________________
આ છે અણગાર અમારા નાગજી સ્વામીનું જીવનચરિત્ર. ૧૧) રત્ન જીવન જ્યોત. ૧૨) રત્ન જીવન દર્પણ. ૧૩) યુગદ્રષ્ટા મુનિ શ્રી રત્નચન્દ્રજી. ૧૪) નાનચન્દ્રજી સ્વામી શતાબ્દી ગ્રંથ. ૧૫) રૂપાંજલિ. ૧૬) જૈનાચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી શતાબ્દી ગ્રંથ. ૧૭) ગિરિવાણી. ૧૮) કેવલજીવન દર્પણ. ૧૯) તસ્મ શ્રી ગુરવે નમઃ ૨૦) ભદ્ર સ્વામી શ્રી નાગજી સ્વામીનું જીવનચરિત્ર. ૨૧) પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામીનું જીવન ચરિત્ર. ૨૨) પૂ. શ્રી. લાધાજી સ્વામીનું જીવનચરિત્ર વગેરે....
છબસ્થ ભાવે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુવડું.. તા. ૬-૨-૧૯૮૯
મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી. મહા સુદ ૧ લાકડિયા (કચ્છ)
દ્વિતીયાવૃત્તિ પ્રસંગે બે બોલ...
આ છે અણગાર અમારા' પુસ્તકની પ્રથમવૃત્તિને ખૂબ જ સારો પ્રતિભાવ સાંપડતાં અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પુસ્તક અપ્રાપ્ત થતાં તેની બીજી આવૃત્તિ બહાર પાડતાં આનંદ અનુભવીએ છીએ.
ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી થયેલા પટ્ટધરો, ભસ્મગ્રહ ઉતરી ગયા પછી થયેલા મહાપુરુષો, અજરામર સંપ્રદાયમાં થયેલા મહાન જ્યોતિર્ધરો વગેરેની ઐતિહાસિક માહિતી આ પુસ્તકમાં હોવાથી લોકોની માગણી રહ્યા જ કરતી હતી. મુનિશ્રીના દરેક પુસ્તકોની જેમ આ પુસ્તકને છપાવવા માટે દાતાઓએ ખૂબ જ સારો સહકાર આપતાં આ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ.
મહાપુરુષોના જીવનમાંથી સૌ કોઈ સારી પ્રેરણા પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના સાથે.....
શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંડળ તૃતીય આવૃત્તિ પ્રસંગે બીજી આવૃત્તિ ઘણા સમયથી અપ્રાપ્ય થતાં ત્રીજી આવૃત્તિની આવશ્યકતા ઊભી થઈ તેમાં સુધારો વધારો કરી સમાજ સમક્ષ મૂકતાં આનંદ થાય છે.
આ આવૃત્તિમાં અગ્રગણ્ય મહાસતીજીઓની જીવન ઝરમર પણ મૂકવામાં આવી છે જેમાંથી આપણને સારી પ્રેરણા મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org