SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૯૩ તમને લગ્ન વખતે તકલીફમાં મૂકીશ.” એમ જ થયું. લગ્ન ચાલતા હતા તે જ સમયે પૂ. વેલબાઈ મ. કાળધર્મ પામ્યા. ૧૯૬૬ની સાલ એટલે પૂ. રતનબાઈ મ.ની દીક્ષાનું ચોથું વર્ષ. એટલા ટૂંકા ગાળામાં ગુરૂણીમૈયાનો વિયોગ એક સખત આંચકો આપી ગયો પરંતુ પોતે ધીરજ ધરી રત્નાધિક ગુરૂબહેનોની સાથે વિનયપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવા લાગ્યા. 'અજરામર સંપ્રદાયમાં ૮૧ વર્ષના ચારિત્રપર્યાયી પ્રથમ સાધ્વીજી ૯૯ વર્ષની ઉંમર તથા ૮૧ વર્ષ સુધી સુવિશુદ્ધ સંયમનું પાલન કરનાર સરલતાના અવતાર સમાન સાધ્વી શિરોમણિ તીર્થસ્વરૂપા રતનબાઈ મહાસતીજીના જીવન પ્રસંગોનું વર્ણન કરવું એટલે પોતાના નાનકડા બાહુ પ્રસારી આકાશને માપવા જેવી ચેષ્ટા ગણાય. પૂ. મહાસતીજીના સેંકડો ગુણોમાં એક સ્વાવલંબનનો ગુણ મહત્ત્વનો હતો. પોતે છેલ્લે સુધી પથારી જાતે કરતા. હાથરૂમાલ જાતે ધોતા. ઉભયકાળ પ્રતિક્રમણ જાતે કરતા. લાકડીનો ટેકો કદિ લેતા નહિ. ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ઈત્યાદિ પ્રત્યેક ક્રિયા અપ્રમત્ત ભાવે કરવામાં જેઓ સંપૂર્ણ સ્વાધીન હતા. તપસ્યા જેની જીવનસંગિની હતી એવા ચોથા આરાના નમૂનારૂપ મહાસતીજીનું જીવન જ આપણા માટે એક સંદેશરૂપ હતું. તેવા પૂ. રતનબાઈ મ. બીજાની સેવા નહિ લેતા હોવા છતાં શિષ્યાઓને હંમેશા એમ જ કહેતા, “હું તો તમારી ઘણી સેવા લઉં છું, મારૂં ઋણ વધે છે તેનો બદલો હું ક્યારે વાળીશ?” ગુરૂણી અમારા વાત્સલ્યમયી મા જેવા.....” | સુર્ય જેમ સર્વ પદાર્થોને સમભાવથી પ્રકાશિત કરે છે તેમ પૂ. મહાસતીજી સર્વ સાધ્વી સમુદાય તથા દર્શનાર્થીઓને સમભાવથી વાત્સલ્યની ધારા અને જ્ઞાનામૃતથી પ્રકાશિત કરનારા હતા. પોતાની શિષ્યાઓ સાથે નિખાલસ ભાવે બેસે, ખબર અંતર પૂછે, જૂના પ્રસંગો યાદ કરે. કોઈ સાધ્વીજી બિમાર હોય તો તરત જ તેની પૂજા કરે, તેના માથે વહાલથી હાથ ફેરવે. “બચ્ચા ! કાંઈ વાપર્યું?” એમ પૂછે, તેના પગ દબાવવા લાગી જાય. મીઠા શબ્દોથી સંબોધન કરે, “મારી મીઠું, બચુડી, મહુડી, વહાલી, સિંહણ' શબ્દોથી એવા એવા સંબોધન કરે કે સર્વ સતીજીઓને મોટા મહાસતીજીમાં “મા”ના દર્શન થાય. નાના સાધ્વીજીઓ જયારે વિહાર કરે ત્યારે તેમની આંખોમાંથી અવશ્ય આંસુ સરી પડે અને કહે, “તમે ક્યારે પધારશો? વહેલા વહેલા પધારજો, સુખ-સુખે વિચરજો, તમારા શરીરની સંભાળ રાખજો, આત્માની સંભાળ રાખજો, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને રહેજો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy