________________
१८८ ]
सदर्थरूपा भगवद्भिरुक्ता, सुपाठरूपा गणिभिर्निबद्धा, श्री द्वादशाङ्गी भुवि भाविभूत, प्रवर्तमानार्थ विबोधिकाऽस्तु श्री अर्हतां शासनदेवदेव्यः, श्री देवतावाङ्मयदेवताश्च, विश्वेश्वराः शासनयक्षराजाः कुर्वन्तु कल्याणधनानि सङ्घे [ ४ ] सकललब्धिपदं विपदोऽपहं, सुरकृतस्तुतिपात्र - पयोरुहम्, प्रणमताभिमतार्थ-विधायकं, गणधरं परगौतमनामकम् गणधरा निखिला अपि गौतमं प्रभुतयोर्जित- योग - विशारदाः, जिनवरोदिततत्त्वविकासदा, मम भवन्तु सुबोधिफलप्रदाः भविकलोक-भवोदधितारकः, प्रगत-पातकवार-निवारकः, गमनयोपपदर्जु-जिनागमो, विजयताममृतीकर - सोमपा विशदवर्ण-विभूषणभूषिता, वरकमण्डलु-पुस्तक-शोभिता, दिशतु देवनरासुर-संस्तुता, श्रुतमनन्तफलं श्रुतदेवता
***
1
दशपूर्वधर श्री वज्रस्वामिविरचितम् 'श्री गौतमस्वामिस्तोत्रम् '
ભાવાનુવાદ : પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ स्वर्णाष्टथग्रसहस्त्रपत्रकमले पद्मासनस्थं मुनिं
स्फूर्जल्लब्धिविभूषितं गणधरं श्री गौतमस्वामिनम् । देवेन्द्राद्यमरावलीविरचितोपास्तिं समस्ताद्भुत
श्रीवासातिशयप्रभापरिगतं ध्यायामि योगीश्वरम् ||१||
[ મહામણિ ચિંતામણિ
11311
11811
11911
॥२॥
11311
11811
નયનરમ્ય એક કમળ છે. સોનેરી એનો વર્ણ છે. એક નહીં, બે નહીં, પણ હજા૨-હજાર સ્વર્ણપાંખડીઓ વડે વીંટળાયેલું એ કમળ, માખણ જેવું સ્નિગ્ધ અને રેશમ સમું સુંવાળું છે. અચરજ તો એ છે કે, પાણીમાં ઊગવા અને રહેવાને ટેવાયેલું કમળફૂલ આજે એ ધરતી પર ઊગી ઊઠ્યું છે. એનાં દર્શને, સમજાય છે કે જેમ જલપંકમાં તેમ પૃથ્વીતલ ઉપર પણ કમળ ખીલી શકે છે ને તેનાથી અલિપ્ત પણ રહી શકે છે.
પણ અરે, આવાં રમણીય-સ્મરણીય કમળ પર કોણ બિરાજમાન થયું દેખાય છે ? ક્યા બડભાગી પુણ્યાત્માને આવાં સ્વર્ણ કમળ પર પદ્માસને બેસવાનું પરમ પુણ્ય સાપડ્યું છે ? જુઓ તો ખરા, એ મહાત્મા પુરુષ એકલા નથી, એમની ચોતરફ દેવ-દેવેન્દ્રો નતમસ્તકે ઊભેલા દેખાય છે; તેઓ એ મહાપુરુષને ચામર ઢાળી રહ્યા છે, એમનાં ચરણો ચૂમી રહ્યા છે, એમની વિવિધ સેવા બજાવી રહ્યા છે, ને એમની સાકરમીઠી ધર્મવાણી સાંભળી રહ્યા છે. ઓહ ! કેવું છે આ અલૌકિક દૃશ્ય !