________________
આ પુસ્તકના શુભેચ્છક દાતા
કરછ-લાકડિયા નિવાસી
|
રવ. હરખચંદ કરમણ છેડા
II પિતૃદેવો ભવ ||
ગં. રવ. ભચીબહેન હરખચંદ છેડા
| માતૃદેવો ભવ II
રવર્ગવાસ : તા. ૨૦-૪-૧૯૯૯
“મા તે મા બાકી બધા વગડાના વા”
અમારા પૂ. પિતાશ્રી વર્ષો પહેલાં પેથાપરમાં અજરામર સંપ્રદાયના કલિકાલકલ્પવૃક્ષ સમાન પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ગીતાથી ગુરુદેવ શ્રી નવલચંદ્રજી રવામી, પૂ. સર્વક્તા કેવળચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓના સત્સંગમાં આવ્યા ત્યારથી તેમણે પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી રવામીને ગુરુ માન્યા. તેમની પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત આદિ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા હતાં. તેમના જીવનમાં અપાર કરુણા હતી. સાધર્મિક બંધુઓ, અબોલ પ્રાણીઓના દુઃખ હરહંમેશ ભાંગતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મારાધના, વ્યાખ્યાનવાણી શ્રવણ, રાત્રિભોજન ત્યાગ, ઉપવાસ, એકાસણા આદિ અનેકવિધ તપસ્યા કરીને જીવન ધન્ય બનાવ્યું હતું. સાધુ-સાધ્વીજીઓની ખૂબ ખૂબ સેવા-ભક્તિ કરીને મહાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જના કરેલ છે. અનેક ધર્મસ્થાનકો તથા સારી સંસ્થાઓમાં માતબર રકમનું દાન પણ કરેલ છે.
પૂ. પિતાશ્રીના સર્વ કાર્યોમાં પૂ. માતુશ્રીનો સહયોગ હંમેશા રહેતો. એમના ધર્મસંસ્કાર, વાત્સલ્યભાવ, લાગણી પરિવાર ઉપર શીતળ છાયા બનીને રહેલ છે. અમારા ઉપર અનંત ઉપકાર કરેલ છે એવા પરમ ઉપકારી માતા-પિતાના ચરણોમાં ભાવપૂર્વક વંદના નમસ્કાર. આવા ધાર્મિક પ્રેમાળ માતા-પિતા મેળવવા બદલ અમે સહુ ગૌરવનો અનુભવ કરીએ છીએ.
લિ. આપનો સમસ્ત પરિવાર.....
સુપુત્રો : (૧) ચંતિલાલ હરખચંદ છેડા (૨) નેમચંદ હરખચંદ છેડા (૩) જયંત હરખચંદ છેડા
| દીકરી-જમાઈ : (૧) નલિની મોતીલાલ ભીમજી નીસર (૨) રમીલાબેન મણીલાલ છાડવા
(૩) રવ. વિમળાબહેન અશ્વિન નીસર Jain Ede