેંચનાર ન થાય. સાધુના મોટા કામ પડે તો બીજાને ન રાખતાં એકલો ઉકેલે, વાત બહાર ન જવી જોઈએ. (૬) સાધુ સુધારણાની તરફેણમાં રહે (કડક આચારી બને). શેઠ નાનજી ડુંગરશીએ આ છ શરત કબૂલ રાખી. તેમણે કહ્યું, “મારા પછી મારા વંશજો આ નિયમોને વફાદાર રહેશે.” લેખિત બાંહેધરી લીધી. જેઠ સુદમાં અમદાવાદથી વિહાર કર્યો. વિક્રમ સંવત ૧૮૦૧ના જેઠ સુદ-૧૦ના ગુરુવારે અમદાવાદથી પાટ લીંબડી મોકલવામાં આવી. વિ.સં. ૧૬૬૦ની સાલમાં બનેલ Page #116 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૦૩ આ પાટ અદ્યાપિ લીંબડીમાં એવી જ પડી છે. શેઠ નાનજી ડુંગરશીની પ્રબળ ધર્મભાવનાના કારણે સંપ્રદાયનો સારો વિકાસ થયો. પૂજય આચાર્ય શ્રી પચાણજી સ્વામી વિ. સં. ૧૮૧૪માં કાળધર્મ પામ્યા. તેમની પાટે પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી બિરાજયા. પૂ. શ્રી ઈચ્છાજી સ્વામી સંવત ૧૮૩૨માં કાળધર્મ પામ્યા. ત્યાર પછી મોટા કાનજી સ્વામી (બરવાળા સંપ્રદાયના સ્થાપક) પાટે આવ્યા. સંખ્યા ઘણી હોવાથી પ્રશ્નો વધ્યા. ૧૮૪૫માં સાધુ સંમેલન થયું. જુદા જુદા છ સંપ્રદાય થયા. પૂજય શ્રી અજરામરજી સ્વામીને આચાર્ય પદવી આપવામાં આવી. ત્યારથી એટલે કે ૨૧૭ વર્ષ થયાં ત્યારથી અજરામર સંપ્રદાયના નામે આ સંઘ ઓળખાય છે. (શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી) 'પુણ્યાત્માની પાવન પધરામણી સૌરાષ્ટ્ર પ્રાન્તમાં જામનગર એક મહત્ત્વનું શહેર છે. સૌરાષ્ટ્રના છ જિલ્લા પૈકી જામનગર પણ એક જિલ્લો છે. તે જામનગર જિલ્લાનાં બાવન ગામોમાં વીશા ઓસવાળ જ્ઞાતિનાં ઘણાં ઘરો છે. મૂળ મારવાડની ઓસા નગરીમાંથી આવેલ ક્ષત્રિયો વર્ષો જતાં ઓસવાળ તરીકે ઓળખાયા. ૫૦૦ વર્ષ પહેલાં અમુક કુટુંબો પહેલી વાર કચ્છના કંથકોટ શહેરમાં આવેલા પરંતુ પાછળથી અમુક કુટુંબો કચ્છ અબડાસામાં, અમુક કંઠીમાં, અમુક વાગડમાં તેમ જ અમુક હાલારમાં ગયાં. જબરદસ્ત ધર્મક્રાન્તિકર લોકશાહ જેવા મહાપુરુષ આ ગૌરવવંતી જ્ઞાતિમાંથી જ પાક્યા હતા. એ જ્ઞાતિનાં થોડાં ઘરો જામનગર પાસેના પડાણા ગામમાં પણ હતાં. ત્યાં માણેકચંદભાઈ શાહ નામના એક સદ્ગુહસ્થ રહેતા હતા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખૂબ સારી હતી. તેઓ ધાર્મિક વૃત્તિના હતા. તેમની પત્નીનું નામ કંકુબાઈ હતું. કંકુબાઈ આદર્શગૃહિણી હતાં. શીલ અને સદાચાર તો એમને સ્વભાવસિદ્ધ હતા. સાથે સૌન્દર્યનો સુમેળ હતો. તેમનું ગોત્ર મારું હતું. બન્ને પતિ-પત્ની આનંદપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. આ આદર્શ દંપતીએ ધર્મને પોતાના જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું હતું. વિક્રમ સંવત ૧૮૦૯ની સાલ હતી. એક પવિત્ર દિવસે રત્નકુક્ષી કંકુબહેને એક પરમ પુણ્યશાળી પુત્ર રત્નને જન્મ આપ્યો. આવા પુણ્યશાળી આત્માની પોતાને ત્યાં પધરામણી થવાથી માતા-પિતાના આનંદની કોઈ અવધિ ન રહી. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજરામરજી સ્વામી સગાં-સંબંધીઓ, ગ્રામજનો બાળકને જોઈને ધરાતાં ન હતાં. એ મહાભાગ્યશાલી આત્માને જોઈ સહુ પોતાની જાતને ધન્ય માનતા હતા. પોતાનો પુત્ર ભવિષ્યમાં જરા અને મરણથી મુક્ત થાય તેમ જ બીજા અનેક આત્માને જન્મ, જરા-મરણના ચક્રમાંથી મુક્ત કરાવે, આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી બીજાને આનંદ કરાવે તેથી તેનું નામ આનંદકુમાર પાડવામાં આવ્યું. સુદ-૨ના ચંદ્રની જેમ આનંદકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. લાડકોડની સાથે માતા કંકુબાઈ નિયમિત નવકારમંત્ર વગેરે સંભળાવતા. “A good mother is worth to a hundred school masters." ૧૦૪ અર્થાત્ સો શિક્ષકો ન કરી શકે તે એક સારી માતા કરી શકે છે. આ વાક્યને માતા કંકુબાઈએ ચિરતાર્થ કરી આપ્યું. જે આદર્શ પત્ની હોય તે આદર્શ માતા પણ બની શકે છે અને આદર્શ સાધ્વીજી પણ તે બને છે તે આગળ વાંચવાથી ખ્યાલ આવી જશે. નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, ધ્રુવં ખન્મ મૃતસ્ય હૈં। ભગવદ્ગીતા અર્થાત્ જે જન્મે છે તે મરે છે અને જે મરે છે તે જન્મે છે. તે નિયમાનુસાર માણેકચંદભાઈ એકાએક નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા. તે વખતે આનંદકુમારની ઉંમર પાંચ વર્ષની હતી. અચાનક મૃત્યુથી માતા-પુત્રને આઘાત લાગે તે સ્વાભાવિક છે, પરંતુ કુદરતના કાનૂન પાસે સૌ લાચાર છે. કર્મના સિદ્ધાન્તને સમજનાર કંકુબાઈને આ પ્રસંગથી સંસાર ઉપરથી વૈરાગ્ય આવી ગયો, તેઓ અન્તર્મુખી બની ગયાં. સંયોગ અને વિયોગ એ તો સંસારની ઘટમાળ છે. એના સ્વરૂપને સમજનાર ક્યારેય શોક કરે નહિ. બીજી બાજુ આનંદકુમારના વિદ્યાર્થી જીવનની શુભ શરૂઆત થઈ. પૂર્વના ક્ષયોપશમના કારણે બુદ્ધિ કુશાગ્ર હતી. સ્મરણશક્તિ વિસ્મય પમાડે તેવી હતી. માતા કંકુબાઈ નિયમિત સાંજે પ્રતિક્રમણ કરવા જાય ત્યારે પોતાના લાડીલાને ધાર્મિક સંસ્કાર આપવાની ગણતરીએ પોતાની બાજુમાં જ બેસાડે, પાંચ વર્ષના આનંદકુમાર પણ ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ સાંભળે. એક સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. માતા કંકુબાઈ ચિંતાતુર થઈ ઘરમાં આંટા મારી રહ્યા હતાં. આવી રીતે માતાને ચિંતાતુર જોઈ આનંદકુમારે પૂછ્યું, “મા ! તને ચિંતા સતાવે છે ?’’ ત્યારે માતાએ પ્રત્યુત્તર આપ્યો, “બેટા ! ભારે વરસાદ વરસે છે, પ્રતિક્રમણનો સમય થઈ ગયો છે, બહાર જઈ શકાય તેમ નથી તેથી આજે મારું પ્રતિક્રમણ જશે. જે દિવસે સામાયિક પ્રતિક્રમણ ન થાય તે દિવસને હું નિષ્ફળ માનું છું. મને પ્રતિક્રમણ આવડતું નથી તેથી મારે શું કરવું Page #118 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૦૫ તે વિચારું છું. વરસાદ બંધ થાય તો ઉપાશ્રયે જવાય.” એમ કહી માતાએ ઊંડો નિસાસો નાખ્યો. માતાની વાત સાંભળી પાંચ વર્ષના પુત્રે કહ્યું, “મા ! એમાં આટલી બધી ચિતા? બેસો, હું પ્રતિક્રમણ કરાવું.” બાળકની આવી વાત સાંભળી માતાને હસવું આવ્યું અને કહ્યું, “બેટા ! તને ક્યાં પ્રતિક્રમણ આવડે છે ?” “મા ! તમે નિરાંતે બેસો, મને સાંભળો પછી કહેજો.” માતા કંકુબાઈ સામાયિકનું આસન લઈને બેસી ગયાં. આનંદકુમારે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. આખું પ્રતિક્રમણ સાંભળી માતાના આનંદ અને આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. પ્રેમપૂર્વક પૂછે છે, “બેટા! મેં તો તને પ્રતિક્રમણ શીખવ્યું નથી, તો તને પ્રતિક્રમણ ક્યાંથી આવડ્યું?” ત્યારે પુત્ર કહે છે, “આપની કૃપાથી. દરરોજ સાંભળવાથી મને યાદ રહી ગયું છે.” માતા કંકુબાઈ પુત્રની આવી સ્મરણશક્તિથી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં. 'પાઠશાળામાં પુનિત પદાર્પણ, તે સમયમાં પડાણામાં ભણવાની વિશેષ સગવડ ન હોવાથી ગામઠી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ટૂંક સમયમાં ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરી લીધો. બાલ્યાવસ્થાની સહચારિણી બાલચેષ્ટાની જગ્યાએ ગંભીરતા હોવાથી બીજા વિદ્યાર્થીઓની જેમ નિરર્થક તોફાન-મસ્તીમાં કાળક્ષેપ બહુ ઓછો થતો. શાળાથી છૂટા થયા પછી અવકાશના સમયે માતા-પુત્ર સાથે બેસતાં ત્યારે માતા કંકુબાઈ પ્રિય પુત્રને સંસારની અસારતા સમજાવતાં. બાલમુનિ અઈમુત્તા, ગજસુકુમાર મુનિ આદિ ઘણા મહાપુરુષોની ધર્મકથા પણ સંભળાવતા, જેથી આનંદકુમાર ખૂબ જ આનંદનો અનુભવ કરતા. મૈયા મેરો મનવો હુઓ બેરાગી... મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો સાંભળીને આનંદકુમાર વૈરાગ્યવાસિત બની ગયા. કુમળા Æયમાં માતાનો અસરકારક બોધ આરપાર ઊતરી ગયો અને એક શુભ દિવસે માતાને પોતાના મનની વાત કરી કે, “મૈયા મેરો મનવો હુઓ બેરાગી.” “હે માતા ! મારે સંયમ લેવો છે. તમે આજ્ઞા આપો.” પુત્રના મધથીય મધુરતર શબ્દો સાંભળીને માતાના આનંદની કોઈ સીમા ન રહી. સંસ્કારી માતા હંમેશા પોતાના પુત્રનું કલ્યાણ ઈચ્છે છે. સતી મદાલસા જેમ પોતાના પુત્રોને ગળથુથીમાં જ ધાર્મિક સંસ્કારો આપી ત્યાગના માર્ગે વાળતાં અને તે સંસ્કારો હાલરડાં ગાતી વખતે પણ આપતાં તેઓ પોતાના પુત્રને નકામાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી અજરામરજી સ્વામી હાલરડાં ન સંભળાવતાં ધાર્મિક શ્લોકો વગેરે સંભળાવતાં. તે વાત નીચેના શ્લોક ઉપરથી સમજાશે. सिद्धोसि बुद्धोसि नरंजनो सि । संसारमायापरिवर्जितो सि ॥ संसार स्वप्नं त्यज मोहनिद्रां । मदालसा वाक्यमुवाच पुत्रम् ॥ અર્થાત્ હે પુત્ર ! તું સિદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. સંસારની માયાથી પર છો, સંસાર સ્વપ્ન અને મોહનિદ્રાનો ત્યાગ કર, આ પ્રમાણે મદાલસા પુત્રને વાક્ય (હાલરડાં) સંભળાવતાં. આવા સંસ્કારોથી એમના પુત્રો ત્યાગનો માર્ગ અપનાવતા. માતા કંકુબાઈ પણ સતી મદાલસાની જેમ પુત્રના વૈરાગ્યમાં પ્રબળ નિમિત્ત બન્યાં. પોતાના માનવ જીવનને સફળ માનવા લાગ્યાં. પુત્રની પરીક્ષા કરવા માટે પ્રેમથી પૂછે છે, “બેટા ! આટલી નાની ઉંમરમાં તારી નાજુક કાયા સંયમના કષ્ટ કેમ સહન કરી શકશે ?’ આ સાંભળી એ વીકુમારે હિંમતભર્યા વચનો દ્વારા હૃદયના ઉચ્ચ ધૈર્યનું દર્શન કરાવી તરત જ સમાધાન કરી દીધું કે, “શૂરવીરના માટે તે કષ્ટ કોઈ હિસાબમાં નથી. મારી ઉંમર ભલે નાની છે પરંતુ આત્મા કાંઈ નાનો નથી. સંયમનું પાલન કરતાં ગમે તેવાં કષ્ટો આવશે તો પણ હું માનસિક કે આત્મિક શક્તિથી તે સહન કરીશ.' પુત્રની આવી હિંમતથી માતા કંકુબાઈ આનંદવિભોર બની ગયાં, તેમનો અંતરાત્મા પોકારી ઊઠ્યો કે આ મારો લાડીલો ભવિષ્યમાં જરૂર શાસનનો ઉદ્યોત ક૨શે. તેમને તો પતિદેવના અવસાનથી જ સંસાર ઉપરથી મોહ ઊતરી ગયો હતો. અને સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હતી પરંતુ બાળપુત્રનો પ્રશ્ન મૂંઝવતો હતો તેનું પણ નિરાકરણ થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યાં કે હવે ઢીલ કરવી યોગ્ય નથી કારણ કે માનવ જીવનની એક એક ક્ષણ ખૂબ જ કિંમતી છે. જા જ્ઞાનિ: समयक्षतिः । धर्मस्य त्वरिता गतिः । शुभस्य शीघ्रम् । समयं गोयम मा પમાયત્ । આવાં મહાવાક્યો તેમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યાં હતાં તેથી વિલંબન કરતાં એ પુણ્યશાળી માતા-પુત્ર સંયમ લેવાની તૈયારી કરવા લાગ્યાં. શરણું લીધું છે પછી ફિકર શાને ? પરિચિત સગૃહસ્થો તેમ જ સંઘના અગ્રેસરોની સલાહ લઈ, નજીકના સંબંધીઓને હૃદયની ભાવના જણાવી માતા-પુત્ર ગોંડલ આવ્યાં. તે વખતે ગોંડલમાં પૂજ્યશ્રી હીરાજી સ્વામી તથા કાનજી સ્વામી ઠાણા-૨ ચાતુર્માસ બિરાજતા હતા. તેમને યથાવિધિ વંદન કરી માતા-પુત્ર પૂજ્યશ્રીની સન્મુખ બેઠાં. પૂજ્યશ્રીએ તેમના Page #120 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૦૭ નામ-ઠામ, આગમન પ્રયોજન વગેરેની પૃચ્છા કરી. પ્રત્યુત્તરમાં માતા શ્રી કંકુબાઈએ હ્દયના ભાવો જણાવ્યા અને નમ્ર વિનંતિ કરી, “ગુરુદેવ ! અમે આપના શરણે આવ્યા છીએ, આપ અમારો ઉદ્ધાર કરો.’’ પૂ. મહારાજશ્રી બન્ને ઠાણા ખૂબ જ રાજી થયા. અને કહ્યું, “તમારી ભાવના ઉત્તમ છે.’’ નહાવુä રેવાપુપ્પિયા ! મા પડિત્રંથ હૈં । અર્થાત્ તમને જેમ સુખ ઊપજે તેમ કરો, (ધર્મના કામમાં) વિલંબ કરો નહિ. તમે નિશ્ચિતપણે અહીં ધાર્મિક અભ્યાસમાં આગળ વધો. પૂ. ગુરુદેવનાં સુમધુર વચનામૃતો સાંભળી માતા-પુત્રના આનંદની અવિધ ન રહી. પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં ધાર્મિક અભ્યાસની શુભ શરૂઆત કરી. માતાની ઉંમર પરિપક્વ હોવાથી યાદશક્તિ સાધારણ હતી પરંતુ પુત્રની બુદ્ધિ તીક્ષ્ણ હતી. વાક્ય કે શ્લોક એક યા બે વાર સાંભળવાથી કંઠસ્થ થઈ જતાં. ગમે તે નવીન કાવ્ય એકાદ-બે વાર સાંભળીને પોતે મોઢે કહી દેતા. અજાણ્યા માણસને એમ જ લાગે કે આગળથી મોઢે કરી દીધું હશે. આવી કુશાગ્ર બુદ્ધિ હોવાના કારણે જેટલો અભ્યાસ બીજાથી બાર મહિને થઈ શકે તેટલો ત્રણ કે ચાર મહિને વગર પરિશ્રમે કરી લીધો. પૂર્વભવના પુણ્ય સિવાય આવું બની જ ના શકે. आकृतिर्गुणान् कथयति । બુદ્ધિની તીક્ષ્ણતા માત્ર અંતરમાં જ છુપાઈ રહી ન હતી. ચહેરા અને કપાળ ઉપર તે તેજ ચમકી રહ્યો હતો. શરીર સૌષ્ઠવ સુંદર હોવાના કારણે સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગતું હતું. પરીક્ષક માણસો જોતાંની સાથે જ સમજી જતા અને કહેતા કે, આ બાળકની આકૃતિ એના ગુણોની ચાડી ખાય છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે, “Face is the index of the heart” ચહેરો એ હ્દયરૂપી પુસ્તકની અનુક્રમણિકા છે. આપણા ચરિત્રનાયકશ્રીની તેજસ્વિતા જોઈ એક અન્યધર્મી મહંત પણ કેવા આકર્ષાયા તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે. ગોંડલના એ ચાતુર્માસ દરમ્યાન એક વખત તેજસ્વી આનંદકુમાર એક સુશ્રાવકને ત્યાં જમવા માટે જતા હતા ત્યારે હવેલીમાં બેઠેલા ગોંસાઈજી (મહંત)ની દિષ્ટ તેમના ઉપર પડી. સૂર્ય જેવો તેજસ્વી અને ચંદ્ર જેવો શીતળ ચહેરો જોઈ આ પુણ્યશાળીને પોતાના શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ. જમીને પાછા વળ્યા તેટલામાં ગોંસાઈજીએ એક નોકર મોકલી રસ્તામાંથી આનંદકુમારને બોલાવ્યા. પોતાની પાસે પ્રેમથી બેસાડી ગામ-નામ-ઠામ વગેરે બાબતોની પૃચ્છા કરી, ક્યાં રહો છો અને શું કરવાના છો તે પણ પૂછયું. દીક્ષાર્થી આનંદકુમારે જવાબ આપ્યો કે હું અહીં જૈન મુનિરાજ પાસે રહું Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી અજરામરજી સ્વામી છું અને ધાર્મિક અભ્યાસ કરું છું, ભગવતી દીક્ષા અંગીકાર કરી હું તેમનો શિષ્ય બનીશ. - જરાય ગભરાયા વિના નમ્રતાપૂર્વક જયારે એ બાળકે જવાબ આપ્યો ત્યારે ગોંસાઈજી ખૂબ જ ખૂશ થયા. તેમને થયું કે મેં જેવો ધાર્યો હતો તેવો જ આ બાળક છે. થોડી આનંદની વાતો કરી રજા આપતાં કહ્યું કે, “જ્યારે જ્યારે અહીંથી નીકળો ત્યારે મારી પાસે થઈને જવું. કોઈ રીતે જુદાઈ માનશો નહિ, કાંઈ પણ જોઈતું હોય તો વિના સંકોચે કહેજો.” આનંદકુમારે ખૂબ નમ્રતાથી કહ્યું, “બહુ સારું, મારે કાંઈ જોઈતું નથી.” આટલું કહીને વિદાય લીધી. મહંતજીની મોટી લાલચ છતાં બાળકની ભારે મક્કમતા. ફરી એક વાર ગોંસાઈજીને બોલાવવાથી આનંદકુમાર ત્યાં ગયા ત્યારે ગોંસાઈજીએ મોકો જોઈ પોતાના પક્ષમાં લલચાવવા નીચે પ્રમાણે સંવાદ શરૂ કર્યો. ગોંસાઈજી: “છોકરા! આ ઉમેદવારીથી તે સંસાર ત્યાગ કરવાનો નક્કી વિચાર કર્યો છે!” આનંદ કુમાર : “જી હા, મારો વિચાર નક્કી છે.” ગોસાઈજી : લઘુવયમાં તેવો વિચાર કેમ થયો? આનંદકુમાર : સંસારની અસારતાનું ભાન થાય ને પૂર્વના સંસ્કાર સારા હોય તો લઘુવય તેમાં પ્રતિબંધક નથી. ગોંસાઈજી : અમુકની પાસે જ ઉમેદવારી કરવી એમ તું બંધાયેલો છે? આનંદકુમાર : તેમાં બંધનરૂપ કાંઈ જ નથી પરંતુ સાચા સદગુરુની પાસે તે ઉમેદવારી કરવી એમ મારા મનમાં નિશ્ચય કરેલો છે. ગોંસાઈજી : અહીં મારી પાસે રહેવાથી તારી ધારણા પાર પડી શકશે, એટલું જ નહિ પણ અહીં તેવું કાંઈ કષ્ટ પણ નથી. સારાં વસ્ત્રાભૂષણો પહેરવાં અને પરમેશ્વરની ભક્તિ કરવી કે જેથી સહેલાઈથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે તેની સાથે અત્યારે તું હા પાડતો હોય તો મારી તમામ મિલકતનો વારસદાર હું તને બનાવું. મારી પાસે કેટલી સંપત્તિ છે એની તને માહિતી ન હોય તો કોઈને પણ પૂછી શકે છે. તારા ઉપર મને ખૂબ જ પ્રેમ આવે છે તેથી જ ઉપરની વાત જણાવું છું. બોલ તું હા પાડે તો અમી ધ્રમ | આનંદકુમાર : ગોંસાઈજી મહારાજ ! આપ કહો છો તે કદાચ બરાબર હશે પણ જે માણસો પૈસાની લાલચમાં લલચાય તેમાંનો હું નથી. બે લાત મારનારી Page #122 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૦૯ દોલતને સામી લાત મારી નિઃસ્પૃહતાના આનંદનો અનુભવ કરનારાઓમાંનો હું એક છું. આપની સંપત્તિ આપને મુબારક હો ! લાખો કે કરોડો તો શું પણ કદાચ બાદશાહી મળતી હોય તો પણ તે મારા મનને લલચાવી શકે તેમ નથી. જે માર્ગમાં કંચન તથા કામિની લાલચરૂપ થતાં નથી તે જ માર્ગમાં ચાલવાનો મેં નિશ્ચય કર્યો છે. માટે ફરીથી આવું કાંઈ ન કહેવા મારી નમ્ર વિનંતિ છે. આપને આવી લલચામણી વાત કરવી હોય તો હું રજા લઉં છું, કારણ કે તે વાત સાંભળવા પણ હું ખુશ નથી. આ પ્રમાણે કહી તે ધીર બાળકે વિદાય લીધી. ગોંસાઈજી મંત્રમુગ્ધ બની ગયા. આટલી નાની ઉંમરમાં આટલી બધી સમજણ અને આટલી વાક્છટા ! ખરેખર, જે ગુરુને આવા શિષ્ય મળે છે તે ગુરુ પણ ગૌરવનો અનુભવ કરતા હશે. ગોસાઈજી અને આનંદકુમારના સંવાદ ઉપરથી વૈરાગ્યની દઢતા, મનની નિશ્ચલતા અને નિઃસ્પૃહતા કેવા ઊંચા પ્રકારની છે તેની પ્રતીતિ થાય છે. મહાપુરુષોના લક્ષણ બાળપણથી જ દેખાઈ આવે છે. પેલી અંગ્રેજી કહેવત પણ se s - "Childhood shows the man as morning shows the day અર્થાત્ દિવસ કેવો થશે તે પ્રભાત બતાવે છે. તેમ માનવ કેવો થશે તે એનું બાલપણ બતાવે છે. માત્ર નવ જ વર્ષની ઉંમર હોવા છતાં એ ચાતુર્માસમાં ખૂબ જ સારો અભ્યાસ કરી સંયમ લેવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. મુનિઓના કલ્પ પ્રમાણે કારતક વદ-૧ના પૂજ્ય શ્રી હીરાજી સ્વામી આદિ ઠા. ર ગોંડલથી વિહાર કર્યો. તેમની સાથે ભાવિ મહાપુરુષે પણ વિહારનો અનુભવ લીધો. માતા કંકુબાઈએ પુત્રને પૂજ્યશ્રીની સાથે ફરવાની અનુમતિ આપી પોતે આચાર્યજી સાથે અભ્યાસ કરવા રહ્યા. થોડા સમયમાં જ ચારિત્ર્યની દુષ્કરતાનો અંગત અનુભવ મેળવી વૈરાગ્યના રંગને પરિપક્વ બનાવી દીક્ષાની અનુજ્ઞા લેવા માતા-પુત્ર પોતાના ગામ પડાણા આવ્યાં. તેમના સગાંવહાલાઓ કે જેઓ ધર્મમાં ઉંડા ઊતરેલા ન હતાં છતાં સરલ હતાં. એ લોકોનાં દયમાં જયારે “ધર્મ એ આપણું કર્તવ્ય છે અને સંયમ લેવો એ એક ઉચ્ચ આદર્શ અને ઉત્તમોત્તમ પગલું છે.” એ વાત પ્રમાણો આપી સમજાવવામાં આવી ત્યારે રાજીખુશીથી બન્નેને દીક્ષા લેવાની આજ્ઞાપત્રિકા લખી આપી. તે આજ્ઞાપત્રિકામાં મોટા સાધુ અને આગેવાન શ્રાવકોની સહી કરાવી દીક્ષા લેવાનું પ્રમાણપત્ર મેળવ્યું. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦ શ્રી અજરામરજી સ્વામી 'હું તો અરિહંત અરિહંત જપે મોરી મા, ' મારું મન લાગ્યું છે સંયમમાં..... ૧૦ વર્ષની ઉંમરના આનંદકુમાર દીક્ષા લેવા માટે થનગની રહ્યા છે. માતાને કહે છે, હવે જલદી દીક્ષિત થઈએ. પૂજ્ય ગુરુદેવને પણ વિનંતી કરી, પ #7ી તીક્ષા તેદિ કૃપા કરી દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો. - પૂજ્ય શ્રી હીરાજી સ્વામી તથા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફરીને ગોંડલ પધાર્યા ત્યારે શ્રાવકોના ચડતા ઉત્સાહની સાથે અત્યાગ્રહથી ગોંડલમાં જ દીક્ષા મહોત્સવ ઊજવવાનો નિશ્ચય કર્યો. વિ. સંવત ૧૮૧૯ના મહા સુદિ પાંચમના દિવસે ચડતે પહોરે, શુભ મુહૂર્ત પૂજય શ્રી હીરાજી સ્વામીએ ઉચ્ચ ભાવથી ઉત્સુક બનેલા બન્ને ભાગ્યશાળી માતા-પુત્રને દીક્ષા આપી. પૂજયશ્રી હીરાજી સ્વામીએ આનંદકુમારનું નામ અજરામરજી સ્વામી રાખી મ. શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પવિત્રાત્મા કંકુબાઈ આર્યાજીને મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા. સાથે આશીર્વાદ પણ આપ્યા. (ઉં. આ. ૨૨) नाणेय दंसणेय च चरित्तेण तवेण य । खंतीए मुत्तीए वढमाणो भवाहि य ॥ અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે સદ્ગણોમાં વૃદ્ધિ પામો, જલદી સંસાર સાગરને તરો. સંયમના ઉચ્ચ શિખર ઉપર ચડતાં બાલમુનિ શ્રી અજરામરજી સ્વામીના મનમાં અપૂર્વ ઉત્સાહ ઝળકતો હતો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને લુબ્ધને ધન મેળવવાની જેટલી આતુરતા હોય તેના કરતાંય અધિક આતુરતા સંયમ તરફ અને જ્ઞાન તરફ આ બાલમુનિને હતી. દીક્ષિત થયા પછી રાત અને દિવસ ગુરુવર્યોની સેવામાં તત્પર રહી પ્રતિદિન અધિકાધિક ગુરુમહારાજની કૃપા મેળવતાં તેઓ શાસ્ત્રાભ્યાસનું રટણ કરવા લાગ્યા. સમયની કિંમત તેઓ સારી રીતે સમજતા હતા તેથી જરાય સમય વ્યર્થ ગુમાવતા નહિ કારણ કે તેઓ સમજતા હતા કે “Time is more Preious than money because money once lost can be regained but time once lost can not be regained." અર્થાત્ ધન કરતાં સમયની કિંમત વધારે છે કારણ કે ગયેલું ધન પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી. તેઓશ્રી સમયની આવી કિંમત સમજતા હોવાથી જરાય સમય ગુમાવતા નહિ. વળી કયા કાર્યમાં વધારે સમય ગાળવાથી લાભદાયી થાય તે પણ સારી Page #124 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧૧ રીતે સમજતા હતા જેથી કાર્યનું પૃથ્થકરણ કરી વધારે ઉપયોગી અને વધારે અનુકૂળ કાર્ય પ્રથમ હાથ ધરતા. અભ્યાસક્રમમાં અવશ્ય મુનિચર્યાની ક્રિયા સિવાયનો તમામ સમય અભ્યાસમાં અને સ્વાધ્યાયમાં ગાળતા હતા. પૂજ્ય ગુરુદેવે બીજા સાધુઓને એવી આજ્ઞા કરી હતી કે અભ્યાસ મુનિ પાસે બીજાં કામો કરાવવા નહિ તેમ જ બીજા સંતોનો પણ આ તેજસ્વી મુનિ તરફ એટલો પ્રેમ હતો કે મુનિ શ્રી કોઈ કાર્યમાં ભાગ લે તો અટકાવીને અભ્યાસના કાર્યમાં ઉત્તેજન આપતા. આ બધામાં તે મહાપુરુષની શાંતપ્રકૃતિ, મળતાવડો સ્વભાવ, સૌને પોતાના તરફ ખેંચવાની પુણ્યપ્રકૃતિ અને નમ્રતાયુક્ત ડહાપણને આભારી હતું. એક તરફ સહચારીઓની સહાયતા ને બીજી બાજુ બુદ્ધિની તીક્ષ્ણતા આ અનુકૂળતાના કારણે અભ્યાસનું કામ શીધ્ર ગતિથી આગળ વધતું હતું. તેમનું જીવન વિદ્યાના પ્રભાવથી અધિકાધિક તેજમય દેખાતું હતું અને મહાનતાના લક્ષ્યો સ્પષ્ટ તરી આવતા હતાં. દીક્ષિત થયા પછી પ્રારંભનાં છ વર્ષ દરમ્યાન દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અનુયોગદ્વાર, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, દશાશ્રુત સ્કંધ, આચારાંગ સૂત્રનો પ્રથમ શ્રુત સ્કંધ તથા સૂયગડાંગ સૂત્ર આ દશ સૂત્રો કંઠસ્થ કર્યા તથા કેટલાંક સૂત્રોની વાચના લીધી. સંવત ૧૮૨૫ સુધી ઝાલાવાડ કાઠિયાવાડમાં વિચર્યા, ત્યાર પછી સંસ્કૃતનો વિશેષ અભ્યાસ વધારવા ગુજરાત તરફ વિહાર કરવાનો નિશ્ચય કર્યો. વિદ્યા પ્રાપ્તિ માટે ગમે તેવાં કષ્ટો સહન કરવા તેઓશ્રી તત્પર હતા. સાચા અર્થમાં જે વિદ્યાર્થી છે તેણે અનુકૂળતાઓ અને સુખશીલતાનો ત્યાગ કરવો જોઈએ. ખરું જ કહ્યું છે પેલા સુભાષિતમાં – सुखार्थी चेत्त्यजेद् विद्यां, विद्यार्थी चेत्त्यजेत्सुखम् । सुखार्थिनः कुतो विद्या, सुखं विद्यार्थिनः कुतः॥ અર્થાત્ સુખાર્થીએ વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો જોઈએ, સુખાર્થી જીવને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી મળે? આજના કાળમાં વગર મહેનતે કોપીઓ કરી પાસ થઈ જવું હોય અને ડિગ્રીઓ જ મેળવવી હોય એવા સુખની આશા રાખનારા સુખાર્થી જીવો વિદ્યાની મહત્તા ક્યાંથી સમજી શકે ? વિ.સંવત ૧૮૨૬ની સાલમાં લીંબડીથી પૂજ્ય શ્રી હીરાજી સ્વામી, પૂ. શ્રી કાનજી સ્વામી તથા ભવિષ્યના ક્રિયોદ્ધારક શ્રી અજરામરજી સ્વામી એ ત્રણ મહાપુરુષોએ સુરત તરફ પ્રયાણ કર્યું. દરેક ગામમાં ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્મપ્રત્યે આકર્ષતા, જૈન ધર્મનો ઝંડો ફરકાવતા ભરૂચ પહોંચ્યા. ભરૂચની નર્મદા નદી ઉલ્લંઘી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી અજરામરજી સ્વામી સામે કાંઠે વિશ્રાન્તિ લેવા એક ઝાડ નીચે બેઠા હતા. તે વખતે સુરત નિવાસી ખરતર ગચ્છના શ્રી પૂજ્ય ગુલાબચંદ્રજી પંડિત પાલખીમાં બેસી ભરૂચથી પાછા ફરી સુરત તરફ જતા હતા. નદી ઉલ્લંઘી માર્ગમાં ચાલનાર શાસન શણગાર શ્રી અજરામરજી સ્વામીના શુભલક્ષણોથી યુક્ત પગલાં જોયાં. લક્ષણશાસ્ત્રવેત્તા શ્રી પૂજયે લક્ષણશાસ્ત્રના બળથી તે પગલે ચાલનાર પુરુષની ઉત્તમતા પીછાણી લીધી. આવા ઉત્તમ આત્માને મળવાની તીવ્ર તાલાવેલી જાગી. પગલાં તાજાં લાગે છે એમ વિચારી નિશ્ચય કર્યો કે ચિત્તને હરનાર તે પુણ્યપુરુષ બહુ દૂર નહિ જ હોય માટે શીધ્ર તેમની શોધ કરે; એમ શ્રી પૂજ્યનાં મનમાં તાલાવેલી જાગવાથી શીધ્રગતિથી આગળ વધ્યા તો એક ઝાડ તરફ તે પગલાં જતાં જોયાં એટલે પાલખી ચાલકોને તે તરફ ચાલવાની આજ્ઞા કરી. તે ઘટાદાર વૃક્ષ નીચે ઉત્તમ લક્ષણયુક્ત તે ભાવિના મહાપુરુષને જોઈ શ્રી પૂજયજીના આનંદની કોઈ અવધિ ન રહી. પાલખીમાંથી ઊતરી પ્રમોદભાવથી પૂછવા લાગ્યા કે, “મહારાજ ! આપ ક્યાંથી આવો છો? અને કઈ તરફ જવાના છો ?” પૂજ્ય શ્રી હીરાજી સ્વામીએ જવાબ આપ્યો, “લીંબડીથી વિહાર કરી અનુક્રમે ભરૂચ થઈ સુરત તરફ વિહાર કરવાનો વિચાર છે.” સુરતનું નામ સાંભળી મનમાં અત્યંત ખુશ થતાં શ્રી પૂજ્ય પૂછયું કે, “આ લઘુમુનિ શું આપના શિષ્ય છે? અને તે આપની સાથે જ રહેવાના છે?” હકારમાં ઉત્તર મળવાથી પુનઃ પૂછયું કે, “તેમણે શું અભ્યાસ કર્યો છે? અને હવે શેનો અભ્યાસ કરવાના છે ?” ગુરુમહારાજે તેમના દ્ધયનો અભિપ્રાય કહી બતાવ્યો કે, “સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરવા તેમના મનમાં ઘણી આતુરતા છે.” આ સાંભળીને શ્રી પૂજયે જણાવ્યું કે ઘણી ખુશીની વાત છે. ભણવાની આતુરતા એ એક ઉત્તમતાની નિશાની છે. હવે આપ જ્યારે સુરત પધારો ત્યારે મને મળજો. ભણાવવા માટે આપને બીજા શિક્ષકની શોધ કરવી નહિ પડે. હું મારી જાતે જ તેમને ભણાવીશ. તેમને જે ભણવાની ઈચ્છા હશે તે પૂરી થશે. તેમાં જરાય ભેદભાવ નહિ રાખું. આપ ખરેખર ભાગ્યશાળી છો કે આવા ઉત્તમ શિષ્યની પ્રાપ્તિ થઈ છે. વધારે શું કર્યું? હું એક ભિન્ન સંપ્રદાયી છું છતાં આપના શિષ્ય મારું અંતઃકરણ પોતાના તરફ ખેંચી વશ કરી લીધું છે. અસ્તુ એક જ વિચાર રાખી તુરત સુરત પધારજો. એમ કહી શ્રી પૂજય સુરત તરફ પ્રયાણ કર્યું. પ્રતિપક્ષના અગ્રેસર પુરુષને આકર્ષનાર અને પહેલે જ સમાગમે તેમની પ્રીતિના પાત્ર બનનાર મહાપુરુષની પુણ્યકૃતિમાં કેટલી શ્રેષ્ઠતા અને તેમનાં લક્ષણોની કેટલી ઉચ્ચતા હશે તે ઉપરના પ્રસંગથી સારી રીતે સમજી શકાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧૩ અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે – સાતિથતિ અર્થાત મહાપુરુષોની આકૃતિ જ એમના ગુણોને કહે છે. શ્રી પૂજયના સમાગમ પછી સુરત પહોંચવાની તાલાવેલી જાગી. વિના વિલંબે થોડા સમયમાં તેઓશ્રી વિહાર કરતાં કરતાં સુરત આવી પહોંચ્યા. સ્થાનકમાં ઊતર્યા પછી તરત શ્રી પૂજયની બતાવેલી નિસાનીથી ગોપીપરામાં ઉપાશ્રય શોધી શ્રી પૂજયને મળ્યા અને ક્યાંથી અભ્યાસ કરવો તેના માટેની વાતચીત કરી. અભ્યાસ સમયની નક્કી ગોઠવણ કરી સ્વસ્થાને ગયા અને બીજા દિવસથી નિયમિત સમયે મહારાજ શ્રી કાનજી સ્વામી સાથે પ્રખર વિદ્યાવ્યાસંગી શ્રી અજરામરજી સ્વામી શ્રી પૂજયના ઉપાશ્રયે પાઠ લેવા ગયા. આ દાખલો વિદ્યા મેળવવાની છૂટ માટે ઓછો ઉપયોગી નથી; તે વિદ્યા ક્ષેત્રની સીમાને વધારે છે; સંકુચિત દષ્ટિને દૂર કરી Æયની વિશાળતાનો પુરાવો આપે છે એટલું જ નહિ પણ વિદ્યાર્થી અવસ્થામાં ઉત્તમ વિદ્યાનો લાભ મળતો હોય ત્યાં અમુક સ્થળે ન જવાનું જરાય મિથ્યાભિમાન ન રાખવાનો સારો બોધ આપે છે. અહંકારી આત્માઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્યા પ્રાપ્તિ માટે વિનય અને નમ્રતા અત્યંત જરૂરી છે, તેથી જ આ સૂક્તિમાં કહ્યું છે કે – વિદ્યા विनयेन शोभते । અભ્યાસ કરતાં કરતાં થોડા દિવસો નીકળી ગયા પછી શ્રી પૂજ્યના સેવકોમાં ચળવળ થવા લાગી. પ્રતિપક્ષના સાધુને શ્રી પૂજ્ય ભણાવે છે તે સર્પને દૂધનું પાન કરાવવા જેવું કરે છે; તો આ અયુક્ત પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. ઘણા લોકોએ આવો એકદેશી સંકુચિત અભિપ્રાય બાંધી શ્રી પૂજ્યને અભ્યાસ ન કરાવવા માટે વિનંતી કરી પણ પાત્રની પરીક્ષા કરનાર મધ્યસ્થ વૃત્તિના શ્રી પૂજયે એવો સ્પષ્ટ જવાબ આપ્યો કે જેથી તેઓ સંતોષ પામી, વગર બોલ્ય ઘેર ચાલ્યા ગયા. જયારે સામસામા પક્ષમાં વિરોધની પ્રબળતા હતી, એકવીસમી સદીના યત્કિંચિત્ મધ્યસ્થ ભાવનો હજી પ્રચાર થયો ન હતો. તેવા સમયમાં ખરા ભાવથી બીજા ગચ્છના સાધુને વિદ્યાભ્યાસ કરાવવાની શ્રી પૂજ્યજીએ જે ઉદારતા બતાવી તે તેમના દ્ધયની માધ્યચ્યવૃત્તિ અને જાહેર હિંમતનો પ્રેરણાદાયી પુરાવો છે. સાચા વિદ્વાન પુરુષોની તો આવી જ વિચારધારા હોવી જોઈએ. શ્રી ભર્તુહરિએ સાચું જ કહ્યું છે કે – अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ અર્થાત્ સંકુચિત મનવાળાની ગણતરી આ મારું અને આ પરાયું એવી હોય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી અજરામરજી સ્વામી છે પરંતુ ઉદાર આત્માઓ માટે તો આ પૃથ્વી આખી પોતાની કુટુંબ સમાન છે. મહાત્મા ગાંધીજીએ પણ એ વાત કહી છે, The world is my family. જાહેર હિંમત હોય તો જ લોકાપવાદ જીતી કાર્ય સિદ્ધ કરી શકાય છે. શ્રી પૂજ્યજીની જાહેર હિંમતને સહસ્રશઃ ધન્યવાદ ઘટે છે. સેવકોનો વિરોધ છતાં સ્પષ્ટ જવાબ આપવાનો હેતુ એ પણ હતો કે આજ સુધી અજરામરજી સ્વામી જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળો સરળ અને સુપાત્ર વિદ્યાર્થી તેમને બીજો કોઈ મળ્યો ન હતો; તેથી ગમે તેવી પ્રતિષ્ઠાને કે પેદાશને ભોગે પણ એ મુનિને અભ્યાસ પૂરો કરાવવો એવો તેમણે અંત૨માં નિશ્ચય કર્યો હતો. આવો ઉદારતાનો નમૂનો મતાગ્રહી ત્યાગી લોકોએ અનુકરણ કરવા યોગ્ય છે. શ્રી પૂજ્યની દૃઢતાભરેલી લાગણીથી સંઘ તરફનું વિઘ્ન દૂર થતાં નિર્વિઘ્નપણે અભ્યાસ કરતાં ચાતુર્માસનો કાળ પરિપૂર્ણ થયો. મુનિના કલ્પપ્રમાણે વિહાર કરવો જોઈએ અને વિહાર થાય તો અભ્યાસ અધૂરો મૂકવો પડે; તે પણ મૂકી શકાય પરંતુ ફરીને આવો યોગ ક્યાંથી મળે ? તેથી “સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ.’’ એ ન્યાયાનુસાર અભ્યાસ પણ ચાલુ રહે અને સાધુનો કલ્પ પણ સચવાય તેવો માર્ગ શોધવાનો વિચાર કર્યો અને આજુબાજુનો ગૂંચવાડો હોવા છતાં ગુરુમહારાજની સ્થિર બુદ્ધિએ તે ગૂંચવાડો વિખેરી દૂર કર્યો અને જણાવ્યું કે જે પરામાં વહોરવા નથી ગયાં ત્યાં શેષકાળ રહી શકાશે અગર તો ચાતુર્માસ પણ કરી શકાશે; અલબત્ત, તેથી દૂર તો થશે અને આવવા જવામાં સમય વધારે લાગશે પણ અભ્યાસ ચાલુ રહેશે. ખરું જ કહ્યું છે કે - सर्वनाशे समुत्पन्ने, हयर्धं त्यजति पण्डितः । अर्धेन कुरुते कार्यं, सर्वनाशो न जायते ॥ અર્થાત્ અર્ધનાશના ભોગે સર્વનાશ થતો અટકાવવો એ નિર્ણય થતાં પૂજ્યશ્રીના મનમાં ખૂબ જ આનંદ થયો અને સંસ્કૃત અભ્યાસ આગળ વધ્યો. એક પરામાંથી બીજા પરામાં શેષકાળ અને ચાતુર્માસની પરાવૃત્તિ કરતાં કલ્પતી રીતે છ વર્ષ રહી લગાતાર ૬ ચાતુર્માસ સુરતમાં કર્યાં અને ત્યાં સુધી શ્રી પૂજ્યે ચડતી પ્રીતિની સાથે નિરંતર અભ્યાસ કરાવ્યો. મુનિશ્રીના સુશીલ સ્વભાવ અને નમ્ર પ્રકૃતિને લીધે ભણાવતાં શ્રી પૂજ્યને એકે વખત કંટાળો ન ઊપજ્યો પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ભણવાની પ્રીતિ અને ઉત્સાહમાં વધારો થતો હતો. છ વરસમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, નાટક, ચંપુ, છંદ, સંગીત અને જ્યોતિષનો સારી રીતે અભ્યાસ કરવા ઉપરાંત ન્યાયમાં દીપિકા, મુક્તાવલિ, Page #128 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧૫ દિનકરી આદિ પ્રકરણ ગ્રન્થો અને જગદીશ ગદાધરના ગહન, ગ્રન્થોની સાથે ન્યાયાવતાર, રત્નાકરાવતારિકા અને સ્યાદ્વાદ રત્નાકર (જેન ન્યાય)નો સંપૂર્ણ અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ તેની સાથે સાંખ્ય, યોગ, વેદાંત અને બૌદ્ધના દાર્શનિક ગ્રન્થોનો પણ અનુભવ મેળવ્યો; તેમાંના કેટલાંક પુસ્તકો તો ભણતા ગયા ને લખતા ગયા જેથી પ્રતો તેમના હાથની લખેલી હાલમાં લીંબડીના પુસ્તક ભંડારમાં મોજુદ છે; તેમાંના કેટલાક ગ્રન્થો ઉપર તો ભણતી વખતે ટિપ્પણી પણ ભરેલી છે. પૂજયશ્રીના અક્ષર સામાન્ય પણ બહુ શુદ્ધ છે. લખાણ બહુ ઝડપથી કરતા હતા તેમ જ લખવાનો બહુ શોખ હતો. આજે લીંબડીના ભંડારમાં દરેક વિષયનાં પુસ્તકો તેમનાં લખેલાં જથ્થાબંધ મળી શકે છે. અભ્યાસના વખતનાં લીધેલા પાઠનું પૂરતી રીતે ચર્વણ કરી લખવાને માટે પણ સમય બચાવતા એ તેમની યાદશક્તિનો અદ્ભુત નમૂનો હતો. का कल्पलता लोके ? सच्छिष्यार्पिता विद्या । પ્રશ્ન : લોકમાં કલ્પવેલ કઈ છે? જવાબ : સુશિષ્યને - સુપાત્ર વિદ્યાર્થીને આપેલ વિદ્યા એ જ કલ્પવેલ છે. સંસ્કૃત અભ્યાસની પૂર્ણાહૂતિમાં, શ્રી પૂજયજીએ પોતાની પાસે ચંદ્રપન્નતિ અને સૂર્યપતિની કેટલી અર્થસૂચક આમ્નાયો હતી કે જેથી ભવિષ્ય અને વર્તમાનનું ચમત્કારિક જ્ઞાન થઈ શકે તેવી ગુપ્ત આમ્નાયોનાં પાનાં બતાવી પૂર્ણ પ્રીતિને કારણે યોગ્યતા જાણી તેની કૂચી પૂજયશ્રીને આપી અને પાનાના ઉતારા માટે રજા આપી કૃપાપ્રસાદનું શિખર ચડાવ્યું. ભાષાજ્ઞાન માટે સંપૂર્ણ પરિશ્રમ લઈ આજના ખંડિત પંડિતોની જેમ “વાડે qusa ufu SRIAI" "Jacks of all but mster of none." 4 Huadi લીધેલી લાઈનનો અંત લીધા સિવાય મૂકવું નહિ એ કાર્યસાધક રીતિને માન આપી ભાષાજ્ઞાનમાં આરપાર ઊતરી હવે સુત્રજ્ઞાનની લાઈન લેવા તેમનો અને ગુરુમહારાજનો વિચાર થયો. શ્રી પૂજ્યજીનો અંતઃકરણપૂર્વક અપરિમિત આભાર માની પૂર્ણ સ્નેહથી અમૃત ઝરતી આંખે તેમની વિદાય લઈ સુરતથી વિહાર કરી ઠાણા-૩ સંવત ૧૮૩૨માં લીંબડી પધાર્યા. ઘણાં વર્ષના વિરહથી ઉત્પન્ન થયેલ દર્શનની પિપાસાવાલા લીંબડીના શ્રાવકો તેમના આગમનથી ઘણા જ આનંદિત થયા. વધારે આનંદનું કારણ એ હતું કે અજરામરજી સ્વામીની વિદ્વતાને માટે સૌના મનમાં ઊંચો અભિપ્રાય બંધાયો હતો અને ઘણીવાર અનુભવી લોકો પાસેથી તેમની પ્રશંસા સાંભળી હતી; તેમના ઉચ્ચ સદ્વર્તન અને ઉચ્ચ અભિલાષા માટે સૌને માનની લાગણી ઉત્પન્ન થઈ હતી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી અજરામરજી સ્વામી વ્યાખ્યાન આપવાની છટાદાર શૈલી અને અલૌકિક વકતૃત્વ શક્તિથી તેમણે શ્રોતાઓને વશ કર્યા હતા. 'સંપ્રદાયના મુખીની શંકાનું સમાધાન અને પૂજ્યશ્રી ' તરફ જાગેલો શેઠશ્રીનો અહોભાવ. જે વખતે લીંબડીની ગાદીએ પૂજય શ્રી મૂલચંદજી મહારાજના શિષ્ય પૂજય શ્રી પચાણજી સ્વામી હતા તે વખેત સાધુઓની સંખ્યા ઘણી હતી પણ જોઈએ તેવી એકતા ન હતી. સાધુ સામાચારીની સુધારણાને માટે અમુક કલમો બાંધી હતી પણ તે પળાતી ન હતી. સ્થિતિ છિન્નભિન્ન પ્રાયઃ હતી. તે વખતમાં લીંબડીમાં પ્રતિષ્ઠિત, આબરૂદાર અને સત્તાવાન ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ હતા. તેમના મનમાં કોઈ ધર્મ વિષય પર શંકા હતી. તેનો ખુલાસો મેળવવા માટે બે-ચાર મોટા સાધુઓને પૂછવામાં આવેલું પણ તેથી મનનું સમાધાન થયું નહિ પછી પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીને તે પ્રશ્નો પૂછતા તેમણે શાસ્ત્રના દાખલાઓ આપી એવી ખૂબીથી ખુલાસો કર્યો કે ખેતશી શેઠના મનની શંકાનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું જેથી તેઓ ઘણા સંતુષ્ટ થયા અને પૂજ્યશ્રીની બુદ્ધિથી ખૂબ જ પ્રભાવિત થયા. ધીમે ધીમે ઘણા શ્રાવકોનું મન વિદ્વદ્વર્ય શ્રી અજરામરજી સ્વામી તરફ આકર્ષાયું. લીંબડીમાં વધારે સમય શ્રાવકોને પોતાની વાણીનો લાભ આપે એવી દરેકના મનમાં ઉત્સુકતા થઈ. ખેતશી શેઠે લીંબડીમાં રોકાવા માટે આગ્રહ કર્યો ત્યારે પૂજયશ્રીએ કહ્યું કે મારો અભ્યાસ ઘણો અપૂર્ણ છે, સૂત્રજ્ઞાન ગુરુગમથી મેળવવું હજી બાકી છે ત્યારે બધા શ્રાવકો ચક્તિ થઈ ગયા કે આટલી વિદ્વતા છતાં કેમ અપૂર્ણતા જાહેર કરે છે. સાચો વિદ્વાન હંમેશા પોતાની જાતને અપૂર્ણ માને છે જ્યારે અર્ધદગ્ધ પોતાની જાતને ખૂબ વિદ્વાન માને છે, ભર્તુહરિએ સાચું જ કહ્યું सम्पूर्णकुम्भो न करोति शब्द । म| घटो घोषमुपैति नूनम् ॥ વિદ્વાન પુત્રીનો ન કરોતિ પર્વ મુળવિહીના વદુ નાન્તિ નીતિ શતક | ભાવાર્થ સંપૂર્ણ ભરેલો ઘડો અવાજ કરતો નથી, છલકાતો પણ નથી પરંતુ અધૂરો ઘડો અવાજ પણ ઘણો કરે અને છલકાયા કરે છે, તેવી રીતે જે સંપૂર્ણ વિદ્વાન છે તે ક્યારેય ગર્વ કરતો નથી તેમ જ પોતાની જાતને અપૂર્ણ માને છે જયારે અર્ધદગ્ધ ભણેલા ગુણવગરના માણસો બહુ બોલ બોલ કરે છે અને છલકાય છે. “There is always the season for a man to a learn.” GĦall માણસ માટે ભણવાનો સમય હોય છે, નહિ કે અમુક સમય. Page #130 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧૭ પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીએ ફરી ભાર દઈને જ્યારે પોતાની અપૂર્ણતા જાહેર કરી અને સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્સુકતા બતાવી ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકોનો વિસ્મય આગળ વધતો અટક્યો અને કયે ઠેકાણે તેમ જ કેવી રીતે તેની પૂર્ણતા થાય તેનો ઉપાય સંઘના આગેવાન ખેતશી શેઠે પૂછયો. પૂજ્યશ્રીએ માળવામાં વિચરતા સૂત્રસાર વેત્તા પૂજય શ્રી દોલતરામજી મહારાજનું નામ આપી કહ્યું કે, “કોઈ પણ ઉપાય તે પૂજ્ય શ્રી અહીં પધારે અથવા અમે ત્યાં જઈએ તો સાનુકુળ યોગ થાય.” શેઠજીએ કહ્યું કે, “આપ આપના લાભ માટે ત્યાં પધારો એ જ ઉચિત ગણાય પરંતુ તેમ કરવાથી તે પૂજયશ્રીના દર્શન તેમ જ જ્ઞાનનો લાભ અમને બધાને ન મળે તેમ જ આપનો લાભ પણ ન મળે તેથી તેમને અહીં બોલવવા એ જ સારું છે; અમને પ્રયાસ કરવા દો. જો તે પ્રયાસમાં સફળ થશું તો આપને સૂત્ર જ્ઞાનનો લાભ મળશે અને અમને પણ સાથે થોડો લાભ મળશે. જો તેમાં સફળ ન થઈએ તો બીજો માર્ગ છે જ.” આટલી વાતચીત પૂજયશ્રી સાથે થઈ ગયા પછી શેઠજીએ સંઘની મિટિંગ બોલાવી અસરકારક લખાણવાળો એક વિનંતિપત્ર લખી એક વાચાળ અને પીઢ માણસ માળવે મોકલવા તૈયાર કર્યો. તેને મોઢે ખૂબ જ ભલામણ આપી કે ગમે તેમ કરીને પૂજય દોલતરામજી મહારાજને આ તરફ પધારવા વિહાર કરાવી ત્યાંથી આ તરફનો વિહાર કરાવવો અને તારે પણ સાથે આવવું તેમ જ અમને અગાઉથી ખબર આપવા. '“પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજની વિશાળતા ' તથા લીબડી સંઘની પ્રેરણાદાયી ઉદારતા.", પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ માળવા સંપ્રદાયના હતા. તેમણે સંવત ૧૮૧૪માં દીક્ષા લીધી હતી અને સૂત્રજ્ઞાનમાં ઘણી પ્રવીણતા મેળવી હતી. સુરતમાં તેમ જ સૌરાષ્ટ્રમાં પણ તેમણે કેટલાંક ચોમાસાં કર્યાં હતાં. આ વખતે તેઓ શ્રી બુંદી કોટે બિરાજતા હતા. વિનંતીપત્ર લઈ બુંદીકોટે ગયેલા સંદેશાવાહકે પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના ચરણારવિંદમાં લીંબડીના સંઘનો વિનંતિપત્ર રજૂ કરી નમ્ર પ્રાર્થના કરી કે, “ચકોર ચંદ્રમાને, મયૂર મેઘને, કોયલ વસંતને, ભમરી કમળને અને ચાતક જલધરને જેમ ઈચ્છે તેમ લીંબડીનો સંઘ અને સાધુ મુનિરાજો આપના મુખારવિંદના દર્શન માટે તલપી રહ્યા છે. તેમની આતુરતા જણાવવા માટે મારી પાસે શબ્દો નથી પણ વિનંતીપત્ર આપને તે શબ્દો પૂરા પાડશે. તીક્ષ્ણબુદ્ધિસંપન્ન મહારાજ શ્રી અજરામરજી સ્વામીને આપની પાસેથી સૂત્રજ્ઞાન મેળવવા એટલી બધી પિપાસા છે કે જેનું વર્ણન થઈ શકે તેમ નથી, માટે કૃપા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી અજરામરજી સ્વામી કરી તરત વિહાર કરી પ્રિપાસિત જનોની પિપાસાને પૂર્ણ કરો.” આ વિનંતિની પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના મન ઉપર ઘણી સારી અસર થઈ. નવો પ્રાંત જોવાનો પ્રસંગ પણ સિદ્ધ થતો હતો, જેથી ઉત્સાહભેર ગુજરાત તરફ પેલા માણસની સાથે વિહાર કર્યો; અમદાવાદ સુધી પેલા ભાઈ સાથે જ હતા; અમદાવાદથી જુદો પડી તે અગાઉથી લીંબડી સંઘને ખબર આપવા આવ્યો. પૂજય શ્રી દોલતરામજી મહારાજ અમદાવાદ સુધી પધારી ચૂક્યા એવા ખુશખબરની વધામણીમાં ખુશ થઈને તે સંદેશવાહકને તે જ વખતે સંઘે ખરડો કરી રૂપિયા ૧૨૫૦/- રોકડા વધામણીના આપ્યા! તે વખતે સંઘની ઉદારતા કેટલી હશે તે આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના બ્દયની પણ કેટલી વિશાળતા કે અન્ય સંપ્રદાયના સાધુને જ્ઞાન આપવા માટે છેક માળવાથી સોરાષ્ટ્રમાં લઈ આવ્યા. ' સાથે તે સુસાનાથે તે ભગવતી સૂત્ર થોડા જ દિવસોમાં પૂજય શ્રી દોલતરામજી મહારાજ અમદાવાદથી લીંબડી પધાર્યા. તે વખતે લીંબડીનો સમસ્ત સંઘ તથા સાધુજીઓ ઘણે છેટે સામા જઈ સત્કારપૂર્વક પૂજ્યશ્રીની લીંબડીમાં પધરામણી કરાવીને ગામમાં ઉપાશ્રયે તેડી લાવ્યા. તેઓશ્રીને બહુમાનપૂર્વક વંદન-નમસ્કાર કરીને સંતોએ તથા સંધે પધારવા બદલ સ્વાગત પ્રવચનમાં આભાર માન્યો. 'શાસ્ત્ર-સિદ્ધાન્તનો સાર સુણાવે..... શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી દોલતરામજી મહારાજ શાસ્ત્ર જિજ્ઞાસુ અજરામરજી સ્વામીને પ્રેમપૂર્વક વાચના દેવા લાગ્યા. મુનિ શ્રી વિનયપૂર્વક વાચના લેતા હતા. પૂજય શ્રી દોલતરામજી મહારાજના લીંબડી પધારવાના ખબર પાલણપુર બિરાજતા જેઠમલજી મહારાજ (સમકિતસારના કર્તા)ને મળતાં તેઓશ્રી પણ સૂત્રનું વાચન કરવા માટે લીંબડી પધાર્યા. પૂજયશ્રી તે બન્નેને નિષ્પક્ષપાતપણે માધ્યસ્થ વૃત્તિથી ખરી અંતરની લાગણીથી અભ્યાસ કરાવતા હતા. શ્રી ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે કે : આમાં કહ્યા પ્રમાણે પૂજય શ્રી દોલતરામજી મહારાજની ઉદાત્ત વૃત્તિ હતી અને સમભાવ હતો તથાપિ અજરામરજી મહારાજના મનમાં કાંઈક ભિન્નભાવ પેદા થયો હતો; તે એવા ભાસથી કે દોલતરામજી મહારાજ મારા કરતાં મારા સહાધ્યાયી ઉપર વધારે કાળજી રાખે છે. જેઠમલજી મહારાજ વિચક્ષણ હતા તેથી તે ભાવ કોઈ દિવસ જણાવ્યો નહિ. Page #132 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧૯ પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીના મનમાં સહાધ્યાયીને માટે માનની લાગણી હતી અને અભ્યાસમાં એક કરતાં વધારે જણ હોય તો વાંચન અને મનનમાં પરસ્પર સહાયતા મળવાથી જ્ઞાન ઉત્તેજિત થાય એમ માની જેઠમલજી મહારાજને અંતરથી ચાહતા હતા. અધ્યાપક ગુરુના સાન્નિધ્યમાં નિરંતર તત્પર રહી એ સૂત્રને અક્ષરશ: અમલમાં મૂકતા જેથી મધ્યસ્થ ગુરુની પણ પોતાની તરફ અધિક પ્રસન્નતા મેળવી શકતા જેથી સૌમ્ય સ્થિતિમાં નિર્વેિદનપણે વાચના આગળ વધતી હતી. પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજની સમજાવવાની શક્તિ ઘણી સરસ હતી, તેજ ઉપસ્થિત પણ બહુ સારી હતી. વાચનમાં આવતા દરેક મુદ્દા પર બીજાં શાસ્ત્રોનાં દષ્ટાંતો અને દલીલો આપી શંકા સમાધાન કરી ચાલતી વાતનો સારી રીતે પરિષ્કાર કરતા હતા. ભણનાર કરતાં ભણાવનારમાં ઓછામાં ઓછું દશગણું જ્ઞાન હોય ત્યારે જ નિઃશંક પાઠ ચાલી શકે અને તર્કના ખુલાસા થઈ શકે. અહીં અજરામરજી સ્વામીની તાર્કિક શક્તિમાં જે તર્કો ઉત્પન્ન થતા તેનું પૂજ્ય શ્રી તરફથી તરત જ સમાધાન થતું જેથી ભણનાર અને ભણાવનાર બન્નેને અપૂર્વ આનંદ થતો. લીંબડી અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં અનુકૂળતા પ્રમાણે બે વરસ સુધી સરખી રીતે સૂત્રનું વાચન ચાલ્યું. ટીકા લગાડવાનું જ્ઞાન પોતાને સારી રીતે હતું જેથી સાથે તે ટીકાઓ પણ વાંચતા; જો કે તે સમયમાં, સંસ્કૃત અભ્યાસ ન કરવો, ગ્રન્થો ન વાંચવા, ટીકાઓ હાથમાં ન લેવી, જેમાં જરા પણ વિરુદ્ધ વાત હોય તે તરફ દ્રષ્ટિ ન કરવી; આવી માન્યતાવાળા મુનિઓની સંખ્યા ઘણી હતી તો પણ પૂજ્યશ્રી તે વિચારથી રહિત હતા. તેમનો અભિપ્રાય એવો હતો કે “જેને ઉપદેશક પદ સ્વીકારવું હોય તેણે બધાં દર્શન શાસ્ત્રો અવગાહવા જોઈએ; ભાષાજ્ઞાન ઉત્તમ પ્રકારનું મેળવવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “સસમયન્ને પરસમયa” જૈન સાધુ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જાણકાર હોય છે.” अनंतशास्त्र बहवश्च विद्याः, स्वल्पश्च कालो बहवश्च विघ्नाः । यत्सारभूतं तदुपासनीयं, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ ભાવાર્થ શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ ઘણી છે. જિંદગી ટૂંકી છે અને વિક્નો ઘણાં છે તેથી જે સારભૂત હોય તેની ઉપાસના કરવી; જેવી રીતે હંસ દૂધ ખેંચી લે છે અને પાણી મૂકી દે છે. ટૂંકમાં આ શ્લોકના ભાવાર્થને અનુસરી દરેક પુસ્તક વાંચી તેમાંથી સારા ખેંચવો; અલબત્ત, સત્ત્વ ખેંચવા જેટલી બુદ્ધિની કસોટી સંપાદિત કરવી જોઈએ. બુદ્ધિ કસોટીએ ચડી તો પછી માનનીય કોઈ પણ ગ્રન્થ વાંચવામાં વાંધો નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી અજરામરજી સ્વામી આજ લગી લીંબડી સંપ્રદાયના સાધુઓમાં સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન બીજા સંપ્રદાયની સરખામણીમાં વધારે છે તેનું મૂળ કારણ પંડિતપ્રવર પૂજય શ્રી અજરામરજી સ્વામીનો ઉપલો વિશાળ અભિપ્રાય જ છે. આ અભિપ્રાયને જાહેરમાં મૂકતી વખતે તેના ઉપર ઘણી કડવી અને સખત ટીકાઓ થતી પણ પૂજ્યશ્રીનું મન એવું નબળું ન હતું કે કડવી ટીકાથી ડરી જાય. તેમનો એક જ સિદ્ધાન્ત હતો કે કોઈ પણ અભિપ્રાય વિચાર્યા વગર બાંધવો નહિ, ચારે તરફનું જ્ઞાન મેળવી જમાનાને ઓળખી તર્કના વિશાળ પ્રદેશમાં બુદ્ધિને દોડાવીને અભિપ્રાય મક્કમ બાંધવો. તેની સામે ગમે તેવી ટીકા થાય પણ ડરવું નહિ. અર્થાત્ પોતાનું હિત કરતા લોકો ટીકા કરે તો તેનાથી ડરવું નહિ. આ શ્લોકના ભાવાર્થને તેઓ બરાબર ઉપયોગમાં લેતા અને એમ સમજતા કે જે લોકો આજે ટીકા કરે છે તે જ લોકો થોડા સમય પછી જો માર્ગ નિષ્કંટક અને ઉન્નતિસાધક હશે તો તે માર્ગે ચાલશે. આ વાત આજે અનુભવસિદ્ધ થઈ છે કે જે લોકો સંસ્કૃત ભાષા તરફ અભાવની નજરે જોતા હતા તે લોકો છૂટથી હવે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે છે. અસ્તુ. સૂત્રનું વાચન પ્રાયઃ પૂર્ણ થયું તે દરમ્યાન પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજને ઝાલાવાડ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ બતાવવા તેમની સાતે સમયજ્ઞ શ્રી અજરામરજી સ્વામીએ તે પ્રદેશમાં વિહાર કર્યો અને જેઠમલજી મહારાજ પાલણપુર તરફ પધાર્યા અને લીંબડીનો ગ્રન્થભંડાર ખુલ્લો મૂકી પૂજ્યશ્રીને વિનંતિ કરી કે આ ભંડારમાં જે પુસ્તકો આપની પસંદગીના હોય તે સ્વીકારી દાસને કૃતાર્થ કરો. મારા ઉપર આપે જે ઉપકાર કર્યો છે તેનો બદલો કોઈ રીતે હું વાળી શકું તેમ નથી તો પણ મારી આટલી વિનંતિ સ્વીકારશો અને નિમિત્તે મને યાદ કરશો તો હું મારી જાતને કૃતાર્થ સમજીશ. કેમ કે “તમે મારા અનંતા ઉપકારી.’’ હું તેમણે સુરતથી લાવેલાં પુસ્તકોમાંથી પૂજ્યશ્રીએ સારાં સારાં પુસ્તકો પસંદ કર્યા અને પ્રેમપૂર્વક તે પુસ્તકો સ્વીકાર્યા. સ્વામીજીની કૃતજ્ઞતા અને ઉદારતાનું આ એક અનુકરણીય દૃષ્ટાંત છે. પુસ્તકને પ્રાણતુલ્ય માનનારાઓ જો આ દાખલાનું તાત્ત્વિક રહસ્ય સમજે તો તેથી ઘણો લાભ થઈ શકે. પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ, સાધુજી તેમ જ સંઘની સંમતિ લઈ આ તરફના વિહારથી પોતાને થયેલો અતુલ સંતોષ અને અપરિમિત આનંદ જાહેર કરી, તમામ લોકોના પ્યારની લાગણી વચ્ચે ઘણા સત્કાર સહિત માળવા તરફ વિહાર કર્યો. પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી તથા શ્રાવકોએ તેમને ઘણું જ માન Page #134 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૨૧ આપ્યું અને કેટલેક સુધી સાથે ગયા. છેવટે ભવિષ્યના સમાગમ માટે પરસ્પર ચાહના દર્શાવી પાછા વળ્યા. સામાજિક કર્તવ્ય જીવન સંવત ૧૮૩૬ની સાલમાં વિદ્યાર્થી જીવનની પૂર્ણાહુતિ થતાં વિશેષ કર્તવ્ય જીવનની શરૂઆત થઈ. માનસિક વ્યવસાયમાં સામાજિક વ્યવસાયનું મિશ્રણ થયું. વિદ્યાર્થી અવસ્થામાં ઉદ્ભવેલા પરંતુ અનુકૂળ સંયોગોના અભાવે સુસ્ત રહેલા સામાજિક ઉન્નતિના સંસ્કારો પુનઃ જાગૃત થયા. સામાજિક સુધારણા સત્વર કઈ રીતે થાય તે વિચારે પ્રથમ સ્થાન લીધું. ગૃહસ્થ વર્ગની નૈતિક અને ધાર્મિક સુધારણા તથા મુનિવર્ગની ચારિત્ર સુધારણા એ ત્રણે તેમની કર્તવ્યબુદ્ધિનાં ક્ષેત્ર બન્યાં. આ કર્તવ્ય ક્ષેત્રમાં સતત ઉદ્યત રહેવાની આંતરિક ઉત્કંઠા પ્રદીપ્ત થઈ. મુનિવર્ગની સામાચારી સુધારણાને માટે ખેતશી શેઠની સલાહ લીધી પણ શેઠ તરફથી એવી સલાહ મળી કે આપનો વિચાર અતિ ઉત્તમ છે, સુધારાની પૂરતી જરૂર છે પણ બીજા સાધુઓની મનોવૃત્તિ જોતાં તે વિચાર તરતમાં પાર પાડવા જતાં ધારેલું પરિણામ આવવાનો સંભવ ઓછો જણાય છે; માટે ધીમે ધીમે કામ લેવું ઠીક પડશે; ધીમે ધીમે સમજાવટથી કામ લેવા હું પણ પ્રયાસ કરું છું અને આપ પણ પ્રયાસ ચાલુ રાખજો. આ સલાહ દીર્ધદર્શિતાયુક્ત અને હિતાવહ હતી જેથી સ્વામીજીએ એ દિશાના વિચારને લક્ષ્યમાં રાખીને હાલ તુરતને માટે પોતાની વિદ્યાનો લોકોને લાભ આપવા અને પરોપકારની ભાવના પાર પાડવા પ્રથમ હાલાર તરફ વિહાર કર્યો. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी હાલાર એ પોતાની જન્મભૂમિનો પ્રેદશ હોવા ઉપરાંત ત્યાંના ગામડાના વતનીઓ પ્રાયઃ ખેડૂતવર્ગના હોવાથી તેમનામાં ધાર્મિક સંસ્કાર પાડવાની જરૂર હતી. થોડો સમય તે પ્રદેશમાં વિચર્યા અને જામનગર પધાર્યા. ત્યાં એક બીજું નિમિત્ત પ્રાપ્ત થયું. માંડવીના નગરશેઠ કલ્યાણજી જેઠાભાઈ પૂજ્યશ્રીના દર્શન કરવા જામનગર આવ્યા. તેમણે એવા સમાચાર આવ્યા કે રતલામનિવાસી ગેરૂલાલ નામે એક બ્રાહ્મણ કે જે અમારો આડતિયો છે અને તેરાપંથીના સ્થાપક સાધુ ભિખનજીનો ચુસ્ત ભક્ત છે, દયા-દાન ઉત્થાપવાની જેની શ્રદ્ધા છે તે વાગડથી માંડવી આવતાં ઘણા શ્રાવકોના અને ત્યાં વિચરતા સાધુઓના મન કુયુક્તિજાળથી પોતાની શ્રદ્ધા દ્વારા ડામાડોળ કરી દીધાં છે, માટે મહેરબાની કરીને આપ ત્યાં પધારી શંકા નિવારણ કરી શ્રદ્ધા સુધારો. આ વિનંતીએ સ્વામીજીનું ધ્યાન ખેંચ્યું. હાલારમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી અજરામરજી સ્વામી હજી થોડો સમય વધારે વિચરવાની ઈચ્છાનું સ્થાન કચ્છ તરફના પરોપકારમય પરિણામજનક વિહારની ઈચ્છાએ લીધું. “પ્રથમ વાર પૂજ્યશ્રીનાં પગલાંથી ધન્ બનતી કચ્છની ધીંગી ધરા” સંવત ૧૮૩૬માં પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છમાં જે સાધુઓ તે વખતે વિચરતા હતા તે બધા ધર્મદાસજી મહારાજના સંપ્રદાયના જ હતા. પ્રથમ ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી સંવત ૧૭૭૨માં કચ્છ તરફ સાધુઓ ગયા હતા અને થોડાં વર્ષ પછી પાછા આ પ્રાન્તમાં અર્થાત્ સૌરાષ્ટ્રગુજરાતમાં આવ્યા હતા. ત્યાર બાદ કેટલાક વર્ષે પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના છઠ્ઠા શિષ્ય ઈંદરજી સ્વામી અને સોમચંદજી સ્વામી કચ્છમાં ગયા અને ઘણાં વર્ષ તેઓ કચ્છમાં રહ્યા. ત્યાં થોભણજી-કરશનજી સ્વામી વગેરે કેટલાક તેમના શિષ્ય થયા અને તે કચ્છમાં જ રહેતા હતા. પરમપ્રભાવક ચરિત્રનાયકશ્રી જ્યારે કચ્છમાં પધાર્યા ત્યારે થોભણજી સ્વામી, કરશનજી સ્વામી, માંડણજી સ્વામી, ડાયાજી સ્વામી આદિ ચાર થી છ સાધુઓ ત્યાં વિચરતા હતા. સંપ્રદાય એક હોવાથી આહાર-પાણી સાથે હતા. માત્ર ફરક એટલો જ હતો કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી જે સાધુઓ કચ્છમાં કોઈ વખત જતા તે પરદેશી સાધુ કહેવાતા અને વધારે કચ્છમાં રહેતા તે કચ્છી સાધુ કહેવાતા. અલબત્ત, શ્રદ્ધામાં અમુક બોલ વિષે થોડો ફેરફાર થયો હતો; એક તો શ્રાવકોને સામાયિક વગેરે વ્રત આઠ કોટિએ કરાવવાં એ માન્યતામાં ભેદ પડ્યો હતો. પૂજ્યપાદ શ્રી ધર્મદાસજી મહારાજનાં સંપ્રદાયમાં દરેક સ્થળે છ કોટિનું પ્રવર્તન હોવા છતાં કચ્છમાં આઠ કોટિના પ્રવર્તનની શરૂઆત કેમ થઈ હશે ? એનું મૂળ તપાસતાં બે અભિપ્રાય ઉપસ્થિત થાય છે. કચ્છમાં તે વખતે વિચરતા આઠ કોડિ મોટી પક્ષના પૂજ્ય શ્રી વ્રજપાળજી સ્વામીને આ સંબંધમાં પૂછતાં તેમનો એવો અભિપ્રાય મળ્યો કે પરદેશથી પહેલવહેલા આ દેશમાં સાધુઓ જ્યારે આવ્યા ત્યારે તેમના પહેલાં એકલપાત્રિયા શ્રાવકો કચ્છમાં હતા અને તે આઠ કોટિએ સામાયિક વગેરે કરાવતા જેથી પરદેશી સાધુઓએ પણ ગમે તે કારણથી તેનું જ અનુકરણ કર્યું. શ્રાવકોની આઠ કોટિની પ્રવૃત્તિમાં કાંઈ સુધારો ન કરતાં એમણે એમ જ ચલાવ્યું. બીજાઓનો એવો અભિપ્રાય છે કે દરિયાપુરી સંપ્રદાયના સ્થાપક પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજની આવશ્યક સૂત્રની પ્રત ઉપરથી કચ્છમાં વિચરતા સાધુઓએ આઠ કોટિની પ્રવૃત્તિ કરાવી. Page #136 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૨૩ વિશેષ તપાસ કરતાં જણાય છે કે એકલપાત્રિયા શ્રાવકોની શ્રદ્ધા આઠ કોટિની હોય તેમ સિદ્ધ થતું નથી પણ છ કોટિની શ્રદ્ધા હતી એમ સાબિત થાય છે. થોડાં વર્ષો પહેલાં જામનગરમાં એકલપાત્રિયા પક્ષના શ્રાવકો હતા અને તેમનો ઉપાશ્રય પણ છે. તેઓ પણ છ કોટિએ વ્રતાચરણ કરતા હતા; જેથી એકલપાત્રિયાના વારસા તરીકે આઠ કોટિની શરૂઆત માનવા કરતાં દરિયાપુરીના પૂ. શ્રી ધર્મસિંહજી મહારાજના આવશ્યક સૂત્રની પ્રત ઉ૫રથી આઠ કોટિની શરૂઆત માનવાનો અભિપ્રાય વધારે માનનીય જણાય છે. ગમે તેમ હો પણ એક તરફ આઠ કોટિની શ્રદ્ધા અને બીજી તરફ ગેરૂલાલે ફેલાવેલી તેરાપંથી શ્રદ્ધાથી વધારે ભિન્નતા થવા માંડી હતી. આ ભિન્નતાને આગળ વધતી અટકાવવા અને તેના મૂળને કાઢી નાખવા સ્વામીજીએ પ્રયાસ ચાલુ કર્યો, તેરાપંથીની શ્રદ્ધા વધારે ભયંકર અને ઉન્માર્ગપ્રવર્તક જાણી પ્રથમ તેના ઉપર જ લક્ષ્ય રાખ્યું. વાગડમાં અને કંઠીમાં સંવત ૧૮૩૬-૩૭-૩૮ ત્રણ વરસ લગાતાર રહી તેરાપંથીની કુયુક્તિઓના શલ્ય, યુક્તિ અને શાસ્ત્રીય દાખલાથી દૂર કરી સુધારો કર્યો, ત્રણ વરસમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ખોટી શ્રદ્ધા રહેવા દીધી નહિ; માત્ર વાગડના બેલા, ફત્તેહગઢ વગેરે બે-ચાર ગામોમાં જવાયું નહિ તેથી તે શ્રદ્ધાનો પડઘો ત્યાં રહી ગયો જે હજી સુધી ચાલુ છે. પૂજ્યશ્રીનો પ્રસરેલો પુણ્ય પ્રભાવ કચ્છના આ વિહાર દરમ્યાન ધોળકાના રહીશ તલકશીભાઈ અને કુતિયાણાના રહીશ રવજીભાઈએ પૂજ્ય શ્રી પાસે દીક્ષા લીધી. એકે સંવત ૧૮૩૭ ભુજમાં અને બીજાએ સંવત ૧૮૩૮માં લીધી. તે ઉપરાંત કચ્છ કાંડાગરાના વતની જ્ઞાતિએ વિશા ઓસવાળ નાગજીભાઈ દેઢિયા અને તેમના પુત્ર દેવરાજ એ બન્નેના મન ઉપર પૂજ્યશ્રીના અસરકારક બોધની સચોટ અસર થતાં સંસારનું સ્વરૂપ અસાર અને તુચ્છ સમજી ઉપાધિમય પ્રવૃત્તિમાર્ગને છોડવાના બન્નેનો વિચાર થયો. થોડા સમયના સહવાસથી વૈરાગ્ય દૃઢ થતું ગયું અને તે બન્ને મુમુક્ષુઓ તેમની સાથે સંયમ જીવનની તાલીમ લેવા લાગ્યા. કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં પાવન પધરામણી સંવત ૧૮૩૯ની સાલમાં પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી પોતાના ગુરુવર્યો તથા શિષ્ય પરિવારની સાથે કચ્છમાંથી પુનઃ સૌરાષ્ટ્રમાં પધાર્યા. બે વરસના સમયમાં ઘણા ગામોના લોકોને લાભ આપતાં સંવત ૧૮૪૧ની સાલમાં ગોંડલ પધાર્યા. બન્ને ઉમેદવારોને પણ અનુભવ લેતાં લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી અજરામરજી સ્વામી મનની સંપૂર્ણ દઢતા અને વૈરાગ્યનો રંગ પાકો જણાયો. કુળ અને ગોત્રની યોગ્યતા સાથે પ્રકૃતિની પણ યોગ્યતા જાણી તેમનાં કુટુમ્બીઓની અનુજ્ઞા મળતાં હવે દીક્ષા લેવાની બન્નેના મનમાં ઉતાવળ થઈ. ગોંડલના શ્રાવકોનો આગ્રહ થતાં સંવત ૧૮૪૧ના ફાગણ સુદ પાંચમના દિવસે. ગોંડલમાં જ પૂજયશ્રીએ બન્નેને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. 'જીવન ઘડવૈયા દાદા ગુરુનો સ્વર્ગવાસ ગોંડલથી વિહાર કરી પૂજયશ્રી આદિ મુનિમંડળ ધોરાજી પધાર્યું, ત્યાં સ્વામીજીના દાદા ગુરુમહારાજ હીરાજી સ્વામીનો કસર થતાં ઘણા ઉપાયો લીધા પણ આખરે તે વ્યાધિએ પૂજય શ્રી હીરાજી સ્વામીના પૂલ દેહનો ભોગ લીધો. સૌ મુનિઓને આઘાત લાગે તે સ્વાભાવિક છે પરંતુ પૂ. શ્રી અજરામરજી સ્વામીને વિશેષ આઘાત લાગ્યો કારણ કે તેમના જીવન ઘડતરમાં, જ્ઞાનપ્રાપ્તિ વગેરેમાં દાદા ગુરુજીશ્રીનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો. તેમની કૃપા પણ પૂજ્ય શ્રી ઉપર ઘણી હતી. દરેક મહાપુરુષોને આગળ વધવામાં તેમના ગુરુવર્યોનો તથા સહવર્તી સંતોનો મહત્ત્વનો ફાળો હોય છે તેનાથી જ તેઓ આગળ વધી શકે છે. વૃક્ષના આધાર વિના જેમ વેલ ઊંચે ન ચડી શકે તેમ ગુરુદેવના આધાર વિના અને તેમની કૃપા વિના સાધક પ્રગતિ ન કરી શકે. 'ગાદીના ગામ પુનિત પધરામણી પરમોપકારી દાદા ગુરુના વિરહથી ઉદાસ થયેલા સ્વામીજીએ વિહારની દિશા બદલાવી લીંબડીથી વિહાર કર્યો આજ છ વર્ષ થવા આવ્યાં. વિહાર કરતી વખતે ખેતશી શેઠે સલાહ આપી હતી કે આપના સદ્દવિચારને પાર પાડવામાં કાંઈક કાળનું બળ જોઈશે અને ધીમે ધીમે બીજા સાધુઓને સમજાવીને તે વિચારને અમલમાં મૂકવાની અનુકૂળતા ઘણે ભાગે હું કરી આપીશ. આ સલાહ પૂજયશ્રીના મનમાંથી વિસ્તૃત થઈ ન હતી; કાળનું બળ મળી ચૂક્યું હતું. હવે સાંપ્રદાયિક સુધારણાનો સવાલ સત્વર હાથમાં લેવાનો મનમાં વિચાર થયો. જેથી તેમણે લીંબડી તરફ વિહાર કર્યો. 'ચડતી પડતી સર્વની, એ દુનિયાની રીત | ચંદ્રકળા સુમાં વધે, વદમાં ઘટે ખચીત | તે વખતે લીંબડી સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા ત્રણસોની હતી પણ સંપ્રદાયિક વ્યવસ્થા જોઈએ તેવી સુંદર ન હતી. કેટલેક દરજે અવ્યવસ્થા થયેલી Page #138 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૨૫ હતી. અને તેના કારણે આચાર વિચારમાં પણ શિથિલતા થઈ ગઈ હતી. કુદરતી નિયમ એવો છે કે “ચડતી ત્યાં પડતી” અને “પડતી ત્યાં ચડતી” આ ચક્ર હંમેશા ફર્યા જ કરે છે. જયારે જયારે અવનતિ પોતાની પરિસીમાએ પહોંચે છે, ત્યારે તેને હડસેલી દૂર ફેંકનાર નરવીર ગમે ત્યાંથી પ્રગટ થાય છે. આ પ્રમાણે મહાત્મા શ્રી અજરામરજી સ્વામી વિહાર દરમ્યાન મોટા મોટા સાધુઓને મળ્યા અને તેઓના અભિપ્રાય લીધા; પોતાનો અભિપ્રાય પણ જણાવ્યો પરંતુ કેટલીક બાબતમાં આજના જૂના વિચાર અને નવા વિચારવાલાઓની જેમ અંતર પડવા લાગ્યું. એક વિદ્વાને સરસ કહ્યું છે કે – “Blessed is the generation in which the old listen to the young and doubly blessed is the generation in which the young to the old." અર્થાત તે પેઢીને ધન્ય છે કે જેમાં વૃદ્ધો યુવાનોને ધ્યાનપૂર્વક સાંભળે છે અને તે પેઢીને બેવડા ધન્યવાદ છે કે જેમાં યુવાનો વૃદ્ધોને ધ્યાનપૂર્ક સાંભળે છે. આવો સુવર્ણ સમય ક્યારે આવશે ? જૂની રોશનીવાળાઓમાં પરસ્પર આંતરો વિશેષ પડવા લાગ્યો. તે અંતર દૂર કરવા માટે પ્રયત્ન ચાલુ રાખ્યો. ચારે તરફ સમજૂતી કરાવવા લાગ્યા પણ સંધાન થયું નહિ. કરેલો પ્રયત્ન લગભગ નિષ્ફળ ગયો તો પણ પ્રયાસ ચાલુ રાખ્યો; એક વાર નહિ તો બીજી વાર નહિ તો ત્રીજી વાર, પણ ઉદ્યમ ચાલુ રાખવાથી કાર્ય સિદ્ધ થશે. ખરું જ કહ્યું છે કે – उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी: । दैवं प्रधानमिति कापुस्षा वदन्ति ॥ दैवं निहत्य कुरुपौरुषमात्मशक्त्या । यत्ने कृते यदि न सिध्यति कोत्र दोषः ॥ ભાવાર્થે: પુરુષોમાં સિંહ એવા ઉદ્યોગી માણસને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ભાગ્યમાં હશે તો મળશે અર્થાત ભાગ્ય પ્રદાન છે એ પ્રમાણે કાયરો બોલે છે. ભાગ્યને એક બાજુ રાખી તારી આત્મશક્તિ પ્રમાણે પુરુષાર્થ કર. પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય તો હજી શી ખમી છે તેનો વિચાર કરવો. ખામી શોધી દૂર કરી પુન: પ્રયત્ન કરવાથી અવશ્ય કાર્ય સિદ્ધ થઈ શકે. પૂજયશ્રી ધીરજ અને હિંમત રાખી કંટાળ્યા વગર આગળ વધ્યા. તેઓશ્રી સમજતા હતા કે “Sweet are the fruits of Patience.” અર્થાત્ ધીરજનાં ફળ મીઠાં હોય છે. વિહાર કરતાં કરતાં જ્યારે પૂજ્યશ્રી અજરામરજી સ્વામી વઢવાણ પધાર્યા ત્યારે ત્યાં તેમને પૂજ્યશ્રી ઈચ્છાજી સ્વામી મળ્યા. પૂજયશ્રી ઈચ્છાજી સ્વામી તે વખતે લીંબડી સંપ્રદાયના ગાદીપતિ હતા, જયારે આચાર્યપદે પૂજ્યશ્રી કાનજી સ્વામી હતા. (પાછળથી આ કાનજી સ્વામીએ બરવાળા સંપ્રદાયની સ્થાપના કરી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી અજરામરજી સ્વામી હતી.) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીના એક શિષ્ય મ. શ્રી રામજી સ્વામી હતા પણ તેમનું વધારે પરિબળ ન હતું જેથી કેટલાક તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા કાંઈક ખટપટ જેવું જણાતાં અશ્રેયનું કારણ જાણી તેઓ લીંબડીથી વિહાર કરી વઢવાણ પધાર્યા હતા. તેઓ સ્વભાવે સરલ અને ભદ્રિક હતા અને પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીના ગુરુ પૂજ્ય શ્રી કાનજી સ્વામી, તેમના ગુરુ મ. શ્રી ગુલાબચંદજી સ્વામીના ગુરુભાઈ થતા હતા. અમુક ખટપટથી તેમને લીંબડીથી વિહાર કરવો પડ્યો છે, એ હકીકત જ્યારે સ્વામીજીના જાણવામાં આવી ત્યારે તેમણે પૂ. શ્રી ઈચ્છાજી સ્વામીને આશ્વાસન આપ્યું કે, “તમે ફીકર ન કરો, હું ન્યાયનો પક્ષપાતી છું. આપને મળેલા અન્યાયથી હું ઘણો દિલગીર છું પણ ગમે તેમ કરી અટિત ખટપટ દૂર કરી, આપને ન્યાય અપાવવા પૂરતી મદદ કરીશ.” ખરેખર, જેના અંતઃકરણમાં ન્યાયમાર્ગને માન આપવાની વૃત્તિ જાગૃત રહે છે તે મહાન પુરુષો પોતાની દૃષ્ટિએ અન્યાયને એક ક્ષણભર પણ જોઈ શકતા નથી. પોતાના દીકરા તરફથી દુશ્મનને અન્યાય થતો જોઈ દુશ્મનને નહિ પણ દીકરાને અન્યાય બદલ સખત શિક્ષા આપનાર સજ્જન પુરુષોના અનેક દાખલાઓ ભૂતકાળને યાદ કરાવનાર ઈતિહાસમાં આપણે જોઈએ છીએ. પરોપકારપરાયણ પરમાર્થ પુરુષોની ધીરજનો આ જ માર્ગ છે. ભર્તૃહરિએ સત્ય જ કહ્યું છે કે – निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणामस्तु युगान्तरे वा । न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ભાવાર્થ : નીતિમાં નિપુણ એવા લોકો નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી આવે અથવા ઈચ્છા પ્રમાણે ચાલી જાય, આજે જ મરણ થાય કે યુગો પછી થાય પરંતુ ધીર પુરુષો ન્યાયના માર્ગથી એક પગલુંય ચલિત થતા નથી. આ પ્રમાણે સ્વામીજીએ આ ધૈર્યવ્રતની ધૂરા મૂળથી જ ઉપાડેલી હતી. આથી પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીને અવલંબન રૂપ આશ્વાસન મળવાથી ઘણો જ આનંદ થયો તેમને થયું કે સત્યના અને ન્યાયના પક્ષપાતી આત્માઓ હજી છે. થોડા દિવસ વઢવાણ રહી સ્વામીજી, પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી ઠાણાબેની સાથે – દશ સાધુ સહિત લીંબડી પધાર્યા. એક તરફ સાધુઓમાં અંદર અંદરની ખટપટ, બીજી તરફ આચારવિચારમાં થયેલા ફેરફાર : આ બન્ને કારણોથી સતેજ થયેલી સ્વામીજીની વૃત્તિએ ઉપદેશ દ્વારા શ્રાવકોને જાગૃત કરવાનો માર્ગ અખત્યાર કર્યો. સાંપ્રદાયિક સુધારણાનો સવાલ સંધમાં ચર્ચાવા લાગ્યો, ચળવળનો ચંચળ પવન ચારે તરફ પ્રસરવા માંડ્યો. સ્વામીજીએ ખેતશી શેઠને સૂચના આપી કે Page #140 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૨૭ આઠ વરસ વ્યતીત થયાં પણ હજી પરિસ્થિતિમાં કાંઈ સુધારો થયો નથી. વૃદ્ધ સાધુજીઓના વિચારનું વાતાવરણ હજી એમનું એમ છે. કાળના વિલંબ ઉપર રાખેલી આશા તો વ્યર્થ ગઈ જણાય છે તો પણ હજુ પ્રયાસ કરવો જોઈએ; કોઈ રીતે એકતાથી કામ પાર પડે તો સંપની સાંકળને તોડવાની નથી. પણ તેને મજબૂત બનાવવાની છે માટે સાધુઓને તેડાવી સંમેલન ભરવાની કોશિશ કરો. ખેતશી શેઠને ઉપલાં વચનો ઘણાં જ ગંભીર અને હિતસૂચક લાગ્યાં. તે વચનોને વધાવી લઈ તે સંઘના આગેવાનોની સાથે એકમત થઈ બધા સાધુજીઓને લીંબડી તેડાવ્યા. 'ઐતિહાસિક સાધુ સંમેલનમાં સ્વામીજીની સુધારણા સંવત ૧૮૪૫માં સાધુ સમુદાયનું સંમેલન થયું. પૂજય પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીએ સુધારણાની બત્રીસ કલમોનો એક ખરડો તૈયાર કર્યો હતો તે સાધુ સમુદાયની સમક્ષ મુકવામાં આવ્યો. હેતુઓ સમજાવવામાં આવ્યા. પુનઃ પર્યાલોચનાપૂર્વક ખાસ મુદ્દાઓ ચર્ચા નિરૂપણ કરવામાં આવ્યું પણ તેનું પરિણામ કંઈ આવ્યું નહિ. અંદર અંદરનો રોગ વૃદ્ધિગત થયો હતો, અંતર જુદાં પડ્યાં હતાં, ઈષ્યનું બળ વિશેષ જાણ્યું હતું, તે રોગ દૂર થયા વિના ધારેલું પરિણામ લાવવાનો સંભવ ઓછો જણાયો. સમજૂતી માટે ઘણી કોશિશ કરી. લાગતા વળગતા માણસો મારફત ચર્ચા ચાલી પણ નવીન રોશનીની છાયાવાળા વિચારો જૂની રોશની સાથે બંધબેસતાં થયા નહિ. જયારે ધારેલી દિશામાં પ્રયત્ન પાર પડ્યો નહિ ત્યારે બીજી દિશામાં કાર્ય સાધવાનો વિચાર ઉદ્ભવ્યો; તે માર્ગ જોકે કંઈક ભયાવહ હતો તો પણ જો તે માર્ગ ન લેવાય તો બીજી રીતે સુધારણા અને ક્રિયોદ્ધાર બની શકતા ન હતા. તેથી પહેલે માર્ગે બને ત્યાં સુધી સંપનો માર્ગ અખત્યાર કરી તે જ માર્ગે ધારણા પાર પાડવી પણ કદાચ ઉપર ઉપરની દવાથી અંદરનો રોગ ન મટે તો કાપકુપના ઉપાયો લઈને પણ અંતરનું દરદ દૂર કરવું. તે વિના કંઈપણ પરિણામ આવી શકશે નહિ; માટે આખરે બીજો માર્ગ અખત્યાર કર્યા વિના આની આ સ્થિતિ જારી રાખવી એ શ્રેયસ્કર નથી; આ પ્રમાણે ધારી છેવટે અંતિમ ઉપાયો લઈને પણ સુધારણા કરવાના મૂળ નિશ્ચય ઉપર આવ્યા. ખેતશી શેઠને બત્રીસ કલમોનો ખરડો આપી પોતાનો છેવટનો અભિપ્રાય જણાવ્યો અને તાકીદે કાર્ય પાર પાડવાની સલાહ આપી. Not quantity but quality ૩૨ કલમો વાંચતા શેઠનો પણ એવો મક્કમ અભિપ્રાય બંધાઈ ગયો કે, આ કલમો વર્તમાન સમય જતાં બહુ અગત્યની છે. તે પ્રમાણે થશે તો જ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી અજરામરજી સ્વામી ભવિષ્યમાં સાંપ્રદાયિક વ્યવસ્થા સુસ્થિત થશે, માટે આ કલમો તો પળાવવી જ જોઈએ.” એકએકને જુદી જુદી રીતે સુધારણાનું મહત્ત્વ અને બત્રીસ કલમોની શ્રેષ્ઠતા ઠસાવવા બનતો પ્રયત્ન કર્યો પણ તે વાત ગમે તે કારણને લીધે મગજમાં ઊતરી નહિ ત્યારે પહેલે માર્ગે નિરુપાય બની, બીજો માર્ગ લેવા શેઠે અંતિમ નોટિસ આપી કે, “સર્વના હિત માટે બાંધેલા સુધારણાના નિયમો પાળવા આપનું અંતઃ કરણ હા ભણતું હોય તો આપ સર્વ અમારા શિરછત્ર છો નહિ તો એમને એમ ચલાવવા અમારું અંતઃકરણ અમને ના પાડે છે. અમને કોઈ જાતનો પક્ષપાત નથી કે કોઈની સાથે સગપણ નથી, અમે માત્ર ગુણના ગ્રાહક છીએ અને અમારો તમારો ગુણનો જ સંબંધ છે. ગુણને લીધે જ પૂજ્ય પૂજક ભાવ બંધાયેલો છે. સાધુ અને શ્રાવકની પરસ્પર પિતાપુત્રની ભાવના હોવી જોઈએ. શ્રાવકની ભૂલ હોય તો સાધુ ચેતવે અને સાધુની ભૂલ હોય તો હિતબુદ્ધિથી શ્રાવક નિવેદિત કરે. ચતુર્વિધ સંઘની અધઃ સ્થિતિ અટકાવવા આપનો પ્રયત્ન કદાચ કમ હોય તો અમારે તેવી ખામીઓ આપની રૂબરૂમાં દર્શાવવી અને જો તે વાત ન રુચતી હોય તો પણ પરાણે રચાવવી એ અમારી ફરજ છે અને તે અદા કરવા ફરીથી પણ નમ્રતાપૂર્વક આપને અરજ કરીએ છીએ કે એકદેશી વિચાર કે કદાગ્રહને છોડી શ્રેયની વાત માન્ય રાખો.' એ પ્રમાણે બહુવાર નમ્ર આજીજી કરી પણ તે વાત ગ્રાહ્ય થઈ નહિ. પરિણામ જુદું જ આવ્યું. ઘણા સાધુઓ આ વિચારથી છૂટા પડી ગયા. કાંઈક અભિમાનની શ્રેણી ઉપર ચડી જવાનું પગલું આ પરિણામને વિશેષ આભારી હતું. માનવૃત્તિ માણસને સારાસારના વિચાર ઉપર જવા દેવી નથી. શ્રેયાશ્રેયનો ખ્યાલ બાંધવા જેટલી ધીરજનું ખર્ચ કરવામાં તે આડે આવે છે. હિતના માર્ગમાં અહિતનું વિપર્યાસ કરાવે છે અને સમાજને ઊથલપાથલ કરી નાખે છે. મોટા સાધુઓના મનમાં એવો ખ્યાલ બંધાઈ ગયો કે આજકાલની દીક્ષાવાળા સાધુ ધારા બાંધે અને તેની સત્તાથી અમે તેને અમલમાં લાવીએ ત્યારે અમારી તો કાંઈ કિંમત જ નહિ ? ધારા પાળવા હશે તો ક્યાં અમને બાંધતા આવડતા નથી ? આવા ખ્યાલથી સાધુ સમાજમાં મોટો વિક્ષેપ પડી ગયો. લીંબડીનો ઉપાશ્રય અને સંપ્રદાય ભલે શેઠ સંભાળે, એવા વિચાર ઉપર તેઓ આવી ગયા; તે વખતે પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ ઘણી નમ્ર વિનંતી સાથે આજીજી કરી પણ બહાર નીકળી ગયેલી તલવાર પાછી મ્યાનમાં આવી નહિ. એક વસ્તુના અનેક છતાં નાની વાતના મમત્વમાં કામ આગળ વધી ગયું, જેનું પરિણામ કેવું આવ્યું તે નીચે વાંચવાથી ખ્યાલ આવી શકશે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૨૯ 'ચડતી પડતી સર્વની, એ દુનિયાની રીત | 'ચંદ્રકળા સુદમાં વધે, વદમાં ઘટે ખચીત / • પૂજય શ્રી મૂલચંદજી સ્વામીના બીજા શિષ્ય પચાણજી સ્વામી તેમના શિષ્ય મહારાજ શ્રી રતનસી સ્વામી તેમના શિષ્ય પૂજ્ય શ્રી ડુંગરશી સ્વામીએ ગોંડલ તરફ વિહાર કર્યો અને ગોંડલમાં ગાદી સ્થાપી, હાલમાં તે ગોંડલ સંપ્રદાય તરીકે ઓળખાય છે. એમાંથી બીજો ગોંડલ સંઘાણી સંપ્રદાય થયો. • પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના ત્રીજા શિષ્ય પૂજયશ્રી વનાજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂજયશ્રી કાનજી સ્વામી કેટલાક સાધુઓ સાથે બરવાડા પધાર્યા અને તેમણે બરવાડા સંપ્રદાયની સ્થાપના કરી. • પૂજય શ્રી મૂલચંદજી સ્વામીના ચોથા શિષ્ય વણારસી સ્વામી થયા તેમના શિષ્ય પૂજય શ્રી ઉદેસિંહજી સ્વામી તથા જેસિંગજી સ્વામી એ બન્ને સંસારપક્ષે ભાઈઓ હતા. તેમની જન્મભૂમિ મારવાડમાં હતી. તેમણે ચુડા તરફ વિહાર કર્યો અને ચુડા સંપ્રદાયની સ્થાપના કરી. જોકે અત્યારે ચુડા સંપ્રદાય વિચ્છેદ ગયો છે. • પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના પાંચમા શિષ્ય વિઠ્ઠલજી સ્વામી થયા તેમના શિષ્ય ભૂષણજી સ્વામી મોરબી તરફ પધાર્યા અને તેમના શિષ્ય પુજય શ્રી વશરામજી સ્વામીએ મોરબીથી ધ્રાંગધ્રા તરફ વિહાર કર્યો અને તેમણે ધ્રાંગધ્રા સંપ્રદાયની સ્થાપના કરી. જોકે પૂજ્ય શ્રી વશરામજી સ્વામીના શિષ્ય પૂજ્ય શ્રી જસાજી સ્વામી પ્રાંગધ્રાથી કોઈ કારણસર બોટાદ ગયા તે વખતથી બોટાદ સંપ્રદાયની સ્થાપના થઈ. • પૂજ્ય શ્રી હીરાજી સ્વામીના ગુરુભાઈ પૂજય શ્રી નાગજી સ્વામી સાયેલા પધાર્યા અને સાયલા સંપ્રદાયની સ્થાપના કરી. આવી રીતે જ્યાં જ્યાં જેનું તેનું વિશેષ વલણ અને પરિચય હતો ત્યાં ત્યાં પધારી તેમણે પોતાની ગાદી સ્થાપી અનો પોતપોતાના સંપ્રદાયનું બંધારણ બાંધ્યું. આ રીતે એક સંપ્રદાયમાંથી લીંબડી, ગોંડલ, ચૂડા, ધ્રાંગધ્રા અને સાયલા એમ છે સંપ્રદાય થયા. (જોકે ત્યાર પછી પણ આઠ કોટિ મોટી પક્ષ, આઠ કોટિ નાની પક્ષ, લીંબડી નાનો સંપ્રદાય, ગોંડલ નાનો સંપ્રદાય, ઉદેપુર સંપ્રદાય વગેરે થયા.) ત્રણસો સાધુઓની છ કટકે વહેંચણી થતાં તળપદ લીંબડીમાં માત્ર સાત સાધુઓ અને કંકુબાઈ વગેરે થોડાંક આર્યાઓ રહ્યાં. જે સાત સાધુઓ લીંબડી સંપ્રદાયમાં બાકી રહ્યા તેમનાં નામ (૧) પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી, (૨) પૂજય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી અજરામરજી સ્વામી શ્રી કાનજી સ્વામી (૩) પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી (૪) પૂ.શ્રી તલકશી સ્વામી (૫) પૂ.શ્રી રવજી સ્વામી (૬) પૂ. શ્રી નાગજી સ્વામી (૭) પૂ.શ્રી દેવરાજજી સ્વામી આ સાત સાધુઓમાં પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી મોટા હતા. તેમના મનોભંગનું કારણ હતું તે દૂર કર્યું અને તેમને લીંબડી સંપ્રદાયની ગાદીએ બેસાડ્યા તથા આચાર્ય પદવી ક્રિયોદ્ધારક પૂજય શ્રી અજરામરજી સ્વામીને આપી. સંવત ૧૮૪૫માં આ બધું થઈ ગયા પછી સુધારાવધારાથી બત્રીસ કલમો સાથે નવીન વ્યવસ્થા ચાલુ થઈ. - પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીના શિષ્ય સમજી ઋષિ કોઈપણ કારણસર ઉદેપુર તરફ પધાર્યા અને ત્યાં જ સ્થાયી ભાવ કર્યો. તેમનાથી એક સંપ્રદાય ચાલ્યો જે ઉદેપુર સંપ્રદાયના નામથી ચાલ્યો. જોકે હાલમાં તે સંપ્રદાય પણ વિચ્છેદ છે. નવીન બંધારણથી થોડી સંખ્યામાં પણ આચારની બહુ દઢતા થઈ. પરસ્પરની ચાહના પૂર્વક બધાના એક વિચાર થવાથી ઐક્યનો પાયો બહુ દૃઢ થયો. થોડી સંખ્યાનો પણ ભવિષ્યમાં આબાદી સાથે વિજય થશે એવી આશાનાં કિરણોનો અરણોદય થયો. અવ્યવસ્થા દૂર થઈ ગઈ. કચરો નીકળી જતાં માર્ગ સાફ થાય તેમ ભિન્નતા અને અંદર અંદરની ટાંટિયા ખેંચ પ્રવૃત્તિ દૂર થવાથી ઉત્કાન્તિ અને આબાદીનો પંથ તદન સાફ થઈ ગયો; તે પંથકમાં કમર કસી ઊભા રહી પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી વિશાલ દય અને દૂરદર્શિપણાથી શાસનનો વિજય વાવટો ફરકાવવા લાગ્યા. 'પૂજ્ય શ્રીના પ્રભાવથી પ્રભાવિત થતા 'કચ્છ રાજ્યના કારભારી શ્રી વાઘા પારેખ : નવીન વ્યવસ્થા બંધાયા પછી લગભગ એક વરસ સુધી સૌરાષ્ટ્રમાં મુનિમંડળ સાથે વિહાર કરી જિન શાસનની ઉન્નતિ અને જિન શાસ્ત્રોનો મહિમા વધારી સંવત ૧૮૪૬ની સાલમાં આચાર્યશ્રી અજરામરજી સ્વામીએ પુનઃ કચ્છ તરફ વિહાર કર્યો. રણ ઊતરી (કચ્છ) વાગડમાં વાંઢીયા ગામે તેઓશ્રી પધાર્યા. તે વખતે કચ્છના કારભારી વાઘા પારેખ ઉપર રાવ સાહેબની કાંઈક અવકૃપા થઈ હતી તેથી પારેખ વાંઢીઆમાં તેમના સગાને ત્યાં ગુપ્ત રહ્યા હતા. પૂજયશ્રી તે જ જગ્યામાં બહાર ઊતરેલા હતા તેથી તે દિવસે આપેલું વ્યાખ્યાન પારેખે બરાબર સાંભળ્યું અને વાણીની મધુરતા તથા છટાદાર શૈલીથી પારેખનું મન આકર્ષાયું. જે મુખારવિંદની વાણી સાંભળી તે મખારવિંદના દર્શન Page #144 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૩૧ કરવા ચિત્તમાં ચટપટી જાગી. પ્રસિદ્ધ થવાની બીકથી પારેખ દિવસના ભાગમાં લાભ લઈ શક્યા નહિ પણ રાત્રિના ભાગમાં બીજા માણસો ગયા પછી એકાંતનો પ્રસંગ લઈ દર્શન તેમ જ સમાગમમાં લાભ લેવા તે બહાર નીકળ્યા. પૂજ્યશ્રીના ચરણારવિંદમાં મસ્તક નમાવી સન્મુખ બેઠા. વૃદ્ધ સાધુઓના મોઢેથી એમ સાંભળ્યું છે કે સ્વામીજીને કર્ણપિશાચિકા વિદ્યા સિદ્ધ હતી, તેના બળથી અજાણ્યા માણસનું નામઠામ અને તેના અંતરના વિચારો પણ તે કેટલેક દરજ્જ જાણી શકતા હતા, તેથી વાઘા પારેખનું નામ લઈ આગમન પ્રયોજન તેની સાથે વાતચીત કર્યા વગર કહી દેવાથી પારેખના મનમાં અતિ વિસ્મય થવાની સાથે પૂજ્યશ્રીની અદ્ભુત શક્તિ માટે પૂરતી ખાત્રી બંધાઈ. આધુનિક વિજ્ઞાનવાદીઓની દષ્ટિએ કદાચ આ વાત ચમત્કારિક અને અમાન્ય જણાય તો પણ એટલી વાત તો નિઃશંક છે તે પૂજ્યશ્રીના અસરકારક અને યુક્તિ યુક્ત શાસ્ત્રીય બોધથી પારેખના મનમાં અપૂર્વ પ્રેમભાવ ઉત્પન્ન થયો હતો. સાક્ષાત સમાગમથી અને થોડી વાતચીતથી તો પારેખના અંત:કરણને આનંદદાયક આશ્વાસન મળવાથી અતિ પૂજ્યભાવ પેદા થયો. સ્વામીજીએ તેની ભૂતકાલીન અને આધુનિક સ્થિતિનો વાતચીત ઉપરથી અનુભવ મેળવી ચંદ્રની અન્યોક્તિથી નીચે પ્રમાણે બોધ આપ્યો. વસંતતિવા વૃતમ્ ! नैकान्ततो वनतिस्त्रति मध्यभावी । तिस्त्रो भवन्त्यनुदिनं तरणेरवस्थाः ॥ एवं तवापि मुखमब्ज किमत्र शोको । यद्वासरे भवति पाण्डु पलाशकल्पम् । सा नास्ति संपदिह नास्ति यतो विपतिः। साप्येवमस्ति नहि या न सुखावसाना ॥ इत्थं विभाव्य समबावमुपागता ये । कस्तान्निवारयति संचरतो यथेष्टम् ।। ભાવાર્થઃ હે ચંદ્ર ! દિવસે તારું બિંબ નિસ્તેજ બની જાય છે અર્થાત્ દિવસે મારી પડતી અને સૂર્યની ચડતી થાય છે એમ માની તું શોક કરે છે તે વૃથા છે; તું જરા લાંબી દષ્ટિથી જો તો ખરો કે સૂર્યની એક દિવસમાં કેટલી દશા બદલાય છે? સવારે ઉદય, બપોરે પૂર્ણ આબાદી અને સાંજે તદ્ન પડતી થઈ જાય છે. અરે ! સૂર્ય તો શું પણ એવો એકે પદાર્થ સંસારમાં દેખાતો નથી કે જેની ચડતીપડતી ન થતી હોય ! ચડતી પડતીનું ચક્ર નિરંતર ફર્યા કરે છે અને દુનિયાની દરેક પદાર્થ તેના ઘેરાવામાં આવ્યા વગર રહેતો નથી. આ દુનિયામાં એવી કોઈ સંપત્તિ નથી કે જેની પાછળ વિપત્તિ ડોકિયાં કરતી ન હોય, તેમ એવી કોઈ વિપત્તિ નથી કે જેને છેડે સંપત્તિ વળગેલી ન હોય, માટે ધીરજ રાખ, શાંત થા અને સૂર્યની વૃત્તિનું અનુકરણ કર ! સાંભળ - Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી અજરામરજી સ્વામી अनुष्टुब् वृतम् उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा । संपतौ च विपतौ च महतामेकस्मता ॥ ભાવાર્થઃ ઉદય પામતી વખતે સૂર્ય લાલ હોય છે એમ અસ્ત થતી વખતે પણ લાલ હોય છે અર્થાત્ ચડતી અને પડતીમાં તે એક સરખો જ દેખાય છે. લાલાશ એ ખુસાલીનું ચિહ્ન છે, જેમ ચડતીમાં લાલાશ તેમ પડતીમાં તે લાલાશ રાખે છે, આવી જ રીતે, મહાપુરુષોના જીવનમાં સંપત્તિ આવે કે વિપત્તિ આવે પણ પોતે એક સરખી રીતે રહે છે. વળી પેલા કચ્છી દુહામાં પણ આ જ વાત કરી છે – બ દી ખારા બ દ ખટા, બે દી મઠાઈ મઠI મળે દી સરખા, રાજા રામે ન દઠ // અર્થાત્ બે દિવસ સારા, બે દિવસ ખરાબ જીવનમાં આવે છે. બધા સારા દિવસો તો રાજા રામના જીવનમાં પણ ન હતાં. હે! દેવાનુપ્રિય ! સાંભળો, આ શ્લોકમાં શું કહ્યું છે - વસંતતિન્નેવ વૃત્તાન્ ! यात्येकतोस्तशिखरं पतिरौषधीना । माविष्कृतोरगपुरः सर एकतोर्कः ॥ तेजोद्वयस्य युगपद् व्यसनोदयाभ्यां । लोको नियम्यत इवात्मदशान्तरेषु ॥ | ભાવાર્થ : એક તરફ ચન્દ્રમા કે જે થોડા સમય પહેલાં આકાશના મધ્યભાગમાં અપરિમિત તારાઓ ઉપર એકછનું સામ્રાજ્ય ભોગવતો પ્રકાશિત થઈ રહ્યો હતો તે હમણાં અસ્તના શિખર ઉપર પહોંચી ચૂક્યો છે. અરે ! હમણાં જ જોતજોતામાં તે અસ્ત-અદેશ્ય-મૃતપ્રાય: થઈ જશે, ત્યારે તે જ વખત બીજી તરફ અરુણ સારથિને આગળ મોકલી સૂર્યનારાયણ પૂરતા પ્રકાશની સાથે પૃથ્વીને પ્રકાશિત બનાવવાની તૈયાર કરીને ચંદ્રના તેજનો પરાભવ કરતો પ્રગટ થવા આવ્યો છે ! અહો કેટલી બધી વિચિત્રતા !! બન્ને તેજ: પેજસ્વરૂપ હોવા છતાં એક જ સમયે એકનો અભ્યદય જ્યારે બીજાનો અસ્ત ! એકને સંપત્તિ અને બીજાને વિપત્તિ પ્રાપ્ત થઈ છે ! એ પણ એ જ સૂચવે છે કે અમારી પેઠે દરેક મનુષ્યની શુભ કે અશુભ દશાનું પરિવર્તન ચક્ર ફર્યા જ કરે છે. એક શાયરે કહ્યું છે કે – अनगिन अघातों को सह मिट्टीका घडा हुआ है। अनगिन झंझावातोंको सह वृक्ष खडा हुआ है। अनकल स्थितियोंको तो सभी सह लेते है। अनगिन प्रत्याघातोंको सह आदमी बडा हुआ है। Page #146 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૩૩ હે પારેખ ! આ દાખલાઓ ઉપરથી વસ્તુસ્થિતિનો જરા ઊંડો વિચાર કરી દિલગીરીને દૂર કર. હિંમત રાખી ધર્મ ઉપર એક વૃત્તિ ધર તેથી સર્વ રીતે ભદ્ર થશે ! “ભદ્ર થશે એ વચન તેના હૃદયમાં બરાબર ચોંટી રહ્યું, દયમાં સાક્ષાત પ્રતિબિંબિત થયું હોય એમ પ્રતીત થયું. તે વચનમાં વચનસિદ્ધિની છાયા પડેલી હોય એમ પારેખના મને નિશ્ચયરૂપે માન્યું અને તત્કાળ તે રૂપે ગ્રહણ કરી લીધું કે તથાસ્તુ. ધર્મનો પ્રભાવ મોટો છે; મને તો આપના વચનથી જ “ભદ્ર થશે એમ હું ખાત્રીથી સ્વીકારું છે. આટલું કહી અંતરમાં શુદ્ધ ભાવનાપૂર્વક શ્રદ્ધા રાખી વંદન કરી પારેખ સ્વસ્થાને ગયા, પણ મનમાં જે સબળ શ્રદ્ધા રહી તે શ્રદ્ધામાં જરાય શૈથિલ્ય ન હતું. ભાવના ઘણી વિશુદ્ધ હતી તે તરત ફલીભૂત થઈ. રાવશ્રીના મનમાં પારેખ વિષે ગુસ્સાનું જે કારણ ઊભું થયું હતું તે દૂર થઈ ગયું અને અમુક કામમાં પારેખની જરૂર પડી, જેથી દરબારે પારેખની શોધ માટે માણસો મોકલ્યા. પારેખને આ ખબર મળતાં તે ઘણા ખુશ થયા અને ફરી પૂજ્યશ્રીના દર્શન કરી “આપના પરમ પ્રભાવથી જ મારી આપત્તિ દૂર થઈ છે.” એમ આભારની લાગણી પ્રદર્શિત કરી પોતે એક દેરાવાસી ગૃહસ્થ હોવા છતાં પણ સ્વામીજી પ્રત્યે ગુરુભાવની લાગણી થઈ તેથી ભુજ પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રી : ભૂજના દેરાવાસી ભાઈઓએ સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પેસવા ન દેવા માટે દરબાર પાસેથી લેખ કરાવી લીધો છે. તો અમારાથી શી રીતે આવી શકાય ? પારેખ : ગુરુદેવ! તેના માટે હું બંદોબસ્ત કરીશ. કોઈ રીતે આપને હરકત આવવા નહિ દઉં. કૃપા કરીને આપ જરૂર ત્યાં પધારજો. પુજયશ્રી : બહુ સારું, યોગ્ય બંદોબસ્ત થતાં શ્રેયના કારણ જેવું જણાશે તો અવસરે આવવાનું બની શકશે. ઘણી આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરી પારેખ ભુજ ગયા અને દરબારની મીઠી નજર થતાં પુનઃ પોતાના હોદ્દા ઉપર ચડી ગયા અને માનપાન પણ વધારે મેળવ્યું. ભુલીશ હું જગતની માયા, ગુરુજી નહિ ભૂલું તમને” સંપત્તિની શ્રેણી ઉપર ચડ્યા પછી પણ ગુરુમહારાજના પરમ પ્રભાવની પ્રસાદીનો કંઈક અંશે પણ બદલો વાળવાની પારેખના મનની ઈચ્છા કાંઈ ઓછી થઈ ન હતી. તેના માટે પ્રયત્ન કરવા પણ ચૂક્યા ન હતા. દેરાવાસીના આગેવાન Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી અજરામરજી સ્વામી ગૃહસ્થોને ખાનગીમાં તેડાવી પ્રતિબંધક પત્ર રદ કરવા ઘણી રીતે સમજાવ્યા છતાં ન સમજ્યા ત્યારે પારેખે વિચાર્યું – “ઠીક છે, આગળ જતાં જોઈ લઈશું. મારી સત્તાથી હાલ આ લોકો બહાર પાડીને અટકાયત કરી શકશે નહિ; એક વાર ગુરુમહારાજ અહીં પધાર્યા પછી બધું સારું થઈ રહેશે.” પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામી ધીમે ધીમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા અંજાર તથા મુન્દ્રા થઈ માંડવી પધાર્યા, અને તે સાલનું ચોમાસું માંડવીમાં જ પસાર કર્યું. વાઘા પારેખના વારંવાર વિનંતિપત્રો શેઠ કલ્યાણજી જેઠાભાઈ ઉપર આવતા જેથી ચોમાસું ઊતર્યા પછી માંડવીથી વિહાર કરી અનુક્રમે માનકૂવા પધાર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા થઈ. અનુકૂળતાએ માનકુવાથી ભુજ જતા હતા ત્યારે પારેખને અગાઉથી ખબર પડતાં, તેમણે ઢોલ-નગારા, હાથી-ઘોડા વગેરે આંગબર સાથે ધામધૂમથી સામૈયું કરવાની તૈયારી કરી હતી, તે જોઈને પૂજય શ્રી રસ્તામાંથી માનકૂવા તરફ પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ પારેખના મનમાં વિસ્મયની સાથે નિરાશા પેદા થઈ. પારેખ તરત જ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને પાછા વળવાનું કારણ પૂછ્યું ત્યારે પૂજ્યશ્રીએ ખુલાસો કર્યો કે, “હે ભદ્ર! તમે ભક્તિભાવના ઉછરંગથી આ તૈયારી કરી પણ અમારો વ્યવહાર જુદો છે. આવી રીતથી અમે ન આવીએ, તમારી વિનંતિ ધ્યાનમાં છે. અનુકૂળતાએ અમે પોતે આવી જઈશું.” પારેખે અજાણપણાને લીધે થયેલી ભૂલની ક્ષમા માગી; “હવેથી તેમ નહિ કરતાં સાદી રીતે આપના વ્યવહાર પ્રમાણે વર્તીશ. પણ આપ તરત ભુજ પધારો.” એમ કહી પારેખ ભુજ તરફ ગયા અને પૂજયશ્રી પણ માનકુવાથી પુનઃ તુરત ભુજ પધાર્યા. આ પ્રસંગ ઉપરથી પૂજ્યશ્રીના અનુયાયીઓએ બોધ લેવા જેવો છે. પૂજ્ય શ્રી જેવા ધુરન્ધર આચાર્ય શાસનપ્રભાવનાના નામે આડંબરને જરાય પસંદ નહોતા કરતા. બાહ્ય આડંબરથી શાસનપ્રભાવના માનવી તે તો જાતને છેતરવા જેવું છે. પૂજ્યશ્રીના આદર્શોને એક બાજુ મૂકી આજ શાસનપ્રભાવનાના નામે અનેક આરંભ-સમારંભના કાર્યો થઈ રહ્યા છે, કોઈ અટકાવનાર નથી. પૂજ્યશ્રીનો દ્વિશતાબ્દી પટ્ટોત્સવ ઊજવ્યો ત્યારે જ સાર્થક ગણાશે કે જયારે આપણે તેમના ઉચ્ચ આદર્શોને જીવનમાં અપનાવીશું, નહિ કે બાહ્ય ઉજવણીઓ કે ફંકશનો ગોઠવવાથી. પૂજ્યશ્રીના અદ્રશ્ય આશીર્વાદ તથા પરોક્ષ કૃપા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેમના આદર્શો આપણા જીવનમાં ઊતરશે. આજ તો મહાપુરુષોના નામે પોતાની વાહ વાહ બોલાવવાની છે. કહ્યું છે કે – Page #148 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૩૫ एक दर्द भीतर ही भीतर कसक कसक उठ आता है। नाम रोशनीका लेकर अंधेरा लाभ उठाता है । महापुरुषकी पुण्यजयन्तिकी ले ओट कुटिल मानव । कोई दाम कमाता है और कोई नाम कमाता है । અસ્તુ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. દેરાવાસી લોકોએ અંદર અંદર ખટપટ ઉઠાવી પણ પારેખની બીકથી તેઓ આગળ પગલાં ભરી શક્યા નહિ. પૂજયશ્રીના વિદ્વત્તાયુક્ત બોધની છટાથી જ્યારે લોકોનું આકર્ષણ થયું અને ચારે તરફ ખ્યાતિ પ્રસરવા લાગી ત્યારે કેટલાએક વિજ્ઞસંતોષીઓએ ઈર્ષ્યા અને ધર્મદ્રષના કારણે એક પ્રપંચ જાળ રચી. એક ભોજકને તૈયાર કરી કોઈ પણ માણસ ન હોય તેવા વખતે પૂજયશ્રી પાસે તેને મોકલ્યો. તેણે કહ્યું, “મહારાજ ! તમારા રહેવાથી અહીં ઘણું અશ્રેય થશે. કેટલાએક માણસો ઉશ્કેરાઈ જઈ ઝનૂન ઉપર આવી ગયા છે અને મારામારી થશે તેના નિમિત્ત તમે બનશો. હું તમારા હિત માટે કહું છું કે જો તમે વિહાર કરી જશો તો બધું સમાધાન થઈ જશે.” પૂજય શ્રી આવી ખટપટના ફંદાથી દૂર રહેવાની ઈચ્છાથી તુરત ભુજથી વિહાર કરી માનકુવા પધાર્યા. પાછળથી વાઘા પારેખને ખબર મળતાં તપાસ કરી ખટપટીઓને શોધી કાઢ્યા. રાવશ્રીના મનની પ્રસન્નતા સમયનો લાભ લઈ પારેખ પ્રતિબંધક લેખને રદ કરાવવાની રજા મેળવી યુક્તિ રચી. દેરાવાસી આગેવાનોને તેડાવ્યા અને કહ્યું કે અમુક બાંધકામ માટે રૂપિયા વીશ લાખની દરબારને જરૂર છે માટે વ્યાજે તેટલા રૂપિયા પૂરા પાડો. આ હુકમથી તે ગૃહસ્થો ચમક્યા. મનમાં સમજી ગયા કે આપણા વર્ગમાંના અમુક માણસોએ સ્થાનકવાસીને સાધુને ઉઠાડવા કરેલી ખટપટનું આ પરિણામ છે. ધાર્મિક દ્રષે આ ખટપટને જન્મ આપ્યો છે અને તેથી પારેખના મનમાં આપણાં પ્રત્યે આ કટાક્ષ ઉત્પન્ન થયો છે. આ કટાક્ષાંકુરને શમાવવો પડશે નહિતર તેનાં કડવાં ફળ આપણને ચાખવાં પડશે. આમ વિચારી પારેખને પ્રણામ કર્યા ત્યારે પારેખે કહ્યું કે, “સ્થાનકવાસી સાધુઓને અહીં ન આવવા દેવાનો લેખ રદ કરી મારા ગુરુમહારાજને વિનંતી કરી માનકુવાથી અહીં તેડી લાવો.” દેરાવાસી આગેવાનોએ તે કબૂલ કર્યું અને માનકૂવાથી પૂજયશ્રીને પગે પડી આજીજી કરી તેડી લાવ્યા. ત્યાં સમાધિથી થોડા દિવસ રહી ચાતુર્માસ્ય ક્ષેત્ર ખુલ્લું કર્યું અને ધર્મનો ઘણો મહિમા વધાર્યો. શહેરમાં અને ગામડાઓમાં વિહાર કરી ઘણા માણસોના મનને સદ્ધોધની સરસ બુદ્ધિનું પાન કરાવી પરામુખ પ્રવૃત્તિથી અટકાવી રસ્તે લાવ્યા. જ્યાં જ્યાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી અજરામરજી સ્વામી પૂજ્યશ્રીની પધરામણી થતી ત્યાં ત્યાંથી અનીતિ, અધર્મ, જુલ્મ, વ્યસન વગેરે દોષોને દૂરનો પ્રદેશ શોધવાની જરૂર પડતી અને ત્યાં ધર્મનો વિજયે ધ્વજ ફરકતો. અધર્મની સીમમાં ધર્મનું રાજય પ્રવર્તતું. સ્વામીજીએ આ વખતે કચ્છમાં બે વરસ રહીને ધર્મની સીમા વિશાળ બનાવી. કચ્છમાં વિચરતા સાધુઓની માન્યતામાં થયેલો ફેરફાર ધીમે ધીમે દૂર થઈ જશે એવી ધારણાથી તે ભેદને વધારે ન છંછેડતાં સુલેહને સંપૂર્ણ રીતે જાળવી કચ્છની વિહારયાત્રા પૂર્ણ કરી પુનઃ ઝાલાવાડ તરફ પધાર્યો. થોડા સમયમાં સાધુ અને આર્યાઓની સંખ્યામાં વધારો થયો. તે વધારો પણ યેનકેન પ્રકારેણ’ ન હતો, કિન્ત વ્યવસ્થા પુરસ્સર જ હતો. વ્યવસ્થા એવી બાંધેલી હતી કે “દીક્ષાના ઉમેદવારની જાતિ અને કુળ નિષ્કલક હોવા જોઈએ. પ્રકૃતિ શાંત, સરલ, ઈર્ષ્યા તથા કદાગ્રહ વગરની, નમ્ર અને સુશીલ હોવી જોઈએ. સાધારણ યા વિશેષ શાસ્ત્રનો અભ્યાસ કરી શ્રોતાઓનાં મનમાં સારી છાપ પાડી શકે તેવી બુદ્ધિ અને પ્રતિભા હોવી જોઈએ. વૈરાગ્ય પણ મોહગર્ભિત અને દુઃખ ગર્ભિત ન હોય કિન્તુ જ્ઞાનગર્ભિત સંસારનું અસાર સ્વરૂપ સમજીને જ વિરકત વૃત્તિ ઉત્પન્ન થઈ હોય તેવા ઉમેદવારની જ દીક્ષાને માટે પસંદગી કરવી; એટલું જ નહિ પણ દીક્ષિત થયા પછી તેને એક બાહોશે નિષ્પક્ષપાતી ઉપાધ્યાય (દરેક શાસ્ત્રનો સાર સમજી પ્રેમપૂર્વક દરેક લાયક વિદ્યાર્થીને અભ્યાસ કરાવનાર)ની દેખરેખ હેઠળ રાખી બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયા વગર અખંડપણે અભ્યાસ કરાવવો.” કોઈ પણ રીતે તેના વર્તનમાં ફેરફાર થાય કે સંયમ વૃત્તિને ધક્કો લાગે તેવી કોઈ પણ પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત જ તે સડો દૂર થાય તેવા ચાંપતા ઉપાયો લેવા તેને શિખામણ આપી સમજાવી તેવી ખામી દૂર કરાવવી. એક વારની ભૂલને માટે દયાની સાથે સાદી શિક્ષા, બીજી વારની ભૂલને માટે સખત ઠપકો અને મધ્યમ શિક્ષા, ત્રીજી વારની ભૂલને માટે પૂરતી શિક્ષા કરવી, તેમ છતાં ભૂલનો સુધારો ન થાય તો ચોથી વાર તેનો પક્ષ ખેંચ્યા વગર તે સડાવાળા પાનને પાનથી થોકડીથી દૂર કરવું કે જેથી બીજા પાનને હાનિ ન પહોચે. કચરો ગયા પછી સમુદાય સ્વચ્છ બની જાય. દીક્ષાના ઉમેદવાર અને દીક્ષિત થયેલ માટે આવા પ્રકારની ઉત્તમ વ્યવસ્થા હોવાને કારણે સાધુ સમાજની સંખ્યામાં જે વધારો થતો હતો તે એવો ન હતો ને જેથી સાંપ્રદાયિક બંધારણની અવ્યવસ્થા, આચારની શિથિલતા, ઈમ્પ્રભાવજન્ય પરસ્પર ખેંચતાણ કે ખટપટ ઊભી થાય. કિન્તુ તેથી બંધારણની મજબૂતાઈ, મોટા અને નાનાઓમાં પરસ્પર ગાઢ સંબંધ અને સંપની દઢતા થઈ હતી તથા Page #150 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૩૭ જિનશાસનના અભ્યદયને માટે દરેકના મનમાં જાગૃતિ આવી હતી. વીરશાસનને જયવંતુ બનાવવા માટે સંયુક્ત બળનો જમાવ અને ધર્માભિમાન ઉત્પન્ન થયું હતું. આ બધું સંપ્રદાયના નેતા અને આ ચરિત્રના નાયક સુવ્યવસ્થિત નૌકાના ચાલક કપ્તાનની બાહોશી ભરેલી બુદ્ધિને આભારી હતું. જોકે, એક ગુરુના બધા શિષ્ય કરવાની તેરાપંથીઓની પદ્ધતિ મુજબ લીંબડી સંપ્રદાયની પદ્ધતિ ન હતી કિન્તુ જુદા જુદા ગુરુના શિષ્ય થવાની રીતિ ચાલુ હતી. તો પણ પૂજયશ્રીની એવી નિષ્પક્ષપાતવાળી લાગણી હતી કે જેથી કોઈના પણ મનમાં એવો ભેદ જણાતો ન હતો કે આ મારા અને આ મારા નહિ. સર્વના મનમાં એવો જ ભાવ હતો કે અમે બધા વીરશાસનને જયવંતુ બનાવનારા સગા ભાઈઓ જ છીએ. એક જ ગુરુના શિષ્યો છીએ. આવી રીતે ગુરુ અને શિષ્યોના મનમાં બંધુભાવ અને પ્રેમભાવ ઉત્પન્ન થયો હતો તે પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની ઉદાર અને પ્રેમપૂર્ણ લાગણીનો જ પ્રભાવ હતો. સર્વ સાધુમંડળની પ્યારભરેલી લાગણી અને સ્નેહભરેલી દષ્ટિ વચ્ચે સામાજિક સુધારણા અને સાંપ્રદાયિક વ્યવસ્થારૂપી નૌકાને વિનરૂપી ખડકોમાંથી સહીસલામત પસાર કરી અભિપ્રેત બિંદુ ઉપર પહોંચાડવા આપબળ ઉપર ઝઝૂમી સ્વામીજી જયારે ફતેહમંદ થયા ત્યારે તેમનો પ્રભાવરૂપી સૂર્ય સજ્જન પુરુષોના હૃદયકમળને ખિલાવતો, વીરવાક્યરૂપ અમૂલ્ય રત્નોની ખરી પિછાન કરાવતો, કર્કશ કુતર્કવાદી જનોની આંખો અંજાવતો, પાંખડીઓના મદને ગાળતો, નિષ્પક્ષપાત દષ્ટિથી નિર્મિત સિદ્ધાન્તરૂપ છોડવાને ઉછેરતો, ચારે તરફ પ્રકાશવા લાગ્યો. ખ્યાતિ અને કીર્તિરૂપ શિરતો દેશ-દેશાવરમાં સર્વત્ર સર્વ લોકોની દષ્ટિને સ્વામીજી તરફ ખેંચવા લાગ્યા. પૂજયશ્રીનો સમય અભ્યાસ મુનિ મંડળને અભ્યાસ કરાવવામાં, શ્રોતાવર્ગની ઉન્નતિ માટે અસરકારક બોધ આપવામાં, પૂછવા આવનાર માણસોની શંકાના ખુલાસા કરવામાં, પ્રતિદિન નિયમિત સમયે ધ્યાન ધરવામાં અને બાકી રહેલા દિન કૃત્યો કરવામાં પસાર થતો હતો. પૂજયશ્રી સમયની ઘણી જ કિંમત સમજતા હતા જેથી અભ્યાસ મુનિ મંડળને ખાસ ભલામણ એ કરતા કે, “મુનિઓ ! જરાય સમયને વ્યર્થ ગુમાવતા નહિ, કેમ કે - न लभ्यः क्षणएकोपि, स्वर्णकोटिशतैरपि । स चेन्निरर्थको नीतः, कानुहानिस्ततोधिका ॥ ભાવાર્થ સેંકડો કરોડ સોનામહોરો દેવા છતાં એક ક્ષણ મેળવી શકતા નથી, આવી કિંમતી ક્ષણ જો નિરર્થક ગુમાવી દીધી તો એનાથી મોટી બીજી કઈ હાનિ હોઈ શકે ? Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી અજરામરજી સ્વામી આવો કિંમતી સમય નકામી વાતચીતોમાં, ઊંઘમાં કે આળસમાં વ્યર્થ ન ગુમાવતા આવશ્યક દિનકૃત્ય ઉપરાંત શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનચર્ચા, સામાજિક સુધારણા અને પરોપકારનાં કાર્યો કરવામાં પસાર કરવો જોઈએ. ખરું જ કહ્યું છે काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन च मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ભાવાર્થ : બુદ્ધિશાળી – ડાહ્યા માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદથી-આનંદથી પસાર થાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુવ્યસન, ઊંઘ અને કજિયામાં પસાર થાય છે. ઉપરની હિતશિક્ષાથી સર્વ મુનિઓના મનમાં સમયની મહત્તા પૂરેપૂરી સમજાયાથી, સર્વ મુનિ મંડળ સદુદ્યોગમાં નિરંતર મસ્ત રહેતું. બેદરકારી કે ઉપેક્ષા તો ત્યાં ક્ષણભર પણ ટકી શકતી નહિ. પૂજયશ્રીના શિષ્ય મંડળમાં સૌથી વધારે બુદ્ધિમાન વિનીત સુશીલ શાન્તસ્વભાવી અને વિદ્યાર્થી શિષ્યને યોગ્ય દરેક સદ્ગુણોથી વિભૂષિત દેવરાજજી સ્વામી હતા. તેમની ઉંમર નાની હતી પણ બુદ્ધિ પ્રૌઢ હતી. ગુરુભક્તિને બુદ્ધિ ખીલવવાનો અને જ્ઞાન સંપાદન કરવાનો મહામંત્ર સમજતા હતા. સાધુ-સામાચારી અને વિનયના વિધિવાક્યો દરેકની નોંધપોથીમાં નોંધી લેવામાં આવ્યાં હતાં; અને નીચેની ગાથાઓ દરેક શિષ્યને અભ્યાસપાઠ તરીકે શિખવવામાં આવ્યાં હતાં; તે આ પ્રમાણે – अणुसासिओ न कुपेज्जा, खंति सेवेज्ज पंडिए । खुड्डेहिं सह संसरिंग, हासं कीडं च वज्जए ॥ ઉત. અ. ૧ ગાથા-૯ ભાવાર્થઃ ગુરુમહારાજ જ્યારે હિતશિક્ષા આપતા હોય ત્યારે તે ધ્યાનપૂર્વક સાંભળવી અને હૃદયમાં ઉતારવી પરંતુ ગુસ્સે થવું નહિ. ગમે તેવો ઉશ્કેરાટનો પ્રસંગ આવે છતાં ક્ષમા રાખવી. ક્ષુદ્ર-નીચ હોય તેવાઓનો કદિ પણ સંસર્ગ ન કરવો અને હાસ્ય કે ક્રીડાના પ્રસંગથી દૂર રહેવું. જ્યારે જ્યારે શિષ્યવર્ગ પૂજ્યશ્રી પાસે શાસ્ત્ર વાચના લેવા બેસતો ત્યારે ત્યારે આ નીચેની ગાથાઓનો અક્ષરશઃ ઉપયોગ થતો હતો. न पक्खओ न पुरओ, नेव किच्चाण पिठओ। न जुंजे उसमा उलं, सयणे नो पडिसुणे ॥ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं च संजए। पाए पसारिए वावि, न चिढ़े गुसणंतिए ॥ ઉત્ત. અ. ૧ ગાથા ૧૮-૧૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૩૯ ભાવાર્થ શિષ્ય ગુરુ પાસે અધ્યયન લેતી વખતે યા અન્ય પ્રસંગે ગુરુને પડખે સમાન પંક્તિએ બેસવું નહી તેમજ દર્શને આવનાર ગુરુમુખ જોઈ ન શકે તેવી રીતે અગાડી પણ બેસવું નહિ, ગુરુની પેઠે ન બેસવું. જોડાજોડ ગુરુની જાંઘને દબાવી પણ ન બેસવું, ગુરુ કાંઈ હુકમ કરે ત્યારે આસને કે શયન ઉપર બેસીને જ તેનો સ્વીકાર ન કરવો કિન્તુ તેના ઉપરથી ઊઠીને ઊભા થઈ બે હાથ જોડી “તથાસ્તુ” એમ કહી સ્વીકાર કરવો. ગુરુની સમીપે બેસતાં પગ ઉપર પગ ચડાવવો નહિ. પલાંઠી વાળી કે પગ લાંબા કરી બેસવું નહિ. आसणगओ न पुच्छेज्जा, नेव सिज्जागओ कयाईवि। आगम्मकुडुओ सन्तो, पुच्छेज्जा पंजली उडो॥ ઉત્ત. અ. ૧ ગાથા-૨૨ ભાવાર્થઃ જ્યારે ગુરુમહારાજને કાંઈ પૂછવાનું હોય ત્યારે આસન કે પથારી ઉપર પડ્યા પડ્યા ન પૂછવું જોઈએ, કિન્તુ આસન શયનને મૂકી ગુરુની સન્મુખ ઊભા રહી અથવા શાન્તચિત્તે ઉત્કટક આસને બેસી બે હાથ જોડી મસ્તકે અડાડી પ્રશ્ન પૂછવો. આવો વિનય જેનામાં હોય તે જ જ્ઞાનનો અધિકારી થઈ શકે. શાસ્ત્રમાં બતાવેલ વિધિનું યથાર્થ રીતે આ શિષ્ય મંડળમાં પરિપાલન થતું હતું. હંમેશાં દિનકૃત્ય અને વિનયવિધિનાં વાક્યો દરેકને અભ્યસ્ત થઈ ગયાં હતાં. ટૂંકમાં શિષ્યવૃન્દની દરેક પ્રવૃત્તિ પૂજ્યશ્રીની દેખરેખ હેઠળ પૂર્ણ વ્યવસ્થા પુરસ્સર ચાલતી હતી. ટૂંકા ટૂંકા શાસ્ત્રીય વિધિવાક્યો એ જ તેમના કાયદા હતા અને પૂજયશ્રીની શિક્ષણ પદ્ધતિને લીધે થયેલી ઊંચી લાગણી એ જ તે કાયદાને બરાબર અમલ કરાવનારી શક્તિ હતી. પૂજ્યશ્રીની તીખી નજર જ કાયદાભંગના ગુનાની પૂરતી સજા હતી. આવી સુવ્યવસ્થાને કારણે સર્વ કોઈ પોતપોતાના સત્કાર્યમાં હંમેશ સાવધાન રહેતા; તેથી આ મુનિ મંડળ જે કાંઈ કાર્ય કરવાનું મનમાં ધારતું તે કાર્ય તરત જ પાર પડતું. ઐક્ય અને સદુદ્યોગ એ બે ચીજ જ્યાં એકત્ર થાય ત્યાં શું શું ન બની શકે ? અશક્યપ્રાયઃ જે હોય તે પણ ઊપલી સંયુક્ત બે ચીજથી શક્ય થઈ શકે છે. તે બે વસ્તુના બળથી જ આ મુનિ મંડળ ભવ્ય જનોને શાસનરસિક બનાવવાના અને મહાવીર પ્રભુના પ્રૌઢ પ્રતાપનો પ્રચાર કરવાના પૂજયશ્રીએ ઉપાડેલ કાર્યમાં બહુ સહાયભૂત થયું; તેથી પૂજયશ્રીના પ્રયાસને ઘણી સફળતા મળી. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ પ્રદેશમાં પૂજ્યશ્રીએ અભ્યાસ મુનિ મંડળ સાથે વિહાર કર્યો એટલું જ નહિ પણ માળવા, મેવાડ અને મારવાડ સુધી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪) શ્રી અજરામરજી સ્વામી પોતાની વિજયી વિહાર યાત્રા લંબાવી. પોતાના વિદ્યાગુરુ પરમોપકારી પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના દર્શન કરવા દૂરના પ્રદેશમાં પધાર્યા અને જયપુર શહેરમાં એક ચાતુર્માસ તેમની સાથે રહ્યા. તેઓશ્રી જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં તેમના પ્રતાપનો સૂર્ય આગળથી પ્રકાશી રહ્યો હતો; તેથી લોકોનું ઘણું જ આકર્ષણ થયું હતું. તેઓનાં હૃદયમાં યુક્તિયુક્ત શાસ્ત્રીય બોધથી ધાર્મિક સત્ય સિદ્ધાન્તોની છાપ પાડી ધર્મના સંસ્કારોથી સુવાસિત અનેક અંત:કરણો જૈનધર્મના દઢ સંસ્કારોથી વાસિત બનાવ્યાં. અનેક લોકોને ધર્મના દઢપ્રેમી કર્યા; તે પણ એકબીજાની નિંદા કે આક્ષેપનો બોધ આપીને નહિ પણ નિષ્પક્ષપાતી સરલ અને સીધો બોધ આપીને ધર્મનો મહિમા વધાર્યો. જૈનના બીજા ફીરકાની શ્રદ્ધાવાળા જનોને શ્રદ્ધાના વિશેષ ફેરફારરૂપ કારણ સિવાય તે ફિરકાની શ્રદ્ધા ઉતરાવી પોતાના ફિરકાની શ્રદ્ધા બેસાડવાનો પ્રયત્ન કરવાની પદ્ધતિ પૂજ્યશ્રીને બિલકુલ પસંદ ન હતી, તેમ તેવી પ્રવૃત્તિમાં તેઓ કદી જોડાતા નહિ પણ તટસ્થ રીતે શાસ્ત્રીય વિષયનો ન્યાયપુરઃ સર સત્ય બોધ આપીને જ સુજ્ઞજનોના ચિત્તને પોતા તરફ આકર્ષતા. કંઠની મીઠાશ અને વાણીની મધુરતાને લીધે વ્યાખ્યાનમાં દરેક વર્ગના મનુષ્યો હાજરી આપતા. સામ્યભાવપૂર્વક શાન્ત અને વૈરાગ્યમય બોધથી અન્યધર્મી લોકો પણ પૂજયશ્રીને પૂજ્ય બુદ્ધિથી માનતા અને ગ્રાહ્યભાવથી તેમનો બોધ સાંભળી દુરાગ્રહ અને વૈમનષ્યનો ત્યાગ કરતા. ઘણા અન્ય લોકોને પૂજયશ્રીએ માંસ, મદિરા, જુગાર, ચોરી, પરાદારાગમન વગેરેના નિયમો કરાવ્યા હતા અને તેથી જ સ્વર્ગીય તેમજ અન્યવર્ગીય લોકોને પૂજ્યશ્રી એક સરખી રીતે પ્રિય થઈ પડ્યા હતા. આદેય નામકર્મની પુણ્યપ્રકૃતિ એવી નિર્મિત થયેલી હતી કે કોઈ પણ માણસ તેમનું વચન અમાન્ય કરતું નહિ. ટૂંકમાં કહીએ તો વચનસિદ્ધિને લીધે લોકો તેમને એક સિદ્ધિપુરુષ મહાત્મા તરીકે માનતા હતા. આવા ઊંચા પ્રકારની કારકિર્દી વચ્ચે તેઓશ્રીએ ઘણા અન્યધર્મી લોકોને સ્વધર્મપરાયણ બનાવ્યા. અનેક પ્રાન્તોમાં ધર્મ અને નીતિના સિદ્ધાન્તોનો પ્રજામાં ફેલાવો કરી પરસ્પર સંપ સુલેહમાં ઘણો વધારો કર્યો. મુનિઓ વિહાર કરી શકે યા ચાતુર્માસ રહી શકે તેવાં ઘણાં ક્ષેત્રો ખુલ્લાં કર્યા અને જૈન સમાજમાં ધર્મશ્રદ્ધા, શાસ્ત્ર રસિકતા, ભક્તિભાવ, નીતિની મજબૂતાઈ, સુલેહશાંતિ અને વાત્સલ્યભાવનો દઢ પાયો નાખ્યો. બીજી બાજુ પૂજયશ્રીના શિષ્ય મંડળમાં તીક્ષ્ણ બુદ્ધિમાન મહાત્મા શ્રી દેવરાજજી સ્વામી પણ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ Page #154 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૪૧ કરી ધર્મશાસ્ત્રનું સારું જ્ઞાન મેળવી પૂજ્યશ્રીની શિક્ષણ પદ્ધતિ હેઠળ રહી જિનશાસનનો ઉદ્યોત કરવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. ઉંમરની સાથે બુદ્ધિમાં પ્રૌઢતા ઉત્પન્ન થઈ. તેમની વ્યાખ્યાન શૈલી જનમનરંજક હોવા ઉપરાંત ચતુર જનના ચિત્તને આકર્ષણ કરનાર બની, એક ધર્મગુરુને છાજે તેવા દરેક ગુણો તેમનામાં હતા. પોતાના શિષ્ય મંડળમાં ચળકતા એક તારાનો અનુપહત સુંદર પ્રકાશ જોઈ પૂજયશ્રીના મનમાં ઘણો સંતોષ થયો. મારો આંતરિક ઉદેશ અને આરંભેલ સુધારણાનું સત્કાર્ય મારા પછી પણ તેવી ને તેવી રીતે જ ચાલુ રહી શકશે એ અભિનવ આશાએ મનમાં આફ્લાદના તરંગને વધારે વેગ આપ્યો. વિહારની વેગવાળી વૃત્તિને વિરામ પમાડી સાંપ્રદાયિક બાહ્ય કાર્યનો ઔપાધિક બોજો ઓછો કરી નાખવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને સાંપ્રદાયિક કાર્યભાર વહન કરી શકે તેવા તૈયાર થયેલ મુખ્ય શિષ્યને તે કાર્ય સોપવાની અભિલાષા થઈ. એકદમ નહિ તો થોડે થોડે હવે મારે આ કાર્યથી મુક્ત થઈ નિરુપાધિક નિવૃત્તિ મેળવવા આત્મચિંતન, મનન, નિદિધ્યાસનમાં ઉપસ્થિત થવું એ વિચાર નિર્ણયાભિમુખ થયો. પંડિતપ્રવર શ્રી દેવરાજજી સ્વામીની ઉંમર ત્રીસેક વરસની થવા આવી છે. અને પ્રવજયા કાળ વીસ વરસનો થવા આવ્યો છે. પૂજ્યશ્રીની ઉંમર પણ વનમાં પ્રવેશી છે, અર્થાત્ એકાવનમાં પહોંચ્યા છે. ચારે તરફ જૈન ધર્મનો વિજય વાવટો ફરકાવી, સંપ્રદાયને સંપૂર્ણ સંગઠિત કરી સર્વ પ્રકારે સમયની સાનુકૂળતા વચ્ચે પૂજયશ્રીએ સંવત ૧૮૬૦ની સાલે સામાજિક જીવનમાંથી પસાર થઈ આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત કરી. આધ્યાત્મિક જીવન આધ્યાત્મ એટલે શું? गतमोहाधिकाराणामात्मानमधिकृतया । प्रवर्ततये क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ ભાવાર્થ મોહનીય કર્મની પ્રકૃતિઓને જેણે ઉપશમાવી છે અથવા સર્વથા દૂર કરી છે તેવા પુરુષોની આત્મિક દૃષ્ટિથી યા જ્ઞાનભાવથી જે કંઈ શુદ્ધ ક્રિયા થાય છે તેનું નામ અધ્યાત્મ છે. ___आत्मानमधिकृत्य इत्यद्धात्मम् इति व्युत्पतेः । Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી અજરામરજી સ્વામી અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી કહી ગયા છે કે – નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીયે રે. જે ક્રિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ લહીયે રે II ટૂંકમાં, બાહ્ય ઔપાધિક અને પૌલિક વસ્તુઓ તરફથી મનને પાછું ખેંચી સ્વસ્વરૂપ તરફ વાળવાની જે શુભક્રિયા તે અધ્યાત્મક્રિયા અને તે ક્રિયાથી સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી-સ્વાનુભવ કરવો તે અધ્યાત્મ જ્ઞાન કહેવાય. આ જ્ઞાન અને ક્રિયામાં જીવનનો સમય પસાર કરવો તે “આધ્યાત્મિક જીવન” કહી શકાય. આધ્યાત્મિક જીવન કોણ ગાળી શકે ? शान्तो दान्तः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः । निर्दभां यां क्रियां कुर्यात् साध्यात्मगुणवृद्धये ॥ ભાવાર્થ : જેની પ્રકૃતિ શાંત હોય, જેણે ઈન્દ્રિયોનું દમન કર્યું હોય, મનવચન-કાયાને પાપથી ગોપવ્યા હોય, મોક્ષનો અર્થી હોય, વિશ્વવત્સલ હોય, દંભ વિનાની ક્રિયા કરનાર હોય, તેવો પુરુષ જ આધ્યાત્મિક જીવન ગાળવાનો અધિકારી બની શકે છે. પૂજયશ્રીના સ્વભાવની રચના મૂળથી જ આધ્યાત્મિક જીવન ગાળવાને લાયક હતી. વિદ્યાર્થી જીવન અને સામાજિક જીવનમાં પણ આધ્યાત્મિક જીવનનું મિશ્રણ તો હતું જ. આધ્યાત્મગુણવૈરિણી-દાંભિક ક્રિયા માટે તેમના મનમાં હંમેશા તિરસ્કાર હતો. તેઓશ્રી માનતા હતા અને ઉપદેશમાં પણ તેમ જણાવતા હતા કે दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारा, सोब्धेः पारं यियासति ॥ ભાવાર્થઃ જે દંભથી વ્રત ધારણ કરી પરમપદ પામવાની ઈચ્છા રાખે છે તે લોઢાની નાવમાં બેસી સમુદ્ર તરવાની ઈચ્છા રાખવા બરાબર છે. किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैयद्यान्ध्यं न दृशोर्गतम् ।। ભાવાર્થ: જો દંભને દૂર કર્યો નહિ તો અંગીકાર કરેલ વ્રતો અને આચરેલા તપોનુષ્ઠાન શું ફળ આપી શકવાનાં હતાં? જેની આંખમાં જ જોવાની શક્તિ કે તેજ નથી તેની પાસે દર્પણ કે દીવા શું કામના? केशलोच धराशय्या, भिक्षा ब्रह्मव्रतादिकम् । दम्भेन दुष्यते सर्वं, त्रासेनेव महामणिः ॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૪૩ ભાવાર્થ : કેશનો લોચ કરે, જમીન ઉપર જ પથારી કરે, ભિક્ષાચરીથી નિર્વાહ ચલાવે અને બ્રહ્મચર્યાદિ વ્રત ધારણ કરે પણ તેની સાથે જો એક દંભનું સેવન કરવામાં આવે તો ઉપર બતાવેલી બધી ક્રિયા ત્રાસ દોષથી મહામણિની જેમ દૂષિત થાય છે, માટે દંભને દૂર કરો. મમતા ત્યાગ આત્મલક્ષી પુરુષોને આત્મજ્ઞાનમાં પ્રવેશ કરતાં અટકાયત કરનાર દોષમાંનો મમતા એ એક મોટો દોષ છે. ગૃહસ્થોને તો મમતાના અપરિમિત સ્થાનકો છે પણ ઘરબાર, કુટુંબ કબીલો તજી દીક્ષિત થયેલા મુનિઓ પણ જો જરા અવકાશ આપે તો તેમના માટે પણ મમતાનાં અનેક સ્થાન ઊભાં થાય છે. વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શિષ્ય ગચ્છ, સંપ્રદાય વગેરેમાં આસક્તિ થાય તો તે બધાં કરોળીયાને જાળી, માખીને બળખો, હાથીને પંકની જેમ મમત્વ અને દ્વેષ બંધના સ્થાનો નીવડે છે ધન, ઘર, દારા વગેરેનું મમત્વ જેમ મોટી લડાઈઓ-બંધ જગાડી હજારોના જાનમાલની પાયમાલી કરી મહાન કર્મબંધનું કારણ બને છે, તેમ ત્યાગીવર્ગને ઉપરોક્ત પણ કાંઈ થોડું નુકશાનકર્તા નથી. તેથી ગુણ, અવગણ કે સત્યાસત્ય પારખવાની દષ્ટિ બંધ થાય છે. મમતાબ્ધ વ્યક્તિ સાચું જોઈ શકતી નથી. ममतान्धो हि यत्रास्ति तत्पश्यति न पश्यति । जात्यन्धस्तु पदस्त्येतद् भेद इत्यनयोर्महान् ॥ ભાવાર્થ : મમતા એ માણસને અંધ બનાવે છે. જાત્યાધ કરતા મમતાબ્ધ વિલક્ષણ છે કેમ કે જન્માન્ય માણસ જે વસ્તુ છે તેને દેખી શકતો નથી એટલે તે અન્ન રહે છે પણ મમતાથી અંધ થયેલ તો જે વસ્તુ વસ્તુગતું નથી તેને વસ્તુગતે જુએ છે. પૂજ્યશ્રીના મન ઉપર મમત્વનો પાશ પહેલેથી જ ઓછો હતો અને પછી જેમ જેમ શાસ્ત્રીય જ્ઞાનામૃતનું પાન થતું ગયું તેમ તેમ તેનાં પડ ઉતરતાં ગયાં સામાજિક જીવન પણ નિર્મમત્વ દશાને અનુકૂળ જ પસાર થયું અને જે અવસ્થાનું વર્ણન ચાલે છે તે અવસ્થામાં તેનાં પડ ઉતરી ગયાં હતાં તેથી અંતઃકરણ સ્વચ્છ અને સ્થિર બનેલું હતું. દરેક જાતની ઉપાધિ દૂર કરી હતી. સંઘાડાનો ભાર પણ મહાત્મા શ્રી દેવરાજજી સ્વામીએ ઉપાડી લીધો હતો અને તેઓશ્રી પણ સમર્થ હતા જેથી એ ચિંતા પણ ન હતી. આથી સ્થિતપ્રજ્ઞતા સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ હતી. સમયા સમો રોડ઼ ભગવાન મહાવીર. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૪ શ્રી અજરામરજી સ્વામી સમતા त्यक्ता ममतायाथ, समता प्रथते स्वतः । स्फटिक गलितोपाद्या, यथा निर्मलतागुणः ॥ ભાવાર્થઃ જયારે મમતાનો ત્યાગ થાય છે ત્યારે સમતા સ્વતઃ ઉપલબ્ધ થાય છે. જેમ સ્ફટિકની પાસે જવા કુસુમાદિ ઉપાધિ રહેવાથી તેની નિર્મળતા દબાઈ જઈ અન્ય રંગ પ્રતીત થાય છે પણ તે ઉપાધિ દૂર કરવામાં આવે તો સ્વતઃ સિદ્ધ સ્ફટિકની નિર્મળતા પ્રગટ થાય છે. સમાધિ દશામાં આ ગુણની ખાસ જરૂર રહે છે. શાંતિ અને સ્વાથ્યનું તે જ મૂળ કારણ છે. પૂજયશ્રીના વિશુદ્ધ અંતઃકરણમાં સામ્યભાવને રહેવા માટે પૂરતી જગ્યા મળી હતી, એટલું જ નહિ પણ જ્ઞાનામૃતના સિંચનથી વયની પરિપકવતા સાથે સમતાગણ પણ પરિપકવ થયો હતો. સામાજિક જીવનમાં આ ગુણની મદદથી સ્વવર્ગ અને અન્યવર્ગના શ્રોતાઓ ઉપર સત્યબોધની સચોટ અસર કરી શક્યા હતા; તેમ જ શિષ્ય વર્ગને પણ સામ્યદષ્ટિને કારણે સુવ્યવસ્થા તંત્રમાં એક સરખી રીતે નિયુક્ત કરી તેમના તરફથી સમતોલપણે પૂજ્યભાવ પ્રાપ્ત કરી શક્યા હતા. જયાં જયાં પૂજ્ય શ્રી વિચર્યા અને બોધ આપ્યો ત્યાં ત્યાં મધ્યસ્થ ભાવ અને ભ્રાતૃભાવનો સ્થાયીભાવ થયો તે પણ આ ગુણને આભારી છે. તેમના ઉચ્ચ ઉપદેશની શ્રોતાવર્ગ ઉપર જેમ અસર થઈ હતી તેમ પોતાના ઉપર તો વિશેષતર થઈ હતી એટલે સમતાગુણ ઉત્કર્ષભાવને પામ્યો હતો. પૂજ્યશ્રી માન, મદ, મમત્વ, લાલસા, આસક્તિ વગેરે પ્રતિબંધક દોષોને દૂર કરવાથી અને સંતોષ, સમતા, શાંતિ, વૈરાગ્ય વગેરે સદ્ગુણોને આદરવાથી પૂર્ણ અધિકાર પર પહોચેલા હતા, તેથી સંપૂર્ણ શાંતિ અને સ્વાથ્ય વચ્ચે ધ્યાનની શ્રેણી ઉપર આરૂઢ થઈ સમાધિની શુદ્ધ દિશા તરફ પ્રયાણ કરવા લાગ્યા. જયાં સુધી વિહાર કરવા જેટલી શક્તિ હતી ત્યાં સુધી અનેક પ્રાંતોમાં વિચર્યા. સંવત ૧૮૬૫ની સાલમાં છપ્પન વરસની ઉંમરે સંઘરણી તથા વા ની તકલીફ થવાથી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા, સાથે પંડિત શ્રી દેવરાજજી સ્વામી અથવા બીજા સંતો રહેતા. તે સમયે લીંબડી સંપ્રદાયના સાધુઓ અને સંઘમાં સંપસુલેહ અને સ્વાચ્ય ખરેખર પ્રેરણાદાયી હતાં. સંઘમાં જાહોજલાલી પણ તેવી જ હતી. આધ્યાત્મિક સંપત્તિ અને આબાદી વૃદ્ધિગત થતી હતી અને અભ્યદય પોતાની શ્રેણી ઉપર ચડ્યો હોય તેમ પ્રતીત થતું હતું. પરમ શાંતિનો સમય હતો. પૂજયશ્રી ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ દશામાં લીંબડી સ્થિરવાસ રહ્યા. Page #158 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૪૫ એ પાંચ વર્ષના સ્થિરવાસ દરમ્યાન તેમનો પુણ્યપ્રતાપ કેટલો બધો ચમકતો હતો તે નીચેના વર્ણન ઉપરથી સમજી શકાશે. • સંવત ૧૮૬૭ના ફાગણ સુદ એકમને રવિવારે રતલામના વતની રાયચંદભાઈ તથા ધોરાજીના વતની ભાવસાર દામોદરભાઈ એ બન્નેએ પૂજ્ય શ્રી પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૭ના વૈશાખ વદ પાંચમને રવિવારના દિવસે કચ્છના રહેવાસી ભારમલભાઈએ પૂજ્યશ્રી પાસે દીક્ષા લીધી હતી. • સંવત ૧૮૬૮ના લીંબડી ચાતુર્માસમાં ૩૯ મા ખમણ થયા હતા. તેમાં ર૬ સ્થાનકવાસીમાં અને ૧૩ તપગચ્છમાં થયા હતા. તે સિવાય ૨૦, ૧૫ ઉપવાસના થોક ૫૪ હતા. સંવત ૧૮૬૯માં કારતક વદ તેરસના દિવસે કચ્છના વતની અવચરભાઈ હરભમભાઈ, રતનશીભાઈ, લધાભાઈ અને જેમલભાઈ એ પાંચ ભાઈઓ તથા કચ્છનાં વતની જેઠીબાઈ, મોરબીના મોંઘીબાઈ વગેરે બહેનોએ લીંબડી ચિત્રાવાડીમાં પૂજ્યશ્રી પાસે દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૯ના ફાગણ સુદમાં નાથાભાઈ તથા મોંઘીબાઈ એ બન્નેએ દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૯ના વૈશાખ સુદ ચોથને શનિવારે પ્રેમજીભાઈ તથા જસાભાઈ બન્નેએ દીક્ષા લીધી હતી. દેહ મરે છે હું નથી મરતો “અજરામર પદ મારું રે ! સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ છે પૂજયપાદ આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીની તબિયત સંવત ૧૮૬૯ના ચૈત્ર વદ ૧૨ના દિવસે ખરાબ થઈ તે વખતે સંઘ તરફથી વૈદ્યરાજ શ્રી કેશવજીભાઈને બહાર ગામથી ખાસ બોલાવવામાં આવ્યા હતા. યોગ્ય ઉપચારો થયા પછી વૈશાખ વદ-૬ થી તેમની તબિતય સુધારા ઉપર આવી હતી. પૂજયશ્રીનો પ્રભાવ ઘણો હોવાથી તેઓશ્રી બિમાર થયા છે એવા સમાચાર બહારગામ ગયા કે બહારના ઘણા માણસો તબિયતના ખબર કાઢવા આવવા લાગ્યા. કચ્છ માંડવીથી પણ ત્યાંના આગેવાન શેઠ હંસરાજ સોમચંદે તબિતયના ખબર કાઢવા માટે ખાસ માણસ મોકલ્યો હતો. સંવત ૧૮૭૦ના ચોમાસામાં પૂજ્યશ્રીને બીજીવાર શારીરિક વ્યાધિ થયો હતો, તે વખતે પંડિત શ્રી દેવરાજજી સ્વામી કચ્છમાં હતા. પૂજયશ્રીએ અગાઉથી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી અજરામરજી સ્વામી તેમને બોલાવવા ચેતવણી આપી હતી જેથી સંઘે સંવત ૧૮૭૦ના જેઠ સુદ-૨ને સોમવારે કચરા નામના સંદેશવાહકને પૂ. શ્રી દેવરાજજી સ્વામી પાસે કચ્છ અંજાર મોકલ્યો જેથી તેઓશ્રીએ પણ ઝાલાવાડ તરફ ચોમાસાબાદ કચ્છથી પ્રયાણ કર્યું પણ રણને કાંઠે આવતા રણમાં પાણી આવી જવાથી પાછા વળવું પડ્યું હતું તેથી દેવરાજજી સ્વામીને ઘણો ખેદ થયો. પૂજયશ્રીએ મનોરાજ્ય ઉપર જીત મેળવેલી હોવાથી શારીરિક દુઃખને કર્મના કરજ ચૂકવવાનું એક સાધન સમજી ઘણી ખુશીથી વ્યાધિને વધાવી લઈ શારીરિક વ્યથામાં પણ શાંતિ અને સમાધિમાં ઝીલતા હતા, છેવટે સર્વ જીવોને શુદ્ધ ભાવથી ખમાવ્યા. खामेमि सव्वे जीवा, सव्वे जीवा वि खमंतु मे। ___ मित्ति मे सव्व भूएसु वेरं मज्झं न केणइ ॥ એવા ધ્વનિનો ઉચ્ચાર કરતા આલોઈ, પડિક્કમી, નિંદી, નિઃશલ્ય થઈ, અનશન આદરી પરમ સમાધિભાવમાં સંવત ૧૮૭૦ના શ્રાવણ વદ એકમને ગુરુવારની રાત્રે એક વાગ્યાના સુમારે પૂજ્યશ્રીના ઉચ્ચ આત્માને આ જીવનની યાત્રા પૂર્ણ કરી પરલોક પ્રયાણ કર્યું. પુજયશ્રી જયારે કાલધર્મ પામ્યા તે સાલનાં ચાતુર્માસમાં પૂજયશ્રી દોલતરામજી મ. ના શિષ્ય મહારાજ શ્રી ગોવિંદરામજી સ્વામી આદિ મારવાડી સંતો ચાર તથા પંજાબી સંત ગણેશજી સ્વામી આદિ ઠાણા-૩ની પણ હાજરી હતી. પૂજ્યશ્રીના જીવનદીપ બુઝાયાના સમાચાર ફેલાતાં સર્વત્ર હાહાકાર મચી ગયો. ચારેબાજુ શોકની લાગણી છવાઈ ગઈ. - પૂજ્યશ્રીને મ. શ્રી કચરાજી સ્વામી, મ. શ્રી રવજી સ્વામી, મ. શ્રી નાગજી સ્વામી, પૂ. શ્રી દેવરાજજી સ્વામી તથા મ. શ્રી ભગવાનજી સ્વામી એ પાંચ શિષ્યો હતાં. તદુપરાંત પ્રશિષ્યો વગેરે તેમની આજ્ઞામાં ૪૨ સાધુઓ તથા ઘણા સાધ્વીજીઓ હતા. તેમના પુણ્યપ્રભાવથી સંપ્રદાય ફાલ્યો ફુલ્યો અને તેની કીર્તિ ચારે તરફ ફેલાણી. પૂજયશ્રીના કાળધર્મને ૧૮૪ વર્ષ થયાં છતાં તેમનો પ્રભાવ એટલો જ છે. અજરામર જીવન ધ્યેય બનો, મુનિપુંગવ પ્રેરક પ્રાણ બનો અમ અંતરદેવ વિધાયક હો, અજરામર સંઘ સુનાયક હો .. Page #160 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૪૭ ઉપસંહાર માનવ જીવનમાં જે જે ઉચ્ચ હેતુઓ અને જે ક્રમ પ્રમાણે તે હેતુઓને પાર પાડવા જોઈએ તે તે હેતુઓને તેવા ક્રમ પ્રમાણે પૂજયશ્રીએ પાર પાડ્યા. બાલ્યાવસ્થામાં જ સંસારની અસારતા સમજી સંસારનો ત્યાગ, દઢ વૈરાગ્ય, વિદ્યા સંપાદનની ઉચ્ચ અભિલાષા અને પુરુષાર્થ, ગુરુભક્તિથી વડીલોને પ્રસન્ન રાખી તેમની પાસેથી વિદ્યોપાર્જન, શાસ્ત્રનિપુણતા, સામાજિક સુધારણાના વિચારો, સંપ-એકતાની ઉચ્ચ અભિલાષા, વ્યવહાર અને સદાચારની શુદ્ધિ માટે પ્રબળ ઈચ્છા શિષ્ય વર્ગ ઉપર સમાન દષ્ટિ અને તેમને સુધારવા ભણાવવાની ઊંડી લાગણી, સંઘ અને સમાજને અભ્યદય સાધવા પ્રબળ પ્રયાસ, શાંતિ, સંતોષ, પ્રસન્નતા, સમભાવ, પ્રેમભાવ, નિરભિમાનવૃત્તિ, આત્મદષ્ટિ, ધ્યાન અને સમાધિ: આ સગુણોને કારણે પૂજ્યશ્રીએ માનવજીવન શ્રેષ્ઠ બનાવી સાર્થક કર્યું, એટલું જ નહિ પણ ભવિષ્યના મુનિઓને ઉચ્ચ જીવન ગાળવાનો પોતાના જીવનનો શ્રેષ્ઠ નમૂનો મૂકતા ગયા. વિદ્યા અને જ્ઞાનવૃદ્ધિના પગથિયાં બાંધતા ગયા. સદાચાર અને સદનુષ્ઠાનની સીધી સડક તૈયાર કરી આપણા ઉપર એટલો બધો ઉપકાર કરી ગયા છે કે કોઈ રીતે તેનો બદલો આપણાથી વળી શકે તેમ નથી. પૂજ્યશ્રીના સ્વર્ગવાસને બસો વર્ષ થવા આવ્યાં છે પણ તેમાં અવળું સવળું ઘણું પરિવર્તન થઈ ગયું છે. અફસોસની વાત છે કે જેવી સંપની સ્થિતિ પૂજયશ્રી મૂકી ગયા હતા તેવી સ્થિતિ આજે રહી નથી; તે સંપની શૃંખલા તૂટી ગઈ છે અને તેની સાથે અભ્યદયનાં અન્ય અંગો પણ પ્રાય: અસ્તવ્યસ્ત થયાં છે. પૂજ્યશ્રીના અનુયાયીઓને લેખકશ્રી વિનંતી કરી રહ્યા છે કે ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીની અભ્યદયની લાગણી અને સુંદર ભવિષ્ય જોવાની તેમની અભિલાષાને માન આપવાની ખાતર જે ઉદ્દેશથી તેમણે આત્મભોગ આપ્યો હતો, સુવ્યવસ્થા કરી હતી, તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી સુવ્યવસ્થા કરવાની સાથે આત્મભોગ નહિ તો સ્વાર્થત્યાગની ઊંડી લાગણી રાખી પરસ્પર સંપની શૃંખલા જોડી સંપ્રદાયની સર્વ વ્યક્તિઓને એક આત્માના અંગો માની ઉદાર બુદ્ધિ વાપરી અભ્યદયનાં સાધનો મેળવવાં, કર્તવ્યના માર્ગમાં ટટાર થઈ ચાલવાને તૈયાર થવું જોઈએ. સુવુ હિં વહુના ? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૮ શ્રી અજરામરજી સ્વામી પૂજ્યપાદ શાસનોદ્ધારક આચાર્ય શ્રી 'અજરામરજી સ્વામીની સ્તવના (તર્જ : કલ્યાણ) જય અજરામર ! ગુરુજી અમારા (૨) ગુરુજી અમારા પ્યારા, તારણહાર (૨) જય... જન્મભૂમિ પડાણા તમારી, હાલાર પ્રાન્ત શોભે સારી (૨) સુંદર સુખકારી, ગુરુવર અમારા (૨) જય... ૧ માતા કંકુબાઈ સારા, પિતા માણેકચંદ તુમારા (૨) કુળ અજવાળ્યું, ગુરદેવ દુલારા (૨) જય.. ૨ લધુવયમાં સંયમ લીધો, જન્મ કૃતારથ આપે કીધો (૨) જ્ઞાનસુધારસ પીધો, જ્ઞાન દાતાર (૨) જય... ૩ વાઘજી પારેખ ભારી, કચ્છતણો કારભારી (૨) ગ્રહી હાથ લીધો તારી, કરી ચમત્કારા (૨) જય.. ૪ સંપ્રદાયને લીધો સુધારી, શિથિલતાને દૂર નિવારી (૨) નિજ હૃદયમાં ધારી, શુદ્ધિ કરનારા (ર) જય... ૫ બે હજાર અઢારની સાલે, રૂડા શ્રાવણ માસ રસાલે (૨) વદિ બીજ રવિ ગાયા, ગુરુગણ સારા (૨) જય.. ૬ કર્તાઃ સોમચંદ જીવરાજ મોરબીયા (રાપર - કચ્છ) 'શાસનોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી 'અજરામરજી સ્વામીના પ્રભાવક પ્રસંગો | (૧) શાસનોદ્ધારક પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા અને એ વિદ્વત્તાની છાપ માત્ર પોતાના જ સંપ્રદાયમાં નહિ પણ ઈતર સમાજમાં ય હતી, તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વખતની વાત છે કે જયારે પૂજ્ય શ્રી લીંબડીમાં સ્થિરવાસ હતા તે દરમ્યાન અમદાવાદથી પાલિતાણા જવા માટે એક સંઘ નીકળેલો. તે સંઘમાં ૩૦૦ વિદ્વાન અને ભક્તિશાળી યતિઓ પણ હતા. Page #162 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૪૯ સંઘ ફરતો ફરતો લીંબડીના પાદરમાં આવ્યો. લીંબડીમાં સંઘે મુકામ કર્યો તે વખતે તે યતિઓને કોઈકે સમાચાર આપ્યા કે આ શહેરમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ પૂજ્યશ્રી અજરામરજી સ્વામી બિરાજમાન છે, તેઓશ્રી ઘણાં શાસ્ત્રોનાં જ્ઞાતા તથા સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન છે. આ સાંભળીને યતિઓએ કહ્યું કે સ્થાનકવાસીના સાધુમાં શું વિદ્વત્તા હતી ? તેમણે નિશ્ચય કર્યો કે ચાલો આપણે તેમની જરા મજાક ઉડાવીએ. આવો વિચાર કરીને તે યતિઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને તો શાસ્ત્રીય જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હતું તેથી તરત જ તેમનો આશય સમજી ગયા અને તેઓ પોતાનો આશય રજુ કરે તે પહેલાં જ પૂજ્યશ્રીએ તેમની સાથે સંસ્કૃતમાં જ વાર્તાલાપ શરૂ કરી દીધો અને તે એટલી હદ સુધી કે ન્યાયશાસ્ત્રની પંક્તિઓ ઉ૫૨ ચર્ચાત્મક રીતે સંસ્કૃત ભાષામાં વક્તવ્યની રજુઆત શરૂ કરી દીધી. યતિઓમાંના કેટલાક જે ખાસ વિદ્વાનો હતા તેમણે પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કર્યો પણ અંતે એટલું તો સ્વીકારતા જ ગયા કે આટલું બધું; શાસ્ત્રો તેમ જ સાહિત્ય તથા ન્યાય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્યશ્રીમાં હશે એ અમારી કલ્પનામાં જ ન હતું, આમ તેમણે પૂજ્યશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરીને ત્યાંથી વિદાય લીધી. (૨) મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહિ રે.... પૂજ્યશ્રી જેટલા જ્ઞાની અને પ્રતિભાસંપન્ન હતા તેટલા જ નીડર પણ હતા. તેમની નીડરતા નીચેના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાશે. તેઓશ્રી એકવાર થાનગઢથી ચોરવીરા ગામે વિહાર કરીને પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તે રસ્તામાં ગીચ ઝાડી અને જંગલ હોવાને કારણે જંગલી જાનવરો તે જંગલમાં ફરતા હતા. પૂજ્યશ્રી જ્યારે રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સિંહ નિશ્ચિંત બનીને બેઠો હતો. આગળ ચાલનારા સાધુઓ સિંહને જોઈને એકદમ થંભી ગયા. પૂજ્યશ્રી આવ્યા એટલે સહુએ કહ્યું કે, “ગુરુદેવ ! રસ્તામાં સિંહ બેઠો છે, આગળ જવાય તેમ નથી માટે પાછા ફરીએ અને થાનગઢ પહોંચી જઈએ.” પૂજ્યશ્રીએ બધા શિષ્યોને શાંત કર્યા અને કહ્યું, “તમારે ગભરાવાની જરૂર નથી, નવકા૨નું સ્મરણ કરો અને મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” બધા શિષ્યો ગુરુદેવની વાત સાંભળીને હિંમતમાં આવી ગયા. પૂજ્યશ્રીએ બરાબર શિષ્યોને પસાર કરાવ્યા. સિંહ ત્યાં ને ત્યાં જ શાંત રીતે બેસી રહ્યો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી અજરામરજી સ્વામી આ પ્રસંગ ઉપરથી પૂજયશ્રીની ધીરજ, નીડરતા, નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જણાઈ આવે છે. આત્મા જ્યારે પવિત્ર બને છે ત્યારે ઉપરના ગુણો તેના જીવનમાં સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. (૩) પૂજ્યશ્રી જેવા જ્ઞાની, ચારિત્રશીલ અને નીડર હતા તેવા જ લબ્ધિસંપન્ન પણ હતા. તેઓશ્રી જ્યાં ત્યાં લબ્ધિનો ઉપયોગ કરતા નહિ. સાધુનો આચાર તથા મર્યાદાને સારી રીતે આચરતા હોવાથી કોઈ અનિવાર્ય પ્રસંગ સિવાય અર્થાત્ અપવાદ માર્ગ સિવાય તે લબ્ધિનો ઉપયોગ કરતા નહિ. એક વખત તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ વિહાર કરતા હતા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં માળિયા (મીંયાણાનું) પધાર્યા. ત્યાંથી રણ ઉતરીને કચ્છમાં પધારી રહ્યા હતા, તેમના શિષ્યો બધા સાથે ચાલી રહ્યા હતા. રસ્તામાં તેમને માળિયાના મીંયાણા મળ્યા. તે મીંયાણાઓ તે જમાનામાં લોકોને લૂંટીને માલ ઘરભેગો કરવામાં હોંશિયાર હતા. તેમનું જોર પણ તે વખતે ઘણું હતું. પૂજયશ્રી જયાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એકદમ આ મીંયાણાઓ ઘોડા ઉપર સવાર થઈને આવી પહોંચ્યા અને અડધે રણે પૂજયશ્રીને આંતર્યા. પૂજયશ્રી આદિ સંતોને કહે છે, “તમારી પાસે જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રી તરત જ ઊભા રહી ગયા અને કહ્યું, “ભાઈ ! સાધુ પાસે બીજું હોય શું? જરૂરિયાત પૂરતા વસ્ત્રો હોય તેથી વધારે હોય નહિ. અત્યારે ઠંડીના દિવસો છે એટલે કપડાંની અમારે જરૂર હોય. તે સિવાય લાકડાનાં પાત્રા તથા જ્ઞાન ભણવા માટે સૂત્રની પોથી સિવાય કાંઈ નથી. ધન કે દાગીના અમારી પાસે નથી કારણ કે જૈન સાધુ કંચન કામિનીના ત્યાગી હોય છે માટે સાધુને હેરાન કરવાનું છોડી દો.” પેલા મીંયાણાઓ તો અભિમાનમાં અંધ બનેલા તેથી એમને એવું ક્યાંથી સૂઝે કે સાધુ સંતને હેરાન કરવા એના જેવું બીજું કોઈ પાપ નથી. તેઓ તો રોહમાં જ બોલ્યા કે, “ગમે તેમ કરો પણ તમારી પોતકી સિવાય જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજયશ્રીએ તેમને ઘણી રીતે સમજાવ્યા છતાં તેમણે એમને એક વાત પકડી રાખી. પૂજ્યશ્રીને લાગ્યું કે આ લૂંટારાઓને આધીન થવું એમાં શાસનની લઘુતા થશે, લોકો એમ કહેશે કે જૈન સાધુઓ લુંટાણા. આવું કરવા દેવું નથી. આમ વિચારીને પૂજયશ્રી એક બાજુ ઊભા રહ્યા અને પાંચેક મિનિટ ધ્યાન ધરીને હાથ ઊંચા કર્યા કે તરત જ જેટલા મીંયાણાઓ હતા તે બધા આંધળા ભીંત થઈ ગયા. તેઓ ઘણી આંખો ફફડાવવા લાગ્યા પણ કંઈ જ વળ્યું નહિ. કાંઈ દેખાય નહિ. તેમને થયું કે આમ તો આપણે આ રણમાં જ ખલાસ થઈ જશે અને પકડાઈ Page #164 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૫૧ જશું તો કમોતે માર્યા જશું માટે આ સાધુની માફી માંગ્યા સિવાય છૂટકો નથી. તેથી તેઓ તરત જ પૂજયશ્રીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા. પૂજ્યશ્રી તો સંત પુરુષ હતા તેમને મીંયાણાઓ ઉપર ફેષ તો હતો જ નહિ, તેમને મન તો બધા ય સરખા હતા એટલે તેમણે કહ્યું, “કે હવેથી તમે પ્રતિજ્ઞા કરો કે આજથી આ લૂંટફાટનો ધંધો નહિ કરીએ, તેમ જ ભૂલે ચૂકે પણ સાધુ સંતને હેરાન કરશું નહિ.” મીંયાણાઓ તરત જ સંમત થઈ જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે પૂજ્યશ્રીએ તરત જ પોતાની વિદ્યા પાછી ખેંચી લીધી અને સૌ દેખતા થઈ ગયા. પછી તો બધા પુજયશ્રીને રણની કાંધી સુધી મૂકવા આવ્યા અને વારંવાર પગમાં પડી ક્ષમા યાચી. અંતે પૂજયશ્રીનો ઉપકાર માની વિદાય થયા. પૂજયશ્રી પણ કચ્છનું રણ ઊતરીને સામે ગામ શાંતિપૂર્વક પધાર્યા. આ પ્રસંગ બન્યા પછી મીંયાણાઓ ઉપર એવી છાપ પડી ગઈ કે જૈન સાધુને સંતાપવાથી પરિણામ બધુ ખરાબ આવે છે ત્યારથી મીંયાણાઓ જૈન સાધુનું ક્યારેય નામ લેતા નથી. (૪) સંવત ૧૮૫૦ની સાલમાં પૂજયશ્રી જયપુર પધાર્યા. તે વખતે લાહોરના લાલ વછરાજજી ૧૭૦૦ ગામનાં ઠાકોર સાહેબ હતા. ૮૧ હાથી જેને ત્યાં ઝૂલી રહ્યા છે એવા લાલાજીને ખબર મળ્યા કે પૂજય શ્રી અજરામરજી સ્વામી જયપુર પધાર્યા છે તેથી વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીએ જણાવ્યું કે લીંબડી સંઘની મંજૂરી હોય તો ત્યાં અવાય કારણ કે લીંબડી સંઘે પૂજ્યશ્રીને લીંબડી બાજુ તેડાવેલા. લાલજીએ કહ્યું કે, “આવતી સાલે તે બાજુ પધારશો, આ વર્ષે નહિ, કેમકે અત્યારે આપ ત્યાં પધારો તો પાછા આ બાજુ ન જ પધારો. લીંબડી સંઘને સમજાવવાનું મારું કામ.” તેમણે ઈનામ જાહેર કર્યું કે જે વ્યક્તિ લીંબડીના સંઘપતિને સમજાવી લાહોર પધારવાની વિનંતી કરીને પૂજયશ્રીને લઈ આવે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ઈનામની લાલચે ઘણા માણસો તૈયાર થયા પણ અંતે રામદાસ રાઠોડને લીંબડી મોકલવા માટે પસંદ કર્યો. લાલ વચ્છરાજનો વિનંતી પત્ર લઈ રામદાસ રાઠોડ લીંબડી આવ્યા, લાલજીનો વિનંતી પત્ર રજૂ કર્યો પરંતુ લીંબડી સંઘે તેનો અસ્વીકાર કર્યો કારણ કે પૂ. શ્રી અજરામરજી સ્વામીની લીંબડીમાં જરૂર હતી. રામદાસ રાઠોડ ખૂબ જ કરગર્યા, એક વર્ષની રજા આપો, વધારે નહિ. ત્યારે લીંબડીના શેઠે કહ્યું, “તમે બધા રંગીલા લાલા, તમારા હાથમાં કદર થાય એવી બીજે ક્યાંય ન થાય પરંતુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી અજરામરજી સ્વામી પૂજ્યશ્રી ત્યાં વિચરે તો અમે અમારા સંપ્રદાયની મૂડીથી વંચિત રહી જઈએ.” રામદાસ રાઠોડ કહે છે, “શેઠજી ! ખોટું લખી આપો, જેથી મને લાખ રૂપિયા મળે.” પરંતુ ઈન્કાર કર્યો કે, “મારાથી ખોટું લખાય જ નહિ.” ત્યારે રાઠોડ કહે છે, “મારું શું ?” સંઘે ત્યારે તેમને ૧૨,૫૦૦ રૂપિયા આપીને વિદાય કર્યા. રામદાસ રાઠોડ લીંબડી સંઘની અને શેઠની આવી ઉદારતા જોઈને ખુશ થઈ ગયા. લાલાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આપણા અહોભાગ્ય નહિ જેથી મહાપુરુષના પગલાં ન થયા.” એમ તેમણે ખૂબ જ અફસોસ કર્યો. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવ રાજામહારાજાઓ ઉપર પણ કેટલો હતો. તિથિવો ભવ ! સંવત ૧૮૬૦માં પૂજયશ્રી સામાજિક ક્ષેત્રમાંથી નિવૃત્તપ્રાય થઈ ગયા હતા. મોટે ભાગે સમય સ્વાધ્યાય તેમ જ ધ્યાનમાં ગાળવા લાગ્યા. જેઠ વદ-૧૨થી ભગવતી સૂત્રની વાચના શરૂ કરી, લીંબડી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભગવતી સૂત્રની વાચના ચાલે ત્યાં સુધી દરરોજ સુખડીની પ્રભાવના કરવી. સેંકડો લોકો વાચનામાં લાભ લેવા લાગ્યા. લીંબડી સંઘે પોતાની ભાવના પૂરી કરી અને પોતાના ગુરુદેવની ભક્તિ તથા શ્રુતભક્તિના અપૂર્વ દર્શન કરાવ્યા. સંવત ૧૮૬૪ની સાલમાં ભૂજના કારભારી શેઠ કુશલચંદનાં માતુશ્રી રામબાઈ ૧૦૦ ભાવિકોનો સંઘ લઈ પગે ચાલીને લીંબડી પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આવેલ સંઘની સાધર્મિક ભક્તિ માટેના ૬૦ નોતરા (આમંત્રણ) લખાણા. ૬૦ કુટુંબો એ કહ્યું કે, “આ અતિથિ સંઘની ભક્તિ અમે કરીશું, ૬૦ નોતરા પૂરા નહિ થાય ત્યાં સુધી રજા નહિ આપીએ.” ત્યારે રામબાઈ શેઠાણી વિચારવા લાગ્યા કે ૬૦ નોતરા તો એક મહિને પૂરા થાય, વળી એટલા કપડાં પણ નહોતા લાવ્યા કારણ કે બે દિવસનું રોકાવાનું કહીને આવ્યા હતા. શેઠાણીએ ઘણી આનાકાની કરી પણ લીંબડી સંઘની ભક્તિ આગળ ઝૂકી જવું પડ્યું અને એક મહિનો રોકાયા. તેમ જ એક મહિના સુધી દરરોજ વ્યાખ્યાનમાં સાકર અને વાસણની લાણી કરતાં હતાં કારણ કે સંઘનું એમ જ ખવાય નહિ તેથી આવી રીતે હજારો રૂપિયા ખર્ચ્યુ. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવરૂપી સૂર્ય કેવો તપતો હશે અને શ્રી સંઘની ભક્તિભાવના કેટલી શ્રેષ્ઠ હશે તેમ જ કેવી જાહોજલાલી હશે. Page #166 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૫૩ આજના સમયમાં બે-ચાર મહેમાન આવે તોય ભારે લાગે, ક્યાં ત્યારનો સમય અને ક્યાં આજનો સમય. તે વખતે અતિથિર્દેવો ભવ! એમ મનાતું જ્યારે આજે ગતિથિ દેવો ભવ અર્થાત અતિથિ એટલે યમદેવ. ભવ્ય ભૂતકાળના આ પ્રસંગમાંથી દરેકે બોધ ગ્રહણ કરવા જેવો છે. श्रद्धा फलति सर्वत्र । ભચાઉ (કચ્છ)ના સંઘપતિ સુશ્રાવક જૂઠાભાઈ ગાલાના સુપુત્ર માડણભાઈ હતા, તેમની ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારની આ વાત છે, એકાદ વર્ષ પહેલાં ગોમાબહેન સાથે તેમના લગ્ન પણ થયાં હતાં, તે માડણભાઈને અચાનક બીમારી આવી. પરિસ્થિતિ ગંભીર થતી ગઈ. તેઓ બેભાન બની પડ્યા હતા. માતા તથા પત્ની આદિ કુટુંબીજનોએ આશ છોડી દીધી હતી. નિરંતર અશ્રુપાત થઈ રહ્યો હતો. બરાબર તે જ સમયે દૃઢધર્મી સુશ્રાવક જૂઠાભાઈના મનમાં કંઈક વિચાર ફૂર્યો અને આશા બંધાણી. તેઓશ્રી કોઈને પણ કહ્યા વિના, બેભાન બનેલા પુત્રને મૂકી ઉપાશ્રયમાં આવ્યા : ઈશાન ખૂણામાં એક પગે ઊભા રહી પૂજયશ્રી અજરામરજી સ્વામીનું નામ સ્મરણ શરૂ કર્યું. સ્મરણ સતત ચાલુ રહ્યું, સમય એના નિયમ પ્રમાણે સરકતો રહ્યો. ગામવાળા તથા કુટુંબીજનો અંદરોઅંદર વાર્તાલાપ કરવા લાગ્યા કે પુત્ર મરણ પથારીએ છે અને બાપને અત્યારે ઉપાશ્રયે જવાનું સૂઝયું છે ઈત્યાદિ અનેક પ્રકારની વાતો થઈ રહી હતી, છતાં જૂઠાભાઈ ગુરુદેવના નામ સ્મરણમાં વધારે એકાગ્ર થતા ગયા. એક કલાક બાદ ચમત્કાર સર્જાયો. અનન્ય શ્રદ્ધા ફલીભૂત થઈ. તેમને અલૌકિક પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાં પૂજયશ્રી અજરામરજી સ્વામી જાણે સાક્ષાત્ દર્શન આપીને કહેતા કેમ ન હોય તેમ સંભળાયું, “જાઓ જૂઠાભાઈ ! તમારો પુત્ર રોગમાંથી મુક્ત થઈ જશે અને દિવસ ઊગ્યા પહેલાં દૂધ માગશે.” જૂઠાભાઈના આનંદની કોઈ સીમા ન રહી. તેમણે ત્યારે નિશ્ચય કર્યો કે પુત્રની તબિયત સારી થઈ ગયા બાદ હું એક વખત પગપાળે પુત્રને લઈ લીંબડી જઈશ. જ્યાં સુધી લીંબડી ન પહોંચે ત્યાં સુધી મારે અનાજનો ત્યાગ. આવી દઢ પ્રતિજ્ઞા લઈ ઘરે આવ્યા. ઘરઆંગણે લોકો કહી રહ્યા છે, હવે પુત્રમાં ચેતન જ નથી માટે અંતિમ સંસ્કારની તૈયારી કરો. જુઠાભાઈને ગુરુના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. લોકોને કહ્યું, “સવાર સુધી રાહ જુઓ, પછી જે કરવું હશે તે કરશું.” સૌની ગમગીની વચ્ચે રાત પસાર થઈ. પ્રભાત થવાની તૈયારી હતી ત્યાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી અજરામરજી સ્વામી જ માડણભાઈ આળસ મરડીને ઊભા થયા, કહ્યું, “મા ! દૂધ આપ” સૌના આનંદની અવધિ ન રહી, જાણે નખમાંય રોગ ન હોય તેવી રીતે માડણભાઈ બેઠા થયા. થોડા દિવસમાં તબિયત એકદમ સારી થઈ ગઈ. તે સમયમાં યાંત્રિક વાહનોના અભાવથી ભચાઉથી લીંબડી જતા ઘણાં જ દિવસો થાય વળી તેમને પગપાળા જવાની પ્રતિજ્ઞા પણ હતી. પુત્રને ઊંટ ઉપર બેસાડી એક શેર ખજૂર લઈ પિતા-પુત્ર આગળ વધ્યા. જુઠાભાઈ પગે ચાલી રહ્યા હતા. અનાજ ન વાપરવાની પ્રતિજ્ઞા હોવાથી ખજૂર ખાઈને દિવસો પસાર કરતા હતા. અનુક્રમે ચાલતાં ચાલતાં એક દિવસ લીંબડી પહોંચ્યા અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. આટલા દિવસોનો પ્રવાસ કર્યો તેમાં ખજૂર ઉપર જ જીવન હતું પણ ચમત્કાર એ સર્જાયો કે ભચાઉથી નીકળ્યા ત્યારે જેટલી ખજૂર હતી તેટલી જ ખજૂર લીંબડી પહોંચ્યા ત્યારે પણ હતી. નવી ખજૂર જરાય ખરીદી ન હતી છતાં તે ખજૂરના તોલમાં કોઈ જ ફેર નહિ. આ પ્રસંગ બન્યા પછી માડણભાઈ ૭૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું, કુલ્લ ૯૦ વર્ષ સુધી જીવ્યા, તે વર્ષો દરમ્યાન સાધુ-સાધ્વીજીઓ તેમ જ સાધર્મિક બંધુઓની સેવા ભક્તિનો ખૂબ જ લાભ લીધો. તેમની સેવાના મેવા આજે પણ તેમનું કુટુંબ ચાખી રહ્યું છે. આવી રીતે અનેક શ્રદ્ધાળુ ભક્તો પૂજ્યશ્રીના નામ સ્મરણથી શાંતિ મેળવી શકે છે તેથી જ કહ્યું છે. શ્રદ્ધા હત્નતિ સર્વત્રા એક વિદ્વાને સાચું જ કહ્યું છે आँखोंमें अगर मुस्कान है तो इन्सान तुमसे दूर नहि । पाँखोंमें अगर उड्डान है तो आसमान तुमसे दूर नहि ॥ शिखर बैठकर विहगने यही गीत गाया है कि । श्रद्धामें अगर जान है तो भगवान तुमसे दूर नहि ॥ દેવ-ગુરુ અને ધર્મ તરફની શ્રદ્ધાથી જીવનો બેડો પાર થઈ જાય છે. શારીરિક, માનસિક, આત્મિક દુઃખોમાંથી મુક્ત થઈ પ્રાંતે જીવ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકે છે. 'શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે..... સંવત ૨૦૩૨ની સાલ હતી. કારતક સુદ-૧૩ની રાહ હતી બા.બ્ર. વિદુષી Page #168 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૫૫ મહાસતીજી શ્રી વિજયાબાઈ આર્યજી આદિ ઠાણા-૪ શારીરિક કા૨ણે ભૂજ (કચ્છ) જૈન ભવનમાં બિરાજતાં હતાં, જૈન ભવન શહેરથી એક કિલોમીટ૨ દૂર થાય, વળી તે વખતે એની આજુબાજુમાં વસતિ ન હતી. રાતે ૨ વાગે દરવાજા ખખડ્યા..... મહાસતીજી ઊંઘમાંથી જાગ્યાં. સૌને જગાડ્યાં. પહેલા તો એમ થયું કે દિવસ ઊગવાની તૈયારી હશે અને શ્રાવકો દર્શનાર્થે આવ્યા હશે તેથી નાના સાધ્વીજીઓને દરવાજો ઉઘાડવાનું કહ્યું. નાના સાધ્વીજીઓ દરવાજા સુધી પહોંચ્યા, સ્ટોપર ઉપર હાથ મૂક્યો ત્યાં જ ગેબી અવાજ કાને પડ્યો, ખોલો-ખોલો..... સૌ સાવધાન થઈ ગયા. ઘડિયાળમાં બેના ટકોરા પડ્યા. મહાસતીજીને ખ્યાલ આવ્યો કે કોઈ અસામાજિક તત્ત્વો આવ્યાં લાગે છે. દરેકને સૂચના આપી કે નવકાર મહામંત્રનો જાપ શરૂ કરો. જાપ શરૂ થયા. લોખંડી બૂટથી જૈન ભવનના દરવાજા ખખડવા લાગ્યા. સૌના દિલમાં ગભરાટ વધી ગયો. ભયનું વાતાવરણ સર્જાયું. અડધા કલાક સુધી અજાણ્યા શખ્સોએ દરવાજા તોડવાના પ્રયત્ન કર્યા છતાં તે તૂટ્યા નહિ કેમ કે તે દરવાજા ખૂબ મજબૂત હતા. તે જ વખતે વિદુષી મહા. વિજયાબાઈ આર્યજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “અજરામરજી સ્વામી, અમારી લાજ તમારા હાથમાં જ, જે હોય તેને ઉપાશ્રયનાં પગથિયાં ઉતરાવી દો અને અમને બચાવી લો.” આ રીતે એક-બેત્રણ વખત કહ્યું. ત્રીજી વખત કહેતાંની સાથે જ લોખંડી બૂટવાળા અને શસ્ત્રો સહિત એ મિલિટરીના માણસો બદઈરાદાથી આવ્યા હતા પણ તે ઈરાદો પૂર્ણ ન થતાં ઠઠ્ઠા-મશ્કરી કરીને ચાલ્યા ગયા. નવકારમંત્રના પ્રભાવથી અને પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીના નામ સ્મરણથી સૌ આવેલા ઉપસર્ગમાંથી ઊગરી ગયા. પૂજ્યશ્રીના નામ સ્મરણમાંય કેટલી તાકાત છે તે ઉપરના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે. પૂ. અજરામરજી સ્વામીના સંસારી પૂર્વજોનું વૃત્તાંત એમના વંશજોના ભટ્ટ (બારોટ) હેમતલાલ કાનજીભાઈના ચોપડામાંથી વિ.સં. ૨૦૪૭ માગસર વદ-૬ તારીખ ૭-૧૨-૧૯૯૦ શુક્રવારે હાલા૨ પ્રદેશના વિચરણ દ૨મ્યાન અક્ષરશઃ ઉતારો કરેલ છે. શ્રી હેમતભાઈનો ઉપકાર સદૈવ સ્મરણીય રહેશે. (અજરામર વિરાસતમાંથી સાભાર ઉત્કૃત) સંશોધક : ભાસ્કરમુનિ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી અજરામરજી સ્વામી (૧) ભટ્ટના ચોપડાના આધારે હાલારી વીસા ઓશવાળ જ્ઞાતિનો ઈતિહાસ ટૂંકમાં નીચે મુજબ છે. (૨) વિ.સં. ૧૨૧૩ની સાલમાં આચાર્ય જયસિંહસૂરિજીના ઉપદેશથી ઘણા ક્ષત્રીય રાજપૂતોના જીવન પલટાઈ ગયા અને જૈન ધર્મ અંગિકાર કર્યો. (૩) વિ.સં. ૧૪૫૫ થી ૧૪૬૨માં સતત સાત દુષ્કાળ પડતાં જૈન પરિવારોએ મારવાડ ભૂમિનો ત્યાગ કર્યો અને સિંઘ પ્રાંતમાં આવ્યા. સિંધુ નદી કાંઠો હરિયાળો હોવાથી વસવાટ કર્યો. ત્યાં ઘણા વરસો રહ્યા. (૪) વિ.સં. ૧૫૨૫માં મુસલમાન સત્તા આવતાં આપણા પૂર્વજો સિંધ છોડી રણરસ્ત ખડીર થઈને વાગડ પ્રાંતમાં કંથકોટ ઉપર વસવાટ કર્યો. થોડા વરસ કંથકોટમાં રહ્યા. સમય જતાં ત્યાંના દરબાર સાથે ખટરાગ થતાં (સ્વમાન ભંગ થતાં) જૈનો દૂધઈ-ધમડકાની નદીમાં વિસામો ખાવા પડાવ નાખ્યો. તે વિ.સં. ૧પ૬૫ની સાલ હતી. તે સમયે જામરાવળ હાલારમાં આવતા હોવાથી તેમની સાથે આપણા જ્ઞાતિભાઈઓ હાલારમાં આવ્યા અને પર (બાવન) ગામમાં વસવાટ કર્યો. એક વિભાગે કચ્છ કંઠીમાં પર ગામ વસાવ્યા, બીજા વિભાગે કચ્છ અબડાસામાં ૪૨ ગામ વસાવ્યા, ત્રીજા વિભાગે વાગડમાં ૨૪ ગામ વસાવ્યા. ચોથો વિભાગ-હાલારમાં જઈ વસ્યો. ગામ પડાણા ૧૫૯૦ની સાલમાં વસ્યુ. અજરામરજી સ્વામીના પૂર્વજો મૂળ કચ્છમાંથી વિ.સં. ૧૬૧૭ની સાલમાં કચ્છમાંથી હાલાર આવ્યા. તેઓ મૂળ માંઢા ગામમાં વસ્યા. વિ.સં. ૧૭૦૧માં માંઢાથી પડાણા શા. હરગણ રણમલ રહેવા આવ્યા. મારૂ સાલના કુળદેવી મોમાય માતાજી છે. તેનું મૂળસ્થાન મોમાયમોરા ગામ (તા. રાપર-વાગડ) છે. (૭) અજરામરજી સ્વામીનું મૂળ નામ ચોપડામાં આણંદ માંડેલ છે. આણંદના પિતાનું નામ માણેક ખીંયસીના શુભ વિવાહ ગામ મોટા લખિયાના સાખે સુમરિયા શાખમાં કંકુબાઈ સાથે થયા હતા. (૯) દીક્ષા પછીનું નામ અજરામરજી સ્વામી, સાલ સં. ૧૮૧૯. (૧૦) વંશ પરમાર, મૂળ રાજધાની આબુ. (૧૧) અજરામરજી સ્વામીના સંસારપક્ષે ભાયાત કાકાઈ પિતરાઈ તથા મોસાળની નોંધ ટૂંકમાં દર્શાવેલ છે. (૮) આજ Page #170 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૫૭ વંશ પરમારમાં મારૂ નામના પૂર્વજથી મારૂ ગોત્ર પડ્યું. એમાં એમના વંશમાં વેરશી દાદા થયા. એમના પછીની વંશાવળિ ઉતરતા ક્રમે નીચે મુજબ છે. (૧) વેરસી, (૨) દેવકરણ, (૩) વીરમ, (૪) વરજાંગ, (૫) જેતકરણ, (૬). આસંગ, (૭) જગાભાઈ, (૮) જેતશી, (૯) ઉગાભાઈ, (૧૦) આસોભાઈ, (૧૧) રણમલ, (૧૨) હરગણ (મૂળ માંઢા ગામથી પડાણા રહેવા આવ્યા.) (૧૩) ખીંયસી, (૧૪) ખીંયસીના બે દીકરા વીરપાર અને આણંદ (અજરામર), (૧૫) મેઘાભાઈને કરમશીભાઈ એમના દીકરા ધરમશી—એમના દીકરા પોપટભાઈનો પરિવાર પડાણામાં છે. માણેકભાઈના મોટા દીકરા વીરપારનો પરિવાર મોસાળમાં મોટા લખિયા ગામમાં છે.(આ બન્નેના પરિવારની હકીકત અન્યત્ર છે તે વાંચી લેવી). દિવ્યયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય | શ્રી દેવજી સ્વામી ધન્ય હોય માતા-પિતા ધન્ય હોય કુલ ગોતા મહાપુરુષ જન્મ જહાં, લીયે ધર્મકી જ્યોત ! જ્યાં ધર્મની જ્યોત ફરકાવનાર મહાપુરુષનો જન્મ થાય છે તે માતા-પિતા, તે કુળ અને તે ગોત્રને ધન્ય છે. મચ્છુ નદીના કિનારે વસેલું વાંકાનેર શહેર ખૂબ જ રમણીય છે. જે શહેરમાં સકલાગમ રહસ્યવાદી પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૮૬૦, કારતક સુદમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પુંજાભાઈ અને માતૃશ્રીનું નામ વાલબાઈ હતું. તેઓ જ્ઞાતિએ લોહાણા (ઠક્કર) હતા અને વાંકાનેરમાં ફૂલવાડીમાં રહેતા હતા. મહાપુરુષોના માટે કોઈ એવો નિયમ નથી કે અમુક જ જ્ઞાતિમાં થાય. ઈતિહાસ વાંચવાથી ખ્યાલ આવી શકે છે કે દરેક જ્ઞાતિમાંથી મહાપુરુષો પાકે છે. ભગતબીજ પલટે નહિ, જો જુગ જાય અનંત ઊંચનીચ કુલ અવતરે, આખર સંત તે સંત // આ દુહો પણ એ જ વાતને પુષ્ટ કરે છે કે મહાપુરુષનો જન્મ ગમે તે જ્ઞાતિમાં થઈ શકે છે. ચરિત્રનાયક શ્રીના મોટાભાઈનું નામ લાલજીભાઈ હતું અને તેમનાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી દેવજી સ્વામી બેનનું નામ સુંદરબાઈ હતું. માતુશ્રી વાલબાઈ નાની ઉંમરમાં જ કાળધર્મ પામ્યાં હતાં. જે જે મહાપુરુષો થયા છે તેમને બચપણમાં અનેક જાતના સંકટોનો સમનો કરવો પડ્યો હોય છે. આવા નિમિત્તોને પ્રાપ્ત કરીને એ મહાન આત્માઓ પોતાની આત્મિક ઉન્નતિ કરી શકે છે. મોટાભાઈ મુંબઈ વેપારાર્થે ગયેલા. ત્યારે તેમને સારી ફાવટ આવી જવાથી પિતા પુંજાભાઈ તથા લઘુબંધુ દેવજી બન્નેને મુંબઈ તેડાવ્યા. તે વખતે મુંબઈ દરિયામાર્ગે વહાણ દ્વારા જવાતું હતું, સમય ઘણો લાગતો તેથી ખૂબ જ હાડમારી ભોગવવી પડતી હતી. બન્ને બાપ-દીકરાએ મુંબઈ જવાનો નિશ્ચય કર્યો. તેઓ વિવાણિયા બંદર આવ્યા. રાત્રિવાસ ધર્મશાળામાં કર્યો. મધ્યરાતે વહાણ આવ્યું અને પિતા-પુત્ર જાગ્યા. પાણીનું ઠામ હાથમાં આવ્યું નહિ જેથી તે શોધવામાં ઘણો સમય નીકળી ગયો અને વહાણ ઊપડી ગયું હવે પછી એક મહિને વહાણ આવશે એમ સાંભળી પિતા-પુત્ર બન્ને વાંકાનેર પાછા આવ્યા. “માણસ ધારે કાંઈક અને કુદરત s siss !!” “Man Proposes, God disposes.” થોડા દિવસ પછી ફરીને લાલજીભાઈનો પત્ર આવ્યો કે તમે આવવાનું લખીને કેમ આવ્યા નહિ ? હવે આવવું હોય તો ભાવનગર થઈને આવો. તેથી પિતા-પુત્ર ભાવનગર તરફ રવાના થયા, રસ્તામાં ચમારડી સુધી પહોંચ્યા પણ ત્યાં તો અચાનક પુંજાભાઈને ઝાડા થયા તેથી પાછા વળ્યા. બે ગાઉ પાછા વળ્યા કે તબિયત સારી થઈ તેથી ફરી ભાવનગર જવાનો વિચાર કર્યો, ફરી વલ્લા ચમારડી સુધી આવ્યા, ફરી ઝાડા થયા. આમ ત્રણ વખત થયું તેમાંય કુદરતનો અતિ શુભ સંકેત હતો જ. તેઓ ભાવનગર તરફ આગળ વધી ન શક્યા. તેમની ઈચ્છા મુંબઈ જવાની ઘણી હતી પરંતુ કુદરતે જૂદું જ ધાર્યું હતું જેથી પાછા વાંકાનેર આવ્યા. 'પ્રભાવશાળી રેખાઓ જોઈ પ્રભાવિત થતા પુંજાભાઈના 'ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજ મહાપુરુષોના લક્ષણો ક્યારે છાનાં રહેતાં જ નથી. જાણકાર માણસોને ખ્યાલ આવી જ જાય છે કે આ ભવિષ્યમાં મહાન થવાનો છે. પિતાશ્રી પુંજાભાઈના ગુરુ હતા કલ્યાણદાસજી મહારાજ, તેઓની પાસે અવારનવાર પુંજાભાઈ જતા. એક વખત તેઓ દેવજીને સાથે લઈને ગયા. કલ્યાણદાસજી મહારાજે દેવજીને સામુદ્રિક રેખાઓ વગેરે જોઈને જાણી લીધું કે આ બાળક આગળ જતાં ઘણો જ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ આ છે અણગાર અમારા પ્રભાવશાળી થશે. તેમણે દેવજીને પોતાના જેવા સાધુ થવા માટે ઘણું કહ્યું પરંતુ દેવજીએ હા પાડી નહિ. પૂજયપાદ શ્રી અજરામરજી સ્વામીને દીક્ષાર્થી અવસ્થામાં ગોંડલના ગોંસાઈજીએ (મહંતજી) ઘણી લાલચ આપી હતી છતાં તેઓ લલચાયા નહિ તેમ અહીં દેવજીની ઉંમર પણ આઠ વર્ષની હોવા છતાં તેમણે કલ્યાણદાસજીને તેવા સાધુ થવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો તે જ બતાવે છે કે મહાપુરુષો નાની ઉંમરમાં પણ કેવા દઢ હોય છે. પ્રલોભનો તેમને આકર્ષી શકતા નથી. સત્સંગનો મહિમા चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः । चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः ॥ ભાવાર્થઃ લોકમાં ચંદન શીતલ છે પરંતુ ચંદન કરતાં ચન્દ્રમાં વધારે શીતલતા છે જયારે ચંદન અને ચન્દ્રમાં કરતાં વધારે શીતલ સાધુ સમાગમ છે. ચંદન અને ચન્દ્રમા શરીરના તાપને દૂર કરે છે જયારે સત્સમાગમ આત્માના આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ ત્રિવિધ તાપને દૂર કરે છે તેથી સંતોના સમાગમનો મહિમા દરેક ધર્મોએ બતાવ્યો છે. શ્રી પુંજાભાઈની બાજુમાં પોપટલાલ ટોળિયા કરીને ધર્મપ્રેમી શ્રાવક રહેતા હતા. તેમને પંજાભાઈની સાથે સારો સંબંધ હતો તેથી એકબીજા હળેમળે. દેવજી પણ તેમની પાસે આવેલાય. તે શ્રાવકે દેવજીને નાનપણથી જ સારા સંસ્કારો રેડેલા તેથી તેનું હૃદય પ્રથમથી જ પવિત્ર હતું. “A man is known by the company he keeps” માણસ જેવી સોબત કરે છે તેવી તેની છાપ પડે છે અર્થાત સંગ તેવો રંગ લાગે છે. ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્ત ગમે ત્યાંથી આવીને ઊભું રહે છે. તનુસાર પંડિતરાજ પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓને કચ્છ તરફ જવાનું નક્કી થયું. વિ. સંવત ૧૯૬૯ની સાલ હતી. શાસનોદ્ધારક પૂજય આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામી લીંબડીમાં સ્થિરવાસ બિરાજતા હતા, તેમની આજ્ઞા લઈને જયારે પૂ. શ્રી દેવરાજજી સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે પૂ. શ્રી અજરામરજી સ્વામીએ તેમને સૂચના આપી કે વાંકાનેરના પુંજાભાઈ ઠક્કરનો પુત્ર તમારી પાસે ભણવા માટે આવે તો તમે ના પાડશો નહિ. એ પ્રતાપી બાળક છે. દીક્ષા લેશે તો શાસનને શોભાવશે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬) શ્રી દેવજી સ્વામી આવી રીતે તે બાળકને જોયા વિના પુજયશ્રીએ ભાવિના એંધાણ આપ્યા જે આગળ જતાં અક્ષરશઃ સાચા પડ્યા. પૂજયશ્રી અજરામરજી સ્વામી પછી પ્રભાવશાળી આચાર્ય થયા હોય તો તે પૂ. શ્રી દેવજી સ્વામી. ગુરુજી બડે જ્ઞાની હૈ આતમ ધ્યાની, સુનાતે જિનવાણી, તિરાતે ભવ્ય પ્રાણી આયે હૈ બડી દૂર સે, વંદન કરલો તિકનૃત્તો કે પાઠશે. લીંબડીથી વિહાર કરીને ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં પૂજયશ્રી દેવરાજજી સ્વામી, સ્થવર શ્રી મોણશી સ્વામી આદિ ઠાણાઓ વાંકાનેર પધાર્યા. વાંકાનેરના ભાવિક શ્રાવકો પૂજયશ્રીની પધરામણીથી ભારે, આનંદવિભોર બની ગયા. પૂજયશ્રીના દર્શન તેમ જ વ્યાખ્યાન વાણી, સત્સંગ વગેરેનો લાભ લેવા લાગ્યા. સુશ્રાવક શ્રી પોપટભાઈ દેવજીને લઈ પૂજ્યશ્રી પાસે ગયા. પૂજયશ્રીએ સરળ ભાષામાં ધર્મોપદેશ આપ્યો. પોપટભાઈએ દેવજીને પૂછયું. “આ મહારાજ સાહેબ પાસે તારે રહેવું છે?” ત્યારે માત્ર નવ વર્ષની ઉંમરનો દેવજી પૂજ્યશ્રીનું દેદીપ્યમાન શરીર, સૌમ્ય મુખાકૃતિ, બોલવાની સુંદર છટા, વાણીની મીઠાશ વગેરે જોઈ રાજી થઈ ગયો હતો જેથી સ્વાભાવિક રીતે જ બોલી ઊઠ્યો કે, “આ મહારાજ મને રાખે તો હું એમની પાસે રહેવા તૈયાર છું.” પોપટભાઈ તેમના પિતાજી પાસે ગયા અને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે જો છોકરાની મહારાજ સાહેબ સાથે રહેવાની ઈચ્છા હોય તો હું શા માટે ના પાડું ? ખુશીથી તે રહે, આવા સાધુસંત તરફ પ્રેમ જાગે એ પુણ્યની નિશાની છે છતાં પુત્રની સામાન્ય કસોટી કરી કે “બેટા, તું જે માર્ગે જાય છે તે માર્ગ સુંવાળો નથી પરંતુ કાંટાળો છે. તેમાં અનેક પ્રકારના સંકટોનો સામનો કરવો પડશે માટે વિચારીને પગલું ભરજે.” દેવજીએ એવો સરસ જવાબ આપ્યો કે, “પિતાજી કાયરના માટે આ માર્ગ કાંટાળો છે પરંતુ શૂરવીરના માટે તો સુંવાળો જ છે. જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે તેણે સંકટો તો સહેવા જ જોઈએ.” નેપોલિયને જેમ કહ્યું છે કે – “Nothing is imposible, imposible is an adjective found in the dictionary of Cawards” અર્થાત્ કાંઈ પણ અશક્ય નથી. (અશક્ય) શબ્દ કાયરોના શબ્દકોશમાં છે નહિ કે શૂરવીરોના. કવિ શ્રી પ્રીતમદાસે પણ કહ્યું છે કે – હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને ! પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને ! Page #174 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧ ૬૧ शिवास्ते सन्तु पन्थानः ।। પિતા શ્રી પુંજાભાઈએ દેવજીની દઢતા જોઈને રાજીખુશીથી રજા આપી. તે દિવસે સુશ્રાવક પોપટભાઈ તથા દેવજી બન્ને ઉપાશ્રયમાં પૂજ્ય મહારાજ સાહેબ પાસે સૂતા. રાત્રે પૂજયશ્રીએ દેવજીને કહ્યું કે, “અમારે પગે ચાલીને વિહાર કરવાનો છે માટે તું લીંબડી જા.” દેવજીએ કહ્યું કે, “ના, હું તો તમારી સાથે જ આવીશ.” આવી તેની તૈયારી જોઈ તેમણે દેવજીને સાથે લેવાનો વિચાર કર્યો અને તે જ વખતે સદ્ગુરુદેવ પૂજયશ્રી અજરામરજી સ્વામીના શબ્દો યાદ આપ્યા, વાંકાનેરમાં પુંજાભાઈ ઠક્કરનો પુત્ર તમારી સાથે આવે તો ના પાડતા નહિ, એ બાળક બહુ પ્રતાપી છે, શાસનને શોભાવશે.” પૂજ્ય ગુરુદેવનો વાત્સલ્યભાવ અને રંગબાઈ શ્રાવિકાનો ભક્તિભાવ વાત્સલ્યભાવથી પ્રેરાઈને પૂજ્યશ્રી દેવરાજજી સ્વામીએ વિચાર કર્યો કે આટલી નાની ઉંમરનું બાળક મોટા વિહાર કેમ કરી શકશે ? આ વિચાર ચાલતો હતો ત્યાં મોરબીના રંગબાઈ શેઠાણી પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યાં. તેમને આ વાત કરી તો શેઠાણી ખૂબ જ આનંદવિભોર બની ગયાં અને થોડા દિવસ મોરબીમાં રહીને દેવજીને ભણાવવાનું નક્કી કર્યું. તેટલામાં ટોકરભાઈ મોરબીયાએ રાપરથી બે માણસોને પૂજ્યશ્રીને વિનંતી કરવા માટે મોકલ્યા હતા એટલે પૂજયશ્રીએ દેવજીને તેમની સાથે રાપર મોકલી આપ્યો અને ભલામણ કરી કે અમે રણ ઊતરીને રાપર આવીએ ત્યાં સુધી દેવજીને ભણાવજો . 'અમ્માપિયાવિત્ રાપરના એ શ્રાવકો !! રાપરના એ શ્રાવકોનો ભક્તિભાવ તે વખતે પણ પ્રશંસનીય હતો. તે શ્રાવકો દેવજીને રાપર તેડી આવ્યા અને ખૂબ જ પ્રેમથી તેને સાચવવા લાગ્યા. સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવતા રહ્યા. થોડા દિવસ વિહાર કરતાં કરતાં પૂ. શ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓ પણ રણ ઊતરીને અનુક્રમે રાપર પધાર્યા. તે અરસામાં દેવજીએ રાપરમાં રહીને ધર્મનો સારો અભ્યાસ કરી લીધો હતો તેમ જ તેનું મન પણ ત્યાં ગોઠી ગયું હતું, અર્થાત તેને ત્યાં ખૂબ જ ગમી ગયું હતું. તેઓના ભક્તિભાવ અને પ્રેમભાવ જોઈ પૂજ્યશ્રીએ વધારે અભ્યાસ કરવા માટે દેવજીને રાપર જ રાખ્યો અને કહ્યું કે, “અમે કંઠીમાંથી પાછા આવીએ ત્યાં સુધી અહીં જ ભણાવજો.” Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પૂજ્યશ્રીની કંઠીમાં પધરામણી અને દેવજીનો વિશેષ અભ્યાસ ત્યારપછી પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓએ (કચ્છ) કંઠી તરફ વિહાર કર્યો. દશ મહિના એ બાજુ વિચર્યા તે સમય દરમ્યાન દેવજીએ ઘણો અભ્યાસ કરી લીધો. ફક્ત નવ વર્ષની ઉંમરમાં ગુર્વજ્ઞા શિરોમાન્ય કરી પોતાનું વતન છોડી અન્યત્ર રહી ધાર્મિક અભ્યાસ કરવો અને સંયમની ભાવના ટકાવી રાખી તે નાનીસૂની વાત નથી. પૂર્વભવના મહાન પુણ્ય વિના આવું બની શકતું નથી. ધન્ય છે એ મહાપુરુષને કે જેમણે શરૂઆતથી જ ગુરુદેવની આજ્ઞાને જીવનમંત્ર ગણ્યો. શ્રી દેવજી સ્વામી જા, સંયમપંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને । જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને પૂજ્યશ્રી આદિ ઠાણાઓ દશ મહિના કંઠીમાં વિચર્યા તે સમાગમના કારણે બીજા બે છોકરાઓ તેમની પાસે દીક્ષા લેવા તૈયાર થયા. એક હતો રામાણિયાનો વીરજી તથા બીજો હતો ટોડાનો લખમશી. બન્ને વીશા ઓસવાળ હતા. તેઓ પૂ. શ્રી સાથે રહેવા લાગ્યા. દસ મહિના એ તરફ વિચરીને સંવત ૧૮૭૦ના પોષ મહિનામાં તેઓશ્રી રાપર પધાર્યા. તેજસ્વી બાળક દેવજી તો ભણીભણીને તૈયાર થઈ ગયો હતો. પૂ. શ્રી દેવરાજજી સ્વામીએ લીંબડીથી ગુરુદેવ પૂ. શ્રી ૧૮૭૦ પોષ વદ-૮ના દિવસે ત્રણે ઉમદેવારોને સાથે ભાગવતી દીક્ષા આપી. દેવજીનું નામ દેવજીસ્વામી રાખ્યું અને તેમને શાંતસ્વભાવી મહારાજ શ્રી મોણશી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. રાપરના શ્રાવકોએ ભારે ઉત્સાહથી આ દીક્ષા પ્રસંગ ઊજવ્યો. દરેકે સારા આશીર્વાદ આપ્યા કે દેવજી સ્વામી ખરેખર દિવ્યયુગ પ્રવર્તાવશે. અદ્ભુત સ્મરણશક્તિ જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઉતરે તારા અંતરમાં, રગ રગમાં એનો સ્રોત વહે, ને પ્રગટે તારા વર્તનમાં; તારા જ્ઞાનદીપકના તેજ થકી, આ દુનિયા ઝાકમઝાળ બને... જા, સંયમપંથે દીક્ષાર્થી... એ સાલનું ચાતુર્માસ કચ્છમાં વિતાવી પૂ. શ્રી દેવરાજજી સ્વામી આદિ ઠાણાઓ રણ ઊતરીને અનુક્રમે લીંબડી પધાર્યા. જોકે તે વખતે પૂજયશ્રી અજરામરજી સ્વામી કાળધર્મ પામી ગયા હતા પરંતુ આશીર્વાદ આપી ગયા હતા Page #176 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા કે દેવજી સ્વામી શાસનદીપક થશે. નવદીક્ષિત મુનિરાજ શ્રી દેવજી સ્વામી ભણવામાં એક્કા હતા. તેમની યાદશક્તિ તથા ગ્રહણશક્તિ અદ્ભૂત હતી. ટૂંક સમયમાં તેમણે ઘણું જ જ્ઞાન મેળવ્યું હતું. કહેવાય છે કે સંસ્કૃત વ્યાકરણના મુખ્ય ગ્રન્થોનો તલસ્પર્શી અભ્યાસ તેમણે ફક્ત ૧૦ મહિનામાં કર્યો હતો અને ન્યાયના ગ્રન્થોનો અભ્યાસ ૧૩ મહિનામાં કર્યો હતો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિના આવું બની શકતું નથી. નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન મેળવી લીધું છતાં તેમનામાં નમ્રતા ખૂબ જ હતી. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ નમ્રતા વધે. એ સાચો જ્ઞાની. જેમ જ્ઞાન વધે તેમ અક્કડતા અને અહંકાર વધે તો એ અજ્ઞાની. આંબાના વૃક્ષને ફળ આવે તો એ વધારે નીચે નમે. એરંડાના વૃક્ષને ફળ આવે તો એ વધારે અક્કડ બને. બસ, મહાન આત્મા અને અલ્પ આત્મા વચ્ચે આ જ તફાવત છે. પૂ. શ્રી દેવજી સ્વામીમાં નાની ઉંમરમાં પીઢતા અને ગંભીરતા પણ ખૂબ જ હતી. તેમનાં ઉચ્ચ જ્ઞાન અને શ્રેષ્ઠ આચારથી દરેક ઠેકાણે પ્રભાવ પડવા લાગ્યો. લોકોને લાગતું કે આ તો જાણે બીજા અજરામરજી સ્વામી જોઈ લ્યો. શાસનોદ્વારક પૂજ્ય આચાર્યશ્રી અજરામરજી સ્વામીએ સંપ્રદાયને એકદમ લાઈટમાં લાવી દીધો હતો. તે લાઈટમાં પાવર પૂરવાનું કામ પૂજ્યશ્રી દેવજી સ્વામીએ કર્યું જેથી ઉત્તરોત્તર લીંબડી સંપ્રદાયે પ્રગતિના શિખર સર કરી સ્થાનકવાસી સમાજમાં અગ્રસ્થાન લીધું. સદ્ગુરુની કૃપા અને સત્પુરુષાર્થ વડે તળેટીમાંથી ટોચ ઉપર પહોંચે છે એક વખતનો બાળક. ૧૬૩ વિ. સંવત ૧૮૮૭ની સાલમાં પૂજ્ય આચાર્યશ્રી ભાણજી સ્વામી કાળધર્મ પામતા ગાદીપતિ પદ અને આચાર્ય પદની જગ્યાઓ ખાલી પડી જેથી સંવત ૧૮૮૮ના પોષ વદમાં લીંબડીમાં સાધુ સંમેલન થયું અને મહાસુદ-૨ના શુભ દિવસે ગાદીપતિ તરીકે પૂજ્ય શ્રી હ૨ચન્દ્રજી સ્વામીને નિયુક્ત કર્યા તથા આચાર્ય તરીકે ૨૮ વર્ષની ઉંમરના પૂ. શ્રી દેવજી સ્વામીને નીમ્યા અર્થાત્ ચતુર્વિધ સંઘે મળીને તેમને આચાર્યપદવી આપી. પૂજ્યપાદ શ્રી અજરામરજી સ્વામીથી કરીને પૂજ્ય આચાર્યશ્રી રૂપચન્દ્રજી સ્વામી સુધી લીંબડી સંપ્રદાયમાં ઘણાં આચાર્ય થયા પરંતુ સૌથી નાની ઉંમરે આચાર્ય બન્યા હોય તો તે સકલાગમ રહસ્યવેદી પૂજ્યશ્રી દેવજી સ્વામી. નાની ઉંમરમાં દીક્ષિત થનાર એક બાળક નાની ઉંમરમાં જ આટલી ઊંચી કક્ષાએ પહોંચે તેમાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી દેવજી સ્વામી ગુરુકૃપા જ કારણભૂત છે તેથી તો કહ્યું છે કે – मूकं करोति वाचालं, पंङ्गं लङघयते गिरिम् । यत्कृपा तमहं वन्दे, गुरुदेवं कृपाकरम् ॥ ભાવાર્થ : જેની કૃપાથી મૂંગો બોલતો થાય છે. પંગુ પર્વત ઓળંગી જાય છે તેવી કૃપા કરનાર ગુરુદેવને હું વંદન કરું છું. - પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામીનું જીવન પ્રભાવશાળી પ્રસંગોથી ભરપૂર છે પરંતુ ઘણાં વર્ષો થઈ ગયાં હોવાથી બધા પ્રસંગો ઉપલબ્ધ થતાં નથી છતાં જે કાંઈ પૂ. ગુરુદેવશ્રી નવલચન્દ્રજી સ્વામીના શ્રીમુખેથી સાંભળ્યું છે, તેમાંના અમુક પ્રસંગો યથાશક્તિ રજૂ કરું છું. એક નાની ઉંમરના શ્રાવિકાએ પૂજય આચાર્યશ્રી દેવજી સ્વામી પાસે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા હતાં. પૂજ્યશ્રી જેવા ગુરુદેવ હોવાથી બહેન ધર્મની આરાધના સારી રીતે કરતા હતા. તેમના પતિદેવ પણ ધર્મપ્રેમી હતા. સંસારના સુખો ભોગવતા દામ્પત્યના ફલસ્વરૂપે તેમને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર જોતાં જ ગમી જાય તેવો હતો. લાડકોડથી તેનો ઉછેર થઈ રહ્યો હતો. સુખશાન્તિપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કુદરતને આ બાળકનું સુખ મંજુર નહિ હોય તેમ અચાનક એની માતાનું મૃત્યુ થયું. પુત્રમાં મોહ રહી જવાથી માતા શ્રાવિકા હોવા છતાં કાળધર્મ પામીને વ્યંતર જાતિની દેવી થઈ. મા વિહોણા બાળકની કેવી દશા થાય છે તે તો સૌ જાણે જ છે તેથી તો કહ્યું છે કે, “ઘોડે ફરતો બાપ મરજો પરંતુ દળણાં દળતી મા ન મરજો.” થોડા સમય પછી એ ભાઈએ ફરીને લગ્ન કર્યા. નવી પત્ની આવતાં પેલા બાળકની દશા કફોડી થઈ ગઈ. “ઓરમાન મા અને કુહાડાનો ઘા” એ કહેવત પ્રમાણે આ અપરમાતા પોતાના શોક્યના પુત્રને દુઃખ દેવા લાગી. સગો બાપ દીકરાનો મટીને નવી પત્નીનો બની ગયો હતો. મા અને બાપ વચ્ચે કેટલો ફરક છે તે એક વિદ્વાને સરસ કહ્યું છે – “A mother is mother all the days of her life, a father is father till he gets a new wife.” Hlal à 441 તે માતા જ છે. પિતા ત્યાં સુધી જ પિતા છે કે જયાં સુધી નવી પત્ની મેળવી નથી. પેલી વ્યંતરી પૂર્વભવના પોતાના પુત્રને દુ:ખી દેખી ગુસ્સે થઈ અને નવી પત્નીના શરીરમાં આવી હેરાન કરવા લાગી. જોકે આ વ્યંતરીને નવી ઉપર દ્વેષ ન હતો પરંતુ પુત્રમોહના કારણે પોતાના પુત્રને દુઃખ દેતી હોવાથી તેને પજવવા લાગી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ તો નવી પત્નીની શોક્ય અને પેલા Page #178 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૬૫ બાળકની માતા છે. પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી દેવજી સ્વામીને પેલા ભાઈએ આ સમાચાર આપ્યા કે એક વખતની તમારી શ્રાવિકા મારી નવી પત્નીને ખૂબ હેરાન કરે છે માટે એને સમજાવો. પૂજ્યશ્રીએ કહ્યું કે, “હવે જ્યારે એના શરીરમાં આવે ત્યારે મને બોલાવજો.” પેલી વ્યંતરી જ્યારે નવી પત્નીના શરીરમાં આવી ત્યારે તરત જ પૂજ્યશ્રીને બાલવવામાં આવ્યા. પૂજયશ્રીને જોતાં જે પેલીના શરીરમાં રહેલી વ્યંતરીએ વંદન કર્યા. પૂજયશ્રીએ તેને પૂછ્યું તો નામઠામ વગેરે બરાબર આપ્યા. પછી કહ્યું કે, “તું આને શા માટે હેરાન કરે છે? એક વખત તે મારી પાસેથી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા હતાં, ધર્મને જાણનારી એવી તું આને પરેશાન કરે તે બરાબર ન કહેવાય.” ત્યારે પેલીએ જવાબ આપ્યો, “ગુરુદેવ ! આપની વાત બરાબર છે પરંતુ આ મારા પુત્રને હેરાન શું કામ કરે છે? આપની સાક્ષીએ જો મને વચન આપે તો હું એના શરીરમાંથી નીકળી જાઉં અને હેરાન ન કરું પરંતુ જો મારા પુત્રને હેરાન કરવાનું નહિ છોડે તો હું એને નહિ છોડું વધારે હેરાન કરીશ. છતાં આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે.” પૂજ્યશ્રીએ નવી પત્નીને શિખામણ આપી કે તમારી શોક્યનો પુત્ર એ તમારો જ પુત્ર કહેવાય માટે અંગજાતની જેમ એને સંભાળવો જોઈએ. તમારી એ ફરજ બની રહે છે. નવીએ પોતાની ભૂલ બદલ માફી માગી અને હવેથી આ બાળકને પુત્રની જેમ સાચવવાનું વચન આપ્યું, પેલા ભાઈએ પણ કહ્યું કે, “હું આનું સાંભળી પુત્રને હેરાન નહિ કરે.” આમ સહુનું સમાધાન કરી પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવી એટલે પેલી વ્યંતરીએ પૂજયશ્રીને વંદન કરી વિદાય લીધી. સાચા સંતોનો પ્રભાવ કેવો હોય છે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે, તેઓને મંત્રતંત્ર વગેરે કાંઈ કરવાની જરૂર નથી હોતી, તેમના ચારિત્રનો પ્રભાવ જ એવો હોય છે કે અજ્ઞાની આત્મા તેમના સદુપદેશથી પ્રેરાઈને સમજદાર બની જાય છે અને ધર્મના માર્ગે પ્રગતિ કરે છે. એક વખત પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામી આદિ ઠાણાઓ તથા અમુક મહાસતીજીઓ માંડવી (કચ્છ) પધારી રહ્યા હતા. તે વખતે માંડવીની નદીમાં પુલ બાંધેલો ન હતો. નીકળ્યા ત્યારે પાણી ન હતું પરંતુ દરિયાની ભરતીના કારણે એકાએક પાણી આવી જતાં બીજા તો બધા નીકળી ગયા પરંતુ એક સાધ્વીજી પૂરમાં તણાવા લાગ્યાં. શ્રાવકો બધા જોતા રહ્યા, કોઈની હિંમત ચાલી નહિ કે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી દેવજી સ્વામી પ્રવાહમાં પડી સાધ્વીજીને બચાવી લઈએ. શાસ્ત્રજ્ઞ એવા પૂજ્યશ્રીને લાગ્યું કે આમ જોતાં રહેશું તો સાધ્વીજી તણાઈ જશે અને લોકમાં હાંસીપાત્ર બનશું કે આટલા બધા હોવા છતાં કોઈ સાધ્વીજીને બચાવી શક્યા નહિ. પૂજયશ્રી તરત જ ચોલપટ્ટાનો કછોડો વાળી પ્રવાહમાં પડ્યા અને સાધ્વીજીને આબાદ બચાવી લીધા અને કિનારે લઈ આવ્યા, ત્યારે બધાના જીવ હેઠા બેઠા. આવા નિર્ભય હતા એ મહાન આચાર્ય. સૂત્રમાં કહ્યું છે કે આ કારણોથી સાધુ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો नथी. निग्गंथे निग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पव्वयंसि वा पक्खलमाणिं वा पवडमाणिं वा गेण्हमाणे अवलम्बमाणे वा नाइक्कमइ । બૃહત્કલ્પ સૂ. ઉં. ૬ સૂ-૭ निग्गंथे निग्गंथिं सेवंसि वा पंकंसि वा पणगंसि वा उदयंसि वा ओकसमाणिं वा ओवुड्डमाणिं वा गेण्हमाणे वा अवलम्बमाणे वा नाइक्कमइ । पृ. 3. ६ सू. ८ निग्गंथे निग्गंथिं नावं आरोहमाणिं वा ओरोहमाणिं वा गेण्हमाणे वा अवलम्बमाणे वा नाइक्कमइ ।. 3-६ सू-८ खित्तचितं निग्गंथि निग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा नाइक्कमइ । १० एवं दित्तचितं । ११ जक्खाइट्ठं । १२ उम्मायपत्तं । १३ उवसग्गपत्तं । १४ साहिगरणं । १५ सपायच्छितं । १६ भत्तपाणपडियाइखियं । १७ કચ્છની ધરતી ઉપર વિશેષ ઉપકાર પૂજયપાદ શાસનોદ્ધારક આચાર્ય શ્રી અજરામરજી સ્વામીએ કચ્છનાં ક્ષેત્રોનું Page #180 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૬૭ સારી રીતે ખેડાણ કરી વ્યવસ્થિત બનાવ્યાં તો પૂજયશ્રી દેવજી સ્વામીએ તેને ફળદ્રુપ બનાવવા ખૂબ જ સિચન કર્યું. કચ્છ-વાગડમાં અવારનવાર પધારી લીંબડી સંપ્રદાયનાં ક્ષેત્રોને એકદમ મજબૂત બનાવી ધર્મના રંગે રંગી દીધાં. વળી તે વખતમાં યતિઓનું ખૂબ જોર હતું. યતિઓ શિથિલાચારી હોવાને કારણે સાચા સાધુઓને રામાણિયા જેવા અમુક ગામોમાં આવવા દેતા ન હતા. પરંતુ પૂજયશ્રીના પ્રભાવથી યતિઓ ફાવી શક્યા નહિ. પૂજયશ્રીના જયાં જયાં પગલાં થતાં ત્યાં ત્યાં જય જયકાર થતો, ધર્મની પ્રભાવના થતી. તેમની વ્યાખ્યાનશક્તિ પણ ખૂબ જ જોરદાર હતી જેથી ઘણા ભવ્ય આત્માઓ શીધ્ર બોધ પામી જતા હતા. તેમના સદુપદેશથી પ્રેરાઈને ૧૩ શિષ્યોએ તેમની પાસે દીક્ષા લીધી તે લીંબડી સંપ્રદાયના ૨૦૦ વર્ષના ઈતિહાસમાં રેકર્ડરૂપ છે. તે તેર શિષ્યોનાં નામ - (૧) તપસ્વી શ્રી વનાજી સ્વામી (૨) પૂજય આચાર્ય શ્રી નથુજી સ્વામી (૩) ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી (૪) પૂજય આચાર્ય શ્રી નથુજી સ્વામી (૫) પંડિત શ્રી સુંદરજી સ્વામી (૬) પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી (૭) મ. શ્રી જેચંદજી સ્વામી (૮) Wવીર મોટા શ્રી જીવણજી સ્વામી (૯) પૂજ્ય સાહેબ શ્રી લાઘાજી સ્વામી (૧૦) પૂજય સાહેબ શ્રી મેઘરાજજી સ્વામી (૧૧) મ. શ્રી સંઘજી સ્વામી (૧૨) મ. શ્રી મકનજી સ્વામી (૧૩) મ. શ્રી વરચંદજી સ્વામી. આ તેર શિષ્યોમાંથી ૧૧ શિષ્યો તો મહાન પ્રભાવશાળી અને વિદ્વાન થઈ ગયા. ૮ શિષ્યોને પ્રશિષ્યો થયા. વર્તમાન કાળે તેમના બે શિષ્યોનો પરિવાર પ્રવર્તે છેઃ (૧) પૂજય શ્રી કાનજી સ્વામી (૨) પૂજ્ય શ્રી નથુજી સ્વામી, સંવત ૧૯૧૪ની સાલમાં પૂજ્યશ્રી દેવજી સ્વામી ગાદીની પાટે બિરાજયા. આચાર્ય તો સંવત ૧૮૮૮ થી હતા. હવે ગાદીપતિ પદ પણ પ્રાપ્ત થયું. લીંબડી નાના સંઘનો ઉદભવ પૂજ્ય શ્રી દેવજી સ્વામીની હાજરીમાં સંવત ૧૯૧૫ની સાલમાં પૂ. શ્રી દેવરાજજી સ્વામીના શિષ્ય મ. શ્રી અવિચળજી સ્વામી, તેમના શિષ્ય હેમચંદજી સ્વામી અને હેમચંદજી સ્વામીના શિષ્ય ગોપાલજી સ્વામી વગેરે ૧૪ સાધુઓ સંપ્રદાયથી જુદા થયા અને લીંબડી નાનો સંપ્રદાય અર્થાત્ સંઘવી સંઘની સ્થાપના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી લખાજી સ્વામી કરી, જે હાલમાં ગોપાલ સંપ્રદાયના નામથી ઓળખાય છે. - સંઘવી સંપ્રદાય અલગ થયો તેમાં મુખ્ય કારણ એ હતું કે પૂજ્ય અજરામરજી સ્વામીની સામાચારી પ્રમાણે બીજા સંપ્રદાયમાંથી છૂટા પડેલા સાધુને સંપ્રદાયમાં ભેળવવો નહિ જ્યારે ઉપરોક્ત સાધુઓએ અન્ય સંપ્રદાયમાંથી આવેલા સાધુને ભેળવ્યો તે મુદ્દા ઉપર છૂટા થવું પડ્યું. બન્ને સંપ્રદાય અલગ અલગ છતાં એકબીજામાં વૈમનસ્યભાવ જરાય નહિ તે પૂજય શ્રી અજરામરજી સ્વામીની કૃપા જ કહી શકાય. પૂજય શ્રી દેવજી સ્વામી અનેક ભવ્ય આત્માઓને બોધ આપી સુલભબોધી બનાવીને ૫૦ વર્ષ સુધી દીક્ષા પાળી, ૩ર વર્ષ આચાર્યપદે રહી ૮ વર્ષ ગાદીપતિ પદે બિરાજી, ૬૦ વર્ષની મધ્યમ ઉંમરે સંવત ૧૯૨૦ના જેઠ સુદિ-૮ના લીંબડી મુકામે સમાધિભાવે કાળધર્મ પામ્યા. ચાતુર્માસમાં એમની તિથિ શ્રાવણ સુદ-૮ના ઊજવવામાં આવે છે. 'તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામી ઉગ્ર તપસ્વી મહારાજ શ્રી લખાજી સ્વામીનો જન્મ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં બેલા ગામે થયો હતો. તેમના પિતાજીનું નામ હરજીવનભાઈ દેસાઈ હતું. તેમના માતાજીનું નામ સામભાઈ હતું. હરજીવનભાઈ ખૂબ જ નીતિમાન તેમ જ સદાચારી હતા. સામભાઈ પણ સુશીલ અને સગુણી હતા. આવા સુસંસ્કારી માતા-પિતાને ત્યાં ધર્મી બાળકનો જન્મ થાય તેમાં કોઈ નવાઈ નથી. ખરું જ કહ્યું છે કે : पुण्यतीर्थे कृतं येन, तप: क्वाप्यतिदुष्करम् । तस्य पुत्रो भवेद् वश्यः, समृद्धो धार्मिक सुधीः ।। हितोपदेश ભાવાર્થ : જે માતા-પિતાએ પવિત્ર ક્ષેત્રમાં અતિ દુષ્કર તપ કર્યું હોય તેમનો પુત્ર આજ્ઞાંકિત, સમૃદ્ધ, ધાર્મિક અને બુદ્ધિશાળી થાય છે. લખાજી સ્વામીમાં આ બધા ગુણો બાળપણથી જ હતા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આ છે અણગાર અમારા યોગ્ય ઉમરે માતા-પિતાએ તેમને અભ્યાસ કરવા માટે પાઠશાળામાં બેસાડ્યા. સોળ વર્ષની ઉંમરે તો ભણીગણીને તૈયાર થઈ ગયા. પિતાજીની સાથે વેપારમાં પણ જોડાયા. તેમણે વેપાર-ધંધામાં સારી પ્રવીણતા મેળવી લીધી. એક વખત કુટુંબીજનો સાથે તેઓ લીંબડી ગયા. ત્યાં પૂજય આચાર્ય શ્રી ભાણજી સ્વામી બિરાજતા હતા. શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની પાટ પરંપરાએ તેઓ શ્રી ત્રીજા પટ્ટધર હતા. તેમના દર્શન કરી બધાએ ધન્યતાનો અનુભવ કર્યો. તેમની દ્દયસ્પર્શી વાણી સાંભળી બેલાના એ તરણ વેપારી વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સદૂગુરુના સમાગમમાં કેવી તાકાત છે કે તેમના સમાગમમાં આવનારને તેઓ પારસમણિ બનાવી દે છે. દુનિયામાં બધું મળવું સહેલું છે પરંતુ સદ્ગુરુનો સાચા સંતોનો સમાગમ દુર્લભ છે, તેથી જ કવિ સુંદરદાસજી કહે છે – માત મીલે પુનિ તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ . રાજ મિલે સબ સાજ મિલે ગજરાજ મિલે મનવંછિત પાઈ | લોક મિલે સુરલોક મિલે બિધિલોક મિલે વૈકુંઠમેં જાઈ સુંદર ઔર મિલે સબ હી સુખ દુર્લભ સંત સમાગમ ભાઈ ! સદ્ગુરુદેવ પૂજ્યપાદ શ્રી ભાણજી સ્વામીની પાસે સોળ વર્ષની ઉંમરે લીંબડીમાં જ દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ લખાજી સ્વામી જાહેર કર્યું. દીક્ષિત થયા પછી લખાજી સ્વામી લુખો સૂકો આહાર કરતા. પ્રારંભથી જ તેમણે આહારસંજ્ઞા ઉપર વિજય મેળવ્યો હતો. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યનની પચ્ચીસમી ગાથાના ભાવને અક્ષરશઃ Æયમાં ઉતાર્યો હતો. लूहविती सुसंतुढे, अप्पिच्छे सुहरे सिया । ___ आसुरत्तं न गच्छिज्जा, सुच्चाणं जिणसासणं ॥ ભાવાર્થ : જિનશાસનને-જિનાજ્ઞાને સાંભળીને સાધક આત્મા લુક્ષ રુક્ષ આહાર કરે, જે મળે તેમાં સંતોષ માને, ઈચ્છાઓને દૂર કરે, ઉતાવળો ન ચાલે પરંતુ સંયમભાવમાં દઢ રહે. ( ધન્ય છે એ મહાન તપસ્વીને ! મુનિરાજ શ્રી નવયુવાન હોવા છતાં ફક્ત ત્રણ જ દ્રવ્યની છૂટ રાખી હતી. તેમાંય ચાલુ વપરાશમાં તો ફક્ત બે જ દ્રવ્ય વાપરતા હતા. આવી રીતે વૃત્તિસંક્ષેપ તપનું આચરણ તો સારી રીતે ચાલી રહ્યું હતું. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી લખાજી સ્વામી તે ઉપરાંત તેહપુર્વ મહાપત્ની એ દશવૈકાલિક સૂત્રના મહાવાક્યને પણ એમણે જીવનમાં ઉતાર્યું હતું. એમને શરીર ઉપર જરાય મોહ ન હતો. શિયાળામાં ઠંડી સહન કરતા હતા. ઉનાળામાં આતાપના લેતા હતા અને ચોમાસામાં શરીરને સંકોચીને જેમ બને તેમ બહાર ઓછું જતા. આમ દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનની બારમી ગાથાને સારી રીતે પચાવી હતી. आयावयंति गिम्हेसु, हेमन्तेसु अवाऊडा । वासासु पडिसंलीया, संजया सुसमाहिया ॥ ભાવાર્થ સમાધિમાં સ્થિર સંયમી આત્માઓ ઉનાળામાં આતાપના લે છે, શિયાળામાં ઠંડી સહન કરે છે, વર્ષાઋતુમાં શરીરને સંકોચે છે. આવી ઉગ્ર કરણી દ્વારા તેઓ કર્મોની ભારે નિર્જરા કરતા હતા. આવા મહામુનિરાજોને જોઈને મુનિ શ્રી આસકરણજી કહી રહ્યા છે કે એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાન ભંડાર રે પ્રાણી; એક એક મુનિવર વૈયાવચ્ચે વૈરાગી, જેના ગુણોનો નાવે પાર રે પ્રાણી.... તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ઉચ્ચ અને ઉચ્ચતર દશામાં સંયમની આરાધના કરી પોતાનું જીવન અનેક સાધકોના માટે પ્રેરણાદાયી બનાવ્યું. તેમના ગુરુદેવ આચાર્ય શ્રી ભાણજી સ્વામી સંવત ૧૮૮૭ના વૈશાખ સુદ ૧૧ના દિવસે રામોદ ગામમાં સ્વર્ગવાસ પામ્યા. તે વર્ષે બીજા બે ગુરુભાઈઓ તથા લખાજી સ્વામી ઠાણા-૩નું ચાતુર્માસ ધોરાજી હતું. તે જ ચોમાસામાં સાથેના બન્ને મુનિરાજો કાળધર્મ પામતા તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીનો વૈરાગ્ય પ્રબળ બન્યો. આયુષ્યની અનિત્યતા ક્ષણે ક્ષણે સતાવવા લાગી તેથી તેમણે માત્ર ૨૬ વર્ષની ઉંમરે આજીવન અનશન (સંથારો) કરવાનો દઢતમ સંકલ્પ કર્યો. શ્રી સંઘને આ વાતની જાણ થતાં તરત જ લીંબડી સંઘને તથા આગેવાન સાધુઓને જાણ કરવામાં આવી. આટલી નાની ઉંમરમાં સંથારાની રજા ક્યાં મળે ? મુનિરાજ શ્રીની તીવ્ર ભાવના જોઈ લીંબડી સંઘે તથા વડીલ મુનિરાજોએ વચલો રસ્તો કાઢ્યો કે આપ લીંબડી પધારો પછી જોયું જશે. તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ધોરાજી ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર કર્યો. ગામે ગામ દરેકને ખમાવતા ખમાવતા અનુક્રમે લીંબડી પધાર્યા. ત્યાં સકલાગમરહસ્યવેદી આચાર્ય શ્રી દેવજી સ્વામી બિરાજતા હતા. તેમને વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક તેમની પાસે અનશન કરવાની આજ્ઞા માગી. પૂજય શ્રીએ ખૂબ સમજાવ્યો કે ભાગ્યશાળી ! અનશનની વાત કરવી સહેલી છે પરંતુ Page #184 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૭૧ અનશન કરવું બહુ કઠિન છે. વળી તમારી ઉંમર નાની છે માટે હમણાં રહેવા દો. પરંતુ લખાજી સ્વામી પોતાના નિર્ણયમાં મક્કમ હતા. આખરે પૂજ્ય શ્રીએ કહ્યું કે ચતુર્વિધ સંઘ ભેગો થાય પછી વાત. થોડા સમયમાં યુર્વિધ સંઘ ભેગો થઈ ગયો ત્યારે તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ઉપવાસ શરૂ કર્યા યાને અનશનવ્રતની શુભ શરૂઆત કરી. આટલી નાની ઉંમરમાં આવી તૈયારી જોઈ લોકો આશ્ચર્યચક્તિ થઈ કહેવા લાગ્યા કે ચોથા આરા જેવો આત્મા પાંચમાં આરામાં જન્મ્યો છે, ધન્યવાદ છે. આવા શાસનશણગાર સંતોને જોઈ કવિના મુખમાંથી ઉદ્ગાર નીકળી જાય છે કે – જુઓ રે જુઓ રે જેનો કેવા વ્રતધારી; કેવા વ્રતધારી તેને વંદના અમારી... જુઓ.. ચારે તરફ અનશનવ્રતના સમાચાર ફેલાઈ જતાં ભાવિકો દર્શનાર્થે આવવા લાગ્યા આટલી નાની ઉંમરમાં અનશનવ્રતની આરાધના સમાધિભાવે યુવાન મુનિ કરે તે ખરેખર પાંચમાં આરા માટે એક વિરલ ઘટના કહી શકાય. અનશનવ્રતમાં દૃઢતા એટલી બધી હતી કે ખુદ ઈન્દ્ર આવે તો પણ ચલિત કરી શકે તેમ ન હતું. આવા સંતો માટે કહેવાય છે કે – મેરુ તો ડગે પણ જેનાં, મનડાં ડગે નહિ રે, ભાંગી પડે ભલે બ્રહ્માંડ રે.. સૌને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ હતી કે અનશનવ્રતના ૪૫મા ઉપવાસે વ્યાખ્યાન આપ્યું. તેઓશ્રી અપ્રમત્ત દશામાં તે જ સમાધિભાવમાં ઝૂલી રહ્યા હતા. હસી હસીને કર્મો બાંધનારા જીવો આ દુનિયામાં ઘણા છે. પરંતુ હસી હસીને કર્મોને ખપાવનારા તો કોઈ વિરલા જ હોય. મુનિ શ્રી પણ હસી હસીને સમતાભાવે કર્મો ખપાવી રહ્યા હતા. જિનશાસન વિશ્વમાં સૂર્યની જેમ ચમકી રહ્યું છે તેની પાછળ આવા ઉગ્રતપસ્વી અને સંયમી મુનિઓનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. ખરેખર આ શાસનની બલિહારી છે કે એમાં આવાં રત્નો પાકે છે. અનશનવ્રતના કારણે શૂરવીર અને ધીર એવા લખાજી સ્વામીની આંખો ઊંડી ગઈ, લોહી, માંસ, સુકાઈ ગયાં, હાડકાંનો અવાજ આવવા લાગ્યો છતાં આત્મતેજ વધારે દેદીપ્યમાન થયું. જૈનશાસનનો જય જયકાર થવા લાગ્યો. એમ ઉચ્ચ-ઉચ્ચતર દશામાં ૬૪ દિવસ પસાર થઈ ગયા, ૬પમાં દિવસે સમાધિભાવે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સંવત ૧૮૮૮ના વૈશાખ વદ-૫ને રવિવારે સંથારો સીઝયો. કોટી કોટી વંદન હો આવા ઉગ્ર તપસ્વી મુનિને કે જેમણે સિંહની જેમ સંયમ લીંધો અને સિંહની જેમ પાળ્યો. (લખાજી સ્વામીના ચાબખાને આધારે) * * * શ્રી કાનજી સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી કાનજી સ્વામી પૂ. આચાર્ય શ્રી કાનજી સ્વામીનો જન્મ કચ્છ પ્રદેશના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં વિ.સં. ૧૮૭૪, શ્રાવણ સુદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ કોરશીભાઈ તથા માતાનું નામ મૂળીબાઈ હતું. તેઓ વિશા ઓસવાળ જ્ઞાતિના હતા તથા તેમની અટક છાડવા હતી. ગુરૂ મિલા તો સબ મિલા, નહિ તો મિલા ન કોઈ જેને ગુરૂ મળે છે તેને બધું જ મળી જાય છે. ગુરૂ વિના ઘોર અંધકાર હોય છે. પૂ. આચાર્યસમ્રાટ અજરામરજી સ્વામી કચ્છ તથા વાગડમાં ખૂબ વિચર્યા હતા. તેથી વાગડના ને કચ્છના ક્ષેત્રોમાં ધર્મની સારી એવી જાગૃતિ આવેલી, પરંતુ એમના પછી પાંચમાં પટ્ટધર આચાર્ય શ્રી દેવજી સ્વામી કચ્છમાં ખૂબ જ વિચર્યા. તેમના ૧૩ શિષ્યો થયા, તેમાં નવ શિષ્યો તો માત્ર એક ગુંદાલા ગામના થયા. પૂ. શ્રી દેવજી સ્વામીના સત્સંગમાં કાનજીભાઈ તથા સંગજીભાઈ આવ્યા. ગુરૂનો રંગ બરાબરનો લાગ્યો. તેજાભાઈ પણ એમના ભાઈ હતા.તેમના પરિવારનો કેવો ભવ્ય વારસો છે કે ત્રણ ત્રણ પેઢીથી સંઘપતિ તરીકેની સેવાઓ શ્રી ગુંદાલા સંઘને મળી રહી છે. તેજા કો૨શી સંઘપતિ થયા. તેમના સુપુત્ર રામજી તેજા સંધપતિ છે તથા તેમના નાનાભાઈ સ્વ. મેઘજી રામજી છાડવા વર્ષો સુધી ગાંધીધામ સંઘના સંઘપતિ રહ્યા તથા તેમના સુપુત્ર કલ્યાણજી મેઘજી હાલમાં ગાંધીધામ સંઘના ટ્રસ્ટી છે. મુલુન્ડ સંઘમાં વીરજી રામજી છાડવાએ પણ મંત્રી તરીકે સારી સેવાઓ આપેલ. આમ પૂરા પરિવારમાં ચાર ચાર પેઢીથી આવો ભવ્ય વારસો ચાલ્યો આવે છે. પૂ.ગુરૂદેવ શ્રી દેવજી સ્વામી સાથે રહીને બંને ભાઈઓએ ખૂબ જ સારો અભ્યાસ કર્યો. વિ.સં. ૧૮૯૧ની સાલે પોષ સુદ-૧૮ના દિવસે કચ્છના ગાદીના ગામ માંડવી શહેરમાં કાનજીભાઈની દીક્ષા પૂ. દેવજી સ્વામીના શ્રીમુખેથી થઈ. Page #186 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૭૩ એમના પછી સંઘજીભાઈએ અમુક વર્ષો પછી દીક્ષા લીધી તથા વિ.સં. ૧૯૪૫ની સાલે મોરબીમાં કાળધર્મ પામેલા. એમના જીવન વિશે વિશેષ માહિતી નથી. આચાર્યપદની પ્રાપ્તિઃ પૂ. શ્રી કાનજી સ્વામીને વિ.સં. ૧૯૨૧, મહા સુદિ-૫ના દિવસે લીંબડી મુકામે આચાર્ય પદવીની પછેડી ઓઢાડવામાં આવી હતી. તેઓશ્રીના શાસનકાળ દરમિયાન અજરામર ધર્મસંઘમાં ઘણી દીક્ષાઓ થઈ હતી. - લાકડિયાના ધર્મવીર પાલાશાને આશીર્વાદ ફળ્યા લાકડિયા છ કોટિ જૈન સંઘના આદ્યસ્થાપક ધર્મવીર પાલાશા ઉપર વિરોધીઓએ ખોટી રીતે ખૂનનો આરોપ લગાડી મરાવવાની તૈયારી કરાવી હતી પરંતુ સારાને આંચ ન આવે એ ઉક્તિ અનુસાર તેઓ ધર્મના પ્રતાપે ને સત્યના પ્રભાવે ઉગરી ગયા. તેમની સત્ય ઘટના વાંચવા જેવી છે. લાકડિયામાં દરબારોના ઝઘડા થયા તેમાં એકબીજાના ખૂન થયેલા. ત્યાં પાલાશા હતા પણ નહિ છતાં ખોટી રીતે એમને હેરાન કરવા એમનું નામ સંડોવવામાં આવ્યું, પરંતુ પાલાશા નિર્ભય હતા. તેમના ઉપર તહોમતનામું મૂકીને ભૂજ કોર્ટમાં હાજર થવા બોલાવ્યા. પોલિસો સાથે હતા તેમણે વાયા દુધઈ રસ્તે ભૂજ જવાનું કહ્યું પણ પાલાશાએ અંજારનો રસ્તો લેવડાવ્યો. કેમકે ત્યાં અજરામર સંપ્રદાયના આચાર્ય ચરિત્રનાયક શ્રી કાનજી સ્વામી બિરાજતા હતા. પાલાશાએ પૂ. આચાર્ય સાહેબના દર્શન કર્યા ને બેઠા ત્યાં પૂ. કાનજી સ્વામીએ કહ્યું, “પાલાશા ! આફત આવી છે ને?” પાલાશાએ કહ્યું, “હા, ગુરૂ મહારાજ ! ખૂનની ઉશ્કેરણીનો ખોટો આરોપ આવ્યો છે અને જુબાનીઓ મારી વિરૂદ્ધમાં થઈ છે પણ તે બાબતની મને કોઈ ચિંતા નથી કારણ કે અહીં અન્યાય થશે પણ કુદરતના ઘરે તો ન્યા છે તેથી શુભ પરિણામ જરૂર મળશે, પરંતુ દુઃખ એ વાતનું છે કે લાકડિયામાં સ્થાનક બનાવવાની મારી ભાવના અધૂરી રહી જશે.” તેમનાથી વધારે બોલી શકાયું નહિ, આંખમાંથી આંસુ સરી પડ્યા. પૂ. શ્રી કાનજી સ્વામીએ તરત જ પાલાશાને કહ્યું, “તમારે જરાય ગભરાવાની જરૂર નથી. સત્યનો જ વિજય થાય છે. તમે આજથી બરાબર ત્રીજે દિવસે અહીં આવીને મારા દર્શન કરશો. તમને મુશ્કેલી પડશે પણ તમારી ધારણા સફળ થશે.” પૂ. સાહેબની આવી મધુર વાણી સાંભળીને પાલાશાને ખૂબ જ શાંતિ થઈ. તેમણે ભક્તિભાવથી કહ્યું, “આપના આશીર્વાદથી મારી આપત્તિ દૂર થશે પરંતુ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી દીપચન્દ્રજી સ્વામી આપના દર્શનની યાદગીરી રૂપે આપ મને આટલી પ્રતિજ્ઞાઓ આપો.” (૧) આજથી આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીશ. (૨) અસત્ય વચન બોલીશ નહિ. (૩) કાચી (સચિત્ત) લીલોતરી ખાઈશ નહિ તથા (૪) લાકડિયામાં અમુક મુદત સુધી સ્થાનક થાય તો મારે લાકડિયામાં રહેવું નહિતર ગામ છોડીને અન્યત્ર રહેવા જવું. પૂ. સાહેબે આ ચાર પ્રતિજ્ઞાઓ પાલાશાને કરાવી અને પાલાશાના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. પાલાશા વારંવાર પૂ. સાહેબને વંદન કરી પોલિસોને મળ્યા તથા બધાને ખૂબ જ મીઠાઈ આદિ અપાવી ખૂશ કર્યા. રાત્રે ભૂજ પહોંચી ગયા. ત્યાં તેમને કોર્ટમાં ખોટી જુબાની આપવા માટે લાંચિયા વકીલે ઘણું કહ્યું પરંતુ પાલાશા સત્યમાં દૃઢ રહ્યા ત્યારે તેમને છોડી મૂકવામાં આવ્યા. પાલાશા ત્રીજે દિવસે છૂટા થઈને અંજાર આવ્યા તથા અત્યંત ભક્તિભાવપૂર્વક પૂ. કાનજી સ્વામીને વંદન કરીને કહ્યું, “સાહેબ ! આપના આશીર્વાદથી મારા ઉપર આવેલ મરણાંતિક કષ્ટ ટળી ગયું. આપ ગુરૂદેવનો ઉપકાર હું કોઈ ભવમાં ભૂલી શકીશ નહિ. 22 આ પ્રસંગ ઉ૫૨થી ખ્યાલ આવી શકે છે કે પૂ. આચાર્યશ્રી કાનજી સ્વામી વચનસિદ્ધ મહાપુરૂષ હતા. તેમના બે શિષ્યો થયા (૧) પૂ.શ્રી રંગજી સ્વામી તથા (૨) પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી (આ બંને પિતા-પુત્ર હતા.) પૂ. શ્રી કાનજી સ્વામી વિ.સં. ૧૯૩૬, મહાવદ-પના લીંબડી મુકામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. ગુંદાલા (કચ્છ)ના પાંચ ગાદીપતિ અજરામર સંપ્રદાયમાં થયા તેમાં સૌથી પહેલા ગાદીપતિ આચાર્ય શ્રી કાનજી સ્વામી થયા. છાડવા પરિવાર તથા ગુંદાલા ગામ માટે તેઓશ્રી ગૌરવરૂપ ગણાય. * શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ બંધુ ત્રિપુટી. કચ્છ જિલ્લો, મુન્દ્રા તાલુકો, એનું એક ગામ, ગુંદાલા. ખૂબ જ રળિયામણું અને પ્રગતિશીલ એ ગામ. સ્થાનકવાસી જૈનોના ત્યાં ઘણા ઘર. લીંબડી મોટા સંપ્રદાયમાં સૌથી વધારે સાધુ-સાધ્વીઓ ગુંદાલાના થયા છે. ૫૧ થી વધારે સાધુસાધ્વીજીઓને એ ગામે લીંબડી સંપ્રદાયને આપ્યા છે. દિવ્યયુગપ્રર્વતક પૂજ્ય Page #188 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૭૫ આચાર્ય શ્રી દેવજી સ્વામીના તેર શિષ્યોમાંથી નવ શિષ્યો ગુંદાલા ગામના હતા. તે ગૌરવવંતા ગામમાં ભોજરાજભાઈ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેઓશ્રી ધર્મશ્રદ્ધાળુ અને નીતિમાન હતા. તેમને ખેતઈબાઈ નામના આદર્શ ગૃહિણી હતી કે જેઓ શીલ અને સદ્ગુણોથી શોભતા હતા. તેઓ શ્રી વીસા ઓસવાળ જ્ઞાતિનાં હતા. તેમની અટક દેઢિયા હતી. તેમના ત્રણ સુપુત્રો સંયમના માર્ગે વળ્યા અને માતા-પિતાના નામને તથા જિન શાસનને રોશન કર્યું, તે મહાપુરુષોના ટુંક જીવન વૃત્તાંત જોઈએ. શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીનો જન્મ માતા ખેતઈબાઈના કુક્ષિએ સંવત ૧૮૯૦ના ફાગણ સુદિ-૧૨ના દિવસે ગુંદાલમાં જ થયો હતો. તેમનું સંસારી નામ દીપચન્દ્ર હતું. બચપણથી જ તેમને ધર્મ ઉપર સારો પ્રેમ હતો. માતા-પિતાના ધાર્મિક સંસ્કારોના કારણે પુત્રોમાં પણ ધર્મના સંસ્કાર હતા. પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી સંવત ૧૯૦૧ની સાલમાં કચ્છમાં પધાર્યા અને અનુક્રમે ગુંદાગાને પાવન કર્યું. તે વખતે દીપચન્દ્રકુમારની ઉંમર ૧૧ વર્ષની હતી. પૂજ્ય ગુરુદેવના સમાગમથી તેમનો વૈરાગ્ય પ્રબળ બન્યો અને પૂ. શ્રી પાસે સંયમ લેવાનો નિર્ણય કર્યો. સાચું જ કહ્યું છે આ સુભાષિતમાં साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । તીર્થ: તતિ નેિન, સદ્ય: સાથડસમાનમઃ ॥ ભાવાર્થ : સાધુઓનાં દર્શનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાધુઓ સ્વયં તીર્થરૂપ છે. પેલા તીર્થ તો અમુક સમય પછી ફળ આપે જ્યારે સાધુનો સમાગમ તો તરત જ ફલીભૂત છે. તેથી હંમેશા સાધુ સમાગમ કરતા રહેવું. દીપચન્દ્રકુમાર પૂ. ગુરુદેવ શ્રી દેવજી સ્વામીના સાન્નિધ્યમાં રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા તેમ જ સંયમ જીવનની તાલીમ પણ લેતા રહ્યા. પૂ. આચાર્ય શ્રીએ પણ હીર બરાબર પારખ્યું હતું કે આ બાળક આગળ જતાં શાસનદીપક થશે. બરાબર એમ જ થયું. સંવત ૧૯૦૧ના મહાવદ-૧ ગુરુવારે અંજાર શહેરમાં ૧૧ વર્ષની ઉંમરે દીપચન્દ્રકુમારને પૂજ્ય શ્રીએ દીક્ષા આપી પોતના શિષ્ય બનાવ્યા. દીપચન્દ્રજી સ્વામી નામ રાખ્યું. તેમના મોટાભાઈ દેવકરણજી સ્વામી પોતાની પરણેતરનો ૨૫ વર્ષની ઉંમરે ત્યાગ કરી તીવ્ર વૈરાગ્યની સાથે દીક્ષા લીધી હતી. તે દેવકરણજી સ્વામી એટલા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી દીપચન્દ્રજી સ્વામી પવિત્ર પુરુષ હતા કે તેમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. ત્રીજા ભાઈ સુંદરજી સ્વામીએ સગપણ કરેલ. સ્ત્રીનો ૧૩ વર્ષની ઉંમરે ત્યાગ કર્યો હતો. તેઓશ્રી પણ ખૂબ જ પ્રભાવશાળી હતા. આવી રીતે આ બંધુત્રિપુટીએ શાસન શોભાવી સંઘને ગૌરવ અપાવ્યું. દિક્ષિત થયા પછી પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામીએ સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં પરિપૂર્ણ નિપુણતા મેળવી હતી. તેમણે જૈનશાસ્ત્રોનો પણ ગહનતાથી અભ્યાસ કર્યો હતો. તેમની બુદ્ધિ ખૂબ જ તીવ્ર હોવાથી કઠિન અભ્યાસ ટૂંક સમયમાં કરી શકતા. પૂર્વના મહાન પુણ્યના ઉદયે આભ્યતર વ્યક્તિત્વની સાથે તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ખૂબ જ આકર્ષક હતું, જેથી અનેક ભવ્ય આત્માઓ તેમનાથી ધર્મબોધ પામી જતા. સંવત ૧૯૩૭ના પોષ વદિ ૧૩ને ગુરૂવારે પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને આચાર્ય પદવી લીંબડીમાં આપવામાં આવી. સંવત ૧૯૪૦ની સાલમાં જયારે પૂજ્ય શ્રી નથુજી સ્વામી કાળધર્મ પામ્યા ત્યારે ગાદીપતિ તરીકે પણ પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી જાહેર થયા અર્થાત ગાદીપતિ અને આચાર્ય એ બે પદવી તેમને પ્રાપ્ત થઈ. 'પ્રભાવક આચાર્યશ્રીને પ્રભાવક શિષ્ય પ્રાપ્ત થયા ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨માં અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે – न वा लभेज्जा निऊणं सहायं, गणाहियं वा गणाओ समं वा । एगो वि पावाइं विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ ભાવાર્થ સાધક આત્મા પોતાનાથી ગુણમાં અધિક અથવા ગુણમાં સમાન એવા શિષ્યને પ્રાપ્ત ન કરે તો એકાકી પાપકર્મોને દૂર કરતો અને કામભોગોમાં અલિપ્ત થતો થકો વિચારે, અને સાધના માર્ગમાં આગળ વધે. પૂજય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી, વચનસિદ્ધ મ. શ્રી દેવકરણજી સ્વામી, મ. શ્રી રૂગનાથજી સ્વામી તથા તપસ્વી મ. શ્રી કસ્તુરચંદજી સ્વામી ઠા. ૪ સંવત ૧૯૩૭ની સાલમાં માંડવી કચ્છમાં ચાતુર્માસ હતા તે વખતે લીંબડીના રહીશ શાહ જગજીવન રૂગનાથ તથા તેમના તેજસ્વી પુત્ર નાગરકુમાર પૂજ્ય શ્રી પાસે લીંબડીથી અભ્યાસ કરવા માટે આવ્યા. તે જ અરસામાં સુદામડાના રહીશ તુરખિયા ચત્રભુજ કાલિદાસ પણ આવેલા, તે ત્રણે વૈરાગીઓએ સંવત ૧૯૩૮ના ચૈત્ર વદિ-૧૩ શનિવારે મુન્દ્રા મુકામે પૂજય શ્રીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય થયા. Page #190 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૭૭ તેમાં શ્રી નાગજી સ્વામી આગળ જતાં પ્રસિદ્ધ વક્તા તરીકે ખ્યાતિ પામ્યા. તેઓશ્રીએ અનેક રાજવીઓને બોધ પમાડી જીવદયા વગેરેનાં અનેક સારાં કાર્યો કરાવ્યા. આવા શિષ્યથી પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી તથા આવા આચાર્ય ગુરુવરથી પ્રસિદ્ધવક્તા નાગજી સ્વામી પરસ્પર ગૌરવનો અનુભવ કરતા હતા અને અજરામર સંઘ તથા જિન શાસનને ખૂબ સારી રીતે શોભાવતા હતા. एकेनापि सुशिष्येण, गुरु प्राप्नोति गौरवम् । यथा चन्द्रप्रकाशेन, रजनी याति गौरवम् ॥ - લેખક ભાવાર્થ : જેવી રીતે ચન્દ્રમાં પ્રકાશથી રાત્રિ ગૌરવને પ્રાપ્ત કરે છે તેમ સુશિષ્યથી ગુરુ ગૌરવને પામે છે. સંવત ૧૯૫૬ની સાલનું પૂજ્યશ્રીનું ચાતુર્માસ શેઠ ખીમચંદ ઉકાભાઈના આગ્રહથી વઢવાણમાં હતું તે વખતે પંડિતરાજ પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીને ઘણા શ્રાવકોનો આગ્રહ થયો કે તેમને ભગવતી સૂત્ર સંભળાવો. શ્રાવકોની વિનંતિને માન આપીને પૂજ્ય શ્રીની આજ્ઞાથી પંડિતરાજ શ્રી નાગજી સ્વામીએ ભગવતી સૂત્ર વાંચવાનું શરૂ કર્યું. લીંબડી સંપ્રદાયના મુખી શેઠ શ્રી મોતીલાલ વલમ તથા ભાવનગરના અમુક શ્રાવકો તથા આજુબાજુનાં ગામોના ઘણા શ્રાવકો સૂત્રની વાચના સાંભળવા આવ્યા હતા. પંડિતરાજ શ્રીએ એક મહિનામાં ભગવતી પૂરું ' ગુરુજી સોહે, સભી કે મન મોહે, બિરાજ રહે પાટ પે 'વંદન કર લો તિકડુત્તો કે પાઠ સે..... સંવત ૧૯૫૭ની સાલમાં પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી લીંબડી પધાર્યા. તેઓ શ્રી છેલ્લાં ૧૦ વર્ષથી ગાદીપતિ હતા પરંતુ ગાદીની પાટે બિરાજયા ન હતા. પૂજય શ્રીની વૃદ્ધાવસ્થા નિહાળી તથા તેઓશ્રીને ગાદીની પાટે બિરાજવાનો યોગ્ય સમય છે એમ ધારી લીંબડીના શ્રદ્ધાળુ શ્રાવકો શેઠ મોતીલાલ વલ્લભ અને સંઘવી ઉજમશી વીરજી વગેરે સંઘના મુખ્ય માણસોએ અષાઢ સુદ-૩ના ચડતે પહોરે શુભ મુહૂર્ત પૂજયશ્રીને ગાદીની પાટે બિરાજવા વિનયપૂર્વક વિનંતિ કરી. તે વિનંતી સ્વીકારી પૂજ્ય શ્રી ગાદીની પાટે બિરાજયા. પૂજયશ્રીના શિષ્ય તપસ્વી કસ્તુરજી સ્વામી છેલ્લાં ૨૨ વર્ષથી એકાંતરા ઉપવાસ કરતા હતા. આમ તેમના શિષ્ય મંડળમાં કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની, કોઈ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી દીપચન્દ્રજી સ્વામી સેવાભાવી એમ દરેક ગુણોવાળા મુનિઓ હતા. પૂજયશ્રીના પાટોત્સવની ખુશાલીમાં આખા ગામમાં પાણી પાળવામાં આવી હતી. ગરીબોને જમણ આપવામાં આવ્યું હતું. શહેરની તમામ નિશાળોમાં વિદ્યાર્થીઓને દિવાન સાહેબના હુકમથી રજા આપવામાં આવી હતી. શેઠ મોતીલાલ વલ્લમ તથા તલસાણિયા કસ્તુર ભોલે સજોડે આજીવન ચોથાવતના પચ્ચકખાણ લીધા હતા. આખોય કાર્યક્રમ ખૂબ જ ભવ્યતાથી ઊજવાયો હતો. જૈનેતર ભાઈઓની હાજરી પણ ધ્યાન ખેંચે તેવી હતી. છપ્પન ઉપર ઘેર વાગતી. પૂજય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીનો પુણ્ય પ્રભાવ અદ્ભુત હતો. તેઓશ્રી જ્યારે પજ્ય સાહેબ તરીકે બિરાજતા હતા ત્યારે લીંબડી મોટા સંપ્રદાયમાં પ૬ સાધુઓ હતા તેમાંય પૂજય શ્રી લાધાજી સ્વામી, પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, વીર શ્રી મંગળજી સ્વામી, પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી જેવા ગીતાર્થ મુનિવરો તથા પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામી, શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી, સદૂર્વોક્તા કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી જેવા પ્રભાવશાળી મુનિવરોના કારણે સંપ્રદાય દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો હતો. પૂજય શ્રી પાસે ખીમરાજ ભાઈ, ભુજના પ્રાગજીભાઈ, લીંબડીના ધનજીભાઈ તથા જાદવજી ભાઈ વગેરે એ દીક્ષા લીધી હતી. આચાર્ય શ્રી તથા પ્રસિદ્ધવક્તા શ્રીના કારણે સંઘાડો તથા સંપ્રદાય સોળે કળાએ ખીલ્યા હતા. સંવત ૧૯૫૭ની સાલનું ચોમાસું પૂજ્ય શ્રી આદિ ઠાણાઓએ લીંબડીમાં કર્યું. તે સાથે વરસાદ ઘણો થયો હતો. તપશ્ચર્યા ખૂબ સારા પ્રમાણમાં થઈ હતી. આખાય શહેરમાં ખૂબ જ ઉત્સાહ હતો જેથી ચાતુર્માસ ખૂબ જ દીપ્યું હતું. સોનામાં સુંગધ ભળે તે ન્યાયે લીંબડીના મહારાજ સર જશવંતસિંહજી ભાદરવા સુદ-૬ના દિવસે દર્શનાર્થે પધાર્યા ને વિનયપૂર્વક કેટલાક પ્રશ્નો પૂછયા. પૂજય શ્રીએ સંતોષકારક જવાબ આપ્યા તેથી મહારાજ ખુશ થયા. ત્યારથી મહારાજાને મહારાજ શ્રી પ્રત્યે ઘણો જ પ્રેમભાવ વધ્યો અને હંમેશ દર્શનનો તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેતા હતા. વંદન કરીએ દિલના જોડી તાર ગુરુજી વંદન કરીએ પાવન થઈએ કરી હૃદય ઝંકાર ગુરુજી પાવન થઈએ; Page #192 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૭૯ એ જ ચાતુર્માસમાં માંડવીથી દોશી પોપટભાઈ ૧૦૦ માણસોનો સંઘ લઈ પૂજયશ્રીને વંદન કરવા આવ્યા હતા. લીંબડીથી સંઘે ૨૫ દિવસ તેમને રોકી ખૂબ જ આગતાસ્વાગતા કરી. જૂનાગઢથી નાથાભાઈ દેવચંદ સંઘ લઈ આવ્યા, મોરબીથી મહેતા અંબાવીદાસ ડોસાણી, વાંકાનેરથી શેઠ પ્રેમજી મનજી સંઘ લઈને આવ્યા હતા. બધા મળી ૨૫૦ માણસો હતા. તેમને લીંબડીના સંઘે ૨૦ દિવસ રોક્યા. ગામમાં થાળીઓ, સાકર વગેરે વહેંચવામાં આવી સંઘજમણ વગેરે ઘણા થયા હતા. આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે તે વખતે શ્રી સંઘમાં અતિથિ સત્કારની ભાવના કેટલી ઊંચી હશે ! “અતિથિર્દેવો ભવ” એ મહાકાવ્યને ધ્ધયમાં ઉતાર્યું હશે ત્યારે આટલા દિવસ રોક્યા હશે. આજે તો અતિથિ મહેમાન આવે એટલે માણસોનું મોટું ફરી જાય એક વિદ્વાને કહ્યું છે કે – अतिथिर्यस्य भग्नाशो, गृहात्प्रतिनिवर्तते । स तस्मै दुष्कृतं दत्त्वा । पुण्यमादाय गच्छति ॥ અર્થાત્ જેને ત્યાં અતિથિ આવી હતાશ થઈને પાછા જાય છે તે તેને દુષ્કૃત આપીને પુણ્ય લઈ જાય છે. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવને કારણે સંપ્રદાયની દરેક રીતે જાહોજલાલી હતી. “શ્રીમદ્ રાયચંદભાઈ કૃત દોહરા” દીપચન્દ્રજી દેખીયે, નીતિ કેરા નાવી ધર્મધુરન્ધર ધારણા, પૂરણ પ્રેમ પ્રભાવ છે (ભુજંગી છંદ) સદા ધર્મના મર્મને જાણનારા ઘણા ભેદે શાસ્ત્રોતણા આણનારા ! મહાપૂજ્યરૂપે કુધર્મો વિદાર્યા! ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા છે. અહો ધન્ય છે મોરબી ગુણનિધિ 1 વળી ધન્ય છે શ્રાવકો પારસિદ્ધિ છે. ખરા સુત્ર પાઠો પ્રીતેથી ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા II સદા મુખમાં જેમને મિષ્ટ વાણી ! નહિ પંથ વેરી તણી ગાંઠ તાણી ! અરિહંત શબ્દો મુખેથી ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા છે ગણ્યો આ સંસાર સર્વે ધૂળધાણી. ધર્યો ભાવ સ્નેહ દયાગુણ જાણી II હરી સર્વ શંકા પૂરા પૂજ્ય ધાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા ! તજી જાળને આણીઓ કર્મપ્રાણી કર્યો પ્રેમ આણી ઉરે સુવિચારો | વડા રાયચંદ્ર પ્રણામો ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી દીપચન્દ્રજી સ્વામી સંવત ૧૯૬૧ની સાલમાં પૂજ્યશ્રીને સહેજ તાવ ચઢી ગયો તેથી શરીર નબળું પડી ગયું છતાં તેઓશ્રી સમતા ભાવમાં ઝૂલી રહ્યા હતા. પોતાની સાવચેતીથી બે દિવસ પહેલાં સાગારી સંથારો પચ્ચક્ખી લીધો હતો. તે જ સાલે ચૈત્રવદ-૧૪ને મંગળવારના બપોરે ત્રણ વાગ્યે સામથિભાવે કાળધર્મ પામ્યા. પૂજયશ્રીના સ્વર્ગવાસથી સર્વત્ર હાહાકાર થઈ ગયો, કેમ કે પૂજય શ્રી ખૂબ જ પુણ્યસંપન્ન અને પ્રભાવશાળી આચાર્ય હતા. સ્વર્ગવાસના સમાચાર જાહેર થયા પછી લીંબડીમાં તથા આજુબાજુના ગામોમાં સખત બંદોબસ્ત સાથે પાખી પાડવામાં આવી હતી. લીંબડી ઠાકોર સાહેબના હુકમથી નિશાળો તથા કોર્ટે બંધ કરવામાં આવી હતી. પૂજયશ્રીએ સર્વ આયુષ્ય ૭૨ વર્ષનું ભોગવ્યું, ૬૧ વર્ષ સુધી સંયમ પાળ્યો. ૨૫ વર્ષ સુધી સંપ્રદાયનું નેતૃત્વ કર્યું અને શાસનની ખૂબ જ શોભા વધારી. મહારાજા શ્રી જશવંતસિંહજીએ પૂજયશ્રીના શિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીને આશ્વાસન પત્ર લખ્યો તેનો અક્ષરશઃ ઉતારો નીચે પ્રમાણે છે. તા. ૪-૫-૧૯૦૫ સ્વામી શ્રી નાગજી સ્વામી ! આપના ગુરમહારાજ શ્રી દીપચન્દ્રજી સ્વામી દેવગત થવાથી દીલગીરીની વાત છે. અલબત્ત, તે પવિત્ર સાધુ અને તપસ્વી હતા જેથી તેમની તો ઉન્નતિ થઈ સારા પદને પામ્યા પણ આપણા સ્વાર્થ સામે જોતાં આપણા શહેરને તેવા સાધુ પુરુષના જવાથી ખામી પડી. હવે તમારું રહેવું પણ અહીં થોડું થશે તે પણ આ શહેરની એક ખોટ છે. ગમે તે પંથના સાધુ હોય પણ જો પોતાના ધર્મમાં હોય તો બધા ઉપર સમાનદષ્ટિ હોય, તેવા તમારા ગુરુ હતા. તમે પણ તેવા જ છો જેથી આસ્તિક વર્ગને ઘણો સંતોષ તથા લાભ હતો. કર્મ કહો કે ઈશ્વરમરજી કહો પણ આપણા હાથ બહારની વાત છે, જેથી સંતોષ માનવો તે જ ઉપાય છે. છેવટમાં આપ જેમ બને તેમ આપના ગચ્છના નિયમમાં જેટલી છૂટ હોય એટલું બધુ લીંબડીમાં આવવું જવું. તેમાં રહેણાક રાખશો કે અમને બધાને આપના સત્સંગ તથા દર્શનનો લાભ થશે. લિ. જશવંતસિંહના દંડવત્ Page #194 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સાધકબંધુઓ પૂજ્ય સાહેબ શ્રી લાધાજી સ્વામી તથા પૂજ્ય સાહેબ શ્રી મેઘરાજજી સ્વામી. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં ગુંદાલા ગામ છે. ત્યાં માલસિંહ નામના શ્રાવક રહેતા હતા. તેમને દરેક સદ્ગુણોથી યુક્ત ગંગાબાઈ નામના ગૃહિણી હતાં. તેઓ શ્રી જ્ઞાતિએ વીસા ઓસવાળ હતા, તેમની અટક દેઢિયા હતી. તેમને ત્રણ પુત્રો હતાં. તેમના નામ અનુક્રમે તેજપાળભાઈ, લાધાભાઈ અને મેઘરાજભાઈ હતાં. વાલીબાઈ અને વેજબાઈ નામની બે પુત્રીઓ હતી. તેમાં શ્રી લાધાભાઈનો જન્મ વિ. સં. ૧૮૯૦માં અને શ્રી મેઘરાજભાઈનો જન્મ સં. ૧૮૯૫માં થયો હતો. સંવત ૧૯૦૩માં લીંબડી સંપ્રદાયના દિવ્યયુગ પ્રર્વતક પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી ઘણા શિષ્યો સાથે કચ્છ ગુંદાલા પધાર્યા અને ત્યાં ધર્મોપદેશ આપવો શરૂ કર્યો. તેમનો બોધ એટલો બધો અસરકારક હતો કે ગમે તેવા કઠણ હૃદયના માણસને પીગળાવવા તેમનો એક જ વારનો ઉપદેશ બસ હતો. આવો અમૂલ્ય બોધ સાંભળવા દરેક શ્રાવક-શ્રાવિકાઓ હોંશભેર દોડી આવતા. કોઈ દિવસ આવો ઉપદેશ સાંભળ્યો ન હોય અને ફરીને સાંભળવા મળશે નહિ એવી ઉત્કંઠાથી આબાલવૃદ્ધ સૌ ઉપદેશામૃતનું પાન કરવા આવતા. આ ઉપદેશ સાંભળવા માલસિંહ ભાઈના ત્રણેય પુત્રો હંમેશા આવતા. ૧૮૧ એક વખત પૂજ્યશ્રીએ સંસારનું અનિત્યપણું વર્ણવતાં ઘણા ભવ્ય જીવના હ્રદય પીગળી ગયા. તેમાં ખાસ કરીને લાધાભાઈ અને મેઘરાજભાઈના હૃદય તો સંસારથી તન વિરક્ત બની ગયા અને સંયમ લેવાનો વિચાર થયો તેથી પોતાના જ્યેષ્ઠ બંધુ તેજપાળભાઈની અનુજ્ઞા મેળવી વિદ્યાભ્યાસ કરવા બન્ને ભાઈઓ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી સાથે ગયા. પૂ. ગુરુદેવના ચરણોમાં રહી બન્ને ભાઈઓ વિનયપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि અર્થાત્ મહાપુરુષોને પણ શ્રેયનાં કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે. અનુભવીઓના આ વચન પ્રમાણે કેટલાક દિવસ પછી તેમના વડીલબંધુ તેજપાળભાઈએ બન્ને ભાઈઓને પાછા ઘરે તેડી લાવવા પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્નમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. પાછળથી શીઘ્ર સંયમ લેવા માટે લાધાભાઈને તીવ્ર ઈચ્છા થઈ ત્યારે વડીલ બંધુની રજા લેવા માટે ગુંદાલા આવ્યા. તેજપાળભાઈએ રજા આપવાની ના પાડી. સંસારનાં સુખોનું વર્ણન કર્યું પરંતુ " Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી લાધાભાઈને તે સુખોની ક્યાં પડી હતી. પોતાનો દઢ નિર્ણય મોટાભાઈને જણાવી દીધો. લાધાભાઈ થોડા દિવસમાં સમજી જશે અને દીક્ષા લેવાનો વિચાર પડતો મુકશે એમ સમજી તેજપાળભાઈએ તે વાત થોડા દિવસ છેડી નહિ પણ લાધાભાઈ તો દીક્ષા લેવા ખૂબ જ ઈંતજાર રહ્યા. તેમનો આવો દઢ નિશ્ચય જોઈ ગામના આગેવાન ગૃહસ્થોએ પણ તેજપાળભાઈને દુરાગ્રહ છોડી દેવા કહ્યું. આ વખતે લાધાભાઈનું ધાર્મિક જ્ઞાન કેવું છે તેની કસોટી કરવા કેટલાક પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા જેના ઉત્તરો તેમણે કેવી રીતે હોંશિયારીથી આપ્યા તે નીચે વાંચવાથી સમજાશે. પ્રશ્ન : ધર્મથી શું શું ફાયદા થાય છે? ઉત્તર : ધર્મનું આરાધન કરવાથી અને ધર્મને સંપૂર્ણ રીતે સેવવાથી છેવટે મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : દયા કોની પાળવી? ઉત્તર : છ કાયના જીવોની. પ્રશ્ન : છ કાય કયા કયા છે? ઉત્તર : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય. ચતુરાઈથી આવા ઉત્તરો આપ્યા તથા સંસારની અનિત્યતા, દેહની ક્ષણભંગુરતા, આયુષ્યની અસ્થિરતા વગેરે એવી સારી રીતે વર્ણવી બતાવ્યું કે દરેકને તેમની શક્તિનો ખ્યાલ આવ્યો કે આગળ જતાં આ બાળક વિદ્વાનોમાં અગ્રેસર થશે. છેવટે તેજપાળભાઈએ સંઘ સમક્ષ આજ્ઞાપત્ર લખી આપ્યો. સંવત ૧૯૦૩ના વૈશાખ મહિનમાં પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી શિષ્ય પરિવાર સાથે પોતાની જન્મભૂમિ વાંકાનેરમાં પધાર્યા. તેમનો અમૃતમય બોધ સાંભળવા સ્વધર્મી, અન્યધર્મી તથા અમલદાર વર્ગ વગેરે સંખ્યાબંધ શ્રોતાઓ આવતા હતા. ત્યારે લાધાભાઈ ગુરુદેવ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. તેમનાં વર્તન. વાણીથી વાંકાનેર સંઘને બહુમાન ભાવ જાગ્યો અને સંઘના અગ્રેસરોએ પૂજયશ્રી પાસે આ ઉમેદવારની દીક્ષાનો લાભ લેવા માટે ભાવના ભાવી. પૂજયશ્રીએ સંમતિ આપી. - ગલી ગલીમેં ગુંજે નાદ-દીક્ષાર્થીનો જય જયકાર વાંકાનેરની શેરીએ શેરીએ દીક્ષાની વાતો થવા લાગી. Page #196 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૮૩ સંવત ૧૯૦૩ વૈશાખ સુદ-૮ના દિવસ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીએ લાધાભાઈને દીક્ષા આપી અને તેમનું નામ લાધાજી સ્વામી રાખ્યું. તે વખતે મેઘરાજકુમારની વય વધુ નાની હોવાથી દીક્ષા આપી નહિ. “જ્ઞાનપ્રાપ્તિ માટે સખત પુરુષાર્થ અને પ્રમાદનો પરિત્યાગ” સંવત ૧૯૦૩ થી ૧૯૧૦ સુધી નવદીક્ષિત મુનિશ્રીએ પૂજય ગુરુદેવ શ્રી દેવજી સ્વામી તથા તેમના ત્રીજા શિષ્ય ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી તેમજ અન્ય પંડિતો પાસે અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે છ સૂત્રો કંઠસ્થ કર્યાં. ૩૨ સૂત્રોનું સંપૂર્ણ જાણપણું પ્રાપ્ત કર્યું. તેમાં આશ્ચર્યની વાત એ છે કે કંઠસ્થ કરેલ અગર કોઈ પણ વાંચેલ પુસ્તમાંનો કોઈ પ્રશ્ન પૂછે તો જરા પણ અચકાયા વિના તુરત સંતોષ પમાડી જવાબ આપતા. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, કાવ્ય, કોષ, ન્યાય, અલંકાર, સાહિત્ય વગેરેના ગ્રન્થોનો ગહન અભ્યાસ કર્યો હતો. આવા જ્ઞાન સંપન્ન છતાં તેઓ તદ્દન નિરભિમાની હતા. શ્રી ભર્તુહરિએ સત્ય જ કહ્યું છે કે – भवन्ति नम्रास्तरवः फलोद्गमैः । नवाम्बुभिर्भूमिविलम्बिनो धनाः ॥ अनुद्धताः सत्पुरुषाः स्मृद्धिभिः । રમાવ વૈષ પરોપકારપામ્ નીતિશતક ભાવાર્થ: (આંબા જેવા) વૃક્ષો જેમ ફળ આપે તેમ વધારે નીચા નમે છે, વાદળાઓમાં પાણી આવે તેમ જમીન તરફ નીચા નમે છે તેમ સતપુરુષોના જીવનમાં ગમે તેટલી સમૃદ્ધિ આવે (જ્ઞાન વગેરેની) છતાં અહંકારી થતા નથી પરંતુ વધારે નમ્ર બને છે. આ એમનો સ્વભાવ જ હોય છે. “૨૪ વર્ષની ઉંમરે પોતાના ઉપર કરેલ સ્વતંત્ર ચાતુર્માસ” સંવત ૧૯૧૪ની સાલમાં વઢવાણ શહેરમાં મુનિરાજ શ્રી લાધાજી સ્વામીએ સ્વતંત્રપણે ચાતુર્માસ લઘુબંધુ મેઘરાજજી સ્વામી સાથે કર્યું. આ શહેરમાં કાકા કરમશી રખના કારણે મોટા ઉપાશ્રયમાં કોઈ સાધુ ચોમાસું રહેતા ન હતા. તે પંડિતરાજ શ્રી લાધાજી સ્વામીએ ત્યાં રહીને ઉપાશ્રય ખુલ્લો મૂક્યો. તેમના લઘુબંધુ પૂજય શ્રી મેઘરાજજી સ્વામીએ સંવત ૧૯૦૪ની સાલમાં નવમા વર્ષે જેઠ સુદ-૪ના પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. લીંબડી સંપ્રદાયમાં અત્યાર સુધી ૨૦૦ થી વધારે મુનિરાજો થઈ ગયા પરંતુ સૌથી વધારે નાની ઉંમરમાં દીક્ષિત થવાનું સૌભાગ્ય પૂ. શ્રી મેઘરાજજી સ્વામીને પ્રાપ્ત Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી થયું હતું. પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામીએ પણ બહુ સારો અભ્યાસ કર્યો હતો. તેમને બે શિષ્યો હતા. (૧) મ. શ્રી કરમચંદજી સ્વામી તથા (૨) મ. શ્રી મોટા શામજી સ્વામી. સંવત ૧૯૨૨ની સાલમાં પંડિતરાજ શ્રી લાધાજી સ્વામી પ્રથમ વાર ગુજરાતમાં પધાર્યા. પૂજય આચાર્ય શ્રી દેવજી સ્વામીના તેર શિષ્યોમાંથી પહેલી જ વાર ગુજરાતમાં ગયા હોય તો તે પૂ. શ્રી લાધાજી સ્વામી. તે સાલમાં તેઓશ્રી અમદાવાદ ચોમાસું રહ્યા. અમદાવાદ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ પધાર્યા. તે તરફ જતાં અનેક પ્રકારનાં સંકટ સહન કરવા પડ્યા હતા છતાં તેઓશ્રી અડગ રહ્યા હતા કારણ કે ઉત્તમ આત્માઓ શુભ કાર્યમાં આવતા સંકટોને સહન કરીને આરંભેલ કાર્યમાં સાંગોપાંગ પાર ઊતરે જ છે. શ્રી ભર્તુહરિએ સાચું કહ્યું છે કે – प्रारभ्यते न खलु विज भयेन नीचैः । प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्यां ॥ વિનૈઃ પુનઃ પુનારા પ્રતિદચમીનાઃ | પ્રારવ્યમુત્તમના જ પરિત્યાન્તિ નીતિશતક ભાવાર્થઃ નીચ પુરુષો વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ કરતા નથી. મધ્યમ પુરુષો વિઘ્ન આવતા આરંભેલ કાર્યને છોડી દે છે. ઉત્તમ પુરુષો વારંવાર વિપ્નથી વિહત થયા છતાં પ્રારંભેલ કાર્યનો ત્યાગ કરતા નથી. અનેક પ્રકારનાં સંકટો તથા પરીષહો સહેવા પડવા છતાં ગુજરાત બાજુની વિહારયાત્રા ચાલુ રાખી અનેક જીવોને બોધ આપ્યો. સંવત ૧૯૨૩ની સાલનું ચોમાસું સુરત કરી ફરીને ચાર વર્ષે સંવત ૧૯૨૬ની સાલનું ચોમાસું અમદાવાદ રહ્યા. તે ચાતુર્માસ પૂર્ણ કરી સંવત ૧૯૨૮ની સાલમાં શેષકાળમાં ખેડા પધાર્યા. ત્યાં તેમનો ઉપદેશ એટલો બધો અસરકારક નીવડ્યો કે ત્યાં રહેતા રૂગનાથદાસ ભાવસારના પુત્ર પાનાચંદનું હૃય સંસારથી તદ્દન વિરક્ત બની ગયું. તેમણે સંયમ લેવાનો નિર્ણય કર્યો. તેમને બે પત્નીઓ હતી. તેમના મોટા ભાઈ અને પત્નીઓએ ના પાડી પણ તેમને વૈરાગ્યનો રંગ પાકો લાગ્યો હતો તેથી પોતાના નિર્ણયમાંથી ચલિત થયા નહિ. આખરે બધાની અનુજ્ઞા મેળવીને સંવત ૧૯૨૮ના પોષ સુદિ-પૂનમના દિવસે આ અનિત્ય સંસારનો ત્યાગ કરી પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય થયા. તેઓ ઘણા ભદ્રિક અને વિનયી હતા. Page #198 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ખેડાથી વિહાર કરી પૂજ્ય શ્રી સુરત પધાર્યા. ત્યાં તેમનો ઉપદેશ ભારે અસરકારક નીવડ્યો. ત્યાંના ભાવસાર જગજીવનદાસના એકના એક પુત્ર ઉત્તમચન્દ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો જેથી માતા શ્રી દિવાળીબહેનની અનુજ્ઞા માગી પરંતુ માતાએ પુત્રમોહના કારણે ના પાડી. વૈરાગી આત્માઓને ગમે તેટલા અટકાવવામાં આવે પરંતુ તેઓ ક્યાં સધી અટકે ? આખરે પુત્રના તીવ્ર વૈરાગ્ય આગળ માતાનું હૃદય પીગળી ગયું અને તેમણે એકના એક વહાલસોયા દીકરાને સંયમ લેવાની અનુજ્ઞા આપી. સંવત ૧૯૨૮ના ચૈત્ર સુદિ-૮ના સત્તર વર્ષની ઉંમરે તેમણે પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પાસે દીક્ષા લીધી. તેઓશ્રી પૂજ્યશ્રીના બીજા શિષ્ય થયા. તેમનું નામ ઉત્તમચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું. આગળ જતાં ઉત્તમચન્દ્રજી સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત બન્યા. તેઓશ્રી આગમના પણ અચ્છા જાણકાર હતા. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જૈન સમાજમાં ઉચ્ચ કક્ષાના વિદ્વાન થયા તેની પાછળ પાયાની પ્રેરણા પૂજ્ય શ્રી લાધાજી સ્વામી તથા પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ આપી હતી. બન્ને પૂજ્યોએ શરૂઆતમાં પંડિત સુખલાલજીને ધાર્મિક જ્ઞાન તથા પ્રારંભિક સંસ્કૃત શીખવાડ્યું હતું. આવાં સુવિહિત સંતોની કૃપાથી પંડિત સુખલાલજી કેટલી ઊંચી કક્ષાએ જઈ શક્યા ! સંતોની કૃપાના ફળ ખરેખર અદ્ભુત હોય છે. ૧૮૫ જે વખતે પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી ત્યારે સુરતમાં બુલ્લર સાહેબ જેઓ મુંબઈના ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર હતા. તેઓ પૂજ્યશ્રીને મળ્યા અને ઘણા પ્રશ્નો પૂછયા. પૂજ્યશ્રી તરફથી સંતોષકારક જવાબ મળવાથી તેઓ ખૂબ ખુશ થયા. પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ સુરત ચાતુર્માસ પધારો, હું આપની પાસેથી જૈન સિદ્ધાન્તનું જ્ઞાન મેળવું. તેમની આવી ભાવના હતી પરંતુ કેટલાક સંજોગો અનુકૂળ ન હોવાથી પૂજ્ય શ્રી ત્યાં ચાતુર્માસ જઈ ન શક્યા. મુંબઈના પ્રસિદ્ધ ડૉક્ટર પીટર્સને પૂજ્યશ્રીની વિદ્વત્તાના વખાણ સાંભળી પત્ર વ્યવહાર દ્વારા ઘણાં પ્રશ્નોના ખુલાસા મેળવી ઘણો જ સંતોષ મેળવ્યો હતો. તેમને પૂજ્યશ્રીના પ્રત્યક્ષ દર્શનની ઘણી જ ઈચ્છા હતી. એક વખત પૂજ્ય શ્રી અમદાવાદમાં ચાતુર્માસ હતા ત્યારે ડૉ. પીટર્સનને કોઈક કારણસર અમદાવાદ જવાનું થયું. પૂ.શ્રીના ખબર મળ્યા કે તેઓશ્રી અહીં જ છે. સમાચાર મોકલાવ્યા કે આવતી કાલે હું આપની પાસે આવીશ પણ એકાએક અણચિંતવ્યું રાત્રે જ મુંબઈ જવાનું થયું તેથી પૂજ્યશ્રીના દર્શન થયા નહિ. મુંબઈ જઈ પત્ર લખી જણાવ્યું કે, ‘‘આપ જેવા મહાત્માના દર્શન કરવા હું ભાગ્યશાળી ન નીવડ્યો તે માટે દીલગીર Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી છું.” ડૉ. પીટર્સન હિન્દુશાસ્ત્રના તીવ્ર જિજ્ઞાસુ હતા તેઓ ઘણી વાર પત્ર દ્વારા શંકાનું સમાધાન કરતા. ઈન્સ્પેક્ટ સાહેબ શ્રી બુલ્લર સાહેબ નોકરી છોડી જર્મની ગયા ત્યારે ત્યાંથી પણ પૂજ્યશ્રીને પ્રશ્નો પુછાવી શંકાનું નિવારણ થતાં હર્ષ પ્રદર્શિત કરતા. યુરોપીયન સ્કોલરો તેમ જ અન્યધર્મના મહાત્માઓ અને કેવળાયેલો વર્ગ પૂજયશ્રીનો પરિચય કરી જ્ઞાનવૃદ્ધિ કરવાની સોનેરી તક મેળવતા. આ પ્રસંગો વાંચ્યા પછી એટલું તો જરૂર થાય છે પૂજયશ્રીનું જ્ઞાન કેટલું સચોટ અને પ્રભાવશાળી હશે. સંવત ૧૯૨૯નું ચોમાસું લીંબડી કર્યું. આ ચોમાસા પછી એક વખત લીંબડીમાં તપગચ્છના મુનિ શ્રી ખાંતિવિજયજી દાદા પધાર્યા. તેમની સાથે પૂજ્યશ્રીએ ચર્ચા કરી. તે ચર્ચા ઉપાશ્રયમાં સાંજ સુધી ચાલી હતી. પુજયશ્રીને શાંતપ્રકૃતિને લીધે જરાય એકબીજાને કલેશભાવ ઉત્પન્ન થયો ન હતો. ખૂબ જ સંતોષની સાથે ખાંતિવિજયજી મહારાજ પોતાના સ્થાનકે પધાર્યા અને કહ્યું કે આવા શાંત સ્વભાવી અને નિરભિમાની મુનિ મેં બહુ જ થોડા જોયા છે. સંવત ૧૯૩૪માં મોરબી પધાર્યા. સમપરાના હર્ષચન્દ્રજીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, કંટબીજનોની અનુજ્ઞા મેળવી ૨૮ વર્ષની ઉંમરે સંવત ૧૯૩૪ મહાસુદપના મોરબીમાં દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. સંવત ૧૯૪૧માં સુરત મુકામે મોરબીના રહીશ દેવચન્દ્રજીને ૪૫ વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેઓશ્રી પૂ.શ્રીના ચોથા શિષ્ય થયા. તેઓ ખૂબ જ ભદ્રિક હતા. સંવત ૧૯૪૬નું ચોમાસું રાપર – કચ્છમાં કર્યું. ત્યાંના રહીશ મોરબીયા જેચંદ કરમચંદને કોઈ કારણે તેરાપંથીની શ્રદ્ધા બેસી ગઈ હતી. તેમની સાથે અનેક સાધુઓએ ચર્ચા કરી હતી પણ શ્રદ્ધા નહિ પરંતુ પૂજયશ્રીએ ખૂબ ચર્ચા કરી સૂત્ર સિદ્ધાન્તના સજ્જડ દાખલા આપી જેચંદભાઈને મૂળ શ્રદ્ધાએ લાવ્યા. પૂજ્યશ્રીમાં ઉત્તમ પ્રકારના જ્ઞાનની સાથે સમજાવવાની શક્તિ પણ અદ્ભુત હતી. રાપરનું ચાતુર્માસ પૂર્ણ કરીને કચ્છ માંડવીમાં કરમચંદજી સ્વામીને દીક્ષા આપીને મેઘરાજજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા. તેઓશ્રી મેઘરાજજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. તેમની ઉંમર ૨૯ વર્ષની હતી. (દીક્ષિત થયા ત્યારે) સંવત ૧૯૪૮નું ચોમાસું સાયલા કર્યું. આ ચોમાસામાં એક વખત સાંજના પ્રતિક્રમણ કરતા હતા. તેઓશ્રી જ્યારે કાઉસગ્નમાં હતા ત્યારે તેમની પાસે થઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૮૭ એક સર્પ નીકળ્યો. બીજા સાધુઓએ જોયો અને બધા આઘા ખસી ગયા. સર્પ પૂજ્યશ્રીની પાસે આવ્યો છતાં પણ પૂ. શ્રી સ્થિર રહ્યા. કાઉસગ્નમાં જરાય ડગ્યા નહિ. થોડી વારમાં સર્પ ચાલ્યો ગયો. પૂજયશ્રી આવા નીડર હતા. આ જ ચોમાસામાં પૂ.શ્રીને મસ્તકની વેદના ઊપડી છતાં તેને સમભાવથી સહન કરી. સંવત ૧૯૪૯ના કારતક માસમાં ઝામરવાના દર્દથી પૂ. શ્રીની આંખે ઓછાયા આવ્યા અને ચર્મચક્ષુ બંધ થઈ ગયા પણ જ્ઞાનચક્ષુ તો હંમેશને માટે ખુલ્લા જ હતા. સંવત ૧૯૪૯માં મોરબીમાં કચ્છમાં શામજી સ્વામીએ દીક્ષા લીધી અને તેઓશ્રી પૂ. મેઘરાજજી સ્વામીના બીજા શિષ્ય થયા. તે જ સાલમાં જેઠ મહિનામાં કચ્છ રતાડિયા (ગણેશવાલા)ના વતની શિવજીભાઈએ પોતાની સગપણ કરેલી કન્યાને તથા સમૃદ્ધિને ત્યાગી દીક્ષા લીધી. તેઓશ્રી પૂજય શ્રીના પાંચમા શિષ્ય થયા. તેઓશ્રી ખૂબ જ તપસ્વી અને સુવિહિત સંત હતા. તપસ્વી શ્રી શિવજી સ્વામી જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમના માતુશ્રી મુંબઈમાં હતાં. બેઠાં બેઠાં બાજરાના રોટલા બનાવી રહ્યાં હતાં. એક સંતે અભિગ્રહ ધારણ કર્યો હતો કે ઊંધી ચાલણી ઉપર બાજરાનો રોટલો સૂજતો પડ્યો હોય તો જ મારે વહોરવું, નહિતર વહોરવું નહિ. બરાબર તે જ રીતે રોટલા બનાવી માતુશ્રી એ ચાલણી ઉપર મૂક્યા હતા અને સંત પધાર્યા. બધું શુદ્ધ હતું. ભાવપૂર્વક સંતને પ્રતિલામ્યા. પેલા સંત કહેતા ગયા કે તમે રત્નકુક્ષીમાતા બનશો, તમારો પુત્ર સંયમ લેશે અને તમારું તથા શાસનનું નામ ઉજ્જવળ કરશે. બરાબર તે જ પ્રમાણે બન્યું. (પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી પાસેથી સાંભળેલ) સંવત ૧૯૫૪ની સાલમાં તારાચંદજી સ્વામીએ ૧૪ વર્ષની ઉંમરે ચૈત્રવદિ૧૦ ના વઢવાણમાં દીક્ષા લીધી. તેઓ પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીના શિષ્ય થયા. તેમણે સૂત્ર-સિદ્ધાન્તનો સારો અભ્યાસ કર્યો હતો. સંવત ૧૯૫૫માં દશાશ્રીમાળી વણિક છોટાલાલજીએ જેઠ સુદ-૩ના દિવસે ૧૧ વર્ષની ઉંમરે અમદાવાદમાં દીક્ષા લીધી અને પૂ.શ્રીના છઠ્ઠા શિષ્ય થયા. સંવત ૧૯૫૬માં અમદાવાદમાં સાતમાં શિષ્ય લલ્લુજી સ્વામીએ દીક્ષા લીધી. (કચ્છના ખુશાલચંદજી સ્વામીએ દીક્ષા લીધી) તે આઠમા શિષ્ય થયા. એ જ સાલમાં મ. શ્રી લક્ષ્મીચંદજી સ્વામી કે જેઓ સિયાણીના ચૌહાણ રાજપૂત હતા તેમણે ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને હર્ષચન્દ્રજી સ્વામીના શિષ્ય થયા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી પૂજયશ્રીનાં ચર્મચક્ષુ ન હોવા છતાં ગમે તેવા કઠિન પ્રશ્નોના ખુલાસા જ્ઞાનચક્ષુ વડે ત્વરાથી આપતા તેથી પૂજ્ય શ્રી તરફ અન્યદર્શનીઓ પણ ખૂબ માનથી જોતા. સંવત ૧૯૬૧માં પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને વ્યાધિ પેદા થતાં ચૈત્રવદ-૧૪ના ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી કાળધર્મ પામ્યા. આ મહાત્મા પૂજયશ્રીના વડીલ ગુરુભાઈ હોવાથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો પણ કાળ પાસે કોઈનું ચાલતું નથી. લીંબડી ગાદીનું સ્થળ ખાલી ન રહે તે માટે લીંબડીમાં આગેવાનો પૂજયશ્રીને વિનંતી કરવા વઢવાણ આવ્યા. પૂજ્ય શ્રી અષાઢ સુદિ-૩ના લીંબડી પધાર્યા. વિ.સં. ૧૯૬૩ની સાલે બધા સાધુઓ લીંબડીમાં ભેગા થયા. સાધુજીઓએ તથા સંઘે પૂજયશ્રીને ગાદીની પાટે બિરાજવાની વિનંતી કરી. ફાગણ સુદ-૭ના ચતુર્વિધ સંઘની હાજરીમાં પૂજ્યશ્રીને વિધિસર ગાદીપતિની પદવી આપવામાં આવી. પૂજ્ય શ્રી લાધાજી સ્વામી આચાર્યપદને માટે સંપૂર્ણ લાયક હતા, ગીતાર્થ હતા, બહુસૂત્રી હતા પરંતુ આંખે જખમ હોવાથી શાસ્ત્રના નિયમ પ્રમાણે આચાર્ય પદવી આપી શકાય નહિ. આચાર્યની આઠ-સંપદા શાસ્ત્રોમાં બતાવી છે, તેમાં શરીર સંપદાનો સમાવેશ પણ છે, શરીરે કોઈ પણ જાતની ખોડ ખાંપણવાળાને આચાર્યપદ આપી શકાય નહિ. વ્યવહારમાં પણ એવું બને છે કે બત્રીસ લક્ષણયુક્ત હોય તેનો જ રાજ્યાભિષેક થાય છે. ખોડ-ખાંપણવાળા રાજા બની શકતા નથી. પંડિત મ. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી તથા બીજા શિષ્યો પૂ. શ્રી પાસે રહ્યા. શિયાળો, ઉનાળો શાંતિથી પસાર થયો. સંવત ૧૯૬૪નું ચોમાસું પૂ. શ્રી આદિ ૬ ઠાણા રહ્યા. તેમને શ્રાવણ સુદિ-પથી મરડો થયો. મરડાના વ્યાધિથી અશક્ત થઈ જવા છતાં તેમનું મન સ્વસ્થ હતું. મંદવાડ વધતો ગયો. અશક્તિ ખૂબ થઈ ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. સાવચેતીથી સાગારી સંથારો પચ્ચક્ખી લીધો. અંતે દોઢ વર્ષ સુધી ગચ્છને સંતોષ ઊપજે એવી રીતે કાર્ય કરી સં. ૧૯૬૪ના શ્રાવણ વદિ-૧૦ના સાંજે સર્વ જીવોને ખમાવી સમાધિપૂર્વક, મહાવીર સ્વામીનું નામ સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. પૂજયશ્રીના સ્વર્ગવાસના સમાચાર જાહેર થતાં લીંબડીથી તથા આજુબાજુનાં ગામોમાં પાણી પાળવામાં આવી. નામદાર ઠાકોર સાહેબ તરફથી નિશાળો તથા કોર્ટે બંધ રાખવામાં આવી. પૂજય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલય” તેમના સ્મારક તરીકે લીંબડીમાં ચાલે છે. સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામીએ એની સ્થાપના કરી છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૮૯ 'પૂ. આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામી પૂ.શ્રીનો જન્મ વિ.સં. ૧૯૦૨, રામાણીયા-કચ્છ (તાલુકો મુન્દ્રા)માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રાણા મેપા સાવલા હતું તથા માતાનું નામ નામઈબાઈ હતું. જ્ઞાતિએ વિશા ઓસવાળ હતા. પૂ. આચાર્ય શ્રી કાનજી સ્વામીના સત્સંગથી તેમને દીક્ષાના ભાવ જાગ્યા. પિતા-પુત્ર સાથે વિ.સં. ૧૯૧૩, ફાગણ સુદિ-૧૩ના માંડવી કચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. ગુરૂ ભગવંતના સાન્નિધ્યમાં ખૂબ જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા. એમનું વિચરણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષરૂપ થતું. એકાધિક શતાયુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજીને ગુંદાલા મુકામે વિ.સં. ૧૯૬૭ની સાલે પૂ. દેવચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપેલી તથા કહેલું કે “વેલબાઈનો વેલો વધતો રહેશે.” આ વચનો અક્ષરશ: સાચા પડેલા. તેઓશ્રી આવા વચનસિદ્ધ મહાપુરૂષ હતા. વિ.સં. ૧૯૬૮, વૈશાખ વદિ-૯ના દિવસે લીંબડી મુકામે પૂ.શ્રી મેઘરાજજી સ્વામીને ગાદીપતિ પદ તથા પૂ. શ્રી દેવચંદ્રજી સ્વામીને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. પૂ.શ્રીના શાસનકાળ દરમિયાન લીંબડીમાં બે વાર સાધુ સંમેલન બોલાવવામાં આવ્યા હતા. પૂ. શ્રી દેવચંદ્રજી પાઠશાળા' નામની બે સ્કૂલો એક રામાણીયામાં તથા બીજી સાયલામાં ચાલે છે. કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામી આદિ ઘણા શિષ્યો પૂ. સાહેબના થયા હતા. લીંબડીમાં “પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય” ચાલે છે જે બૃહદ્ ગુજરાતમાં અગ્રસ્થાને છે. પૂ.શ્રી વિ.સં. ૧૯૭૧ની સાલે અજરામર સંપ્રદાયના ગાદીપતિ બન્યા હતા. છેલ્લે તેઓશ્રી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા હતા ત્યારે કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામીએ તેમની ખૂબજ સેવા કરી હતી. પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી વિ.સં. ૧૯૭૭, કારતક વદ-૮ના લીંબડી મુકામે સ્વર્ગવાસ પામ્યા હતા. તેઓશ્રીના છ શિષ્યો થયા હતા. પૂ.શ્રી સુંદરજી સ્વામી તથા પૂ.શ્રી રાયચંદજી સ્વામી (બંને ભાઈઓ) પણ તેઓશ્રીના જ શિષ્યો હતા તથા બિદડા (કચ્છ)ના હતા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી લવજી સ્વામી પૂજય સાહેબ શ્રી લવજી સ્વામી લીંબડી પાસેના ભાલ પ્રદેશમાં વેજલકા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં નરસિંહદાસ નામે એક વેપારી રહેતા હતા. તેમનાં પત્નીનું નામ કેશરબહેન હતું. તેઓ આર્ય સન્નારીના સગુણોથી શોભતા હતા. તેમની પવિત્ર કુક્ષિએ વિક્રમ સંવત ૧૯૧૨ના શ્રાવણ સુદિ-૧૧ બુધવારે રાત્રે ૧-00 વાગ્યે એક પુણ્યશાળી પુત્રનો જન્મ થયો. પ્રાચીન રૂઢિ અનુસાર બારમે દિવસે જન્મ નક્ષત્રના આધારે લવજી એવું નામ આપ્યું. સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ; પ્રેમ આંસુ ડાર ડાર, લોકલાજ ખોઈ.... અબ તો મેરા... - મીરાંબાઈ મીરાંબાઈના વચન પ્રમાણે પૂર્વભવના સંસ્કારોને કારણે બચપણમાં જ કોઈ સંતપુરુષોને દેખતાં તરત જ તેમના તરફ લવજી કુમાર સપ્રેમ દોડી જતો અને તેમનો ઉપદેશ સાંભળતો. સંત આવતા દેખીને, છોડે ઘરકા કામ ડગલે ડગલે નીપજે, કોટિ જગન ફલ તામ | સંત આવતા દેખીને, ઝટક નમાવે શીષ ! એક પાપકી કહાં કહું, હરે કોટિ પાપ ઈશ ! આમ સંતો તરફના પ્રેમને કારણે ભવ્ય આત્માઓ ખૂબ સારો લાભ લઈ શકે છે. સંત સમાગમના લાભો અગણિત છે, તેનું વર્ણન દરેક ધર્મગ્રન્થોમાં આવે છે. લીંબડી સંપ્રદાયના મહાત્મા શ્રી જીવરાજજી સ્વામી તથા તેમના સુશિષ્ય કવિરાજ શ્રી ગોવરધનજી સ્વામી આદિ મુનિરાજો વિચરતાં વિચરતાં ભાલપ્રદેશમાંના પલાવી ગામમાં પધાર્યા. ત્યાંના ભાવિકો તેમના ઉપદેશનો લાભ સારી રીતે લેવા લાગ્યા. લવજીકુમાર વેજલકાથી પલાડી આવ્યા અને ગુરુ મહારાજના સમાગમમાં રહેવા લાગ્યા. જેવી રીતે ખેતરની ખેડાયેલી કાળી જમીનમાં પડેલાં બીજ બીજા વરસાદનો સંયોગ થતાં ઊગે, ફૂલે અને ફળે તે પ્રમાણે લવજીકુમારના જીવનમાં પણ બન્યું. સંસાર ઉપરનો મોહભાવ દૂર થતાં વૈરાગ્યનો ઉદ્દભવ થયો. પોતાના નિકટના સંબંધીઓની મહાપરિશ્રમ વડે અનુજ્ઞા મેળવી ગુરુ દેવ સમીપે રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. Page #204 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૯૧ 'હે રાજ મને લાગ્યો છે સંયમનો રંગ લવજીકુમારને સાથે લઈ પૂ. ગુરુ ભગવંતો વિચરતાં વિચરતા સાયેલા પધાર્યા. ત્યાં લોકપ્રિય ઠાકોર સાહેબ કેશરીસિંહજી રાજ કરતા હતા. તેમના ન્યાય નીતિ ખૂબ વખણાતા. તે રાજા સાહેબને લવજીકુમારના બાળપણમાં સંસારત્યાગ કરવાના ખબર મળતાં તેને બોલાવી નાની વયમાં સંયમ લેવાનું કારણ પૂછયું. તેના પ્રત્યુત્તરમાં તે બાળકે જવાબ આપ્યો કે, “આ સંસાર અસાર છે, તેમાં એક ધર્મ જ શરણભૂત છે. મારા આત્માના કલ્યાણ માટે મારે સંયમ લેવો છે.” ઈત્યાદિક પોતાની સમજણ પ્રમાણે સારા જવાબો આપ્યા જેથી મહારાજને ખૂબ આનંદ થયો અને એમણે પ્રેમથી સંયમ લેવાની સંમતિ આપી. श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः । ભાવાર્થ: મહાન પુરુષોને પણ શ્રેયના કાર્યમાં ઘણા વિપ્ન આવે છે જ્યારે અશ્રેયના કાર્યમાં પ્રવૃત્ત થયેલાઓને ગમે ત્યાંથી મદદ મળી જાય છે. સારા કામમાં વિપ્ન ઘણા” એ કહેવત અનુસાર ફરીને દીક્ષા પહેલા વિપ્ન નડ્યો. પૂજય શ્રી જીવરાજજી સ્વામી આદિ સંતો વઢવાણ તાલુકાના રામપરા ગામમાં પધાર્યા. ત્યાંના શ્રાવકોએ લવજીકુમારનો દીક્ષા મહોત્સવ કરવા ગુરુમહારાજને વિનંતી કરી અને ગુરુમહારાજે તે વિનંતી સ્વીકારી. આ વાતની ખબર વઢવાણ સંસ્થાન પોલીસ સુપરિટેન્ડન્ટ (ફોજદાર) કે જેઓ નાગર ગૃહસ્થ હતા તેમને પડી તેથી તેમણે પણ દીક્ષા બંધ રાખવાનો હુકમ કર્યો. લવકુમારને દરબારગઢમાં બોલાવી પુષ્કળ કસોટી કરી પણ કુમારે એવા સચોટ જવાબ આપ્યા કે પોલીસવડા મૌન થઈ ગયા અને અત્યાનંદ સાથે દીક્ષાની અનુમતિ આપી તથા દીક્ષા મહોત્સવના દરેક કાર્યમાં ઉલટભેર જોડાઈ પહેલી શોભાયાત્રા દરબારગઢમાં પોતાના તરફથી ચડાવી લાભ લીધો. સંવત ૧૯૨૪ જેઠ વદ-૨ રામપરા ગામની બહાર ભાલાગડિયા હનુમાનની જગ્યામાં દીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો. પૂ. શ્રી જીવરાજજી સ્વામીએ દીક્ષા આપી નવદીક્ષિત શ્રી લવજી સ્વામી એવું નામ આપી કવિવર્ય શ્રી ગોવરધનજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. “Knowledge is life, ignorance is death” દીક્ષિત થયા પછી લવજી સ્વામી જ્ઞાન પ્રાપ્ત કરવામાં મસ્ત રહેવા લાગ્યા. તેઓ સમજતા હતા કે જ્ઞાન એ જીવન છે, અજ્ઞાન એ મૃત્યુ છે. ટૂંક સમયમાં જ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી લવજી સ્વામી આચારાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિરિયાવલિકા, અનુત્તરોવવાઈ આદિ સૂત્રો કંઠસ્થ કર્યો. જ્ઞાનપ્રાપ્તિની સાથે ગુરુમહારાજની વૈયાવચ્ચ પણ મન-વચનકાયાથી કરતા જેથી સારી ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. તેમના વ્યાખ્યાનોથી શ્રોતાજનો ખૂબ જ પ્રભાવિત થતા. લાડવા શ્રીમાળી વણિક જ્ઞાતિના માણેકચંદભાઈને પીગળાવી સદ્ધોધ પમાડ્યો. તેમના ઉપદેશની સફળતાનો આ પ્રથમ દાખલો હતો. આગળ જતાં માણેકચંદભાઈને ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંવત ૧૯૩૫ના મહા મહિનામાં અમદાવાદમાં પૂ. શ્રી લવજી સ્વામી પાસે દીક્ષા લીધી. તેઓ ચાર વર્ષ સંયમ પાળી સંવત ૧૯૪૦માં કાળધર્મ પામ્યા. 'ગુરુદેવનો વિયોગ અને બીજા શિષ્યની પ્રાપ્તિ પૂ. શ્રી શિરછત્ર અને જ્ઞાનદાતા ગુરુદેવ શ્રી ગોવરધનજી સ્વામી સાયલા પધારતાં જ શરીરમાં વ્યાધિ થયો. તે વ્યાધિએ ગંભીર સ્વરૂપ પકડતાં અંતે સંવત ૧૯૪૬ અષાઢ સુદ-૮ની રાત્રે તેઓશ્રી કાળધર્મ પામ્યા. સંવત ૧૯૪૭ની સાલમાં ચરિત્રનાયક શ્રી જેતપુર (કાઠી) પધાર્યા. તેમના પવિત્ર દર્શન અને નિર્મળ વાણી સાંભળવાની તીવ્ર અભિલાષા વણિક જ્ઞાતિના હરખચંદ કર્મચંદ બાવીશીને હતી તે પૂર્ણ થઈ. તેમના બોધથી હરખચંદભાઈનો વૈરાગ્ય દઢ થયો. ૪૪ વર્ષની ઉંમરે એક પુત્રીને સાસરે વળાવી. સંવત ૧૯૪૭ મહા વદિ-૯ના દિવસે જેતપુરમાં દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ હર્ષચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું. તેમણે ગુરુસેવામાં રહી દર મહિને સાત ઉપવાસ જિંદગીપર્યત કરવાના દઢ અભિગ્રહ સાથે સંયમ જીવનની શરૂઆત કરી. પૂ. ગુરુદેવની સાથે રહી અનેક સ્થળે વિચરી લીંબડીમાં કાળધર્મ પામ્યા. સંયમી જીવન થોડું પણ સારું, સંસારી જીવન ઘણું પણ સારું નહિ. બન્ને શિષ્યો ટૂંક સમયમાં કામ કરી ગયા. પૂ. શ્રી લવજી સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં મુળી તાલુકાના ખાટડી ગામે પધાર્યા. ત્યાંના ક્ષત્રિય જજીભાઈનાં ધર્મપત્ની બોનજીના સુપુત્ર જેઠીજીએ પૂ. શ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. સંવત ૧૯૫૮ મહાવદિ-૨ સોમવારે રામપરામાં દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ જેઠમલજી સ્વામી રાખવામાં આવ્યું. તે જેઠમલજી સ્વામીએ સૌરાષ્ટ્રમાં રહી જીવદયાના ઘણાં કામો કરાવ્યા હતાં જેનું વર્ણન આગળ કરવામાં આવશે. Page #206 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૯૩ સંવત ૧૯૫૯માં ખેરવા ચાતુર્માસ કરી ત્યાંના ઠાકોરો કે જેઓ જૈન સાધુઓનો તિરસ્કાર કરતા હતા તેમને બોધ પમાડી પૂ. શ્રીએ ચાતુર્માસ ક્ષેત્ર ખુલ્લું મૂક્યું. ત્યાંના મુસલમાનોને પણ બોધ પમાડી જીવહિંસાનો સદાને માટે ત્યાગ કરાવ્યો. - અનેક રાજાઓ, રાજકુમારો વગેરેને પ્રતિબોધ સંવત ૧૯૬૨માં સાયલા પધાર્યા, ત્યાંના પાટવી કુંવર શ્રી મદારસિંહજીએ પૂજયશ્રીના દર્શન-વાણીનો લાભ લેવા ઉપરાંત મહાવીર પ્રભુના જન્મ દિવસે પોતાની ચાલતી જીનીંગ ફેક્ટરી બંધ રાખવા હુકમ કર્યો હતો. સંવત ૧૯૬૫ની સાલનું ચોમાસું વઢવાણ થતાં ત્યાંના ભાવિ મહારાજા જશવંતસિંહજી ઉપાશ્રયમાં આવી હંમેશા સત્સંગનો લાભ લેતા હતા. તેમની સાથે તેમના કુટુંબીજનો પણ લાભ લેવાનું ચૂકતા નહિ. કેટલાક લોકોએ દારૂ-માંસ વગેરે મહાવ્યસનોનો ત્યાગ કર્યો હતો. સંવત ૧૯૬૬નું ચોમાસું ધાંધલપુરના દરબાર શ્રી ખવડ મોટા રૂખડના અતિ આગ્રહથી ત્યાં જ કર્યું. તેમણે પૂ. શ્રીના સત્સંગથી જિંદગીપર્યંત દર વર્ષે શ્રાવણ માસમાં શિકાર-ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી, તેની ખુશાલીમાં તેમણે સાકરની પ્રભાવના કરી હતી. ગેડીના ભાવિક દરબારોએ પૂ. શ્રીના ઉપદેશથી હિન્દુ - મુસલમાન વગેરેને મહાવીર જયંતી પાળવા માટે ઠરાવ બહાર પાડ્યો હતો. વણાના દરબારો રાણા શ્રી જામસિંહજી વગેરે અવાર – નવાર સ્વામીજીના સત્સંગનો લાભ લેવા ઉપરાંત દર વર્ષે મહાવીર જયંતી પળાવવા દરેકને હુકમ કરી ઠરાવ કર્યો હતો. પૂજયશ્રી લવજી સ્વામી રાજપુર પધાર્યા ત્યારે ત્યાંના નામદાર દરબાર સાહેબ શ્રી માનસિંહજીએ પોતાની કચેરીમાં પધારી વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ કર્યું હતું. પૂ. શ્રીએ તેમની વિનંતિને માન આપી ત્યાં વ્યાખ્યાન આપ્યું હતું. છેવટે દરબારશ્રીએ મહાવીર જયંતી પાળવા માટે હુકમ કર્યો કે તે દિવસે જૈન તેમજ જૈનેતરોએ પોતાના બધા ધંધા રોજગાર વગેરે બંધ રાખવા. અંકેવાળિયાના દરબાર શ્રી તથા તેમના કુંવરોએ પૂ. શ્રીના દર્શન વાણીનો લાભ લઈ મહાવીર જયંતી પાળવા માટે કાયમી ઠરાવ પસાર કર્યો હતો. તદુપરાંત દરબાર શ્રી ઉમેદસિંહજી બાપુએ પોતાને મળેલા અપૂર્વ સત્સંગના લાભની યાદી જાળવી રાખવા જ્ઞાનદાતાના અમૂલ્ય લાભ માટે સામયિકની ૧OOO પ્રતો છપાવી મફત વહેંચી હતી. જૈનેતર હોવા છતાં જૈનધર્મના પુસ્તક માટે આટલું માન તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઘણું જ પ્રશંસનીય કહેવાય. સંવત ૧૯૬૭નું ચાતુર્માસ જેતપુર કાઠી રાજ્યમાં પધારતાં ત્યાંના નામદાર દરબાર સાહેબ જસાવાળા વગેરે દરબારોએ જૈન સ્થાનકમાં પહેલી વાર આવી વ્યાખ્યાનનો લાભ લીધો. પછી રસ પડતાં આખા ચાતુર્માસમાં વ્યાખ્યાન વાણીનો લાભ લેતાં. દેખાવ ખૂબ જ રમણીય હતો. છેવટે કારતક સુદિ-પૂનમના દિવસે દરબાર શ્રી રાણીગવાળા વ્યાખ્યાનમાં ઊભા થઈ જિંદગીપર્યંત શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને તેની ખુશાલીમાં દરેકને સાકરની લાણી કરી હતી. શ્રી લવજી સ્વામી આવા ઉત્તમ નિયમથી લોકોમાં ખુશાલી પથરાતાં જૈનો તરફથી ચાંદીના કાસ્કેટમાં માનપત્ર તેમને એનાયત કરવામાં આવ્યું હતું. તેનું લખાણ બહુ સારું હતું. જેતપુરના નામદાર દરબાર ઉનડવાળા પોતાના ગામ ચૂડામાં મહારાજશ્રીને અતિ આગ્રહથી લઈ જતાં તેઓશ્રી તે જ દિવસે પોતાના ન્યાયાધીશ દોશી હરજીવનભાઈ વગેરે મંત્રી મંડળ સહિત આવી પહોંચ્યા હતા. ઉપાશ્રયમાં આવી દર્શન - વાણી વગેરેનો લાભ લઈ મ. શ્રીને ખાસ પાંચ દિવસ રોક્યા હતા. દરબારશ્રીના આમંત્રણથી પૂ. શ્રી દરરોજ દરબારી ઉતારામાં જાહેર વ્યાખ્યાનો આપતા હતા. તે ગામમાં પર્યુષણ - પર્વ નહિ પળાતા હોવાથી તે પાળવા તથા મહાવીર જ્યંતી જાહેર રીતે પાળવા, કોર્ટ બંધ રાખવા તેમ જ જીવહિંસા નહિ કરવા (જિંદગીપર્યંત) તથા તેનો આદેશ પણ નહિ આપવા પ્રતિજ્ઞા લીધી હતી. પૂ. શ્રીના ઉપદેશથી જ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેનો ઉતારો નીચે પ્રમાણે છે. “અમારો મુકામ ચૂડામાં, નામદાર સોરઠ પ્રાંતના પોલિટીકલ એજન્ટ સાહેબના પધારવાના પ્રસંગે થતાં અહીં લીંબડી સંપ્રદાયના મહારાજ શ્રી લવજી સ્વામી, મ. શ્રી જેઠમલજી સ્વામી પધારતા, તેમના પ્રીતિપૂર્ણ અતિ ઉમદા ધર્મોપદેશની અમૃતધારારૂપ બોધથી અમારા અને ચૂડાની રૈયતના દિલને ધર્મપ્રત્યે અસર થતાં ઉત્તમોત્તમ લાગણીથી અમોએ મ. શ્રી સમક્ષ કોઈ પણ પ્રાણીની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરીએ છીએ તેમ જ ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીની જન્મ તિથિ ચૈત્ર સુદિ-૧૩ના દિવસે આખા ગામમાં પાખી પાળવા માટે ખેડૂત, વેપારી વગેરે લોકોને ફરમાન કરવામાં આવે છે તથા પર્યુષણ-પર્વના આઠ દિવસ પણ પાળવા.” (વગેરે ઠરાવમાં લખ્યું હતું.) વાળા ઉન્નડ ગોદડની શહી તા. ૨૧ જાન્યુ. ૧૯૧૩ મુ. ચૂડા. Page #208 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૯૫ દરબારશ્રીના આવા પ્રશંસાપાત્ર કર્તવ્યથી પ્રજામાં ઉમંગ અને ઉત્સાહ ઊભરાયા હતા. પ્રજા તરફથી દરબારશ્રીને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. બીલખા (જેતપુર તાબે) પધારતાં ત્યાંના દરબાર સાહેબ વાળા કાંથડ નાજા તથા દરબાર શ્રી ભીમાવાળા, સાયલાના પ્રિન્સ વજુભાઈ કાંથડવાળા સ્ટેટના દિવાન સાહેબ વગેરે પૂ. શ્રીના વ્યાખ્યાનનો લાભ લેવા ઉપરાંત કુમારશ્રી વજુભાઈ કાંથડવાળા સ્ટેટમાં જીવહિંસા નહિ કરવા તથા અગિયારસ અને અમાસ પાળવા માટેનો લેખિત પરિપત્ર બહાર પાડવાથી બિલખાની તથા અન્ય પ્રજા તેમના પ્રશંસનીય કાર્યથી ખૂબ જ હર્ષિત થઈ હતી. આવી રીતે કેટલાય રાજામહારાજાઓને ધર્મમાર્ગે વાળી જીવદયાના કાર્યો કરાવ્યાં હતાં. વિ. સંવત ૧૯૭૦માં જામ કંડોરણા ચાતુર્માસ પધારતાં જામનગરથી આવેલ ઈમ્પીરીયલ લેન્સર્સના ઘોડેસવારની ટુકડીનો મુકામ બહારવટિયાને પકડવા નિમિત્તે થયો હતો. સોઢા માલુભા તથા તેમના તાબેના બીજા સવારો હંમેશાં જૈન સ્થાનકમાં હાજર થઈ પૂ. શ્રીના પવિત્ર વચનામૃતો સાંભળવાનો લાભ લઈ છેવટે ચાતુર્માસમાં દારૂ, માંસ તથા પરદારાનો જિંદગી પર્યંત ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંનું ચોમાસું પૂર્ણ કરી સતોદળના દરબારશ્રીએ પોતાના ગામ બહારના બગીચામાં પોતાના બંગલામાં પૂ. શ્રીને બે દિવસ રોકી જાહેર વ્યાખ્યાનો અપાવ્યાં હતાં તથા કેટલાક દરબારોએ જિંદગી પર્યંત જીવહિંસા તથા દારૂ, માંસ વગેરે વ્યસનોનું સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સંવત ૧૯૭૩નું ચાતુર્માસ ચૂડામાં કર્યું, ત્યાંના ઠાકોર સાહેબ જોરાવરસિંહજી તથા દિવાન સાહેબ તેમ જ બગસરાના દરબાર શ્રી વીરાવાળા સાહેબ અવાર નવાર પધારતા હતા. તે વખતે પૂ. શ્રીના શિષ્ય જેઠમલજી સ્વામીનો અંગ્રેજી અભ્યાસ ચાલતો હતો. સ્થાનિક જૈનો માસ્તરને રોકવા અશક્ત નીવડતા ઠાકોર સાહેબને ખબર પડતાં તરત જ પોતાના ખર્ચે કારતક સુદિ પૂનમ સુધી અંગ્રેજી સ્કૂલના માસ્તર શા મગનલાલ મુગટરામ વચ્છરાજાને રોકી અભ્યાસમાં આર્થિક મદદ કરી પોતાનો વિશુદ્ધ પ્રેમ બતાવ્યો હતો. ચાતુર્માસના અંતે વસ્ત્રાદિ વહોરાવી પોતાના ભક્તિભાવને પ્રગટ કર્યો હતો. એક વખત વઢવાણના રામપરા ગામે પધારવાનું થતાં વઢવાણના એડમિનિસ્ટ્રેટેડ ખાન બહાદૂર શૈયદ, સંશુદ્દીન પાદરી સાહેબ ખાસ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. મુસલમાન બિરાદરોએ કસાઈની દુકાન ચલાવવા હિલચાલ શરૂ કરી હતી પરંતુ એડમિનિસ્ટ્રેટેડ સાહેબે આ પગલું નહીં ભરવા પૂ. શ્રીને પ્રથમ આપેલ વચન પ્રમાણે તેનું પાલન કરી, તે કૃત્યને ધિક્કારી કાઢ્યું હતું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી લવજી સ્વામી જામનગર, વઢવાણ, જેતપુર, ધોરાજી અને વાંકાનેર વગેરે થઈ લગભગ ૨૦૦ ગામમાં પૂ. શ્રીના ઉપદેશથી મહાવીર જયંતી પળાતી હતી. સંવત ૧૯૭૬ની સાલનું ચાતુર્માસ વઢવાણ થતાં ત્યાંના ઠાકોરસાહેબ જોરાવરસિંહજી અવારનવાર લાભ લેવા ઉપરાંત પૂજયશ્રીના દર્શનાર્થે આવનાર મહેમાનોની સ્ટેટ તરફથી યોગ્ય સરભરા કરવા પોતે હુકમ કર્યો હતો અને તેમને દરબારી ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવતો હતો. તે સિવાય વઢવાણ સ્ટેટમાં એકે તહેવાર પાળવામાં આવતો ન હતો તે આ ચાતુર્માસમાં અઠ્ઠાઈધર અને સંવત્સરીના દિવસે કોર્ટો તથા હાઈસ્કૂલો વગેરે દર વર્ષે પાળવા ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આચાર્યપદ પ્રદાન મહોત્સવ સંવત ૧૯૭૮ મહાસુદિ પૂનમને શનિવારના દિવસે લીંબડીમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં લવજી સ્વામીને આચાર્યપદવી આપવામાં આવી હતી. જેની નોંધ વર્તમાન પત્રો પૈકી કાઠિયાવાડ ટાઈમ્સ, સ્થાનકવાસી જૈન વગેરે પત્રોએ લીધી હતી, જેનો ટૂંક સાર નીચે પ્રમાણે છે. લીંબડી સંપ્રદાયના પૂ. શ્રી લવજી સ્વામીને લીંબડી સંપ્રદાયના આચાર્ય બનાવવામાં આવ્યા છે. તેમના શિષ્ય મુનિ શ્રી જેઠમલજી સ્વામીએ તેમનું જીવન ચરિત્ર બહાર પાડ્યું છે. દેશી રાજાઓ અને મોટા મોટા અમલદારો મહારાજશ્રી પ્રત્યે સારો અનુરાગ ધરાવે છે. આચાર્યપદ સમારોહ પ્રસંગે લીંબડીના ઠાકોર સાહેબ સર દોલતસિંહજીએ પણ ભાગ લઈ તે કાર્યક્રમને ખૂબ શોભાવી દીધો હતો. આ પ્રસંગે પોલિટિકલ ઑફિસરો, રાજા-મહારાજાઓ અને અન્ય અમલદારો તરફથી જૈનચાર્યશ્રીને માટે અભિનંદનના ઘણા તાર અને પત્રો આવ્યા હતા. 'દયા ધરમકો મૂલ હૈ I - સંવત ૧૯૮૧ની સાલમાં જેતપુર (કાઠી) ચાતુર્માસ હતું. આ ચાતુર્માસમાં ઘણા જીવદયા વગેરેનાં કાર્યો થયાં. ત્યાંના ખાટકી વાડાને મંજૂરી મળી ગઈ હતી પણ પૂજયશ્રીના ઉપદેશથી બંધ થઈ ગઈ હતી. તે ઉપરાંત જેતપુર નજીકના જૂનાગઢ તાબાના નવાગઢ મહાલ છે ત્યાં મુસલમાન લોકોએ ગોવધ કરવાની હિલચાલ ઉપાડી તે ખબર પૂજ્યશ્રીને પડતાં તેને અટકાવી દેવા અનેક ઉપાયો Page #210 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા કરી ભવિષ્યના માટે તે પાપ, સદંતર દૂર કરાવ્યું હતું. તે પ્રશંસનીય કાર્ય માટે ઘણાં છાપાંવાળાઓ, રાજ્યકર્તાઓ અને મહાજનોએ જૂનાગઢના લોકપ્રિય દીવાન અમીર શેખ મહમદભાઈ સાહેબને તાર અને પત્રો દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં. સંવત ૧૯૮૪ની સાલનું છેલ્લું ચાતુર્માસ સાયલાના ઠાકોરસાહેબ અને જૈનસંઘના અત્યંત આગ્રહથી સાયલામાં નક્કી થયું હતું પરંતુ વઢવાણ શહેર પધારતાં તબિયત લથડતાં ત્યાંના સંઘે વઢવાણ ચાતુર્માસ રહી જવા વિનંતી કરી જેથી પૂજ્ય શ્રી ત્યાં રોકાઈ ગયા. તબિયતમાં તાવ પ્રતિદિન વધવાના ખબર સર્વત્ર પ્રસંરતાં ઘણા ગમના સંઘો પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. વઢવાણના ઠાકોરસાહેબ પણ તબિયતના ખબર કાઢવા અચાનક પોતાના દીવાન વગેરે મંડળી સાથે ઉપાશ્રયમાં આવ્યા હતા અને દરેક પ્રકારની સામગ્રી પૂરી પાડવા પોતે ઈચ્છા દર્શાવી હતી. ૧૯૭ દિવાળીના તહેવારોમાં ભરબજારમાં જાહેર રસ્તા ઉપર ઉપાશ્રય હોવાથી લોકો ફટાકડા ફોડી કંટાળો ન આપે એટલા માટે ઠાકોરસાહેબ ઉપાશ્રયની આસપાસ પોલીસ પહેરો મૂકી કોઈ પણ જાતની દખલગીરી ન થવા પૂરતો બંદોબસ્ત કર્યો હતો. અનેક પ્રકારની અનુકૂળતા કરી આપી પોતાનો હાર્દિક ભક્તિભાવ બતાવ્યો હતો, જેની નોંધ કાઠીયાવાડ ટાઈમ્સ, સૌરાષ્ટ્ર પત્ર, સૌરાષ્ટ્ર મિત્ર, જૈન પ્રકાશ અને હિન્દુસ્તાન ટાઈમ્સ વગેરે પત્રોએ લીધેલ તે પૈકી હિન્દુસ્તાન પત્રે લીધેલી નોંધ નીચે પ્રમાણે છે - “શ્રીમાન જૈનાચાર્ય લવજી સ્વામીનું ચોમાસું” વઢવાણના એક ખબરપત્રી જણાવે છે કે અત્રે બિરાજતા જૈનાચાર્ય શ્રી લવજી સ્વામીનું પોતાનું ચોમાસું સાયલાના ઠાકોરસાહેબ અને જૈનોના આગ્રહથી સાયલા કરાવ્યું હતું પણ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે અત્રેના જૈન સંઘના આગ્રહથી અત્રે બિરાજે છે. જેમનું પોતાનું જૈફ અવસ્થાને લીધે શરીર તદ્ન અસ્વસ્થ થઈ ગયું છે. જેમનો જન્મ સંવત ૧૯૧૨ને દીક્ષા સંવત ૧૯૨૪ની સાલમાં થયેલી. ૬૧ વર્ષની દીક્ષાને ૭૩ વર્ષની ઉંમર છે. પોતે બા. બ્ર. મહાત્મા છે. તેમનાથી કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતમાં જૈન સાધુઓ પૈકી કોઈ દીક્ષાએ મોટા નથી. તેમની તબિયત જોવા ગામેગામના જૈન સંઘો આવે છે. તે સિવાય કેટલાક રાજ્યકર્તાઓ પણ બહારગામથી આવે છે. અમારા ઠાકોરસાહેબ જે કદી ઉપાશ્રયે નહિ પધારેલ તેઓ સાહેબ તા. ૩-૯૨૮ના રોજ કચેરી મંડળ સહિત સ્વામીશ્રીને જોવા ઉપાશ્રયમાં પધારી અડધો કલાક બેઠા હતા. જૈનો અને જૈનેતરો એક સરખો ભાવ ધરાવે છે. સ્વામીજી ખરેખર દર્શનિક પુરુષ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી મંગળજી સ્વામી તેમની તબિયત સુધારવાને માટે વઢવાણ સંઘે અવિરત શ્રમ લઈ વૈદ્યો, ડૉક્ટરોની પૂરતી સારવારમાં તન-મન અને ધનથી સેવા બજાવી. તે સેવામાં આઠ કોટિ દરિયાપુરી સંઘના અગ્રેસર શા ઝુંઝાભાઈ વેલશી વાળાની સેવા ખૂબ પ્રશંસનીય હતી. લીંબડી સંઘનું ડેપ્યુટેશન પૂજ્યશ્રીની તબિયત જોવા આવેલ. તેમાં સંપ્રદાયના કાર્યવાહકો શેઠ સુખલાલ ચત્રભુજ, શેઠ નાગરદાસ ચુનીલાલની આગેવાનીથી દરેક કુટુંબના આગેવાનોની વોર્ડવાઈસ ચૂંટણી થઈ બનેલ ડેપ્યુટેશન તબિયતના ખબર પૂછવા આવ્યા હતા. તેમની કુશળતા ચાહવામાં દરેક સંઘની તીવ્ર ભાવના હતી. છતાં સિકંદરના ફરમાનમાં જેમ કહેવામાં આવ્યું છે તેમ | દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? સંવત ૧૯૮૫, કારતક સુદિ-બીજ, બુધવારે તા. ૧૪-૧૧-૨૮ રાત્રિના સવા દશ વાગ્યે સમાધિભાવે કાળધર્મ પામ્યા. પૂજય શ્રી લવજી સ્વામીએ અનેક રાજા - મહારાજાઓને પ્રતિબોધ પમાડી જીવદયા વગેરેનાં મહાન કાર્યો કરાવ્યાં હતાં. તેમના સુશિષ્ય જેઠમલજી સ્વામી ખૂબ જ જીવદયાપ્રેમી હતા. તેમણે સૌરાષ્ટ્ર જીવદયા મંડળી વગેરે સ્થાપના કરી સૌરાષ્ટ્રભરમાં જીવદયાનાં અનેક કાર્યો કરાવ્યાં હતાં. આજે પણ જીવદયાપ્રેમીઓ તેમને યાદ કરે છે. ' સ્વયં દીક્ષિત સ્થવીર શ્રી મંગળજી સ્વામી | સ્વયં દીક્ષિત સ્થવર શ્રી મંગળજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૦ના મહાસુદિ ૧૧ના પવિત્ર દિવસે કચ્છ વાગડ પ્રાંતમાં આવેલ રાપર મુકામે વીશા શ્રીમાળીવણિક જ્ઞાતિમાં પ્રસિદ્ધ એવા “પૂજય” કુટુંબમાં થયેલ. તેમના પિતાજીનું નામ સુરજીભાઈ અને માતાજીનું નામ મલિબાઈ હતું. ચરિત્રનાયકશ્રીનું સંસારી નામ મંગલકુમાર હતું. તેઓશ્રી ચાર ભાઈઓ હતા, તેમાં તેમનો નંબર બીજો હતો. ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામીના સર્બોધથી મંગલકુમારે વીસ વર્ષની વયે વૈરાગ્યભાવ પામી જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી પણ રાપરના જ હતા. રાપર એવી પુણ્યભૂમિ છે કે એમાંથી ઘણા સંતો અને સતીઓ લીંબડી સંપ્રદાયમાં થયા છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૯૯ જ્ઞાનાભ્યાસમાં શ્રાવકપ્રતિક્રમણ, સાધુપ્રતિક્રમણ, નવ તત્વ, પદ્રવ્યો, ચોવીસ દંડક, કર્મપ્રકૃતિ, ગુણસ્થાનક વગેરે જૈન સિદ્ધાન્ત પ્રકરણોમાંના ૪૦ થોકડા, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે કંઠસ્થ કર્યા પછી ગુરુદેવ પાસે ગુરુગમથી જિનાગમોની વાટના અને ઐતિહાસિક રાસોનું મનનપૂર્વક વાંચન કરી દીક્ષાર્થી અવસ્થામાં જ વ્યાખ્યાનકાર તરીકેની શક્તિ પ્રાપ્ત કરી હતી. વૈરાગ્યભાવથી ધાર્મિક અભ્યાસ કરવામાં ચાર વર્ષ વ્યતીત થઈ ગયાં છતાં પણ તેમનાં માતુશ્રીએ પુત્ર મોહના કારણે દીક્ષા લેવાની અનુમતિ આપી નહિ. દઢવૈરાગી આત્માઓને ગમે તેટલી મુશ્કેલી પડે છતાં પોતાના નિર્ણયમાંથી પાછા હટતા નથી તે પ્રમાણે નવ યુવાન મંગળજીભાઈ સ્વયં દીક્ષિત થવાના દૃઢ વિચાર પર આવ્યા. તે વખતે તેમની ઉંમર ૨૪ વર્ષની હતી. કચ્છમાંથી સીધા રાજકોટ આવ્યા. ત્યાં રજોહરણાદિક સંયમી જીવનમાં ઉપયોગી એવાં ઉપકરણો મેળવી ત્યાંથી સીધા જેતપુર (કાઠીનું) (જિલ્લા રાજકોટ) પહોંચ્યા કારણ કે તે શહેર પૂર્વ પરિચિત હતું. જેતપુર શહેરની બહાર ફૂલવાડી છે ત્યાં પધાર્યા. સંવત ૧૯૩૪ના આસો સુદિ પંચમીના મંગલ પ્રભાતે જેતપુર શહેરની બહાર તે જ ફુલવાડીમાં ગૃહસ્થાશ્રમનો પોશાક ઉતારી મુનિવેશ ધારણ કર્યો. ત્યાર બાદ પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી બે હાથ જોડી વિહરમાન જિનરાજ શ્રી સીમંધર સ્વામીને ત્રિકરણ શુદ્ધિએ વંદના નમસ્કાર કરી પ્રભુ આજ્ઞા માગી, પંચમુઠી કેશલુંચન કરી કરેમિભંતેનો પાઠ ઉચ્ચાર્યો અર્થાત્ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું અને તે જ સ્થળે ધ્યાનમાં જોડાયા. જ ધર્મને વાયદા ઉપર રાખનારને આમાંથી મોટો બોધ મળી શકે છે, પૂ. મહારાજ શ્રી સમજતા હતા કે ધર્મના કામમાં ઢીલ ન હોય શુમસ્ય શીઘ્રમ | સારું કામ જલદી કરવું જ્યારે હીણા કામમાં ઢીલ કરવી. મહાન વૈરાગી શ્રી મંગળજી સ્વામી સમજતા હતા કે ધર્મના કાર્યમાં ‘Delay is dangerous.' તેઓશ્રીનો નિર્ણય ખૂબ જ સ્તુત્ય છે અને તેમના તરફ આપણું મસ્તક અહોભાવથી નમી પડે છે. તે સમયે જેતપુર નિવાસી વીશા શ્રીમાળી દોશી હંસરાજ જેરામભાઈ કોઈ કાર્ય પ્રસંગે અનાયાસે ત્યાં આવેલા મંગળજી સ્વામીને દીક્ષિત થયેલા જોઈ આશ્ચર્ય સાથે સહર્ષ પ્રમોદભાવે વંદન કર્યું અને શહે૨માં જઈ સંઘને મંગલ વધાઈ આપી. તે જ વખતે ત્યાં ચાતુર્માસ બિરાજતા મહાસતી નાનબાઈ આર્યજી આદિ ઠાણા૩ તથા સકળ સંઘ નવદીક્ષિત મુનિરાજને વંદન કરવા માટે ફૂલવાડીમાં આવ્યાં. સહર્ષ વિધિપૂર્વક વંદન કરી શ્રી સંઘે શહે૨માં પધારવાની વિનંતી કરી અને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦) શ્રી મંગળજી સ્વામી ભાવભીના સ્વાગત સાથે નવદીક્ષિત તમે જ સ્વયંદીક્ષિત એવા મુનિરાજની શહેરમાં પધરામણી કરાવી. નવદીક્ષિત મુનિરાજ ઉપાશ્રયમાં પધાર્યા અને તરત જ વ્યાખ્યાન આપ્યું. તેમના અભુત ત્યાગ અને સચોટ બોધથી એવી ઉમદા અસર થઈ કે પ્રથમ દેશનામાં તે જ વખતે હંસરાજભાઈ દોશી વગેરે ચાર દંપતીઓએ આજીવન ચતુર્થવ્રત અંગીકાર કર્યું જેથી સંઘમાં અપૂર્વ આનંદ વ્યાપી ગયો. સાચા ત્યાગી અને ઉત્કૃષ્ટ વૈરાગી આત્માના ઉપદેશની કેવી જાદુઈ અસર થાય છે તે ઉપરનાં પ્રસંગ ઉપરથી જાણી શકાય છે, તેથી જ અનુભવીઓએ કહ્યું cô } “Coming events cast their shadows before.” (2120 કહેવત.) અર્થાત મહાપુરુષોનાં લક્ષણો પહેલેથી જ દેખાઈ આવે છે. આ શુભ સમાચાર તે જ દિવસે જેતપુરના શ્રી સંઘે રાપર લખી જણાવ્યા તે શુભ સમયે ગીતાર્થ ગુરુદેવ શ્રી શિવજી સ્વામીનું ચાતુર્માસ રાપરમાં જ હતું. રાપર પત્ર આવ્યો. શ્રી સંઘના અગ્રણી શ્રીયુત થાવરભાઈ તથા પ્રેમચંદભાઈ પત્ર લઈ ઉપાશ્રયે ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી પાસે આવ્યા, વંદન કરીને બેઠા. શ્રી સંઘને બોલાવ્યો, મલ્લિભાઈને પણ ત્યાં બોલાવ્યાં. ગુરુમહારાજ સમક્ષ શ્રી સંઘમાં કાગળ વાંચી સંભળાવ્યો. પત્ર સાંભળીને તે જ વખતે મલિબાઈએ ગીતાર્થ ગુરુદેવ પ્રત્યે હાથ જોડી નમ્રભાવે વંદન કરી કહ્યું, “ગુરુદેવ ! હવે નિરુપાય છું. આપ શ્રી સુખેથી તેમને ભાગવતી દીક્ષા આપો. મારી આજ્ઞા છે.” ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી આદિ ઠાણા-૨ ચાતુર્માસ પૂર્ણ કરી રાપરથી વિહાર કરી રણ ઊતરી સૌરાષ્ટ્રમાં પધાર્યા અને જેતપુર મુકામે નવદીક્ષિત મુનિરાજ શ્રી મંગલજી સ્વામીને વિધિપૂર્વક મોટી દીક્ષા આપી અર્થાત્ છેદોસથાપનીય ચારિત્રનું આરોપણ કર્યું અને પોતાના સુશિષ્ય શાન્તમૂર્તિ નાનચંદ્રજી સ્વામીને શિષ્યપણે યોગાનુયોગ આ ત્રિપુટી એક જ ગામની હોવાથી ત્યારે ભારે આનંદ મંગળ વર્તાતું : સંવત ૧૯૩૫ની સાલનું ચાર્તુમાસ ત્રિપુટી મુનિરાજોએ ધોરાજીમાં કર્યું. ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામીને પોતાના આયુષ્ય સંબંધી ત્રણ દિવસ પહેલાં સ્વયં અગમચેતી થવાથી ત્રણ દિવસનું અનશન આદરી કાર્તિક સુદિ ૧૧ના દિવસે આરાધનાપૂર્વક સમાધિભાવે કાળધર્મ પામ્યા. પોતાના આયુષ્યનો ખ્યાલ આગળથી જ આવી જાય તે પણ મહાપુરુષોના જીવનમાં જ બને. બાકી સામાન્ય આત્માને આવો ખ્યાલ ક્યાંથી આવી શકે ? Page #214 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૦૧ ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી કાળધર્મ પામ્યા તે વખતે તેમની પાસે ભાવદિક્ષિત તરીકે માણકચંદભાઈ હતા. તેમને સંવત ૧૯૩૬ની સાલમાં રાપર મુકામે શાન્તમૂર્તિ નાનચન્દ્રજી સ્વામીએ ભાગવતી દીક્ષા આપી અને મંગલજી સ્વામીના શિષ્ય બનાવ્યા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માણેકચંદજી સ્વામીની જન્મભૂમિ પણ રાપરની જ હતી. સંવત ૧૯૪૦ની સાલમાં ધોલેરા બંદરે લાધાજી સ્વામીની દીક્ષા આપી અને માણેકચંદજી સ્વામીના શિષ્ય બનાવ્યા. અહીં એ નોંધપાત્ર છે કે લાધાજી સ્વામી પણ રાપરના જ હતા. શાન્તમૂર્તિ મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી, મંગલજી સ્વામી, માણેકચંદજી સ્વામી, લાધાજી સ્વામી ઠાણા-૪ કચ્છ તરફ પધારતા હતા અને તેવામાં અકસ્માત શાન્તમૂર્તિ નાનચંદ્રજી સ્વામીને નાકમાં રતવા થવાથી સંવત ૧૯૪૦ના પોષ સુદિ ૧૧ના રોજ આરાધનાપૂર્વક મોરબીમાં કાળધર્મ પામ્યા. એ તે વખતે શ્રી મંગલજી સ્વામી માત્ર પાંચ વર્ષના પ્રવ્રજિત હોવા છતાં પ્રવર્તકપણાની જે જે ફરજો કહેવાય તે સ્વયં શક્તિથી ધારણ કરી વિચારવા લાગ્યા. તેમણે સંવત ૧૯૪૨ની સાલમાં વઢવાણ કેમ્પમાં મહારાજ શ્રી કૃષ્ણજી સ્વામીને દીક્ષા આપી. સંવત ૧૯૪૬ની સાલમાં ધોલેરા બંદર મધ્યે તપસ્વી મ. શ્રી પ્રાગજી સ્વામીને દીક્ષા આપી. ૧૯૫૦ના વૈશાખ સુદિ ૧૦ના શુભદિવસે કચ્છ ચંદીઆ મુકામે બહુસૂત્રી તપસ્વી મ.શ્રી શામજી સ્વામીને દીક્ષા આપી. ૧૯૫૨ની સાલમાં કચ્છ વાગડમાં ગામ રવ મધ્ય અમીચંદજી મહારાજને દીક્ષા આપી. સંવત ૧૯૫૩ની સાલમાં વાંકાનેર મુકામે પંડિત મુનિ શ્રી હીરાચંદજી સ્વામીને દીક્ષા આપી. નથુજી સ્વામી પણ તે જ સાલમાં કચ્છ અંજાર મુકામે દીક્ષિત થયા તેમ જ ૧૯૬૦ની સાલમાં કચ્છ તુંબડી મુકામે અનુપચંદજી સ્વામીને અને તે જ સાલમાં માંડવી બંદર મધ્યે લાલચંદજી મહારાજને દીક્ષા આપી. Wવીર શ્રી મંગલજી સ્વામીનો પુનિત વિહાર પ્રાયઃ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ હતો. તેમની દેહાકૃતિ સુંદર હતી, પ્રકૃતિના શાન્ત, સરલ અને મધુર હતા. તેમનું વ્યાખ્યાન શ્રોતાઓને આકર્ષક અને રસભર્યું લાગતું હતું. તેમના સંયમી જીવન પ્રત્યે લોકોનો ઘણો પૂજ્યભાવ હતો. પોતાની સંયમયાત્રા નિરાબાધપણે નિર્વહતા થકા સંવત ૧૯૭૨ની સાલનું ચાતુર્માસ (કચ્છ) વાગડમાં લાકડિયા મુકામે હતું. એ ચાતુર્માસમાં સાત ઠાણા હતા. અષાઢ વદિ ૧૨ની રાત્રે સાડા નવ વાગ્યા સુધી હંમેશના નિયમ મુજબ સ્વાધ્યાયમાં જોડાયેલા હતા. સ્વાધ્યાયનો કાળ પૂરો થવાથી દરરોજના પોતાના નિયમાનુસાર Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી સાગારી અનશન (સંથારો) આદરી શયન કરવાની તૈયારી કરે છે તેવામાં દેહચિંતાનું કારણ બન્યું. તે કારણ પતાવી પાટે બિરાજ્યા તેવામાં અકસ્માત્ શ્વાસની અસર જણાઈ, જેથી પાટ પર થોડો વખત બિરાજ્યા. શ્વાસ શાન્ત પડ્યો એટલે હે પ્રભો ! એમ મુખેથી ઉચ્ચાર કરી શયન કર્યું અને તે જ વખતે સમાધિભાવમાં આરાધનાપૂર્વક મંગલ મૃત્યુને વધાવી પોતાની પાછળ નવ શિષ્યોનું મુનિમંડળ મૂકી સ્વર્ગવાસ પામ્યા. ચોવીસ વર્ષની વયે દીક્ષા લીધી, ૩૮ વર્ષ પ્રવ્રજ્યા પાળી, કુલ્લ ૬૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં તેમના સદ્બોધથી શ્રી સંઘોમાં ઘણી ધર્મારાધનાઓ થયેલી, તેમનું જીવન જ મંગલમય હોવાથી પોતાના નામને સાર્થક કરી શાસનની શોભા વધારી. * સુવર્ણયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી “ભાગ્યશાળીઓથી ભવ્ય બનતી ભોરારા ભૂમિ’ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામમાં શ્રવણ ભારમલ દેઢિયા નામના સગૃહસ્થ રહેતા હતા. તેઓ સરળ સ્વભાવી હતાં. તેમનાં ધર્મપત્નીનું નામ આશઈબાઈ હતું. તેઓ સુશીલ અને સદ્ગુણી હતાં. તેમની જ્ઞાતિ વીસા ઓસવાળ હતી. શ્રવણભાઈના દાદા નારદ શાહના નામ ઉપરથી નારનિયા ફળિયું પ્રસિદ્ધિ પામ્યું હતું. ગૃહસ્થાવાસના ફલસ્વરુપ તે દંપતીને ચાર પુત્રો તથા એક પુત્રીની પ્રાપ્તિ થઈ, જેમનાં નામ અનુક્રમે (૧) નરપાળ (૨) ગણપત (૩) વીરજી (૪) જીવરાજ તેમ જ પુત્રી મુળીબાઈ. ચારિત્રનાયક શ્રી ગણપતકુમારનો જન્મ વિ.સં. ૧૯૨૧ના જેઠ સુદ બીજના દિવસે અને વીરજીભાઈનો જન્મ વિ.સં. ૧૯૨૬ના શ્રાવણ વદિ સાતમના દિવસે થયો હતો. રામ-લક્ષ્મણની જોડીની જેમ આ બન્ને ભાઈઓ ચબરાક અને તેજસ્વી હતા તેમ જ બન્નેને એકબીજા વિના જરાય ચાલતું નહિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૦૩ ખાવું-પીવું, સૂવું-બેસવું, હરવું-ફરવું વગેરે બધી ક્રિયાઓમાં તેઓ બન્ને સાથે ને સાથે જાણે જીવ એક અને ખોળિયા બે. 'ઘોડિયા લગ્ન નક્કી થયા પરંતુ.....D તે અરસામાં “ઘોડિયા લગ્ન' એ આબરુનો સવાલ ગણાતો હતો. મોટા ભાગનાં લગ્નો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકો વચ્ચે જ નિર્ણત થઈ જતા. તેનાં કેટલાંક સારાં પરિણામો આવતાં તથા કેટલાક દુઃખદાયી પણ નીવડતાં. છતાં જૂના જમાનામાં લગ્ન જીવનની જે ભાવના હતી તે આજે આપણે સુધરેલા ગણાતા સમાજમાં જોઈ શકતા નથી, તે પણ કાળની એક બલિહારી જ ગણી શકાય. ગણપતકુમાર બે વર્ષના થયા ત્યાં તો તેમના ગામથી ત્રણ કિલોમીટર દૂર ગુંદાલા ગામે તેમનું સગપણ કરવામાં આવ્યું. ગુંદાલાના રાંભિયા ફળિયામાં રહેતા રાંભિયા દેવાભાઈ પાંચારિયા મૂળજીની સુપુત્રી મેઘઈબાઈ ગણપતભાઈની ભાવિ જીવનસંગાથી નિર્મીત કરવામાં આવી, પણ કુદરતને તે મંજૂર ન હતું. ગણપતકુમાર દશ વર્ષની ઉંમરના થતાં સંવત ૧૯૩૧ના માગશર વદિ૧૩ના તેમનું શિરછત્ર ઝૂટવાઈ ગયું. શ્રવણભાઈ આ ફાની દુનિયાનો ત્યાગ કરી સ્વર્ગવાસી થયા. પિતાના આકસ્મિક વિયોગથી ગણપતકુમારને બહુ દુઃખ લાગ્યું. વૈરાગ્યવાસી આત્માઓને આવા નિમિત્તો વૈરાગ્યભાવ પ્રગટ થવામાં નિમિત્તભૂત બને છે. ગણપતકુમારને સંસાર અસાર લાગ્યો. મીલા હે માન ભારત કો, ઉન્હીં સતીયોંકી શક્તિ પર ! ટીકે હૈ ચાંદ ઔર સૂરજ, ઉન્હીં સંતોકી શક્તિ પર | પ્રતિદિન ઉપાશ્રયે જવાથી તેમની વૈરાગ્યભાવનામાં સિંચન થયું. મોટા પુરીબાઈ આર્યાજીના ઉપદેશથી તેમનામાં જાગૃતિ આવી. ધર્મનું સ્વરુપ સમજાયું અને ચારિત્ર્ય-સ્વીકાર કરવાની ભાવના જાગી. ધર્મશ્રદ્ધા પ્રતિદિન બલવત્તર બનતી ગઈ અને ધર્મપરાયણ જીવન જીવવાનું શરુ કર્યું. મહાસતીજી મોટા પુરીબાઈ આર્યાજી, મહા. રયાંબાઈ આર્યાજીના પરિવારનાં હતાં. તે વખતે કચ્છમાં મહાસતીજીઓ વધારે વિચરતાં, સાધુઓ ઓછા રહેતા જેના કારણે કચ્છમાં ધર્મભાવના ટકાવવાનો યશ સાધ્વીજીઓના ફાળે જાય છે. ગુરુજી મળ્યા રે જ્ઞાનવાળા....... દિયાનાં તાળાં ઉઘડ્યા રે જી..... વિ.સં. ૧૯૩૩ની સાલમાં પરમપ્રભાવક પૂજ્યપાદ શ્રી દેવજી સ્વામીના શિષ્ય પૂજયશ્રી નથુજી સ્વામી તથા વિદ્યાભૂષણ મા.શ્રી નાના કાનજી સ્વામી આદિ ઠાણાઓ ભૂમિતળને પાવન કરતાં કરતાં કચ્છમાં પધાર્યા અને વિ.સં. ૧૯૩૪માં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી ભોરારાની ભૂમિને પાવન કરી. પૂજયશ્રી નથુજી સ્વામી ઉપદેશ આપવામાં ખૂબ જ કુશળ હતા અને સાથે ઉપદેશાનુસાર જીવન જીવતા હતા જેથી તેમના ઉપદેશની ધારી અસર થતી હતી. જેમ ભૂખ્યાને મિષ્ટ ભોજન અને તરસ્યાને મધુર જળની પ્રાપ્તિ થાય તેમ ગણપતભાઈ તેમ જ વીરજીભાઈ બન્નેને સદ્ગુરુના સમાગમથી અને તેમના ઉપદેશથી અતિ હર્ષ થયો. તેઓ બન્નેએ ગુરુદેવની જ્ઞાનગંગાનો યથેચ્છ લાભ લીધો. બન્ને બંધુઓની સંયમ સ્વીકારવાની ભાવના વિશેષ ઉત્કટ બની. પારસમણિના સંગથી જેમ લોઢું પણ સોનું બની જાય તેમ ગુરુદેવના સહવાસથી ગણપતભાઈના સમગ્ર જીવનમાં પરિવર્તન થઈ ગયું. હવે તો સાંસારિક કાર્યો તેમને હરપળે શલ્યની માફક ખૂંચવા લાગ્યા. જ્યારે પૂજય શ્રી નથુજી સ્વામીએ ભોરારાથી વિહાર કરવાની તૈયારી કરી ત્યારે ગણપતભાઈને પૂજ્યશ્રીની સાથે ધાર્મિક અભ્યાસ કરવા જવાની ઈચ્છા થઈ. તેમણે પોતાની તે મનોભાવના વડીલબંધુ નરપાળને જણાવી. માતાને પણ તે વાત જણાવી અનુમતિ માગી. બન્ને વડીલોએ વિચાર કર્યો કે આપણા જ પ્રદેશમાં અને આપણા જ સગાઓના ગામમાં પૂજ્યશ્રી સાથે ગણપત ફરે અને ધાર્મિક અભ્યાસ કરે તે તો લાભદાયી છે. વળી દીકરી વિદ્વાન થશે તો ઘરની ને કુટુંબની પ્રતિષ્ઠા વધશે. આવા આશયથી તેમણે બન્નેએ રજા આપી. ગણપતભાઈ પૂજ્ય શ્રી સાથે અભ્યાસ કરવા ચાલી નીકળ્યા પણ કુદરતને હજી તેમની કારમી કસોટી કરવાની બાકી હતી. “સારા કામમાં સો વિદન'' એ ઉક્તિ અનુસાર પૂજયશ્રી નથુજી સ્વામી સાથે અભ્યાસ કરવા માટે ગણપતભાઈ ગયાના સમાચાર તેમના કાકાના દીકરા પેથાભાઈને મળ્યા. તેમને થયું કે ગણપત હવે દીક્ષા લઈ લેશે એટલે તેઓ ભરોરા આવ્યા અને નરપાળભાઈને ઠપકો આપ્યો. ભદ્રિક સ્વભાવના નરપાળે તેમનું કથન સ્વીકારી લીધું અને ગણપતભાઈને પાછા લાવવા બન્ને જણા મુન્દ્રા ગયા. ગણપતભાઈને આડુંઅવળું સમજાવી ભોરારા પાછા લઈ આવ્યા. તેઓ ઘરે આવ્યા તો ખરા પણ પોતાનું મન તો ગુરુદેવની પાસે મૂકતા આવ્યા હતા. તેમનું અંતઃકરણ ગુરુમહારાજનો સહવાસ ઝંખતું હતું. એટલે સમય જોઈ ગણપતભાઈ ગૂપચૂપ ઘરેથી નીકળી ગયા અને ગુરુમહારાજને મળ્યા. આ રીતે થોડા દિવસ વીત્યા તેવામાં પેથાભાઈ પુનઃ આવ્યા અને સમજાવીપટાવીને ગણપતભાઈને ઘરે તેડી ગયાં; છતાં જળની માછલીને જેમ જળ વિના Page #218 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૦૫ ન ચેન ન પડે તેમ ગુરુ-સહવાસના આનંદી ગણપતભાઈને ઘરે જરાય મન ખેંચ્યું નહિ. ફરી લાગ મળતાં તેઓ ગુરુમહારાજ પાસે પહોંચી ગયા. આ રીતે ઉપરાઉપરી ગણપતભાઈ ગુરુમહારાજ પાસે ચાલ્યા જતા હોવાથી પેથાભાઈ અને નરપાળભાઈએ વિચાર કર્યો કે, ગણપત હવે ભોરારામાં તો રહેશે જ નહિ. વળી મોકો મળતાં નાસીને ગુરુ પાસે ચાલ્યો જશે, માટે હવે તેને સંકજામાં રાખવો તેથી તેને તેની ફઈ આસુડીબાઈને ત્યાં કુંદરોડી રાખવાનો નિશ્ચય કર્યો. આ સમાચાર તેમણે કુંદરોડી મોકલાવ્યા એટલે તેમના ફુઆ હીરા ડાયાણી તથા આકુડીબાઈ ભોરારા આવ્યાં. પેથાભાઈ અને ન૨પાળભાઈ બન્ને જઈને ગણપતને સમજાવીને પાછા ઉપાડી લાવ્યા. ફઈબાને સોંપીને તેને કુંદરોડી મોકલાવી દીધા. ફઈબાએ અહીં તેમના પર સારો કબજો રાખ્યો અને સંસારમાં ચિત્ત ચોટે તે માટે અનેકવિધ ઉપાયો અને પ્રલોભનો આપવા માંડ્યા પરંતુ ફણીધર જેમ કાંચળીનો ત્યાગ કર્યા પછી તેના સામું જોતો નથી, મોર પોતાના પીછાંનો ત્યાગ કર્યા પછી તેના પ્રત્યે મોહ ધરાવતો નથી તેમ દરેક પ્રલોભન અને ઉપાય ગણપતભાઈને સાંસારિક પ્રેમ જન્માવવામાં નિષ્ફળ નીવડ્યા. પ્રસંગવશાત્ ફઈના દીકરા મૂળજીભાઈને જણાવીને કુંદરોડીથી તેઓ ચાલી નીકળ્યા અને જ્યાં પૂજ્ય શ્રી નથુજી સ્વામી બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. ફઈબાએ આ સમાચાર ભોરારા મોકલાવ્યા. વળી ક્રોધથી ધમતા પેથાભાઈ અને નરપાળભાઈ પરાણે ઘણી મુશ્કેલીથી ગણપતભાઈને ઘરે લઈ આવ્યાં. નદીના પ્રવાહને ગમે તેટલો રોકીએ છતાં આવરણ દૂર થતાં જ તે પૂર્વવત્ આગળ વહેવા લાગે છે તે ગણપતભાઈનો મનપ્રવાહ ગુરુમહારાજના સાનિધ્ય તરફ હતો. મોકો મળતાં જેમ પોપટ પાંજરામાંથી છટકી જાય તેમ ગણપતભાઈ પાંચમી વાર ચાલી નીકળ્યા અને માંડવી (કચ્છ) પહોંચી જઈ ગુરુદેવના સાનિધ્યમાં રહ્યા. પૂજ્યશ્રી નથુજી સ્વામીને લાગ્યું કે, આવી રીતે ગણપત વારંવાર નાસી આવે અને તેના કુટુંબીઓને હેરાન થવું પડે તે ઠીક નહિ, માટે જો ગણપતનો દીક્ષા લેવાનો સાચો ભાવ જ છે તો તેના વડીલોની લેખિત સંમતિ મેળવી લેવી. આવો ઊંડો વિચાર કરી તેઓશ્રી વિહાર કરતાં કરતાં ભોરારા આવી પહોંચ્યા. સાથે ગણપતભાઈ તો હતા જ. ભોરારા આવી ગણપતભાઈએ પોતાના વડીલબંધુ નરપાળ પાસે દીક્ષા લેવાની ભાવના જણાવી અને તે માટે તેમની અનુમતિ માગી. તેમના માતુશ્રી વિ.સં. ૧૯૩૫નાં કારતક વદ-૯ના સ્વર્ગવાસી થઈ ગયા હતાં તેથી મોટાભાઈની આજ્ઞા માગી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી હવે ગણપતભાઈની કપરી કસોટીનો કાળ આવી રહ્યો હતો. નરપાળે ગણપતને વિવિધ રીતે સમજાવ્યો કે દીક્ષાની વાત કરવી સહેલી પણ પાળવી દુષ્કર છે. દીક્ષા એ તો તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર કામ છે. મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું કપરું કર્તવ્ય છે. દીક્ષિત વ્યક્તિને કેશલુંચન કરવું પડે, ભિક્ષા માટે ઘરે ઘરે ફરવું પડે, ગમે તેવો આહાર મળે પણ વાપરવો પડે. ઉઘાડે પગે અને ઉઘાડે માથે સખત તાપ કે ટાઢમાં વિહાર કરવો પડે, બાવીશ પરીષહો સહેવા પડે. આ બધી મુશ્કેલી તને અત્યારે સમજાશે નહિ, વળી તારી ઉમર પણ નાની છે. સંસારની હવા હજી તને સ્પર્શી નથી માટે ધર્મ કરવો હોય તો ઘરે બેસીને કર અમે બધી અનુકૂળતા કરી આપશું. મોટાભાઈના ખૂબ સમજાવવા છતાં ગણપતભાઈની ભાવનામાં ફેરફાર ન થયો. આ સમયે વીરજીભાઈએ પણ ગણપતભાઈના માર્ગે જવાનો પોતાનો વિચાર પ્રદર્શિત કર્યો, “જે નિશ્ચય ગણપતભાઈનો તે જ નિશ્ચય મારો.” એવો સ્પષ્ટ જવાબ વીરજીભાઈએ જણાવવાથી નરપાળભાઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. આ રકઝકમાં પેથાભાઈનો પિત્તો ઊછળી આવ્યો અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં બન્નેને જણાવી દીધું કે અમે કોઈ પણ ભોગે તમને દીક્ષા લેવા નહિ દઈએ. અમારું નહિ માનો તો કૂવામાં નાખી દઈશું પણ સાધુ તો નહીં જ થવા દઈએ. આ બીકની કંઈ અસર ન થઈ. ગણપતભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, જીવતો રહીશ તો સાધુ થઈશ. જો કૂવામાં નાખશો અને આ દેહનો અંત આણશો તો હું કંઈ કહેતો નથી, પણ જીવીશ તો સાધુવેશમાં જ જીવીશ. (આર્યાવૃત્તમ) सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । __नेन्दुस्त्यजति कलंक, नोज्झति वडवानलं सिन्धुः ॥ અર્થ: જેમ ચન્દ્ર પોતાના કલંકનો તથા મહાસાગર પોતાના પેટાળમાં રહેલા વડવાનલનો ત્યાગ કરતા નથી તેવી રીતે પુરુષો એક વાર સ્વીકારેલ નિર્ણયને ક્યારે પણ તજતા નથી. આવી રીતે જ્યારે તેમણે પોતાનો દઢ નિર્ણય મોટાભાઈને જણાવી દીધો ત્યારે પેથાભાઈને રગે રગમાં ક્રોધ વ્યાપી ગયો. તેઓ ગણપતને તેના કાકા દેવુ ભારમલની વાડીએ (પ્રાગપુરની બાજુમાં) લઈ ગયા અને અનેક પ્રકારે સમજાવ્યો છતાં ગણપતભાઈ મક્કમ રહ્યા ત્યારે પેથાભાઈએ એક મજબૂત દોરડું મંગાવી, તેની કેડે બાંધી કૂવામાં ઉતાર્યા અને પાણીની સપાટી સુધી પહોંચાડ્યા. “હવે છોકરો Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ આ છે અણગાર અમારા માની જશે તેવા વિચારથી પેથાભાઈએ ગણપતને પૂછયું, બોલ શું વિચાર છે? સાધુ થવાનું બંધ રાખ તો કૂવામાંથી કાઢીએ નહિતર પાણીમાં ડૂબાવી દઈશું.” હાથી ઘણી ગર્જના કરે પણ સિંહ ભયભીત ન બને, પવન ઘણો જોરાવર હોય તો પણ પર્વતને ચલાયમાન ન કરી શકે તેમ પેથાભાઈએ ઘણી બીક દેખાડી છતાં સિંહ જેવા સાહસિક અને પર્વત જેવા સ્થિર ગણપતભાઈને તેની કશી અસર ન થઈ. તેમણે તો એક જ રટણ ચાલુ રાખ્યું, “જીવતો રહીશ તો સાધુ થઈશ” “માત્ર ચૌદ વર્ષની ઉંમરે આટલી દ્રઢતા એ પૂર્વભવના મહાન સંસ્કાર વિના ન રહી શકે.” આ ઉપાયોમાં નિષ્ફળતા મળવાથી પેથાભાઈએ નરપાળને કહ્યું કે, આપણે આ રીતે તો ફાવ્યા નહિ પણ બીજી રીતે તેને દીક્ષા લેતો અટકાવીશું એમ વિચારી ગણપતભાઈને કૂવામાંથી બહાર કાઢ્યા અને ઘર તરફ ચાલ્યા. રસ્તામાં “ભૂખી” નદી આવતી હતી. વૈશાખ માસ હતો. મધ્યાહ્નનો સમય હતો. રેતીના કણિયા અંગારા જેવા તપી ગયા હતા. ઉઘાડાપગે ચાલી શકાય તેમ ન હતું. તેવી અંગારા જેવી ગરમ રેતીમાં ગણપતભાઈને ખુલ્લા શરીરે સુવાડ્યા. છતાં રાજહંસ ભૂખ્યો રહે પણ સાચાં મોતી સિવાયનો ચારો ન ચરે તેમ ગણપતભાઈએ પોતાની ટેક ન છોડી. તેમનો એક જવાબ હતો, “જીવતો રહીશ તો સાધુ થઈશ.” બીજા ઉપાયમાં પણ નિષ્ફળતા મળવાથી તેઓએ ગણપતભાઈને ઘરે લાવી એક ઓરડામાં પૂરી દીધા. ખાવા-પીવાનું નામ નિશાન નહિ. એક દિવસ ગયો. બીજા દિવસ વિત્યો, ત્રીજો દિવસ પણ પસાર થઈ ગયો, છતાં નહિ અરેકારો, નહિ દુ:ખની ચીસ કે નહિ કોઈ જાતનો વલોપાત. ચોથે દિવસે બારણું ખોલીને પૂછયું, “શો વિચાર છે?” ત્યારે એ જ જવાબ મળ્યો, “જીવતો રહીશ તો સાધુ થઈશ.” મહાયોગી ભર્તુહરિએ નીતિશતકમાં કહ્યું છે, घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुखण्डम् ।। तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णं । प्राणान्तेपि प्रकृतिर्विकृतिः जायते नोत्तमानाम् ॥ ભાવાર્થ ચંદનને ફરી ફરીને ઘસવાથી વધારે સુગંધ આપે છે. શેરડીને વધારે છેદવાથી ખૂબ જ મીઠાશ આપે છે. સોનાને વારંવાર તપાવવાથી વધારે ઉજ્જવળ બને છે તેમ મહાપુરુષોને પ્રાણાન્ત કષ્ટ આવે છતાં તેમની પ્રકૃતિમાં ક્યારેય વિકૃતિ આવતી નથી અર્થાત્ પોતાના ધર્મથી ક્યારેય ચુત થતા નથી. આ શ્લોકના ભાવાર્થને ગણપતભાઈએ અક્ષરશઃ ચરિતાર્થ કરી બતાવ્યો. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી આમ પેથાભાઈ અને નરપાળભાઈને દરેક પ્રયાસોમાં નિષ્ફળતા મળી એટલે ગામના તથા જ્ઞાતિના આગેવાનોએ અને કુટુંબીજનોએ તેમને જણાવ્યું કે ગણપતની દીક્ષા લેવાની આટલી તીવ્ર ઈચ્છા છે, તો તમે હવે તેને વધારે હેરાન ન કરો અને રાજીખુશીથી દીક્ષા અપાવો. તેમાં તમારું તથા તેનું બન્નેનું હિત છે. આ કથનની પેથાભાઈ અને નરપાળ ઉપર સારી અસર થઈ. ચુંદડી ઓઢાડી અરે શ્રવણભાઈના લાલ તે કમાલ કરી.....” નરપાળભાઈ પોતાના ભાઈને દીક્ષા આપવાનો વિચાર કરે છે તે દરમ્યાન શ્રી ગણપતભાઈ ગુંદાલા પહોંચી ગયા અને જે મેઘબાઈ સાથે પોતાનું સગપણ થયું હતું તેમને ચુંદડી ઓઢાડી કહ્યું કે, “આજ થી જ તું મારી બહેન છે.” તેમનાં સાસુએ જમવાનો આગ્રહ કર્યો એટલે તેમને ત્યાં ભોજન કરી ભોરારા પાછા આવી વડીલ બંધુને સર્વ હકીકત જણાવી અને વિશેષમાં જણાવ્યું કે “મને દીક્ષા લેવામાં અંતરાય ન પાડો.” સમય-સંયોગો વિચારી છેવટે નરપાળભાઈએ ગણપતભાઈને તેમ જ વીરજીભાઈને લીંબડી સંપ્રદાયના ધોરણ મુજબ દીક્ષા લેવા માટે શ્રી સંઘ સમક્ષ અનુમતિ લખી આપી. સોનું કષ, છેદ અને તાપ એમ ત્રિવિધ કસોટીમાંથી પસાર થાય છે ત્યારે જે તે શુદ્ધ કંચન બને છે તેમ શ્રી ગણપતભાઈ પણ પાંચ-સાત વખતની આકરી કસોટીમાંથી પસાર થયા અને સાધુજીવનમાં શુદ્ધ કંચનની માફક ઝળકી ઊઠ્યા તે આગળ વાંચવાથી ખ્યાલ આવી શકશે. મહાભિનિષ્ક્રિમણના માર્ગે આગે કદમ..... રંકને ચિંતામણિ રત્ન મળે, દરિદ્રને રાજવી પદ મળે અને જેવો આનંદ થાય તેવો આનંદ દીક્ષા માટે અનુમતિ મળવાથી બંન્ને ભાઈઓને થયો. ગુરુમહારાજ પાસે બંન્ને ભાઈઓ સ્થિરતાથી અભ્યાસ કરવા લાગ્યા. સંયમ લેવા માટે લીલી ઝંડી મળી ગઈ હતી. સંવત ૧૯૩૫નું ચાતુર્માસ મુન્દ્રામાં પૂર્ણ કરી પૂજ્ય શ્રી નથુજી સ્વામી તથા મ. શ્રી નાના કાનજી સ્વામી ઠાણા-ર ભોરારા પધાર્યા અને ત્યાંથી વિહાર કરી લાખાપર પધારતા હતા. તેવામાં માર્ગમાં વીરાણિયા ગામ પાસે કાળો સર્પ પૂજ્યશ્રીની ડાબી બાજુ આડો ઊતર્યો. પૂ. શ્રી નથુજી સ્વામીને ભોરારા પાછા ફરવું ઉચિત ન લાગ્યું એટલે લાખાપર ગયા પણ નાના કાનજી સ્વામીને સખત તાવ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આ છે અણગાર અમારા આવ્યો. એક દિવસની સ્થિરતા કરીને પાછા ભોરારા આવ્યા પરંતુ કાનજી સ્વામીને તાવ તો ચાલુ જ રહ્યો. ભોરારા નાનું ગામ હોવાથી ઔષધોપચારની પૂરી સગવડ ન હતી તેથી મુન્દ્રા જવાનો વિચાર કર્યો. તે વખતે મુન્દ્રામાં આઠ કોટિ મોટી પક્ષના પૂજયશ્રી વ્રજપાલજી સ્વામી બિરાજમાન હતા. તેમને નાના કાનજી સ્વામીની માંદગીના સમાચાર મળ્યા. એટલે પોતાના શિષ્ય પરિવાર સાથે ભોરારા પધાર્યા અને પૂજ્યશ્રી નથુજી સ્વામીને મુન્દ્રા પધારવા માટે આગ્રહ કર્યો. છેવટે સાધુઓ પોતે નાના કાનજી સ્વામીને ડોળીમાં બેસાડી પોતે ઉપાડી મુન્દ્રા લઈ ગયા. તે વખતે ચતુર્વિધ સંઘમાં પરસ્પર સહકાર અને સેવા ભાવનાની વૃત્તિ હતી. સંપ્રદાય-ભેદ કે ગચ્છ-મોહ ન હતો. વૈયાવચ્ચના અવસરે આ ક્યા સંપ્રદાયના છે? કોના શિષ્ય છે? તેવો પક્ષપાત ભર્યો વિચાર આવતો જ નહિ. સાધુ યા સાધ્વીને માટે “પૂજ્ય છે, વૈયાવચ્ચ કરવા યોગ્ય છે.' એ જ માત્ર એક ભાવના હતી અને ઉપકાર બુદ્ધિથી તથા કલ્યાણની કામનાથી સૌ કોઈ પ્રવૃત્તિ કરતા. જયારે આજે સંયોગો જુદા છે. તે ઊતરતા કાળની બલિહારી છે. મુન્દ્રા પહોંચ્યા પછી શ્રી નાના કાનજી સ્વામી માટે અનેક ઔષધોપચારો કરવામાં આવ્યા પણ “તૂટી તેની બૂટી નહિ એ લોકોક્તિ પ્રમાણે વિ.સં. ૧૯૩૬ના માગસર વદિ-રના દિવસે તેઓશ્રી માત્ર ૨૪ વર્ષની ઉંમરે, ૧૪ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા. તેઓ શ્રી કચ્છ ગુંદાલાના વીસા ઓસવાળ હતા, અટક દેઢિયા હતી. સં. ૧૯૨૨ના માગસર સુદિ-રના લીંબડીમાં પૂજ્ય શ્રી નથુજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી અને સૂત્ર-સિધ્ધાંત તેમ જ સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો હતો. તેમણે “નીતિ દીપક શતક' સંસ્કૃત ગ્રંથ બનાવેલ છે. તેમનાં માતુશ્રીએ પણ દીક્ષા લીધી હતી. વિદ્યાભૂષણ મ. શ્રી નાના કાનજી સ્વામીના સ્વર્ગવાસના સમાચાર લીંબડી પહોંચ્યા કે તરત જ પૂજ્ય શ્રી કાનજી સ્વામી, જેઓ તે સમયે આચાર્યપદે બિરાજતા હતા, તેમણે તરત જ મ. શ્રી વીરચન્દ્રજી સ્વામી અને મ. શ્રી આશકરણજી સ્વામીને કચ્છ જવાની આજ્ઞા કરી. તેઓ બન્ને મુનિવરો પણ શીઘ વિહાર કરી પૂજ્ય શ્રી નથુજી સ્વામીને આવી મળ્યા. તેઓ ત્રણે ઠાણા વિહાર કરતાં કરતાં અંજાર (કચ્છ) પધાર્યા. ઐતહાસિક શહેર અંજારમાં દીક્ષા-મહોત્સવ” | કચ્છમાં અંજાર મોટું શહેર છે હો જી”. “હાલોને અંજાર મુજા બેલીડા, જેવા સુપ્રસિદ્ધ લોકગીત અને ભજનો દ્વારા કવિઓએ જેવું માહાત્મય ગાયું Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી છે તેવા તે વખતે ભારે જાહોજલાલીવાળા અંજાર શહેરના સુશ્રાવકોને જાણ થઈ કે પૂજય શ્રી નથુજી સ્વામી સાથે બે દીક્ષાર્થી બંધુઓ છે. તેઓ બન્નેને તુરતમાં જ દીક્ષા આપવાનો પૂજયશ્રીનો ભાવ છે, તો તે લાભ અંજાર સંઘે શા માટે ન લેવો? શ્રી સંઘે પૂજયશ્રીને વિનંતિ કરી અને પૂ. શ્રીએ તે સ્વીકારી. દીક્ષાની તૈયારીઓ થવા લાગી. 'વિરોધીઓના હાથ હેઠા પડ્યા. જે જમાનામાં અંજારમાં જૈન અને જૈનેતરો વચ્ચે ધર્મદ્વિષ વિશેષ પ્રમાણમાં હતો. અંજારના નાગરોનો આવી રીતે જૈનો ધામધૂમપૂર્વક દીક્ષા આપે તે ન રુચ્યું. તેઓ કોઈ પણ પ્રકારે આ રંગમાં ભંગ પડાવવા ઈચ્છતા હતા. તેઓએ એક તરકટ રચ્યું. બન્ને બંધુઓ પૈકી એકની ઉંમર ૧૫ વર્ષની હતી અને વીરજીભાઈની ઉંમર તો ૧૦ વર્ષની હતી એટલે તે નાની ઉંમરના બાળકને ફોસલાવીને દીક્ષા આપે છે તેવો પ્રચાર કરી દીક્ષા અટકાવવી અને એ રીતે જૈનોને બદનામ કરવાનો તેઓએ મનસૂબો કર્યો. તેમાં તેઓને સફળતા મળે તેવું જણાતું હતું. કારણ કે કચ્છ રાજયના કુમાર સગીર વયના હોવાથી યુરોપીયન સગૃહસ્થ હતા. રાજમાં નાગરોની લાગવગ ઠીક હતી તેથી દીક્ષા અટકાવવા ઘણી કોશિશ કરી પરંતુ તેઓ ફાવ્યા નહિ. દીક્ષા જેવા પવિત્ર કાર્યમાં તો વિપ્ન આવતા હોય તો પણ ઉપશમી જાય. નાગર લોકોના મનસૂબાની શ્રી સંઘને ખબર પડી. શ્રી સંઘે પરસ્પર મસલત કરી વીરજીભાઈને કેટલાક પ્રશ્નો પૂછયા. તે પ્રશ્રોના સંતોષકારક જવાબ સાંભળી શ્રી સંઘની શ્રદ્ધા બમણી બની અને વિશેષ ઉત્સાહ તથા અનેરા ભપકાથી દીક્ષામહોત્સવ ઊજવવાની તૈયારીઓ કરવા માંડી. કચ્છના નાનાં-મોટાં અનેક ગામોથી ઘણા ભાવિકો દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પૂજય શ્રી નથુજી સ્વામી આદિ ઠાણા-૩ તથા મહાસતીજી ઠાણા-૧૬ બિરાજતાં હતાં. ભારે દબદબાપૂર્વક વિ. સ. ૨૦૩૬ મહા સુદિ-૧૦ ને ગુરુવારે ઊગતે પહોરે દલાલ માણેકચંદ મોણશીના ઘરેથી દીક્ષાની શોભાયાત્રા કાઢવામાં આવી. સારાયે અંજાર શહેરમાં દીક્ષાની શોભાયાત્રા ફરી દીક્ષા મંડપમાં આવ્યા. લોકોની ઘણી મેદની વચ્ચે વાતાવરણ ભારે ઉલ્લાસમય હતું. તેવા ધન્ય અવસરે બન્ને બંધુઓને પૂજય શ્રીનાથજી સ્વામીએ દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. ગણપતભાઈનું નામ ગુલાબચન્દ્રજી તથા વીરજીભાઈનું નામ વીરજીસ્વામી રાખવામાં આવ્યું. Page #224 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૧૧ નવદિક્ષિત બન્ને મુનિરાજો સાથે પૂ. શ્રી નથુજી સ્વામી નાગલપુરના દરવાજાની બહારની જગ્યામાં પધારતા હતા તે વખેત જ રસ્તામાં કચ્છ રાજ્યના મેનેજર ગુડફેલો સામા મળ્યા અને નવદીક્ષિત સાથે સામાન્ય વાતચીત કરતાં તેઓના પ્રત્યુત્તરોથી તેમના મન ઉપર ઘણી જ સુંદર છાપ પડી. આ રીતે પણ વિરોધીઓના હાથ હેઠા પડ્યા. 'ગુરુદેવને ગાદીપતિ પદ પ્રાપ્ત થયું... પહેલું ચાતુર્માસ અંજારમાં પૂર્ણ કરી પૂજય શ્રી નથુજી સ્વામી તથા બન્ને નવદીક્ષિત ઝાલાવાડમાં પધાર્યા. લીંબડી સંપ્રદાયમાં એવો શિરસ્તો છે કે જ્યારે જ્યારે સંઘાડામાં કંઈક શિથિલતા જણાય અથવા તો દેશ-કાળ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર ઊભી થાય ત્યારે સાધુ સંમેલન યોજવામાં આવે છે. જ્યારે પૂજ્ય શ્રી નથુજી સ્વામી લીબડી પધાર્યા ત્યારે ત્યાં સાધુ સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં ૩૨ સાધુઓનો સમુદાય એકત્ર થયો હતો. સં. ૧૯૩૭ પોષ વદિ ૧૩ ગુરુવારે પૂજ્ય શ્રી નથુજી સ્વામીને ગાદીપતિ પદ આપવામાં આવ્યું. પૂજ્ય શ્રી ઠાણા-૩ સં. ૧૯૩૯માં ભોરારા પધાર્યા. ત્યાં નવદીક્ષિત ગુલાબચન્દ્રજી સ્વામીના બહેન મૂળીબાઈને દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ. તેમનાં સં. ૧૯૩૨માં લગ્ન થયેલા અને ત્રણ વર્ષના વૈવાહિક જીવનબાદ સં. ૧૯૩૫માં વિધવા બન્યા. સંસારની અસારતા વિચારી તેમણે ધાર્મિક જીવન શરુ કરેલ અને તેવામાં સં. ૧૯૩૯માં સુયોગ મળી જતાં તેમણે તથા દેવકુંવરબાઈ અને નાનબાઈ એ ત્રણેએ પૂ.શ્રી નથુજી સ્વામી તથા પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓનાં સાનિધ્યમાં સં. ૧૯૩૯ના મહા વદિ ૪ના દિવસે દીક્ષા અંગીકાર કરી મહાસતીજી મોટા પૂરીબાઈ આર્યાજીના શિષ્યાઓ થયા. આ મૂળીબાઈ આર્યાજીએ સાઠ વર્ષ જેટલા દીક્ષા પર્યાય પાળી સં. ૧૯૯૮ના આસો વદિ-પને ગુરુવારના કચ્છ રતાડિયામાં સ્વર્ગવાસ પામ્યા. તેમને પ્રેમબાઈ આર્યાજી, રતનબાઈ આર્યાજી વગેરે શિષ્યાઓ થયા હતા. જ્ઞાની ગુરુનો વિયોગ... પરોક્ષ કૃપા વરસી... સંવત ૧૯૪૦ની સાલમાં પૂજય શ્રી નથુજી સ્વામી, Wવીર મોટા શ્રી જીવણજી સ્વામી, શ્રી મકનજી સ્વામી, મ.શ્રી લાધાજી સ્વામી (ભોરારાના) મ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા બાલ મુનિ શ્રી વીરજી સ્વામી ઠાણા-૬ લીંબડીમાં ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પૂ. શ્રી નથુજી સ્વામીની તબિયત લથડી. આ Page #225 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૨ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી વખતે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. પૂ. શ્રી નથુજી સ્વામીને પોતાનો અંતિમ કાળ નજીક દેખાણો. વિદ્વાન મોટા જીવણજી સ્વામીને પોતાની પાસે એકાંતમાં બોલાવી પોતાના બન્ને શિષ્યોને માટે ભલામણ કરી. એ સંયમ યાત્રામાં તેઓ બન્ને હર હંમેશ પ્રગતિ કર્યા કરે તે માટે સંભાળ રાખવાનું પણ સૂચન કર્યું. ધીમે ધીમે માંદગી વધતી ગઈ. તેમણે વાત આઠ દિવસ અગાઉ જણાવી દીધી હતી. શ્રાવણ વદિ-૮ જન્માષ્ટમીનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે પોતાનો દેહોત્સર્ગ જાણી આલોયણા કરી, સર્વ જીવોને ખમાવી, સંથારો લીધો. અરિહંત, અરિહંત એવા પવિત્ર સ્મરણપૂર્વક સમાધિમાં લીન થઈ ગયા. બપોરના બે વાગ્યે પિસ્તાલીશ વર્ષનો દીર્ઘ સંયમપર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા. આટલી નાની ઉંમરમાં અચાનક ગુરુદેવનો વિયોગ પડવાથી તરુણમુનિ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા બાલમુનિ શ્રી વીરજી સ્વામીને વજપાત જેવું કારમું દુઃખ થયું પણ જ્ઞાનદ્રષ્ટિથી વિચાર્યું કે.... संयोगो हि वियोगस्य संचूचयति सम्भवम् । अनतिक्रमणीयस्य, जन्ममृत्योरिवागमम् ॥ ભાવાર્થ : જેનું અતિક્રમણ ન થઈ શકે એવો જન્મ જેમ મૃત્યુનું આગમન સૂચવે છે તેમ સંયોગ એ વિયોગના સંભવને સૂચવે છે. આવી રીતે પોતાના મનનું સમાધાન કર્યુ અને આવી પડેલ દુઃખ સમભાવે સહન કરી શાન્તિ જાળવી. 'શાસ્ત્રાભ્યાસ સાથે વિવિધ અનુભવો સંયમ લીધા પછી બન્ને મુનિરાજો શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત રહેવા લાગ્યા. સંવત ૧૯૩૭માં ગુલાબચન્દ્રજી સ્વામીએ લીંબડી ચાતુર્માસમાં શાસ્ત્રી જગજીવન ભટ્ટ પાસે સારસ્વત વ્યાકરણનો અભ્યાસ શરુ કર્યો અને વીરજી સ્વામીએ દશવૈકાલિક વગેરેનું અધ્યયન કર્યું. સંવત ૧૯૩૮માં પૂ. ગુરુદેવ શ્રી નથુજી સ્વામીની આજ્ઞાથી પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી સાથે સાયેલા રહ્યા અને ત્યાં શાસ્ત્રી હરિશંકર શુકલ પાસે સારસ્વત વ્યાકરણ પૂર્ણ કર્યુ તથા સિદ્ધાંત ચન્દ્રિકા પૂર્વાર્ધ અને રઘુવંશ કાવ્યનો અભ્યાસ કર્યો. તે વર્ષે બાલમુનિ શ્રી વીરજી સ્વામીએ જેતપુર (કાઠી) પૂ. શ્રી મેઘરાજજી સ્વામી સાથે ચાતુર્માસ કર્યું અને ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેનો અભ્યાસ કર્યો. Page #226 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૧૩ દર વર્ષે અભ્યાસ તો ચાલુ જ હતો, સંસ્કૃત ભણાવનાર ન મળે ત્યારે સૂત્ર સિદ્ધાંતનો અભ્યાસ ચાલતો અને બન્ને મુનિરાજો જ્ઞાનમાં ઠીક ઠીક આગળ વધી રહ્યા હતા. સંવત ૧૯૪૪માં પૂ. શ્રી મેઘરાજજી સ્વામી આદિ ચરિત્રનાયક બન્ને મુનિરાજોએ ભુજ ચાતુર્માસ કર્યું. ત્યાં ગુલાબચન્દ્રજી સ્વામી દામોદર શાસ્ત્રી પાસે સિદ્ધાંત ચન્દ્રિકા પૂર્ણ કરી. તેમજ માઘ, નૈષધ, તર્ક સંગ્રહ અને દીપિકાનો અભ્યાસ કર્યો. શ્રી વીરજી સ્વામીએ સારસ્વત વ્યાકરણ તથા રઘુવંશ કર્યું. સંવત ૧૯૪૫ની સાલમાં બન્ને બંધુ મુનિરાજો સુરેન્દ્રનગર ચાતુર્માસ રહ્યા અને ત્યાં શાસ્ત્રી છગનલાલ ભટ્ટ પાસે જ્યોતિષનો અભ્યાસ શરુ કર્યો. તદુપરાંત વિદ્વાન મ. શ્રી મોટા જીવણજી સ્વામી, પૂજ્ય શ્રી લાધાજી સ્વામી, પૂ. શ્રી મેઘરાજજી સ્વામી, પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી અને દર્શનશાસ્ત્રવિશારદ પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, તેમ જ અન્ય પંડિતો પાસે બન્ને મુનિરાજોએ જૈનાગમ અને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કર્યો તેમાં પણ પૂજ્ય શ્રી નથુજી સ્વામીના સ્વર્ગવાસ પછી તો બન્ને ગુરુબંધુઓએ પૂજ્ય શ્રી મોટા લાધાજી સ્વામી, પૂ. શશ્રરી મેઘરાજજી સ્વામી અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કર્યો. ઉદારતા અને વાત્સલ્યનો પ્રેરણાદાયી પ્રસંગ પૂજ્ય શ્રી લાધાજી સ્વામી, પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામી અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ તો આ બન્ને મુનિઓને તેના ગુરુદેવના સ્વર્ગવાસ પછી સ્વશિષ્યો કરતાં પણ વિશેષ વાત્સલ્યભાવથી સાચવતા હતા અને કોઈ પણ જાતના પક્ષપાત વિના શાસ્ત્રાભ્યાસ કરાવતા. તેમનો આત્મીયભાવ અને સ્નેહાદર કેટલાં હતાં તે નીચેના પ્રસંગ ઉપરથી જાણી શકાશે. એક વખત તેઓ કચ્છમાં પધારતા હતા ત્યારે રસ્તામાં રણ આવ્યું. બધા તો ઉગ્ર વિહાર કરી રણ ઊતરતા હતા પરંતુ બાલમુનિ શ્રી વીરજી સ્વામી ઉંમરમાં નાના હોવાથી પાછળ રહી જતા અને થાકી જતા. પંથ કાપવાનો ઘણો બાકી હતો એટલે પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામીએ તેમને પોતાના ખભે બેસાડી લીધા અને એ રીતે રણ ઊતર્યા. ધન્ય છે એ મહાપુરુષના વાત્સલ્યને !!! એકબીજાના સમુદાય વચ્ચે કેવો સ્નેહભાવ હતો તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. પૂજ્ય શ્રી લાધાજી સ્વામીનો બન્ને ભાઈઓ ઉપર અસીમ ઉપકાર હતો. ધન્ય છે એ મહાપુરુષોની ઉદારતાને !!! Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી ( શતાવધાનીજી, શાંતમૂર્તિજી વગેરે મહાન શિષ્યોની દીક્ષા સંવત ૧૯૫૩માં શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી અને તેમના પ્રથમ શિષ્ય બન્યા. તેમને દશ વર્ષ સુધી ભણાવવામાં બન્ને બંધુઓએ જે ભોગ આપ્યો તે અદ્વિતિય હતો. અધ્યયન કરવા કરાવવા માટે તેઓશ્રીને કેટલી ઝંખના હતી તે નીચેના એક પ્રસંગ ઉપરથી જાણી શકાશે. સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠા.૨ અંજારમાં હતા અને કવિવર્ય વીરજી સ્વામી તથા પૂ. રત્નચન્દ્રજી સ્વામી અંજારથી ૧૩ કિ.મ. દૂર ખેડાઈ ગામમાં ચાતુર્માસ હતા. તે વખતે અભ્યાસને યોગ્ય પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણ, અવચ્છેદક્તા, નિરુક્તિ એ ત્રણે ન્યાય ગ્રન્થોની વિવેચના ન્યાયશાસ્ત્રી પં. બંગાઝાએ કરેલ. તે સમયે એ પુસ્તકો છપાવેલા ન હોવાથી અભ્યાસની સરલતા માટે પૂ. શ્રી દરરોજ લખીને ખેડાઈ મોકલતા. આવી રીતે બન્ને બંધુઓએ બધી જવાબદારી ઉપાડી શતવધાની મ. ને ભણાવતા. તેમને કામ કરવા બિલકુલ આપતા જ નહિ. સંવત ૧૯૫૯ના ફાગણ સુદિ-૩ના શાંતમૂર્તિ શ્રી રુપચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી અને કવિવર્ય શ્રી વીરજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. તે જ વર્ષે વૈશાખ સુદિ-૮ને સોમવારના ઉમેદચન્દ્રજી સ્વામીની દીક્ષા થઈ. તેઓ પણ વીરજી સ્વામીના શિષ્ય થયા. કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીને શાસ્ત્રાવગાહન અને અન્ય અભ્યાસના કારણે પ્રાપ્ત કરેલ શક્તિને કાવ્યરુપે વહાવી પર્વતમાંથી નીકળેલી નદી આગળ વધતાં જેમ વિશાળ રુપ ધારણ કરે તેમ દિવસે દિવસે કાવ્ય સ્ત્રોત વધતો ગયો જેને કારણે શ્રી વીરજી સ્વામીને “કવિવર્યની માનવંતી ઉપાધિ પ્રાપ્ત થઈ. 'પ્લેગના ઉપદ્રવના કારણે ચાતુર્માસમાં વિહાર કરવો પડ્યો સવંત ૧૯૭૪ની સાલમાં ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી, પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ શ્રી રામચન્દ્રજી સ્વામી તથા ભાવચન્દ્રજી મ. ઠા. ૫ કચ્છ મુન્દ્રામાં ચાતુમોસ રહ્યા. આ ચાતુર્માસ દરમ્યાન મુદ્રામાં અચાનક પ્લેગનો ઉપદ્રવ શરુ થયો એટલે પર્યુષણની આરાધના કરાવ્યા બાદ ભાદરવા વદિમાં પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા ક.મ.શ્રી વીરજી સ્વામી ઠા. ર ગુંદાલા પધાર્યા. પં. રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠા. ૩ ભોરારા પધાર્યા હતા. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ આ છે અણગાર અમારા આમ પ્લેગ વગેરેનાં મોટા રોગોનો ઉપદ્રવ હોય, રાજા વગેરેનો ત્રાસ હોય, કેટલાક કારણો ઉપસ્થિત થાય તો અમદાવાદ માર્ગે ચોમાસામાં વિહાર કરવાની શાસ્ત્રાજ્ઞા છે. સંવત ૧૯૮૧માં પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૫ તથા માલવાના (ધર્મદાસ સંપ્રદાય) પૂ. શ્રી તારાચંદજી મ. શ્રી કિશનલાલજી મ. તથા પ. શ્રી સૌભાગ્યમલજી મ. આદિ ઠાણા-૬, કુલ્લ ઠાણા-૧૧ મોરબી ચાતુર્માસ હતા. માલવાનાં સંતો પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા રત્નચન્દ્રજી સ્વામી પાસે અભ્યાસ કરતા હતા. મોરબી સંઘનો ઉત્સાહ ખૂબ હતો. આ શહેરનો ભક્તિભાવ જોઈ મારવાડી મહાત્માઓ પણ અત્યંત પ્રસન્ન થયા હતા. સંવત ૧૯૮૩માં લાકડિયા (કચ્છ)ના ગુલાબબાઈને દીક્ષાને રજા ન મળતી હતી તેથી પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના ઉપદેશથી એમનાં સગાંવાહલા બોધ પામ્યા અને રજા આપી તેથી તે જ વર્ષે અક્ષયતૃતીયાના તેમને દીક્ષા આપી વાગડના સિંહણ મ. મોટા કુંવરબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા. સંવત ૧૯૮૪ના ફાગણ સુદિ-૧ને ગુરુવાર (કચ્છ) ભચાઉના કરશન ગાંગજી નંદુને લાકડિયામાં દીક્ષા આપી કપૂરચંદજી સ્વામી નામ રાખ્યું અને કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા. તેઓશ્રી શાંત સ્વભાવી અને સેવાભાઈ સંત હતા. સંવત ૧૯૮૫માં ફાગણ સુદ-૨ના મનફરામાં પૂનમચન્દ્રજી સ્વામીને તથા પ્રેમ કુંવરબાઈ આર્યાજીને દીક્ષા આપી, તે જ વર્ષે જેઠ સુદ-૮ શુક્રવારના ભોરારામાં તપસ્વી મ. શ્રી ડુંગરસિંહજી મ. ને દીક્ષા આપી. સંવત ૧૯૮૬ માગ. સુદિ ૩ના નાગજી સ્વામી તથા સુવિનીત નવચન્દ્રજી સ્વામી (પૂ. શ્રી ગુલાબવીર જીવનચારિત્રના લેખકોને દીક્ષા આપી, દયાકુંવરબાઈ અને ખેમકુંવરબાઈ મ. ને દીક્ષા આપી સંવત ૧૯૮૮ વૈશાખ મહિનામાં લીંબડી પધાર્યા. 'આચાર્ય પદ - પ્રદાન મહોસ્તક સંવત ૧૯૮૮ વૈશાખ વદિ ૮ ના લીંબડીમાં સાધુ સંમેલન થયું અને છપ્પન બોલ બાંધ્યા. આ જ સંમેલન જેઠ સુદિ-૧૧ને રવિવારે ૨૪ સાધુઓ અને ઓગણીશ સાધ્વીજીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં કવિવર્ય પં. શ્રી નાનચન્દ્રજી સ્વામીએ શ્રી સંઘની ઈચ્છાથી પૂજયશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને આચાર્ય પદની Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી પછેડી ઓઢાડી. તે વખતે લીંબડી મોટા સંપ્રદાયમાં સાધુ ૩૧ તથા સાધ્વીજીઓ ૬૬ હતાં. જો કે તેમનું ગાદી પર આગમન તો સં. ૧૯૮૫ના કારતક સુદિ-૨ના જ થઈ ગયું હતું. લીંબડી સંપ્રદાયનો સુવર્ણ સમય” પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી જ્યારથી આચાર્ય પદે આવ્યા ત્યારથી લીંબડી સંપ્રદાયનો સમય એટલે “સુવર્ણ કાળ' તરીકે ઓળખાતો. સં. ૧૯૮૮ થી ૨૦૦૮ સુધીના વીશ વર્ષના ગાળામાં તેમણે ગચ્છની સાર-સંભાળ, ધર્મ પ્રભાવના, ગ૭ વૃદ્ધિ વગેરે વિષયોમાં પોતાનો અપૂર્વ પુરુષાર્થ ફોરવ્યો હતો. સૌ કોઈના હૃયમાં બિરાજી ગાદીપતિ આચાર્યપદને સાર્થક કર્યું હતું. સંવત ૧૯૯૨ના મહા સુદિ ૧૪ને ગુરુવારના ભચાઉના રહીશ ગાલા કાનજી રામજીને પૂજ્યશ્રીએ દીક્ષા આપી કેવલચન્દ્રજી સ્વામી નામ રાખ્યું તથા શાંતમૂર્તિ પૂજ્ય શ્રી રુપચન્દ્રજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. તે જ વર્ષે ફાગણ સુદિ-૩ના (કચ્છ) માંડવીમાં બા.બ્ર. સૂરજબાઈ આર્યાજીને દીક્ષા આપી મહાસતીજી નાથીબાઈ આર્યાજીના શિષ્યા બનાવ્યા. સંવત ૧૯૯૫નાં અખાત્રીજના પવિત્ર દિવસે (કચ્છ) રામાણિયામાં મનફરાના દીવાળીબાઈ તથા રામાણિયાના મણિબાઈને પૂજયશ્રીએ દીક્ષા આપી મહાસતીજી નાથીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે સ્થાપ્યાં. આ સાલનું ચાતુર્માસ પૂજ્યશ્રી ઠા. ૬ ભચાઉમાં રહ્યા હતા. ત્યાં પૂજયશ્રી એ “વીર પુસ્તક ભંડાર'ની સ્થાપના કરી જેનો વિકાસ પાછળથી પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામી તથા તત્ત્વજ્ઞ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ ખૂબ કરેલ છે. સંવત ૧૯૯૮ના માગસર સુદિ ને ગુરુવારે (કચ્છ) ભૂજમાં બા. બ્ર. રુક્ષ્મણીબાઈ આર્યાજીએ દીક્ષા આપી મોટા ડાહીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા. સંવત ૧૯૯૭ના ફાગણ વદિ પાંચમના દિવસે વઢવાણ શહેરમાં (કચ્છ) લાકડિયાના ભાવલબાઈને ભાગવતી દીક્ષા આપી, ભાણબાઈ (ભાનુમતીબાઈ) આર્યાજી નામ પામી મ. પુરીબાઈ આર્યાજીના શિષ્યા બા.બ્ર. લક્ષ્મીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા. સંવત ૧૯૯૯ના માગસર સુદિ ૩ને ગુરુવારના સુરેન્દ્રનગરમાં (કચ્છ) સમાઘોઘાના મેઘજીભાઈને દીક્ષા આપી મહેન્દ્રમુનિ નામ રાખ્યું. તે જ વર્ષે ગોંડલના Page #230 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૧૭ રહેવાસી જાડેજા માધવસિંહજીની લીંબડીમાં પૂજ્ય સાહેબના હાથે દીક્ષા થઈ, તેઓશ્રીને વિનયમૂર્તિ લક્ષ્મીચંદ્રજી સ્વામી (માડીમહારાજ)ના શિષ્ય તરીકે જાહેર કર્યા. - લઘુ બંધુ કવિવર્ય શ્રી વીરજી સ્વામીનો સ્વર્ગવાસ ) છેલ્લા કેટલાક સમયથી કવિવર્ય શ્રી વીરજી સ્વામીની તબિયત અસ્વસ્થ રહ્યા કરતી. ખાસ કરીને સ્ક્રયની નબળાઈ તેમને વારંવાર સતાવતી હતી. છતાં તેઓશ્રી સમભાવે સહન કરતા હતા. સંવત ૨૦૦૦ના જેતપુર ચાતુર્માસમાં વ્યાધિ વારંવાર હુમલા કરવા લાગ્યો. કવિવર્ય મ. શ્રીને જણાયું કે હવે આ દેહ લાંબો સમય ટકે તેમ નથી. આ નશ્વર દેહમાંથી લેવાય તેટલો લાભ લેવાનો વિચાર કરી તેમણે વ્યાવહારિક પ્રવૃત્તિ (સંપ્રદાયની સારણા-વારણા વગેરે) બંધ કરી દઈ સ્વાધ્યાય ધ્યાનમાં રત બની ગયા. ચતુર્વિધ સંઘની સાથે જ્ઞાન-અજ્ઞાત ભાવે થયેલ અપરાધની ક્ષમા યાચી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનું શરીર ક્ષીણ બનતું ગયું પણ આશ્ચર્યની વાત તો એ બની કે જેમ જેમ દેહ ક્ષીણ થતો ગયો તેમ તેમ આંતરવિશુદ્ધિ વૃદ્ધિ પામતી ગઈ. मरणंपि सपुण्णाणं, जहा मेयमणुस्सयं । विप्यसण्णमणाघायं, संजयाण वुसीमओ ॥ ભાવાર્થ જે પુણ્યશાળી તથા સંયમી સાધુ પુરુષોએ પોતાનું જીવન જ્ઞાની પુરુષોએ બતાવેલ ધર્મમાર્ગે વ્યતિત કર્યું છે. તેઓનું મૃત્યુ પ્રસન્નતાભર્યુ અને આઘાત વિનાનું હોય છે, કેમ કે તેમને પોતાનો નિશ્ચય હોય છે કે મરણ એ તો જીવન કાર્યનો સરવાળો હોવાથી તેઓ ઊર્ધ્વગતિ અવશ્ય પામશે. કવિવર્ય મ.શ્રીની આવી ઉત્તમ વિચારણા અને સરલ વૃત્તિથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જતાં. સાથેના સાધુઓએ તેમ જ જેતપુરના શ્રી સંઘે તેમની વૈયાવચ્ચ કરવામાં અંશમાત્ર પણ કચાશ ન રાખી પરંતુ આયુષ્ય કર્મના દળિયાં ભોગવાઈ જતાં કોઈ જીવંત રહી શક્યું છે? સંવત ૨૦૭૧ના પ્રથમ ચૈત્રની પૂર્ણિમાના પવિત્ર બુધવારની રાત્રિના દોઢ વાગ્યે ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી ૬૫ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષા પર્યાય પાળી, સમાધિ ભાવમાં લીન બની, અરિહંત, સિદ્ધનું સ્મરણ કરતાં તે પુણ્યાત્માએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી કવિવર્ય મ.શ્રી વીરજી સ્વામીએ, પૂજ્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામી સાથે જ દીક્ષિત થઈ વર્ષો પર્યત તેમના સહવાસમાં રહી ખૂબ ભક્તિ કરી હતી. તેમ જ પૂજ્યશ્રીના કાર્યમાં હંમેશા મદદગાર રહ્યા. ગુલાબ-વીરની જોડી એ રામ લક્ષ્મણની જોડીની યાદ અપાવતી હતી. જેમ રામની હયાતિમાં લઘુ બંધુ લક્ષ્મણ કાળધર્મ પામ્યા હતા તેમ અહીં પણ પૂજ્યશ્રીની હયાતિમાં લઘુબંધુ સ્વર્ગવાસ પામ્યા જેથી એ જોડી ખંડિત થઈ ગઈ. કવિવર્ય મ. શ્રી સ્વભાવે મિલનસાર અને શાંત સ્વભાવી હતા. કાવ્યનો તેમને ઘણો જ શોખ હતો. અવારનવાર નવાં નવાં કાવ્યો રચતાં. તેમના કાવ્યોનો સંગ્રહ “વીર પદ્યાવલિ', “વીર ગહુંલી સંગ્રહ વગેરેમાં પ્રકાશિત થયો છે. આ ઉપરાંત તેમને કથા સાહિત્યનો સારો શોખ હતો, જે નાના ટુચકાઓમાં ઉપદેશાત્મક ભાષામાં ‘વીર કથામૃત' નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલ છે. તદુપરાંત વિદ્યાર્થીઓને આકર્ષવાની તેમનામાં અજબ શક્તિ હતી. પોતાના વિહાર દરમ્યાન જ્યાં જ્યાં પધારવાનું થયું ત્યાં ત્યાં વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવતા તેમ જ બાકીના સમયમાં નૂતન સાધુઓને શાસ્ત્રાભ્યાસ કરાવતા. સંઘાડાનો ભાર પણ લગભગ તેઓશ્રી જ ઉપાડતા. ગાદીના ધામમાં પાંચ વર્ષ સ્થિરવાસ સંવત ૨૦૦૩ની સાલની શરુઆતમાં જ પૂ. આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીની તબિયત નરમ થવાથી લીંબડી પધાર્યા અને ઔષધોપચાર કરતાં તબિયત સ્વસ્થ થઈ. મોતિયાને કારણે તેમની આંખે ઝાંખપ વધતી હતી તેથી રાજકોટથી ડૉ. રતિલાલભાઈને બોલાવી મોતિયાનું સફળ ઓપરેશન કરાવ્યું અને ત્યારથી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા. તેમની સેવામાં શાંતમૂર્તિ મ. શ્રી રુપચન્દ્રજી સ્વામી, સરળ સ્વભાવી મ. શ્રી નાગજી સ્વામી, તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા સક્તા મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી રહ્યા. ચારે ઠાણા ભચાઉના તેમણે પૂ. શ્રીની સેવાનો ખૂબ લાભ લીધો. પૂજ્યશ્રીની ઉંમર ૮૫ વર્ષની થવા આવી હતી. અવસ્થા પણ વર્તાતી હતી, છતાં સ્વાધ્યાય-ધ્યાનમાં તેમણે કદી પ્રમાદ સેવ્યો ન હતો. સં. ૨૦૦૬ના પ્રથમ અષાઢ વદિમાં તેઓશ્રી પર પક્ષઘાતનો હુમલો થયો. પરંતુ તાત્કાલિક ઔષધોપચારથી તથા સુંદર વૈયાવચ્ચના કારણે તબિયત સુધરી ગઈ. લાકડીના ટેકે ઉપાશ્રયના હોલમાં ચાલવા જેટલી શક્તિ પ્રાપ્ત થઈ. સંવત ૨૦૦૮ના ફાગણ સુદ-પૂનમને સોમવારના પ્રાત:કાળે રાઈય પ્રતિક્રમણ કરીને ઊભા થતાં પૂજ્યશ્રી અચાનક પડી ગયા. જેથી જમણા પગના Page #232 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૧૯ સાથળના મૂળનું હાડકું ભાંગી ગયું. સત્યાશી વર્ષની જૈફ વયે આ ફ્રેકચરથી ઘણી જ અશક્તિ આવી ગઈ અને પથારીવશ થઈ ગયા. તે દિવસથી તેમણે આહાર છોડી દીધો. ફક્ત પ્રવાહી પદાર્થો પર રહેવાનો નિર્ણય કર્યો. ધીમે ધીમે તબિયત વધારે અસ્વસ્થ થવા લાગી. માણસ મોકલીને સિયાણીથી સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી આદિ ઠાણા ૩ને બોલાવ્યા તથા શ્રી છોટાલાલજી મ. તથા અન્ય મુનિરાજો પાસે પ્રતિદિન નિયમિત શાસ્ત્રશ્રવણ કરવા લાગ્યા. મહાપુરુષોને આગળથી ખ્યાલ આવી જતો હોવાથી છેલ્લા દિવસોમાં અધ્યાત્મભાવમાં જ લીન રહેતા હોય છે. ઉત્ત. અ. ૫. ગા. ર૯માં કહ્યું છે, ' પ્રેરણાદાયી પંડિત મરણ) तेसिं सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ। न संतसंति मरणंते, सीलवंता बहुस्सुया ॥ ભાવાર્થ : પુરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય અને સંયમી આત્માઓનું વર્ણન સાંભળીને, શીલવંત તથા બહુશ્રુત આત્માઓ મરણ વખતે ત્રાસ કે ભય પામતા નથી. પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને હવે જણાયું કે જીવનદીપનું દીવેલ ખૂટવા આવ્યું છે, તેથી ચૈત્ર સુદિ-૬ ને સોમવારે તેમણે પાણી સિવાય બધા આહારનો ત્યાગ કર્યો. સર્વ સાધુઓ સહિત ચતુર્વિધ સંઘની સાથે ક્ષમાપના કરી. પં. શ્રી ધનજી સ્વામી તથા શેઠ લલ્લુભાઈ નાગરદાસને ગચ્છની સારસંભાળ તેમજ શાસન હિતના કાર્યો માટે સૂચનાઓ આપી. પૂજ્યશ્રીની માંદગી દરમ્યાન સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી તથા પૂજ્યશ્રી રુપચન્દ્રજી સ્વામી આદિ મુનિરાજો શાસ્ત્ર સિધ્ધાંતનું શ્રવણ કરાવતા હતા. સાધુ આલોયણી પણ સંભળાવી, છેવટે તેમણે સાગારી સંથારાના પચ્ચક્ખાણ કર્યા. સં. ૨૦૦૮ના ચૈત્ર સુદિ-૧૦ને રવિવારના સવારે સવા નવ વાગ્યે સમાધિપૂર્વક ૮૭ વર્ષનું આયુષ્ય, ૭૨ વર્ષથી વધારે સંયમ પર્યાય પાળી, ૨૪ વર્ષ સુધી ગાદીપતિ પદે રહી સ્વર્ગવાસ પામ્યા. આ મહામૃત્યુને દેવો પણ વધાવતા હોય તેમ નવ ને વીસ મિનિટે કેસરના અમીછાંટણા થયા. પૂજ્ય આચાર્યદેવ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી જૈનાગમ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ વગેરેના સારા જાણકાર હતા. તેમના જીવનનો ખાસ ગુણ એ હતો કે તેઓ સદા અપ્રમત્ત જ રહેતા. પોતે ગુરુસ્થાને તથા દીર્ઘ દીક્ષા પર્યાયી હોવા છતાં નાનામાં નાના સાધુને વાંચન, લેખન કે સ્વાધ્યાયાદિમાં સહાયરૂપ થતા. તેઓશ્રીએ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી સંપાદન કરેલ “જૈન શિક્ષણ પાઠશાળા' “શ્રાવક આલોયણા વગેરે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “સુભાષિત રત્નાવલિ' વગેરે અપ્રગટ સાહિત્ય ઘણું છે. તેમના અક્ષર તો મોતીના દાણા જેવા હતા. તે જોવા હોય તથા વિસ્તારથી તેમનું જીવનચરિત્ર વાંચવું હોય તો “પૂજયશ્રી ગુલાબ-વીર જીવનચરિત્ર” (લેખક પં. તત્ત્વજ્ઞ શ્રી નવલચન્દ્રજી સ્વામી) પુસ્તક વાંચવું. નવા નો ચેવ વાઘેલ્લા સુહુરમ્ ા ઉત્ત. અ. ૧૯ લોઢાના ચણા ચાવવા એ ભારે દુષ્કર કામ છે તેમ સંયમનું સુપેરે પાલન કરવું એટલું જ કઠિન છે. પૂજ્ય આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ પોતાના દીર્ઘ ચારિત્ર પર્યાયમાં અનેક પ્રકારનાં પરીષહો સહન કર્યા હતા, જેમાંથી કેટલાક પ્રસંગો વાંચવાથી પૂજયશ્રીની સહનશીલતા તથા ગંભીરતાનો ખ્યાલ આવી શકશે. વિ.સં. ૧૯૪૭ની આ વાત છે. પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી સાથે પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી ગુજરાતમાં વિહાર કરતાં કરતાં મહી નદી પાસે આવેલ વાસદ નામના ગામમાં પધાર્યા. તે ગામમાં શ્રાવકોના ઘર નહિ હોવાથી ગામ બહાર ખાખી બાવાની જગ્યામાં ઉતારો કર્યો. પાટીદાર બંધુઓના ઘરોમાંથી આહાર પાણી લાવી વાપર્યા. ખાકી બાવો ભક્તિવાળો હતો પણ જૈન મુનિઓના આચારવિચારથી તદ્દન અપિરિચિત હતો. તેણે ભક્તિભાવથી પોતાના રસોઈયા સાથે રોટલી તથા કેરીઓ મોકલી, પણ તે વસ્તુ સાધુને અકલ્પનીય હોવાથી તેમ જ સામે લાવેલ આહાર હોવાથી પૂજયશ્રીએ તે સ્વીકારવાની ના પાડી તેથી રસોઈયો પાછો ગયો. રાત્રિના સમયે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી. દરેક ભક્તોને ઠાકોરજીનું ચરણામૃત – પ્રસાદી આપવામાં આવી. તે સમયે ખાખી બાવાએ પૂજારીને કહ્યું, “જૈન સાધુઓની તીન મૂર્તિ આઈ હૈ ઉન્હીંકો ભી ચરણામૃત દેના ચાહીએ.” દેવસિય પ્રતિક્રમણ કરી પૂજ્યશ્રી આદિ ઠાણાઓ સ્વાધ્યાય કરતા હતા. તેવામાં ચરણામૃત લઈને પૂજારી આવ્યો. જૈન સાધુને અસ્પૃશ્ય અને સૂર્યાસ્ત પછી તો કોઈ પણ વસ્તુ અકલ્પ હોવાથી પૂજ્યશ્રીએ તેનો સ્વીકાર કર્યો નહિ. પૂજારીએ જઈને ખાખી બાવાને તે હકીકત જણાવી અને બાવાજીનો મિજાજ ગયો. જૈન સાધુના આચારથી અજાણ એવા તેને ચરણામૃતના અસ્વીકારમાં પોતાનું અપમાન લાગ્યું. તેનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે ગાળો દેવી શરુ કરી, બૂમ-બરાડા પાડ્યા અને પૂજારીને કહ્યું કે, “અભી કે અભી તીનો મૂર્તિયોંકો જગાએંસે હટા દો.” પૂજારીએ જઈએ તેમને વાત કરી. પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ પૂજારીને સમજાવ્યો કે અમારી શાસ્ત્રાજ્ઞા પ્રમાણે અમે રાત્રે વિહાર કરી Page #234 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૨૧ શકીએ નહિ. સૂર્યોદય થતાં અમે અહીંથી ચાલ્યા જશું. ખાખી બાવાનો ક્રોધાગ્નિ જલતો જ રહ્યો. રાત્રિના બાર વાગ્યા સુધી તેની કર્કશ ભાષા સંભળાતી જ રહી પણ સમતા ભાવમાં લીન બનેલા પૂજ્યશ્રી આદિ સંતોએ સમભાવે બધું સહન કર્યું. સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં જવા માટે રણ ઉતરવું પડે છે. માણિયાથી આવતું નાનું રણ જ ગાઉનું છે પણ તેમાં વહેલું પાણી આવી જતું હોવાથી (તે વખતે સૂરજબારીનો પુલ ન હતો.) વેણાસરનું રણ ઊતરવું પડતું, તે રણ પાંચ ગાઉનું છે અને કાંઠેથી પેથાપર ગામ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય. આ રણ ઊતરવું પડતું, તે રણ પાંચ ગાઉનું છે અને કાંઠેથી પેથાપર ગામ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય. આ રણ ફક્ત પોષથી ફાગણ સુધી ઊતરી શકાતું, પછી તેમાંય પાણી આવી જતું હતું આમ જ્યારે બન્ને રણ ઊતરી શકાય તેમ ન હોય ત્યારે ટીકરનું બાર ગાઉનું રણ ઊતરવું પડતું. તેમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. પૂજ્યશ્રીને પણ એક વખત આવો અનુભવ થયો હતો. સં. ૧૯૬૭માં જ્યારે શતવધાની પં. શ્રી રત્નચન્દ્રજી મ. કચ્છમાં બીમાર પડી ગયા તેથી સુખશાતા પૂછવા તથા શુશ્રુષા માટે પૂજ્યશ્રી આદિ ઠાણાઓએ ટીકરના રણ રસ્તે વિહાર કર્યો પણ ક્ષુધા અને તૃષાનો કઠિન પરિષહ સહન કરવો પડ્યો. રણ ઊતરીને ત્રણ ગાઉ દૂર કાનમેર ગામે પહોંચ્યા ત્યાં તો સાંજ પડી ગઈ અને ચારે ઠાણાઓએ થાક, ભૂખ અને તૃષાનો વિષમ પરીષહ સહન કર્યો. આવા તો અનેક પરીષહો અનેકવાર તેમણે સમભાવે સહન કરી સાધુ જીવન ગુલાબ જેવું જ સુવાસિત બનાવ્યું હતું. * * પ્રસિદ્ધ વક્તા શ્રી નાગજી સ્વામી પ્રસિદ્ધવક્તા પંડિત શ્રી નાગજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૨૬ કારતક વદિ અમાસના દિવસે ગાદીના ધામ લીંબડી શહેરમાં થયો હતો. પુણ્યશાળી આત્માઓ પુણ્યભૂમિમાં જ અવતરે છે. અને ધર્મપરાયણ માતા-પિતાનો સંયોગ પ્રાપ્ત કરે છે. તેમના પિતાનું નામ શેઠ જગજીવનદાસ અને માતાનું નામ ઉજમબાઈ હતું. ચિરત્રનાયકનું નામ નાગરકુમાર હતું. માતા-પિતાનાં વાત્સલ્ય અને શુભ સંસ્કારોથી બાળકનો ઉછેર થવા લાગ્યો. હંમેશા તેમને ધાર્મિક કથાઓ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨. શ્રી નાગજી સ્વામી દ્વારા ધર્મના સંસ્કારો આપવામાં આવતા. સાધુ સાધ્વીજીના દર્શન કરાવવા તેમજ વ્યાવહારિક શિક્ષણ પણ મળતું. - સાત વર્ષની ઉંમરે શાળામાં અભ્યાસ કરવા માટે બેસાડ્યા. ત્રણ ધોરણનો અભ્યાસ કર્યો. જ્યારે તેમની ઉંમર ૧૧ વર્ષની થઈ ત્યારે માતા ઉજમબાઈ સ્વર્ગવાસ પામ્યા તેમજ થોડા સમયમાં તેમના દાદી પણ સ્વર્ગવાસ પામ્યા. માતાના અકાળ અવસાનથી બાળક નાગરને ઘણો આઘાત લાગ્યો. વર્ષો પદના ગતિઃ | કર્મની ગતિ ગહન છે. એને સર્વજ્ઞ સિવાય કોણ જાણી શકે ? મહાપુરુષોના માટે આવું નિમિત્ત વૈરાગ્યનું કારણ બને છે. જગજીવન ભાઈને પણ પોતાની પત્ની અને માતાજીના અવસાનથી સંસારની અસારતા સમજાઈ. ઉપાદાન તૈયાર થતા નિમિત્ત મળી ગયું. સંસારની અનિત્યતાને કારણે ઉત્પન્ન થયેલ વૈરાગ્ય મોઢા ઉપર દેખાવા માંડ્યો. પોતાના પિતાના આવા મનોભાવો ચાલાક પુત્રથી અજાણ્યા રહ્યા નહિ. તેણે પિતાજીને કહ્યું, “પિતાજી ! શોક શા માટે કરો છો ? જન્મ-મરણ એ તો આ સંસારનો સ્વભાવ છે. ઋણાનુબંધ પ્રમાણે જ સંસારીઓ સાથે સંબંધ બંધાય છે. અને એ સંબંધ પૂરો થતાં જ છૂટા થવાનું હોય છે.” વાત્કાપિ પ્રીતત્રં યુmિયુ મનોષિfમ. અર્થાત્ યુક્તિયુક્ત વચન બાળક પાસેથી પણ ગ્રહણ કરવું જોઈએ. પુત્રના વૈરાગ્યપ્રેરક વચનોથી જગજીવનભાઈના ઉત્સાહમાં વધારો થયો અને તેમણે સંયમ લેવાનો નિશ્ચય કર્યો. તેમણે પુત્રને કહ્યું, “બેટા હું દીક્ષા લઉં તો તું મને રજા આપીશ?” ત્યારે પુત્ર કહે છે, “પિતાજી મારે રજા આપવાની શી હોય? હું પણ તમારી સાથે દીક્ષા લઉં તો કેમ? આ સાંભળી પિતાજીએ કહ્યું બેટા ! તારી ઉંમર હજી નાની છે, સંયમના કઠિન પરીષહો તારાથી સહન નહિ થઈ શકે. દીક્ષાનો પંથ તલવારની ધાર જેવો છે. આ સાંભળી પુત્ર કહે છે. પિતાજી, મારું મન બળવાન છે. અને હું ખાત્રીપૂર્વક કહું છું કે, “હું દીક્ષા બરાબર પાળી શકીશ. તમારી સાથે રહી તમારી સેવા કરીશ. ધર્મકાર્યમાં તમને મદદ કરી તમારા આત્માને સંતોષ આપીશ.” નાગરકુમારનું આવું મનોબળ અને વિરોચિત વિચારો જાણ્યા પછી જગજીવનભાઈનો દીક્ષાનો વિચાર દિન-પ્રતિદિન દઢતર થતો ગયો. પોતાને આવા સુપુત્રની પ્રાપ્તિ બદલ જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ખરું જ કહ્યું છે કે – एकेनापि सुवृक्षण पुष्पितेन सुगन्धिना । वासितं तद्वनं सर्वं, सुपुत्रेण कुलं यथा ॥ અર્થાત્ એક પણ સારા વૃક્ષના સુગંધી કુલ વડે આખું વન જેમ સુગંધી લાગે છે તેમ (એક જ) સુપુત્રથી આખું કુળ શોભે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૨૩ તેમણે નિર્ણય કર્યો કે આચાર્ય મ. શ્રી દીપચન્દ્રજી સ્વામી કચ્છ માંડવી બિરાજે છે ત્યાં જવું. પિતા-પુત્ર ગુરુમહારાજ પાસે જવાની તૈયાર કરવા લાગ્યા. આ ખબર તેમના મોટાભાઈ ફત્તેહચંદભાઈને પડી. તેમણે તરત જ વાંધો લેતા કહ્યું, “એકાએક કચ્છમાં જવાનું કેમ નક્કી કર્યું?” જગજીવનભાઈએ મોટાભાઈને હૃદયગત ભાવો જણાવ્યા અને તેમને શાંત કરી પ્રેમપૂર્વક રજા લઈ પિતા-પુત્રએ કચ્છ તરફ પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામીની જન્મભૂમિ કચ્છ ગુંદાલા હતી. કચ્છની પવિત્ર ભૂમિમાં પગ મૂકતાં અને પૂજ્યશ્રી જેવા મહાપુરુષોના દર્શન થતાં જ પિતાપુત્રનો વૈરાગ્ય દઢતર થવા લાગ્યો અને તેમાંય પૂજયશ્રીના અમૃતમય બોધથી વિશેષ જાગૃતિ આવી. હવે તો પૂજયશ્રીની સાથે જ અભ્યાસ કરવા લાગ્યા. જગજીવનભાઈ મૂળથી જ સૂત્રના અભ્યાસી હતા અને વિશેષ અભ્યાસ આગળ વધાર્યો. નાગરકુમારે પણ ધાર્મિક અભ્યાસનો મંગલ પ્રારંભ કર્યો, તેમની સ્મરણશક્તિ સારી હતી. ભાગ્યે જ બીજી વખત વાંચવાની જરૂર પડતી. આવી અભૂત સ્મરણશક્તિ જોઈ પૂજયશ્રી ખૂબ જ ખુશ થતા. એકવાર પૂજ્યશ્રીએ પૂછયું, “નાગર, તે આટલી બધી ગાથાઓ બે દિવસમાં કંઠસ્થ કેવી રીતે કરી?” આપની કૃપાથી સ્થિર મન રાખી તેના ભાવ સમજી મુખપાઠ કરું છું તેથી જલદી યાદ રહી જાય છે. આવો વિનમ્ર જવાબ સાંભળી, આટલી નાની ઉંમરમાં બુદ્ધિની વિશાળતાએ પૂજયશ્રીના હૃદયમાં ભારે અસર કરી. તેમ જ ત્યાં બેઠેલા સગૃહસ્થોના હૃદયમાં ભારે આનંદ થયો. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. પિતાપુત્રને એકીસાથે દીક્ષા આપવા પૂજયશ્રીએ નિર્ણય કર્યો. તેમના કુટુંબીજનો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ નાગરકુમારને ચારિત્ર ન લેવા માટે ઘણા સમજાવ્યા. પરંતુ નાગરકુમાર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. તેના આત્મબળથી અને સાચા વૈરાગ્યથી બધા ચકિત થઈ ગયા. સૌના મનમાં સારી અસર થઈ અને બધા તરફથી આજ્ઞા મળી. પિતા-પુત્રની દીક્ષા જલદી થવાની છે તેવા સમાચાર મુન્દ્રાવાળા મહેતા ઢીલાભાઈ લાલચંદને મળ્યા. તેઓ પૂજયશ્રી પાસે આવી વિનંતી કરી કે આ દીક્ષાનો લાભ અમને આપો. પૂજયશ્રીએ તેમની પ્રબળ ભાવના અને ઉત્સાહ જાણી તેમની વિનંતિ સ્વીકારી મુન્દ્રા (કચ્છ) દીક્ષા આપવાનું નક્કી કર્યું. આ વખતે સુદામડાના રહીશ તુરખિયા ચત્રભુજ કાલિદાસ પણ દીક્ષાના ભાવથી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમણે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી નાગજી સ્વામી પણ સારો અભ્યાસ કર્યો હતો. વૈરાગ્ય પ્રબળ હતો તેથી તેમને પણ સાથે દીક્ષા આપવાનું નક્કી કર્યું. ત્રણેય ઉમેદવારોને માલારોપણ ગુંદાલામાં કરી પૂજ્યશ્રી આદિ સંતો મુન્દ્રા પધાર્યા. મુન્દ્રાના સુશ્રાવક શ્રીમાન ઢીલાભાઈ લાલચંદ આદિ શ્રાવકોએ દીક્ષાની ઉત્સાહપૂર્વક તૈયારી કરી. નાગરકુમારની નાની ઉંમર જનતાનું ભારે ધ્યાન ખેંચતી હતી. મુન્દ્રાના ન્યાયાધીશ જેઓ બ્રાહ્મણ હતા, તેમણે નાગરકુમારની બુદ્ધિ અને જ્ઞાનની કસોટી કરી. કસોટીના અંતે તેમણે જાણ્યું કે નાગરકુમાર આત્માર્થી અને સંસ્કારી છે. તેમણે ભાવિના એંધાણ આપ્યા કે, “આ બાળક ભવિષ્યમાં સારા સાધુ તરીકે દીપી નીકળશે.” ન્યાયાધીશ સાહેબનો આવો જવાબ સાંભળી સૌ શ્રાવકો સગાં સ્નેહીઓ ખુશ થયા. વિ.સં. ૧૯૩૮ ચૈત્ર વદિ-૧૩ શનિવારના પૂજ્યશ્રીએ પિતા-પુત્ર અને ચત્રભુજભાઈને એકીસાથે દીક્ષા આપી. જગજીવનભાઈનું નૂતન નામ જીવણજી સ્વામી, નાગરકુમારનું નામ નાગજી સ્વામી અને ચત્રભુજભાઈનું નામ ચત્રભુજજી સ્વામી રાખવામાં આવ્યું. બાલમુનિશ્રી નાગજી સ્વામીએ પ્રથમ ગુજરાતી ભાષામાં અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણ શીખવાની શરૂઆત કરી. અભ્યાસ જેમ જેમ આગળ વધવા લાગ્યો તેમ તેમ બુદ્ધિનો વિકાસ થવા લાગ્યો. ચાતુર્માસ તથા શેષકાળના સમયમાં સારા શાસ્ત્રીજી પાસે અભ્યાસનો પ્રબંધ થતો અને વિહારના સમયમાં પુનરાવર્તન કરી કંઠસ્થ કરવાનું ચાલુ રહેતું. પહેલા ત્રણ ચાતુર્માસ પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી સામે કચ્છમાં કર્યા. ત્રણે ચાતુર્માસ દરમ્યાન આ નાના મુનિ તરફથી કચ્છના શ્રાવકો ખૂબ જ પ્રભાવિત થયા. તેમની વાકપટુતા અને ચતુરાઈએ સૌના દીલ જીતી લીધા. પૂજયશ્રી નવદીક્ષિત તેમ જ અન્ય શિષ્યોની સાથે કચ્છનું રણ ઊતરી ક્રમાનુસાર મોરબી પધાર્યા. ત્યાં શાસ્ત્રીજીની સગવડ, રહેવાની શાંતિ, સાધનની જોગવાઈ, પૂજ્યશ્રી અને ઉદાર શ્રાવકોનું પ્રેરકબળ વગેરે કારણો જ્ઞાનવૃદ્ધિમાં મદદરૂપ બન્યાં. પૂર્વના ક્ષયોપશમના કારણે તેમ જ બુદ્ધિની નિર્મળતાથી ગુજરાતી, સંસ્કૃત તેમ જ ધાર્મિક અભ્યાસ ઉત્તરોત્તર વધવા લાગ્યો. કુશાગ્રબુદ્ધિ, આકર્ષક વ્યક્તિત્વ અને મેળવેલા જ્ઞાનથી મોરબીના શ્રાવકો ખૂબ જ પ્રભાવિત થયા. એ શ્રાવકોના પ્રેમ અને ભક્તિભાવ સમય જતાં એટલાં વધ્યાં કે મોરબી તો નાગજી સ્વામીનું જ” એમ કહેવાતું - મોરબીમાં ચાતુર્માસ પણ બીજા સ્થળો Page #238 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨ ૨૫ કરતાં વધારે થયા અને શેષકાળમાંય મોરબીને વધુ લાભ મળતો. મોરબીથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના માદરેવતન લીંબડીમાં પધાર્યા. ત્યાં આવ્યા પછી અભ્યાસની વિશેષ પ્રગતિ થઈ. અભ્યાસની સાથે એક અગત્યનો ગુણ ખીલવવામાં આવતો. પૂજ્યશ્રી સમયજ્ઞ હોવાથી પોતાના શિષ્યમાં એકાંતભાવ ન આવે તેનો ખાસ ખ્યાલ રાખતા કારણ કે એકાંતભાવ સારાસારનો નિર્ણય કરવામાં ભારે ગૂંચવણ ઊભી કરે છે. દુનિયાના તમામ પદાર્થમાં સાપેક્ષ રીતે નિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ વગેરે ધર્મો રહેલા છે. એ અપેક્ષાભેદ નહિ જાણનાર એકાંતે વિતંડાવાદમાં પડી જાય છે. નાગજી સ્વામીએ સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષવાદનું જ્ઞાન સારી રીતે પ્રાપ્ત કર્યું હતું તેથી તેઓ જૈન અને જૈનતરોને ખૂબ પ્રિય થઈ ગયા હતા. નાની ઉંમરમાં તેની પીઢતા અને ગંભીરતા સૌનું ધ્યાન ખેંચે તેવી હતી. સાથે તેમનો સ્વભાવ પણ ખૂબ જ મિલનસાર હતો. પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી, પંડિતશ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ મહાપુરુષો સિદ્ધાંતના સારા જાણકાર અને અર્ધમાગધી ભાષાના અચ્છા અભ્યાસી હતા. તેમની સેવામાં રહીને અર્ધમાગધી ભાષાનું તથા મુખ્ય મુખ્ય સૂત્રોનું જ્ઞાન તેમણે સારી રીતે મેળવી લીધું. તેમને સદ્ગુરુ પણ એવા જ મળ્યા કે નાની ઉંમરમાં સારું જ્ઞાન મેળવી શક્યા ને સારા તૈયાર થઈ ગયા. જ્ઞાનાભ્યાસની સાથે ગણતરનું જ્ઞાન પણ સારી રીતે સંપાદન કરી શક્યા હતા કે જે જ્ઞાન તેમને પ્રોઢાવસ્થામાં સોળે કળાએ ખીલી ઊઠ્ય હતું. તેમના સમાગમમાં, વ્યાખ્યાનમાં કે જાહેર પ્રવચનોમાં એકદેશીય કરતા સર્વદેશીય સમાલોચના વધારે થતી. તેના કારણે જ તેઓ જૈન, જૈનતર તથા રાજામહારાજાઓને સારી રીતે આકર્ષી શકતા. ટૂંક સમયમાં સારી વિદ્વત્તા પ્રાપ્ત કરી પોતાના બુદ્ધિબળથી પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામીના તેમ જ સંપ્રદાયના અગ્રગણ્ય શ્રાવકોના સલાહકાર મનાતા. તેમના વિચારો સરલ અને સર્વસામાન્ય લાગતા, સાધુ-સાધ્વીઓના હિતમાં પોતાની તીવ્ર બુદ્ધિના કારણે પૂજ્યશ્રીને ઘણા જ ઉપયોગી થતા. દસ વર્ષ પછી ફરીને કચ્છમાં પધાર્યા. કચ્છમાં સ્થાનકવાસી જૈનોમાં છ કોટી અને બે આઠ કોટી એમ ત્રણ પક્ષો વિદ્યમાન છે. આઠકોટિના આગેવાનો નાગજી સ્વામી પાસે આઠ કોટીની ચર્ચા કરવા માટે આવ્યા. તેમની બુદ્ધિ કેટલી ખીલી હતી તે આ વખતે જણાયું. તેમણે પ્રથમથી જ નક્કી થાય તે જ સ્વીકારવો. શાસ્ત્રકારોએ છ કોટી સ્વીકારવાનો હેતુ શા માટે રાખ્યો? તેમ જ શાસ્ત્રમાં આઠ કોટીનાં ઉલ્લેખ પ્રત્યક્ષ નહિ હોવાથી સ્વીકારવા યોગ્ય છે કોટી ગણાય, તેમ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ શ્રી નાગજી સ્વામી દાખલા-દલીલથી સમજાવી દીધું. આવેલા આગેવાનો બહુ ખુશ થયા અને છ કોટીનો સ્વીકાર કર્યો પરંતુ ચાલુ પ્રણાલિકા તોડવાની હિંમતના અભાવે હજી પણ તે જ સ્થિતિ ચાલુ રહી છે. છ કોટી અને આઠ કોટીનું સમાધાન શાસ્ત્રીય રીતે થઈ જવાથી બન્ને પક્ષમાં સંતોષ અને પ્રેમનું વાતાવરણ ફેલાયું. વિ.સં. ૧૯૫૪નું ચાતુર્માસ પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૯ લીંબડીમાં કર્યું. આ ચાતુર્માસ ખૂબ જ દીપ્યું. તેમાં મ. શ્રી જીવણજી સ્વામીને પક્ષઘાતની બીમારી લાગુ પડી. દિવસે દિવસે તબિયત વધારે બગડવા લાગી. તેમને લાગ્યું કે હવે જીવનનો થોડો કાળ બાકી છે તેથી વીતરાગ આજ્ઞા મુજબ સંથારો કરવો તેવા નિશ્ચય પર આવ્યા. દેહ ઉપરથી મૂચ્છ તેમણે દૂર કરી હતી. મૂચ્છ ભાવ ઊતરે છે ત્યારે જ સંથારાની ઈચ્છા થાય છે. તેમણે આલોચના, પ્રાયશ્ચિત, આત્મનિંદા, દુષ્કૃતગર્તા, નિઃશલ્ય થઈ અનસન આદર્યુ. આઠ દિવસે સમાધિભાવે આયુષ્ય પૂર્ણ કરી સંવત ૧૯૫૫ ફાગણ વદિ-૧ના દિવસે સવારે કાળધર્મ પામ્યા. પંડિત શ્રી નાગજી સ્વામીએ આત્મા તથા પુદ્ગલના સંબંધોને સારી રીતે વિચાર્યા હતા. પોતે દઢ સ્વાવલંબી હોવાથી આ વિયોગ સહન કરી શક્યા હતા છતાં પોતાની નાની ઉંમરમાં દીક્ષાનું કારણ પિતાજી હતા, તે મહાન ઉપકાર તેમના હૃદયમાંથી ખસતો ન હતો. વ્યવહારમાં પણ કહેવાય છે કે, “સુપાત્ર પુત્ર ઈકોતેર કુળને તારે છે.” તો પછી દીક્ષિત થયેલ પુત્ર, દીક્ષિત પિતાને ગૌરવનો અનુભવ કિરાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. વિ.સં. ૧૯૫૭ના લીંબડી ચાતુર્માસનો રંગ અનેરો હતો. આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને ગાદીપતિ પદ આપવાનું હોવાથી આસપાસનાં શહેરોમાંથી ઘણા માણસો આવ્યા હતા. આ ચાતુર્માસમાં કચ્છ માંડવીથી શેઠ પોપટભાઈ સંઘ લઈને આવ્યા હતા. વળી મોરબીથી શેઠ અંબાવીદાસ, વાંકાનેરથી શેઠ પ્રેમચંદભાઈ વગેરે સંઘ લઈને લગભગ ૨૫૦ જણા આવ્યા હતા. ૨૦ દિવસ સુધી લીંબડી શ્રી સંઘે સન્માન કર્યું હતું, જે ભૂલાય તેવું ન હતું. તે વખતે લીંબડી સંઘનો સંપ અને જાહોજલાલી પ્રશંસાપાત્ર હતા. તે સમયે લીંબડીમાં જૈન ધર્મ રાજ ધર્મ જેવો ગણાતો. મહારાજા સાહેબની જૈન ધર્મ પર સારી પ્રીતિ હતી. હર વખતે વ્યાખ્યાન સાંભળવા પધારતા અને રાજકુટુંબને પણ વ્યાખ્યાન સંભળાવવાનો પ્રબંધ કરતા. દીક્ષા મહોત્સવ તથા બીજા ધાર્મિક પ્રસંગે રાજ્યની સારી મદદ મળતી. આ પદવી સમારંભના દિવસને રાજ્ય તરફથી જાહેર તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જે શોભામાં અભિવૃદ્ધિરૂપ હતો. Page #240 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૨૭ કેટલોક સમય ગયા પછી પૂજ્ય સાહેબશ્રી દીપચન્દ્રજી સ્વામીનું શરીર નરમ રહેવા લાગ્યું. વિહાર થઈ શક્યો નહિ અને લીંબડી સ્થિરવાસ રહેવું પડ્યું. પંડિતશ્રી નાગજી સ્વામી તો પૂ. સાહેબના હાથપગ, એટલે તેમને પણ સેવામાં લીંબડી રહેવાનું થયું. ભાગ્યશાળી આત્માઓ જ ગુરુવર્યની કે વડીલોની સેવાનો લાભ મેળવે છે. એવું તેમના મનમાં બરાબર ઠસાઈ ગયું હતું. વિ.સં. ૧૯૫૮ અને ૧૯૫૯ના બે ચાતુર્માસ તેમણે લીંબડી કર્યા. પૂજ્ય સાહેબની સેવાની સાથે વ્યાખ્યાનનો સઘળો ભાર પોતે ઉપાડતા તેમ જ સંઘાડાની બીજી ઘણી પ્રવૃત્તિઓ, સારણા-વારણા વગેરે કરવા પડતા. શાન્ત અને સમયસૂચક હોવાથી પૂ. શ્રીને તેમના કાર્યસંબંધી ભારે સંતોષ ઊપજતો. સંઘના અગ્રેસરો પણ તેમનું વચન ઠેલી શકતા નહિ. એક દિવસ દશ શ્રાવકો જામનગરથી તિથિ પત્રિકાની ચર્ચા કરવા માટે આવ્યા હતા, તેમ જ રાજકોટથી શ્રીમાન ભીમજીભાઈ પણ આવી પહોચ્યા હતા. મ. શ્રીએ શાંતિપૂર્વક ચર્ચા કરી સૌના મનનું સમાધાન કર્યું. તેમનું નિખાલસ વક્તવ્ય અને જ્ઞાનથી બધા પ્રભાવિત થયા. લીંબડીમાં કેટલીક સ્થિરતા હોવાથી પંડિત શ્રી નાગજી સ્વામીએ સ્થાનિક બાબતોનો ઉત્કર્ષ કરવાનો વિચાર કર્યો. પ્રથમ તો ધાર્મિક કેળવણી ઉપર તેમનું લક્ષ ગયું, તેમાંય કન્યા કેળવણીનો પ્રથમ વિચાર કરવામાં આવ્યો. કન્યાઓ ધાર્મિક કેળવણી લઈ ધર્મમાતા ન બને ત્યાં સુધી સમાજની આધ્યાત્મિક અને વ્યવહારિક ઉન્નતિ શક્ય ન બને. ધાર્મિક જ્ઞાનની સાથે તેમને સન્માન પણ મળવું જોઈએ જેથી પ્રગતિ સારી રીતે થઈ શકે. પેલા સુભાષિતોમાં પણ કહ્યું છે કે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતા: અર્થાત જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવો રમે છે. (પ્રસન્ન થાય છે) નારીઓની પૂજા એટલે તેઓ સાથેનું સદ્વર્તન એ જ પાયારૂપ છે. આ મનોભાવો મ. શ્રીએ સમાજ સમક્ષ વ્યક્ત કર્યા અને લીંબડીમાં તથા મુંબઈમાં ધનાઢ્ય ગણાતા ધર્મપ્રેમી અને વિદ્યાપ્રેમી એવા શ્રાવકોએ આ ભાર ઉપાડી લીધો અને પોતાના ખર્ચે “શ્રી દીપચન્દ્રજી શ્રાવિકા શાળાની સ્થાપના કરી કે જે શાળામાં ઘણી કન્યાઓ ધાર્મિક અભ્યાસ કરી શકે છે. આ શ્રાવિકાશાળા આજે લીંબડીમાં કન્યાવિદ્યાલયનું મહાન સ્થાન ભોગવે છે. પૂજ્ય આચાર્યશ્રી દીપચન્દ્રજી સ્વામીની તબિયત દિવસે દિવસે લથડવા માંડી, જેથી નાગજી સ્વામીનું સર્વ લક્ષ પૂ. સાહેબની સેવામાં લાગી ગયું. બીજા મુનિઓ પણ પોતાના મહાન ગુરુની સેવામાં કચાશ રાખતા નહિ તેમજ લીંબડી સંઘનો ભક્તિભાવ પણ અજોડ હતો. જો કે પૂજય સાહેબશ્રી ખાસ કોઈને તકલીફ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ શ્રી નાગજી સ્વામી આપતા નહિ. સંવત ૧૯૬૧ના ચૈત્ર માસમાં તાવ વધારે ચડવા લાગ્યો અને થોડા દિવસોમાં ચૈત્ર વદિ-૧૪ના રોજ આ પુણ્ય પુરુષ સમાધિભાવે કાળધર્મ પામ્યા. લીંબડી સંપ્રદાયના યશસ્વી-ગાદીપતિ તરીકે તેમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પંડિત શ્રી નાગજી સ્વામી તથા શિષ્ય પરિવારને ખૂબ જ આઘાત લાગે તે સ્વાભાવિક છે પરંતુ કાળની ગતિને કોણ રોકી શકે છે ? પૂ. શ્રીના માનમાં લીંબડીના મહારાજાએ પોતાની કોર્ટો, કારખાનાઓ તથા સ્કૂલો વગેરે બંધ કરાવ્યા અને પોતાનો ધર્મભાવ પ્રદર્શિત કર્યો. શ્રી સંઘે પણ ગાદીપતિને શોભે તેવી સ્વર્ગારોહણ ક્રિયા કર. પંડિતશ્રી નાગજી સ્વામી પર હવે ઘણો બોજો આવી ગયો. શિષ્ય સમુદાયની સારણાવારણા વગેરે દરેક પ્રવૃત્તિ પોતે સારી રીતે વહન કરવા લાગ્યા. ત્રણ ચાર વર્ષના લીંબડીના સહવાસથી તેમને ઘણો અનુભવ મળ્યો. ઘણાં પુસ્તકો વાંચ્યા, જુદા જુદા ધર્મના રહસ્યો તેમ જ તેમાં થયેલ પરિવર્તન વગેરેનો અભ્યાસ કરી લીધો. જેન સિદ્ધાંતના સમર્થન માટે સાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, સપ્તભંગી તરંગિણી વગેરે ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓ હવે સંઘાડાના મુખ્ય સાધુ તરીકે વિચરવા લાગ્યા. પોતાના મોટા ગુરુભાઈને ગુરુતુલ્ય ગણી માન આપતા ને સદાય સાથે રાખતા. વિ.સં. ૧૯૬૧નું ચાતુર્માસ મોરબીમાં હતું. આ ચાતુર્માસમાં અપાયેલાં વ્યાખ્યાનોથી સમસ્ત સંઘ ઉપર કંઈક જુદી જ અસર થઈ. ધાર્મિક જાગૃતિ માટે નવા નવા વિચારોની ફુરણા થઈ અને કોન્ફરન્સ જેવી સંસ્થા ઊભી કરવા ભાવના પ્રગટી. મોરબીના સદ્દગૃહસ્થ શેઠ અંબાવીદાસ મોરબીમાં જ કોન્ફરન્સ ભરવાનું બીડું ઝડપી લીધું. મોરબી જેવું શહેર. શ્રાવકોનો અપૂર્વ ઉત્સાહ અને રાજ્ય તરફથી પૂરેપૂરી મદદ. આ બધાં કારણો આમાં નિમિત્તરૂપે થતાં મોરબીમાં જ કોન્ફરન્સ ભરવાનું નક્કી થયું. મોરબીના મહારાજા સર વાઘજી બહાદૂર, પંડિતશ્રી નાગજી સ્વામી તરફ બહુ આદરભાવ રાખતા અને પોતાના ગુરતુલ્ય માન આપતા. ઘણીવાર દર્શન કરવા તેમ જ વ્યાખ્યાનમાં પધારતા. મહારાજશ્રીની મધ્યસ્થ ભાવવાળી વાણી સાંભળી ખૂબ જ ખુશ થતા. આ વખતે લીંબડીની જેમ મોરબીમાં પણ જૈન ધર્મ રાજ ધર્મ જેવો શોભતો હતો. કોન્ફરન્સ ભરવાનું નક્કી થયું. શ્રી સંઘે નામદાર મહારાજને વાત કરી. મહારાજા ઘણા ખુશ થયા અને કોન્ફરન્સ અંગે જોઈતી દરેક મદદ રાજ તરથી આપવા ઈચ્છા બતાવી. મહારાજાને ખાસ કહ્યું કે, “મહારાજ શ્રી ! કોન્ફરન્સ ઉપર આવવાનું વચન આપો તો હું ઘણા ખુશ થઈશ. દિવસ નક્કી કરો.” આ સાંભળી શ્રાવકો ઘણો જ ખુશ થયા અને સંવત ૧૯૬૨ ફાગણ Page #242 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા સુદ ૨, ૩, ૪, એ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા. પંડિત મહારાજશ્રી મોરબીથી વિહાર કરી રાજકોટ પધાર્યા. તે વખતે ત્યાં મારવાડી સંપ્રદાયના મુનિ દોલતચન્દ્રજી આદિ ઠાણા ૪ ભોજનશાળામાં બિરાજતા હતા. નાગજી સ્વામીના વક્તવ્યથી મારવાડી સાધુઓ ઉપર ભારે છાપ પડી. તે વખતે લીંબડીના મહારાજા સર જશવંતસિંહજી વ્યાખ્યાન સાંભળવા પધાર્યા હતા. અને નીચેના શબ્દો ઉચ્ચાર્યા હતા. ‘પંડિત નાગજી સ્વામી વિદ્વાન અને પ્રખર વક્તા છે. વળી તેઓ લીંબડીના છે, તે માટે મારે એ અભિમાન લેવા જેવું છે. તેઓ ઉચ્ચ કોટીના સાધુ છે. તેમનો ધર્મબોધ સરલ અને સામાન્ય હોવાથી ઘણી જ ઊંડી અસર કરે છે. શાસ્ત્રના ઉંડા અભ્યાસી હોવાથી અને સામાજિક પરિસ્થિતિનું સારું જ્ઞાન હોવાથી તેમ જ આત્મિક અભ્યુદયની પ્રબળ ભાવનાવાળા હોવાથી જૈન સમાજને તો શું પણ સર્વ સ્થળે માનને પાત્ર છે.’’ લીંબડી નરેશના આ શબ્દો ઉપરથી તેમને મહારાજશ્રી પ્રતિ તેમ જ જૈનધર્મ તરફ કેટલો પ્રમ હતો તે પ્રત્યક્ષ થાય છે. ૨૨૯ તેમનાં વ્યાખ્યાનોની અસર સર્વત્ર ફેલાવા લાગી. જૈનદષ્ટિ પ્રધાન રાખીને અન્ય દર્શનનો ભાવ સમજાવવામાં તેઓ કુશળ હતા. જેથી અન્ય દર્શનીઓ વ્યાખ્યાનમાં સારી સંખ્યામાં આવતા. તેની સાથે અમલદાર વર્ગ તેમ જ શિક્ષિત વર્ગ પણ આકર્ષિત થઈને આવવા લાગ્યો. એક જાહેર વ્યાખ્યાન આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો. તેનાથી ઘણી સારી અસર થઈ. આવી રીતે ત્યાં ધર્મપ્રચાર કરી પોતાનું વચન પૂર્ણ કરવા પાછા મોરબી પધાર્યા. હજારોનો સમુદાય ભેગો થયો. મહારાજશ્રીએ જૈન સમાજની ઉન્નતિ માટે અસરકારક વ્યાખ્યાનો આપ્યાં. કોન્ફરન્સનું કાર્ય ત્રણ દિવસની બેઠકમાં થયું અને ઘણા સુધારાવધારા થયા. આ પ્રમાણે જૈન ધર્મ અને જૈન સમાજની ઉન્નતિનું મૂળ કોન્ફરન્સ દ્વારા રોપાયું જે ખરેખર મહારાજશ્રીની પ્રેરણાને જ આભારી છે. મોરબી નરેશના નીચેના શબ્દોથી જ આ વાત સાબિત થાય છે. “મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવાથી મને ઘણો આનંદ થાય છે. તેમના પ્રતિ અમારા રાજ્યનો પૂર્ણ ભક્તિભાવ છે. તેમના ધર્મપ્રચારની ભક્તિ ઈચ્છું છું. મારા શહેરમાં કોન્ફરન્સ ભરવામાં આવી અને શાંતિથી તે કાર્ય પાર ઉતારવા બદલ કાર્યકર્તાઓની કદર કરું છું અને મહારાજશ્રીને મુબારકબાદી આપું છું. ખરી રીતે તો બધા ઉપકાર અને યશ મહારાજશ્રીને ઘટે છે.’ આ પ્રમાણે જૈન સમાજ અને જૈન ધર્મની ઉન્નતિનું મૂળ બીજ મોરબીમાં રોપાયું. તે બીજ વધતાં વધતાં એટલું તો વૃદ્ધિંગત થયું કે સંવત ૧૯૮૯ના ચૈત્ર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી નાગજી સ્વામી માસમાં અજમેર શહેરમાં આખા હિન્દુસ્તાનના સ્થાનકવાસી જૈનોની એક કોન્ફરન્સ ભરાણી, તેની જ સાથે સમગ્ર ભારત વર્ષના સ્થાનકવાસી સાધુઓમાંથી દરેક સંપ્રદાયના અગ્રગણ્ય સાધુઓની કોન્ફરન્સ થઈ. જે મોરબીએ કોન્ફરન્સનું બીજ રોપ્યું તે જ મોરબીના લાડીલા વૈભવશાળી પુત્રો શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તથા હેમચંદભાઈ મહેતાએ બીજને નવપલ્લવિત કર્યું. તે મોરબીના ગણો કે લીંબડીના ગણો ગમે તે કહો તે જ સંપ્રદાયના પરમ તેજસ્વી ભારતભૂષણ શતાવધાની પંડિત મ. શ્રી રત્નચન્દ્રજી મહારાજે સમગ્ર ભારતના સાધુ મહાપુરુષોની પરિષદના પ્રમુખ થઈ સાધુ અને શ્રાવકોને પોતાના અગાધ શાસ્રીય જ્ઞાનથી અને ઓજસથી મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. રાયણ અને આમ્ર વૃક્ષો જેમ લાંબે વર્ષે ફળીને સ્વાદિષ્ટ ફળો આપે છે તેમ નાગજી સ્વામીના હાથથી વવાયેલું બીજ મોટા આમ્રવૃક્ષ તરીકે જોવા મળ્યું. પ્રતિદિન મહારાજશ્રીના જીવનમાં વધારે વિકાસ થવા માંડ્યો. સંકુચિત ભાવના તો તેમણે છોડી દીધી હતી. તેમના અંતરમાં તો હવે વિશ્વવ્યાપી ભાવના પ્રગટી હતી. તેમણે વ્યાખ્યાનમાં શૈલી પણ બદલાવી. સિદ્ધાંતના માર્ગને અવલંબીને સુધા૨કને શોભે તેવા વ્યાખ્યાન આપતા હતા. વઢવાણમાં ડોસા વોરાના ઉપાશ્રયમાં અપાયેલા વ્યાખ્યાનની ભારે અસર થઈ. ‘શ્રાવક’ નામના માસિકે પોતાના ભાદરવા ૧૯૦૭ના અંકમાં લીધેલી નોંધ ઉપરથી જણાઈ આવે છે. તે નોંધનો ટૂંકસાર નીચે પ્રમાણે છે. “મનુષ્ય હૃદય જ્યારે નિખાલી બને છે ત્યારે તેમાં ત્યાગબળ પ્રગટે છે. ત્યાગબળ એ જ ધર્મનો પાયો છે. આત્મભોગ વિના કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી, આવું કહીને તે વિદ્વાન મુનિએ વિષયની સારી છણાવટ કરી હતી અને હાજર રહેલા શ્રોતાઓ ઉપર સારી છાપ પાડી હતી. ,, તેમના વ્યાખ્યાન સંબંધમાં જાહેર વર્તમાનપત્રોને માસિકોએ લીધેલી નોંધ ઉ૫૨થી જણાય છે કે મહારાજશ્રી એક સુધારક વ્યાખ્યાતા અને સંપના હિમાયતી હતા. સમાજની ઉન્નતિની ધગશ તેમનામાં કેવી હતી તે જૈન સમાચાર તા. ૭-૧૦-૧૯૦૭ પુસ્તક બીજું અંક ૩૩માં લીધેલ નોંધ બતાવી આપે છે. તે નોંધનો સાર નીચે પ્રમાણે છે. “દુનિયામાં જે જે ધર્મો વધારે ફેલાયેલા છે તે જાહેર ભાષણોના પ્રતાપે જ. પ્રથમ આપણા જૈન ધર્મ તરફ દૃષ્ટિ કરશું તો જણાશે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પોતાનો બોધ કંઈ જૈનોમાં જ ગોંધી રાખ્યો ન હતો. હજારો અનાર્યોને પણ બોધ આપ્યો હતો અને ક્રાન્તિવીર લોંકાશાહે પણ ગામેગામ ફરી Page #244 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૩૧ ટૂંક સમયમાં ધર્મ ફેલાવ્યો તે પણ જાહેર વ્યાખ્યાનના કારણે જ.” આવી રીતે કહી તે પત્રકારે મહારાજશ્રીના ખૂબ જ વખાણ કર્યા હતા અને વિદ્વાન મુનિઓની વિદ્વત્તાનો લાભ લેવા શ્રાવક બંધુઓને અનુરોધ કર્યો હતો. તા. ૯-૨-૧૯૦૮ના દિવસે વાંકાનેરમાં પ્રેમજી મનજીની ધર્મશાળામાં “માનવ ધર્મએ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું. તે વખતે ત્યાંના મહારાજ તથા રાજયનો અધિકારી વર્ગ અને દરેક ધર્મના અનુયાયીઓને હાજરી આપી હતી. વ્યાખ્યાનમાં કન્યાવિક્રય, બાળલગ્ન, કુસંપ વગેરે સામાજિક વિષયો સારી રીતે ચર્ચાયા હતા. જે સાંભળી રાજ સાહેબ, અધિકારી વર્ગ તથા અન્ય શ્રોતાજનો બહુ ખુશ થયા હતા. તા. ૧૦-૫-૧૯૦૮ના ધોરાજીમાં “સનાતન ધર્મ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં જૈન, વૈષ્ણવ અને મુસલમાન વગેરે દરેક ધર્મના અનુયાયીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. એટલું જ નહિ પણ આમંત્રણ પત્રિકા શેઠ ગની મુસા જેવા મુસ્લિમ ગૃહસ્થ તથા શ્રી ગણેશરાય દુલેરાય બચુ (M.A.L.C.B.) જેવા નાગર ગૃહસ્થ અને અન્ય પ્રતિષ્ઠિત ગૃહસ્થો તરફથી બહાર પાડવામાં આવી હતી. આ ઉપરથી જોઈ શકાય કે મહારાજશ્રીનું વક્તવ્ય દરેક જ્ઞાતિને પ્રિય લાગતું હતું. જેથી દરેક ઠેકાણે જાહેર વ્યાખ્યાનની માગણી થતી. વાણીમાં મીઠાશ અને ભાષા સંસ્કારી હોવાથી તેમ જ સમજાવવાની સારી શક્તિ હોવાથી સૌને પ્રિય લાગતા હતા. મુંબઈ સમાચાર' તા. ૧૯-૧૧-૧૯૦૯ના અંકમાં તથા “સાંજ' વર્તમાનની તા. ૧-૨-૧૯૦૯માં લીધેલી નોંધ અત્રે ટૂંકાણમાં આપવામાં આવી છે. કાઠિયાવાડ, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગમાં સ્થાનકવાસી જૈન મુનિશ્રી નાગજી સ્વામી લીંબડી શેષકાળ પધારેલા તે વખતે ઠાકોરસાહેબના આગ્રહથી અનાથાશ્રમના વિશાળ મકાનમાં જુદા જુદા વિષય પર ત્રણ ચાર વ્યાખ્યાનો આપ્યાં હતાં. જેની અસર ઠાકોરસાહેબ, અમલદારો તથા પ્રજા વર્ગ પર બહુ સારી થઈ હતી.” સંવત ૧૯૬૫ આસો સુદ-૧૦ લીંબડીમાં ઝાલાવાડ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનોની પ્રાંતિક કોન્ફરન્સની બીજી બેઠક લીંબડી ભરવામાં આવી હતી, તે આઠ દિવસ ચાલી હતી. તે વખતે મહારાજશ્રીએ સંપ, એકતા, કેળવણી, બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ તથા હાનિકારક રિવાજો વગેરે વિષયો ઉપર સચોટ ઉપદેશ આપ્યો હતો, જેની અસર ઘણી સારી થઈ હતી. અગિયારે તાલુકાના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી નાગજી સ્વામી ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા તથા મદદ કરવા પાવલા ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. હાનિકારક રિવાજો દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તા. ૨૪ નવેમ્બર ૧૯૦૯ના દિવસે નામદાર ઠાકોરસાહેબે શ્રાવિકા શાળાની મુલાકાત લીધી હતી અને દર મહિને પાંચ રૂપિયા સ્કોલરશીપ આપવા જાહેર કર્યું હતું, સાથે એ પણ કહ્યું હતું કે મહારાજશ્રી આવતી કાલે અનાથાશ્રમમાં વ્યાખ્યાન આપવાની કૃપા કરશે, રાજ તરફથી તેનો બંદોબસ્ત કરવામાં આવશે, માટે દરેકે લાભ લેવા આવવું. પૂ. મહારાજશ્રીએ “રોકડો ધર્મ” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. છેવટે મહારાજશ્રી દોલતસિંહજીએ જણાવ્યું કે સ્વામીજીએ રાજય તથા પ્રથા ઉપર પોતાના બોધથી જે ઉપકાર કર્યો છે તે અસાધારણ છે, જેનો બદલો વાળી શકાય તેમ નથી. સ્વામીજીને મારી એ જ વિનંતી છે કે તેઓ તેમનું મિશન ચાલુ રાખશે જ, અને વારંવાર લાભ આપવા પધારશે. તો આપણને ઘણો લાભ થશે. મુનિશ્રીએ મારા માટે પ્રશંસા કરી છે. તે કરતાં મારાં પોતાનાં કર્તવ્યમાં જે ભૂલ હોય તે સૂચવશે તો ઘણો લાભ થશે. મહારાજશ્રીનાં વચનો “જય જિનેન્દ્રના ગગનવ્યાપી નાદોથી વધાવી લેવામાં આવ્યા હતા. આજે કયા રાજવી અર્થાતુ પ્રધાન પોતાની ભૂલ જોવાની વાત કરે છે? સર દોલતસિંહજીમાં આ ભાવના તે વખતે પ્રગટી હતી. સંવત ૧૯૬૫નું લીંબડી ચાતુર્માસ પૂર્ણ કરી મુનિશ્રી સપરિવાર લખતર પધાર્યા અને ઠાકોરસાહેબની વિનંતીથી દરબારી મકાનમાં ઊતર્યા અને જાહેર પ્રવચનો સંભળાવ્યાં. લખતર નરેશે ખૂબ જ બહુમાન આપ્યું. આવી રીતે સૌરાષ્ટ્રમાં ધર્મજાગૃતિ લાગી. મહારાજશ્રી પાલનપુર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં મેદની જામવા લાગી. નવાબ સાહેબ પણ વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. તે વ્યાખ્યાનોથી નવાબ સાહેબને મહારાજશ્રી તરફ ઘણો પ્રેમ જાગ્યો. એક મુસલમાન રાજવીની જૈન સાધુ પર પ્રીતિ થાય તે ગૌરવની વાત છે. મહારાજશ્રી સમાજમાં જેટલા પ્રિય હતા તેટલા જ રાજા-મહારાજાઓમાં પણ સન્માનનીય હતા તે વાત તો જાણીતી જ છે. “લીંબડીના મહારાજા સર જશવંતસિંહજી જેવા વિદ્વાન અને સમર્થ રાજવી જેવાએ વક્તવ્યની મુક્તકંઠે પ્રશંસા કરી, મોરબીના શ્રી વાઘજી ઠાકોર જેવા પ્રૌઢ અને નામાંકિત નરેશ જેની વાણીના યશોગાન ગાય અને પ્રેમપૂર્વક સન્માન કરે, નામદાર શ્રી લખધીરસિંહજી જેવા ધર્મધુરન્ધર રાજવી જેને પોતાના ગુરુ જેટલા માનથી સંબોધી, લખતરના મહારાજા જેમનું બહુમાન કરે, માળિયાના ઠાકોર Page #246 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૩૩ સાહેબ જેમની અમૃતમય વાણી સાંભળી જાતને કૃતાર્થ માને અને સર દોલતસિંહજી જેવા પ્રખર પ્રોઢ વિચારક રાજનીતિજ્ઞ રાજવી જેને પોતાના ગુરુતુલ્ય માની સન્માન કરે અને દેહોત્સર્ગ વખતે પોતાના ખર્ચે જ સુખડના કાષ્ઠમાં ચારિત્રવાન શરીરને પધરાવવાની ભક્તિ બતાવે, આ બધું આ મહાત્માના પુણ્ય પ્રભાવને આભારી છે. આવા પ્રભાવશાળી પ્રવચનકારો જ જૈન ધર્મને રાજ ધર્મ બનાવે છે.” સંવત ૧૯૬૬નું મોરબી ચાતુર્માસ પૂર્ણ કરી લીંબડી, અમદાવાદ થઈ નડિયાદ પધાર્યા. અમદાવાદમાં બતાવેલી વાણીનો પડઘો નડિયાદમાં પડ્યો, એક જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યું જેની નોંધ તા. ૧૫-૫-૧૯૧૧ના જૈન સમાચારના અંકમાં આપવામાં આવી છે. તેની નોંધ નીચે પ્રમાણે છે. “પંચરંગી પ્રજા સમક્ષ મહારાજશ્રીએ નીતિ અને ધર્મના સામાન્ય નિયમો એવી સરસ રીતે સમજાવ્યા હતા કે જેથી દરેક ધર્માનુયાયીઓ ખૂબ જ ખુશ થયા હતા.” સંવત ૧૯૬૭નું સુરત ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રી મુંબઈ પધાર્યા. કાંદાવાડીમાં આવેલી શ્રી કચ્છી દશા શ્રીમાળી વાડીમાં ચાતુર્માસ રહ્યા. દરેક જ્ઞાતિમાંથી લોકો વ્યાખ્યાન સાંભળવા આવતા. ભાગવત સપ્તાહમાં પાઠકો જયારે માધવબાગમાં ભાગવત વાંચે ત્યારે જેવો દેખાવા લાગે તેથી પણ કંઈક અનેરો પ્રભાવ કાંદાવાડીમાં ભગવતીના પાઠકની વાણી સાંભળનારા લોકો ઉપર પડ્યો. બેસવાની જગ્યાના અભાવે ઘણાને ઊભા રહેવું પડતું હતું. વ્યાખ્યાનમાં અન્ય જ્ઞાતિના લોકો વધારે આવવા લાગ્યા, એટલે તેમણે શરૂઆત કરી. આખું થિયેટર શ્રોતાઓથી ભરાઈ જતું અને તેની અસર પણ ઘણી જ થતી. સંવત ૧૯૬૮નું ચાતુર્માસ વઢવાણ પૂર્ણ કરી સુરેન્દ્રનગર પધાર્યા. ત્યાં એવા સમાચાર મળ્યા કે પાલણપુરના નવાબ સાહેબ ૨૫૦ માણસોના રસાલા સાથે મહારાજશ્રીના દર્શન કરવા લીંબડી પધાર્યા છે, તરત જ પંડિત રાજશ્રી સુરેન્દ્રનગરથી લીંબડી પધાર્યા. પાલણપુર નરેશ મહારાજશ્રીના ગુણ અને વક્તવ્યનું વર્ણન કરીને પાલણપુર ચાતુર્માસ કરવા વિનંતી કરી. ત્યારબાદ લીંબડી નરેશે જણાવ્યું કે, “પૂ. શ્રી નાગજી સ્વામી ધર્મના સ્તંભ છે. પ્રખર વિદ્વાન અને સત્યવક્તા છે. વળી અમારા લીંબડી શહેરના અને આ જ સંપ્રદાયના ધર્મગુરુ છે જે અમને ગૌરવલેવા જેવું છે.” લીંબડી શ્રી સંઘે પણ બન્ને રાજવીઓને શોભે એવું સન્માન આપ્યું હતું. વડાના ઠાકોર સાહેબનો મહારાજશ્રી પર બહુ ભાવ હતો. તેઓ પણ મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવા હંમેશા આવતા. તેમણે જણાવ્યું હતું કે આવા ત્યાગથી મહાપુરુષોનું સન્માન કરતાં મને ઘણો હર્ષ થાય છે. સદ્ગુરુઓ જગતના Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી નાગજી સ્વામી હિતો માટે જન્મે છે, સાચા સંત પુરુષો જગતને કાળના મુખમાંથી બચાવે છે. પરમ વૈરાગીઓ જગતને સન્માર્ગે દોરે છે, આમ શાસ્ત્રકારો કહે છે એનો આજે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. ઠાકોરસાહેબના પ્રેમભર્યા વચનોથી વિદાય લઈ ભાવનગર પધાર્યા. લીંબડી સંપ્રદાયના પંડિત મુનિરાજો જયારે જયારે ભાવનગર પધારતા ત્યારે શ્રાવકો ઘણા ખુશ થતા, શ્રોતાઓની હાજરી વધવા માંડી એટલે મોટી જગ્યાની જરૂર પડી. તે વખતે ભાવનગરના કુંવરી સાહેબાના લગ્ન માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, ત્યાં વ્યાખ્યાન વાંચવાની શ્રી સંઘ તરફથી ગોઠવણ થઈ. આ ઠેકાણે બે જાહેર વ્યાખ્યાનો આપવામાં આવ્યા. તે વખતે ભાવનગરમાં શ્રી શંકરાચાર્યજી પણ પધાર્યા હતા. તેમણે મહારાજશ્રીની વાણી સાંભળવા પોતાના શિષ્યોને મોકલ્યા હતા. વાણીની અનેરી મીઠાશ અને કહેવાની રોચક શૈલીથી સ્વધર્મ અને પરધર્મની વ્યાખ્યા તો એવી ખૂબીથી કરતા કે શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય, વૈષ્ણવ હોય કે શૈવ હોય, મુસલમાન હોય કે પારસી હોય, યહુદી હો કે ખ્રિસ્તી હો પણ સૌને માન્ય જ થાય. તા. ૨૦-૧-૧૯૧૩ના વ્યાખ્યાનથી વેદાંતી ભાઈઓને ઘણી અસર થઈ. આ વખતે સુપ્રસિદ્ધ જૈન વક્તા શ્રીયુત શિવજી દેવશી શાહ મહારાજશ્રીના દર્શને આવ્યા. તેમણે મહારાજશ્રીના ગુણાનુવાદ ગાયા બાદ પાલિતાણા પધારવાનો ઘણો. આગ્રહ કર્યો તેથી મહારાજશ્રી ભાવનગરથી પાલિતાણા જવા નીકળ્યા. પાલિતાણામાં પણ તેમનાં જાહેર વ્યાખ્યાનો યોજાવા લાગ્યાં, જેનાથી દરાવાસી શ્રાવકો ઉપર ઘણી સારી અસર થઈ. ઉમદા વ્યાખ્યાન શૈલી અને મનુષ્ય ધર્મ ઉપરનો સચોટ બોધ એ સર્વ બંને પક્ષને ઘણો હિતકર લાગ્યો. જેથી વિહારની ઉતાવળ હોવા છતાં શિવજીભાઈ વગેરેના અતિઆગ્રહથી આઠ દિવસ રોકાણા. એક દિવસ સિદ્ધગિરિ ઉપર ચડી કેટલુંક નિરીક્ષણ કર્યું અને સૌના ભારે સન્માન વચ્ચે પાલિતાણાથી વિહાર કર્યો. સંવત ૧૯૬૯નું ચાતુર્માસ મોરબી કરી વીંછિયા પધાર્યા. ત્યાં પધારવાના ખબર સાંભળીને જસદણ નરેશ દર્શનાર્થે પધાર્યા અને મહારાજશ્રીનું ખૂબ જ સન્માન કર્યું. એક જાહેર વ્યાખ્યાન આપવાની વિનંતી કરી. તેથી રાજયના અમલદારો, વ્યાપારીઓ, ખેડૂતો વગેરેની મોટી પરિષદ વચ્ચે “આપણી ઉન્નતિ શી રીતે” એ વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપ્યું. જ્યારે જ્યારે રાજા-મહારાજાઓ વ્યાખ્યાનમાં હાજર હોય ત્યારે તો પૂજયશ્રી રાજધર્મ સમજાવવામાં કચાશ રાખતા નહીં. રાજધર્મ અને પ્રજાધર્મ જ્યારે સંયુક્ત થાય ત્યારે દેશનો અને માનવ સમુદાયનો ઉદય થાય છે, એવા વ્યવહારોચિત સૂત્રો મનુ સ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, Page #248 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૩૫ અહંન્નીતિ, ચાણક્ય નીતિ વગેરેમાંથી સમજાવી જસદણ નરેશ તથા પ્રજાને બહુ ખુશ કર્યા. જસદણ નરેશે તે જ વખતે જસદણ પધારવા આમંત્રણ પણ આપ્યું જેથી ત્યાં પધાર્યા અને વ્યાખ્યાન વાણી સંભળાવ્યાં. અનુક્રમે વિહાર કરતાં કરતાં જેતપુર પધાર્યા. તા. ૧૭-૫-૧૯૧૪ના દિવસે “આત્મોન્નતિ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું. તેમાં હિન્દુ અને મુસલમાનોએ પણ સારા પ્રમાણમાં ભાગ લીધો. સુધરેલા વર્ગ પર ઘણી સારી અસર થઈ. આ સંવત ૧૯૭૧માં વર્ષે જૂનાગઢ પધાર્યા. ત્યાં એકવાર વ્યાખ્યાનમાં જૂનાગઢના નવાબ સાહેબના ભાઈ એદલખાનજી સાહેબ વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળતા તેમના હૃદયમાં દયાના ભાવ જાગૃત થયા, જેના પરિણામે રાજ્યમાં કેટલાક જીવદયાનાં કામો કરાવ્યાં. સંવત ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. તા. ૨૦-૧૦-૧૯૧૫ના દિવસે પ્રેમાભાઈ હોલમાં જાહેર વ્યાખ્યાન આપ્યું. તે વખતે મહાત્મા ગાંધીજી પણ પધાર્યા હતા અને પ્રાસંગિક વિવેચન પણ તેઓશ્રીએ કર્યું હતું. બન્ને અહિંસાના રક્ષકોએ એક સાથે પોતાનો સંદેશો જનતાને સંભળાવ્યો. તે દશ્ય અપૂર્વ હતું. સંવત ૧૯૭૪ની સાલમાં વવાણિયા થઈ બરાલ ગયા. ત્યાં માળિયાના નામદાર દરબાર સાહેબે માળિયા પધારવા આમંત્રણ મોકલ્યું જેથી માળિયા જવાનું નક્કી કર્યું. દરબાર સાહેબે મહારાજશ્રીના આવવાના સમાચાર સાંભળી રાજરીત મુજબ સ્વાગત કર્યું. બે ગાઉ સામા ગયા અને પગે ચાલીને સૌની સાથે સાથે ગામમાં પ્રવેશ કર્યો. આ દેખાવ ઘણો રમણીય લાગતો હતો. રાજાઓ જૈન સાધુ પર આટલો બધો પ્રેમ રાખે તે ખરેખર નોંધ લેવા જેવો જ બનાવ ગણી શકાય. માળિયા નરેશની ભાવનાનુસાર આઠ દિવસ ત્યાં લાભ આપ્યો. ફરીને ભાવનગર પધાર્યા. સંવત ૧૯૭૪નું ચાતુર્માસ વઢવાણમાં કર્યું. મહારાજાશ્રી જશવંતસિંહજી પ્રસંગોપાત વ્યાખ્યાન સાંભળવા આવતા અને પોતાના શહેરમાં ધર્મભાવ જાગૃત કરવાને માટે જાહેર વ્યાખ્યાનો પણ અપાવતાં. આ પ્રસંગે બુંદેલખંડના મહારાજાનું કોઈ ખાસ કારણે પધારવાનું થયું. તેઓશ્રી પણ મહારાજશ્રીની વાણી સાંભળી ખુશ થયા. જીવદયા પાળવા તથા પ્રજા પાસે પળાવવાના કેટલાક નિયમો . દિન પ્રતિદિન બન્ને મહારાજાઓની પ્રીતિ વધતી ગઈ. આ વખતે પૂ. મહારાજશ્રીએ વઢવાણમાં વિજ્યા દશમીના દિવસે જે પાડાનો વધ થયો હતો તે બંધ કરાવવા તે બન્ને મહારાજાઓને વિનંતી કરી. બુંદેલખંડ નરેશના સમજાવવાથી ઠાકોરસાહેબે પાડાનો વધ બંધ કરાવ્યો. આ મહાન કાર્ય આ ચાતુર્માસમાં થયું જે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી નાગજી સ્વામી મહારાજશ્રીના ઉપદેશને આભારી છે. રાજા-મહારાજના હૃદયનું પરિવર્તન કરાવવું એ કેટલું બધું મુશ્કેલ છે તે અનુભવી જ જાણી શકે છે. મહારાજશ્રી નાગશ્રી સ્વામી એવા પ્રભાવશાળી હતા કે તેમનું વચન પાછું ઠેલાતું નહિ. જીવદયાના પ્રચારાર્થે આવા સાધુ પુરુષો કેવું મહાન કાર્ય કરી શકે છે તે આ ઉદાહરણ ઉપરથી સમજાય છે. સંવત ૧૯૭૯ના વર્ષે મહારાજશ્રી મોરબી પધાર્યા. આ વખતે લખધીરસિંહજી મહારાજનો રાજયભિષેક થયો. મ. શ્રી. પ્રતિ તેઓશ્રીનો ભાવ બહુ સારો હતો તેથી હર વખતે દર્શને તથા વ્યાખ્યાનમાં પધારતા. એક દિવસ વ્યાખ્યાન સાંભળ્યા પછી મહારાજાએ શેઠ વિક્રમચંદભાઈ તથા સંઘના અગ્રેસરોને જણાવ્યું કે ચાલુ સાલનું ચાતુર્માસ મ. શ્રીનું મોરબીમાં જ કરાવજો. તેમ જ થયું. તે ચાતુર્માસમાં મોરબીમાં ધર્મનો ઉદ્યોત સારો થયો. તા. ૨૩-૧૦-૧૯૨૩ના રોજ દરબાર ગઢના વિશાળ ચોકમાં “સનાતન ધર્મ” એ વિષય પર જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યું. વ્યાખ્યાનમાં કોઈ કોઈવાર શારીરિક સ્થિતિનો પણ ઉલ્લેખ કરતા હતા. હાલના જમાનામાં જે ચાની બદી દાખલ થઈ છે તેની શી વિપરીત અસર થાય છે તે સમજાવી ધર્મ પાળવા માટે શરીરરૂપી સાધન કેટલું ઉપયોગી છે તે બતાવી લોકોના હૃદયને સારી રીતે આકર્ષી શકતા હતા. મુંબઈ સમાચારમાં લીધેલી નોંધનો સાર આ પ્રમાણે છે. જૈન મુનિ મહારાજ શ્રી નાગજી સ્વામી પોતાના વ્યાખ્યાનમાં હોટલોમાં ચા પિવાથી કોઢ, પિત્ત, ખસ વગેરે ચેપી રોગ ઉત્પન્ન થાય છે તથા ભ્રષ્ટતા થાય છે વગેરે બાબતોનો સચોટ ઉપદેશ આપી હોટલમાં ચા ન પીવાનો ઉપદેશ આપ્યો હતો, તેની અસર થતાં ઘણા ભાઈઓએ ચા ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી.” સંવત ૧૯૮૦નું ચોમાસું વાંકાનેર થયું. ત્યાંના મહારાજ પણ હંમેશા વ્યાખ્યાન સાંભળવા આવતા. આ વખતે મ. શ્રીના બોધની બહુ સારી અસર થઈ. જે વાંકાનેર નરેશે પુરવાર કરી બતાવી. આખા સ્ટેટને એવો હુકમ કર્યો કે શ્રાવણ માસથી ભાદરવા સુદિ-૫ સુધી કોઈએ જીવહિંસા કરવી નહિ. કરશે તો રાજના ગુનેગાર ઠરશે. તેની સાથે પોતે પણ તેટલો સમય શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને દર સોમવારે પોતાના બંગલે વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સંવત ૧૯૮૨નું ચાતુર્માસ ત્યાંના મહારાજાના આગ્રહથી મોરબીમાં કર્યું. મહારાજશ્રી લખધીરસિંહજીએ આ ચોમાસામાં પોતાના સ્ટેટમાં એવો હુકમ બહાર પાડ્યો કે મોરબી સ્ટેટની હદમાં માછલાં, પશુ-પક્ષી કોઈપણ જનાવરનો શિકાર કરવો નહિ. જે કોઈ આ હુકમનો ભંગ કરશે તેને છ માસની કેદ અને રુ. ૧૦૦ની Page #250 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૩૭ દંડની શિક્ષા થશે. મોરબી નરેશે આ પ્રમાણે જીવદયાનું કામ કરી ગોબ્રાહ્મણ પ્રતિપાલના નામને ઉજ્જવલ કરી બતાવ્યું તથા પૂજય મહારાજશ્રી તરફ પોતાનો અપૂર્વ ભક્તિભાવ બતાવ્યો. સંવત ૧૯૮૪માં આંખે મોતિયો આવી ગયો હતો, તેને ઉતરાવવાનો હતો. તેઓશ્રી જ્યારે લીંબડીમાં બિરાજતા હતા ત્યારે સુરેન્દ્રનગરથી ડૉ. મનસુખલાલ તારાચંદ શાહ (M.B.E.S.D.).) જેઓ આંખના સ્પેશ્યાલિસ્ટ ગણાતા તેમ જ સુપ્રસિદ્ધ નેત્રવૈદ્ય ડૉ. મથુરાદાસની પાસે રહીને ઘણો અનુભવ મેળવ્યો હતો. વળી તેઓ સ્થાનકવાસી જૈન હોવાથી મ. શ્રીના ભક્ત હતા. તેમણે તથા ડૉ. ચત્રભુજ પાનાચંદ બન્નેએ સફળતાપૂર્વક મોતિયો ઉતાર્યો પણ છ દિવસે પાટો છોડતાં આંખે બરાબર ન દેખાયું એટલે અમદાવાદથી ડૉ. ધનજીભાઈ અંકલેશ્વરિયાને બોલાવી આંખો બતાવી. તેમણે કહ્યું કે આંખમાં લોહી ભરાઈ ગયું છે તેથી તે લોહી ઓછું કરવા દવા લેવી પડશે. દવા લેવા માંડી પણ દવાની કંઈ અસર થઈ નહિ. શરીર દેખાવમાં તંદુરસ્ત લાગતું હતું. પણ હૃદય નરમ પડતું ગયું તે જાણવામાં આવ્યું નહિ. મહા વદિ-૪ના દિવસે પ્રથમ શ્વાસની તકલીફ થઈ. તરત જ આહારાદિના પચ્ચખાણ કરી લીધા. અસ્વસ્થ તબિયતના ખબર ઠાકોરસાહેબને મળતાં તેઓ તરત જ ઉપાશ્રય આવી ઉપચાર કરવા સુચના કરી. પ્રતિક્રમણ ચાલતું હતું. મહારાજાએ પૂછયું? કેમ છે,” ત્યારે આ મહાપુરુષે જવાબ આપ્યો કે, “દેહના દંડ દેહ ભોગવે છે મને શાંતિ છે આમ વાતચીત કરતાં કરતાં હૃદય બંધ પડી ગયું. મહારાજાએ તરત જ અંગ્રેજીમાં સૂચના કરી દીધી ને પોતે રાજમહેલ તરફ ગયા.” આ પ્રમાણે આ સંયમધારી મહાત્મા તા. ૯-૨-૧૯૨૮ સંવત ૧૯૮૪ મહા વદ-૪ ગુરુવારે સાંજે સવા સાત વાગ્યે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા. લીંબડીના મહારાજા વગેરેએ છેલ્લી ભક્તિ સારી રીતે બતાવીને તે દિવસે રાજયની તમામ કોર્ટો સ્કૂલો ઓફિસો વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો આખા શહેરમાં હડતાલ પડી, લાઈટ પણ બંધ રાખવામાં આવી. મહારાજ શ્રી દોલતસિંહજીએ અગ્નિસંસ્કાર માટે બધી સુખડ પોતાના ખર્ચે મંગાવીને પૂરી પાડી. પોતે મ. શ્રી પ્રત્યેની છેલ્લી ભક્તિ ભાવના પૂરી કરી. લીંબડીમાં તેમના નામની “શ્રી નાગજી સ્વામી સંસ્કૃત પાઠશાળા” એવી સંસ્થા પણ શરૂ થઈ હતી. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી શામજી સ્વામી 'શાસ્ત્રજ્ઞ પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામી તપસ્વી પૂજ્યશ્રી શામજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૩૪ના મહા સુદિ ૧૧ના પવિત્ર દિવસે (કચ્છ) રાપરની બાજુમાં સઈ ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ લક્ષ્મીચંદભાઈ બેચરભાઈ હતું. માતાનું નામ નવલબહેન હતું. મોટા ભાઈનું નામ મોતીચંદભાઈ હતું. નાના ભાઈ તથા બહેનનું નામ અનુક્રમે પસિંહ અને ગંગાબહેન હતું. ચરિત્રનાયકશ્રીનું સંસારી નામ પણ શામજીભાઈ હતુ. 'બાલપણના તોફાની ભવિષ્યમાં મહાન ત્યાગી થયા સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બાળપણમાં જે બાળકો તોફાની અને ચપળ હોય છે તે આગળ છતાં ખૂબ જ સ્થિર થઈ જાય છે અને નામ કાઢે છે. તેમ શામજીભાઈ પણ બાળપણમાં ખૂબ જ તોફાની હતા. લીંબડા, પીપળાના ઝાડ પર ચઢી કૂદકા મારવા, સંતાકૂકડી વગેરે રમતોમાં તેઓશ્રી ખૂબ જ કુશળ હતા. આટલી બધી ચપળતા હોવા છતાં તે દહાડે સંયમ લીધા પછી તેમણે આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે અને કેટલી ખ્યાતિ મેળવી તે આગળ વાંચવાથી ખ્યાલ આવી શકશે. આત્મ અવિચળ સુખ મેળવવા, કદી હોય મરજી તારી, કર સદ્ગુરુનો સંગ રંગથી વાત માનજે તું મારી. શામજીભાઈ એક વખત ગોળ ખરીદવા મોરબી ગયા હતા. ત્યાં બિરાજતા વીર મ. શ્રી મંગળજી સ્વામીના દર્શન થયા. ગુરુના દર્શન માત્રથી ભવ્ય જીવોની ભાવના કેવો વળાંક લે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાશે. ગુરુદેવના ઉપદેશ વિના તેમના દર્શનથી જ પૂર્વજન્મના કોઈ સંસ્કારોનાં કારણે તેમના વિચારોએ એકાએક વળાંક લીધો અને તેમણે ગુરુમહારાજશ્રી મંગળજી સ્વામીના ચરણ-શરણમાં કાયમ માટે રહી જવા પોતાની ભાવના વ્યક્ત કરી. ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્ત અવશ્ય મળી જાય છે. શામજી ભાઈએ ઘરે આવીને પોતાના વિચારો જણાવ્યા. “મારો દીકરો સાધુ બની જશે.' એ બીકે મોહાવેશી પિતાએ તે ઉચ્ચ ભાવને દબાવી દેવા શામજીભાઈને કોઠારમાં પૂરી દીધા. ત્રણ દીવસ સતત કોઠારમાં રાખ્યા. પછી પિતાજી પૂછે છે, “કેમ ! શામજી? શું ઈચ્છા છે?” Page #252 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૩૯ શામજીભાઈએ જવાબ આપ્યો, “હવે તો મારી ભાવના ખૂબ જ મજબૂત બની ગઈ છે. આ મતલબી દુનિયાનાં બંધનમાં મારે કોઈ પણ રીતે બંધાવું નથી.” ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના ગોળા બતાવ્યા છે. (એક) લાખનો ગોળો તડકે રાખવાથી તરત જ ઓગળી જાય છે. (એક) મીણનો ગોળો અગ્નિની પાસે રાખવાથી ઓગળી જાય છે. (એક) લાકડાનો ગોળો અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે પરંતુ માટીનો ગોળો અગ્નિમાં નાખવાથી વિશેષ મજબૂત થાય છે. આવી રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. એકને કોઈ કડવાં વચન સંભળાવે તો તે ધર્મને તજી દે છે. એકને કોઈ ગાળો દે તો તે ધર્મને છોડી દે છે. જ્યારે ચોથા પ્રકારના માટીના ગોળા જેવા જે આત્માઓ હોય છે તેમને જેમ જેમ કષ્ટ આપવામાં આવે છે તેમ વિશેષ દઢ બને છે, તેઓ જરાય ચલિત થતા નથી. શ્રી શામજી ભાઈ પણ માટીના ગોળા જેવા દઢ વૈરાગી હતા. 'દઢ વૈરાગ્યથી અનુમતિ મળી..... આગળ વધતો અભ્યાસ..... ભાવના તો વડીલ બંધુ મોતીભાઈની પણ હતી પરંતુ પ્રારબ્ધ વિના એ બળતા સંસારમાંથી કોણ બહાર નીકળી શકે ? છેવટે મક્કમ રહેલા શામજીભાઈને સંમતિ મળી અને તેઓ ગુરુમહારાજના શરણે આવ્યા. ગુરુછાયામાં નમ્ર ભાવે રહી ધાર્મિક અભ્યાસને આગળ વધાર્યો. થોડા સમયમાં તેમણે સારો અભ્યાસ કરી લીધો. સંયમી જીવન જીવવા માટેની તાલીમ મેળવી લીધી. ' સંસારમાંથી સંયમી બનતા શામજીભાઈ સંવત ૧૯૫૦ વૈશાખ વદ-૧૦ સોમવારે કચ્છ અંજાર પાસે આવેલા ચંદિયા ગામમાં માત્ર ૧૬ વર્ષની ઉગતી યુવાનીમાં તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આ દીક્ષાનો લ્હાવો ચંદિયાના વતની અચળજીભાઈ માવજીભાઈ મહેતાએ લીધો હતો. લગ્નના લ્હાવા તો સૌ કોઈ લે પરંતુ દીક્ષાનો લ્હાવો તો કોઈ ભાગ્યશાળી જ લઈ શકે. લગ્નના લ્હાવાથી સંસાર વધે છે. જ્યારે સંયમના લ્હાવાથી સંસાર ઘટે છે. સંયમ અંગીકાર કર્યા પછી તેમનું નામ શામજી સ્વામી રાખવામાં આવ્યું. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે : निदं च न बहु मन्नेज्जा, संपहासं विवज्जए। fમો હા િન , સાયક્તિ રમો સયાં છે દ. એ. ૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી શામજી સ્વામી ભાવાર્થ : નિદ્રાને બહુ મહત્ત્વ ન આપવું અર્થાત્ બહુ ઊંઘ ન કરવી, હાસ્યનો ત્યાગ કરવો, નકામી વાતોમાં યાને વિકથામાં આનંદ ન માનવો, પરંતુ હંમેશા સ્વાધ્યાયમાં રહેવું. આ ગાથાના ભાવને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યો હતો. શાસ્ત્ર-સિદ્ધાન્તના અભ્યાસમાં સારી પ્રગતી કરી. વિદ્વાન મ. શ્રી મંગળજી સ્વામી જેવા ગુરુદેવ મળ્યા હોય પછી કચાશ ક્યાંથી રહે ! તેમણે આગળ જવા એટલો ઊંડાણથી શાસ્ત્રાભ્યાસ કર્યો કે તેના કારણે તેઓ બહુશ્રુત કહેવાયા. તપ ત્યાગનો પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો. પૂજય સાહેબ શ્રી શામજી સ્વામીના તપ-ત્યાગ પણ ખૂબ જ વખાણવા લાયક હતા. તોફાની પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવવા વર્ષો સુધી ફક્ત છ જ દ્રવ્ય વાપરતા. બે વર્ષ એક દિવસ ચૌવિહારો ઉપવાસ, બીજે દિવસે એકાસણું એમાં ચૌદશ-પૂજન ઘણીવાર છઠ્ઠ કરતા, જેમાં પાણીનો તદન ત્યાગ અને એકાસણે છાશની આછ વાપરતા. આવી રીતે બે વર્ષ પાણી વિના તપ કર્યું હતું. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ કે અમાવાસ્યા એમ મહિનામાં દશ ઉપવાસ કરતા હતા. એકસાથે મોટો તપસ્યાનો થોક કરી પછી મોટું કાયમ માટે ખુલ્લું રાખવું તે સહેલું છે પરંતુ કાયમ માટે આવી તપસ્યા કરવી તે કઠિન છે. આજે તપસ્યાઓ ઘણી થાય છે પરંતુ આહાર સંજ્ઞા જીતાતી નથી કેટલાક ઠેકાણે તો વધે છે ત્યારે સમજવું જોઈએ કે તપના મર્મને હજી આપણે સમજી શક્યા નથી. પૂજ્યશ્રીના જીવનમાંથી બોધ લેવા જેવો છે. 'વંદન હો એ નિસ્પૃહી મહાત્માને ! | કોઈ વાર મોટા વિહારમાં સાધ્વી-શિષ્યાઓ માગણી કરે કે સાહેબ ! થોડો સામાન ઉપાડવાનો લાભ આપો ત્યારે પૂજયશ્રી કહેતા, “બહેનો ! મારી પાસે નવા કપડાં રાખું છું. બે ચોલપટ્ટા, એક પછેડી, એક ગાંતરિયો, ધાબળી, કામળી, પાથરણું, મુહપત્તિ અને હાથ લૂછયું. આનાથી વધારે નથી. આ બધું તો જરુરી છે. આનાથી વિશેષ વસ્ત્રો તેઓ રાખતા નહિ. એ ઘસાઈ જાય ત્યારે બીજા યાચે. સંગ્રહવૃત્તિવાળાને આમાંથી સારી પ્રેરણા મળી શકે છે.” ( મીઠી મીઠી લાગે છે ગુરુજીની હિતશિક્ષા તેઓશ્રી નૂતન સાધ્વીજીઓ કે દીક્ષાર્થિની બહેનોને તેમનું ભાવિ જીવન Page #254 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૪૧ ઉજ્જવળ બનાવવા હૃદયની લાગણીપૂર્વક હિતશિક્ષાઓ અને ભલામણો આપતા. “જ્ઞાનમાં ખૂબ આગળ વધજો. સંસારી વાર્તાલાપમાં બહુ પડવું નહિ હો.” વેપારીને ધન મેળવવા કેટલી તમન્ના હોય છે કે જમવાનો સમય થઈ જાય છતાં ઘડિયાળ સામે જુવે નહિ. તેમ તમે જ્ઞાન મેળવવામાં રત રહેજો. જ્ઞાન એ જ સાચું ધન છે. અપ્રમત્ત ભાવે જ્ઞાન ધ્યાનમાં આગળ વધજો. સેવા ધર્મ: પરમ ાહનો યોગિનામપવ્યયમ્યઃ - ભતૃહિર સેવાધર્મ પરમ ગહન છે જે યોગીઓને જાણવો પણ મુશ્કેલ છે. પૂ. શ્રી મંગળજી સ્વામીના સંઘાડામાં અગિયાર મુનિઓનું ગ્રુપ હતું. તેમાં શ્રી અમીચંદજી સ્વામી આંખે અખમ થઈ ગયા હતા. ડોલીથી વિહાર કરતા હતા અને શુદ્ધિ પણ બહુ ઓછી. આવી પરિસ્થિતિમાં તેમની સંભાળ રાખવા પૂ.શ્રી શામજી સ્વામી કાયમ એમની સાથે રહેતા. તેમનાથી મોટા હોવા છતાં તેમની બધી સેવા પોતે જાતે કરતા. શાસ્ત્રનું સારું જ્ઞાન, તપસ્યા તથા સેવાનો આવો ગુણ કોઈ વિરલામાંજ જોવા મળે. પરંતુ જેણે વીતરાગ દેવના માર્ગને બરાબર જાણ્યો છે તેના માટે આ બધું સહજ થઈ જાય છે. તેને આવું સંયમી જીવન ભારે આનંદદાયક લાગે છે. સાધુ તો ચલતા ભલા ડાઘ ન લાગે કોય પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મુંબઈ વગેરે પ્રાન્તોમાં વિચર્યા હતા. અજમેર સાધુ સંમેલનમાં તેઓશ્રી પધાર્યા હતા અને તે વર્ષનું ચાતુર્માસ તેમણે બ્યાવરમાં કર્યું હતું. કાંદાવાડી અને ઘાટકોપર એમ બે ચાતુર્માસ મુંબઈમાં કર્યા હતા. સાધુના વિહારથી બે લાભ થાય છે, એક તો પોતે ક્યાંય રાગના બંધનથી બંધાતા નથી તથા ભવ્ય જીવોને તેમના ઉપદેશ અને સત્સંગનો લાભ મળે છે. પૂજ્યશ્રી અજોડ જ્ઞાનપ્રેમી હતા. તેમણે નીચેનાં પુસ્તકોનું સંપાદન કરી સમાજના ચરણે ભેટ આપ્યાં હતા. (૧) જૈન રસિક ગાયનમાળા (૨) મધુર પ્રસાદી (૩) મંગળપોથી (૪) આદર્શ જૈન (૫) જિનેન્દ્ર સ્ત્રોત મંગલમાળા (૬) જૈન સદ્બોધ મંગળમાળા (૭) જિનેન્દ્ર સ્તવન મંગળમાળા (૮) જૈન સ્વાધ્યાય મંગળમાળા (૯) પ્રવચન પ્રભાવના. આવા સમાજોપયોગી પુસ્તકો દ્વારા તેમણે સારી જ્ઞાનપ્રભાવના કરી હતી. છેલ્લે નજર પણ પૂરી પડતી ન હતી. છતાં એક માણસ રોકીને તેઓશ્રી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી શામજી સ્વામી જ્ઞાનારાધના કરતા જ રહ્યા. ઘણા લોકો કહે, “મહારાજશ્રી, હવે આ બધું છોડીને આરામ કરો.” પરંતુ પૂજયશ્રીની એ જ્ઞાનપિપાસા છિપાઈ જ નહિ. છેલ્લે સુધી પુરુષાર્થ કરતા જ રહ્યા. મોટી ઉંમર હોવા છતાં મરણશક્તિ એટલી બધી સતેજ હતી કે જ્યારે જૈન સ્વાધ્યાય મંગળમાળા ભાગ બીજાની મેટર અમદાવાદ પ્રેસમાં આગ અકસ્માતના કારણે બળી ગયેલ ત્યારે પોતાની નજર ન હોવા છતાં ફરીથી મેટર તૈયાર કરાવી. જેમાં પહેલાની જેમ લગભગ બધી જ વસ્તુઓ મેળવી લીધી. પુસ્તક ભંડારનું પડિલેહણ શરુ કરે ત્યારે ભંડારમાં જેટલાં પુસ્તકો હોય તે પ્રમાણમાં મહિના બે મહિનાનો ગાળો જાય. એમાં ખૂબ જ ખંતથી કામ કરે. ઘણીવાર તો ગોચરી વહોરવાનો સમય ચૂકી જાય. કોઈ ગોચરી વહોરી લાવેલ હોય ત્યારે પૂજયશ્રી કહેતા કે જલદી ગોચરી વહોરી આવ્યા. ગુરુ પ્રત્યે અદ્વિતીય સમર્પણ ભાવ પૂજ્યશ્રીનો ગુરુ મહારાજશ્રી મંગળજી સ્વામી પ્રત્યે એટલો સમર્પણ ભાવ કે પોતાનાં બનાવેલા પુસ્તકોનાં નામમાં ‘મંગળ’ શબ્દ ગોઠવી ગુરુદેવનું નામ રાખતા. તદુપરાંત ઘણી જગ્યાએ તેમણે “મંગળ જૈન પુસ્તકાલય” આવા નામે પુસ્તક ભંડારોની સ્થાપના કરી છે અને તેમાં પ્રાચીન પુસ્તકો સારા વસાવ્યાં છે. “મારામાં જે કાંઈ છે તે ગુરુમહારાજનું જ છે, તેમની કૃપાથી જ આ બધુ મળ્યું છે.” આવી ભાવના જાગે તો જ આવો સમર્પણ ભાવ આવે. બાકી જ્યાં સ્વાર્થ હોય, સ્વ પ્રશંસાનો મોહ હોય ત્યાં સમર્પણ ભાવ આવતો નથી. અને સમર્પણ ભાવ વિના સિદ્ધિ પણ નથી. પોહં નOિ જે ઢોર્ડ, નાદમગ્નસ #સ વિના હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. - પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામીનાં સંગાથી સંતો એક પછી એક સ્વર્ગવાસ પામતા ગયા. આટલા મોટા મંડળમાંથી પોતે એકલા જ રહ્યા છતાં જ્ઞાનબળથી જાતને સમજાવી શાંતિ રાખી શક્યા. આખરે તો આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. સંવત ૨૦૧૭માં પૂજ્યશ્રી અવસ્થાના કારણે ગાદીના ધામ લીંબડીમાં સ્થિરવાસ રહ્યા. તે વખતે સંપ્રદાયના મુખી હતા શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ. પ્રથમ ચાતુમાર્સમાં શાંતિમૂર્તિ પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી, સદ્ધક્તા મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ તેમની સેવામાં રહ્યાં. Page #256 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૪૩ સં. ૨૦૧૮માં શાન્તસૂતિ પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ તથા મહાસતીજી વેલબાઈ આર્યાજી વિદુષી માણેકબાઈ આર્યાજી, સુવ્યાખ્યાત્રી ઉજ્જવળકુમારી આર્યાજી આદિ સાધ્વીજીઓ તેમની સેવામાં રહ્યા. સં. ૨૦૧૯માં બા. બ્ર. ચંદનબાઇ આર્યાજી ઠા. ૨. તેમની સેવામાં રહ્યા. સં. ૨૦૨૦ અને ૨૦૨૧માં બા. બ્ર. લીલાવંતીબાઇ આર્યાજી તથા બા.બ્ર. કલાવતીબાઇ આર્યાજી સેવામાં રહ્યા. સં. ૨૦૨૨ અને ૨૦૨૩માં તપસ્વિની ઇન્દ્રાબાઈ આર્યાજી, વિદુષી મ. ચન્દ્રાવતીબાઇ આર્યાજી તથા બા.બ્ર. વિનોદપ્રભાબાઈ આર્યાજી રહ્યાં. સં. ૨૦૨૪માં બા.બ્ર. શ્રી ચંદનબાઈ આર્યા તથા બા. બ્ર. શ્રી આશાબાઇ આર્યાજી રહ્યા. આમ શિષ્યા મંડળે સેવાનો સારો લાભ લીધો. લીંબડી છ કોટિ સંઘના પૂજ્ય સાહેબ બન્યા. પૂજ્ય સાહેબ શ્રી ધનજી સ્વામી છેલ્લાં થોડાં વર્ષોથી લીંબડીમાં સ્થિરવાસ હતા. તેઓ સં. ૨૦૨૫માં મહાસુદિ - ૧૩ શુક્રવારે કાળધર્મ પામતા પૂ. શ્રી શામજી સ્વામી લીંબડી સંપ્રદાયની ગાદીએ બિરાજયા. એક દિવસ પડી જતાં ડાબા પગે ફેકચર થઈ ગયેલ. પીડા ઘણી હતી છતાં સમભાવે સહન કરી. સેવાભાવી નરસિંહ સ્વામી, નેમિ મુનિ તથા સેવા ભાવી વિમળાભાઈ આર્યાજી આદિ ઠાણાઓ સેવા માટે આવી પહોંચ્યા. આઠકોટિના સંતોએ પણ સેવા વગેરેનો લાભ લીધો. રાપરના વનેચંદભાઈ દોશીએ પણ ખૂબ સેવા કરી. લીંબડી સંઘે ક્યાંય કચાશ ન રાખી. સં. ૨૦૨૫માં ચૈત્ર વદિ-૯ ગુરુવારે ૯૧ વર્ષનું આયુષ્ય ભોગવી ૭૫ વર્ષની દીક્ષા પાળી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. 'ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી | ચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું નાનકડું ગામ ભરોરા. ૭૦૦ની જનસંખ્યા ધરાવતું આ રળિયામણું ગામ બીજા ગામોથી કાંઇક અલગ તરી આવે છે કારણ કે એમાંથી અનેક સંત રત્નો પાક્યા છે. એ પાવન ભૂમિમાં વિ. સં. ૧૯૩૬, વૈશાખ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી રત્નચન્દ્રજી સ્વામી સુદિ ૧૨ ને શુક્રવારે સુશ્રાવક વીરપાળભાઈ દેઢિયાના ગૃહિણી સુશ્રાવિકાલક્ષ્મીબાઇએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. એક શુભ દિવસે તેનું નામ રાયસિંહ પાડવામાં આવ્યું. ૬ વર્ષની ઉંમરે માતા-પિતાએ તેમને ગામઠી શાળામાં ભણવા માટે બેસાડ્યા. સાત ચોપડીનો અભ્યાસ કરી રાયસિંહ મોટાભાઈ નપુભાઇની સાથે ઇંદોર પાસે આવેલા શણાવદમાં વેપારનો અનુભવ લેવા ગયા. ત્યાં અંગ્રેજીનો સામાન્ય અભ્યાસ કર્યો. દસેક માસ એ રીતે શણાવદમાં ગાળ્યા બાદ ફરીને કચ્છમાં આવ્યા. ત્યાંથી મુંબઇ વેપારાર્થે ગયા. અનુક્રમે ૧૩ વર્ષની ઉંમરે એ કચ્છી કિશોર વેપારી બની ગયો. यदभावि न तद् भावि, भावि चेन्न तदन्यथा । જે નથી બનવાનું તેને કોઇ બનાવી શકતું નથી. જે બનવાનું છે, તેને કોઇ અન્યથા કરી શકતું નથી આ કુદરતનો કાનૂન છે. જ્યારે રાયસિંહ શાળામાં ભણતા હતા ત્યારે ધાર્મિક જ્ઞાનમાં સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કરેલો. સાધુ સાધ્વીજીઓનો સમાગમ પણ કરતા જેથી બાલમાનસમાં દીક્ષા લેવાના વિચારો આવતા, પરંતુ તે કોઇને દર્શાવ્યા નહિ, તે સ્થિતિમાં જ તેમના તેર વર્ષની ઉંમરે (કચ્છ) સમાઘોઘાની એક કુલિન કન્યા હાંસબાઇ સાથે લગ્ન થઇ ગયા. લગ્ન બાદ ત્રણ વર્ષ પરદેશમાં ગાળ્યા. ચોમાસાના ત્રણ-ચાર માસ દેશમાં રહી ધાર્મિક અભ્યાસને તાજો કરતા. આ પ્રમાણે ક્રમ ચાલ્યા કરતો હતો. રાયસિંહભાઇ ચોમાસામાં બેલાપુરથી દેશમાં આવ્યા. પુનઃ સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા, તેઓ કોઇને પણ કહ્યા વગર ભોરારાથી અંજાર ગયા. તે વખતે અંજારમાં પૂ. ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. વીરજીસ્વામી બિરાજતા હતા. પાછળથી કુટુંબીજનોને ખબર પડતાં પાછા તેડી આવ્યા. તેઓ સંસારમાં રહેવા ઇચ્છતા ન હતા છતાં ગૃહસ્થાશ્રમના બંધનના કારણે રહેવું પડ્યું. “ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત મળી જ જાય છે. માતા-પિતાનો પ્રેમ તથા ગૃહસ્થાશ્રમની જવાબદારીના કારણે દીક્ષા લેવાનો વિચાર તે વખતે સાકાર ન બન્યો પરંતુ ત્યાર બાદ વિ. સં. ૧૯૫૧માં રાયસિંહભાઇ બેલાપુર હતા ત્યારે ધર્મપત્ની હાંસબાઇએ પુત્રીને જન્મ આપી પ્રાણ છોડ્યા. આ સમાચાર રાયસિંહભાઇને તાર દ્વારા મળ્યા. તે જ વખતે તેમના મુખમાંથી નરસિંહ મહેતાની જેમ શબ્દો સરી પડ્યા, “ભલું થયું ભાંગી જંજાળ, Page #258 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૪૫ સુખે ભજીશું શ્રીગોપાળ’” વડીલ બંધુને કહી દીધું કે, “ફરીથી મારું વેવિશાળ નહિ કરતા.’’ ગૃહસ્થાશ્રમની જંજાળનો તાંતણો તૂટ્યો અને મુકત થયેલું મન સંયમ લેવા માટે ઉત્સુક બન્યું પરંતુ મોટાભાઇની આજ્ઞા થઇ કે, “હમણાં બે મહિના અહીં જ રહો, તમારો વૈરાગ્ય પરિપકવ હશે તો દીક્ષા લેવામાં અંતરાય કરીશ નહિ.’ વાત્સલ્યહૃદયી માતાને જ્યારે ખબર પડી કે મારો સોળ વર્ષનો રત્ન સુપાત્ર દીકરો દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યો છે ત્યારે તેમનું હૃદય પુત્ર મોહના કારણે ભાંગી પડ્યું. પુત્રને ફરીથી પરણાવવા ખૂબ જ આગ્રહ કર્યો છતાં રાયસિંહભાઇનું મન જરાય ચલિત થયું નહિ, તેમણે ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો. ગુરુ બિન કૌન બતાવે વાટ ? આગમ વિશારદ પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીનું સંવત ૧૯૫૨ની સાલનું ચાતુર્માસ ભોરારામાં હતું. એ ચાતુર્માસમાં જ રાયસિંહે તીવ્ર સ્મરણશકિતના કારણે સંખ્યાબંધ થોકડાં તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધા. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. ગુરુદેવ સાથે અંજાર તરફ વિહાર કર્યો. બે-ત્રણ મહિનામાં ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરી લીધું. પુત્રની ગૃહસ્થાશ્રમ તરફની ઉદાસીનતા જાણી છેવટે સંવત ૧૯૫૩માં વૈશખ સુદિ ૩ ના દિવસે દીક્ષાની લેખિત આજ્ઞા આપી. માતાપિતાએ પુત્રનો માર્ગ મોકળો કરી આપ્યો. સત્તર વર્ષની વયના નવયુવાન રાયસિંહ ભોરારામાં જ સાધુ ધર્મ અંગીકાર કરે એ ભોરારાવાસીઓ માટે અસાધારણ ઉત્સવનો પ્રંસગ હતો, કારણ કે મુનિરાજની દીક્ષા ભોરારામાં પ્રથમ જ થવાની હતી. ઘર-ઘરમાં મંગલ ગીતો ગવાઇ રહ્યાં હતાં કેમ કે આ પ્રસંગ બધાને માટે સરખો હતો. પૂ. શ્રી મેઘરાજજી સ્વામી, પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી આદિ સંતસતીજીઓ સહિત ચતુર્વિધ સંઘની હાજરીમાં મુરગ જેવત દેઢિયાની વાડીમાં સંવત ૧૯૫૩, જેઠ સુદિ-૩ને ગુરુવારે રાયસિંહભાઈ દીક્ષિત થઇને મુનિ શ્રી રત્નચન્દ્રજી થયા. પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય થયા. ત્યાર પછી સાતમા દિવસે મુન્દ્રામાં તેમની વડી દીક્ષા થઇ. જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. મુનિ શ્રી રત્નચન્દ્રજીના જીવનમાં પ્રથમથી જ જ્ઞાન મેળવવાની તીવ્ર પિપાસા હતી. સંવત ૧૯૫૩ થી ૧૯૬૩ સુધીના એક દાયકામાં શાસ્ત્રી નારાયણ મૂળજી, શ્રી ભાગવતાચાર્ય, શ્રી કૃપાશંકર શાસ્ત્રી, શ્રી શશીનાથ ઝા, શ્રી બાલકૃષ્ણ મિશ્ર અને પંડિત બચ્ચા ઝા જેવા સમર્થ વિદ્વાન પંડિતો Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી રત્નચન્દ્રજી સ્વામી પાસેથી ન્યાયના વિવિધ ગ્રન્થો જેવા કે તર્કસંગ્રહ, ન્યાયબોધિની, નીલકંઠી, દીપિકા, ન્યાય સિધ્ધાંત મુક્તાવલિ, દિનકરી, પંચલક્ષણી, સિધ્ધાંત લક્ષણ, અવિચ્છેદકત્વ, નિરુક્તિ, વ્યુત્પત્તિપાદ, શક્તિવાદ, શબ્દશક્તિ પ્રકાશિત, સામાન્ય નિરુક્તિ, સાધારણ હેત્વાભાસ, ન્યાયાવતાર, સ્યાદ્વાદ રત્નાકાર વગેરે છંદમાં શ્રુતબોધ, વૃત્ત રત્નાકર આદિ, અલંકારમાં કુવલયાનંદ કારિકા આદિ દર્શનશાસ્ત્રમાં સાંખ્ય તત્ત્વ કૌમુદી આદિ, વ્યાકરણમાં સિધ્ધાંત ચન્દ્રિકા, સિધ્ધાંત કૌમુદી વગેરે સાહિત્યમાં રઘુવંશ, શિશુપાલ વધ, રસ ગંગાધર, મૃચ્છકટિક, કસુમાંજલિ વગેરે ગ્રંથોનો ફક્ત દશ જ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યોતિષ, વેદાંત તથા બૌદ્ધના ગ્રંથોનો પણ સારો અભ્યાસ કર્યો હતો. તદુપરાંત પૂજય સાહેબ શ્રી લાધાજી સ્વામી, પંડિત રત્ન શ્રી ઉત્તમચંન્દ્રજી સ્વામી, પૂ. ગુરુદેવ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી વગેરે સંતો પાસે ભગવતી સૂત્ર, પન્નવણા, જીવાભિગમ, અનુયોગદ્વાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ આગમોનો તથા લબ્ધિ બંધી, ગમા, દેશબંધ, સર્વબંધ, કાયસ્થિતિ તથા ગાંગેયના ભાંગા વગેરેનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થિ લુન્ વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો. અભ્યાસ કાળ દરમ્યાન આંખ, કાન તથા ગળાની તકલીફ થઇ, ભગંદર જેવા દર્દોના આક્રમણ થયા, સાધુ જીવનની દિનચર્યા, પાદવિહાર વગેરે બધી જ વિષમતાઓ હોવા છતાં જ્ઞાનોપાસનમાં સદા રત રહેતા, એ જ તેમની વિશેષતા હતી. અભ્યાસ રતિ ઉપરાંત અસાધારણ ધારણાશકિત હતી. જામનગરમાં જયારે પંડિત નારાયણ મૂળજી પાસે તેમણે અભ્યાસ આગળ વધારવાની ઇચ્છા પ્રદર્શિત કરી ત્યારે પંડિતજીએ એક વિલક્ષણ શરત રજૂ કરી. તેમણે કહ્યું, “જયારે હું મકાનનાં પગથિયાં ચડું અને અભ્યાસ કરાવીને નીચે ઊતરું ત્યાં સુધી હું સંસ્કૃતમાં જ બોલીશ અને સંસ્કૃતમાં જ સિધ્ધાંત કૌમુદી શીખવીશ. એક પણ ગુજરાતી શબ્દનો ઉપયોગ નહિ કરું. એ શરત માન્ય હોય તો જ ભણાવીશ.” તે વખતે રત્નચંદ્રજી સ્વામીને સંસ્કૃત અભ્યાસ સામાન્ય હતો, શરત કઠિન હતી છતાં માન્ય કરી. અભ્યાસ શરુ કર્યો. તેમની અજબ ધારણા શક્તિ જોઇ પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. 'અવધાનોની હારમાળા સર્જતા શતાવધાનીજી ધારણા શક્તિની પ્રબળતાથી અવધાન શક્તિનો પણ તેમનામાં વિકાસ થયો હતો. અવધાન શક્તિ એ એક વિરલ શક્તિ છે. અવધાનમાં ચિત્તની ત્રણ ક્રિયાઓ થાય છે. (૧) ગ્રહણ (૨) ધારણ (૩) સ્મરણ. સામાન્ય માણસોમાં તો નહિ પરંતુ Page #260 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૪૭ વિદ્વાનોમાંય બહુધા આ ત્રણ ક્રિયાઓ કરનારી શક્તિ સુવ્યવસ્થિત કાર્ય કરતી નથી હોતી. જ્યારે પંડિતરત્ન શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ સૌપ્રથમ સંવત ૧૯૬૨માં થાનગઢ ચાતુર્માસમાં પહેલી વાર ૮, બીજીવાર ૧૭ અને ત્રીજી વખત જાહેરસભામાં ૫૦ અવધાન કર્યા હતા. સંવત ૧૯૬૩માં ચોટીલામાં ૩૬ અવધાન કર્યા. એ જ વર્ષે જેતપુર ચાતુર્માસમાં એક વાર ૧૨ અને બીજી વાર ૫૦ અવધાન કર્યા હતા. સંવત ૧૯૬૪માં માંગરોલમાં ૮ અવધાન કર્યા. સંવત ૧૯૬૫માં મોરબી ચાતુર્માસમાં એક વખત ૧૨ અને બીજી વખત ૪૦ અવધાન કર્યા. સંવત ૧૯૬૯ પાલણપુર ચાતુર્માસમાં એક કલાકમાં ૧૬ અવધાન કર્યા. સંવત ૧૯૭૧માં નવસારીમાં ૮ અવધાન કર્યા. મુંબઇમાં ૨૦ અને ૩૬ અવધાન જાહેરસભામાં કર્યા. સંવત ૧૯૭૫માં માંડવીમાં ૨૧ અને ભૂજપુરમાં ૧૩ અવધાન કર્યા. સંવત ૧૯૭૭માં પોરબંદરમાં ૨૪ અને લીંબડી ચાતુર્માસમાં ૨૮ અવધાન કર્યા. સંવત ૧૯૭૮ ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે ૩૫ અવધાન કર્યા અને વાંકાનેર ચાતુર્માસમાં ૧૨ અવધાન કર્યા. સંવત ૧૯૭૯ માં ચોટીલામાં ૧૨, માળિયમાં ૧૩ અને અમદાવાદમાં ૩૫ અવધાન કર્યા. સંવત ૧૯૮૧માં વઢવાણ કેમ્પમાં જાહેરમાં ૪૧ અવધાન કર્યા. સંવત ૧૯૮૩ વાંકાનેર રાજાસાહેબના પ્રમુખપદે રણજિત વિલાસ મહેલમાં ૫૭ અવધાન કર્યા. સંવત ૧૯૯૦ જયપુરમાં ૪૮ અવધાન કર્યા. સંવત ૧૯૯૧ અલવરમાં રાજઋષિ કોલેજમાં ૪૮ અવધાન કર્યા. એ જ વર્ષે દિલ્હીમાં અવધાન કરતાં સભાએ ‘ભારત રત્ન’ ની ઉપાધિ આપી. સંવત ૧૯૯૨માં ગુરુકુલ પંચકુલામાં ૧૦૧ અવધાનની યોજના હતી પણ સમયના અભાવે ૮૬ અવધાન થયા ત્યારે ‘ભારત ભૂષણ' ની પદવી એનાયત કરવામાં આવી. સંવત ૧૯૯૩માં પાટિયાલામાં જાહેરમાં ૬૦ અવધાન કર્યા. ‘વિદ્યા વારિધિ’ ની ઉપાધિ મેળવી. સંવત ૧૯૯૫માં આગ્રામાં ૬૦ અવધાન કર્યા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી રત્નચન્દ્રજી સ્વામી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મધ્ય ભારત તથા ઉત્તર ભારત જયાં જયાં વિચાર્યા ત્યાં ત્યાં જુદા જુદા સ્થળે અવધાન પ્રયોગો કર્યા હતા. આઠ અવધાનની શરુઆત કરીને ૧૦૧ અવધાન સુધીની શક્તિ તેમણે પ્રાપ્ત કરી હતી તેથી જૈન જૈનેતર પ્રજા સામાન્ય રીતે “શતાવધાની' ના નામથી જ ઓળખતા. અવધાનોમાં કેટલાક પ્રયોગો ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, ફારસ, ઉ ઇત્યાદિ ભાષામાં વાક્યો ગ્રહણ કરીને અવધાન પ્રયોગોની પૂર્ણાહુતિ વખતે અનુક્રમે બોલી જવાના હતા. કેટલાક પ્રયોગો ગણિતને લગતા. કેટલાક જ્યોતિષને લગતા, કેટલાક યંત્રો પૂરવાના આકંડાને લગતા તો કેટલાક પાદપૂર્તિના હતા. લીંબડીના અવધાન પ્રસંગે એક શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછયો, “વેદાંત અને સાંખ્ય મતના તારતમ્યનું નિરુપણ કરે તેવો એક નવો શ્લોક રચી આપો..” શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ તરત શ્લોકનાં બે પદો લખાવ્યાં અને આઠ પ્રશ્નો થયા બાદ બીજા બે પદ લખાવ્યા. આવી રીતે શ્લોકની સુઘટિત રચના નીચે પ્રમાણે બની. __एकमेव परं तत्त्वं वेदान्तिनां च सम्मतम् । प्रकृतिः पुरुषाद् भिन्ना, द्वैतंसांरव्यमताश्रितम् ॥ ભાવનગરમાં અવધાન પ્રસંગે એક પૃચ્છકે એક પાદપૂર્તિ કરી આપવાનો પ્રશ્ન પૂછયો. પાદપૂર્તિ હતી : “નીર નેવના મોભે ચડે અને મુનિશ્રીએ શીઘ્રતાથી તે કરી બતાવ્યું. બહુ યત્ન કરી પેદા કરે, આ દેશના ખેડૂ અરે ! તેં રુ વણિકો મોકલે, જાપાન ને યૂરપ અરે ! કાપડ મંગાવી વાપરે, ખેડૂજનો ભૂખ્યા રડે. દુનિયા સકળ દેખે અહા, નીર નેવના મોભે ચડે .. અવધાન શક્તિ સાથે કવિતા રચવાની શક્તિ પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી તેથી તેઓ શીઘ્રકવિ પણ કહેવાતા. અમદાવાદમાં કવિ શ્રી નાનાલાલ દલપતરામે “આયુષ્યનું અમૃત સાધુતા છે” એના પર છંદના નામ સાથે પાદપૂર્તિ માગી હતા. શ્રી રત્નચન્દ્રજી મહારાજે તરત જ પાદપૂર્તિ કરી આપી. તે નીચે પ્રમાણે છે. બુદ્ધિતણું અમૃત સત્યજ્ઞાન, યોગીતણું અમૃત આત્મભાન ! વિજ્ઞાનનું અમૃત મુક્તતા છે, આયુષ્યનું અમૃત સાધુતા છે. તે એ જ સભામાં શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ હર્ષજીએ જેમાં વેડરેશ શબ્દ Page #262 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૪૯ અંતર્યાપિકામાં ગોઠવાય એવો એક નવો શ્લોક માગેલો. ૬ અને ટ પ્રથમાક્ષરવાળા શબ્દ હોતા નથી તેથી સભાના પ્રમુખ શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે તે અક્ષરો વચ્ચે ગોઠવવાની સંમતિ આપતાં રત્નચન્દ્રજી સ્વામીએ નીચે પ્રમાણે શ્લોક રચ્યો. वेपते मनुजो मिथ्या, सडकटे हि समागते । शोचनीयं पुरैवेदं, संकटं हियते कथम् ॥ અર્થાત્ ઃ જ્યારે સંકટ આવે છે, ત્યારે જ માણસ રડવા બેસે છે પણ તે મિથ્યા છે. વસ્તુતઃ સંકટ આવ્યા પહેલાં જ તે કેમ ન આવે તેનો અથવા તેના નાશનો વિચાર કરી રાખવો જોઈએ. પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના શીઘ્રરચિત અને અર્થ ગાંભીર્યવાળાં કાવ્યો તેમને ઋષિઓની કોટિમાં બેસાડે તેવાં છે. અહીં તેનો આપણે પ્રસાદીરુપે થોડો આસ્વાદ લઇએ. અમદાવાદમાં શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે (સભાના પ્રમુખ) ‘રણમાં વંટોળ’ વિષે શ્લોક માગ્યો હતો. તેના જવાબમાં તેમણે તરત જ શ્લોક રચી આપ્યો. क्षेत्रं शिवं कनकस्पमदि तथापि, क्लेशेन भारत नृणामभवद्दरिद्रम् । तेनाधुनाहह विभाति वनोपमं तम् मन्येधमं कलहवायु निदानमेतत् ॥ ભાવાર્થ : કલ્યાણરુપ અને સોના જેવી આ ભારત ભૂમિ હતી, તે આજે ભારતવાસીઓના પરસ્પર કલેશને કારણે દરિદ્ર બની ગઇ છે જેથી તે રણના જેવી જણાય છે અને રણ બનવાનું કારણ હું એવું માનું છું કે કલહરુપ વાયુના વંટોળનું જ એ પરિણામ આવ્યું છે. વાંકાનેરમાં શ્રી હીરાચંદ મોતીચંદે ‘ગ્રામજીવનની મહત્તા વિષે શ્લોક માગ્યો હતો. તેમણે ઉત્તરમાં આ શ્લોક રચી આપ્યો. स्वच्छो वायुः क्षितिः स्वच्छा, जनानां मानसं तथा । अल्परोगस्ततः प्रोक्तं, ग्राम्यजीवनमुत्तमम् ॥ શ્રી પોપટલાલ પુંજાભાઇ શાહે વાંકાનેરમાં માં ધુમસ્થ વિભૂષળમા એ પંક્તિ ઉપરથી પાદમૂર્તિ માંગી હતી. ઉત્તરમાં તેમણે દ્રુતવિલમ્બિત છંદમાં શ્લોક રચી આપ્યો. द्रुतविलम्बित वृत्तम् सरलता हदयस्य विभूषणं, विनयिता वचनस्य विभूषणम् । सूचरितं नरदेह विभूषणं, परिमलं कुसुमस्य विभूषणम् ॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫) શ્રી રત્નચન્દ્રજી સ્વામી दिनकरो गगनस्य विभूषणं, सुनृपतिर्नगरस्य विभूषणम् । शुभयशो विभवस्य विभूषणं, परिमलुं कुसुमस्य विभुषणम् ॥ અર્થ સરળતા હૃદયનું, વિનય વાણીનું, સદાચાર નરદેહનું, સૂર્ય ગગનનું, સારો રાજા શહેરનું, સુયશ વૈભવનું અને સુવાસ એ ફુલનું વિભુષણ અર્થાત્ શણગાર છે. જયપુરમાં જૌહરી કેશરીમલજી ચોરડિયાએ જૈન ધર્મનો સાર શું છે તે વિષે શ્લોકની માગણી કરી હતી. પંડિતરાજ મ. શ્રી એ અનુરુપ છંદમાં શ્લોક બનાવી અભૂત પાંડિત્યના દર્શન કરાવ્યા. અર્થ : સમદ્રષ્ટિ, અહિંસા અને સ્યાદ્વાદ ભાવના આશ્ચર્યથી જૈન ધર્મ પોતામાં બધા ધર્મોનો સમન્વય કરી લે છે, તેથી કોઈ ધર્મની સાથે જૈન ધર્મમાં વિરોધભાવ નથી. અલવરમાં પંડિત રામચન્દ્રજી ભટ્ટ તમનં વાનીત વિદ્વાન્સ: આ ચરણની પાદપૂર્તિ માગી હતી. તેમણે તરત જ કરી આપી. आर्यान ज्ञातः स्थावरके, नो विज्ञातो नरकेपियः । सद्यो लब्धं नृत्वं, तमलं जानीत विद्वांसः ॥ અર્થ: હે વિદ્વાનો ! સ્થાવરમાં જે આત્માને જાણ્યો નથી, નરક તથા તિર્યંચ ગતિમાં જેને જાણ્યો નથી, તે આત્માને જાણવાનો અવસર મનુષ્ય ભવમાં અત્યારે પ્રાપ્ત થયો છે માટે પુરુષાર્થ કરો. અલવરમાં રાજઋષિ કોલેજના સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી મન્નારાયણજીએ સંજ્ઞાતિનેત્ર રૂત્ર શાવિપિ . આ પંક્તિ ઉપર પાદપૂર્તિ માગી હતી. આવી કઠણ અને દુર્બોધ અશ્રુતપૂર્વ વાક્યની પાદપૂર્તિ કેવી સરળતાથી અદૂભૂત રીતે કરી બતાવી. अस्यां सभायां जयसिंह भूपः सद्यः समेयात् यदि वायुयाने । द्रष्टुं तदा तं सुदिताः समेयुः, सज्जातनेत्रा इव शाखिनोपि ॥ અર્થ: આ સભામાં અત્યારે પણ જો અલ્વરના રાજા જયસિંહ વાયુ વાનમાં બેસીને આવે તો તેને જોવા માટે પ્રફુલ્લિત થયેલા વૃક્ષો પણ જાણે સત્ર આંખોવાળા થયા હોય એ રીતે જોવા આવે. તેવી રીતે જો આ સભા માનવધર્મ એટલે માનવતાને સાચી રીતે અંતઃકરણથી પ્રાપ્ત કરે, તો તેવી માનવતા ભરેલી સભાને જોવાની ઇચ્છાવાળા દેવતાઓ તો આવે ઉપરાંત વૃક્ષો પણ સત્ર-આંખો જાણે પ્રાપ્ત થઈ હોય એ રીતે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ આ છે અણગાર અમારા જોવા આવે. સુરેન્દ્રનગર હાઇસ્કુલના સંસ્કૃત શિક્ષક શ્રી નાથાલાલ દયાળજીએ કહ્યું કે આપશ્રી ‘વસંતઋતુમાં આમ્રવનનું સૌંદર્ય એ વિષય પર નવાં શ્લોક બનાવી આપો. તેમણે શ્લોક લખાવ્યો. कूजन्ति मधुरं प्रीत्या, कोकिलाद्याः प्रतिक्षणम् । काननं पुष्पसंयुक्तं, वसन्ते हि समागते ॥ અર્થ: વસંત ઋતુ આવતાં કોયલ વગેરે પક્ષીઓ પ્રતિક્ષણે મધુર ટહુકા કરે છે. સંપૂર્ણ વન પુષ્પ વગેરેથી યુક્ત બનીને મનોહર દેખાય છે. એક જગ્યાએ હાઇસ્કુલ હેડ માસ્તરે “સમભાવ' શબ્દ ગોઠવીને અંતર્લીપિકા શ્લોક બનાવવા વિનંતી કરી. મુનિશ્રીએ તરત જ શ્લોક બનાવ્યો. सर्वे जीवाः समाः प्रोक्ता, मह्यां पातालस्वर्गयोः । भावनीयमिति स्वान्ते, वरिष्टैर्मोक्षहेतवे ॥ અર્થ : ઉત્તમ મનુષ્યોએ મોક્ષ મેળવવા માટે પોતાના અંતરમાં પૃથ્વી, પાતાળ અને સ્વર્ગમાં રહેલા સર્વ જીવો સરખા છે એવી ભાવના ભાવવી. પંડીત પુરુષોત્તમદાસજી શાસ્ત્રી, સાહિત્યાચાર્યે સંસ્કૃત શ્લોક પાદપૂર્તિ માટે ચોથું ચરણ નીચે મુજબ આપ્યું. વિદિ ના વન્દ્ર નો चौराय सौख्य ददते न चन्दिका, रसायनं शन्तिकरं न रोगिणः ॥ धर्मोपदेशो हितकृन्न दुर्जने, विदाहिनं नन्धते चन्दनं नो ॥ અર્થ જેમ ચાંદની ચોરોને આનંદ આપતી નથી, જે રોગી છે તેને રસાયણ શાન્તિકર નથી, દુર્જનોને ધર્મોપદેશ હિતકર નથી લાગતો તેમ દાઝેલાને ચંદન આનંદ આપી શકતું નથી. એક વખત એક સભાના પ્રમુખશ્રીએ ચાર ચરણના અક્ષરો આડા અવળા કહ્યા હતા, રત્નચન્દ્રજી સ્વામીએ આખો શ્લોક લખાવ્યો તે આ પ્રમાણે છે. धर्मकार्याण्यकुर्वाणाः, शर्मवाज्छन्ति ये नराः । विनानिलोप योगेन, नूनं ते जीवनार्थिनः ॥ જૈન શબ્દનો અર્થ તથા ઉત્ક્રમથી તેનો અર્થ સૂચવતો શ્લોક તેમણે બનાવ્યો. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ नजश्चेद् विपरीतो जैनो, भूत्वा दयालुखे स्यात् । जैनो यदि विपरीतो, नजै नेवान्यथा भूयात् ॥ આવી રીતે કેટલાય શ્લોકોની પાદપૂર્તિ તેમણે તરત જ કરી આપી પોતાના અદ્ભૂત પાંડિત્ય દર્શન કરાવ્યા હતા. મૌલિક ગ્રંથોની રચના : ઉપદેશ પ્રધાન ગ્રંથો નામ (૧) અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર અને અજરામર સ્તોત્ર (સંસ્કૃત-ગુજરાતી) (૨) કર્તવ્ય કૌમુદી ભાગ - ૧ (હિન્દી) (૩) કર્તવ્ય કૌમુદી ભાગ - ૧ (ગુજરાતી) (૪) કર્તવ્ય કૌમુદી ભાગ - ૨ (ગુજરાતી) (૫) કર્તવ્ય કૌમુદી ભાગ ૨ (હિન્દી) (૬) ભાવના શતક (ગુજરાતી) (૭) રત્નગદ્ય માલિકા (સંસ્કૃત-ગુજરાતી) (૮) રેવતીદાન સમાલોચના (હિન્દી-સંસ્કૃત) (૯) જૈન સાહિત્ય સંશોધનની આવશ્યકતા (હિન્દી) ܩܩܘ (૧૦) પ્રસ્તાર રત્નાવલિ (ગુજરાતી) (૧૧) જૈનદર્શન મીમાંસા (સંસ્કૃત) (૧૨) ચોમાસી સંવત્સરી સમાલોચના (ગુજરાતી) (૧૩) કારણ સંવાદ (ગુજરાતી) ૧૯૭૩ (હિન્દી) (૧૪) સૃષ્ટિવાદ અને ઇશ્વર (ગુજરાતી અને હિન્દી) વ્યાકરણ-કોષના ગ્રંથો (૧) જૈન સિધ્ધાંત કૌમુદી (સંસ્કૃત) સ્વોપજ્ઞવૃત્તિ સાથે બીજી આવૃત્તિ (૨) જૈનાગમ શબ્દ સંગ્રહ (અર્ધ.ગુજ.) (૩) પ્રાકૃત પાઠમાળા (પ્રાકૃત-ગુજરાતી) (૪) અર્ધમાગધી શબ્દ રુપાવલિ શ્રી રત્નચન્દ્રજી સ્વામી કઈ સાલે રચના કરી ? વિ.સં. ૧૯૬૯ "" ,, 11 "" 17 "" 99 39 99 ,, ,, ,, ,, 22 ,, ,, 22 ,, -26-2 ૧૯૭૦ ૧૯૮૧ ૧૯૯૫ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૯૧ ૧૯૯૫ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૮૨ ૧૯૯૪ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૫ આ છે અણગાર અમારા ૨૫૩ (૫) અર્ધમાગધી ધાતુ પાવલિ ૧૯૮૪ (૬) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૧ ૧૯૭૯ (૭) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૨ ૧૯૮૫ (૮) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ – ૩ ૧૯૮૬ (૯) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૪ ૧૯૮૮ (૧૦) અર્ધમાગધી શબ્દ કોષ ભાગ - ૫ અપ્રગટ ગ્રંથાવલી (૧) વસુદત્ત આખ્યાન (ગુજરાતી) (૨) જયઘોષ આખ્યાન શ્લોકબદ્ધ સંસ્કૃત) (૩) કલાવતી આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય) (૪) અમરકુમાર આખ્યાન (૫) અનાથી મુનિ આખ્યાન (સંસ્કૃત-ગુજરાતી પદ્ય) (૬) કર્મગ્રંથોનો સારાંશ (ગુજરાતી) (૭) મુક્તાવલિ સારાંશ (ગુ.) (૮) અનુયોગદ્વાર સૂત્ર સારાંશ (ગું.) (૯) ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ (ગુજ.) (૧૦) વિદ્યાર્થી વાચનમાળા-૧ (ગુ.) (૧૧) બાલ વાચનમાળા-૧ (ગુ.) (૧૨) વ્યાખ્યાન સંગ્રહ (ગું.) (૧૩) જૈન દર્શન (શ્લોક બદ્ધ સંસ્કૃત) અપૂર્ણ ' શુદ્ધ સમાચારીનાં પ્રખર હિમાયતી ઊતરતા કાળને કારણે સમાજમાં શિથિલતાનું પ્રમાણ વધતું જતું હતું. તેનો પ્રશ્ન સમાજમાં જોરશોરથી ચર્ચાતો હતો. સાધુઓની જીવન વિશુદ્ધિનો પ્રશ્ન પણ તેમને ખટકતો હતો. ચરિત્રનાયકે સૌપ્રથમ સંવત ૧૯૬૬માં રામાણિયા (કચ્છ)ના સાધુ સંમેલનમાં ભાગ લઈ સાધુને શોભે તેવા આચારો વર્ણવ્યા હતા. સાધુઓની જીવન વિશુદ્ધિનું કાર્ય સાધુ દ્વારા જ થવું જોઇએ તેવું તેઓ માનતા હતા. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ અફસોસ ! તેમને સંપૂર્ણ સફળતા ન મળી છતાં નિષ્ફળતા પણ નહોતી મળી. તેઓ નિરાશ ન થતાં વધુ ને વધુ ઉત્સાહથી આગળ વધતા હતા. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો તારી હાક સુણીને કોઇ ના'વે તો એકલો જાને રે.... સાધુ સમાજમાં રહેલા સડાને દૂર કરવા માટે રામાણિયાના સાધુ સંમેલનમાં પ્રમુખ સ્થાનેથી નાના-મોટા દરેક મુનિવરોને સૌમ્ય શૈલીથી જણાવ્યું કે, હે મુનિવરો ! નાના-નાના ટોળામાં વિભક્ત ન થતાં એકતા જમાવો. જો એકતાને ઇચ્છતા હો તો નીચેના નિયમો પાળવા જરુરી છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી રત્નચન્દ્રજી સ્વામી (૧) પુસ્તકો સંગ્રહવાનું છોડી દો. પુસ્તકોનો પરિગ્રહ તજો . (૨) એક જ સંપ્રદાયમાં જુદા જુદા ગુરુઓના જુદા જુદા શિષ્યો બનાવવાની પધ્ધતિ છોડી દઇને એક જ ગુરુના બધા શિષ્યો બને તેવી રીત અપનાવો. સાધુ સમુદાયમાં માન-મહત્તા-અધિકાર-સત્તા માટેની ભાંજગડો છોડી દો. (૪) વય-અનુભવ-સંયમ-જ્ઞાન-ઉદારતા આદિ ગુણોને યોગ્ય હોય તેના અધિકારને ઉદાર મનથી સ્વીકારી લો. યોગ્યને જ યોગ્ય અધિકાર મળે તેવા આગ્રહી બનો. (૫) ઇર્ષા અને નિંદા કરવાનું છોડી દો. (૬) અવિશ્વાસને જન્મ આપનારી ખાનગી વાતોની પ્રવૃત્તિ છોડી દો. નજીવા કાર્યમાં ક્ષુદ્ર વાદ-વિવાદ ન કરો, એવી પ્રવૃત્તિ કરનારને રોકવા. સંપ્રદાયના સાધુઓનો પરસ્પર સહવાસ તથા સમભાવ વધે તેટલા માટે તેમ જ સાધુઓ સ્પર્ધાપૂર્વક વધુ ને વધુ અભ્યાસ કરવાને ઉત્સાહી બને તે માટે તેમને સાથે રાખો. અભ્યાસ કરાવો અને તમારા જ્ઞાનનો લાભ આપો. (૯) પરોપકારને લક્ષ્યબિંદુએ રાખી ઉન્નતિનું કાર્ય કરનાર મુનિઓને સહાય કરો. (૧૦) શ્રાવક-શ્રાવિકાઓને સમક્તિ આપીને તેમના ગુરુ થઈ અંધભક્તોના ટોળાં રચવા બંધ કરો કારણ કે એક તરફ રાગદ્રષ્ટિ અને બીજા તરફ દોષદ્રષ્ટિ (૭) (૮) વધે છે. (૧૧) એકબીજા સંપ્રદાયના ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવા તથા સાંભળવા જવાની રુઢિ ચાલુ કરો. સંકુચિતતા છોડી દો. (૧૨) ચાતુર્માસ કરવા માટેનાં ક્ષેત્રોનો પણ ઉદાર મનથી પરસ્પર વિનિમય કરો. આટલું કરવાથી પરસ્પર સાધુઓમાં પ્રેમ બંધાશે અને આચાર શિથિલતા ટળી જશે. આ બાર નિયમો ઉપરથી આપણને સમજાય છે કે તેમનામાં સાધુ સુધારણા માટે તીવ્ર તમન્ના હતી. આ સંમેલને તેમના વ્યાખ્યાનમાંની સૂચનાનુસાર ઠરાવો કર્યા હતા. એ ઠરાવો ઉપરથી પ્રસન્ન થઈને વા. મો. શાહે પત્રમાં લખ્યું હતું. “આ કોઈ ઓછી ખુશખબર નથી. મારી આજ સુધીની ધારણાઓ, સ્વપ્રો, વિચારો, હવાઈ ખ્યાલો એ સર્વનો અમલ થવાનો સર્વને સ્થૂલ રુપમાં આ વિશ્વ પર જોવાનો વખત આવી પહોંચવાનો હવે મને વિશ્વાસ આવ્યો. અહા ! તે દિવસ કેવો સુખી હશે કે જ્યારે આવા વિચારો દરેક સાધુને ઉત્પન્ન થશે અને એના એ વિચારો ઘણા ચોળાવાથી તેમાંથી નીકળતી નવી તંદુરસ્ત અસર સર્વ જૈનોને ધર્મમાં પ્રગતિ કરતા બનાવશે.” Page #268 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૫૫ સંવત ૧૯૬૮માં કચ્છમાં વિચરતા આર્યાઓની એક પરિષદ મુન્દ્રામાં મળી. આ પરિષદની દોરવણી પણ શ્રી રત્નચન્દ્રજી મહારાજે કરી હતી. બે દિવસની ચર્ચા પછી વિહારાદિનું નિયમન કરનારી અગિયાર કલમો ઘડવામાં આવી હતી. એ જ વર્ષમાં લીંબડી સંપ્રદાયના સાધુઓનું સંમેલન લીંબડીમાં મળ્યું અને એમાં પણ પૂ. મ. શ્રીની દોરવણી હેઠળ નિયમો રચાયા, જેમાં પુસ્તકોના પરિગ્રહનો ત્યાગ, ગુરુશિષ્યોનાં પરસ્પરનાં વર્તન ઇત્યાદિ વિષે વિચારણા પછી ઘડાયેલી કલમો મુખ્ય હતી. સમગ્ર દેશના સાધુ સમુદાયના એકંદરે લેખાતા બાવીસ ટોળાં કે બત્રીસ સંપ્રદાયોની શુદ્ધિને માટે તેમને એમ લાગતું કે એક વાર દેશના બધા સાધુઓ નહિ તો બધા સાધુ વૃન્દોના મુખ્યોએ એક સ્થળે મળીને વિચાર વિનિમય કરવો જોઇએ, આ માટે કંઇક કરવું જોઇએ. અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન સાધુ સંમેલનનું બીજ એ વિચારસરણીમાં રહેલું હતું. સંવત ૧૯૮૭માં સુશિક્ષિત શ્રાવક વર્ગને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે. કેટલીક માન્યતાઓની પૃથક્કતાને લીધે આખા સાધુ સમાજમાં એકતા થતી નથી. મુખ્યત્વે તિથિપત્રની એકતા માટે પૂ. શ્રી સોહનલાલજી મ. ની પ્રેરણાથી સાધુ સંમેલન ક૨વાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઇ. પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીની સૂચનાનુસાર કૉન્ફરન્સ કાર્યાલયે સૌથી પહેલા જુદા જુદા સંપ્રદાયોના આચાર્યોનો અભિપ્રાય પૂછયો કે સાધુ સંમેલન ભરવું જરૂરી છે ? જરૂરી હોય તો કયા સ્થળે અને ક્યા સમયે ભરવું ? વગેરે ઘણા પ્રશ્નો જ્યારે સાધુ સમુદાયોને પૂછવામાં આવ્યા ત્યારે દરેકે બૃહત સાધુ સંમેલન ભરવાની તરફેણ કરી. લીંબડી સંપ્રદાય તરફથી આચાર્ય ગુલાબચન્દ્રજી સ્વામી તરફથી શ્રી રત્નચન્દ્રજી મહારાજે પણ સૂચના-સંમતિ લખી મોકલી. શતાવધાનીજીએ વર્ષોથી સેવેલું ઐક્ય બળનું સ્વપ્ર સિદ્ધ થવાનાં ચિન્હો દેખાવા લાગ્યા. બૃહત સાધુ સંમેલન પૂર્વભૂમિકા સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ સૌપ્રથમ મોરબીમાં સં. ૧૯૬૨માં મળી હતી. ત્યાર પછી જુદે જુદે સ્થળે તેના આઠ અધિવેશનો થયાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોમાંનો એક મહત્ત્વનો પ્રશ્ન સંવત્સરીની એકતાનો હતો. ઘણા સંપ્રદાયો પર્વ તિથિઓ સંવત્સરી વગેરેની જુદી જુદી પત્રિકાઓ પ્રસિદ્ધ કરતા હતા, તેમાં એકતા જળવાતી ન હતી. આ સ્થિતિ કૉન્ફરન્સને ખટકતી. આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કૉન્ફરન્સે સાધુ સંમેલન કરવાનો નિશ્ચય કર્યો. ન Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નચન્દ્રજી સ્વામી “મહાસંમેલનની સામગ્રી'' એ શીર્ષક હેઠળના એક લેખમાં રત્નચન્દ્રજી મહારાજે હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો, “દરેક સંઘાડાની પોતપોતાની નાની ક્ષતિઓને પોતે જ આપસમાં છણી લઇ, ભૂલી જઇ, સુધારી નાખીને સંમેલનોને શોભાવવું ઘટે. દરેક એકબીજાના અવગુણોને ભૂલી ક્ષમા માગી માન-અપમાનના ખ્યાલને કાઢી અંદર અંદરના નજીવા મતભેદોને દૂર કરી સર્વ સાધુઓ સંમેલનની તૈયારી કરે. આપણે પહેલા સાધુતાના સાચા રેણથી સંધાઇ જવું પડશે. સાચા શુદ્ધ હૃદયની એકતા એ જ સંમેલનનો પ્રાણવાયુ છે. પ્રાણવાયુ વિનાના સંમેલનો શબવત્ બની રહે છે. પ્રત્યેક સાધુનું પરમ કર્તવ્ય શાસન સેવા હોવું જોઇએ. પરસ્પરનો મતભેદ ભૂલી જવો ઘટે. દરેક ગચ્છ કે સંપ્રદાયના સાધુએ જોઇ લેવું જોઇએ કે પોતાના સમૂહમાં પોતાના તરફથી કે પોતાના કોઈ પણ બંધુ તરફથી આડખીલી નડે તેમ નથી ને ? તેવું નડતર જણાતાં તે દૂર કરવાનો અત્યારથી પ્રયાસ કરવો જોઈએ. એને જ સંમેલનની સિદ્ધિને અર્થે એક વ્યવહારુ રૂપરેખા ગણી શકાય.” ૨૫૬ આંતરિક ઐક્યસિદ્ધિની આ વિચારસરણીને રાજકોટમાં સંવત ૧૯૮૮માં સફળ થતી જોઇને રત્નચન્દ્રજી મ. ને આનંદ થયો. ગુજરાત, સૌરાષ્ટ્રના આઠ સંપ્રદાયોના પ્રતિનિધિઓનું પ્રાંતિક સંમેલન મળ્યું હતું. સાત દિવસની વિચારણા બાદ શ્રી રત્નચન્દ્રજી મહારાજની દોરવણી હેઠળ અગત્યના નિર્ણયો લેવાયા હતા, તેના સંચાલન માટે સાધુ સમિતિ પણ નીમવામાં આવી હતી. તેમાં અનેક નિયમોને સર્વાનુમતે પસાર કરીને એ સાધુ સંમેલને અજમેરમાં મળનારા બૃહત્ સાધુ સંમેલનની પૂર્વભૂમિકા બાંધી હતી. શતવધાની મહારાજને લાગતું કે અજમે૨ સંમેલન ઑપરેશન કરવાની હૉસ્પિટલ ન બને પરંતુ ભવિષ્ય સુધારવાનું સેનેટોરિયમ બને. એ માટે પ્રયાસ કરવાની તેમની પ્રેરણા હતી. વાંકાનેરનું સં. ૧૯૮૮નું ચાતુર્માસ પૂર્ણ કરી કુલ્લ ૧૧ ઠાણાઓએ અજમેર તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતા બ્યાવર પધાર્યા. ત્યાં તેમણે પૂ. શ્રી હુકમીચંદજી મહારાજના સંપ્રદાયના વિભાગો વચ્ચે ઐક્યની ગાંઠ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એક વિભાગના પૂ. શ્રી જવાહરલાલજી અને બીજા વિભાગના પૂ. શ્રી મુન્નાલાલજીએ બન્નેના સમાધાન માટે બ્યાવર નજીકના ખરવા ગામમાં એકત્ર કર્યા અને કેટલીક વાટાઘાટ કરીને એક પંચની નિમણુક કરી, તેમાં શ્રી રત્નચન્દ્રજી સ્વામી પણ હતા. ત્યાંથી વિહાર કરી ચૈત્ર સુદિ-૯ (રામનવમીના) ઉત્સાહ પૂર્વક અજમેરમાં પધાર્યા. Page #270 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૫૭ 'ઐતહાસિક બૃહત્સાધુ સંમેલન અજમેરના આંગણે ભારતભરના સર્વ સંપ્રદાયોના પ્રતિનિધિ સાધુઓ એકત્ર થતા હતા. ખરેખર એ સંમેલન અપૂર્વ અને ઐતિહાસિક હતું. બધા સંપ્રદાયોની એકતા થવાની હતી તેથી તે ઉત્સાહ પ્રેરક હતું. સંમેલન માટે અજમેરમાં ૨૩૮ સાધુઓ અને ૪૦ સાધ્વીજી પધાર્યા હતા. હજારો શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય ભેગો થયો હતો. ચૈત્ર સુદિ-૧૦ બુધવારથી સંમેલનનો પ્રારંભ થયો. પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી મહારાજે મંગલાચરણમાં પ્રભુસ્તુતિ કરી. ૭૬ પ્રતિનિધિ સાધુઓને સંપ્રદાય વાર ચૂંટી કાઢવામાં આવ્યા હતા. જેમને મતદાન અધિકાર હતો. શાન્તિરક્ષકો તરીકે શ્રી રત્નચંદ્રજી સ્વામી તથા ગણિશ્રી ઉદયચંદ્રજી મહારાજને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. તથા ગુજરાતી લેખક તરીકે સંતબાલજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પ્રતિનિધિ પરિષદમાંથી વિષયવિચારિણી સમિતિ ચૂંટી કાઢવામાં આવી હતી. આમ પૂર્ણ શિસ્તની સાથે કાર્યનો આરંભ થયો હતો. સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી સંમેલનનું કાર્ય ચાલતું. રાત્રે ૮ થી ૧૦ સુધી વિષય વિચારિણી સમિતિની સભા મળતી. વચ્ચે જે કાંઈ સમય મળતો તે દરમ્યાન રાત્રે દસ વાગ્યા પછી બે-ત્રણ કલાક રોજ શ્રી હુકમીચંદજી મ. ના સંપ્રદાયની અંદરનું વૈમનસ્ય ટાળવા અંગેના પંચની વિચારણા ચાલતી. આમ સંમેલનની વિષય વિચારિણી સમિતિની અને સમાધાન પંચની બધી કાર્યવાહી શ્રી રત્નચન્દ્રજી મ. કરતા. આ ઉપરાંત શ્રાવકોની સભામાં જાહેર વ્યાખ્યાનો આપતા. સંમેલનનો પહેલો જ પ્રશ્ન તિથિ નિર્ણયનો મુકાયો હતો, કારણ કે એ પ્રશ્ન જ સંમેલનના બીજરૂપ હતો. પંજાબ સંપ્રદાયના આચાર્ય શ્રી સોહનલાલજી મ. જૈન તિથિ પત્રિકા પ્રસિદ્ધ કરતા હતા. તેને કેટલાક જ્યોતિષ શાસ્ત્રની વિરુદ્ધ માનતા હતા, તેથી સંપ્રદાયમાં બે વિભાગ પડી ગયા હતા; તેના ઉકેલ માટે સાત મુનિઓની એક સમિતિ નીમવામાં આવી હતી જેમાં રત્નચન્દ્રજી મહારાજ એક સભ્ય હતા. પરંતુ આ સમિતિ ઉકેલ કરી શકી નહિ, કાર્ય અધૂરું રહ્યું અને એ કામ જૈન કૉન્ફરન્સને સોંપાયું. ઉક્ત ઠરાવ નીચે પ્રમાણે હતો, “આ સાધુ સંમેલન પખી, ચોમાસી, સંવત્સરી આદિ પર્વતિથિઓનો નિર્ણય કરવાની સત્તા કોન્ફરન્સ ઑફિસને આપે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી રત્નચન્દ્રજી સ્વામી છે. તે નિષ્પક્ષપાતપણે લૌકિક અને લોકોત્તર જ્યોતિષ શાસ્ત્રજ્ઞ મુનિઓ તથા શ્રાવકોની સલાહ લઇ હંમેશને માટે નિર્ણય કરે. જેને અનુસાર બધા સંપ્રદાયો વર્તીશું. એ નિર્ણયથી વિરુદ્ધ કોઈ પર્વ કરીશું નહિ.” આ ઠરાવ ઉપર સંમેલનના ૭૬ પ્રતિનિધિ મુનિરાજોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. * ત્યાર પછી સંમેલને બીજા પ્રશ્નો હાથમાં લીધા. કેળા, દ્રાક્ષ, બરફ વગેરે વસ્તુઓ સચિત્ત ગણાય કે અચિત્ત ? એ પ્રશ્ન વિષે પણ જૈન કૉન્ફરન્સ વિદ્વાનોના અભિપ્રાયો મેળવીને નિર્ણય આપે તેવું ઠરાવ્યું. ઉપરાંત બાળદીક્ષા, સાધુ સમાચારી, એકલ વિહાર, પ્રતિક્રમણ અને સાધુઓના આચાર વિષયક બીજા પ્રશ્નો હાથ ધરવામાં આવ્યા. તેમાંના કેટલાકના નિર્ણયો થયા, કેટલાક અનિર્મીત રહ્યા અને કેટલાક નામંજૂર થયા. આવું સાધુ સંમેલન વારંવાર મળી શકે નહિ એટલે સંમેલને કરેલા ઠરાવોનો અમલ કરવા માટે એક સ્થાયી સાધુ સમિતિ-નીમવામાં આવી હતી, જેના અધ્યક્ષ પૂ. શ્રી સોહનલાલજી મ. હતા. બીજા સાધુઓ સભ્યો તથા પ્રાંતિક મંત્રીઓ તરીકે નિયુક્ત થયા હતા. શ્રી રત્નચન્દ્રજી મ. ગુજરાતના પ્રાંતિક મંત્રી હતા. પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ના સંપ્રદાયના બે વિભાગો વચ્ચે એકતા કરવાનો પ્રશ્ન શ્રી રત્નચન્દ્રજી મ. ના હૃદયમાં રમી રહ્યો હતો તેના માટે નીમેલા પંચે બેઉ પક્ષનાં નિવેદન મેળવીને સર્વાનુમતે નિર્ણય આપ્યો કે પૂ. શ્રી ગણેશલાલજી મ. ને યુવાચાર્યપદ આપવું તથા શ્રી ખૂબચન્દ્ર મ. ને ઉપાધ્યાય પદ આપવું, નવા શિષ્યો યુવાચાર્યના ગુરુપદે જ થાય. ભવિષ્યના ધારાધોરણ બન્ને પૂજ્ય શ્રી જવાહરલાલજી અને શ્રી મુન્નાલાલજી મળીને બાંધી લે અને ચોમાસાં ઠરાવવાની તથા દોષશુદ્ધિ કરવાની સત્તા બંને પૂજયોની હયાતિ સુધી તેમની પાસે રહે અને એક આચાર્ય રહે. આ ફેંસલો બન્ને પૂજયોએ માન્ય રાખ્યો .બન્ને વિભાગો વચ્ચે વર્ષોથી ચાલ્યા આવતા વૈમનસ્યનો અંત આવ્યો તેથી સર્વત્ર આનંદ પ્રસરી ગયો. શ્રી રત્નચન્દ્રજી મ. ને તો જ્યાં ઐક્ય ત્યાં આનંદ જ હતો. પંદર દિવસ સુધી ચાલેલા સંમેલનનું બધું કાર્ય બંધ બારણે ચાલ્યું હતું, તેમાં શ્રાવકોની ઉપસ્થિતિ ઇષ્ટ મનાઈ ન હતી. સંમેલનમાં જે નિર્ણયો થયા, તેમાંના જાણવા યોગ્ય નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. આ સંમેલનને ઉત્સાહનાં ભારે આંદોલનો જન્માવ્યાં હતાં. એક જ ધર્મના જુદા જુદા પ્રાંતોમાં વિચરતા પરસ્પર કદી નહિ મળેલા સાધુઓને પરસ્પર મળવાથી જે આનંદ થયો, તે અપૂર્વ હતો. પરસ્પર વિચાર-વિનિમય અને ચર્ચાઓ Page #272 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૫૯ થઇ. એકબીજાના જ્ઞાન અને અનુભવોનો લાભ મળ્યો. આ બધું જમા પાસું હતું, છતાં જે ઉદેશથી સંમેલન મળ્યું હતું, તે ઉદ્દેશ પૂરા વાસ્તવિક સ્વરૂપમાં પાર પડ્યો ન હતો. વિહારવરિયા રૂષિ પસંસ્થા - દશ, ચુ. ૨ શ્લો-૫ विहारचर्या ऋषिणां प्रशस्ता । “સાધુ તો ચલતા ભલા.” ઉપરોક્ત શાસ્ત્ર વચન અને આ લોકોક્તિ પ્રમાણે સાધુ વધારે વિહાર કરે તો વધારે લાભનું કારણ બને. સાધુ સંમેલનની સમાપ્તિ પછી પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી મહારાજને જયપુરના સંઘ તરફથી ચાતુર્માસ માટે વિનંતિ આવી હતી એટલે તેઓએ ઉત્તર ભારત તરફ વિહાર કર્યો. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જૈને જીવનનો તેમને સારો પરિચય થયો હતો પરંતુ હવે ઉત્તરના પ્રાંતોનું જૈન જીવન જોવાની તેમને અભિલાષા હતી. નમસ્કાર હો ઉપાધ્યાયોને, ભણે ભણાવે આગમસાર) અજમેરથી બધા મુનિઓ વિહાર કરી જાય તે પૂર્વે શ્રી રત્નચન્દ્રજી મહારાજે બધા સંપ્રદાયના આચાર્યોને વિનંતી કરી હતી કે, “આપના શિષ્યોને અભ્યાસ કરાવવાની તક મને આપો.” તેમની ઈચ્છા એવી હતી કે જયપુર ચાતુર્માસ દરમ્યાન જે કોઇ મુનિઓએ સંસ્કૃત, પાકૃત કે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાની ઇચ્છા હોય તેઓ જયપુરમાં રહે અને પોતે તેમને અભ્યાસ કરાવશે. આ પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે પક્ષપાત ન હતો. જ્ઞાનદાનની તીવ્ર ઇચ્છા તેમનામાં હતી. સ્થાનકવાસીના સાધુઓને જ્ઞાનાભ્યાસમાં આગળ વધારવાની તેમની કેટલી ધગશ હતી ! છેવટે જયપુરના ચાતુર્માસના ચાર પંજાબી મુનિઓ અને આઠ મારવાડી મુનિઓ મળી કુલ્લ ૧૨ ઠાણા તેમની પાસે રહ્યા. તેમાંના ત્રણ પંજાબી મુનિઓ, ચાર મારવાડી મુનિઓ તથા બે પોતાના શિષ્યો એમ નવ ઠાણાઓને સંસ્કૃત તથા અર્ધમાગધી વ્યાકરણનો પ્રાથમિક ન્યાયગ્રન્થોનો તથા જૈન આગમનો યથાશક્તિ અભ્યાસ કરાવ્યો. આ ચાતુર્માસમાં શિક્ષણ કાર્ય ઉપરાંત આગમોલાર સમિતિનું કેટલુંક કાર્ય કર્યું, “રેવતીદાન સમાલોચના” નિબંધ પણ ત્યાં જ લખ્યો હતો. જયપુરની વેધશાળાના મંત્રાલયના અધ્યક્ષ પંડિત કેદારનાથ પાસેથી મંત્રાલયની બધી સમજૂતી તેમણે મેળવી હતી અને જ્યોતિષ ચક્રની ગતિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. તેઓ દરેક વિષયમાં નિષ્ણાત થયા હતા તેથી બહુમુખી પ્રતિભાસંપન્ન યાને “ALL ROUNDED' બન્યા હતા. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬O શ્રી રત્નચન્દ્રજી સ્વામી 'ભારતરત્નની માનાર્ય પદવી એકદા દિલ્હીમાં અવધાનનો જાહેર સમારંભ થયો હતો. તેમાં સર્વ જ્ઞાતિના લોકો આવ્યા હતા. મુસલમાન વિદ્વાનો પણ તેમાં હતા. તે સર્વે તેમના અવધાનો જોઇને પ્રસન્ન થયા હતા અને ત્યાં શ્રી રત્નચન્દ્રજી મ. ને “ભારત રત્ન” નો સર્વોચ્ચ ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આ પદવીદાન દિલ્હીની જનતાના ગુણાનુરાગનું દ્યોતક હતું પરંતુ શ્રી રત્નચન્દ્રજી મહારાજે એ ગુણાનુરાગીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “આ પદવીદાનથી તમે મને આગળ વધતો અટકાવો છો. જ્ઞાન અગાધ છે. તેનો કદી કોઈ પાર પામી શક્યું નથી કે શકવાના નથી. મારામાં કોઈ એવી અપૂર્વતા નથી કે આવા પદવીદાનને પાત્ર હોઉં. આજે તમે બધા સર્વ ધર્મોના તથા સર્વ કોમોના ભાઇઓ એકત્ર થઈને ભ્રાતૃભાવપૂર્વક બેઠા છો એ ભ્રાતૃભાવ જ મારે મન સાચો મૂલ્યવાન ગુણ છે. એક ગુણનું તમે હંમેશા સેવન કરશો અને દર્શન કરાવશો તો હું આવા પદવીદાન કરતાં પણ વધારે મૂલ્યવાન સમજીને પ્રસન્ન થઈશ.” સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં લક્ષ્મી પંજાબના વિહાર દરમ્યાન મુનિશ્રીને ત્યાંના જૈન ગૃહસ્થો તથા ત્યાગીઓના અનેક વિવિધતાયુક્ત અનુભવો થયા હતા. એ અનુભવો તેમના ગ્રંથ લેખનને કંઈક જુદી દિશામાં પ્રેર્યું હતું. “સૃષ્ટિવાદ અને ઇશ્વર' ગ્રંથ લખવાની પ્રેરણા તેમને ત્યાંથી મળી. એ જ રીતે તે પ્રાંતના સાધુઓની જે સાંપ્રદાયિકતા અને સંકુચિતતા પ્રવર્તતી હતી તેને લીધે શ્રાવકોમાં પણ કુસંપ પ્રવેશેલો તેમણે જોયો. ગૃહસ્થોમાંથી કુસંપ દૂર કરવાનો યત્ત કરતાં વચ્ચે સાધુઓની સાંપ્રદાયિકતા આડે આવતી અને સાધુઓમાં એકતા કરવા જતાં કાંઇ ને કાંઈ તકરારો બહાર નીકળી પડતી. એ તકરારોને દૂર કરવા માટે પણ એકતાના ઇચ્છુક શ્રી રત્નચન્દ્રજી મ. અનેક સ્થળે પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નોને કોઈ સ્થળે સફળતા મળતી તો કોઈ સ્થળે નિષ્ફળતા પણ મળતી. દિલ્હીથી વિહાર કરીને શ્રી રત્નચન્દ્રજી મ. ત્રણ દિવસમાં ૪ર માઇલનો વિહાર કરીને રોહતક પહોંચ્યા. રસ્તામાં એક ગામમાં આર્ય સમાજીઓનો એક સમારંભ જોયો. ત્યાંના કેટલાક જૈનો આર્યસમાજી થયા હતા. રત્નચન્દ્રજી મ. તેનું કારણ જાણ્યું કે આર્યસમાજીઓએ ગામડામાં શાળાઓ સ્થાપીને વિદ્યાર્થીઓને ભણાવવાનો જે પ્રબંધ કર્યો હતો તેથી લલચાઈને જૈનો આર્ય સમાજમાં દાખલ થયા હતા. Page #274 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૬૧ સાધુઓએ ધર્મપ્રચાર ઉપરાંત વિદ્યાપ્રચારના પણ પ્રેરક થવું જોઇએ એ વાત તેમણે દાખલો આપીને રોહતકના જૈનો સમક્ષ રજૂ કરી. પરિણામે રોહતકના જૈન ગૃહસ્થ રૂા. ૨૦૦૦ અને માસિક રૂા. ૨૫ જ્ઞાનપ્રચારના કાર્ય માટે આપવાનું વચન આપ્યું. विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वेदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ અર્થ વિદ્વત્વ અને નૃત્વ ક્યારેય સમાન થતા નથી કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય છે. એ પ્રમાણે શતાવધાનીજી મ. જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં તેમનો ખૂબ સત્કાર થયો. દરેક સ્થળે તેમને જાહેર વ્યાખ્યાન આપવાની વિનંતિ થતી. તેમનાં વ્યાખ્યાનોથી ઘણાઓએ માંસ-મદિરાદિ વ્યસનોનો ત્યાગ કર્યો હતો. જ્યાં જ્યાં કુસંપ કલેશ હતો ત્યાં ત્યાં તેમણે સમાધાન કરાવ્યું હતું. લાહોરના સંઘમાં કેટલીક અવ્યવસ્થા હતી અને બે આગેવાનો વચ્ચે કલેશ હતો તેનું પણ સુખદ સમાધાન કરાવ્યું. 'વિદ્યાભૂષણની ઉપાધિ મળી તે કાળે પંજાબના જૈનોમાં પ્રવર્તતા કુસંપનો વધુ પરિચય એકબીજા કાર્ય અંગે પણ થયેલો. પૂ. શ્રી સોહનલાલજી મ. નું અવસાન થતાં યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. ને પૂજય પદવી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. તેમાં કેટલાકનું કહેવું એમ હતું કે યુવાચાર્ય પદ અપાઇ ગયું હતું તેથી આપોઆપ પૂજ્ય પદ મળી જાય છે. તેનો નવેસરથી વિધિ કરવાની જરૂર નથી. બીજા એમ કહેતા કે વિધિસર પુનઃ પૂજય પદવી આપવી જોઇએ. આ અંગે શ્રી રત્નચન્દ્રજી મ. ના પ્રયત્નથી હોશિયારપુરના શ્રાવકો આવ્યા. જુદા જુદા શ્રાવકોનો સહકાર મેળવ્યો. છેવટે મહાવદિમાં શ્રી કાશીરામજી મ. ને આચાર્ય પદવી આપવાનો વિધિ ભવ્યતાપૂર્વક થઇ શક્યો. આ વિધિ પ્રસંગે શ્રી રત્નચન્દ્રજી મહારાજે સંસ્કૃત શ્લોકબદ્ધ ભાવવાહી પ્રવચન કર્યું હતું અને આચાર્યશ્રીએ તથા શ્રાવક સંઘે તેમને “વિદ્યાભૂષણ” ની ઉપાધિ આપી હતી. 'ભારતભૂષણની ગૌરવયુક્ત પદવી મળી હોશિયારપુરથી વિહાર કરીને અનુક્રમે ગુરુકુળ પંચકુલામાં આવી તેમણે ૮૬ અવધાનો કર્યા હતા. તે પ્રસંગે જનતાએ તેમને ભારતભૂષણની ઉપાધિ અર્પ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી રત્નચન્દ્રજી સ્વામી હતી. ત્યાંથી વિહાર કરી બલાચોરમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા. ત્યાં પણ પુષ્કળ કુસંપ હતો તે દૂર કરાવવામાં તેમને સફળતા મળી. ' એક સુંદર સંસ્થાની સ્થાપના | અમૃતસરમાં શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની સ્થાપના થઈ ચૂકી હતી અને પૂ. શ્રી સોહનલાલજી મ. પાછળ થયેલા સ્મારક ફંડમાંથી વિદ્યાલય સ્થાપવાનું પણ નિશ્ચિત થયું હતું. આ વિદ્યાલય બનારસ જેવા પ્રાચીન-અર્વાચીન વિદ્યાના મહાધામમાં થાય તો સારું એવું શ્રી રત્નચન્દ્રજી મ. ઇચ્છતા હતા તેથી ૫. સુખલાલજી તથા સમિતિના સહયોગથી બનારસમાં “શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમનો પ્રારંભ કર્યો. આ વિદ્યાશ્રમ બનારસની ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજની સાથે જૈન આચાર્ય સુધીની પરીક્ષાઓ માટે જોડાયેલું છે. આ વિદ્યાશ્રમ સાથે સમિતિએ “શતાવધાની રત્નચન્દ્રજી પુસ્તકાલય” પણ એમના પુણ્ય સ્મારકરૂપે સ્થાપિત કર્યું છે. પંજાબના વિહાર દરમ્યાન શ્રી રત્નચન્દ્રજી મ. ના હાથે જે મહાન કાર્યો થવા પામ્યાં છે તે કાર્યોમાં આ સમિતિ તથા આ વિદ્યાશ્રમ અનેરું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે પંજાબમાંના તેમનો વિહાર તથા પ્રચારનું અનેરું સ્મારક પંજાબના ગુણજ્ઞ શ્રાવકોએ “શતાવધાની રત્નચન્દ્રજી પુસ્તકાલય” દ્વારા નિર્માણ કર્યું છે. પંજાબના શીતળ પ્રદેશમાં વિહાર કરવાથી અને ત્યાં વારંવાર પડતા વરસાદથી શ્રી રત્નચન્દ્ર મ. તથા તેમના શિષ્યોની તબિયત વારંવાર બગડી જતી હતી. દિલ્હી પહોંચ્યા પછી તેમને લોહીના દબાણની બીમારી થતાં દિલ્હીથી આગળ વધી શક્યા નહિ. 'વિહારના કડવા મીઠા અનુભવો જૈન મુનિના પાદ વિહારની સાથે અનેક પ્રકારનાં કષ્ટો પરીષહો વણાયેલા જ હોય છે. રાજપૂતાનાં, મારવાડ અને ઉત્તર ભારતના બીજા પ્રાંતોમાંના શ્રી રત્નચન્દ્રજી મ. ના વિહારના કેટલાક અનુભવો તેમના મુનિધર્મની અને ધર્મની કસોટી કરનાર નીવડ્યા હતા. આગ્રાથી ભરપૂર થઇને તેઓશ્રી શિષ્યો સાથે જ્યારે જયપુર તરફ પાછા ફરતા હતા ત્યારે સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવી અટક્યા. એવાં મંદિરોમાં તેમને અનેક વાર આશ્રય સ્થાનો સાંપડેલા તેથી આ મંદિરમાં પણ રાત્રિવાસ કરવા સ્થાન મળી રહેશે એવી તેમની Page #276 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૬૩ ગણત્રી હતી પણ તે ખોટી ઠરી. મંદિરમાંથી એવો જવાબ મળ્યો કે અહીં રાત્રે કોઇને સૂવા દેવામાં આવતા નથી. પાસે એક ખુલ્લી ધર્મશાળા હતી. પોષ મહિનાની ઋતુ હતી. તે ધર્મશાળા તરફ આંગળી ચીંધવામાં આવી એટલે તેઓ તે ધર્મશાળામાં ગયા, ધર્મશાળા ત્રણે બાજુથી ખુલ્લી હતી. તેમણે કડકડતી ઠંડીમાં ત્યાં જ સમભાવપૂર્વક રાત ગાળી. એક વાર બસી નામનું રેલ્વે સ્ટેશન આવ્યું. રેલ્વે સ્ટેશનોમાં ઘણીવાર રાત્રિ ગાળવા પરવાનગી મળી રહેતી પણ બસીના સ્ટેશન માસ્તરે ના કહી અને ગામમાં જવાનું કહ્યું. ગામ બે માઇલ દૂર હતું. પૃચ્છા કરતાં એકે કહ્યું કે આગળ જતાં કે સડકને રસ્તે એક કોઠો છે ત્યાં રહી શકાશે. કોઠા પાસે પહોંચ્યા ત્યારે પા કલાક દિવસ રહેલો કોઠાનું મકાન તૂટી ગયેલું હતું, એટલું પુરાણું હતું કે લાત મારતા છાપરું તૂટી પડે. મકાનમાં ખાડા પડેલા, બારી બારણાનું નામ નિશાન નહિ. ધૂળનો પાર નહિ, જંગલી જાનવરોનાં પગલાં પડેલા દેખાતા હતા. તે પરિસ્થિતિની વચ્ચે ત્યાં પણ મુનિમંડળે નિરુપદ્રવે રાત ગાળી. અજમેરથી પાછા ફરતા એરીનપુરા રોડ નામના સ્ટેશને એક વાર શ્રી રત્નચન્દ્રજી મ. વિહાર કર્યો. ગાઇડ બુકમાં કોટા૨ નામનું એક નાનું સ્ટેશન જણાવેલું હતું. સ્ટેશન પહોંચતા તદ્દન ઉજ્જડ જણાયું, સ્ટેશન માસ્ટર પણ નહિ. થોડે દૂર એક ઝૂંપડી હતી તેમાં એક માણસ રહેતો હતો. તેની પાસેથી સ્ટેશનમાં રાતવાસો ગાળવાની રજા મળી. પ્રતિક્રમણાદિ કરી મુનિઓ બેઠા હતા, ત્યાં આશરે રાતે નવેક વાગ્યે થાણેદાર સાહેબ આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે અહીં ત્રણચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે તેથી સ્ટેશન ઉજ્જડ થઇ ગયું છે. ગાડીના ટાઇમે ગાર્ડ જ ટિકિટ આપે છે. મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. આ લૂંટારાઓનો અડ્ડો છે. અહીં રહેવું સલામતીભર્યું નથી. અહીંથી એકાદ ફલાંગ દૂર મારું મકાન છે, આપ ત્યાં પધારો. મુનિશ્રીએ જવાબ આપ્યો, રાત્રે અમારાથી ક્યાંય જવાય નહિ. વળી અમારી પાસે એવું કાંઇ નથી જે લૂંટારાઓ લૂંટે. રાત ત્યાં જ ગાળી પણ વરસાદ ખૂબ પડ્યો તેથી લૂંટારાઓ આવ્યા જ નહિ. એ સ્ટેશન પરથી આગળ વિહાર કરતા માર્ગમાં એક વાઘનો ભેટો થઇ ગયેલો પણ મુનિ મંડળથી પચીસેક કદમ જેટલે દૂરથી પોતાને માર્ગે પસાર થઇ ગયો હતો. અજાણ્યા અને વસ્તીથી રહિત ગામડામાં આહારપાણી મેળવતાં પણ તેમને તરેહ તરેહના અનુભવો થતા. રેલ્વે લાઇન પરથી વિહાર કરવાનો હોય અને વસ્તી બહુ દૂર હોય ત્યારે કોઇ વાર રેલ્વેના ડ્રાઇવરને વિનંતી કરીને એન્જિનનું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી રત્નચન્દ્રજી સ્વામી ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબના વિહાર દરમ્યાન ગામડામાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળી શકતું પરંતુ ઉનાળામાં કોઈ જાવા માટે ગરમ પાણી કરે નહિ તેથી મળી શકતું નહિ, ત્યારે છાશ મેળવીને ચલાવી લેવું પડતું. આવી મુશ્કેલીઓ ઉપરાંત જૈનેતરોના ઘરોમાંથી આહાર મેળવવામાં કેટલીક વાર અપમાનો વેઠવા પડતા. કોઈ વાર તિરસ્કાર થતો, કોઇ કોઇવાર તો દરવાજાની બહાર સાધુને ઊભા રાખતા હતા અને પછી ભિખારીને ટુકડો રોટલો આપવાની જેમ દયાદાન કરવા માગતા. જૈન મુનિઓ ભિક્ષક હોય છે પણ ભિખારી નથી હોતા એવું જયારે સમજાવવામાં આવતું ત્યારે સાધુઓને ઘરમાં આવવા દેતા અને ત્યાર પછી જ એવા ઘરોમાં સાધુઓ આહાર પાણી ગ્રહણ કરી શકતા. 'શારીરિક અશાતાનો ઉદય આગ્રાથી અજમેર અને અજમેરથી ઘાટકોપર સુધીના બે વર્ષના પાદ વિહાર દરમ્યાન શ્રી રત્નચન્દ્રજી મહારાજે સંમેલનમાં ઠરાવોના અમલ તથા એકતાનું જે રટણ કર્યા કર્યું હતું, સાધુ સંઘના સંગઠનના જે સ્વપ્રો રચ્યાં હતાં તેની ફળ નિષ્પત્તિ માત્ર આ અપૂર્ણ સાધુ સમિતિના વિચાર વિનિમય જેટલી જ નીવડી. તેમને વારંવાર સતાવી રહેલો પ્રોસ્ટેટ ગ્લાંડની વ્યાધિનો ઉપચાર તેઓ ઘાટકોપરમાં આવ્યા પછી શરુ કરવામાં આવ્યો હતો. એક અમેરિકન ડૉ. પાસે વીજળીના ઉપચારોનો પ્રારંભ કરવામાં આવેલો પણ તેથી આરામ થયો નહિ. એટલે શસ્ત્રક્રિયા કરવાનું અનિવાર્ય થઇ પડ્યું. ડૉ. ટી.ઓ. શાહની પોલીક્લિનિકમાં શસ્ત્રક્રિયા કરવી પડી અને સાડા ત્રણ માસ હોસ્પિટલમાં રહેવું પડ્યું પછી આરામ થયો. આ ઉપચાર ક્રિયા પછીની સ્થિતિ સંબંધે શ્રી રત્નચંદ્રજી મ. ની નોંધપોથીમાંથી જાણવા મળ્યું છે કે “બીજા ઓપરેશન પછી ચાર-છ દિવસે ગેસની તકલીફ થઇ. તેની પીડા ખૂબ રહી. ત્યાર પછી કફ, શરદી અને ન્યુમોનિયા થઈ આવ્યા. તે બધું ઠીક થઇ જતાં નૂતન જિંદગી પ્રાપ્ત થઇ. પર્યુષણ દરમ્યાન એટલી નબળાઈ હતી કે દર્શનાર્થીઓને અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી. વાતચીત કરવાનું બંધ હતું. સૂતાં સૂતાં જ બધી ક્રિયાઓ થતી. ચાર મહિના પછી નવા વર્ષના પ્રારંભે ચાલવાનું શરુ કર્યું. બાળકની માફક ઊઠવું, બેસવું, ચાલવું બધુ નવીન શરુ થયું.” Page #278 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૬૫ આવી વિકટ માંદગી પણ એક વાર વીતી ગઇ. તેઓશ્રી સાડા ત્રણ મહિના હોસ્પિટલમાં રહ્યા. તેના દોષ નિવારણ માટે તેટલા સમયનું દીક્ષા છેદનું પ્રાયશ્ચિત તેમણે ઘાટકોપરના સમસ્ત સંઘની વચ્ચે પૂ. શ્રી કાશીરામજી મ. ના શ્રી મુખેથી શ્રી સૌભાગ્યમલજી, શ્રી કિશનલાલજી મ. વગેરેની હાજરીમાં લીધું. થોડા વખત બાદ પાછા પોતાના સેવા કાર્યની પરંપરામાં ઉઘુક્ત થઇ ગયા. સાધુ સમિતિને લગતી કાર્યવાહી બજાવતાં તેઓ નિરુત્સાહ બન્યા હતા પરંતુ શ્રાવક સમુદાયને જાગૃત રાખી શકાય તેમ હતું એટલે ઘાટકોપરમાં જૈન કોન્ફરન્સનું અધિવેશન મેળવવામાં આવે અને ભવિષ્યમાં કોન્ફરન્સ જ સાધુ સમિતિ મેળવવાનું ઉપાડી લે તેવો કોઇ પ્રબંધ કરવાનું તેમને જરુરી લાગ્યું. છેવટે સાધુ સમિતિનું દફતર કોન્ફરન્સની જનરલ કમિટીને આપી શ્રી રત્નચન્દ્રજી મહારાજે તે કાર્યમાંથી મુક્તિ મેળવી. “વીર સંઘની યોજના” (સવૈયા એકત્રીસા) તીર્થંકરનો મહામુનિગણ, સાધુ સાધ્વી જગાડે છે । તેમ અહીં મુનિ રત્નચન્દ્રજી, વીરની હાક વગાડે છે II ઊઠો ! જાગો ! સત સતીગણ, પ્રબુધ્ધ શ્રાવક જતા રહ્યા I એમ એ કહી વીર સંઘ યોજના નમ્ર ભાવથી ધરી રહ્યા (મન્દાક્રાન્તા) હોય થોડા શ્રમણ શ્રમણી, જ્ઞાન ચારિત્ર શુદ્ધ | તો યે તેવાં વીર સુત-સુતાઓથી થાશે પ્રબુદ્ધ II આખા સંઘે વીર જિનતણા, જાગૃતિને સુશાંતિ । ને જૈનોની સભર જગમાં, વ્યાપશે ધર્મકાન્તિ હરિગીત બ્રહ્મચારી સંઘની યોજના, ઘાટકોપર સંઘને બહુ ગમી અધિવેશન કોન્ફરન્સનું થયું, અહીં ત્યાંય સૌને ગમી ગઇ । શ્રીમદ્ પ્રભાવિત ગાંધીના રચનાત્મક કાર્યકરો સમા । એ શ્રાવકોમાંથી બની સંસ્થા સુચારુ રુપે યથા I उत्तिष्ठत जाग्रत वरान् प्राप्य निबोधत । ઉપનિષદના આ સુપ્રસિદ્ધ વાક્યાનુસાર ઊઠો, જાગો અને શ્રેષ્ઠપુરુષોને પ્રાપ્ત કરીને બોધ ગ્રહણ કરો. આમ જાગવાનો સંદેશ આપતા શતાવધાનીજી મહારાજે વીર સંઘની યોજના બતાવી. સાધુ સંમેલનના ઠરાવો અમલી બનાવવા અને અગિયાર વર્ષ પૂરા થતાં ઠરાવ મુજબ ફરી સાધુ સંમેલન કરવા કોન્ફરન્સ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી રત્નચન્દ્રજી સ્વામી ઓફિસે બધા સંપ્રદાયોના અગ્રણી સાધુઓ સાથે પત્ર વ્યવહાર કર્યો. પરંતુ સંતોષકારક અભિપ્રાયો ન મળતાં સાધુઓની સુષુપ્ત દશા પ્રત્યે જોરદાર ટકોર કરતાં પંડિતરાજશ્રી રત્નચન્દ્રજી સ્વામીએ વીર હાક સુણાવી કે, “અહો, મહાનુભાવ શ્રમણો ! શ્રાવક સંઘ આપણને જગાડે ત્યારે આપણે જાગીએ, એ આગ્રહપૂર્વક વિનંતી કરે ત્યારે આપણે ઊભા થઈને પગલું ભરીએ, એ વસ્તુસ્થિતિ આપણને શરમાવનારી નથી ? શ્રાવક સંઘે સાધુ સંમેલન કરવાને એક વાર ખૂબ પરિશ્રમ લઈને દેશોદેશ અને ગામેગામમાં પરિભ્રમણ કરી આજીજી કરી અજમેર મુકામે એકઠા કર્યા. શું વારંવાર શ્રાવક સંઘને એ જ પરિશ્રમ લેવાનો રહ્યો ? “શ્રાવક સંઘ' સૂતો હતો ત્યારે પણ સાધુ સંત જાગતો હોવો જોઈએ. સુતી મમુળ સયા મુળિો સ નામતિ આચારંગ સૂત્રના આ મહાવાક્ય પ્રમાણે સાધુ સંઘે ઉદ્યત અને ચતુર્વિધ સંઘને જાગૃત કરી તેનો અભ્યદય કરવો જોઇએ. અત્યારે શ્રાવક સંઘ તમને જગાડી પોતાનો સહકાર આપે છે, તેવે વખતે પણ આપની નિદ્રા ન ઊડે એ તો ગજબની વાત ગણાય.” - વીર સંઘ યોજનાનો હેતુ આવો હતો : સંસ્કૃતિને ટકાવવી અને દઢ કરવી હોય તો થોડા પણ વિશુદ્ધ જીવન ગાળનારા વિદ્વાન અને તેજસ્વી સાધુઓ તૈયાર કરવા. તેમ જ જે સાધુ-સાધ્વીઓ વિશુદ્ધ જીવન ઇચ્છે છે, તેમનું તથા શ્રાવક શ્રાવિકાઓનું સંગઠન, આચાર શુદ્ધ સાહિત્ય પ્રચાર, ધર્મસાહિત્યનો અભ્યાસ અને જૈન સંસ્કૃતિનો વ્યાપક પ્રચાર કરવાનો ઉદ્દેશ મુખ્ય હતો. આ માટે સંઘના ત્રણ વિભાગો યોજેલા છે, જે આ પ્રમાણે છે. (૧) સાધુ તથા સાધ્વીઓનો “વીર શ્રમણ સંઘ” (૨) ગૃહસ્થ વેશમાં બ્રહ્મચારી રહીને સેવા આપનારાઓનો “વીર બ્રહ્મચારી સંઘ” અને (૩) શ્રાવક-શ્રાવિકાઓનો “વીર શ્રાવક સંઘ”. સાધુ સંખ્યા કદાચ ઓછી હશે તો ચાલશે પણ શુદ્ધ સાધુત્વ ઘટશે તો નહિ ચાલે, એવું મન્તવ્ય તેઓશ્રી ધરાવતા હતા. ઘાટકોપરમાં મળેલા સ્થા. જૈન કૉન્ફરન્સના દશમાં અધિવેશને વીર સંઘની યોજનાને સર્વાનુમતે સ્વીકારી લીધી હતી અને એક ઠરાવ કરીને મુનિ સમિતિની અનુમતિ મેળવવા એક કમીટી બનાવી હતી, તેમાં જુદા જુદા પ્રાંતોના ૨૫ સભ્યો હતા અને સર ચુનીલાલ ભાઇચંદ મહેતા તેના પ્રમુખ હતા. ' બ્રહ્મચારી વીર સંઘનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એવો હતો કે એવા પ્રકારનો વર્ગ તૈયાર કરવામાં આવે, જે ન સાધુવેશધારી હોય કે ન પૂરો ગૃહસ્થ હોય. જીવન નિર્વાહ અને ઘરની Page #280 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૬૭ ચિતાઓથી મુક્ત થઈને મધ્યમ માર્ગ વડે સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે પરંતુ જ્યાં સુધી વીર સંઘની પૂરી યોજના અમલમાં આવે નહિ, ત્યાં સુધી સેવાભાવી બ્રહ્મચારીઓની સંસ્થા અસ્તિત્વમાં આવી શકે નહિ. એટલે તરતમાં જ સેવાભાવીઓની એક સંસ્થા સ્થાપવાના આશયથી ઘાટકોપરના અધિવેશનનો એક વીર સંઘની સ્થાપના કરવાનો પણ ઠરાવ કર્યો હતો. 'જીવનના અંતિમ શ્વાસ સુધી “વીર સંઘ'નું રટણ વીર સંઘ યોજનાની સુંદરતા અને ઉપયોગિતા સ્વતઃ સિદ્ધ હતી. તેની પાછળની એક્તા અને વિશુદ્ધ સાધુજીવનની ભાવના તથા જૈન શાસનનું શિસ્તબદ્ધ સંચાલન ઉત્તમ હતાં. તે યોજના પર સાધુ-સાધ્વીઓના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. તેમાં યોજનાને પ્રશંસવા છતાં કેટલાક મુનિઓએ અવ્યવહારું તથા અશક્ય લેખી હતી. કેટલાકે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને કેટલાંકે પૂર્ણ સંમતિ આપી હતી. આમ મFઇ મતિfમશ્ન એ સુપ્રસિદ્ધ ઉક્તિને ચરિતાર્થ કરી હતી. આમ છતાં શતાવધાનીજીને પૂર્ણ શ્રદ્ધા હતી કે જે શુદ્ધ સુવર્ણ છે, તેના ઉપર અન્ય સાધુઓ ગમે તેવા પ્રયોગો કે પ્રહારો કરે પણ તે ઝળકી ઊઠ્યા વિના રહેવાનું જ નથી. તે યોજનાને અમલી બનાવવા પૂરતો પરિશ્રમ કરવાની તેમની ધગશ હતી પરંતુ MAN PROPOSES AND GOD DISPOSES માણસ ધારે કંઈક અને કુદરત કરે કંઇક. (મુનિ પુંગવનું સમાધિ મૃત્યુ તા. ૧૪-૫-૪૧, વૈશાખ વદિ ૪ બુધવારના વીર સંઘ સમિતિના એક સભ્ય શ્રી જમનાદાસ ઉદાણીએ કહ્યું, “ઉદાણી, વીરસંઘનો ઠરાવ તમે કૉન્ફરન્સ પાસે રજૂ કરીને પાસ કરાવ્યો છે, હવે તમારે કમિટીનું કામકાજ શરુ કરી દેવું જોઇએ.” “સાહેબ ! આપના પુણ્ય પ્રતાપે બધુ સારું થશે.” ઠીક કહી મુનિરાજે સંતોષ વ્યક્ત કર્યો. ઉદાણીએ વિનંતી કરી, ડૉકટરની સલાહ છે, આપના આરોગ્ય માટે હવાફેર કરવા દેવલાલી જવું જરૂરી છે, ત્યાંના હવાપાણીથી આપના ચિત્તને શાતા રહેશે ત્યારે તેમણે શાંતિથી જવાબ આપ્યો, “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.” “થોડા દિવસ” નો મર્મ કોઈ સમજી ન શક્યા. તેમના જીવન કાળના અવશિષ્ટ રહેલા માત્ર બે જ દિવસોને લાગુ પડતી આ વાત કહી. Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નચન્દ્રજી સ્વામી તા. ૧૫-૫-૪૧ ગુરુવારે બપોરના બે વાગ્યે પંડિત સૂર્યભાનું તથા રુઇયા કોલેજના એક પ્રોફેસર સાથે જૈન ગામોમાં વર્ણવેલા સામાજિક રીતિ રિવાજો વિષે દોઢ કલાક ચર્ચા કરી, તેમને જોઇતી માહિતી આપી. ત્યાર પછી સાંજે જૈન પ્રકાશના તંત્રી શ્રી હર્ષચન્દ્ર દોશી સાથે વીર સંઘ સમિતિ સંબંધી વાતચીત કરી માહિતી મેળવી. ૨૬૮ સાંજે નિયમ પ્રમાણે આહાર પાણી-લઇ પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ વડા શિષ્ય પુનમચન્દ્રજીને બોલાવી કલાકેક વાતચીત કરી. રાત્રે સાડા દશ વાગતાં મુંબઇ સકળ સંઘના ટ્રસ્ટીશ્રી ગિરધરલાલ દફતરી સાથે વીર સંઘ સમિતિ અને શિક્ષણ સમિતિનાં કાર્યો સંબંધી ચર્ચા કરી અને તે કાર્યોની સફળતા માટે માર્ગદર્શન આપ્યું. રાતે અગિયાર વાગ્યે શયન કર્યું. પોણા બાર વાગ્યા સુધી શિષ્યોની પૂછપરછ ઉપરથી તબિયત સારી હતી એમ જાણવા મળ્યું પરંતુ રાત્રે અઢી વાગતાં તબિયત બગડતી જણાઇ. લોહીનું દબાણ વધી ગયું. શ્વાસ વધતો જણાયો, પક્ષઘાતની અસર જણાઇ. શિષ્યોએ તેમને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો પણ બેભાન દશા જણાઇ. તુરંત વિવિધ સાગારી સંથારો કરાવ્યો. ડૉ. ને બોલાવવામાં આવ્યા. બ્લડ પ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઇમાંથી બીજા ડૉ. ને બોલાવવામાં આવ્યા પરંતુ તે પહેલા જ પરોઢના ૪-૫૦ મિનિટે તેમણે સમાધિભાવે દેહત્યાગ કર્યો. વીર સંઘની યોજના જ જાણે શ્રી રત્નચન્દ્રજી મ. નો અંતિમ શ્વાસ હતો. તે ગોઝારો સમય હતો. સંવત ૧૯૯૭ વૈશાખ વિદ ૬ શુક્રવાર તા. ૧૬-૫-૧૯૪૧. અંતિમશ્વાસ સુધી સ્વ-૫૨ કલ્યાણ કરવામાં જીવન પસાર કર્યું. પોતાના ઉજ્જવળ ગુણોથી આ ઉક્તિ સાર્થક કરી. જબ તૂ આયા જગતમેં, જગ હસે તૂ રોય ઐસી કરણી કર ચલો, તૂ હસે જગ રોય ગામેગામમાં શ્રદ્ધાંજલિઓની વૃષ્ટિ આ દુઃખદ શોકજનક સમાચાર સર્વત્ર પ્રસરી જતાં દેશભરના મુખ્ય મુખ્ય નગરોથી શોકદર્શક તારો આવ્યા, ઠેર ઠેર શોકસભાઓ ભરાઇ, એ પવિત્ર જીવનના ગુણગાન ગવાયાં, તેમના જીવનસંદેશના સ્મરણો કરાવાયાં, શ્રદ્ધાંજલિ કાવ્યો રચાયાં, પ્રશસ્તિનાં શ્લોકો લખાયા, વર્તમાનપત્રોએ મૃત્યુ નોંધ લખીને તેમના જીવનકાર્યની સમાલોચના કરી. આમ દેશના ચારે ખૂણેથી એમના અમર આત્મા ઉપર શ્રદ્ધાંજલિઓની વૃષ્ટિ થઈ હતી. Page #282 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૬૯ લોકોપયોગી જીવંત સ્મારક શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામીના ભાવિક ભક્તોએ તેમનાં શુભ કાર્યો અને સગુણોની સ્મૃતિ રહે તે માટે કેટલાંક સુંદર અને સમાજોપયોગી સ્મારકો રચ્યાં હતાં. તેમનું જીવંત સ્મારક ઘાટકોપરમાં “પંડિત શ્રી રત્નચન્દ્રજી જૈન કન્યાશાળા” ના નામે તેમની યશોગાથાની સૌરભ આજે પણ સર્વત્ર ફેલાવી રહ્યું આજે પણ આ સંસ્થા, નાતજાત કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વિના હજારો બહેનોને બાલમંદિરથી માંડી આર્ટસ અને કોમર્સ કોલેજની સ્નાતક ડિગ્રી સુધીનું શિક્ષણ તન નિઃશુલ્ક આપી રહી છે. આનું ટ્રસ્ટ છે, લાખોની સ્થાવર અને જંગમ મિલકત છે અને એની નિશ્રામાં છ સંસ્થાઓમાં ત્રણ હજાર જેટલી બહેનો શિક્ષણનો લાભ લઈ રહી છે. આખું સંચાલન બહેનો હસ્તક છે ભારતભરમાં જેનો જોટો ન મળે એવી આ અજોડ સંસ્થા આદર્શ રીતે ચાલી રહી છે, અને પવિત્ર એ સંતના નામનું સતત સ્મરણ કરાવતી સમાજમાં સારી છાપ ઉપજાવી રહેલ છે. આ ઉપરાંત, તેમના બહુમાનમાં અનેક જગ્યાએ સ્મારકો ઊભાં થયાં છે. જેમાં મુખ્યતઃ બનારસમાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાશ્રમથી સંયુક્ત થયેલું “શતાવધાની રચન્દ્રજી પુસ્તકાલય” છે. કઠોરમાં “શ્રી રત્નચન્દ્રજી સ્થા. જૈન પુસ્તકાલય” સુરેન્દ્રનગરમાં “શતાવધાની પં. રત્નચન્દ્રજી જૈન જ્ઞાન મંદિર સાહિત્ય પ્રકાશન માટે “શ્રી જૈન સાહિત્ય પ્રચારક સમિતિ, ખ્યાવર” ઇત્યાદિ સંસ્થાઓની સ્થાપના થઇ હતી, જેમાંની એકાદ – બે સિવાય બીજી સંસ્થાઓ આજે પણ બરાબર ચાલી રહી છે. શતાવધાનીજીનો પ્રાણવાન અક્ષરદેહ શતાવધાનીજીનો સ્થૂલદેહ તો ભસ્મીભૂત થઈ ગયો પરંતુ તેમનો અક્ષરદેહ (સાહિત્ય) આજે પણ વિદ્યમાન છે. તેમાંથી બોધ અને પ્રેરણા મેળવી સાધુ અને શ્રાવક સમાજ તેમના ચીંધેલા માર્ગે ચાલી અને તેમનાં અધૂરાં કાર્યો આગળ ધપાવી સ્વ - પર હિત સાધી શકે છે. આ રીતે જ તેમને આપેલી શ્રદ્ધાંજલિ યથાર્થ ગણાશે. ‘શતાવધાની રત્નચન્દ્રજી મ. : વ્યક્તિગત ગુણદર્શન એક મહાપુરુષે કહ્યું છે : “તમારી પાસે શું છે તેથી નહિ પરંતુ તમે શું છો Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી રત્નચન્દ્રજી સ્વામી તેનાથી તમારી ઓળખાણ થાય છે.” શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મહારાજ પોતાના આત્મિક ગુણો વિકસાવવા સતત પુરુષાર્થ કરતા હતા. તેમના તે ગુણો આપણા બધા માટે પ્રેરક અને અનુકરણીય છે. ઘણા થોડા મુનિઓમાં તેમના જેવા ગુણો જોવા મળે છે. તેવા વિરલ ગુણોને લીધે તેઓ સાચા અર્થમાં સાધક મુનિ હતા અને પોતાના નામને ભારે ઉજ્જવળ કર્યુ હતું. સમયે ગોચન માં પgિ “સતત ઉદ્યમશીલતા” પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના અનારોગ્યે તેમના જીવનમાં અનેકવાર શારીરિક ઉપદ્રવો ઉપજાવ્યા હતા. આંખ, કાન, ગળું અને પ્રોસ્ટેટ ગ્લેન્ડના વ્યાધિએ તેમને પુષ્કળ હેરાન કર્યા હતા. અનેક સ્થળોએ તે વ્યાધિના નિવારણ માટે રોકાવવું પડતું તેથી આદરેલાં અનેક કાર્યોમાં વિલંબ થતો, મુલતવી પણ રહેતા છતાં તેમનું આંતરિક સ્વાસ્થ તો સદા એક સરખું હુર્તિદાયક રહેતું. તેઓશ્રી શારીરિક વેદનાને નિર્જરાના સાધન રુપ સમજાવતા. શારીરિક પ્રતિકુળતા ગમે તેવી હોય પરંતુ સમય મળતાં લેખન-સંશોધનનું કામ લઈને બેસી જતા. આવી ઉદ્યમી દશા તેમણે જીવનભર ગાળી હતી. સતત, કાર્યશીલ અપ્રમાદી જીવન જીવનાર વ્યકિતનાં કાર્યો હંમેશ ચાલતાં જ હોય છે. પ્રકૃતિની અસ્વસ્થતા તેમાં અવરોધ કરી શકતી નથી. સતત કાર્યશીલતા એ તેમનો જીવનમંત્ર હતો. એ જીવનમંત્ર દ્વારા તેમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનાં ફળ જૈન જગતને ભારે ઉપયોગી નીવડ્યાં છે. સમભાવના તથા સહિષ્ણુતા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી અજાતશર, હતા. તે તેમની સમભાવશીલતા અને સહિષ્ણુતાનું પરિણામ હતું. જયાં જયાં કલહ, કુસંપ, વિસંવાદ કે પક્ષભેદનો અણસાર દેખતા ત્યાં ત્યાં તેને દૂર કરવા મથ્યા વિના રહેતા નહિ. તેમનામાં એવી સમન્વય વૃત્તિ હતી કે બેઉ પક્ષોમાં પોતાની સહિષ્ણુતાનું પ્રથમ સિંચન કરતા અને પછી તેમનો મેળાપ કરાવી આપતા. તેમની સહિષ્ણુતા તથા ઉદારતાની કસોટી થાય તેવા અનેક પ્રસંગો તેમના જીવનમાં ઉપસ્થિત થયા હતા. તેમાંનો એક અનુભવ વિખ્યાત બૌદ્ધ ભિક્ષુ ધર્માનંદ કોસંબીને થયેલો. અનેક ધર્મોના પ્રાચીન સાહિત્યના સારા અભ્યાસી શ્રી કોસંબીજી માનતા કે બુદ્ધના સમયમાં જૈન સાધુઓ માંસાહાર ભિક્ષામાં લેતા, આ સંબંધનો એક લેખ Page #284 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૦૧ તેમણે ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થતાં “પુરાતત્વ” ત્રૈમાસિકમાં લખ્યો હતો. જૈન પ્રાચીન ગ્રંથોના શબ્દાર્થો પોતાની કલ્પના પ્રમાણે કરીને કેટલાક જૈનેતર પંડિતો એવું વિધાન કરતા કે જૈનોમાં માંસાહાર થતો. આવાં વિધાનોના પ્રત્યુત્તર જૈનોએ આપ્યા છે. શ્રી રત્નચન્દ્રજી મહારાજે “રેવતીદાન સમાલોચના'ના નિબંધ દ્વારા જૈનધર્મ સામેના એ જ આક્ષેપના શાસ્રસિદ્ધ પ્રત્યુત્તર આપ્યો છે. પંડિત કોસંબીના ઉપર્યુક્ત લેખથી સને ૧૯૨૫માં તેમની સામે જૈન સાધુઓ તથા જૈન વર્તમાનપત્રોએ મોટો ખળભળાટ મચાવી મૂક્યો હતો. એવા સમયે કોઇ પણ જૈન સાધુ તેમના પ્રત્યે પ્રેમ કે સમભાવ બતાવે, તેવી આશા પણ તેમને ક્યાંથી હોય ? એવા સમયે તેઓ શ્રી રત્નચંદ્રજી સ્વામીને અમદાવાદમાં ઉપાશ્રયે મળવા ગયા હતા. તે મિલનની તેમના પર જે છાપ પડે તેનું વર્ણન કરતાં પંડિત કોસંબી લખે છે. “શ્રી રત્નચન્દ્રજી અને તેમના ગુરુશ્રી ગુલાબચન્દ્રજી મને અત્યંત પ્રેમ અને સહાનુભૂતિથી મળ્યા. તેથી મને માલૂમ પડ્યું કે તેમનામાં સાંપ્રદાયિક સંકીર્ણતા નથી. વર્તમાન યુગમાં એવી ઉદારતાની બહુ જ આવશ્યકતા છે. તે વિના આપણા દેશમાં રાષ્ટ્રીય ઐક્ય થવું અસંભવિત છે, એમની એ ઉદારતા કેવળ જૈન સંપ્રદાયના માટે નહિ, પરંતુ અન્ય સંપ્રદાયોના આચાર્યોને માટે પણ ઉદાહરણ રુપ છે.” ક્ષમાવંત અને શાંતિધર સાધુત્વની ખરી કસોટી આચરણની એરણ પર થાય છે. ભારતભૂષણ શ્રી રત્નચન્દ્રજી મ. ની ક્ષમાશીલતા અને શાંત સ્વભાવનો જેમને અનેકવાર પરિચય થયો હતો તેઓ એમ સ્વીકારતા કે તેમણે જીવનમાં અક્રોધ દશા પ્રાપ્ત કરી હતી. સ્વ. શેઠ વર્ધભાણજી પીતળિયા (રતલામ) પોતાના પર પડેલ છાપનો ખ્યાલ આપતાં લખ્યું હતું કે ‘“શ્રી રત્નચન્દ્રજી મ. ને સાંપ્રદાયિકતાએ જકડી લીધા નહોતા, પરંતુ તેમનામાં ઉદાર વિચારો તથા ગુણગ્રાહકતા હતી. સાધુ સંમેલન વખતે બધા મુનિઓની સાથે તેમણે પ્રેમપૂર્વક વર્તન કર્યુ હતું અને તેથી જ તેમણે “શાંતિ રક્ષક” તરીકેનું માન બધા મુનિઓ તરફથી મળ્યું હતું.’ તેમની સર્વથી વિશેષ ક્ષમા અને સહનશિલતાનો પરિચય ખુદ મને ઘાટકોપરના અધિવેશન વખતે થયો હતો. પોતે ખાસ મંડપમાં પધાર્યા હતા, તે સમયે જો કે મેં મુનિ આચારને ઉપયોગી તથા સમાજની વિપરીત પ્રવૃત્તિને કારણ જરા આકરાં વેણ ઉચ્ચાર્યાં હતાં, તે પણ તેમણે પોતાના ક્રોધ કે માન ઉત્પન્ન થવાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી રત્નચન્દ્રજી સ્વામી દીધા નહિ અને સહનશીલતા રાખીને સમયને જાળવી લીધો. આવી ક્ષમા અને સહનશીલતા રાખવી તે મામૂલી વાત નથી. મહાન આત્માઓથી જ આવું બની શકે છે. સમ્ય દર્શન” ના તંત્રી સ્વ. રતનલાલજી દોશીએ લખેલું મુનિશ્રી રત્નચન્દ્રજીને ગુસ્સે કરવા ઈરાદાપૂર્વક મેં પ્રયત્ન કરેલો. જયપુરના ચાતુર્માસ વખતે મેં પત્ર દ્વારા ચાલતા પ્રશ્નોતરીમાં એક તર્ક એવો કર્યો હતો કે જે યુક્તિસંગત હોવા છતાં મુનિશ્રીને પોતાને લાગુ પડતો હતો અને તેથી તેમને આવેશમય કરે તેવો હતો. હું અનુમાન કરતો હતો કે એના ઉત્તરમાં મને સારી પેઠે ઠપકો મળશે પરંતુ ઉત્તર મળતાં આશ્ચર્ય થયું કે મારો સીધો હુમલો પણ તેમને ઉત્તેજિત કરી શક્યો નહિ ! જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની એવી જ ઉદારતાનો મને પરિચય થયો, જે આ જન્મ ભૂલી શકાય તેમ નથી.. નમ્રતા અને સરલતા વિદ્યાવારિધિ શ્રી રત્નચન્દ્રજી મ. જ્ઞાનને એવી રીતે પચાવી શક્યા હતા કે તેના અજીર્ણનો એકાદ ઓડકાર પણ તેમને કદાપિ આવ્યો ન હતો. જેમ જેમ જ્ઞાનમાં તેઓ આગળ વધતા ગયા તેમ તેમ ફળથી લચી પડેલાં વૃક્ષની જેમ વધુ ને વધુ નમ્ર બનતા ગયા. તેમની નમ્રતા તેમના પરિચયમાં આવનાર ઉદંડ સાધુઓને અને એકલવિહારીઓને પણ વશીકૃત બનાવી દેતી. ક્ષમા અને નમ્રતાની સહચારિણી શ્રી રત્નચન્દ્રજી સ્વામીની સરલતા આશ્ચર્યોત્પાદક હતી. કોઈ વ્યક્તિની પ્રચ્છન્ન વક્રતાને તેઓ ત્વરાથી પિછાની શકતા જ નહિ. પોતાના સ્વભાવની ઋજુતા જ સામી વ્યક્તિમાં પ્રતિબિંબિત થતી જોતા. જે પોતે સરલ હોય તે બીજાઓને પણ સરલ જાણે. તેમ એમનાં જીવનમાં હતું. | સુપ્રસિદ્ધ જૈન પંડિત સ્વ. સુખલાલજીએ ન્યાયવિશારદ શ્રી રત્નચન્દ્રજી મ. વિષે અભિપ્રાય આપ્યો હતો કે “મુનિશ્રી રત્નચન્દ્રજીની વિદ્વતા બહુવિષયગામિની હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, અલંકાર અને ન્યાય તેમજ દર્શનોના સારા અભ્યાસી હતા. પ્રાકૃત ભાષા તો તેમને પરંપરાગત પ્રાપ્ત હતી જ. હું જાણું છું, ત્યાં લગી સમગ્ર સ્થા. જૈન સમાજમાં આટલા વિવિધ વિષયોનું અધ્યયન કરનાર માત્ર સદ્ગત મુનિશ્રી જ હતા. તેમની તોલે આવે તેવી બહુશ્રુત વ્યક્તિ સ્થાનકવાસી પરંપરામાં મેં જોઇ નથી.” તેમની નમ્રતા પણ અદ્ભુત હતી. ત્રીસ વર્ષ પહેલાં અમે ચોમાસામાં Page #286 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા - ૨૭૩ અચાનક પાલણપુરમાં મળ્યા. હું ગામ બહાર દૂર રહેતો ને તેઓ ગામમાં. તેમની પોતાની રચેલી કર્તવ્ય કૌમુદી આદિ કૃતિઓ મને સંભળાવવી અને સંશોધવી હતી. મેં એ કામ મારા જ મકાને કરી દેવા કહ્યું, ત્યારે તેઓ નિયમિત સમયે રોજ આટલે દૂર મારા મકાને આવે અને હું કાંઇ ફેરફાર સૂચવું અગર કોઈ બાબત ઉપર મીઠી ટીકા કરું, ત્યારે તેઓ જરા પણ તપ્યા વગર એ સૂચનનો ગ્રાહ્ય ભાગ નોંધી લે. આવી તેમની નિખાલસતા અને સરલતા હતી. ' વિદ્યાભૂષણ સંતના ગ્રંથોને આંતરરાષ્ટ્રીય સન્માન જેમાં આચાર્ય હેમચન્દ્રના “સિદ્ધ હૈમ” ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી શોભાયાત્રા કાઢી સિદ્ધરાજે પોતાના રાજમહેલમાં પધરાવી તેનું સન્માન કર્યું હતું. ત્રણસો લહિયાઓને રોકી તેની નકલો લખાવી પ્રચાર કર્યો હતો તેટલું જ મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સન્માન શતાવધાનીજીના અર્ધમાગધી શબ્દકોષ વગેરે ગ્રંથોને ભારતના પંડિતો, પ્રોફેસરો ઉપરાંત ડૉ. હેલ્મથ, પ્રો. શુછીંગ, પ્રો. સેલ્વાન લેવી, પ્રો. જહોન નોબલ, પ્રો. હર્મન જેકોબી, ડૉ. કીર ફેલ, પ્રો. વીંટર નેટઝ, ડૉ. પરટોલ્ડ ઇત્યાદિ વિદેશી વિદ્વાનોએ આપ્યાં છે તેમજ અભ્યાસીઓને તે આશીર્વાદસ્પ હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં બે ત્રણ વર્ષ પહેલાં જાપાન સરકારે અર્ધમાગધી કોષ ભાગ ૧-૨૩-૪-૫ નો સેટ છપાવી પ્રસિદ્ધ કર્યો છે. તેના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે તે ગ્રંથો કેટલા કીંમતી હશે. અર્ધમાગધી વ્યાકરણની રચનાને કારણે તેમને ઉપાધ્યાય અમર મુનિ વગેરે અર્ધમાગધી પાણિનિની ઉપમા આપી છે. બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી રત્નચન્દ્રજી મહારાજે પુષ્કળ વિહાર કર્યો, હજારો વ્યાખ્યાનો આપ્યાં, પચીસેક જેટલા સંસ્કૃત અને ગુજરાતીમાં માગધી અને પ્રાકૃતમાં મહાન તાર્તિકે મૌલિક ગ્રંથો લખ્યા. પુષ્કળ સંશોધનાત્મક અભ્યાસ કરી સ્મરણશક્તિ મેળવી અનેક સંસ્થાઓને જીવન આપ્યું. અનેક સ્થળે ચાલતા વિસંવાદો મટાડ્યા. પવિત્ર જીવન જીવી જિજ્ઞાસુ અને મુમુક્ષોને પવિત્ર જીવન પ્રતિ અંગુલીનિર્દેશ કર્યો હતો. ઘણાં સત્કાર્યો કર્યા અને વીરસંઘ વગેરે મહત્ત્વનાં કાર્યો ભાવિ પેઢી માટે મૂકી ગયા. તેમના ઉચ્ચતમ જીવનમાંથી પ્રેરણા મેળવી તેમના અધૂરા રહેલા કાર્યો પૂરો તેવી શાસનદેવ શાસનભક્તોને સબુદ્ધિ સુઝાડે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી નાનચન્દ્રજી સ્વામી 'પ્રખર પ્રવચનકાર કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી સાયલા નામે ગામ (૨) એને કહેતા ભગતનું ધામ રે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા નગર તાલુકાનું સેન્ટર છે. એ સાયલામાં દીન-દુઃખીના બેલી લાલજી ભગત થઈ ગયા. ત્યારથી લોકો એને ભગતના ગામ તરીકે ઓળખે છે. સાયલા સંપ્રદાયનું મુખ્ય મથક પણ ત્યાં જ. જો કે હાલમાં તે સંપ્રદાય નામશેષ થઈ ગયો છે છતાં સાયલાનું મહત્ત્વ દરેક રીતે છે. નગરની બહાર શ્રીમદ્ રાજચંદ્રનો મોટો આશ્રમ પણ ત્યાં છે. દશાશ્રીમાળી જ્ઞાતિના તે વખતે સાયલામાં ઘણા ઘર હતા. તેમાં પાનાચંદભાઈ નામના એક સહસ્થ રહેતા હતા. તેઓ ધર્મપ્રેમી હતા. તેમના ધર્મપત્નીનું નામ રળિયાતબાઈ હતું. તેઓ સદ્ગણી અને સુશીલ હતાં. તે ભાગ્યશાળી માતાની કુક્ષિએ સં. ૧૯૩૩, માગસર સુદિ-૧ ગુરુવારના એક પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ પાડવામાં આવ્યું નાગરકુમાર. નાગરકુમારને એક મોટા ભાઈ હતા. જેમનું નામ હતું જેસંગભાઇ. આખું કુટુંબ વિશાળ તેમ જ ખાનદાન હતું. દિવસો આનંદપૂર્વક પસાર થઈ રહ્યા હતા. વાત્સલ્ય દાતા વડીલોની વસમી વિદાય) નાગરકુમાર પાંચ વર્ષના થયા હતા ત્યાં અચાનક માતા રળિયાતબાઈ કાળધર્મ પામ્યાં. પુત્રનાં માટે આ આઘાત અસહ્ય હતો પરંતુ તેને સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અધૂરામાં પૂરું અગિયારમે વર્ષે પિતાશ્રી પાનાચંદભાઈ પણ અવસાન પામતા નાગરકુમારના દુઃખની કોઈ સીમા ન રહી. ખરું જ કહ્યું છે કે एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारिमवार्णवस्य । तावद् द्वितियं समुपस्थितं मे, छिद्रेष्वना बहुली भवन्ति ॥ ભાવાર્થ : એક સમુદ્રને પાર કરી બીજા સમુદ્રને પાર કર્યાની જેમ એક દુ:ખનો અંત આવે ત્યાં બીજું ઊભું જ હોય કારણ કે એક છિદ્ર પડે તો તેમાં વધારે અનર્થો થતાં વાર નથી લાગતી તેમ કર્મરાજા જ્યારે રુઠે ત્યારે ઉપરાઉપરી સજા થયા કરે. બંને ભાઇઓએ સમજણથી મનને મનાવ્યું. મોટાભાઈ જેસંગભાઈના લગ્ન થઈ ગયા હતા તેથી તેઓ તેમના ઘરેથી મોંઘીબાઈ નાગરકુમારને પુત્રની જેમ સાચવતા Page #288 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૭૫ હતા. શ્રીમતી મોંઘીબાઇ બહુ ભણ્યા ન હતા. પરંતુ ગણ્યા ખૂબ હતા. એક દ્રષ્ટિએ ભણતર કરતાં ગણતરની કિંમત વધારે છે. નાગરકુમાર પણ પોતાનાં ભાભીને જનેતાની જેમ માનતા હતા. અને એટલું જ તેમનું સન્માન કરતા હતા. સુખશાંતિથી દિવસો પસાર થવા લાગ્યા. 'અદ્ભુત કંઠ કળા, સગપણ થયું પરંતુ..... નાગરકુમારને પ્રથમથી જ કંઠ કળા તથા અભિનય કરી ચૂક્યા હતા. જયારે જ્યારે સંગીત તેમ જ નાટકનો યોગ મળતો ત્યારે ત્યારે તેમાં રસ લેતા જેથી ગૃહસ્થ જીવન ઉપર તેમનું જરાય ધ્યાન ન હતું. વડીલોને લાગ્યું કે નાગરને ખીલે બાંધીએ તો સારું, એમ વિચારી મુરબ્બીઓએ સુદામડાની એક કન્યા સાથે સગપણ કર્યું. મોઘીબા મોંઘેરા દિયરના સગપણથી રાજી થયાં પણ એવામાં ફરીને એક કરુણ ઘટના બની જેથી નાગરના હૈયે ચોટ પહોંચી. "Life is a tragedy, face it." જીવન એક કરુણ ઘટના છે, તેનો સામનો કરો સાયલામાં ધંધાનો બરાબર મેળ ન થતાં બન્ને ભાઈઓ ભાવનગર પહોંચ્યા. ત્યાં ધંધો મળ્યો. ધીરે ધીરે જમાવટ થવા લાગી. કમાણી ધીકતી થવા માંડી ત્યાં તો મોટા ભાઈની મોટી ઓથ હતી તે પણ ચાલી ગઈ અર્થાત્ મોટાભાઈ મોટી માંદગીમાંથી બચી જ ન શક્યા, તેમનું મૃત્યુ થયું. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે જીવન એક કરૂણ ઘટના છે. ભાઈભાભીની નાગરભાઈને હુંફ મળે તેના બદલે ભાભી મોંઘીબાઈને હુંફ આપવાની જવાબદારી નાગરભાઈ માથે આવી પડી. હવે પરણવાની વાતને ઠેલી ન શક્યા ત્યાં તો બીજી એક આઘાતજનક ઘટના બની. અચાનક કોઈએ નાગરભાઈને કહ્યું કે, “કન્યામાં દગો થયો છે બતાવી હતી મોટી કન્યા પણ તમારું સગપણ થયું છે નાની કન્યા સાથે.” આ સાંભળી દિયર-ભોજાઈને આરપાર ચોટ લાગી. નાગરભાઈએ કહ્યું, “ભાભી. સંકેત મળી ગયો” નિયસર નહિ, વિવાના, દુનિયામાં ક્યાંય સાર નથી, તું શા માટે ભૂલે છે? આમ કહીને જયારે તેમણે દીક્ષાની વાત કરી ત્યારે ભાભીને બેવડું દુ:ખ થયું. કુટુંબીજનો નાગરભાઈને સમજાવવા લાગ્યા, “મોંઘીબહેન જનેતા સ્થાને છે. તેઓ વિધવા થયાં છે. તેમની સેવા કરો.” કાલ સવારે કન્યા મોટી થશે. અથવા બીજે સગપણ કરવું હોય તો માંગા પુષ્કળ આવે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી નાનજી સ્વામી છે. સગાઈ તોડવામાં નાતનો ગુનો થશે તો નાતને થોડાં નાણાં આપશું પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. નાગરભાઈએ જવાબ આપ્યો, “વડીલો ! આપની વાત સોળ વાલ અને એક રતિની. ભાભી મારે મન પ્રથમથી જ જનેતા છે. આજે જનેતા ભાવમાં કળશ ચઢી ગયો.” સૌ સાંભળી રાજી રાજી થઈ ગયા. નાગરભાઈને જે બોધ આપવા આવ્યા હતા તેઓ જ બોધ પામી ગયા. ઠાણાંગ સૂત્રનો દાખલો આપી તેમણે કહ્યું, “મા-બાપનું ઋણ ચામડી ઉતારી તેના જોડા બનાવી આપવાથી ઉતરે નહીં તે જ ઋણ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.” મોંઘીબાઈએ કહ્યું. “બસ મારે એ જ જોઈએ છે. બીજું કશું જ નહી.” જે રોકી રાખે તેમ હતા તેમણે જ પ્રેરણા આપી. નાગરભાઈ સુદામડા જઈ ભાવિ પત્નીને ચુંદડી ઓઢાડી બેન બનાવી. ગુરુકૃપા વિના માયાવાળા મનનો પાર ન આવે; શી શોધ કરું અજાણ નરને અંધારે કેમ ફાવે. ચરિત્રનાયક શ્રીનું બનાવેલું આ પદ છે. નાગરભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ મળ્યા. તેમણે કહ્યું, “ઊઠ નાગર ! તારા જેવા યોગ્ય ચેલાને ઘડી શકે તેવા સુયોગ્ય ગુરુ દેખાડું...!” ભાભીના આશીષ લઈ નાગરભાઈ મુરબ્બી શ્રી પોપટભાઈની સાથે કંઠીમાં બિરાજમાન પૂજયશ્રી દેવચન્દ્રજી મહારાજના ચરણોમાં પહોંચી ગયા. પૂર્વના ઋણાનુંબંધે તેઓના દર્શન થતાં જ એમનાં અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી. “આ અંતરઘટમાં આનંદજલ ઉભરાય, સાગરનું પાણી ગાગરમાં ન સમાય” એકદા ગુરુ મહારાજ પૂ. શ્રી દેવચન્દ્રજી મ. કહે, “નાગર ! તું ૨૩ વર્ષનો યુવાન છે. તારામાં વિનય, વૈયાવચ્ચ બન્ને ગુણો પ્રબળ છે પણ સંસારમાં રહીને મોક્ષસાધના થઈ શકે છે હો.” નાગરભાઈ ગુરુનું મંથન સમજી ગયા. “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ બજાવી ચૂક્યો છું. રજા લઈને આવ્યો છું. આપ ઈચ્છો તો મારા જનેતાતુલ્ય ભાભી અહીં આપની સમક્ષ રજા આપશે. બીજા કુટુંબીજનો પણ આપશે. દીક્ષા વિના પોતાનો મોક્ષ અટકતો નથી. પણ ગુરુદેવ ! મોક્ષમાર્ગનો ધોરી ચીલો ચાલુ રાખવામાં જેમ શ્રાવક શ્રાવિકાઓ રૂપી હાથપગ જરૂરી છે, તેમ મસ્તક, હૃદયરૂપી સાધુ સાધ્વીઓ પણ જરૂરી છે જ ને ! આ સાંભળી ગુરુદેવ પુલકિત હૈયે શિષ્યના મસ્તક ઉપર હાથ મૂક્યો. નાગરના અંતરમાંથી વાણી સરી પડી, “પિયાલો મને પાયો રે, સદ્ગુરુએ શાન કરી.” Page #290 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૭૭ એકદા સમાઘોઘાના સ્થાનકમાં મેદની જામી હતી. ગુરુદેવના શ્રી મુખેથી વીતરાગ-વાણી ઝરી રહી હતી. અચાનક એક ભાઈ ઊભા થઈ બોલ્યા, “અધવચ્ચે પૂછવાની ઈચ્છા થઈ છે, પૂછું? એ ભાઈ ખોજા ગૃહસ્થ હતા. ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા. મોટા ભાગના શ્રોતાજનો અકળાઈ ગયા. આણે રંગમાં ભંગ પાડી દીધો. કેવી મીઠી મધુરી સુધી વરસી રહી હતી.” પૂ. દેવચન્દ્રજી મ. શાંતિથી બોલ્યા, “પૂછો, ખુશીથી. જરાય સંકોચ રાખશો મા. આ દ્રશ્ય નાગરના હૃદયનો પૂરો કબજો લઈ લીધો, “હે ગુરુ મહારાજ! કહો, અમારા કૃષ્ણ ભગવાનને તમારા જૈન શાસ્ત્રોએ કઈ નરકમાં નાખ્યા છે?” શ્રોતાવર્ગમાં સનસનાટી મચી ગઈ, સમયજ્ઞ મહારાજ સમજી ગયા. તેમણે પૂછનારને પ્રેમથી પૂછ્યું, “આ તમે ક્યાંકથી જાણી લીધું લાગે છે ખરું ને?” થોથવાતાં (૨) એક ધારી ધોરી લેખાતા શ્રાવક સામે આંગળી ચીંધી એ ખોજાભાઈ બોલ્યા, “આ ભાઈએ અમારા ભગવાન ત્રીજી નરકે છે એમ મને ટોણો મારીને કહ્યું છે.” ગુરુદેવે આખી વાત સિફતથી સમજાવી સૌના હૈયે સોંસરી ઉતરાવી દીધી. નાગરને એક અજોડ પાઠ મળ્યો. પૂ. ગુરુદેવ પ્રત્યે અહોભાવ જાગ્યો અને મનોમન પ્રશંસા કરી. વાહ ગુરુદેવ ! હવે મને જલ્દી દીક્ષા આપો. નાગરભાઈ દીક્ષા લેવા ઉતાવળા થયા. ગુરુની તથા મોંઘીબા તેમજ કુટુંબીજનોની અનુજ્ઞા મેળવી સં. ૧૯૫૭ ફાગણ સુદ-૩ ગુરુવારે અંજારમાં દીક્ષા લીધી. નવદીક્ષિતનું શુભ નામ નાનચન્દ્રજી મુનિ રાખવામાં આવ્યું. નાનચન્દ્રજી મુનિની જ્ઞાન જયોતિ પ્રતિપળ વધવા લાગી. મુનિ શ્રી નાનચન્દ્રજીએ હવે “જ્ઞાનચન્દ્ર મહામુનિ” બનવાની દિશામાં પગરણ માંડી દીધા. સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોનો સારો અભ્યાસ કર્યો. ઉપરાંત બીજું ઘણું યે કર્યું. સ્વરચિત કાવ્યોનો મહાવરો વચ્ચે જતો હતો, તેવામાં બે પ્રસંગો બન્યા. બે વિરલ પ્રસંગો (૧) માંડવીમાં સમાજના આગેવાનોએ મુનિ શ્રી નાનચન્દ્રજીનું જાહેરમાં વ્યાખ્યાન રાખેલું. વડીલ ગુરુભાઈ પાસેથી રજા મેળવી ચૂકેલા છતાં કોઈ શ્રાવકે તેમને રોક્યા, “કોઈ પણ જૈન સાધુએ આ રીતે જાહેરમાં કદી વ્યાખ્યાન આપ્યું નથી. તમે નવા અને યુવાન સાધુ છો. તમે ન જશો.” એમણે તો ના કહેવડાવી પણ દીધી. પણ મુનિશ્રીએ રોકડું પરખાવી દીધું, “તમે ભાવનાશીલ છો, સાધુના મા-બાપ લેખાવ્યા છે માટે અપમાન છે. જૈન-જૈનતરો તથા સર્વ ક્ષેત્રોમાં જૈનધર્મનું Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી નાનચન્દ્રજી સ્વામી ઉંડાણ રજૂ કરવાનો આવો મોકો આપણાથી કેમ ગુમાવાય? શાસનોદ્ધારક પૂ. શ્રી અજરામરજી સ્વામીના તમે શ્રાવક છો. એ મહામુનિએ પણ શ્રી પૂજ્ય પાસે જવામાં નાનપ નો'તી માની. તેથી જ આજે સ્થા. જૈન ફિરકામાં પંડિત, વિદ્વાન અને ઉદાર સાધુ-સાધ્વીઓ વિશેષ છે.” શ્રાવકજીને ભૂલ સમજાઈ, માફી માગી. આ પ્રસંગથી આખો સંઘ નવદીક્ષિત મુનિથી પ્રભાવિત થયો. (૨) જામનગર ચોમાસામાં દિવાળીના દિવસે મનોહર પ્રવચન આપી સ્વરચિત કાવ્યો બોલ્યા, “પર્વ દિવાળી પ્રભુ ગુણ ગાવા, પાપ સમૂહ સમાવોને” સચોટ વક્તત્વ, શાસ્ત્રીય સંગીત, કંઠની હલક સાથે અભિનય કરતા, આ બધું શ્રોતાજનો માટે મહાન આકર્ષણ હતું. ત્યાં એક શ્રાવકજી બોલ્યા, “હે મહારાજ શ્રી ! સાધુને આ રીતે ગાવું કહ્યું? શ્રોતાઓ ન રહી શક્યા. તેમણે જ જવાબ આપી દીધા, “શું કલ્યું અને શું ન કલ્પે ? તે તમારા અને અમારા કરતાં મુનિવર વધુ સમજે છે. આપણાથી આવું ન પૂછાય, સમજ્યા. “ભાઈ ભોંઠા પડ્યા. દિલગીરી દર્શાવી. મુનિશ્રીએ શ્રોતાઓને સાફ જણાવ્યું. પ્રામાણિક શંકા જાહેરમાં કરવામાં વાંધો નથી. માત્ર જિજ્ઞાસા હોવી જોઈએ. જૈનધર્મ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીઓને માટે હંમેશા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર જ કહેવાયું છે. ભ. મહાવીર સંસ્કૃત ભાષા નહોતા જાણતા એમ નહિ પણ અર્ધમાગધી ભાષામાં સર્વલોક ગમ્ય શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. એ પરંપરાને લીધે જ આચાર્યોએ કાવ્યો અને રાસો રચ્યા છે. હા, માત્ર મનોરંજનને મધ્યમાં રાખીને ન કહેવાય પણ સિદ્ધાન્તમય આચરણને મધ્યમાં રાખી, સર્વભોગ્ય ઢબે કહી શકાય અને તે તો સારું જ છે, આમ વિચારજો.” સં. ૧૯૬૪ની સાલમાં પૂજયશ્રી દેવચન્દ્રજી સ્વામીને આચાર્ય પદવી મળી હતી. તેઓ શાસ્ત્ર પારંગત અને સંસ્કૃતના સારા વિદ્વાન હતા. વિદ્વત્તા કરતાંય તેમની નિખાલસતા બધાને આકર્ષતી. સૌરાષ્ટ્રના બધા જ સંઘાડાના સાધુઓની નજર પૂજય દેવચન્દ્રજી સ્વામી તરફ હતી. જયારે ગુરુની નજર પોતાના શિષ્ય નાનચન્દ્રજી તરફ હતી. તે વર્ષનું ચાતુર્માસ મોરબીમાં હતું. શેઠ અંબાવીદાસ ડોસાણી મોરબીમાં સાધન સંપન્ન હતા. તેમણે એક દિવસ એકાંતમાં મ. શ્રી નાનચન્દ્રજી સ્વામીને કહ્યું, “મારા જેવું કામકાજ જરૂર બતાવજો.” મુનિ શ્રી નાનચન્દ્રજી સ્વામીના મનમાં કચ્છ, સૌરાષ્ટ્રના બે પ્રસંગોથી જે કાન્તિબીજ વવાયું હતું, તેને તેઓ સમાજ Page #292 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૭૯ વ્યાપી બનાવવા માગતા હતા. તેમણે આ તક ઝડપી લીધી અને કહ્યું, “એક વાર તે આખા યે સમાજને એકઠો કરી તેની વ્યવસ્થિત સંસ્થા સ્થાપવી જોઈએ.” સ્થા જેન કોન્ફરન્સ સ્થાપના શેઠ અંબાવીદાસભાઈ ડોસાણીએ આ બોલ ઝીલી લીધો અને મોરબી સંઘને સંમત કરાવી, મ. શ્રીની ઈચ્છાનુસાર ભારતભરના સ્થાનકવાસી જૈનોની સંસ્થા સ્થાપી દીધી. આ રીતે તેમની પ્રેરણાથી “અખિલ ભારતીય સ્થા. જૈન કોન્ફરન્સ નામની સંસ્થા ઊભી થઈ. આ જ સાલમાં શ્રી અંબાવીદાસ ભાઈનો યુવાન ભાણેજ ગુજરી જતાં, તેના સ્મરણાર્થે શ્રી અંબાવીદાસભાઈના આર્થિક પ્રોત્સાહનથી જેની ખૂબ જરૂર હતી એવી સ્થાનકવાસી જૈન બોર્ડીંગની પણ સ્થાપના કરાવી. - કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મહારાજને એ વિચારો દેખાતા હતા, “ધર્મક્રાન્તિના ખાસ અંગો ક્યા ક્યા? અથવા કયા છેડેથી ધર્મક્રાન્તિ લેવી જેથી તેને ચોમેર વેગ મળે.” તેઓ સારી રીતે અનુભવી ચૂક્યા હતા કે એકલા સાધુસાધ્વી કે એકલા શ્રાવક-શ્રાવિકાઓ ધર્મક્રાન્તિ કરી ન શકે. ધર્મક્રાન્તિ માર્ગમાં જોમ લાવવા માટે તેમણે સાધુ વર્ગને અભ્યાસ તરફ વાળ્યો. પ્રથમ શ્રદ્ધાળુ સાધુસાધ્વીજીઓ માટે ટબા સહિત શાસ્ત્રો લહિયાઓ પાસે લખાવ્યા. બીજી બાજુ શેઠ અંબાવીદાસ ડોસાણીના આર્થિક સહયોગથી જૈન છાત્રાલય ઉદાર ભાવે શરૂ કરવાની પ્રેરણા આપી. તેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાકવા લાગ્યા. સાધુસાધ્વીજીઓમાં પણ નવી તાજગી આવી. ગુરુસેવાનો અપૂર્વ લાભ તેવામાં તેમના ગુરુદેવને પક્ષઘાતની અસર થઈ. ત્રણેક વર્ષ કચ્છમાં ગાળ્યા પણ વળતા પાણી ન થયા. લીંબડીના શ્રાવકો આગ્રહ કરીને લીંબડી ખેંચી ગયા. લીબડીમાં નવ વર્ષ ગાળ્યા. “પળે પળેની ગુરુસેવા એ જ એમનો સર્વોપરી દૈનિક કાર્યક્રમ. પરંતુ ગુરુ જ એવા છે કે શિષ્ય પાસેથી ઓછામાં ઓછું કામ લઈ પક્ષઘાતમાં કાળજી રાખે. ગુરુદેવને જરાક ખાંસી આવી કે તેઓ તેમની પાસે પહોંચી જ ગયા હોય? સ્વચ્છતા રાખવી, રખાવવી એ જૈન સાધુની પાંચમી સમિતિનું પણ અભુત જતન કરે. નવાઈની સાથે આનંદની વાત તો એ છે કે આવી પળેપળની સેવા સાથે આખીયે લીંબડી અને ફરતાં ગામડાની જૈન જૈનેતર જનતાને તેમણે માનવધર્મથી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી નાનચન્દ્રજી સ્વામી રંગી દીધી. લીંબડીના શ્રાવકો કહેતા કે અમે નાનચન્દ્રજી મ. જેવી ગુરુ સેવા કોઈ સાધુ-સાધ્વી પાસેથી જોઈ નથી. ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધાર । પલક ન વિસરું ગુરુજીને, ગુરુ મારા પ્રાણાધાર ॥ ચારે બાજુથી પ્રસરેલી જીવન સુવાસ વર્ષો પછી આજે પણ લીંબડી ઉપાશ્રયમાંના પ્રેરણાપ્રદ વાક્યો વાંચીએ કે ફરતા ગામડાંની સેવા ભક્તિ જોઈએ, લીંબડીની વિદ્યાર્થી બોર્ડીંગ નીરખીએ કે ત્યાંના દેવચન્દ્રજી પુસ્તકાલયનો ગ્રન્થ ભંડાર જોઈએ, પ્રાર્થના મંદિર, ભજનપદ પુષ્પમાળા વગેરે જોઈએ ત્યારે દરેક દરેક સ્થળમાં મહારાજ શ્રી નિમિત્તે ધાર્મિક પરિવર્તનને મળેલું જોમ કે જોશ કળાયા વગર રહે જ નહિ. તેઓ સમજતા હતા કે દેશ અને દુનિયાના પ્રવાહોને જાણવા તો પડશે જ. તેની સત્યપ્રેરણાથી લીંબડીના વિદ્યાર્થીઓનો જે મહાન ફાલ ત્યારે નીકલ્યો તેમાનાં અનેક નામો અનેક ક્ષેત્ર આગળ આવી ગયા. મુંબઈમાં કે દેશ પરદેશમાં જ્યાં ઝાલાવાડની પેઢી ગઈ ત્યાં સામાજિક ક્ષેત્રે અગ્રનામ કાઢ્યું. ચરિત્ર નાયક શ્રીની સમાજ સુધારણાની પ્રવૃત્તિ જિંદગીના છેડા સુધી ચાલી. તેમણે નીચેની વાતો જોશભેર મૂકવા માંડી. (૧) માનવ માત્રમાં જાતિભેદ, પ્રાંતભેદ, દેશભેદ, સંપ્રદાય ભેદ વગર માનવતા લાવવાનો પુરુષાર્થ કરવો. (૨) સાધુ-સાધ્વીઓની જવાબદારી સૌથી મોટી છે. તે તેમણે પોતાની દિનચર્ચા સાથે દાખલ કરવી. (૩) બાલવયથી જ નવી પેઢીમાં બ્રહ્મચર્ય ભાવના, વ્યસન ત્યાગ, સાંચન રુચિ તથા સંસ્કાર પ્રીતિ વગેરેનું સિંચન કરતા રહેવું. (૪) બાલ વિધવાઓને માટે સંયમલક્ષી સાધન સંસ્થાઓ યોજવી. (૫) લોકોમાંથી કાયરતા હાંકી કાઢવા મહાપ્રયાસ જાળવી રાખવો. આવા અનેક રચનાત્મક મુદ્દાઓથી ધર્મક્રાન્તિનું બ્યુગલ ફૂંકાવું શરૂ થયું અને તેના પડઘા દૂર-સુદૂર પડવા લાગ્યા. તેવામાં લાંબી સેવા અને ઘડતરનો મોટો લાભ દઈને સંવત ૧૯૭૭ કારતક દિ-૮ના રોજ પૂ. આચાર્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી કાળધર્મ પામ્યા. હવે માત્ર બે Page #294 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૮૧ ગુરુભાઈઓ જ હતાં. બન્ને બિદડાના સગાભાઈઓ (૧) શ્રી સુંદરજી સ્વામી (૨) શ્રી રાયચંદજી સ્વામી. તેઓએ પ્રેમથી કહ્યું, “નાનચન્દ્રજી ! હવે તમે ખુશીથી થોડું ફરી આવો. તમારી શક્તિનો વિશાળ સમાજમાં ઉપયોગ થવો જોઈએ. અમે વૃદ્ધ છીએ. શાંતિથી ગાદીના ગામમાં રહેશું. ત્યારપછી પણ થોડો કાળ એ મુનિવરો સાથે ઝાલાવાડમાં વિચર્યા. એક વખત તેઓ શ્રી સાયલા પધાર્યા. તે સમયે સાયલાના ઉપાશ્રયમાં એકાંતવાસ માટે ભોયરા જેવા એક રૂમની વ્યવસ્થા હતી. પાસે આંબલીનું તોતીંગ વૃક્ષ હતું. મુનિશ્રીને સાધના કરવાનું મન થયું. અટ્ટમના પચ્ચખાણ કરી ભોંયરામાં બેસી ગયા. શિયાળાના દિવસો અને ભેજ હોવાથી આખું અંગ જકડાઈ ગયું. એમાંથી એવું ‘વાનું દર્દ થયું કે અનેક ઉપચારો છતાં જિંદગી લગી રહ્યું અને તેથી નવું લોહી બંધ થવાથી ઉંમર થતાં અમુક સમયે ડોલીનો ઉપયોગ કરવો પડ્યો. શરીર ખૂબ ખડતલ અને સુશોભિત પણ વાનો વ્યાધિ રહી ગયો તે રહી ગયો પરંતુ સર્વોત્તમ બોધ આપી ગયો. મુનિ શ્રી હર્ષચન્દ્રજી સાથે કવિવર્ય શ્રી નાનચન્દ્રજી સ્વામી સુરત પધાર્યા. આ સમાચાર મુંબઈવાસી સ્થાનકવાસી ભાઈઓને મળતાં તેઓ સુરત આવ્યા. સં. ૧૯૮૨ની સાલ હતી. પૂ. નાનચન્દ્રજી મ. કહ્યું, “મારા બે દીક્ષાવૃદ્ધ ગુરુભાઈઓને હું લીંબડી છોડીને આવ્યો છું.” મુંબઈ સંઘ લીંબડી પહોંચ્યો. બન્ને મુનિવરોને ડોળીમાં લઈ જવાની ભાવના દર્શાવી પણ મુનિઓએ તેમ કરવાની અનિચ્છા દર્શાવી, પરંતુ નાનચન્દ્રજી મ. ને મુંબઈ જવાની આજ્ઞા આપી. તેઓ ઠાણા-૨ મુંબઈ પહોચ્યા. ઘાટકોપર ચોમાસું કરવાનો નિર્ણય લીધો. જગજીવનભાઈ દયાળજી વાડીમાં ચાતુર્માસ માટે વિચાર્યું. મુંબઈનું ચોમાસું એટલે વરસાદની રમઝટ છતાં મુંબઈના જૈનો વારંવાર ઘાટકોપર આવ જા કરતા. એ જ વાડીમાં એક ભક્તયોગી આવ જા કરતા. કેટલીક વાર મહિના સુધી રહી જતા. તેમને પણ આ જૈન સાધુમાં રસ જાગ્યો તેથી તે વાડી અને આસપાસ રહેતાં જૈનેતરોની ઉંડી શ્રદ્ધા જામી. 'ગુરુભક્ત શિષ્યોની પ્રાપ્તિ તે જ ચાતુર્માસમાં તેમના પ્રવચનોમાં મધ્ય મુંબઈથી ચુનીલાલ ભાઈ પણ આવતા. તેઓ ગાંધી વિચારના રંગે રંગાયેલા અવિવાહિત હતા. તેમને પૂ. મ. શ્રી ની પ્રવચનધારા સાંભળતાં જ નવી દષ્ટિનો સંચાર થયો. એટલે વધુ પરિચય કરવા માટે તેમની સાથે રહેવાની ત્યારથી જ લગની લાગી ગઈ. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાનચન્દ્રજી સ્વામી સં. ૧૯૮૩ની સાલમાં સ્વતંત્ર વિચારક શિવલાલભાઈ (સંતબાલ) મ. શ્રીના મુંબઈના પ્રવચનોથી પ્રભાવિત થયેલા. તેમના માતુશ્રીને બરોળનું જૂનું દર્દ હતું તથી મુંબઈ લઈ આવ્યા. બરોળનું ઓપરેશન કરાવ્યું પણ લાંબુ ન ટક્યા. તેમના અવસાનથી સૌભાગ્યચંદ ભાઇને વૈરાગ્ય વધ્યો. તેમનું સગપણ થઈ ચૂકેલું, લગ્ન ઝટ કરાવી દેવાની સ્નેહીઓ ચિંતા સેવી રહ્યા હતા. તે દરમ્યાન દેશમાં ગયા. બીજી બાજુ નોકરીમાં એક પારસી પેઢીમાં આકર્ષક પગાર થયાનો મિત્ર મારફત તાર કરાવ્યો. માતૃશ્રીની વિધિ પતાવી મુંબઈ ગયા. ૨૮૨ મારવાડી સાધુઓનો સંગ વધ્યો. દીક્ષા લેવાના કોડ જાગ્યા. મા જણી બેનની અનુજ્ઞા મેળવી ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી ભિંગની બનાવ્યા. પછી આવ્યા નાનચન્દ્રજી મ. પાસે. પ્રથમ મિલનથી થયેલા ખેંચાણે હવે જાણે કાયમ માટે રોકી રાખ્યા પણ દીક્ષાનું વચન બીજાને અપાઈ ગયું હતું. ત્યાંથી જવાબ મંગાવ્યો ‘ગમે ત્યાં દીક્ષા લો.' માર્ગ મોકળો થયો. , તે વખતે કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી લીંબડી બિરાજતા હતા. તેમના ચરણોમાં ત્રણ શિષ્યો આવ્યા. (૧) ચુનીલાલ ભાઈ (૨) સૌભાગ્યચંદભાઈ (૩) કેશવલાલ ભાઈ. સં. ૧૯૮૪ માગસર સુદિ-૬ બુધવારે લીંબડીમાં ચુનીલાલ ભાઈની દીક્ષા થઈ .પૂ. પ્રસિદ્ધવક્તા નાગજી સ્વામીએ દીક્ષાપાઠ ભણાવ્યો. ચુનીલાલજી સ્વામી નામ આપ્યું. દીક્ષા થઈ ગયા પછી થોડા દિવસોમાં પંડિત શ્રી નાગજી સ્વામી લીંબડી કાળધર્મ પામ્યા. મોરબીને એ વિરહનો તાજો ઘા લાગ્યો હતો. તે વખતે રાજગાદીએ લખધીર બાપુ હતા. તેમને પૂ. શ્રીના વ્યાખ્યાન સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે કહેણ મોકલ્યું. પ્રવચન સાંભળ્યા બાદ બાપુએ શિવલાલની દીક્ષા મોરબીમાં થાય તેવી વિનંતી કરી. આખી સભાએ વાત વધાવી લીધી. દરેકને ખૂબ ઉત્સાહ હતો કારણ કે ‘મોરબી રાજમાં દીક્ષા નહીં જ થાય' એવી એક રાજ્યગાંઠ બંધાઈ ગયેલી હતી. એકદા એક યુવાન મુનિ-મોણશી સ્વામી જેમણે તાજી જ દીક્ષા લીધેલી એમની દીક્ષાની શોભાયાત્રા જ્યારે મોરબીમાં નીકળી તે પ્રસંગે પુત્ર વિયોગની લાણીમાં માતાને જાડેજા શ્રી વાઘજી ઠાકોરના કોઈએ કાન ભંભેર્યા કે, “આ જૈન સાધુઓ ભાવનાશાળી જુવાનિયાઓને આવેગમાં લાવી મુંડી દે છે, તેના નિશાશા આપણને લાગવાના.” જોગાનુજોગ તે વરસે કંઈક નબળું ચોમાસુ જતાં રાજાનો વહેમ જડબેશલાક થયો ત્યારે રાજાએ ગાંઠ વાળેલી, “મોરબીમાં સંન્યાસ કોઈને Page #296 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૮૩ આપવા નહીં દઉં.” આ રાજ્ય ગાંઠ છૂટી ગઈ. જેણે ડાઘ લગાડ્યો હતો તેણે જ લૂછી નાખ્યો. આથી વિશેષ આનંદ શ્રી સંઘ માટે શો હોઈ શકે ? સત્તા પર શાણપણ સહિતનું શ્રમણપણું જીતી ગયું. ખૂબ ઉત્સાહપૂર્વક શિવલાલભાઈની દીક્ષા થઈ અને તેમનું નામ સૌભાગ્યચંદ મુનિ (સંતબાલ) આપ્યું. તે સાલનું ચોમાસુ પણ મોરબી હતું. ઐતિહાસિક સાધુ સંમેલનમાં ઝળક્યા ! સં. ૧૯૮૯ની સાલમાં અજમેર સાધુ સંમેલનમાં જવાનું હતું. દરેક સંપ્રદાયને ફાળે ચાર પ્રતિનિધિઓ મોકલવાના હતા તેમાં (૧) શામજી સ્વામી, (૨) શ. રત્નચન્દ્રજી સ્વામી, (૩) ક. નાનચન્દ્રજી સ્વામી (૪) સૌભાગ્ય મુનિ નક્કી થયા. લીંબડી થઈને અજમેર પધાર્યા. ત્યાં શતાવધાની મ. ની જેમ નાનચન્દ્રજી મ. પણ સારા ઝળક્યા હતા. તેમણે ત્રેવડી કાર્યવાહી ઉપાડેલી (૧) જે મોટો સમૂહ સાધુ-સાધ્વીઓ રોકવાને કારણે બહાર રહેલો તેને ઉપદેશ દેવાનો (૨) સાધુ સંમેલનની કાર્યવાહીમાં ધ્યાન આપવાનું (૩) યુવાન પેઢીને માર્ગદર્શન આપવાનું. - પૂ. કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજે પોતાના ગર શ્રી પૃથ્વીચંદ્રજી મ. ને કહેલું, “આ કવિવર્ય પં. મહારાજ સંપ્રદાયમાં રહેલું બિનસાંપ્રદાયિક રત્ન છે. તે સાલનું ચોમાસું આગ્રામાં કર્યું.” આગ્રા ચાતુર્માસમાં ઘણો સંતોષ થયો. ત્યાં થોડી ઉર્દુ ભાષા શીખ્યા. અવધાનો કર્યા. તાજ મહેલ જોયો. રાધા સ્વામી દયાલ બાગ સંસ્થાની મુલાકાત લીધી. ત્યાં પ્રવચન રાખેલું, ત્યાં ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં અલૌકિક પ્રવચન આપ્યું. એક વાર બોલનાર અને સાંભળનારનો આત્મા એકરુપ થઈ ગયો. એક મહાકવિએ કહ્યું છે, વાવમર્થોનવર્તિત સહજ વાણીની પાછળ અર્થ અને ભાવો આપમેળે ચાલ્યા આવે છે. - શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે.. એક વખત સંતબાલજી ગોચરી ગયા હતા. તે અજમેર અને જયપુર વચ્ચેનું ગામડું હશે. ભારે ગરીબ પ્રજા, એક જગ્યાએ તો “આવા સાધુડા આવે વખતે ક્યાંથી હાલી નીકળ્યા છે ?' એવો કડવો અનુભવ થયો. પણ પછીથી બે-ચાર ઘરેથી સૂકાં રોટી ટૂકડા અને છાશ મળ્યા પણ બે પાત્રા ભાંગી ગયા હતા. મુનિશ્રીના મનમાં ભય હતો કે “ગુરુદેવ ઠપકો આપશે તો?” પણ તેઓએ તો સામેથી કહ્યું, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી નાનચન્દ્રજી સ્વામી જો આ ગુજરાત નથી વળી ગરીબી અને ગેરસમજ હોય ત્યાં અનાદર થાય તેમાં નવાઈ નથી. ભગવાન મહાવીરના અનાર્ય પ્રદેશ બિહારની વાત યાદ છે ને ? • આ લોકોની તો કેવી ભક્તિ છે કે ભિક્ષુને ક્ષુધાપૂર્તિ થઈ ગઈ. પછી બીજુ જોઈએ શું ? પાત્રા ફૂટ્યાં પણ શરીર સલામત રહ્યું છે ને ? કશી ચિંતા ન કરીશ.” મુનિ શ્રી તો અતિ ગરમીમાં શીતલ શીતલ બની ગયા. આ ભિક્ષુમા રહેલી અમીરાતના દર્શન કેવા સુખદ છે. આવા પ્રસંગે “મન લાગો મેરો યાર ફકીરીમે” આ કબીર સાહેબનું પદ યાદ આવ્યા વિના ન રહે. વિહારમાં ઘણા આવા અનુભવો થાય પરંતુ ચરિત્રનાયક શ્રી શિષ્યોને પ્રેરણાદાયી પ્રસંગો તથા કથાઓ કહી તેમના જીવનનું ઘડતર કરતા. અવળી ગંગાને સીધી કરી વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. એક વખત લીંબડીના ચોમાસામાં એમણે કાનોકાન સાંભળ્યું, “ઢૂંઢિયા ઢેઢ થકી ભૂંડા રે’’ વગેરે..... ઝાંઝ પખાલ વગાડતા દેરાવાસી ભાઈઓ ઉપાશ્રય પાસેથી નીકળે અને ઉપલાં જુગુપ્સાપાત્ર ગીતો ગાતાં જાય. સાંભળતા જ ઉપાશ્રયમાંથી સ્થાનકવાસી લાકડીઓ લઈને છુટે. પછી થાય ધીંગાણું. બન્ને સંઘના માથાં ફૂટે એટલે ઉપાશ્રય આગળ પોલિસ રહે. મુનિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી વિચાર કરે, “ધર્મનું રક્ષણ રાજ્ય કરે કે રાજ્ય સિદ્ધાંતચ્યુત ન થાય તેની રક્ષા ધર્મ કરે ?’’ આતો અવળી ગંગા. એક વખત રાજ્યના અમલદારો અને બે ય ફિરકાના જૈન આગેવાનોને બોલાવી મહારાજ શ્રીએ સ્થાનકવાસી ભાઈઓને કહ્યું, “તમારે આ ગીતો સાંભળી લેવાના છે, કારણ કે તેઓ તમારા ધર્મબંધુઓ છે. તેમની ગાળ તમારે ઘીની નાળ હોવી જોઈએ. રાજ્યને કહ્યું, અમે અમારું ફોડી લઈશું. તમારે વચ્ચે આવવાની જરુર નથી.” શ્વેતામ્બર મૂર્તિપૂજકો શરમાયા અને માફી માગી. ધરમપુરના રાજાને પ્રતિબોધ પમાડ્યો. બીજા વખત શિષ્ય પરિવાર સાથે મુંબઈ તરફ પ્રયાણ કરતા વચ્ચે ધરમપુર પધારવાનું થયું. લોકોમાં ઉત્સાહ ઘણો હતો. રાજ્યના અતિથિગૃહમાં ઉતારો હતો. મહારાજા પોતે સંસ્કારી હતા એટલે યોગ્ય વિનય, શિષ્ટાચાર જાળવી હંમેશા કુટુંબ અને આમ પ્રજામાં સારો સદ્ભાવ જાગ્યો. મહારાજા પોતે સંગીતના અત્યંત શોખીન હતા એટલે પોતાના શોખને લીધે પૂ.શ્રીના ગીતો આનંદથી સાંભળતા. મહારાજા શિકારના તથા સફરના પણ ભારે શોખીન. આ બધી પરિસ્થિતિ Page #298 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૮૫ જાણી લીધા પછી ચરિત્રનાયકશ્રીએ મહારાજાને “મૃગયા' શિકારનો અર્થ સમજાવ્યો કે મૃગ પાછળ દોડવું, આટલો જ એનો સીધો અર્થ છે. ક્ષતાનિ ત્રાય તિ ક્ષત્રિયઃ જે દુઃખી ઘાયલ થયેલા હોય તેનું રક્ષણ કરવું, તેને બચાવવો એ ક્ષત્રિયનો ધર્મ છે. જીવતા નિર્દોષ પ્રાણીને મારી નાખવું એમાં મરદાનગી કઈ છે? આમ યુક્તિપૂર્વક મહારાજાને રાજધર્મની પણ સમજ આપી. મહારાજ પ્રથમ મ. શ્રીના સંગીતથી આકર્ષાયેલા પણ પછીથી જેમ સત્સંગ કરતા ગયા તેમ તેમના અનુરાગી બન્યા અને ક્રમશઃ શિકાર છોડવાનું તેમણે શરુ કર્યું. ઉંચ-નીચના ભેદ નહિ જ્યાં ધરમપુરના એ યાદગાર દિવસો દરમ્યાન સામાન્ય છતાં ધ્યાન ખેંચે એવો પ્રસંગ બની ગયો. રાજવીની સંગીત મંડળીમાં તેઓના કાકા “બીન બનાવવામાં ઉસ્તાદ હતા. ભડાઈ દોસ્ત મહમદ ત્યારે યુવાન ગયો. તે કાકાના ચેલા તરીકે શીખે. ગળુ ઘણુ તૈયાર. એક વખત મહારાજ સાહેબના સ્થાનની નજીક જ સંગીતનો કાર્યક્રમ હતો. આગેવાન શ્રાવકો જેઓ ઉચ્ચ પાયરીના અમલદારો હતા તેમણે મ.શ્રીને સંગીત નિહાળવા ભાવભરી વિનંતી કરી. કવિરાજ નાનચન્દ્રજી સ્વામી જેવા ત્યાં પહોંચ્યા કે તેમના લીધે બીજા અનેક જણ ત્યાં દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી નહિ. તેવામાં એક ગરીબ સોનીપુત્રને કોઈ અમલદારે ટોક્યા, “અહીં શો લાડવો ખાવાનો છે ? જાઓ, ભાગી જાઓ.” હર્ષચન્દ્રજી મ. તે શબ્દો કાનોકાન સાંભળ્યા અને મ.શ્રીનું લક્ષ્ય ખેંચ્યું પછી તો પૂછવું જ શું? પૂ. શ્રી ઉઠીને ઊભા થઈ ગયા. અરે ગુરુદેવ ! આ શું? એમ આગલી હરોળનો બધો વર્ગ ચોંકી ઊઠ્યો. ધરમપુરના રાજાએ અમલદારને તરત ઈશારો કર્યો. સન્માનપૂર્વક એ સોનીપુત્રને પાછો બોલાવી બેસાડ્યો, અને અમલદારોએ દિલગીરી દર્શાવી. ગાંધીજીની સાથે મધુર મિલન હરિપુરા મહાસભામાં કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી પધાર્યા હતા. ત્યાં ગાંધીજીને પહેલીવાર જોયા. ત્યાર પછી તેઓ તિથલ સમુદ્ર કિનારે પધાર્યા. ગાંધીજી પણ તેવામાં ત્યાં બન્ને ધર્મનેતા અને રાષ્ટ્રનેતા સવારમાં સમુદ્રકાંઠે ફરવા નીકળે. મ. શ્રીને જોઈ મહાત્મા ગાંધી બહુ રાજી થયા અને પોતાના સાથીઓથી છૂટા પડી દોડ્યા, “અહો ! તમે અહીં ક્યાંથી ?” જૈન સાધુ સમુદાયમાં રહીને ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યોને વેગ આપનાર નાનચન્દ્રજી મહારાજ એમનાથી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી નાનચન્દ્રજી સ્વામી અજાણ્યા કેમ હોય ? કાઠિયાવાડ રાજકીય પરિષદ્ અને યુવક પરિષદોમાં તેમના પ્રવચનો ગાંધીજીની હાજરીમાં જ રખાયેલા. ગાંધીજીને આવા સંતના દર્શનથી આ ત્યાગીઓના મુલક ભારત પરની આશા સફળ થતી દેખાઈ. આમ તિથલમાં મહાત્મા ગાંધીજી અને ચરિત્રનાયક શ્રી દ૨૨ોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીનો આગ્રહ કરે, જાતે વહોરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા પુતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલા જૈન સાધુ બેચરજી સ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ રાજચન્દ્ર તરફથી મળેલી શિક્ષા-દીક્ષા વગેરે એક પછી એક દશ્યો ગાંધીજીને પ્રત્યક્ષ થાય તેવો અપૂર્વ યોગ હતો. મહારાજશ્રીને પણ બહુ સંતોષ થયો. ત્યાર પછી સંવત ૧૯૯૩, વૈશાખ સુદિ-૬ને શનિવારના દિવસે તિથલમાં જ ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ મશરુવાળા વગેરે રાષ્ટ્રનેતાઓ આવ્યા હતા. સવાર-સાંજ દરિયા કાંઠે ફરતી વખતે વિવિધ વિષયો પર ‘સર્વજન હિતાય’ એવો સુમધુર વાર્તાલાપ ગાંધીજી સાથે થયો હતો. ધરમપુરમાં ચાતુર્માસ સંવત ૧૯૯૩ની સાલનું ચાતુર્માસ ધરમપુરના મહારાજ તથા ત્યાંના અમલદાર શ્રાવકોની વિનંતીને માન આપી ત્યાં કર્યુ. તે વખતે રાજ્યનો અને આમ પ્રજાનો ઉત્સાહ ઘણો હતો. ચાતુર્માસની બધી વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે પ્રાર્થના – પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક રહેતો. મહારાજ અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. બધાને ખૂબ જ સંતોષ થયો. અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. - સહજ બોલાયેલાં વચન સાચાં પડ્યાં. ચોટીલાના વતની અને મુંબઈમાં કાપડનો વ્યાપાર કરતા ખોજા ગૃહસ્થ લાલજીભાઈએ પ્લેનની ટિકિટ લઈ રાખેલી. જે દિવસે રાજકોટથી વિમાનમાં ઉપડી જવાના હતા તે દિવસે જ મહારાજ સાહેબના દર્શન કરવા ગયા. લોકમુખે સાંભળ્યું હતું, ‘એક સર્વ ધર્મમાં માનનાર સંત જેવા જૈન સંતનું ચોમાસું ચોટીલામાં જ છે, તો દર્શન કાં ન કરું ? દર્શન કરતાં જ તેઓ આકર્ષાયા, પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ પણ પ્લેન ઉપડી જાય તેનું શું ?’ મહારાજ સાહેબે સહજભાવે સામેથી કહ્યું, “ગૃહસ્થાશ્રમીને પ્રવૃત્તિ સહજ Page #300 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૮૭ છે, માટે નિવૃત્તિ તરફ થોડું ધ્યાન વધારે આપવું જોઈએ.” લાલજીભાઈ કહે, “ઈચ્છા તો છે પણ પ્લેનની ટિકિટ લેવાઈ ગઈ છે.” મ. શ્રી કહે, “એમાં શુ ? એતો બદલી શકાય અને મને કુદરતી રીતે એમ લાગે છે કે તમે આજે તો રોકાઈ જાઓ. આજના પ્લેનમાં તો જાઓ જ નહિ.’’ લાલજીભાઈ મ.શ્રીના શબ્દોમાં આત્મીયતા લાગી, એટલે રોકાઈ ગયા. તેમને બહુ આનંદ આવ્યો. પ્રવચન અને સત્સંગનો સ્વાદ દાઢે રહી ગયો, અધુરામાં પુરું બે-ત્રણ દિવસે જ છાપામાં વાંચવા મળ્યું, “જે પ્લેનમાં જવાનું હતું તેને અકસ્માત નડ્યો.” આથી લાલજીભાઈની શ્રદ્ધા ખૂબ વધી ગઈ. ગુરુસેવાનો અમૂલ્ય લાભ કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી ચુનીલાલજી મ. પોતાના ગુરુદેવમાં રામમાં હનુમાનની જેમ, શેલક રાજર્ષિમાં પંથકની જેમ ઓતપ્રોત બની ગયા હતા. તેમણે પોતાનું જીવન એટલી હદે ગુરુમય બનાવ્યું હતું કે ગુરુદેવ ગમે ત્યાં બેઠા હોય, ગમે તેવા અગત્યના કામમાં હોય પણ એમનું ચિત્ત તો ગુરુદેવમાં, ગુરુમહારાજની પથારીમાં, અરે ! પગમાંય જરા રજ લાગી હોય તો તેઓ તરત લૂછી નાખતા. સૌ એકી અવાજે કબૂલતા, “ગુરુદેવ પોતાના ગુરુદેવની જે એક નિષ્ઠાથી સેવા-ભક્તિ કરી છે, તેની જ પૂજ્ય ચુનીલાલજી મ. પુનરાવૃત્તિ છે.” “કરીએ તેવું પામીએ રે.’ ચરિત્રનાયકશ્રીના બીજા તેજસ્વી શિષ્ય શ્રી સંતબાલજી લખે છે કે, “શરુઆતમાં પૂ. ચુનીલાલજી સ્વામી અને હું અભ્યાસમાં સાથે જ રહ્યા પરંતુ ન્યાયની શરૂઆત પછી અભ્યાસમાં હું આગળ ચાલ્યો. ગુરુસેવામાં તેઓ ઘણા આગળ નીકળી ગયા. મેં એમ માન્યું. ‘ગુરુદયા તો છે જ, પછી ગુરુસેવા પ્રત્યક્ષ ઓછી થાય તો શું ? એક અર્થમાં અભ્યાસ પણ ગુરુસેવા જ છે ને ! ખરી રીતે આ ઉણપ હતી, જે આજે સમજાય છે, એ રીતે પૂ. ચુનીલાલજી મહારાજ ખાટી ગયા છે.’ 772 સાચા અર્થમાં વિરાજ કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીએ ૪૦૦થી વધારે મૌલિક પદોની રચના કરેલ છે. તે બધાં પદો સુબોધ સંગીતમાલા ભાગ ૧-૨-૩, ભજનપદ પુષ્પિકા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી રુપચન્દ્રજી સ્વામી આવૃત્તિ-૭ તથા પ્રાર્થના મંદિર (આવૃત્તિ ઘણી) વગેરે પુસ્તકોમાં છે. તેમનાં પદો અત્યારે પણ એટલા જ લોકપ્રિય છે. આમ કવિને પણ શાસનપ્રભાવક કહ્યા છે. આખરી વિદાય તા. ૧૭-૧૨-૬૪ નો એ દિવસ હતો. આખો દિવસ મહારાજ સાહેબે આંગતુકોને વાણી દ્વારા ખૂબ શાંતિ પમાડી. પરિશ્રમ ઠીક ઠીક પહોંચ્યો. પ્રતિક્રમણ કર્યું પરંતુ સમૂહ પ્રાર્થનામાં તે દિવસે ન બેઠા. ‘છાતીમાં દુઃખે છે’ એમ કહી જેવા સૂતા તેવો શ્વાસ ચઢતો. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછ્યું, “શું થાય છે ?” પૂ. શ્રીએ કહ્યું, “પૂ. નાગજી સ્વામીને જેવો શ્વાસ ચઢેલો, તેવો શ્વાસ જણાય છે.’ પૂ. ચુનીલાલજી મ. આ સાંભળી તાજુબ થઈ ગયા. બસ, ડૉક્ટર આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરુપિત ધર્મ એ ચાર શરણાં સ્વીકારી રાતના ૧૦-૨૫ મિનિટે ચિર વિદાય લીધી. (વિસ્તારથી તેમનું જીવન ચરિત્ર વાંચવા તેમનો શતાબ્દિ ગ્રંથ વાંચવો.) * પ્રવચન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર | નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર ॥ આ પ્રસિદ્ધ સાખીને માતા વીંઝઈબાઈએ અક્ષરશઃ સત્ય સાબિત કરી આપેલ છે તે આ મહાપુરુષનું સુવિશુદ્ધ સંયમમય જીવન વાંચવાથી ખ્યાલ આવી શકશે. કચ્છના નાનાં મોટાં શહેરોમાં ભચાઉની પણ ગણતરી થાય છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન આ પવિત્ર ભૂમિમાં વીસા ઓસવાળ જ્ઞાતિનાં આશરે ૫૦૦ ઘર છે. તેમાં તેજસિંહભાઈ જેઠાભાઈ ગાલા નામના સગૃહસ્થ ત્યાં રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ વીંઝઈબાઈ હતું. દંપતીને ધર્મમાં સારી શ્રદ્ધા હતી. ખેતીવાડીનો વ્યવસાય હતો. સંતોષમય જીવન હતું તેથી સમાજમાં તેમની સારી છાપ હતી. આનંદપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. Page #302 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૮૯ (ધન્ય હૈ વહ દેશ જનની ગુરુ પિતા કુલ ધન્ય હૈ ) વિ.સં. ૧૯૪૪, મહાવદિ-૭ના શુભ દિવસે વીંઝઈબાઈએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. કર્મરાજાની સામે જંગ માંડવા માટે તેમનું નામ રણમલ પાડવામાં આવ્યું. પિતાનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય હોય પછી બાળકના ઉછેરમાં ખામી ક્યાં આવે? શ્રી તેજસિંહભાઈ તથા વીંઝઈબાઈને અક્ષરજ્ઞાન ન હતું પરંતુ સદ્દગુણો તેમને સ્વભાવ સિદ્ધ હતા. ફુરસદના ટાઈમે સંત-સતીજીનાં દર્શન કરવાં, વ્યાખ્યાન-વાણી વગેરેનો લાભ લેવો, તેમનો સત્સંગ કરવો, સુપાત્ર દાન આપવું, આંગણે આવેલ દીન દુઃખીને યથાશક્તિ આપવું, બધાની સાથે હળીમળીને રહેવું વગેરે અનેક ગુણો તેમના જીવનમાં હતા જેથી તેમનું જીવન બીજા માટે પણ પ્રેરણાદાયી હતું. વાત્સલ્યમયી માતાની વસમી વિદાય મોટાભાઈ આણંદજી તથા નાની બહેન દેવઈબહેન સાથે નિર્દોષ રમત કરતા રણમલના દિવસો ભારે આનંદપૂર્વક પસાર થતા હતા. પરંતુ કાયમ આનંદ જ હોય તો સંસાર કોને કહેવાય? સુખ-દુ:ખ તો આવ્યા જ કરે છે. તે સંસારના નિયમ પ્રમાણે રણમલકુમાર સાત વર્ષના થયા ત્યારે માતા વીંઝઈબાઈ અચાનક અવસાન પામ્યા. કુમળા છોડ જેવા ત્રણે બાળકોના કલ્પાન્તની કોઈ સીમા ન રહી. શ્રી તેજસિંહભાઈ તથા કુટુંબીજનો પણ શોકગ્રસ્ત બની ગયા. પરંતુ આ આઘાતને સહન કર્યા સિવાય છૂટકો ન હતો. જે જન્મ્યા છે જગતમાં, તે નક્કી કરનાર જે ખીલ્યા છે પાંદડા, તે નક્કી ખરનાર // આવી સમજશક્તિથી તેજસિંહભાઈએ મનનું સમાધાન કર્યું. મારા પુત્રોને તેમની માતાની ખોટ ને સાલે તેનાં માટે ઊંડો વિચાર કરી ત્રણે બાળકોને ખૂબ આશ્વાસન આપ્યું તથા પ્રેમથી તેમનું પાલણપોષણ કરવા લાગ્યા. પુત્રની પરમ પ્રગતિનો વિચાર કરે તે પિતા પુત્રના પરમલોકનો વિચાર કરનાર દીર્ઘદ્રષ્ટા પિતા શ્રી તેજસિંહભાઈ બન્ને પુત્રોને હંમેશા ધર્મની વાતો સમજાવતા. “સંયમ વિના મુક્તિ નથી. આવા સંસ્કારો આપતા. નવકાર મંત્રનો મહિમા સમજાવી હંમેશા નવકાર મહામંત્રનું સ્મરણ કરવા ટકોર કરતા. બન્ને પુત્રો પ્રેમાળ પિતાના સંસ્કાર જીવનમાં ઉતારવા લાગ્યા. “દુઃખનું ઔષધ દહાડા.” એ નિયમ પ્રમાણે જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ દુઃખ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી પચન્દ્રજી સ્વામી ઘટતું ગયું. સંત-સતીઓના સાન્નિધ્યમાં વિશેષ રહેવા લાગ્યા. તે વખતે વાગડ પ્રાંતમાં શિક્ષણ નહિવત હતું જેથી રણમલકુમારને શાળામાં બેસવાનો વખત જ ના આવ્યો. પિતાની સાથે ક્યારેક ખેતરે જતા તેમ જ તેમના કામમાં મદદગાર થતા. એક વખત તેઓ વાડીએ ગયેલા. સૌ પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં એકાએક જોરદાર પવન ફૂંકાયો. ધૂળની ડમરી ચઢી આવી, અંધારું થઈ ગયું. કાંઈ દેખાતું ન હતું પરંતુ આંધી ચર્ચા કરે છે, આંધી શમ્યા કરે છે, સમજુ જીવો એ સદા, નવકાર સ્મર્યા કરે છે. આ કડી પ્રમાણે આ વાવાઝોડામાં બધા ગાડા નીચે સંતાઈ ગયા, તેમાં રણમલ પણ છુપાયો પરંતુ નવકાર મંત્રનું સ્મરણ ચાલુ કર્યું. પંચપરમેષ્ઠીનું શરણુ સૌએ સ્વીકાર્યું. માથા ઉપર ભય હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની અપાર શ્રદ્ધા હોવાથી સૌ નિર્ભય હતા. વાવાઝોડું વિખરાઈ ગયું. આંધી શમી ગઈ. સૌ એકબીજા તરફ જોવા લાગ્યા. બધાએ નિરાંતનો દમ ખેંચ્યો. રણમલના બાળપણથી જ સંસ્કારો ઊંચા હતા. તેજસિંહભાઈ ઘણી વાર વિચારતા કે મારા ઘરમાંથી કોઈ સંયમનો માર્ગ અપનાવે તો કેવું સારું ! એ પુણ્યશાળી પિતાને પોતાના પુત્રોને સંસારમાં જોવા કરતાં સંયમી બનાવવાની વધારે ભાવના હતી. પૂર્વજન્મના કોઈ મહાન સંસ્કાર વિના આવી ભાવના થતી નથી. આજ્ઞાની માતા-પિતાઓ પોતાનાં બાળકોમાં કદાય આવી ઉચ્ચ ભાવના પ્રગટે તો તેઓને અંતરાય પાડે છે. જયારે તેજસિંહભાઈએ નિર્ણય કર્યો કે મારાં સંતાનોમાંથી કોઈને સંયમ લેવાની ભાવના જાગશે તો હું અંતરાય પાડીશ નહિ. ગુરુવર્યોની પાવન પધારમણી ગુરુ મીલા તો સબ મીલા, નહિ તો મીલા ન કોઈ માતપિતા સુત બંધવા, સો તો ઘર ઘર હોઈ છે. વિ.સં. ૧૯૫૮ના ફાગણ મહિનામાં (ભોરારા – કચ્છ)ની જયોતિર્ધર ત્રિપુટી) આગમ વિશારદ પૂ.મ. ગુલાબચન્દ્રજી સ્વામી, તેમના લઘુબંધુ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી ઠાણા-૩ ઝાલાવાડમાંથી વિહાર કરીને વાગડની ધરતીને પાવન કરતાં કરતાં ભચાઉ પધાર્યા. ઘણાં વર્ષો પછી સંતોના પગલાં થતાં આખા ભચાઉ શહેરમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯૧ આનંદનું મોજુ ફરી વળ્યું. વિવિધ ધર્માનુષ્ઠાનો થવા લાગ્યા. ધર્માનુરાગી તેજસિંહભાઈ બન્ને પુત્રોને લઈ ગુરુમહારાજ પાસે આવ્યા. પૂર્વના કોઈ ઋણાનુબંધના કારણે એકબીજાને અપૂર્વ આનંદ થયો. વિધિપૂર્વક વંદના કરી ત્રણે જણ ગુરુમહારાજની સન્મુખ બેસી ગયા. ઔપચારિક વાતચીત કર્યા પછી તેજસિંહભાઈએ કહ્યું, “આ બન્ને દીકરામાં મારાથી બનતા ધર્મના સંસ્કાર રેડ્યા છે. એમનાં માતુશ્રીના અચાનક અવસાન પછી અવાર-નવાર સંસારની અસારતા સમજાવી છે. બેમાંથી જેને દીક્ષા લેવાની ભાવના થાય, તેને છુટ છે.” આ સાંભળી પૂજયશ્રીએ કહ્યું, “નિયમિત ધાર્મિક અભ્યાસ કરવા આવજો.” તેજસિહભાઈને કહ્યું, “તમારી ભાવના જરુર પરિપૂર્ણ થશે.” પારસમેં ઔર સંતમેં, બડા અંતરા જાની વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન | પારસમણિ અને સંતમાં ઘણો ફરક છે. કારણ કે પારસમણિ લોઢાને સોનું બનાવે છે જયારે સંત સંસારીને પોતાના જેવા સંત બનાવી દે છે. આ દુહો અક્ષરશઃ સત્ય સાબિત થશે તે આગળ વાંચવાથી ખ્યાલ આવશે. બન્ને ભાઈઓ નિયમિત ગુરુમહારાજની પાસે આવવા લાગ્યા. ગુરુ મહારાજના સત્સંગથી બન્ને ભાઈઓને સંયમ લેવાની ભાવના જાગી પણ પિતાજીની સેવા માટે એક તો રહેવું જ જોઈએ. બન્ને વચ્ચે સંવાદ થયો પરંતુ તેમાં આખરે રણમલનો વિજય થયો. કર્મોની સામે મોરચો માંડવા રણમલે અત્યારથી જ પોતાના નામને સાર્થક કરભા માંડ્યું. રણમલને દીક્ષાની ભાવના જાગી છે તે વાત જાણી તેજસિંહભાઈના આનંદની કોઈ સીમા ન રહી. સંઘના આગેવાનો પણ હર્ષ વ્યક્ત કરી પૂજયશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને કહ્યું, “આ બાળક ખાનદાન કુટુંબનો છે, સંસ્કાર ઊંચા છે, શાસન દીપાવશે. આપ પ્રેમથી એને ભણાવો.” જા, સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને. સંઘના આશીર્વાદ મળ્યા. પિતાજી તથા વડીલોના આશીર્વાદ લઈ રણમલકુમાર ગુરુ મહારાજની સાથે ભણવા નીકળ્યા, ગુરુની કૃપા હોય અને શિષ્યની પાત્રતા હોય પછી ખામી ક્યાંથી રહે. રણમલકુમારે નિશાળ જોઈ ન હતી તેથી અક્ષરજ્ઞાન ન હતું. પરંતુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અપાર હતી. જિજ્ઞાસા એ જ જ્ઞાનની જનની છે. રણમલને જીવન સંગ્રામમાં કર્મ લશ્કર સામે ઝઝુમવાનું હતું, “આત્મારામ'ને તૈયાર કરવાનો હતો તેથી ગુરુદેવે ગુણનિષ્પન્ન Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી રુપચન્દ્રજી સ્વામી રામજી” નામ રાખ્યું. ચૌદ વર્ષના રામજીએ કવિવર્ય ગુરુમહારાજ શ્રી વીરજી સ્વામી પાસે દિવસે અક્ષરજ્ઞાન અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ શીખવાનું શરુ કર્યું. સંસારભાવની લહેર જેને અંશમાત્ર સ્પર્શી ન હતી, કોરી પાટી જેવા આ બાળકના માનસપટ ઉપર ગુરુભગવંતોએ ત્યાગ-વૈરાગ્યનાં ચિત્રો આલેખવા માંડ્યા. - પૂજયપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ત્રણે સંતો વિચરતાં વિચરતાં એ સાલનું (૧૯૫૮) ચાતુર્માસ કરવા માટે પોતાની જન્મભૂમિ ભોરારામાં પધાર્યા. રામજીભાઈ સાથે જ હતા. ત્યાં ભોરારાના જ વતની શ્રી ઉકેડાભાઈને સંયમ લેવાની ભાવના જાગી તેથી તેઓ પણ રામજીભાઈની સાથે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. “એક કરતાં બે ભલા' એ કહેવત પ્રમાણે બન્ને દીક્ષાર્થી ગુરુબંધુઓ પ્રેમથી રહેતા અને ખંતપૂર્વક અભ્યાસમાં આગળ વધવા લાગ્યા. - અઈમુત્તા મુનિની જેમ રમત કરતા ગંભીરતા ગુણ લાધ્યો. સં. ૧૯૫૮ના એ ચાતુર્માસમાં રામજી જમવા માટે ભાવિક શ્રાવકોના ઘરે જાય. એક વખત બપોરે જમીને સ્થાનકે આવ્યો. નીચે ત્રણે ગુરુદેવો આહાર કરતા હતા. વ્યાખ્યાન હૉલનું બારણું બંધ હતું. બહારના પ્રવેશદ્વારથી અંદર આવી આંગણામાંથી ઉપર જવાનું હતું. રામજી ઉપર ગયો. એની નજર જૂની ઢબની લાકડાની મેડી ઉપર દીવાલના કિનારે ધાબામાં દેખાતી તિરાડ ઉપર ગઈ. એના હાથમાં પાણીનો લોટો હતો, જરા રમત કરવાનું મન થયું. “આ પાણી ક્યાં જાય છે જોઉં તો ખરો. આમ વિચારીને પાણી રેડવા માંડ્યું સરર..... કરતા પાણી નીચે ઊતરી ગયું એ પાણી શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મ. ઉપર પડ્યું. તેઓ ચોંકી ઊઠ્યા, “અરે કેવો તોફાની, રામ ! આ શું કરે છે ?” આહાર-પાણી થઈ જતાં રામજીને નીચે બોલાવીને તેની હાજરીમાં પંડિત શ્રી રત્નચન્દ્રજી મહારાજે પૂજ્યશ્રીને સંબોધીને કહ્યું, (રામજીને બીક બતાવવા માટે) “સાહેબ ! આ છોકરો આપણા કામનો નથી, એને રજા દઈ ઘો. આવી ચંચળતા ન ચાલે. એ શું દીક્ષા લેશે ?” રામજી આ શબ્દો સાંભળી ગભરાયો. તેને પ્રાસકો પડ્યો : મને દીક્ષા નહિ આપે તો, એ વિચારે રડવા માંડ્યો. રડતાં રડતાં માથું પૂજયશ્રીના ખોળામાં મૂક્યું અને ક્ષમા યાચી. ગુરુદેવે ઠપકો આપ્યો. સાથે શતાવધાની મહારાજને કહ્યું, “આ તો હજી બાળક કહેવાય. ૧૪ વર્ષની નાની ઉંમરે એટલે આવી રમત સૂઝે. એના જેવડા તું અને હું હતા ત્યારે એવા જ હતા, એ બાલક્રીડા ક્યાં સુધી ટકવાની ? Page #306 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯૩ સમય આવે સુધરી જશે, ધીમે ધીમે ધીર ગંભીર થશે, શાસનને અજવાળે એવો સાધુ થશે.” ન પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના શબ્દો રામજીના હૈયામાં કોતરાઈ ગયા. ત્યાં જ સંકલ્પ કર્યો, “હવેથી મારા ગુરુ ભગવંતોને ન ગમે એવું વર્તન હું કદી નહિ કરું.” આ સંકલ્પને એમણે શતાવધાની મ. સાથે ૩૦ વર્ષ, પોતાના ગુરુદેવ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી સાથે ૪૨ વર્ષ અને પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી સાથે ૫૦ વર્ષનાં સાન્નિધ્ય દરમ્યાન ચરિતાર્થ કરી બતાવ્યો ! મહાભિનિષ્ક્રમણની તૈયારી રામજીભાઈને ગુરુચરણમાં રહી અભ્યાસ કરતાં એક વર્ષ થવા આવ્યું હતું. સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સૂત્ર અને લખતાં-વાંચતાં શીખી લીધું હતું. દીક્ષા આપવા માટે પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. ભોરાનું ચાતુર્માસ પૂર્ણ કરી, માંડવી બાજુ શેષકાળ વિચરી ભોરારામાં એક ભાઈ તથા બે બહેનોની દીક્ષા સાથે રામજીને દીક્ષા લેવાનું વિચારતા હતા, ત્યાં પંડિતરત્ન શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી રણ ઊતરી ઝાલાવાડ પધારતા હોવાથી તેમને વળોટાવવા માટે ભચાઉ પધારવા તેમ જ રામજીની દીક્ષા ભોરારા હોઈ એમના કુટુંબ સાથે કુટુંબ મેળો કરાવી આવવાનો નિર્ણય કરતાં, બધા ઠાણા ભચાઉ પધાર્યા. ભચાઉ સંઘના અગ્રેસરો સાથે ભોરારા સંઘમાં ત્રણ દીક્ષા સાથે રામજીની દીક્ષા સંબંધી વાતચીત થઈ. તે વખતે ભચાઉનો સંઘ આર્થિક રીતે શક્તિશાળી ન હતો. એટલે ત્રણ દીક્ષા સાથે રામજીની દીક્ષા થઈ જાય તેમ ભોરારા સંઘની પણ જોરદાર વિનંતિ હતી. આ વાત સંઘને સમજાવવા પૂજ્યશ્રીએ પ્રયત્ન કર્યો પરંતુ શ્રી સંઘે ગમે તેટલો ખર્ચ થાય છતાં દીક્ષા પોતાના આંગણે જ ઊજવવા ભાવભરી વિનંતી કરી કારણ કે ભચાઉમાં છેલ્લાં ૪૦ વર્ષ પછી આ દીક્ષા થવાની હતી. બધાની ભલી લાગણી અને ભાવનાથી છેવટે ગામની દીક્ષા ગામમાં જ કરવાનું નક્કી થયું. દીક્ષાનો મંગલ દિવસ સં. ૧૯૫૯. ફાગણ સુદિ-૩ નક્કી કરવામાં આવ્યો. પૂજ્યશ્રીએ તથા ભચાઉના શ્રી સંઘે શાસ્ત્રવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીને દીક્ષા સુધી સ્થિરતા કરવા વિનંતી કરી. તેમણે તે સ્વીકારી જેથી આનંદમાં વૃદ્ધિ થઈ. ૪૦ વર્ષના લાંબા ગાળા પછી દીક્ષા પ્રસંગ હોવાથી નવી પેઢીના માટે તો પ્રથમ પ્રસંગ જેવું હતું. ઘર-ઘર ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. આગમવિશારદ ૫. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી રુપચન્દ્રજી સ્વામી વીરજી સ્વામી તથા શતાવધાની પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદી ચતુર્વિધ સંઘની હાજરીમાં સવારના ૧૧-૦૦ વાગ્યે પં. મ. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ ‘કરેમિ ભંતે'નો પાઠ ભણાવ્યો અને કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. ગુરુમહારાજે સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે રૂપચન્દ્રજી સ્વામી એવું સરસ નામ આપ્યું. તે વખેત લીંબડી સંપ્રદાય સોળે કલાએ ખીલ્યો હતો. નવદીક્ષિત મુનિ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો ૫૩મો નંબર હતો. તે વખતે આચાર્યપદે હતા. શાસનપ્રભાવક પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી. ટૂંક સમયમાં બીજી ત્રણ દીક્ષાઓ થતાં સંપ્રદાયમાં ૫૬ સાધુઓ થયા. તેમાં શાસ્ત્રજ્ઞ, શાસનપ્રભાવક અનેક મુનિઓ હતા. નવદીક્ષિત રૂપચન્દ્રજી સ્વામીની વડી દીક્ષા અંજારમાં થઈ હતી. प्र. वेयावच्चेणं भंते जीवे किं जणयड़ ? उ. वेयावच्चेणं तित्थयरनामकम्मं निबंधड़ । વૈયાવચ્ચ સેવા કરવાથી જીવને શો લાભ થાય છે ? વૈયાવચ્ચ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધે છે. વૈયાવચ્ચનો ગુણ પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામીના જીવનમાં સ્વભાવથી જ હતો. દીક્ષિત થયા પછી અભ્યાસની સાથે તેમના ગુરુભગવંતોની સેવામાં ઘણાં વર્ષ પસાર કર્યા હતા. શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી અભ્યાસ કરતા હતા ત્યારે અને તેઓના ગ્રંથ લેખન અર્ધમાગધી કોષ વગેરેના લેખન કાર્યમાં ચરિત્રનાયક શ્રી વર્ષો સુધી સહાયક રહ્યા હતા તથા તેમની સેવાનો અપૂર્વ લાભ લીધો હતો. ત્રીસ વર્ષની ઉંમરે એમણે સિધ્ધાંત ચંદ્રિકા વ્યાકરણ વગેરે સંસ્કૃત વ્યાકરણ તથા કાવ્યનો અભ્યાસ કર્યો હતો. તેમના અક્ષર તો મોતીના દાણાં જેવા થતા હતા. નવકાર મહામંત્રના પ્રભાવથી મરણાંતિક ઉપસર્ગમાંથી ઉગરી ગયા એક વખત પૂજ્યપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી તથા શાંતમૂર્તિ શ્રી રુપચન્દ્રજી સ્વામી ઠાણા-૪ સો૨ઠ વિસ્તારમાં ચાતુર્માસ અર્થે પધારી રહ્યા હતા. જેતપુરના રસ્તે જતાં વચ્ચે રેલવેનો મોટો પુલ આવ્યો. પુલ ઉપરથી એકદમ સાંકડો હતો. કિનારે ચલાય તેમ ન હતું તેથી વચ્ચે ચાલતા હતા. પુલ ઉપર ચડતા પહેલા આગળ પાછળ નજર કરી લીધેલી ત્યારે ગાડી દેખાઈ નહિ જેથી નવકાર મંત્રનું સ્મરણ કરતા તેઓ સર્વે આગળ વધી રહ્યા હતા. Page #308 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯૫ બરાબર પુલની મધ્યમાં પહોંચ્યા અને અકદમ ગાડીની વ્હીસલનો તીક્ષ્ણ અવાજ કાને અથડાયો, ધમધમાટ કરતી ગાડી આવી રહી હતી. નીચે ઉતરી શકાય તેમ નથી, બીજો કોઈ રસ્તો નથી, શું કરવું ? ઝડપભેર ચાલવાનું શરુ કર્યું પણ ઉપરાઉપરી વ્હીસલનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ટ્રેન ઘણી નજીક આવી ગઈ હતી. પૂ. ગુરુમહારાજે બધાને સૂચના આપી કે સાગારી સંથારો લઈ લ્યો અને જો ટ્રેન એકદમ નજીક આવી જાય તો નીચે નદીમાં કૂદી પડવાનું. નવકાર મંત્રના સતત સ્મરણ સાથે ચાલવાની ગતિ વધારી. મહામંત્ર ઉ૫૨ની અજોડ શ્રદ્ધા અને આયુષ્યના બળે હેમખેમ પુલ ઓળંગાઈ ગયો. કિનારે પગ મૂક્યો તે જ ક્ષણે ધસમસતી ગાડી આવી પહોંચી પરંતુ ચારે મુનિરાજો મૃત્યુના મુખમાંથી બચી ગયા. પસીનો લૂંછતા ડ્રાઈવરે બે હાથ જોડીને નિરાંતનો દમ લેતાં સંતોનું અભિવાદન કર્યું. સડસડાટ દોડી જતી ગાડીને પૂ. ચારે ગુરુભગવંતો નિહાળતા રહ્યા અને સ્વગત બોલી ઉઠ્યા, “હજારો, મંત્ર શું કરશે ? મારો નવકાર બેલી છે.’ ચતુર્મુખી જીવનઘડતર શાન્તમૂર્તિ પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામીજીના જીવનઘડતરમાં મુખ્યત્વે ચાર મહાપુરુષોનો ફાળો હતો (૧) આગમવિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી (૨) કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી (૩) પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી (૪) અધ્યાત્મપ્રેમી ભાઈચંદજી સ્વામી. આવા મહાપુરુષોના હાથે જીવનઘડતર થયું હોવાથી પૂજ્યશ્રીનું જીવન નંદનવન જેવું બની ગયું હતું. એમાં સેંકડો ગુણપુષ્પો ખીલ્યાં હતાં. સાદાઈ, સમતા અને સંયમ સુવાસ જન જનના દિલમાં ફેલાવીં સૌના આદરણીય બન્યા હતા. ગુરુભગવંતોની કૃપાથી તથા પોતાના પુણ્યથી શ્રમણવૃંદમાં પ્રથમ પંક્તિએ બિરાજ્યા હતા. जपात् सिद्धिः जपात् सिद्धः, जपात् सिद्धिर्न संशयः । પૂજ્ય સાહેબની જપ સાધનાથી તથા પ્રાર્થનાની અભિરુચિ અવર્ણનીય હતી. પ્રારંભિક જીવનથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી હાલતા-ચાલતા, ખાતા-પિતા, સૂતા-ઊઠતા આદિ દરેક ક્રિયામાં નવકાર મંત્ર તથા પ્રભુપાર્શ્વનાથનું રટણ કરતા હતા. આનંદધન ચોવીસી, યશોવિજય ચોવિસી તથા બીજા સેંકડો ભાવવાહી જૂના પ્રાર્થના પદો તેમને મોઢે હતા. નિયમિત, સવારે રાત્રીય પ્રતિક્રમણ થઈ ગયા પછી તેઓશ્રી તથા તેમના પરમ અંતેવાસી તત્ત્વજ્ઞ મ. શ્રી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી રુપચન્દ્રજી સ્વામી નવલચન્દ્રજી સ્વામી પ્રાર્થના કરતા. પૂજયશ્રી ૯૦ વર્ષ વટાવી ચૂક્યા હતા છતાં કંઠની મધુરતા તો એવીને એવી જ હતી. મંગલાષ્ટક, ભક્તામર, કલ્યાણ મંદિર, કિંકર્પર, વિવિધ સ્તોત્રો, બન્ને ચોવીસી તથા મેરે તો પ્રભુ ચાહિએ, નિત્ય દરિશન પાઉં. મન પંકજ કે મહેલમેં, આંતરિક ગુણ ગાઉ, આનંદઘન પ્રભુપાર્શ્વજી, મેં તો ઓર ન ધ્યાઉં. આવાં ભાવવાહી પદો નિયમિત તેઓશ્રી બોલતા. આ પદો સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો હતો. હજારો ભાવિકોને એક જ સલાહ આપતા, પ્રભુસ્મરણ કરજો. નવકાર મંત્રની માળા ગણજો. “શ્રી પાર્શ્વનાથાય નમઃ' એ નામની એક માળા ફેરવવી, આવી શિખામણ તો એમના શ્રી મુખેથી અનેકવાર સાંભળી હતી. એક નાના પુંઠામાં સારા અક્ષરે “શ્રી પાર્શ્વનાથાય નમઃ” લખાવી પોતે બેસતા તેની ઉપર બારીમાં રાખતા. નાનાં બાળકોને એ વંચાવી અને કહે આ નામની એક માળા ફેરવજો. માળા ન હોય તો મારી પાસેથી લઈ જજો. સં. ૨૦૩૦ના ભરોરા ચાતુર્માસમાં લેખકને સંસારપક્ષે સંબંધ હોવાથી વિશેષ પ્રેમભાવથી કહેલું, “તારે દરરોજ પ્રભુ પાર્શ્વનાથના નામની એક માળા ફેરવવી તથા નવલચન્દ્રજી પાસે સામાયિક-પ્રતિક્રમણ શીખવું, પ્રકાશ ! તું નવલચન્દ્રજીનો ચેલો થજે.” આ શબ્દો એ મહાપુરુષના મોઢે સહજ રીતે બોલાયેલા અક્ષરશઃ સાચા પડ્યા. સદ્ભાગ્યે તે મહાપુરુષના હાથે જ દીક્ષિત થવાનું તથા સતત દશ વર્ષ સુધી તેમના જ સાનિધ્યમાં રહેવાનું તેમ જ તેમની શીતળ છત્રછાયામાં રહીને અભ્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું, અપૂર્વ કૃપા તથા વાત્સલ્ય પ્રાપ્ત થયા. આવા મહાપુરુષનો કૃપામય હાથ ફર્યો તે જ જીવનનું જમા પાસુ છે. આનાથી મોટું સદ્ભાગ્ય કર્યું હોય? पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्य ? પુરુષના ભાગ્યને દેવો પણ જાણી નથી શકતા તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? પુણ્યશાળી આત્માનું પુણ્ય જયારે ઉદયમાં આવે છે ત્યારે સ્વ-પર કલ્યાણકારી નીવડે છે. પૂજય શ્રી રુપચન્દ્રજી સ્વામી સં. ૨૦૨૫ના ચૈત્ર વદિ-૯ ના દિવસે લીંબડી સંપ્રદાયની ગાદીએ બિરાજ્યા. દીક્ષિત થતી વખતે જેનો પ૩મો નંબર હતો તે ટોચ ઉપર આવી શકશે આવી કોઈને કલ્પના પણ નહિ હોય પરંતુ ઉપરોક્ત સૂક્તિ પ્રમાણે પુરુષના ભાગ્યને આપણે ક્યાંથી જાણી શકીએ. સંપ્રદાયના સાધુઓની સંખ્યા ઘટીને અગિયાર પહોંચી ગઈ હતી પરંતુ Page #310 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯૭ ચારિત્રનાયક શ્રી પૂજય સાહેબ તરીકે આવ્યા પછી સાધુઓ તો વધ્યા પરંતુ દરેક રીતે સંપ્રદાયની પ્રગતિ થઈ. પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના સમયમાં જેવી જાહોજલાલી હતી તેવી જ ધાર્મિક જાહોજલાલી પૂ.શ્રીના વખતમાં પુનરાવૃત્તિ પામી. આચાર્યપદ પ્રદાન વિ.સં. ૨૦૧૮ના બીજા વૈશાખ મહિનામાં લીંબડીમાં તમામ સાધુઓનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પુણ્યપ્રભાવક પૂજ્ય સાહેબ શ્રી રુપચન્દ્રજી સ્વામીનો આચાર્યપદે અભિષેક કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બીજા વૈશાખ સુદ-૧૩ ગુરુવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં ભવ્યતાથી લીંબડી સંપ્રદાયની ગાદીએ ૮૭માં પટ્ટઘર તરીકે વિધિસર આચાર્યપદવી આપવામાં આવી. તે આચાર્યપદના પ્રતીકની પછેડી પંડિત મ. શ્રી ચુનિલાલજી સ્વામીએ ચતુર્વિધ સંઘની ઈચ્છાથી ઓઢાડી. પૂજય આચાર્ય શ્રી રુપચન્દ્રજી સ્વામીનો પુણ્ય પ્રભાવ એવો હતો કે સમગ્ર ચતુર્વિધ સંઘના દયમાં તેઓશ્રીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમાં તેમનો સુવિશુદ્ધ સંયમ, સ્વાભાવિક સરલતા અને નમ્રતા વગેરે સદ્ગુણો પણ કારણભૂત હતા. ગચ્છ સંચાલનની કપરી જવાબદારી, પૂ. આચાર્ય સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી તેમના જ અંતેવાસી જૈન ઈતિહાસના પારગામી થવીરપદ વિભૂષિત, ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી વહન કરી રહ્યા હતા. ખરેખર સોનામાં સુગંધ ભળી હતી. આ આચાર્યદેવ અને આવા પ્રવર્તક (કાર્યવાહક) મળવા મુશ્કેલ. આવા પ્રતાપી પુણ્યાત્માઓની ખામી સાંપ્રતકાળે વર્તાઈ રહી છે તે પણ કલિકાળની બલિહારી છે. 'શાસન પ્રભાવક આચાર્યદેવ પૂજ્ય શાસન પ્રભાવક આચાર્યશ્રીના પગલે પગલે દરેક ક્ષેત્રોમાં અપૂર્વ જાગૃતિ આવતી. માન સરોવરના હસો ઊડીને ગમે ત્યાં જાય તોપણ તે મહામંડલને શોભાવનારા જ બને. ત્યારે આ તો પરમહંસ. એમના પરમ પુણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માઓ ચરણોમાં સંયમી જીવન અંગીકાર કરવા માટે તૈયાર થઈ જતા. તેઓશ્રીના ૧૪ વર્ષના શાસનકાળમાં કુલ ૧૨૬ મુમુક્ષુઓની દીક્ષા થઈ હતી. તેમાંથી ૬૧ જેટલા ભવ્યાત્માઓ તો એમના જ શ્રીમુખે સંયમ સ્વીકારવામાં સદ્ભાગી બન્યા હતા. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી રુપચન્દ્રજી સ્વામી પૂજય આચાર્યજીના શ્રીમુખેથી સેંકડો દંપતીઓ આજીવન ચતુર્થવ્રત સ્વીકારતા. જાણે જૈન શાસનના અનુપમ કાર્યો કરવાં અને જન જનનાં હ્દયમાં પ્રભુનો પૈગામ પહોંચાડવા જ તેઓ પૃથ્વીપટ ૫૨ વિચરીને જૈન જગતને શોભાવતા. તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં અપૂર્વ શાસન પ્રભાવના થતી. ૨૯૮ પૂજ્ય આચાર્યદેવ શ્રી કરુણાના અવતાર હતા. ઈ.સ. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનના ભીષણ યુદ્ધમાં થતી ભયંકર હિંસાથી તેમણે સમાઘોઘા સંઘમાં ચાતુર્માસ વખતે પ્રેરણા કરી કે તાત્કાલિક યુદ્ધ બંધ થાય તે માટે પ્રાર્થનામાં જોડાવું જોઈએ. શ્રી સંઘમાં જમણવાર ન થવું જોઈ. સંઘ દર્શનયાત્રા ન ગોઠવવી જોઈએ. આવી રીતે જ્યારે યુદ્ધ થાય અથવા કુદરતી પ્રકોપ થાય ત્યારે તેમનું કરુણાસભર હૈયુ દ્રવી ઊઠતું. તેઓશ્રીએ સં. ૨૦૩૧માં એક પ્રેરણાદાયી ફરમાન બહાર પાડેલું કે સંઘો ચાતુર્માસમાં જે રીતે દર્શન કરવા નીકળે છે તેમ કોઈ સંઘે નીકળવું નહિ. વર્તમાન કાળના ગાડરિયા પ્રવાહને અટકાવવા માટેનો તેમનો આ પ્રસ્તાવ તે વખેત આંશિક રીતે પળાયોય ખરો, પરંતુ હાલમાં તે વધતો જાય છે. આવા પ્રવાહને કોઈ શાસનપ્રેમી સંત અટકાવી શકશે ? વિરહની વેદના છતાં અનુપમ આરાધના પૂજ્ય આચાર્યદેવશ્રીના ડાબા-જમણા હાથ સમાન તેમના પટ્ટશિષ્ય પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામી તથા પરમઅંતેવાસી ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી અનુક્રમે સં. ૨૦૨૨ માગસર વદ-૧૧ તથા ૨૦૩૪ આસોવદ-૮ના અચાનક સમાધિભાવે સ્વર્ગવાસ પામતા તેઓશ્રીને ભારે આઘાત લાગ્યો હોવા છતાં આધ્યાત્મિક સમતુલા જાળવી રાખી પોતાની આત્મારાધના અનુપમ બનાવી હતી. ભવ્ય જીવોના માટે પોતાનું જીવન ભારે પ્રેરણાદાયી બનાવ્યું હતું. ગુરુજી અમારા ગુણના ભંડારા પુણ્યપ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રીનો પુણ્યપ્રભાવ અદ્ભૂત હતો. તેમનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું ભવ્ય અને પ્રભાવશાળી હતું તે કરતાં પણ આંતરિક જીવન વધારે ઉન્નત અને અવર્ણનીય હતું. કલિકાલ કલ્પવૃક્ષ પૂજ્ય આચાર્ય દેવ “ભારતભરમાં મુનિવર મોટા” છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂ. આચાર્ય શ્રી સમગ્ર જૈન શાસનની પરંપરામાં સૌથી વયોવૃદ્ધ અને દીક્ષાવૃદ્ધ હતા. જેમને ૯૬મું Page #312 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૯૯ વર્ષ ચાલી રહ્યું હતું. આઠ આઠ દાયકા સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતલ તથા ગંગાના નીર જેવા નિર્મળ ચારિત્ર પર્યાયમાં પસાર કર્યા હતા. જેમણે સંસારી અવસ્થામાં પણ યાંત્રિક વાહન, બસ, ગાડી, મોટરકાર આદિનો પ્રવાસ પણ કર્યો ન હતો. માત્ર ૧૫ વર્ષની ઉમરે દીક્ષા અંગીકાર કરનાર આ મહાપુરુષ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં આનંદ મંગળ શાંતિ છવાઈ જતાં. એમના દિવ્ય દીદારના દર્શન કરી સૌ પાવન થતા તેમ જ ધન્યતાનો અનુભવ કરતા. તેમના સાનિધ્યમાં ત્રિવિધ તાપ શમી જતા. હજારો ભવ્યાત્માઓ જાત અનુભવ કરતા કે કલિકાળના કલ્પવૃક્ષની શીતલ છાયામાં જ જાણે બેઠા છીએ. 'નિર્મળ સ્ફટિક સમાન સંયમી જીવન ઝાલાવાડની ભાવિક જનતા પૂજય સાહેબને, “બાપજી મહારાજના હુલામણા નામથી સંબોધન કરતી. તે ભાવિકો બાપજીની નિસ્પૃહતા અને હંમેશા પ્રભુ પરાયણતા (સ્વરુપ રમણતા) ના દર્શન કરી. “ઓલિયા પુરુષ” કે “પરમહંસ આત્મસાધક” તરીકે ઓળખાતી હતી. હળાહળ જૂઠ-પ્રપંચથી વ્યાપ્ત વર્તમાન જગતમાં નક્કર સત્ય સ્વરુપે આવા મહામુનિ જીવંત સ્વરુપે હોઈ શકે છે તે લોકોને આશ્ચર્યકારી ઘટના લાગતી હતી. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી આજીવન નિષ્કલંક પારદર્શી ચારિત્રની સાક્ષાત્ મૂર્તિસ્વરુપ હતા. તેઓશ્રીની સંમનિષ્ઠા એટલી ઉજ્જવલ હતી કે ગમે તે દેશકાળના સંયોગો એમની ચારિત્રની શુદ્ધ ચાદરને એક માખી બેસવાના દાગ જેટલી પણ મલિન કરી શક્યા ન હતા ! એમની મર્યાદામાં યુગો યુગ સુધી આત્મસાધકોને નૂતન પ્રેરણા આપતી રહેશે. તેઓશ્રી આજ ભલે હાજર નથી પરંતુ તેમના એક એકથી ચડિયાતા સદ્ગણોની સુવાસ તો હજી પણ એવી જ છે. એ સુવાસને જેઓ ગ્રહણ કરશે તેઓનું જીવન પૂજ્યશ્રીની જેમ જરુર ધન્ય બનશે. ‘‘પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સાનુક્રોશતા અને (અમત્સરતાની બનેલી ચતુર્મુખી સાક્ષાત્ મૂતિ'' શતાબ્દીથી અધિક સમય પહેલા અવતરેલ અને કિશોર વયમાં દીક્ષિત થનાર આ દિવ્યાત્માની સરલતા અને સચ્ચાઈનું માપ કાઢવું મુશ્કેલ છે. જે નિર્દોષતા તથા સરલતા નાના બાળકમાં દૈવી સદ્ગુણ સ્વરુપે હોય છે તે સામાન્ય જગતમાં ઉંમર વધતાની સાથે ઘટતી જતી હોય છે પરંતુ આથી ઊલટું આ નિર્દોષતા તથા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી રુપચન્દ્રજી સ્વામી સરલતા આબાલવૃદ્ધ ઉંમર પર્યત વધતી જ ચાલી હતી. તેમની સરલતાનો જોટો જડવો મુશ્કેલ છે. સર્વેષાં ત્યાનાં માગને વિનય: સર્વ કલ્યાણનો આધાર વિનય નમ્રતા છે. આ ગુણ પૂજય સાહેબના અણુ અણુમા વણાયેલો હતો. અહંકારની આંશિક અભિવ્યક્તિ પુ. આચાર્યશ્રીના વચન અને વર્તનમાં દેખાઈ ન હતી. નહોતું એમનામાં જ્ઞાનનું ગુમાન કે નહોતો એમને મોભાનો મદ. ઘણીવાર કાગળ લખાવે (પૂ. આચાર્યદેવ શ્રી તથા તેમના અંતેવાસી ગીતાર્થ ગુરુદેવશ્રી પોતના હાથે સંસારીઓને પત્ર નહોતા લખતા) ત્યારે છેલ્લે આપણે લખીએ કે પૂજ્ય આચાર્ય સાહેબના ફરમાનથી. તો તરત જ મીઠો ઠપકો આપે કે આચાર્ય ન લખવું. મારામાં કેટલા ગુણો છે તે હું જાણું, માટે અતિશયોક્તિ ન કરીએ. ફક્ત એટલું જ લખવું કે પૂજ્યશ્રીના ફરમાનથી લોકો બધા મને ઓળખે છે કે હું રુપચન્દ્રજી છું. આવી નમ્રતાનો સાક્ષાત અનુભવ થયો છે. ત્યારે ખરેખર એ વિરલ વિભૂતિને મસ્તક અહોભાવથી નમી પડતું. આવી જ નમ્રતા આ પામર પ્રાણીમાં આવે તેવી પુણ્યાત્માને પવિત્ર પ્રાર્થના. તેમના જીવનમાં અનુકંપા તો ખૂબ જ હતી. દરેક ક્રિયાઓમાં ઉપયોગ અને જતના રાખવાની મીઠી મધુરી શિખામણ આપતા. ક્યારેક અસાવધાનીથી બેદરકાર વર્તન જુએ તો આટલી જૈફ વયે પણ હળવી ટકોર કરે, “મોમાયો, વિચાર ન મળે.” “ભાઈ જનતાથી ડરીએ.” “ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં વિવેક રાખીએ.” “નકામી વાતોમાં સમય ન ગુમાવીએ.” “અભ્યાસમાં ધ્યાન દઈએ.” “પ્રથમવેદ હારે અર્થાત સ્ત્રીઓ સાથે બહુ પરિચય ન કરીએ” આવી તો સેંકડો હિતશિક્ષાઓ તેમણે આપેલી. આ બધું યાદ કરતાં કરતાં કૃતજ્ઞતાથી એ મહાપુરુષને મસ્તક નમી પડે છે. - પૂજ્યશ્રીમાં આમત્સરતાનો ગુણ પણ એવો જ. ઈર્ષા અદેખાઈ તેમનાથી દૂર જ હતા. આમ માનવ બનવાના ચાર ગુણો તેમના જીવનમાં સારા વિકાસ પામ્યા હતા. जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ । આચારંગ સૂત્રના આ મહાકાવ્યને પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં સારી રીતે વિકસાવ્યું હતું. સગુણોનું સર્જન અને દુર્ગણોનું વર્જન”આ પુજ્ય આચાર્યશ્રીની જીવન સાધના હતી. જેનાથી આત્મા મલિન થાય તેવી પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરવી નહિ, આ પૂજ્યશ્રીની આત્મજાગૃતિ હતી. આ સાધનામાં તેઓ સફળતાના શિખરે પહોંચ્યા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના એ જ એમનું લક્ષ્ય Page #314 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૦૧ હતું. પરમાત્મપ્રકાશ, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે આધ્યાત્મિક પુસ્તકોના વાંચન દ્વારા તેમણે આત્મભાવને સારો વિકસાવ્યો હતો. આત્મચિંતનમાં તેઓશ્રી એવા મસ્ત થઈ જતા કે વસતિમાં રહેવા છતાં જાણે વનમાં રહીને અધ્યાત્મની સાધના કરનાર યોગીરાજ જોઈ લ્યો ! ત્યારે ભક્તોના દ્ધયમાં ઉદ્ગાર નીકળી પડ્યા. ' “જૂના જોગી છે એક અલગારી, ગુરુ પચન્દ્રજી ઉપકારી” | કરશો ના કોઈ પ્રમાદ સમયનો નશ્વર જીવનમાં “એક સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ એ વીતરાગ વચનને પૂજ્ય સાહેબે પોતાના જીવનમાં સારી રીતે વણી લીધું હતું. એક-એક સમયનો સદુપયોગ કરતા તેઓશ્રી હર હંમેશ જાગૃત રહેતા. પૂજયશ્રીની મોટી અવસ્થા હોવા છતાં તેઓ આરામ બહુ ઓછો કરતા. રાત્રે પણ જયારે જોઈએ ત્યારે બેઠા હોય અને પ્રભુસ્મરણ તથા અત્મચિંતનમાં એટલા તલ્લીન હોય કે જાણે ચોથા આરાના નમૂના જોઈ લ્યો ! નાનાં સંતો કે દીક્ષાર્થી ભાઈઓ બહુ વાતચીતમાં પડી જાય તો તરત ટકોર કરે, “ભાઈ ! બહુ વાતો ન કરીએ. અત્યારે તમારી ભણવાની ઉંમર છે, વળી સવારનો સમય રામનો, બાકી હરામનો.” સવારમાં કંઠસ્થ કરી લેવું. બપોરે પછી કાચું હોય તે પાકું કરવું અને રાત્રે શીખેલું ફેરવવું. એમાં આળસ કે પ્રમાદ કરવો નહિ. તમે તો હજી નાના બાળ છો. આવી હિતશિક્ષાઓ આપી આટલી જૈફ વયે પણ સંતોની ઉત્તમ પ્રકારની સારણા-વારણા કરતા. તેમના અપૂર્વ વાત્સલ્ય અને અભેદ દ્રષ્ટિના કારણે પૂ.શ્રીને ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીના શિષ્યો હોવા છતાં પૂ.શ્રીને ગુરુની જેમ માને અને કહેવાય પણ એમ કે પૂ.શ્રી રુપચન્દ્રજી સ્વામીનો સંઘાડો. 'મિથે મટુકે મારૂ માલણ | દશ. અ-૭ સાધક 'થોડું, સારું અને વિચારીને બોલે. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી મિતભાષી હતા. તેઓ કાયમ કહેતા કે થોડામાં પતતું હોય તો ઝાઝું ન બોલીએ. તેઓશ્રીનો સ્વભાવ અત્યંત સાધનાલક્ષી હોવાથી ધોંધાટ, ધમાલ કે લોકસંપર્કથી તેઓ દૂર જ રહેતા. તેમની એક જ શિખામણ હતી કે, “ભાઈ ! વગર પ્રયોજને બોલ બોલ ન કરવું, ઊંચે સાદે ન બોલીએ.” શાંતિ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી રુપચન્દ્રજી સ્વામી સમાધિનો ભંગ થાય તેમ ન બોલીએ, જતનાપૂર્વક બોલીએ. તેઓશ્રી મૃદુ, મધુર અને પ્રમાણસર જ બોલતા. મોઢા ઉપર પણ શાંતિ તરવરતી તેથી તેમને, “શાન્તમૂર્તિ'નું બિરુદ મળ્યું હતું. અપૂર્વ યાદશક્તિ પૂજ્ય સાહેબની યાદશક્તિ વૃદ્ધાવસ્થામાં પણ તીવ્ર હતી. પાંચ પાંચ પેઢીના નામ પરિચિતોનાં આપતા ત્યારે સામેવાળા આશ્ચર્યચકિત થઈ જાય. ૫ કે ૧૦ વરસ પછી પણ કોઈ પરિચિત ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય ત્યારે તુરત નામ-ઠામ વગેરે કહી દે. વર્ષો પહેલાં રટણ કરાયેલ શાસ્રની ગાથાઓ, શ્લોકો તથા સેંકડો કાવ્યો, વ્યાખ્યાનોપયોગી સાહિત્ય વગેરે છેક ૯૬ વર્ષની અંતિમ અવસ્થા સુધી તરત બોલી સંભળાવતા. આશા ઔરનકી ક્યા કીજે ? પૂજ્ય આચાર્ય ભગવંતે દીક્ષિત જીવનના પ્રારંભના પાંચ દાયકા પોતાના ગુર્વાદિક વડીલોની સેવા-વૈયાવચ્ચમાં પસાર કર્યા હતા. નાના સંતોની સેવા કરતાં પણ તેઓ સંકોચ પામતા નહિ. શારીરિક સ્વાસ્થ્ય અતિ સંતોષપ્રદ અને સ્વસ્થ જ રહેતું તેમાં તેમનો નિયમિત આહાર અને પથ્ય ખોરાક કારણભૂત હતા. સેવાભાવનાના સર્વોચ્ચ સંસ્કાર પાછલી ઉંમરમાં પણ એવા જ હતા. પોતાનું કામ પોતે જાતે જ કરવાનો આગ્રહ રાખતા. શિષ્યો એ સેવાનો લાભ લેવા વિનંતી કરતા તો પૂજ્ય સાહેબ તરત જ કહેતા, “જાત મહેનત ઝીંદાબાદ.' જો તમે મને મારું કામ કરવા નહિ દ્યો તો મારા હાથ પગ વગેરેનો વ્યાયામ છૂટી જશે. સ્ફૂર્તિ ઓછી થઈ જશે, તેથી જ્યાં સુધી મારા હાથ-પગ ચાલે ત્યાં સુધી મને કરવા દ્યો. “Health is Wealth.” સંયમ જીવનના છેલ્લા દિવસ સુધી માંડલામાં આહાર-પાણી કર્યા બાદ પોતાના પાત્રા પોતાના હાથે જ સાફ કરવા, બીજા ખંડમાં આહાર-પાણી કરવાના હોય તો ત્યાં સુધી આવવું વગેરે દરેક ક્રિયાઓ જાતે જ કરતા રહ્યા. તેઓ શ્રી અત્યંત સ્વચ્છતા, સુઘડતા તથા વ્યવસ્થિતતાના આગ્રહી હતા. પુસ્તક, પાત્રા વગેરે ઉપાધિ જેમ તેમ નાના સાધુઓ રાખે તો તરત જ કહેતા, “ભાઈ ! વ્યવસ્થિત મૂકીએ.” પ્રેમ પ્રદાતા પિતામહ પૂજ્ય સાહેબનું વાત્સલ્ય અને કૃપાદ્રષ્ટિ અજોડ હતા. તેમનું સ્નેહભીનું વાત્સલ્ય યાદ આવતાં ભીના નયન થઈ જાય છે. તેમનો પ્રેમભાવ નાના મોટા દરેક ઉ૫૨ એક સરખો હતો. કોઈ સાધુ બીમાર પડે કે તરત જ તેઓ પાસે આવી Page #316 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૦૩ તબિયતના ખબર પૂછે, પ્રેમથી માથે હાથ ફેરવે, શાત્ત્વન આપી દવા, પરેજી અંગે ભલામણ કરતા. દિવસમાં કેટલીક વાર પુછયા કરે કે, “અમુકને હવે કેમ છે ? શું વાપર્યું?” અસ્વસ્થ સંત મેડી ઉપર હોય અને ક્યારેક પ્રતિક્રમણ કરવા માટે માંડલામાં ન આવી શક્યા હોય તો કોઈને પણ ખબર ન પડે તેવી રીતે (હાર્ટના પેશન્ટ હોવાથી તથા વૃદ્ધાવસ્થાને કારણે ડૉક્ટરોની દાદરો ચડવાની સખત મનાઈ હોવા છતાં) ઉપર ચડી આવતા અને માથે હાથ રાખી વાત્સલ્યથી ખબર અંતર પૂછે. પરમ પિતામહનો આવો પ્રેમ તથા વાત્સલ્ય મળતાં અસ્વસ્થ સંતને પરમ શાંતિનો અનુભવ થતો તેમ જ પૂ. સાહેબની અમીદ્રષ્ટિ બદલ મસ્તક અહોભાવથી નમી પડતું. દૂર વિચરતા સાધુ-સાધ્વીજીની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળીને તેઓશ્રી બેચેન બની જતા અને તરત જ કહેતા કે, “નવચન્દ્રજી સુખસાંતી પૂછાવ્યાનો કાગળ આજે જ લખાવી નાખજે.” જ્યાં સુધી તે સ્થાનેથી કુશળતાના સમાચાર ન આવે ત્યાં સુધી તેઓ ચિંતિત રહેતા અને પુછતા, “સમાચાર આવ્યા? હવે તબિયત કેમ છે?” નવદિક્ષિત સાધુની સંભાળ પણ એવી જ લેતા. લોચનો પ્રસંગ હોય કે લાંબો વિહાર હોય ત્યારે બધાની હિતચિંતા કરે. પોતે જ સંભાળ લેવા લાગી જાય. નાની ઉંમરના દીક્ષાર્થી હોય કે નાના સંતો હોય તે સૌના પ્રત્યે માતા-પિતા જેવો પ્રેમ અને વાત્સલ્ય વરસાવતા. કોઈની ભુલ માટે ઠપકો આપવો પડે તો તેમની શૈલી નિરાળી જ હતી. એમાં પણ એમનું વાત્સલ્ય દેખાતું. એક અનુભવીએ કહ્યું છે કે, “મહાપુરુષોના ક્રોધમાં પણ પ્રેમ હોય છે.” જ્યારે “અલ્પ પુરુષોના પ્રેમમાં પણ દ્વેષ હોય છે.” ક્યારેક ખાવા-પીવામાં બેકાળજી રહી હોય અને અવાજ બગડી જાય તો પ્રેમથી સમજાવી, નીચેના બે દુહાણો શીખવતા... હીંગ મરચુંને આંબલી, સોપારી ને તેલ | સ્વર સારાનો ખપ હોય તો, પાંચે વાના મેલ || આ દુહા મોઢે કરી લેજે. અવાજ સારો કરવા માટે આ દુહો યાદ કરજે. દુધ સાકરને એલચી, વરિયારીને દ્રાખી સ્વર સારાનો ખપ હોય તો, પાંચે વાના રાખ ! અભ્યાસ માટે હંમેશા ટકોર કરીને નીચેનો દુહો શીખવતા, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ લખતાં લહિયો નીપજે, પઢતા પંડિત થાય । ચાર-ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય ॥ વિદ્યા અને વિદ્વાનોના ચાહક પૂજ્ય સાહેબ પૂજ્ય શ્રી ગુલાબ-વીર પરિવારમાં છેલ્લી એક સદીથી સંસ્કૃતના વિદ્વાનોને રોકીને શાસ્ત્રીય પધ્ધતિથી મુનિરાજોને ન્યાય, વ્યાકરણ અને વિવિધ વિષયોનુ જ્ઞાન આપવાનો રિવાજ ચાલ્યો આવે છે. વડીલોના આ સંસ્કાર પૂજ્ય સાહેબે આજીવન જાળવ્યા હતા. તેઓએ પોતે અને વિદ્વાનોની પાસે અભ્યાસ કર્યો હતો. તેથી વિદ્યાપ્રેમ ઘણો હતો. શ્રી રુપચન્દ્રજી સ્વામી છેલ્લા ચાતુર્માસમાં પણ પંડિતજી શ્રી રોશનલાલજીને બોલાવી કહેલું કે મારાના નાના સાધુને તમે ભણાવશો? પંડિતજીએ પૂજ્યશ્રીની વાત નિઃસ્વાર્થ ભાવે સ્વીકારી લીધી એ તેમની કૃપાદ્રષ્ટિ સામે જ ભણાવવાનું શરુ કર્યું. કોઈ દર્શનાર્થીઓ આવીને વાતચીત કરવાની કોશિષ કરે તો તેઓ ૯૫ વર્ષની ઉંમરે પણ ધીમેથી કહી દેતા, “ભાઈ ! અભ્યાસી સાધુનો ટાઈમ બગાડીએ નહિ.’’ આવો તેમનો વિદ્યાપ્રેમ હતો, જેથી રુપ-નવલ પરિવારના સાધુઓ સારા તૈયાર થઈ શકતા. દાદાના દરબારમાં તપનાં તેજ સંવત ૨૦૩૭માં પૂજ્ય આચાર્યદેવ શ્રી આદિ ઠાણા-૧૧નું ચાતુર્માસ સુરેન્દ્રનગર હતું. કચ્છી નવા વર્ષે અષાઢી બીજના પ્રવેશથી જ તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામીએ ઉગ્ર તપસ્યાની શરુઆત કરી. પૂજ્ય સાહેબના આશીર્વાદથી પાંચ-પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરતા. ૭૯ ઉપવાસ પૂજય સાહેબના દીક્ષાપર્યાયને અનુલક્ષીને કર્યા. તેમના પગલે પગલે સંઘમાં પણ તપસ્યાના પૂર આવ્યાં. ૭ માસખમણ, ૧૧ સોળભથ્થા, બાવીશ, અગિયાર નવાઈઓ ઘણી થઈ તથા અઢાઈ ૧૭૫ થઈ જે ઝાલાવાડ અને કચ્છની તવારીખમાં અભૂતપૂર્વ તપશ્ચર્યા હતી તે સર્વ પ્રભાવ પૂજ્ય આચાર્યશ્રીનો હતો. સુરેન્દ્રનગરના શ્રી સંઘ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર એ ત્રણે શહેરોની નવકારશી રાખેલી તેમાં ૩૫ થી ૪૦ હજાર જેટલા સાધર્મિકો બે કલાકમાં શાંતિથી જમી ગયા હતા. સંઘના આગેવાનો તથા આબાલવૃદ્ધ સૌ કહેતા, “બાપજી ભલે બોલતા નથી પરંતુ તેમનો પ્રભાવ અદ્ભુત છે, તેમના અપૂર્વ પ્રભાવ વિના ૪૦ હજાર માણસોનું સફળ ફંકશન પણ થઈ ન શકે.” Page #318 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા જન્મભૂમિમાં અંતિમ ચાતુર્માસ સં. ૨૦૩૭ના ચાતુર્માસમાં ભચાઉ સંઘ તથા લાકડિયા સંઘની ચાતુર્માસની વિનંતી આવી ત્યારે પૂજ્ય સાહેબે વિચાર્યું કે કચ્છમાં જઈ પહેલું ચોમાસું તો ભચાઉ જ કરવું છે કારણ કે ભચાઉ જન્મભૂમિ છે અને દીક્ષાભૂમિ પણ છે. તેઓશ્રીના અદ્ભૂત પુણ્યપ્રભાવે એ ચાતુર્માસ પણ અભૂતપૂર્વ હતું. તપ-જપ વગેરેની અપૂર્વ જમાવટ થઈ હતી. ૩૦૫ પૂજ્ય આચાર્ય ભગવંતની ૯૫ વર્ષની ઉંમર હતી. છતાં પાંચે ઈન્દ્રિયો સક્ષમ અને ક્રિયાશીલ છેલ્લે સુધી હતી. આટલી ઉંમરે પણ તેઓશ્રી ચશ્મા વિના વાંચી શકતા તથા ભીંતને ટેકો દીધા વિના એમ જ બેસતા. આવું દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આટલી મોટી ઉંમર સુધી ઓપરેશન આદિ કરવું પડ્યું ન હતું. પરંતુ સં. ૨૦૩૯ના શિયાળામાં ડાબી આંખે મોતિયો પાકી જતાં સફળ ઓપરેશન થયું હતું અને ત્યાર પછી ખૂબ સંતોષપ્રદ નજર આવી ગઈ હતી. વિહાર કરવાની વાત કરી, મહાવિહાર કર્યો !! જિનશાસનને પોતાના નિષ્કલંક ચારિત્રથી સમુજ્જવલ બનાવનાર એ વિરલ વિભૂતી આચાર્યદેવશ્રીનું ૮૧મું ચાતુર્માસ (૨૦૩૯) લાકડિયા મુકામે નક્કી થયું હતું. તે વખતે ઉનાળામાં એક બહેનનો દીક્ષા પ્રસંગ થઈ ગયા પછી ધાર્મિક સંસ્કાર શિક્ષણ શિબીર ચાલી રહી હતી. તેમાં ભાગ લેનાર બાળકોને કૃપાદ્રષ્ટિથી જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાંજે શિષ્યો સાથે આહાર-પાણી પણ બરાબર કર્યા. ચાર વાગ્યે નાના સંતોને કહ્યું, “આવતી કાલે વિહાર કરવો છે.” મુનિરાજોએ સાહેબના સમાધાન માટે કહ્યું, ભલે કાલે જોઈશું. દોઢ કલાક સુધી કૃપાકાંક્ષી સંતો સાથે ખૂબ જ સ્વસ્થતાથી વાતો કરી, હિત શિખામણો આપી. રાત્રે થોડો આરામ કરી ૧ વાગ્યે પાછા ઊઠીને પોતાની આરાધનામાં મગ્ન હતા ત્યારે આચાર્યશ્રી તરફ ભારે ભક્તિભાવ ધારણ કરનાર શ્રી ભાસ્કર મહારાજે કહ્યું, “સાહેબ આરામ કરો. ઘણો સમય થઈ ગયો, બેઠા-બેઠા થાકી જવાય. તેમની વિનંતી સ્વીકારી શાંતિથી નિદ્રાધીન થયા.’ સવારે રાઈય પ્રતિક્રમણ પણ કર્યું. ત્યાર પછી થોડીવાર આરામ કરવા માટે લંબાવ્યું. થોડી જ વારમાં કોઈ પણ જાતની વેદના વિના સમાધિભાવે લગભગ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી રુપચન્દ્રજી સ્વામી ૭-૦૦ વાગ્યે સંવત ૨૦૩૯ વૈશાખ વદ વા શુક્રવારે પંડિત મરણે તેઓશ્રી કાળધર્મ પામ્યા. ભચાઉમાં જ જન્મ, ત્યાં જ દીક્ષા અને ત્યાં જ નિર્વાણ. આ પણ કુદરતી સંકેત જ ગણાય ને ! - પૂજ્ય સાહેબની કાયમી યાદગીરી (૧) થાનગઢ (સોરાષ્ટ્ર)માં “પૂજય ગાદીપતિ શ્રી રામચન્દ્રજી સ્વામી પ્રાથમિક શાળા” ચાલે છે, જેમાં સેંકડો બાળકો અભ્યાસ કરે છે. (૨) ભચાઉમાં “આચાર્ય શ્રી રુપચન્દ્રજી સ્વામી જૈન પાઠશાળા ચાલે છે. (૩) લાકડિયા હાઉસ્કુલમાં “પૂ. આચાર્યશ્રી રુપચન્દ્રજી સ્વામી પુસ્તકાલય” ચાલે છે. (૪) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - વડોદરા (૫) શ્રી રુપ-નવલ પુસ્તકાલય – રતનપર (૬) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - નવાગામ (૭) શ્રી રુપ-નવલ જૈન પુસ્તકાલય - ભરુડિયા (૮) પૂજયશ્રી રુપ-નવલ પુસ્તકાલય – સરલા હાઉસ્કુલ (સૌરાષ્ટ્ર) (૯) પૂજ્ય શ્રી રુપ-નવલ પુસ્તકાલય - ઉમરગામ (નવલગુરુકુળ) અમર યાદ સદા રહેવાની (તર્જ : અય મેરે વતનકે લોગો) ઓ જૈન શાસનના નેતા, હતા સંઘ સકળ સુકાની, રુપચન્દ્રજી શ્રી આચાર્ય અમર યાદ સદા રહેવાની..... કોઈ ત્યાગીને કોઈ યોગી, ધ્યાની મહાજ્ઞાની કહેતું, ગુણરાગી હર દ્ભયમાં, સ્થાન તમારુ રહેતું (૨) જગ વ્યાપી કીર્તિ તમારી, ગુણ ગરિમા બધે ગવાણી.....પચન્દ્રજી...૧ સાગર તમે કરુણાના, હતા પ્રેમ પીયુષ પોધિ, બ્રહ્મતેજ ભર્યા નયનોમાં, છલકાતું અમી અમ્મોધી (૨) શુદ્ધ સ્ફટિક શા અંતરમાં, વહે સ્નેહતણી સરવાણી.... રુપચન્દ્રજી...૨ પામી તમારા દર્શન, પાવન થાએ અમ અંતર, તારાં ચરણોની રજથી, પાષાણ બને છે પારસ (૨) Page #320 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૦૭ સુણી પત્થર પીગળી જાતા, ચમત્કાર ભરી તુજ વાણી.....પચન્દ્રજી...૩ નહિ ભેદ જરા જીવનમાં, નાના કે મોટા જનના, સમદ્રષ્ટિ સૌની ઉપર, એવા એ મોટા મનના, (ર) ના રાગ-દ્વેષ મન ધરતાં, મૈત્રીભાવના ઉપર આણી.....પચન્દ્રજી..૪ સાધુ-સાધ્વી ગણના નેતા, ગચ્છાધિપતિ સહુ કહેતા, કોઈ આવી તમારા શરણે, જીવનને ધન્ય કરતા (૨) હતી અજબ કળા તુજ પાસે, સંયમ જીવન ઘડવાની.....પચન્દ્રજી...૫ રહેશે અવિરત મઘમઘતી, તુજ સદ્ગણની સુવાસ, જુગ-જુગ અજવાળાં કરશે, તારો દિવ્ય પ્રેમ પ્રકાશ (૨) જિનશાસન કોહીનૂર હીરા, ગંભીર-વીરને ધીરા.....પચન્દ્રજી...૬ સાધી'તી અંત સમયની, અભૂત અજબ સમાધિ, પારસને રટતાં રટતાં છોડી'તી સકલ ઉપાધી (૨) બન્યા મસ્ત આતમ ધ્યાને, નિજાનંદની મસ્તી માણી.....પચન્દ્રજી...૭ જૂન દશની વહેલી સવારે, ઝળહળતો દીપ બુઝાયો, ભક્તોના મન મંદિરમાં, ઘેરો શોક તિમિર છવાયો (૨) સૂણી વાતો દેહવિલયની, ભક્તોની આંખમાં પાણી.....પચન્દ્રજી...૮ લાખો રડતી'તી આંખો, આક્રંદ કરે હર અંતર, દુઃખદાયી ચિર વિરહની, વ્યથા સતાવે નિરંતર (૨) આનંદ નથી જીવનમાં, સુનકાર બની જિંદગાની.....પચન્દ્રજી...૯ ‘પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી જતિ સતી ને જૈન મુનિવર, રામદેવ અને રાવળ પીર . ધન ધન કચ્છ ધરા તુજ અંકે, પગ પગ પોઢ્યા પીર ફકીર | કચ્છની ધરતીના વખાણ કરતા કવિ દુલેરાય કારાણી કહે છે કે કચ્છની ધરાને ધન્યવાદ છે કે જેના કારણે કણે કણમાં યતિઓ, સતીઓ, જૈન મુનિઓ, અને અનેક પીર-ફકીરો પડ્યા છે. અર્થાત એ ધરતીમાંથી અનેક સંતો અને સતીઓ પાકે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી ડુંગરસિંહજી સ્વામી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ભરોરા ગામ, ફક્ત ૭૦૦ માણસોની જનસંખ્યા ધરાવતું આ ગામ બીજા ગામોથી કાંઈક અલગ તરી આવે છે. શાસનોદ્વારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની શ્રદ્ધાવાળા ત્યાં ૧૨૫ ઘર છે જેમાં હાલમાં ખુલ્લા ઘર ફક્ત ૧૫ છે. આટલા નાનકડા ગામમાંથી ભૂતકાળના અને અત્યારના મળીને ૧૦ સાધુઓ થયા છે. તે પણ બદા દેઢિયા ગોત્રના. ૧૩ મહાસતીજીઓ થયાં છે. તે બધા લીંબડી સંપ્રદાયમાં. પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામીનો જન્મ પણ ભોરારાની પાવન ભૂમિમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રાયશી દેવશી દેઢિયા અને માતુશ્રીનું નામ દેવઈબાઈ હતું. તેમના મોટા ભાઈનું નામ વીરજીભાઈ અને બહેનનું નામ નાનબાઈ હતું. બહેન નાનબાઈના ભોરારાની બાજુમાં સાડાઉ ગામે મણશી હરધોરને ત્યાં લગ્ન થયાં હતાં. તપસ્વીશ્રી ડુંગરસિંહજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૬ ના ભાદરવા સુદિ બીજના પવિત્ર દિવસે થયો હતો. માતા-પિતાએ તેમને ખૂબ જ લાડકોડથી ઉછેર્યા. પિતાજી શ્રી રાયશીભાઈનું નાની ઉમરમાં અવસાન થતાં ઘરની જવાબદારી બન્ને ભાઈઓના શિરે આવી પડી. દેશમાં રહી ડુંગરશીભાઈએ ચાર ધોરણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ જવાનું થયું. ત્યાં ભાયખલાં આમટી પાડામાં રહેતા મામા મુલજી પદમશીની પાસે રહેવાનું થયું. થોડા સમય બાદ મોટાભાઈ વીરજી સાથે દુકાન કરેલ પરંતુ મોટાભાઈ વીસ વર્ષની ઉંમરે અચાનક અવસાન પામ્યા જેથી ડુંગરશીભાઈ દિમૂઢ બની ગયા. પહેલા પિતાજીનું અવસાન અને પછી ભાઈનું અવસાન આ બે નિમિત્તોના કારણે તેમનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. તેમને લાગ્યું કે એક દિવસ બધાને આમ જ ચાલ્યા જવાનું છે. જતી વખતે પસ્તાવો ન થાય તેથી મારે આત્માનું કામ કરી લેવું છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનમાં સાચું કહ્યું છે કે – दुमपत्तए पंडुयए जहा, निवडुं राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥ कुसग्गे यह ओसबिंदुए, थोवं चिठुई लंबमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥ ભાવાર્થ - વૃક્ષ ઉપર પીળું થયેલું પાંદડું સમય જતાં જેમ નીચે પડી જાય તેમ માણસનું આયુષ્ય પૂરું થઈ જાય છે માટે હૈ ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.. Page #322 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૦૯ કુશના અગ્રભાગ ઉપર રહેલું પાણીનું બિંદુ જેમ થોડો જ સમય રહે છે. પવનનો ઝપાટો લાગતાં કે સૂર્યના કિરણો નીકળતા જેમ ખરી પડે છે તેવું જ મનુષ્યોનું જીવન છે માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. પૂર્વભવના શુભ સંસ્કારોથી નિમિત્ત પ્રાપ્ત થતાં દીક્ષા લેવાની ભાવના જાગી જેથી માતુશ્રી સંવત ૧૯૮૩માં દેશમાં લઈ આવ્યા. ફરીને મુંબઈ જવાનું થયું અને દીક્ષા લેવાની ભાવના દઢતર બની. તેમના કાકાઈ મોટાભાઈ વિજપર ભારૂભાઈ તેમને દેશમાં લઈ આવ્યા. આગમવિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય. મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ સમાઘોઘા બિરાજતા હતા. ત્યાં વિજપર ભાઈ ડુંગરશીભાઈને લઈ ગયા અને ગુરુદેવનો સમાગમ કરાવ્યો. સંવત ૧૯૮૫ના કારતક વદમાં પૂજ્યશ્રીના સાનિધ્યમાં રહી શતાવધાની મહારાજ પાસે અભ્યાસની શરુઆત કરી. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા રત્ન સમાન ગુરુદેવને પ્રાપ્ત કરી ડુંગરશીભાઈ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ખરેખર પૂર્વના મહાન પુણ્યનો ઉદય હોય તો આવા સદ્ગુરુ મળે અને આવાં ઊંચા ભાવ જાગે. તેથી જ કવિએ કહ્યું છે કે – સદ્ગુરુ ઐસા કિજીએ, જૈસા પૂનમકા ચાંદ | તેજ કરે પણ તપે નહિ, વર્તાવે આનંદ છે. સદ્ગુરુની કૃપાથી અને પોતાના પુરુષાર્થથી પ્રારંભથી જ અભ્યાસની સારી પ્રગતિ થવા લાગી. દીક્ષાર્થી અવસ્થાના છ મહિનામાં છકાયના બોલ, નવ તત્ત્વ, છ આરા, લઘુ દંડક, ગતાગત, ગુણ સ્થાનક, કર્મ પ્રકૃતિ વગેરે મુખ્ય મુખ્ય ૧૯ થોકડાં તથા શૈશવૈકાલિકસૂત્રનાં પાંચ અધ્યયન મોઢે કરી લીધા. તદુપરાંત સામાયિક-પ્રતિક્રમણ, સાધુ વંદના, ભક્તામર વગેરે ઘણો અભ્યાસ કરી લીધો. સદ્ગુરુના વચનને શિરોમાન્ય કરી સાધક પુરુષાર્થ કરવા લાગે તો સફળતાના શિખર સર કર્યા વિના રહે જ નહિ. ખરેખર ગુરુકૃપાની તોલે દુનિયાની કોઈ સિદ્ધિનું મૂલ્ય નથી. સંવત ૧૯૮૫ના વૈશાખ મહિનામાં લીંબડી સંપ્રદાયના નિયમ મુજબ દીક્ષાની લેખિત આજ્ઞાપત્રિકા કરવામાં આવી અને ઉત્સાહભેર દીક્ષાની તૈયારીઓ થવા લાગી. તે જ વર્ષે જેઠ સુદ-૮ને શુક્રવારે દીક્ષા નક્કી થઈ. આગમ વિશારદ પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, મ. શ્રી કરશનજી સ્વામી, તપસ્વી શ્રી શિવજી સ્વામી, ભારત રત્ન Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ડુંગરસિંહજી સ્વામી શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઘણા સાધુજી તથા સાધ્વીજીની હાજરીમાં સંવત ૧૯૮પના જેઠ સુદ-૮ શુક્રવારે પૂજય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપી. અને પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નામ ડુંગરસિંહજી સ્વામી રાખવામાં આવ્યું. કુદરતી શુભ સંકેત કેવો કે પૂજય ગુલાબચન્દ્રજી સ્વામી ભોરારાના, તેમના શિષ્ય પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી ય ભોરારાના અને તેમના શિષ્ય ડુંગરસિંહજી સ્વામી પણ ભોરારાના. વળી બધાના ગોત્ર પણ એક જ દઢિયા. ગુરુ બિનુ જ્ઞાન ન ઊપજે, ગુરુ બિનું મિલે ન ભેદા ગુરુ બિનું સંશય ના મીટે , જય જય જય ગુરુદેવ // ગુરુદેવની કૃપાથી અભ્યાસમાં સારી પ્રગતિ થવા લાગી. ગુરુદેવ પાસે તેમ જ પંડિતો પાસે અભ્યાસમાં લઘુ સિદ્ધાન્ત કૌમુદી, સિદ્ધાન્ત કૌમુદી પૂર્વાર્ધ, હિતોપદેશ, પંચતંત્ર, હનુમાન નાટક, દશકુમારચરિત્ર, રઘુવંશ, કુમારસંભવ, નૈષધ, ભટ્ટીકાવ્ય, મેઘદૂત, સાહીત્ય દર્પણ, કાવ્યપ્રકાશ, કુવલયાનંદ કારિકા, ચંદ્રલોક દર્શન સમુચ્ચય, શ્રુતબોધ તથા ન્યાયમાં તર્કસંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણનય તત્ત્વાલક, સ્યાદ્વાદ મંજરી વગેરે ગ્રન્થોનો સારો અભ્યાસ કર્યો. તે ઉપરાંત સૂત્રોનું વાંચન પણ સારું કર્યું. ज्ञानक्रियाभ्यां मोक्षः।। જ્ઞાનોપાર્જનની સાથે તપસ્યા પણ તેઓશ્રી ખૂબ જ કરતા. સંવત ૧૯૮૫ના પ્રથમ ચાતુર્માસ અંજારમાં ૬ ઉપવાસનો થોક કર્યો, બીજા ચાતુર્માસ વાંકાનેરમાં અઠ્ઠાઈ કરી. ત્રીજા ચાતુર્માસ મોરબીમાં છઠ્ઠના પારણે છ8ની તપસ્યા તથા ૧૫ ઉપવાસનો થોક કર્યો, પારણે કસાઈખાના બંધ રાખવામાં આવેલ. સારી રકમનો ફાળો થયેલ અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી પુસ્તકભંડારની સ્થાપના કરવામાં આવેલ. સંવત ૧૯૮૮ વાંકાનેર ચાતુર્માસમાં ૧૯ ઉપવાસનો થોક કર્યો હતો, એક દિવસ કસાઈખાના બંધ રાખવામાં આવેલ. સં. ૧૯૮૯ જેતપુરના ચાતુર્માસમાં છકાઈ વગેરે છૂટક તપશ્ચર્યા કરેલ. ૧૯૯૧ના અમૃતસરના ચાતુર્માસમાં મા ખમણની તપશ્ચર્યા કરેલ. તે ચાતુર્માસમાં સોહનલાલ જૈન સમિતિની સ્થાપના અને ૪૨ હજારનું ફંડ કરવામાં આવેલ. ગામના ગરીબોને આઠ દિવસ જમાડવામાં આવેલ. સં. ૧૯૯૩ દિલ્હીના ચાતુર્માસમાં અઠ્ઠાઈ કરી હતી. ૧૯૯૪ આગ્રાના ચાતુર્માસમાં ૨૧ ઉપવાસનો થોક કરેલ. ત્યાં આગમ પ્રચારક સમિતિની સ્થાપના કરવામાં આવેલ. Page #324 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૧૧ સંવત ૨૦૦૧ અમદાવાદ ચાતુર્માસમાં ૩૪ ઉપવાસનો થોક કર્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં છઠ્ઠ, અઠ્ઠમ, ચોલા, અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યાઓ કોઈ કોઈ ચાતુર્માસમાં કરી હતી. આમ સંયમજીવન દરમ્યાન તેમણે વિવિધ તપશ્ચર્યા કરીને શાસનની શોભા વધારી હતી. સાધુ તો ફિરતા ભલા... આ લોકોક્તિ પ્રમાણે ચરિત્રનાયકશ્રીએ ગુરુદેવ શ્રી રત્નચન્દ્રજી સ્વામી સાથે અલ્વર વગેરે ઘણાં ક્ષેત્રોમાં તેમણે ચાતુર્માસ કર્યા હતાં. સંવત ૧૯૮૯ના ઐતિહાસિક અજમેર સંમેલનમાં ગુરુદેવની સાથે પધાર્યા હતા. ગુરુદેવના સ્વર્ગવાસ પછી સ્વતંત્રપણે કોલ્હાપુર, થાણા તથા મુંબઈ ક્ષેત્રોમાં ઘણાં ચાતુર્માસ કર્યા હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો લાભ આપ્યો હતો. પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી નિર્ભય પણ ખૂબ જ હતા. વિહાર દરમ્યાન તેમને ઘણા અનુભવો થતાં. એક વખત કોલ્હાપુર તરફ જતાં એક ઠેકાણે ઠંડીલે ગયા હતા. સાથે તેમના વિનીત શિષ્ય નરસિંહજી સ્વામી પણ હતા. રસ્તામાં એક ખાડામાં વાઘ બેઠો હતો, તેમણે નરસિંહ મહારાજને વાઘ બતાવ્યો અને કહ્યું કે મારી પાછળ ચાલ્યો આવ. વાઘ શાંતપણે બેસી રહ્યો અને તેઓશ્રી ત્યાંથી નિર્ભયતાપૂર્વક પસાર થઈ ગયા. એક વખત એક ચિત્તો તેમની સામે ધસી આવ્યો હતો પરંતુ તેમણે રજોહરણ આગળ ધરી દીધો જેથી તે ચિત્તો તરત જ ચાલ્યો ગયો. આવી રીતે તેમને ઘણા અનુભવો થયા. ' સરલતાના સાક્ષાત્ અવતાર) ચરિત્રનાયકશ્રીની સરલતા તો ભારે પ્રશંસનીય, નાના-મોટા સહુની સાથે એક જ સરખો વ્યવહાર. તેઓશ્રી મિતભાષી પણ ખૂબ જ હતા. જરૂરિયાત સિવાય વધારે કાંઈ પણ બોલતા જ નહિ. અન્ય સંપ્રદાયના સંતો પણ કહેતા કે સરલતા તો ડુંગરસિંહજી મહારાજની ! તેમનું બાહ્ય વ્યક્તિત્વ ખૂબ જ આંકર્ષક હતું, બેઠા હોય તોય પ્રભાવ પડે. ગૌરવર્ણ, સુડોળ શરીર તથા પ્રમાણોપેત ઊંચાઈ વગેરેના કારણે પ્રથમ વારના દર્શનથી જ આગંતુક પ્રભાવિત થયા વિના રહે નહિ. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી નવલચન્દ્રજી સ્વામી તેઓશ્રીનું ચારિત્ર નિર્મળ સ્ફટિક જેવું શુદ્ધ હતું. દર્શનાર્થી ગમે તે બહેન હોય પરંતુ તેઓ ઊંચું સરખુંય જોતા નહિ. દ્રષ્ટિમાં પવિત્રતા, વાણીમાં મધુરતા તથા વર્તનમાં સદાચારને કારણે તેમનો પ્રભાવ સર્વત્ર પડતો હતો. પંડિતાઈની સાથે સદાચારનો સુમેળ થાય તો જ સાધુ જીવનની કિંમત છે તેથી તો એક વિદ્વાને કહ્યું છે કે – “Not education but character is man's greatest need and man's greatest safeguard. શિક્ષણ નહિ પરંતુ ચારિત્ર જ માણસની મોટામાં મોટી જરૂરિયાત અને મોટામાં મોટો રક્ષણકર્તા છે. તેઓશ્રીના શ્રીમુખેથી ઘણા ભાગ્યશાળીઓએ દીક્ષા ધારણ કરી હતી. મધુરકંઠી મ. શ્રી નરસિંહજી સ્વામી, તપસ્વી મ. શ્રી લલિતચન્દ્રજી સ્વામી તથા ગોંડલ સંઘાણી સંઘના નરેન્દ્ર મુનિ તેમ જ વિદુષી મહા. દમયંતીબાઈ આર્યાજી તથા કલાવતીબાઈ આર્યાજી તથા પ્રખર પ્રજ્ઞાશીલ બા.બ્ર. વિનોદિનીબાઈ આજી, મુંબઈના મહાસતીજી નિર્મળાબાઈ આર્યાજી, સુલોચનાબાઈ આર્યાજી, સુનંદાબાઈ આર્યાજી તથા ગીતાબાઈ, વંદનાબાઈ, પ્રાર્થનાબાઈ, ભદ્રાબાઈ, જિજ્ઞાસાબાઈ, વૈશાલીબાઈ, સ્મિતાબાઈ, દિનમણિબાઈ, પારસમણિબાઈ, મૃગાવતીબાઈ વગેરે અનેક મહાસતીજીઓની તેમના હાથે દીક્ષા થઈ હતી. મધુરકંઠી મ. શ્રી નરસિંહજી સ્વામીએ તેમની ખૂબ જ સેવા કરી હતી. તેઓ સંવત ૨૦૩પના માગસર સુદ-૯ના રાત્રે ૧૦ વાગ્યે લીંબડીમાં જ સમાધિભાવે કાળધર્મ પામ્યા. પૂ. શ્રી નરસિંહજી સ્વામી સંવત ૨૦૪૫ની સાલથી અજરામર સંપ્રદાયના પૂજયસાહેબનું પદ શોભાવી રહ્યા છે. પરમકૃપાળુ ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી नवसंस्कारदाताएं, नवशक्तिप्रदायकम् । નવના તિવાર, ગુજં નમાષ્ફયમ્ - લેખક ભાવાર્થ: (ધર્મના) નવીન સંસ્કાર, આપનાર, નવ શક્તિ દેનાર તથા નૂતન જાગૃતિ પેદા કરનાર ગુરુદેવને નમન કરું છું. “Mother, father and Guru are the living Gods on this Page #326 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૧૩ earth.” માતા-પિતા અને ગુરુ આ પૃથ્વી ઉપર જીવતા દેવ સમાન છે. એક અપેક્ષાએ ગુરુદેવનો ઉપકાર માતા-પિતા કરતાં પણ વિશેષ છે કારણ કે માતાપિતા જન્મ આપી લાલન-પાલન કરે છે, જયારે ગુરુદેવ અજ્ઞાન અંધકાર દૂર કરી, સારા સંસ્કારો આપી સંયમરૂપી જીવન આપે છે. પરમોપકારી પરમવાત્સલ્યદાતા સદ્ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીનું જીવન ચરિત્ર મારી અલ્પમતિ પ્રમાણે રજૂ કરું છું. કચ્છની કામણગારી ધરા સંતો અને સતીઓથી સુવિખ્યાત છે. એક કવિએ કચ્છી ભાષામાં ધીંગી ધરતીના યથાર્થ ગુણ ગાયા છે. ધીંગી ધરતી કચ્છજી, ધીંગા વન વિસ્તાર . . ધીંગા મુનિવર મહાત્મા, ધીંગા કોટ કરાર / સતીયું ને શૂરા બેઆ, સાધુ-સંત-મહંતો તપીઆ તપ તપે વેઆ, એડા હતે અનંત એવી પવિત્ર ભૂમિ કચ્છનો એક વિભાગ તે વાગડ. આ વાગડના નાક સમાન યાને પ્રવેશદ્વાર સમાન ભચાઉ શહેર ખૂબ જ રમ્ય છે, ઉત્તરોત્તર તેમાં દરેક રીતે પ્રગતિ થઈ રહી છે, એવા એ શહેરમાં ભદ્ર પરિણામી નાથાભાઈ નામના સુશ્રાવક રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ મીણાબાઈ હતું. (તેઓ કકરવાના દેઢિયા સામતભાઈના સુપુત્રી હતા.) શ્રી નાથાભાઈ નિરક્ષર હોવા છતાં ધર્મપ્રત્યે ખૂબ જ શ્રદ્ધાવાળા હતા. તેઓ નવકાર મહામંત્રનું સ્મરણ ખૂબ જ કરતા, તેનું કારણ એ મહામંત્ર ઉપર એમને અથાગ શ્રદ્ધા હતી. નાથાભાઈને બીજા ચાર ભાઈઓ હતા - વેરશીભાઈ, નારણભાઈ, ભારમલભાઈ ને જીવણભાઈ. તેમના પિતાશ્રીનું નામ તેજાભાઈ ખેરાજ અને માતુશ્રીનું નામ રાણીબાઈ હતું. તેમનું ગોત્ર શત્રા હતું. સુશ્રાવક શ્રી નાથાભાઈ તથા સુશ્રાવિકા શ્રી મીણાબાઈ શાંતિપૂર્વક પ્રેમથી રહેતાં હતાં. તેમનો વ્યવસાય ખેતીવાડીનો હોવાથી તેમને ખેતરો તથા વાડીઓમાં વધારે રહેવાનું થતું. તેમની નવકાર મહામંત્ર ઉપરની અતૂટ શ્રદ્ધાના ત્રણ પ્રસંગો જાણવા જેવા છે. “જપી લે જપી લે નવકાર વિશ્વાસ કરી (૨)” તે વખતે રાજાશાહીના સમયમાં અમલદાર વર્ગ ઘણા માણસોને વેઠિયા તરીકે કામ કરવા બોલાવતા અને પોતાની પાસે બેસાડી રાખતા. એક દિવસ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી નવલચન્દ્રજી સ્વામી નાથાભાઈને પણ વેઠિયા તરીકે અમલદારોએ બોલાવેલા અને એક જગ્યાએ બેસાડી રાખેલ. તે વખતે નાથાભાઈએ નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ કર્યું. તેઓ કાયમ પોતાની સાથે ખિસ્સામાં માલા રાખતા હતા. તરત જ ખિસ્સામાંથી માળા કાઢી ફેરવવા લાગ્યા. માળા પૂરી થતાં પહેલાં જ પાણીથી ભરેલ માટીની હેલમાં એકદમ તિરાડ પડી અને હેલના બે વિભાગ થયા. પાણી બધું ઢોળાઈ ગયું. તે દ્રશ્ય અમલદારોએ જોયું અને તેઓને મનમાં ભય લાગ્યો કે આ તો કાંઈક કીમિયો ભણે છે તેને છોડી દો. નહિતર આપણને હેરાન કરશે. તેથી એમને તરત જ રજા આપી દીધી. એક વખત અંજારથી ભચાઉ ગાડામાં આવતા વર્ષાઋતુ હોવાથી ચીરઈ ગામની નદીમાં પાણી આવ્યું. નદી ઊતરતાં બે કાંઠે પાણી આવેલ જેથી તણાઈ જવાય તેવી વિકટ સ્થિતિમાં પણ નવકાર મહામંત્રનું સ્મરણ કરવાથી શાંતિથી કિનારે પહોંચી આવ્યા. તેઓશ્રી હિંમતવાન અને દયાળુ સ્વભાવના પણ હતા. એક દિવસ વાડીએ હતા ત્યારે કોસ તૂટી કૂવામાં પડ્યો. તેને કાઢવા માટે કૂવામાં ઉતરવું પડ્યું. ત્યાં તો કૂવામાં સાત સર્પોને જોયા. તે વખતે પણ હિંમત રાખી નવકારમંત્રનું સ્મરણ કરી એક પછી એક એમ સાતેય સર્પને કૂવામાંથી કાઢ્યા અને બચાવ્યા. ધન્ય છે તેમની નવકારમંત્ર ઉપરની શ્રદ્ધાને !!! આમ જીવનમાં જ્યારે જ્યારે તેઓ આપત્તિમાં આવતા ત્યારે ત્યારે મન વચન કાયાની એકાગ્રતાથી નવકારનું સ્મરણ કરતા જેથી આવેલી મુશ્કેલીઓમાંથી પાર ઊતરતા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ખરું જ કહ્યું છે કે - - ભાવાર્થ : શ્રદ્ધાવાન આત્મા જ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી ઈન્દ્રિયોને સંયમમાં રાખે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ચિર શાંતિને અર્થાત્ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. શ્રી નાથાભાઈ નિરક્ષર હોવા છતાં કેટલું જ્ઞાન મેળવ્યું તે આગળ વાંચવાથી ખ્યાલ આવશે. “પુણ્યશાળી આત્માનું પારણું બંધાયું” વિ.સં. ૧૯૭૩માં અષાઢ સુદિ-૧૩ના પવિત્ર દિવસે નાથાભાઈના ધર્મપત્ની મીણાબાઈએ એક પુણ્યશાળી પુત્રને જન્મ આપ્યો. “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં' આ સુવિખ્યાત કહેવત પ્રમાણે પુત્રના જન્મથી જ સુલક્ષણો દેખાતાં હતાં. તેનું તેજસ્વી મૂખડું જ ગુણોની ચાડી ખાતું હતું. નાથાભાઈને સંતતિમાં આ એક જ પુત્ર હોવા છતાં ‘એકે હજારા’ જેવું હતું. લાડકોડથી માતા મીણાબાઈ પુત્રનું પાલન કરી રહ્યા હતા. “દિન દોગુના, રાત Page #328 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૧૫ ચોગુના’”ની જેમ તે બાળક વૃદ્ધિ પામી રહ્યું હતું. આનંદ અને શાંતિપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. “નાનું કુટુંબ સુખી કુટુંબ’' જેવું હતું પરંતુ કાયમ સુખ, શાંતિ અને આનંદ રહે તો સંસાર કોને કહેવાય ? “વાત્સલ્યમયી માતાની વસમી વિદાય' કુદરતને આ કુટુંબનું સુખ મંજુર નહિ હોય તેમ પુત્ર નરપાલકુમા૨ બે વર્ષના થયા ત્યારે અચાનક જીવલેણ બીમારીના કારણે માતા મીણાબાઈ અવસાન પામ્યા. પિતા અને પુત્ર ઉપર જાણે અણધારી આફત આવી પડી ! નાથાભાઈને ધર્મપત્નીના મૃત્યુથી વજ્રઘાત જેવો આધાત લાગ્યો. પુત્રની દશા પણ જલ વિનાની માછલી જેવી થઈ. પરંતુ અનુભવીઓની ગણતરી પ્રમાણે દરેક મહાપુરુષોની નાની ઉંમરમાં આવી જ કાંઈક ઘટનાઓ બનેલી હોય છે અને એમાંથી જ તેઓ ઘડતર પામી આગળ વધે છે. એક હિન્દી કવિએ સાચું જ કહ્યું છે કે - નાથાભાઈના જીવનમાં ધર્મના સંસ્કાર હોવાથી આર્તધ્યાનને દૂર કર્યું. સંસારની અસારતા સમજાઈ. સંયોગ ત્યાં વિયોગ એ સનાતન સત્યનો ખ્યાલ આવ્યો. પુત્રને ક્યાંય ઓછું ન આવે તેવી રીતે રહેવા લાગ્યા. અનુભવીઓના વચનાનુસાર આ પ્રસંગ બન્યો એમાં પણ ‘કાંઈ શુભ સંકેત હતો જ. કુટુંબીજનોએ નાથાભાઈને ફરીથી લગ્ન કરવાની વાત કરી પણ તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.’ દાદીમા રાણીબાઈ પૌત્ર નરપાલનું લાલન પાલન કરવા લાગ્યાં. નરપાલકુમાર સાત વર્ષની ઉંમરના થયા ત્યારે ગામઠી શાળામાં એમને ભણવા માટે બેસાડ્યા. ખંતપૂર્વક અભ્યાસ કરતા નરપાલકુમારે બે ગુજરાતી પાસ કરી પછી ભણવાનું છોડી દીધું. દશ વર્ષ પૂર્ણ થઈ ગયા. અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે. સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી । જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહિ II આ કાળમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલા । મુજ પુણ્યરાશિ ફળ્યો અહો સદ્ગુરુ સમ નાવિક મળ્યા II વિ.સં. ૧૯૮૪ના પોષ મહિનામાં પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિશ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ગ્રામાનુગ્રામ વિચરતા ભચાઉની ભૂમિને પાવન કરી. ભચાઉના ભાગ્યશાળી ભાવિકો તેમનાં વ્યાખ્યાન-વાણી, સત્સંગ વગેરેનો સારી રીતે લાભ લેવા લાગ્યા. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી નવલચન્દ્રજી સ્વામી નાનકડો બાળ નરપાલ પણ ગુરુમહારાજના દર્શન કરવા ઉપાશ્રયમાં ગયો. ગુરુમહારાજ પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ તેને વાત્સલ્યભાવથી નામ-ઠામ વગેરે પૂછયું. પૂજ્યશ્રીએ પહેલી જ વાર જોઈ હીર પારખી લીધું કે આ બાળક ભવિષ્યમાં શાસનદીપક થશે. ભાવિમાં જે મહાપુરુષ થવાના છે તેમનાં લક્ષણ ક્યારેય ઢંકાયેલા રહેતાં નથી. બાળપણથી જ એ સંસ્કારો દેખાઈ આવે છે. પૂજ્યશ્રીએ નરપાલકુમારને સામાયિક વગેરે શીખવાની પ્રેરણા આપી. નરપાલકુમારે તેને ઝીલી લઈ ધાર્મિક અભ્યાસની શરૂઆત કરી. કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા ભારતભૂષણ શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ જ્યારે આ બાળકને જોયો ત્યારે તેમનું પણ દિલ ઠર્યું. નરપાલકુમાર પણ પૂર્વના કોઈ અપૂર્વ ઋણાનુબંધના કારણે આખો દિવસ ગુરુમહારાજના સાન્નિધ્યમાં રહેવા લાગ્યા. ગુરુદેવ પ્રેમથી વાચના આપે અને નરપાલ વિનયપૂર્વક અભ્યાસ કરે. પૂજયશ્રીની બોધમય અમીવાણીના કારણે નરપાલકુમાર વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમને સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો. પોતાની બે વર્ષની ઉંમર હતી. ત્યારે માતા મીણાબાઈ આ ફાની દુનિયા છોડી ગયેલા વગેરે દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા. ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત મળી ગયું. સદ્ગુરુવરની કૃપા પ્રાપ્ત થઈ. નરપાલકુમારે દઢ નિર્ણય કર્યો કે મારે તો પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના ચરણ-કમળમાં સમર્પિત થઈ જવું છે અર્થાત્ એમની પાસે સંયમ અંગીકાર કરવો છે. ગુલાબ ફૂલ જેવા કોમળ અને એવા જ સુવાસિત ગુરુદેવ પોતાને પ્રાપ્ત થયા છે એમ માની પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ઘરે આવીને પિતાજીને વાત કરી કે મારે કાયમ માટે ગુરુદેવના સાન્નિધ્યમાં રહેવું છે. એમની પાસે ધાર્મિક અભ્યાસ કરવો છે અને દીક્ષા લેવી છે. સરલર્દયી નાથાભાઈએ જ્યારે આ વાત સાંભળી ત્યારે પોતે ખૂબ જ ખુશ થઈ ગયા કે હું તો અસાર સંસારમાં ફસાઈ ગયો પરંતુ મારા ચિરંજીવીને ફક્ત દશ જ વર્ષની ઉંમરે આવા ભાવ થયા છે તે એના પરમ ભાગ્યની નિશાની છે. મારે પુત્રને સંયમ લેતા અટકાવવો નથી. છતાં પરીક્ષા કરવા માટે કહ્યું કે, “બેટા! તારી ભાવના બહુ ઊંચી છે પરંતુ દીક્ષા લેવી સહેલી છે; પાળવી કઠિન છે. સંયમી જીવનમાં કેટલાં કોનો સામનો કરવો પડે છે – કેશલુચન, પાદવિહાર, ગોચરી વગેરે કષ્ટદાયક હોય છે. વળી તારી ઉમર પણ નાની છે માટે હમણાં ઘરે રહીને અભ્યાસ કર પછી આપણે વિચાર કરીશું.” Page #330 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૧૭ આ શબ્દો માત્ર ચકાસણી કરવા જ તેમણે ઉચ્ચારેલા પરંતુ જેને સંસારના સુખની કાંઈ પડી નથી તેને સંયમનાં કષ્ટો ડગાવી ન શકે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૯મા મૃગાપુત્રે આ જ શબ્દો ઉચ્ચાર્યા છે. સો વેઃ કમપિયો, વચં નહાવું. ટ્ટ નો નિખ્રિવાસ, સ્થિ વિર વિ ટુવર ગાથા-૪૪ ભાવાર્થ સંયમના કષ્ટો સમજાવતા એવા માતાપિતાને મૃગાપુત્રે કહ્યું કે, તમે કહો છો તે વાત સાચી પરંતુ આ લોકના સુખોની જેને પિપાસા નથી તેના માટે કાંઈ જ દુષ્કર નથી. નરપાલકુમારે પણ આવા શબ્દો પોતાની ભાષામાં રજૂ કર્યા અને કહ્યું કે શૂરવીરના માટે કાંઈ દુષ્કર નથી. આવો વીરોચિત જવાબ સાંભળી નાથાભાઈને લાગ્યું કે પુત્રની ભાવના સાચી છે, વૈરાગ્યમાં દ્રઢ છે તેથી ગુરુમહારાજની પાસે ધાર્મિક અભ્યાસ કરવા તથા તેમની સાથે વિહારમાં જવાની અનુમતિ આપી. પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ભચાઉથી વિહાર કરી અનુક્રમે લાકડિયા પધાર્યા. નરપાલકુમારે નાની ઉંમરે વિહારનો અનુભવ કર્યો. ધાર્મિક અભ્યાસ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો હતો. લાકડિયા સંઘની હાર્દિક વિનંતિના કારણે પૂજ્યશ્રીએ શેષકાળમાં ત્યાં જ થોડા દિવસ રોકાવાનો નિર્ણય કર્યો હતો. સારા કામમાં વિન ઘણાં” એ ઉક્તિ અનુસાર આ બાજુ નાથાભાઈના નજીકના કુટુંબીજનોને જ્યારે ખબર પડી કે નાથાભાઈએ પોતાના એકના એક સુપુત્રને ગુરમહારાજનાં ચરણોમાં સોંપી દીધો છે અને દીક્ષાની અનુમતિ આપી છે ત્યારે મોહવશ થઈ તે કુટુંબીજનોએ નાથાભાઈની પાસે આવીને ઠપકો આપ્યો અને કહ્યું, “તું તો તદૃન ભોળો છે. એકના એક દીકરાને દીક્ષાની રજા આપી તે મોટી ભૂલ કરી છે, કારણ કે આ દીકરો જ તારો આધારભૂત છે. હજી કાંઈ બગડી નથી ગયું દીકરો નાની ઉંમરનો છે અને સંસારનો અનભવ શો? આ તો સાધુઓએ ભોળવી દીધો છે, પતંગિયો રંગ છે, દીક્ષા લીધા પછી પાળવી ખૂબ કઠિન છે. માટે હજી કાંઈ બગડી નથી ગયું. નરપાલ મહારાજ સાહેબ સાથે લાકડિયા છે, આપણે ત્યાં જઈએ, એને સમજાવીને પાછો લઈ આવીએ.” સરલદિલના નાથાભાઈ કુટુંબીજનો સાથે સહમત થઈ ગયા અને તેમની સાથે લાકડિયા આવ્યા. પૂજય સાહેબને વંદના કરી બધા સાથે પૂજ્યશ્રીની પાસે બેઠા. નાથાભાઈએ વાત કરી કે મેં ઉતાવળમાં નરપાલને રજા આપી દીધી પરંતુ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી નવલચન્દ્રજી સ્વામી હજી એની ઉંમર નાની છે, પછી મોટો થાય ત્યારે ભલે ભણેગણે પણ હાલમાં અમે એને તેડી જઈશું. કુટુંબીજનોએ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો. પૂજ્ય સાહેબ સમજી ગયા કે કાચા કાનના નાથાભાઈને જરૂર કુટુંબીઓએ ભરમાવ્યા છે પરંતુ નરપાળનો વૈરાગ્ય સાચો હશે તો ક્યાંય નથી જવાનો, રજા વગર તો રખાય નહિ. તેમણે નાથાભાઈને કહ્યું, “આવા કાર્યમાં તમારે, અંતરાય પાડવી જોઈએ નહિ છતાં તમારું મન ન માનતું હોય તો ન૨પાલને પૂછો, એની શી ઈચ્છા છે ?'’ “હું તો ભચાઉમાં નહિ આવું મારા તાત મારું મન લાગ્યું છે સંયમમાં.’’ નાથાભાઈએ પુત્રને તેડવા આવ્યાની વાત કરી પરંતુ બાળકે તરત જ ભચાઉ આવવાનો ઈન્કાર કરી દીધો. ખૂબ સમજાવ્યો છતાં બાળક એકનો બે ન થયો, તેથી બળજબરીથી તેડી જવા માટે તૈયાર થયા. તે વખતે લાકડિયાનો ઉપાશ્રય એની ચાલીમાં ઉ૫૨ જવા માટે જે દાદરો હતો એની બાજુમાં નરપાલકુમાર બેઠેલા. જ્યારે નાથાભાઈ અને કુટુંબીજનોએ પરાણે લઈ જઈ ટીંગાટોળી કરશું એવી બીક બતાવી ત્યારે વીરકુમાર નરપાલે દાદરાને દૃઢપણે પકડી લીધો અને પોતાના દૃઢ વૈરાગ્યની પ્રતીતિ કરાવી. કુટુંબીજનો જ્યારે વગર સમજ્યે ખેંચાખેંચ કરવા લાગ્યા ત્યારે પૂજ્ય સાહેબે તેમને સમજાવ્યા કે બાળકની તમારી સાથે ચાલવાની ઈચ્છા નથી છતાં બળજબરીથી શા માટે લઈ જવાની કોશિશ કરો છો ? કંઈક તો સમજો, તમારો દીકરો ક્યાં ખરાબ માર્ગે જાય છે ? એ જે માર્ગ લેવાનો છે તે શ્રેષ્ઠ છે, માટે પ્રેમથી એને રહેવા દો અને તમે બધા ધર્મમાં ચિત્ત જોડો. પૂજયશ્રીની મધુર વાણીથી કુટુંબીજનો બોધ પામ્યા અને નરપાલને રાજીખુશીથી ભણવાની પરવાનગી આપી. મહાપુરુષોની વાણીમાં કેવી તાકાત હોય છે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. નરપાલકુમારે એક વર્ષમાં સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. બરાબર એક વર્ષ પછી વિ.સં. ૧૯૮૫ના પોષ મહિનામાં પૂજ્યશ્રી આદિ ઠાણાઓ ભચાઉ પધાર્યા ત્યારે લીંબડી સંપ્રદાયના ધોરણ મુજબ ભચાઉના સ્થાનિક આગેવાનોની સમક્ષ નાથાભાઈએ નરપાલને દીક્ષાની મંજૂરી આપી. Page #332 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૧૯ દીક્ષાની મંજૂરી આપ્યા પછી ઘેર જઈને નાથાભાઈએ વિચાર કર્યો કે કુમળા છોડ જેવા મારા એકના એક પુત્રને દીક્ષા લેવાની રજા આપી તો હવે મારે આ સંસારમાં શા માટે રહેવું જોઈએ ? તેમના અંતરમાં આ વિચારો દૃઢ થવા લાગ્યા કે મારે આ સંસારમાં રહેવું જ નથી. હ્મયની સાચી ભાવના હંમેશા પૂર્ણ થાય જ છે, ખરું જ કહ્યું છે કે – "Hearts's earnest and pure desire is always fulfilled" દયની તીવ્રતમ અને પવિત્ર ઈચ્છા હંમેશા પૂર્ણ થાય છે. સંયમ લેવાની વિચારધારા ચાલી રહી હતી તે જ વખતે શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી વહોરવા માટે નાથાભાઈના ઘરે આવ્યા ત્યારે બોધ આપ્યો કે હવે એકલા સંસારમાં રહેવા કરતાં સાધુજીવનમાં આવો. બાપ - દીકરાની જોડી સંયમી જીવનમાં દીપી ઊઠશે. વળી તમારા આવવાથી આપણે ભચાઉના ચાર ઠાણા થશું. આ શબ્દો સાંભળતાં જ પોતે કરેલ વિચાર પૂ. મહારાજ સાહેબને જણાવ્યો અને ઉપાશ્રયમાં આવી પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીને પોતાના અંતરનો ભાવ દર્શાવ્યો. પૂજ્યશ્રીએ જ્યારે તેમની આ ભાવના જાણી ત્યારે ખૂબ જ ખુશ થયા અને સાથે રહીને અભ્યાસ કરવાની પ્રેરણા આપી. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે – पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई। जेसिं पिओ तवो संजमो, य खंती च बंभचेरं च ॥ ભાવાર્થ : જેમને તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય પ્રિય છે તેવા આત્માઓ કદાય પાછલી અવસ્થાએ મહાભિનિષ્ક્રમણના માર્ગે પ્રયાણ કરે તો તેઓ શીધ્ર મોક્ષને પામે, અથવા કર્મ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે. પૂજય સાહેબ શ્રી આદિ ઠાણાઓ ભચાઉથી વિહાર કરીને અનુક્રમે ચૈત્ર માસમાં અંજાર પધાર્યા ત્યારે ભચાઉથી શ્રી નાથાભાઈએ અંજાર આવી અભ્યાસ શરૂ કર્યો. ગૃહસ્થ જીવનમાં અક્ષર જ્ઞાન બિલકુલ ન હતું જેથી કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. દિવસે અક્ષરજ્ઞાન અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ મોઢે દઈ કવિવર્ય મ. શ્રી તેમને ભણાવવા લાગ્યા. છ મહિનામાં તો અક્ષરની વાંચણી અને સામાયિક-પ્રતિક્રમણ શીખી લીધાં. સદ્ગુરુની કૃપા અને પોતાનો પુરુષાર્થ આ બે વસ્તુ હોય તો કાંઈ અશક્ય નથી. તે વર્ષનું ચાતુર્માસ પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓનું બિદડા (કચ્છ)માં હતું. જ્યારે શતાવધાની મ. આદિ ઠાણા અંજાર ચાતુર્માસ હતા. ત્યાં કારતક વદમાં શતાવધાની મ. ના સાનિધ્યમાં ભચાઉથી આવેલ નાથાભાઈના Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી નવલચન્દ્રજી સ્વામી વડીલ ભાઈઓ વગેરેએ અંજાર સંઘની સમક્ષ નાથાભાઈને દીક્ષાની લેખિત સંમતિ આપી. આ તરફ પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વિરજી સ્વામી આદિ ઠાણા-૫ વિદડાનું ચાતુર્માસ પૂર્ણ કરી ગુંદાલા પધાર્યા તથા શતાવધાની મ. આદિ ઠાણાઓ અંજારનું ચાતુર્માસ પૂર્ણ કરી ગુંદાલા પધાર્યા. ત્યાં પિતા પુત્રને દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગુંદાલામાં બીજા બે બહેનોની દીક્ષા હોવાથી સંઘમાં ભારે ધાર્મિક ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. સં. ૧૯૮૬ના કારતક વદ-૯ના શાહ પતુભાઈ મોનાની સુપુત્રી શ્રી દયાકુંવરબાઈ (હેમકુંવરબાઈ)ની દીક્ષા થઈ. માગસર સુદ-૧ના શાહ માવજી આસુના બહેન શ્રી ક્ષેમકુંવરબાઈની દીક્ષા થઈ. ધન્ય ધરા એ ગુંદાલા ગામની, દીક્ષા થઈ ત્યાં કલિયુગ રામની (૨) સંઘ ચતુર્વિઘ શોભાવનારા, વિયોગ અમોને નથી ખમાતો.... નાથાભાઈ તથા નરપાલકુમારની દીક્ષાની તડામાર તૈયારીઓ થવા લાગી. અનેક ગામોના ભાવિકો પિતા-પુત્રની દીક્ષા નિહાળવા ઉપસ્થિત થયા હતા. તે સર્વેનું સુંદર આતિથ્ય શાહ પતુભાઈ મોનાભાઈએ તથા શ્રી સંઘે કરેલ. પૂજય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી, શતાવધાની પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૯ તથા મહાસતીજીના ઘણા ઠાણા ઉપસ્થિત થયા હતા. વિ.સં. ૧૯૮૬, માગાસર સુદ-૩ બુધવારની સવારે પિતા-પુત્રની મહાભિનિષ્ક્રમણ યાત્રા શાહ પતુભાઈ મોનાભાઈના ઘરેથી નીકળી ગામ બહાર જેસલ તોરલની જગ્યા પાસે વડ નીચે પહોંચી. હકડેઠઠ્ઠ મેદની હતી. વાતાવરણ ભારે ઉલ્લાસમય હતું, ત્યારે પૂજ્ય સાહેબની આજ્ઞાથી પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ ૧૧ વાગ્યે દીક્ષામંત્ર પ્રદાન કર્યું. શ્રી નાથાભાઈનું નામ નાગજી સ્વામી તથા નરપાલકુમારનું નામ નવલચન્દ્રજી સ્વામી રાખી, પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના શિષ્યો તરીકે જાહરે કર્યા. તેમની વડી દીક્ષા ભોરારામાં થયેલ. ગુલાબ-વીરના નંદન વનમાં, સદ્ગુણ સિંચ્યા મુનિ જીવનમાં (૨) સુમન બનીને સુરભિ દેનારા, વિયોગ અમોને નથી ખમાતો.... Page #334 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા “આદર્શ શિષ્ય’ જે શિસ્તમાં રહે તેનું નામ શિષ્ય, ગુરુની આજ્ઞાનું પાલન કરે તેનું નામ શિષ્ય, ગુરુની આંખના ઈશારે ચાલે તેનું નામ શિષ્ય. આવા ગુણોથી યુક્ત શિષ્ય અવશ્ય ગુરુની કૃપા પ્રાપ્ત કરી શકે. ૩૨૧ સંયમ અંગીકાર કર્યા પછી નવદીક્ષિત મુનિ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ પોતાનું સમસ્ત જીવન ગુરુદેવના શરણે સમર્પિત કરી દીધું. “આણાએ ધમ્મો’’ અને “આણાએ તવો” આ બે મહાવાક્યોને આત્મસાત્ કરી લીધાં. પૂ. ગુરુદેવ તથા વડીલ સંતોની સેવા વૈયાવચ્ચ સાથે અભ્યાસમાં આગળ વધવા લાગ્યા. દીક્ષિત થયા ત્યારે નાગજી સ્વામીની ઉંમર ૫૦ વર્ષની હતી પરંતુ નવલચન્દ્રજી સ્વામીની ઉંમર તો ફક્ત ૧૨ જ વર્ષની હતી. આ બાલમુનિને જોઈ લોકો ધન્યતા અનુભવતા. તેમના મુખમાંથી સહજ શબ્દો સરી પડતા, ધન્ય છે આ મુનિને ! શું એમનો ત્યાગ !! જેમ અનાથી મુનિને જોઈ શ્રેણિક મહારાજના મુખમાંથી શબ્દો સરી પડેલાભાવાર્થ : શું આ મુનિનું રૂપ છે ! શું આર્યની સૌમ્યતા છે !! શું આની ક્ષમા અને નિર્લોભતા છે !!! તથા ભોગો તરફ શું આમની અરુચિ છે !!! ધન્ય છે આવા મહાન ત્યાગી આત્માઓને ! કૂંચી રૂપે તત્ત્વ મને, કાનમાં કીધું રે (૨) પીયુષ ગણી તુરત તેને, પ્રેમથી પીધું રે... શાંતિ માટે સદ્ગુરુનું શરણું... પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી અપૂર્વ વાત્સલ્યભાવથી બાલમુનિને અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિશ્રી પણ ખંતથી વિનયપૂર્વક વિદ્યાગ્રહણ કરતા હતા. જ્યાં પાત્રતા હોય, નમ્રતા હોય ત્યાં જ્ઞાનદાતાને જ્ઞાન આપવામાં અપૂર્વ આનંદ આવે. અહીં તો આદર્શ ગુરુ અને આદર્શ શિષ્યની જોડી હતી પછી પૂછવાનું જ શું હોય ? એક વિદ્વાને બહુ સુંદર કહ્યું છે કે “Grace of the Guru and faith of the disciple leads to salvation” અર્થાત્ ગુરુની કૃપા અને શિષ્યની શ્રદ્ધા મોક્ષમાં લઈ જાય છે. થોડા સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો કંઠસ્થ કરી લીધાં. ગુરુદેવ પાસેથી શાસ્ત્રની ધારણાઓ, જૈન ઈતિહાસની તેમ જ પુરાણી પરંપરાનો બહોળો અનુભવ પ્રાપ્ત કરી લીધો. સંયમી જીવનનું સારું ઘડતર થવા લાગ્યું. અનુભવીઓએ ગુરુને કારીગરની ઉપમા આપી છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી નવલચન્દ્રજી સ્વામી ગુરુ કારીગર સારીખા, ટાંકે વચન પ્રહાર? પથ્થરની પ્રતિમા કરે, પૂજા લહે અપાર ! ગુરુ પ્રજાપતિ સારીખા, ઘટ ઘટ કાઢે ખોટા ભીતરથી રક્ષણ કરે, ઉપર લગાવે ચોટ | આવા દુહાઓ અને બોધદાયક પદોને ચરિત્ર નાયકે સ્ક્રયસ્થ કરેલા. પોતાના શિષ્યોને આવા દુહાઓ શીખવતા, જેની અસર શિષ્યો ઉપર સારી થતી. ધાર્મિક અભ્યાસ પૂરો કર્યા પછી સંસ્કૃત વ્યાકરણ, ન્યાય વગેરે શીખવાની શરૂઆત કરી. વ્યાકરણમાં ડૉ. આર. કે. ભાંડારકરની બે બૂક, સિદ્ધાન્ત ચન્દ્રિકા વગેરેનો અભ્યાસ કર્યો. ન્યાયમાં તર્ક સંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણનય, સ્યાદ્વાદ મંજરી વગેરેનો અભ્યાસ કર્યો, પંચકાવ્ય, છંદ, અલંકાર ભણ્યા તથા જયોતિષનો પણ સારો અનુભવ પ્રાપ્ત કર્યો. આકાશ મંડળનું જ્ઞાન પણ સારું પ્રાપ્ત કર્યું. ચાતુર્માસ દરમ્યાન સંસ્કૃતનો અભ્યાસ કરતા કારણ કે ચાર મહિના પૂરતા પંડિતો મળતા. શેષકાળના આઠ મહિનામાં વિહાર વગેરેના કારણે આગમોની વાંચણી કરતા. આગમ વિશારદ ગુરુદેવે આગમોની આમ્નાયો ધરાવી. લગભગ બધાં સૂત્રોની વાચના ગુરુગમથી લીધી. શાસ્ત્રોના નિચોડરૂપ અથવા માખણરૂપ જેને કહી શકાય એવા થોકડાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો જેથી “તત્ત્વજ્ઞ” એવું વિશેષણ પ્રાપ્ત કર્યું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે વ્યાખ્યાન આપવાનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે એમાં સારી નિપુણતા પ્રાપ્ત કરી લીધી. ગુરુદેવ ગુલાબચન્દ્રજી સ્વામીથી માંડીને બધા સંતોની તેમણે અપૂર્વ કૃપા પ્રાપ્ત કરી હતી, કારણ કે તેમના જીવનમાં વિનય, વૈયાવચ્ચ, નમ્રતા, સરલતા, નિર્લોભતા જેવા સદ્ગુણો સ્વભાવસિદ્ધ હતા. આવાં મહાન સદ્ગુણોના કારણે અન્ય સંપ્રદાયના સંતો તેમ જ શ્રાવકો તેમને ખૂબ જ ચાહતા અને બધાના મુખમાંથી એક સરખા શબ્દો સરી પડતા, “ખરેખર નવલચન્દ્રજી મહારાજ એટલે નવલચન્દ્રજી મ. ! શું એમની નમ્રતા ! શું એમની સરળતા ! શું એમની આત્મીયતા અને શું એમની વિશાળદ્રષ્ટિ અને ઉદારતા!!” જગતને બાંધનારાઓ, પ્રથમ બિસ્તર બની જાજો, તો તમારા એ જ બંધનમાં, જગત આવીને બંધાશે. અર્થાત જેણે જગતને પોતાના હૃદયમાં બાંધવું છે તેણે પહેલાં બિસ્તરની જેમ ખુલ્લા થઈ જવું પડે છે, પછી જગત એના જ બંધનમાં બંધાય છે. वसे गुस्कुले निच्चं । હંમેશા ગુરુકુલમાં રહેવું જોઈએ. આ મહાવાક્યાનુસાર દીક્ષિત થયા પછી Page #336 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૨૩ લગાતાર ૨૨ વર્ષ ગુરુદેવના સાન્નિધ્યમાં રહી બહોળો અનુભવ મેળવ્યો. ગુરુદેવની સેવાનો લાભ લઈ પોતે અપૂર્વ ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. જેને ગુરુકૃપા મળી તેને બધું જ મળી ગયું. જેને ગુરુકૃપા નથી મળી તેને કાંઈ નથી મળ્યું. ગુરુકૃપા વિના સાધક સાધના માર્ગે આગળ વધી શકતો નથી. ગુરુકૃપા વિના પ્રસિદ્ધિ મેળવી શકાય પણ સિદ્ધિ મળતી નથી. સદ્ગુરુની કૃપા પ્રાપ્ત કરનાર સાધક ધન્ય થઈ જાય, કૃતકૃત્ય થઈ જાય અંતે મોક્ષનાં શાશ્વત સુખો પણ પ્રાપ્ત કરે છે. પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી છેલ્લાં પાંચ વર્ષ લીંબડી સ્થિરવાસ હતા ત્યારે તેમની ખૂબ જ સેવા કરી હતી. નજરે જોનારા કહેતા હતા કે ખરેખર ધન્યવાદ છે નવલચન્દ્રજી સ્વામીને કે જેઓ પોતાના ગુરુદેવની સેવા જરા પણ દુગંછા રાખ્યા વગર કરતા. સદ્ગુરુની સેવાની તક મળવી તે અપૂર્વ ભાગ્યની નિશાની કહેવાય. પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી પાસે જે ગુપ્ત આમ્નાયો હતી તે પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીને ધરાવી એક સુપાત્રતમ શિષ્યને તે આપવા બદલ પરમ સંતોષ અનુભવ્યો. “આદર્શ ગુરુ” (વસંતતિલકા) गम्भीर धीर शुचि साक्षर नम्रमूर्तिः । श्री वीतरागसुगुरू हृदये दधानः । शान्तः क्षमी सहृदयी समताविभूतिः ॥ श्री सदगुरुर्नवलचन्द्र इति प्रसिद्धः ॥ लेखक ભાવાર્થ : ગંભીર, ધીર, પવિત્ર, વિદ્વાન, નમ્રમૂર્તિ, દેવ-ગુરુ-ધર્મને હૃદયમાં ધરનાર, શાન્ત, ક્ષમાવાન, સહૃદયથી, સમતા વિભૂતિ વગેરે સદ્ગુણોથી સદ્ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી પ્રસિધ્ધ હતા. - જે આદર્શ શિષ્ય હોય તે જ આદર્શ ગુરૂ બની શકે છે. ગુરૂ બનવું એ કાંઈ રમત વાત નથી. સંયમનિષ્ઠ આત્મા તથા ગુરૂભક્ત આત્મા જ આદર્શ ગુરૂ બની શકે છે. પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના અદૃશ્ય આશીર્વાદ તથા પરોક્ષ કૃપા વરસતી હોય પછી નવલગુરૂમાં કચાશ કયાંથી રહે. તેઓશ્રી આદર્શ ગુરૂના બધા ગુણોથી યુક્ત હતા. આજના કાળમાં આવા ગુરૂ મળવા મુશ્કેલ છે. તેથી જ તો કહ્યું છે કે “સદ્ગુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે.’’ શિષ્યોને સંયમમાં દૃઢ ક૨વાની અને દરેક બાબતમાં કુનેહથી કામ કરાવવાની તેમનામાં અપૂર્વ કળા હતી. ગુરૂ તરીકેની પોતાની જવાબદારી તેમણે છેલ્લે સુધી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી નવલચન્દ્રજી સ્વામી એક સરખી રીતે વહન કરી અને દરેક શિષ્યના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે ‘સમદર્શી’ વિશેષણને સાર્થક કર્યું હતું. આવા મહાન ગુરૂની કયા શબ્દોમાં સ્તુતિ કરવી તે જ સમજાતું નથી. તેમનામાં માતા જેવું વાત્સલ્ય અને મમતા હતાં, પિતા જેવો પ્રેમ હતો, ભાઈ જેવો સ્નેહ હતો. ટૂંકમાં ગુરૂ તરીકેના બધા સદ્ગુણો તેમના જીવનમાં જોવા મળતા. गुरुर्माता गुरुत्राता, गुरुर्भ्राता गुरुः पिता । गुरु शान्ति कृपादाता, तस्मै श्री गुरवे नमः ॥ - लेखक ભાવાર્થ : ગુરુ માતા છે, ત્રાતા છે, પિતા છે, શાન્તિદાતા છે, કૃપાદાતા છે, ટૂંકમાં ગુરૂદેવ જ સર્વસ્વ છે, તે સદ્ગુરૂને ભાવપૂર્વક નમસ્કાર. સૌને વહાલા સદ્ગુરૂદેવ પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જેમના પરિચયમાં આવતા તેમના પ્રિયપાત્ર બની જતા.દરેકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરતા. એક વખત શાન્ત મૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ બોટાદ તરફ પધારેલા. તે વખતે બોટાદ સંપ્રદાયના આચાર્ય હતા પૂણ્ય પ્રતાપી શ્રી માણેકચંદજી સ્વામી. તેઓ શિષ્ય પરિવાર સહિત બોટાદમાં બિરાજતા હતા. પૂજ્ય શ્રી આદિ ઠાણાઓની સરલતા તથા નમ્રતાથી પૂ. શ્રી માણેકચંદજી સ્વામી ખૂબ જ પ્રભાવિત થયા. ફક્ત બે જ દિવસ રહેવાના હતા તેના બદલે પૂજ્યશ્રીએ તેમને આગ્રહ કરી અઢાર દિવસ રોક્યા. એટલું જ નહિ પણ પૂજ્યશ્રીને ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીમાં ખૂબ જ પાત્રતા દેખાઈ તેથી પોતે ધારેલ અમુક આમ્નાયો તથા આકાશ મંડળ વગેરેનું જ્ઞાન પ્રેમથી કરાવ્યું અને શુભાશીર્વાદ આપ્યા. આજે પણ અન્ય સંપ્રદાયના સંતોનું મિલન થાય અને પૂ. ગુરૂદેવ વિશે વાતચીત નીકળે ત્યારે ઘણા સંતોના શ્રી મુખેથી એવા ઉદ્ગારો નીકળે કે, “તમારા ગુરૂદેવ નવલચન્દ્રજી સ્વામી ખૂબ જ વ્યવહારકુશળ હતા. તેમની ઉદારતા અને વિશાળતા પ્રશંસનીય હતી. તેઓ સ્થિતપ્રજ્ઞ હતા. એમની લાગણી અને પ્રેમભાવ અંતરના હતા. દેખાવ ન હતો. તેમનામાં જરાય કૃત્રિમતા ન હતી’ આવા શબ્દો સંતોના મોઢે સાંભળીએ ત્યારે ધન્યતાનો અનુભવ થાય કે ગુરૂ તો આવા જ હોજો . સાળું મો તહરૂ પસંસમાં । (દશ. ૭) સંતોના પ્રશંસાપાત્ર બને છે. કોઈ પણ સંપ્રદાયમાં કાંઈ ગૂંચવાડો ઊભો થાય, કોઈ જટિલ પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે તે તે સંપ્રદાયના જવાબદાર સંતો પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીનો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ આ છે અણગાર અમારા અભિપ્રાય પૂછાવે અને માન્ય પણ રાખે. દરેક સંત તથા શ્રાવકના મનમાં એવી છાપ કે તેઓ જે ન્યાય આપશે તે તટસ્થ બુદ્ધિથી આપશે, કયારેય એક પક્ષીય નિર્ણય નહિ લે. કોઈ સંઘોમાં વિભાજન થયું હોય, પક્ષ પડી ગયા હોય તો સંઘના આગેવાનો એમની સલાહ લે, તેઓ બે પક્ષને શાંતિ થાય તેવું સમાધાન કરી આપે. સમતામૂર્તિ સદગુરૂદેવ દુષમ એવા પંચમકાળમાં અમુક આત્માએ કષાયો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે એમ તો ન જ કહી શકાય પરંતુ ગૌરવની સાથે એટલું તો જરૂર કહેવું પડશે કે ગુરૂદેવે કષાયોને સારા પ્રમાણમાં પાતળા પાડયા હતા. ગમે તે વ્યક્તિ ક્રોધથી ધમધમતી આવે છતાં પોતે ક્યારેય ક્રોધના આવેશમાં ન આવે એટલું જ નહિ પણ પોતે હસતા હોય તેથી સામી વ્યક્તિ આપોઆપ શાંત થઈ જાય. તેમનો એ જ ઉપદેશ હતો કે - સામો થાય અગ્નિ તો આપણે થવું પાણી, આ એક જ છે પ્રભુ વીરની વાણી, આવા સમતાશીલ ગુરૂદેવ પાસે જે આવે તે શાંત થઈ જ જાય. પોતાના ક્રોધ બદલ ભારે પસ્તાવો કરે. તેથી તો કોઈ વિદ્વાને સંતની વ્યાખ્યા કરી છે કે, “જેની પાસે શાંતિ પ્રાપ્ત થાય તેનું નામ સંત.” અથવા “સંતને છોડે તે સંત.” આવા સંત થવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે. કષાયોને દૂર કરવા એ કાંઈ રમત વાત નથી. 'વિનય અને નમ્રતાની મૂર્તિસમા સદ્ગુરૂદેવ પૂજય ગુરૂદેવમાં નમ્રતા પણ ભારોભાર. પોતે સંઘાડાનું તથા સંપ્રદાયનું નેતૃત્વ કરતા હતા છતાં માન અને મોટાઈનું નામ નહિ. પાંચ વર્ષનો બાળક પણ એમની સાથે ખુલ્લા દિલથી વાત કરી શકે. વાને વાત્મા વિપિ વિદુષ: ગાયને નયનેશ: બાળકની સાથે બાળક જેવા, વિદ્વાનની સાથે વિદ્વાન જેવા, ગાયકની સાથે ગાયક જેવા, આમ દરેકની સાથે નમ્રતાથી વાત કરે તેથી બધા એમની પાસે આવી દિલને ખોલી શકતા. આજના યુગમાં થોડું જ્ઞાન આવે તો પણ અહંકાર આવી જાય એવાઓએ પૂ. ગુરૂદેવના જીવનમાંથી બોધ લેવો છે. 'સરલતાની સરવાણીસમા સદ્ગુરૂદેવ પૂ. ગુરૂદેવમાં સરલતા પણ ખૂબ જ. તે સરલતા કૃત્રિમ નહિ પરંતુ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી નવલચન્દ્રજી સ્વામી સ્વભાવસિદ્ધ. મહાપુરુષોની ઉંમર જેમ વધતી જાય તેમ તેમની સરલતા પણ વધે, જયારે અલ્પ આત્માઓ જેમ જેમ વયમાં વધતા જાય તેમ તેમ વક્રતા પણ વધે. કવિએ સરસ કહ્યું છે કે – मनस्य वचस्य , कर्मण्येक महात्मनाम् । मनस्यन्यद् वचस्यन्यद् कर्मण्यन्यद् दुरात्मनाम्॥ અર્થાત્ મહાપુરુષોના મનમાં જે હોય છે તે વચનમાં આવે છે અને તે પ્રમાણે એમની ક્રિયા હોય છે જ્યારે દુરાત્માઓના મનમાં એક હોય, વાણીમાં બીજું હોય અને આચરણમાં ત્રીજું હોય. જ્યાં સુધી મન-વચન-કાયામાં એકરૂપતા ન આવે ત્યાં સુધી સરલતા ન આવે અને સરલતા વિના સિદ્ધિ ન મળે. બાળક બધાને પ્રિય લાગે છે કારણ કે એનામાં સરલતા હોય. “Equality in mind, talk and heart makes the child lovable.” પૂ. ગુરૂદેવમાં આવી સરલતા હોવાથી બધાને પ્રિય લાગતા. જૈિન ઈતિહાસના પ્રખરજ્ઞાતા સરૂદેવ જેને ઈતિહાસના પંડિત પૂરા, સંયમ-શીલમાં નહિ અધૂરા (૨) કલ્યાણ કેડી કંડારનારા, વિયોગ અમોને નથી ખમાતો... પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જૈન ઈતિહાસના પ્રખર જાણકાર હતા. લીંબડી સંપ્રદાયની પટ્ટાવલિ તેમણે મહારાજ શ્રી નાગજી સ્વામીના જીવનચરિત્રમાં આપી છે તે વાંચવા જેવી છે. તદુપરાંત તેમણે લીંબડી સંપ્રદાયના સાધુઓનું મુનિદ્રુમ તથા સાધ્વીજીઓને આર્યાજી કલ્પદ્રુમ વ્યવસ્થિત તૈયાર કરાવીને ગામોગામના સ્થાનકોમાં ભેટ અપાવ્યા છે તેના ઉપરથી આપણે ઘણી માહિતી મળી શકે છે. પુરાણી પરંપરાના ખુલાસા તેમની પાસે વ્યવસ્થિત થતા. સંયમનું ૪૯ વર્ષનું સુવિશુદ્ધ પાલન કરી સંયમી જીવનને ભારે દીપાવ્યું હતું. શિષ્યોને ભણાવવાની પણ તેમણે ઘણી જ હોંશ. ખાસ પંડિતો રાખીને શિષ્યોને વર્ષો સુધી ભણાવતા અને આગળ વધારતા. તેમણે અમુક પુસ્તકોનું લેખન તથા સંપાદન પણ કર્યું છે તેનાં નામ નીચે પ્રમાણે છે. (૧) પૂજય શ્રી ગુલાબ-વીર જીવનચરિત્ર (૨) ભદ્ર સ્વભાવી મ.શ્રી નાગજી સ્વામીનું જીવન દર્શન તથા લી. સં. ની પટ્ટાવલિ (૩) જિન સ્તોત્રાદિ સંગ્રહ (૪) સામાયિક-પ્રતિક્રમણ-સાર્થ (પ) જિનાદિ સ્તુતિ સંગ્રહ (૬) આચારાંગ સૂત્ર તથા Page #340 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૨૭ દશવૈકાલિક સૂત્ર (૭) સૂયગડાંગ સૂત્ર પ્રથમ સ્કંધ (૮) ઉન્નત ગૃહસ્થાશ્રમનો સરળ માર્ગ (૯) પ્રાતઃ સ્મરણ પાઠ પરમ વાત્સલ્યદાતા સદ્ગુરૂદેવ લલાટે ચારિત્ર આભા નીરખતી, આંખો સદા યે અમી નીતરતી (૨) હસતું મુખારવિંદ કામણગારા, વિયોગ અમોને નથી ખમાતો... ચારિત્ર સંપન્ન મુનિરાજોનું તેજ મુખ ઉપર ચમક્યા વિના રહે નહિ. પૂજ્ય ગુરૂદેવમાં કુદરતી શરીર સૌષ્ઠવ અને લાવણ્યની સાથે ચારિત્રનું તેજ ભળતા વ્યક્તિત્ત્વ દીપી ઊઠતું હતું. તેમની આંખોમાંથી તો જાણે અમી-અમૃત જ નીતર્યા કરે. મુખારવિંદ ઉપર કાયમ સ્મિત અને પ્રસન્નતા હોય તેથી દર્શનાર્થી તેમના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા. તેમના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી. એમની પાસે જ્યારે જ્યારે બેસવાનું થાય ત્યારે વાત્સલ્યથી ભીંજવી દે. ભૂલ થઈ હોય તો કહે બાલારાજા છે, ફરીને નહિ કરે, હાથ ફેરવીને શિખામણ આપે. પરોઢિયે જગાડે ત્યારે પ્રેમથી કપાળે કોમળ હાથ ફેરવી નવકાર મંત્ર સંભળાવે. અધ્યયન કરાવતા તેમજ દરેક પ્રવૃત્તિમાં વાત્સલ્ય ભાવ તો એક સરખો નીતરતો જ હોય. આદર્શ કાર્યવાહક તરીકે પૂ. ગુરૂદેવ ગુરૂ અમારા ગુણીયલ જ્ઞાની, સંઘ સકળના હતા સુકાની (૨) જૈન શાસનના દિવ્ય સિતારા, વિયોગ અમોને નથી ખમાતો... વિ.સં. ૨૦૨૫ ના ચૈત્ર વદ-૯ ના પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી લીંબડી મોટા સંપ્રદાયની ગાદી પર બિરાજમાન થયા. ત્યારબાદ સં. ૨૦૨૮, બીજા વૈશાખ સુદ-૧૩ ગુરૂવારે સાધુ સંમેલનમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં વિધિસર આચાર્યપદની પછેડી ઓઢાડવામાં આવી. ત્યારથી પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થાના કારણે તે આચાર્ય પદ મહોત્સવમાં પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીને કાર્યવાહક તરીકે નીમવામાં આવ્યા. તેઓ શ્રી પૂજ્ય આચાર્ય સાહેબના જમણા હાથ સમાન હતા. અંતેવાસી આજ્ઞા ધરીને શિખામણ લેતા પ્રસન્ન કરીને (૨) પૂજ્ય સાહેબના પ્રાણ આધારા, વિયોગ અમોને નથી ખમાતો... દીક્ષિત થયા ત્યારથી ૫૦ વર્ષ સુધી પૂજ્ય સાહેબની સાથે રહ્યા. બન્ને ભચાઉની વિરલ વિભૂતિઓ. બન્ને વચ્ચે પિતા-પુત્ર જેવો પ્રેમ. પૂજ્ય સાહેબ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી નવલચન્દ્રજી સ્વામી ઘણીવાર બોલાવે, નવલચન્દ્રજી ! ગુરૂદેવ પ્રવૃત્તિમાં હોય અને સાંભળે નહિ તો પ્રેમથી પૂજ્યશ્રી કહે નવલ, ! મોમાયો સાંભળતો નથી. ત્યારે ગુરૂદેવ હસીને પ્રેમથી જવાબ આપે, “પૂજ મહારાજ આવ્યો.” બન્ને મહાપુરુષોનો મધુર સંવાદ સાંભળવો એ પણ જીવનનો એક લ્હાવો હતો. ત્યારે ભારે પ્રસન્નતાનો અનુભવ થતો. પૂ. ગુરૂદેવના હાથમાં કાર્યવાહક તરીકેની જવાબદારી આવ્યા પછી તેઓ શિસ્તપૂર્વક સંપ્રદાયનું સંચાલન કરવા લાગ્યા. બહોળો અનુભવ, ઠરેલ બુદ્ધિ, નિષ્કલંક ચારિત્ર, નિષ્પક્ષપાતી વલણ તથા સૌમ્ય સ્વભાવ વગેરેના કારણે કાર્યવાહક તરીકે તેઓ ખૂબ જ ઝળકી ઊઠ્યા હતા. તેમના સંચાલનથી સર્વેને સંતોષ હતો. ચતુર્વિધ સંઘમાં શાંતિ હતી. ક્યારેક મોટો સંપ્રદાય હોવાના કારણે મતભેદો ઊભા થાય પરંતુ તેઓ સારી રીતે સમાધાન કરી આપતા. - પૂજ્ય ગુરૂદેવશ્રી શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. કોઈ પણ સંત કે સતીનું વર્તન અયોગ્ય લાગે તો પહેલા તેમને પ્રેમથી સમજાવતા, ન માને તો સહેજ કડક ભાષામાં કહે, છતાં ન માને તો શાસ્ત્રાજ્ઞા મુજબ તથા સંપ્રદાયની સમાચારી પ્રમાણે કડક નિર્ણય લેતા અચકાતા નહિ. આવા મહાપુરુષો માટે કહેવાયું છે કે वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि, को नु विज्ञातुमर्हति ॥ ભાવાર્થ : મહાપુરુષોના ચિત્તને જાણવા કોણ સમર્થ છે કે તેઓ જરૂરી બાબતોમાં વજથી પણ કઠોર હોય છે અને ફૂલથી પણ કોમળ હોય છે. એમનું દિલ તો ફૂલ જેવું કોમળ જ હોય છે. સ્વભાવથી તેઓ સરલ, કોમળ અને દયાળુ હોય છે. પરંતુ શાસનના હિત માટે સંપ્રદાયના શિસ્ત માટે ક્યારેક કડક પણ થવું પડે છે. આવા શિસ્તના આગ્રહી શુદ્ધ સંયમી સંતો સાંપ્રતકાળે વિદ્યમાન હોય તો જ અંધાધુંધી કે ગેરવ્યવસ્થા દેખાય છે તે ક્યાંય જોવા ન મળે. આવા સંતાની ખોટ પળે પળે સાલ્યા કરે તે સહજ છે. (સાધનાશીલ સદ્ગુરૂદેવ પૂ. ગુરૂદેવ શ્રી હંમેશા શાસ્ત્રની ગાથાઓનો સ્વાધ્યાય કરતા. રાત્રે જ્યારે ઊઠીએ ત્યારે માળા એમના હાથમાં હોય, ઘણીવાર સુધી એકાગ્ર ચિત્તે ફેરવતાં ફેરવતાં એમાં લીન બની જતા. પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં ખૂબ જ જાગૃત રહેતા. શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા માટે તેઓ હંમેશા પ્રેરણા આપતા. પોતાની પાસે બેસાડી Page #342 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૨૯ ગાથાઓ, થોકડાઓ વગેરે ફેરવાવે અને સંયમી જીવનમાં પ્રગતિ કેમ થાય તેની શિખામણ હંમેશા આપતા. એક ઉપવાસથી કરી અઠ્ઠાઈ સુધીના થોકની તપશ્ચર્યા, છમાસી તપ, ચોમાસી તપ, જ્ઞાનપંચમી તપ વગેરે નાની મોટી ઘણી તપસ્યા તેમણે કરી હતી. છેલ્લાં સાડા ત્રણ વર્ષ એકાંતર એકાસણા કરતા હતા. વિહાર મોટો હોય કે નાદુરસ્ત તબિયત હોય ત્યારે તેઓ ઉપરાઉપરી ત્રણ ટાઈમ આહાર કરતા નહિ. આમ જ્ઞાન-દર્શનચારિત્ર-તપની આરાધનામાં તેમણે સારી પ્રગતિ કરી હતી. 'નિર્ભયતાના નમૂના નવલચન્દ્રજી સ્વામી પૂ. ગુરૂદેવ શ્રી નિર્ભયતાના નમૂના હતા. સં. ૨૦૩૩ના ભચાઉચાતુર્માસમાં એક વાર સર્પ એમના પગે વીંટળાઈ ગયો છતાં તેઓશ્રી ડર્યા નહિ, નવકાર મંત્રનું સ્મરણ કર્યું. સર્પ કરડયા વિના નીચે ઊતરીને ચાલ્યો ગયો. આવા તો ઘણા પ્રસંગો એમના જીવનમાં બનતા. સં. ૨૦૧૨ ના ભચાઉ ચાતુર્માસમાં ધરતીકંપ થયો ત્યારે શ્રાવકો પૌષધ કરી ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પછી જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ગુરૂદેવે તેમને નવકાર મંત્રનું સ્મરણ કરવા સૂચના આપી હતી. જરા વારમાં વિઘ્ન ટળી ગયું. વિરલ વિભૂતિને વચનસિદ્ધિ વરી) असभ्दिः शपथेनोक्त, जले लिखितमक्षरम् । सद्भिस्तु लीलया प्रोक्त, शिलालिखितमक्षरम् । અર્થ: અસપુરુષો વડે સોગંદ ખાઈને કહેવાયું હોય તો પણ તે પાણી ઉપર લખેલા અક્ષર સમાન હોય છે, જ્યારે સંતો વડે સહજ રીતે બોલાઈ ગયેલા શબ્દો શિલાલેખ જેવા બની જાય છે. આ શ્લોકના મર્માર્થને અક્ષરશ: સત્ય સાબિત કરતો આ રહ્યો તે લેખ, જે વાંચ્યા પછી પૂ. ગુરુદેવ ઉપર ભારોભાર સદ્ભાવ થયા વિના નહિ રહે. અનુભવીના પોતાના શબ્દોમાં - ‘એક અવિસ્મરણીય અણમોલ ધન્ય પ્રસંગ | (સ્વ. ૫. રત્ન પ. પૂ. પ્રાતઃસ્મરણીય શ્રી નવલચન્દ્રજી સ્વામી સાથેનો મારા જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ રજૂ કરું છું. સં. ૨૦૩૩ ૮િ. શ્રાવણ વદ-૮ તા. ૬-૯-૧૯૭૭ ભચાઉ-કચ્છ). Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી નવલચન્દ્રજી સ્વામી જયંતીભાઈ ગાંધી સુદામડાવાળા (હાલ સુરેન્દ્રનગર) સંધ્યા હજી ઢળી નહોતી. ભચાઉ એસ. ટી. બસ ડેપોમાં નિયત પ્લેટફોર્મ પર બસ આવી ઊભી રહી. હું નીચે ઊતરી સીધો ઉપાશ્રયે પહોંચી ગયો. પૂ. આચાર્ય દેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી, પં. રત્ન મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તેમ જ અન્ય લઘુ સંતોને વંદના કરી સુખશાતા પૂછીને બેઠો. સુદામડા શ્રી સંઘે કચ્છમાં બિરાજતાં લીઃ સં. ના સંત-સતીજીઓનાં દર્શન દીદાર અંગે અને અન્ય દર્શનીય સ્થળોની મુલાકાતના હેતુથી એક દર્શનયાત્રા સમૂહપ્રવાસ કાર્યક્રમનું આયોજન કરેલું. કચ્છ પ્રદેશના અમે લગભગ અજાણ જેથી ક્યાંથી ક્યાં જવું, કયાં રાત્રિ નિવાસ કરવો, ક્યાં ભોજન લેવું વગેરે કાર્યક્રમની ગોઠવણ માટે સલાહસૂચન યાને રૂપરેખા મેળવવાનું કાર્ય મને સોંપાયું જેથી ઉપરોક્ત પ્રયોજન પૂ. ગુરુદેવ સમક્ષ મેં રજૂ કર્યું અને લાઈનદોરી માટે પૂજયશ્રીને વિનંતી કરી. યંતીભાઈ ! તમારા આગમનનું પ્રયોજન સમજી ગયો છું. તમે દૂરથી આવો છો. પ્રવાસનો થાક સ્વાભાવિક હોય, થોડીવાર વિશ્રામ લ્યો. હું તમને સંપૂર્ણ રૂપરેખા આપીશ.” ૫. રત્ન ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ મધુર શબ્દોથી મને પ્રોત્સાહિત કરતાં કહ્યું. દરમ્યાન અન્ય શ્રાવકો પણ આવ્યા. સર્વ આગન્તુકોને સરળતા, ઉદારતા અને પ્રસન્નતા વડે શીતલીભૂત યાને પ્રભાવિત કરતા હતા. છેવટે પ્રવાસ અંગેની વિગતવાર તમામ રૂપરેખા મને તેઓશ્રી પાસેથી મળી ગઈ. સાંજનું ભોજન લઈ પ્રતિક્રમણ માટે સૌ ઉપાશ્રયમાં આવ્યા. પૂ. ગુરૂદેવના પ્રેમ-લાગણી અને વાત્સલ્યના જાદુથી અંજાઈ ગયા હોય તેમ નાનાં નાનાં ભુલકાંઓ પણ હંમેશા પ્રતિક્રમણ કરવા આવતાં ત્યાં મેં જોયા. પ્રતિક્રમણ સમાપ્ત થયા પછી સ્તવન, ભજન, વાર્તાલાપ, તત્ત્વચર્ચા વગેરેની રસલ્હાણથી સૌ આનંદ વિભોર બન્યા. વાતાવરણ જાણે આપોઆપ આહ્લાદક-સ્વર્ગીય બની ગયું. ઘડિયાળમાં દશના ડંકા પડ્યા. સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા. મારી પથારી તૈયાર હતી. પથારીમાં બેસી હું માળા-જાપ કરતો હતો. અચાનક બહાર દરવાજાની સાંકળ ખખડી અને એક લધુ સંતે દ્વારા ખોલ્યું. “સુદામડાવાળા યંતીભાઈ અહીં છે ?” આગનુકના અવાજમાં ખૂબ ઘભરાટ હતો. હું અવાજ પારખી ગયો. તે મારો ભત્રીજો નીતિન હતો. “આવ ભાઈ આવ. એકાએક કેમ આવવું પડ્યું?” “બાપુજી ! મુંબઈથી ટૂંકકોલ છે. પ્રફુલ્લભાઈ (મારો મોટો પુત્ર) એકદમ સીરીયસ છે. તમને જલદી બોલાવે છે.” નીતિન એકી શ્વાસે બોલી ગયો. Page #344 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૩૧ પુત્રરાગના કારણે સમાચાર મળતાં જ હૃદયથી મસ્તક સુધી એક તીવ્ર દુઃખદ આંચકો વીજળી પ્રવાહની જેમ વ્યાપી ગયો અને સર્વાંગે ધ્રુજારીના રૂપમાં ફેલાઈ ગયો. હૃદયની ધડકન ખૂબ જ તીવ્ર અને જોરદાર બની ગઈ. થોડી ક્ષણો વીતી. હું થોડો સ્વસ્થ થયો. જિનેશ્વર ભગવંતનું સ્મરણ તો ચાલુ જ હતું. મુંબઈ તરત જવા મનોમન નક્કી કર્યું. ત્યાંના (ભચાઉના) એક ભાઈ પાસે જ ઊભા હતા, તેમણે કહ્યું, “તમે મુંબઈ જવા ઈચ્છતા હો તો મુંબઈની ટ્રેઈન અત્યારે ૧૦-૪૫ કલાકે મળશે.'' પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જાગતા હતા. અમારો વાર્તાલાપ તેમણે સાંભળ્યો હતો. હું તેઓશ્રીની સમીપે ગયો વંદના કરી, અત્યારે જ મુંબઈ જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પૂ. ગુરૂદેવ ફક્ત એટલું જ બોલ્યા, “ભલે દેવાનુપ્રિય ! જવા ઈચ્છતા જ હો તો જાવ પણ દેવ-ગુરુ-ધર્મ પસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહિ થાય. માટે તમે નિશ્ચિંત રહેજો.” મને માંગલિક સંભળાવ્યું. હું તરત રવાના થયો પણ તે વખતે ગુરૂદેવના એ શબ્દો ૫૨ અતૂટ શ્રદ્ધા ન હતી. પુત્ર મોહના કારણે વિષાદથી ઘેરાયેલા મને રાતે ઊંઘ જ ન આવી. પુત્રનું મુખ જોયા પછી જ અન્ન જળ લેવાનો સંકલ્પ તો તુરત જ કરી લીધો હતો. આમ એક રાત્રિ-દિવસ પસાર થયો. ભગવદ્ભૂરણ ચાલુ હતું. મંગળ-અમંગળના કંઈક સંકલ્પ-વિકલ્પોની હારમાળા પસાર કરતો સમય કાગ્યે જતો હતો. આખરે ટ્રેઈન બોરીવલી સ્ટેશને આવી પહોંચી. ડબ્બામાંથી નીચે ઉતર્યો. જલદી બહાર આવી ટેક્ષી કરી ઘરે ગયો. દરમ્યાન હૈયાની ધડકન ખૂબ વધી ગઈ હતી. દ્વાર બંધ હતું. બેલ વગાડયો. અંદરના સંભવિત દૃશ્યની કોઈ કલ્પના કરી શકતો ન હતો. પણ ત્યાં તો દ્વાર ખૂલ્યું. મારો પુત્ર પલંગમાં બેઠો હતો. ઊભો થઈ ચરણમાં પડયો. સૌ ધ્રુસકે ધ્રુસકે રડ્યા. આખરે શાંત થયા. ગઈ કાલે જ જોરદાર હુમલો આવી ગયો પણ પછી યોગ્ય સારવાર બાદ વળતા ભાવ થવા લાગ્યા અને અમે મળ્યા ત્યારે બાર આની સુધારો હતો. મેરૂ પર્વતનો ભાર હૃદય પરથી ઉતર્યો હોય તેટલી હળવાશ મેં અનુભવી અને ગુરૂદેવનાં વચનો મને યાદ આવ્યા, “જ્યંતીભાઈ, દેવ ગુરૂ-ધર્મપસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહી થાય.” પવિત્ર પુરુષના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા શબ્દો કેવા અફર અને અચળ હોય છે તેની પ્રતીતિ મને તે સમયે થઈ. સાંજે પ્રતિક્રમણ કર્યું. પાંચમાં ખામણા બોલતાં તે મહાન વિભૂતિ જાણે પ્રત્યક્ષ આવીને બોલતી હોય, ‘યંતિભાઈ’ દેવ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી નવલચન્દ્રજી સ્વામી ગુરૂ-ધર્મપસાયે પ્રફુલ્લભાઈનો વાળ પણ વાંકો નહીં થાય.” એવો અવાજ જાણે મારા કાને અથડાયો-સજળ નેત્રે એ વિભૂતિને પુનઃ પુનઃ વંદીને ગુરૂકૃપાના અપાર મહિમાથી સભર સ્તવન ગીતો ક્યાંય સુધી હું ગાતો રહ્યો. આવા તો અનેક પ્રસંગો પૂ. ગુરૂદેવના જીવનમાં બન્યા હતા. લેખકને પૂરો અનુભવ છે કે પૂ. ગુરૂદેવ જે વચન ઉચ્ચારતા તે પ્રમાણે જ થતું. સહજ રીતે ઉચ્ચારેલા શબ્દો સાંભળીએ ત્યારે એમ થાય કે એવું થશે ? પણ સમય જતાં એવું જ બને ત્યારે પૂ. ગુરૂદેવના વચન ઉપર ભારે શ્રદ્ધા બેસી જાય. સુવિશુદ્ધ સંયમ અને પવિત્ર આચરણ સિવાય આવું બનતું નથી. વંદન હો એ વિરલ વિભૂતિને. પૂ. ગુરૂદેવે જેમને દીક્ષા આપી તે ભાગ્યશાળીઓનાં નામ સંવત ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૩૦ ૨૦૩૦ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૧ ૨૦૩૨ ૨૦૩૨ ૨૦૩૨ ૨૦૩૩ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૪ નામ (૧) બા.બ્ર. મહા. ચંદનકુમારી આર્યાજી (૨) બા.બ્ર.પ્રજ્ઞાબાઈ આર્યાજી (૩) બા.બ્ર. મીનળબાઈ આર્યજી (૪) બા.બ્ર. કમલપ્રભાબાઈ આર્યાજી (૫) બા.બ્ર. કીર્તિપ્રભાબાઈ અય્યજી (૬) બા.બ્ર. અર્ચનાકુમારી આર્યાજી (૭) બા.બ્ર. કવિતાકુમારી આર્યજી (૮) બા.બ્ર. વર્ષાકુમારી આર્યાજી (૯) બા.બ્ર.દેવાંગિનીબાઈ આર્યાજી (૧૦) બા.બ્ર.નમ્રતાબાઈ આર્યાજી (૧૧) બા.બ્ર. અતુલાકુમારી આર્યજી (૧૨) બા.બ્ર. ચેતનાકુમારી આર્યજી (૧૩) બા.બ્ર. તમન્નાકુમારી આર્યજી (૧૪) બા.બ્ર. વંદિતાબાઈ આર્યાજી (૧૫) બા.બ્ર. વિપુલાકુમારી આર્યાજી (૧૬) બા.બ્ર. મિતાકુમારી આર્યજી (૧૭) બા.બ્ર. પૂર્ણિમાબાઈ આર્યજી (૧૮) બા.બ્ર. પ્રેરણાબાઈ આર્યાજી (૧૯) બા.બ્ર. કૌમુદીબાઈ આર્યાજી (૨૦) બા.બ્ર. જાગૃતિબાઈ આર્યાજી સ્થળ રાપર રતાડિયા ખારોઈ મનફરા મનફરા રમાણિયા પ્રતાપુરા ભોરારા ભૂજ ભૂજ તુંબડી રવ વ રાપર રાપર રાપર રાપર રાપર રાપર રાપર Page #346 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૩૩ 'પૂજય ગુરૂદેવશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની નામાવલિ (૧) તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી ૨૦૧૬ તુંબડી (૨) પંડિત મ. શ્રી ભાવચન્દ્રજી ૨૦૧૯ ભોરારા (૩) સેવાભાવી મ. શ્રી નેમિચન્દ્રજી સ્વામી ૨૦૨૩ લાકડિયા (૪) સુવ્યાખ્યાની મ. શ્રી ભાસ્કરજી સ્વામી ૨૦૨૬ ભચાઉ (૫) મુનિ શ્રી ધર્મેશચન્દ્રજી સ્વામી ૨૦૨૬ સમાઘોઘા (૬) મુનિ શ્રી વિમલચન્દ્રજી સ્વામી ૨૦૩૦ રતાડિયા, (૭) મુનિ શ્રી ચિંતનચન્દ્રજી સ્વામી ૨૦૩૪ ભોરારા (૮) મુનિ શ્રી શાંતિચન્દ્રજી સ્વામી ૨૦૩૪ ભોરારા (૯) મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી સ્વામી ૨૦૩૪ ભોરારા (૧૦) મુનિ શ્રી વિવેકચન્દ્રજી સ્વામી ૨૨૪૧ સરા (૧૧) મુનિ શ્રી વિરામચન્દ્રજી સ્વામી ૨૦૪૧ આણંદપર (૧૨) મુનિ શ્રી ધનેશચન્દ્રજી સ્વામી ૨૦૪૪ ભચાઉ (૧૩) મુનિ શ્રી ભાવેશચન્દ્રજી સ્વામી ગુંદાલા તદુપરાંત શિષ્યાઓનો સમુદાય પણ ઘણો મોટો છે. પૂ. ગુરૂદેવ પાસે સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ શ્રાવકના બારવ્રત સ્વીકાર્યા હતા. અનેક ભવ્ય આત્માઓને તેમણે પ્રતિબોધ્યા હતા. ONO 'શ્રમણ શ્રેષ્ઠનું સમાધિ મરણ) પૂનમ ખીલી'તી સોળે કળાએ, અસ્ત થઈ છે અડધી વેળાએ (૨) સર્વત્ર શાંતિના સર્જનહારા, વિયોગ અમોને નથી ખમાતો... સંવત ૨૦૩૪ નું છેલ્લું ચાતુર્માસ લાકડિયામાં હતું. પુણ્ય પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા ગીતાર્થ ગુરૂદેવ શ્રી આદિ ઠાણા-૮ હતા. કેવું ભવ્યચાતુર્માસ!તે ચાતુર્માસમાં પોતાના શિષ્યોને જ્ઞાન આપતા, નાનાં બાળકોને ધાર્મિક સંસ્કાર આપતા. ત્યાં સ્થિરવાસ બિરાજતા વયોવૃદ્ધા તપસ્વિની મહા. શ્રી ઈન્દ્રાબાઈ આર્યાજીને દરરોજ સવારે દર્શન આપવા જતા. બપોરે વ્યાખ્યાન બાદ વિદુષી મ. શ્રી ચન્દ્રાબાઈ આર્યાજી આદિ ઠાણાઓને દશવૈકાલિક સુત્રની વાંચણી કરાવતા. ચાતુર્માસ ખૂબ જ સારી રીતે આરાધનામય પસાર થઈ રહ્યું હતું. તે ચાતુર્માસમાં ૩૩ દંપતીઓએ આજીવન ચતુર્થવ્રતના પચ્ચખ્ખાણ લીધેલા. (તેથી પહેલા વિ.સં. ૨૦૩૨ ના ચાતુર્માસમાં પૂ. સાહેબ તથા પૂ. ગુરૂદેવના શ્રીમુખેથી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી નવલચન્દ્રજી સ્વામી ૪૫ દંપતીઓએ ચતુર્થવ્રતના પચ્ચખાણ લીધેલા.) ચાતુર્માસ પૂર્ણાહુતિના થોડા દિવસો બાકી હતા. પૂજય ગુરૂદેવનો સંયમ જીવનરૂપી ચન્દ્ર સોળે કળાએ ખીલ્યો હતો. તે પૂર્ણ કળાવાન ચન્દ્ર કુદરતને પણ નહિ ગમ્યો હોય-ઈર્ષ્યા આવી હોય તેમ આસો મહિનાની શરૂઆતમાં સવારે પોતાના પટ્ટશિષ્ય તથા લઘુત્તમ શિષ્ય સાથે દિશાએ ગયા હતા. વળીને પાછા આવતાં નદીમાં પડી ગયા. સામાન્ય વાગ્યું. ઘરગથ્થુ ઉપચારો કરતાં સારું થઈ ગયું. આસો વદ-૫ ના સાડા ત્રણ વાગ્યે છાતીમાં દુઃખાવો ઊપડયો. વેદના અસહ્ય છતાં સંપૂર્ણ સ્વસ્થતા રાખી. તપસ્વી શ્રી રામચન્દ્રજી સ્વામી (જેઓ સદા સેવામાં હાજર રહેતા) ને આજ્ઞા કરી કે મેડી ઉપરથી પ્રકાશ ને બોલાવ. પૂ. ગુરૂદેવની આજ્ઞાથી તરત જ નીચે આવવાનું થયું. ગંભીર હાલત જોઈ કાંઈ સૂછ્યું નહિ તેથી ઉપરથી ભાસ્કર મ. ને બોલાવ્યા. અન્ય શિષ્યો પણ હાજર થઈ ગયા. બધા સાથે મળીને ભક્તામર સંભળાવ્યું. દરમ્યાન ડો. રામજીભાઈ પટેલ આવી ગયા. શરીર તપાસી નિદાન કર્યું. B.P. ની તકલીફ છે, ગભરાવા જેવું નથી. સારું થઈ જશે. યોગ્ય ઉપચારો શરૂ કરવામાં આવ્યા. ડો. શ્રીએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. પૂ. ગુરૂદેવ શ્રી અધ્યાત્મ ભાવમાં ઝૂલી રહ્યા હતા. તેમને ખ્યાલ તો આવી ગયો હતો કે આ દિવસોમાં મારા ઉપર ઘાત છે. સંવત બે હજાર ચોત્રીસની સાલે, શિર છત્ર તોયું ગોઝારા કાળે (૨) અશ્રુ વહાવે નયનો હજારા, વિયોગ અમોને નથી ખમાતો... સમાધિભાવે સૌને વિસરતા, “નમો સિદ્ધાણં' પદ ઉચ્ચરતા (૨) નશ્વર દેહને છોડી જનારા, વિયોગ અમોને નથી ખમાતો... બે દિવસ શાંતિથી પસાર થયા, ત્રીજે દિવસે આસો વદ-૭ સોમવારે સાંજે ૪ વાગ્યે સુવઈ બિરાજતા ૫. મ. શ્રી ભાવચન્દ્રજી સ્વામી ઉપર શાંતિ સમાચારનો પત્ર લખાવ્યો. પોતાની આરાધના તો ચાલુ જ હતી. દરરોજના નિયમ પ્રમાણે રાત્રે ૧૦-૩૦ સુધી મીઠી-મધુરી હિતશિક્ષાઓ આપી. સંયમ જીવનને નિર્મળ બનાવવા છેલ્લે સુંદર પ્રેરણા આપી. અને જેમ કહ્યું છે કે –રનાને નાનીનાથ અમારે હિં વિષ્ય ? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?” તેમ આસો વદ-૮ ની પ્રભાતે પાંચ વાગ્યે પુનઃ છાતીમાં દુઃખાવો થયો છતાં રાત્રિ પ્રતિક્રમણ જાગૃતિપૂર્વક કર્યું. જયાં મિચ્છામિ દુક્કડં આવે ત્યાં પોતે બોલતા ગયા. પ્રતિક્રમણ પૂર્ણ થયું. દરરોજ પૂ. આચાર્યદેવ તથા ગુરૂદેવશ્રી પ્રતિક્રમણ પછી અડધો કલાક પ્રાતઃ કાલીન પ્રાર્થના ભાવવાહી રીતે કરતા. (તે વખતનો આનંદ ખરેખર અવર્ણનીય Page #348 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૩૫ રહેતો, આ હતભાગી આત્માએ પણ ચાર વર્ષ સુધી આ લાભ બન્ને મહાપુરુષોના સાન્નિધ્યમાં અને પછી પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની હયાતિ સુધી લીધેલો, જે અદ્યાપિ યાદ આવે છે. હૈયું ગદ્ગદિત થઈ જાય છે. ખરેખર આવા મહાપુરુષો પાસે એક ક્ષણ વિતાવવી તે પણ જીવનનો એક લ્હાવો હતો.) તે પ્રાર્થના સ્વસ્થતાથી સાંભળી. રાત્રિ પૂર્ણ થવાની તૈયારી હતી, ૬-૧૦ કલાકે ધીમે ધીમે નવકાર મહામંત્ર, ચત્તારિ મંગલ બોલતા હતા. શિષ્યો બધા હાજર હતા. પૂજ્ય આચાર્યદેવ શ્રી બાજુની પાટ ઉપર બેઠા હતા ત્યારે “નમો સિદ્ધાણં પદ સંભળાવ્યું અને સમાધિભાવે હાથ જોડેલા હતા તેવા સમુજ્જવલ સંજોગોમાં કાળધર્મ પામ્યા. ડો. રામજીભાઈને બોલાવવામાં આવ્યા. તરત જ ડોકટરે આવીને કહ્યું, એક્સપાયર્ડ', - આ શબ્દ સાંભળવો અસહ્ય હતો. લખતાં હૈયું ચીરાઈ જાય છે. તે વખતની શિષ્યોની વેદના અસહ્ય હતી. “રામના બાણ વાગ્યા રે હોય તે જાણે” ૯૧ વર્ષીય મહાસ્થવર શાન્તમૂર્તિ પૂ. આચાર્ય ભગવંતને જ્યારે આ વાત કરી ત્યારે નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમની આંતરિક વેદના જોઈ કઠોર હૃદયની પથ્થર દિલ વ્યક્તિનું હૃદય પણ પીગળી જાય. હજારો આંખો ચોધાર આંસુએ રડી. ' “જાનાર તો જાતા રહ્યા સદ્ગુણ એના સાંભરે.” પ્રકાશ આપી હર્યા અંધારાં, વિયોગ અમોને નથી ખમાતો મુનિ મંડળને કર્યા નોંધારા, વિયોગ કોઈને નથી ખમાતો... આવા મહાન સદ્ગુરૂના ગુણો ગાવા માટે જીભ ઘણી ટૂંકી છે. કલમની કોઈ તાકાત નથી કે શબ્દોમાં એને યોગ્ય સ્વરૂપ આપી શકે. સબ ધરતી કાગજ કરું, લેખન કરું વનરાય સબ સમુદ્ર શાહી કરું, ગુરગુન લિખા ન જાય | મા શારદા વદે ને લાખો લહિયા લખે અંત ગુરૂગુણ તણો તોય કરી ના શકે (૨) ગતિ માપી શકાય જો અનંતની (૨) તો કદાચ (૨) કવિતા રચાય ગુરૂદેવની (૨) 'નવલ ગુરૂદેવ મારા કૃપા વરસાવજો (તર્જ:- ટીલડી રે મારા....) નવલગુરૂદેવ મારા કૃપા વરસાવજો , હું તો માંગુ... (૨) આપની કૃપા વરસાવજો Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી નવલચન્દ્રજી સ્વામી - સદા રે... (૨) મારા હૃદયે બિરાજજો ... જ્ઞાનનો બગીચો મારો સુંદર ખીલે, દર્શનનાં ફૂલડા વિકસે ને ખીલે; ચારિત્રનાં ફળો ચડે ને વેલે... હું તો માર્ગ... (૨) આપની કુપા ગુરૂદેવ મારા સદા રે... રાગ-દ્વેષની આંધીમાં ફસાઈ ન જાઉં, કષાયના કૂપમાં કચરાઈ ન જાઉં... માહે વાવાઝોડામાં વિફરાઈ ન જાઉં. હું તો માગું.. (૨) આપની કૃપા ગુરૂદેવ મારા સદા રે. જીવનના ધ્યેયને પ્રાપ્ત જ કરવા, મુક્તિ મંઝિલે નિત્ય વિજય’ વરવા ચાર ગતિના નથી ફેરા મારે ફરવા... હું તો માગું... (૨) આપની કૃપા ગુરૂદેવ મારા સદા રે... -વિદુષી બા. બ્ર. વિજ્યાબાઈ આર્યાજી ' પ્રકાશ આપી હર્યા અંધારાં (તર્જ :- હજાર બાતે કહે જમાના) પ્રકાશ આપી હર્યા અંધારા, વિયોગ અમોને નથી ખમાતો, મુનિ મંડળને કર્યા નોંધારા, વિયોગ કોઈને નથી ખમાતો. જન્મ ધર્યો તો ભચાઉ ગામે, પુત્ર પનોતા નરપાળ નામે (૨) ઉભય કુળને અજવાળનારા... વિયોગ અમોને... ૧ ધન્ય ધરા એ ગુંદાલા ગામની, દીક્ષા થઈ ત્યાં કલિયુગ રામની (૨) સંઘ ચતુર્વિધ શોભાવનારા... વિયોગ અમોને... ૨ ગુલાબ-વીરના નંદન વનમાં, સગુણ સિચ્યા મુનિ જીવનમાં (૨) સુમન બનીને સુરભિ દેનારા, વિયોગ અમોને... ૩ જૈન ઈતિહાસના પંડિત પૂરા, સંયમ શીલમાં નહિ અધૂરા (૨) કલ્યાણ કેડી કંડારનારા, વિયોગ અમોને... ૪ લલાટે ચારિત્ર આભા નીરખતી, આંખો સદા યે અમી નીતરતી (૨) હસતું મુખારવિંદ કામણગારા, વિયોગ અમોને... ૫ ગુરૂ અમારા ગુણીયલ જ્ઞાની, સંઘ સકળના હતા સુકાની (૨) જૈન શાસનના દિવ્ય સિતારા, વિયોગ અમોને... ૬ નવલ-કેવલની અનુપમ જોડી, સમતા સ્વીકારી વિષમતા છોડી (૨) Page #350 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા 33७ રામ-લક્ષ્મણની યાદ દેનારા, વિયોગ અમોને... ૭ અંતેવાસી આજ્ઞા ધરીને, શિખામણ લેતા પ્રસન્ન કરીને (૨) પૂજય સાહેબના પ્રાણ આધારા, વિયોગ અમને... ૮ પૂનમ ખીલી'તી સોળે કળાએ, અસ્ત થઈ છે અડધી વેળાએ (૨) | સર્વત્ર શાંતિના સર્જનહારા, વિયોગ અમોને... ૯ સંવત બે હજાર ચોત્રીસની સાલે, શીરછત્ર તોડયું ગોઝરા કાળે (૨) અશ્રુ વહાવે નયનો હજારા, વિયોગ અમોને... ૧૦ સમાધિભાવે સૌને વિસરતા, “નમો સિદ્ધાણં” પદ ઉચ્ચરતા (૨) - નશ્વર દેહને છોડી જનારા, વિયોગ અમોને... ૧૧ વેલબાઈ સ્વામી ગુરૂણી પ્રતાપે, “અમર' શ્રદ્ધાંજલિ શિષ્યાઓ આપે (૨) અમર સુખડાં મેળવનારા, વિયોગ અમોને નથી ખમાતો, શાશ્વત સુખડાં મળે અપારા, વિયોગ કોઈને નથી ખમાતો... ૧૨ -વિદુષી બા.બ્ર. મીનાકુમારી આર્યજી * * * ( સવક્તા પંડિત મ. શ્રી કેવળચન્દ્રજી સ્વામી ) સક્તા પંડિત મ. શ્રી કેવળચન્દ્રજી સ્વામીનો જન્મ ભચાઉ (કચ્છ-વાગડ) માં વિ. સં. ૧૯૭૪ ના કાર્તિક પૂર્ણમાના દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રામજીભાઈ પેથાભાઈ ગાલા તથા માતુશ્રીનું નામ ઉમાબાઈ હતું. તેમનું સંસારી નામ કચરાભાઈ હતું. તેમને બે બહેનો હતાં, ધનીબહેન અને લાડુબહેન તથા એક ભાઈ હતા નરસિંહભાઈ. (શ્રી ધનીબહેને ભચાઉમાં વિ. સં. ૨૦૩૩ ના ચાતુર્માસમાં સંથારો કર્યો હતો, ૪ દિવસ સંથારો ચાલ્યો હતો. તે વખતે પુણ્યવંતા પૂજ્ય આચાર્યદેવશ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૬ નું ચાતુર્માસ હતું.) કચરાભાઈની પૂર્ણિમાના ચન્દ્ર જેવી સૌમ્ય મુખાકૃતિ સૌને આકર્ષતી હતી. લાડકોડમાં તેમનો ઉછેર થઈ રહ્યો હતો. પરંતુ કુદરતને તેમનું આ સુખ પસંદ નહિ હોય તેમ તેમની એક વર્ષની ઉંમર થઈ ત્યારે પ્રેમાળ પિતા અવસાન પામ્યા અને સવા બે વર્ષની ઉંમર થઈ ત્યારે વાત્સલ્યદાત્રી માતાએ પણ દુનિયામાંથી વિદાય લીધી. આટલી નાની ઉંમરના બાળકને માતાપિતાનો કાયમી વિયોગ થાય તે ઘણી Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી કેવળચન્દ્રજી સ્વામી કરૂણ ઘટના કહેવાય. એક કવિએ સાચું જ કહ્યું છે કે – ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દશ જાય, પણ જેના બાળપણમાં માહિતર મરે, એને ચારે દિશાના વા વાય. માતા-પિતા વિનાના બાળકની આવી જ દશા થાય, પરંતુ એમાંય કુદરતનો કાંઈ શુભ સંકેત હોય છે. દુનિયામાં થઈ ગયેલા મહાપુરુષોના જીવન જયારે આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે તેમનો બાલ્યકાળ પ્રાયઃ મુશ્કેલીમાં જ પસાર થાય છે અને એ મુશ્કેલી એમનું જીવન ઘડતર કરે છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે “Adversity makes the man perfect” અર્થાત્ મુશ્કેલી જ માણસને પૂર્ણ બનાવે છે. કાકા શ્રી મૂળજીભાઈ તથા મોટાબહેન ધનીબહેનની હૂંફથી કચરાભાઈનો ઉછેર થવા લાગ્યો. 'મિત્રતા તો આવી જ જોઈએ બાલ્યકાળમાં જ કચરાભાઈને એક કલ્યાણમિત્ર મળી ગયા, જેમનું નામ નરપાળકુમાર (ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી) હતું. રહેવાનું બાજુમાં, સાથે રમવાનું, સાથે જ બધું કરવાનું, ઉંમરમાં ફક્ત ચાર મહિનાનો ફરક. પૂ. પરમ કૃપાળુ ગુરૂદેવશ્રીનો જન્મ દિવસ સંવત ૧૯૭૩ કાર્તિક પૂર્ણિમા. બન્ને બાલમિત્રો સ્વભાવથી જ સરલ અને સુશીલ હતા. કુલ અને શીલની સમાનતા ને કારણે જ મૈત્રી જામે છે, સત્ય જ કહ્યું છે मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्च गोभिस्तुरगास्तुरंगैः । मूर्खाश्च मूर्खः सुधियः सुधीमिः समानशील व्यसनेषु सख्यम् ॥ ભાવાર્થ મૃગ મૃગની સાથે, ગાયો ગાયોની સાથે, ઘોડા ઘોડાની સાથે, મૂર્ખ મૂર્ખાઓની સાથે, બુદ્ધિશાળી બુદ્ધિશાળીની સાથે જાય છે. અર્થાત્ એમની મિત્રતા થાય છે કારણ કે જેના સ્વભાવ અને વ્યસન સરખા હોય છે તેમની જ મૈત્રી જામે દશ વર્ષની ઉંમરે કચરાભાઈને ભચાઉના સુશ્રાવક ફુરિયા મેઘજી ઉગાભાઈ તથા નીસર થાવર કેશવજીભાઈ નોકરી માટે મુંબઈ લઈ ગયા. તેમની દોરવણી પ્રમાણે કચરાભાઈ કાર્ય કરવા લાગ્યા. પણ મુંબઈનું હવામાન તેમની શારીરિક પ્રકૃતિને માટે પ્રતિકૂળ નીવડ્યું તેથી ત્રણ-ચાર માસ રહીને પુનઃ ભચાઉ આવવાનું થયું. તેમાં પણ કોઈ શુભ સંકેત હતો જ, તેથી જ અનુભવીઓ કહે છે કે, “જે થાય છે તે સારા માટે !” Page #352 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૩૯ ભચાઉની ધરતી ઉપર પગ મૂકતાં જ પોતાના પરમ મિત્ર નરપાળકુમારના સમાચાર જાણવા મળ્યા કે તેઓ વૈરાગ્ય વાસિત થયા છે અને પૂજયપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ સંતોની સાથે ધાર્મિક અભ્યાસ કરવા ગયા છે... આ સાંભળતાં જ કચરાભાઈના સ્મૃતિપટ પર ભૂતકાલીન સ્મૃતિઓ તાદૃશ થઈ અને મન ઉદાસ થઈ ગયું. સંસારના દુન્યવી પદાર્થો પ્રત્યે તેમને મોહ જાગ્યો જ ન હતો. બચપણથી જ જેમણે માતા-પિતાનું સુખ ગુમાવી દીધું હતું અને ત્યાર પછી મોટાભાઈ શ્રી નરસિંહભાઈ તથા બહેન શ્રી લાડુબહેનનું પણ નાની ઉંમરમાં જ મૃત્યુ થયેલું. આયુષ્યની અનિત્યતા અને સંસારની અસારતાનો વિચાર વારંવાર વૈરાગ્ય તરફ લઈ જતો હતો તેમાં બાલસખા શ્રી નરપાળભાઈના વૈરાગી થયાના સમાચારે ઉમેરો કર્યો અને તેમણે દઢ નિર્ણય કર્યો કે હું પણ મિત્રના માર્ગે જ જઈશ. સુખ કે દુઃખમાં નિઃસ્વાર્થભાવે સાથે રહે તેને જ પરમ મિત્ર કહેવાય. ભાવના ભાવે, ભગવાન હાજર.” મહાસતી ચંદનબાળાએ ભાવના ભાવી કે ભગવાન પધારે પછી જ પારણું કરું. ખરેખર ભગવાન પધાર્યા અને શ્રી ચંદનબાળાના હાથે ભગવાનનો ભીષ્મ અભિગ્રહ પૂરો થયો. કચરાભાઈએ ભાવના ભાવી કે પૂજ્ય ગુરૂદેવ પધારે તો હું પણ તેમની સાથે દીક્ષા લઉં અને ખરેખર તેમની ભાવના ફળી. સંવત ૧૯૮૫ માં પૂજ્યપાદ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી, શતાવધાની મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, સેવાભાવી મ. શ્રી મૂલજી સ્વામી તથા સેવાપ્રિય મ. શ્રી કપૂરચન્દ્રજી સ્વામી ઠાણા-૭ ભચાઉ પધાર્યા. તેમની સાથે દીક્ષાર્થી ભાઈચંદભાઈ, ડુંગરશીભાઈ તથા નરપાળભાઈ હતા. શ્રી કચરાભાઈનરપાળભાઈની સાથે ઉપાશ્રયમાં આવવા લાગ્યા. વૈરાગ્યના અંકુરો તો ફૂટયાં જ હતા. તેમાં ગુલાબ દશ ગુરૂદેવનો સમાગમ થતાં સિંચન મળ્યું અને એકદા પોતાનો નિર્ણય ગુરૂદેવ પાસે તથા મિત્ર પાસે રજૂ કર્યો. પૂ. ગુરૂદેવે છૂપા રત્નને પારખી લીધું અને યોગ્યતા જાણી તેમના કાકા મૂળજીભાઈ તથા મોટા બહેન ધનીબહેનની અનુજ્ઞા મેળવી વિ. સંવત ૧૯૮૫ ના પોષ સુદિ-૯ ના ફક્ત ૧૧ વર્ષની વયે પૂ. ગુરૂવર્યોની સાથે સંયમી જીવનની તાલીમ લેવા માટે વિહાર કર્યો. ગુરૂદેવે તેમનું નામ કાનજીભાઈ રાખ્યું અને શાંતમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી કેવળચન્દ્રજી સ્વામી સ્વામીને તેમની અભ્યાસ વગેરેની જવાબદારી સોંપી. કાનજીભાઈ ગુરૂચરણે સમર્પિત થઈ ખંતપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. લખતા લહીઓ નીપજે, પઢતા પંડિત થાય । ચાર-ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય ।। આ દુહો પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી દરેક અભ્યાસીઓને શીખવતા અને ખંતથી અભ્યાસ કરવા માટે મીઠી મધુરી ટકોર કરતાં. કાનજીભાઈ એકડે એકથી જ શુભ શરૂઆત કરી. ટૂંક સમયમાંં અક્ષરજ્ઞાન, સામાયિક, પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ઘણું શીખી લીધું. વિનય અને અર્પણતા તેમના જીવનમાં ખૂબ જ, તેથી ગુરૂ મહારાજના કૃપાપાત્ર બની ગયા. ખરેખર, સાધકના જીવનમાં ગુરૂકૃપા મળી ગઈ તો બધું જ મળી ગયું. ગુરૂનું મહત્ત્વ દરેક ધર્મોએ સ્વીકાર્યું છે. નાના-મોટા દરેક એટલું તો જાણે જ કે “ગુરૂ વિના જ્ઞાન નહિ.’ એક વિદ્વાને બહુ સરસ કહ્યું છે કે – “lgnorance is disease, knowledge is health. Guru is the divine doctor who cures us by giving knowledge of self.” અર્થાત્ અજ્ઞાનતા એ રોગ છે. જ્યારે જ્ઞાન એ તંદુરસ્તી છે. ગુરૂ એ દિવ્ય ડોકટર છે કે જે આત્મજ્ઞાન આપી અજ્ઞાનતાના રોગને દૂર કરે છે. કચરામાંથી કોહિનૂર પ્રગટયું તે ગુરૂદેવને આભારી. ઉકરડાનું સર્જન ક્ષુદ્ર માનવ કરે છે પણ ઉકરડામાંથી ઉદ્યાનનું સર્જન તો માળી જ કરી શકે છે. શિલ્પી જ અણઘડ પથ્થરને મૂર્તિ બનાવી શકે છે, તેવી જ રીતે જે અઘડ ને સુઘડ બનાવે તેનું નામ ગુરૂ... ગુરૂનો મહિમા વર્ણવતા એક કવિ કહે છે કે- “Mother gives birth but Guru gives Life.” માતા જન્મ આપે છે પણ ગુરૂ જીવન આપે છે. પામર અને પાપી માનવ ઉપર જાણે જો ગુરૂકૃપા વરસે તો મહામાનવ બની આગળ જતા પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે. “ગુરૂજી અમારો અંતરનાદ, સંયમના ધો આશીર્વાદ’ માટે સાત વર્ષ સુધી ગુરૂચરણોમાં રહી અભ્યાસ કર્યો. સંયમી જીવન જીવવા ખૂબ જ ટ્રેનિંગ લીધી અને પૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત કરી. સંયમ લેવા માટે તીવ્ર તાલાવેલી જાગી. અને... વિ. સંવત ૧૯૯૨ માં આગમ વિશારદ પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, ભદ્રસ્વભાવી મ. શ્રી નાગજી સ્વામી તથા તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી ઠાણા-૫ સૌરાષ્ટ્રમાંથી વિહાર કરી પોષ વદમાં ભચાઉ પધાર્યા ત્યારે કાનજીભાઈના Page #354 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૪૧ કાકા તથા મોટાં બહેન પાસેથી દીક્ષાની લેખિત અનુમતિ મેળવી. સંવત ૧૯૯ર મહા સુદ-૪ સોમવારે માળારોપણ કરવામાં આવ્યું. દીક્ષાની શોભાયાત્રા મહા સુદ-૧૪ ગુરૂવારે તેમના કાકા શ્રી મુળજીભાઈ પેથાભાઈના ઘરેથી નીકળી. ભચાઉ શહેરની ઉત્તર દિશામાં આવેલ ગાલા રવા આણંદાની વાડીમાં જઈ પહોંચી શુભ મુહૂર્ત પૂજ્યપાદ આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપી. અને શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નૂતન નામ કેવલચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું. તેમની વડી દીક્ષા કચ્છ અંજારમાં થઈ હતી. જ્ઞાનં તતો નિર્નરર્થમMય નિર્જરા માટે જ્ઞાન મેળવ. અંજારમાં વડી દીક્ષા થઈ ગયા પછી પૂજય સાહેબ આદિ ઠાણાઓ ગ્રામાનુગ્રામ વિચરતા (૨) માંડવી પધાર્યા. તે વખતે શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી પંજાબ તરફ વિચરતા હતા. તેમની પ્રેરણાથી પંજાબના પંડિતજી બન્ને નાના મુનિરાજ શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા શ્રી કેવલચન્દ્રજી સ્વામીને અભ્યાસ કરાવવા આવ્યા. તેમની પાસે બન્ને મુનિરાજો સિદ્ધાન્ત ચન્દ્રિકા, હિતોપદેશ, પંચતંત્ર તથા અન્ય સંસ્કૃત સાહિત્યનું વાંચન કર્યું. સંવત ૧૯૯૩ ના ગુંદાલા ચાતુર્માસમાં પંડિત શ્રી રામકૃષ્ણ પાસે સિદ્ધાન્ત ચન્દ્રિકા ઉત્તરાર્ધ-દશગણનું પુનરાવર્તન, પ્રક્રિયા તેમ જ કૃદન્ત કર્યા. ત્યાર બાદ છે વર્ષ સુધી આગમોનું અધ્યયન કર્યું. સંવત ૧૯૯૯ અને ૨૦૦૦ ના ચાતુર્માસમાં પં. શ્રી કરૂણાશંકર ઓધવજી પાસે વ્યાકરણ, કિરાતાર્જનીય મહાકાવ્ય તથા નૈષધ સાથે અન્ય સાહિત્યનું વાંચન કર્યું. સંવત ૨૦૦૧ ની સાલે સાયલામાં સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી ભેગા થયા. તેમને તે વખતે ચકરીની તકલીફ હતી તેથી પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામીને પોતાની સાથે રાખવા પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામીને વિનંતી કરી. બન્ને પૂજ્યોએ અનુમતિ આપી તેથી તેમનું તે ચાતુર્માસ મોરબીમાં સદાનંદી મહારાજ સાથે થયું. તે ચાતુર્માસમાં પોતે વ્યાખ્યાન ફરમાવતા તથા સદાનંદી મ. શ્રી પાસે ઠાણાંગ સૂત્રની વાચના લીધી. પંડિત મ. શ્રીના વિનય, વૈયાવચ્ચ અને સરળતાના ગુણથી સદાનંદી મહારાજને તેમના તરફ ખૂબ જ સર્ભાવ થયો. સંવત ૨૦૦૨ નું ચાતુર્માસ વઢવાણ કર્યું. ત્યાં જામનગરના વેદાન્તશાસ્ત્રી શ્રી વ્રજલાલ વાલજી ઉપાધ્યાય પાસે વ્યાકરણ, કાવ્ય સાથે સાહિત્યનું વાંચન કર્યું. ત્યાર બાદ તર્કસંગ્રહ, સિદ્ધાન્ત મુક્તાવલિ વગેરે ન્યાયના ગ્રન્થોનો અભ્યાસ કર્યો. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી કેવળચન્દ્રજી સ્વામી ત્યાર પછીના ઘણાં વર્ષો સિદ્ધાન્તનું વાંચન અને ગુર્નાદિકની સેવા તેમજ વ્યાખ્યાન વગેરેની જવાબદારીમાં ગાળ્યા. જ્ઞાન માત્રિ યા વિના આચરણ વિનાનું જ્ઞાન ભારરૂપ. પંડિતરત્ન શ્રી કેવલચન્દ્રજી સ્વામી જેટલા જ્ઞાનમાં આગળ વધ્યા તેટલા જ આત્મસંયમમાં આગળ વધ્યા. જ્ઞાનની સાથે જો આચરણ ન હોય તો તે જ્ઞાન દીવા પાછળ અંધારા સમાન છે. સતત વાંચન-મનન અને ચિંતનથી અન્તર્મુખી બનતા ગયા. હૃદયના ઉગારીપૂર્વક સરલ તથા સચોટ ભાષામાં વ્યાખ્યાન ફરમાવતા જેથી શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈ જતા. તદુપરાંત સમાજના કુરિવાજો ને દૂર કરવા સ્પષ્ટ શબ્દોમાં ઉદ્દબોધતા, તે સમયે સમાજનો બિલકુલ ભય ન રાખતા જેથી નીડર વક્તા' કહેવાયા. તેઓશ્રીની સંયમપ્રીતિ અને પાપભીતિ કેવી હતી તે બતાવતો લેખ અક્ષરશઃ તેમની જ નોંધપોથીમાંથી ઉપલબ્ધ થાય છે. આ રહ્યો તે પ્રેરણાદાયી લેખ. “મારી પોતાની ઈચ્છાથી ઓપરેશન નાનું અથવા મોટું કરાવવું નહિ. ઈંજેકશનો કે વિલાયતી દવા પીવા માટે, ટીકડીઓ ગળવા માટે ન લેવી. ગુરૂ અથવા વડીલ કે સંઘ તરીકે બધા મળીને કહે અને તેનું ફક્ત મન રાજી કરવા ઉપરની કોઈ ચીજોનો ઉપયોગ કરવો પડે તો તેની પાછળનું “દંડ પ્રાયશ્ચિત” વડીલ, ગુરૂ અથવા સંઘની સાક્ષીએ કરવું, અને તેનો અમલ અવશ્ય કરવો. સંવત ૨૦૧૪, ભાદરવા વદ-૬ શુક્રવાર તા. ૩-૧૦-૫૮ પ્રભાતના સાત બજે. મુનિ કેવળ. ઉપરની નોંધ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પંડિત મ. શ્રી સ્વેચ્છાએ કોઈ પણ જાતનો દોષ સંયમમાં લગાડવા ઈચ્છતા જ નહિ. શરીરાદિ પ્રત્યે અમૂર્છાભાવ અને સંયમપ્રત્યેની જાગૃત દશા જોઈ ખરેખર મસ્તક નમી પડે છે. કહેવાનું મન થાય છે કે સહેજ બીમારી થાય અને ડોકટરની પાસે જવાવાળા અને વિલાયતી દવાઓ, ગોળીઓ, ઈંજેકશન વગેરે લેવાવાળા સાધુ-સાધ્વીજીઓએ આ પ્રસંગમાંથી પ્રેરણા લેવા જેવી છે. વિદ્યા અને વિદ્યાર્થીના ચાહક પંડિત મહારાજ શ્રી” પંડિત મ. શ્રી વિદ્યા અને વિદ્યાર્થીના ચાહક હતા. કચ્છમાં રહેતા સંતસતીજીઓ સંસ્કૃતનો અભ્યાસ કરી શકે તે માટે સંસ્કૃત પાઠશાળા ઊભી કરવાની ઝંખના તેઓશ્રી ઘણા વર્ષોથી સેવી રહ્યા હતા. તા. ૨૫-૧૧-૬પ ના પૂજય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ગુંદાલા પધાર્યા. વિદ્યાપ્રેમી મહારાજશ્રીના Page #356 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૪૩ અથાગ પ્રયત્નોથી અને કંઠીના દાનવીરોની પૂર્ણ સહાયતાથી તા. ૨૬-૧-૬૫ શુક્રવારે પાઠશાળાની સ્થાપના થઈ. વિદ્યાપિપાસ સંત-સતીજીઓનો બિહારના પંડિત શ્રી ચન્દ્રશેખર ઝા પાસે સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો. સુંદર રીતે ચાલતા અભ્યાસ ક્રમને જોઈને તેઓશ્રી પ્રસન્ન થયા. વાધ્યાયધ્યાનમ્યાં પ્રમઃ અર્થાત્ સ્વાધ્યાય અને ધ્યાનમાં તું પ્રમાદ કર નહિ. આ વાક્યને પંડિત શ્રીએ સારી રીતે પોતાના હૃદયમાં ઉતાર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ધ્યાન-ચિંતન માટે જાગરણ કરતા. દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ કરતા, પરંતુ ભાવિના ભેદને કોણ પીછાણી શકે ?” સંવત ૨૦૨૨ માગશર વદ-૧૧, તા. ૧૮-૧૨-૧૯૬૫, શનિવારે હંમેશના નિયમ પ્રમાણે સવારે 8 વાગ્યે જાગૃત થઈ બેઠા હતા. હાથમાં માળા હતી, સ્મરણ ચાલુ હતું. બરાબર પરોઢિયે ૫-૧૫ વાગ્યે હાથમાંથી માળા પડી ગઈ. પાટ ઉપર સહજ બેભાન સ્થિતિમાં ઢળી પડયા. પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. તે જ સમયે પરમપૂજ્ય જીવનદાતા તારક ગુરૂદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી ત્યાં પધાર્યા ને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જેના નખમાંય રોગ નથી તેને એકાએક આ શું થઈ ગયું? વાત્સલ્યપૂર્ણ વચનોથી પૂજય સાહેબ પૂછી રહ્યા છે, કેવલ, કેવલ ! શું થાય છે ?' ત્યારે સુવિનીત શિષ્ય એક જ વાક્યમાં જવાબ આપ્યો, “કઈ નથી, સારું છે.” સાથેના મુનિઓ પણ જાગી ગયા હતા. તરત જ ડોકટરને બોલાવવામાં આવ્યા. ડોકટરે ચિકિત્સા કરી બ્લડ પ્રેશર છે એમ કહ્યું, હું હમણાં જ સાધનો લઈને આવું છું. યમકેરા દૂતો આવે, આવીને પકડશે, ડૉકટરો ને વૈદ્યો ત્યારે પાછા પડશે, ભરેલા રહેશે ઘરમાં, બાટલા દવાના... જવાના... ડૉકટરના ગયા પછી પીડાનું પ્રમાણ વધ્યું. ડૉકટર તરત જ હાજર થઈ ગયા અને તપાસ કરતાં કહ્યું કે હંસ પિંજર છોડીને ચાલ્યો ગયો છે. બરાબર પરોઢિયે પ૩૦ કલાકે આ ઘટના બની. એ ગોઝારો દિવસ હતો. માગસર વદ-૧૧, સંવત ૨૦૨૨. સર્વત્ર હાહાકાર વર્તાઈ ગયો. પૂ. ગુરૂદેવ શાંતમૂર્તિ મ. શ્રી રૂપન્દ્રજી સ્વામી તો બેભાન-સા બની ગયા. સૂર્યોદય થતાં પહેલાં તો ઉપાશ્રય આખો શ્રાવોથી ભરાઈ ગયો. આખા ગામમાં ભારે શોક છવાઈ ગયો. જેણે સાંભળ્યું તેની આંખો ભીની બની. તે વખતે ચરિત્રનાયકશ્રીના પરમ મિત્ર તત્ત્વજ્ઞ પં. મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી ઠાણા-૨ સમાઘોઘા (કચ્છ) માં Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સંપ્રદાયની પરંપરા બિરાજતા હતા. તરત જ સંદેશવાહક દ્વારા ખબર મોકલવામાં આવ્યા. તેણે ફક્ત બીમારીના જ સમાચાર આપ્યા. બન્ને ઠાણાઓએ તરત જ સમાઘોઘાથી ગુંદાલા જવા માટે વિહાર કર્યો. ભોરારા સડક પાસે આવતાં જ એક વૃદ્ધ શ્રાવક દુઃખ સાથે બોલી ગયા. “મહારાજ ! કમ ભારી ખોટો થ્યો, કેવલચન્દ્રજી મહારાજ કાળ કરી વ્યા.” અર્થાતુ કેવલચન્દ્રજી સ્વામી કાળધર્મ પામી ગયા તે કામ બહુ ખોટું થયું. આ સાંભળી પૂ. નવલચન્દ્રજી સ્વામી ધરતી પર ઢળી પડયા. થોડા સમય પછી કંઈક સ્વસ્થ થયા ત્યારે લથડતા પગે મહામુસીબતે ગુંદાલા પધાર્યા. જેણે સાંભળ્યું તેણે આઘાતનો અનુભવ કર્યો કારણ કે તે વખતે મુનિરાજશ્રીની ઉંમર ફક્ત ૪૮ વર્ષની હતી. ૩૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો. ચરિત્રનાયકમુનિ શ્રી અજબ નૈતિક હિંમતવાન હતા. પોતાને સત્ય લાગે તે સ્પષ્ટ કહી દેતા. સંયમ જીવનના પ્રથમ દિવસથી જ ગુરૂભક્તિ, વૈયાવચ્ચ, સહિષ્ણુતા, ઉદારતા, નિરભિમાનતા, ધ્યાન, સ્વાધ્યાય, તપશ્ચર્યા, સરલતા આદિ ગુણોમાં ગુરૂકૃપાથી અભિવૃદ્ધિ કરતા જ રહ્યા. પૂ. કૃપાળુ ગુરૂદેવને કાયમ માટે છોડી જનાર, આજીવન સખા પંડિત મ. શ્રી નવલચન્દ્રજી સ્વામીની ચિર વિદાય લઈ નવલ-કેવલની જોડીને ખંડિત કરનાર મુનિશ્રીના તેજસ્વી ચહેરા પર ક્યારેય ગુસ્સાની ઓછી રેખા જોવામાં આવી ન હતી. તેઓશ્રીની ગુરૂભક્તિ પણ અવર્ણનીય હતી, તેથી ગુરૂકૃપા સારી તેમણે પ્રાપ્ત કરી હતી. તેમની પુણ્યતિથિ અષાઢ વદિ-૧૧ ના દિવસે મનાવાય છે. (લીંબડી અજરામર સંપ્રદાયની સુવિશુદ્ધ પરંપરા) “અજરામર વિરાસત”ના આધારે લીંબડી સંપ્રદાયની તે વખતની પરંપરા પ્રમાણે સાધુ સંમેલન ભરાય અને ત્યાર પછી જ ગાદીપતિ પદ તથા આચાર્ય પદ એમ બે પદવીઓ બે મહાપુરૂષોને આપવામાં આવતી. ક્યારેક પદવી એક જ મહાપુરૂષને અપાતી ક્યારેક એક પદવી અપાતી પણ સાધુ સંમેલન બોલાવીને જ આપવામાં આવતી. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ આ છે અણગાર અમારા નોંધ : ૮૫, ૮૬, ૮૮ અને ૮૯ નંબરના પટ્ટધરને વિધિસર કોઈ પદવી અપાયેલ નથી પરંતુ તેઓશ્રીના એક પ્રકારના બહુમાન અર્થે પટ્ટધરોની યાદીમાં નામ સામેલ કરેલ છે. સંપ્રદાયમાં ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે એવા સુવિહિત, ગીતાર્થ, સંયમનિષ્ઠ, શિષ્ય પરિવાર સંપન્ન સાધુજી, બીજા કરતાં દીક્ષામાં નાના હોય તો પણ એમને આચાર્ય પદવી આપવામાં આવતી. (૧) પૂ.શ્રી અજરામરજી સ્વામી (૨) પૂ.શ્રી ભાણજી સ્વામી (૩) પૂ.શ્રી દેવજી સ્વામી (૪) પૂ.શ્રી કાનજી સ્વામી (૫) પૂ.શ્રી દીપચંદ્રજી સ્વામી (૬) પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી; આ છ મહાપુરૂષો કરતાં તે સમયે દીક્ષામાં વડીલ સાધુઓ હતા છતાં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. એવા સમયે દીક્ષામાં વડીલ હોય પરંતુ ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે તેમ ન હોય અથવા તો શારીરિક ક્ષતિયુક્ત હોય તેવા સુવિહિત, પરિવાર સંપન્ન પુણ્યશાળી સાધુજીને એમના બહુમાન અર્થે ગાદીપતિ તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવતા પરંતુ આચાર્ય પદના પ્રતીક તરીકે પછેડી તો આચાર્યશ્રીને જ ઓઢાડવામાં આવતી. સંપ્રદાયના તમામ સાધુ-સાધ્વીજી આચાર્યશ્રીની નિશ્રામાં ગણાતા અને આચાર્યશ્રીની આજ્ઞામાં રહેતા. ગાદીપતિની તો ફક્ત પ્રતિક્રમણની આજ્ઞાનું પ્રવર્તન ચાલતું. દિક્ષામાં વડીલ હોય અને આચાર્યશ્રી તરીકે ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે તેવા પુણ્યશાળી, કાર્યકુશળ, શિષ્ય પરિવાર સંપન્ન અને ગીતાર્થ હોય એવા સાધુજીને આચાર્ય પદવી આપવામાં આવતી. ગાદીપતિ પણ એ જ રહેતા. સંપ્રદાયની પરંપરા અનુસાર (૧) અગીતાર્થને (૨) સંયમ પ્રત્યે આસ્થા ન હોય તેને (૩) શિષ્ય પરિવારથી યુક્ત ન હોય તેને (૪) એકલવિહારીને (૫) અન્ય કોઈ કારણ હોય તેમને કોઈ પણ પદ આપવામાં આવતું નથી. લીંબડી સંપ્રદાયની સુવિશુદ્ધ પરંપરાના રહસ્યનું કારણ સાધુ-સંમેલનો, ગુણવત્તા પ્રમાણે આચાર્યની તથા ગાદીપતિની વરણી અને સમાચારી નિર્માણની અપૂર્વ પ્રક્રિયા... વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવવામાં આવ્યા છે. જે વ્યવહાર પ્રવર્તતો હોય તે પ્રમાણે સાધુજીઓ વર્તે તે આરાધક ગણાય, વ્રતમાં દોષ લાગેલ હોય તેમજ (વર્તમાન સમય અનુરૂપ) સામાચારીના નિયમનો ભંગ થયેલ Page #359 -------------------------------------------------------------------------- ________________ ३४६ સંપ્રદાયની પરંપરા હોય અથવા અપવાદ માર્ગ સેવવો પડ્યો હોય તો ગુર્વાદિક આગળ ભૂલનો એકરાર કરી પ્રાયશ્ચિત જે આપે તે સહર્ષ સ્વીકારે તે આરાધક ગણાય. પાંચ પ્રકારના વ્યવહારઃ (૧) આગમ વ્યવહાર (૨) સૂત્ર વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જિત વ્યવહાર. આ પાંચ વ્યવહારમાં આગમ વ્યવહાર વિચ્છેદ ગયેલ છે. બાકીના ચાર વ્યવહાર પ્રવર્તે છે, તેમાં સૂત્ર વ્યવહાર સંપૂર્ણપણે પ્રવર્તતો નથી. બાકીના ત્રણ વ્યવહાર પ્રવર્તે છે. ગચ્છ પરંપરા અર્થાત્ સંપ્રદાયના આચાર્ય, પ્રવર્તક કે સ્થવિર મુનિરાજો ભેગા મળીને જે “સામાચારી” (સાધુ જીવનની આચાર સંહિતા) નક્કી કરે તેને “જિત વ્યવહાર” કહેવાય. તે પ્રમાણે સાધુ-સાધ્વીજીઓ પ્રવર્તે તો તેઓ ભગવાન મહાવીર સ્વામી અને આચાર્ય મહારાજ તથા ગુરૂમહારાજની આજ્ઞાના આરાધક ગણાય. આપણા સંપ્રદાયની પરંપરા મુજબ જિત વ્યવહાર સામાચારી ચારિત્ર ધર્મ પાલન માટે આચાર્ય મહારાજ, સ્થવિર મુનિરાજોએ ભૂતકાળમાં જ્યારે જયારે આચાર્ય પદ કે ગાદીપતિ પદનું આરોપણ થાય ત્યારે જિત વ્યવહાર સામાચારીના બોલ બાંધેલ છે. તે બધા પાકા લખાણોની વ્યવસ્થિત નોંધ “અજરામર વિરાસતમાંથી વાંચી લેવી. ૭૩મી પાટે પૂ.શ્રી ભાણજી સ્વામી (દીક્ષા સંવત ૧૮૫૫, વૈશાખ સુદ૧૧)ને વિ.સં. ૧૮૮૦ માગસર સુદ-૯ના દિવસે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું ત્યારે એમનાથી દીક્ષાએ ત્રણ મુનિરાજો મોટા હતા. એ ત્રણમાંથી કોઈને પણ ગાદીપતિ પદ આપવામાં આવ્યું ન હતું. કારણ કે દીક્ષાએ મોટા હોય એ ગાદીપતિ થાય જ, એવો સંપ્રદાયનો કોઈ ફાયદો નથી. કોઈ પણ પદવી યોગ્યતા પ્રમાણે જ અપાતી. નીચેના ત્રણેય નામો વિ.સં. ૨૦૨૦માં છપાયેલ “ભદ્રસ્વભાવી શ્રી નાગજી સ્વામીનું જીવન દર્શન અને લીંબડી સંપ્રદાયના પટ્ટધરોની પરંપરા પટ્ટાવલિ” પુસ્તકમાં પેજ નં-૫૭ ઉપર છે.) (ક) તેજપાલજી સ્વામી, દીક્ષા સં. ૧૮૪૬, વૈશાખ સુદિ-૫, સ્વર્ગવાસ સં. ૧૮૯૧, પોષ સુદિ-૪, શનિવાર-લીંબડી (ખ) મોટા મોણસિંહ સ્વામી, દીક્ષા: સં. ૧૮૪૯, કારતક વદિ-૧૩, સ્વર્ગવાસ : સં. ૧૮૮૭, મોજીદડ. (ગ) મોટા દેવજી સ્વામી, દીક્ષા : ૧૮૫૦, ચૈત્ર વદ-૯, લીંબડી, સ્વર્ગવાસ : Page #360 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૪૭ સં. ૧૮૮૭, જેતપુર. વિ.સં. ૧૮૮૮ના મહા સુદિ-રના પૂજય શ્રી હરચંદ્રજી સ્વામી (દીક્ષા : સં. ૧૮૬૬, માગસર સુદિ-પને ગાદીપતિ તરીકે અને આચાર્ય તરીકે પૂ.શ્રી દેવજી સ્વામીને (દીક્ષા સં. ૧૮૭૦ પોષ વદ-૮)ને લીંબડી મુકામે આચાર્ય પદે સ્થાપવામાં આવેલ. તે વખતે આચાર્ય શ્રી દેવજી સ્વામીથી નીચેના છ સાધુજીઓ દીક્ષાએ મોટા હતા. (૧) તેજપાલજી સ્વામી : દીક્ષા - ૧૮૪૬, વૈશાખ સુદ-૫, સ્વર્ગવાસ : ૧૮૯૧, લીંબડી (૨) કાકા કરમશી સ્વામી : દીક્ષા ૧૮૫૬, સુરત, કાળધર્મ: ૧૯૦૬ વઢવાણ. (૩) રાયમલજી સ્વામી દીક્ષા-૧૮૬૧, રાપર, કાળધર્મ સં. ૧૯૦૨, લીંબડી. (૪) પૂ. મોટા મૂલજી સ્વામી : દીક્ષા-૧૮૬૩, મોરબી, કાળધર્મ : ૧૯૦૪, અમદાવાદ. (૫) પૂ. ગાદીપતિ હરચંદ્રજી સ્વામી : દીક્ષા-૧૮૬૬, લીંબડી, કાળધર્મ : ૧૯૧૪, લીંબડી. (૬) અવિચળજી સ્વામી-કચ્છ-વાગડ-રવના વતની, દીક્ષા: ૧૮૬૯ લીંબડી, કાળધર્મ : ૧૯૧૧, લીંબડી. નોંધ : પૂ. ગાદીપતિ શ્રી હરચંદ્રજી સ્વામીશ્રી ઉપરોક્ત સં. ૧ થી ૪ સાધુજીઓ દીક્ષાએ મોટા હતા. આ ચારમાંથી કોઈને ય ગાદીપતિ પદ આપવામાં આવ્યું ન હતું. એના માટે ઉપર જે પાંચ કારણ બતાવ્યા તે પૈકીનું કોઈપણ કારણ હોઈ શકે. તેથી દીક્ષાએ મોટા હોય તેમને ગાદીપતિ કે આચાર્ય પદ અપાય એવી લીંબડી સંપ્રદાયની પરંપરા નથી. એના માટેની યોગ્યતા હોવી અનિવાર્ય છે. કેવલ દીક્ષાપર્યાયમાં મોટા હોવું એ આ ઉચ્ચતમ સ્થાન માટેનો માપદંડ નથી પરંતુ ગચ્છની તેજસ્વિતા જાળવે એવા ઉપરોક્ત દોષ રહિત પુણ્યપ્રતાપી સાધુ-પુરુષને ઉપરોક્ત પદવી આપવાની લીંબડી સંપ્રદાયની પરંપરા છે અને તે પરંપરાને ચૂસ્તપણે વળગી રહેવામાં જ સંપ્રદાયનું ગૌરવ અને હિત સમાયેલું છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રી ચુનીલાલજી સ્વામી પૂજ્ય સાહેબ શ્રી ચુનીલાલજી સ્વામી પૂ. શ્રી ચુનીલાલજી સ્વામીનો જન્મ રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના સજ્જનપર ગામમાં વિ.સં. ૧૯૬૧, ફાગણ સુદ-રને બુધવારના દિવસે માતા શ્રી કેશરબહેનની કુક્ષિએ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવજીભાઈ જશરાજ મહેતા હતું. તેઓશ્રી બે ભાઈઓ તથા સાત બહેનો હતા. તેમનું નામ ચુનીલાલભાઈ હતું. આનંદપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. - બાલપણમાં માતા-પિતાનો વિયોગ, ગાંધીવાદનો સંયોગ નાની ઉંમરમાં ચુનીલાલ માતા-પિતાનો પ્રેમ પામે તેના પહેલા તો એમણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી પરલોકવાસી થયા. વડીલ બંધુ ભાઈચંદભાઈએ હૂંફ આપી. માતુશ્રી કેશરબહેનનું પિયર મોરબી હતું. ત્યાં રહેતા તેમના માતા વખતમાં પોતાના ભાણેજોની આવી સ્થિતિ જોઈને પોતાને ત્યાં તેડાવી લીધા. મામા તથા મામાના સુપુત્રો સાથે બરાબર ગોઠવાઈ ગયા. સમયને જતાં ક્યાં વાર લાગે છે? મોરબીની વી.સી. હાઉસ્કૂલમાં નવ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. વડીલ બંધુ ભાઈચંદભાઈ મુંબઈમાં નોકરીએ લાગી ગયા. તેમણે ચુનીલાલને મુંબઈમાં બોલાવી લીધો. ત્યાં નોકરીએ લગાડી દીધા. મોટા ભાઈના લગ્ન થઈ ગયા. ભાઈ-ભાભીની સાથે પ્રેમથી રહેતા હતા, પરંતુ એમનું મન ક્યાંય ન લાગ્યું. તે વખતે હજી ગાંધીવાદની શરૂઆત હતી. તેમના આદર્શો ચુનીલાલને સ્પર્શી ગયા. ત્યારથી હાથ વણાટની ખાદી પહેરવાનો મનોમન નિર્ણય કર્યો. એમના માટે જ્યારે સગપણની વાત આવી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કેમ કે એમને સંસારમાં પડવાનો કોઈ રસ ન હતો. સમર્થ ગુરૂદેવનો મુંબઈમાં સમાગમ વિ.સં. ૧૯૮૨ની સાલે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીનું ચાતુર્માસ ઘાટકોપર ઈસ્ટમાં હતું. તે વખતે ત્યાં ઉપાશ્રય ન હતો તેથી ચાતુર્માસ જગજીવન દયાળજીની વિશાળ વાડીમાં હતું. ત્યાં તેમના પ્રવચનોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. તેમની સાથે મુનિશ્રી હર્ષચંદ્રજી હતા. બે જ ઠાણા ચાર્તુમાસ હતા. મોટાભાઈ ભાઈચંદ પ્રવચનોથી પ્રભાવિત થઈને ચુનીલાલભાઈને કહ્યું, “એક મહાન પ્રભાવશાળી સંતપુરૂષ પધાર્યા છે તેમનું વ્યાખ્યાન સાંભળવા જેવું છે.” Page #362 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૪૯ ચુનીલાલભાઈ પ્રવચન સાંભળવા આવ્યા. તેમના પ્રવચનથી ખૂબ જ પ્રભાવિત થયા તથા મોટાભાઈની આજ્ઞા લઈને પૂ. ગુરૂદેવ સાથે સંયમ જીવનની તાલિમ લેવા લાગ્યા. જો કે તેમને અગાઉ પૂ. પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીનો પરિચય થયેલો તથા તેમની સાથે દીક્ષાના ભાવ પણ જાગેલા પરંતુ પૂ. નાનચંદ્રજી સ્વામી સાથે વિશેષ ઋણાનુબંધ જેથી એમની સાથે ભણવા લાગ્યા. એમના પછી ટંકારાના શિવલાલભાઈ કે જેઓ ગાંધી વિચારથી રંગાયેલા હતા તેઓ પણ ગુરૂના સત્સંગથી વૈરાગ્યવાસિત થયા. તેઓ પણ સાથે ભણવા લાગ્યા. સંયમ પંથે પ્રયાણ ઃ વિ.સં. ૧૯૮૪ની સાલે, માગસ૨ સુદિ-૬, બુધવારના પ્રસિદ્ધવક્તા પૂ. નાગજી સ્વામીના શ્રીમુખેથી લીંબડીમાં તેમની દીક્ષા થઈ. નવદીક્ષિત ચુનીલાલજી સ્વામી પૂ. નાનચંદ્રજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. લીંબડી નરેશ દોલતસિંહજી તથા શેઠ સુખલાલ ચત્રભુજ આદિ સમસ્ત સંઘે દીક્ષા પ્રસંગને ખૂબ જ દીપાવ્યો હતો. આણાએ ધમ્મો : દીક્ષા લઈને પૂ. ચુનીલાલજી સ્વામી ગુરૂ આજ્ઞામાં સમર્પિત બની ગયા હતા. ગુરૂદેવની કાવ્ય રચનાનો વારસો અમુક અંશે પૂ. ચુનીલાલજી સ્વામીની પણ પ્રાપ્ત થયો હતો. પૂ. નાનચંદ્રજી સ્વામીના મોટા ગુરૂભાઈ પૂ. સુંદરજી સ્વામીના જ્ઞાન ધ્યાનનો લાભ પણ તેમને સારો પ્રાપ્ત થયો હતો. ક્યારેક અભ્યાસના કારણે ગુરૂદેવથી જુદા પડતા તો તેમને ચેન પડતું નહિ. ગુરૂભક્તિ અહોનિશ મળે તેમાં એમને વધારે રસ હતો. ગુરૂસેવાનો અનુપમ લાભ : પૂ. ચુનીલાલજી સ્વામીની સેવા ભક્તિ અનુપમ હતી. તેમની સેવા જોઈને ખુદ ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. ગુરૂદેવને પ્રવાહી પીવડાવતાં મોઢામાંથી નીકળે તો નાનું પાત્ર ધરે તથા તેને ગુરૂની પ્રસાદી માનીને પોતે પી જતા તે જોઈને બધા નવાઈ પામી જતા હતા. ગુરૂદેવના વિરહમાં અન્તર્યામીની મસ્તી વિ.સં. ૨૦૨૧, માગસર સુદિ-૯ના સાયલા મુકામે પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીને હાર્ટનો હુમલો આવ્યો ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામી ગુરૂદેવની સેવામાં હાજર હતા. સેવા કરવાના તેમના કેવા ઊંચા ભાવો હતા કે છેલ્લે સુધી પોતે ખડે પગે હાજર હતા. સાડત્રીશ વર્ષ સુધી ગુરૂ સેવાનો અપૂર્વ લાભ મળ્યો અને અચાનક ગુરૂદેવ દિવંગત થતાં વિરહની વેદનામાં પણ પોતાની આંતરિક અને બાહ્ય સજાગતા અદ્ભુત ટકાવી રાખી હતી. પોતે અન્તર્યામીની મસ્તીમાં Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શ્રી ચુનીલાલજી સ્વામી મસ્ત હતા. અધ્યાત્મ જ્ઞાનમાં તેમને ખૂબ જ રસ હતો. એમના પ્રથમ શિષ્ય ચૂડાના વકીલશ્રી જગજીવનભાઈ થયા. તેમને દીક્ષા આપીને તેમનું નામ જગદીશ મુનિ આપ્યું. પૂ. સદાનંદી છોટાલાલજી સ્વામીનો મોરબીથી સંદેશો આવતાં સં. ૨૦૨૪ની સાલે તેઓ શ્રી ત્યાં પધાર્યા તેમણે પૂ. માધવસિંહજી મ. માટે ભલામણ કરી તથા સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. પૂ. ચુનીલાલજી સ્વામી તથા પૂ. માધવસિંહજી સ્વામી સાથે વિચરતા હતા. તે વખતે એટલે કે આજથી ૪૦ વર્ષ પહેલા સાધુને એકલા વિચરવાની મનાઈ હતી. જો એકલા વિચરે તો સંપ્રદાયમાંથી બહાર મૂકાઈ જાય, તેથી ફરજિયાત બે ઠાણા રહેવું પડે. આ પરંપરા બહુ સારી હતી. 'પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીને આચાર્ય પદવી પૂ. ગુરૂભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામીને સં. ૨૦૧૮ની સાલે આચાર્યપદવીનો મહોત્સવ વૈશાખ સુદમાં હતો ત્યારે ચતુર્વિધ સંઘની ઈચ્છાથી આચાર્ય પદના પ્રતીકરૂપે પછેડી ઓઢાડવાનો લાભ પૂ. ચુનીલાલજી સ્વામીને મળ્યો હતો. પૂ. રૂપચંદ્રજી સ્વામી પછી દીક્ષાનો ક્રમ ચુનીલાલજી સ્વામીનો હતો તેથીસ્તો..... પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પૂ. પરમોપકારી ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીની અનૂપમ ઉદારતા : પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામીના કાળધર્મ પછી પૂ. ચુનીલાલજી સ્વામી એકલા થઈ ગયેલા. પૂ. માધવસિંહજી સ્વામી અમુક વર્ષો સાથે રહેલા પણ પછી છૂટા પડી ગયેલા ત્યારે બે ચાતુર્માસ જેતપુર તથા સાયલા પૂ. રૂ૫-નવલ ગુરૂદેવે પૂ. નેમિચંદ્રજી સ્વામી, પૂ. ચુનીલાલજી સ્વામીની સેવામાં રાખીને પોતાની અનુપમ ઉદારતાના દર્શન કરાવ્યા હતા. 'તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીની ઉદારતા તથા 'મોટા ચંદનબાઈ મ.ની સરળતા સંવત ૨૦૪૦નું ચાતુર્માસ લીંબડીમાં હતું ત્યારે તેઓશ્રી એકલા જ હતા. પૂ. લાલચંદ્રજી સ્વામી સ્થિરવાસ હતા, ત્યારે પૂ. તપસ્વી રામચંદ્રજી સ્વામી આદિ ઠાણા-૩ અષાઢ સુદિ-૮ના લીંબડી પધાર્યા. સત્તાવાર ચાતુર્માસ પૂ. મોટા ચંદનબાઈ મ.નું હોવાથી પૂ. રામચંદ્રજી સ્વામી આદિ ઠાણા-૩ લખતર ચાતુર્માસનું નક્કી કરી રહ્યા હતા કેમકે લખતર સંઘની અત્યંત ભાવભીની વિનંતી હતી પરંતુ પૂ. ચંદનબાઈ મ.ની સરળતા ખૂબ જ તેથી લીંબડીમાં જ ચાતુર્માસ કરવા વિનંતી Page #364 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩પ૧ કરી તથા સંઘના ઉત્સાહમાં વધારો કર્યો. પૂ. ચંદનબાઈ મ. તથા ઈન્દુબાઈ મ.ની વ્યવહાર કુશળતા તથા ઉદારતા ખૂબ જ. પૂ. આચાર્ય રૂપચંદ્રજી સ્વામી સં. ૨૦૩૯ની સાલે વૈશાખ વદિ ૦))ના ભચાઉ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામી એકલા હતા તેથી સંપ્રદાયની પરંપરા પ્રમાણે ગાદીપતિ પદ માન્ય ન રહી શકે પરંતુ પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓ એમની સાથે રહીને પોતાની ઉદારતાના દર્શન કરાવ્યા હતા. ચાતુર્માસ પછી પણ સાથે જ રહ્યા હતા. સં. 2040 તથા 2041 બે ચાતુર્માસ સાથે રહીને પૂ. તપસ્વી રાજે તેમની ખૂબ જ સેવા કરી હતી. તે વખતે કચ્છ ગુંદાલાના પરંતુ ચીંચણ નિવાસી સગા મણીબેન વિશનજી ભાઈના સુપુત્રો નવનીતભાઈ તથા ચેતનભાઈ બે વર્ષથી પુ. મહાસતીજીઓ સાથે અભ્યાસ કરી રહ્યા હતા. પૂ. ચુનિલાલજી સ્વામી શિષ્યમોહથી મુક્ત હોવાના કારણે નિયમ લઈ લીધેલો કે મારે શિષ્યો કરવા નહિ. જયારે બે ભાઈઓને મહાસતીજીએ મૂક્યા ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામીએ પૂ. રામચંદ્રજી સ્વામી તથા પ્રકાશ મુનિને કહેલું કે તમારી જવાબદારીથી જ લેજો કેમકે મારે શિષ્યો કરવા નથી. બંને ભાઈઓ મુનિ શ્રી પ્રકાશચંદ્રજી પાસે દશ વૈકાલિક સૂત્ર, સંસ્કૃત પ્રથમ બુક, બીજી બુક આદિનો અભ્યાસ પણ કરેલ પછી બિદડા ચાતુર્માસમાં મહાસતીજીઓ તથા અમુક શ્રાવકોની વિનંતીથી તેમણે શિષ્ય કરવાની હા પાડી, પોતાના નિયમમાં બાંધછોડ કરેલી તથા બંને ભાઈઓને શિષ્ય તરીકે સ્વીકાર્યા ત્યારે સં. 2042 કારતક વદરના બિદડા મુકામે દીક્ષા થઈ તથા નવદીક્ષિતના નામ (1) નિરંજન મુનિ (2) ચેતન મુનિ રાખવામાં આવેલ. જેઓ અત્યારે બંધુબેલડી તરીકે વિચરી રહ્યા છે. આ પ્રસંગ બન્યા પછી વાંકાનેર સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ આદિ પૂ. નાનચંદ્રજી સ્વામીના ભક્તોએ, પૂ. સૂરજબાઈ મ. તથા પૂ. વિજયાબાઈ મ.ને કહેલું કે પૂ. રામચંદ્રજી સ્વામીએ અમારા ગુરૂદેવને જે સહયોગ આપ્યો છે, ખરા ટાઈમે ઉપયોગી થયા છે તેને અમે ગુરૂભક્તો ક્યારે પણ ભૂલી શકીશું નહિ. મોરબીમાં અંતિમ ચાતુર્માસ તથા સ્વર્ગવાસ છેલ્લા થોડાં વર્ષો પૂ. મોટા ચંદનબાઈ મ. તથા પુષ્પાબાઈ મ. આદિ વારાફરતી પૂ. ચુનીલાલજી સ્વામીની સેવામાં રહેતા તથા ભક્તિ કરતા. બંધુ બેલડી પણ ખૂબ જ સેવા બજાવતા. સં. ૨૦૪૪ની સાલે મોરબીમાં પુષ્પાબાઈ મ. આદિ ઠાણાઓ પણ સાથે ચાતુર્માસ હતા. ચેતન મુનિને ટાઈફોઈડ થવાના કારણે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી રામચંદ્રજી સ્વામી ચાતુર્માસ પછી પણ ત્યાં જ રોકાયેલા. કારતક વદિ-૧૪ સં. ૨૦૪૫ના પ્રારંભમાં જુનાગઢનું ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કરીને પૂ. પંડિતરત્ન ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓનું અપૂર્વ મિલન થયું. બપોરે ત્રણ વાગે સુગર લો થતાં બેશુદ્ધ થયા. ડૉક્ટર સાહેબ આવી ઉપચારો કરતા સારું થઈ ગયેલ પરંતુ સાંજે પ્રતિક્રમણની આજ્ઞા લીધી ત્યાં હાર્ટ એટેક આવ્યો. પૂ.શ્રીની ચારે બાજુ સૌ મુનિઓ વિંટળાઈ વળ્યા. છેલ્લી નજર નિરંજન મુનિ ઉપર કરીને કાયમ માટે આંખો મિંચાઈ ગઈ. ૮૪ વર્ષની ઉંમર, ૬૧ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સંપ્રદાયનું નામ રોશન કરી સ્વર્ગવાસ પામ્યા. પૂ. ભાવચંદ્રજી સ્વામીએ બધું સાંભળી લીધું. શ્રી મોરબીના સંઘે ખૂબ જ સેવા બજાવેલ. ડૉ. નીતિનભાઈ, ડૉ. સંઘવી સાહેબે ખૂબ સારી સેવા બજાવેલ. પૂ. ચુનીલાલજી સ્વામીનું ઉપનામ ચિત્તમુનિ હતું. * * * અપ્રમત્ત તપસ્વીરત્ન પૂ. શ્રી રામચંદ્રજી સ્વામી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામના પૂ. તપસ્વી રત્ન રામચંદ્રજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૯૯, પોષ સુદિ-૧૧, ઈ.સ. ૧૯૪૨ની સાલે પિતાશ્રી જેઠાલાલ લાલજી સાવલા તથા માતુશ્રી નાનબાઈ જેઠાલાલ સાવલાના ઘરે ભાયંદર (જિ. થાણા) મુકામે થયો હતો. તેમનું નામ ‘તલકશી’ રાખવામાં આવ્યું હતું. પાંચ બહેનો તથા ભાઈઓ, જેઓના નામ અનુક્રમે (૧) સ્વ. કેશરબહેન હીરજી મામણિયા, (૨) ગં.સ્વ. દેવકાબહેન મેઘજી છેડા, (૩) કુ. વિમળાબહેન બા.બ્ર. વિદુષી વિજ્યાકુમારીજી મહાસતીજી, (૪) કુ. રતનબહેન-બા.બ્ર. તારામતીબાઈ આર્યજી, (૫) ચીમનલાલ જેઠાલાલ સાવલા, (૬) તલકશીભાઈ - તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામી, (૭) સ્વ. ભવાનજી જેઠાલાલ સાવલા અને (૮) અ.સૌ. જયવંતીબહેન ઠાકરશી રાંભિયા. મોટા બહેનની દીક્ષા પ્રસંગે થયેલા દીક્ષાના ભાવ પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામીને બાળપણમાં ૬ ધોરણ સુધીનો અભ્યાસ, ભાયંદર, તુંબડી તથા નવાવાસ બોર્ડિંગમાં કર્યો હતો. નાની ઉંમરમાં મુંબઈ આવી ધંધાનો અનુભવ લેતા હતા ત્યાં વિ.સં. ૨૦૧૪ના ફાગણ સુદ-૩, Page #366 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૫૩ તુંબડી મુકામે મોટા બહેન વિમળાબહેનની દીક્ષાનો પ્રસંગ ઉપસ્થિત થયો. તે પ્રસંગે તુંબડી આવવાનું થયું. પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીએ પોતાની ૭૦ વર્ષની ઉંમરે પ્રથમ દીક્ષા આપી તથા તેમનું નૂતન નામ ‘બા.બ્ર. વિજયાકુમારીજી' રાખવામાં આવ્યું. બહેન ઉપરની અત્યંત લાગણી તથા પરમોપકારી પૂ.ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો સત્સંગ થવાથી તલકશી ભાઈને પણ દીક્ષા લેવાના ભાવ જાગ્યા. મોટા બહેન રતનબહેનને પણ દીક્ષાના ભાવ જાગ્યા તથા ગુરૂ-ગુરૂણીની સાથે જ્ઞાનાભ્યાસ કરવા તથા સંયમજીવનની તાલીમ લેવા નીકળ્યા. બે વર્ષ સુધી અભ્યાસ કરીને વિ.સં. ૨૦૧૬ના મહાસુદપના દિવસે કચ્છ-તુંબડી મુકામે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ભદ્રસ્વભાવી નાગજી સ્વામી, પૂ. ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી, પૂ. સક્તા કેવલચંદ્રજી સ્વામી આદિ મુનિવરો તથા મહાસતીજી મોટા મણિબાઈ આર્યજી (બિદડાવાલા) મહાસતીજી જવેરબાઈ આર્યજી, મહાસતીજી ધનગૌરીબાઈ આર્યાજી, બા.બ્ર. સૂરજબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સાંનિધ્યમાં ભાઈ-બહેને દીક્ષા લીધી. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીએ તેમને દીક્ષા આપીને તલકશીભાઈનું નામ નવદીક્ષિત રામચંદ્રજી સ્વામી તથા રતનબહેનનું નામ નવદીક્ષિતા તારામતીબાઈ આર્યાજી રાખ્યું. નાનબાઈ માતા કેવા ભાગ્યશાળી રત્નકુક્ષિ બન્યાં કે પોતાના એક સુપુત્ર તથા બે સુપુત્રીએ દીક્ષા લઈને જિનશાસનને દીપાવ્યું છે. સેવાધર્મ ઃ પરમગહનો યોગિનામપ્યગમ્યઃ : સેવા ધર્મ પરમ ગહન છે તેને યોગીઓ પણ જાણી શકતા નથી. પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામીએ દીક્ષા લીધી ત્યારથી જ ગુરૂચરણે સમર્પિત થઈ ગયા. પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીએ કહ્યું, “રામચંદ્રજી ! તને જ્ઞાનની અંતરાય છે તો સેવા તથા તપસ્યામાં જોડાઈ જા.'' ગુરૂ ભગવંતનાં આ વચનો એમણે અક્ષરશઃ સ્વીકારી લીધાં તથા મોટા-નાના સર્વે સંતોની અપ્લાન ભાવે સેવા-શુશ્રુષા કરતા. વૈયાવચ્ચને આત્યંતર તપ કહેવામાં આવેલ છે. વૈયાવચ્ચ ક૨વામાં ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામકર્મ બંધાય છે તેમ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યાયન સૂત્ર’ના ૨૯માં અધ્યયનમાં ફ૨માવેલ છે. આ વૈયાવચ્ચ દ્વારા એમણે વર્ષો સુધી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. શ્રી નાગજી સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી, પૂ. કેવલચંદ્રજી સ્વામી, પૂ. શ્રી ચુનીલાલજી સ્વામી, પૂ. નરસિંહજી સ્વામી તથા નાના સંતોની ભેદભાવ વિના અગ્લાન ભાવે સેવા કરતા. આવા મૂકસેવક નિરભિમાની મુનિરત્નની ખોટ Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામચંદ્રજી સ્વામી ૩પ૪ સંઘાડાને તથા સંપ્રદાયને સદેવ સાલશે. બૃિહદ્ ગુજરાતના જૈન સમાજમાં અદ્વિતીય તપસ્વી શિરોમણિ પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ ગુરૂદેવનો સત્સંગ થયો ત્યારથી જ તપસ્યાની જવલંત જયોત જગાવી અનેકવિધ કર્મોની નિર્જરા કરી છે તથા તપસ્વીને શાસનના પ્રભાવક કહ્યા છે તે પ્રમાણે જિનશાસનની અભુત પ્રભાવના કરી છે. અનુભવીઓનાં વચન સાચાં પડ્યાં છે “શાસન શોભે વીરનું, જ્યાં તપ તપે અણગાર' • સંવત ૨૦૧૫ કારતક સુદ - પાંચમથી જ્ઞાન પંચમી તપનો પ્રારંભ • સંવત ૨૦૧૫ ગુંદાલા ચાતુર્માસમાં ૧૪ ઉપવાસનો થાક (ઉપરની બંને તપસ્યા દીક્ષાર્થી અવસ્થામાં કરેલ છે) સંવત ૨૦૧૬ લાકડિયા ચાતુર્માસમાં ૫ ઉપવાસ, ૮ ઉપવાસ, અને ૯ ઉપવાસના થોક તથા ૧૧ છ8ની આરાધના. સંવત ૨૦૧૭ લીંબડી ચાતુર્માસમાં ૧૬ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ તથા ૫ ઉપવાસ • સંવત ૨૦૧૮ ચૂડા ચાતુર્માસમાં ૧૬ ઉપવાસ તે ઉપરાંત ઉપવાસનો વર્ષીતપ પારણું (ભચાઉ-કચ્છ) ગુરૂદેવોની જન્મભૂમિમાં થયેલ. • સંવત ૨૦૧૯ નંબૌ ચાતુર્માસમાં ૧૮ ઉપવાસ તથા ૮ ઉપવાસ • સંવત ૨૦૨૦ ઉનાળામાં બે મહિના સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ અને માંડવી ચાતુર્માસમાં ૭ ઉપવાસ પારણે ૮ ઉપવાસનો થોક. • સંવત ૨૦૨૧ સમાઘોઘા ચાતુર્માસમાં પ્રથમવાર ૩૦ ઉપવાસ (માસખમણ) • સંવત ૨૦૨૨ છઠ્ઠના પારણે છઠ્ઠનો વર્ષીતપ શરૂ કરેલ તથા • સંવત ૨૦૨૩ ની સાલે અખાત્રીજના દિવસે લાકડિયામાં પારણું કરેલ. • સંવત ૨૦૨૩ મુન્દ્રા ચાતુર્માસમાં ૯ ઉપવાસ તથા એક મહિના સુધી છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા • સંવત ૨૦૨૪ રતાડિયા ચાતુર્માસમાં ૩પ ઉપવાસનો થાક • સંવત ૨૦૨૫ ગુંદાલા ચાતુર્માસમાં ૮ ઉપવાસ (અઠ્ઠાઈ) • સંવત ૨૦૨૬ મોરબી ચાતુર્માસમાં પર ઉપવાસ, પારણે અનરાધાર અમીવૃષ્ટિ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ આ છે અણગાર અમારા • સંવત ૨૦૨૭ લીંબડી ચાતુર્માસમાં ૧૦ ઉપવાસનો થાક • સંવત ૨૦૨૮ સુરેન્દ્રનગર (કેરીબજાર) ચાતુર્માસમાં ૨૩ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૦ ભોરારા ચાતુર્માસમાં ૪૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૧ ભચાઉ ચાતુર્માસમાં ૬૦ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૨ ભચાઉમાં અખાત્રીજ થી અઠ્ઠમના પારણે અઠ્ઠમના વર્ષીતપનો પ્રારંભ. • સંવત ૨૦૩૩ ભચાઉમાં અખાત્રીજના દિવસે અઠ્ઠમના વર્ષીતપનું પારણું • સંવત ૨૦૩૪ અને • સંવત ૨૦૩૫ લગાતાર બે વર્ષ સુધી વર્ષીતપની આરાધના • સંવત ૨૦૩૬ થાનગઢમાં કારતક વદ-૧ના પારણું કરેલ. • સંવત ૨૦૩૭ સુરેન્દ્રનગર-કેરીબજાર ચાતુર્માસમાં ૭૯ ઉપવાસ. પારણે ૩૫ હજાર લોકોનું નવકારશી જમણ • સંવત ૨૦૩૮ ભચાઉ ચાતુર્માસમાં ૩૩ ઉપવાસનો થાક • સંવત ૨૦૩૯ લાકડિયા ચાતુર્માસમાં ૬૨ ઉપવાસનો થાક • સંવત ૨૦૪૦ લીંબડી ચાતુર્માસમાં ૫૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૪૨ લાકડિયા ચાતુર્માસમાં સિદ્ધિતપ (૪૫ દિવસ) • સંવત ૨૦૫૧ ભચાઉમાં ચૈત્ર મહિનાની ઓળીમાં ૮ ઉપવાસ (અઠ્ઠાઈ) • સંવત ૨૦૫૧ પ્રાગપુર ચાતુર્માસમાં આસો મહિનાની ઓળીમાં નવ ઉપવાસ (નવાઈ) • સંવત ૨૦૫ર સુરેન્દ્રનગર (ભારત સોસાયટી)ના ચાતુર્માસમાં ૬૯ ઉપવાસ • સંવત ૨૦૫૩ થાણા ચાતુર્માસમાં ૩૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૫૮ વલસાડ (છીપવાડ) ના ચાતુર્માસમાં ૩૧ ઉપવાસનો થાક • સંવત ૨૦૫૯ માટુંગા (વેસ્ટ)ના ચાતુર્માસમાં ૬૫ ઉપવાસનો થોક • સંવત ૨૦૬૦ ઘાટકોપર-સ્વાધ્યાય સંઘના ચાતુર્માસમાં પ્રથમ ૩૯ ઉપવાસનો થોક તથા બીજીવાર ૭૧ ઉપવાસનો થોક કુલ્લ ૧૧૦ ઉપવાસ એક જ ચાતુર્માસમાં કર્યા Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શ્રી રામચંદ્રજી સ્વામી તદુપરાંત અનેકવાર આયંબિલની ઓળીની આરાધના, અનેકવાર સળંગ એકાસણા આદિ વિવિધ તપસ્યા કરીને પૂ. ગુરૂ ભગવંત શ્રી રામચંદ્રજી સ્વામીએ ચોથા આરાની યાદ અપાવી છે. 'જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની આરાધના 'દ્વારા તપસ્વી ગુરૂ ભગવંતે મોક્ષ માર્ગને દીપાવ્યો ૦ જ્ઞાનારાધના: સંસાર અસાર છે. મોક્ષમાર્ગ તે જ સાર છે. મોક્ષ માર્ગનું અંતિમ ચરણ તપશ્ચરણ છે. આ પ્રકારના જ્ઞાનને ધારણ કરનારને પ્રભુ પંડિત કહે છે, જ્ઞાની કહે છે. પૂ. રામચંદ્રજી સ્વામી આવા જ્ઞાની હતા. ૦ દર્શનારાધનાઃ શરીર અને આત્માને જુદા જાણવા તે જ દર્શન છે. આ વાતને આત્મસાત કરનાર આવી ઉચ્ચ તપસ્યા કરી શકે. પૂ. રામચંદ્રજી સ્વામી ખરા અર્થમાં દર્શનારાધક હતા. ૦ ચારિત્રારાધના : વૈયાવચ્ચ મોક્ષમાર્ગને સાધનાર અનુત્તર આરાધના છે. નિરભિમાનતા, લોકેષણાત્યાગ, સરળતા આદિ ચારિત્રને પુષ્ટ કરનાર શ્રેષ્ઠ સગુણો છે તેથી તપસ્વી રત્ન પૂ. રામચંદ્રજી સ્વામી ખરા અર્થમાં ચારિત્રવાન હતા. પૂ. તપસ્વી ગુરૂ ભગવંતે ત્રણ મુનિવરો તથા બાવીસ સાધ્વીજી મળીને કુલ ૨૫ આત્માઓને ચારિત્રનાં દાન દીધાં હતાં. ૦ તપારાધના : મરણાંત ઉપસર્ગને ક્ષમાથી જીતી લેવાના કારણથી જ તથા અનેકવિધ તપસ્યાઓ આચરવાથી પૂ. રામચંદ્રજી સ્વામી ઉગ્ર તપસ્વી, ઘોર તપસ્વી, દીપ્ત તપસ્વી તથા તમ તપસ્વી હતા. આવા તપસ્વીરત્ન, સેવારત્ન, સરલાત્મા, નિરભિમાની સંતરત્નની ન પૂરાય તેવી ખોટ પડી છે. યોગાનુયોગ પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનીર૬મી નિર્વાણતિથિ આસો વદ-૮ તથા પૂ. ગુરૂદેવશ્રીની ઉં. ૬૨ વર્ષ તો એટલી જ ઉંમરે દેહને છોડનાર મહાન આત્મા જાણે દેવાધિદેવ બનવા પોતાના ગુરૂદેવના સમીપે કેમ પહોંચી ન ગયા હોય તેવું લાગે છે ૬૨ વર્ષની ઉંમર, ૪૫ વર્ષના દીક્ષાપર્યાયી એવા પૂ. તપસ્વી રત્ન રામચંદ્રજી સ્વામીના પાર્થિવ દેહની પાલખી તા. ૬-૧૧૦૪ના ઘાટકોપર સ્વાધ્યાય સંઘમાંથી નીકળી ત્યારે ૮ થી ૧૦ હજાર જેટલા ભાવિકો તેમાં જોડાઈને “જય જય નંદા, જય જય ભદ્રા’ના નાદ સાથે મુનિરત્નના મૃત્યુ મહોત્સવમાં ભાગ લઈને ઘાટકોપરના ઈતિહાસમાં અભૂતપૂર્વ દાખલો બેસાડ્યો હતો. સવારથી બપોર સુધી કુલ ૨૦ થી ૨૫ હજાર ભાવિકોએ અંતિમ દર્શનનો લાભ લીધો હતો. Page #370 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૫૭ પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના પટ્ટશિષ્ય શતાવધાની પૂ. રત્નચંદ્રજી સ્વામી પણ સં. ૧૯૯૭ના વૈશાખ વદ-૬ના ઘાટકોપર હીંગવાલા લેનના ઉપાશ્રયમાં ૬૨ વર્ષે કાળધર્મ પામેલા તેમ પૂ. ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીના પટ્ટશિષ્ય પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ પણ ૬રમાં વર્ષે ઘાટકોપર (વે) સ્વાધ્યાય સંઘમાં દેહ છોડ્યો. કેવો યોગાનુયોગ. ગુલાબ-વીરના રનવનમાં, ગુરુ શિષ્યની અનુપમ જોડી; એક જ ઉંમરે, એક જ તિથિએ, નશ્વર કાયાની માયા છોડી.” આવા શ્રેષ્ઠ તપસ્વી રત્નને સમસ્ત ચતુર્વિધ સંઘવતીથી ભાવાંજલિ આપવા એક ગુણાનુવાદની સભા રવિવાર, તા. ૭-૧૧-૦૪ના ઘાટકોપર સર્વોદય તીર્થના વિશાલ હોલમાં રાખવામાં આવેલી. જેમાં ૧૫૦૦ જેટલા ભાવિકોએ તપસ્વીરાજના ગુણાનુવાદ કર્યા હતા તથા સાંભળ્યા હતા. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિ પામે તથા શીઘ મોક્ષના આરાધક બને તેવી હાર્દિક ભાવના. 'સુરેન્દ્રનગરનો યાદગાર તપમહોત્સવ પ્રશાન્ત મૂર્તિ, પ.પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીના દીક્ષા પર્યાયના ૭૯ વર્ષના ઉપલક્ષ્યમાં સ્વ. તત્ત્વજ્ઞ પૂ. શ્રી નવલચંદ્રજી મ.સા.ના સુશિષ્ય, તપસ્વી મુનિરાજ પૂ. શ્રી રામચંદ્રજી સ્વામીએ ૭૯ ઉપવાસની ઉગ્રતપશ્ચર્યાનું પારણું તા. ૨૦ સપ્ટે. '૮૨ના રોજ શાંતિપૂર્વક કર્યું હતું. શ્રી સુરેન્દ્રનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે મેળાના મેદાનમાં “તપોવન ખાતે યોજાયેલ સમારંભમાં અંદાજે ૫૦ હજારની જનમેદની ઉપસ્થિત હતી. લોકસેવક શ્રીયુત્ બાબુભાઈ જશભાઈ પટેલના પ્રમુખસ્થાને તથા રાજ્યના પંચાયત મંત્રી શ્રી નંબકલાલ દવે અને જૈન સમાજના અગ્રણી “સૉલિસિટર' શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલ આ સમારોહમાં ગામેગામના શ્રી સંઘો અને અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. લીંબડી સ.ના કાર્યવાહક પં.મુનિ શ્રી ભાવચંદ્રજી સ્વામી, પ્રમુખ શ્રી. નગીનભાઈ દોશી, માજી ગૃહમંત્રી શ્રી જયરામભાઈ પટેલ, કચ્છના ધારાસભ્ય શ્રી બાબુલાલ મેઘજીભાઈ શાહ તથા પ્રમુખ શ્રી, અતિથિવિશેષો વગેરેએ મનનીય પ્રવચનો કરી તપનું માહાભ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગની વિશિષ્ટતામાં નવકાર મંત્રના આરાધક સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ સિટી અને રતનપર એમ ચારેય ગામના જૈન અને મહેમાનો સહિત ૩૦ થી ૩૫ હજાર વ્યક્તિઓની સાધર્મિક ભક્તિરૂપ નવકારશીનો Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી રામચંદ્રજી સ્વામી મહાન લાભ શ્રી ચંદુલાલ લવજીભાઈ તળશીભાઈ કુટુંબ પરિવાર તથા અન્ય ભાવિકો તરફથી લેવામાં આવ્યો હતો. શ્રી સુરેન્દ્રનગર સંઘના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવક ભાઈ–બહેનોએ ભગીરથ પુરૂષાર્થ દ્વારા નવકારશીની અદ્ભુત વ્યવસ્થા ગોઠવી હતી. સ્વાગત પ્રવચન અને સમારોહનું સંચાલન ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ ચત્રભુજ શાહે તથા સંદેશાવાંચન શ્રી ચંદુભાઈ કોઠારી અને આભારદર્શન મંત્રી શ્રી કાંતિભાઈ કોઠારીએ કર્યું હતું. પૂ. આચાર્યશ્રી રૂપચંદ્રજી સ્વામીની વયના ૯૪ વર્ષ મુજબ રૂ. ૯૪,૦૦૦ શ્રી સુવઈ-ત્રંબો-૨વ-નંદાસર વણોઈ અને ખેંગારપર સંઘના ભાઈઓ વતી હસ્તે સુવઈ સંઘના સંઘપતિ શ્રી રતનશીભાઈ ભીમજીભાઈ સાવલા તથા ત્રંબૌ સંઘના અગ્રણી શ્રી રતનશીભાઈ નપુભાઈ શાહે તથા કચ્છના અન્ય સંઘો વતી રૂ. ૫૧,૦૦૦/- હસ્તે દાનવી૨ શ્રી કોરશીભાઈ હીરજીભાઈ શાહે તથા શ્રી રામજીભાઈ મૂળજીભાઈ રતાડિયાવાળાએ તથા મુંબઈની શ્રી ઝાલાવાડી સભા તથા કારોબારીના હાજર સભ્યોના મળીને રૂા. ૧૫,૧૧૧/- તથા શ્રી તુંબડી સંઘ તરફથી રૂ. ૧૧,૦૦૦|- આ રીતે રકમો જાહેર કરવામાં આવી હતી. પૂ. આચાર્યશ્રીના સુરેન્દ્રનગર ખાતેના આ અપૂર્વ ઉલ્લાસ સાથેના ચાતુર્માસ દરમિયાન દર્શનાર્થી સાધર્મિક મહેમાનોની ભક્તિ કરવાનો સંપૂર્ણ લાભ શ્રી જશવંતલાલ મણિલાલ જેસંગભાઈ ભદ્રેશીવાળા પરિવાર તરફથી ખૂબ જ સુંદર રીતે લેવામાં આવ્યો હતો. “તપશ્ચરણ એટલે કર્મોને બાળવાની ભઠ્ઠી, તપ વિના મુક્તિ નહિ.’ તપસ્વીરત્ન સેવાશિરોમણિ પૂ. રામચંદ્રજી સ્વામીના યાદગાર પ્રસંગો પૂ. તપસ્વીરાજનું પૂર્વાશ્રમીય નામ તલકશી હતું. પૂ. વિજ્યાબાઈ મ.નું નામ વિમળાબહેન હતું. તલકશી બાળપણમાં બહુ જ તોફાની હતો. તે નળિયા ઉપર ચડી જાય, ઝાડ ઉપર ચઢે તથા તોફાન કરે તો ઘરના કોઈનું માને નહિ પરંતુ વિમળાબહેન ટકોર કરે તો તરત જ માની જાય. આવા ઋણાનુબંધ ભાઈ-બહેનના હતા. જે જિંદગીના અંત સુધી રહ્યા. દીક્ષા લેવામાં પણ બહેન ઉપરની અનન્ય લાગણી તથા પરમોપકારી ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો સત્સંગ. પૂ. ગુરૂદેવ શ્રી કહેતા કે વિ.સં. ૧૯૮૩ની સાલે લાકડિયામાં પૂ. ગુલાબભાઈ મ.ને દીક્ષાની રજા મળતી ન હતી ત્યારે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની પૂ. રતનચંદ્રજી સ્વામી આદિ ગુરૂભગવંતોના Page #372 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩પ૯ સમજાવવાથી તેમના કુટુંબીજનોએ તેમને રજા આપી ત્યારથી વાગડના સિંહણ મહાસતીજી શ્રી મોટા કુંવરબાઈ સ્વામી આદિ આ ગુરૂ ભગવંતોનો ખૂબ જ ઉપકાર માનતા હતા. તે વર્ષ પૂ. ગુલાબબાઈ મ. તથા પૂ. જવેરબાઈ મ.ને પૂ. ગુલાબચંદ્રજી સ્વામીએ દીક્ષા આપી હતી. ત્યાર પછી વિ.સં. ૨૦૧૪માં બા.બ્ર. વિજ્યાબાઈ મ.ની દીક્ષા થઈ તથા ૨૦૧૬માં તપસ્વી રામચંદ્રજી સ્વામીની દીક્ષા થઈ ત્યારથી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી તરફ વિશેષ ભક્તિભાવ જાગ્યો. આમ પૂ. તપસ્વીરાજના પગલે ગુરૂદેવના શિષ્યો પણ વધ્યા અને શિષ્યાઓ પણ વધ્યા. પુણ્યાત્માના પગલાનો આ કેવો પ્રભાવ ! '૬૦ ઉપવાસમાં ભચાઉમાં કેશરની વૃષ્ટિ વિ.સં. ૨૦૩૧ની સાલે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પરમકૃપાળુ ગીતાર્થ ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી આદિ ઠા.-૧૦નું ચાતુર્માસ ગુરૂભક્ત શ્રી પાંચાલાલ શિવજી કારિયાએ કરાવ્યું હતું. તે ચાતુર્માસમાં તપસ્વીરાજે ૬૦ ઉપવાસ કર્યા હતા. છેલ્લા ઉપવાસના દિવસે સાંજે ગરણાં, લૂણાં ધોતા ત્રાસની ચારે બાજુ કેશરની વૃષ્ટિ થઈ હતી. પોતે જયારે જયારે તપસ્યા કરતા ત્યારે સેવાનું કાર્ય તો હોંશે હોંશે સંભાળતા હતા. મહાસતીજી આશ્ચર્યચકિત થઈ ગયા એકદા તપસ્વીરાજે માસખમણની તપસ્યા કરી હતી ત્યારે પૂ. ધનગૌરીબાઈ મ., પૂ. રશ્મિનબાઈ મ. આદિ ઠાણાઓ ૨૬મા ઉપવાસે દર્શનાર્થે ગયા હતા. ત્યારે તપસ્વી મ. સાહેબને જોયા નહિ તેથી પૂ. નવલ ગુરૂદેવને પૂછયું કે તપસ્વી મ. શ્રી ક્યાં છે? પૂ. ગુરૂદેવે કહ્યું, “એ તો વહોરવા ગયેલ છે.” મહાસતીજીના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આવી રીતે હંમેશા પોતે તપસ્યામાં પણ રાત-દિવસ સેવા કરતા હતા. નાના-મોટા દરેકની અગ્લાનભાવે સેવા કરતા હતા. ૬૩મા ઉપવાસે પ્રકાશ મુનિના પગ દબાવ્યા સંવત ૨૦૩૭ની સાલે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી આદિ ઠા.૧૧નું ચાતુર્માસ સુરેન્દ્રનગર કેરીબજારના ઉપાશ્રયમાં હતું. ત્યારે ૭૯ ઉપવાસની તપસ્યા ચાલી રહી હતી, એમની તપસ્યા જોઈને મને પણ અઠ્ઠાઈ કરવાના ભાવ જાગ્યા. અઠ્ઠાઈના છેલ્લા દિવસે ચૌવિહારો ઉપવાસ હતો. રાત્રે ઊંઘ આવતી ન હતી ત્યારે પોતાના ૬૩માં ઉપવાસે અડધી રાત સુધી જાગ્યા હતા તથા પગ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી રામચંદ્રજી સ્વામી દબાવીને અનન્યભાવે સેવા કરી હતી. આવા સગુણોને યાદ કરતા આજે પણ હૈયું ગગદિત બની જાય છે. ૭૯ ઉપવાસ સુધી પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીની રાત-દિવસ સેવા કરતા હતા એ જોઈને ઝાલાવાડના શ્રાવકો અત્યંત આશ્ચર્યચકિત થઈ જતા હતા. ૭૯ ઉપવાસના પારણા પ્રસંગે સમારોહના અધ્યક્ષ માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ રહેવાના હતા. તેઓ ૭૫મા ઉપવાસની રાતે દર્શનાર્થે કેરી બજારના ઉપાશ્રયમાં આવેલા. બધા સૂઈ ગયા હતા. બારણું ખખડાવ્યું ત્યારે તપસ્વી મ.શ્રીએ ખોલ્યું. શ્રી બાબુભાઈએ પૂછયું, “તપસ્વી મ. સાહેબ ક્યાં છે, મારે દર્શન કરવા છે.” તપસ્વી મ. સાહેબ કહે, “હું પોતે જ છું.” બાબુભાઈના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આટલા બધા ઉપવાસમાં પોતે દરવાજો ખોલે તથા માંગલિક સંભળાવે આ નવાઈની વાત હતી. શ્રી બાબુભાઈ અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા. તે પ્રસંગમાં અતિથિ વિશેષ તરીકે રહેલા ગુજરાતના પંચાયત મંત્રી શ્રી ત્રંબકભાઈ દવેએ ફંકશનમાં કહ્યું, અમારે વૈષ્ણવોના ઉપવાસ ફરાળી હોવાથી મોંઘા પડે જ્યારે તમારા જૈનોના ઉપવાસમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ લેવાય નહિ તે પણ રાત્રે બંધ. ખરેખર તમારા ઉપવાસ આ વિશ્વમાં કઠિનમાં કઠિન છે. આવી તપસ્યામાં ૭૯ ઉપવાસ કરવા તે ખરેખર એક સિદ્ધિ કહેવાય. નાના-મોટા દરેક ઠાણાની સેવા કરવી એ એમનો જીવનમંત્ર હતો. પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. સાહેબ શ્રી ચુનીલાલજી સ્વામી, પૂ. સાહેબશ્રી નરસિંહજી સ્વામી આ ત્રણે પદવીધરોની ખૂબ જ સેવા કરી હતી. પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીની સેવા એકધારા ૧૮ વર્ષ સુધી કરી હતી. મુનિશ્રી પ્રકાશચંદ્રજીની સેવા એકધારા ૨૦ વર્ષ સુધી કરી હતી. ૩૦ વર્ષનું સાન્નિધ્ય હતું. તથા એમના પરિચયમાં આવેલા નાના-મોટા દરેક સંતોની અગ્લાન ભાવે સેવા કરીને સેવા શિરોમણિ સંત બન્યા હતા. બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ ઉગ્ર તપસ્યા તથા સેવા જારી રાખ્યા વિ.સં. ૨૦૫૫ની સાલે ફાગણ મહિનામાં પૂ. તપસ્વી મ. સાહેબનું બાયપાસ સર્જરી થયેલ. તે વર્ષે બે જ ઠાણા દાદરમાં ચાતુર્માસ હતા. મુનિશ્રી પ્રકાશચંદ્રજીએ ગોચરી પોતે વહોરી આવશે તેમ કહ્યું તે તપસ્વીરાજે ના પાડી તથા કહ્યું, “ગોચરી હું જઈશ, અંદરનું કામ હું સંભાળીશ, બહારનું કામ તું સંભાળજે.” પોતે બે મહિના સુધી દાદર ચાતુર્માસમાં ગોચરી જતા. બે માળાના Page #374 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૬ ૧ બદલે આઠથી દશ માળા ચડવા પડે તો પણ અંશ માત્ર આળસ નહિ, શરીરની કોઈ પરવા નહિ. આવા સેવાના ભેખધારી યુગો સુધી મળવા મુશ્કેલ છે. વિ.સં. ૨૦૫૮ની સાલે વલસાડમાં ૩૧ ઉપવાસ કર્યા. તેમાં પણ પ્રથમના આઠ ઉપવાસ ચૌવિહારા હતા. હું તો ભયભીત થઈ ગયેલો કે બાયપાસવાળાથી આટલા ઉપવાસ કરાય જ નહિ પરંતુ તેઓશ્રી મક્કમ હતા. હેમખેમ પાર ઉતર્યા. વલસાડ છીપવાડ સંઘે ખૂબ જ સારી રીતે તપમહોત્સવ ઉજવ્યો હતો. સં. ૨૦૫૯ની સાલે માટુંગા (વેસ્ટ) અજરામર જૈન સંઘમાં ૬૫ ઉપવાસ કર્યા હતા. શ્રી સંઘની ઉજવવાની ખૂબ જ ભાવના હતી પરંતુ તપસ્વી મહારાજશ્રીને આરંભ સમારંભમાં રસ ન હતો તેથી ગુપ્ત રીતે પારણું ગોઠવ્યું હતું. માત્ર સંઘના આગેવાનોને અડધા કલાક પહેલા જાણ કરી હતી. પોરસી પછી ૬૫ ઉપવાસનું પારણું કર્યું ત્યારે વાતાવરણ આહલાદક થઈ ગયેલું. વાદળ નહિ હોવા છતાં એકાએક અંધારું થઈ ગયું ને અમીધારા વરસી. આ પુસ્તકના લેખક મુનિશ્રી એના સાક્ષી છે. હાજર રહેલા સર્વે ભાવિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘાટકોપર સ્વાધ્યાય સંઘમાં છેલ્લા ૨૦૬૦ના ચાતુર્માસમાં પ્રથમ ૩૯ને પછી ૭૧ ઉપવાસ કર્યા. એનું પારણું પણ સાદાઈથી જ કર્યું હતું. બૃહદ્ મુંબઈને પ્રભાવિત કરી દીધું હતું. પૂ. ભાસ્કર મુનિ મ.સા. પોતાના શ્રદ્ધાંજલિ પત્રમાં લખેલું, “વજઋષભનારાય સંઘયણની આજના પાંચમાં આરામાં યાદ તાજી કરાવે તેવી તેમની તનશક્તિ, મનશક્તિ અને આત્મશક્તિ અનુભવી છે. ૫૦ કે ૬૦ ઉપવાસમાં પોતાનું દરેક કાર્ય કરી શકતા હતા. ઓઠિંગણ વગર પરમ પ્રસન્નતાથી આરાધના કરનાર આવું આરોગ્ય ક્યાંય જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું પણ નથી. બાયપાસ કરાવનાર વ્યક્તિ ૩૯ કે ૫૦થી વધુ ઉપવાસ કરી શકે ! તે “ર ભૂતો ન ભવિષ્યતિ'' આપણા સંપ્રદાયના ૨૫૦ વર્ષના ઈતિહાસમાં સેંકડો સાધુ રત્નો થયાં, અનેક તપસ્વી આત્માઓ થયાં. સેંકડો સાધ્વીરત્નો થયા પરંતુ તેમની તોલે આવે તેવી કોઈની પણ તપશ્ચર્યા જોવા-વાંચવા-સાંભળવા મળી નથી. અમારા અભિમત પ્રમાણે બૃહદ્ ગુજરાતના ૧૧ સંપ્રદાયોમાં “તપસ્વી શિરોમણિ સંત’ તરીકે ૨૫૦ વર્ષમાં તેઓ એક માત્ર છે.” પાયાના પથ્થરનું કામ કરી પરમપંથના પ્રવાસી બન્યા આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીને આગળ વધારવામાં તેમણે પાયાના પથ્થર બનવાનું પસંદ કર્યું હતું. પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીનો તો અનન્ય ઉપકાર રહેલો છે. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી પણ એટલા Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨. શ્રી રામચંદ્રજી સ્વામી જ ઉપકારી છે. પૂ. ભાવ-ભાસ્કર ગુરૂ ભગવંતો પણ ખૂબ જ ઉપકારી છે. પરંતુ તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીનો તો અનન્ય ઉપકાર છે. પ્રકાશ મુનિને સૂવડાવીને પોતે સૂવાવાળા, એમને ખવડાવીને પોતે ખાવાવાળા, દરેક રીતે તથા અહોનિશ સંભાળવાવાળા આવા ઉપકારી ગુરૂબંધુને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકાશે નહિ. એમના ઋણ નીચે આ પામર આત્મા એવો દબાયેલો છે કે કેવી રીતે ઋણમુક્ત થવું તે પ્રશ્ન રાત-દિવસ મુંઝવી રહેલ છે. પૂ. ગુરૂદેવશ્રી નવલચંદ્રજી સ્વામી તો અમને દીક્ષા આપ્યા પછી માત્ર છે મહિનાની અંદર સ્વર્ગવાસી થયા. ત્યારથી પૂરા ૨૬ વર્ષ તપસ્વી રાજે પોતાના લઘુ ગુરૂબંધુને સાચવી ચાર-ચાર શિષ્યો કરાવી, બધું બરાબર ગોઠવી સ્વર્ગવાસ પામ્યા. તેના ઉપરથી એવું લાગે કે “પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી દીક્ષા દેવા માટે જ જાણે રોકાયેલા તથા તપસ્વીરાજ શિષ્યો કરવા માટે તથા પગભર બનાવવા જ જાણે કેમ ન રોકાયા હોય.” ગુરૂ-શિષ્યની કેવી અનૂપમ જોડી ! એક જ ઉંમર, એક જ મહિનો, એક જ તિથિ..... કેવો યોગાનુયોગ..... પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ ૨૫ આત્માઓને પોતાના શ્રીમુખેથી દીક્ષા આપી હતી. (૧) મુનિશ્રી પંથકચંદ્રજી (૧૫) સાધ્વીશ્રી પ્રસન્નતાકુમારીજી (૨) મુનિશ્રી આગમચંદ્રજી (૧૬) સાધ્વીશ્રી યોગ્યતાકુમારીજી (૩) મુનિશ્રી નૈતિકચંદ્રજી (૧૭) સાધ્વીશ્રી ધન્યતાકુમારીજી (૪) સાધ્વીશ્રી નિર્જરાકુમારીજી (૧૮) સાધ્વીશ્રી પ્રભુતાકુમારીજી (૫) સાધ્વીશ્રી શુભેચ્છાકુમારીજી (૧૯) સાધ્વીશ્રી સમૃદ્ધિકુમારી (૬) સાધ્વીશ્રી એકતાકુમારીજી (૨૦) સાધ્વીશ્રી પ્રસિદ્ધિકુમારીજી (૭) સાધ્વીશ્રી સંસ્કૃતિકુમારી (૨૧) સાધ્વીશ્રી તિતિક્ષાકુમારીજી (૮) સાધ્વીશ્રી ભવ્યતાકુમારીજી (૨૨) સાધ્વીશ્રી પ્રકાંક્ષાકુમારીજી (૯) સાધ્વીશ્રી શ્રેષ્ઠતાકુમારીજી (૧૦) સાધ્વીથી સૌમ્યતાકમારીજ (૨૩) સાધ્વીશ્રી સિદ્ધશિલાજી (૧૧) સાધ્વીશ્રી આજ્ઞાકુમારી (૨૪) સાધ્વીશ્રી મુક્તિશિલાજી (૧૨) સાધ્વીશ્રી પાત્રતાકુમારીજી (૨૫) સાધ્વી શ્રી ઉર્જાકુમારીજી (૧૩) સાધ્વી શ્રી ચાહનાકુમારીજી પૂ. તપસ્વીરાજના એક શિષ્ય (૧૪) સાધ્વીશ્રી મર્યાદાકુમારીજી મુનિશ્રી વિરામચંદ્રજી છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૬૩ ( વર્તમાન ગાદીપતિ પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી) જન્મભૂમિનુ ગૌરવ છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયનું મોટામાં મોટું ક્ષેત્ર એટલે લાકડિયા, કચ્છી વિશા ઓસવાળના પર, ૪ર તથા ૨૪ ગામોમાં સૌથી મોટું ગામ લાકડિયા. જયાં અત્યારે પણ ૩૦૦ ઘર વિશા ઓસવાળ જૈનોના છે. જે ગામમાંથી માત્ર અજરામર સંપ્રદાયમાં ૧૦ મુનિવરો તથા ૫૦ જેટલા સાધ્વીજી થયા, એવું વીર ક્ષેત્ર એટલે લાકડિયા. ધર્મવીર પાલાશા જેવા શૂરવીરને ધીર પુરૂષની જન્મભૂમિ પણ લાકડિયા. વાગડના વિશા ઓસવાળ જ્ઞાતિના પ્રથમ ધારાસભ્ય મોતીલાલ લખમણ દેઢિયા, પ્રથમ નાણાપ્રધાન બાબુલાલ મેઘજી શાહ, પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. જાગૃતિ બાબુલાલ મેઘજી શાહ આદિની જન્મભૂમિ પણ લાકડિયા છે. મોટા દાનવીરો પણ લાકડિયાના જ છે. “નવલ ગુરૂકુળ”ના મુખ્ય દાતા પણ લાકડિયાના જ છે. એવા વીરક્ષેત્ર લાકડિયામાં પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૭૪, આસો સુદ-૫ના શુભ દિવસે પિતા શ્રી સામતભાઈ ભારમલભાઈ સાવલા તથા માતુશ્રી કામલબહેનની કુક્ષિએ થયો હતો. પૂ.શ્રીનું બાલપણનું નામ પણ નરસિંહ હતું. મોટા ભાઈનું નામ ગેલાભાઈ હતું. ત્રણ બહેનો હતા. (૧) ભચીબહેન (૨) માનુબહેન (૩) મોંઘીબહેન. પૂ.શ્રીનું મોસાળ ઘાણીથરમાં હતું. રાજા આસા ગાલા તેમના નાના બાપા હતા. નાની માનું નામ ખેતબહેન હતું. રાજા ભાઈ નામના મામા હતા. મામીનું નામ ખેતબહેન હતું. પૂ.શ્રીને બે ફૈબા હતા. (૧) માંઈબહેન (૨) ભમીબહેન. સુપ્રસિદ્ધ સંગીતકાર કલ્યાણજી-આણંદજી સાથે (માટુંગા બોર્ડીંગમાં અભ્યાસ એ સમયમાં વાગડમાં એટલું શિક્ષણ ન હતું છતાં પૂ. સાહેબના પિતાશ્રી શિક્ષિત હોવાથી પોતાના સુપુત્રને પણ ભણાવે એમાં આશ્ચર્ય પામવા જેવું નહિ. આજથી ૭૫ વર્ષ પહેલા માટુંગા બોડીંગમાં વાગડ વિસ્તારના માત્ર પાંચ વિદ્યાર્થીઓ હતા જ્યારે કચ્છ-કંઠી-અબડાસા વિસ્તારના સેંકડો વિદ્યાર્થીઓ હતા. જેમના નામથી હિન્દુસ્તાનના લોકો ભાગ્યે જ અજાણ હશે એવા સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી કલ્યાણજી-આણંદજી (બંધુબેલડી) તે વખતે માટુંગા બોર્ડીંગમાં અભ્યાસ કરતા હતા. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી નરસિંહજી સ્વામી તેઓ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના કુન્દ્રોડી ગામના વિશા ઓસવાળ જૈન હતા. દેઢિયા ગોત્રના હતા. કચ્છ પ્રાગપુર (કંઠી)ના છ કોટિ જૈન સંઘના ચેરમેન ટ્રસ્ટી પ્રેમજી રામજી શાહ પણ પૂ. સાહેબના સહાધ્યાયી હતા. જેઓ અત્યારે પણ પૂ. સાહેબની ઉંમરના છે તથા એવી જ ર્તિ ધરાવે છે. વિના લાકડીએ ચાલી શકે તે સમયમાં પૂ. સાહેબે સાત ગુજરાતી ધોરણનો અભ્યાસ કર્યો હતો. ચાર ધોરણ અંગ્રેજીના કર્યા હતા. માટુંગા (ઈસ્ટ)માં કિંગ જ્યોર્જ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રહેવાનું માટુંગા બોડીંગમાં હતું. પૂ.શ્રીના પિતાશ્રી માટુંગા (વેસ્ટ)માં વ્યવસાય કરતા હતા. પછીથી કુન્દ્રોડીના પાસુભાઈ મુરજી છેડા સાથે ભાગીદાર હતા. પૂ.શ્રીના મોટાભાઈ ગેલાભાઈ સામત સાવલાની બીજી દુકાન હતી. પૂ.શ્રીએ પૂર્વાવસ્થામાં ઘણા વર્ષ સુધી ધંધો પણ કર્યો હતો. વિ.સં. ૧૯૯૬ની સાલે પિતાશ્રીની સાથે નરસિંહભાઈએ ઘાટકોપર હીંગવાલા લેનના ઉપાશ્રયમાં બિરાજતા ભારતભૂષણ શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીના દર્શન કર્યા હતા. ત્યારથી ધર્મના સંસ્કારો વૃદ્ધિગત થઈ રહ્યા હતા. લીંબડીમાં સ્થિરવાસ બિરાજતા પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના દર્શન ઘણીવાર કરેલા. એકવાર પૂ. સાહેબ ગુલાબચંદ્રજી સ્વામીએ કહેલું, “નરસિંહ ! હવે દીક્ષા માટે તૈયારી કરી લે, તારા ગુરૂ મુંબઈથી દેશ તરફ પધારી રહ્યા છે.” પૂ. તપસ્વી શ્રી શામજી સ્વામીના પણ ઘણીવાર દર્શન થયેલા તથા તેમના વ્યાખ્યાન આદિનો ઘણો સારો લાભ લીધો હતો. (વિ.સં. ૨૦૦૯ની સાલે પૂ. પંડિત તપસ્વી ગુરૂદેવનો સમાગમ પૂ. પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી આદિ ઠા. સં. ૨૦૦૯ની સાલે લાકડિયામાં ચાતુર્માસ બિરાજતા હતા. તે વખતે નરસિંહભાઈ પૂ. ગુરૂદેવના સમાગમમાં આવ્યા તથા પૂર્વના કોઈ ઋણાનુબંધ જાણે કેમ ન હોય તેમ એમના તરફ ખૂબ જ આકર્ષાયા, ખરેખર જેને ગુરુ મળી જાય છે તેને બધું મળી જાય છે. સાચું જ કહ્યું છે કે – “ગુરૂ મિલા તો સબ મિલા, નહિ તો મિલા ન કોઇ; માત-પિતા, સુત, બંધવા, વો તો ઘર ઘર માંઈ.” “ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર; પલક ન વિસરું ગુરૂજીને, ગુરૂ મારા પ્રાણાધાર.” Page #378 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૬૫ આવા ગુરૂ ભગવંત પૂ. પંડિત તપસ્વી ડુંગરસિંહજી સ્વામીની સાથે દોઢ વર્ષ ભણ્યા તથા સંયમ જીવનની તાલિમ લીધી. ૪૦ થોકડા, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રના થોડા અધ્યયનો, સંસ્કૃત માર્ગોપદેશિકા, સંસ્કૃત મન્દિરાંત પ્રવેશિકા, પ્રાકૃત પાઠમાળા આદિનો અભ્યાસ કર્યો. વિ.સં. ૨૦૧૦ની સાલે દીક્ષાર્થી અવસ્થામાં ગુરૂદેવની સાથે માંડવી (કચ્છ)માં ચાતુર્માસ કર્યું હતું. વિ.સં. ૨૦૧૧, મહા સુદિ-૧૦ના બિદડા (કચ્છ)માં દીક્ષા બિદડા સ્થા. છકોટિ જૈન સંઘ ખૂબ જ ભાવિક. શ્રી સંઘે પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામીને દીક્ષાર્થી નરસિંહભાઈની દીક્ષાનો લાભ બિદડામાં આપવા ખૂબ જ વિનંતી કરી. પૂ. ગુરૂદેવે તે માન્ય કરી. તે વખતે બિદડામાં છકોટિ સંઘમાં ઘણા ઘરો ખુલ્લાં હતાં. એક અઠવાડિયા સુધી દીક્ષાનો અત્યંત ઉત્સાહ હતો. દરરોજ રાત્રે પ્રસિદ્ધગાયક શ્રી રતિકુમાર વ્યાસ ધાર્મિક ગીતો, ભજનોની રમઝટ બોલાવતા હતા. તે વખતે સંઘના પ્રમુખ શ્રી વિજપાર ગોસર ગોગરી હતા. મહા સુદિ-૧૦, વિ.સં. ૨૦૧૧ની સાલે બિદડાની હાઈસ્કૂલમાં અજરામર સંયમધામમાં પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામીએ દીક્ષા આપી તથા નવદીક્ષિતનું નામ નરસિંહજી સ્વામી રાખવામાં આવ્યું. વડી દીક્ષા પણ બિદડામાં જ થઈ હતી. દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અંજા૨માં કર્યું. ‘“વસે પુત્રુને નિશ્ચં' હંમેશા ગુરૂકુળમાં રહેવું જોઈએ . ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧મા અધ્યયનના ભાવને ખૂબ જ સારી રીતે હૃદયમાં અવધાર્યાં હતા. પૂ. ગુરૂદેવની સેવામાં અહોનિશ રહીને તેમને અત્યંત શાતા ઉપજાવવા લાગ્યા. દીક્ષા પછી શાસ્ત્રોની વાચના, સંસ્કૃત વ્યાકરણમાં હૈમ લઘુ પ્રક્રિયા, કૌમુદી, સાહિત્ય, ન્યાય આદિનો ખૂબ જ સારો અભ્યાસ કર્યો. સુસ્વર કંઠ તથા મધુરવ્યાખ્યાન દ્વારા શાસન પ્રભાવના પૂ. શ્રી નરસિંહજી સ્વામીનો કંઠ ખૂબ જ મધુર હતો. માટુંગા બોર્ડીંગમાં સંગીતનો અભ્યાસ ખૂબ જ સારો કર્યો હોવાથી આલાપ આદિની કળા ખૂબ જ સારી. ધાર્મિક ગીતોને સ્તવનોથી લોકો ડોલી ઊઠતા. દીક્ષા પછીનું બીજું ચાતુર્માસ લીંબડી હતું. ત્યારથી વ્યાખ્યાન આપવાની શુભ શરૂઆત કરી. ગોચરી-પાણી આદિની તમામ જવાબદારી સંભાળી લીધી હતી. મુંબઈમાં પૂ.શ્રીએ ૨૦ જેટલા ચાતુર્માસ કર્યા. થાણા સંઘની સ્થાપના તથા પ્રથમ ચાતુર્માસ પૂ. ગુરૂદેવ શ્રી સિદ્ધાંત Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી નરસિંહજી સ્વામી ડુંગરસિંહજી સ્વામી દ્વારા થયેલ. તે વખતે એકવાર થાણામાં તથા ત્યાં દરરોજ પાંચ કિ.મી. ચાલીને મુલુન્ડ પધારતા તથા વ્યાખ્યાન ફરમાવતા. કાંદીવલી ચાતુર્માસ હતા ત્યારે બોરીવલી દરરોજ વ્યાખ્યાન આપવા પધારતા તથા મુલુન્ડ સંઘની સ્થાપના તથા પ્રથમ ચાતુર્માસ પણ પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામી દ્વારા થયેલ. ત્યાંથી પૂ. નરસિંહજી સ્વામી દરરોજ ભાંડુપ વ્યાખ્યાન આપવા પધારતા હતા. સં. ૨૦૨૯માં ગુંદાલા ચાતુર્માસ હતું ત્યાં સવારે વ્યાખ્યાન તથા ત્યાર પછીની ગોચરી કરીને ભોરારા સુધી ૪ કિ.મી. ચાલીને પધારતા તથા પર્યુષણના આઠે દિવસ વ્યાખ્યાન આપીને પાછા ગુંદાલા પધારતા હતા. ત્રણ ટાઈમ ગોચરી, બે વાર વ્યાખ્યાન, રાત્રિકથા આદિ બધી જવાબદારી પૂ.શ્રી સારી રીતે એકલા હાથે સંભાળતા હતા. પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામીએ નીચેના ચારિત્રાત્માઓને ' પોતાના શ્રીમુખેથી દીક્ષા આપીને ઉપકૃત કર્યા છે. (૧) સાધ્વી શ્રી કુંકુબાઈ આર્યાજી (૨) સાધ્વી શ્રી સરિતાબાઈ આર્યાજી (૩) સાધ્વી શ્રી નયનાબાઈ આર્યાજી (૪) સાધ્વી શ્રી કોકિલાબાઈ આર્યાજી (૫) સાધ્વી શ્રી પ્રફુલ્લાબાઈ આર્યાજી (૬) સાધ્વી શ્રી ઉલ્લાસિતાજી આર્યાજી (૭) સાધ્વી શ્રી શ્રેયસીજી આર્યાજી (૮) સાધ્વી શ્રી નાના રાજમતી આર્યાજી (૯) સાધ્વી શ્રી યશોમતી આર્યાજી (૧૦) સાધ્વી શ્રી શ્વેતાજી આર્યાજી (૧૧) સાધ્વી શ્રી અભિલાષી આર્યાજી (૧૨) સાધ્વી શ્રી વસુધાજી આર્યાજી (૧૩) સાધ્વી શ્રી સમીક્ષાજી આર્યાજી (૧૪) સાધ્વી શ્રી વૈભવીજી આર્યાજી (૧૫) સાધ્વી શ્રી ખુમારીજી આર્યાજી (૧૬) સાધ્વી શ્રી સુરુચિ આર્યાજી Page #380 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૬૭ (૧૭) સાધ્વી શ્રી સુહાની આજી (૧૮) સાધ્વી શ્રી પ્રિયાંશી આર્યાજી (૧૯) સાધ્વી શ્રી ધારણાજી આર્યાજી (૨૦) સાધ્વી શ્રી પ્રભંજનાજી આર્યાજી (૨૧) સાધ્વી શ્રી વીરાંગનાજી આર્યાજી (૨૨) મુની શ્રી આદર્શચંદ્રજી સ્વામી (૨૩) સાધ્વી શ્રી જૈનિતાજી આર્યાજી (૨૪) સાધ્વી શ્રી અનુભૂતિજી આર્યાજી (૨૫) સાધ્વી શ્રી કીર્તનાજી આર્યાજી (૨૬) સાધ્વી શ્રી પરમેશ્વરી આર્યાજી (૨૭) સાધ્વી શ્રી સ્વાનુભૂતિજી આર્યાજી (૨૮) સાધ્વી શ્રી યોગેશ્વરીજી આર્યા (૨૯) સાધ્વી શ્રી પ્રિયંવદાજી આર્યાજી (૩૦) સાધ્વી શ્રી ધ્રુવિતાજી આર્યાજી (૩૧) સાધ્વી શ્રી આસ્થાકુમારી આર્યાજી (૩૨) સાધ્વી શ્રી પૂર્ણતાકુમારી આર્યાજી (૩૩) સાધ્વી શ્રી સુરભિબાઈ આર્યાજી (આઠ કોમો.૫.) (૩૪) શ્રમણ સંઘના એક સાધ્વીજી : 'પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામીની ' સાથે કરેલા ચાતુર્માસોની યાદી | વિ.સંવત ૨૦૧૧ અંજાર (કચ્છ) વિ.સંવત ૨૦૧૨ લીંબડી (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૧૩ અમદાવાદ (ગુજરાત) વિ.સંવત ૨૦૧૪ ચીંચપોકલી (મુંબઈ) વિ.સંવત ૨૦૧૫ થાણા (મહારાષ્ટ્ર) વિ.સંવત ૨૦૧૬ બોરીવલી (મુંબઈ) વિ.સંવત ૨૦૧૭ વિલેપાર્લા (વે) મુંબઈ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી નરસિંહજી સ્વામી વિ.સંવત ૨૦૧૮ કાંદીવાલી (વે) મુંબઈ વિ.સંવત ૨૦૧૯ ઘાટકોપર (હીંગવાલાલેન) વિ.સંવત ૨૦૨૦ ખાર (અહિંસા ભવન) વિ.સંવત ૨૦૨૧ થાણા (મહારાષ્ટ્ર) વિ.સંવત ૨૦૨૨ મુલુન્ડ (વે) મુંબઈ વિ.સંવત ૨૦૨૩ ભોરારા (કચ્છ) વિ.સંવત ૨૦૨૪ પ્રાગપુર (કચ્છ) વિ.સંવત ૨૦૨૫ સાંગલી (મહારાષ્ટ્ર) વિ.સંવત ૨૦૨૬ કોલ્હાપુર (મહારાષ્ટ્ર) વિ.સંવત ૨૦૨૭ અંધેરી (ઝાલાવાડનગર) વિ.સંવત ૨૦૨૮ ચોટીલા (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૨૯ ગુંદાલા (કચ્છ) વિ.સંવત ૨૦૩૦ લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૩૧ કાંદાવાડી (મુંબઈ) વિ.સંવત ૨૦૩૨ પ્રાગપુર (કચ્છ) વિ.સંવત ૨૦૩૩ રતાડિયા (કચ્છ) વિ.સંવત ૨૦૩૪ ચોટીલા (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૩૫ માસગર સુદિ-૯, રાત્રે ૧૦-૧૦ મિનિટે લીંબડીમાં સમાધિભાવે પૂ. ડુંગરસિહજી સ્વામી કાળધર્મ પામ્યા. 'પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામીએ સ્વતંત્રપણે કરેલા 'ચાતુર્માસોની યાદી (પૂ. ગુરૂદેવના કાળધર્મ પછી) વિ.સંવત ૨૦૩૫ થાણા (મહારાષ્ટ્ર) વિ.સંવત ૨૦૩૬ કુર્લા (સમાજવાડી) વિ.સંવત ૨૦૩૭ અંધેરી (વર્માનગર) વિ.સંવત ૨૦૩૮ સામખીયારી (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૩૯ ભાંડુપ (મુંબઈ) વિ.સંવત ૨૦૪૦ અંધેરી (વર્માનગર) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ આ છે અણગાર અમારા વિ.સંવત ૨૦૪૧ બોરીવલી (દોલતનગર) વિ.સંવત ૨૦૪ર લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૪૩ ભૂજ (જૈન ભવન) વિ.સંવત ૨૦૪૪ કાંદીવલી (તુરખીયા પાર્ક) વિ.સંવત ૨૦૪૫ કાંદિવલી (તુરખીયા પાર્ક) વિ.સંવત ૨૦૪૬ લીંબડી (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૪૭ લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૪૮ બિદડા (કચ્છ) વિ.સંવત ૨૦૪૯ ભચાઉ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૦ રાપર (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૧ ભુજ (જૈન ભવન) વિ.સંવત ૨૦૫ર સુરેન્દ્રનગર (ભારત સોસાયટી) વિ.સંવત ૨૦૫૩ વઢવાણ (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૫૪ ભચાઉ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૫ લીંબડી (સૌરાષ્ટ્ર) વિ.સંવત ૨૦૫૬ ગાંધીધામ (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૭ લાકડિયા (પૂર્વ કચ્છ) વિ.સંવત ૨૦૫૮ બિદડા (કચ્છ) વિ.સંવત ૨૦૫૯ માટુંગા (વે) મુંબઈ વિ.સંવત ૨૦૬૦ ઘાટકોપર (સ્વાધ્યાય સંઘ) 'કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે પૂ. સાહેબ દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિહજી સ્વામીની સાથે કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, મહાબળેશ્વર, પંચગીની, રાયગઢ, મહાર, પનવેલ, પૂના, માથેરાન, નાસિક, અહમદનગર, મનમાડ, ઓરંગાબાદ આદિ ક્ષેત્રોમાં તથા કર્ણાટકમાં હુબલી, બેલગામ આદિ ક્ષેત્રોમાં વિચરી સ્વકલ્યાણની સાથે જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરેલ છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી નરસિંહજી સ્વામી 'વિવિધ ભાષાઓનું જ્ઞાન તથા નિરોગી શરીર પૂ. સાહેબને ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી આદિ ભાષાઓનું જ્ઞાન પણ ખૂબ જ છે. મરાઠી અને હિન્દીમાં ગુજરાતીની જેમ જે પ્રવચન આપી શકે છે. ૮૭ વર્ષની ઉંમરે પણ વ્યાખ્યાન આપવાની શક્તિ ધરાવે છે. બધી જ ઈન્દ્રીયો પરિપૂર્ણ છે. કોઈ પણ જાતના મોટા રોગો જેવા કે ડાયાબીટીશ, હાર્ટ, બી.પી. આદિ કાંઈ જ નથી. પૂ. ગુરૂદેવની સેવા કરીને તેમને જે શાતા પમાડેલી તેના ફળ સ્વરૂપે પોતે શાતા ભોગવી રહ્યા છે તથા પોતાના એક પણ શિષ્ય નહિ હોવા છતાં બધા મુનિવરો તેમને ગુરૂદેવની જેમ જ માને છે તથા શાતા ઉપજાવે છે. ઋજુતા દયે વસી, નમ્રતા મનમાં ધરી તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ફરમાવ્યું છે કે જેનામાં સરળતા છે તેની જ શુદ્ધિ થાય છે. એવા શુદ્ધ થયેલા હૃદયમાં જ ધર્મ ટકે છે. અગ્નિમાં ઘી હોમવામાં આવે તો એની જવાળા ઉપર જાય છે તેમ સરળદયી આત્મા સીધો ઋજુગતિએ મોક્ષમાં જાય છે. આવી જ સરળતાના સ્વામી પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી છે. તેઓ પૂજય સાહેબની પદવી (ગાદીપતિની પદવી) ધરાવતા હોવા છતાં વિનમ્ર થઈને રહે છે. સાધુ જીવનના પાયાના આ બે ગુણો સરળતા અને નમ્રતાને તેમણે ખૂબ જ સારી રીતે આત્મસાત કરેલા છે. પૂજ્ય સાહેબનો પુણ્યપ્રતાપ તથા યશનામ કર્મનો ઉદય ૫. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી ગાદીએ બિરાજયા પછી પૂ. શાસનોદ્ધારક આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીનો દ્વિશતાબ્દિ પટ્ટોત્સવ પૂ. ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. ભાસ્કર સ્વામીની પ્રેરણાથી લીંબડીમાં ઉજવાયો હતો, જેમાં ૨૦૦ થી વધારે વર્ષીતપ તથા અનેકવિધ અન્ય આરાધનાઓ થઈ હતી. એ જ રીતે પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી અજરામરજી સ્વામીનો સાર્ધ દ્વિશતાબ્દિ જન્મોત્સવ અત્યંત ભવ્યતાથી અંધેરી-મુંબઈમાં ઉજવાયો તેમાં ૩૧૦૦ જેટલા Page #384 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૭૧ વર્ષીતપ આદિની વિશ્વવિક્રમરૂપ આરાધનાઓ થઈ હતી. પૂ. તીર્થસ્વરૂપ વેલબાઈ મ. સદેહે જન્મશતાબ્દિ મહોત્સવ પણ રાપરમાં ઉજવાયો તથા શાસનના અનેક કાર્યો થયા. પૂ. સાહેબ ગાદીએ બિરાજયા પછી અજરામર સંપ્રદાયમાં ૧૧૧ જેટલા સાધુ-સાધ્વીજીની દીક્ષાઓ થઈ. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીના શાસન કાળમાં ૧૧૫ જેટલા સાધુ-સાધ્વીજીની દીક્ષાઓ થઈ. બૃહદ્ મુંબઈમાં ૨૦થી વધારે અજરામર જૈન ધર્મસ્થાનકો બૃહદ્ મુંબઈમાં તથા અન્ય સ્થળે અનેક ધર્મસ્થાનકો, વિદ્યાધામો આદિ નિર્માણ થયા. પૂ. સાહેબનો સંયમાર્ધ શતાબ્દિ મહોત્સવ ગોરેગામ (ઈ) સ્થા. જૈન સંઘે ખૂબ જ સારી રીતે ઉજવ્યો. બૃહદ્ મુંબઈ તથા અન્ય સ્થળેથી ૫૦૦ થી વધારે ૨૫૦ પચ્ચકખાણની આરાધના થયેલ. સેંકડો અઠ્ઠાઈ તથા અઠ્ઠમોની આરાધના થઈ. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર પૂ. કંકુબાઈ મહાસતીજી 'વિભાગ - ૫ લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂર્વે થઈ ગયેલા 'વિદુષી - મહાસતીજી - આર્યાજીઓના જીવન ચરિત્ર - - 'શાસનોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીના 'માતુશ્રી પૂ. કંકુબાઈ મહાસતીજી ગૌરવવંતા મહાસતીજી શ્રી પૂ. કંકુબાઈ આર્યજીની જન્મભૂમિ હાલાર પ્રાંતના જામનગર જિલ્લાનું “મોટા લખીયા” ગામ હતું. વિશા ઓસવાળ જ્ઞાતિના ૫૦૦ વર્ષથી વધારે વર્ષ પહેલા કંથકોટ કચ્છથી ચાર વિભાગ પડેલા. અમુક ગામો અબડાસા (પશ્ચિમી કચ્છ)માં ગયા, ત્યાં ૪૨ ગમો છે તથા મુન્દ્રા, માંડવી તાલુકાના કંઠી વિસ્તારમાં પર ગામો છે તથા ૨૪ ગામો વાગડમાં છે. હાલારી વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના સદગૃહસ્થ મોટા લખીયા ગામમાં સંસ્કાર માતા-પિતાને ત્યાં શ્રી કંકુબાઈનો જન્મ થયો હતો. તેમના લગ્ન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા (વાછરા દાદાનું)ના સદ્ગૃહસ્થ માણેકચંદભાઈ સાથે થયા હતા. તેમના સસરાનું નામ ખીંયશી હરગણ મારૂ હતું. કંકુબાઈના પિતાશ્રીની અટક સુમરિયા શાહ હતી. શ્રી માણેકચંદભાઈ તથા કંકુબાઈ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. એમના જીવનમાં શીલ-સદાચાર આદિ મહત્ત્વના ગુણો હતા. તેઓને પાંચ સંતાનો થયા (૧) વીરપારભાઈ (૨) આણંદજી (૩) પુરીબહેન (૪) સંતોકબહેન (૫) જીવીબહેન. પ્રાય: આણંદજી (પૂ. અજરામરજી સ્વામી) સૌથી નાના હતા. પૂ. શ્રી અજરામરજી સ્વામીના કાકાનું નામ મેઘાભાઈ હતું. શ્રી કંકુબાઈના જીવનમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો સારા હતા. એકદા શ્રી માણેકચંદભાઈ બિમારીનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પામ્યા. કંકુબાઈ તથા પાંચે સંતાનોના આઘાતનો કોઈ પાર ન રહ્યો પરંતુ કાળ પાસે સહુ લાચાર... આવા સમયે ધર્મના સંસ્કારો તેમના વિશેષ જાગૃત થયા. Page #386 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૭૩ પૂ. યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટધર સુશિષ્ય પૂ. આચાર્ય શ્રી મૂલચંદજી સ્વામીના સંઘાડાના પૂ. હીરાજી સ્વામી તથા પૂ. કાનજી સ્વામી આદિ ગુરૂભગવંતો તથા મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગથી શ્રી કંકુબાઈના ધર્મના સંસ્કારો વિશેષ દઢ થયા. તેઓશ્રી નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિની આરાધના કરતા. સૌથી નાના સુપુત્ર આણંદકુમારને પણ ધર્મના સંસ્કારો આપતા. એમના પતિના અવસાન પછી એમના અન્ય સંતાનો પોતાના મોસાળમાં વધારે રહેતા હતા. શ્રી આણંદકુમાર પાંચ વર્ષના થયા ત્યારે એકદા મૂશળધાર વરસાદ ચોમાસામાં વરસ્યો. કંકુબાઈ ચિંતામાં પડી ગયા કે આજે મારું પ્રતિક્રમણ નહિ થાય. પાંચ વર્ષના સુપુત્રે કહ્યું, “મા! શેની ચિંતા સતાવે છે?" માતાએ પ્રતિક્રમણની વાત કરી ત્યારે આણંદકુમાર કહે, “બેસી જા, હું પ્રતિક્રમણ કરાવું છું.' એમ કહીને માતા-પુત્ર સામાયિક લઈને બેઠા તથા પાંચ વર્ષના સુપુત્રે વિધિ સહિત પ્રતિક્રમણ કરાવી દીધું. ત્યારે કંકુબાઈ સાનંદાશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારી ભાવના ચોક્કસ ફળીભૂત થશે. મારો સુપુત્ર શાસનને અજવાળશે. “નાસ્તિ માતૃસનો ગુર: ' મા સમાન કોઈ ગુરૂ નથી. આ ઉક્તિને માતા કંકુબાઈએ અક્ષરશઃ સાચી સાબિત કરી. પોતે ગુરૂ બનીને આણંદકુમારને ધર્મના સંસ્કારો આપવા લાગ્યા તથા તે નવ વર્ષનો થયો ત્યારે ગોંડલમાં બિરાજતા પૂ. હીરજી સ્વામી તથા પૂ. શ્રી કાનજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. સં. ૧૮૧૮નું ગોંડલનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી દીક્ષાની તૈયારીઓ થવા લાગી. ગોંડલ સંઘની વિનંતી ગોંડલમાં જ દીક્ષા કરવાની થઈ. તે વખતે બૃહદ્ ગુજરાતના (ખંભાત તથા દરિયાપુરી સંપ્રદાયને બાદ કરતા) બધા સંપ્રદાયો એક હતા તથા “પૂજય શ્રી મૂલચંદજી સ્વામીનો સંઘાડો” એ નામથી ઓળખાતા હતા. તે વખતે સાધુજીની સંખ્યા પ૬ તથા સાધ્વીજી ૮૪ હતા. ત્યારે ચાતુર્માસના ક્ષેત્રો માત્ર ૩૨ હતા. વિ.સં. ૧૮૧૯ મહા સુદ-૫ના પવિત્ર દિવસે માતા કંકુબાઈ તથા સુપુત્ર આણંદકુમારની ગોંડલ મુકામે દીક્ષા થઈ. પૂ. દાદા-ગુરૂ શ્રી હીરાજી સ્વામીએ દીક્ષાનો પાઠ ભણાવ્યો તથા નૂતન નામ નવદીક્ષિત અજરામરજી સ્વામી રાખી પોતાના સુશિષ્ય શ્રી કાનજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા તથા કંકુબાઈ મહાસતીજીને પૂ. જેઠીબાઈ મહાસતીજીને શિષ્યા તરીકે સોંપ્યા. પૂ. કંકુબાઈ મ. ના કાળધર્મ આદિની વિગત ઉપલબ્ધ નથી. તેમના પરિવારમાં અજરામર સંપ્રદાયના મોટા ચંદનબાઈ મ. આદિ ઠાણોઓ તથા ગોપાલ સંપ્રદાયના સર્વે મહાસતીજીઓ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી પૂ. શ્રી કંકુબાઈ મ.ના ગુરૂણી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ. ના ગુરૂણી ધીરજબાઈ આર્યજી હતા. ધીરજબાઈ મ.ના ગુરૂણી સમજુબાઈ મ. હતા. સમજુબાઈ મ. ના ગુરૂણી ચંદનબાઈ મ. હતા. ચંદનબાઈ મ. ના ગુરૂણી કાશીબાઈ મ. હતા તથા કાશીબાઈ મ. ના ગુરૂણી પ્રવર્તિની મ. શ્રી સુજાણબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ. ના ગુરૂણી ધીરજબાઈ મ. સુધી પ્રવર્તિનીપદ અપાતું હતું. પછી એ પ્રથા બંધ કરવામાં આવેલ. * ૩૭૪ ૧૭ સંતોને સંયમધારી બનાવનારા પૂ. મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી (જેમના નામનો સંઘાડો ચાલ્યો) આગળના સમયમાં મહત્ત્વની ઘટનાઓ લખવાની પરંપરા ન હતી. જેના કારણે ઘણા મહાન આત્માઓના પ્રેરણાદાયી જીવનથી આપણે અજાણ છીએ. શાસનોદ્ધારક પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના જીવનના પ્રસંગો એમના કાળધર્મ પછી પૂરા ૧૦૦ વર્ષે લોકાર્પણ થયા. તેનો યશ શતાવધાની ભારતભૂષણ પૂ. રત્નચંદ્રજી સ્વામીના ફાળે જાય છે. શતાવધાની પૂ. રત્નચંદ્રજી સ્વામીના સમર્થ ગુરૂ હતા પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી. આવા સુવર્ણયુગ પ્રવર્તક આચાર્ય તથા અન્ય ૧૭ આત્માઓને સંયમ લેવાની પ્રેરણા આપનારા હતા મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી. પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મુખ્ય ત્રણ સાધ્વીરત્નો થયાં. (૧) માતા મહાસતીજી કંકુબાઈ આર્યજી (૨) મહાસતીજી વાંઝીબાઈ આર્યજી (૩) મહાસતીજી રયાંબાઈ આર્યાજી. આ ત્રણે મહાસતીજીઓના નામના સંઘાડા ચાલ્યા. મહાસતીજી શ્રી રયાંબાઈ આર્યાજીના સંઘાડાના એમના શિષ્યા લક્ષ્મીબાઈ મ.ના શિષ્યા સોનબાઈ મ. ના શિષ્યા દેવબાઈ મ. ના પરિવારમાં મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી થયા. તેમની જન્મભૂમિ કાંડાગરા (તા. મુન્દ્રા-કચ્છ) હતી. પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના સુશિષ્યો દેઢિયા પરિવારના પૂ. નાગજી સ્વામી તથા પૂ. આચાર્ય દેવરાજજી સ્વામી (પિતા-પુત્ર)ની જન્મભૂમિ પણ કાંડાગરા હતી. Page #388 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૭૫ ૧૭ જેટલા સાધુ મુનિરાજોને સંયમ લેવાના ભાવ જગાડનાર મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી એક ઐતિહાસિક મહાસતીજી ગણાય. જેમના માટે આપણે ગૌરવ લઈ શકીએ. એમના નામનો સંઘાડો ચાલતો હતો. જો કે હાલમાં એમના સંઘાડામાં કોઈ મહાસતીજી નથી. પૂ. પુરીબાઈ મહાસતીજી ભો૨ા૨ામાં કાળધર્મ પામ્યા હતા. પૂ. ગુલાબચંદ્રજી સ્વામીના બહેન મૂળીબાઈ મ. આદિ ઘણા શિષ્યાઓ એમના થયા હતા. * લાકડિયા છ કોટિ જૈન સંઘના ઉદ્ધારક તથા પરિવારને ધર્મના માર્ગે વાળનાર સમતાશીલ મૃગાબાઈ મહાસતીજી પૂ. મહાસતીજી મૃગાબાઈ આર્યાજી કચ્છ-ગુંદાલા ગામના હતા. તેમણે પૂ. પ્રભાવશાળી આચાર્યદેવ શ્રી દેવજી સ્વામીની નિશ્રામાં પતિદેવ જેચંદભાઈ તથા પુત્ર જીવણકુમાર સાથે કચ્છ માંડવી મુકામે વિ.સં. ૧૯૦૩ના મહાવિદ-૭ના શુભ દિવસે દીક્ષા લીધી હતી. તેઓ વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના હતા. પૂ. જેચંદજી સ્વામી તથા પૂ. જીવણજી સ્વામી, પૂ. દેવજી સ્વામીના શિષ્યો થયા તથા મૃગાબાઈ મહાસતીજી, પૂ. વાંછીબાઈ આર્યાજીના શિષ્યા મહા. નાનબાઈ આર્યાજી, તેમના પરિવારના રૂપબાઈ મ.ના શિષ્યા ચંપાબાઈ મ.ના શિષ્યા થયા. મૃગાબાઈ મ.ના શિષ્યા શામબાઈ આર્યાજી થયા. તેણે વિ.સં. ૧૯૨૧ની સાલમાં દીક્ષા લીધી હતી. નાનબાઈ મ. પણ તેમના શિષ્યા થયા. વિ.સં. ૧૯૨૬ની સાલે લાકડિયામાં ધર્મસ્થાનક ન હતું પરંતુ ૫૦૦ જેટલા વિશા ઓસવાળ જૈનોના ઘર હોવાથી ધર્મવીર પાલાશાને ધર્મસ્થાનક બનાવવાનો વિચાર આવ્યો. તે વખતમાં સર્વે ઓસવાળો ખેતીવાડી કરતા હોવાથી ધર્મની જાગૃતિ બહુ જ ઓછી હતી. સં. ૧૯૨૬, ચૈત્ર સુદિ-૧ના પૂ. મૃગાબાઈ મ., શામબાઈ મ. તથા નાનબાઈ મ. ઠાણા-૩ પહેલીવાર લાકડિયા પધાર્યા તથા દશા શ્રીમાળી જૈન સુશ્રાવિકાશ્રી રંગબાઈ ભવાનભાઈ શેઠના નિર્દોષ મકાનમાં ઉતર્યા. નિયમિત વ્યાખ્યાનની ધારાથી ભાવિકો સારી સંખ્યામાં લાભ લેવા લાગ્યા. મહાસતીજી Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પૂ. મુગાબાઈ મહાસતીજી શેષકાળ પૂરતા જ પધાર્યા હતા, પરંતુ વૈશાખ મહિનામાં શ્રી મૃગાબાઈ આર્યાજીને સ્તન પાકવાનો રોગ થયો. શારીરિક શક્તિ દિન-પ્રતિદીન ક્ષીણ થવા લાગી. ચાતુર્માસનો સમય નજીક આવી પહોંચ્યો. વરસાદ ખૂબ વરસ્યો તેથી ચારેબાજુ વનરાજી ખીલી ઊઠી. વિહાર કરવા જેવી પરિસ્થિતિ ન હતી. અત્યાર સુધી લાકડિયામાં સ્થાનકવાસીમાં ચાતુર્માસ થયા ન હતા. તે સમયમાં કટ્ટરતા બહુ હતી તેથી મૂર્તિપૂજક વેપારીઓ ચાતુર્માસ કરવા દે તેમ ન હતું. ગામમાં તેમનું ચલણ વિશેષ હોવાથી બધા તેમનું જ સાંભળે છતાં પલાશા આદિ શ્રાવકો મક્કમ હતા. જે શ્રાવકે ઉતરવા માટે જગ્યા આપી હતી તેને પેલા વિરોધીઓએ ધમકી આપી કે જો તમે મહાસતીજીને વિહાર નહિ કરાવો તો તમને નાતમાંથી બહાર મૂકશું તથા તમારી સાથેનો બધો જ વ્યવહાર કટ થઈ જશે. રંગબાઈ શ્રાવિકાને બહુ દુઃખ લાગ્યું પણ તેઓ લાચાર હતા. પૂ. મૃગાબાઈ મ. ને જ્યારે ખબર પડી ત્યારે તેમણે પાલાશા, કરમશી સાવલા તથા શવાશાને વાત કરી. પાલાશાએ ૫૦ જણા સાથે વેપારીઓને કહી દીધું કે મહાસતીજી અહીં જ ચોમાસું કરશે તેમાં કોઈનું નહિ ચાલે. તેઓ બધા પાલાશાને મારવા દોડ્યા પણ પાલાશા એકલાએ બધાને લાકડી ફેરવીને ભગાડી દીધા. સાચું જ કહ્યું છે કે, “બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; સિંહણ બચ્ચું એક, એકે હજારા, આખરે ત્રિપુટી શ્રાવકોએ ખેરાજ ભોપાની જગ્યામાં મહાસતીજીને ચાતુર્માસ રાખ્યા. મહાસતીજીને વિહાર કરાવવાના અનેક પ્રયત્નો તે વ્યાપારીઓ કરવા લાગ્યા પણ તેઓ ફાવ્યા નહિ. અન્યાય ક્યાં સુધી ચાલે ? એમનું ધાર્યું થયું નહિ તેથી ઉચાળા ભરીને અન્યત્ર ચાલ્યા ગયા પણ એમનું ધાર્યું થયું નહિ. પૂ. મૃગાબાઈ મ. આદિ ઠાણા-૩ લાકડિયામાં જ ચાતુર્માસ રહ્યા તથા શરીરના કારણે ચાતુર્માસ પછી પણ ત્યાં જ રહ્યા. પ્રતિદિન એમનો વ્યાધિ વધતો ગયો. પાલાશા આદિ શ્રાવકોએ ખૂબ જ સેવા કરી પરંતુ બિમારી દૂર ન થવાથી તેમણે સંપૂર્ણ સમતાની સાથે આજીવન અનશન સ્વીકાર્યું અને સમાધિભાવે સંવત ૧૯૨૭ ચૈત્ર વદિ-૪ના દિવસે સર્વ જીવોને ખમાવી સમાધિ ભાવે સ્વર્ગવાસ પામ્યા. લાકડિયામાં આવો પ્રસંગ પ્રથમવાર હતો. શ્રાવકોએ પોતાના ઉપકારી ગુરૂણીનો મૃત્યુ મહોત્સવ ઉજવ્યો. ત્યારથી અત્યાર સુધી લાકડિયાના સ્થાનકવાસી જૈનો આખા ગામમાં ચૈત્ર વદિ-૮ના પર્યુષણ જેવી પાખી પાળે છે. ઉપકારીના ઉપકારને કેમ ભૂલી શકાય? Page #390 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૦૭ પૂ. મૃગાબાઈ મ.ના સુપુત્ર શાસનપ્રભાવક સ્થવિર શ્રી જીવણજી સ્વામી, આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીના સંસારી દાદાના કાકા પૂ. શ્રી લાધાજી સ્વામીના ગુરૂદેવ હતા. પૂ. શ્રી લાધાજી સ્વામી વિ.સં. ૧૯૩૦ની સાલે માગસર વદિ-૮ના દિવસે માંડવી મુકામે દીક્ષા લીધી હતી. ભોરારાના પ્રથમ મુનિરાજ તેઓશ્રી જ હતા. તેમના પણ બે શિષ્યો થયા હતા (૧) પૂ. શ્રી ટોકરશી સ્વામી (૨) પૂ. શ્રી શિવલાલજી સ્વામી. પૂ. શ્રી લાધાજી સ્વામી વિ.સં. ૧૯૮૧ શ્રાવણ સુદિ-૧૧ના દિવસે વિરમગામમાં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા. * * * સંઘાડાના શિરમોર મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી પૂ. શાસનોદ્વારક આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી શ્રી વાંછીબાઈ આર્યાજીના સંઘાડામાં મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યજી થયા. તેમના મુખ્ય બે શિષ્યાઓ થયા (૧) રાપરના પૂ. વેજબાઈ મહાસતીજી તથા (૨) ગુંદાલાના પૂ. ડાહીબાઈ મહાસતીજી, પૂ. વેજબાઈ મ. ના સંધાડામાં વાગડના સિંહણ કુંવરબાઈ આર્યાજી, મોટા મણિબાઈ આર્યાજી, ઝવેરબાઈ આર્યાજી આદિ ઠાણાઓ થયા. તેમના સંઘાડામાં અત્યારે સૌથી મોટા બા.બ્ર. સૂરજબાઈ મહાસતીજી છે જ્યારે પૂ. ડાહીબાઈ મ. ના સંધાડામાં મહાસતીજી જીવીબાઈ આર્યજી, મ. વેલબાઈ આર્યજી, મ. માણેકબાઈ આર્યજી, મ. દેવકુંવરબાઈ આર્યાજી આદિ થયા. તેમના સંઘાડામાં અત્યારે સૌથી મોટા બા.બ્ર. ઉજ્જવળકુમારીજી મહાસતીજી છે. આમ એક મગની બે ફાડ સમાન આ બંને સંઘાડા અત્યારે અજરામર ધર્મસંઘમાં મોટા સંઘાડા છે. કચ્છમાં સુપ્રસિદ્ધ નામ એવું ગુંદાલા ગામ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં વિ. સં. ૧૮૯૬ ની સાલે પુણ્યાત્મા ડાહીબાઈ મહાસતીજીનો જન્મ ભાગ્યશાળી પિતા હંસરાજભાઈ તથા સદ્ગુણી માતાશ્રી જીવીબાઈની કુક્ષિએ થયો હતો. તેઓશ્રી સ્વભાવે શાંત, સરળ અને ધર્મપ્રેમી હતા. બાલપણમાં તેમના લગ્ન થયેલા પરંતુ કર્માનુસાર જલ્દી વૈધવ્ય દશા આવી પડી. આ નિમિત્તથી તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. પૂર્વ આરાધનાના પુણ્યોદયે ભદ્ર-સ્વભાવી મહાસતીજી શ્રી ભાણબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ ગુંદાલા પધાર્યા. તેમના સત્સંગથી ડાહીબેન વિશેષ વૈરાગ્યવાસિત Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી બન્યા. ગુરૂણીશ્રીની સાથે રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા તથા સંયમ જીવનની તાલીમ લીધી. દિવ્ય યુગપ્રવર્તક પૂ. આચાર્ય શ્રી દેવજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા વિ.સં. ૧૯૧૪ ની સાલે મુન્દ્રા બંદરે ધર્મપ્રેમી સુશ્રાવક ઢીલા વાલજીભાઈ ખેંગારભાઈએ બહુ ઉત્સાહથી દીક્ષા મહોત્સવ કર્યો. અજરામર ધર્મસંઘના મહાન પ્રભાવશાળી પૂ. આચાર્ય દેવશ્રી દેવજી સ્વામીએ તેમને દીક્ષા આપી. મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યાજીને શિષ્યા તરીકે સોંપ્યા. ગુરૂણી સમીપે વિનય-વિવેક, વૈયાવચ્ચ આદિ સાત્વિક ગુણોની વૃદ્ધિ કરતા કરતા જ્ઞાનની અભિવૃદ્ધિ કરી. સરળ સ્વભાવી પૂ. ડાહીબાઈ મહાસતીજીના સંયમ જીવનનો પ્રભાવ કેવો હતો તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. વરસાદ વરસી ગયા બાદ એક ગામથી બીજે ગામ જતાં વચ્ચે નદીનું પાણી વહી રહ્યું હતું. બધા મહાસતીજીઓ નદી ઉતરવાની વિચારણામાં હતા ત્યાં પૂ. મહાસતીજીએ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં પાણી વચ્ચેથી માર્ગ મળી ગયો. તેઓશ્રીના કાળધર્મ વખતે અગ્નિ સંસ્કાર કરતાં ચિતા બળી ગયા પછી મુહપત્તિ પુંઠા સહિત... જાણે રાખનો ફોટો રહી ગયો. પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી એટલે પુણ્યનો પંજ. મીઠું જીવન, મધુરવાણી, જેથી સૌને વહાલા લાગે. તેઓશ્રીના ચરણ-શરણમાં તુંબડી ગામના ત્રણ ત્રણ સતીરત્નોએ જીવન નૈયા ઝુકાવી દીધી. એટલે જ તુંબડી નાની નહિ પણ તુંબડી એટલે મોટી કેમકે તે યુગમાં ત્રણ ત્રણ વૈરાગી આત્માઓને શાસનના શરણે સમર્પણ કર્યા છે. (૧) ગુણાઢ્ય શ્રી જીવીબાઈ મહાસતીજી (૨) સેવાભાવી શ્રી સંતોકબાઈ મહાસતીજી (૩) મહાસતીજી શ્રી ગંગાબાઈ આર્યાજી. પ્રૌઢ પ્રતાપી જીવીબાઈ મહાસતીજીના સંસારી પિતા લખમશીભાઈ તથા માતા દેમઈબાઈ હતા. તેઓશ્રી બાલવિધવા બનતા સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો. પૂ. ડાહીબાઈ મહાસતીજી પાસે વિ.સં. ૧૯૪૪ ની સાલે દીક્ષા લીધી. બુદ્ધિનિધાન પૂ. જીવીબાઈ મહાસતીજી શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ બન્યા. તેમના નામનો પણ સંઘાડો ચાલ્યો. પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી શરીરે અશક્ત થઈ જતાં માંડવી શહેરમાં સ્થિરવાસ રહ્યા. તેઓશ્રીની સેવામાં વિદુષી શ્રી જીવીબાઈ આર્યાજી, સેવાભાવી શ્રી વેલબાઈ આર્યાજી આદિ ઠાણાઓ હતા. વિ.સં. ૧૯૭૪ માં તપસ્વી ગુરૂદેવ શ્રી શામજી સ્વામી આદિ મુનિવરોનું ચાતુર્માસ પણ માંડવીમાં હતું. તે વખતે માંડવી સંઘની જાહોજલાલી જોરદાર હતી. Page #392 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૭૯ ભાદરવા સુદિ-૧૫ ના વ્યાખ્યાન બાદ તપસ્વી ગુરૂદેવ શ્રી, પૂ. ડાહીબાઈ મહાસતીજીને માંગલિક સંભળાવી અન્ય અસ્વસ્થ ભાઈ-બહેનોને દર્શન દેવા પધાર્યા. પાછળ થોડી જ વારમાં પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજીને તકલીફ વધી. સર્વ જીવોને ખમાવી સમાધિભાવે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. સ્થાનકવાસી - દેરાવાસી સર્વે ભાવિકોએ સાથે મળીને મૃત્યુ મહોત્સવ ઉજવ્યો. પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી વિ.સં. ૧૯૭૪, ભાદરવા સુદિ-૧૫ ના માંડવીમાં કાળધર્મ પામ્યા ત્યારથી સંઘાડાની જવાબદારી પૂ. જીવીબાઈ મહાસતીજી ઉપર આવી પડી. તેઓશ્રીએ ખૂબ જ સારી રીતે સંઘાડાની જવાબદારી ઉપાડી. 'સંઘાડાના શિરોમણિ બહુસૂત્રી, વાગડના સિંહણ પૂ. કુંવરબાઈ મહાસતીજી ધાર્મિક, નૈતિક, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ધપેલા અનેક નરરત્નો અને વીરાંગનાઓને જન્મ આપનારી મહાન ધર્મભૂમિ કચ્છ દેશ એટલે આધ્યાત્મિક સંસ્કૃતિનું શિરમોર... આ કચ્છની ભૂમિ છે... મેકણ દાદા જેવા ઓલિયા ફકીર તેમ જ જૈન ધર્મના સર્વોત્કૃષ્ટ સંતોને જન્મ આપનારી આધ્યાત્મિક ભૂમિ... જગડુશાહ જેવા દાનવીર સજ્જનોની ભેટ આપનારી ઉદાર ભૂમિ... સમય આવે રણભૂમિ પર શૂરવીર થઈ જીવન ફના કરી દેનારા વીરપુરૂષોની વીરભૂમિ... માટીમાંથી સોનું નિપજાવનાર મહેનતુ નરપુંગવોની ભૂમિ... સેવા-સાદગી-સરલતા-ઉદારતા-નમ્રતા-વીરતા-ધીરતા-ગંભીરતા-વિદ્વત્તા આ ભૂમિના વાયુ મંડળના અણુ-અણુમાં વ્યાપ્ત છે. એવી આ ધીંગી ધરાના વાગડ પ્રાંતમાં વિ.સ. ૧૯૧૯ ના શુભ દિને ઉદારદિલ સુશ્રાવક પિતા ગોવરભાઈ, શીલવંતા માતા પૂરીબાઈની કુક્ષિએ શિવ બનવા સર્જાયેલા કુંવરબેનનો મંગલ મુહૂર્ત ગડા ગોત્રમાં શિવલખા ગામમાં જન્મ થયો... સ્વરૂપવંતી કાયા, તેજસ્વી વ્યક્તિત્વ, કંઠમાધુર્ય... જન્મથી મળેલ કુદરતી બક્ષિસ જનમનને આકર્ષિત કરતી. ૧૫ વર્ષની નાની વયે લાકડીયા ગામે નીસર પરીવારમાં લગ્ન ગ્રંથિથી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પૂ. કુંવરબાઈ મહાસતીજી જોડાયા... શ્વસુર ગૃહે પોતાની કર્તવ્યદક્ષતા - વાત્સલ્યતા-નમ્રતાના ગુણોથી સહુને પોતાના બનાવી લીધા.. પણ... કાળનો ક્રૂર પંજો એમના સુખ પર ફરી વળ્યો... માત્ર બે જ વર્ષમાં વૈધવ્ય લમણે ઝીંકાયું... સર્વસ્વ છીનવાઈ જતાં કુંવરબેનનું મન ભ્રમિત થયું. આર્તધ્યાને જાળ બિછાવી પણ સંસારની અસારતા સમજાતાં કુંવરબેન અંતર્મુખી બન્યાં. હૃદય વૈરાગ્યના રંગે રંગાયું. સંસારનું સૌભાગ્ય છીનવાઈ ગયા પછી સર્વજ્ઞના માર્ગે સાધનાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા વેજબાઈ મહા. નું શરણું સ્વીકારી વિ.સં. ૧૯૩૯, ચૈત્ર વદ ૪ ના ચારિત્ર ચુંદડી ઓઢી મોક્ષમાર્ગના રાહી બન્યા. તન-મન-જીવન ગુરૂચરણે સમર્પિત કરી મોક્ષની રાહે પોતાના કદમ આગળને આગળ વધારતા રહ્યા. બુદ્ધિની શીઘ્રતાથી સુત્તાગમે અને અત્યાગનો સારો વિકાસ કર્યો.... બત્રીસ આગમનું રહસ્ય એમને હૃદયસ્થ હતું. ગુરૂકૃપાથી કોઈપણ સાધકની સૂત્ર-શંકાનું તે શાસ્ત્રના જ દાખલા-દષ્ટાંતથી સમાધાન કરી દેતા અને તેથી જ ચતુર્વિધ સંઘે એમને બહુસૂત્રી ના બિરૂદથી વિભૂષિત કર્યા... સમ્યગ્દર્શનની એટલી અટલ શ્રદ્ધા કે પોતાના જોરદાર વક્તવ્યથી સત્યધર્મની પ્રરૂપણાં કરતાં.... પ્રામાનુગ્રામ વિચરણ કરી અનેક વૈષ્ણવોને જૈન ધર્મી બનાવ્યા. શાસ્ત્રની શ્રદ્ધા સાથે ગુરૂ-ભક્તિ પણ રગરગમાં વ્યાપેલી હતી. એ સમય દરમ્યાન વણોઈ ગામના શ્રાવકો આઠ કોટી સતીના કહેવામાં આવી જતાં... આઠ કોટીના મુનિ અને સાધ્વીશ્રીની ગુરુધારણા કરી, ત્યારે લકીરના ફકીર ન બનતાં કુંવરબાઈ મ.એ. ક્રાંતિની મશાલ હાથ ધરી... અનેક વિરોધોની વચ્ચે રહી જનમાનસનું પરિવર્તન કરવું એ સરલ કાર્ય ન હતું પણ કુંવરબાઈ મ.એ આ ભગીરથ કામ હાથ ધર્યું. સંકલ્પ ને તોડી શકે તાકાત કોની? અમ સાથે ગમ જોડી શકે તાકાત કોની? અમે પરપોટા કોમળ છીએ કિન્તુ, કોઈ તો ફોડી શકે તાકાત કોની? વણોઈમાં સમગ્ર વાગડ પ્રાંતના ધુરંધર શ્રાવકોને બોલાવી આઠ કોટીની ગુરૂધારણા વોસરાવી, અજરામરજી ગુરૂની ધારણા કરાવી છ કોટીના દ્રઢ શ્રાવક બનાવ્યા.. આજે આપણે દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના જો ભક્ત હોઈએ તો એનો સંપૂર્ણ શ્રેય પૂ. શ્રી કુંવરબાઈ મહાસતીજીના ફાળે જાય છે.... આવા ભગીરથ કાર્યને નિરખી લોક જનતાએ એમને ‘વાગડ ના સિંહણ' વિશેષણથી નવાજયા. પૂ. મહાસતીજી પાસે વીરવાણીના પ્રચારની અજોડ શક્તિની સાથે આચાર પણ એટલો ઉચ્ચકોટિનો હતો કે, સંગમાં આવનાર વ્યક્તિ ભક્તિ રંગે રંગાયા 2012 Re el... Simple living and high thinking... 2415 h Bulsad Page #394 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૮૧ કરી કેટલાયને સંયમપથના પથિક બનાવ્યા... કેટલાયને દેશવિરતિધારી બનાવ્યા... કેટલાય બ્રહ્મચારી બન્યા તો કેટલાય સમક્તિમાં દ્રઢ બન્યા. પૂજ્યશ્રીના જીવન નંદનવનમાં મહેકતા અનેક ગુણપુષ્પો માંહેનું એક સુરભિ સુમન હતું વાત્સલ્યતાનું ૧૧ વર્ષની નાની વયે સંયમ ગ્રહણ કરનાર દિવાળીબાઈ મહાસતીજી વિહાર કરતાં (૨) લાકડીઆ નદી ઉતરતા વચ્ચે થાકી ગયા... ત્યારે પૂ. કુંવરબાઈ મ.ના. હૃદયમાં બાલસંયમી પ્રત્યેનો વાત્સલ્યભાવ ઉછળતાં એમને પોતાના ખભે ઉપાડી આખો વિહાર કરાવ્યો. એ જ દિવાળીબાઈ મ.નાના બે ઠાણા સાથે ત્રંબોમાં ચાતુર્માસ બિરાજિત હતા ત્યારે અચાનક પૂ. દિવાળીબાઈ મ. નું. આયુષ્ય પૂર્ણ થતા બન્ને નાના ઠાણાને આશ્વાસન આપવા લાકડીઆથી ઉગ્ર વિહાર કરી એક જ દિવસમાં ત્રંબો પધારી સ્નેહાળ હૃદયથી બન્ને નાના સાધ્વીશ્રીને સ્વસ્થ કર્યા. પૂજ્યશ્રીના દિલની દિલાવરતાને વાત્સલ્યતા એમના જ સંઘાડા પૂરતી ન રહેતા સર્વ સંત-સતીજી પ્રત્યે હતી. માંડવીમાં પૂ. દયાકુંવરબાઈ એકલા હતા ત્યારે પૂજ્યશ્રીએ એમને - હેમકુંવરબાઈ મ.- એવું નૂતન નામ આપી પોતાની નિશ્રામાં રાખ્યા... એ જ રીતે અન્ય સંઘાડાના પૂ. સુંદરબાઈ મ. પણ એકલા હતા, એમને પણ પોતાની પાસે રાખી અંતિમ સમય સુધી વૈયાવચ્ચ ભક્તિ કરી. વિશાલતા અને ઉદારતાની સાથે નીડરતાનો ગુણ પણ એમના જીવનમાં મહેંકી રહ્યો હતો.. મોટા સાધુઓને પણ ટકોર કરી સંયમજીવનમાં દ્રઢ કરતાં... એટલે કહી શકાય કે, તેઓ સ્ત્રીવેદ બાંધીને આવેલા હોવાથી સાધ્વીનો અવતાર મળ્યો બાકી તેમનો પુરુષાર્થ, તેમની અજોડ શક્તિ, તેમનું આત્મબળ મહાન આચાર્ય જેવું હતું. વાગડ વિસ્તારમાં બહુસૂત્રી કુંવરબાઈ મહાસતીજીનું વિચરણ વિશેષ થતું તેથી સમસ્ત વાગડ વિસ્તારમાં ધર્મની જાગૃતિ વિશેષ આવી. તેઓશ્રી વાગડના સિંહણ કહેવાતા તથા એમનો સંઘાડો ‘વાગડવાળો સંઘાડો' એવી રીતે ઓળખાતો હતો. આજે પણ ૯૦ માંથી ૮૧ જેટલા ઠાણા વાગડના છે. પ્રમાદની પથારી તો એમણે જાણે સંકેલી લીધી હતી.. છેલ્લે શારીરિક અસ્વસ્થતા થતાં લાકડીઆ ગામે આઠ વર્ષ અને ભચાઉ ગામે બે વર્ષ સ્થિ૨વાસ રહ્યા... ત્યારે પણ અપ્રમત્ત રહી સતત સ્વાધ્યાયમાં રત રહેતાં.. છેલ્લે એમની દૃષ્ટિ પણ ગઈ હતી છતાં એ વ્યાખ્યાન કદી છોડતાં નહી કારણ અશાતાના ઉદયમાં આર્તધ્યાનને બદલે અનુપ્રેક્ષા કળા કેળવેલી હતી. સવાર-સાંજ બે ટાઈમ જ ગોચરી Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પૂ. મણીબાઈ મહાસતીજી વાપરતા... પોતે નાની-નાની તુંબડી રાખતા અને ઘેર-ઘેર પ્રાસુક ધોવણ પાણીની ગવેષણા કરતાં. લાકડિયાના ધર્મવીર પાલાશાએ ૧૦૦ વર્ષની આસપાસની ઉંમર ભોગવી. મહાસતીજી શ્રી કુંવરબાઈ આર્યજી પાસે તેમણે સંથારાના પચ્ચક્ખાણ કર્યા હતા. ધર્મના માટે પ્રાણનો ભોગ દેવા સુધીની તૈયારીવાળા શ્રી પાલાશા એક ઐતિહાસિક સુશ્રાવક થઈ ગયા. એવા એ ઉચ્ચ કોટિના સંયમ સાધિકાએ પોતાની સંયમયાત્રામાં ઘણા જીવોને તારી પ્રતિબોધી પ્રવજ્યના પંથી બનાવ્યા. એમની અસીમ કૃપાથી પૂ. ઝવેરબાઈ મ. ના પરીવારમાં ૯૭ શિષ્યા રત્નો શાસન પ્રભાવના કરી રહ્યાં છે. એવા તો અનેક ગુણોના ધારક, શાસન દિવાકર પૂજ્યશ્રી માટે એટલું જ કહી શકાય કે, એક આસમાને તારા છે અનેક-અનેક, એક જળ ફુવારે ધારા છે અનેક-અનેક, એક ઉપવને કયારા છે... અનેક-અનેક, કુંવરગુરુણીના ગુણ માળાના પારા છે અનેક-અનેક એવા એ મહાન તેજસ્વી સિતારા, લીંબડી અજરામર સંપ્રદાયના એક સિંહણ સમ સાધ્વી રત્ને એ પોતાનું ૯૨ વર્ષનું આયુ પૂર્ણ કરી વિ.સં. ૨૦૧૧, ફાગણ સુદ પૂનમના દિવસે મંગળવારે ભચાઉ મુકામે સકલ સંઘને ખમાવી, ચાર શરણા ગ્રહી, સમાધિપૂર્વક આ અવનિ પરથી વિદાય લીધી... પૃથ્વીનો ભોમિયો... અગોચર વિશ્વમાં વિલિન થઈ ગયો.... વંદના-અભિવંદના... પૂ. ગુરૂણીશ્રી કુંવરબાઈ મહા. ના ચરણોમાં * * * સંઘાડાના શિરમોર મહાસતીજીશ્રી મોટા મણીબાઈ મહાસતી (બિદડાવાળા) સૌરાષ્ટ્રની કીર્તિ કથામાં ભાગ લેનાર કચ્છ દેશની કીર્તિ કથાઓ આજે પણ કવિ અને કથાકારોનું વિપુલ કંઠાભરણ સાહિત્ય બન્યું છે. સાધુભક્તોની પ્રસવભૂમિ કચ્છમાંથી આર્ય, વૈદિક અને જૈન ત્યાગી મહાત્માઓ ભારતને પ્રાપ્ત થયા છે.... Page #396 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૮૩ એ કચ્છની કામણગારી ભૂમિ પર માંડવી તાલુકામાં બીદડા નામનું ગામ છે. બિદડાના સહુ શ્રાવકો આસ્તિક અને ધાર્મિનિષ્ઠાવાળા હતા. તેમાં પણ બિદડામાં પ્રસિધ્ધ શ્રાવક શ્રી ઉકેડાભાઈ કાંઈયા દેઢિયા તેમના ધર્મપત્નિ પરમ શ્રાવિકા હિરબાઈ બન્ને શ્રાવક ધર્મના જ્ઞાતા હતા. નિત્ય ધર્મસ્થાને જતા અને શ્રાવકના આવશ્યક કર્મો સહર્ષ કરતા. આવા ધર્મનિષ્ઠ શ્રાવક ઉકેડાભાઈ અને હીરબાઈના જીવનમાં કોઈ ઉચ્ચ સંદેશો આપનાર આપણા આ કથાના મુખ્ય પાત્ર મણિબાઈનો વિ. સંવત ૧૯૩૭ માં જન્મ થયો. ઉકેડાભાઈને ભારૂભાઈ, ગગુભાઈ નામના બે પુત્રો અને મણીબાઈ, વેજબાઈ, અમીબાઈ, ભાણબાઈ નામની ચાર પુત્રીઓ એમ છ સંતાનો થયા. ઘરમાં પ્રથમથી ધાર્મિક સંસ્કાર હોવાથી પુત્ર અને પૌત્રોમાં પણ ધર્મ સંસ્કાર ચાલ્યા જ આવતા હતા. પોતાના સંતાનોને ગુજરાતીમાં શિક્ષણ આપ્યું. કચ્છના જૈન સમાજમાં બાલલગ્ન કરવાની પ્રથા હતી. એટલે મણિબાઈનું વેવીશાળ નજીકના તલવાણા ગામમાં કર્યું હતું. તલવાણાના શેઠ તેજાભાઈના પુત્ર નેણશીભાઈ સાથે વેવિશાળ થતા ટુંક સમયમાં લગ્ન થયા. ત્યારે મણિબાઈની ઉંમર ૧૩ વર્ષની હતી. આટલી નાની વયે... પિયર છોડી સાસરે જવાનો યોગ થયો. મણિબાઈના કર્મનો ઉદય કોઈ એવો આવ્યો કે એક વર્ષના ગૃહસ્થાશ્રમ પછી પોતાની ૧૪ વર્ષની વયમાં જ પોતાના પતિ નેણશી શેઠના આયુષ્યની સ્થિતિ પૂરી થતાં નેણશી શેઠે સ્વર્ગવાસ કર્યો... અને નાની વયમાં મણિબાઈ વૈધવ્ય પામ્યાં. આ આઘાતજનક પ્રસંગ એમને સંસારથી વિરક્ત બનાવી ગયો. નેણશીભાઈનો સ્વર્ગવાસ થયો ત્યારે મણીબાઈ સ્નાન કરવા ગયા હતા. પાછળથી તેમના દાગીનાની ચોરી થઈ ગઈ, ત્યારે તેમની માસીએ કહયું કે દાગીનાની ચોરી થઈ ગઈ ત્યારે મણીબહેને કીધું કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજસુ શ્રી ગોપાલ” તો ભલે ગયા મને જોઈતા નથી. મારે દીક્ષા લેવી છે. વૈધવ્ય પામ્યા પછી તેમના પિતાજીએ મણીબાઈને મોહવશથી લગભગ ૧૦ વર્ષ દીક્ષા લેતા રોકી રાખ્યા. એ દરમ્યાન એમણે જીવનની ઉજ્જવલ ભૂમિકા તૈયાર કરી. નિરંતર ધર્મક્રિયા અને શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત બની ગયા. જ્યારે જ્યારે સાધુ-સાધ્વીનો યોગ મળે ત્યારે ધાર્મિક જ્ઞાન મેળવતા. છકાયના બોલ, નવતત્વ, લઘુદંડક, ગતાગતિ, કર્મપ્રકૃતિના બોલ, મોટો બાસઠીઓ, ચાર કષાય વગેરેનો અભ્યાસ કર્યો. વાગડવાળા બહુસૂત્રી કુંવરબાઈ મહા. નો યોગ થતા સંયમની ભાવના તીવ્ર બની. પિયર પક્ષે માતા-પિતા, સસરા પક્ષના વડીલો સર્વેની આજ્ઞા મેળવી વિ.સં. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બા.બ્ર.વિદૂષી પાંચીબાઈ મહાસતીજી ૧૯૬૦ માં મહાસુદ તેરસ ગુરૂવારે તુંબડી મુકામે જૈન ભાગવતી દીક્ષા ધારણ કરી. પ્રવજ્યા અંગીકાર કરી અપ્રમત્તદશામાં વિહરવા લાગ્યા. ગુરૂણી કુંવરબાઈ મહાસતીજી સાથે રહી જિનાગમોને દ્રવ્યાનુયોગનો સારો એવો અભ્યાસ કર્યો. વડીલ ગુરુવર્યોની વૈયાવચ્ચ કરી. સંયમકાળ દરમ્યાન એમના તેર શિષ્યાઓ થયા. એમના નામનો સંઘાડો ચાલ્યો. (૧) પૂ. શ્રી કેસરબાઈ મહા (૨) પૂ. શ્રી પ્રેમબાઈ મહા. (૩) પૂ. શ્રી અમૃતબાઈ મહા. (૪) પૂ. શ્રી હિરબાઈ મહા. (૫) પૂ. શ્રી ગુલાબબાઈ મહા. (૬) પૂ. શ્રી ઝવેરબાઈ મહા. (૭) પૂ. શ્રી હરિબાઈ મહા. (૮) પૂ. શ્રી ધનગૌરીબાઈ મહા. (૯) પૂ. શ્રી સૂરજબાઈ મહા. (૧૦) પૂ. શ્રી મંજુલાબાઈ મહા. (૧૧) પૂ. શ્રી વિજ્યાકુમારીબાઈ મહા. (૧૨) પૂ. શ્રી તારામતીબાઈ મહા. (૧૩) પૂ. ગુણવંતબાઈ મહા. એ રીતે નામ પ્રમાણે ગુણ કેળવી સર્વને મણીની જેમ પ્રકાશ અર્પી... ઉચ્ચ કોટિની સંયમ સાધના કરી વિ.સં. ૨૦૧૯ વૈશાખ કૃષ્ણ-ચૌદસના દિને લાકડિયા મુકામે બપોરના ત્રણ વાગે કાળધર્મ પામ્યા. ગગનમાં ચંદ્રના અભાવે ઘેરી કાલિમાં છવાઈ... ધરતી પર તેજસ્વી તારલો અસ્ત થતાં સહુના હૃદય તથા મનમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ. * * * પ્રવચન પ્રભાવિકા બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજી) સ્વ. બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના રતાડિયા (ગણેશવાલા) ગામમાં વિ.સંવત ૧૯૩૬ની સાલે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ વજપારભાઈ અને માતુશ્રીનું નામ ખીમઈબાઈ હતું. તેઓશ્રી ઓસવાળ જ્ઞાતિના હતા. નં પવિત્ર ગનની , વસુન્દર પુષ્યવતી સ્ત્ર તેના અર્થાત્ મહાન આત્મા જ્યાં જન્મ લે છે તે કુળ પવિત્ર હોય છે. માતા કૃતાર્થ હોય છે તથા તેના વડે પૃથ્વી પુણ્યશાળી બને છે. આવા પવિત્ર અને સરળહૃદયી માતા-પિતાને ત્યાં જન્મ ધારણ કરનાર સુપુત્રીનું નામ ‘પાંચીબાઈ રાખવામાં આવ્યું હતું. માતા-પિતામાં ધર્મના સંસ્કારો Page #398 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૮૫ ખૂબ જ સારા હોવાથી પાંચીબાઈમાં પણ બાળપણથી જ ધર્મના સંસ્કારો ઉતર્યા હતાં. કેમ કે કૂવામાં હોય તો હવાડામાં આવે.” આ રતાડિયા ગામ નાનું હોવા છતાં તેમાં ઘણાં સાધુ-સાધ્વીજી થયા છે. ' બધા ધર્મોનું મૂળ સત્સંગ ક્ષમા સનાં તિરે, મત મવાdવતર ની ! અર્થાત્ એક ક્ષણવારનો સત્સંગ ભવરૂપી સમુદ્રને તરવામાં નૌકાનું કામ કરે છે. એકદા સંઘાડાના નાયિકા મહાસતીજી શ્રી કેશરબાઈ આર્યાજી તથા શ્રી વેલબાઈ આર્યાજી રતાડિયા પધાર્યા ત્યારે કુ. પાંચીબહેન તેમના સત્સંગમાં આવ્યા. તેમનામાં વિનય-વિવેક ખૂબ જ હતો તથા સ્મરણ શક્તિ અદૂભુત હતી. તેથી માત્ર આઠ જ દિવસમાં સામાયિક - પ્રતિક્રમણ કંઠસ્થ કરી લીધા હતા. આવી યાદશક્તિ કોઈક ની જ હોય છે. વિનયથી વિદ્યા આવડે તથા વિદ્યાથી વિનય વધે છે. હિતોપદેશમાં સરસ વાત છે. विद्या ददाति विनयं, विनयाद् याति पात्रतां, पात्रत्वाद्धनमाप्नोति, धनाद् धर्म તતઃ સુરમ્ | અર્થાત્ વિદ્યા વિનયને આપે છે. વિનયથી પાત્રતા પ્રગટે છે. પાત્રતાથી (જ્ઞાનરૂપી) ધન પ્રાપ્ત થાય છે. ધનથી ધર્મ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. કું. પાંચીબહેનની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એકવાર વાંચવાથી તેઓ કંઠસ્થ કરી લેતા હતા. ( ૧૧૩ વર્ષ પહેલા બા.બ્ર. મહાસતીજી થયા. તે કાળે અને તે સમયે મોટા ભાગે બહેનો નાની ઉંમરમાં વિધવા થતાં તથા પ્રાય: દીક્ષા લેતાં તેથી નાની ઉંમરની કુમારિકાઓ તો ભાગ્યે જ દીક્ષા લેતી તેવા સમયે વિ.સં. ૧૯૪૮ ની સાલે વૈશાખ વદિ-૯ ના દિવસે પોતાના માદરેવતન રતાડિયામાં જ બા.બ્ર. કુ. પાંચીબહેનની માત્ર ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા થઈ. તેમનું શુભ નામ ‘બા.બ્ર. પાંચીબાઈ મહાસતીજી' રાખવામાં આવ્યું તથા તેઓશ્રી પૂ.શ્રી કેશરબાઈ મહાસતીજીના શિષ્ય થયા. સુપાત્ર શિષ્ય ઉપર હંમેશા ગુરૂની કૃપા ઉતરે છે. આટલી નાની ઉંમરમાં દીક્ષા લેનાર પાંચીબાઈ મહાસતીજી ઉપર ગુરૂણીશ્રીની ખૂબ જ કૃપા ઉતરી હતી તથા તેમની બુદ્ધિ અગાધ હતી. તેમણે બત્રીસ આગમ શાસ્ત્રો કંઠસ્થ કર્યા હતા. તેઓશ્રી તેજસ્વી, પ્રતિભાસંપન્ન તથા પ્રખર વક્તા હતા. તેમના કંઠમાં અપૂર્વ મધુરતા હતી. જેથી પ્રવચન દ્વારા તેઓશ્રી જિનશાસનની અભુત પ્રભાવના કરતા હતા. તેમના પ્રવચનમાં જૈન-જૈનેતરોની Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી ભીડ જામતી. દરબારો પણ સારી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળતા. ૩૨ વર્ષ સુધી સુંદર ચારિત્રનું પાલન કરીને તેઓશ્રી માત્ર ૪૪ વર્ષની ઉંમરે સંવત ૧૯૮૦ ના મહા વદી- ૦) ને બુધવારે ભચાઉ (કચ્છ) તાલુકાના મનફરા ગામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. 'સંઘાડાના શિરોમણિ મધુરભાષિણી મહાસતીજી ' શ્રી લાડકુંવરબાઈ આર્યાજી ધન્ય હોય માતા-પિતા, ધન્ય હોય કુલ ગોતા મહાપુરૂષ જનમે જહાં, લીયે ધર્મકી જ્યોત ! તે માતા-પિતાને ધન્ય છે, તે કુળ અને ગોત્રને ધન્ય છે કે જયાં મહાન આત્માઓ જન્મ ધારણ કરે છે અને ધર્મની જ્યોત ફેલાવે છે. કચ્છની કામણગારી ધરતી, જયાં અનેક સંત-સતીઓ, શૂરવીર અને ફકીરો થઈ ગયા. તેવા હિન્દુસ્તાનમાં વિસ્તારની દષ્ટિએ બીજા નંબરે તથા ગુજરાતમાં પ્રથમ નંબરે આવતા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ૬૨ ગામોમાં એક નાનકડું ગોકુળિયું ગામ રતાડિયા (ગણેશવાલા) ભોરારાના જેમ સંતો વખણાયા તેમ રતાડિયાના સતીજી વખણાયા. ધર્મપ્રેમી પુણ્યાત્મા પિતાશ્રી નેણશીભાઈ તથા સુસંસ્કારી મમતાળુ માતા શ્રી ભચીબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૪૧ ની સાલે એક સુપુત્રીનો જન્મ થયો. તેનું નામ લીલબાઈ પાડવામાં આવ્યું. આ સુપુત્રીમાં માતા-પિતાના સંસ્કારો સારી રીતે ઉતર્યા હતા. સૌંદર્યની સાથે સુસ્વર કંઠનો સુમેળ હતો. તેઓશ્રી પ્રથમથી જ ખૂબ જ મધુરભાષી હતા. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું એવું સુખ શીદ લઈએ રે. સુપુત્રી લીલબાઈ સત્તર વર્ષના થયા ત્યારે તેમનાં લગ્ન મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં લખમણભાઈ સાથે થયા હતા. પરંતુ ઉપરની કડીમાં ભક્ત કવિ શ્રી મીરાંબાઈએ ઉચ્ચારેલા શબ્દો અનુસાર સંસારનું સુખ ક્ષણિક છે. નાશવંત છે. સંસારમાં કોઈનું ય સૌભાગ્ય અખંડ રહેતું નથી. શ્રી લીલબાઈના પતિ લખમણભાઈ ત્રણ વર્ષનું લગ્ન જીવન ભોગવી કોઈ Page #400 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૮૭ વ્યાધિનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પામ્યા. માત્ર ૨૦ વર્ષની ઉંમરે વૈધવ્ય પ્રાપ્ત થતાં લીલબાઈના આઘાતનો કોઈ પાર ન રહ્યો. સંસારની ક્ષણિકતા તથા સંબંધોની અસ્થિરતા જાણીને તેઓ વૈરાગ્યવાસિત થયા. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો; રાંડવાનો ભય ટાળ્યો રે... મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા... ખરેખર પરમાત્મા સાથે લગ્ન કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમાં વૈધવ્યનો ભય અંશ માત્ર પણ રહેતો નથી. આ મીરાંબાઈના શબ્દો શ્રી લીલબાઈએ પોતાના જીવનમાં ઉતાર્યા. તે સમયે મહાસતીજી શ્રી કેશરબાઈ મહાસતીજીના સંઘાડાના કચ્છમાં વિચરતા વિદુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજી તથા વિદુષી સુવ્યાખ્યાની બા.બ્ર. પાંચીબાઈ આર્યાજી રતાડિયા પધાર્યા. તેમના સત્સંગથી પ્રભાવિત થઈ શ્રી લીલબાઈ તેમની સાથે ધાર્મિક અભ્યાસ કરવા માટે એક વર્ષ સુધી સાથે રહ્યા. સારો એવો અભ્યાસ કરી માતા-પિતા તથા શ્વસુર પક્ષની સંમતિ લઈ વિ.સંવત ૧૯૬૨ ના જેઠ વદિ-૨ ને સોમવારના પોતાની માતૃભૂમિ રતાડિયા મુકામે દીક્ષા લીધી હતી. તેમનું નૂતન નામ “મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી” રાખવામાં આવ્યુ હતું. તેઓશ્રી વિદુષી મહાસતીજીશ્રી વેલબાઈ આર્યાજીના શિષ્યા થયા. 'અદ્ભુત સ્મરણ શક્તિ તથા મધુરપ્રકૃતિ | મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીની યાદશક્તિ એટલી જોરદાર હતી કે તેમણે એક વાર કોઈને જોયા હોય તો કદી પણ ભૂલતા નહિ. તેમની ભાષામાં એટલી મધુરતા હતી તથા તેઓશ્રી એટલા મિલનસાર પ્રકૃતિના હતા કે જૈનજૈનેતરો, આબાલવૃદ્ધ સૌને પ્રભાવિત કરતા તથા અનેક લોકોને મર્મ પમાડતા. પૂ. લાડકુંવરબાઈ મહાસતીજીને અન્ય મર્માવલંબીઓ પણ પોતાના ઉપકારી માનતા હતા. જૈનધર્મના દરેક ફીરકા તથા જૈનેતર સંપ્રદાયોમાં મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી તરફ ખૂબ જ માન હતું. દરેક પ્રત્યે સમભાવ અને સમદષ્ટિ હોવાથી તેમનો પ્રભાવ સર્વત્ર પડતો. લઘુતાસે પ્રભુતા મીલે, પ્રભુતા સે પ્રભુ દૂર; કીડી મીસરી ખાત હૈ, હસ્તી ફાકત ધૂર હંમેશા લધુતાથી પ્રભુતા મળે છે. પ્રભુતા (મોટા) થી પ્રભુ દૂર છે. કીડી આરામથી (ખાંડ) સાકર ખાઈ શકે છે જયારે હાથી ખાવા જાય તો ધૂળ મળે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પૂ. નાના ડાહીબાઈ મહાસતીજી મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીમાં નમ્રતા ખૂબ જ હતી. ભાષામાં મધુરતા હતી, મિલનસાર સ્વભાવ હતો તથા સરળ આત્મા હતા તેથી સૌના દિલમાં વસી જતા હતા. તેમનામાં સેવાનો ગુણ પણ ખૂબ હતો. ‘ગુના ગામમાં, પહોંચ્યા સ્વર્ગ ધામમાં જ મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીના ગુરૂ ભગવંતો પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી તથા ભારતભૂષણ શતાવધાની મ.શ્રી રત્નચંદ્રજી સ્વામી જેવી સમર્થ ત્રિપુટીની જન્મભૂમિ ભોરારા હતી. એ ગામમાં વિ.સં. ૨૦૦૮ ના વૈશાખ સુદ-૧૫ ને ગુરૂવારે સાંજે નવ વાગે પ્રતિક્રમણ કર્યા પછી નિત્ય નિયમ પ્રમાણે ક્ષમાપના કરી લોગસ્સની માળા ગણતા ગણતા હાર્ટનો હુમલો થયો પરંતુ તેઓશ્રી સમાધિ ભાવમાં હતા. તે જ વખતે તેઓ કાળધર્મ પામ્યા. 'આહારસંજ્ઞા વિજેતા પૂ. નાના ડાહીબાઈ મહાસતીજી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ગુંદાલા ગામ એટલે સંત-સતીજીઓની ભૂમિ. એને તપોભૂમિ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. અજરામર સંપ્રદાયનું એક મહત્ત્વનું ક્ષેત્ર. આ ધર્મભૂમિમાં બે ડાહીબાઈ મહાસતીજી થયા. મોટા ડાહીબાઈ મ.નું જીવન ચરિત્ર આ પુસ્તકમાં છે. નાના ડાહીબાઈ મ. ગુંદાલામાં જન્મ્યા હતા. તેમની દીક્ષા પણ ગુંદાલામાં જ થઈ હતી. સાલ-સંવત આદિ ઉપલબ્ધ નથી. રતાડિયાના વિદુષી બા.બ્ર. પાંચીબાઈ મહાસતીજીના સુશિષ્યા હતા. ૨૮ વર્ષ સુધી છાશ અને રોટલો તથા અથાણું વાપરતા. રોટલો ન મળે તો ખાખરા વાપરતા, પરંતુ ત્રણ દ્રવ્યથી વધારે ક્યારે પણ વાપરતા નહિ. “એક એક મુનિવર રસના ત્યાગી” આ ઉક્તિ એમને સારી રીતે લાગુ પડતી હતી. પ્રાયઃ વિનયનો ત્યાગ જ રાખતા. સહુને સમદષ્ટિથી તથા વાત્સલ્યભાવથી સમજાવતા. કડવા વચન તો ક્યારેય ઉચ્ચારતા નહિ. Page #402 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૮૯ 'સ્વાધ્યાય એ સાધુ જીવનનો પ્રાણ છે તેઓશ્રી સદૈવ સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. વાંચણીના ખૂબ જ આગ્રહી હતા. પોતે દરરોજ વાંચણી કરતા તથા શિષ્યાઓને કરાવતા તેથી સંઘાડામાં જ્ઞાનની રચિ વિશેષ રહેતી. ખરેખર જ્ઞાન વિના સર્વત્ર અંધારું છે. “Knowledge is light” જ્ઞાન એ પ્રકાશ છે. સ્વાધ્યાય થકી જ્ઞાનનો ખૂબ જ ઉઘાડ થાય છે. 'આહાર-પાણીની ગવેષણામાં સાવધાન પૂ. ડાહીબાઈ મ. આહાર-પાણીની ગવેષણામાં ખૂબ જ સાવધાન હતા. નાના ઠાણાઓને નિર્દોષ ગોચરી માટે હંમેશા પ્રેરણા આપતા તથા પાત્રામાં વધારે ગોચરી જુએ તો તરત જ ટકોર કરતા કે વહોરવામાં ખૂબ જ ધ્યાન રાખો નહિતર ગાડાના બળદ થઈને ચૂકવવું પડશે. સંયમ જીવનમાં સાવધાન નહિ રહો તો ઘોડા બનીને ગાડી ખેંચવી પડશે. 'શાસ્ત્ર-સિદ્ધાંતનો સાર સુણાવે પૂ. મહાસતીજી શાસ્ત્ર-સિદ્ધાંતમાં બહુ ચુસ્ત હતા. વ્યાખ્યાનમાં હંમેશા શાસ્ત્ર-સિદ્ધાંતની વાતો ફરમાવતા હતા કેમકે સાચા અર્થમાં જિનવાણી એ જ છે. તેમના આચાર-વિચાર પણ ખૂબ જ કડક હતા. “કાવાર પ્રથમ ધf: ” અર્થાત્ આચાર એ પહેલો ધર્મ છે આ વાતને તેઓ સારી રીતે સમજતા હતા. પૂ. ડાહીબાઈ મ. વિ.સં. ૨૦૦૧ની સાલે જેઠ મહિનામાં સમાઘોઘા (કચ્છ)માં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા. 'તીર્થસ્વરૂપા અપ્રમત્ત આરાધિકા પૂ. રતનબાઈ મહાસતીજી જન્મ ધર્યા જેણે કચ્છ પ્રદેશ, ભોરારા ફુલાય; ગુલાબ-વીરને રત્નચંદ્રજી, ડુંગરશી સુહાય... ભાવ ઉમેદ ને શાંતિ ચિંતન, પ્રકાશ જ્યાં પથરાય; ભચીબાઈ કે રાણબાઈ, રતન જ્યોતિ થાય. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પૂ. રતનબાઈ મહાસતીજી જે ભૂમિને રત્નોની ખાણ તરીકે ઓળખવામાં આવે છે તેવી ભોરારા (કચ્છ)ની ભૂમિમાં ૧૦ મુનિરત્નો તથા ૧૮ સાધ્વીરત્નો થયા છે. માત્ર 100 ઘરની વસ્તી જૈનોની જે ગામમાં તે ગામના આટલા બધા ચારિત્રાત્માઓ થયા તે ગામ શાસન માટે ગૌરવ ગણાય. આવી પવિત્ર ધરતી ઉપર વિ.સં. ૧૯૪૪ના મહાસુદ-૫ના પૂ. મહાસતીજીનો જન્મ પુણ્યશાળી પિતા શ્રી ઊમરશી મેપાભાઈ દેઢિયા તથા મમતાળુ માતુશ્રી જેતબાઈની કુક્ષિએ થયો હતો. એકની એક લાડકી પુત્રી તરીકે જેનો જન્મ થયો તેનું શુભ નામ ભચીબાઈ ઉર્ફે રાણબાઈ પાડવામાં આવ્યું. માતાપિતામાં ધર્મના સંસ્કારો ખૂબ જ હોવાથી આ સુપુત્રીમાં પણ ધર્મના સંસ્કાર સારા ઊતર્યા હતા. નાની ઉંમરમાં માતા-પિતાનો વિયોગ અત્યંત લાડકોડથી જેનો ઉછેર થઈ રહ્યો હતો તેવી લાડલી સુપુત્રી ભચીબાઈ છે વર્ષની થઈ ત્યાં મમતાળુ માતાનું અવસાન થયું. પ્રેમાળ પિતા ઉપર બેવડી જવાબદારી આવી ગઈ છતાં પિતા-પુત્રી બંને એક કસોટીમાંથી પસાર થઈ રહ્યા હતા. પુત્રીને પિતાની હૂંફ મળી રહી હતી પરંતુ કુદરતને જાણે તે પણ મંજૂર ન હોય તેમ તેમની ઉંમર દશ વર્ષની થઈ ત્યારે પિતાશ્રી પણ પોતાની પ્યારી પુત્રીને કુદરતના ભરોસે મૂકી કાળધર્મ પામ્યા. રે કુદરત ! તે કેવી કસોટી કરી ! ભચીબાઈના ફેલા પોતાના ઘરે લઈ આવ્યા. તેમની આર્થિક સ્થિતિ કાંઈ સારી ન હતી પરંતુ મન મોટું હતું તેથી પ્રેમથી પોતાને ત્યાં રાખ્યા. ભચીબાઈ નાનપણમાં જ ભરત-ગુંથણ-ઓટણ આદિ કામકાજ શીખી ગયા તથા ફૈબાને ઉપયોગી થવા લાગ્યા. બે વર્ષના ટૂંકા ગાળામાં તો તેમની સુંદર ભરતકળાની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી. ફૈબાએ ભચીબાઈને માતા-પિતાની જરાય ખોટ સાલવા ન દીધી. તે જમાનાના રિવાજ પ્રમાણે ભચીબાઈ હજી બાર વર્ષના થયા ત્યાં વિ.સં. ૧૯૫૬ (છપ્પનિયા દુષ્કાળના વર્ષે)ની સાલે રતાડિયા (ગણેશવાલા)ના છેડા મોનજી ખીરાભાઈ સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા. શ્વસુરપક્ષે ભચીબાઈનું નામ રાણબાઈ પાડ્યું. મોનજીભાઈની ભાતબજાર (મુંબઈ)માં અનાજની દુકાન હોવાથી રાણબાઈ પણ પરણ્યા પછી મુંબઈ ગયા. કરમનો કોયડો અલબેલો, હે જી એને પામવો નથી કાંઈ સહેલો. કરમનો.... આપણે બધા કોયડા ઉકેલી શકીએ પરંતુ કર્મના કોયડાને ઉકેલી શકતા નથી Page #404 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૯૧ સમજી શકતા નથી. વિ.સં. ૧૯૫૮ની સાલમાં કર્મરાજાએ સુખમય દાંપત્ય જીવનમાં ભંગ પાડી દીધો. શ્રી મોનજીભાઈ વખારમાં માલ ભરી રહ્યા હતા ત્યાં પગમાં લોખંડનો એક ખીલો વાગ્યો. અશાતાવેદનીય કર્મનો એવો ઉદય થયો કે ઘાની અંદર રસી થવા લાગી. અનેક ઉપાયો કરવા છતાં ઘા રૂઝાયો નહિ, વેદના વધતી ગઈ. મોનજીભાઈને આંચકીઓ આવવા લાગી. માત્ર બે વર્ષના લગ્ન જીવનમાં તેમના સંથાનું સિંદૂર અને કપાળનું કુમકુમ ભૂંસાઈ ગયું. મોનજીભાઈ આ ફાની દુનિયાને છોડી સ્વર્ગવાસ પામ્યા. રાણબાઈને માત્ર ૧૫મા વર્ષે વૈધવ્ય આવી ગયું. અત્યારે તો આવડી ઉંમરની બાળા યુનિફોર્મ પહેરીને શાળા કે કોલેજમાં જતી હોય ! રાણબાઈના કાકાજી તેમને મુંબઈથી રતાડિયા લાવ્યા. એ સમયના રિવાજ પ્રમાણે તેમને છ મહિના સુધી ખૂણો પાળવાનો હતો. એટલો સમય ઘરથી બહાર ન નીકળાય. તેમની નસેનસમાં ખાનદાનીનું લોહી વહી રહ્યું હતું. તેઓ સાસુ-સસરાની અનન્ય ભાવે સેવા કરવા લાગ્યા. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાના કારણે સીવણ, ભરતકામ, આદિ કામ કરીને દરરોજની બે કોરી કમાતા. તે વખતે સસ્તાઈનો યુગ હતો. “સંસારની ઘટમાળ છે એવી, બહુ દુઃખ અલ્પ સુખે ભરેલી ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત શીધ્ર મળી જાય છે. રાણબાઈના કાકીજી સાસુ. પૂ. વેલબાઈ મહાસતીજી તથા નણંદ બા.બ્ર. વિદુષી પાંચીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ વિ.સં. ૧૯૫૯ના અંતમાં રતાડિયા પધાર્યા. તેમના સત્સંગથી રાણબાઈને સંયમ લેવાના ભાવ જાગ્યા. પુ. વેલબાઈ સ્વામીએ રાણબાઈને એકડે એકથી શીખવાડવાની શરૂઆત કરી. નાની-મોટી બારાખડી પાટી પેન દ્વારા શીખડાવી દીધી તથા સામાયિકના સર્વ પાઠો પાટીમાં લખીને શીખવાડી દીધા. હવે એમની હિંમત વધી ગઈ. રાણબાઈએ પોતાના અંતરની વાત સાસુ-સસરાજીને કરી. તેણે પ્રેમથી સંમતિ આપી. પૂ. વેલબાઈ આર્યાજી તથા વિદુષી પાંચીબાઈ આર્યાજી તેમના જીવનશિલ્પી બન્યા. તેઓશ્રી ગુરૂણીની સાથે વિહારમાં રહીને સંયમ જીવનની તાલીમ લેવા લાગ્યા. વિ.સં. ૧૯૬રના જેઠ સુદિ-પના રાણબાઈની દીક્ષા એમના સસરાએ કરી. પૂ. સાહેબ શ્રી મેઘરાજજી સ્વામીએ તેમને દીક્ષા આપી. તેમનું નૂતન નામ રતનબાઈ મહાસતીજી રાખ્યું. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પૂ. રતનબાઈ મહાસતીજી “ગુરૂ આપના મેઘરાજજી, મહાપ્રતાપી સંત; જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને, તોડ્યા કર્મના તંત.’’ નવદીક્ષિતા રતનબાઈ મ. સંયમ લઈને ગુરૂણીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનધ્યાનમાં લીન રહીને આત્મવિકાસ સાધવા લાગ્યા. તેમની ગુરૂસમર્પણતા અદ્વિતીય હતી. વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગ આદિ અનેક ગુણોની અભિવૃદ્ધિ કરતા રહ્યા. “સંયમ ઉપવનમાં કેલિ કરતા, પાળે દયા અપાર; સેવા તપને સ્વાવલંબનમાં, પળો કરે પસાર.” પૂ. મહાસતીજી સરળતાના સાગર સમાન હતા. આવી સરળતા તથા સમર્પણતાથી ગુરૂકૃપાના પાત્ર બન્યા. પ્રથમ ચાતુર્માસ ગુંદાલામાં પૂ. વેલબાઈ મહાસતીજી આદિ ઠાણા-૧૦ સાથે કર્યું. આ ચાતુર્માસમાં દશવૈકાલિક સૂત્ર તથા થોકડા શીખી લીધા. ધીમે ધીમે વ્યાખ્યાન આપતા થઈ ગયા. સાચું જ કહ્યું છે કે, “ગુરુકૃપા હિ જેવાં શિષ્યં પર મંગલમ્' અર્થાત્ ગુરૂકૃપા જ શિષ્યાના માટે પરમ મંગલરૂપ છે. તેઓશ્રી રાત-દિવસ ગુરૂણીશ્રી તથા રત્નાધિક સતીજીઓની સેવા કરતા થાકતા નહિ. પોતાને ઉપવાસ હોય તો પણ ગોચરી લઈ આવે તથા જ્ઞાનપિપાસુ બહેનોને સજ્ઝાય આદિ શીખવાડે. પોતાને વિશેષ જ્ઞાન ચડતું ન હોવાથી સેવામાં જીવન સમર્પિત કરી દીધું. ખરેખર સેવા જેવું કોઈ તપ નથી. સેવા સમાન કોઈ વશીકરણ મંત્ર નથી. સેવા કરનાર અવશ્ય મુક્તિના મેવા પામે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. “કાચી માટીનો આ દેહ જાણવો, તેનું શું કરું રે જતન; સેવા કરીને આ દેહ ગાળવો, તેનું નામ રતન.” પૂ. વેલબાઈ મ.ની અગ્લાન ભાવે સેવા કરતા પૂ. રતનબાઈ મ.નો પ્રસન્ન ચહેરો બીજાને આશ્ચર્યચકિત કરી દેતો. ખરા દિલની ભક્તિપૂર્વક, ખંત અને નિષ્ઠાપૂર્વક જ્યાં સેવા થતી હોય ત્યાં દુગંચ્છાને ડોકિયું કરવાની તક ક્યાંથી મળે ? તેમની સેવા સહજ હતી. તેની પાછળ તેમની કાર્યનિષ્ઠા અને અપ્રમત્ત દશા કામ કરી રહી હતી. વિ.સં. ૧૯૬૫નું ચાતુર્માસ ભોરારા હતું. તે પૂર્ણ કરી આજુબાજુના ક્ષેત્રોમાં વિચરી પુનઃ ભોરારા પધાર્યા. તે વખતે પૂ. વેલબાઈ મહાસતીજીની તબિયત વધારે નરમ હતી. તે અરસામાં તેમના સંસારી કાકાના દીકરાના લગ્ન હતા. તે વખતે સંસારી કાકા મુરગભાઈ દર્શનાર્થે આવેલા ત્યારે તબિયત અંગેની વાત નીકળી એટલે પૂ. વેલબાઈ મ. કહ્યું, ‘મારી તબિયત સારી નથી તેથી મને લાગે છે કે હું Page #406 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૯૩ તમને લગ્ન વખતે તકલીફમાં મૂકીશ.” એમ જ થયું. લગ્ન ચાલતા હતા તે જ સમયે પૂ. વેલબાઈ મ. કાળધર્મ પામ્યા. ૧૯૬૬ની સાલ એટલે પૂ. રતનબાઈ મ.ની દીક્ષાનું ચોથું વર્ષ. એટલા ટૂંકા ગાળામાં ગુરૂણીમૈયાનો વિયોગ એક સખત આંચકો આપી ગયો પરંતુ પોતે ધીરજ ધરી રત્નાધિક ગુરૂબહેનોની સાથે વિનયપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવા લાગ્યા. 'અજરામર સંપ્રદાયમાં ૮૧ વર્ષના ચારિત્રપર્યાયી પ્રથમ સાધ્વીજી ૯૯ વર્ષની ઉંમર તથા ૮૧ વર્ષ સુધી સુવિશુદ્ધ સંયમનું પાલન કરનાર સરલતાના અવતાર સમાન સાધ્વી શિરોમણિ તીર્થસ્વરૂપા રતનબાઈ મહાસતીજીના જીવન પ્રસંગોનું વર્ણન કરવું એટલે પોતાના નાનકડા બાહુ પ્રસારી આકાશને માપવા જેવી ચેષ્ટા ગણાય. પૂ. મહાસતીજીના સેંકડો ગુણોમાં એક સ્વાવલંબનનો ગુણ મહત્ત્વનો હતો. પોતે છેલ્લે સુધી પથારી જાતે કરતા. હાથરૂમાલ જાતે ધોતા. ઉભયકાળ પ્રતિક્રમણ જાતે કરતા. લાકડીનો ટેકો કદિ લેતા નહિ. ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ઈત્યાદિ પ્રત્યેક ક્રિયા અપ્રમત્ત ભાવે કરવામાં જેઓ સંપૂર્ણ સ્વાધીન હતા. તપસ્યા જેની જીવનસંગિની હતી એવા ચોથા આરાના નમૂનારૂપ મહાસતીજીનું જીવન જ આપણા માટે એક સંદેશરૂપ હતું. તેવા પૂ. રતનબાઈ મ. બીજાની સેવા નહિ લેતા હોવા છતાં શિષ્યાઓને હંમેશા એમ જ કહેતા, “હું તો તમારી ઘણી સેવા લઉં છું, મારૂં ઋણ વધે છે તેનો બદલો હું ક્યારે વાળીશ?” ગુરૂણી અમારા વાત્સલ્યમયી મા જેવા.....” | સુર્ય જેમ સર્વ પદાર્થોને સમભાવથી પ્રકાશિત કરે છે તેમ પૂ. મહાસતીજી સર્વ સાધ્વી સમુદાય તથા દર્શનાર્થીઓને સમભાવથી વાત્સલ્યની ધારા અને જ્ઞાનામૃતથી પ્રકાશિત કરનારા હતા. પોતાની શિષ્યાઓ સાથે નિખાલસ ભાવે બેસે, ખબર અંતર પૂછે, જૂના પ્રસંગો યાદ કરે. કોઈ સાધ્વીજી બિમાર હોય તો તરત જ તેની પૂજા કરે, તેના માથે વહાલથી હાથ ફેરવે. “બચ્ચા ! કાંઈ વાપર્યું?” એમ પૂછે, તેના પગ દબાવવા લાગી જાય. મીઠા શબ્દોથી સંબોધન કરે, “મારી મીઠું, બચુડી, મહુડી, વહાલી, સિંહણ' શબ્દોથી એવા એવા સંબોધન કરે કે સર્વ સતીજીઓને મોટા મહાસતીજીમાં “મા”ના દર્શન થાય. નાના સાધ્વીજીઓ જયારે વિહાર કરે ત્યારે તેમની આંખોમાંથી અવશ્ય આંસુ સરી પડે અને કહે, “તમે ક્યારે પધારશો? વહેલા વહેલા પધારજો, સુખ-સુખે વિચરજો, તમારા શરીરની સંભાળ રાખજો, આત્માની સંભાળ રાખજો, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને રહેજો.” Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પૂ. રતનબાઈ મહાસતીજી જો ચાતુર્માસ માટે કોઈ સાધ્વીજી વિહાર કરતા હોય તો એવા મીઠાં-મધુરા આશીર્વાદ આપે, “બેટા ! ફતેહના ડંકા દઈને આવજો, ભવ્ય જીવોને ઉપદેશથી તારજો, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં આગળ વધજો. શાતામાં રહેજો, મારા તરફથી તમને કંઈ કહેવાયું હોય તો હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું...” અને દડ... દડ... આંસુ સરી પડે. મહાસતીજીની સરળતાની સાથે એવી કોમળતા હતી કે આંસુ સર્યા વિના રહે જ નહિ. વાત્સલ્યના વહેણ વહ્યા વિના રહે જ નહિ. દીક્ષાર્થી બહેનો પ્રત્યે પણ “મા” જેવી લાગણી રાખતા, દીક્ષાર્થી બહેનોને પૂછે, “બચ્ચા ! જમ્યા બરોબરને ? જો જો પોતાનું ખાધેલું પોતાને કામ આવે. બરાબર ખાશો તો બે ગાથા વધારે ગોખી શકશો.” આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજી દીક્ષાર્થી અવસ્થામાં મોટા મહાસતીજીના દર્શન કરતા ત્યારે ખોબલે ખોબલે આશીર્વાદ આપતા તથા કહેતા કે, “ભોરારાના નામ રોશન કરજો . બીજા મહાસતીજીઓને કહેતા કે આ છોકરો બહુ આગળ વધશે.” ઈત્યાદિ... 'મહાવીર અને ગૌતમ જેવો રત્ન-સૂર્ય સંબંધ બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજી તરફ તેમને અનન્ય વાત્સલ્ય ભાવ હતો. તેમને “મીઠ, મારી સિંહણ' વગેરે સંબોધનથી બોલાવતા તથા એક પણ દિવસ તેમનાથી જુદા પડે નહિ. ૫૧ વર્ષમાં માત્ર ચાર ચોમાસાં જુદા કર્યા હતાં. ક્યારેક જુદા પડે તો આખો દિવસ સૂરજ... સૂરજ... ઝંખ્યા કરે. ક્યારેક પૂ. સૂરજબાઈ મ. બિમાર પડે તો એમને જરાય ચેન ન પડે. જ્યાં સુધી પૂ. સૂરજબાઈ મ. પોતાના મુખેથી ન કહે કે, “માડી ! હવે મને સારું છે હોં, આપ પાટે બિરાજો.” ત્યાં સુધી ખડે પગે ઊભા રહે. પૂ. રતનબાઈ મ. તથા પૂ. સૂરજબાઈ મ. એટલે જાણે આત્મા એક પણ શરીર જુદા એવું લાગે. સૂરજબાઈ મ.ને અસ્વસ્થ જોઈ પરમાત્માને પ્રાર્થના કરતા, “પ્રભો ! મારી સેવા કરનાર સૂરજને શાતા આપજે.” “ કો સયા” સાધક હંમેશા સ્વાધ્યાયમાં રત રહે. આ દશવૈકાલિક સૂત્રના વચનામૃતને પૂ. મોટા મહાસતીજીએ અક્ષરશ: પોતાના જીવનમાં ઉતાર્યું હતું. તેમણે દીક્ષા લીધી ત્યારથી અને ખાસ કરીને તેમના ગુરૂણીના કાળધર્મ પછી તેઓ એટલા સ્વાધ્યાયપ્રેમી બની ગયા હતા કે તે સ્વાધ્યાય પ્રેમ જિંદગીના અંત સુધી જાળવી રાખ્યો હતો. ૯૬ વર્ષની વય સુધી તો હાથમાં આગમ-શાસ્ત્રો હોય જ તથા સ્વાધ્યાય કરતા હોય. આવી રીતે પૂ. રતનબાઈ મહાસતીજીએ મહદંશે તીર્થંકર પરમાત્માની Page #408 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૯૫ આજ્ઞા જીવનમાં એવી વણી લીધી હતી કે તેમને તો નિર્જરા હિ નિર્જરા હતી. પાછલી ઉંમરમાં આંખની શક્તિ જ્યારે ઘટી ત્યારે સૂર્યના તાપમાં જઈને ઊભા ઊભા સ્વાધ્યાય કરે પણ પ્રમાદ કરતા નહિ. ૯૯ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તડકામાં જઈને અનુપૂર્વી ગણતા. એવા સમયે કોઈ શિષ્યા બાજોઠ આદિ લઈ જાય તો તેઓશ્રી તરત જ કહેતા, “મારા માટે તકલીફ લેશો નહિ, બાજોઠ મને નહિ જોઈએ.” બારીની ધાર પર બેસે પણ બીજાને લેશ માત્ર તકલીફ ન આપે. ૯૯ વર્ષની ઉંમરે ધારે એટલી વાર ઊભા રહી શકતા. ‘ઙ્ગિ, નો પમાયણ્ ।’ અર્થાત્ ઊઠો, પ્રમાદ ન કરો. આચારાંગ સૂત્રનું આ વચનામૃત એમણે અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતાર્યું હતું. ભગવતી, પક્ષવણા, જીવાજીવાભિગમ આદિ સૂત્રોના થોકડાઓનું તેમને ઊંડું જ્ઞાન હતું. નાના મહાસતીજીઓને ધારણા કરાવે, પ્રશ્નો પૂછે... “અરિહંત અરિહંત જાપ જપે, જાપ જપે તેના પાપ ખપે; પાપ ખપે તેને મુક્તિ મળે, મુક્તિ મળે તેના દુઃખ ટળે.’’ પૂ. મહાસતીજીની જપ સાધના પણ અનન્ય હતી. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી નવકાર મહામંત્રનું સ્મરણ એક કલાક સુધી મોટા અવાજે ક૨તા. તદુપરાંત જ્યારે સમય મળે ત્યારે અને રાત્રે ઉંઘ ન આવે ત્યારે સતત નવકાર મંત્રના જાપ કરતા. કોઈ સાધ્વીજી પૂછે, “મહાસતીજી ! ઉંઘ નથી આવતી ?” ત્યારે મહાસતીજી જવાબ દેતા, “બચ્ચા ! તું સૂઈ જા, હું માળા ગણું છું, ઉંઘ આવશે એટલે હું પણ સૂઈ જઈશ.’” લોગસ્સ તથા નમોત્થણંની માળા પણ નિયમિત ગણતા. હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં સર્વ ક્રિયાઓ કરતા ‘અરિહંત... અરિહંત...’ તેમના મુખમાંથી અવિરતપણે નીકળ્યા જ કરે. ‘‘નપતા સિદ્ધિર્ણપાત્ સિદ્ધિર્ણપાત્ સિદ્ધિનું સંશય:' આ ઉક્તિને તેમણે સત્ય સાબિત કરી હતી. પૂ. રતનબાઈ મ. ના ગુરૂણી તો એમની દીક્ષા પછી ચાર વર્ષમાં જ કાળધર્મ પામેલા. એમની હાજરીમાં પોતે ખૂબ જ સેવા કરેલી પરંતુ ત્યારબાદ પણ ગુરૂણીના ગુણગાન આજીવન કરતા રહ્યા. ક્યારેક કોઈ નાના સતીજી પૂછે, ‘મહાસતીજી ! આપ શું બોલો છો ?’ ત્યારે કહેતા, ‘હું મારા ગુરૂણી સાથે વાત કરું છું.’ આમ પોતાની બધી વાતો ગુરૂણીને પરોક્ષ રીતે કરે. પોતાના ગુરૂણી સ્વર્ગવાસી હોવા છતાં પૂ. રતનબાઈ મ. તેમના અંતેવાસી હતા. હૃદયથી ગુરૂણીની સમીપે રહેનારા હતા. આમ મહાસતીજી સર્વગુણ સંપન્ન હતા. नित्यं हिताहार विहारसेवी, समीक्ष्यकारी विषयेष्वसक्तः । दाता समः सत्यपरः क्षमावान्, आप्तोपसेवी च भवत्यरोगः ॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પૂ. રતનબાઈ મહાસતીજી જે હંમેશા હિતકારી આહાર અને વિહારને સેવે છે, વિચારીને જ કામ કરનારો છે, વિષયમાં આસક્ત નથી, દાતાર છે, સમભાવી, સત્યવાન, ક્ષમાવાન, વડીલોની સેવા કરનાર છે તે સ્વસ્થ રહે છે. પૂ. મહાસતીજીનું જીવન પણ આ શ્લોકની સાથે બરાબર સુસંગત હતું. પૂજય રતનબાઈ મહાસતીજીએ જાણે આહાર સંજ્ઞા ઉપર મહદંશે વિજય મેળવી લીધો હતો. મોટા ભાગે મિષ્ટાનના તથા ફલાદિ આહારનો ત્યાગ હતો. સવારે એક કપ ચા તથા એક કપ દૂધ સાથે એક ખાખરો વાપરતા. બપોરના ક્યારેક એક રોટલી તો ક્યારેક અડધી રોટલી. સાંજે પણ ઉણોદરી. વિગયનો મોટાભાગે ત્યાગ હતો. ઘણીવાર ઉપવાસ પણ કરતા. ચૌભંગીના વાક્ય અનુસાર (“એક એક જીવને તપનું બળ છે પણ આહારનું બળ નથી.”) પૂ. મહાસતીજીનું જીવન હતું. એકાસણામાં ચા વાપરવી પડે તો સવારની વહોરેલી ચા બપોરે વાપરતા. ૯૯ વર્ષની ઉંમરે પણ બધાની સાથે ગોચરીના માંડલામાં બેસે ત્યારે લૂખા-સૂકા આહાર, ઠંડુ-ગરમ જે હોય તે અનાસક્ત ભાવે વાપરી લેતા પરંતુ મારા માટે અમુક વસ્તુ લાવજો આવી સૂચના તો ક્યારેય કરતા નહિ. “ રસરૂપ મંગિન્ના, નવMઠ્ઠા મહામુની” ઉત્તરાધ્યન સૂત્રના આ વચનાનુસાર સાધક સંયમયાત્રાના નિભાવ માટે આહાર કરે પણ સ્વાદ માટે આહાર ન કરે. આ વચનો એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. પૂ. મહાસતીજી નાની વયમાં બિસ્કુલ તપસ્યા કરી શકતા ન હતા પરંતુ ગુરૂણીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી પર્વતિથિના ઉપવાસ શરૂ કરી દીધા. ગુરૂભક્તિથી શું પ્રાપ્ત થતું નથી ? ૯૫ વર્ષની ઉંમરે બે વર્ષ સુધી એકાંતરા એકાસણા તથા ૯૭ વર્ષની ઉંમરે બે વર્ષ એકાંતરા ઉપવાસ કર્યા. આટલા તપ-ત્યાગ હોવા છતાં પારણું કરવા બેસે ત્યારે કહે, “હું તો ખાઉધરી છું કે તપસ્યાનું પારણું કરું છું. ધન્ય છે અનશન વ્રતધારીને ! ધન્ય છે સંથારાવાળાને ! મારાથી તો સંથારો થતો નથી. મારા કરતાં નાની ઉંમરવાળા સંથારો કરે છે. હે પ્રભુ! હું કેમ સંથારો કરી શકતી નથી?” તવભૂરા મળRIT” સંતો તપમાં શૂરવીર હોય છે. એક વખત સુવઈ (પૂર્વ કચ્છ)ના સંઘપતિ શ્રી રતનશી ભીમશી સાવલા પૂ. મહાસતીજીના દર્શન કરવા આવેલા ત્યારે પૂ. મહાસતીજીને ઉપવાસ હતો છતાં ખૂબ સ્વસ્થતાથી બેઠા બેઠા સ્વાધ્યાય કરતા હતા ત્યારે રતનશીભાઈએ કહ્યું, “મહાસતીજી ! હવે તમારી ઉંમર થઈ. તમે ઘણી તપસ્યા કરી છે, હવે તમારું Page #410 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૩૯૭ શરીર થાક્યું છે માટે તપસ્યા બંધ કરો તો સારું. ૯૯ વર્ષની ઉંમરે તપસ્યા આકરી પડે.” “અરે રતનશી ! મારી ઉંમર તો સંથારો ક૨વા જેવડી છે પણ મેં અંતરાય તોડી નથી કે સંથારો કરું.” “મહાસતીજી ! આપ ક્યાં સુધી તપસ્યા કરશો ?’’ રતનશીભાઈએ પૂછયું. “થશે ત્યાં સુધી કરીશ. મને તપસ્યામાં કાંઈ ખબર પડતી નથી, બહું શાંતિ વર્તે છે અને સહેલાઈથી થાય છે, માટે કરું છું.” “મહાસતીજી! આપનામાં શારીરિક શક્તિ ક્યાં છે ?’” “ભલે શરી૨માં શક્તિ નથી પણ આત્મા તો અનંત શક્તિનો ધણી છે ને ? દેહ તો વહેલો મોડો પડવાનો છે. જે થવાનું હશે તે થશે, હું તપસ્યા નહિ છોડું.” આ સંવાદ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે પૂ. મહાસતીજી કેવા તપોમૂર્તિ હતા. “Be hard to yourself and soft to others” “પોતાના તરફ કઠોર બનો તથા બીજા તરફ કોમળ બનો.” આ સુવાક્યના ભાવને પૂ. મહાસતીજીએ અક્ષરશઃ જીવનમાં ઉતાર્યા હતા. પૂ. મહાસતીજી પોતાની જાત માટે કઠોર હતા પરંતુ બીજા તરફ અત્યંત કોમળ હતા. પોતે માંડલામાં ગોચરી કરવા પધારે ત્યારે સૌથી પહેલા નાના-મોટાં દરેક ઠાણાની ગણત્રી કરે. કોઈને ન જુએ તો તરત પૂછે કે ઓછા કેમ છે ? તેઓની તબિયત તો સારી છે ને ? કેમ નથી આવ્યા ? ઉપવાસ તો નથી ને ? એમ પૂરેપૂરી માહિતી મેળવી લેતા તથા કોઈના પાત્રામાં ઓછી ગોચરી જુએ તો કહેતા, “બચ્ચા ! પેટમાં હશે તો મગજ કામ કરશે. પોતાનું ખાધેલુ પોતાને કામ આવે. પોતાનું બળ પોતાને કામ આવે.” આવા સોનેરી સુવાક્યો મોટાભાગના સતીજીઓએ તેમની પાસેથી સાંભળ્યા હતા. તેઓશ્રી વાત્સલ્યના સાક્ષાત્ અવતાર હતા. આ વાત્સલ્ય માત્ર શિષ્યાઓ પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ દર્શનાર્થીઓને પણ તેમના બાહ્ય દિદારની સાથે આપ્યંતર દિવ્ય વાત્સલ્યના દર્શન થતા હતા. અમુક બહેનોને તો મહાસતીજી ભેટી પડતા. મા જેવો વાત્સલ્ય વરસાવતા. બધાની ખબર અંતર પૂછતા. ત્રણ-ચાર પેઢીના નામ પણ યાદ હોય. નાના સાધ્વીજીઓને ભણવામાં વિશેષ ચિત્ત રહે તેથી તપસ્યાની ના પાડતા તથા કહેતા, તમારે હજી મોટા મોટા વિહા૨ ક૨વાના છે, શાસનના કાર્યો કરવાના છે. “બેટા ! ખૂબ ભણો, ગણો, વિનય, વિવેકમાં આગળ વધો. મોટાની સેવાભક્તિ કરો અને ગુરૂણીના નામને દીપાવો.” પૂ. મહાસતીજીની આહારમીમાંસા પોતાના તરફ તથા બીજાના તરફ કેવી હતી તે આપણને આ બધા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવી શકે છે. કોઈ દર્શનાર્થી આવે તેને અજાણી વસ્તુ ખાવાની ના પાડતા તથા પ્રતિજ્ઞા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પૂ. રતનબાઈ મહાસતીજી પણ આપતા. પોતે વર્ષો સુધી ત્રણ ટાઈમ ગોચરી વહોરવા જતા. ગોચરીમાં ઘટાડો થાય તો વાપરતા વાપરતા ઊઠે અને જાતે વહોરી આવે એવા અપ્રમાદી હતા. ૯૯ વર્ષની ઉંમરે વજન માત્ર ૩૪ કિ.ગ્રા. હતું, છતાં કોઈનો સહારો લીધા વિના ચાલી શકતા. શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ હતી. જ્યાં સુધી આંખની શક્તિ હતી ત્યાં સુધી સેંકડો રજોહરણ બાંધ્યા હતા. સાધુ જીવનની કેટલીય ઉપધિ તૈયાર કરતા. ધર્મના ઉપકરણો તૈયાર કરવામાં અંશ માત્ર આળસ નહિ. દિવસે તો ઉંઘવાનું નામ નહિ. છેલ્લે ઉંમરના કારણે દિવસે માત્ર અડધો ક્લાક જ ઉંઘ લેતા. ૯૬ વર્ષની ઉંમર સુધી પોતાની શિષ્યાઓને શુભ પ્રસંગે કે સંવત્સરીના ધર્મસંદેશ પોતાના હાથે લખતા. ૮૧ વર્ષના સંયમ જીવનમાં ઉત્તરોત્તર ગુણોનો વિકાસ કરતા કરતા ઐતિહાસિક જીવન જીવી ગયા. કહ્યું છે - “કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે, નસીબને દોષ દેનારા જ્યાં ત્યાં આથડે છે; નથી ફૂલોની આ શય્યા, કતારો કંટકોની છે, છતાં પુરુષાર્થ પ્રેમીને, હંમેશા ફળ મળે છે.” अणुसासिओ न कुप्पिज्जा, खंतिं सेवेज्ज पंडिए સાધક, અનુશાસનમાં કોપ ન કરે પણ ક્ષમા રાખે સંયમ જીવનના પ્રારંભિક વર્ષોમાં જ્યારે પૂ. રતનબાઈ મ. વ્યાખ્યાન ફરમાવતા ત્યારે કંઈ ભૂલ થઈ જાય ને સહુવર્તી ઠાણા કડક ભાષામાં ઠપકો આપે ને તો પૂ. રતનબાઈ મ. વિનમ્ર ભાવે કહેતા, “આપની વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હવેથી ધ્યાન રાખીશ.’’ તેમની સહનશીલતા તથા નમ્રતા એવા ઉચ્ચ પ્રકારના હતા કે સામી વ્યક્તિ ક્ષોભ પામી જતી. ધન્ય છે મહાસતીજીની નમ્રતાને! ભોરારામાં પ્લેગનો રોગ : પૂ. મહાસતીજીની સહનશીલતા બાલપણથી જ ખૂબ હતી. તેઓ ૧૦ વર્ષના હતા ત્યારે ભોરારા (કચ્છ)માં મરકી (પ્લેગ)નો રોગ ફાટી નીકળેલો ત્યારે તેઓ ગામ બહાર કુબા બનાવીને રહેલા અને ખોરાકમાં કેટલાય સમય સુધી ફક્ત જુવારનો રોટલો અને છાશ વાપરીને જીવન વિતાવતા. "लाभालाभे सुहेदुक्खे, जीविए मरणे तहा । समो निंदा पसंसासु, तहा માળાવમાળો ॥' અર્થાત્ લાભમાં કે હાનિમાં, સુખમાં કે દુઃખમાં, જીવનમાં કે મરણમાં, નિંદા અને પ્રશંસામાં તથા માન અને અપમાનમાં જે સમાન રહે છે તે સાચો સાધક છે. પૂ. મહાસતીજીએ ઉત્તરાધ્યાયન સૂત્રના ૧૯મા અધ્યયનના ભાવ Page #412 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા પોતાના હૃદયમાં ઉતાર્યા હતા. સુવઈમાં જ્યારે ધર્મસ્થાનક ન હતું ત્યારે કોઈના મકાનમાં ચાતુર્માસ રહેવાનું થયું. મકાન માલિકને થયું કે જો મહાસતીજી કાળધર્મ પામશે તો મારું ઘર અભડાઈ જશે, મકાન અપશુકનિયાળ બની જશે એવા ભયથી તેમણે મહાસતીજીને મકાન ખાલી કરવાનું કહી દીધું. મહાસતીજી અપમાનનો ઘુંટડો ગળી જઈને બીજા મકાનમાં પધાર્યા. આ પ્રસંગ ઉ૫૨થી સુવઈના શ્રાવકોમાં જાગૃતિ આવી તથા ધર્મસ્થાનકનું નિર્માણ કર્યું. “પુથ્વીસમે મુળી વેખ્ખા ।' અર્થાત્ મુનિ પૃથ્વી સમાન સહનશીલ થાય. આ શાસ્ત્ર વચનને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યું હતું. એકદા પૂ. મહાસતીજીને ગળામાં તકલીફ થઈ ગઈ. સખત દુઃખાવો થયો ત્યારે શાંતિથી દર્દ સહન કરતા હતા. દવા માટે ખૂબ આગ્રહ થયો ત્યારે તેમણે કહ્યું, ‘હું દવા કરું છું.’ તેઓ દવામાં લીંબડાની ભૂકી વાપરતા હતા. બધાને નવાઈ લાગે કે આવી દવા શું કામ આવે ? ઘણા ડોક્ટરની વાત કરે ત્યારે તેઓ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેતા તથા કહેતા કે કાયાના દંડ કાયાને ભોગવી લેવા દ્યો. કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી. ક્યારે પણ માથું દુઃખે, તાવ આવે કે કોઈપણ બિમારી આવે તો ડોક્ટરની દવા તેમણે લીધી ન હતી. આમ શારીરિક કે માનસિક વેદનાને સહન કરવામાં તેઓ પૃથ્વી સમાન હતા. ૩૯૯ “મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નહિ પાનબાઈ.’ વિ.સં. ૧૯૭૩ની સાલે પૂ. રતનબાઈ મહાસતીજી આદિ ઠાણા-માંડવી ચાતુર્માસ હતા. ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. કોઈ ઉપાયો સાર્થક ન નિવડ્યા ત્યારે લોકોમાં ભયંકર ગભરાટ ફેલાઈ ગયો. શ્રાવકોએ પૂ.મ.ને વિહાર કરવા માટે વિનંતી કરી. તે વખતે માંડવીમાં ચારે ગચ્છમાં ચાતુર્માસ હતા. ત્રણ ગચ્છના ચારિત્રાત્માઓ વિહાર કરી ગયા પરંતુ પૂ. રતનબાઈ મ. એકદમ મક્કમ રહ્યા કે જે થવાનું હશે તે થશે પણ ચાતુર્માસમાં તો વિહાર નહિ જ કરીએ. ભાવિકો તેમને નમી પડ્યા. “સેવાધર્મ: પરમહિનો યોગિનામપ્યગમ્યઃ ।' વિ.સં. ૧૯૭૪ની સાલે પૂ. રતનબાઈ મ.નું ચાતુર્માસ બિદડા હતું. તે વખતે પૂ. જાનબાઈ મહાસતીજીના સંઘાડાના પૂ. પાનબાઈ મ. તથા પૂ. કુંવરબાઈ મ.ની તબિયત સારી ન હતી. તેવા સમાચાર બિદડા સ્થિત પૂ. રતનબાઈ મ.ને મળતા અન્ય સંઘાડો હોવા છતાં તેમણે શાંત્વના પાઠવી તથા ચાતુર્માસ પૂરું કરી તુરત રામાણીયા પધાર્યા તથા એક મહિના સુધી ખડે પગે તેમની સેવા કરી. બિમાર મહાસતીજીને વાંસામાં, કમ્મરમાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પૂ. રતનબાઈ મહાસતીજી કે હાથ-પગમાં અસહ્ય દુઃખાવો થતો ત્યારે તેઓ પૂ. રતનબાઈ મ.ને કહેતા, “મારી મીઠી મા ! મને વાંસમાં દાબી દેને, કમ દાબતા હોય ત્યારે કહે, પગ દાબી દે ને.” આવું ચાલ્યા જ કરે છતાં તેઓ કંટાળે નહિ. પૂ. મહાસતીજીની મૈત્રીભાવના તથા સેવાભાવના કેટલા ઉચ્ચ કોટિના હશે ! વિ.સં. ૧૯૯૨ની સાલે ભૂજ ચાતુર્માસ જતા હતા ત્યારે રસ્તામાં એક નાનકડા ગામમાં રબારીના વાસમાં રાત રોકાયેલા ત્યારે ચાર-પાંચ માણસો લૂંટવાના ઈરાદે આવ્યા પરંતુ મહાસતીજી નિર્ભય રહ્યા તથા અવાજ કર્યો જેથી બાજુના મેગા રબારીએ લૂંટારાઓને પડકાર્યા તેથી તેઓ ભાગી ગયા. “સાત ભયના ટાલણ હાર...” ઈ.સ. ૧૯૭૧ની સાલે ભારતપાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભૂજમાં બોમ્બ વર્ષા થઈ. ૭૫% લોકો ભૂજ છોડી ગયા. ભયંકર ભય ફેલાઈ ગયો. સંઘપ્રમુખ શ્રી મનહરલાલ લધુભાઈએ પૂ. મહાસતીજીને વિનંતી કરી કે વાહનમાં બેસીને ભૂજ છોડવા જેવું છે પરંતુ મહાસતીજીએ કહ્યું, સાતમની છઠ્ઠ કરનાર કોઈ નથી. તેઓ મક્કમ રહ્યા તેથી કાંઈ થયું નહિ. સંતોને ભય કોનો ? પૂ. રતનબાઈ મ.ની અડગતા જોઈને આઠ કોટિ મોટી પક્ષના પૂ. મણિબાઈ મ. તથા કેશરબાઈ મ. પણ ભૂજમાં જ રહ્યા. પૂ. રતનબાઈ મ.ના વ્યાખ્યાન નિયમિત ચાલુ રહ્યા. ધર્મસમાન કોઈ રક્ષક નથી. “જાત મહેનત ઝિંદાબાદ’ આ સૂત્રને પૂ. મહાસતીજીએ પોતાના જીવનમાં ઉતાર્યુ હતું. તેથી ગમે તેવી બિમારીમાં પણ બીજાની સેવા લેતા નહિ તથા ડોક્ટરની દવા લેતા નહિ. પોતાને જરા પણ હાય વોય નહિ. લોકોને તેમનામાં ભગવાનના દર્શન થતા. તેઓ ચોથા આરાના નમૂના જેવા હતા. સ્કૂટરનો અકસ્માત તથા પ્રથમવાર હોસ્પીટલની મુલાકાત વિ.સં. ૨૦૨૪ની સાલે તેઓશ્રી અમદાવાદથી લીંબડી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે અજાણતા એક સ્કૂટરવાળાનો ધક્કો લાગવાથી પૂ. રતનબાઈ મ. પડી ગયા તથા પગનું હાડકું ભાંગી ગયું. સ્કૂટરવાળા ભાઈ પણ ભાંગી પડ્યા. ક્ષમા માગી પરંતુ મહાસતીજીએ તેને તત્ક્ષણ ક્ષમા આપી દીધી. ગાઢ કારણે મહાસતીજીને અમદાવાદ વી.એસ. હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા. એક મહિના સુધી ઉપચારો થયા પછી સારું થયું તે દરમિયાન અસંખ્ય ફોડકાઓ આદિના કારણે ભયંકર વેદના થઈ પણ મહાસતીજીએ સમભાવે સહન કરી હતી. તે વખતે ડૉ. દેસાઈ તથા ડૉ. રસિકભાઈ ગોધરાવાળાએ ખૂબ સારી સેવા બજાવી હતી. Page #414 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૦૧ ૮૫ વર્ષની ઉંમર સુધી પગે ચાલીને વિહાર કરતા રહ્યા ત્યાર પછી ડોળીથી વિહાર કરતા પણ ગામની આજુબાજુ એકાદ કિ.મી. ચાલતા. સ્વ. પંડિતજી શ્રી રોશનલાલજી પૂ. રતનબાઈ મ.ના શ્રી મુખેથી માંગલિક સાંભળવાનો આગ્રહ રાખતા તથા શિખામણના શબ્દો સાંભળવા ઉત્સુક રહેતા. મહાસતીજીની સરળતા સૌને સ્પર્શી જતી. બાબુભાઈ લુંભાને કહેતા, “લુચ્ચાલફંગાની સોબત ન કરજે, અખાદ્ય ન ખાજે. સંપ, સુલેહ અને સ્નેહથી રહેજે, તારી માની સંભાળ રાખજે.” બાબુભાઈ કહેતા, મને રતનબાઈ મ.માં સગી માતાના દર્શન થતા. વિહારમાં અનેક લોકોને ધર્મ પમાડતા. હંમેશા સૌને શીખવાની પ્રેરણા આપતા. ભાવનગરની બાજુમાં ગઢેચી ગામમાં પૂ. મહાસતીજીના પધારવાથી અભુત ધર્મજાગૃતિ આવી હતી. પૂ. મહાસતીજીશ્રી દર્શનાર્થીઓને જે સોનેરી શિખામણો આપતા તેના કેટલાક રત્નના અંશો... (૧) પહેલું સુખ તે જાતે નર્યા (૨) ઝાઝા ભોગ ત્યાં ઝાઝા રોગ (૩) વિલાસ ત્યાં વિનાશ (૪) પોતાનું ખાધેલું પોતાનું કામ આવે (૫) પોતાનો વ્યવહાર પોતાને કામ આવે (૬) ચેતીને ચાલો (૭) ગયો અવસર ફરીને નહિ આવે (૮) કડે કી કડે કીં મળે ન હોય સરખા દી (૯) ક ક કડે કીં કાલ ઓગધો કેડ દિ (૧૦) કડે કી કહેં કીં હકડો દિ હલ્યો વધો દિ. (૧૧) કડે કીં કડેં કી રૂપિયો ઉડે કકરે જી. યુવા વર્ગ દર્શનાર્થે આવે તેમને ખાસ ભલામણ કરતા કે સિનેમા જોઈ આંખ ન બગાડશો. ખરાબ સોબત અને વ્યસન ન રાખશો. અભક્ષ્ય વસ્તુ ન ખાશો. મા-બાપની ભક્તિ કરજો, તેમને શાતા પમાડજો. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. એ ન્યાયે જેવા તમારા બાપા ખાનદાન છે, તેવા બનજો. ભક્ત કે આધીન ભગવાન રતાડિયાના ક્રોડાધિપતિ શેઠ શ્રી કલ્યાણજી ગંગાજર ભગત પૂ. રતનબાઈ મ.ના અનન્ય ભક્ત હતા. તેમના માતુશ્રી ઉંમરબાઈ પૂ. મહાસતીજીના બાલપણના બહેનપણી હતા. પૂ. રતનબાઈ મ.માં કલ્યાણજીભાઈને ભગવાનના દર્શન થતા. તેઓ મહાસતીજીના પડ્યા બોલ ઝીલતા. વિ.સં. ૨૦૩૮ની સાલે રતાડિયા ચાતુર્માસ દરમિયાન મહાસતીજીએ કલ્યાણજીભાઈને કહ્યું, “તારી માતા મને જીવતા જીવ મળશે કે નહિ? એ મુંબઈ ને હું અહીં, જો તું દેશમાં લઈ આવે તો મને મળે.” અને ખરેખર કલ્યાણજીભાઈ પ્લેનથી મુંબઈ ગયા અને બીજે જ દિવસે પ્લેનથી પોતાના માતુશ્રીને તેડી આવ્યા Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પૂ. રતનબાઈ મહાસતીજી તથા પૂ. મહાસતીજીની ભાવના પૂર્ણ કરી. યોગાનુયોગ ઉંમરબાઈ પણ પૂ. મહાસતીજીના દર્શન કરી તૃપ્ત થયા અને ત્યારબાદ ટૂંક સમયમાં સ્વર્ગવાસ પામ્યા. પૂ. મહાસતીજીની લાગણી સર્વ શ્રાવકો તરફ અનન્ય હતી. ભવનો અંત આણવા તપની આરાધના શાસન પ્રભાવક પંડિતરત્ન પૂ. ભાવચંદ્રજી સ્વામી સં. ૨૦૪રના મહાસુદિ-૭ના દિવસે પૂ. મહાસતીજીને દર્શન દેવા સમાઘોઘા પધાર્યા ત્યારે મહાસતીજી અત્યંત ભાવવિભોર બની ગયા હતા. ભાવથી વંદન નમસ્કાર કર્યા પછી જે વાર્તાલાપ થયો તેનો સાર નીચે પ્રમાણે છે. પૂ. ગુરૂદેવ શ્રી : “મહાસતીજી ! તપસ્યાની શાતા રહે છે ને ?” “ઘણી જ શાતા છે, જ્યાં સુધી શક્તિ છે, ત્યાં સુધી ઉપવાસ કરતી રહીશ.” “વૃદ્ધાવસ્થામાં શરીરને સાચવવું તો પડે ને ?” પૂ. મ. સાહેબે કહ્યું. ૯૯ વર્ષ થયા છે, ઘણું બધું ખાધું છે; હવે તો ઉપવાસ એ જ મારો ખોરાક છે.” “મહાસતીજી ! આવડી મોટી ઉંમરે આટલી બધી તપસ્યા શા માટે કરો છો? તેનું કાંઈ રહસ્ય તો હશે ને ?” “ભવનો છેડો કાઢવા અને આત્માને તારવા માટે આ તપ કરું છું.” મહાસતીજીએ સ્પષ્ટતા કરી. “વહેતા પાણી નિર્મળા, સ્થિર પડ્યા ગંદા હોય, સાધુ તો ચલતા ભલા, ડાઘ ન લાગે કોય, સ્થિર પડ્યા પાણી નિર્મળા, જો કદિ ઊંડો હોય; સાધુજન તો સ્થિરભલા, જો કારણ ખરું હોય.” સંત-સતીજી જ્યાં જ્યાં વિચરે છે તે ધરતી ધન્ય બની જાય છે. પૂ. રતનબાઈ મ. ૯૭ વર્ષની ઉંમર સુધી વિચરતા રહ્યા પણ છેલ્લા ત્રણ વર્ષ સ્થિરવાસ રહ્યા. વાગડના ક્ષેત્રોમાં ખૂબ જ ઉપકારો કર્યા છે. કચ્છના લોકોને પણ ધર્મના માર્ગે વાળ્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પણ ઘણો ઉપકાર છે. ( સ્થિરવાસનું શ્રેષ્ઠ ક્ષેત્ર અને સમાઘોઘા સંઘની સેવા વિ.સં. ૨૦૩૯નું ઐતિહાસિક ચાતુર્માસ રતાડિયામાં કર્યું. એ ચાતુર્માસમાં સમાઘોઘા સંઘે સ્થિરવાસ માટેની ભાવભીની વિનંતી કરી. અન્ય સંઘોની વિનંતી હોવા છતાં પણ પૂ. મહાસતીજીએ સમાઘોઘા સંઘની વિનંતી માન્ય રાખી. Page #416 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४०३ “ધન્ય ધન્ય ક્ષેત્ર સમાઘોઘા જી, ધન્ય છ કોટિ શ્રી સંઘ; સ્થિરવાસ કરાવ્યા અતિ ઘણા જી, સંત સેવાનો રે સંગ.” સમાઘોઘા ગામ એટલે કોટિ અજરામર સંઘનું એક રાગી ક્ષેત્ર. સ્થિરવાસ માટેની પ્રખ્યાત ભૂમિ. ત્યાંના શ્રાવકો એટલે સેવાના ભેખધારી. લોહચુંબકની જેમ સંતોને સ્થિરવાસ માટે આકર્ષી શકે છે. બાવન-બાવન વર્ષ સુધી સ્થાનકને તાળું ન વાસવું પડે, તેવા મહાભાગ્ય સમાઘોઘા સંઘના છે. સદાય સંતોના પગલાં થતાં. જંગમ તીર્થ સમાન ચારિત્રાત્માઓએ સમાઘોઘાને તીર્થધામ બનાવી દીધું હતું. સમાઘોઘામાં ઘણા સ્થિરવાસ થયા છે અને તે સર્વ સંત પુરૂષોની શ્રી સમાઘોઘા સંઘે અંતરના ભાવથી સેવા-ભક્તિ કરી છે. સમાઘોઘામાં સ્થિરવાસ રહેલ મહાસતીજીઓના નામ આ પ્રમાણે છે : (૧) પૂ. નાથીબાઈ મહાસતીજી (૨) પૂ. નાનબાઈ મ. (૩) પૂ. ગંગાબાઈ મ. (૪) પૂ. મોટા રતનબાઈ મ., જેમણે છ દિવસનો સંથારો કરી ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામેલા. (૫) પૂ. મોટી દીવાળીબાઈ મ., તેમણે પણ ૮૬ વર્ષની ઉંમરે છ દિવસનો સંથારો કરી કાળધર્મ પામ્યા હતા. (૬) પૂ. તીર્થસ્વરૂપા રતનબાઈ મ., જેમણે અંતિમ સમયે સંથારો લીધો હતો. ચાતુર્માસ કે રોષકાળનો લાભ બધા લે પરંતુ સ્થિરવાસ તો કોઈક જ સંઘ કરાવી શકે. મોટા ભાગના સંઘો શક્તિના પૂજારી હોય છે. સાધુતાના પૂજારી, સેવાના ભેખધારી તો કોઈક જ સંઘ હોય છે. પૂ. રતનબાઈ મ.નો રોષકાળ કરાવી શ્રી સંઘે પોતાની કીર્તિને ચાર ચાંદ લગાવી દીધા હતા. ૯૭ વર્ષની ઉંમરે એકાંતરા ઉપવાસ શરૂ કરેલા તે ૯૯ વર્ષની ઉંમરે શિષ્યાઓના અતિ આગ્રહના કારણે ના છૂટકે છોડવા પડેલા કેમકે પછી શરીર અશક્ત થઈ ગયું હતું છતાં આત્મબળ અનુપમ હતું. ચાલશે, ફાવશે, ભાવશે. આ ત્રણ શબ્દો તેમના અણુ અણુમાં વણાયેલા હતા. નિયમિત ગોચરીમાં કે પારણામાં ઠંડું-ગરમ, કાચું-પાકું ગમે તેવું મળે તો પણ નહિ રાગ કે દ્વેષ ! જાણે સમભાવનો અખૂટ ખજાનો જોઈ લ્યો. શ્રીમદ્ રાજચંદ્ર સાચું જ કહ્યું છે, ઘોર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અન્ને નહિ મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો..અપૂર્વ.” તપસ્યામાં ક્યારેય સૂઈ રહેવાનું નહિ. સ્વાધ્યાય, જાપ આદિ ખૂબ ઉત્સાહથી કરતા. નહિ પ્રમાદ, નહિ થાક, નહિ કંટાળો ! જ્યારે જુઓ ત્યારે એ જ પ્રસન્નતા. એ જ આત્મરમણતા. સાધ્વીરત્નોની વૈયાવચ્ચ તથા દર્શનાર્થીઓની Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પૂ. રતનબાઈ મહાસતીજી સાધર્મિક ભક્તિનો સમાઘોઘા સંધે મહામૂલો લાભ લીધો હતો. સમાઘોઘાના મુંબઈવાસી ભાવિકો દેશમાં ઘર ખોલીને રહેતા તથા લાભ મેળવતા. એક વચન એ સદ્ગુરૂ કેરું... પૂ. મહાસતીજીના વચનામૃતો... વિ.સં. ૨૦૪૨ની સાલે જ્યારે પૂ. રતનબાઈ મ.ની શતાબ્દી ઉજવવાનું નક્કી થયું ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવવા લાગ્યા. તેમને મધુર વચનામૃતો પૂ. મહાસતીજી પોતે જ સંભળાવતા તેના કેટલાક પ્રેરણાદાયી અંશો... “બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય; થોડી દેરકે કારણે, રંગમેં ભંગ ન લાય.'' “જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત’’ જીવ્યા એટલું જીવવાનું નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટે છે. “જંજાળ છોડીને જિનવરને ભજો, પૈસાની પ્રીત તોડી તમે પરમાતમને ભજો.' “જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો.’' “આ ભવ રત્નચિંતામણિ સરીખો, વારંવાર ન મળશેજી; ચેતી શકે તો ચેત ઓ જીવડા, આવો સમય નહિ મળશે જી.’ એકદા મુંબઈથી આવેલા ભાવિકોને પૂ. રતનબાઈ મ. એ પ્રશ્ન પૂછ્યો, “ભાઈઓ હું તમને પૂછું છું કે વ-વા વધ્યા અને ગ-ગા ઘટ્યા તે શું ?’’ તમે બધા મુંબઈવાસી છો, ચતુર છો તો જવાબ આપો. કોઈની કલ્પનામાં નહિ, આવો સવાલ સાંભળી સૌ ચમકી ગયા. આખરે મહાસતીજીને ખુલાસો કરવા કહ્યું ત્યારે પૂ. મહાસતીજીએ જવાબ આપ્યો, “વૈભવ, વિલાસ, વ્યસન, વૈદ્ય, વકીલ અને વૈશ્યા’' આ વ-વા વધ્યા. આની પાછળ માણસ માનવતા ભૂલ્યો છે. ખાનદાની ગીરવે મૂકી છે, મર્યાદા લોપાઈ છે અને વૈદ્ય (ડૉક્ટર)ના ઘર ભરે છે તથા ગ-ગા ઘટ્યા તે “ગુરૂજી, ગુંસાઈ, ગરાસિયા, ગુર્જર અને ગોરસ આ બધા ઘટવાથી દાન દેવાની વાત ગઈ, વીરતા ગઈ અને ગાયો કતલખાને ગઈ. “વચનથી વખણાય, વચનથી નિંદાય; વચનથી હલકો પડે, વચને કિંમત થાય. ખાઈએ તો ખીર, ઓઢીએ તો ચીર; રહીએ તો ધીર, મારીએ તો મીર.’ Page #418 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૦૫. (સો વર્ષનું રહસ્ય કર્વે નામના એક મોટા પત્રકાર થઈ ગયા. તેઓ સો વર્ષના થયા ત્યારે તેમની શતાબ્દી ઉજવાઈ. તે વખતે ભેગા થયેલા પત્રકારોમાંથી એક પત્રકારે પ્રશ્ન કર્યો, “કર્વે સાહેબ ! આપના સો વર્ષના આયુષ્યનું રહસ્ય શું છે?” કર્વેએ ઉત્તર આપતાં કહ્યું, “મિત્રો ! મારા દીર્ઘ જીવનનું રહસ્ય મારા જીવનમાં બનેલો એક પ્રસંગ છે.” હું ત્યારે ચાલીસ વર્ષનો હતો. અમારા ઘરમાં એક બાઈ વાસણ માંજવાનું કામ કરતી હતી. તે પ્રૌઢ હતી. એક રાત્રિ તેણી અચાનક મારા ઘરે આવી. આવતાની સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં એને સમજાવીને શાંત કરી તથા શું હકીકત બની છે તે શાંતિથી કહેવા જણાવ્યું. ત્યારે બોલી કે તેનો એકનો એક પુત્ર જે અઢાર વર્ષનો હતો તેને એક્સીડન્ટ થયેલ અને તાત્કાલિક ફી તથા સારવાર માટે રૂપિયા હજાર તરત જ પહોંચાડવાના હતા, જો પૈસાની જલ્દી સગવડ ના થાય તથા સારવાર ન થાય તો તેના દીકરાના પ્રાણ ચાલ્યા જાય. એ હકીકત રડતાંરડતાં કામવાળી બાઈએ સંભળાવી તથા કહ્યું, “શેઠ ! મારા દીકરાને બચાવો, હવે મારું શરણ આપ જ છો.” કર્વે પત્રકારને આટલી વાત કરીને થોભ્યા પછી બોલ્યા, “હું કામવાળી બાઈની વાત સાંભળીને પીગળી ગયો. મેં તુરત કબાટમાંથી રૂા. બે હજાર કાઢીને તેના હાથમાં મૂકી દીધા.” તે જોઈને બાઈ એટલા હર્ષાવેશમાં આવી ગઈ કે પોતે કામવાળી બાઈ છે અને હું તેનો શેઠ છું, એ વાત ભૂલી ગઈ. આનંદના આવેશમાં તે પ્રૌઢાના અંતરમાંથી માતૃત્વ ભરેલા વાત્સલ્યમય ઉદ્દગારો નીકળી પડ્યા, “બેટા ! સો વરસનો થજે.” આ દષ્ટાંત કવયિત્રી શ્રી કવિતાબાઈ મ. એટલા માટે યાદ કરાવે છે કે આશીર્વાદમાં આવી અપાર શક્તિ ભરેલી છે. પૂ. રતનબાઈ મહાસતીજીએ એમના ગુરૂણીમૈયા પૂ. મોટા વેલબાઈ સ્વામીના એવા આશીર્વાદ મેળવેલા કે પોતે ૧૦૦ વર્ષના થયા. ક્યારે પણ પૂ. રતનબાઈ મ.ને પૂછવામાં આવતું કે આપના દીર્ઘ જીવનનું રહસ્ય શું છે? તેનો જવાબ એક જ મળતો “હું તો કાંઈ નથી. પૂ. ગુરૂણીમૈયાના આશીર્વાદ છે. મેં તો આટલી ઉંમર કોઈની જોઈ નથી. મને આશીર્વાદ દેનારા મારા ગુરૂણીમૈયા નાની ઉંમરમાં જતા રહ્યા અને મારો આઉખો વધી ગયો.” ગુરૂણીશ્રીને ખૂબ જ શાતા ઉપજાવવાથી પોતે પણ એવી જ શાતા પામ્યા. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પૂ. રતનબાઈ મહાસતીજી “Man proposes and God disposes." માણસ ધારે કાંઈક અને કુદરત કરે કાંઈક ! આ ઉક્તિ અનુસાર પૂ. રતનબાઈ મ.ના શતાબ્દી મહોત્સવની જોરદાર તૈયારીઓ થઈ રહી હતી. પૂ. શાસનપ્રભાવક શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. દીર્ઘદ્રષ્ટા ભાસ્કરજી સ્વામીની પ્રેરણા, રત્નમંડળની ભવ્ય ભાવના તથા સમાઘોઘા છ કોટિ જૈન સંઘનો અદમ્ય ઉત્સાહ. કચ્છ-વાગડના મળીને ૧૦૮ વર્ષીતપની આરાધના. વૈરાગી કે. જયશ્રીબહેન (મથડાવાળા)ની દીક્ષા, શતાબ્દી પ્રશસ્તિ ગ્રન્થનું પ્રકાશન ઈત્યાદિ તૈયારીઓ ચાલી રહી હતી. અજરામર સંપ્રદાયમાં આવો સદેહે શતાબ્દી ઉજવવાનો પ્રથમ પ્રસંગ આવવાનો હતો. રત્નમંડળના ૪૪ મહાસતીજીઓમાંથી ૨૨ વર્ષીતપ હતા. વૈશાખ મહિનો (વેકેશનના કારણે) નક્કી કરવામાં આવ્યો હતો. સમસ્ત ભારતભરના ભાવિકો આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યારે વિ.સં. ૨૦૪૩ના નૂતન વર્ષના સુપ્રભાતે પૂ. મહાસતીજીએ પોતાના શ્રીમુખેથી ભાવિકોને આશીર્વાદ આપેલા. દીવાળીના દિવસનો ઉપવાસ હતો. પારણા પહેલા પાઠવેલા શુભાશીર્વાદની ભાવિકો ધન્યતા અનુભવતા હતા. કારતક સુદિ-૮ના પણ ઉપવાસ કરેલા ત્યાર પછી તબિયત અસ્વસ્થ થતી ગઈ. ઉપચારો ઘણા કરવામાં આવ્યા પરંતુ “તૂટીની કોઈ બુટી નહિ” એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૪૩, કારતક વદિ-૧, સોમવાર તા. ૧૭-૧૧-૧૯૮૬ના રાત્રે ૮-૫૫ મિનિટે સંખનાપૂર્વક સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. સૌ શિષ્યા પરિવારને રડતા છોડી, સેંકડો ભક્તોની આશાને નિરાશામાં ફેરવી શતાબ્દીની આશાને સ્વપ્ન બનાવી ૨૦૨ સાધ્વીજીઓના વડેરા સાથ્વી શિરોમણિ તીર્થસ્વરૂપા પૂ. રતનબાઈ મહાસતીજી અમર બનીને જીવી ગયા તથા પરલોકવાસી થયા. બૂઝ ચૂકા ચિરાગ, મગર રોશની તો રહ ગઈ; ચલ બસી યહ જિંદગી, કુછ લે ગઈ, કુછ દે ગઈ.” જેઓ હંમેશા શતાબ્દી ઉજવણી માટે ઈન્કાર કરતા હતા તેમણે આખરે પોતાનું ધાર્યું કર્યું તથા અનંતની યાત્રા લઈ લીધી. મૃત્યુપર્યત તીર્થકર દેવની આજ્ઞાને વફાદાર રહ્યા. ૯૯ વર્ષની ઉંમર તથા ૮૧ વર્ષનો સંયમપર્યાય સૌના માટે પ્રેરણારૂપ બની રહ્યા. Page #420 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૦૭ 'તિર્થસ્વરૂપા એકાધિક શતાયુષી વેલબાઈ મહાસતીજી તથા 'શ્રુતશીલા મહાસતીજી શ્રી માણેકબાઈ આર્યાજી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ગુંદાલા ગામ એટલે સંત-સતીજીઓનું ધામ. ત્યાં ૫૧ જેટલા સાધુ-સાધ્વીજી લીંબડી અજરામર સંપ્રદાયમાં થયા. વીશા ઓસવાળ જ્ઞાતિની સારી એવી વસ્તી. તેમાં ધર્મપ્રેમી વીરજીભાઈ તેજુભાઈ રાંભીયા તથા ધર્માનુરાગી ભમીબહેનના ઘરે એક સુપુત્ર તથા બે સુપુત્રી જન્મ્યા. જેમનાં નામ અનુક્રમે (૧) લાધાભાઈ (૨) ભચીબહેન (૩) વેલબાઈ. નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. વિ.સં. ૧૯૪૫, મહાસુદ-૫ના સૌથી નાની સુપુત્રી વેલબાઈનો જન્મ થયો. “ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ...” ગુંદાલાના ધર્મપ્રેમી સગૃહસ્થ મુળજીભાઈ આશારિયાના ત્રણ સુપુત્રો હતા (૧) ઘેલાભાઈ (૨) દેવરાજભાઈ (૩) ચાંપશીભાઈ. વિ.સં. ૧૯૫૬ (છપ્પનિયા દુષ્કાળના વર્ષોમાં માત્ર બાર વર્ષની ઉંમરે નાની સુપુત્રી વેલબાઈના લગ્ન મુળજીભાઈના નાના સુપુત્ર ચાંપશીભાઈ સાથે થયા હતા. સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં લક્ષ્મી સુસંસ્કારી વેલબાઈ સાસરે આવ્યા પછી ઘરની જાહોજલાલી વધતી ગઈ. સાચું જ કહ્યું છે કે “પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં” એમના પગલે પગલે પુણ્ય પ્રગટતા. દેરાણી-જેઠાણી વચ્ચે ખૂબ જ સંપ હતો. સગા બહેનોની જેમ તેઓ રહેતા. જયાં સંપ હોય ત્યાં શાંતિ હોય છે. પરંતુ આ સંસાર બહુ વિચિત્ર છે. તેમાં કાયમ એક સરખા દિવસો કોઈનાય જતા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. વિ.સં. ૧૯૬૪ની સાલે ભરયુવાનીમાં શ્રી ચાંપશીભાઈ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ જતાં જતાં એ પરમાર્થી જીવ પોતાના પત્ની વેલબાઈને કહેતા ગયા કે તું ધર્મ કરજે. વેલબાઈને માત્ર ૧૯ વર્ષની ઉંમરે વૈધવ્યનું દુઃખ આવ્યું છતાં પૂર્વના સંસ્કારો જાગૃત થયા. વિદુષી શાંત સ્વભાવી શ્રી જીવીબાઈ મહાસતીજીના સત્સંગથી વૈરાગ્યના ભાવ થયા. ધાર્મિક અભ્યાસની શુભ શરૂઆત કરી દીધી. Page #421 -------------------------------------------------------------------------- ________________ ४०८ પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. શીલવંત સાધુને રે ભાવથી રે નમીએ પાનબાઈ... એકદા નજીકના સંબંધીને ત્યાં કોઈ પ્રસંગે ગયેલા. રાત્રે તે ભાઈ મોહમુગ્ધ બની તેમના રૂમમાં આવી ચડ્યા. “ામાન્યો નૈવ પતિ ।'' ‘કામાન્ય જોતો નથી’ આ ઉક્તિ અનુસાર પેલો ભાઈ કામાન્ય થયો ત્યારે સત્વશીલ વેલબાઈ સફાળા જાગી જઈ હિંમતપૂર્વક બોલ્યા, “ભાઈ ! અત્યારે કેમ ?” જવાબમાં અનિચ્છનીય માગણી. વેલબાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “ભાઈ ! અત્યારે બોલ્યા તે બોલ્યા, ફરી એવી વાત કરતા નહિ.” આમ કહી નવકાર મહામંત્રનું સ્મરણ કરતા એક યુક્તિ સૂઝી આવી જેથી રૂમમાંથી બહાર નીકળી બીજા બહેનો સાથે સૂઈ ગયા. સંકટના સમયમાં સાહસિક સતીજીએ બહાદૂરી કેળવી પોતાનું શીલ અખંડ રાખ્યું. “શીતેન પ્રાપ્યતે સૌરવ્ય, શીતેન વિમાં યજ્ઞ: । શીલેન તમ્યતે મોક્ષપ્તસ્માછીનું વાં વ્રતમ્'' અર્થાત્ શીલથી સુખ મળે છે. શીલથી નિર્મળ યશ મળે છે. શીલથી મોક્ષ પણ મળે છે. તેથી શીલવ્રત એ શ્રેષ્ઠ છે. ધન્ય છે આવા સત્ત્વશીલ શીલવાન આત્માને ! સ્વાદવિજેતા સ્પષ્ટભાષી સતી પૂ. વેલબાઈ મહાસતીજી દીક્ષાર્થી અવસ્થામાં પૂ. ગુરૂણી શ્રી જીવીબાઈ મહાસતીજી પાસે જ્ઞાનાભ્યાસ કરતા હતા ત્યારે રાપરમાં એક વખત ધર્મપ્રેમી શ્રી જેચંદભાઈ કરમચંદ મોરબીયાએ તેમને નાસ્તો કરવા માટે ઘેર બોલાવ્યા. જેચંદભાઈ પુડલા સાથે મીઠું વાપરી રહ્યા હતા ત્યારે વેલબાઈ બહેને કહ્યું, “જેચંદબાપા ! શું પુડલામાં મીઠું નથી ?” બાપાએ કહ્યું, “મીઠું તો છે પરંતુ મને વધારે મીઠું વાપરવાની ટેવ છે.” “અરે બાપા ! એક મીઠાની કણીમાં અસંખ્યાતા જીવો હોય છે. આપણાથી ઉપર મીઠું લેવાય ?” ‘‘જો તમે ઉપરથી મીઠું વાપરશો તો હું તમારા ઘરે ક્યારેય વાપરવા નહિ આવું, હું જાઉં છું.” જેચંદભાઈ કહે, “દીકરી ! હું હવેથી ઉપર મીઠું નહિ લઉં, આજથી બંધ.’’ મહાસતીજીનો આત્મા પહેલેથી જ સિદ્ધાંતપ્રેમી હતો. પૂ. ગુરૂણી સાથે જ્ઞાનાભ્યાસ કર્યા પછી બંને પક્ષોની તેમણે પ્રેમથી દીક્ષા માટેની સંમતિ મેળવી. સંઘની રૂબરૂમાં આજ્ઞા પત્રિકા લખાઈ. માંડવી-લીંબડીમાં સંઘ તથા પૂ.શ્રીની રજા મળી. શ્રી વેલબાઈનો વેલો વધતો રહેશે વિ.સં. ૧૯૬૭, મહાસુદિ-૧૦ના સોજાણીની વાડીમાં માતૃભૂમિ ગુંદાલામાં Page #422 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૦૯ વિદ્વાન મ.શ્રી મંગળજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી તથા ગુરૂણીશ્રી જીવીબાઈ આર્યાજી આદિ સતીવૃન્દની નિશ્રામાં વચનસિદ્ધ આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી. પૂ. આચાર્ય ભગવંતે નામ જાહેર કરતા શુભ આશીર્વાદ આપ્યા, “શ્રી વેલબાઈનો વેલો વધતો રહેશે.” શધ્યા-વસતિ-ધર્મદાનો ગુંદાલાના સ્થાનકની સામે જે જૈનશાળાનું મકાન બંધાયેલ, જે ચાર વર્ષ પહેલા તા. ૨૬-૧-૨૦૦૧ના ધરતીકંપમાં ધ્વસ્ત થઈ ગયેલ, તે પ્લોટ વેલબાઈ મ.ના સંસારપક્ષીય જેઠશ્રી ઘેલાભાઈ મુળજી રાંભીયા તરફથી છ કોટિ જૈન સંઘને ભેટ અપાયેલ, જ્યાં ઉત્તમ પ્રકારની ધર્મારાધના થાય. શ્રી સંઘે ફરીથી બાંધીને ત્યાં ધર્મારાધના શરૂ કરાવેલ છે. એમના પરિવારજનોની આવી પવિત્ર ભાવના હતી. પૂ. શ્રી વેલબાઈ મહાસતીજી ગુરુકુળમાં રહી જ્ઞાનાદિ પાંચ આચાર આદિમાં નિપુણ બનતા ગયા. આંખના ઈશારે ગુરૂણીના દિલને સમજી જનાર સરળદયી મહાસતીજી તપશ્ચર્યામાં તેર ઉપવાસ સુધી આગળ વધ્યા. ત્રણ-ચાર ઉપવાસ તો ઘણીવાર કરતા. તેમનામાં વૈયાવચ્ચનો ગુણ મુખ્ય હતો. પોતે સગુણી અને સમયસૂચક હોવાથી સર્વની સાથે મૈત્રીભાવથી આનંદપૂર્વક રહેતા હતા. પૂ. ભાણબાઈ મહાસતીજીના સંઘાડાની પ્રેરણાદાયી પરંપરા પૂ. ભાણબાઈ મહાસતીજીના સંઘાડાની બે પાંખ (૧) ડાહીબાઈ મહાસતીજી (૨) કુંવરબાઈ મહાસતીજી. અત્યારે આ બંને સંઘાડા (૧) વેલબાઈ મ.નો સંઘાડો તથા (૨) ઝવેરબાઈ મ.નો સંઘાડો; એમ બે ઓળખાય છે. આ સંઘાડામાં એવી પરંપરા હતી કે સૌથી મોટા મહાસતીજી ગુરૂણીના સ્થાને હોય જેઓ સારણા-વારણા કરે તથા નવદીક્ષિતા સાધ્વીજીને સૌથી નાના સાધ્વીજીને શિષ્યા તરીકે સોપવામાં આવે. એટલે એકથી વધારે શિષ્યા કોઈને હોય નહિ, અને શિષ્યા વિનાના કોઈ રહે નહિ. આ પ્રથા અનુસાર શ્રી વેલબાઈ મહાસતીજીના ગુરૂણી હતા મહાવૈરાગી સંતોકબાઈ મહાસતીજી તથા શિષ્યરત્ન હતા વિદુષી અદ્વિતીય વ્યાખ્યાની શ્રી માણેકબાઈ મહાસતીજી હતા. મોટા ગુરૂણી શ્રી જીવીબાઈ મહાસતીજી સાથે શ્રી વેલબાઈ મ. આઠ વર્ષ સુધી સાથે રહ્યા હતા. ' આણાએ ધો, આણાએ તેવો વિ.સં. ૧૯૭૪ સુધી ડાહીબાઈ મહાસતીજીના નામનો સંઘાડો ચાલ્યો. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. ત્યારપછી જીવીબાઈ મહાસતીજીના નામનો સંઘાડો ચાલ્યો. શ્રી માણેકબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૪૭, ભાદરવા વદિ-૫ના મુન્દ્રા (કચ્છ) મુકામે દશાશ્રીમાળી જ્ઞાતિમાં પિતા શ્રી કુશલચંદભાઈ દોશી તથા માતાશ્રી જેવતીબહેનની કુક્ષિએ થયો હતો. તેમની દીક્ષા વિ.સં. ૧૯૭૧, મહાસુદિ-૧૧, મંગળવારના માનકૂવા મુકામે પૂ. ડાહીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓની નિશ્રામાં થઈ હતી. તેઓશ્રી ખૂબ જ વિચક્ષણ હોવાથી ટૂંક સમયમાં શાસ્ત્ર-સિદ્ધાંતના જ્ઞાનમાં પારંગત બન્યા હતા. દીક્ષા પહેલાના માણેકબહેન, માણિક્યબાઈ મહાસતીજી થયા પછી કેટલાક વર્ષો બાદ તેમને દેખાવમાં દુષ્ટ નહિ, પણ વેદના ઘણી એવું કંઠમાળનું દર્દ થયું તથા દૃષ્ટિએ દેખાય નહિ. અગાઉ આટલા ડૉક્ટરી સાધનો ન હતા. કર્મોદયે કંઠમાળ ફૂટી અને ભયંકર વેદના થવા લાગી. ખોરાક લેવામાં પણ બહુ જ તકલીફ પડતી. પરંતુ પોતે સુજ્ઞ, સહનશીલ આત્મા હોવાથી સમભાવે વેદના સહતાં. કાળક્રમે ઉપચારોથી દર્દ શાંત થયું પણ એટલો ભાગ નબળો થઈ ગયો. જેથી વિહારમાં પોથી ઉપાડી શકાય નહિ. આ પરિસ્થિતિ જોઈને પૂ. જીવીબાઈ મહાસતીજીએ તેમને કહ્યું, “વેલુ ! તું માણેકબાઈની સાથે રહી સહાયક બનજે.’’ તેમણે નતમસ્તકે ગુરૂણીની આજ્ઞા સ્વીકારી. તે દિવસથી વેલ-માણિક્ય મહાસતીજી સાથે વિચરવા લાગ્યા. ત્યારથી તેમની જોડી વખણાઈ. પરસ્પર સમર્પણ : સામાન્ય રીતે શિષ્યા ગુરૂણીની સેવા કરે પરંતુ અહીં તો ગુરૂણી શિષ્યાની સેવા કરવા લાગ્યા. એકવાર પૂ. વેલબાઈ મહાસતીજીના હાથે વીંછી કરડ્યો. તેની ભયંકર વેદના હોવા છતાં મુખમાંથી ઊંહકારો પણ નહીં, રાતે પરઠવવા ય પોતે ગયા. પૂ. વિચક્ષણ મહાસતીજી શ્રી માણેકબાઈ આર્યજી પણ એમના તરફ એવો પૂજ્યભાવ રાખતા કે પોતાના જ્ઞાનનું અંશમાત્ર મિથ્યાભિમાન નહિ. પૂ. ગુરૂણીનું માન, મોભો, ગૌરવ, પોતાથી વધારે જાળવતા. ક્ષીર-નીરની જેમ ગુરૂણી-શિષ્યાનો સંબંધ સદૈવ ઝળહળતો રાખ્યો. ગોચરી વહોરવાની પ્રેરણાદાયી પદ્ધતિ પૂ. વેલબાઈ મહાસતીજીની ગોચરી વહોરવાની રીત વખણાતી. એમનો વિવેક ખૂબ જ હતો. દરેક લોકોને વારાફરતી લાભ આપે. એક પીઢ બહેન પૂ. ઉજ્જવળકુમારીજી મ. આદિને કહે, તમે બધા ગોચરી વહોરો પણ વેલબાઈ મહાસતીજી જેવી ગોચરી કોઈની નહિ. તેઓશ્રીએ એવું લાભાંતરાય કર્મ તોડેલું કે સામાન્ય ગામમાં ગોચરી પધારે તો ય સરસાઈવાળી ગોચરી લાવે. જ્ઞાનાભ્યાસી, તપસ્વી, નવદીક્ષિતા, વડીલો આદિને નિર્દોષ ગોચરી દ્વારા ખૂબ જ શાતા ઉપજાવતા. ધન્ય છે તેમની વૈયાવચ્ચની ઉત્કૃષ્ટ ભાવનાને ! Page #424 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૧૧ પૂ. મહાસતીજીના પટ્ટધર શિષ્યા પૂ.બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી થયા. તેમની દીક્ષા ભૂજ મુકામે વિ.સં. ૧૯૯૭ની સાલે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી થયેલ. વિસ્તારથી જાણવું હોય તેમણે આ જ પુસ્તકમાં પૂ. રૂક્ષ્મણીબાઈ મ.નું જીવન ચરિત્ર વાંચવું. નીડરતાઃ એકદા પૂ. વેલ-માણિક્ય મહાસતીજી આદિ ઠાણાઓ સ્વાધ્યાય, જાપ આદિ કરીને સૂઈ ગયા હતા ત્યારે મોડી રાતે એક જૈનેતર ભાઈ દિવાલ ટપીને ઉપાશ્રયમાં આવ્યો. મોટા મહાસતીજીને ઉંઘ બહુ ઓછી. તેમણે પગરવ સાંભળી તરત જ પડકાર્યો, “એ કોણ છે ?” ગુનો હંમેશા રાંક હોય છે. આગન્તુક અસામાજિક તત્ત્વ પલાયન થઈ ગયો. પુસ્તુ હિતોપવેછા ! જે હિતનો ઉપદેશ આપે તેને ગુરૂ કહેવાય. પૂ. શ્રી વેલબાઈ મહાસતીજીને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં પણ બેચેની વરતાય. આ વાતથી પૂ. તપોધની બહુશ્રુત ગુરૂદેવ શ્રી શામજી સ્વામીને ભારે રંજ થયો. તેમણે પાકો નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને ચાની ટેવ છોડાવવી. પૂ. માણેકબાઈ મ.ને પણ મોટા મહાસતીજીનું ચાનું વ્યસન ખૂબ ખૂંચતું હતું. પૂ. ગુરૂદેવે ચા છોડવાની આજ્ઞા કરી. મોટા મહાસતીજીને ચા છોડવી અત્યંત અઘરી હતી, પરંતુ “આજ્ઞા વિવારીયા ” અર્થાત્ ગુરૂની આજ્ઞા વિચાર્યા વગર સ્વીકારવી જોઈએ. પૂ. મહાસતીજીને ગુરૂદેવ તરફ ખૂબ જ સમર્પણ ભાવ હોવાથી ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરી. અઠવાડિયા સુધી ખૂબ જ તકલીફ રહી પરંતુ આખરે તેમણે ચાના વ્યસન ઉપર વિજય મેળવ્યો. જિંદગીભર વ્યસનમુક્ત બની રહ્યા. પૂ. ગુરૂદેવનો આ મહાન ઉપકાર પરોક્ષ રીતે સારાય સંધાડા ઉપર ફરી વળ્યો. સમસ્ત સંઘાડો ચાના વ્યસનથી મુક્ત બન્યો ને નિયમ બની રહ્યો કે કોઈ પણ મુમુક્ષુ સંયમી બનવા ઈચ્છે, તે બીજા ત્યાગની સાથે પ્રથમ ચાનો પણ ત્યાગ કરી દે. પૂ. ગુરૂદેવનો કેટલો ઉપકાર ! “સમકિતદાયક ગુરૂતણો, પ્રત્યુપકાર ન થાય; ભવ ક્રોડા ક્રોડે કરી, કરતાં કોટિ ઉપાય.” આશ્ચર્યકારી ઘટના: કચ્છના મોટી રવ ગામે પૂ. મહાસતીજીનું ચાતુર્માસ હતું. પૂ. માણિક્યબાઈ મહાસતીજીના મધુર આલાપ સાથે મીઠા રણકાર ભર્યા વ્યાખ્યાનમાં અઠ્ઠાઈ ધરના પ્રથમ દિનથી જ રોજ સવારે એક સર્પ આવી પહોંચતો! વ્યાખ્યાન સુધી ઝુલ્યા જ કરે, પછી અદશ્ય થઈ જાય. પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પનો મૃતદેહ દેખાયો. પવિત્ર જીવની કેવી ચમત્કારપૂર્ણ મુક્તિ! Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨. પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. કચ્છના મહાસતીજીઓએ પ્રથમવાર રણ ઉતરવાની કરેલી શરૂઆત અગાઉ સાધ્વીજીઓના માટે રણ ઊતરવાનો પ્રતિબંધ હતો. કચ્છના સાધ્વીજીઓ કચ્છમાં તથા સૌરાષ્ટ્રમાં જ વિચરતા હતા. જ્યારે શ્રી માનકુંવરબાઈ મહાસતીજીના શરીરમાંથી હદ બહાર લોહી પડવા લાગ્યું ત્યારે ઓપરેશનની આવશ્યકતા ઊભી થઈ હતી. એટલે પૂ. સાહેબની મંજુરી મેળવી ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. શ્રી વેલબાઈ મ., પૂ. માણેકબાઈ મ., પૂ. શ્રી માનકુંવરબાઈ મ. (ડાબેથી), બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મ., બા.બ્ર. ઉજ્જવળકુમારી મ. ઠાણા-૫ લીંબડી તરફ વિહાર કર્યો. તે સાલ હતી વિ.સં. ૨૦૦૮ વિહારમાં લાકડિયાના સેવાભાવી હરખચંદ ખીમજી ગડા લીંબડી સુધી સાથે રહેલા. લીંબડીમાં તે વખતે પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી સ્થિરવાસ બિરાજતા હતા. પૂ. સામજી સ્વામી પણ ત્યાં પધાર્યા હતા. આવી રીતે મહાસતીજીઓમાં રણ ઉતરવાની શરૂઆત એમણે કરી હતી. બે ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં : સંવત ૨૦૦૮નું ચાતુર્માસ જૂનાગઢ કર્યું. ત્યારબાદ સંવત ૨૦૦૯ની સાલે પૂ. ગુરૂદેવ શ્રી શામજી સ્વામીની નિશ્રામાં મહાવદિ-૫, બુધવારે કચ્છ ગુંદાલાના પાનકુંવર બહેને દીક્ષા લીધી. તેમનું નૂતન નામ પ્રભાવતીબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. જેઓશ્રી અત્યારે વેલ-માણિક્ય પરિવારમાં ત્રીજા ક્રમે છે. 'ભયંકર ઉપસર્ગમાંથી ઉગરી ગયા વિ.સં. ૨૦૦૯નું ચાતુર્માસ ધોરાજી નક્કી થયું. વિહારમાં નાના ગામો આવે. શ્રી પ્રભાવતીબાઈ મ.ને તાવ આવ્યો. મહા મુસીબતે વિહાર કરી વડિયા સુધી તો પહોંચ્યા. પૂ. મહાસતીજીઓ નદી કાંઠે રહેલ ગામના ઉપાશ્રયે ઊતરેલાં, જેઠ મહિનામાં વરસાદ પુષ્કળ વરસ્યો. સાંજના સમયે ઉપરવાડાની નદીમાં પૂર જોશમાં આવ્યું. ઉપાશ્રયની દિવાલ તૂટી પડી. ખબર કાઢવા પરામાંથી મણિબાઈ ટીમ્બડીયા આદિ બે ભાઈઓ પહોંચી આવ્યા. ત્યાં તો ઉપાશ્રયના આંગણામાં પાણી પહોંચ્યું. પથારીમાં રહેલ પ્રભાવતીબાઈ મ. સહિત બધાં ય ઉપર ચઢી ગયા. પાણીનો પ્રવાહ વધતાં પાટ, પાટલા, બાજોઠ આદિ તણાવા લાગ્યા. ઉપાશ્રય અને નદી એક થઈ ગયા. ચારેબાજુ જળબંબાકાર, સૌએ ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લઈ નવકાર મંત્રના જાપ શરૂ કરી દીધા. આવેલ ભાઈઓ મહાસતીજીને હિંમત આપતા ગયા. સર્વે મહાસતીજીના હૈયા હચમચી ગયા. પૂરેપૂરું જોખમ હતું પરંતુ શાસનદેવના પ્રતાપે રાતના પ્રથમ પહોરે જ નદીના પૂર ઓસરવા Page #426 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૧૩ લાગ્યા. પૂ. મહાસતીજીઓએ સાગારી સંથારા પાળ્યા. મરણાંતિક ઉપસર્ગમાંથી મુક્ત થયા. દાને દાને પર લિખા હૈ, ખાનેવાલે કા નામ પૂ. મહાસતીજીનું સં. ૨૦૦૯નું ચાતુર્માસ ધોરાજી નક્કી થયેલ પરંતુ શ્રી પ્રભાવતીબાઈ મ.ને ટાઈફોઈડ તાવ થયો. તેમની બિમારીના કારણે ચાતુર્માસ વડિયા જ રહેવું પડ્યું. વડિયા ગોંડલ સંપ્રદાયનું ક્ષેત્ર, પરંતુ ત્યાંનો વિવેકી સંઘ અને વિવેકી મહાસતીજીઓ તેથી સોનામાં સુગંધ ભળી. પૂ. શ્રી માણેકબાઈ મ.ના વૈરાગ્યસભર વ્યાખ્યાનો તથા સંયમી વર્તણૂકથી શ્રી સંઘમાં અનેરો આનંદ મંગળ વર્તાઈ ગયો. ત્યાંના શ્રી પ્રેમચંદભાઈ તો પૂ. માણેકબાઈ મ.ને કહેતા કે તમે તો મોટા મહદ્ધિક દેવ થશો. વડિયામાં શ્રી માણેકચંદ્રજી છાત્રાલયમાં વર્ષોથી પંડિત રોશનલાલજી જેવા સમર્થ વિદ્વાનને રોકેલા હતા જેમનો લાભ ચાતુર્માસમાં મહાસતીજીને સારો મળ્યો હતો. “મિયા ધ ગારિહિં પરૂપ ” તીર્થકરોએ સમતામાં ધર્મ બતાવ્યો છે. તે વખતે કચ્છ બાજુ વિચરતા બા.બ્ર. તપસ્વિની સેજકુંવરબાઈ મહાસતીજી તથા વિદુષી દેવકુંવરબાઈ મહાસતીજી કાળધર્મ પામતા શ્રી વેલ-માણિક્ય મહાસતીજીએ કચ્છમાં પધારવાનું નક્કી કર્યું. સંઘનો ખુબ જ આગ્રહ હોવા છતાં નાના મહાસતીજીઓને ધ્યાનમાં રાખી કચ્છ-વાગડ તરફ વિહાર કર્યો. સં. ૨૦૧૦ની સાલે વેણાસર પધાર્યા. ત્યાં આઠ કોટિ મોટી પક્ષના પંડિતરત્ન પૂ. છોટાલાલજી સ્વામી આદિ મુનિવરો મળતા ખ્યાલ આવ્યો કે વેણાસરના રણમાં પાણી આવી ગયું છે તો હવે શું કરવું ? કેમકે કચ્છમાં જવું જરૂરી હતું. પૂ. છોટાલાલજી સ્વામીએ કહ્યું, આપણે ટીકરથી રણ ઉતરીએ. એ રણ બાર ગાઉ (૩૮ કિ.મી.)નું છે. વચ્ચે કેશમાલ બેટમાં રાત રહેવું પડે. ત્યાં સુધી ટીકરના ભાવિકો આવેલા. તંબુમાં રાત પસાર કરી. સવારે પૂ. મુનિવરો આગળ વિહાર કરી ગયા પછી મહાસતીજીઓએ ભોમિયા સાથે વિહાર કર્યો પણ રસ્તામાં ભૂલા પડ્યા. પાણીની ખૂબ તરસ લાગી. પૂ. શ્રી છોટાલાલજી સ્વામી પાસે અભ્યાસ કરતા બે દીક્ષાર્થી ભાઈઓ હતા. એક ભાઈ મહારાજ સાહેબ સાથે તથા બીજા મહાસતીજી સાથે રહ્યા. તેમની પાસેથી સૂજતું પાણી વહોરી બધાએ વાપર્યું પણ પૂ. માણેકબાઈ મહાસતીજીએ ન વાપર્યું. મહામુસીબતે બપોરે અઢી વાગે કાનમેર પધાર્યા. પાણીનો અને ચાલવાનો પરીષહ પૂ. મહાસતીજીઓએ સમભાવે સહન કર્યો. આર્ય પુરૂષોએ સમતામાં ધર્મ કહ્યો છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. શાસ્ત્રનિષ્ઠ સંયમજીવન : રણના પરિશ્રમ અને પાણીના પરીષહે પૂ. માણેકબાઈ મ.ની તબિયત નાદુરસ્ત રહેવા લાગી. દેશી ઉપચારો કર્યા પણ ખાસ ફાયદો થયો નહિ. શાસ્ત્રાજ્ઞા મુજબ રહેવાવાળા પૂ. મહાસતીજીને એલોપથી દવા તરફ નફરત હતી. - પૂ. વેલબાઈ મ., પૂ. માણેકબાઈ મ.ની તબિયતના કારણે બાર વર્ષ વાગડમાં જ વિચર્યા. એક ગાઉનો વિહાર પણ માંડ કરી શકતા એવા પૂ. મહાસતીજી ચાલી શક્યા ત્યાં સુધી પગપાળા વિહાર કર્યો પણ અત્યંત અશક્ત થઈ જવાના કારણે ડોળીનો સહારો લીધો. સં. ૨૦૨૩ એક વર્ષ રાપર તથા સં. ૨૦૨૪ એક વર્ષ લાકડિયા રહ્યા. રાપરમાં સ્થિરવાસ અને રાજગૃહીની ઉપમા | વિ.સં. ૨૦૨૫થી પૂ. વેલબાઈ મહાસતીજી તથા પૂ. માણેકબાઈ મ. રાપરમાં સ્થિરવાસ રહ્યા. અગાઉ રાપરની વાંઢી બજાર તરીકે ઓળખાતી બજાર યોગાનુયોગ પુણ્યશાળી પૂ. મહાસતીજીઓના પુનિતપગલે ધંધાથી ધમધમતી થઈ ગઈ. સંઘ પણ સમૃદ્ધ થઈ ગયો. બન્ને ગુરૂણીશ્રીઓની સેવામાં વિદુષી બા.બ્ર. ઉજજવળકુમારીજી મ., મુક્તાબાઈ મ., અરૂણાબાઈ મ., દર્શિતાબાઈ મ., હર્ષિતાબાઈ મ. આદિ ઠાણાઓ વધારે પ્રમાણમાં રાપરમાં રહેલા. સંઘાડાના બધા ઠાણાઓ એક વાર તો દર વર્ષે ગુરૂણીઓના દર્શને પધારતા તથા ધન્યતા અનુભવતા. “૩ારવરિતાનાં તુ વસુધૈવ કુટુમ્ ” ઉદાર દષ્ટિવાળાઓ માટે પૃથ્વી કુટુંબ સમાન હોય છે. આ સુભાષિત અનુસાર પૂ. વેલ-માણિક્ય મહાસતીજી, પોત પોતાના ગુરૂણીઓના કાળધર્મના કારણે એકલા પડી ગયેલા. નીચેના મહાસતીજીઓને પોતાના શિષ્યાઓને વારાફરતી એમની સેવામાં રાખી શાતા ઉપજાવી સાચવી લીધા હતા. પૂ. મૂળીબાઈ મ.ના શિષ્યા વિદુષી મોટા રતનબાઈ મ., પૂ.ગંગાબાઈ મ.ના શિષ્યા શાંત સ્વભાવી શ્રી દીવાળીબાઈ મ., પૂ.નાના કુંવરબાઈ મ.ના શિષ્યા સરળ સ્વભાવી શ્રી મેઘબાઈ મ. તથા સમયજ્ઞ શ્રી દેવકુંવરબાઈ મ., આ ચારેને ખૂબ સાચવ્યા હતા. શાલિનો ઝાડ ને શાલિનો પરિવાર જેવા ગુરૂણી તેવા જ શિષ્યાઓ, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પોતાના શિષ્યાઓને પ્રથમ ગુંદાલા સિદ્ધાંતશાળામાં, પછી ઘાટકોપર શ્રમણી Page #428 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૧૫ વિદ્યાપીઠમાં ને ત્યારબાદ ભચાઉ શ્રમણી વિદ્યાપીઠમાં વર્ષો સુધી ભણાવવાની અનુકૂળતા કરીને ખૂબ જ ઉપકારો કર્યા છે. આ બધું વિસ્તારથી વાંચવું હોય તો “વાત્સલ્યની વહતી ધારા” પુસ્તક અવશ્ય વાંચવું. અજરામર ધર્મસંઘમાં પ્રથમવાર સદેહે શતાબ્દિઃ અજરામર સંપ્રદાયમાં અત્યાર સુધી ૧૦૧ વર્ષની ઉંમર ભોગવનાર એક માત્ર તીર્થસ્વરૂપા વેલબાઈ મહાસતીજી હતા. એમને ૧૦૦ વર્ષ થયા ત્યારે ૧OO શિષ્યાઓ થયા તથા એક સાથે શતાબ્દી પ્રસંગે આઠ બહેનોની દીક્ષા થતાં ૧૦૮ની માળા પૂરી કરનાર પુણ્યાત્મા સદેહે સૈકો પૂરો કર્યો ત્યારે ૨૧ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ. રાપર સંઘે ત્રણ દિવસ બજારો બંધ રાખીને અત્યંત ભવ્યતાથી આ પ્રસંગે ઉજવ્યો હતો. પૂ. તપસ્વી રામચંદ્રજી સ્વામી આદિ મુનિવરો ઠાણા૧૮ તથા ૧૫૦ જેટલા સાધ્વીજીઓ ઉપસ્થિત હતા. પૂ. મહાસતીજી ૨૧ વર્ષ રાપરમાં સ્થિરવાસ રહ્યા ત્યારે રાપરની ખૂબ જ સારી જાહોજલાલી હતી. જૈનશાળા, કુમારી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ આદિનો ખૂબ જ વિકાસ કર્યો હતો. રાપરને રાજગૃહીની ઉપમા મહાસતીજીના કારણે જ મળતી. રાપર તીર્થભૂમિ બની ગયેલ. (જેમના કાજે સ્થિરવાસ, તેઓશ્રીએ કર્યો સ્વર્ગમાં નિવાસ ખૂબ જ લાંબી બિમારી અને અત્યંત વેદનાગ્રસ્ત છતાં કર્મના સિદ્ધાંતમાં પ્રબળ શ્રદ્ધા ધરાવતા, આત્મભાવમાં મસ્ત પૂ. માણિક્યબાઈ મ. ઔષધ-ઉપચારો પ્રત્યે નારાજ હતા. અંતિમ પળો સુધી ગજબની સમતા, અણમોલ આરાધના સાથે ઉચ્ચતમ ભાવનામાં પ્રસન્નતાપૂર્વક સમાધિપણે સંવત ૨૦૩૯, જેઠ સુદિ-૪, મંગળવારે બપોરે ૧-૪૫ વાગે સંયમ જીવનના આજીવન સાથી ગુરૂણીશ્રી વેલબાઈ મ. તરફ ડાબો હાથ લંબાવી સ્વર્ગવાસ પામ્યા. “તે ગામને પણ ધન્ય છે, તે પ્રાંતને પણ ધન્ય છે; તુજ પાદથી સ્પર્શાઈ એવી, ધૂલિને પણ ધન્ય છે.” પૂ. ગુરૂણી-શિષ્યાની યુગલ જોડી કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં વ્યાખ્યાન-વર્તન, શાસ્ત્રનિષ્ઠા, મૈત્રીભાવ આદિ સદ્ગણોના કારણે જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરતા. સૂય-ચંદ્ર જેવી જોડી દ્વારા અનેક ભવ્યજીવો પર ઉપકાર કરેલા છે. “લઘુતાસે પ્રભુતા મિલે, પ્રભુતાસે પ્રભુ દૂર; કીડી મિસરી બાત હૈ, હસ્તી ફાકત ધૂર.” Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યાજી પૂ. માણેકબાઈ મહાસતીજીની સંયમનિષ્ઠા નીચેની ચાર વાતો ઉપરથી સારી રીતે જાણવા મળે છે. (૧) હું બેશુદ્ધિમાં હોઉં તો પણ ઈંજેક્શન આપશો નહિ. (૨) મારો ફોટો લેવડાવશો નહિ. (૩) મારા નિમિત્તે આયંબિલ કરાવશો નહિ. (૪) મારા ઘણા અવગુણો ભર્યા છે તો મારા નામે પુસ્તક છપાવશો નહિ. કોહીનૂર હીરા જેવા શ્રેષ્ઠ શિષ્યા માણેકબાઈ મ.નો વિયોગ પૂ. વેલબાઈ મહાસતીજી કેમ સહન કરી શકે એ વિચારે સૌ ચિંતિત હતા, પરંતુ સદયી શિષ્યાઓ, રાપર સંઘ અને લાગણીશીલ વ્યક્તિઓ તરફથી આશ્વાસન મળી જતાં મોટા મહાસતીજી આશ્વસ્ત થયાં. તે વખતે ગુંદાલા સંઘનો ગુંદાલામાં સ્થિરવાસ કરાવવાનો અતિ આગ્રહ હતો પરંતુ રાપર સંઘે રજા ન આપી. ગુંદાલા જન્મભૂમિ તથા કર્મભૂમિ હતી તો રાપર સ્થિરવાસ ભૂમિ હતી. ગુરૂણીશ્રી સાથે દીક્ષાર્થી અવસ્થામાં રાપર ખૂબજ રહેલા ત્યારથી રાપર સંઘના ભક્તિભાવ પ્રશંસનીય હતા. વિ.સં. ૨૦૪૫, આસો સુદ-૧૦, વિજયાદશમીના પવિત્ર દિવસે પૂ. વેલબાઈ મ. રાપરમાં સમાધિભાવે કાળધર્મ પામ્યા. 'આજીવન અનશનવ્રતધારી મહાસતીજી 'શ્રી ભાણબાઈ આર્યાજી શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરસે તો વાગ ભલો, કચ્છડો બારે માસ. અર્થાત્ શિયાળામાં સોરઠનું વાતાવરણ સારું હોય છે. ઉનાળામાં (દક્ષિણ) ગુજરાતનું વાતાવરણ સુંદર હોય છે. વરસાદ સારો થાય તો વાગડનું વાતાવરણ વખણાય છે. જ્યારે કચ્છ તો બારેમાસ નંદનવન જેવું ગણાય છે. કચ્છનું વાતાવરણ સદૈવ સારું હોય છે. એવા કચ્છ પ્રદેશમાં મુન્દ્રા બંદરેથી ઉત્તર દિશામાં આઠ કિ.મી. દૂર ભોરારાની બાજુમાં માત્ર ૧પ કિ.મી. ના અંતરે ટોડા ગામ છે. ત્યાં પિતા શ્રી રવજીભાઈ તથા માતા વેલબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૫૧ ની સાલે મહાવદિ-૫ ના દિવસે એક સુપુત્રીનો જન્મ થયો. તેનું નામ ભાણબાઈ રાખવામાં આવ્યું. તેઓ શ્રી વિશા ઓસવાળ જ્ઞાતિના હતા. તેમણે શાળામાં ગુજરાતી માધ્યમથી બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તે સમયમાં કન્યાઓને ભણાવવામાં નહોતી આવતી, છતાં ભાણબાઈના માતા-પિતા શિક્ષણપ્રેમી હતા, જેથી પોતાની સુપુત્રીને બે ચોપડી ભણાવી શિક્ષિત કર્યા. Page #430 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા આ સંબંધનો કોઈ ભરોસો નથી. કુ. ભાણબાઈ ૧૩ વર્ષના થયાં ત્યારે તેમનાં લગ્ન મુન્દ્રા પાસેના બારોઈ ગામના શ્રી દેવશીભાઈ સાથે થયા હતા. માત્ર દોઢ જ વર્ષમાં સંસારે પોતાનું સ્વરૂપ બતાવ્યું. આયુષ્યની ક્ષણભંગુરતા પ્રગટ થઈ. શ્રી દેવશીભાઈ કર્મજન્ય વ્યાધિનો ભોગ બન્યા અને દોઢ વર્ષનું દાંપત્ય જીવન ભોગવી સ્વર્ગવાસ પામ્યા. ૧૫ વર્ષની નાની વયમાં ભાણબાઈને વૈધવ્ય મળતાં તેમના આઘાતનો કોઈ પાર ન રહ્યો. પરંતુ બાલપણના ધર્મના સંસ્કારો જાગૃત થયા. સૌરાષ્ટ્રના ભક્ત કવિ નરસિંહ મહેતા જ્યારે વિધુર થયા ત્યારે તેમના મોઢામાંથી ઉદ્ગારો સરી પડ્યા. “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ” આવી રીતે ભાણબાઈ પણ પ્રતિબોધ પામ્યા અને દરરોજ સામાયિક-પ્રતિક્રમણની આરાધના કરવા લાગ્યા. પર્વ તિથિઓમાં પૌષધની આરાધના આદિ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગ્યા. ૪૧૭ તે વખતે કચ્છમાં વિચરતા વિદુષી વેલબાઈ મહાસતીજી તથા નાથીબાઈ મહાસતીજીના આજ્ઞાનુવર્તિની બા.બ્ર. વિદુષી પાંચીબાઈ આર્યજી પાસે તેમણે ધાર્મિક જ્ઞાનાભ્યાસ કરી માતા-પિતા તથા શ્વસુર પક્ષની સંમતિ લઈ સંવત ૧૯૬૯ ના ચૈત્ર સુદિ-૧૧ ને રવિવારે પોતાની જન્મ ભૂમિ ટોડામાં મહાસતીજી શ્રી પાંચીબાઈ આર્યાજી પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે નાની-મોટી અનેક તપસ્યાઓ કરી ગુરૂણીની સેવામાં સદૈવ તત્પર રહેતા હતા. “આણાએ ધમ્મો, ને આણાએ તવો” આ બંને એમના જીવન મંત્રો હતા. મે વેમિ ગળશારે ગુજ્જુૐ । સંતો સરળ હોય છે. મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યજી, આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે ફ૨માવ્યું છે તેવા સરળ હતા. તેઓ સીધા અને સાદા પણ એટલા જ હતા અનુભવીઓએ સાચું જ કહ્યું છે, “જેનું જીવન સાદું તેનું નામ સાધુ”. આવા સીધા, સાદા અને સરળ આત્માઓને પણ પૂર્વકૃત કર્મો તો અવશ્ય ભોગવવા જ પડે છે. સંયમ લીધા પછી અમુક વર્ષો બાદ તેમને અશાતાવેદનીય કર્મનો ઉદય વર્તાવા લાગ્યો પરંતુ તેઓશ્રી સમતાશીલ હતા. તેથી સમભાવે બધું સહન કરતા હતાં. કોઈવાર રોગ શમી જતો તો કયારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો. વિ. સં. ૨૦૨૩ ના વૈશાખ મહિનામાં સુરેન્દ્રનગરમાં પૂ. મહાસતીજીને જણાયું કે હવે મારું શરીર લાંબુ ટકે તેવું લાગતું નથી તેથી તેઓ સ્વાધ્યાય અને ધ્યાનમાં વિશેષ રત રહેવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ શરીર ક્ષીણ બનતું ગયું. પરંતુ શરીરની ક્ષીણતાની સાથે અંતર વિશુદ્ધિ વૃદ્ધિ પામતી ગઈ. Page #431 -------------------------------------------------------------------------- ________________ મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી મહાસતીજીના સમતાભાવથી તથા સરળતાથી સહુ કોઈ આશ્ચર્યમાં પડી જતા. સાથે રહેલા પૂ. મોટા મહાસતીજી આદિ સાધ્વી મંડળ તથા શ્રી સંઘે તેમની વૈયાવચ્ચ કરવામાં જરાય કચાશ રાખી નહોતી. ૪૧૮ તબિયત કાંઈક સારી થતા તેઓ સર્વે ઠાણા વિહાર કરીને અમદાવાદ નગરશેઠના વંડામાં શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ચાતુર્માસ પધાર્યા. પૂ. ભાણબાઈ મહાસતીજીએ શ્રાવણ વદિ-અમાસને રવિવારથી ફક્ત પાણી સિવાય બધાય આહારનો ત્યાગ કર્યો. તેમણે પૂ. ગુરૂણી શ્રી રતનબાઈ મહાસતીજી આદિ ઠાણાઓને બોલાવી કહ્યું, હવે મારે સંથારો કરવો છે. સાધુના ત્રીજા મનોરથને સાકાર સ્વરૂપ આપવું છે. ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર મહાસતીજીએ ૫૪ વર્ષનો સંયમ પાળી છેલ્લે આજીવન અનશનની આરાધના કરી. ૨૫ દિવસ સુધી ચાલેલા આ સંથારા દરમિયાન પૂ. ભાણબાઈ મહાસતીજીએ એક રૂમમાં એક પાટનો જ ઉપયોગ કર્યો હતો. તેમને સંથારાના પચ્ચક્ખાણ સદાનંદી શ્રી છોટાલાલજી સ્વામી તથા માડી મહારાજ પૂ. લક્ષ્મીચંદ્રજી સ્વામી, સુશિષ્ય પૂ. માધવસિંહજી સ્વામીએ કરાવ્યા હતા. પૂ. મહાસતીજીએ આવા દુષમ કાળમાં જૈન ધર્મની એક સર્વોચ્ચ સાધનાને મૂર્તિમંત બનાવી જગતને દેખાડી આપ્યું કે આજના સમયમાં પણ આવી સાધના શકય છે. પૂ. મહાસતીજી સંપૂર્ણ સમાધિ ભાવે તા. ૨૮-૯-૧૯૬૭ ના સવારે ૭.૩૦ વાગે નગરશેઠના વંડાના ઉપાશ્રયમાં અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા હતા. * * પ્રભાવશાળી મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી “મારી સોરઠની ધરતીના લીલૂડા નીર : શિયાળે સોરઠ ભલો...’ આવી ઉક્તિઓ જે પ્રાંત માટે પ્રચલિત છે તેવી સોરઠની પવિત્ર ધરતી ઉપર બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાન થયા તથા અનેક જીવોને તાર્યા. પ્રભુની નિર્વાણ ભૂમિ પણ સોરઠ-ગિરનાર ગિરિ છે. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણની કર્મભૂમિ પણ સોરઠ પ્રાંત... નરસિંહ મહેતા જેવા ભક્ત કવિ જે ભૂમિમાં થયા. અનેક સંતો - મહંતો ને અરિહંતો જે ભૂમિમાં થયા તે પુણ્ય ભૂમિમાં સરસઈ ગામ હતું. ત્યાં Page #432 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૧૯ પોપટાણી કુટુંબ હતું. “કુટુંબના કલ્યાણ સમાન કલ્યાણજીભાઈ તથા હેતાળ હેમકુંવર બહેનનો સુખી સંસાર, સપ્તર્ષિ સમા ત્રણ પુત્રને ચાર પુત્રીનો પરિવાર, જાણે કે સુખના સર્વ સ્વપ્રા સાકાર” એમાં પણ એક પુત્રીના પગલે તો માનો કે પોપટાણી કુળમાં એક અનોખી પ્રભા પ્રસરી ગઈ અને તેથી જ એનું ગુણયુક્ત સાર્થક નામ “પ્રભા” પાડયું. ' અસાર આ સંસાર છે, જ્યાં દુઃખો અપરંપાર છે. અનંત તીર્થકર ભગવંતોએ આ સંસારને અસાર કહ્યો છે. જેમાં દુઃખ સિવાય કાંઈ નથી. આ સંસાર નિમિત્તોનો ભંડાર છે. પરંતુ જ્યાં સુધી ઉપાદાન તૈયાર ન થાય ત્યાં સુધી નિમિત્ત ઉપકારી બનતું નથી. નાનકડી પ્રભા ખૂબ જ સમજદાર હતી. માતા-પિતાને તે ખૂબ જ વહાલી હતી. ઘરના સર્વે સભ્યોની તે લાડકી હતી. વડીલોની હૂંફમાં હસતી-રમતી, શિર છત્રની છાયામાં કિલ્લોલ કરતી એ નિર્દોષ બાળાનો આનંદ ક્રૂર કાળને અકારો લાગ્યો જેથી એક ઝાપટ મારીને માતાની ગોદને ઝૂંટવી લીધી. માત્ર ૧૦ વર્ષની બાળવયમાં માતાનો અસહ્ય વિયોગ થયો. જેથી જીવન અસાર લાગ્યું. નાનકડી કન્યા ઉપર ભાઈ-બહેનો તથા પિતાને સાચવવાની જવાબદારી આવી ગઈ. નાની ઉંમરમાં પીઢ બની બાળકોને હૂંફ આપી. પરંતુ જમાનો ક્યાં જંપવા દે? યોગ્ય ઉંમરે કન્યાને જો પરણાવવામાં ન આવે તો સંસાર સુખે રહેવા ન દે. પ્રજાને પરણાવવાની પિતાની ઈચ્છા પૂર્ણ થઈ. મજેવડી ગામમાં ઘેલાભાઈ સાથે એમના લગ્ન થયા. “બાબુલ કી દુઆએ લેતી જા, જહાં તુઝકો સુખી સંસાર મીલે..” આમ પિતાશ્રીના આશીર્વાદ લઈ ૧૫ વર્ષની પ્રભા રડતાં હૃદયે વિદાય લઈ પતિગૃહે આવી ત્યારે કલ્પના પણ ન હતી કે પિતાજી પાસેથી છેલ્લી વિદાય લઈ રહી છું. લગ્ન પછી થોડા જ સમય બાદ આઘાત જનક સમાચાર મળ્યા કે પૂ. પિતાશ્રી કલ્યાણજીભાઈ અવસાન પામ્યા. હૈયું હચમચી ગયું. પરણ્યા પછી પિતાજીનું મુખ પણ જોવા ન મળ્યું. હજી પિતાના આંસુ સુકાયા ન હતા ત્યાં પ્રભાબહેનના બંને દિયરો ૧૦ દિવસની માંદગી ભોગવીને મૃત્યુ પામ્યા. માતાપિતાની હયાતિમાં બે યુવાન પુત્રો ચાલ્યા જાય, તેમની પરિસ્થિતિની તો કલ્પના જ કરવાની રહી. સંયોગોનો સ્વીકાર કર્યો જ છૂટકો. આટલા આઘાત જાણે ઓછા હતા તેમ પ્રભાબહેનના સૌભાગ્યના સિંદૂરને ભૂંસી નાખવાનું અંતિમ શસ્ત્ર ક્રૂરતાના અટ્ટહાસ્ય સાથે ફેંક્યું. જેના પ્રહારથી ભલાભોળા ઘેલાભાઈના જીવ અને કાયા જુદા થઈ ગયા. પરણ્યાને પૂરું વર્ષ પણ થયું ન હતું. એવી ૧૬ વર્ષની કુમળી કળી ઉપર કુદરતે વૈધવ્યની છાપ મારી કાળરાજાએ ક્રૂર અટ્ટહાસ્ય કર્યું. વિરહની વેદનામાં બે બંધુઓની પાછળ ૧૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨) મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી દિવસમાં જ ઘેલાભાઈ પોતે પણ સંસારને સલામ ભરી સ્વર્ગે સિધાવ્યા. આમ દશે દિશાએથી દુ:ખના દર્શન થયા. 'સંસારની અસારતા જાણી સંયમ પંથે પ્રયાણ પતિદેવના મહાપ્રયાણ પછી પ્રભાબહેનના તન-મન ભગ્ન બન્યા પરંતુ જૈનત્વના સંસ્કાર જાગૃત થયા. વૈરાગ્યના અંકુરો અંતરભૂમિમાં ઉગેલા હતા તેને નવપલ્લવિત કરવાનું કામ આ નિમિત્ત કરી ગયું. વૈરાગ્ય ભાવના પ્રબળ બની. ઉપાદાન ઉપાસના કરવા તૈયાર બની ગયું ને દેવી સમાન પૂ. દેવકુંવરબાઈ મહાસતીજી તથા મોક્ષમાળાના મોતી જેવા પૂ. મોતીબાઈ આર્યાજીના સત્સંગથી સંસાર ત્યાગવાનો નિર્ણય કર્યો. ૧૭ મા વર્ષે ગુરુચરણમાં જીવન સમર્પિત કર્યું. એ મંગલ દિવસ હતો. વિ.સં. ૧૯૮૨ વૈશાખ સુદ-૩ (અક્ષય તૃતીયા). ત્રિરત્નની સાધના કરવા તેમણે પૂકરશનજી સ્વામી પરમોપકરની કવિના પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામીના કૃપાપાત્ર બન્યા. શ્રી મુખેથી સંયમ સ્વીકાર્યો તથા “સાયટ્ટાર ને સમજ્વા” સ્વાધ્યાય - ધ્યાનમાં રત રહે તે સાધુ. શાસ્ત્રના આ વચન તેમણે અક્ષરશ: પોતાના જીવનમાં ઉતાર્યા. દીક્ષા લીધા પછી પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ જૈન શાસ્ત્રોનું જ્ઞાન સારી રીતે મેળવ્યું તથા તેના ફળ સ્વરૂપે એમનું સંયમી જીવન, અલ્પ પરિગ્રહ અને અલ્પ કષાયના બે મહાન સગુણોથી શોભતું હતું. તેઓશ્રી અપ્રમત્ત દશામાં જીવતા. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર તેમને અત્યંત શ્રદ્ધા હતી. શાસ્ત્રના સાર રૂપે તેમણે મારા-તારાના ભેદ ભૂંસી નાખ્યા હતા. “વેયાવ નિયુત્તેT, યā ત્રિામો” અગ્લાનભાવે વૈયાવચ્ચ કરવી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬માં અધ્યયનની આ ગાથાના ભાવ પૂ. શ્રી પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. પૂ. મોતીબાઈ મહાસતીજીની લકવાની બીમારીમાં તેમણે જે સેવા કરી તેનાથી બધા પરિચિત છે. આવી સેવા કરનારા બહુ વિરલ હોય છે. પૂ. મોતીબાઈ મહાસતીજી સં. ૨૦૨૭ કારતક વદિ-૧૧ ના કાળધર્મ પામ્યા. પૂ. મોતીબાઈ મહાસતીજી ગયા. પરંતુ એમની ચિરસ્મૃતિ પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીના હૃદયમાં મૂકતા ગયા. એમને કયાંય ચેન પડતું નહિ. ઘણી વાર યાદ કરીને રડે. માનસિક વ્યથાથી શરીરની તંદુરસ્તી બગડી. Page #434 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા લઘુડો પરિવાર કરે સારી સારવાર પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીના છ શિષ્યાઓ હતા (૧) મહાસતીજી શ્રી મોટા ચંદનબાઈ આર્યજી (૨) સરલાબાઈ મ. (૩) મધ્ય હંસાબાઈ મ. (૪) ઈન્દુબાઈ મ. (૫) હસુમતીબાઈ મ. (૬) મોટા તરુબાઈ મ. ૪૨૧ ઘણા વર્ષો ઝાલાવાડમાં વિચર્યા પછી કાઠિયાવાડમાં પધારવાની ભાવના હતી. પરંતુ સુરેન્દ્રનગરથી લીંબડી તરફ પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી ચુનીલાલજી સ્વામી આદિ ભગવંતોના દર્શન કરીને કાઠિયાવાડ તરફ જવાના લક્ષ્યથી વિહાર કર્યો. ૨૫ વર્ષ સુધી વઢવાણ જવાનું લીંબડી સંપ્રદાયે બંધ રાખેલું. તે બંધ દ્વારો પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામીની આજ્ઞાથી પૂ. મહાસતીજીએ ખોલ્યા. લીંબડી પૂ. ગુરૂ ભગવંતોના દર્શન કર્યા પરંતુ સ્વાસ્થ્ય ઉત્તરોત્તર બગડવા લાગ્યું. દીક્ષાગુરૂ પૂ. કરશનજી સ્વામીએ કહેલું કે તમારા ગુરૂણી સાથે તમે ૨૨ વર્ષ રહેશો ને તમારું આયુષ્ય ૬૨ વર્ષનું છે. પ્રથમ વાત સાચી સાબિત થઈ હતી તથા અત્યારે ૬૨ મું વર્ષ ચાલી રહ્યું હતું તેથી સજાગ બની ગયા હતા. તબિયત ગંભીર થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. અસહ્ય વેદનાને તેઓશ્રી મૌનભાવે સહન કરતા હતા. ડોકટર સાહેબ મહાસતીજીના દર્દને ગંભીર ગણીને કહેતાં કે આ મહાસતીજીના રૂંવાડે રૂંવાડે રોગની વેદના છે છતાં સમતાભાવ કેટલો છે ! અનુભવીઓના વચન સાચાં પાડયા છે. “સમતાથી દર્દ સહું, પ્રભુ એવું બળ દેજે’’ ડોકટર કહે, આ ઠેકાણે બીજા કોઈ દર્દી હોય તો આખી હોસ્પીટલ માથે લે. બૂમાબૂમ કરી મૂકે. પૂ. મહાસતીજીને જ્યારે પૂછવામાં આવતું કે કેમ છે ? ત્યારે તેઓશ્રી એટલું જ બોલતા કે અત્યારે હું વેદનીય સમુદ્ધાતનો અનુભવ કરી રહી છું. “ઉદય ગમે તે આવે આત્મન, એનાથી તું છે ભિન્ન ભગવ’ ઉદય ઉદયનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. રાત્રે ઉંઘ ન આવે ત્યારે પદ્માસન લગાવી ધ્યાનમાં સ્થિર બની જતા તથા આત્મસાધનામાં લીન થઈ જતાં. વિ.સં. ૨૦૨૭ વૈશાખ સુદી-૧૧ નો દિવસ આવ્યો ત્યારે આચાર્ય ભગવંત દર્શન દેવા પધાર્યા. પૂ. ગુરૂ ભગવંત હંમેશા આવતા તથા ભજન, સ્તોત્ર આદિ શિષ્યાઓને બોલાવી માથે મમતાભર્યો હાથ ફેરવ્યો. સાંજે પણ બધાને બોલાવ્યા તથા કૃપા સહિત કોમળ કર માથે મૂકયો તથા અંતિમ શિખામણ આપી કે પરિગ્રહ ભેગો કરશો નહિ, કષાય કરશો નહિ, સંસારીના સંગથી સદા દૂર રહેજો. આવા મહામૂલા ત્રિરત્નની મૂડી ભેટ આપી ત્યાં કાળનો હુમલો આવ્યો. પૂ. મહાસતીજી Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી સમાધિ ભાવે સં. ૨૦૨૭, વૈશાખ સુદ-૧૧ ના સાંજે કાળધર્મ પામ્યા. અજરામર સંઘના સાધ્વી સમુદાયમાં એક ચમકતો સિતારો અસ્ત થયો. શિષ્યાઓએ સર્વસ્વ ગુમાવ્યું. ૪૫ વર્ષ સુધી સંયમની સરિતા એક સરખી વહેતી રહી તેમાંથી જેણે જેણે જલપાન કર્યું તેણે તૃપ્તિ અનુભવી. આથી સરિતા સદાને માટે સુકાઈ ગઈ. ૧૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ૪૫ વર્ષ સુધી પાળી. કુલ્લ - ૬૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. સમતાદર્શી મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી પૂર્વ કચ્છ વિસ્તારના ભચાઉ તાલુકાના ખારોઈ ગામ નાનું હોવા છતાં પ્રગતિશીલ છે. વાગડ વિસ્તારમાંથી વિશા ઓસવાળ જૈનો સૌથી પહેલા મુંબઈ જનારામાંથી ખારોઈ ગામ મોખરે છે. મોટા ભાગે પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીમાં શ્રદ્ધા ધરાવનાર વસ્તી વધારે પ્રમાણમાં છે. રવજી લાલજી છાડવા ખોરાઈના હતા. તેમણે પોતાના નામની જૈન બોર્ડીંગ પ્રથમ ખારોઈમાં શરૂ કરેલી પણ પાછળથી ભચાઉમાં સ્થળાંતર થયું. પુનઈબેન કરશન લધુનીસર કન્યા છાત્રાલય લાકડિયામાં છે. તેના મુખ્યદાતા કરશન લધુનીસર પણ ખોરાઈના હતા. તેમના નામનું સુપ્રસિદ્ધ ધર્મસ્થાનક દાદરમાં છે તેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ ગામમાંથી ઘણા સાધુ-સાધ્વીજી થયા છે. - સમતાદર્શી મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજીનો જન્મ વિ.સં. ૧૯૩૬ની સાલે વિશા ઓસવાળ જૈન જ્ઞાતિમાં પિતાશ્રી કરમણભાઈ સાવલાને ત્યાં માતુશ્રી સોનાબહેનની કુક્ષિએ થયો હતો. માતા-પિતાના ધર્મના સંસ્કારો આ સુપુત્રીમાં પણ ઉતર્યા હતા. વિ.સં. ૧૯૭૮ની સાલે ખારોઈ ગામમાં જ તેમના લગ્ન થયા હતા.તેમના પતિદેવનું નામ કારાભાઈ સુરાભાઈ છાડવા હતું. ગૃહસ્થજીવન સુખ-શાંતિમય હતું પરંતુ કુદરતને તે સુખ મંજૂર ન હતું. તેથી લગ્ન પછી ટૂંક સમયમાં તેમના પતિદેવ શ્રી કારાભાઈ છાડવાનું નાની ઉંમરમાં અવસાન થયું તેથી જવેરબહેનને વૈધવ્યનું દુઃખ આવ્યું. તે સમયમાં પુનર્લગ્નની કોઈ કલ્પના પણ કરી શકતું નહિ. વિધવા બહેનો સંયમના પંથે વળી જતી યા ધર્મમય જીવન વિતાવતી હતી. Page #436 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૨૩ વાગડના સિંહણ મોટા કુંવરબાઈ મહાસતીજીનો સત્સંગ ) તે વખતે ખારોઈનું ધર્મસ્થાનક બનાવવામાં વિરોધીઓના ઘણા વિન આવતા હતા પરંતુ સિંહણ જેવા મોટા કુંવરબાઈ મહાસતીજી કે જેઓ વિશેષ પ્રમાણમાં વાગડમાં વિચરતા તેમણે સંઘના આગેવાનોને હિંમત આપી તથા દિવસે ચણેલ દિવાલોને પાડી જનાર વિરોધીઓને પડકાર્યા જેથી વિદન ટળી ગયું. મહાસતીજી શ્રી કુંવરબાઈએ વાગડના મોટા ભાગના ક્ષેત્રોમાં વિચરણ કરીને લોકોને ધર્મનો બોધ આપીને અનન્ય ઉપકાર કર્યો છે. તેઓનો સંઘાડો વાગડનો સંઘાડો કહેવાતો. આજે પણ એમના સંઘાડામાં મોટા ભાગે વાગડના સાધ્વીજી છે. આ મોટા કુંવરબાઈ મહાસતીજી તથા મોટા મણિબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ ખારોઈ પધાર્યા. તેમના સત્સંગથી વૈરાગ્યના ભાવ થયા. તેમની સાથે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો તથા સંયમજીવનની તાલિમ લીધી. પિતૃપક્ષ તથા શ્વસુરપક્ષની સંમતિ લઈને દીક્ષા લેવા તૈયાર થયા. ' પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીની પધરામણી સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્યશ્રી વીરજી સ્વામી, શતાવધાની રત્નચંદ્રજી સ્વામી, પૂ. શાંતમૂર્તિશ્રી રૂપચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓ તથા સંઘાડાના નાયક મહાસતીજી શ્રી મોટાકુંવરબાઈ આર્યાજી, મોટા મણિબાઈ આર્યાજી આદિ ઠાણાઓની નિશ્રામાં વિ.સં. ૧૯૮૩ની સાલ, જેઠવદિરના શુભ દિવસે વીસ વર્ષની ઉંમરે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી નવદીક્ષિતા જવેરબાઈ મહાસતીજી બન્યા. "निदं च न बहु मन्निज्जा, सप्पहासं विवज्जए । મિલો હાર્દિ ન રમે, સટ્ટાય4િ મો સયા ||" ઉંઘને બહુ મહત્ત્વ ન આપે, હાંસી-મજાકનો ત્યાગ કરે, નકામી વાતોમાં સમય ન બગાડે પરંતુ સાધક સ્વાધ્યાયમાં સદા લીન રહે. આ શાસ્ત્ર વચનને મહાસતીજીએ પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યું હતું. જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહીને ગુરૂણીની સેવામાં લીન રહેવા લાગ્યા. બંને મોટા ગુરૂણીઓની ખૂબ જ સેવા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષો સુધી ગુરૂણીની છત્રછાયા મળે તે સાધકના ભાગ્ય કેટલા ઊંચા કહેવાય ! પૂ. જવેરબાઈ મહાસતીજી ખૂબ જ સરળ સ્વભાવના હતા. સમતાશીલ સ્વભાવના હતા. સુઘડતા પણ ખૂબ જ હતી. મોટા ગુરૂણીઓની છત્રછાયામાં ખૂબ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી ખૂબ ગુણોનો વિકાસ કર્યો હતો. સંઘાડાના નાયક બન્યા વિ.સં. ૨૦૧૧, ફાગણ સુદિ-૧૫ના પૂ. મોટા કુંવરબાઈ મહાસતીજી ભચાઉ મુકામે કાળધર્મ પામ્યા તથા વિ.સં. ૨૦૧૯ વૈશાખ વદિ-0))ના પૂ. મોટા મણિબાઈ મહાસતીજી લાકડિયામાં કાળધર્મ પામ્યા ત્યારથી સંઘાડાના અધિપતિ પૂ. જવેરબાઈ મહાસતીજી બન્યા. - પૂ. મહાસતીજી સંઘાડાના વડેરા બન્યા ત્યારે માત્ર સાતથી આઠ ઠાણા હતા પરંતુ એમના પુણ્ય પ્રતાપે તેઓશ્રી સંઘાડાના શિરોમણિ થયા પછી દર વર્ષે ચારપાંચ દીક્ષાઓ થતાં એમની હાજરીમાં જ ૫૦ આસપાસ મહાસતીજી થઈ ગયા હતા. અત્યારે તો એમના સંઘાડામાં ૯૭ મહાસતીજી છે. એમાં મોટા ભાગના વાગડના છે. '૭૫ વર્ષની ઉંમર સુધી વિહાર અને પછી સ્થિરવાસ પૂ.જવેરબાઈ મહાસતીજી ૭૫ વર્ષની ઉંમર સુધી કચ્છ, વાગડ તથા સૌરાષ્ટ્રમાં વિચર્યા. વાગડમાં વિશેષ વિચરણ તથા ચાતુર્માસ થયા. છેલ્લા ત્રણ વર્ષ વિ.સં. ૨૦૩૮, ૨૦૩૯, ૨૦૪૦ લગાતાર ત્રણ વર્ષ લાકડિયામાં સ્થિરવાસ રહ્યા. અત્યારે સંવાડાના શિરોમણિ બા.બ્ર. નાના સૂરજબાઈ મહાસતીજી છે. તેઓ હંમેશા પૂ. જવેરબાઈ મ.ની સેવામાં જ રહેતા. તેમની સેવા અજોડ હતી. બા.બ્ર. વિજયાબાઈ મહાસતીજી તથા તારામતીબાઈ મ. આદિ ઠાણાઓ પણ અનન્યભાવે સેવાનો લાભ લેતા હતા. પૂ. મહાસતીજી જવેરબાઈ સ્વામી પણ સર્વે શિષ્યાઓને દરરોજ હિતશિક્ષા આપતા હતા. વિનય-વિવેક, માન-મર્યાદા આદિ ગુણોના વિકાસ માટે સર્વે ઠાણાઓને સદૈવ સાવધાન કરતા. એમની છાયાની જેમ રહેતા સરલાત્મા સૂરજબાઈ મને કહે, “સૂરજ ! નાના સાધ્વીઓ કેવા હસે છે. ટાઈમ પાસ કરે છે; પછેડીનું ધ્યાન નથી રાખતા ઈત્યાદી તું બધાનું ધ્યાન રાખતી જા.” આવી અનેક હિત શિક્ષાઓ આજે પણ બધા કાણા યાદ કરે છે. તેમને બધા જ શિષ્યાઓ ઉપર એક સરખો ભાવ હતો તેથી “સમતા-દર્શી” કહેવાયા. સમતાશીલ સ્વભાવના હતા તેથી “સમતાદર્શી” કહેવાયા. (વિ.સં. ૨૦૩૯નું લાકડિયાનું ચતુર્વિધ સંઘનું યશસ્વી ચાતુર્માસ વિ.સં. ૨૦૩૯ની સાલે ભારતભરના જૈન સમાજમાં સૌથી વયોવૃદ્ધ તથા દીક્ષાવૃદ્ધ Page #438 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૨૫ આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામી, મધુરવક્તા પૂ. ભાસ્કર સ્વામી આદિ ઠાણા-૭નું ચાતુર્માસ લાકડિયા નક્કી થયેલ. પૂ. મહાસતીજી તો સ્થિરવાસ હતા. તેઓ પણ સાત ઠાણા ચાતુર્માસમાં હતા. પરંતુ વૈશાખ વદિ-0)), તા. ૧૦-૬-૧૯૮૩ના દિવસે સમાધિભાવે કાળધર્મ પામ્યા તેથી લાકડિયા સંઘની ભાવના અધૂરી રહી. પૂ. જવેરબાઈ મ.ની ગુરૂદેવના ચાતુર્માસની ભાવના મનમાં જ રહી ગઈ. પરંતુ પૂ. તપસ્વી મ. શ્રી તથા પૂ. ભાસ્કર સ્વામી આદિ ઠાણા-૬ ચાતુર્માસ બિરાજયા. તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીએ ૬૨ ઉપવાસ કરીને ડંકો વગાડ્યો હતો. પૂ. ભાસ્કર સ્વામીના જોશીલા વ્યાખ્યાનોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. ૩૪ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. ૧૦ માસખમણ, ત્રણ સિદ્ધિતપ તથા અઠ્ઠાઈ સુધીની તપસ્યા ૧૩૫ જેટલી થઈ હતી. આખા ચાતુર્માસમાં પર્યુષણ જેવું વાતાવરણ રહ્યું હતું. પૂ. દીર્ઘદ્રષ્ટા ભાસ્કરજી સ્વામી દરરોજ સવારે પૂ. જવેરભાઈ મને દર્શન દેવા પધારતા તથા ધર્મચર્ચા કરતા, માંગલિક સંભળાવતા ને શાતા પમાડતા હતા. પૂ. મહાસતીજી ઠાણા-૭ પણ એ ચાતુર્માસને દીપાવવા સારો સહયોગ આપ્યો હતો. ' સ્થિરવાસ દરમિયાન ત્રણ દીક્ષા થઈ પૂ. જવેરબાઈ મહાસતીજી લાકડિયામાં સ્થિરવાસ હતા ત્યારે વિ.સં. ૨૦૪૦ની સાલે તત્કાલીન સંઘપ્રમુખશ્રી બાબુભાઈ કરશનના સુપુત્રી હીરાબહેનની દીક્ષા પૂ. ભાસ્કર સ્વામીના શ્રીમુખેથી થઈ હતી. તેમનું નૂતન નામ નવદીક્ષિતા હિતેચ્છાકુમારીજી રાખવામાં આવ્યું હતું. સં. ૨૦૪૧ની સાલે માગસર વદિ-૧ના હાથીભાઈ હીરા ગડાની સુપુત્રી લીલાબહેન તથા રામજી પરબત ગડાની સુપુત્રી કુંજનબહેનની દીક્ષા પૂ. ભાવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી થયેલ. તેમના નૂતન નામ નવદીક્ષિતા અર્પણાબાઈ મ. તથા કરૂણાબાઈ મ. રાખવામાં આવેલ. આ ત્રણે સાધ્વીજી પૂ. જવેરબાઈ મહાસતીજીના શિષ્યાઓ થયા. એમની હાજરીમાં આ છેલ્લી દીક્ષાઓ હતી. લાકડિયા સંઘે પૂ. મહાસતીજીની સેવાનો અનન્ય લાભ લીધો હતો. પૂ. મહાસતીજીની તબિયત નરમ-ગરમ રહ્યા કરતી હતી. પૂ. સરળયી સૂરજબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ અગ્લાન ભાવે સેવા બજાવી રહ્યા હતા. મહાસતીજીની સમતા અજોડ હતી. જરા પણ હાય વોય નહિ. ધીરજથી વેદનીય કર્મો ખપાવી રહ્યા હતા. ૭૮ વર્ષની ઉંમર થઈ હતી. ૫૮ વર્ષના સંયમ જીવનમાં ખૂબ જ વિકાસ કર્યો હતો. સુવિશુદ્ધ સંયમના પાલક હતા. પુણ્યપ્રતાપી હતા. સંઘાડાને ફાલ્યો ફૂલ્યો બનાવી વિ.સં. ૨૦૪૧, મહાવદિ-૧ના દિવસે લાકડિયા મુકામે સમાધિભાવે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ મહાસતીજી શ્રી પ્રેમકુંવરબાઈ આર્યાજી સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રી અજરામર સંપ્રદાયમાં સમતાદર્શી મહાસતીજી તરીકે પ્રખ્યાત થઈ ગયા. અત્યારે તેમના સંઘાડામાં ૯૭ મહાસતીજી છે. ૭૩ વર્ષના પૂ. સૂરજબાઈ મહાસતીજી તથા ૭૦ વર્ષના પૂ. મંજુલાબાઈ મહાસતીજી તેમના સંઘાડાના નાયક છે. બંને મહાસતીજી ૭૫ વર્ષના થશે ત્યાં સુધી ૧૦૦ શિષ્યાઓના ગુરૂરી બની જશે. પૂ. સૂરજબાઈ મહાસતીજીનો સંયમાઈ શતાબ્દિ મહોત્સવ વડોદરા મુકામે તા. ૯-૨-૧૯૯૭ના ઉજવાયો હતો. અત્યારે તેમની દીક્ષાને પ૭ વર્ષ પૂરાં થવા આવ્યા છે. પૂ. મંજુલાબાઈ મહાસતીજીનો સંયમાર્ધ શતાબ્દિ મહોત્સવ ગોરેગામ (ઈ) તા. ૧૮-૨-'૦૫ની સાલે ઉજવાય છે. બંને વડેરા સરળ દયના, વાત્સલ્યવારિધિ તથા ગુરૂણીશ્રીઓની પરંપરા પ્રમાણે ચાલવાવાળા છે. બંને મહાસતીજીઓની સદેહે શતાબ્દિ ઉજવાય તેવી શુભ ભાવના આપણે સૌ ભાવતા રહીએ... ( સુવ્યાખ્યાની મહાસતીજી શ્રી પ્રેમકુંવરબાઈ આર્યાજી કચ્છની કામણગારી ધરતીથી કોણ અજાણ છે ? કચ્છના પૂર્વ વિભાગને વાગડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વાગડ પ્રાંતના રાપર તાલુકાના ખેંગારપર ગામમાં પિતાશ્રી દેશરભાઈ તથા માતા રામુબહેનની કુક્ષિએ સંવત ૧૯૬૫, વૈશાખ સુદિ-૧૧ ના પરોઢે એક સુપુત્રીનો જન્મ થયો. તેમનું નામ પુરીબહેન પાડવામાં આવ્યું. પુરીબહેન એકદમ સ્વરૂપવાન હતા. તેમનું ગોત્ર નસર હતું. તેમના બે ભાઈઓ ધનજીભાઈ અને ગુણશીભાઈ તથા ચાર બહેનો (૧) ગંગાબહેન (૨) લાડુબહેન (૩) માનુબહેન (૪) રખુબહેન હતા. ખેંગારપર ગામમાં વિશા ઓસવાળા જેનોના માત્ર ૧૦ થી ૧૨ (ઓકજ તેજશી દાદાનો પરિવાર) ઘર હતા. તેઓ સર્વે ખેતીવાડીમાં વ્યસ્ત હોવાથી સાધુસાધ્વીજીનો યોગ ભાગ્યે જ થતો. એકદા મહાસતીજી શ્રી નાથીબાઈ આર્યાજી, મ. લાડકુંવરબાઈ આર્યાજી, મ. ડાહીબાઈ આર્યાજી, મ. રતનબાઈ આર્યાજી ખેંગારપર પધાર્યા. પ્રથમવાર નાની ઉંમરના પુરીબહેનને એમનો સત્સંગ થયો. તેમાં એમના માતુશ્રી મુખ્ય નિમિત્ત બન્યાં. ત્યારથી તેઓ મહાસતીજીને ઓળખતા થયા. Page #440 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ભોગાવલિ કર્મ અને આયુષ્યની અનિત્યતા માત્ર ૧૩ વર્ષની ઉંમરે પુરીબહેનના લગ્ન મનફરાના પેથાભાઈ વિસરીયાના સુપુત્ર કાનજીભાઈ સાથે થયા. ફકત બે વર્ષના લગ્ન જીવન બાદ એકાએક કાનજીભાઈ બિમારીનો ભોગ બની ગયા અને મૃત્યુ પામ્યા. ૧૫ વર્ષના પુરીબહેનને વૈધવ્યનું દુઃખ આવી પડયું. તે સમયમાં પુર્નલગ્નની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. તે વખતે છ મહિના સુધી શોક પાળવામાં આવતો તે પૂર્ણ થતાં મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી આદિ ઠાણાઓ ખેંગારપર પધાર્યા. તેમના સત્સંગથી પુરીબહેન વૈરાગ્ય વાસિત થયા અને માતા-પિતા પાસેથી સંયમની અનુમતિ માગી. સાસુ-સસરાની પણ રજા માગી. સર્વેએ પ્રેમથી રજા આપી આશીર્વાદ આપ્યા. “જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને... જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને...’’ ૪૨૭ વિ. સંવત ૧૯૮૨ ની સાલે તેઓશ્રી ગુરૂણી સાથે વિધિવત્ ભણવા નીકળ્યા. ચાર મહિનામાં લખતા વાંચતા તથા સામાયિક-પ્રતિક્રમણ, દશવૈકાલિક સૂત્ર અને ૧૫ થોકડા કંઠસ્થ કર્યા. આવી તેમની યાદશક્તિ હતી. ત્રણ વર્ષ ગુરૂણી સાથે રહીને દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, થોકડા, સંસ્કૃતની પહેલી બૂક આદિ અભ્યાસ કરી લીધો. સંવત ૧૯૮૫, ફાગણ સુદ-૨ ગુરૂવારના દિવસે મનફરા મુકામે પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી તેમની દીક્ષા થઈ. તેમનું નામ પ્રેમકુંવરબાઈ મ. રાખવામાં આવ્યું. તેમની સાથે પૂનમચંદ્રજી સ્વામીની દીક્ષા પણ થયેલી. પૂનમચંદ્રજી સ્વામીના ગુરૂ શતાવધાની રત્નચંદ્રજી સ્વામી હતા તથા પ્રેમકુંવરબાઈ મ.ના ગુરૂણી ડાહીબાઈ મ. હતાં. “કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે.” પૂ. ગુરૂણીશ્રીની સાથે પ્રેમકુંવરબાઈ મ. કચ્છ, વાગડ, ગુજરાત તથા મુંબઈ આદિ પ્રાંતોમાં વિચરીને જૈન ધર્મનો ફેલાવો કર્યો હતો. થાણા સંઘની સ્થાપના પૂ. પંડિત તપસ્વી ડુંગરસિંહજી સ્વામીએ કરી હતી. તેમણે પ્રથમ ચાતુર્માસ પણ કરેલું. પરંતુ ત્યારે સ્થાનક ન હતું. નવું સ્થાનક બન્યા પછી થાણામાં પ્રથમ ચાતુર્માસ પૂ. પ્રેમકુંવરબાઈ મ. આદિ ઠાણાનું થયું ને સંઘમાં ખૂબ જ જાગૃતિ આવી. જેઓ કયારેય ઉપાશ્રયમાં નહોતા આવતા તેવા લોકોને આવતા કર્યા. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પૂ. સમજુબાઈ મહાસતીજી પૂ. મહાસતીજીના પિયરપક્ષમાં ધર્મના સંસ્કારો ખૂબ જ છે. તેમના ભત્રીજા મણિલાલ ધનજીભાઈ નીસર થાણા સંઘના ટ્રસ્ટી છે. સારા લેખક છે તથા કવિ પણ છે. પૂ. મહાસતીજીનું વિસ્તારથી જીવન ચરિત્ર વાંચવું હોય તો મણિલાલ નીસર લિખિત “પ્રેમ-ભક્તિ” પુસ્તક વાંચવું. થાણા ઉપાશ્રયની બાજુના ચોકને “જૈનાચાર્ય અજરામરજી ચોક” એવું નામ અપાવવામાં મણિલાલ ભાઈનો મહત્ત્વનો ફાળો છે. તેઓશ્રીના એક જ સુપાત્ર વિનયવાન સુશિષ્યા દીવાળીબાઈ મહાસતીજી હતા. તેઓ ગુરૂણીશ્રીની હાજરીમાં જ સંવત ૨૦૩૨ ની સાલે મનફરા મુકામે કાળધર્મ પામ્યા હતા. એક નાનકડા ગામડામાં જન્મેલા પૂ. પ્રેમકુંવરબાઈ મહાસતીજીમાં વિશાળ વટવૃક્ષ જેવા ગુણો જેવા કે સાદાઈ, સ્વચ્છતા, સુઘડતા, સરળતા, વીરતા, ધીરતા, ગંભીરતા, નીડરતા, નિઃસ્પૃહતા, નિઃસંગતા આદિ અનેક ગુણો હતા. એકવાર તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી શકતી નહિ. વિ. સંવત ૨૦૩૮ ની સાલે ખારોઈમાં પ્રથમવાર તેમને હાર્ટ એટેક આવેલો પરંતુ તેઓ તેમાંથી હેમખેમ પાર ઉતરી ગયા પરંતુ બીજીવાર સંવત ૨૦૩૯ તા. ૨૨૨-૧૯૮૨ સોમવારના મહાવદ-0)) ની સાંજે છ વાગે મનફરા મુકામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. તેમણે ૭૩ વર્ષની ઉંમર તથા ૫૩ વર્ષનો દીક્ષા પર્યાય પાળી નીસર કુટુંબ તથા વિસરિયા કુટુંબના નામને રોશન કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. [ આજીવન અનશન વ્રતધારી પૂ. સમજુબાઈ મહાસતીજી પૂ. સમજુબાઈ મહાસતીજીનો જન્મ વિછીયા (સૌરાષ્ટ્ર)માં વિ.સં. ૧૯પ૯, ફાગણ વદિ-૨ના દિવસે પિતાશ્રી મલકચંદ વર્ધમાન અજમેરા તથા માતુશ્રી જેઠીબાઈની કુક્ષિએ થયો હતો. તેઓશ્રી દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. યોગ્ય ઉંમરે તેમના લગ્ન પણ થયેલા, પરંતુ નાની ઉંમરમાં વૈધવ્ય આવતાં તેઓ સંસારથી વિરક્ત થયા. - પૂ. શ્રી રળીયાતબાઈ મહાસતીજીના સંઘાડાના પૂ. શ્રી પાર્વતીબાઈ મ.ના સત્સંગથી તેમને સંયમ લેવાના ભાવ જાગ્યા. વિ. સં. ૧૯૮૬, વૈશાખ સુદિ Page #442 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૨૯ ૧૧ના દિવસે વિંછીયા મુકામે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી હતી. ઘણા વર્ષો સુધી ગુરૂણીશ્રીની સાથે રહી તેમની સેવાનો લાભ લીધો હતો. ગુરૂણીના સ્વર્ગવાસ પછી છેલ્લા થોડાં વર્ષ લીંબડીમાં સ્થિરવાસ રહ્યા હતા. સં. ૨૦૪૫ની સાલે સંથારો કર્યો હતો. અગાઉથી ખ્યાલ આવી ગયો હતો કે ૫૧ દિવસ સુધી સંથારો ચાલશે. વિ.સં. ૨૦૪૫ તા. ૨૦-૯-૧૯૮૯ના દિવસે સમાધિ ભાવે લીંબડીમાં સ્વર્ગવાસ પામ્યા હતા. * * કચ્છના સિંહણ બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજી કચ્છની ધરતી એ રત્નોની ખાણ છે. તેમાં અનેક સંત રત્નો, સતીરત્નો પાકયા છે. એવા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું નાનું છતાં સુંદર અને ભક્તિભાવથી ભરપૂર સમાઘોઘા નામનું ગામ જેમાં ધર્મવી૨ શૂરવીર સંતો પાકયા છે. આ સમાઘોઘા ગામ તથા ભોરારા ગામ બંને છ કોટી અજરામર સંપ્રદાયના એક રાગી ક્ષેત્રો છે. સમાઘોઘામાં અનેક વયોવૃદ્ધ મહાસતીજીઓના સ્થિરવાસ થયા છે. સાધુસાધ્વીજીને શાતા પમાડવી એ આ ગામનો મુખ્ય ગુણ છે. આવા સુંદર સમાઘોઘા ગામમાં પિતાશ્રી દેવજી લખમશી ગંગર તથા માતા જેઠીબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૭૩ ની સાલે એક સિંહણ જેવી સુપુત્રીનો જન્મ થયો. આ સુપુત્રીની બાહ્ય - આપ્યંતર સુંદરતાને ધ્યાનમાં રાખીને તેનું નામ સુંદરબાઈ રાખવામાં આવ્યું. માતાનો વિયોગ અને પરિવારની વેદના સુંદરબહેનને તેમના કરતાં પાંચ વર્ષ મોટી વેજબાઈ નામની બહેન હતી. સુંદરબહેન દોઢ વર્ષના થયા ત્યારે તેમના માતુશ્રી જેઠીબાઈ પોતાની બંને સુપુત્રીઓને તેમના પિતાના ભરોસે છોડીને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. નાના બાળકોને જીવવાનો સહારો માત્ર ‘મા’ જ હોય છે. માતાનો વિયોગ તેમના માટે અસહ્ય થઈ પડે છે. દેવજીભાઈના માતુશ્રી ‘લાધીમા’ હૈયાત હતા તેથી તેમણે બંને પૌત્રીઓને સાચવવાની જવાબદારી લીધી. પિતાશ્રીની લાગણી પણ અનૂપમ હતી. મોટી બહેન વેજબાઈ ઉંમરલાયક થતાં સમાઘોઘામાં જ લગ્ન કર્યા પરંતુ વેજબાઈ લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા. દેવજીભાઈના આઘાતનો કોઈ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પૂ. સૂરજબાઈ મહાસતીજી પાર ન રહ્યો. હવે તેમને ભય લાગ્યો કે દીકરીને પરણાવવાથી તે મૃત્યુ પામે. નાનુ સુંદર પ્રાણથીય વધારે પ્રિય હોવાથી તેમને બાલકુંવારી જ રાખવી એવો નિર્ણય તેમણે કર્યો. પરંતુ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનમાં તે બાલ બ્રહ્મચારી રહેવાની છે તે વાત અજાણી ન હતી. દેવજીભાઈ પુત્રીના લગ્નની વાત જ ઉચ્ચારતા નહિ. આવી રીતે પુત્રીનું બાળપણ પસાર થઈ ગયું. મીરાંબાઈએ કહ્યું છે કે સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ; પ્રથમ લાગે તીખો ને કડવો, અંતે આંબા કેરી સાખ... પ્રાણી તું તો સુંદરબાઈના કુટુંબમાં એક પુરીબાઈ નામના વડીલ ભાભી હતા. તેઓશ્રી ડુંગરશીભાઈ ગાલાના ધર્મપત્ની હતા. તેઓ પૂરેપૂરા ધર્મના રંગે રંગાયેલા હતા. તેઓશ્રી સુંદરને હંમેશા સ્થાનકમાં આવવા સમજાવતા પરંતુ સુંદરબહેનને કાંઈ ખબર જ નહિ કે સ્થાનક એટલે શું? સ્થાનક કેવું હોય? તેઓ સાવ અજાણ હતા. પુરીબાઈ તેમના સાચા પથદર્શક બન્યા. તેમણે સાચા અર્થમાં ધર્મદલાલી કરીને લાભ લીધો. | વિ.સંવત ૧૯૯૦ ની સાલે પૂ. રતનબાઈ મહાસતીજી, પૂ. ભાણબાઈ મહાસતીજી આદિ ઠાણા સમાઘોઘા ચાતુર્માસ પધાર્યા. લોહચુંબક જેમ લોખંડને આકર્ષે તેમ સુંદરબાઈને પૂ. રતનબાઈ મહાસતીજીનું આકર્ષણ થયું. પૂ. મહાસતીજીના સરળ સ્વભાવથી આકર્ષાઈને સુંદરબહેન તેમના અંતેવાસી જેવા બની ગયા હતા. પૂ. ભાણબાઈ મહાસતીજીએ ખૂબ જ પ્રેમપૂર્વક સંયમજીવનની તાલીમ આપી. મહાસતીજીના સત્સંગમાં આવ્યા પછી ઘરે જરાય ગમતું નહિ તેથી આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. પારસમેં ઔર સંતમેં, બડા અંતરા જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન” પારસમણિ અને સંતોમાં ઘણો ફરક છે કેમકે પારસમણિ લોઢાને સોનું બનાવી દે પરંતુ પારસમણિ નથી બનાવતું જ્યારે સંતો એના સંપર્કમાં આવનારને પોતાના સમાન બનાવી દે છે. દેવજીભાઈને સુંદરબહેનના પરિવર્તનનો ખ્યાલ આવી ગયો. તેમણે તેની પરીક્ષા પણ ખૂબ કરી પણ સુંદરબહેનનો વૈરાગ્ય પાકો હતો તેથી તે મક્કમ રહ્યા. સમાઘોઘા સંઘના ઘણા બહેનો સુંદરબહેનને સારું પ્રોત્સાહન આપતાં.તેઓ બધા મળીને દેવજીભાઈને સમજાવ્યા તથા ગુરુણી પાસે સુંદરબહેનને ભણવા માટે મોકલ્યા. સુંદરબહેન ગુરૂણી સાથે ભણતા, વિહારનો અનુભવ કરતા બિદડા પહોંચ્યા. આ બાજુ દેવજીભાઈને પુત્રી વગરનું ઘર સૂનું લાગવા માંડ્યું. પોતાની Page #444 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૩૧ લાડલી સુપુત્રીનો વિયોગ સહન ન થતાં તેઓ બિદડા ઉપડ્યા તથા સુંદરબહેનને સમાધોધા તેડી આવ્યા. સુંદરબહેનનું મન તો ગુરૂણી પાસે જ હતું. દેવજીભાઈ ગામના બહેનોને વિનવવા લાગ્યા કે સુંદરને સમજાવો. દીક્ષા લેશે તો દુ:ખી થઈ જશે. એને જીવાડવા માટે તો મેં પરણાવી નથી. સો વાતની એક વાત, લેવી મારે સંયમની વાટ આવા દઢ વૈરાગીને કોણ ડગાવી શકે ? અરે ! વૈરાગ્યના બળ આગળ ઈન્દ્રનું બળ પણ પાંગળું છે. વૈરાગ્યનું બળ અજોડ હોય છે. ધીમે ધીમે સુંદરબાઈએ પિતાશ્રીને સમજાવ્યા અને ફરીથી ગુરૂણીશ્રી પાસે ભણવા ગયા. તે વખતે પૂ. રતનબાઈ આર્યાજી તથા ભાણબાઈ આર્યજી આદિ ઠાણા રતાડિયા બિરાજતા હતા. સુંદરબહેન આનંદથી ત્યાં ભણવા લાગ્યા. ફરી પાછા દેવજીભાઈ તેને તેડવા માટે ગયા. પરંતુ તેમણે પિતાશ્રીને કહી દીધું કે તમે મને રજા નહિ આપો તો હું ખાવા-પીવાનું બંધ કરીશ. એમ કહીને સુંદરબહેન ઉપાશ્રયની મેડી ઉપર ચડી ગયા તથા દરવાજા બંધ કરીને બેસી ગયા. સ્થાનકની બાજુમાં રહેતા ભચીબહેન ગંગાજર તથા કુંવરબહેન વેલજી રાઘવજી ભેદા ઘરેથી છાનું માનું ખાવાનું લાવીને પોતાની પુત્રીની જેમ પ્રેમથી સમજાવીને ગુપ્ત રીતે ખવરાવી જતાં. આ વાતની દેવજીભાઈને ખબર નહિ તેથી એમને એમ કે સુંદરે તો કાંઈ ખાધું પીધું નથી . જો ભૂખી-તરસી મરી જશે તો... આવી બીકના માર્યા તેમણે રજા આપી. .. સુંદરબહેન ગુરૂણીની છત્રછાયામાં જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવા લાગ્યા. પોતે ખૂબ જ બુદ્ધિશાળી હોવાથી એક કલાકમાં ૨૫ ગાથા કંઠસ્થ કરી લેતા. તેમનો શાળાનો અભ્યાસ ઘણો ઓછો હોવા છતાં ગુરૂણી પાસે સંસ્કૃત અને અર્ધમાગધીભાષા ઝડપથી શીખી લીધેલ. સવારે સૂત્રનો અભ્યાસ કરતા, બપોરે થોકડા શીખે અને સાંજે સઝાયો શીખે; આમ ત્રણ ત્રણ વિષય એક સાથે ભણતા. તેમનામાં વિનય, વિવેક, ગુર્વાજ્ઞાપાલન આદિ ગુણોના કારણે સર્વે મહાસતીજીઓનો તેમના ઉપર ખૂબ જ વાત્સલ્યભાવ ઉભરાતો. તે સમયમાં બાલ બ્રહ્મચારીનું ખૂબ જ મહત્વ હતું. કુંવારી કન્યા મહાસતીજી પાસે ભણવા આવી છે એ વાતનું ગૌરવ શ્રાવકો ખૂબ લેતા. એવી કન્યાઓને ખૂબ લાડ લડાવતા. માંડવીના પ્રખ્યાત શ્રાવિકા બહેનશ્રી ભચીબહેન કોટવાલવાળાએ સુંદરબહેનને દીકરી બનાવી હતી. તેઓ સગી મા કરતાં વિશેષ પ્રેમથી સંભાળ રાખતા હતા. સુંદરબહેન બે વર્ષ ભણ્યા પછી દીક્ષાની ચર્ચા થઈ ત્યારે ભચીબહેને કહ્યું - Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ પૂ. સૂરજબાઈ મહાસતીજી “સુંદરની દીક્ષા હું મારા ખર્ચે, મારા ઘરે માંડવીમાં કરીશ.” ભચીબહેન એટલે એક જાજવલ્યમાન પ્રતિભાશાળી બહેન હતાં, જેઓ પુરુષ જેવા ખમીરવંતા હતા. ખૂબ જ બુદ્ધિશાળી હતાં તથા ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા રાખનારા હતા. | ભાવનાશીલ ભચીબહેને લીધેલો દીક્ષાનો મહામૂલો લાભ અત્યંત ભક્તિશીલ ભચીબહેને સુંદર બહેનની દીક્ષા ખૂબ જ ધામધૂમથી કરી. અજરામર સંપ્રદાયના સુવર્ણયુગપ્રવર્તક આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીએ તેમને દીક્ષા આપી. તેમનું નૂતન નામ “બા.બ્ર. સૂરજબાઈ મહાસતીજી” રાખ્યું. તે ધન્ય દિવસ હતો. વિ. સં. ૧૯૯૨, ફાગણ સુદ-૨ નો પવિત્ર દિવસ. તે સમયમાં બાલ બ્રહ્મચારી દીક્ષા લે એવી ઘટના ભાગ્યે જ બનતી. તેમાંય આ નવદીક્ષિતા સ્વરૂપવાન, બુદ્ધિશાળી હોવાથી વિશેષ દેદીપ્યમાન દેખાવા લાગ્યા. ૧૯ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા બાબ્ર. સૂરજબાઈ મહાસતીજી ઉપર દીક્ષા પછી માત્ર દોઢ મહિના પછી વ્યાખ્યાનનો બોજો આવ્યો. તે સમયમાં આટલા પુસ્તકો કે ગુજરાતીમાં શાસ્ત્રો ઉપલબ્ધ ન હતાં છતાં તેઓ ગુરૂકૃપાથી તથા પ્રબળ પુરૂષાર્થથી સારા વ્યાખ્યાનકાર બન્યા. સિંહણ જેવી તેમની ગર્જનાથી લોકો ખુબ જ પ્રભાવિત થતા. ૪૦ વર્ષ સુધી સતત વ્યાખ્યાનનું કાર્ય તેમણે સંભાળ્યું. તેમાં કેટલાંક વર્ષો તો સવારે અને બપોરે ગોચરી વહોરવા પણ પોતે જતા. “બ્રહ્મચારી ભગવાન કહાવે” એ ન્યાયે પૂ. સૂરજબાઈ મહાસતીજી જ્યારે જ્યારે માંડવી પધારતા ત્યારે જાણે ભગવાન પધાર્યા હોય એવો આનંદ લોકોને થતો. તેમની સિંહગર્જના જેવું જોશીનું વ્યાખ્યાન સાંભળવા માનવ મહેરામણ ઉમટતો હતો. એમની વાણીના રણકારથી લોકોમાં વીરતા પ્રગટતી તેમનો બુલંદ અને પહાડી અવાજ સાંભળી શ્રોતાઓ ડોલી ઉઠતા. - સાધુ તો ચલતા ભલા, ડાઘ ન લાગે કોય પૂ. મહાસતીજી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આદિ પ્રાંતોમાં વિચર્યા તથા ચાતુર્માસ પણ કર્યા. કાઠિયાવાડમાં તો એવું આકર્ષણ જમાવેલું કે જયારે ત્યાંના ભાવિકો દર્શનાર્થે કચ્છમાં આવતા ત્યારે એમના વચનામૃતો જરૂર સાંભળતા. સુવ્યાખ્યાતા છતાં સેવાથી શોભતા:- પૂ. મહાસતીજી પ્રભાવશાળી વ્યાખ્યાતા હોવા છતાં એટલા જ સેવાપ્રિય હતા. રત્નાધિક મહાસતીજીઓની અપ્રમત્ત ભાવે સેવા કરતા. પૂ. નાથીબાઈ મહાસતીજીની સેવા એક ધારી બે વર્ષ સુધી Page #446 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૩૩ સમાઘોઘામાં કરી હતી. એકધારા ૪૧ વર્ષ પૂ. રતનબાઈ મહાસતીજીની છાયા બનીને રહ્યા હતા, જાણે એમના જમણા હાથ કેમ ન હોય. તેઓ પૂ. રતનબાઈ મ.ના આહારની તથા શરીરની સતત સંભાળ લેતા. ડગલે ને પગલે બધું યાદ કરાવે. તે બંનેનો સ્નેહ દૂધ-સાકરની જેમ એકમેક થઈ ગયેલો હતો, જાણે એક આત્માના બે શરીર. પૂ. રતનબાઈ મહાસતીજી માટે પૂ. સૂરજબાઈ મ. હૈયાના હાર કે આંખની કીકી સમાન હતા. પૂ. મોટા મહાસતીજી તેમને “મીઠું' “મારા સિંહ' આવા સુંદર સંબોધનથી બોલાવે અને રોજ પ્રાર્થના કરે કે “હે દેવાધિદેવ ! શાસનરક્ષક દેવો ! સૂરજને શાંતિ દેજો, સૂરજ મારી જીવાદોરી છે.” ઉત્તરાધ્યયન सूत्रमi sयुं छे? आणानिद्देसकरे, गुरुगमुववायकारए; इंगियागारसंपन्ने, से વિત્તિ શરૂા ગુરૂની આજ્ઞાને માનનારા, ગુરૂની સમીપે રહેનાર, ઈશારામાં સમજી જનારને વિનયી કહેવાય છે. આવા ગુણોના કારણે એમણે ગુરૂણીના હૃદયમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. છેલ્લે સુધી તેમણે ગુરૂણીની સેવાનો મહામૂલો લાભ લીધો હતો. છેલ્લા છ વર્ષ તેઓશ્રી પોતાની જન્મભૂમિ સમાઘોઘામાં સ્થિરવાસ રહ્યા. શ્રી સંઘે અનન્યભાવે તેમની સેવા કરી તથા તેમની કાયમી સ્મૃતિ તરીકે “સૂર્ય સેનેટોરીયમ” તૈયાર કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ( સરળહૃદયી મહાસતીજી શ્રી દીવાળીબાઈ આર્યાજી ] પૂ. દિવાળીબાઈ મહાસતીજીનો જન્મ ભચાઉ તાલુકાના મનફરા ગામે વિ.સં. ૧૯૭૨ની સાલમાં માતા કામલબહેન તથા પિતા વીરજીભાઈ ગાલાને ત્યાં થયો હતો. તેમના ભાઈનું નામ પેથાભાઈ તથા ભાભીનું નામ વાલીબહેન હતું. પોતાનું નામ દેમતબહેન હતું. નાની ઉંમરમાં ખારોઈ ગામે કરશનભાઈ નીસર સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતાં. ટૂંક સમયમાં લગ્ન જીવનમાં તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું. તેથી તેમનું મન સંસાર ઉપરથી ઉઠી ગયું. પૂ. ગુરૂણીમૈયા નાથીબાઈ મહાસતીજીના ચરણ-શરણમાં જીવન સમર્પિત કરી વિ.સં. ૧૯૯૫ ની સાલમાં વૈશાખ સુદ-૩ ના દિવસે રામાણીયા મુકામે (અત્યારે અજરામર સંઘમાં સાધ્વી સંઘમાં સૌથી વડેરા મણિબાઈ મહાસતીજી સાથે) સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીના Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી શ્રીમુખેથી દીક્ષા ગ્રહણ કરી હતી. આત્માની દીવાળી કરવા માટે હેમતબહેનનું નામ “દીવાળીબાઈ મહાસતીજી” રાખવામાં આવ્યું. નાના-મોટા સહુની તેઓશ્રી સેવા કરતાં. પૂ.પ્રેમકુંવરબાઈ મહાસતીજીના તેઓશ્રી આજીવન અંતેવાસી બનીને રહ્યા હતાં. આજીવન તેમની સેવા કરીને તેઓના ખૂબ જ કૃપાપાત્ર બન્યા હતા. તેમને શ્વાસની તકલીફ હતી છતાં વિહાર, ગોચરી-પાણી આદિ પોતે જાતે જ કરતાં. સંવત ૨૦૭૨ની સાલમાં પોતાની જન્મભૂમિ મનફરા મુકામે માગસર વદ-૫ ના દિવસે કાળધર્મ પામ્યા હતા. એમના પરિવારમાં નીચે પ્રમાણે દીક્ષાઓ થઈ છે. તેમના સંસારી દિયર ગોપાલ સંપ્રદાયના વડેરા પૂ.રામજી સ્વામી, તેમના સગા ભત્રીજા તપગચ્છના આચાર્ય અરવિંદસૂરિ, કાકાઈ ભાઈઓ પૂ.જનકવિજયજી મ.સા., પૂ. હૂકાર વિજયજી મ.સા. તથા કાકાઈ બહેન બા.બ્ર. દીક્ષિતાબાઈ આર્યાજી. પ્રવચન પ્રભાવિકા બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી કચ્છના પાટનગર ભૂજ શહેરમાં બા.બ્ર. સૌમ્યમૂર્તિ રૂક્ષ્મણીબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૭૯ ની સાલે શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના નગરીયા કુટુંબમાં પ્રતિષ્ઠિત પરિવાર મહેતા નાથાભાઈ મોણશીના સુપુત્ર સુશ્રાવક વર્ધમાનભાઈના ઘેર, સંસ્કારમૂર્તિ માતા સંતોકબાઈની કુક્ષિએ થયો હતો. પૂ. મહાસતીજીનું પૂર્વાશ્રમીય નામ રંભાબહેન હતું. “રથા નામ તથા પુ” પ્રમાણે રંભાબહેનને સુંદરતા માતાના વારસારૂપે તથા બુદ્ધિપ્રતિભા પિતાના વારસારૂપે મળ્યા હતા. મહાસતીજીના જન્મ પહેલાં જ તેમના પિતાશ્રી વર્ધમાન ભાઈનું અવસાન થયેલ. પ્રથમ કે અંતિમ આ એક સુપુત્રીના જન્મથી પરિવારમાં ખુશી વ્યાપી ગઈ. આ સુપુત્રી એટલી પુણ્યશાળી, નિર્દોષ, નિખાલસ ને બુદ્ધિશાળી હતી કે પોતાના સગુણોથી આખા પરિવારનું દિલ જીતી લીધું હતું. દાદા-દાદી, કાકાકાકીએ અતિ લાડકોડથી તેમનો ઉછેર કર્યો. માતાના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી. Page #448 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ગુરૂણી મળ્યા છે જ્ઞાનવાળા રે, હૃદિયાના તાળાં ઉઘડ્યા રે જી... પૂ. મહાસતીજીનું કુટુંબ ધાર્મિક હોવાથી તેઓશ્રી બાલપણથી જ સ્થાનકે જતા. સદ્ભાગ્યે વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ આર્યાજી તથા શ્રુતશીલા માણેકબાઈ આર્યાજી આદિ ઠાણા ભૂજ ચાતુર્માસ પધાર્યા. મહાસતીજીના સત્સંગથી ત્યાગ અને વૈરાગ્યના બીજ વવાયા. ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર ભૂજથી માનકૂવા કર્યો ત્યારે રંભાબહેન તેમને મૂકવા ગયેલા. ત્યાં દીક્ષાના ભાવ જાગૃત થયા. ઘેર આવી રંભાબહેને માતાને તથા કુટુંબીજનોને વાત કરી. સર્વેને સમજાવી દીક્ષાની આજ્ઞા મેળવી લીધી. ૪૩૫ પૂ. મહાસતીજીના કાકા પોપટભાઈએ રંભાબહેનની જન્મોત્રી રાજકોટના શ્રી મોહનલાલ ધામીના પિતા શ્રી ચુનીલાલભાઈ ધામી કે જે મોટા જ્યોતિષી હતા તેમને બતાવી તથા ભૂજમાં પણ રાજજ્યોતિષીને બતાવી. બધાએ એક જ વાત કરી કે રંભાબહેનના ભાગ્યમાં પ્રવ્રજ્યાનો પાકો યોગ છે તથા આ સુપુત્રી શાસનને દીપાવશે. આમ દીર્ઘ-દ્રષ્ટિ વાપરી પૂ. વેલ-માણિક્ય ગુરૂણી સાથે અભ્યાસ કરવાની રજા આપી. પાટનગરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ૧૬ વર્ષની મુગ્ધાવસ્થામાં જ્યારે રંભાબહેન ગુરૂણી સાથે આવ્યા ત્યારે એમના દીક્ષાદાતા આગમ વિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કહેતા કે મહાસતીજી ભૂજમાંથી ‘મેડમ‘ જેવી ચેલી લાવ્યા છે. પૂ. મહાસતીજી જ્યારે વાગડમાં પધાર્યા ત્યારે ગામે ગામના શ્રાવકો રંભાબહેનને જમાડવાની પડાપડી કરવા લાગ્યા. લોકો તેમને દીકરીની જેમ માનતા. બે વર્ષ સુધી ગુરૂણી સાથે જ્ઞાનાભ્યાસ કરી એકદમ તૈયાર થઈ ગયા ત્યારે ૧૮ વર્ષની ભર યુવાન વયે વિ.સં. ૧૯૯૭, માગસર સુદિ-૬, ગુરૂવાર, તા. ૫-૧૨-૧૯૪૦ ના શુભ દિવસે સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી ભુજ મુકામે દીક્ષા અંગીકાર કરી. મહારાવ શ્રી ખેંગારજીના સમયમાં આ દીક્ષા પ્રસંગ ઉજવાયો હતો. તે પ્રસંગે ૧૧ દિવસ શોભાયાત્રા નીકળી હતી. મહારાણી ગંગાબા પ્રભાવિત થયા :- એક દિવસ આ શોભાયાત્રા દરબારગઢ પાસેથી પસાર થઈ, ત્યારે મહેલની અટારીએથી મહારાણી શ્રી ગંગાબાએ અદ્ભુત સ્વરૂપવાન એવા રંભાબહેનને જોઈને પૂછ્યું, “આ શું છે ? Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી શાનો વરઘોડો છે ?'’ ત્યારે જાણવા મળ્યું કે રંભાબહેન જૈન દીક્ષા અંગીકાર કરવાના છે તેમની આ વરણાગી છે. તે વખતે ગંગાબા કહે, દીકરીને ઉપર બોલાવો. તરત જ રંભાબહેન ઉપર ગયા. પરી જેવી દીકરીને જોતાં જ મહારાણી સાહેબા બોલ્યા, ‘દીકરી ! આવી યુવાનીમાં દીક્ષાની વાત કેમ કરે છે ? શું તારું કોઈ નથી ? હું તને સંભાળીને રાખીશ. રાજ મહેલમાં સુખપૂર્વક રહેજે' ત્યારે રંભાબહેને પોતાની જ્ઞાનદૃષ્ટિથી જવાબ આપ્યો, ‘બા ! મારી સંભાળ લેનારા ઘણા છે, પરિવાર મોટો છે પણ સંસારની અસારતા જાણી પરમપદની પ્રાપ્તિના માટે હું ત્યાગ માર્ગે જઈ રહી છું, મને આશીર્વાદ આપો.’ આવી અદ્ભુત ત્યાગ ભાવનાથી મહારાણી ખૂબ જ પ્રભાવિત થયાં. તેમણે કહ્યું ‘આની વરણાગી દરરોજ મહેલ પાસેથી લઈ જજો. અમે તેના મુખારવિંદને જોઈ આશીર્વાદ આપશું તથા વરણાગીમાં રાજ રિયાસત આપશું. છેલ્લા દિવસે હાથીની અંબાડી ઉ૫૨ આ શોભાયાત્રા નીકળી હતી. આવી રીતે ભૂજના આંગણે આ પ્રસંગ માત્ર જૈન સમાજ માટે નહિ પરંતુ સમગ્ર નગર માટે આ દીક્ષા ઐતિહાસિક હતી. “મરંડપસ્વી વ ચરેપ્લમો ।" ભારડ પક્ષીની જેમ અપ્રમત્તદશામાં વિચરવું જોઈએ. પૂ. મહાસતીજી પ્રથમથી જ અપ્રમાદી હતાં. પોતાની દીક્ષાની શોભાયાત્રા સમયે કંઠસ્થ કરેલા થોકડા આદિ મનમાં ફેરવી લેતા. તેમની એકાગ્રતા એટલી હતી કે ગમે તેવો ઘોંઘાટ હોય તો પણ ભૂલ ન પડે. ‘સમય ગોયમ ! મા પમાયણ' આ શાસ્ત્ર વાક્યને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યું હતું. ‘‘વિળયે વેજ્ઞ અપ્પાળમિ ંતો હિંગમષ્યનો ।’' આત્માનું હિત ઈચ્છનારે પોતાની જાતને વિનયમાં સ્થાપિત કરવી જોઈએ, અર્થાત્ વિનયી થવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનના ભાવોને એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. ગુરૂણીને સમર્પિત થઈને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ આત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ કરવા લાગ્યા. આગમના અર્ક રૂપ થોકડા તથા જૈન શાસ્ત્રોના મૂળપાઠ તથા અર્થ કંઠસ્થ કરીને ખૂબ સારું જ્ઞાન સંપાદન કર્યું. સૌમ્ય પ્રકૃતિ, સંયમની શુદ્ધિ તથા શાસ્ત્ર પદ્ધતિએ વ્યાખ્યાન આપવાની કળાથી શાસનની ખૂબ જ પ્રભાવના કરતા. તેઓ બૃહદ્ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ધર્મનો સારો પ્રસાર કરતા હતા. સ્વભાવે એટલા બધા સરળ હતા કે અમદાવાદના ભાવિકો તેમને “ભગવાન” કહીને સંબોધતા હતા. Page #450 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૩૭ હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે.” વિ.સંવત ૨૦૪૨, ફાગણ વદમાં પૂ. મહાસતીજીને ગળામાં થાઈરોઈડની ગાંઠ નીકળી. ડોકટરે ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન પછી ગાંઠની બાયોપ્સી રાજકોટમાં કરાવતાં તે કેન્સર ગાંઠ' હોવાનું તારણ નીકળ્યું. બોલવાનું તદન બંધ થઈ ગયું. ડોકટરે કહ્યું, સ્વરપેટીને નુકસાન થયું હોવાથી હવે બોલવાના ચાન્સ બહુ ઓછા છે. પરંતુ પૂ. મહાસતીજીને નવકાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી. ઓપરેશન બાદ તરતજ સાડા ત્રણ કરોડ નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” પદની આરાધના શરૂ કરી. દરરોજ અરિહંત પદની ૫૦ માળા ગણતા. આ રીતે દરરોજ ૫,૦૦૦ થી વધારે જાપ થવા લાગ્યા. દોઢ મહિના સુધી આ જાપ અવિરતપણે ચાલુ રહ્યા. વાચા બિલકુલ બંધ થઈ ગઈ હતી તે નવકાર મહામંત્રના પ્રભાવે ચમત્કાર સર્જાયો. પૂ. મહાસતીજીને કેન્સર મટી ગયું તથા રાજકોટ મુકામે કરવામાં આવેલ સ્પીચ થેરાપીની સારવાર સફળ નીવડી અને સ્વરપેટી કામ કરતી થઈ ગઈ. નવકાર મહામંત્રની આવી શ્રદ્ધાથી સૌને પ્રભાવિત કરી દીધા. વિ. સંવત ૨૦૪૪ ના ભોરારા ચાતુર્માસથી પુનઃ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે ૨૦૪૯ ના સમાઘોઘા ચાતુર્માસ સુધી જિનવાણીની સરિતા વહાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સં. ૨૦૪૮ ના અમદાવાદ (પાલડી) ચાતુર્માસમાં પક્ષઘાતની બિમારી છતાં જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં સ્થિર થઈ નવકાર મહામંત્રના અખંડ જાપ કરવા લાગ્યા. તેના પ્રભાવથી તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. સં. ૨૦૫૦ ના ભૂજ ચાતુર્માસમાં પણ પોતે માંગલિક ફરમાવતા. એમની સરળતાથી આબાલવૃદ્ધ પ્રભાવિત થઈ જતા. પ્રભુ નામની ઔષધિ, ખરા ભાવથી ખાય; રોગ શોગ આવે નહિ, સંકટ સવિ મીટ જાય” વિ.સં. ૨૦૪૩ ની સાલે માળિયા મુકામે ત્રણ દિવસ બેશુદ્ધ અવસ્થામાં હતા. ત્યાંથી મોરબી લઈ જવામાં આવ્યા. ત્યાં બે દિવસ બેશુદ્ધ અવસ્થામાં રહ્યા પરંતુ અરિહંતના નિરંતર જાપ ચાલુ કરી દીધા. મોરબીના કન્સલ્ટીંગ એમ.ડી. ડોકટર એન.યુ. સંઘવીએ સાચા ભાવથી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. તેઓ નવાઈ પામી ગયા કે મહાસતીજીની નવકાર મંત્ર પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા ! ડોકટરને થયું કે મારી દવા કરતાં જાપથી મળેલી દુવા મહાસતીજીને સારું કરી દેશે. ખરેખર પ્રભુ નામની ઔષધિમાં અમૂલ્ય લાભ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પૂ. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી 1 ગુરૂણી અમારા ગુણના ભંડારા, વિ.સં. ૨૦૪૫ ના મહા સુદિ-૫ ના પૂ. તીર્થસ્વરૂપા મહાશ્રમણી વેલબાઈ મહાસતીજીની જન્મ શતાબ્દિ તથા શાસનોદ્ધારક પૂ. આચાર્ય ભગવંત શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ૬૭ વર્ષની ઉંમરે ઉપવાસ વર્ષીતપ અખંડ ચલાવ્યો. પોતાના સાધના કાળમાં ૧૦ઉપવાસ, અઠ્ઠાઈ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, બે વર્ષીતપ, એક વર્ષ એકાંતરા આયંબિલ, એક વર્ષ એકાંતરનીવી, ૨૦ સ્થાનકની ઉપવાસે ઓળી, ૨૫૦ પચ્ચખ્ખાણ ઉપરાંત અઠ્ઠમ, છઠ્ઠ આદિ પુષ્કળ તપસ્યા કરી હતી. પૂ. મહાસતીજી હંમેશા માતા જેવા વાત્સલ્યભાવથી શ્રાવક-શ્રાવિકાઓને તેમનું જીવન ઉન્નત બનાવવા બોધ આપતા કહેતા કે જીવન ઉગતું બનાવવું છે તો સૂર્યમુખી જેવા બની જાવ. સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં સૂર્યમુખી પોતાનું મુખ ફેરવે છે એમ સગુણો હોય તે જ દિશામાં આપણી નજર ફેરવીએ તો આપણામાં પણ સદ્ગુણો આવે છે. પૂ. મહાસતીજી અપ્રમત્ત સાધિકા હતા. પવિત્ર તપ તેજ યુક્ત નિર્મલ ચારિત્રનો તથા સરળતાનો જોટો જડવો મુશ્કેલ છે. તેઓશ્રી ગુણના ભંડાર હતા. તેમના વ્યક્તિત્વને માપવા આપણો માપદંડ ટૂંકો પડે. પૂ. વેલબાઈ માણિક્ય પરિવારના ૧૨૯ સાધ્વીજીના વડેરા સંઘાડાનાયક હતા. તેમના આજીવન અંતેવાસી યુગ્મ શિષ્યરત્નો બા.બ્ર. મીનાકુમારીજી આર્યાજી તથા બા.બ્ર. નિરંજના કુમારીજી આર્યાજી આદિ ઠાણા-૧૯ ના જીવનશિલ્પી હતા. શાસનના અણમોલ રત્ન હતા. પૂ. મહાસતીજી ભૂજના પનોતા પુત્રી હતા. ભૂજ સંઘના માજી સંઘપતિ સ્વ. મોહનલાલ ભાણજી શાહ તથા સંઘપતિ શ્રી ગુલાબચંદ પોપટલાલ શાહના સગા કાકાઈ બહેન હતા. વિ.સં. ૨૦૫૦ની સાલે તેમનું ચાતુર્માસ ભૂજમાં નક્કી થયું. મોહનભાઈની હાજરીમાં ૨૦ ઠાણાનું ચાતુર્માસ નક્કી થયેલ, પરંતુ મોહનભાઈ એ ચાતુર્માસ પહેલાં જ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તેમની ભાવનાને તેમના ધર્મપત્ની શ્રી વસંતબહેન તથા સુપુત્રો હર્ષદભાઈ તથા હીરેનભાઈએ ચરિતાર્થ કરી. સં. ૨૦૫૦ ની સાલે ભૂજ ચાતુર્માસ પધાર્યા પછી જૈન ભવનમાં સ્થિરવાસ માટે પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી સંઘ વૈયાવચ્ચ માટે આતુર હતો પણ ભાવિના ભેદને કોણ જાણી શકે? ચાતુર્માસના પ્રારંભમાં જ પૂ. મહાસતીજી Page #452 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૩૯ બિમાર પડયા. ભૂજના ખ્યાતનામ ડોકટર અશોક હિન્દુજા (M.D.) તથા ડોકટર જયોતિબહેન હિન્દુજા દંપતીએ હૃદયના ભાવથી સારવાર કરી હતી. પરંતુ તૂટીની કોઈ બૂટી નહિ એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૫૦, અષાઢ વદિ-૪, મંગળવાર, તા. ૨૬-૭-૧૯૯૪ ના રાત્રિએ ૧૧.૨૦ કલાકે આત્મજાગૃતિ સાથે સર્વ જીવોને ખમાવી, ટૂંકી માંદગી ભોગવી ૫૪ વર્ષનો વિશુદ્ધ સંયમ પાળી ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. ભૂજના જૈન તથા જૈનેતર લોકો ચોધાર આંસુએ રડી પડયા. જૈન સમાજના સાતે ગચ્છના ભાવિકોએ પૂ. મહાસતીજીના માનમાં આખો દિવસ કામકાજ બંધ રાખ્યા હતા. ભૂજની આજુબાજુના ગામો સુખપર, માનકુવા, સામત્રા તથા માધાપરનાં જૈન સમાજે પણ અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખી પાલખી યાત્રામાં જોડાયા હતાં. હજારો જૈન-જૈનેતર ભાવિકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જન્મ ભૂમિ - દીક્ષા ભૂમિ તથા સ્વર્ગવાસ ભૂમિ - ભૂજની ભૂમિ ધન્ય બની ગઈ. 'સરળ હૃદયી મહાસતીજી શ્રી વિમળાબાઈ આર્યાજી “નામ વિમલ, જીવન વિમલ, કામ વિમલ, સંયમ વિમલ; ગુરૂ આજ્ઞા કરી સદા અમલ, જન્મારો થયો ગુરૂણી સફલ.” કુલ દીપિકા હતા અમારા, યાદગાર છે પગલાં તમારા” પૂ. વિમળાબાઈ મહાસતીજી લાકડીયા ગામના જ સુપુત્રી હતા. ફરીયા પરિવારમાં સંવત ૧૯૭૬ કારતક સુદ-૫ ના પુણ્યવંતા સંતોકબાઈ માતાની કુક્ષીએ જન્મ લીધો. ધન્ય ગ્રહસ્થાશ્રમી શ્રી ખાંખણભાઈના કુલ દીપિકા બન્યા. માતાને મન કોડ ઘણા ને સંસારમાં પગરણ. આઘોઈના હાલ લાકડીયાના નાથાભાઈ ગડાના સુપુત્ર હેમરાજભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. સંસારે ક્રૂરતા ફેલાવાની બાથ ભીડી પણ. મક્કમ પગલે તેને પણ ચેલેન્જ આપી. યુવાન વયમાં જ વૈરાગ્ય વાસીત થઈ સંયમ લેવાનો નિર્ધાર કર્યો... મેરો મન હુવો વૈરાગી, કાકર બન રહું સોભાગી” પૂ. વિમળાબાઈ મ.સ. સંવત ૧૯૯૯ ફાગણ સુદ-૨, ગુરૂવારના પૂ. તપસ્વી ગુરૂદેવ શામજી સ્વામીના શ્રીમુખે વેલ-માણિક્ય - પરિવારના વિદુષી મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી ગુરૂણીશ્રીના સાંનિધ્યમાં ૨૩ વર્ષની ઉંમરે Page #453 -------------------------------------------------------------------------- ________________ ४४० મહાસતીજી શ્રી વિમળાબાઈ આર્યાજી લાકડીયા ગામમાં દિક્ષીત થયા. જૈન શાસનના ચરણે સમર્પિત થયા. એમના અંતરની એક જ અભિલાષા હતી. ગુરૂની પ્રસન્નતા એ જ મારી પ્રસન્નતા. ગુરૂની આજ્ઞા એ જ મારો શ્વાસ. ગુરૂની સેવા એ જ મારો વિશ્વાસ. સમય સમયનો સદુપયોગ કરતા રહ્યા ને મસ્ત સંયમ જીવનમાં વધતાં રહ્યા આગે ને આગે... ગુરૂ એમના હૃદયમાં તો વસી ગયા. તેઓશ્રી પણ ગુરૂના હૃદયમાં વસી ગયા... “વન પણ બન્યા ઉપવન, ખીલ્યા પગ પગ સુમન; લહેરાયા ચોતરફ ચમન, ઓ ગુરૂણી આપને અગણિત નમન.” પૂ. વિમળાબાઈ મ. ની સંયમ પર્યાય ૬૨ વર્ષ હતી. ૬૨ વર્ષ સંયમ પર્યાય દરમ્યાન કચ્છ - કાઠિયાવાડ – ગુજરાતમાં વિચર્યા અને વાગડ પ્રાંતમાં સુવઈ – રવ-ત્રંબૌ - રામવાવ વગેરેના ઉધ્ધારક બન્યા. હૃદયમાં મૈત્રીભાવના વહેતાં ઝરણાં સાથે નિવાસ કર્યો... જોઈએ તેટલા માનવી તો ઘણા મળે છે પણ જોઈએ તેવા સંત તો જુજ જ મળે છે. બસ તેમાં એક આપ હતાં કે આપની ઉદાર ભાવના દ્વારા સહુને ધર્માનુયાયી બનાવતા. હૃદયમાં વાત્સલ્ય અને મુખમાં મીઠાશ આ બે ઉત્તમ શસ્ત્રો દ્વારા સહુને જીતવાની અજબ કળા ધરાવતાં, વિચરણ કરતાં સાથે સાથે સ્વાધ્યાયની સરગમ દ્વારા આત્માનંદ અનુભવતા... જાજરમાન કરાવે ઝાંખી, એવી આભા સદાય રાખી” પૂ. મ. શ્રી વિમળાબાઈ સ્વામીનું આગવું વ્યક્તિત્વ એવું હતું કે એમની ઝાંખી કરતાં જ માન પેદા થાય. સંપૂર્ણ સ્વાવલંબી અને સ્વમાની જીવન... નિરાશા અને પરવશતા તો એમની ચારે તરફ ચક્કર લગાવીને દર્શન કરી દૂર ચાલી જતી. સ્વસ્થ અને સદા મસ્ત, સેવા કરવી પણ લેવી નહીં. બને ત્યાં સુધી જીવન ચર્યા જાતે જ કરી લેવી એવો મક્કમ ઉલ્લાસ હતો. કેટલાય આત્માઓએ પૂ. શ્રીના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વજીવન સ્વસ્થ બનાવ્યા. આ હતી આપની ગુણગરિમા જેવા કે સરળતા, ગંભીરતા, સૌમ્યતા, વૈરાગ્ય, સેવાભાવ, જયણાવંત સહનશીલતા... આદિ અનેક... “તુમ હમારે રાહબર રહે, તુમ હમારે માલી તુમ્હારે હી હાથો સે, હમારી જીવન કલા ખિલી” પૂગુરૂણીશ્રીએ સંસારની અસારતા સ્વજીવનમાં ઘૂંટી અને ઘૂંટડા ભવ્યાત્માઓને પાયાને એ રસ પીતાં (૨) કેટલાયે શિષ્યાઓને વૈરાગ્ય - વાસીત બનાવ્યા... અનેક આત્માઓને સંસારથી મુક્ત કરી કૃતાર્થ કર્યા. Page #454 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૪૧ વેલ-માણિક્ય પરિવારના ૧૩૩ ઠાણાઓના શિરમોર બન્યા.’ રોગને પણ કહેવું પડયું હું પ્રયોગ છું તમારો.” મસ્ત સંયમ જીવન જીવતાં પૂ. શ્રીના શરીરમાં અસ્વસ્થતા આવી છતાં સ્વયં તો સ્વસ્થ જ હતાં. છેલ્લા કેટલાંક સમયથી બાહ્ય સ્મૃતિ નહીં પણ સંયમ જાગૃતિ તો રગેરગમાં... રોગને પણ થયું કે શું અહીં લેબોરેટરીમાં જેમ રોગનો પ્રયોગ (નિદાન) કરવામાં આવે તેમ અહીં મારો પ્રયોગ થઈ રહ્યો છે કે શું? ના કયારેય હાયવોય નહીં... કયારેય શોક નહીં... સદાબહાર મસ્તી-સદાય ચિત્ત પ્રસન્નતા અને આખીર રહ્યા “રહ્યા પણ થોડા દિવસ. શું આટલેથી જ બસ.' પૂ. શ્રી જ્યારે દેહથી હલન-ચલન કરવામાં અસમર્થ થયા ત્યારે લાકડીયા સંઘની વિનંતીને માન આપી સ્થિરવાસ રહ્યા... પુણ્યપ્રબળ... જેમ તિર્થંકરની સામે દેવો ખડા હોય સેવામાં તેમ પૂ. શ્રીની પાસે શિષ્યાઓ હાજર હોય... દેહની સેવા તો ખરી જ પણ સાથે આત્માની પણ એવી જ સેવા જાગૃતિ રખાવવા માટે સતત સ્વાધ્યાયની રમઝટ... સંયમ જીવનમાં જરા પણ દોષ ન લાગે તેના વિશે સંપૂર્ણ જાગૃતિ હતી પૂ. શ્રીની. “અને આવી અંતિમ ઘડી, રડી હર જનની આંખડી” પૂ. શ્રીના છેલ્લા (૨) દિવસોમાં અનેક સતીજીઓ, ભક્તો દર્શનાર્થે આવતા - એની મીઠી નજર પડતાં ને બધા પ્રસન્ન થઈ જતાં. અમને હતું હજી વાર છે. પણ તમે તો ચાલ્યા. અને બસ આવી ગયો જેઠ સુદ-૫ નો દિવસ... શિષ્યાઓ... સંઘ અને સમસ્ત જનની હાજરીમાં હંસરાજ પરલોકની તૈયારીએ લાગ્યા... પુ. કળાબાઈ મ.સ., પૂ. તમન્નાબાઈ મ.સ., પૂ. વૈશાલીબાઈ મ.સ. ની હાજરીમાં અંતિમ સમયે આલોચના - છેદ આલોચના, અડધા કલાકનું અનશન સંપૂર્ણ જાગૃતિ સાથે પૂ. શ્રીને આપ્યું. આપ જાગૃત છો ને ? અનશન આપુ? એવો પ્રશ્ન પૂછતાં પૂ. શ્રીએ તરત “હા” કહી અને છેલ્લે એટેક આવતાં જ... સફર ચાલુ થઈને આંખડી આંસુ સભર બની... પૂ. મહાસતીજી શ્રી વિમળાબાઈ મહાસતીજીના આજીવન અંતેવાસી બા.બ્ર. તમન્નાબાઈ આર્યાજી, બા.બ્ર. અનિશાબાઈ આર્યાજી, બા.બ્ર. પ્રભંજનાજી તથા બા.બ્ર. વીરાંગનાજી ઠા. ૪ ખૂબ જ સેવા કરી હતી તથા લાકડિયા છકોટિ જૈન સંઘે પણ ખૂબ જ સેવાનો લાભ લીધો હતો. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પૂ. ભાનુમતીબાઈ મહાસતીજી સરળતાની સરવાણીસમા ભાનુમતીબાઈ મહાસતીજી 'તથા સેવાભાવી સરસ્વતીબાઈ આર્યાજી સરળદ્ભયી પૂ. ભાનુમતીબાઈ મહાસતીજીનો જન્મ કચ્છ-વાગડ પ્રાંતના ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં વિ.સં. ૧૯૬૮, શ્રાવણ સુદિ-પના દિવસે થયો હતો. તેઓ જ્ઞાતિએ વિશા ઓસવાળ જૈન હતા. તેમની અટક ગડા હતી. માતાનું નામ લાડુબહેન તથા પિતાનું નામ થોભણભાઈ સામત ગડા હતું. નાની ઉંમરમાં તેમના લગ્ન પણ થયેલા પરંતુ થોડા જ વર્ષોમાં વૈધવ્ય આવ્યું. તેમનું સંસારી નામ ભાણબાઈ હતું. તેઓશ્રી મોટા પુરીબાઈ મહાસતીજીના સંવાડાના બા.બ્ર.પૂ. લક્ષ્મીબાઈ મહાસતીજીના સત્સંગમાં આવ્યા તથા વૈરાગ્યના રંગે રંગાયા. એમની સાથે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો તથા સંયમજીવનની તાલીમ લીધી. પિતૃપક્ષ તથા શ્વસુર પક્ષની અનુમતિ માગી. સારા માર્ગે જનાર સુપુત્રી બંને કુળને અજવાળે છે એમ માની બંને પક્ષોએ પ્રેમથી અનુમતિ આપી. અજરામર સંપ્રદાયમાં સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી વિ.સં. ૧૯૯૯, ફાગણ વદ-૫, ગુરૂવારના શુભ દિને વઢવાણ શહેરમાં દીક્ષા અંગીકાર કરી પૂ. ગુરૂદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીએ તેમને મહાસતીજી શ્રી લક્ષ્મીબાઈ આર્યાજીને શિષ્યા તરીકે સોંપ્યા. તેમનું નૂતન નામ “ભાનુમતીબાઈ મહાસતીજી' રાખવામાં આવ્યું. શ્રી ભાનુમતીબાઈ મ. ખૂબ જ સરળ અને સેવાભાવી હતા. તેમના ગુરૂણીની ખૂબ જ સેવા કરીને શાતા પમાડી હતી. ગામડાઓમાં વિશેષ વિચરણ તથા ધર્મપ્રભાવના : પૂ. ભાનુમતીબાઈ મ.ના એક શિષ્યા થયા. જેમનું નામ સરસ્વતીબાઈ આર્યાજી. તેઓ મોરબી પંથકના કોયલી ગામમાં જન્મ્યા હતા. દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. એમનું ગોત્ર મહેતા હતું. એમના પિતાનું નામ જીવરાજભાઈ કાળીદાસભાઈ હતું તથા માતાનું નામ સૂરજ બહેન હતું. તેમનો જન્મ વિ.સં. ૧૯૮૫ની સાલે થયો હતો. નાની ઉંમરમાં તેમના લગ્ન પણ થયેલા, પરંતુ ટૂંક સમયમાં ઘરભંગ થતાં વૈરાગ્ય જાગ્યો અને પૂ. ભાનુમતીબાઈ મ.ના સત્સંગથી સંયમ લેવાના ભાવ જાગ્યા. એમની દીક્ષા લીંબડી મુકામે સં. ૨૦૧૬, વૈશાખ સુદિ-૧૧ના દિવસે થયેલી. એમની સાથે શ્રી દિવ્યપ્રભાબાઈ મ. તથા શ્રી વસંતપ્રભાબાઈ મ.ની દીક્ષા Page #456 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४४३ પણ થઈ હતી. સર્વેને દીક્ષાનો પાઠ કવિવર્ય પૂ.શ્રી નાનચંદ્રજી સ્વામીએ ભણાવ્યો હતો. પૂર્વાશ્રમમાં પણ જેમનું નામ સરસ્વતી હતું એવા સરસ્વતીબાઈ મહાસતીજી ખૂબ જ સેવાભાવી હતી. ગુરૂણીશ્રી ભાનુમતીબાઈ મ.ની ખૂબ જ સેવા કરતા. બંને ઠાણા વચ્ચે અનૂપમ સ્નેહભાવ હતો. પૂ. ભાનુમતીબાઈ મ. તથા સરસ્વતીબાઈ મ. ઠાણા-૨ વિશેષ પ્રમાણમાં સરા, સુદામડા, રામપરા, ગુંદીયાળા, ધાંધલપુર, ચુડા, ચોટીલા, શિયાણી, પાણશીણા આદિ ઝાલાવાડના નાના ક્ષેત્રોમાં વિચરતા, ચાતુર્માસનો લાભ આપતા તથા જૈન-જૈનેતરોને પ્રતિબોધ પમાડતા. જૂના રાસ વાંચી આમ જનતાને ધર્મના માર્ગે વાળતા. પૂ. ગુલાબ-વીર ગુરૂભગવંતો તથા પૂ. રૂપ-નવલ ગુરૂદેવો તરફ તેમને અનન્ય ભક્તિભાવ હતો. પૂ. ગુરૂભગવંતો પણ તેમની સારણા-વારણા સારી રીતે કરતા. બંને ઠાણા વિ.સં. ૨૦૪૪ની સાલે પૂ. દીર્ઘદ્રષ્ટા મધુરવક્તા ભાસ્કર સ્વામીની નિશ્રામાં મોટી રવ (વાગડ-કચ્છ)માં ચાતુર્માસ કરેલું. પોતાના ગુરૂભગવંતોની પરંપરા અનુસાર પૂ. ભાવ-ભાસ્કર ગુરૂભગવંતો પણ તે બંને ઠાણાની સારી સંભાળ રાખતા. બંને મહાસતીજીઓ નાની-મોટી તપસ્યા પણ ખૂબ જ કરતા. વિ.સં. ૨૦૫૧ની સાલે બંને ઠાણાઓએ છઠ્ઠના પારણે છઠ્ઠનો વર્ષીતપ કર્યો હતો. જેના પારણા અખાત્રીજના દિવસે લાકડિયા મુકામે પૂ. ગુરૂ ભગવંતશ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓની નિશ્રામાં ખૂબ જ ભવ્યતાથી થયા હતા. એમની આવી ઉગ્ર તપસ્યાની અનુમોદનારૂપે ખુદ પૂ. ભાવચંદ્રજી સ્વામીએ પણ ઘણી પ્રતિજ્ઞાઓ અંગીકાર કરી હતી. ગાદીના ધામમાં સ્થિરવાસ તથા સંઘની શ્રેષ્ઠ સેવા છેલ્લા થોડા વર્ષો બંને મહાસતીજી મોટી ઉંમર તથા નાદુરસ્ત તબિયતના કારણે લીંબડીમાં સ્થિરવાસ રહેલા. સંઘના સર્વે આગેવાનો તથા આબાલવૃદ્ધ સર્વે તેમની ખૂબ જ સેવા બજાવતા તથા શાતા પમાડતા હતા. બંને મહાસતીજીઓ પૂ. આચાર્ય શ્રીમદ્ રૂપનવલ ગુરૂદેવના પરિવારના સર્વે નાના-મોટા સંતોને જોઈને અત્યંત પ્રમોદભાવ વ્યક્ત કરતા તથા ભક્તિભાવથી કહેતા કે અમારા ગુરૂનો પરિવાર કેવો ફાલ્યો ફૂલ્યો છે. તમે બધા ગુરૂના નામને ખૂબ ખૂબ રોશન કરજો ઈત્યાદિ વાત્સલ્યભર્યા શબ્દો ઉચ્ચારી જૂના ભંડારોમાં જે કાંઈ સારા પુસ્તકો, ઉપકરણો આદિ હતા તે ઉદારતાથી સર્વેને આપતા. Page #457 -------------------------------------------------------------------------- ________________ ४४४ પૂ. ધનગૌરીબાઈ મહાસતીજી “Old is Gold' જૂનું એટલું સોનું. આ ઉક્તિ અનુસાર જૂના સાધુ-સાધ્વીજીની સરળતા, સેવાભાવના, લાગણીશીલતા આદિ ગુણો ખરેખર અનૂપમ હતા. જેણે જેણે એનો અનુભવ કર્યો હોય તેને જ એનો ખ્યાલ હોય. અમદાવાદની નૂતન હોસ્પીટલ “સાલ”ના ડૉક્ટરોએ તથા સુરેન્દ્રનગરના ખ્યાતનામ ડૉ. જયોતિનભાઈ એસ. શાહે તેમની સારી સેવા કરી હતી. પૂ. ભાનુમતીબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૫૮ ફાગણ વદિ-૧૧ તા. ૮૪-૨૦૦૨ના દિવસે સુરેન્દ્રનગર મુકામે સમાધિભાવે કાળધર્મ પામ્યા. એમની પાલખી લીંબડીમાં રાખવામાં આવેલ. એમના મૃત્યુ મહોત્સવમાં જીવદયા આદિનો સારો ફાળો થયો હતો. ગુજરાતના ભૂતપૂર્વ નાણામંત્રી તથા વર્તમાન ધારાસભ્ય શ્રી બાબુલાલ મેઘજી શાહ તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ કુ. જાગૃતિબહેન બાબુલાલ શાહ તેમના પિતૃપક્ષીય કુટુંબીજનો થાય. સર્વે એશીયાણી ગડા પરિવારના છે. પૂ. સરસ્વતીબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૫૯ની સાલે લીંબડી મુકામે તા. ૯-૭-૨૦૦૩ના સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. એ પ્રસંગે પણ જીવદયા આદિનું ફંડ થયેલ. ( પૂ. તપસ્વિની ધનગૌરીબાઈ મહાસતીજી સમર્થ ગુણના ભંડાર ગુરૂણી ધનગવરી હતા આપ મંજુલ પરિવારમાં હતા સર્વોપરિ શરણુ આપી અમને ઉગારી બન્યા હતા ઉપકારી એવા વાત્સલ્યદાતા ગુરૂણીને વંદના છે ભાવભરી દિલ અને દૃષ્ટિને આકર્ષિત કરનાર પુષ્પો ઉપવનમાં સમયે સમયે દ્રશ્યમાન થતા હોય છે પણ સૌંદર્ય સુકોમલતાને સુવાસ સભર પુષ્પો એવા હોય છે જે પોતાની અલૌકિક ભાત ઉપસાવે છે. સંસારમાં પણ આકર્ષક વિશેષતા ધરાવનાર માનવો સમયે સમયે જન્મ લેતા હોય છે પણ સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર યુક્ત સુગંધી પુષ્પો કોઈક વિરલજ હોય Page #458 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૪૫ આવાજ એક અનોખું વ્યક્તિત્વ ધરાવનાર એક મહાન વ્યક્તિ એટલે સ્વ. પૂ. ધનગૌરીબાઈ મહાસતીજી. ઠાણાંગસૂત્રમાં બતાવેલ શ્રીફલ જેવા ઉ૫૨થી કઠોર અંદરથી નરમ પ્રકૃતિ ધારક સરલહૃદયી વિશુધ્ધ સંયમી જીવન જીવી જનાર કચ્છ મુદ્રા તાલુકાના પાવન ભુજપુર ભૂમિમાં વિ.સં. ૧૯૮૦ દેઢિયા પરિવારમાં પિતાશ્રી મોણસીભાઈના ઘેર ધર્મવત્સલા માતુશ્રી ગંગાદેવીની કુક્ષીએ જન્મ થયો. તેમનું સંસારી નામ ભાણબાઈ હતું. ધર્મ સંસ્કારયુક્ત બાલ્યજીવન પસાર કરી યુવાવસ્થાએ પહોંચતા કચ્છમાં નાની તુંબડી ગામે સાવલા પરિવારમાં ગણપતભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સમય કોઈનો સરખો જતો નથી. કભી ખુશી કભી ગમ એ છે જીવનનો ક્રમ. વિધાતાને આ સુખ પણ મંજૂર ન હતું. ગૃહસ્થાશ્રમનું સુખ નંદવાતા સંસારની નશ્વરતાને જાણી જીવન સંયમમાર્ગ તરફ આકર્ષણ થતા પુન્યોદયે વાગડની વિરલ વિભૂતિ સિંહવૃત્તિ ધરાવતા ૧૨ વર્ષ સુધી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વ્યાખ્યાન આપનાર ૯૨ વર્ષની ઉંમરે પણ અપ્રમત્ત ભાવે રહેનાર અનંત ઉપકારિણી બહુસૂત્રી પૂ. ગુરૂણીશ્રી કુંવરબાઈ મહા. તથા સરલાત્મા પૂ. શ્રી મણીબાઈ મ.સ. નો સમાગમ થતા વૈરાગ્ય દ્રઢ બનાવી માત્ર ૨૦ વર્ષની ઉંમરે નાની તુંબડી ગામે તપસ્વીરત્ન પૂ. શ્રી શામજીસ્વામીના વરહસ્તે વિ.સં. ૨૦૦૦ વૈશાખ સુદ-૧૧ ના પવિત્ર દિને સંયમ અંગિકાર કર્યો. સંયમ ભાવમાં રહી જીનાજ્ઞા- ગુર્વજ્ઞા મંત્રને આત્મસાત કરી સવિ જીવ કરૂં શાસનરસીના નાદ સાથે અનેકોને આરાધક ભાવોમાં આગળ વધારી શરણ આપી તિજ્ઞાણં તારયાણં સૂત્રને ચરિતાર્થ કર્યો. પૂ. ગુરૂણીશ્રીના જીવનમાં સેવા-વૈયાવચ્ચનો ગુણ પ્રસંશનીય હતો. વર્તમાને વિચરતા ગુરૂણીશ્રી ગુણવંતી બાઈ મ.સ.ના સંયમ પર્યાયને માત્ર ૧૨ મહિના જ થયા હતા ત્યાં અશાતાનો પ્રબળ ઉદય થતા અરજન્ટ ટ્રીટમેન્ટ માટે કચ્છ ભુજ હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનનો ઉપયોગ આવશ્યક બન્યો. ભચાઉ શ્રી સંઘે વાહનનો ઉપયોગ કરી ભુજ લઈ જવાનો આગ્રહ કર્યો પણ પૂ. ગુણવંતીબાઈ મ.સ. વાહનનો ઉપયોગ કરવા હરગીજ તૈયાર ન હતા, તો પૂ. ધનગવરીબાઈ મ.સ. એ શિષ્યાના સંયમ અનુરાગને અનુમોદના કરી ખુદ વિહારમાં એકલા જ સાથે રહીને ભાવપૂર્વક શિષ્યાની સેવા કરી નૂતન જીવન અર્યું. વ.સં. ૨૦૩૩મા મુલુન્ડ (વે)ના મોટા ઉપાશ્રયમાં યાદગાર ચાતુર્માસ થયેલ હતું. ૧૦ બહેનોએ માસખમણની ઉગ્ર તપસ્યા કરીને ચાતુર્માસને ઐતિહાસિક બનાવ્યું હતું. આજે પણ લોક મુખે એ જ વચનો નીકળે છે કે પૂ. તપસ્વિની ધનગૌરીબાઈ મ.ના પુષ્પ પ્રતાપે જે તપસ્યા થઈ હતી તેવી તપસ્યા હજી સુધી થઈ નથી. ધન્ય છે એ તપસ્વિની સેવામૂર્તિ ગુરૂણીને ! Page #459 -------------------------------------------------------------------------- ________________ ४४६ પૂ. પુષ્પાબાઈ મહાસતીજી સં. ૨૦૩૪ માં ચિંચપોકલીમાં પૂ. ધનગવરીબાઈ મ.સ. એ ચાતુર્માસ કરેલ ત્યારે પૂ. રશ્મિનાબાઈ મ.સ.ને ટાઈફોડ સાથે જોરદાર જુલાબ થયેલ. પૂ. મ.સ. ત્રણ રાત્રી તેમની પાસે જ રહીને લઘુનીત-વડીનીત ખુદ પોતે પરઠવી આવ્યા. આવો સેવાનો અજોડ ગુણ જેમને વરેલો હતો. શિષ્ય ગુરૂની સેવા કરે તે સદ્ભાગ્ય પણ ગુરૂ શિષ્યની સેવા કરે તે મહાભાગ્ય કહી શકાય. સેવા સાથે અપ્રમત્ત પણ એવા હતા. લઘુ શિષ્યાઓને ભણાવવા માટે ખુદ અભ્યાસ કરવા બેસી જતાં. શરણમાં આવેલી વે. બહેનોને ગૃહસ્થના ઘરે જમવા મોકલતા ત્યારે ખાસ શ્રાવકને ભલામણ કરતા કે આ દિકરીને તમારી દીકરી જાણી જમાડજો. નાના શિષ્યાઓની છદમસ્થ ભાવે કોઈ ક્ષતિ થતી તો પોતે એ ક્ષતિને ખુદ પોતા પર લઈ ટેન્શન મુક્ત કરતા. તપનો ગુણ એમના પ્રાણમાં પૂરાયેલો હતો. જયારે શરીરમાં ગેસ ટ્રબલ સાધારણ જવર જણાતા તરત જ ઉપવાસના પચ્ચખાણ કરી લેતા આવા ઉમદા ગુણોના ધારક ગુરુગુણગાન માટે શબ્દો ઓછા પડે, સમય ટૂંકો પડે. પૂ. ગુરૂણીશ્રીનું વિ.સં. ૨૦૩૫ નું અંતિમ ચાતુર્માસ ભોરારા મુકામે કરી પ્રાગપુર પધાર્યા ત્યાં સાધારણ તાવનો ભોગ બનતા વિ.સં. ૨૦૩૬ ને કારતક વદ-૭ ના મંગલ પ્રભાતે સવારે ૬ વાગ્યે સમાધિ યુક્ત કાળધર્મ પામ્યા. એમની પાલખીયાત્રાનો લાભ કચ્છ પ્રાગપુર શ્રી કોટી સ્થા. જૈન સંઘે લીધો. ભવ્ય ઠાઠમાઠથી અંતિમ યાત્રાનું આયોજન કરેલ હતું. પૂ. સ્વ. ગુરૂણીની અનન્ય કૃપાથી ગુણ-મંડુલ પરિવાર સર્વ પ્રકારે ફુલ્યો છે ફાલ્યો છે. ઓ અનંત ઉપકારિણી ગુરૂણીમૈયા! આપના સંસ્કાર અમારા જીવનની સૌરભ બની રહે, આપનું જીવન અમારી જ્યોત બની રહે; આપનો સ્નેહ અમારી સમૃદ્ધિ બની રહે, આપના આશિષ અમારી અંતરચેતના બની રહે. 'આજીવન અનશન વ્રતધારી પૂ. પુષ્પાબાઈ મહાસતીજી) તેનો જન્મ વિ.સં. ૧૯૮૪, આસો સુદિ-૧૩ના દિવસે દશા શ્રીમાળી જ્ઞાતિમાં પિતાશ્રી માણેકચંદ દેવચંદ દોઢીવાળા તથા માતાશ્રી કંકુબાઈની કુક્ષિએ Page #460 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४४७ તરણેતર મુકામે થયો હતો. તેમનું મૂળ વતન થાનગઢ હતું. તેઓશ્રી પૂ. સમરતબાઈ મ. ના સંધાડાના પૂ. હેમકુંવરબાઈ આર્યાજીના સત્સંગથી ધર્મના રંગે રંગાયા અને વિ.સં. ૨૦૦૬ની સાલે ચૈત્ર સુદિ-૭ના દિવસે સાયલા (ભગતના ગામમાં) મુકામે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા લીધી હતી. પૂ. ગુરૂણીશ્રી હેમકુંવરબાઈ મ. ની ખૂબ જ સેવા કરી હતી. લીંબડીમાં મોટા મહાસતીજી સ્થિરવાસ રહ્યા હતા. પુષ્પાબાઈ મ. છેલ્લે થોડાં વર્ષ અમદાવાદમાં શારીરિક કારણે રહ્યા હતા. લીંબડી પધારતા રસ્તામાં અકસ્માત થયો તેમાં બચી ગયા પણ શરીર ઉપર ઘણી અસર થઈ. ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા ત્યારે તેમણે આજીવન અનશન (સંથારો) અંગીકાર કર્યું. પ૩ દિવસ સંથારો ચાલ્યો. સમાધિભાવે લીંબડીમાં સ્વર્ગવાસ સં. ૨૦૬૦ની સાલે તા. ૧૯-૨-૦૪ના દિવસે પામ્યા. એમના ત્રણ શિષ્યાઓ થયા (૧) ઉર્મિલાબાઈ મ. (૨) અનિશાબાઈ મ. (૩) પ્રિયંકાબાઈ મ. ત્રણે શિષ્યાઓએ તેમની ખૂબજ સેવા કરી હતી. પૂ. શ્રી બા.બ્ર. દીક્ષિતાબાઈ મહાસતીજી બા.બ્ર.પૂ. દીક્ષિતાબાઈ મહાસતીજીનો જન્મ મનફરા ગામે સંવત ૧૯૯૬ ની સાલમાં માતા સંતોકબહેન તથા પિતા પચાણભાઈ ગાલાને ત્યાં થયો હતો. બાળપણમાં ઘોડીયા લગ્નની પ્રથા હોવાના કારણે તેમનું સગપણ મનફરા ગામના ગાંગજી વીરા સત્રા સાથે થયેલા પરંતુ સંઘાડાના શિરોમણિ પૂ. રત્ન-સૂર્ય ગુરૂણી મૈયાના સત્સંગે વૈરાગ્ય ભાવ પ્રગટ થયો તેથી મીરાંબાઈની જેમ વિચાર્યું કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો; રાંડવાનો ભય ટાળ્યો રે, તેમણે વડીલોની સંમતિથી સગપણ વિસર્જિત કરાવી ગુરૂણીશ્રીના ચરણે સમર્પિત થઈ ગયા. વિ.સં. ૨૦૧૧ ની સાલમાં ફાગણ સુદ-૨ ના દિવસે વિરમગામ મુકામે પંડિતરત્ન પૂ. પૂનમચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી “બા.બ્ર. દીક્ષિતાબાઈ આર્યાજી” બન્યા. તેઓ શ્રી પૂ. રતનબાઈ મહાસતીજીના સુશિષ્યા તરીકે જાહેર થયા. Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४८ પૂ. લીલાબાઈ મહાસતીજી તેઓશ્રી શાંત, સરળ અને નિખાલસ પ્રકૃતિના હતા. વડીલોની સેવામાં તેઓ સદૈવ ઓતપ્રોત રહેતા હતા. વિનમ્ર ભાવે સેવા કરતા જીવન ધન્ય બનાવી રહ્યા હતા. વિ.સં. ૨૦૪૧ ની સાલમાં તેમને લકવાની અસર થઈ. તેમની સમતા ખુબ જ હતી. સં. ૨૦૪૨ ની સાલમાં સમાઘોઘા મુકામે ફાગણ સુદિ-૬ ના દિવસે પૂ. રત્નસૂર્ય ગુરૂણીમૈયાના ચરણ-શરણમાં સંલેખના-સંથારા સહિત માત્ર ૪૭ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી તથા ૪૭ માં વર્ષે સ્વર્ગવાસી થયા. તેઓશ્રી કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રદેશોમાં વિચરી શાસનની શાન ખૂબ જ વધારી હતી. પૂ. દીવાળીબાઈ આર્યાજી તથા પૂ. દીક્ષિતાબાઈ આર્યાજી કાકાઈ બહેનો થતા હતા. 'બા.બ્ર. તપસ્વિની લીલાબાઈ મહાસતીજી પૂ. લીલાબાઈ મહાસતીજીનો જન્મ પૂર્વ કચ્છના રાપર શહેરમાં વિ.સં. ૧૯૯૩ની સાલમાં પુજ પરિવારમાં, વિશાશ્રીમાળી જ્ઞાતિમાં પિતાશ્રી વાલજી ન્યાલચંદ પૂજ તથા માતુશ્રી કંકુબહેનની કુક્ષિએ થયો હતો. તેમનું સંસારી નામ નવલબહેન હતું. તેઓશ્રી તથા તેમના બહેન બા.બ્ર. કલાબાઈ મહાસતીજી (જેઓ હાલમાં વિચરી રહ્યા છે) તેઓ બંને પૂ. વેલ-માણિક્ય-ઉજ્જવળ ગુરૂણીના સત્સંગમાં આવ્યા તથા વૈરાગ્યવાસિત થયા. આ પૂજ પરિવાર નાનો છે પણ એમાં પૂ. વિર મંગળજી સ્વામી આદિ ૧૦ આત્માઓએ દીક્ષા લીધી છે. પૂ. ગુરૂ ભગવંત એક હતા, બીજા બધા મહાસતીજીઓ છે. સર્વે જિનશાસનને દીપાવી રહ્યા છે. વિ.સં. ૨૦૧૩ની સાલે સૌ પ્રથમ સાધ્વીજીઓમાં પૂજ પરિવારમાં પ્રથમ દીક્ષા બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીએ લીધી. યોગાનુયોગ પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીએ પણ પ્રથમ દીક્ષા શ્રી ચંદનબાઈને આપી હતી. વિ.સં. ૨૦૧૪ની સાલે ફાગણ સુદિ-૪ને શનિવારે પૂ. તપસ્વી ગુરૂદેવ શ્રી શામજી સ્વામીના શ્રીમુખે બંને બહેનો નવલબહેન તથા કમળાબહેનની દીક્ષા થઈ તથા તેમના નામ અનુક્રમે બા.બ્ર. લીલાબાઈ મ. તથા બા.બ્ર. કલાબાઈ મ. રાખવામાં આવ્યું. Page #462 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४४८ શ્રી લીલાબાઈ મ. ખૂબ જ સરળ, સેવાભાવી અને તપસ્વી હતા. શાંત સ્વભાવી તથા મિતભાષી હતા. તેઓ નાની મોટી અનેક તપસ્યાઓ કરતા. વર્ષીતપ પણ ઘણીવાર કર્યા હતા. સ્વ. પૂ. લીલાબાઈ મ., પૂ. કલાબાઈ મ.ના ત્રીજા બહેન કુંવરબહેન મણિલાલ મહેતા રામવાવવાળાના આઠ સુપુત્રીઓ બા.બ્ર. વંદિતાબાઈ, મિતાબાઈ, ભારતીબાઈ, ચાંદનીબાઈ, રોશનીબાઈ, સુવ્રતાબાઈ, સુહાનીબાઈ તથા પ્રિયાંશીજીએ દીક્ષા અંગીકાર કરીને જિનશાસન તથા અજરામર સંઘમાં રેકર્ડ પ્રસ્થાપિત કરેલ છે. એમાં મુખ્ય નિમિત્ત બંને માસીનું ગણાય. પ્રથમ મોટા વંદિતાબાઈ મ. માસી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત થયા પછી બહેનના સ્નેહથી એક પછી એક સર્વે બહેનોને દીક્ષાના ભાવ જાગ્યા તથા સર્વે દીક્ષિત થયા. એમના એક જ ભાઈ ભોગીલાલ મણિલાલ મહેતાના એક જ સુપુત્રી કુ. કાજલ પણ દીક્ષાના ભાવ રાખે છે તથા ટૂંક સમયમાં દીક્ષા લેશે. દીવાથી દીવો પ્રગટે તે આનું નામ..... આ પુસ્તકના લેખક મુનિ શ્રી પ્રકાશચંદ્રજીએ પોતાના માદરેવતન ભોરારા ગામમાં પૂ. દેવકુંવરબાઈ મ., બા.બ્ર. લીલાબાઈ મ., બા.બ્ર. કલાબાઈ મ., બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ. ઠાણા-૪નું વિ.સં. ૨૦૨૫નું ચાતુર્માસ બાલ્યાવસ્થામાં માણેલું, ત્યારે એકાસણા આદિ કરીને સંવર પૌષધ કરતા. તે વખતે સવારનું વ્યાખ્યાન બા.બ્ર. લીલાબાઈ મ. ફરમાવતા, બપોરે બા.બ્ર કલાબાઈ મ. ફરમાવતા તથા સવારે પ્રાર્થના બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ. કરાવતા. ત્યારથી ધર્મના સંસ્કાર વધ્યા. વિ.સં. ૨૦૧૮ની સાલે પણ એ જ ચાર ઠાણાનું ચાતુર્માસ ભોરારામાં થયેલું તે પણ એવું જ યાદગાર રહ્યું. તે ચાતુર્માસમાં પણ ઉપરનો જ ક્રમ રહ્યો હતો. આઠ બહેનોના શિરમોર વનિતાબહેન (બા.બ્ર. વંદિતાબાઈ મ.) પ્રથમવાર ભણવા પોતાના માસી મહાસતીજી પાસે ભોરારા આવેલા એટલું યાદ છે. (બા.બ્ર. પ્રજ્ઞાબાઈ મ.ની રતાડિયામાં વિ.સં. ૨૦૨૩માં થયેલી તેમની દીક્ષા મુનિશ્રી પ્રકાશચંદ્રજી એ પ્રથમ જોયેલી.) બા.બ્ર. લીલાબાઈ મ. કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાતોમાં વિચરી સ્વ-પર કલ્યાણ સાધતા હતા. જયાં પધારતા ત્યાં પોતાના શાંત સ્વભાવ, તપસ્યા તથા જિનવાણી દ્વારા શાસન પ્રભાવના કરતા હતા. શ્રી લીલાબાઈ મ. અમદાવાદ ઘાટલોડીયા મુકામે ચાતુર્માસ બિરાજતા હતા. વિ.સં. ૨૦૧૨ની સાલ હતી. આસો સુદ-૪, તા. ૧૫-૧૦-૧૯૯૬ના સમાધિભાવે કાળ ધર્મ પામ્યા. ૬૦ વર્ષની ઉંમર તથા ૩૮ વર્ષનો દીક્ષા પર્યાય પાળી સ્વ-પર હિત સાધી ગયા. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫O પૂ. હસુમતીબાઈ મહાસતીજી 'અદ્વિતીય સમતાના સ્વામી બા.બ્ર. હસુમતીબાઈ મહાસતીજી સૌરાષ્ટ્રમાં એક નાનું પણ વેપારથી ધમધમતું નગર ધોરાજી. ત્યાં છગનભાઈ દેસાઈ સાધનસંપન્ન સગૃહસ્થ હતા. તેમને દીવાળીબેન નામના આદર્શ ગૃહિણી હતા. તેમને ચાર સુપુત્રો હતા પણ સુપુત્રીની ખોટ સાલ્યા કરતી હતી. એક રાતની વાત ! દીવાળીબહેન પથારીમાં નિદ્રાધીન હતાં ત્યાં એકાએક આભાસ થયો, “તારી કૂખે જે આત્મજયોત પાંગરી રહી છે - એની સુવાસ જગતમાં શાશ્વત બનવાની છે.” દીવાળીબહેન ઝબકીને જાગી ગયાં. સ્વપ્રમાં થયેલ આવા આભાસથી તેઓ ખુશ ખુશ થઈ ગયા. ભવ્ય ભાવિના ભણકારા થયા. વિ.સં. ૧૯૯૫, વૈશાખ સુદિ-૮ ને ગુરૂવારના એક સુપુત્રીનો જન્મ થયો. સામાન્ય રીતે જન્મ પછી બાળકો રડતા હોય છે. પરંતુ આ બાળકી વિલક્ષણ હતી. એ રડી નહિ. જીવન આખું સ્મિતના પુષ્પો વેરીને અનેક જીવોને હસાવવા જન્મનારી ચેતના (બાળા) જન્મીને રડી નહિ તેથી ૧૨ દિવસ પછી આ લાડકી સુપુત્રીનું નામ “હસુમતી” આપવામાં આવ્યું. ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીના મોક્ષ કલ્યાણકના સુપ્રભાતે જન્મેલી આ હસુમતી દિન દોગુના રાત ચોગુના વૃદ્ધિ પામવા લાગી. ચાર પુત્રો પછી એક સુપુત્રી જન્મે તે કેટલી લાડકી હોય તે આપણે સમજી શકીએ છીએ. હસુમતીની ઉંમર ચાર વર્ષની થઈ ત્યારે એમના માતુશ્રી દીવાળીબહેને વરસીતપની આરાધના કરી. નાનકડી બાળકીના અંતરમાં ધર્મના બીજનું આરોપણ થઈ જાય છે. 'શિશુકાળના શ્રેષ્ઠ સંસ્કારો તથા સત્સંગનો રંગ હસુમતીને પહેલેથી જ એકાંત ગમતું, ટોળામાં રહેવું ફાવે નહિ ! શાળામાં કોઈનો સ્પર્શ થઈ જાય તો ચે નહિ ! પવિત્ર પુષ્પનું સૌંદર્ય કોઈના ઉપભોગ માટે સર્જાયું ન હતું. એ પવિત્ર રહેવા જ સર્જાયું હતું. આવી રીતે અનાસક્તિના ઈશારાઓ કરતા હસુમતીના સંસ્કારો અન્ય કન્યાઓથી જુદા તરી આવતા હતા. શાળાના અભ્યાસની સાથે જૈનશાળામાં જવાનું પણ ચાલુ હતું. સંસ્કારી કુટુંબમાં આવા સંસ્કારો તો સહજ રીતે હોય છે. ધર્મકથાઓ, સતીઓની વાતો આ બાળાને ખૂબ જ ગમતી હતી. યોગાનુયોગ અજરામર સંપ્રદાયના સૌરાષ્ટ્રમાં વિચરતા પૂ. મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, પૂ. પ્રભાકુંવરબાઈ આર્યાજી, પૂ. મોતીબાઈ આર્યાજી, Page #464 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪પ૧ પૂ. ચંદનબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગમાં આવ્યાં. તેનાથી ધર્મના સંસ્કારો વિશેષ જાગૃત થયા. સૌંદર્ય સંપન્ન ‘હસુ' હસતી રમતી ભણે છે, મોટી થતી જાય છે, જ્ઞાનાભ્યાસમાં આગળ વધતી રહે છે. માતા-પિતા આદિ પુત્રીના આવા વિકાસથી પ્રસન્ન છે પણ એના વૈરાગ્યના રંગની કોને ખબર પડે? પૂર્વ ભવના સંસ્કારો, પૂર્વના પુણ્યોદયથી જ સારા માતા-પિતા, સત્સંગ આદિ પ્રાપ્ત થાય છે. 'સ્વર કિન્નરીને લાગેલો સંગીત રાગ તથા સંતરાગ ચાર ભાઈઓની એકની એક લાડલી બહેન હસુમતી જેમ સ્વરૂપવાન હતી. તેમ મધુરકંઠી પણ હતી. બાલ્યાવસ્થાથી જ કુદરતે એને સ્વરકિન્નરી જાહેર કરી. એના માતા-પિતા શ્રીમંત હતા પરંતુ મર્યાદામય જીવનને પ્રધાનતા આપતા હતા. સંસ્કારોની જાળવણી માટે કન્યાએ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાય નહિ. હસુને ગાવાનો ભારે શોખ પણ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની મનાઈ ! કુટુંબની મર્યાદા જળવાય, માતા-પિતાની ભાવનાને ઠેસ પહોચે નહિ એ રીતે હસુમતીએ પોતાના સંગીત શોખને ધાર્મિક માર્ગે વાળી દીધો. જૈન શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવો, ઉપાશ્રયમાં સ્તવન ગાવા ઈત્યાદિ... હસુમતી ધાર્મિક કાર્યક્રમોમાં એક માત્ર આકર્ષણ બની ગઈ. એને ગાતી સાંભળવામાં લોકો લ્હાવાનો અનુભવ કરવા લાગ્યા. સાધુ-સાધ્વીજીને પણ એનો મધુર કંઠ અત્યંત ગમતો. એક વાર તો એવું બન્યું કે પૂ. પ્રભાકુંવરબાઈ મ. તથા ચંદનબાઈ મ. ને એક પછી એક ભજન સંભળાવતી ગઈ ને રાત જામતી ગઈ. આખરે મહાસતીજીએ કહ્યું “હસુ ! હવે આરામ કર ને અમને આરામ કરવા દે'. બહેનપણીઓને ત્યાં પણ હસુમતીને જવાની મનાઈ હતી. પણ હસુએ એમાંથી માર્ગ કાઢી લીધેલો. બહેનપણીઓને પોતાને ત્યાં બોલાવી આનંદ-પ્રમોદ કરી લેતી. સંવત ૨૦૦૩ ની સાલમાં મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી કાળધર્મ પામ્યા. તેમની મરણોત્તર ક્રિયા તેણીએ જોઈ ત્યારે તેની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. મૃત્યુનો સાક્ષાત્કાર આ બાળકીને વિલક્ષણ રીતે થયો. બાળ માનસ ઉપર એની પણ ઊંડી અસર થઈ. હસુમતી ૧૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં ત્રણ ભાઈઓના લગ્ન તો ઉજવાઈ ગયા. એનો વ્યાવહારિક અભ્યાસ ૧૦ ધોરણ સુધીનો રહ્યો. S.S.C. ની પરીક્ષા તેણીએ ન આપી. (તે વખતે ૧૧ ધોરણ પૂરા કરે ત્યારે S.S.C. પાસ ગણાય.) શાળાનો અભ્યાસ પૂરો થયો તેથી ધર્મના જ્ઞાનને પ્રાપ્ત કરવાની સારી અનુકૂળતા મળી ગઈ. ૧૬ વર્ષની નવયુવાન હસુમતીને પરણાવવા માતા-પિતા વિચારવા લાગ્યા, પરંતુ તેણીને સંસારમાં જરાય રસ ન હતો. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પૂ. હસુમતીબાઈ મહાસતીજી પાણી પહેલા પાળ બાંધી લેતી હસુમતી | એકદા હસુમતી ઉપાશ્રયમાં દોડી ગઈ. પૂ. રંભાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. લાભુબાઈ મહાસતીજીને વંદન-નમસ્તાર કરીને કહ્યું “મને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા આપો” મહાસતીજી તો સ્તબ્ધ થઈ ગયા. તેમણે પરીક્ષા કરી પરંતુ હસુમતીની દઢતા જોઈને આખરે મહાસતીજીએ પ્રતિજ્ઞા કરાવી. હસુમતીએ નિરાંતનો શ્વાસ લીધો. તેણીએ પોતાની પ્રતિજ્ઞાની વાત માતાને કરી. માતા તો હબક ખાઈ ગઈ. મોહના કારણે આવું ન ગમે પરંતુ હસુમતી એકદમ દેઢ હતી. પૂર્વાશ્રમના ફેબા પૂ. મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના સત્સંગમાં તો અવારનવાર રહેવાનું થતું. મહાસતીજીને એ ખબર ન હતી કે હસુમતીને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા છે. એકદા એમની પાસે ધાર્મિક સ્તવનો ગાયા ત્યારે તેમાંથી વૈરાગ્ય રસ નીતરી રહ્યો હતો તે વખતે મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી બોલ્યા, ‘હસુ ! સંસાર અસાર છે, ધર્મ વિનાનું જીવન વ્યર્થ છે'. આપની વાત સાચી છે, ફેબા સ્વામી ! મારે દીક્ષા લેવાના ભાવે છે અને તેથી જ મે ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પૂ. લાભુબાઈ મ. પાસે લીધી છે.' હસુમતીએ સમય જોઈને વાત કરી દીધી. ૫. પ્રભાકુંવરબાઈ મહાસતીજી ખૂબ જ પ્રભાવિત થયા. હસુમતીએ કહ્યું, મહાસતીજી ! મારી પ્રતિજ્ઞા બે વર્ષ લંબાવી આપો. મહાસતીજીએ બે-ચાર સવાલો પૂછી થોડી કસોટી કરીને એની પ્રતિજ્ઞા લંબાવી દીધી.” રાગ અને વિરાગના ખેલ આ વાતની ખબર એમના પિતાજીને પડતાં એમનો રોષ આસમાને પહોંચ્યો. એકની એક સુપુત્રીની ધર્મની આવી લાગણી એમને ન ગમી. તેમણે હસુમતીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. હસુએ શાંતિથી સહન કરી લીધા. તેઓ ઉપાશ્રય દોડી ગયા. તેમણે મહાસતીજીને કહ્યું, “અમે તમને તો જિનશાસનને સોંપ્યા છે. તમે મારી કાળજાની કટકી સમાન સુપુત્રીને ભોળવી રહ્યા છો તે બરાબર નથી કરતાં. હું મારી પુત્રી તમને ક્યારેય નહિ આપું.' પોતાના પૂર્વાશ્રમીય ભાઈને શાંત ચિત્તે સાંભળ્યા પછી પ્રભાકુંવરબાઈ મ. એ કહ્યું, “ભાઈ ! તમે શા માટે અકળાઓ છો? અમારે હસુને લેવાની કોઈ ઈચ્છા નથી પરંતુ એનો આત્મા જાગે તો તમે થોડા રોકી શકશો?' Page #466 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૫૩ મહાસતીજીના જવાબથી છગનભાઈ છંછેડાયા અને ગુસ્સામાં બોલ્યા કે હસુને કદીય હું દીક્ષાની રજા નહિ આપું. આટલું બોલીને તેમણે ઉપાશ્રય છોડ્યો. પાંચ વર્ષની સમય મર્યાદા પૂરી થયા પહેલાં કશું શક્ય ન હોવાથી તેમણે હાલ પૂરતી લગ્નની વાતને સંકેલીને છગનભાઈ પરદેશ ચાલ્યા ગયા. આ બાજુ હસુમતીનો વૈરાગ્ય વધતો ગયો. ઉપાશ્રયમાં ભક્તિગીતોની જમાવટ હસુમતીને મધુરકંઠે થતી રહી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઔર ન ચાહું રે કંત....” આનંદઘનજી મહાત્મા જેવી લગની હસુમતીને લાગી. હવે તેમની માતા પણ અંતરાયરૂપ બન્યા. જેમણે ધર્મના સંસ્કારો આપેલા તે મોહને આધીન થઈને ઉપાશ્રયે જવાનું બંધ કરાવી દીધું, પરંતુ વિરાગી વિરમે નહિ” એ ઉક્તિ અનુસાર તે વધારે દઢતર બની. દર મહિને બે અઠ્ઠમ કરવાના શરૂ કર્યા. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, થોકડા આદિનું અધ્યયન ચાલુ હતું જેથી વૈરાગ્ય પુષ્ટ થતો ગયો. ઘોર તિતિક્ષાના માર્ગે આગળ વધનારી હસુમતી સુકુમાર અને રૂપવતી હોવા છતાં બાહ્યાભ્યતર તપની સાથે તાપ પણ સહન કરતી હતી. જીવન સાધનાની સોળ કળાઓમાંથી આ પહેલી કળાનું મૂલ્ય જરાય ઓછું ન ગણાય. સાડીને સેલા મારે નહિ જોઈએ, પછેડીએ મન મોહ્યું મોરી માં; મારું મન લાગ્યું છે, સંયમમાં, હું તો અરિહંત.. પુત્રવધૂ ધીરજ બહેન તથા તેમના બાળકો સાથે છગનભાઈ દેશમાં આવ્યા. મારી હસુના લગ્ન કરવા છે. એક એકથી ચડિયાતી સાડીઓ તથા અલંકારો પરદેશથી લાવ્યા તથા હસુમતીને આપ્યા પરંતુ હસુમતીએ તે સર્વે વારાફરતી ધારણ કરી પિતાજીને રાજી કરીને કહી દીધું કે મને આવા સુખોમાં રસ નથી. મને તો દીક્ષા જ લેવી છે. મારે આત્મિક સુખો મેળવવાની તીવ્ર ભાવના છે. તે વખતે પિતા-પુત્રીનો ઘણીવાર સંવાદ ચાલ્યો પરંતુ પુત્રીની મક્કમતાનો વિજય થયો. પ્રેમાળ પિતાએ આખરે આંખમાં આંસુ સાથે પ્રેમથી રજા આપી. મમતાળુ માતા દીવાળીબાનું મન માનતું ન હતું. પરંતુ એકવાર પૂ. શ્રી હીરાચંદ્રજી સ્વામીના શબ્દો સાંભળેલા તે યાદ આવ્યા, “કોઈ દીક્ષા લેતું હોય તો એને વધાવાય પણ અંતરાય ન પડાય.” “નહિ પાડું મહારાજ ! કોઈની ય દીક્ષામાં અંતરાય રૂપ નહિ બનું !' આ શબ્દો યાદ આવતા એ માતાએ પણ મૌન પણે સંમતિ આપી. હસુમતીએ માતા-પિતાને ભાવથી પ્રણામ કર્યા. છગનભાઈ જેતપુર પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજી પાસે ગયા અને કહ્યું, આખરે તમે દીકરી લીધી ત્યારે જ જંપ્યા.” Page #467 -------------------------------------------------------------------------- ________________ પૂ. હસુમતીબાઈ મહાસતીજી ‘દુઃખી થાવ મા ભાઈ ! ઊંચા સ્થાનનો જીવ નીચે રહી શકતો નથી. માન સરોવરનો હંસ કાદવમાં ક્રીડા કરી શકતો જ નથી. જીવ શિવના માર્ગે વળે, પામરમાંથી પરમાત્મા થાય તે તો મહોત્સવ કહેવાય, ભાઈ ! તમારો જન્મ સફળ થયો ગણાય, તમારે ત્યાં આવું પુત્રી રત્ન પાક્યું.' ૪૫૪ પૂ. પ્રભાકુંવરબાઈ મ.ના વચનોની ખાસ અસર ન થઈ. છગનભાઈએ હૈયું ઠાલવ્યું, ‘આખરી અવસ્થામાં અમારે આ દિવસો જોવાના આવ્યા. આવ્યો'તો દીકરીને એના ઘેર વળાવવા ને કરવાનું આવ્યું આ... ! મહાસતીજી મૌન રહ્યા. ને આખરે છગનભાઈએ દીક્ષાની આજ્ઞા પત્રિકા લખી આપી પરંતુ રડા (૨)... ધોરાજી સંઘના પ્રમુખ શ્રી શાંતિભાઈ વકીલની સહી આજ્ઞાપત્રિકામાં કરાવવાની વાત આવી ત્યારે ભાઈઓની સંમતિ વિના શાંતિભાઈએ સહી કરવાની ના પાડી. વળી વિઘ્ન આવ્યું. પણ બધાએ શાંતિભાઈ વકીલને સમજાવ્યા ત્યારે તેમણે સહી કરી. પૂ. સાહેબ શ્રી ધનજી સ્વામી, કવિવર્ય ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામી તથા તત્કાલીન સંપ્રદાય પ્રમુખ શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ ભાઈએ લેખિત મંજૂરી આપી પણ હજી અંતરાય હોવાથી વિદેશમાં વસતા હસુમતીના ભાઈઓના તાર ઉપર તાર આવવા લાગ્યા. “STOP DIKSHA... STOP DIKSHA” દીક્ષા અટકાવો. ફરીને પિતા છગનભાઈ ઢીલા પડી ગયા તથા કહ્યું કે હું હસુને દીક્ષાની રજા નહિ આપું. ત્રણ દિવસ ઘરમાં સહુ ભૂખ્યા રહ્યા. ‘સારા કામમાં સો વિઘ્ન’. મોટા ગુરુ ભગવંતોની નિશ્રામાં મહાભિનિષ્ક્રમણના માર્ગે લીંબડી અજરામર સંપ્રદાયના ગાદીપતિ પૂ. સાહેબ શ્રી ધનજી સ્વામી તથા ગોંડલ સંપ્રદાયના આચાર્ય શ્રી પરસોત્તમજી સ્વામી આદિ ગુરૂ ભગવંતોની નિશ્રામાં પ્રભાવશાળી મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજી પાસે હસુમતીએ વિ.સં. ૨૦૧૫ ના વૈશાખ સુદિ-૬ ને ગુરૂવારના પવિત્ર દિવસે બા.બ્ર. સુવ્યાખ્યાની ઈન્દુમતીબાઈ આર્યજી સાથે જેતપુર મુકામે દીક્ષા લીધી. મુમુક્ષુ ભાનુબહેને પણ તે જ દિવસે ગોંડલ સંપ્રદાયના પૂ. સવિતાબાઈ મહાસતીજી પાસે દીક્ષા લીધી. બા.બ્ર. હસુમતીબાઈ આર્યજીની વડીદીક્ષા પણ જેતપુરમાં જ પૂજ્ય સાહેબશ્રી ધનજી સ્વામીના વરદહસ્તે થઈ. પૂ. શ્રી ધનજી સ્વામીએ તે દિવસે ત્રણ સતીજીઓને વડીદીક્ષાનો પાઠ ભણાવ્યો. (૧) ઈન્દુમતીબાઈ મ. (૨) હસુમતીબાઈ મ. (૩) ભાનુબાઈ મ. વૈશાખ સુદિમાં દીક્ષા લીધા પછી વિંદમાં વર્ષીતપના પારણાં કરાવવા પૂ. Page #468 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૫૫ હસુમતીબાઈ જુનાગઢ જાય છે. પ્રથમ ચાતુર્માસ જેતપુરમાં પૂ. ગુરૂણી શ્રી પ્રભાકુંવરબાઈ મ. પાસે સંસ્કૃત માર્ગોપદેશિકા ભાગ-૧ નો અભ્યાસ કર્યો. પર્યુષણમાં ચૌવિહારી અઠ્ઠાઈ કરી. ચાતુર્માસ પછી ધોરાજી તરફ વિહાર કર્યો. હવે ગોચરી વહોરવા પણ જતા હતા. “સહનની આવડત હોય તો, દુઃખમાં રાહત છે; હૃદય ભોગવી જાણે તો, દુઃખ પણ દોલત છે.’’ દીક્ષા લીધી એ વર્ષે હસુમતીબાઈ મહાસતીજીએ અઠ્ઠમ કર્યો હતો. રાત્રે સ્વાધ્યાય કર્યા પછી શરીરમાં કશીક ધ્રુજારી જેવું લાગ્યું. ધીમે ધીમે તેમણે ભાન ગુમાવ્યું. બધા ચિંતામાં પડી ગયા. ઉપચારો કર્યા પછી રાત્રે ૧૨ વાગે ભાનમાં આવ્યા. કર્મોની ગતિ કહન છે. બીજે દિવસે પણ ખાસ ફેરફાર દેખાયો નહિ. ધ્રુજારીનો એ જ અનુભવ થયો. દિવસે દિવસે દર્દ વધતું ગયું. માત્ર મગનું પાણી, થોડા ભાત અને દૂધ જ ખોરાક તરીકે લેવાનું રાખ્યું. ૧૫ દિવસે કંઈક દર્દ ઘટયું પણ દીક્ષા પછી ગુલાબી સ્વાસ્થ્ય ઝાંખું પડવા લાગ્યું. ઘણીવાર તેમને બેશુદ્ધિ આવી જતી ને હાથ-પગ કાવત્ જડ જેવા થઈ જતાં. આમ થવાનું કારણ કળી શકાતું ન હતું. મહાસતીજીને મન સર્વ રોગોનું એક જ ઔષધ હતું, નવકાર મંત્ર. ચૌદશ, પૂનમ અને અમાસના દિવસોમાં એમની તબિયત વધારે લથડતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દેવના ઉપસર્ગ સામે અદ્ભુત સમતા दिव्वेय जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे । भिक्खु सहइ सम्मं, से न अच्छइ मंडले ॥ જે દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમભાવથી સહન કરે છે તે આ સંસારમાં ભટકતો નથી. દીક્ષા પછી સાત મહિને ધ્યાનાવસ્થામાં એક દેવના દર્શન થયા. ધીરે ધીરે તે દેવ બોલ્યો, ‘આવ, મારી પાસે આવ, તને માળા દઉં.’ મહાસતીજીએ કહ્યું, ‘મારે કશું જોઈતું નથી, તમે મારાથી દૂર થાવ.’ દેવ પ્રલોભન આપે ને સતીજી સ્પષ્ટ પણે ઈન્કાર કરી નાખું. એકદા તે દેવે કહ્યું, ‘હે દેવ ! હું તને વંદના કરું છું, તું માત્ર મારી એક માળા લે, પછી હું જઈશ.' આવી રીતે ઘણીવાર ધ્યાનાવસ્થામાં સાંભળવા મળતું પરંતુ મહાસતીજી મૌન રહેતા. આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક કષ્ટો કે આવરણો સામે મહાસતીજીએ જરાય નમતું જોખ્યું નથી ને તે પ્રત્યે કંટાળો ય વ્યક્ત કર્યો નથી. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પૂ. હસુમતીબાઈ મહાસતીજી “સંયોગોનો સહર્ષે સ્વીકાર કરી લે.’ આ ઉક્તિને અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતારી હતી. દિવસ શરી૨ કષ્ટના કારણે બેશુદ્ધિમાં વીતે તો રાત્રે દેવના પ્રલોભનોની માયાજાળ શરૂ થઈ જાય. છેલ્લે તો ‘સિંહાસને બિરાજો દેવિ,’ જેવું પ્રબળ પ્રલોભન બતાવ્યું પરંતુ “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને !’’ ના પંથના યાત્રિક મહાસતીજીની અડગતાના ગઢમાં કયાંય પ્રલોભનો છીંડું તો પાડી ન શકયા... અરે, એક કાંકરીય ખેરવી ન શકયા. દેવના ઉપસર્ગની આ કથા પણ હસુમતીબાઈ મહાસતીજીના પ્રબળ આત્મ ગૌરવની અને અવિચળ અધ્યાત્મ નિષ્ઠાની જ યશોગાથા છે. એકવાર તો બેભાન વસ્થામાં હસુમતીબાઈ મ. એ આહાર-પાણી કર્યા નહિ ત્યારે મોટા મહાસતીજીએ કહ્યું, ‘હસુ ! તું ભૂખી અને તરસી છો તો કાલે વિહાર કેમ કરી શકીશ ?’ અડગ શ્રદ્ધા સાથે હસુબાઈ મ. કહ્યું, ‘જરૂર ચાલી શકીશ, ચલાશે કેમ નહિ ?’ મોટા મહાસતીજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેમના આશિષની અમૃતવર્ષા સતત વર્ષી રહી હતી. મહાસતીજીનું ઝાલાવાડમાં વિશેષ વિચરણ થતું. જોરાવરનગર ચાતુર્માસમાં પ્રતિક્રમણ ટાઈમે જ ઉલ્ટીઓ થતી. તેનો અવાજ બહુ મોટો આવતો. આ વળી નવો વ્યાધિ ! હસુબાઈ મ. ને મન એક જ ઔષધ હતું નવકાર મહામંત્રના જાપ. પૂ. ગુરૂદેવ જુદા જુદા સ્તોત્રોના રાગ આ સ્વરકિન્નરીને શીખવતા જેનાથી એનો સાધનામાર્ગ સૌન્દર્યાન્વિત થયો. એકાદ મહિના પછી વમનની તકલીફ દૂર થઈ. “ગુરૂ કૃપાંજન પાયો મેરે ભાઈ, રામ બિના કછું, જાનત નાહીં'' પૂ. હસુમતીબાઈ મહાસતીજીએ દીક્ષા લીધી ત્યારથી જ વમન, ધ્રુજારી, આંચકા, તાવ, જડતા - એવી કોઈને કોઈ તકલીફ રહ્યા કરતી હતી. ગુરૂણી શ્રી પ્રભાકુંવરબાઈ મ.નું. અપાર વાત્સલ્ય પૂર્વાશ્રમની ભત્રીજી એવી શિષ્યા ઉપર ખૂબ જ હતું. ગુરૂણીની છત્રછાયા કાયમની હતી. સં. ૨૦૨૭, વૈશાખ સુદિ-૧૧ ને બુધવારે પ્રભાકુંવરબાઈ મ. લીંબડી મુકામે કાળધર્મ પામતા એમની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ. હસુબાઈ મ. ને ગુરૂણીજીનો વિયોગ અસહ્ય થઈ પડ્યો. એમના જીવન ઘડતરમાં ગુરૂણીશ્રીનો સિંહફાળો હતો. ગુરૂણીનો આઘાત કંઈક હળવો થયો. ત્યાં શરીરમાં પ્રબળ આંચકા આવવા શરૂ થયા. ૨૦૨૭ નું ચાતુર્માસ વાંકાનેરમાં કર્યું, ત્યાં ડો. રૂપાણીની સારવારથી રાહત થઈ. વિ.સં. ૨૦૨૮ ની સાલે ઓળી કરાવવા થાનગઢ પધાર્યા, ત્યાં શરીરમાં Page #470 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૫૭ તાણ ઉપડી. બે કલાક સતત ભયંકર આંચકાઓ આવતા રહ્યા. માંડ માંડ એ આંચકા શાંત થયા. ત્યાં શરીરના જમણા ભાગ ઉપર પક્ષઘાતની અસર દેખાવા લાગી. ચાલવાનું અશક્ય જણાયું. તેમની આવી દશા જોઈને સહવર્તી મહાસતીજીઓ રડવા લાગ્યા. આ જોઈને હસુંબાઈ મ. કહ્યું, “શું કામ રડો છો? આ ક્ષણભંગુર શરીર માટે શોક કરવો વ્યર્થ છે. પૂર્વના કર્મો ઉદયમાં આવ્યા છે. તેને સમભાવથી ભોગવી લેવા દ્યો.” એમનું આવું શૈર્ય જોઈને બધા મહાસતીજીઓ આશ્ચર્ય પામી જતા. ઉપચારો કર્યા પછી માત્ર પગ ઉપર પક્ષઘાતની અસર રહી ગઈ. વિ.સં. ૨૦૨૯ ની સાલે જામનગરની ઈરવિન હોસ્પીટલમાં ઉપચારો શરૂ થયા. કરોડરજ્જુમાંથી પાણી ખેંચવાની વાત ડોકટરોએ કરી. મહાસતીજીએ સંમતિ તો આપી પરંતુ એમાંથી પાણી ખેંચાવતા એક નસ ખેંચાઈ ગઈ. મૂળ દર્દ મટયું નહિ ને આંચકાઓ સાથે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ. ભાવિને મિથ્યા કોણ કરી શકે ? ડોકટર સૂચકે મહાસતીજીને ભક્તિભાવથી એક ઘોડી બનાવી આપી તેનાથી વિહારમાં થોડી રાહત રહેતી. “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” શરીરમાં વિવિધ ઉપદ્રવો થવા લાગ્યા. નવકાર મંત્રના અખંડ જાપ ચાલુ રહે છે. ભાવિકો આવે છે, સુખ-દુઃખની વાતો કરે છે. મહાસતીજી હસતાં હસતાં સૌને આવકારે છે. આશ્વાસન આપવા આવેલા લોકોને પોતે ધર્મની વાતો સમજાવી કર્મની થિયરી સમજાવતા. વિહારયાત્રા ચાલુ જ રહેતી. દર્શનાર્થીઓ તેમની સમતા તથા નિર્લેપતાથી મુગ્ધ થઈ જતા. જ્ઞાનધારાનો પ્રવાહ અમ્મલિત રીતે ચાલ્યા કરતો. જુદા જુદા ધર્મસંપ્રદાય-કોમના માનવ સમુદાય વચ્ચે મહાસતીજીની નિર્મળ વાણી સત્ય ઘટનાઓ દ્વારા બહુજનહિતાય-સ્વાન્તઃ સુખાય થતી રહે છે. પોતાને અસહ્ય વેદના હોવા છતાં સમિતવદને સૌને ધર્મનો બોધ આપતા. એકમાંથી બીજું દુ:ખ, બીજામાંથી ત્રીજું એમ કંઈને કંઈ ચાલ્યા જ કરતું. કહ્યું છે કે – एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिदेष्वना बहुली भवन्ति । અર્થાત્ સાગર જેવડા એક દુઃખનો અંત ન આવે ત્યાં બીજું દુઃખ આવીને ઊભું રહે છે. કારણ કે એક કાણું પડે તો બીજા કાણાં પડતાં વાર લાગતી નથી. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પૂ. હસુમતીબાઈ મહાસતીજી સંવત ૨૦૩૧ ની સાલે ધ્રાંગધ્રા ચાતુર્માસ હતું. ત્યારે ટાઈફોઈડ થવાથી શરીર એકદમ અશકત બની ગયું. બધા ચિંતામાં મૂકાઈ ગયા. ઉપચારો કરતા એક દવા એવી આવી ગઈ કે એના ડોઝથી ભારે વિપરીત પરિણામ આવ્યું. એમની વાચા બંધ થઈ ગઈ. ભાષા વર્ગણાના પગલો પૂરા થઈ ગયા. ખળભળાટ મચી ગયો. બધાને દુ:ખ લાગ્યું પણ શું થાય? મહાસતીજી સ્થિતપ્રજ્ઞતા અદ્ભુત હતી. નાની ઉંમરમાં અપૂર્વ સમભાવ સાધ્યો હતો. તેઓશ્રી પાટીમાં લખ છે. “ભાવિ મિથ્યા થઈ શકતું નથી. દોષ કોઈનોય નથી. કોઈને ઠપકો ન અપાય કે ઊંચે સાદે કાંઈ ન કહેવાય. દોષ મારાં કર્મોનો છે. બીજા કોઈનો ય નથી. જીવને દુઃખી ન કરો. શાંતિ રાખો. મને પરમ શાંતિ છે – મને કશું દુઃખ નથી. કર્મનો પરિપાક થઈ રહ્યો છે, એ તો મારું પરમ સદ્ભાગ્ય છે કે મારા કર્મોનો ત્વરિત ક્ષય થઈ રહ્યો છે. કર્મના આવરણો હઠી રહ્યાનો આ તો પરમ ઉત્સવ ગણાય. ભાઈઓ ! કર્મ મિથ્યા થઈ શકતા નથી. બહેનો ! કર્યા એ તો ભોગવ્યે જ છૂટકો. શાતામાં રહેવું, શાંતિમાં રહેવું. ઉદ્વેગ કરવો મિથ્યા છે.” મહાસતીજીની દિવ્ય લેખિની, દ્વારા એમનું આધ્યાત્મિક અંતર વંચાય છે. આ પુસ્તકના લેખક મુનિશ્રીને દીક્ષાર્થી અવસ્થામાં એમના દર્શન સુરેન્દ્રનગર ભારત સોસાયટીના ઉપાશ્રયે થયેલા ત્યારે અભુત સમતા, મધુર હાસ્ય, વાત્સલ્યભાવના ભારોભાર દર્શન થયેલા તે ૨૭ વર્ષ પછી પણ યાદ કરતા તાદૃશ્ય થઈ જાય છે. પર્યુષણનો ચૌવિહારો ઉપવાસ ખૂબ જ વસમો લાગ્યો. શરીરને ખૂબ જ આંચકાઓ આવવા લાગ્યા. કેડ એકદમ સજ્જડ થઈ ગઈ, વળતી બંધ થઈ ગઈ. જીભ બંધ, પગે પક્ષઘાત, આંચકાનું તોફાન... કર્મોએ ચારે બાજુથી હુમલો કર્યો. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે. "When misfortunes come, they come not single but in batallian” અર્થાતુ જયારે દુર્ભાગ્ય આવે છે ત્યારે તે એકલા નથી આવતા પણ સમૂહમાં આવે છે. પૂરા ૪૫ દિવસ મહાસતીજીએ પથારીમાં જ સૂતાં સૂતાં પસાર કર્યા. નિદ્રા એકદમ ઘટી ગઈ. ધીરે ધીરે કસરત દ્વારા કેડમાં થોડો સુધારો થયો. વિહાર કરીને ધ્રાંગધ્રાથી નવા ગામ જવાનું થયું. તે સમયમાં અશક્ત સાધુ-સાધ્વીજી ડોળીમાં વિહાર કરતાં. શ્રી સંઘે હસુમતીબાઈ મ. માટે એ વ્યવસ્થા કરી પરંતુ કોઈના પર બોજ બની બેસવું એમને જરા પણ ગમે નહિ. કોઈનું ધ્યાન ન હોય તો તેઓ ડોળીમાંથી ઉતરી જતા તથા ઘોડીના સહારે ચાલતા. વળી આગેવાનોનું ધ્યાન જાય પછી વિનવણીઓ થાય ત્યારે કમને ડોળીમાં બેસે Page #472 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૫૯ ને વળી બીજાનું ધ્યાન ચૂકાવીને ઉતરી જાય. આમ ને આમ વિહારયાત્રા પૂરી થાય. શ્રાવકોની ભક્તિ તથા મહાસતીજીની આત્મશક્તિના વિરલ દશ્યો સર્જાતા હતા. ધન્ય છે એ વિરલ આત્માની વીરતાને ! વિ. સંવત ૨૦૩૨ ની સાલે સુરેન્દ્રનગરથી મોરબી તરફનો વિહાર ગોઠવાયો હતો. તે વખતે ઠેલણગાડીનો વપરાશ થઈ શકતો ન હતો. જયારે મહાસતીજી માટે અનિવાર્ય હતો. તે વખતે અજરામર સંપ્રદાયના આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી હતા તથા કાર્યવાહક પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી હતા. શ્રી સંઘના આગેવાનો તેમની પાસે ઠેલણગાડીની છૂટ લેવા માટે આવ્યા. પૂ. ગુરૂદેવોએ પ્રાયશ્ચિતની જોગવાઈ સમજાવીને છૂટ આપી. સંઘના ભાઈઓ જ્યારે મહાસતીજીને વાત કરી ત્યારે તેમણે લેખિત મંજૂરી માગી. ફરીને કચ્છમાં ગયા ને લિખિત આજ્ઞા પ્રાપ્ત કરી. મહાસતીજી સંપ્રદાયના શિસ્ત તેમજ અનુશાસનને પૂરેપૂરા માનવાવાળા હતા. અમે લોકો દીક્ષાર્થી અવસ્થામાં એમના દર્શન કર્યા ત્યારે પાટીમાં લખીને જણાવ્યું કે ગુરૂદેવોએ મારા ઉપર ખૂબ જ કૃપા કરી ઠેલણગાડીની છૂટ આપી. એમની આત્મીયતા તથા સસ્મિતવદન આજે પણ યાદ આવે છે. ઠેલણગાડીનો નામ પૂરતો ઉપયોગ કર્યો પણ હવે શરીર વિહાર માટે નકામું થઈ ગયું. તેથી સંવત ૨૦૭૩ થી ૨૦૩૫ સુધી અઢી વર્ષ સુરેન્દ્રનગર કેરી બજાર, સર્વોદય તથા ભારતના ઉપાશ્રયમાં પસાર કર્યા. ફરી આંચકા આવવા લાગ્યા તથા બીજો પગ કે જે સારો હતો તે પણ ખેંચાઈ ગયો. બીજાના મૃત્યુના સમાચારથી તેઓ શ્રી દ્રવી ઉઠતા એટલી તેમની કોમળતા હતી. આત્મસિદ્ધિમાં શ્રીમદ્ રાજચંદ્ર સરસ કહ્યું છે છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.” હસુમતીબાઈ મ. ની સમતા - સહનશીલતા ચોથા આરાની યાદ અપાવે તેવી હતી. આઠ આઠ વર્ષથી અન્ન – પાણી બંધ હતા. માત્ર થોડું દૂધ લઈ શકાતું - તે પણ શરીરમાં ટકે તેની કશી જ ખાત્રી નહિ; એક પગ સૂઝીને થાંભલા જેવો થઈ ગયો છે – બીજો પગ પણ ફેરવી શકાતો નથી. બન્ને પગે હવાના સ્પર્શ જેટલો ય નાજુક સ્પર્શ જો થઈ જાય તો હજારો વીંછીના ડંખ જેવી પારાવાર વેદના ઉપડી આવતી. ઉંઘ હરામ થઈ ગયેલ. એક જ આસન ઉપર બેસી રહેવાનું, જાગવાનું, સુવાનું. શરીર લથડીને ગબડી ન પડે માટે દોરડાથી બાંધી રાખવું પડ્યું છે. જીભ કામ નથી કરતી. આ સ્થિતિમાં પાટીમાં લખીને વાતની આપ લે થઈ શકે તેટલી Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પૂ. હસુમતીબાઈ મહાસતીજી અનુકૂળતા માત્ર બચી છે. ભલભલા જવાંમર્દની વજ જેવી છાતીનો ય ભુક્કો બોલાવી દે એવી પરિસ્થિતિ છે. નિશ્ચેતનતાનો વિકરાળ વ્યાપ સમસ્ત ચેતનાને ક્ષણે ક્ષણે ગળતો આગળ વધી રહ્યો છે. મૃત્યુ ક્રૂરપણે આગળ વધી રહ્યું છે. બસ જોયા જ કરવાનું, સહ્યા જ કરવાનું. તપ ને તિતિક્ષા અદ્ભુત હતા. કુદરતી ક્રૂર કસોટી હોવા છતાં હસુમતીબાઈ મ. ની પ્રસન્નતા સદાબહાર હતી. ડોકટરોએ આવી સમતા કયારેય જોયેલી નહિ. સાધુ-સાધ્વી સમાજે આવી તિતિક્ષાનો સાક્ષાત્કાર કર્યો ન હતો. ચંડકૌશિકની કથા, ઈસુના વધની વાત, મહાવીર સ્વામીને આવેલા ભયંકર ઉપસર્ગો આદિથી આપણે સુવિદિત છીએ પરંતુ મૃત્યુના મહાસૂર્યની વિષજવાળાઓ ઓકતી સહસ્ર ફણાઓ ઉપર પ્રસન્નતાથી નાચતી આત્મ ચેતનાનું આવું અલૌકિક સ્વરૂપ કયારેય પ્રત્યક્ષ જોવા ન મળે. કરુણાદ્ર ભાવિક-ભક્તો વ્યથિત છે, કૃતકૃત્ય છે. પૂર્વ સંસ્કાર, ગુરૂકૃપા, નવકાર જપ અને સમભાવના પુરૂષાર્થને પરમ પદની પ્રાપ્તિ માટેના જરૂરી સાધનો માનતા હસુમતીબાઈ મહાસતીજીની સ્મૃતિમાં મહામુનિ ગજસુકુમાર, મહામુનિ મેતારજ, મહર્ષિ કુંદક જેવા આત્માઓની ધર્મકથાઓ પ્રેરણા આપતી હતી. રોમેરોમમાં નવકાર રમે છે તેથી દર્શનાર્થી ભાવિકોને પાટીમાં લખીને અંતર્વાણી સંભળાવે છે. ખુદને ખોશો તો ખુદા મળશે જિંદગી જીવવા જેવી છે - જીવી નાખવા જેવી નથી. જીવનની કળા અદ્ભુત છે - શીખવા જેવી છે.' “શરીરથી આત્મા ભિન્ન છે, ભાઈઓ! શરીરની સપાટીમાં બંધાઈને વીંધાય નહિ. સ્વભાવમાં રમણ કરો’ મહાસતીજીનું દુઃખ જોઈને અનેક ભાવિકોની આંખમાં આંસુ આવતા તે જોઈને તેઓશ્રી કહેતા, “શોક કરશો નહિ. મને અપૂર્વ આત્મશાંતિ છે. મારો આત્મા અનંત શક્તિનો સ્વામી છે – એ અજર છે. અમર છે.” એમના ચહેરા ઉપરની પ્રસન્નતા યુક્ત સમતા જોઈને ભાવિકો સ્તબ્ધ થઈ જાય છે. ત્યાં મહાસતીજી પોતાનો દાખલો આપીને લોકોને લાલબત્તી ધરતા કહેતા, કર્મ સારા કે ખરાબ ભોગવવાં જ પડે છે. એમાં કોઈ છટકબારી નથી – કોઈ એમાંથી બાકાત નથી. મારી સામે જુઓ. આ જીવે પૂર્વ જન્મમાં કેવા ઘોર કર્મો કર્યા હશે! એ બધા જ હિસાબ ચૂકતે કરવા વાજતે ગાજતે હાજર થઈ ગયા છે. ભાઈઓ ! મારી બહેનો ! મારા જેવા કર્મ ન કરશો.” Page #474 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૬૧ પોતાની જાતને મહાકર્મી ગણાવીને પોતાની સામાન્યતા રજૂ કરીને આ અસામાન્ય પ્રતિભા જનતા સામે તત્વની વાત કર્મ સિદ્ધાંતની વાત એવી હળવાશથી કરતા કે ભલભલાના મસ્તક એમને નમી પડતા. એક સાધ્વી દેહમાં પ્રગટ થયેલી તપ ને તિતિક્ષાની આ પ્રચંડ તાકાતમાં કોઈપણ દૃષ્ટિવાળો માનવ મહાશક્તિની પ્રતિભાનો સાક્ષાત્કાર કરી શકે છે. અદ્વિતીય ચિત્તપ્રસન્નતા તથા સમતાનો સાગર જાણે સર્વત્ર ઘૂઘવી રહ્યો હોય તેવું લાગતું. દર્શનાર્થીઓની ભીડ જામતી રહે છે. પોતાના પ્રિય મહાસતીજી માટે યથાશક્તિ ધર્મ ધ્યાન થાય છે. ડોકટરો સામે મોટો પડકાર હતો. માંત્રિકો, તાંત્રિકો ભક્તિભાવથી આવે છે તેઓ સર્વેને મહાસતીજી કહેતા, ‘મારે એવું કશું કરવું નથી - જે છે તે સહી લેવું છે. કર્મનો ક્ષય કરવો છે.’ મહાસતીજીનો આવો દૃઢ સંકલ્પ જોઈને માંત્રિકો ને તાંત્રિકો નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે. મહાસતીજીને કોઈ સહારો જોઈતો નથી. હવે કોઈ થાગડ થીગડની વાત નહિ. સંઘની સેવા અજોડ હતી. મહાસતીજીએ છેલ્લા આઠ માસમાં બાર અઠ્ઠમ કર્યા. સંવત્સરીનો ઉપવાસ કર્યા પછી પારણું કરવાની એમને બિલકુલ ઈચ્છા ન હતી પરંતુ ‘પારણું કરશો તો જ સકળ સંઘ જમશે' એવો સંઘનો અતિશય આગ્રહ થવાથી મહાસતીજીએ પારણું કરેલું, નહિતર તો સંવત ૨૦૩૪ ની સંવત્સરીથી આગળ અનશન કરવાની જ એમની ભાવના હતી. પારણું કર્યા પછી સૌના સત્યાગ્રહને માન આપીને થોડું ઔષધ સેવન પણ કરેલું પણ અનિચ્છાએ... વિ.સં. ૨૦૩૪ થી તો મહાસતીજીને મહાવિહારનું ધ્યાન આવી ગયું હતું. પરંતુ તેમને મોક્ષ પામવાની તાલાવેલી લાગી હતી. સં. ૨૦૩૫ ના સુરેન્દ્રનગર – ભારતના ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન ૧૬ ઉપવાસનો આરંભ કર્યો. અષાઢ સુદિ-૧૪, રવિવારથી ઉત્તમ યોગમાં આરાધનાનો આખરી આરંભ થાય છે. તબિયત લથડતી રહે છે. શ્રી સંઘ તથા ડોકટર સેવામાં ખડેપગે હાજર હતા. અષાઢ વદ-૧૪, સોમવાર આવ્યો. ૧૬ ઉપવાસ નિર્વિઘ્ને થયા. પારણાના ઉત્સાહમાં સંઘ જમણ થયું. બધું નિર્વિઘ્ન પાર પડયું. મહાસતીજીના મુખ મંડળ ઉપર અપૂર્વ શાંતિને શાતા હતા. સં. ૨૦૩૫ અષાઢ વિદ-અમાસ, મંગળવાર - પુષ્ય નક્ષત્ર મહાસતીજી કહે છે, ‘આજે બાજી મારા હાથમાં નથી.’ આ સ્પષ્ટ સંકેતને બધા સમજી ગયા પણ શું કરી શકાય ? સુરેન્દ્રનગર - ભારતના ઉપાશ્રયમાં તા. ૨૪-૭-૧૯૭૯ વહેલી સવારે ૩.૨૦ મિનિટે મહાસતીજીના મુખ ઉપરનું હાસ્ય થીજી ગયું - પીડા માત્ર શમી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પૂ. હેમલતાબાઈ મહાસતીજી જાય છે. સમાધિ ભાવે માત્ર ૪૧ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. (નોંધ :- વિસ્તારથી એમનું જીવન ચરિત્ર વાંચવું હોય તો “વિજય જીવનનું મરણ મૃત્યુનું” પુસ્તક વાંચવું) મધુરવક્તા બા.બ્ર. હેમલતાબાઈ મહાસતીજી “હતા અનેક ગુણના સ્વામી, કંઈ ન હતી જેમનામાં ખામી મોક્ષમાર્ગના હતા કામી, વંદન કરૂં હું સદા શીરનામી.” જેમના અંતરમાં ગુંજતો હતો જિનભક્તિનો રાગ. જેમના ચિત્તમાં ઝળહળતો જ્ઞાનદીપનો ચિરાગ. જેમના રોમે-રોમમાં પ્રગટ્યો હતો વિષયોનો વિરાગ. જેમના મુખ પર સદૈવ પ્રસરતી હતી પ્રસન્નતાની પરાગ. એવા લીંબડી અજરામર સંપ્રદાયના સૌમ્યમૂર્તિ મધુરવક્તા પૂ. હેમલતાબાઈ મહાસતીજીનો જન્મ કચ્છની કલ્યાણકારી કોમળ પાવનધરા કે જ્યાં સરળતા-શ્રદ્ધાના ઉચ્ચતમ ગુણો ધરતીના કણેકણમા ભર્યા છે, સંતો-મહંતોના પુનીત પગલાથી પાવન બનેલુ કંઠી વિસ્તારમાં આવેલું રળીયામણુ, ગોકુળીયુ ગામ. રત્નોની ખાણ સમાન રતાડીયા (ગણે શવાલા) વિશા-ઓશવાળ જૈન પરિવારમાં ધર્મપરાયણકુંવરજીભાઈ પાસુભાઈ છેડા, અ.સૌ. માતા મોંધીબાઈએ સૌના લાડીલા લાડકવાયા ભાવમાં ભગવાન સમા સતીરત્ન સર્જાયેલા એવા સુપુત્રીને સંવત ૧૯૯૭માં મંગલમુહૂર્ત જન્મ આપ્યો. નામપણ કેવું સુંદર-હીરાની ખાણ સમાન ગુણ નિષ્પન્ન હીરબાઈ. જેવું નામ તેવા જ ગુણ. માતાની મમતા ને પિતાના પ્યારથી આ હીરબાઈ મોટા થયા. માતપિતાનું જીવન સાદગીભર્યું હતું. ધર્મના રંગે રંગાયેલા હતા. સંતસમાગમના પ્રેમી હતા એમણે વહાલસોયી પુત્રીને નાનપણથીજ ધર્મના સુસંસ્કારોનું સીંચન કરેલું. આ પુત્રી રત્નના જીવનમાં સુસંસ્કારના પાયાના પત્થર બની ઘડતર કર્યું. આ બાલ્યવયના બાગમાં રમતા-ઝૂલતા ખેલતા માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં માવડીની મીઠી ગોદ ગુમાવી. માતાની મીઠી ગોદનો વિરહ ન સાલે તે રીતે આશ્વાસન આપતા પિતા અપાર વાત્સલ્ય આપતા રહ્યા અને તેમના દાદીમાએ ક્યારેય માતાની ખોડ સાલવા દીધી નથી. દરરોજ પુત્રીને પોતાની પાસે બેસાડી ધર્મની વાતો સમજાવી સંસારનું સ્વરૂપ સમજાવે. આ આદર્શ દાદીમાએ ખૂબ સંસ્કાર આપી વડીલ મહાસતીજીઓનું સવિશેષ વિચરણ હોવાથી બચપણથી ધર્મસંસ્કારથી સિંચન થયું. આ સંસ્કારોની અભિવૃદ્ધિ સદાનંદી પૂ. Page #476 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૬૩ છોટાલાલજી સ્વામી, તપસ્વી પૂ. ડુંગરશી સ્વામી, તત્ત્વજ્ઞ પૂ. નવલચંદ્રજી સ્વામી આદી બધાના પરિચયમા આવતા વૈરાગ્ય દૃઢ થયો. કુદરતી યોગાનુયોગ એ સમયે વેલ-માણિક્ય પરીવારના પૂ. ઉજ્જવલકુમારીબાઈ મ. વિચરણ-સત્સંગસાનીધ્યથી ચારીત્રની તીવ્ર ભાવના જાગૃત થઈ. વિ.સં. ૨૦૧૬ મહાવદ-૧૦ સોમવારે જન્મભૂમિ રતાડીયા મુકામે આચાર્ય શ્રી રૂપચન્દ્રજી મ. ના શ્રી મુખેથી ભાગવતીદીક્ષા અંગીકાર કરી. તપસ્વી પૂ. શામજીસ્વામીના પરિવારમાં પૂ. વેલમાણિક્ય ગુરૂણી મૈયાનુ શરણું સ્વીકાર્યું. નાની વયમા જ સંયમગ્રહણ કરી શાસન ને સંપ્રદાયને દીપાવ્યું. સંયમ લઈને જેમણે જીવનની પ્રત્યેક પળને-પરોપકારપરમાર્થ-પ્રમોદ ભાવના સાથે વડીલોની ખૂબ જ સેવા કરી, વડીલોના આશીષ લઈને શાસનપ્રભાવના પણ છેલ્લે સુધી કરી. દીક્ષા પાલનથી શાસન ને સંપ્રદાયને ધન્ય બનાવ્યો. સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યો. આરાધના કરીને અનેકને ધન્ય બનાવ્યા. એમના હૃદયમાં સૌનું હીત સમાયેલું હતું. દરેક સંપ્રદાયના સંત-સતીજી સાથે આત્મીયતા અનેરી હતી. જેમણે ૪૨ વર્ષ ચારીત્રપર્યાયમાં કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-મહારાષ્ટ્રમાં વીચરી ખૂબ જ સુંદર શાસનપ્રભાવના કરી. જ્યાં-જ્યાં એમને ચાતુર્માસ કરેલ ત્યાં અજરામર સંપ્રદાયનું ગૌરવ વધારેલ છે. જેમનું સારૂંય જીવન શાસન સેવા-આગમ સેવા-આત્મલક્ષી ને સંયમભાવ ને સમર્પણતાની સૌરભથી મહેકતું હતું. વડીલો પ્રત્યે વિનય અને નાના પ્રત્યે વાત્સલ્યભાવથી સૌના દિલમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલું હતું. આરાધના કરતા-કરતા જીવન જીવ્યા. શાસન પ્રભાવના કરતા-કરતા સૌના દિલમાં વસ્યા. છેલ્લું ચાતુર્માસ ૨૦૫૭માં જામખંભાળીયા કરેલ. ત્યાંથી વિહાર કરી રાજકોટ પધારેલ. રાજકોટ શ્રાવકોની ભાવના તથા આગ્રહભરી વિનંતી હોવાથી ત્યાં સંવત ૨૦૫૭નું ચાતુર્માસ નક્કી કર્યું. અરે શું જામખંભાળીયા હાલાર પ્રાંતમાં કે જ્યાં એમણે દાદાગુરૂની ઓળખાણ આપી અને પડાણા ગામે આખા શ્રી સંઘને દાદાગુરૂની જન્મભૂમિના દર્શન કરાવ્યા. આવા હાલાર પ્રાંતના દાદાગુરૂ એમના સંયમ જીવનમાં જ્યાં જરાક કોઈ પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તરતજ દાદાગુરૂના જાપ કરે જેથી તરતજ એ કસોટીમાંથી પાર ઉતરી જાય. એમની રગેરગમા દાદાગુરૂની જ અવિહડ શ્રદ્ધા હતી. દાદાગુરૂ અજરામરજી સ્વામીના ૨૫૦ વર્ષ નિમીત્તે ૩૧૦૦ વર્ષીતપની આરાધના નિમીત્તે સામૂહીક પચ્ચક્ખાણ લીંબડી મુકામે આયોજન હતું. ઝાલાવાડ વિચરી-વિચરી કેટલાકને ઝાલાવાડમા વર્ષીતપની પ્રેરણા કરીને લીંબડી પધાર્યા ત્યાં પોતાનાથી એક ઉપવાસ માંડ થાય પણ દાદાગુરૂની અતૂટ શ્રદ્ધાના બળે પોતે Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પૂ. સુલોચનાબાઈ મહાસતીજી વર્ષીતપની શુભ શરૂઆત કરીને લીંબડીથી રાજકોટ તરફ વિહાર માટે પ્રયાણ કર્યું. હજુ તો બેજ વિહાર થયા ત્યાં કાળ અને કર્મની લીલાને કોણ પામી શકે. વિ.સં. ૨૦૫૮ની તા. ૧૯-૫-૨૦૦૨ને વૈશાખ સુદ-૭ના દિને વૈશાખના પ્રભાતના પહોરે વિહાર કરતા-કરતા અરિહંત પરમાત્માના જાપ કરતા-કરતા તપના ભાવમાં ઝૂલતા-ઝૂલતા આંખના પલકારે-પાંપણના પલકારે-અચાનક જ આ અવની પરથી વિદાય લઈ લીધી. મેટાડોરનું વ્હીલ ફાટી જતાં આખી ગાડી પૂ. મહાસતીજી ઉપર પડી. તેનાથી મહાસતીજી પંચ પરમેષ્ઠીના જાપ જપતા-જપતા કાળધર્મ પામ્યા. આ સાંભળતાં જ હૈયે કારમો આઘાત લાગ્યો. સુખ-દુઃખમા હસતા રહેતા પૂ. મહાસતીજી સહુના હૃયમાં વસી ગયા. તેઓ એવું જીવન જીવ્યા કે કદી ભૂલી શકાય તેમ નથી. વિદાય પણ એવી લીધી કે ક્યારેય વિસરી શકાય તેમ નથી. લીંબડી અજરામર સંપ્રદાય વેલ-માણિક્ય પરિવારમાં ઉજ્જવલબાગનું પૂષ્પ પળવારમાં ઝૂંટવાઈ ગયું. સમયના વહેણને કોઈ રોકી શકતું નથી, પૂણ્યાત્માને કોઈ વિસરી શકતું નથી. આપનો દિવંગત આત્મા જ્યાં હોય ત્યાં સુખ-શાંતિ-પરમસમાધિને પામે એજ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના... પૂ. હેમલતાબાઈ મહાસતીજીના ત્રણ શિષ્યાઓ થયા. (૧) બા.બ્ર. મલ્લિકાબાઈ મ. (૨) બા.બ્ર. દર્શિતાબાઈ મ. (૩) બા.બ્ર. વૈભવીબાઈ મ. શ્રી મલ્લિકાબાઈ તથા વૈભવીબાઈ છેલ્લે સુધી ગુરૂણીપીની સાથે રહીને તેમને ખૂબ જ શાતા ઉપજાવતા. આ જીવન સેવા કરીને મહામૂલો લાભ લીધો છે. * * * 'સિંહણસમા બા.બ્ર. સુલોચનાબાઈ મહાસતીજી (શાર્દૂલવિક્રીડિતયું) જેના જીવનમાં હતી સરલતા, વાત્સલ્યતા નેણમાં ! જેના ચિત્તમહીં ભરી કરુણતા, માધુર્યતા વેણમાં સમ્યગુ જ્ઞાનમહી હતી રમણતા, આત્માતણા ભાવમાં.. એવા પૂજ્ય સુલોચના ગુરૂણીને, છે વંદના પાવમાં ! Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ આ છે અણગાર અમારા સંઘાડાના સ્તંભ જેવા બા.બ્ર. સુલોચનાબાઈ મહાસતીજીનો જન્મ તા. ૨૦૬-૧૯૪૦, વિ.સં. ૧૯૬૬ ની સાલમાં ઉજ્જૈન મુકામે થયો હતો. તેમનું મૂળ વતન ઝાલાવાડ વિસ્તારના લીંબડી તાલુકાનું ભડીયાદ ગામ હતું. તેમના પિતાનું નામ જગજીવનભાઈ તથા માતાનું નામ અજવાળી બહેન હતું. આ ઝાલાવાડી પરિવાર વર્ષોથી ઉજ્જૈનમાં રહે છે. ચરિત્રનાયિકાનું શુભ નામ પ્રભાબહેન પાડવામાં આવ્યું. તેમના મોટાભાઈનું નામ રસિકભાઈ તથા બહેનનું નામ સુશીલાબહેન હતું. કું. પ્રભાબહેન બે વર્ષના થયા ત્યાં માતા અજવાળી બહેન અવસાન પામ્યા. ત્રણે બાળકો અનાથ થઈ ગયા. એમના પિતાશ્રીએ બીજીવાર લલિતાબહેન નામની સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. લલિતા માતાએ ત્રણે સંતાનોને પોતાના જ સંતાનો માની વાત્સલ્યભાવથી મોટા કર્યા. લલિતા માતાને પણ અનુક્રમે બે પુત્રી તથા ત્રણ પુત્રો થયા. 'વિદ્યાભ્યાસ અને વ્યાવહારિક શિક્ષણ | કુ. પ્રભાબહેન સાત ધોરણ સુધીનો અભ્યાસ ઉજ્જૈનમાં જ કર્યો. ત્યાર પછી પિતાશ્રીએ તેમને વ્યાવહારિક શિક્ષણ મેળવવા માટે એમના મોસાળ સુરેન્દ્રનગરમાં મોકલી. તેમના મોસાળ એટલે લવજી તળશી અને કસ્તુર તળશીને (અત્રે યાદ આવે છે કે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીની નિશ્રામાં સં. ૨૦૩૭ ની સાલે ઉગ્ર તપસ્વી શ્રી રામચંદ્રજી સ્વામીએ સુરેન્દ્રનગરમાં ૭૯ ઉપવાસ કર્યા હતા ત્યારે ૩૫ હજાર જૈનોની નવકારશીનો લાભ મુખ્યત્વે લવજી તળશીના નામે તેમના સુપુત્ર શ્રી ચંદુભાઈ લવજીએ લીધો હતો.) ત્યાં રહીને તેમણે સારું એવું વ્યાવહારીક જ્ઞાન પ્રાપ્ત કર્યું. પવિત્ર પુણ્યોદયે ગુરૂણીનો ભેટો , તેઓશ્રી મોસાળમાં હતા ત્યારે સદ્ભાગ્યે સરળહૃદયી રતનબાઈ મહાસતીજી તથા બા.બ્ર. મોટા સૂરજબાઈ મહાસતીજીના સમાગમમાં આવ્યા. તેમના સત્સંગથી પ્રભાબેન વૈરાગ્ય વાસિત થયા. તેમને સંયમનો પાકો રંગ લાગ્યો. કું. પ્રભાબહેને ઉજજૈન જઈને પિતાજી પાસે દીક્ષાની રજા માગી. પિતાશ્રીએ ઘણી કસોટી કરી પરંતુ પ્રભાબહેનનો મજીઠીયો રંગ જોઈને આખરે તેમણે પ્રેમથી રજા આપી. તેઓશ્રી બે વર્ષ ગુરૂણી સાથે રહીને જ્ઞાનાભ્યાસની સાથે સંયમ જીવનની તાલિમ લીધી. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ પૂ. સુલોચનાબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૧૬ ના ફાગણ સુદ-૨ ના દિવસે વિરમગામ મુકામે પૂ. પંડિતરત્ન શ્રી પૂનમચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી. તેમનું નૂતન નામ પ્રભાબહેનમાંથી “બા.બ્ર. સુલોચનાબાઈ આર્યાજી” રાખવામાં આવ્યું. પૂ. રત્ન-સૂર્ય ગુરૂણી મૈયાના ચરણ-શરણમાં જીવન સમર્પિત કરી વિનય-વૈયાવચ્ચ આદિ ગુણો દ્વારા નાના-મોટા સહુના દિલમાં સ્થાન જમાવી દીધું. શ્રી સુલોચનાબાઈ મહાસતીજીની પાત્રતા, ગંભીરતા, કુશળતા આદિ ગુણો જોઈને સંવાડાના સંચાલનની જવાબદારી ગુરૂણીશ્રીએ તેમને સોંપી. તેઓશ્રી જીવ્યા ત્યાં સુધી સંઘાડાનું સંચાલન ખૂબ જ સારી રીતે કર્યું. સેવાથઃ પરમદિન, યોનિનામણાઃ અર્થાત્ સેવાધર્મ અત્યંત ગહન છે, તેને યોગીઓ પણ સમજી શકતા નથી કે આચરી શકતા નથી. દીક્ષા લીધી ત્યારથી એક ધારા ૩૧ વર્ષ પૂ. ગુરૂણી શ્રી આદિ વડીલોની સેવામાં પસાર કર્યા. તેમને એટલી શાતા ઉપજાવી કે એટલા વર્ષ તેઓશ્રી સ્વતંત્રપણે ક્યાંય વિચર્યા નહિ. પોતાની માતૃભૂમિ ઉજજૈન પણ પધાર્યા ન હતા. વડીલોની સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું. વડીલ મહાસતીજીઓના કાળધર્મ પછી તેમના સંસારી કુટુંબીજનોના અતિ આગ્રહના કારણે સંવત ૨૦૪૭ ની સાલે ઉજ્જૈન પધાર્યા અને ત્યાં શેષકાળનો લાભ આપ્યો. પોતાની સુપુત્રી સાધ્વી બન્યા પછી પ્રથમવાર પોતાની જન્મભૂમિમાં પધારે છે. એના આનંદમાં અતિરેકમાં મહાસતીજી ઉર્જન પધારે એના પહેલાં g Hall Pasil 240falz 48 0141. “Man Proposes and God Disposes" અર્થાત્ માણસ કંઈક ધારે છે અને કુદરત જુદું જ કરે છે. ઘરના મોભીની ઓચિંતી વિદાય થઈ. તેના શોકને દબાવી લલિતા માતા તથા ભાઈઓએ શેષકાળમાં ખૂબ જ સારો લાભ લીધો તથા ૩૧ મી દીક્ષા જયંતિ અત્યંત સાદી રીતે ઉજવી. જિંદગીનો મહામૂલો લાભ લીધો. 'શિષ્યાઓના જીવન ઘડવૈયા બન્યા પૂ. મહાસતીજી શિષ્યાઓની ખૂબ જ સારી રીતે સારણા-વારણા કરતા. સંયમ જીવનની સર્વ પ્રકારની શિક્ષાઓ તેઓશ્રી પ્રેમથી બધાને આપતા જેનાથી સર્વ શિષ્યાઓ ખૂબ જ ઘડાઈને તૈયાર થઈ ગયા. સાચું જ કહ્યું છે કે “ગુરૂ કારીગર સારીખા, ટાંકે વચન પ્રહાર; પથ્થરની પ્રતિમા કરે, પૂજા લહે અપાર.” Page #480 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૬૭ 'શાસ્ત્ર-સિદ્ધાંતના અભુત પ્રભાવક "દવા 1 વિ.સં. ૨૦૩૭ ના ભૂજ ચાતુર્માસમાં આખું ઉત્તરાધ્યયન સૂત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. જેને ત્યાંના શ્રાવકો આજે પણ યાદ કરે છે. સમાઘોઘા (કચ્છ) માં છે વર્ષના સ્થિરવાસ દરમિયાન ભગવતી સૂત્ર વાંચ્યું હતું. તેમને સૂત્ર-સિદ્ધાંતમાં ખૂબ જ સારી રુચિ હતી. તેઓશ્રી વ્યાખ્યાન-વાંચણી અને પ્રશ્નોત્તરી આદિ દ્વારા ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. આબાલવૃદ્ધ સૌને આકર્ષી શકતા, કેમ કે તેમની વાણીમાં અદ્ભુત જાદુ હતો. પોતાના ઉપકરણો આદિનું પડિલેહણ તેઓશ્રી જાતે જ કરતા. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ; અનંતા જીવ મોક્ષે ગયા, દયાતણાં ફળ જાણ” વિ.સં. ૨૦૩૫ ના મનફરા ચાતુર્માસમાં વધારે વરસાદના કારણે રબાણનો ઉપદ્રવ ખૂબ જ થયો હતો. ત્યારે પૂ. મહાસતીજી સ્વયં સુપડી તથા ગુચ્છો લઈ રબાણોને ભેગી કરી નિર્વદ્ય જગ્યાએ મૂકતા. આ કાર્ય કલાકો સુધી કરતા કેમ કે તેમને જીવદયામાં ખૂબ જ રસ હતો. ખરેખર જીવદયા સમાન કોઈ ધર્મ નથી. પૂ. મહાસતીજી કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રાંતોમાં વિચરીને ખૂબ જ શાસન પ્રભાવના કરી હતી. નવકાર મહામંત્રના જાપ તો લાખોની સંખ્યામાં કર્યા હતા. પોતે ડાયાબીટીસના દર્દી હોવા છતાં તીર્થકરના એકાસણા, ૨૦ સ્થાનકની ઓળી, વર્ષીતપ, તેર છઠ્ઠ આદિ અનેકવિધ તપસ્યાઓ કરી હતી. ( સહિષ્ણુતાની મૂર્તિયાને નિરંજનાબાઈ મહાસતીજી આમ તો પૂ. નિરંજનાબાઈ મ. એ દીક્ષા લીધી ત્યારથી જ તેમને અશાતા વેદનીય કર્મનો ઉદય જોરદાર હતો. ડાયાબીટીસ, બી.પી., પેરેલીસીસ, હાર્ટ એટેક આદિ અનેક દર્દીની વચ્ચે પણ સતત સ્વાધ્યાય, જાપ, વાચન, મનન આદિ સંયમપોષક પ્રવૃત્તિથી સમતાપૂર્વક કર્મના દેણાં ચૂક્ત કરતા હતા એટલું નહિ પણ નાના ઠાણાઓને જ્ઞાન તથા સંસ્કાર આપી સંયમ જીવનનું સારી રીતે ઘડતર કરતા હતા. વાચણી પણ પોતે કરાવતા. પોતે વ્યાખ્યાન આપી શકતા ન હતા પણ નાના ઠાણાઓને વ્યાખ્યાન વાંચતા શીખવાડતા. ખરેખર માળી જેમ બગીચાને હરિયાળો Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પૂ. કુસુમબાઈ આર્યાજી બનાવે તેમ પૂ.નિરંજનાબાઈ મહાસતીજી નાના ઠાણાઓને ખૂબ જ સારી રીતે તૈયાર કરતા. તેઓના સંયમ બાગને જ્ઞાન-ધ્યાન આદિનું સિંચન કરી ખૂબ જ હરિયાળો બનાવતા. ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા એક વખત પૂ. નિરંજનાબાઈ મ.ના આખા શરીરમાં સેપ્ટીક થયું. ડૉક્ટર સાહેબ હાથ-પગ વગેરે અંગોમાં છેક મારીને રસી કાઢે. આપણા જેવાના તો હાંજા ગગડી જાય. જોઈ પણ ન શકાય એવી વેદના થાય. આપણા જેવાના મોઢામાંથી ચીસ નીકળી જાય પરંતુ પૂ. મહાસતીજી એટલા જ સમતા ભાવમાં લીન રહે અને કહે, સમજણના ભવમાં સમતાપૂર્વક કર્મોના કરજ ચૂક્ત કરવા દો. સતત સમાધિ મરણ માટેનું વાચન કરતા તથા તેમને એક જ લગની કે મારું સમાધિ મરણ થાય. છેલ્લે બંને કીડની નિષ્ફળ થઈ ગઈ. આખા શરીરે ખૂબ જ સોજા આવે પરંતુ દરેક ઠાણાને કહે, “મને સ્વાધ્યાય સંભળાવો, એટલું જ નહિ પણ છેલ્લે છ મહિનાના છેદનું પ્રાયશ્ચિત લીધું અને સંથારો લીધો.” શ્વાસ તો ધમણની માફક ચાલે છતાં ય મુખ પર પરમ પ્રસન્નતા જોવા મળતી. અંતે સર્વ જીવને ખમાવતા ખમાવતા સમાધિમરણ પામ્યા. ખરેખર પૂ. નરિજનાબાઈ મહાસતીજી એટલે સહિષ્ણુતાની મૂર્તિ. એમનામાં સરળતા, નમ્રતા, ગુરૂસમર્પણતા આદિ અનેક ગુણો હતા. આવા સમાધિસ્થ આત્માના જીવનમાંથી સૌએ પ્રેરણા મેળવવા જેવી છે. 'આજીવન અનશન વ્રતધારી ઉગ્રતપસ્વિની 'બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજી બા.બ્ર. કુસુમબાઈ મહાસતીજીનો જન્મ કચ્છના અંજાર શહેરમાં વિ.સં. ૧૯૯૩ની સાલે, ફાગણ સુદિ-૭ના દિવસે પિતાશ્રી નાથાલાલ પાનાચંદભાઈ દોશી તથા માતુશ્રી ગુલાબબહેનની કુક્ષિએ થયો હતો. તેમની જ્ઞાતિ વિશા શ્રીમાળી હતી. અંજાર શહેર ઐતિહાસિક છે ત્યાં જેસલ-તોરલની સમાધિ છે. થોભણ દાદાનું સ્થાન છે. પૂ. આચાર્ય શ્રી દીપચંદ્રજી સ્વામી, પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય નાનચંદ્રજી સ્વામી જેવા અનેક સંતોની દીક્ષાભૂમિ છે. વિ.સં. Page #482 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૬૯ ૨૦૧૨ની સાલે તથા વિ.સં. ૨૦૫૭ના ભયંકર ભૂકંપે (ધરતીકંપ) અંજારને વિશેષ પ્રમાણમાં ધ્વસ્ત કર્યા. પૂ. વેલ-માણિક્ય-ઉજ્જવળ ગુરૂણીના સત્સંગથી કુસુમબહેનને ધર્મનો રંગ લાગ્યો. તેઓ વૈરાગ્યવાસિત થયા તથા સંયમજીવનની તાલીમ લીધી. વિ.સં. ૨૦૨૨, ફાગણ સુદિ-૩, બુધવારના અંજાર મુકામે પૂ. આચાર્યશ્રી રૂપચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓશ્રી પ્રારંભથી જ ખૂબ વિનયવાન, સેવાભાઈ તથા તપસ્વી હતા. પોતાના સંયમ પર્યાયમાં ૬૦ ઉપવાસ, ૫૧ ઉપવાસ, મા ખમણ, વર્ષીતપ આદિ પુષ્કળ તપસ્યાઓ કરી હતી. સાધ્વી સંઘમાં અગ્રગણ્ય તપસ્વિની હતા. તેઓ એટલા જ નિરભિમાની હતા જેથી સોનામાં સુગંધ ભળે છે તેવું સર્વેને લાગતું. સર્વે ઠાણાઓની સાથે ખૂબ મૈત્રીભાવથી રહેતા. 'બિલીમોરામાં આજીવન અનશનની આરાધના | વિ.સં. ૨૦૫રની સાથે ફાગણ મહિનામાં પૂ. કુસુમબાઈ મ. આદિ બિલીમોરા પધાર્યા હતા. ત્યાં એમની તબિયત બગડી. કોમામાં વહ્યા ગયા ત્યારે ડૉક્ટરે કહી દીધું કે ૨૪ કલાકના મહેમાન છે. સાથેના સતીઓ ધ્રુજી ઉઠ્યા પણ સ્વસ્થ થઈને તેમને આજીવન અનશન (સંથારા)ના પચ્ચકખાણ આપ્યા. ચારે આહારનો ત્યાગ કરાવ્યો. આરોગ્ય વિજ્ઞાન કરતા ધર્મવિજ્ઞાન ઉચ્ચતર છે. પૂ. મહાસતીજી બીજે દિવસે ભાનમાં આવી ગયા પરંતુ સંથારાના ભાવમાં, સમતામાં ઝૂલી રહ્યા હતા. દિવસે દિવસે પરિણામધારા ઉચ્ચ, ઉચ્ચતર ને ઉચ્ચતમ થવા લાગી. ચારે બાજુથી દર્શનાર્થીઓનો અત્યંત ધસારો થવા લાગ્યો. પૂરા ૨૯ દિવસ આ સંથારો ચાલ્યો. જિનશાસનનો મહિમા સર્વત્ર છવાઈ ગયો. આજીવન તપસ્યા કરનારા ૫૯ વર્ષના મહાસતીજી કુસુમબાઈ આર્યાજી ગુરૂ-ગુરૂણીના નામને રોશન કરી, અનેક જીવોને દઢ શ્રદ્ધાળુ બનાવી, વિ.સં. ૨૦૨૨, ચૈત્ર સુદિ-૪ના દિવસે બિલીમોરામાં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. વંદન એ સમતાધારી આજીવન અનશન વ્રતધારી મહાન આત્માને ! Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૦) પટ્ટાવલી વિભાગ - ૬ સુધર્માચ્છીય યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીની પાટપરંપરાએ અજરામર સંપ્રદાયની પટ્ટાવલિ તથા તે પરંપરામાં થઈ ગયેલા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન મુનિરાજો તથા ' મહાસતીજીઓની નામાવલિ 'શ્રી શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન અજરામર 'સંપ્રદાય (અજરામર સંઘ)ની પાટ પરંપરા પટ્ટાવલિ ૬૫મા આચાર્યશ્રીથી પટ્ટાવલિ. લેખક:- પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી. (૬૫) યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામી ઃ શિષ્યો ૯૯ (૬૬) પૂજ્ય શ્રી મૂલચંદ્રજી સ્વામી : જન્મ વિ.સં. ૧૭૦૭ શ્રાવણ સુદ-૧૧, અમદાવાદ દશા શ્રીમાળી દીક્ષા ૧૭૨૩. ગાદીએ બિરાજ્યા: ૧૭૫૯. આચાર્ય પદવી : ૧૭૬૪ પોષ સુદ-૧૫ અમદાવાદ. સ્વર્ગવાસ-૧૭૮૧ (સંથારાપૂર્વક) શિષ્યો સાત. (૬૭) પૂજ્ય શ્રી પચાણજી સ્વામી: ગાદીએ બિરાજ્યા. ૧૭૮૧ આચાર્યપદવીઃ ૧૭૮૧ અમદાવાદ સ્વર્ગવાસ : ૧૮૧૪ શ્રાવણ સુદ. પૂજ્ય શ્રી પચાણજી સ્વામીએ સમુદાય સુધારણાર્થે ૩૨ બોલ બાંધ્યા હતા. તે ૩૨ બોલ પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા અને સુધારણા કરી. (૬૮) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી : જન્મ સિદ્ધપુર. પિતા શ્રી જીવરાજભાઈ સંઘવી. માતા : વાલમબાઈ. પોરવાડ વણિક. ગાદીએ બિરાજ્યા : ૧૮૧૪. આચાર્ય પદવી ૧૮૧૫ મહા સુદ ૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૩૨. ' (૬૯) પૂજ્ય શ્રી હીરાજી સ્વામી: કણબી. દીક્ષા : ૧૮૦૪ ગાદીએ બિરાજયા : Page #484 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૭૧ ૧૯૩૨. ગાદીપતિ પદ : ૧૮૩૩ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૪૧ ધોરાજી. (૭૦) પૂજ્ય શ્રી કાનજી સ્વામી જન્મ : ૧૮૦૧ માં વઢવાણ. ભાવસાર દીક્ષા ૧૮૧૨. ગાદીપતિ પદ : ૧૮૪૫ લીંબડી સ્વર્ગવાસ : ૧૮૫૪ સાયલા. (૭૧) શાસનોદ્વારક પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી : જન્મ : ૧૮૦૯ પડાણા (હાલાર) પિતા : શ્રી માણેકચંદભાઈ મારુ. માતા : કંકુબાઈ. વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૦૯ મહા સુદ-૫ ગોડલ. ગાદીએ બિરાજયા :૧૮૫૪. આચાર્યપદવી ૧૮૪૫ લીંબડી. સ્વર્ગવાસ ૧૮૭૦ શ્રાવણ વદ-૧ની રાતે ૧.૩૦ વાગ્યે લીંબડી. શિષ્યો પાંચ. (૭૨) પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી : જન્મઃ ૧૮૩૧ કારતક સુદ, કાંડાગરા (કચ્છ) પિતાઃ નાગજીભાઈ દેઢિયા. વીસા ઓસવાળ દીક્ષા : ૧૮૪૧ ફાગણ સુદ૫. ગાદીએ બિરાજ્યા ૧૮૭૦ આચાર્યપદવી ૧૮૭૫ પોષ વદ-૫ લીંબડી સ્વર્ગવાસઃ ૧૮૭૯ આસો વદ-૧ ની રાતે જેતપુર (કાઠીનું) શિષ્યો પાંચ. (૭૩) પૂજ્ય શ્રી ભાણજી સ્વામી જન્મ: ૧૮૪૧ પોષ સુદ. વાંકાનેર (સૌરાષ્ટ્ર) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૫૫ વૈશાખ સુદ-૧૧. ગાદીએ બિરાજ્યા : ૧૮૭૯. આચાર્યપદવી : ૧૮૮૦ માગસર સુદ-૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૮૭ના વૈશાખ સુદ-૧૧ રામોદ. શિષ્યો સાત. (૭૪) પૂજ્ય શ્રી હરચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૮૫૧ મેથાણા (ભાલ-લીંબડી તાલુકો) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૬૬, ગાદીએ બિરાજ્યા: ૧૮૮૭, ગાદીપતિ પદ : ૧૮૮૮ મહા સુદ-૨ લીંબડી સ્વર્ગવાસ : ૧૯૧૪ પોષ સુદ-૬ લીંબડી. (૭૫) સકલાગમરહસ્યવેદી પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ :૧૮૬૦ કારતક સુદ વાંકાનેર (સૌરા.) પિતા શ્રી પુંજાભાઈ લોહાણા દીક્ષા : ૧૮૭૦ પોષ સુદ-૮ રાપર (કચ્છ) ગાદીએ બિરાજયા : ૧૯૧૪. આચાર્યપદ : ૧૮૮૮ મહા સુદ-૨ સ્વર્ગવાસ : ૧૯૨૦ જેઠ સુદ-૮ લીંબડી. શિષ્યો-૧૩. (૭૬) પૂજ્ય શ્રી ગોવિંદજી સ્વામી : જન્મ : ૧૮૬૭ મહા સુદ, આધોઈ (પૂર્વ કચ્છ) વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૭૯ ચૈત્ર. ગાદીએ બિરાજ્યા : ૧૯૨૦ ગાદીપતિ પદ : ૧૯૨૧ મહા સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૩૫ માગસર વદ૯ લીંબડી. શિષ્યો-૩. (૭૭) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ : ૧૮૭૪ શ્રાવણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતાશ્રી કોરશીભાઈ છેડવા. માતા : મૂળીબાઈ વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૯૧ પોષ સુદ-૧૦ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજયા ૧૯૩૫. આચાર્યપદ : ૧૯૨૧ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પટ્ટાવલી મહા સુદ-૫ લીબડી. સ્વર્ગવાસઃ ૧૯૩૬ મહા વદ-૫ લીંબડી શિષ્યો-૨. (૭૮) પૂજ્ય શ્રી નથુજી સ્વામી જન્મઃ૧૮૭૬ રાયણ (તા. માંડવી કચ્છ) પિતા: શ્રી કેશવશા ફરિયા. માતા : મુરાંદેબાઈ વિસા ઓસવાળ. દીક્ષા : ૧૮૯૫ કારતક વદ-૭ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજ્યા : ૧૯૩૬. ગાદીપતિ પદ : ૧૯૩૭ પોષ વદ-૧૩ ગુરુવાર લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૪૮ શ્રાવણ વદ-૮ લીંબડી શિષ્યો (૭૯) પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા : ભોજરાજભાઈ દેઢિયા. માતા : ખેતબાઈ. વીસા ઓસવાળ. દીક્ષા : ૧૯૦૧ મહા વદ-૧, અંજાર (કચ્છ) ગાદીએ બિરાજયા : ૧૯૪૦. આચાર્યપદ : ૧૯૩૭ પોષ વદ-૧૩ ગુરુવાર લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૬૧ ચૈત્રવદ-૧૪ મંગળવાર લીંબડી. (૮૦) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી: જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા: માલશીભાઈ દેઢિયા. માતા: ગંગાબહેન. વીસા ઓસવાળ. દીક્ષા: ૧૯૦૩ વૈશાખ સુદ-૮ વાંકાનેર. ગાદીએ બિરાજયાઃ ૧૯૬૪ શ્રાવણ વદ-૧૦ શુક્રવારની રાતે લીંબડી. શિષ્યો-૭. (૮૧) પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામી: જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા : માલશીભાઈ દેઢિયા. માતા: ગંગાબહેન. વિસા ઓસવાળ. દીક્ષા : ૧૯૦૪ જેઠ સુદ-૪ લીંબડી. ગાદીએ બિરાજ્યા : ૧૯૬૪. ગાદીપતિ પદ: ૧૯૬૮ વૈશાખ વદ : ૧૯૬૮ વૈશાખ વદ-૯ લીંબડી. સ્વર્ગવાસ ૧૯૭૧ ફાગણ સુદ-૧૩ લીબડી. શિષ્યો-૨. (૮૨) પૂજ્ય શ્રી દેવચન્દજી સ્વામી જન્મઃ ૧૮૯૫ શ્રાવણ સુદ ગુંદાલા (કચ્છ) પિતા : રાણા મેપા સાવલા. માતા: નામઈબાઈ. વીસાઓસવાળ દીક્ષા: ૧૯૧૩ ફાગણ સુદ-૭ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજ્યા: ૧૯૭૧. આચાર્યપદ : ૧૯૬૮ વૈશાખ વદ-૯ ગુરુવાર (૧૯૬૩ ફાગણ વદ-૭) સ્વર્ગવાસ : ૧૯૭૭ કારતક વદ-૮ લીંબડી. શિષ્યો-૬. (૮૩) પૂજ્ય શ્રી લવજી સ્વામી : જન્મ : ૧૯૦૨ રામાણીયા (કચ્છ) પિતા : શ્રી નરસિંહભાઈ. માતા : કેશરબાઈ ભાવસાર. દીક્ષા : ૧૯૨૪ જેઠ વદ-૨. ગાદીએ બિરાજયા : ૧૯૭૭. આચાર્યપદ : ૧૯૭૮ મહા સુદ-૧૫ લીંબડી. શીષ્યો-૩. (૮૪) પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૯૨૧ જેઠ સુદ-૨ ભોરારા (કચ્છ) પિતા : શ્રવણ ભારમલ દેઢિયા. માતા : આસઈબાઈ. વીસા ઓસવાળ. Page #486 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४७ દીક્ષા : ૧૯૬૩ મહા સુદ-૧૦ અંજાર (કચ્છ) ગાદીએ બિરાજ્યા : ૧૯૮૫ કારતક સુદ-૨. આચાર્ય પદ : ૧૯૮૮ જેઠ સુદ-૧ રવિવાર, લીંબડી. સ્વર્ગવાસ : ૨૦૦૮ ચૈત્ર સુદ-૧૨ રવિવાર. લીંબડી. શિષ્યો-૩. (૮૫) પૂજ્ય શ્રી ધનજી સ્વામી: જન્મ : ૧૯૩૩ આસો સુદ-૮ લીંબડી. પિતા : વર્ધમાન લવજી શેઠ. માતા : સંતોકબાઈ. દશા શ્રીમાળી. દીક્ષા : ૧૯૪૬ વૈશાખ સુદ-૧૩ લીંબડી. સ્વર્ગવાસઃ ૨૦૨૫ ગાદીએ બિરાજયાઃ ૨૦૦૮ ચૈત્ર સુદ-૧૨. (૮૬) પૂજ્ય શ્રી શામજી સ્વામી જન્મ : ૧૯૩૪ સઈ (તા. રાપર પૂર્વ કચ્છ) મહા સુદ-૧૧ પિતા : મોતીચંદ પટેલ માતા : નવલબેન. વિસા શ્રીમાળી દીક્ષા : ૧૯૫૦ વૈશાખ સુદ-૧૦ સોમવાર ચંદિયા (તા. અંજાર કચ્છ) ગાદીપર આગમનઃ સં.૨૦૨૫. સ્વર્ગવાસ : ૨૦૨૫ ચૈત્ર વદ-૯ લીંબડી. (૮૭) પૂજ્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી: જન્મ : ૧૯૪૪ ભચાઉ (કચ્છ) મહાવદ૭. પિતા : તેજશીભાઈ ગાલા. માતા : વિંઝઈબાઈ દીક્ષા : ૧૯૫૯ ફાગણ સુદ૩ ભચાઉ (કચ્છ) ગાદીએ આગમન ૨૦૨૫ ચૈત્ર વદ-૯, આચાર્યપદ : ૨૦૨૮ વૈશાખ સુદ ૧૩, (બીજા) ગુરુવાર લીંબડી ગાદી પર આગમન : ૨૦૩૯ વૈશાખ વદ ૦)) શિષ્યો-૩. (૮૮) પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી : જન્મ : સજજનપર (તા.મોરબી) ૧૯૬૧. દીક્ષા : ૧૯૮૪ માગસર સુદ-૬ બુધવાર લીંબડી ગાદી પર આગમન : ૨૦૩૯ વૈશાખ વદ ૦)) શિષ્યો-૩. (૮૯) પૂજ્ય શ્રી નરસિંહજી સ્વામી જન્મઃ લાકડિયા વિ. સંવત ૧૯૭૪. આસો સુદ-૫ દીક્ષા: સં. ૨૦૧૧ મહા સુદ-૧૦ બિદડા (કચ્છ) ગાદી પર આગમન : સં. ૨૦૪૫ કારતક વદ ૦)) સ્થાનકવાસી જૈન અજરામર (છકોટિ) સંપ્રદાયના ભૂતપૂર્વ સ્વર્ગવાસ થયેલા મુનિરાજોની દીક્ષાદિ નોંધ સાથે નામાવલિ. -પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી (જયાં સાલ આપી છે તે વિક્રમ સંવત સમજવાનું છે.) (૧) પૂજ્ય શ્રી ધર્મદાસજી સ્વામી : જન્મ-સરખેજ (અમદાવાદ પાસે) સં. ૧૭૦૧. દીક્ષા-૧૯૬૧ આસો સુદિ-૧૧ અમદાવાદ. સ્વર્ગવાસ-૧૭૫૯ અષાઢ સુદિ-૫ ધારાનગરી (મધ્યપ્રદેશ) (૨) પૂજ્ય શ્રી મૂલચન્દ્રજી સ્વામી જન્મ-અમદાવાદ. દીક્ષા-૧૭૨૩. સ્વર્ગવાસ૧૭૮૧ અમદાવાદ. (તેમના નામનો સંઘાડો ચાલતો). Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७४ પટ્ટાવલી (૩) પંડિત મ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી. (૪) પૂજ્ય શ્રી પચાણજી સ્વામી સ્વર્ગવાસ-૧૮૧૪ લીંબડી. (૫) સ્થવીરપદ વિભૂષિત શ્રી વનાજી સ્વામી. (૬) Wવીરપદ વિભૂષિત શ્રી વણારસી સ્વામી. (૭) સ્થવીરપદ વિભૂષિત શ્રી વિઠ્ઠલજી સ્વામી. (૮) પંડિત શ્રી ઈન્દ્રજી સ્વામી (જેમનાથી કચ્છમાં પહેલા પદાર્પણ થયા.) (૯) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી : જન્મ-સિદ્ધપુર. દીક્ષા-૧૭૬૬. સ્વર્ગવાસ૧૮૩૨. લીંબડી. (૧૦) Wવીરપદ વિભૂષિત શ્રી ઈચ્છાજી સ્વામી જન્મ-અમદાવાદ. દીક્ષા૧૭૭૫. સ્વર્ગવાસ-૧૮૧૪ સુરત. (૧૧) સ્થવરપદ વિભૂષિત શ્રી ઈચ્છાજી સ્વામી જન્મ-૧૭૮૨. સ્વર્ગવાસ૧૮૧૪. (૧૨) પૂજ્ય શ્રી હીરાજી સ્વામી: જન્મ : અમદાવાદ. દીક્ષા-૧૮૦૪. સ્વર્ગવાસ૧૮૪૨ ધોરાજી (સૌરાષ્ટ્ર) (૧૩) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ-વઢવાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૧૨, સ્વર્ગવાસ-૧૮૫૪, સાયલા (સૌરાષ્ટ્ર) (૧૪) પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી જન્મ-પડાણા. (હાલાર-સૌરાષ્ટ્ર) દીક્ષા૧૮૧૯, મહા સુદિ-૫ ગુરુવાર. ગોંડલ. સ્વર્ગવાસ-૧૮૭૦. (૧૫) મહારાજ શ્રી તલકાશી સ્વામી જન્મ-ધ્રોલ (હાલાર) દીક્ષા-૧૮૩૭ ભુજ (કચ્છ) સ્વર્ગવાસ-૧૮૬૨ લીંબડી. (૧૬) મહારાજ શ્રી વીરજી સ્વામી. (૧૭) તપસ્વી મ. શ્રી કચરાજી સ્વામી. (૧૮) મહારાજ શ્રી રવજી સ્વામી જન્મ કુતિયાણા (સોરઠ) દીક્ષા-૧૮૩૮ પોષ સુદિ-૬, સ્વર્ગવાસ-૧૮૭૦, પોષ સુદ-૧૦. લીંબડી. (૧૯) મહારાજ શ્રી નાગજી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ) દીક્ષા-૧૮૪૧ ફાગણ સુદિ-૫ ગોડલ. (૨૦) પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ) ૧૮૩૧. દીક્ષા૧૮૪૧ ફા.સુ. ૫ ગોંડલ. સ્વર્ગવાસ-૧૮૭૯ આસો વદ-૧. Page #488 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૭૫ (૨૧) મહારાજ શ્રી તેજપાળજી સ્વામીઃ જન્મ-દેશલપુર (કચ્છ) દીક્ષા-૧૮૪૬ વૈશાખ સુદ-૫. સ્વર્ગવાસ-૧૮૯૧. પોષ સુદિ-૪. શનિવારે પ્રહર દિન ચડતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ. લીંબડી. (૨૨) મહારાજ શ્રી નરસિહજી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા૧૮૪૬. સ્વર્ગવાસ-૧૮૬૯ ભાદરવા વદિ-૧૪ થાનગઢ. (૨૩) Wવીરપદ વિભૂષિત મોટા મોણશી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા-૧૮૪૯ કારતક વદિ-૧૩. સ્વર્ગવાસ-૧૮૮૭ પ્રથમ વૈશાખ વદિ-૧૦ શુક્રવાર, મોજીદડ (લીંબડી પાસે) (૨૪) Wવીરપદ વિભૂષિત મોટા દેવજી સ્વામી જન્મ-વાંકાનેર દીક્ષા-૧૮૫૦ ચિત્ર વદિ-૯ સ્વર્ગવાસ-૧૮૮૭ પ્રથમ વૈશાખ વદિ-૪ શનિવાર જેતપુર (સૌરાષ્ટ્ર) (૨૫) મહારાજ શ્રી કેશવજી સ્વામી : જન્મ-માનકુવા (કચ્છ) દીક્ષા-૧૮૫૪ રાપર (કચ્છ). સ્વર્ગવાસ-૧૮૭૦. ભાદરવા વદિ-૧૪ મુન્દ્રા (કચ્છ). (૨૬) મહારાજ શ્રી રૂગનાથજી સ્વામી જન્મ-વઢવાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૫૫ વૈશાખ સુદ-૧૧ વઢવાણ. સ્વર્ગવાસ-૧૮૭૬ વઢવાણ. (સંથારો કર્યો હતો. પહેલા દેવલોકે ઉપજવાનું જોયું. પૂજય શ્રી દેવરાજજી સ્વામીને સમળા ગામે દીઠા. અન્ય પ્રશ્નોત્તરી થઈ. દિવસ બે ઘડી ચઢ્ય દેવગત થયા.) (૨૭) પૂજ્ય શ્રી ભાણજી સ્વામી : જન્મ-વાંકાનેર (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૫૫ વૈશાખ સુદિ-૧૧ વઢવાણ. સ્વર્ગવાસ-૧૮૮૭ વૈશાખ સુદિ-૧૩ રામોદ, (૨૮) મહારાજ શ્રી કરમશી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ). દીક્ષા-૧૮૫૭ પ્રથમ જેઠ સુદિ-૧૧ કાંડાગરા (કચ્છ). (૨૯) મહારાજ શ્રી હરજી સ્વામી જન્મ-કાંડાગરા (કચ્છ). દીક્ષા-૧૮૫૭ પ્રથમ જેઠ સુદિ-૧૧ કાંડાગરા (કચ્છ). (૩૦) મહારાજ શ્રી સંઘજી સ્વામી : જન્મ-ખેડોઈ (કચ્છ). દીક્ષા-૧૮૫૯ જેઠ વદિ-૧૨, સ્વર્ગવાસ-૧૮૮૩. (૩૧) મહારાજ શ્રી રાઘવજી સ્વામી : (૩૨) મહારાજ શ્રી કરમચન્દ્રજી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા૧૮૬૦ રાપર (કચ્છ). સ્વર્ગવાસ-૧૮૭૦ રાપર. (૩૩) મહારાજ શ્રી નાના મોણસી સ્વામી : જન્મ-આસંબિયા (કચ્છ) દીક્ષા૧૮૬૦. જામ કંડોરણા. સ્વર્ગવાસ-૧૮૬૭. લીંબડી. Page #489 -------------------------------------------------------------------------- ________________ ४७६ પટ્ટાવલી (૩૪) મહારાજ શ્રી રાયમલજી સ્વામી : જન્મ-ખાખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ કારતક વદ-૪ શુક્રવાર, રાપર. સ્વર્ગવાસ-૧૯૦૨ લીંબડી. (૩૫) મહારાજ શ્રી નાના હરજી સ્વામી જન્મ-ખોખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ ફાગણ સુદિ-૪ લીંબડી. (૩૬) તપસ્વી મ. શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીંબડી. સ્વર્ગવાસ-૧૮૮૭ માગસર સુદિ-૨ સાયલા. (૬૫ દિવસ સંથારો ચાલ્યો અને ૪૦ ગાઉમાં અજવાળું થયું.) (૩૭) મહારાજ શ્રી હરિરખજી સ્વામી : જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીબડી. (૩૮) મહારાજ શ્રી મોટા મૂલજી સ્વામી જન્મ-મોરબી. દિક્ષા-૧૮૬૩ ફાગણ વદિ-૧૧ મોરબી. સ્વર્ગવાસ-૧૯૦૪ આસો વદિ-૧૧, અમદાવાદ. (૩૯) મહારાજ શ્રી કુંવરજી સ્વામી : જન્મ-વઢવાણ. દીક્ષા-૧૮૬૫ માગસર સુદિ-૬ લીંબડી. (૪૦) પૂજ્ય શ્રી (રાજા) હરચન્દ્રજી સ્વામી : જન્મ-મેથાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૮૬૬ માગસર સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૪ પોષ સુદિ-૬ લીંબડી. (૪૧) મહારાજ શ્રી જેઠાજી સ્વામીઃ જન્મ-ધ્રોલ (હાલાર-સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૬૬ વૈશાખ વદિ-૯ વઢવાણ. (૪૨) મહારાજ શ્રી હંસરાજજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર (કચ્છ). (૪૩) મહારાજ શ્રી અભિચંદ્રજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર. સ્વર્ગવાસ-અંજાર (કચ્છ). (૪૪) મહારાજ શ્રી રામચન્દ્રજી સ્વામીઃ જન્મ-રતલામ. દીક્ષા-૧૮૬૭ ફાગણ વદિ-૨ લીંબડી. (૪૫) મહારાજ શ્રી દામોદરજી સ્વામી (દામાજી સ્વામી) : જન્મ-ધોરાજી (સૌરાષ્ટ્ર) દીક્ષા: ૧૮૬૭ લીંબડી. (૪૬) મહારાજ શ્રી ધર્મસીંહજી સ્વામી જન્મ-બીલખા. દીક્ષા-૧૮૬૯. (૪૭) મહારાજ શ્રી ભારમલજી સ્વામી જન્મ-રતાડીયા (કચ્છ) દીક્ષા-૧૮૬૭. સ્વર્ગવાસ-૧૮૭૦ જેતપુર (સૌરાષ્ટ્ર) (૪૮) મહારાજ શ્રી હેમરાજજી સ્વામી. Page #490 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૭૭ (૪૯) Wવીરપદ વિભૂષિત મ.શ્રી અવિચળજી સ્વામી જન્મ-રવ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૧ લીંબડી. (૫૦) મહારાજ શ્રી હભુજી સ્વામી જન્મ-બિદડા અથવા ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૧) મહારાજ શ્રી મૂલજી સ્વામી : જન્મ-પત્રી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી, સ્વર્ગવાસ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર). (પર) મહારાજ શ્રી નાના રતનસિંહજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૩) મહારાજ શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-વઢવાણ. (૫૪) મહારાજ શ્રી હીરજી સ્વામી. (૫૫) મહારાજ શ્રી ભીમજી સ્વામી : જન્મ-૧૮૬૯ મહાસુદ-૪ લીંબડી. (૫૬) મહારાજ શ્રી કચરાજી સ્વામી : જન્મ-તુંબડી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪ લીંબડી. (૫૭) મહારાજ શ્રી માનસિંહજી સ્વામી ઃ દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪. (૫૮) મહારાજ શ્રી મૂલજી સ્વામી : દીક્ષા-૧૮૬૯ મહાસુદ-૪. (૫૯) મહારાજ શ્રી નથુજી સ્વામી. (૬૦) મહારાજ શ્રી નાના રાયચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૮૬૯ ચૈત્ર સુદ-૧૫. (૬૧) મહારાજ શ્રી પ્રેમજી સ્વામી દીક્ષા-૧૮૬૯ વૈશાખ સુદ-૪. (૬૨) મહારાજ શ્રી રાયશી સ્વામી : દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૩) મહારાજ શ્રી ધનપાળજી સ્વામી ઃ દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૪) પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ-વાંકાનેર દીક્ષા-૧૮૭૦ પોષવદિ-૮ રાપર. સ્વર્ગવાસ-૧૯૨૦. જેઠ સુદ-૮ લીંબડી. (૬૫) મહારાજ શ્રી વીરજી સ્વામી : જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ) (૬૬) મહારાજ શ્રી લક્ષ્મીચન્દ્રજી સ્વામી : જન્મ-ટોડા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ). Page #491 -------------------------------------------------------------------------- ________________ ४७८ પટ્ટાવલી (૬૭) મહારાજ શ્રી નાના હરજી સ્વામી : દીક્ષા-૧૮૭૦, ફાગણ વદ-૮. (૬૮) મહારાજ શ્રી મોરારજી સ્વામી : દીક્ષા-૧૮૭૦. (૬૯) મહારાજ શ્રી ખેતશી સ્વામી : દીક્ષા-૧૮૭૦. (૭૦) મહારાજ શ્રી તેજશી સ્વામી : દીક્ષા-૧૮૭૦. વૈશાખ સુદ-૧૩. (૭૧) મહારાજ શ્રી હંસરાજજી સ્વામી. (૭૨) મહારાજ શ્રી દેવકરણજી સ્વામી : દીક્ષા-૧૮૭૦. વૈશાખ સુદિ-૬. (૭૩) મહારાજ શ્રી હીરજી સ્વામી : દીક્ષા-૧૮૭૧ જેઠસુદ-૫. (૭૪) મહારાજ શ્રી લાધાજી સ્વામી : જન્મ-સાડાઉ (કચ્છ) દીક્ષા-૧૮૭૩, (૭૫) મહારાજ શ્રી પુંજાજી સ્વામી : દીક્ષા-૧૮૭૪ કારતક વિદ-૧. (૭૬) મહારાજ શ્રી કચરાજી સ્વામી : દીક્ષા-૧૮૭૪ ચૈત્ર વદ-૧૦. (૭૭) મહારાજ શ્રી મોટા ગોપાળજી સ્વામી : જન્મ-પાલી (મારવાડ) દીક્ષા૧૮૭૪ ચૈત્ર વિદ-૧૦ સ્વર્ગવાસ-૧૯૧૧. જેઠ વિંદ-૧ લીંબડી. : (૭૮) મહારાજ શ્રી દમાજી સ્વામી : જન્મ-ત્રંબૌ (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૭૪ ચૈત્ર વિદ-૧૦. (૭૯) મહારાજ શ્રી વાલજી સ્વામી. (૮૦) મહારાજ શ્રી જીવરાજજી સ્વામી : દીક્ષા-૧૮૭૫ પોષ સુદિ-૧૩. (૮૧) મહારાજ શ્રી હેમચન્દ્રજી સ્વામી : જન્મ-ટીંબા (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૯૭૫ વૈશાખ સુદ-૨. (૮૨) મહારાજ શ્રી ભગવાનજી સ્વામી : જન્મ-રાજપરા દીક્ષા-૧૮૭૬ ફાગણ વદિ-૭. સ્વર્ગવાસ-૧૮૯૯. (૮૩) મહારાજ શ્રી ઉદેસિંગજીસ્વામી : દીક્ષા-૧૮૭૭ વૈશાખ સુદ-૯. (૮૪) પૂજ્ય શ્રી ગોવિંદજી સ્વામી : જન્મ-આધોઈ (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૭૯ વૈશાખ સુદિ-૯. સ્વર્ગવાસ-૧૯૩૫ લીંબડી. (૮૫) મહારાજ શ્રી રાયશી સ્વામી : દીક્ષા-૧૮૭૯ વૈશાખ સુદિ-૯. (૮૬) મહારાજ શ્રી ભગવાનજી સ્વામી. (૮૭) મહારાજ શ્રી ખીમજી સ્વામી : દીક્ષા-૧૮૮૧ મહાસુદિ-૧૦. (૮૮) મહારાજ શ્રી લખાજી સ્વામી : જન્મ-બેલા (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૮૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૭૯ ફાગણ વદિ-૯. સ્વર્ગવાસ-૧૮૮૮ વૈશાખ વદ-૫, ૬૫ દિવસ સંથારો ચાલ્યો હતો. લીંબડી. (૮૯) મહારાજ શ્રી રવજી સ્વામી. (૯૦) મહારાજ શ્રી ત્રિકમજી સ્વામી : જન્મ-સુવઈ ( પૂર્વ કચ્છ) (૯૧) મહારાજ શ્રી રતનશી સ્વામી. (૯૨) મહારાજ શ્રી વનેચન્દ્રજી સ્વામી. (૯૩) તપસ્વી મહારાજ શ્રી વનાજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૮૮૯. (૯૪) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૯૧ પોષ સુદ૧૦, માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ મહાવદ-૫ લીંબડી. (૯૫) ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી : જન્મ-રાપર (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ કારતક સુદિ-૧૧ ધોરાજી. (સ્વર્ગવાસ પહેલાં ૩ દિવસ અગાઉથી શિષ્યોને જાણ કરેલ અને ૩ દિવસ નો સંથારો કરેલ). (૯૬) પૂજ્ય શ્રી નથુજી સ્વામી : જન્મ-રાયણ (કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વિદ-૭ માંડવી (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૦ શ્રાવણ વદ-૮ લીંબડી. (સ્વર્ગવાસ પહેલાં ૮ દિવસ અગાઉ સ્થવીર મોટા જીવણજી સ્વામી વગેરે સાધુઓને કહેલ કે મારું આયુષ્ય ૮ દિવસ બાકી છે. ગોકુલાષ્ટમીના દિવસે મારું આયુષ્ય પૂર્ણ થશે. (૯૭) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી. (૯૮) મહારાજ શ્રી સુંદરજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવદિ-૧ ગુરુવારે, અંજાર (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૨૯ કારતક સુદિ-૨ સાયલા. (૯૯) પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવાદિ-૧ અંજાર. સ્વર્ગવાસ-૧૯૬૧ ચૈત્રવિદ-૧૪ મંગળવાર લીંબડી. (૧૦૦) વચનસિદ્ધ મ. શ્રી દેવકરણજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૯૦૩ મહાવિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૧ શ્રાવણ સુદિ-૨ લીંબડી. (નં. ૯૮-૯૯-૧૦૦ ત્રણે સગાભાઈ હતા.) (૧૦૧) મહારાજ શ્રી જેચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહા વિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૦૬. (૧૦૨) સ્થવીર મોટા જીવનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૯ જેઠ વદ-૧૧ હડાલા (ભાલ-સૌરાષ્ટ્ર) (૧૦૧-૧૦૨ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય) Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ પટ્ટાવલી (૧૦૩) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૮ વાંકાનેર. સ્વર્ગવાસ-૧૯૪૯ શ્રાવણ વદિ-૧૧ લીંબડી. (સ્વર્ગવાસ અગાઉ અઠવાડિયા પહેલા આયુષ્યનો ખ્યાલ આપેલ. સદાનંદી શ્રી છોટાલાલજી સ્વામી વગેરેને જાણ કરેલ.) (૧૦૪) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા- ૧૯૦૪ જેઠ સુદિ-૪ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૭૧ ફાગણ સુદિ-૧૩, લીંબડી (૧૦૩-૧૦૪ નંબરવાળા સંસાર પક્ષે ભાઈઓ થાય) (૧૦૫) મહારાજ શ્રી સંઘજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૫ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૦૬) કવિરાજ શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સીકરા (પૂર્વ કચ્છ) સ્વર્ગવાસ૧૯૪૬ અષાઢ સુદ-૮. (૧૦૭) મહારાજ શ્રી મકનજી સ્વામી જન્મ-લાકડિયા (પૂર્વ કચ્છ) (૧૦૮) મહારાજ શ્રી કલ્યાણજી સ્વામી. (૧૦૯) મહારાજ શ્રી રંગજી સ્વામીઃ જન્મ-રામાણિયા (કચ્છ). દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદ-૧૩ માંડવી (કચ્છ). (૧૧૦) પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદિ-૧૩ માંડવી. સ્વર્ગવાસ-૧૯૭૭ કારતક વદિ-૮ લીંબડી. (૧૦૯૧૧૦ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય.) (૧૧૧) મહારાજ શ્રી વીરચન્દ્રજી સ્વામી : જન્મ-માંડવી (કચ્છ). (૧૧૨) મહારાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ). સ્વર્ગવાસ૧૯૪૦ પોષ સુદિ-૧૧ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૧૩) મહારાજ શ્રી નાના કાનજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૨૨ માગસર સુદિ-૨ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૩૬ માગસર વદિ-૨ મુન્દ્રા (કચ્છ) જેમણે નીતિદીપક શતક રચેલ છે.) (૧૧૪) મહારાજ શ્રી માપજી સ્વામી. (૧૧૫) મહારાજ શ્રી રૂગનાથજી સ્વામી. (૧૧૬) પૂજ્ય શ્રી લવજી સ્વામી : જન્મ-વેજલકા (સૌરાષ્ટ્ર). દીક્ષા-૧૯૨૪ જેઠ વદ-૨ રામપરા (સૌરાષ્ટ્ર). સ્વર્ગવાસ-૧૯૮૫ કારતક સુદિ-૨ વઢવાણ (સૌરાષ્ટ્ર). Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ આ છે અણગાર અમારા (૧૧૭) મહારાજ શ્રી નારાયણજી સ્વામી : જન્મ-પ્રાગપર (કચ્છ) (૧૧૮) મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ-મારવાડ. દીક્ષા-૧૯૨૮. (૧૧૯) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી : જન્મ-ખેડા (ગુજરાત) દીક્ષા૧૯૨૮ પોષ સુદિ-૧૫. સ્વર્ગવાસ-૧૯૪૧ ફા.વદિ-૧૩, લીંબડી. (૧૨૦) પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૯૨૮ ચૈત્ર સુદિ૮ સુરત. સ્વર્ગવાસ-૧૯૭૫ આ.વ. ૧૧, અમદાવાદ. (૧૨૧) મહારાજ શ્રી મોનજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા-૧૯૨૯ મહાસુદિ-૧૨ માંડવી (કચ્છ). (૧૨૨) મહારાજ શ્રી સાકરચન્દ્રજી સ્વામી. (૧૨૩) મહારાજ શ્રી લાઘાજી સ્વામી: જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા-૧૯૩૦, માગસર વદિ-૮ માંડવી. સ્વર્ગવાસ-૧૯૮૧ શ્રાવણ સુદિ-૧૧ વિરમગામ (ગુજરાત) (૧૨૪) મહારાજ શ્રી આસકરણજી સ્વામી: જન્મ-બિદડા (કચ્છ) દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૩ ક.વ.૫., લીંબડી. (૧૨૫) મહારાજ શ્રી માણેકચન્દ્રજી સ્વામી : જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા૧૯૩૧ કારતક વદ-૧૧ મુન્દ્રા. સ્વર્ગવાસ-જેતપુર (સૌરાષ્ટ્ર). (૧૨૬) મહારાજ શ્રી જેઠમલજી સ્વામી જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૬ ભાદરવા સુદિ-૨ જામનગર. (નં.૧૨૫-૧૨૬, ૧૨૪ નં.વાળાના સંસારપક્ષે પુત્રો થાય.) (૧૨૭) મહારાજ શ્રી કસ્તુરજી સ્વામી : જન્મ- ધોલેરા (ગુજરાત). દીક્ષા૧૯૩૧ મહાવદિ-૯ ધોલેરા. સ્વર્ગવાસ-૧૯૭૯ કારતક સુદિ-૧૫ લીંબડી. (૧૨૮) વીરપદ વિભૂષિત શ્રી મંગળજી સ્વામી જન્મ-રાપર (કચ્છ). દીક્ષા૧૯૩૪ આસો સુદ-૫. સ્વર્ગવાસ-૧૯૭૨ અષાઢ વદિ-૧૨ લાકડિયા (કચ્છ). (૧૨૯) મહારાજ શ્રી હરખચન્દ્રજી સ્વામી : જન્મ-રામપરા (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૯૩૪ મહા સુદિ-પ મોરબી. સ્વર્ગવાસ-૧૯૬૫ માગસર વદિ, ધોલેરા (ગુજરાત). (૧૩0) મહારાજ શ્રી વજપાળજી સ્વામી : જન્મ-વાંકી (કચ્છ) દીક્ષા-૧૯૩૪ અંજાર (કચ્છ). Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પટ્ટાવલી (૧૩૧) મહારાજ શ્રી માણેકચન્દ્રજી સ્વામી દીક્ષા-૧૯૩૫ મા. અમદાવાદ. સ્વર્ગવાસ-૧૯૪૦. (૧૩૨) મહારાજ શ્રી નાના માણેકચન્દ્રજી સ્વામીઃ જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૯૩૬ મહા સુદિ-૨ રાપર. સ્વર્ગવાસ-૧૯પ૬ માગસર વદિ, ધોરાજી. (૧૩૩) મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા૧૯૩૬ મહાસુદ-૧૦ અંજાર, સ્વર્ગવાસ-૨૦૦૮ ચૈત્રસુદિ-૧૨. (૧૩૪) કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી જન્મ- ભોરારા (કચ્છ), દીક્ષા-૧૯૩૬ મહાસુદ-૧૦ અંજાર. સ્વર્ગવાસ-૨૦૦૧ ચૈત્ર સુદિ-૧૫ની રાતે જેતપુર. (નં. ૧૩૩-૧૩૪ સંસારપક્ષે ભાઈઓ થાય.) (૧૩૫) મહારાજ શ્રી ચતુરજી સ્વામી: જન્મ-સુદામડા. દીક્ષા-૧૯૩૮ ચૈત્ર વદિ૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૭૯ લીંબડી. (૧૩૬) મહારાજ શ્રી નાના જીવણજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૩૮ ચૈત્રવદિ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૫૫ ફાગણ સુદ-૧ લીંબડી. (૧૩૭) પ્રસિદ્ધવક્તા પંડિત શ્રી કસ્તુરજી સ્વામી જન્મ-લીંબડી ૧૯૨૬. દીક્ષા૧૯૩૮ ચૈત્ર વદિ-૧૨ મુન્દ્રા (કચ્છ) ૧૯૮૪ મહા વદિ-૪ (લીંબડી) (નં. ૧૩૬૧૩૭ પિતા પુત્ર થાય). (૧૩૮)મહારાજ શ્રી નાના લાધાજી સ્વામી જન્મ-સલારી (પૂર્વ કચ્છ) દીક્ષા૧૯૩૮ ચૈત્ર વદિ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૮૪ મહાવદિ-૪ (લીંબડી). (૧૩૯) મહારાજ શ્રી ઓધડજી સ્વામી : જન્મ-સુદામડા (સૌરાષ્ટ્ર). દીક્ષા૧૯૪૧ ચૈત્ર સુદિ-૧૪ ભલગામડા (સૌરા). સ્વર્ગવાસ-દેદાદરા (સૌરાષ્ટ્ર). (૧૪૦) મહારાજ શ્રી દેવચન્દ્રજી સ્વામી : જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર). દીક્ષા૧૯૪૧ જેઠ સુદિ-૭ સુરત. સ્વર્ગવાસ-૧૯૫૬ લીબડી. (૧૪૧) મહારાજ શ્રી ખીમરાજજી સ્વામી જન્મ-મુન્દ્રા (કચ્છ). દીક્ષા- ૧૯૪૨ કારતક વદ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૭૯ લીંબડી. (૧૪૨) મહારાજ શ્રી કરશનજી સ્વામી : જન્મ-રાયડી (કચ્છ). દીક્ષા-૧૯૪૨ કારતક વદિ-પ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૯૨ જે. વ. ૭ સુરત. Page #496 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૮૩ (૧૪૩) મહારાજ શ્રી ટોકરજી સ્વામી જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર). દીક્ષા-૧૯૪૨ વૈશાખ સુદ-૧૧ માંડવી. સ્વર્ગવાસ-૧૯૮૯ આ.વ. ૧૪ મોરબી. (૧૪૪) મહારાજ શ્રી પ્રાગજી સ્વામી : જન્મ-ભુવડ (કચ્છ). દીક્ષા-૧૯૪૩ વૈશાખ સુદ-૯ ભુવડ. સ્વર્ગવાસ-૧૯૦૫ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૪૫) મહારાજ શ્રી સુંદરજી સ્વામી : જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા-૧૯૪૪ મહાસુદ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૮૮ વૈશાખ, લીંબડી. (નં. ૧૪પ૧૪૬ ભાઈઓ થાય.) (૧૪૬) મહારાજ શ્રી રામચન્દ્રજી સ્વામી જન્મ-બિદડા (કચ્છ), દીક્ષા-૧૯૪૫ પોષ સુદિ-૧૫. સ્વર્ગવાસ-૧૯૮૪ વાંકાનેર (સૌરાષ્ટ્ર). (૧૪૭) મહારાજ શ્રી નાના પ્રાગજી સ્વામી : જન્મ-ધોરાજી. દીક્ષા-૧૯૪૬ . માગસર સુદ-૬ ધોલેરા. સ્વર્ગવાસ-૧૯૯૨ મહા વદિ-૧૦ રવિવારની રાતે, નાયકા (ગુજરાત). (૧૪૮) મહારાજ શ્રી કરમચન્દ્રજી સ્વામી : જન્મ-લાકડીયા (કચ્છ). દીક્ષા૧૯૪૬ માગસર વદિ-૪. સ્વર્ગવાસ-૧૯૮૫ લીંબડી. (૧૪૯) મહારાજ શ્રી ધનજી સ્વામી : જન્મ-૧૯૩૩ લીંબડી. દીક્ષા ૧૯૪૬ વૈશાખ સુદિ-૧૩ શુકવાર લીંબડી. સ્વ. ૨૦૨૫ લીંબડી. (૧૫૦) મહારાજ શ્રી હરખચન્દ્રજી સ્વામી : જન્મ-જેતપુર. દીક્ષા-૧૯૪૭ મહાવદિ-૯, સ્વર્ગવાસ-૧૯૫૮. (૧૫૧) મહારાજ શ્રી મોટા શામજી સ્વામી : જન્મ-ઘાણીથર (કચ્છ). દીક્ષા૧૯૪૯ મહા વદિ-૭. સ્વર્ગવાસ-૧૯૯૦, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર). (૧૫૨) તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી : જન્મ-રતાડીયા (કચ્છ). દીક્ષા-૧૯૪૯ જેઠ સુદ-૧૧ રતાડીયા સ્વ.-૧૯૮૯ .વ.-૧૧ સુરેન્દ્રનગર. (૧૫૩) મહારાજ શ્રી કેશવલાલજી સ્વામીઃ જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૫૦ પોષ સુદિ-૧૩. સ્વર્ગવાસ-૨૦૦૩ કારતક વદિ0) લીંબડી. (૧૫૪) પૂજ્ય શ્રી શામજી સ્વામી : જન્મ-સઈ (પૂર્વ કચ્છ) મહા સુદિ-૧૧, દીક્ષા-ચંદિયા (કચ્છ) ૧૯૫૦ વૈશાખ સુદિ-૧૦ સોમ. સ્વર્ગવાસ-૨૦૨૫ ચિત્રવદિ-૯ લીંબડી. Page #497 -------------------------------------------------------------------------- ________________ ४८४ પટ્ટાવલી (૧૫૫) મહારાજ શ્રી અમીચન્દ્રજી સ્વામી : જન્મ-રવ (પૂર્વ કચ્છ) દીક્ષા૧૯૫૨ મહા વદ-૪ રવ. સ્વર્ગવાસ-૨૦૦૧ તુંબડી (કચ્છ). (૧૫૬) મહારાજ શ્રી મેઘજી સ્વામી જન્મ-સમાઘોઘા (કચ્છ). દીક્ષા-૧૯૫૩. માંડવી (કચ્છ). (૧૫૭) મહારાજ શ્રી હીરાચન્દ્રજી સ્વામી જન્મ-ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૫૩ મહા વદિ-૧૩ વાંકાનેર. સ્વર્ગવાસ-૨૦૧૭ માગસર વદિ ૮, લાકડિયા (પૂર્વ કચ્છ) (૧૫૮) મહારાજ શ્રી દમાજી સ્વામી જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૯૫૩ સ્વર્ગવાસ-૧૯૫૯ લીબડી. (૧૫૯) મહારાજ શ્રી નથુજી સ્વામી : જન્મ-લાકડિયા (કચ્છ) દીક્ષા-૧૯૫૩ અંજાર. સ્વર્ગવાસ-૧૯૭૩ લાકડિયા. (૧૬૦) શતાવધાની પં.મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી : જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા-૧૯૫૩ જેઠ સુદિ-૩ ગુરુવાર, ભોરારા. સ્વર્ગવાસ-૧૯૯૭ વૈશાખ વદ૬, શુક્રવાર, ઘાટકોપર (મુંબઈ). (૧૯૧) સદાનંદી મહારાજ શ્રી છોટાલાલજી સ્વામી : જન્મ-લીંબડી. ૧૯૪૪ ભાદરવા સુદ-૧૫. દીક્ષા-૧૯૫૫ જેઠ સુદિ-૩ શુક્રવાર, અમદાવાદ. સ્વર્ગવાસ૨૦૨૪ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૬૨) તપસ્વી મ.શ્રી શિવલાલજી સ્વામી : જન્મ-રંગપર (ભાલ) દીક્ષા૧૯૫૬ માગસર સુદિ-૨ રંગપર. સ્વર્ગવાસ-૨૦૦૫ પોષ વદિ-૯ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૬૩) મહારાજ શ્રી લલુજી સ્વામી : જન્મ-અમદાવાદ. દીક્ષા-૧૯૫૬. મહાસુદ-૧૧. સ્વર્ગવાસ-૧૯૮૧ માગસર વદ-૧૧. (૧૬૪) મહારાજ શ્રી કચરાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૫૬. સ્વર્ગવાસ-૧૯૬૬ અષાઢી પૂર્ણિમા, લીંબડી. (૧૬૫) મહારાજ શ્રી ખુશાલચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૯૫૬. વૈશાખ વદ-૨ રાપર. સ્વર્ગવાસ-૧૯૮૨ પોષ વદિ-૧૪ સુરેન્દ્રનગર. Page #498 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૮૫ (૧૬૬) મહારાજ શ્રી લક્ષ્મીચન્દ્રજી સ્વામી : જન્મ-સિયાણઈ (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૯૫૬ વૈશાખ વિદ-૩ લીંબડી. સ્વર્ગવાસ-૨૦૧૬ માગસર સુદિ-૪ ગુરુવાર, અમદાવાદ. (૧૬૭) કવિવર્ય મહારાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી : જન્મ-સાયલા (સૌરાષ્ટ્ર) માગસર સુદિ-૧ દિક્ષા-૧૯૫૭ ફાગણ સુદિ-૩ અંજાર (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૨૧ માગસર વિદ-૯ સાયલા. (૧૬૮) મહારાજ શ્રી જાદવજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૫૮ કારતક વદિ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૨૦૦૮ ફાગણ વિંદ (૧૬૯) પૂજ્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી : જન્મ-૧૯૪૪ મહા વદ-૭ ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૫૯ ફાગણ સુદિ-૩, ભચાઉ. સ્વર્ગવાસ-૨૦૩૯ વૈશાખ વદ ગા શુક્રવાર, ભચાઉ. (૧૭૦) મહારાજ શ્રી ઉમેદચન્દ્રજી સ્વામી : જન્મ-ભરોરા (કચ્છ). દીક્ષા૧૯૫૯ વૈશાખ સુદિ-૮ ભોરા. સ્વર્ગવાસ-૧૯૬૮ ચૈત્ર વદ-૬ રવિવાર, થાનગઢ. (દંપતીએ સાથે દીક્ષા સ્વીકારેલ). (૧૭૧) મહારાજ શ્રી અનોપચન્દ્રજી સ્વામિ : જન્મ સામખિયારી (કચ્છ). દીક્ષા૧૯૬૦ મહા વિદ-૧૩ તંબુડી (કચ્છ). સ્વર્ગવાસ-૨૦૦૭ પોષ વદ-૧૪ આધોઈ (પૂર્વ કચ્છ). (૧૭૨) મહારાજ શ્રી લાલચન્દ્રજી સ્વામી : જન્મ-સુવઈ (પૂર્વ કચ્છ). દીક્ષા૧૯૬૦ વૈશાખ સુદ-૫ માંડવી (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૦૩ પોષ વદ-૧૨ રા૫૨ (પૂર્વ કચ્છ) (૧૭૩) મહારાજ મૂલજી સ્વામી : જન્મ-લાકડિયા (કચ્છ) દીક્ષા-૧૯૬૧ મહાવદિ-૫ મુન્દ્રા (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૦૭ પોષ. લીંબડી. (૧૭૪) મહારાજ શ્રી કપૂરચન્દ્રજી સ્વામી : જન્મ-ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૮૪ ફાગળ સુદિ-૨ લાકડિયા. સ્વર્ગવાસ-૧૯૯૦ પ્રથમ વૈશાખ વદ-૪ બુધવાર, અલવર (મારવાડ). (૧૭૫) તપસ્વી પં. શ્રી ડુંગરસિંહજી સ્વામી : જન્મ-૧૯૬૬ ભાદરવા સુદિ-૨ ભોરારા (કચ્છ : દીક્ષા૧૯૮૫ જેઠ સુદિ-૮ શુક્રવાર. સ્વર્ગવાસ-૨૦૩૫ માગસર સુદિ-૯ લીંબડી.) Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પટ્ટાવલી (૧૭૬) ભદ્રસ્વામી મ. શ્રી નાગજી સ્વામી : જન્મ-૧૯૩૬ ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૮૬ માગસર સુદિ-૩ બુધવાર, ગુંદાલા (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૧૯ ફાગણ વદ-૨ની રાતે મુન્દ્રા (કચ્છ) (૧૭૭) તત્ત્વજ્ઞ પં. શ્રી નવલચન્દ્રજી સ્વામી : જન્મ-૧૯૭૩ અષાઢ સુદી-૧૩ ભચાઉ (કચ્છ). દીક્ષા-૧૯૮૬ માગસર સુદિ-૩ ગુંદાલા. સ્વર્ગવાસ-૨૦૩૪ આસો વિદ-૮ લાકડિયા (કચ્છ) (નં. ૧૭૬-૧૭૭ પિતા-પુત્ર થાય.) (૧૭૮) પંડિત મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી : જન્મ-૧૯૭૪ કારતક સુદિ-૧૫ ભચાઉ. દીક્ષા-૧૯૯૨ મહા સુદિ-૧૫ ભચાઉ, સ્વર્ગવાસ-૨૦૨૨ માગસર વિદ૧૧ ગુંદાલા (કચ્છ) (૧૭૯) મહારાજ શ્રી માધવસિંહજી સ્વામી : જન્મ-૧૯૭૪ ગોંડલ (સૌરાષ્ટ્ર) અષાઢ વિદ-૫ દીક્ષા-૧૯૯૯ વૈશાખ સુદિ-૫ રવિવાર લીંબડી. સ્વર્ગવાસ૨૦૩૩ અષાઢ જેતપુર (સૌરાષ્ટ્ર). (૧૮૦) પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી : જન્મ-૧૯૬૧ સજ્જન પર દીક્ષા૧૯૮૪ લીંબડી, માગસર સુદ-૬, સ્વર્ગવાસ : ૨૦૪૫ કારતક વદ-૧૪ મોરબી (સોરાષ્ટ્ર). (૧૮૧) ઉગ્રતપસ્વી પૂ. શ્રી રામચંદ્રજી સ્વામી : જન્મ વિ.સં. ૧૯૯૯, પોષ સુદિ-૧૧ દીક્ષા વિ.સં. ૨૦૧૬, મહા સુદિ-૫, તુંબડી (કચ્છ), સ્વર્ગવાસ : ૨૦૬૦ આસો વદ-૦)) ઘાટકોપર (વે.) : (૧૮૨) મ. શ્રી લલિતચંદ્રજી સ્વામી : જન્મ : અંજાર (કચ્છ), દીક્ષા ઃ સં. ૨૦૧૯ માગસર, બોરીવલી (વે.), સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, સાણંદ (ગુજરાત) (૧૮૨) પૂ. શ્રી જગદીશચંદ્રજી સ્વામી ઃ જન્મ ચૂડા (સૌરાષ્ટ્ર) દીક્ષા : સં. ૨૦૨૨ સ્વર્ગવાસ : સં. ૨૦૫૭ દિવંગત થયેલા સાધ્વીજીઓની નામાવલિ - પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી. મૂળ સુધર્માગચ્છીય આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી મૂલચન્દ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતીજી સુજાણબાઈ આર્યાજી તથા અન્ય સાધ્વીજીઓની દીક્ષાદિ નોંધ. Page #500 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ४८७ 1 સુરતના જૈન ઓસવાળ બહેનો શ્રી સુજાણબાઈ, શ્રી સુંદરબાઈ, શ્રી નિર્મળાબાઈ, શ્રી ગંગાબાઈ અને શ્રી જમનાબાઈ એ પાંચે બહેનોને આચાર્ય મહારાજ શ્રી ધર્મદાસજી સ્વામીએ વિ.સં. ૧૭૧૮ના વૈશાખ સુદિ-૧૩ના રોજ સુરતમાં ભાગવતી દીક્ષા વિધિ કરાવી. (૧) પ્રવર્તિની મહાસતીજી સુજાણબાઈ આર્યાજી : દીક્ષા સં. ૧૭૧૮ વૈશાખ સુદિ-૧૩. પ્રવર્તિની પદ-૧૭૨૩. મહા સુદિ – ૮. આયુષ્ય પુર્ણ સં. ૧૭૩૯ અષાઢ સુદિ – ૨. (૨) પ્રવર્તિની મહાસતીજી કાશીબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૪૦ પોષ સુદિ-પ આયુષ્ય પૂર્ણ ૧૭૪૮ના શ્રાવણ વદિ-૨ (૩) પ્રવર્તિની મહાસતીજી ચંદનબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૪૮ માગસર સુદિ-૧૩. આયુષ્ય પૂર્ણ-૧૭૫૭ના કારતક વદિ-૯. (૪) પ્રવર્તિની મહાસતીજી સમજબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૫૮ના મહા સુદિ-૨, આયુષ્યપૂર્ણ-૧૭૭૪ના ચૈત્ર વદિ-૮. (૫) પ્રવર્તિની મહાસતીજી ધીરજભાઈ આર્યાજી પ્રવર્તિની પદ ૧૭૭૫ના વૈશાખ સુદ-૧૫, અમદાવાદ. મહાસતીજી ધીરજબાઈ આર્યાજીના સ્વર્ગવાસ પછી પ્રવર્તિની પદની પ્રથા બંધ પડી અને મોટાં સાધ્વીજી તરીકે મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. તેઓશ્રીનાં સુશિષ્યા મહાસતીજી કંકુબાઈ આર્યાજી વગેરે ઠાણાઓ પૂજય શ્રી મૂલચન્દ્રજી સ્વામીની પાટાનુપાટે પૂજ્ય શ્રી હીરાજી સ્વામીની આજ્ઞામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરતા હતા. સ્થાનકવાસી જૈન (છ કોટી) સંપ્રદાયના દિવંગત ' થયેલાં સાધ્વીજીઓની નામાવલિ મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજીના શિષ્યા મહાસતીજી મોટાં કંકુબાઈ આર્યાજી (પૂ. શ્રી અજરામરજી સ્વામીના માતુશ્રી) ના તથા મહાસતીજી વાંછીબાઈ આર્યાજીનાં શિષ્યા સામબાઈ આર્યાજીના તથા મહાસતીજી રયાબાઈ આર્યાજીના શિષ્યા નાનબાઈ આર્યાજીનાં પરિવારનાં સૌરાષ્ટ્રમાં | દિવંગત થયેલાં અજરામર સંપ્રદાયના સાધ્વીજીઓની નામાવલિ. Page #501 -------------------------------------------------------------------------- ________________ ४८८ પટ્ટાવલી નં. નામ ૩૨. મહાસતીજી મોટા ગલાલબાઈ આયાજી ૧. મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજી ૩૩. મહાસતીજી વાલીબાઈ આર્યાજી ૨. મહાસતીજી મોટા કંકુબાઈ આર્યાજી ૩૪. મહાસતીજી નાના ગલાલબાઈ આયજી ૩. મહાસતીજી અજવાળીબાઈ આર્યાજી ૩પ. મહાસતીજી જશોદાબાઈ આર્યા ૪. મહાસતીજી લીરબાઈ આર્યા ૩૬. મહાસતીજી ચોથીબાઈ આર્યાજી ૫. મહાસતીજી બેનકોરબાઈ આર્યાજી ૩૭. મહાસતીજી નાના માનબાઈ આર્યાજી ૬. મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજી ૩૮. મહાસતીજી રડિયાતબાઈ આર્યા ૭. મહાસતીજી મોટા રતનબાઈ આર્યાજી ૩૯. મહાસતીજી નાના કંકુબાઈ આર્યાજી ૮. મહાસતીજી નાથીબાઈ આર્યાજી ૪૦. મહાસતીજી નાના પુંજીબાઈ આર્યાજી ૯. મહાસતીજી મોટા રતનબાઈ આર્યાજી ૪૧. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી ૧૦. મહાસતીજી નાનબાઈ આર્યા ૪૨. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી ૧૧. મહાસતીજી દેવબાઈ આર્યજી ૪૩. મહાસતીજી ગંગાબાઈ આર્યાજી ૧૨. મહાસતીજી અવલબાઈ આર્યજી ૪૪. મહાસતીજી વાલીબાઈ આર્યાજી ૧૩. મહાસતીજી મોટા ટાઈબાઈ આર્યાજી ૪૫. મહાસતીજી જાનબાઈ આર્યાજી ૧૪. મહાસતીજી મોટા લક્ષ્મીબાઈ આર્યાજી ૪૬. મહાસતીજી મોટા રામબાઈ આર્યાજી ૧૫. મહાસતીજી નાના અવલબાઈ આર્યાજી ૪૭. મહાસતીજી મોટા રામબાઈ આર્યાજી ૧૬. મહાસતીજી તપસ્વી કાનબાઈ આર્યાજી ૪૮. મહાસતીજીઅમૃતાબાઈઆર્યાજીગુંદાલા ૧૭. મહાસતીજી મેઘબાઈ આર્યાજી ૪૯. મહાસતીજી ઝલબાઈ આર્યાજી ૧૮. મહાસતીજી નાના જેઠીબાઈ આર્યાજી ૫૦. મહાસતીજી નાના ડાહીબાઈ આયજી ૧૯. મહાસતીજી તપસ્વી મૂલીબાઈ આર્યાજી ૫૧. મહાસતીજી નાના વાલીબાઈ આર્યજી ૨૦. મહાસતીજી પૂતળીબાઈ આર્યાજી પર. મહાસતીજી નાનબાઈ આર્યાજી ૨૧. મહાસતીજી કુંવરબાઈ આર્યજી ૫૩. મહાસતીજી નાગબાઈ આર્યાજી ગુંદાલા ૨૨. મહાસતીજી ભાણબાઈ આર્યાજી ૫૪. મહાસતીજી વાલબાઈ આર્યાજી ગુંદાલા ૨૩. મહાસતીજી પુંજીબાઈ આર્યાજી ૫૫. મહાસતીજી રંભાબાઈ આર્યાજી ગુંદાલા ૨૪. મહાસતીજી કંકુબાઈ આર્યાજી પ૬, મહાસતીજી પૂતળીબાઈ આર્યાજી ૨૫. મહાસતીજી મીઠીબાઈ આર્યાજી પ૭. મહાસતીજી જમનાબાઈ આર્યાજી ર૬. મહાસતીજી મૂલીબાઈ આર્યજી ૫૮. મહાસતીજી સંતોકબાઈ આર્યજી માલિકટ ર૭. મહાસતીજી મોટા માનબાઈ આર્યાજી પ૯, મહાસતીજી રળિયાતબાઈ આર્યાજી ૨૮. મહાસતીજી મોટા અમૃતબાઈ આર્યાજી ૬૦. મહાસતીજી દિવાળીબાઈ આયજી લીંબડી ૨૯. મહાસતીજી નાના માનબાઈ આર્યાજી ૬૧. મહાસતીજી પાર્વતીબાઈ આર્યાજી ૩૦. મહાસતીજી નાનાં અમૃતબાઈ આર્યાજી ૬૨. મહાસતીજી ઉજમભાઈ આર્યજી ૩૧. મહાસતીજી જતનબાઈ આર્યાજી ૬૩. મહાસતીજી સાંકળીબાઈ આર્યાજી Page #502 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા નં. નામ ૬૪. મહાસતીજી પૂરીબાઈ ૬૫. મહાસતીજી મોંઘીબાઈ ૬૬. મહાસતીજી મોટા લક્ષ્મીબાઈ આર્યાજી ૬૭. મહાસતીજી સાંકળીબાઈ આર્યાજી ૬૮. મહાસતીજી વીજળીબાઈ આર્યાજી ૬૯. મહાસતીજી શિવકુંવરબાઈ આર્યાજી ૭૦. મહાસતીજી દેવકુંવરબાઈ આર્યાજી ૭૧. મહાસતીજી તપસ્વી રામબાઈ આર્યાજી ૭૨. મહાસતીજી જડાવબાઈ આર્યાજી ૭૩. મહાસતીજી બા.બ્ર. લક્ષ્મીબાઈ આર્યાજી ૭૪. મહાસતીજી કસુંબાબાઈ આર્યાજી ૭૫. મહાસતીજી મોટા પાર્વતીબાઈ આર્યાજી ૭૬. મહાસતીજી સમરથબાઈ આર્યાજી ૭૭. મહાસતીજી જીવબાઈ આર્યાજી ૭૮. મહાસતીજી મણિબાઈ આર્યાજી ૭૯. મહાસતીજી મોતીબાઈ આર્યાજી ૮૦. મહાસતીજી પ્રેમબાઈ (જલુબાઈ) આર્યાજી ૮૧. મહાસતીજી કપૂરબાઈ આર્યાજી ૮૨. મહાસતીજી પાર્વતીબાઈ આર્યાજી ૮૩. મહાસતીજી તેજબાઈ આર્યાજી ૮૪. મહાસતીજી સૂરજબાઈ આર્યાજી ૮૫. મહાસતીજી મોટા રંભાબાઈ આર્યાજી ૮૬. મહાસતીજી હીરાબાઈ આર્યાજી ૮૭. મહાસતીજી હેમકુંવરબાઈ આર્યજી ૮૮. મહાસતીજી નાના સમરથબાઈ આર્યાજી ૮૯. મહાસતીજી પ્રભાકુંવરબાઈ આર્યાજી ૯૦. મહાસતીજી નાના રંભાબાઈ આર્યાજી ૯૧. મહાસતીજી હસુમતીબાઈ આર્યાજી જન્મ ભૂમિ સાયલા બરવાળા પાંડવરા ચરાડી નાગકડા ધોરાજી ખેરાણા મંજુપર ખંભલાવ સુદામડા પિયાળા મવડી ધોરાજી ધોરાજી લીંબડી ગુંદાલા થાનગઢ દીક્ષા ભૂમિ થાનગઢ જૂનાગઢ મોરબી સરસાઈ ચોટીલા ધોરાજી સાયલા ભાણ પાંડવરા સુરેન્દ્રનગર લીંબડી જેતપુર ધોરાજી લીંબડી લીંબડી મોટાત્રાડિયા પાણશીણા લીંબડી વઢવાણ ધોરાજી લીંબડી લીંબડી લીંબડી લીંબડી લીંબડી જેતપુર સ્વર્ગવાસ ભૂમિ વઢવાણ સાયલા સાયલા લીંબડી લીંબડી ધોરાજી વઢવાણ જેતપુર લીંબડી લીંબડી લીંબડી લીંબડી લીંબડી ૪૮૯ સુરન્દ્રનગર જોરાવરનગર આણંદ લીંબડી સુ.નગર મોરબી ધોરાજી લીંબડી વિરમગામ લીંબડી જેતપુર પાણશીણા લીંબડી લીંબડી લીંબડી લીંબડી લીંબડી સુરેન્દ્રનગર Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯0 પટ્ટાવલી કચ્છ વિભાગ શાસનોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી અજરામરજી સ્વામીની આજ્ઞાનુવર્તિની સાધ્વીજી મોટા વાંછીબાઈ આર્યાજીના પરિવારનાં તથા મહાસતીજી રયાંબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજીનાં પરિવારના દિવંગત થયેલાં સાધ્વીજીઓની નામાવલિ. મહાસતીજી વાંછીબાઈ આર્યાજીનો પરિવાર નં. નામ ૧. મહાસતીજી વાંછીબાઈ આર્યાજી ૨. મહાસતીજી નાનબાઈ આર્યાજી ૩. મહાસતીજી સાકરબાઈ આર્યાજી ૪. મહાસતીજી શામબાઈ આર્યાજી ૫. મહાસતીજી વેજબાઈ આર્યાજી ૬. મહાસતીજી અમરબાઈ આર્યાજી ૭. મહાસતીજી મૂળીબાઈ આર્યાજી ૮. મહાસતીજી રૂપબાઈ મહાસતીજી ૯. મહાસતીજી ગલાલબાઈ આર્યાજી ૧૦. મહાસતીજી ભાણબાઈ આર્યાજી ૧૧. મહાસતીજી ખેમકુંવરબાઈ આર્યાજી ૧૨. મહાસતીજી અવલબાઈ આર્યાજી ૧૩. મહાસતીજી કાનબાઈ આર્યાજી ૧૪. મહાસતીજી ચંપાબાઈ આર્યાજી ૧૫. મહાસતીજી મીઠીબાઈ મહાસતીજી ૧૬. મહાસતીજી ચંપાબાઈ મહાસતીજી ૧૭, મહાસતીજી શામબાઈ આર્યાજી ૧૮. મહાસતીજી મૃગાબાઈ આર્યાજી જન્મ ગુંદાલા (કચ્છ) દીક્ષા – ૧૯૦૩ મહાવદ-૭. Page #504 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૯૧ મહાસતીજી મોટા વાંછીબાઈ આર્યાજીના શિષ્યા નાનબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી પબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી હેમકુંવરબાઈ આર્યાજીના પરિવારના સાધ્વીજીઓ. નં. નામ જન્મ દીક્ષા સ્વર્ગવાસ ભૂમિ ભૂમિ ભૂમિ ૧૯. મહાસતીજી હેમકુંવરબાઈ આર્યાજી ૨૦. મહાસતીજી કેશરબાઈ આર્યાજી મનફરા મનફરા બિદડ ૨૧. મહાસતીજી વેલબાઈ આર્યજી ગુંદાલા રતાડિયા ભોરારા ૨૨. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી ત્રબૌ ત્રૌ સુવઈ ૨૩. મહાસતીજી જેઠીબાઈ આર્યાજી માંડવી ૨૪. મહાસતીજી પૂરીબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ગુંદાલા ૨૫. મહાસતીજી નાથીબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા સમાઘોઘા ર૬. મહાસતીજી નાનબાઈ આર્યજી ગુંદાલા ગુંદાલા ભોરારા ૨૭. મહાસતીજી મોટા પાંચીબાઈ આજી ગુંદાલા ગુંદાલા ૨૮. મહાસતીજી વિદુષી પાંચીબાઈ આર્યાજી રતાડીયા રતાડીયા મનફરા ર૯. મહાસતીજી નાના ડાહીબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા સમાઘોઘા ૩૦. મહાસતીજી પ્રેમબાઈ આર્યજી ગુંદાલા ગુંદાલા અંજાર ૩૧. મહાસતીજી કુંવરબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ભોરારા ૩૨. મહાસતીજી જાનબાઈ આર્યાજી ભચાઉ રાપર ભચાઉ ૩૩. મહાસતીજી બા. અમૃતબાઈ આર્યાજી ભચાઉ રાપર ભચાઉ ૩૪. લાડકુંવરબાઈ આર્યાજી રતાડિયા રતાડ્યિા સમાઘોઘા ૩૫. મહાસતીજી રતનબાઈ આર્યાજી ભોરારા , રતડિયા સમાઘોઘા ૩૬. મહાસતીજી દિવાળીબાઈ આર્યજી સામખિયારી લાકડિયા ભચાઉ ૩૭. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી વાલા ગુંદાલા ૩૮. મહાસતીજી સુંદરબાઈ આર્યાજી ડોણ ભરારા ૩૯. મહાસતીજી કંકુબાઈ આર્યાજી માંડવી માંડવી ભોરારા ૪૦. મહાસતીજી મેઘબાઈ આયજી સમાઘોઘા સમાઘોઘા ગુંદાલા ૪૧. મહાસતીજી ભાણભાઈ આર્યાજી ટોડા અમદાવાદ ૪૨. મહાસતીજી પ્રેમકુંવરબાઈ આજી ખેંગારપર મનફરા મનફરા ૪૩. મહાસતીજી ક્ષેમકુંવરબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ગુંદાલા ડાણ ટડા કકરવા. Page #505 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી ૪૯૨ ૪૪. મહાસતીજી દિવાળીબાઈ આર્યાજી ૪૫. મહાસતીજી દીક્ષિતાબાઈ આર્યાજી ૪૬. મહાસતીજી હર્ષકુમારી આર્યજી મનફરા ધોરાજી રામાણિયા મનફરા સમાઘોઘા મોરબી કાંદાવાડી મહાસતીજી મોટા વાંછીબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી નાનબાઈ 'આર્યાજીનાં શિષ્યા મહાસતીજી મેઘબાઈ આર્યાજીનો પરિવાર. સમાધોવા માંડવી માંડવી અંજાર સમાઘોઘા રામાણિયા ભચાઉ ૭. મહાસતીજી મેઘબાઈ આર્યાજી ૪૮. મહાસતીજી ક્ષેમકુંવરબાઈ આર્યાજી ૪૯. મહાસતીજી કાનબાઈ આર્યાજી માંડવી માંડવી ૫૦. મહાસતીજી મોટા ભાણબાઈ આર્યજી મોટા ભુજ (તઓશ્રીના નામનો સંઘાડો). આસંબિયા પ૧. મહાસતીજી મોટા ડાહીબાઈ આર્યાજી ગુંદાલા મુન્દ્રા પર. મહાસતીજી બા.બ. વેજબાઈ આર્યાજી રાપર ભચાઉ પ૩. મહાસતીજી નાથીબાઈ આર્યાજી બિદડા ૫૪. મહાસતીજી બા.બ. ગોમતીબાઈ આર્યાજી રાપર ૫૫. મહાસતીજી લાડકુંવરબાઈ આર્યાજી અંજાર ૫૬. મહાસતીજી તપસ્વી મોંઘીબાઈ આર્યાજી ખીરઈ બાદરગઢ પ૭. મહાસતીજી મોટા કુંવરબાઈ આર્યાજી શિવલખા શિવલખા ૫૮. મહાસતીજી પાનબાઈ આર્યજી ભચાઉ ૫૯. મહાસતીજી ધનબાઈ આર્યાજી કપાયા તુંબડી ૬૦. મહાસતીજી જીવીબાઈ આર્યજી તુંબડી તુંબડી ૬૧. મહાસતીજી બા.બ. દિવાળીબાઈ આર્યાજી લાકડિયા લાકડિયા ૬૨. મહાસતીજી બા.બ્ર. પાર્વતીબાઈ આર્યજી ત્ર ૬૩. મહાસતીજી સેજકુંવરબાઈ આર્યજી સ્વ સ્વ ૬૪. મહાસતીજી સુંદરબાઈ આર્યાજી ઘાણીથર લાકડ્યિા ૬૫. મહાસતીજી ગંગાબાઈ આર્યાજી તુંબડી તુંબડી ૬૬. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી કારાઘોઘા રામાણિયા ૬૭. મહાસતીજી સંતોકબાઈ આર્યાજી તુંબડી તુંબડી ૬૮. મહાસતીજી મણિબાઈ આર્યજી બિદડ તુંબડી ૬૯. મહાસતીજી કેશરબાઈ આર્યજી આધોઈ આધોઈ ગુંદાલા બિદડા ત્રમ્બી લાકડિયા ભચાઉ રામાણિયા કરવા સ્વ. લાકડ્યિા લાકડિયા Page #506 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૯૩ ૭૦. મહાસતીજી દેવકુંવરબાઈ આર્યાજી મુન્દ્રા ભુજ તુંબડી ૭૧. મહાસતીજી પ્રેમબાઈ આર્યાજી ઘાણીથર ઘાણીથર લાકડિયા ૭૨. મહાસતીજી અમૃતબાઈ આર્યજી ખારોઈ માંડવી લાકડિયા ૭૩. મહાસતીજી હીરાબાઈ આર્યાજી ડોણ લાકડિયા ૭૪. મહાસતીજી રતનબાઈ આર્યાજી માંડવી તુંબડી રાપર ૭૫. મહાસતીજી રંભાબાઈ આર્યજી અંજાર તુંબડી ૭૬. મહાસતીજી ગુલાબબાઈ આર્યાજી લાકડિયા લાકડિયા ગુંદાલા ૭૭. મહાસતીજી હરિબાઈ આર્યાજી લાકડિયા લાકડ્યિા ભુજ ૭૮. મહાસતીજી ઝવેરભાઈ આર્યાજી ખારોઈ ખારોઈ લાકડિયા ૯. મહાસતીજી માનકુંવરબાઈ આર્યજી લાકડિયા લાકડિયા લીંબડી ૮૦. મહાસતીજી ધનગૌરીજી આર્યાજી ભુજપુર તુંબડી પ્રાગપુર ૮૧. મહાસતીજી માણેકબાઈ આર્યાજી મુન્દ્રા માનક્વા રાપર ૮૨. મહાસતીજી ઈન્દ્રાબાઈ આર્યાજી ભુજ ૮૩. મહાસતીજી જયંતિભાઈ આર્યાજી રાપર બેલા ત્રબૌ 'મહાસતીજી રયાંબાઈ આર્યાજીના શિષ્યા મહાસતીજી લમીબાઈ આર્યાજીના પરિવારના દિવંગત થયેલાં સાધ્વીજીઓ. નં. નામ જન્મ દીક્ષા સ્વર્ગવાસ ભૂમિ ભૂમિ ભૂમિ ૧. મહાસતીજી રયાંબાઈ આર્યાજી ૨. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યજી ૩. મહાસતીજી સોનબાઈ આર્યાજી ૪. મહાસતીજી મેઘબાઈ આર્યજી ૫. મહાસતીજી સુંદરબાઈ આર્યાજી ૬. મહાસતીજી મૂળીબાઈ આર્યાજી ૭. મહાસતીજી મુગાબાઈ આર્યાજી ૮. મહાસતીજી ગંગાબાઈ આર્યાજી ૯. મહાસતીજી નાનબાઈ આર્યાજી ૧૦. મહાસતીજી ખેમકુંવરબાઈ આર્યાજી રાયણ માંડવી ૧૧. મહાસતીજી લાધીબાઈ આર્યાજી ૧૨. મહાસતીજી ડાહીબાઈ આર્યાજી Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પટ્ટાવલી મહાસતીજી રયાંબાઈ આર્યાજીના શિષ્યા લક્ષ્મીબાઈ આર્યાજીના 'શિષ્યા મહાસતી સોનબાઈ આર્યાજીના શિષ્યા દેવબાઈ 'આર્યાજીના પરિવારના દિવંગત થયેલાં સાધ્વીજીઓ નં. નામ જન્મ દીક્ષા સ્વર્ગવાસ ભૂમિ ભૂમિ ભૂમિ ૧૩. મહાસતીજી દેવબાઈ આર્યજી ૧૪. મહાસતીજી કાનબાઈ આર્યાજી ૧૫. મહાસતીજી જીવીબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ૧૬. મહાસતીજી ભાણબાઈ આર્યાજી માંડવી માંડવી ૧૭. મહાસતીજી હીરબાઈ આર્યજી પત્રી ભોરારા ૧૮. મહાસતીજી મોટા પુરીબાઈ આર્યાજી કાંડાગરા ભોરારા ભોરારા (તઓશ્રીના નામનો સંઘાડો) ૧૯. મહાસતીજી પાનબાઈ આર્યાજી સમાઘોઘા રતાડિયા મુન્દ્રા ૨૦. મહાસતીજી જાનબાઈ આર્યાજી ભોરારા ભોરારા સમાઘોઘા ૨૧. મહાસતીજી નાનબાઈ આર્યાજી ભોરારા ભોરારા સમાઘોઘા ૨૨. મહાસતીજી મૂળીબાઈ આર્યાજી ભોરારા ભોરારા રતાળીયા ૨૩. મહાસતીજી ચોથીબાઈ આર્યાજી ભોરારા માંડવી ૨૪. મહાસતીજી પ્રેમબાઈ આર્યાજી બાજા ભોરારા ર૫. મહાસતીજી પાર્વતીબાઈ આર્યાજી બાજા ભોરારા ભોરારા ૨૬. મહાસતીજી ગંગાબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા સમાઘોઘા ર૭. મહાસતીજી મોટા રતનબાઈ આર્યાજી બાજા માંડવી સમાઘોઘા ૨૮. મહાસતીજી મોટા દિવાળીબાઈ આર્યાજી પત્રી ભોરારા સમાઘોઘા ર૯, મહાસતીજી વેલબાઈ આર્યાજી કપાયા ભોરારા ગુંદાલા ૩૦. મહાસતીજી નાના કુંવરબાઈ આર્યાજી રામાણિયા રામાણિયા રામાણિયા ૩૧. મહાસતીજી હીરબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ભોરારા ૩૨. મહાસતીજી મેઘબાઈ આર્યજી સમાઘોઘા સમાઘોઘા ગુંદાલા ૩૩. મહાસતીજી દેવકુંવરબાઈ આર્યજી ભોરારા લુણી ગુંદાલા ૩૪. મહાસતીજી દયાકુંવરબાઈ (હિમવરબાઈ) આર્યજી ગુંદાલા ગુંદાલા ભોરારા ૩૫. મહાસતીજી સમરતબાઈ આર્યજી સમાઘોઘા સમાઘોઘા માંડવી ભોરારા Page #508 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૯૫ નાસોરાષ્ટ્ર વિભાગ મહાસતીજી રયાંબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી નાનબાઈ આર્યાજીનાં 'પરિવારના સૌરાષ્ટ્રમાં દિવંગત થયેલાં સાધ્વીજીઓ. ' (દેવબાઈ આર્યાજી પરિવાર) ૧. મહાસતીજી નાનબાઈ આર્યજી ૮. મહાસતીજી વીજળીબાઈ આર્યાજી ૨. મહાસતીજી દેવબાઈ આર્યાજી ૯. મહાસતીજી શિવકુંવરબાઈ આર્યાજી ૩. મહાસતીજી મીઠીબાઈ આર્યા ૧૦. મહાસતીજી જડાવબાઈ આર્યા ૪. મહાસતીજી કંકુબાઈ આર્યજી ૧૧. મહાસતીજી પાર્વતીબાઈ આર્યાજી ૫. મહાસતીજી રામબાઈ આર્યાજી ૧૨. મહાસતીજી પ્રેમબાઈ આર્યાજી ૬. મહાસતીજી સંતોળાઈ આર્યાજી ૧૩. મહાસતીજી મોટા રંભાબાઈ આર્યાજી ૭. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી ૧૪. મહાસતીજી સમરતબાઈ આયજી 'મહાસતીજી નાનબાઈ આર્યાજીનાં શિષ્યા મહાસતીજી મેઘબાઈ 'આર્યાજીનાં પરિવારના દિવંગત થયેલાં સાધ્વીજીઓ ૧૫. મહાસતીજી મેઘબાઈ આર્યાજી ૧૯, મહાસતીજી સાંકળીબાઈ આર્યાજી ૧૬. મહાસતીજી ભૂલીબાઈ આર્યાજી ૨૦. મહાસતીજી પૂરીબાઈ આર્યાજી ૧૭. મહાસતીજી માનબાઈ આર્યાજી ૨૧. મહાસતીજી લક્ષ્મીબાઈ આર્યાજી ૧૮. મહાસતીજી અમૃતબાઈ આર્યાજી રાપર છેલ્લા બે દાયકામાં સ્વર્ગવાસ થયેલા મહાસતીજીઓની નામાવલિ નં. નામ જન્મ દીક્ષા સ્વર્ગવાસ ભૂમિ ભૂમિ ભૂમિ ૧. મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજી ગુંદાલા ગુંદાલા ૨. મહાસતીજી શ્રી સમજુબાઈ આર્યાજી વીંછીય વીંછીયા લીંબડી ૩. મહાસતીજી શ્રી મોટા સૂરજબાઈ આર્યાજી સમાઘોઘા માંડવી સમાઘોઘા ૪. મહાસતીજી શ્રી રૂક્ષ્મણીબાઈ આર્યાજી ભૂજ ભૂજ ૫. મહાસતીજી શ્રી ભાનુમતીબાઈ આર્યાજી લાકડીયા વઢવાણ લીંબી ૬. મહાસતીજી શ્રી વિમળાબાઈ આર્યજી લાકડીયા લાકડીયા લાકડીયા ૭. મહાસતીજી શ્રી પુષ્પાબાઈ આર્યાજી થાનગઢ સાયલા લીંબડી Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ૮. મહાસતીજી શ્રી લીલાવતીબાઈ આર્યાજી ૯. મહાસતીજી શ્રી સુલોચનાબાઈ આર્યાજી ૧૦. મહાસતીજી શ્રી સરસ્વતીબાઈ આર્યાજી ૧૧. મહાસતીજી શ્રી હેમલતાબાઈ આર્યાજી ૧૨. મહાસતીજી શ્રી નિરંજનાબાઈ આર્યાજી ૧૩. મહાસતીજી શ્રી સુમબાઈ આર્યાજી ૧૪. મહાસતીજી શ્રી ઉર્મિલાબાઈ આર્યાજી ૧૫. મહાસતીજી શ્રી કંકુબાઈ આર્યાજી ૧૬. મહાસતીજી શ્રી અનિશાબાઈ આર્યાજી ૧૭. મહાસતીજી શ્રી સુલસાબાઈ આર્યાજી ૧૮. મહાસતીજી શ્રી સ્વાતીબાઈ આર્યાજી ૧૯. મહાસતીજી શ્રી ક્લ્પલતાબાઈ આર્યાજી ૨૦. મહાસતીજી શ્રી હિતશ્રીબાઈ આર્યાજી નં. نی نے નામ ૧. ગાદીપતિ પૂ. શ્રી નરસિંહજી સ્વામી ૨. મહારાજ શ્રી લાભચંદ્રજી સ્વામી ૩. મુનિ શ્રી ભાવચંદ્રજી સ્વામી ૪. મુનિ શ્રી નેમિચંદ્રજી સ્વામી ૫. મુનિ શ્રી ભાસ્કરચંદ્રજી સ્વામી ૬. મુનિ શ્રી ધર્મેશચંદ્રજી સ્વામી ૭. મુનિ શ્રી વિમલચંદ્રજી સ્વામી ૮. મુનિ શ્રી ચિંતનચંદ્રજી સ્વામી ૯. મુનિ શ્રી શાંતિચંદ્રજી સ્વામી ૧૦. મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી રાપર ઉજ્જૈન કોયલી રતાડિયા વાલા. અંજાર ધોરાજી ખારોઈ જુનાગઢ લીંબડી સામખીયારી સામખીયારી વણોઈ વણોઈ રતનપર રતનપર શ્રી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયમાં છ વર્તમાનકાળે વિચરતા મુનિરાજોની નામાવલિ રાપર વીરમગામ મુંબઈ લીંબડી લીંબડી રતાડિયા લીંબડી ભોરારા અંજાર ધોરાજી ખારોઈ લીંબડી લીંબડી વતન પટ્ટાવલી અમદાવાદ દીક્ષા સંવત ૨૦૧૧ लुभ બિલીમોરા દીક્ષા સ્થળ લાકડીયા બિદડા ૨૦૧૭ લીંબડી લાકડીયા ભોરારા ૨૦૧૯ ભોરારા લાકડીયા ૨૦૨૩ લાકડીયા ભચાઉ ૨૦૨૬ ભચાઉ સમાઘોઘા ૨૦૨૬ સમાઘોઘા રતાડીયા ૨૦૩૦ રતાડિયા ભોરારા ૨૦૩૪ ભોરારા ભોરારા ૨૦૩૪ ભોરારા ભોરારા ૨૦૩૪ ભોરારા અમદાવાદ સુરેન્દ્રનગર લીંબડી મુંબઈ પ્રાગપુર મલાડ અમદાવાદ Page #510 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૧૧. મુનિ શ્રી વિવેકચંદ્રજી સ્વામી ૧૨. મુનિ શ્રી વિરાગચંદ્રજી સ્વામી ૧૩. મુનિ શ્રી નિરંજનચંદ્રજી સ્વામી ૧૪. મુનિ શ્રી ચેતનચંદ્રજી સ્વામી ૧૫. મુનિ શ્રી ધનેશચંદ્રજી સ્વામી ૧૬. મુનિ શ્રી ભાવેશચંદ્રજી સ્વામી ૧૭. મુનિ શ્રી પંથકચંદ્રજી સ્વામી ૧૮. મુનિ શ્રી આગમચંદ્રજી સ્વામી ૧૯. મુનિ શ્રી નૈતિકચંદ્રજી સ્વામી ૨૦. મુનિ શ્રી આદર્શચંદ્રજી સ્વામી નં. નામ ૧. મહાસતીજી વડેરા શ્રી મણીબાઈ આર્યાજી ૨. સાધ્વીજી શ્રી ચંદનબાઈ આર્યાજી ૩. સાધ્વીજી શ્રી પ્રાણકુંવરબાઈ આર્યાજી સાધ્વીજી શ્રી સુરજબાઈ આર્યાજી ૪. ૫. સાધ્વીજી શ્રી ઉજ્જવળ કુમારીજી આર્યાજી ૬. સાધ્વીજી શ્રી ચંદ્રાવતીબાઈ આર્યાજી ૭. સાધ્વીજી શ્રી દમયંતીબાઈ આર્યાજી ૮. સાધ્વીજી શ્રી કલાબાઈ આર્યાજી ૯. સાધ્વીજી શ્રી મોટા હંસાબાઈ આર્યાજી ૧૦. સાધ્વીજી શ્રી પ્રભાવતીજી આર્યાજી ૧૧. સાધ્વીજી શ્રી મંજુલાબાઈ આર્યાજી ૧૨. સાધ્વીજી શ્રી મુક્તાબાઈ આર્યાજી ૧૩. સાધ્વીજી શ્રી સરલાબાઈ આર્યાજી ગુંદાલા ભચાઉ ત્રંબૌ ભચાઉ ભુજપુર મહાસતીજીઓની નામાવલી સા ૨૦૪૧ સા લાકડીયા ૨૦૪૧ આણંદપર ગુંદાલા ૨૦૪૨ બિદડા ગુંદાલા ૨૦૪૨ બિદા ભચાઉ ૨૦૪૪ ભચાઉ ૨૦૫૦ ગુંદાલા ૨૦૫૮ અંધેરી (વે) ૨૦૫૮ ૨૦૫૮ ૨૦૫૯ વતન ૪૯૭ દીક્ષા સંવત થાણા અંધેરી (વે) થાણા દીક્ષા સ્થળ રામાણીયા ૧૯૯૫ રામાણીયા ગુજરવદી ૧૯૯૮ થાનગઢ બિદડા ૨૦ બિદડા લાકડીયા ૨૦૦૪ ગુંદાલા ૨૦૫ ગુંદાલા માંડવી ૨૦૧ માંડવી રતાડીયા ૨૦૦૯ સમાઘોઘા કુંદરોડી ૨૦૦૯ સમાઘોઘા મોરબી ૨૦૦૯ મોરબી ગુંદાલા ૨૦૦૯ જેતપુર જેસડા ૨૦૧૧ સા લાકડીયા ૨૦૧૧ મોરબી ૨૦૧૨ લાકડિયા લાકડિયા સાયલા Page #511 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાવલી જેતપુર - રર. ૪૯૮ ૧૪. સાધ્વીજી શ્રી ક્યનબાઈ આર્યાજી ૧૫. સાધ્વીજી શ્રી નિર્મળાજી આર્યાજી ૧૬. સાધ્વીજી શ્રી ચંદનાજી આર્યાજી ૧૭. સાધ્વીજી શ્રી વિજયાબાઈ આર્યાજી ૧૮. સાધ્વીજી શ્રી કળાબાઈ આર્યજી ૧૯. સાધ્વીજી શ્રી રાજેમતીબાઈ આર્યાજી ૨૦. સાધ્વીજી શ્રી નાના હંસાબાઈ આર્યજી ૨૧. સાધ્વીજી શ્રી ઈન્દુબાઈ આર્યાજી સાધ્વીજી શ્રી તારાબાઈ આર્યાજી ૨૩. સાધ્વીજી શ્રી મીનાબાઈ આર્યાજી ૨૪. સાધ્વીજી શ્રી આશાબાઈ આર્યજી ૨૫. સાધ્વીજી શ્રી ચંપકલતાજી આર્યાજી ૨૬. સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાજી આર્યાજી ર૭. સાધ્વીજી શ્રી વસંતપ્રભાજી આર્યાજી ૨૮. સાધ્વીજી શ્રી અંજનાબાઈ આર્યાજી ર૯. સાધ્વીજી શ્રી ગુણવંતીબાઈ આર્યાજી ૩૦. સાધ્વીજી શ્રી પ્રમોદિનીજી આર્યજી ૩૧. સાધ્વીજી શ્રી રૂક્ષ્મણીબાઈ આર્યાજી સાધ્વીજી શ્રી શોભનાજી આર્યજી ૩૩. સાધ્વીજી શ્રી વિનોદપ્રભાજી આર્યાજી ૩૪. સાધ્વીજી શ્રી પાબાઈ આર્યજી ૩૫. સાધ્વીજી શ્રી વસંતશ્રી આર્યાજી ૩૬. સાધ્વીજી શ્રી કલ્પનાજી આર્યાજી ૩૭. સાધ્વીજી શ્રી પ્રજ્ઞાબાઈ આર્યાજી ૩૮. સાધ્વીજી શ્રી શોભનાબાઈ આર્યજી ૩૯. સાધ્વીજી શ્રી કુમુદકભાજી આર્યાજી ૪૦. સાધ્વીજી શ્રી શીલપ્રભાજી આર્યાજી ૪૧. સાધ્વીજી શ્રી નિલમશ્રીજી આર્યાજી ૪૨. સાધ્વીજી શ્રી અનિલાજી આર્યજી ૪૩. સાધ્વીજી શ્રી સુનંદાજી આર્યજી ગુંદાલા ૨૦૧૨ ગુંદાલા ગુંદાલા ૨૦૧૨ ગુંદાલા રાપર ૨૦૧૩ રાપર તુંબડી ર૦૧૪ તુંબડી રાપર ૨૦૧૪ રાપર પાણશીણા ૨૦૧૫ વિરમગામ ૨૦૧૫ જેતપુર જેતપુર ૨૦૧૫ જેતપુર તુંબડી ૨૦૧૬ તુંબડી ગુંદાલા ૨૦૧૬ ગુંદાલા ગુંદાલા ૨૦૧૬ ગુંદાલા રતાડીયા ૨૦૧૬ રતાડીયા રતાડીયા ર૦૧૯ લીંબડી બિદડા ૨૦૧૬ લીબી સમાઘોઘા ર૦૧૭ સમાઘોઘા લાકડીયા ૨૦૧૭ લાકડીયા ગોંડલ ર૦૧૯ સાયલા નાગનેશ ર૦૧૯ વઢવાણ વઢવાણ ૨૦૧૯ વઢવાણ ત્રંબૌ ૨૦૧૯ નંબી વેડા ૨૦૨૦ ગુંદાલા તુંબડી ૨૦૨૧ તુંબડી ડોણ ૨૦૨૧ તુંબડી રતાડીયા ૨૦૨૩ રતાડીયા ત્રંબૌ ૨૦૨૩ નંબી રામાણીયા ૨૦૨૪ રામાણીયા તુંબડી ૨૦૨૪ તુંબડી તુંબડી ૨૦૨૪ તુંબડી રતાડીયા ૨૦૨૫ રતાડીયા લાકડીયા ૨૦૨૫ લાકડીયા ૩૨. Page #512 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૪૯૯ ૪૮. રાપર ૪૪. સાધ્વીજી શ્રી રાજેશ્વરીબાઈ આયજી ૪૫. સાધ્વીજી શ્રી જયોતિપ્રભાબાઈ આર્યાજી ૪૬. સાધ્વીજી શ્રી અરૂણાજી આર્યાજી ૪૭. સાધ્વીજી શ્રી તરૂબાઈ આર્યાજી સાધ્વીજી શ્રી પ્રવિણાજી આર્યાજી ૪૯. સાધ્વીજી શ્રી પુનિતાજી આર્યાજી ૫૦. સાધ્વીજી શ્રી રશ્મિનાજી આર્યાજી ૫૧. સાધ્વીજી શ્રી અમરલતાજી આર્યાજી પર. સાધ્વીજી શ્રી તરૂલતાબાઈ આર્યાજી પ૩. સાધ્વીજી શ્રી ગીતાબાઈ આર્યાજી ૫૪. સાધ્વીજી શ્રી વંદનાબાઈ આર્યાજી ૫૫. સાધ્વીજી શ્રી પ્રાર્થનાબાઈ આર્યજી પ૬. સાધ્વીજી શ્રી અનંતપ્રભાજી આર્યજી ૫૭. સાધ્વીજી શ્રી છાયાબાઈ આર્યાજી ૫૮. સાધ્વીજી શ્રી ઝંખનાબાઈ આર્યજી ૫૯. સાધ્વીજી શ્રી નાના સાબાઈ આર્યાજી ૬૦. સાધ્વીજી શ્રી વિ...ભાજી આર્યાજી ૬૧. સાધ્વીજી શ્રી ઉર્વિશાબાઈ આર્યાજી ૬૨. સાધ્વીજી શ્રી પીયુષાબાઈ આર્યજી ૬૩. સાધ્વીજી શ્રી પ્રતિભાજી આયજી ૬૪. સાધ્વીજી શ્રી સરિતાબાઈ આર્યજી ૬૫. સાધ્વીજી શ્રી નયનાબાઈ આર્યજી ૬૬. સાધ્વીજી શ્રી મૃગાવતીજી આર્યાજી સાધ્વીજી શ્રી દર્શનાજી આર્યજી સાધ્વીજી શ્રી દર્શિતાજી આર્યાજી ૬૯. સાધ્વીજી શ્રી હર્ષિતાજી આર્યાજી જી. સાધ્વીજી શ્રી મીનલજી આર્યાજી ૭૧. સાધ્વીજી શ્રી જ્યોત્સનાજી આર્યજી ૭ર. સાધ્વીજી શ્રી સાધનાબાઈ આર્યાજી ૭૩. સાધ્વીજી શ્રી કમલપ્રભાબાઈ આર્યાજી મનફરા ૨૦૨૫ મનફરા રાપર ૨૦૧૬ રાપર રાપર ૨૦૨૬ રાપર સુરેન્દ્રનગર ૨૦૨૬ સુરેન્દ્રનગર લાકડીયા ૨૦૨૬ લાકડીયા સુવઈ ૨૦૨૬ સુવઈ જેસડા ૨૦૧૬ સુવઈ ખારોઈ ૨૦૨૬ ખારોઈ ખારોઈ ર૦૨૬ ખારોઈ ભોરારા ૨૦૧૬ ઘાટકોપર જોરાવરનગર ૨૦૨૬ ઘાટકોપર જોરાવરનગર ર૦ર૬ ઘાટકોપર વઢવાણ ૨૦૨૬ વઢવાણ લીંબડી ૨૦૨૬ રામાણીયા ૨૦૨૭ કાંદાવાડી ભોરારા ર૦ર૭ ભોરારા કકરવા ૨૦૨૭ ખારોઈ માંડવી ૨૦૧૮ અમદાવાદ ૨૦૨૮ અમદાવાદ લીંબી ૨૦૨૮ લીંબડી ત્રંબૌ ૨૦૦૯ બૌ ત્રંબૌ ૨૦૦૯ નંબી ભરૂડીયા ૨૦૩) ભરૂડીયા ભચાઉ ર૦૧૦ ભચાઉ રાપર ૨૦૩૦ રાપર રાપર ૨૦૩) રાપર ખારોઈ ૨૦૩૦ ખારોઈ સુવઈ ર૦૩) સુવઈ સુવઈ ૨૦૩૦ સુવઈ મનફરા ૨૦૦ મનફરા દેશલપુર ૬૭. ૬૮. સામાજી ૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ પ00 પટ્ટાવલી | ૭૪. સાધ્વીજી શ્રી કીર્તિપ્રભાજી આર્યાજી ૭૫. સાધ્વીજી શ્રી રક્ષાબાઈ આર્યાજી ૭૬. સાધ્વીજી શ્રી કોકીલાજી આર્યાજી ૭૭. સાધ્વીજી શ્રી પ્રફુલ્લાજી આર્યાજી ૭૮. સાધ્વીજી શ્રી દિનમણીજી આર્યાજી ૯. સાધ્વીજી શ્રી પારસમણીજી આર્યાજી ૮૦. સાધ્વીજી શ્રી અર્ચનાબાઈ આર્યાજી સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાજી આર્યાજી ૮૨. સાધ્વીજી શ્રી ઉષાબાઈ આર્યાજી ૮૩. સાધ્વીજી શ્રી કવિતાબાઈ આર્યજી ૮૪. સાધ્વીજી શ્રી વર્ષાબાઈ આર્યજી ૮૫. સાધ્વીજી શ્રી દેવાંગિનીજી આર્યાજી સાધ્વીજી શ્રી નમ્રતાબાઈ આર્યાજી ૮૭. સાધ્વીજી શ્રી વિભુતિબાઈ આર્યાજી ૮૮. સાધ્વીજી શ્રી અતુલાજી આર્યાજી સાધ્વીજી શ્રી મેહુલાજી આર્યજી સાધ્વીજી શ્રી ઝરણાબાઈ આર્યજી ૯૧. સાધ્વીજી શ્રી તરલાબાઈ આર્યાજી ૯૨. સાધ્વીજી શ્રી આરાધનાજી આર્યાજી ૯૩. સાધ્વીજી શ્રી રશ્મિતાજી આર્યજી ૯૪. સાધ્વીજી શ્રી અમીતાજી આર્યજી ૫. સાધ્વીજી શ્રી મૂતાજી આર્યાજી ૯૬. સાધ્વીજી શ્રી ચેતનાજી આર્યાજી ૯૭. સાધ્વીજી શ્રી તમન્નાજી આર્યાજી ૯૮, સાધ્વીજી શ્રી વંદિતાજી આર્યાજી ૯૯. સાધ્વીજી શ્રી વિપુલાજી આર્યજી ૧O. સાધ્વીજી શ્રી મિતાકુમારી આર્યાજી ૧૦૧. સાધ્વીજી શ્રી પૂર્ણિમાજી આર્યાજી ૧૦૨. સાધ્વીજી શ્રી પ્રેરણાજી આર્યાજી ૧૦૩. સાધ્વીજી શ્રી કૌમુદીજી આર્યજી મનફરા ૨૦૩) મનફરા ભોરારા ૨૦૩૦ ભોરારા લાકડીયા ૨૦૩૦ લાકડીયા લાકડીયા ૨૦૩૦ લાકડીયા લાકડીયા ૨૦૩૧ લાકડીયા લાકડીયા ૨૦૩૧ લાકડીયા રામાણીયા ૨૦૩૧ રામાણીયા ખારોઈ ૨૦૩૧ ખારોઈ જોરાવરનગર ૨૦૩૧ જોરાવરનગર પ્રતાપપર ૨૦૩૧ પ્રતાપપર ભોરારા ૨૦૩ર ભોરારા ૨૦૩૨ ૨૦૩ર ભુજ ગુંદાલા ૨૦૩૩ બોરીવલી તંબડી ૨૦૩૩ તંબડી ભચાઉ ૨૦૩૩ ભચાઉ ભચાઉ -૨૦૩૩ ભચાઉ સા . ૨૦૩૪ સા. તુંબડી ૨૦૩૪ મલાડ છસરા ૨૦૩૪ મુંબઈ ત્રંબૌ ૨૦૧૪ થાણા પત્રી ૨૦૩૪ મલાડ વ ૨૦૩૪ ૦ સ્વ ૨૦૩૪ વ રામવાવ ૨૦૩૪ રાપર રાપર ૨૦૩૪ રાપર રામવાવ ૨૦૩૪ રાપર વ ૨૩૪ રાપર ચિત્રોડ ૨૦૩૪ રાપર રાપર ૨૦૩૪ રાપર 0. - Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ આ છે અણગાર અમારા ૧૦૪. સાધ્વીજી શ્રી જાગૃતિજી આર્યાજી ૧૦૫. સાધ્વીજી શ્રી અખિલાજી આર્યાજી ૧૦૬, સાધ્વીજી શ્રી મલ્લિકાજી આર્યાજી ૧૦૭. સાધ્વીજી શ્રી જિજ્ઞાસાજી આર્યાજી ૧૦૮. સાધ્વીજી શ્રી વૈશાલીબાઈ આર્યાજી ૧૯. સાધ્વીજી શ્રી સ્મિતાબાઈ આર્યાજી ૧૧૦. સાધ્વીજી શ્રી યોગિનીબાઈ આર્યાજી ૧૧૧. સાધ્વીજી શ્રી પદ્મિનીબાઈ આર્યાજી ૧૧૨. સાધ્વીજી શ્રી મુક્તિબાઈ આર્યાજી ૧૧૩. સાધ્વીજી શ્રી રસીલાબાઈ આર્યાજી ૧૧૪. સાધ્વીજી શ્રી મધુમિતાજી આર્યાજી ૧૧૫. સાધ્વીજી શ્રી હિરનપ્રભાજી આર્યાજી ૧૧૬, સાધ્વીજી શ્રી કિરણપ્રભાજી આર્યાજી ૧૧૭. સાધ્વીજી શ્રી ચાંદનીબાઈ આર્યાજી ૧૧૮. સાધ્વીજી શ્રી શિતલબાઈ આર્યજી ૧૧૯. સાધ્વીજી શ્રી ધૃતિકુમારી આર્યાજી ૧૨૦. સાધ્વીજી શ્રી પ્રગતિકુમારી આર્યાજી ૧૨૧. સાધ્વીજી શ્રી અશ્વિનાજી આર્યાજી ૧૨૨. સાધ્વીજી શ્રી સદ્ગણાજી આર્યાજી ૧૨૩. સાધ્વીજી શ્રી ચૈતન્યજી આર્યાજી ૧ર૪. સાધ્વીજી શ્રી અંજલિબાઈ આર્યાજી ૧૨૫. સાધ્વીજી શ્રી ઉપાસનાજી આર્યાજી ૧૨૬. સાધ્વીજી શ્રી ઉન્નતીબાઈ આર્યજી ૧૨૭. સાધ્વીજી શ્રી વિરતિજી આર્યાજી ૧૨૮. સાધ્વીજી શ્રી મીરાબાઈ આર્યાજી ૧૨૯. સાધ્વીજી શ્રી પુણ્યશીલાજી આર્યજી ૧૩). સાધ્વીજી શ્રી નિરૂપમાજી આર્યાજી ૧૩૧. સાધ્વીજી શ્રી ઋજુતાજી આર્યાજી ૧૩૨. સાધ્વીજી શ્રી મહિમાકુમારી આર્યજી ૧૩૩. સાધ્વીજી શ્રી ભક્તિજી આર્યજી રાપર ૨૦૩૪ રાપર ભોરારા ૨૦૩૪ ભોરારા સમાઘોઘા ૨૦૩૪ સમાઘોઘા ત્રંબૌ ૨૩૪ નંબી નંબી ૨૦૩૪ –બી. ત્રંબૌ ર૦૩૪ –બી જોરાવરનગર ૨૦૩૪ મુન્દ્રા માધાપર ર૦૩પ માધાપર ઘોઘાસમડી ર૦૩પ લાઠી ભડિયાદ ૨૦૩૫ જોરાવરનગર લાકડીયા ર૦૩પ લાકડીયા નંદાસર ૨૦૩૫ નંદાસર, નંદાસર ર૦૩પ નંદાસર ગુંદાલા ર૦૩પ ગુંદાલા ગુંદાલા ર૦૩પ ગુંદાલા સામખીયારી ર૦૩પ સામખીયારી સામખીયારી ર૦૩પ સામખીયારી લીંબી ર૦૩પ લીંબડી સુવઈ ૨૦૩પ સુવઈ લાકડીયા ૨૦૩૭ લાકડીયા થાનગઢ ર૦૩૭ થાનગઢ ભચાઉ ૨૩૭ ભચાઉ મનફરા ૨૦૩૭ મનફરા મનફરા ૨૦૩૭ મનફરા સુવઈ ૨૦૧૭ સુવઈ ૨૦૧૭ સુવઈ ૨૦૩૭ સુવઈ સવઈ ૨૦૩૭ સુવઈ ર૦૩૭ સુવઈ સરા ૨૦૩૮ સરા સુવઈ સુવઈ Page #515 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ પટ્ટાવલી નંબી - ૧૩૪. સાધ્વીજી શ્રી ઉદિતાજીબાઈ આર્યાજી ૧૩૫. સાધ્વીજી શ્રી પ્રણિતાજી આર્યાજી ૧૩૬. સાધ્વીજી શ્રી સુનિતાબાઈ આર્યાજી ૧૩૭. સાધ્વીજી શ્રી ઉલ્લાસીબાઈ આર્યાજી ૧૩૮. સાધ્વીજી શ્રી શ્રેયસીબાઈ આર્યાજી ૧૩૯. સાધ્વીજી શ્રી મૈત્રીકુમારી આર્યાજી ૧૪૦. સાધ્વીજી શ્રી તૃપ્તિજી આર્યજી ૧૪૧. સાધ્વીજી શ્રી સ્મૃતિજી આર્યાજી ૧૪૨. સાધ્વીજી શ્રી રાજેમતીજી આર્યાજી ૧૪૩. સાધ્વીજી શ્રી યશોમતીજી આર્યાજી ૧૪૪. સાધ્વીજી શ્રી વિપશ્યનાજી આર્યજી ૧૪૫. સાધ્વીજી શ્રી જ્યોતિકુમારીજી આર્યાજી ૧૪૬, સાધ્વીજી શ્રી કલ્યાણજી આર્યાજી ૧૪૭. સાધ્વીજી શ્રી રોહિણીકુમારી આર્યાજી ૧૪૮. સાધ્વીજી શ્રી પ્રેક્ષાજી આર્યાજી ૧૪૯. સાધ્વીજી શ્રી પ્રતિક્ષાજી આર્યજી ૧૫૦. સાધ્વીજી શ્રી દર્શિકાકુમારી આર્યાજી ૧૫૧. સાધ્વીજી શ્રી પ્રતિજ્ઞાજી આર્યજી ૧૫ર. સાધ્વીજી શ્રી પ્રતિમાજી આયજી ૧૫૩. સાધ્વીજી શ્રી ધ્વનિબાઈ આર્યાજી ૧૫૪. સાધ્વીજી શ્રી હિતેચ્છાજી આર્યાજી ૧૫૫. સાધ્વીજી શ્રી અનિશાજી આર્યાજી ૧૫૬, સાધ્વીજી શ્રી ભારતીબાઈ આર્યજી ૧૫૭. સાધ્વીજી શ્રી પરિણાજી આર્યજી ૧૫૮. સાધ્વીજી શ્રી ચાંદનીબાઈ આર્યજી ૧૫૯. સાધ્વીજી શ્રી રોશનીબાઈ આર્યાજી ૧૬૦. સાધ્વીજી શ્રી સુવ્રતાજી આર્યાજી ૧૬૧. સાધ્વીજી શ્રી રૂચિતાજી આર્યાજી ૧૬૨. સાધ્વીજી શ્રી નયનાબાઈ આર્યાજી ૧૬૩. સાધ્વીજી શ્રી આરતીકુમારી આર્યાજી ૨૩૮ ત્રંબૌ ૨૦૩૮ –બી ત્રંબૌ ૨૦૩૮ અમદાવાદ ૨૦૩૮ અમદાવાદ વઢવાણ, ૨૦૩૮ અમદાવાદ ચોટીલા ર૦૩૮ ચોટીલા ચિત્રોડ ૨૦૩૮ ચિત્રોડ ચિત્રોડ ૨૦૩૮ ચિત્રોડ રાપર ૨૦૩૮ રાપર રાપર ૨૦૩૮ રાપર ચોટીલા ર૦૩૮ ચોટીલા વઢવાણ ૨૦૩૮ મુંબઈ ભુજ ૨૦૩૮ સ્વ ભૂજ ૨૦૩૯ ૪ લાડીયા ૨૦૩૯ લાકડીયા લખતર ર૦૩૯ લખતર પ્રાગપર ર૩૯ પ્રાગપર સુવઈ ૨૦૩૯ થાણા સુવઈ ૨૦૩૯ થાણા ભચાઉ ર૦૩૯ ભચાઉ લાઠીયા ૨૦૪) લાકડીયા સુવઈ ૨૦૪) સુવઈ રામવાવ ૨૦૪) રાપર રામવાવ ર૦૪૦ રાપર રામવાવ ૨૦૪૦ રાપર રામવાવ ર૦૪૦ રાપર રામવાવ ૨૦૪૦ રાપર પત્રી ૨૦૪૦ રાપર ચોટીલા ૨૦૪) ચોટીલા સામખીયારી ર૦૪) સામખીયારી Page #516 -------------------------------------------------------------------------- ________________ પ૦૩ આ છે અણગાર અમારા ૧૬૪. સાધ્વીજી શ્રી નિવૃતિકુમારી આર્યાજી ૧૬૫. સાધ્વીજી શ્રી સિધ્ધિકુમારી આર્યજી ૧૬૬. સાધ્વીજી શ્રી તત્વજ્ઞાજી આર્યાજી ૧૬૭. સાધ્વીજી શ્રી કોમલબાઈ આર્યાજી ૧૬૮. સાધ્વીજી શ્રી ધર્મેચ્છાજી આર્યાજી ૧૬૯. સાધ્વીજી શ્રી દેશનાજી આર્યાજી ૧૭૦. સાધ્વીજી શ્રી રચનાબાઈ આર્યાજી ૧૭૧. સાધ્વીજી શ્રી ખેવનાબાઈ આર્યાજી ૧૭ર. સાધ્વીજી શ્રી હિતજ્ઞાજી આર્યાજી ૧૭૩. સાધ્વીજી શ્રી અર્પણાજી આર્યાજી ૧૭૪. સાધ્વીજી શ્રી કરૂણાજી આર્યાજી ૧૭૫. સાધ્વીજી શ્રી શ્વેતાબાઈ આર્યાજી ૧૭૬. સાધ્વીજી શ્રી જયશ્રીજી આર્યાજી ૧૭૭. સાધ્વીજી શ્રી વિશુધ્ધિબાઈ આર્યાજી ૧૭૮. સાધ્વીજી શ્રી ફાલ્ગનીબાઈ આર્યાજી ૧૭૯, સાધ્વીજી શ્રી તારિણીકુમારી આર્યાજી ૧૮૦. સાધ્વીજી શ્રી અભિલાષીબાઈ આર્યા ૧૮૧. સાધ્વીજી શ્રી મતિજ્ઞાજી આર્યાજી ૧૮૨. સાધ્વીજી શ્રી કૃપાકુમારી આર્યાજી ૧૮૩. સાધ્વીજી શ્રી ક્ષમાકમારી આર્યાજી ૧૮૪. સાધ્વીજી શ્રી પરાગિનીજી આર્યાજી ૧૮૫. સાધ્વીજી શ્રી પ્રતીકુમારી આર્યાજી ૧૮૬. સાધ્વીજી શ્રી સોહીનીબાઈ આર્યાજી ૧૮૭. સાધ્વીજી શ્રી નંદિનીબાઈ આર્યજી ૧૮૮. સાધ્વીજી શ્રી અવનીકમારી આર્યાજી ૧૮૯. સાધ્વીજી શ્રી ભાવિનીબાઈ આર્યાજી ૧૯૦. સાધ્વીજી શ્રી નિર્જરાબાઈ આર્યાજી ૧૯૧. સાધ્વીજી શ્રી નિષ્ઠાબાઈ આર્યાજી ૧૯ર. સાધ્વીજી શ્રી શ્રધ્ધાકુમારી આર્યાજી ૧૯૩. સાધ્વીજી શ્રી સ્વસ્તિબાઈ આર્યાજી સુવઈ સામખીયારી ૨૦૪૦ સામખીયારી લાકડીયા ૨૦૪૦ લાકડીયા લાકડીયા ૨૦૪૦ લાકડીયા ચોટીલા ૨૦૪) ચોટીલા ભચાઉ ૨૦૪૦ ભચાઉ ભચાઉ ર૦૪ ભચાઉ મનફરા ૨૦૪૦ મનફરા મનફરા. ૨૦૪૦ મનફરા નંદાસર ર૦૪૧ લાકડીયા શિવલખા ૨૦૪૧ લાકડીયા, લાકડીયા ૨૦૪૧ લાકડીયા ત્રંબૌ ર૦૪૧ થાણા આણંદપર ૨૦૪૧ આણંદપર આધોઈ ર૦૪૧ આધોઈ પાટી ૨૦૪૧ ગાંધીધામ ૨૦૪૧ ગાંધીધામ અમદાવાદ ર૦૪ર અમદાવાદ નંદાસર ૨૦૪૨ થાણા ત્રંબૌ ર૦૪ર નંબી મનફરા ૨૦૪ર મનફરા ત્રંબૌ ૨૦૪૩ થાણા સામખીયારી ર૦૩ બોરીવલી માધાપર ૨૦૪૩ માધાપર ભાવનગર ૨૦૪૩ માધાપર માલીયા ૨૦૪૩ માધાપર માધાપર ૨૦૪૩ માધાપર સામખીયારી ૨૦૪૩ સામખીયારી ગુંદાલ્સ ૨૦૪૩ ગુંદાલા મોરબી ૨૦૪૩ ગુંદાલા ચુડા ૨૦૪૩ ચુડા Page #517 -------------------------------------------------------------------------- ________________ પ૦૪ પટ્ટાવલી ૧૯૪. સાધ્વીજી શ્રી જિનાજ્ઞાજી આર્યાજી ૧૯૫. સાધ્વીજી શ્રી બ્રાહ્મીકુમારી આર્યાજી ૧૯૬. સાધ્વીજી શ્રી મોલાજી આર્યાજી ૧૯૭. સાધ્વીજી શ્રી હિતસ્વિની' આર્યાજી ૧૯૮. સાધ્વીજી શ્રી તેજસ્વીનીજી આર્યાજી ૧૯૯, સાધ્વીજી શ્રી કોમલબાઈ આર્યાજી ૨છે. સાધ્વીજી શ્રી વીરતાજી આર્યાજી ૨૦૧. સાધ્વીજી શ્રી અર્પિતાજી આર્યાજી ૨૦૨. સાધ્વીજી શ્રી મલયકુમારી આર્યાજી ૨૦૩. સાધ્વીજી શ્રી તેજસબાઈ આર્યાજી . ર૦૪. સાધ્વીજી શ્રી ઓજસબાઈ આર્યાજી ૨૦૫. સાધ્વીજી શ્રી શુભેચ્છાબાઈ આર્યાજી ૨૦૬. સાધ્વીજી શ્રી તોરલબાઈ આયજી ૨૦૭. સાધ્વીજી શ્રી વિયુક્તિજી આર્યજી ૨૦૮. સાધ્વીજી શ્રી વિરક્તિજી આર્યજી ૨૦૯. સાધ્વીજી શ્રી વિક્રાંતિજી આર્યાજી ૨૧૦. સાધ્વીજી શ્રી વિજ્ઞાતિજી આર્યાજી ૨૧૧. સાધ્વીજી શ્રી વિજ્ઞપ્તિજી આર્યાજી ૨૧૨. સાધ્વીજી શ્રી વિશ્રુતિજી આર્યાજી ૨૧૩. સાધ્વીજી શ્રી વિશ્વાસીનીબાઈ આર્યજી ૨૧૪. સાધ્વીજી શ્રી વિભાતિજી આર્યજી ૨૧૫. સાધ્વીજી શ્રી વિભૂષિતાજી આર્યજી ૨૧૬, સાધ્વીજી શ્રી ખ્યાતિજી આર્યાજી ૨૧૭. સાધ્વીજી શ્રી વસુધાબાઈ આર્યજી ૨૧૮. સાધ્વીજી શ્રી કમલિનીબાઈ આર્યાજી ૨૧૯. સાધ્વીજી શ્રી ક્રાંતિકુમારીજી આર્યાજી ૨૨૦. સાધ્વીજી શ્રી એક્તાજી આર્યાજી ૨૨૧. સાધ્વીજી શ્રી સંસ્કૃતિજી આર્યાજી ૨૨૨. સાધ્વીજી શ્રી જયણાજી આર્યજી રર૩. સાધ્વીજી શ્રી પ્રકૃતિએ આર્યજી મથડા ૨૦૩ સમાઘોઘા ગુંદાલા ૨૦૪૩ ગુંદાલા લાકડીયા ૨૦૪૩ લાકડીયા લાકડીયા ૨૦૪૪ લાકડીયા લાકીયા ૨૦૪૪ લાકડીયા ૪ ૨૦૪૪ જ વાંકાનેર રજ વાકાનેર ભરોરા ૨૦૪૪ ગુંદાલા ભોરારા ૨૦૪૪ ગુંદાલા સુવઈ ૨૦૪૫ સુવઈ સુવઈ ૨૦૪૫ સુવઈ વઢવાણ ૨૦૫ સુરેન્દ્રનગર વણોઈ ૨૦૪૫ વણોઈ રાપર ૨૦૪૫ રાપર રાપર ૨૦૫ રાપર રાપર. ર૦૫ રાપર રાપર ૨૦૫ રાપર - રાપર ર૦૫ રાપર રામવાવ ર૦૫ રાપર બેલા ૨૦૫ રાપર રાપર ૨૦૪૫ રાપર વિંછીયા ર૦૫ વિંછીયા નંબી ૨૦૪૬ થાણા રામાણીયા ૨૦૪૬ ચીંચણી સુવઈ ૨૦૪૬ સુવઈ ' વિંછીયા ૨૦૪૬ વિછીયા પડધરી ૨૦૪૬ સમાઘોઘા કળમાદ ૨૦૪૭ સુરેન્દ્રનગર મોરબી ર૦૪૭ મોરબી ભરૂડીયા ૨૦૪૭ ભરૂડીયા Page #518 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૨૨૪. સાધ્વીજી શ્રી ભવ્યતાજી આર્યાજી ૨૨૫. સાધ્વીજી શ્રી શ્રેષ્ઠતાજી આર્યાજી ૨૨૬. સાધ્વીજી શ્રી સુપર્ણાકુમારી આર્યાજી ૨૨૭. સાધ્વીજી શ્રી સુવર્ણાકુમારી આર્યાજી ૨૨૮. સાધ્વીજી શ્રી સૌમ્યતાબાઈ આર્યાજી ૨૨૯, સાધ્વીજી શ્રી ખુમારીજી આર્યાજી ૨૩૦. સાધ્વીજી શ્રી નિપુણાજી આર્યાજી ૨૩૧. સાધ્વીજી શ્રી પ્રાપ્તિકુમારી આર્યાજી ૨૩ર. સાધ્વીજી શ્રી પૂર્ણતાજી આર્યાજી ૨૩૩. સાધ્વીજી શ્રી ગુપ્તિબાઈ આર્યાજી ૨૩૪. સાધ્વીજી શ્રી ધરાબાઈ આર્યાજી ૨૩૫. સાધ્વીજી શ્રી લબ્ધિબાઈ આર્યાજી ૨૩૬. સાધ્વીજી શ્રી ખુબુબાઈ આર્યાજી ૨૩૭. સાધ્વીજી શ્રી ક્રિષ્નાકુમારી આર્યાજી ર૩૮. સાધ્વીજી શ્રી પ્રશસ્તિજી આર્યાજી ૨૩૯. સાધ્વીજી શ્રી નિશ્રાબાઈ આર્યાજી ૨૪૦. સાધ્વીજી શ્રી શ્રુતિબાઈ આર્યજી ૨૪૧. સાધ્વીજી શ્રી જીનશ્રીબાઈ આર્યાજી ૨૪૨. સાધ્વીજી શ્રી આજ્ઞાકુમારી આર્યાજી ર૪૩. સાધ્વીજી શ્રી પાત્રતાજી આર્યાજી ૨૪. સાધ્વીજી શ્રી ચાહનાજી આર્યાજી ૨૪૫. સાધ્વીજી શ્રી મર્યાદાજી આર્યાજી ૨૪૬. સાધ્વીજી શ્રી પ્રિયદર્શીનીબાઈ આર્યાજી ર૪૭. સાધ્વીજી શ્રી પ્રિયંકાજી આર્યાજી ૨૪૮. સાધ્વીજી શ્રી સુરૂચિ આર્યાજી ૨૪૯. સાધ્વીજી શ્રી નિયતિકુમારી આર્યાજી ૨૫૦. સાધ્વીજી શ્રી સુહાનીજી આયજી ર૫૧. સાધ્વીજી શ્રી પ્રિયાંશીજી આર્યાજી ૨પર. સાધ્વીજી શ્રી પ્રતિષ્ઠાજી આર્યાજી ૨૫૩. સાધ્વીજી શ્રી કુમકુમજી આર્યાજી ભોરારા ૨૦૪૭ ભરારા ભચાઉ ૨૦૪૮ ભચાઉ લાકડીયા ૨૦૪૯ ગોરેગામ ભરૂડીયા ૨૦૪૯ ગોરેગામ સડલા ૨૦૪૯ વાંકાનેર વ ૨૦૪૯ વ નંદાસર ૨૦૪૯ થાણા આણંદપર ૨૦૪૯ આણંદપર લાકડીયા ૨૦૪૯ લાકડીયા જેતપુર ર૦૪૯ તપુર મનફરા ૨૦૪૯ ઘાટકોપર મનફરા ૨૦૪૯ ઘાટકોપર મનફરા. ૨૦૫૦ પાર્લા વઢવાણ ૨૦૫૦ વઢવાણ ત્રંબૌ ર૦૫૦ નંબો ૨૦૫૦ સુવઈ લાકડીયા ૨૦૫૦ લાકડીયા ભુજ ૨૦૫૦ ભુજ લાકડીયા ૨૦૫૦ લાકડીયા લાકડીયા ૨૦૫૦ લાકડીયા લાકડીયા ૨૦૫૦ લાકડીયા લાકડીયા ૨૦૫) લાકડીયા માધાપર ૨૦૫૦ માધાપર થાનગઢ ૨૦૧૧ લીંબડી રાપર ૨૦૫૧ રાપર રાણપુર ર૦૫૧ સુરેન્દ્રનગર રામવાવ ૨૦૫૧ રામવાવ ૨૦૫૧ રાપર, ત્રંબૌ ૨૦૫૧ થાણા ત્રંબૌ ૨૦૫૧ થાણા સુવઈ રાપર Page #519 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ પટ્ટાવલી ૨૫૪. સાધ્વીજી શ્રી સંજીવનીજી આર્યાજી ૨૫૫. સાધ્વીજી શ્રી ભદ્રતાબાઈ આર્યાજી રપદ, સાધ્વીજી શ્રી ધીરતાકુમારી આર્યાજી રપ૭. સાધ્વીજી શ્રી સમિક્ષાજી આર્યાજી ર૫૮. સાધ્વીજી શ્રી વૈભવીજી આર્યા ૨૫૯. સાધ્વીજી શ્રી કર્ણિકાજી આર્યાજી ર૬૦. સાધ્વીજી શ્રી પવિત્રાજી આર્યજી ૨૬૧. સાધ્વીજી શ્રી દિપીકુમારી આર્યાજી ર૬ર. સાધ્વીજી શ્રી બોધિનીજી આર્યાજી ર૬૩. સાધ્વીજી શ્રી શાલિનીજી આર્યજી ર૬૪. સાધ્વીજી શ્રી હિતાર્થિનીજી આર્યા ૨૬૫. સાધ્વીજી શ્રી યશસ્વિનીજી આર્યાજી ૨૬૬. સાધ્વીજી શ્રી સ્તુતીકુમારી આર્યાજી ર૬૭. સાધ્વીજી શ્રી જૈમિનીજી આર્યજી ર૬૮, સાધ્વીજી શ્રી ભાવિતાજી આર્યાજી ર૬૯. સાધ્વીજી શ્રી સુર્યમુખીજી આર્યાજી ૨૦. સાધ્વીજી શ્રી જશકુમારીજી આર્યાજી ર૭૧. સાધ્વીજી શ્રી હંસશ્રીજી આર્યજી ર૭ર. સાધ્વીજી શ્રી ખુશાલીબાઈ આર્યાજી ર૭૩. સાધ્વીજી શ્રી નિર્મોહિનીજી આર્યાજી ર૭૪. સાધ્વીજી શ્રી ધન્યતાજી આર્યજી ૨૭૫. સાધ્વીજી શ્રી પ્રભુતાબાઈ આર્યાજી ર૭૬. સાધ્વીજી શ્રી દષ્ટિજી આર્યાજી ૨૭૭. સાધ્વીજી શ્રી ધારણાબાઈ આર્યાજી ર૭૮. સાધ્વીજી શ્રી કૃતજ્ઞાબાઈ આર્યાજી ૨૯. સાધ્વીજી શ્રી સમૃદ્ધિબાઈ આર્યાજી ૨૮૦. સાધ્વીજી શ્રી પ્રસિધ્ધિબાઈ આર્યાજી ર૮૧. સાધ્વીજી શ્રી તિતિક્ષાજી આર્યા ૨૮૨. સાધ્વીજી શ્રી નમકુમારી આર્યા ૨૮૩. સાધ્વીજી શ્રી પ્રભૂજનાજી આર્યાજી ગુંદાલા ૨૦૫૧ દાદર સુવઈ ૨પર સુવઈ સુવઈ ૨)પર, સુવઈ લાકડીયા ર૦પર સુરેન્દ્રનગર સુદામડા ૨૦૫ર લીંબડી રાપર ર૦૫૩ મુલુન્ડ સુવઈ ૨૦૫૩ સુવઈ ત્રંબૌ ર૦પ૩ નંબી ૨૦૫૩ રાપર ર૦૫૩ રાપર પત્રી ર૦પ૩ નવસારી લાકડીયા ૨૦૫૩ મલાડ સુરેન્દ્રનગર ૨૦૨૩ સુરેન્દ્રનગર મોખા ૨૦૫૪ જોગેશ્વરી ક્સડા ૨૦૫૪ થાણા વિંછીયા ૨૦૫૪ પાલો આધોઈ ૨૦૫૪ આધોઈ બલી ૨૦૫૪ બલી સાયલા ર૦૫૫ બોરીવલી લાકડીયા ૨૦૫૫ દાદર ભચાઉ ૨૦૫૫ નવી મુંબઈ લાકડીયા ૨૦૫૫ નવી મુંબઈ મોખા ૨૦૫૫ જોગેશ્વરી ગઢડા ૨૦૫૫ લીંબી ભચાઉ ૨૦૫૫ ભચાઉ સામખીયારી ર૦૫૬ બોરીવલી લાકડીયા ૨૦૫૬ બોરીવલી કળમ ર૦૫૬ ઘાટલોડીયા મોરબી ર૦૫૬ હૈદ્રાબાદ સ્વ ૨૦૫૬ સ્વ Page #520 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ૫૦૭ ૨૮૪. સાધ્વીજી શ્રી વીરાંગનાજી આર્યાજી ૨૮૫. સાધ્વીજી શ્રી પ્રકાશાજી આર્યાજી ૨૮૬. સાધ્વીજી શ્રી નિરાગીણીબાઈ આર્યાજી ૨૮૭. સાધ્વીજી શ્રી ધારણાજી આર્યાજી ૨૮૮. સાધ્વીજી શ્રી વિજેતાજી આર્યાજી ૨૮૯ સાધ્વીજી શ્રી ઉંમગિનીજી આર્યાજી ર૦. સાધ્વીજી શ્રી નિસંગિનીજી આર્યાજી ર૯૧. સાધ્વીજી શ્રી શ્રેયાંસીજી આર્યાજી ર૯૨. સાધ્વીજી શ્રી આત્મજ્ઞાજી આર્યાજી ર૯૩. સાધ્વીજી શ્રી સમિતીબાઈ આયજી ર૪. સાધ્વીજી શ્રી સિધ્ધશીલાજી આર્યજી ર૯૫. સાધ્વીજી શ્રી મુક્તિશીલાજી આર્યાજી ૨૯૬. સાધ્વીજી શ્રી ધરતીબાઈ આર્યાજી ર૯૭. સાધ્વીજી શ્રી ઉર્જાકુમારી આર્યજી ૨૯૮. સાધ્વીજી શ્રી જૈનતાજી આર્યાજી ર૯૯, સાધ્વીજી શ્રી અનુભૂતિજી આર્યાજી ૩જી. સાધ્વીજી શ્રી ર્તિનાજી આર્યાજી ૩૧. સાધ્વીજી શ્રી પરમેશ્વરીજી આર્યજી ૩૦૨. સાધ્વીજી શ્રી સ્વાનુભૂતિજી આર્યા ૩૦૩. સાધ્વીજી શ્રી યોગેશ્વરીજી આર્યાજી ૩૦૪. સાધ્વીજી શ્રી પ્રિયંવદાજી આર્યજી ૩૦૫. સાધ્વીજી શ્રી ધ્રુવિતાજી આર્યાજી ૩૦૬. સાધ્વીજી શ્રી આસ્થાકુમારી આર્યજી ૩૦૭. સાધ્વીજી શ્રી આત્માર્થિનીજી આર્યાજી વ ૨૦૫૬ વ સુરેન્દ્રનગર ર૦૫૬ વડોદરા પાટી ૨૦૫૬ ગુંદાલા દેવધરી ૨૦૧૭ બોરીવલી ધંધુકા ૨૦૫૭ સાયલા સુવઈ ૨૦પ૭ દાદર લાકડીયા ૨૦૫૭ દાદર નંબી ૨૦૫૭ થાણા નંદાસર ર૦પ૭ લ્યાણ વાંકાનેર ૨૦પ૭ વાંકાનેર ભચાઉ ૨૦૫૮ અંધેરી ભચાઉ - ૨૦૫૮ અંધેરી વાંસદા ૨૫૮ પાલડી ખારોઈ ૨૦૫૮ બોરીવલી ભચાઉ ૨૫૯ થાણા ૨૦૫૯ થાણા પ્રાગપુર ૨૦૫૯ થાણા વ ૨૦૫૯ થાણા ગાગોદર ૨૦૫૯ થાણા ૨૦૫૯ થાણા ખારોઈ ૨૦૫૯ થાણા ભચાઉ ર૦૫૯ થાણા મોખા ૨૦૬૦ જોગેશ્વરી ફતેગઢ ૨૦૬૧ સુરેન્દ્રનગર ભરૂડીયા સમાપ્ત Page #521 -------------------------------------------------------------------------- ________________ Page #522 -------------------------------------------------------------------------- ________________ || તસ્મ શ્રી ગુરવે નમઃ || (સંસ્કારવર્ધક સામયિક) શુભાશીર્વાદ અજરામર ગચ્છાધિપતિ પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પૂ. તપરવી રામચંદ્રજી સ્વામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि / व्यये कते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् // અર્થાત્ ચોર ચોરી ન શકે, રાજ્ય હરી ન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે, અને ભાર રૂપ પણ ન થાય. જેમ વ્યય કરો તેમ વધે એવું વિદ્યા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનોમાં મુખ્ય છે. વિદ્યાનું આવું મહત્ત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક તથા સંસ્કારવર્ધક સાહિત્ય અવશ્ય વાંચો તથા બીજાને વંચાવો. આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાં ય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે કેમકે અર્થ (ધન) આ ભવ પૂરતો છે જ્યારે જ્ઞાન તો આ ભવમાં ય સાથે રહે છે તથા પરભવમાં ય સાથે આવે છે. જ્ઞાન તથા સંસ્કારોનું આવું મહત્ત્વ સમજી આપ આ ‘નવલ પ્રકાશ” માસિકના અવશ્ય સભ્ય બનો તથા બીજાને બનાવો. આવી રીતે આપ જ્ઞાનદલાલી - સંસ્કાર દલાલી - ધર્મદલાલીનો લાભ મેળવી શકશો. દ્વિવાર્ષિક લવાજમ રૂ. 200. પેટ્રન શુભેચ્છક રૂ. 1000 દશવાર્ષિક લવાજમ રૂ. 600 (20 વર્ષ સુધી અંક મળશે.) - મુંબઈ સુરેન્દ્રનગર સંપર્ક-સૂત્ર રમણીકલાલ નાગજી દેઢિયા પ્રકુલકુમાર કે. તુરખિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, 16/B ક્રિશ્ના નિવાસ, ઠે. ધાંગધ્રાના ઉતારા સામે, ડૉ. આંબેડકર રોડ, દુકાન નં. 5, ગ્રાઉન્ડ ફલોર, તુરખિયા રેડીમેડ સ્ટોર્સ, મ્યુ. સ્કૂલ સામે, (કલ્પના લોન્ડ્રી પાછળ) હિંદમાતા, | | દાદર (ઇસ્ટ) મુંબઈ-૪૦૦૦૧૪ '|| મેઈન રોડ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)-૩૬ 3 001 ફોન : 2411 5841 રવિવારે બંધ, ફોન : 226457