SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૪૬૧ પોતાની જાતને મહાકર્મી ગણાવીને પોતાની સામાન્યતા રજૂ કરીને આ અસામાન્ય પ્રતિભા જનતા સામે તત્વની વાત કર્મ સિદ્ધાંતની વાત એવી હળવાશથી કરતા કે ભલભલાના મસ્તક એમને નમી પડતા. એક સાધ્વી દેહમાં પ્રગટ થયેલી તપ ને તિતિક્ષાની આ પ્રચંડ તાકાતમાં કોઈપણ દૃષ્ટિવાળો માનવ મહાશક્તિની પ્રતિભાનો સાક્ષાત્કાર કરી શકે છે. અદ્વિતીય ચિત્તપ્રસન્નતા તથા સમતાનો સાગર જાણે સર્વત્ર ઘૂઘવી રહ્યો હોય તેવું લાગતું. દર્શનાર્થીઓની ભીડ જામતી રહે છે. પોતાના પ્રિય મહાસતીજી માટે યથાશક્તિ ધર્મ ધ્યાન થાય છે. ડોકટરો સામે મોટો પડકાર હતો. માંત્રિકો, તાંત્રિકો ભક્તિભાવથી આવે છે તેઓ સર્વેને મહાસતીજી કહેતા, ‘મારે એવું કશું કરવું નથી - જે છે તે સહી લેવું છે. કર્મનો ક્ષય કરવો છે.’ મહાસતીજીનો આવો દૃઢ સંકલ્પ જોઈને માંત્રિકો ને તાંત્રિકો નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે. મહાસતીજીને કોઈ સહારો જોઈતો નથી. હવે કોઈ થાગડ થીગડની વાત નહિ. સંઘની સેવા અજોડ હતી. મહાસતીજીએ છેલ્લા આઠ માસમાં બાર અઠ્ઠમ કર્યા. સંવત્સરીનો ઉપવાસ કર્યા પછી પારણું કરવાની એમને બિલકુલ ઈચ્છા ન હતી પરંતુ ‘પારણું કરશો તો જ સકળ સંઘ જમશે' એવો સંઘનો અતિશય આગ્રહ થવાથી મહાસતીજીએ પારણું કરેલું, નહિતર તો સંવત ૨૦૩૪ ની સંવત્સરીથી આગળ અનશન કરવાની જ એમની ભાવના હતી. પારણું કર્યા પછી સૌના સત્યાગ્રહને માન આપીને થોડું ઔષધ સેવન પણ કરેલું પણ અનિચ્છાએ... વિ.સં. ૨૦૩૪ થી તો મહાસતીજીને મહાવિહારનું ધ્યાન આવી ગયું હતું. પરંતુ તેમને મોક્ષ પામવાની તાલાવેલી લાગી હતી. સં. ૨૦૩૫ ના સુરેન્દ્રનગર – ભારતના ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન ૧૬ ઉપવાસનો આરંભ કર્યો. અષાઢ સુદિ-૧૪, રવિવારથી ઉત્તમ યોગમાં આરાધનાનો આખરી આરંભ થાય છે. તબિયત લથડતી રહે છે. શ્રી સંઘ તથા ડોકટર સેવામાં ખડેપગે હાજર હતા. અષાઢ વદ-૧૪, સોમવાર આવ્યો. ૧૬ ઉપવાસ નિર્વિઘ્ને થયા. પારણાના ઉત્સાહમાં સંઘ જમણ થયું. બધું નિર્વિઘ્ન પાર પડયું. મહાસતીજીના મુખ મંડળ ઉપર અપૂર્વ શાંતિને શાતા હતા. સં. ૨૦૩૫ અષાઢ વિદ-અમાસ, મંગળવાર - પુષ્ય નક્ષત્ર મહાસતીજી કહે છે, ‘આજે બાજી મારા હાથમાં નથી.’ આ સ્પષ્ટ સંકેતને બધા સમજી ગયા પણ શું કરી શકાય ? સુરેન્દ્રનગર - ભારતના ઉપાશ્રયમાં તા. ૨૪-૭-૧૯૭૯ વહેલી સવારે ૩.૨૦ મિનિટે મહાસતીજીના મુખ ઉપરનું હાસ્ય થીજી ગયું - પીડા માત્ર શમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy