________________
૭૩૮ ]
[ મહામણિ ચિંતામણિ
| આત્મા સર્વ પ્રકારના જીવોના કલ્યાણથી ઉલ્લસિત રહેતો હતો. વિજયશીલસૂરિએ ગાયું છે કે :
ગૌતમસ્વામી જગગુરુ ગુણગણનો ભંડાર લાલ રે.
અનંત લબ્ધિનો એ ધણી, આપે અક્ષય સુખ અપાર લાલ રે. તેઓ પલેપલ વર્તમાનમાં જીવનારા સાધક હતા. એક પળ માટે પ્રમાદ રાખતા ન હતા. | તેમના ગુરુ મહાવીરસ્વામીએ તેઓને બોધ આપ્યો હતો કે :
कुसाग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए ।
एवं मणुयाण जीवियं समयं गोयम! मा पमायए ॥ એટલે કે દર્ભની અણી ઉપર બેઠેલું ઝાકળનું બિંદુ જેમ થોડી જ વાર રહી શકે છે, તેમ મનુષ્યોના જીવનનું પણ સમજવું, માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર.
સાધકને પ્રમત્ત રહેવું પાલવે નહીં. પ્રમાદીને સિદ્ધિઓ અને લબ્ધિઓ ક્યાંથી પ્રાપ્ત થાય ?
મહાવીરસ્વામીના પ્રથમ ગણધર તરીકે ગૌતમસ્વામી જૈન અને જૈનેતરોમાં ધર્મ અને | સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે માનભર્યું સ્થાન ધરાવે છે.
જા
A
સુધનો જીવ ધનસાલા નામની રૂપવાન યુવતી તરીકે થયો (ધનમાલા તે ભાવિ સ્કંટક કાત્યાન)