________________
૬૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
णाऽविनष्टानामवस्थानात् कोष्ठबुद्धयः ॥२६।।
અર્થ– કોઇના (કોઠાના) અધિકારીઓ વડે કોઠામાં અલગ-અલગ રાખેલા (સ્થાપન કરેલા) નાશને ન પામેલાં ઘણાં ધાન્યબીજોનો જેવી રીતે કોઇ (કોઠો) એક આધાર હોય છે, તેવી રીતે જ બીજાના ઉપદેશથી બુદ્ધિમાં ધારણ કરેલાં ઘણાં અર્થબીજો જેમની બુદ્ધિમાં અનુસ્મરણ વિના પણ નાશ ન પામતાં રહે છે, તે કુષ્ઠબુદ્ધિયો કહેવાય છે.
(२७) बीजबुद्धिलब्धिः– सकृद् वसुमतीकृते क्षेत्रे क्षित्युदकाद्यनेककारणविशेषापेक्षं बीजमनुपहतं यथाऽनेकबीजकोटीप्रदं भवती तथा ज्ञानावरणीयादि क्षयोपशमातिशय प्रतिलम्भादेकार्थबीज श्रवणे सत्यनेकार्थबीजानां प्रतिपत्तारो बीजबुद्धयः ॥
અર્થ_એકવાર પૃથ્વી ઉપર ખેડેલા ખેતરમાં વાવેલું સારું બીજ, ભૂમિ, પાણી, હવા આદિ વિશેષ કારણો મળવાથી જેમ અનેક કોટિ બીજોને આપે છે, તેમ જ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમનો અતિશય પ્રાપ્ત થવાથી એક અર્થના બીજને સાંભળ્યા પછી અનેક અર્થોના બીજોને જાણવાવાળા થાય છે, તે બીજબુદ્ધિયો કહેવાય છે.
() પાનુરિની તૃધ્ધિ:-પાનુશારિત્રિઘાડનુસ્ત્રોત: પ્રહાનુસારિખઃ | (૨) પ્રતિસ્રોત पदानुसारिणिः । (३) उभयस्रोतःपदानुसारिणश्च । तत्रापि पदस्यार्थं ग्रन्थं च परत उपश्रुत्य ततः प्रातिकूल्येनादि पदार्थग्रन्थं विचारपटवः प्रतिश्रोतः पदानुसारिणः २ मध्यपदस्यार्थं ग्रन्थं च परकीयोपदेशादधिगम्याद्यन्तावधि परिच्छिन्नपदसमूह प्रतिनियतार्थ ग्रन्थोदधि समुत्तारणसमर्थाग्रा धारणातिशयविज्ञाना उभयपदाः ३ ॥२८||
पदेन सूत्रावयवेनैकेनोपलब्धेन तदनुकूलानि पदशतान्यनुसरन्ति इति पदानुसारिणः ये गुरुमुखात् एकसूत्रपदमनुसृत्य शेषमपि भूयस्तरपदनिकूरम्बमवगाहन्ते तेऽनुस्रोतः पदानुसारिणः ।
અર્થ -પદાનુસારીઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) અનુશ્રોત પદાનુસારી (૨) પ્રતિશ્રોત પદાનુસારી (૩) ઉભયશ્રોત પદાનુસારી. સૂત્રના એક પદને જાણવા વડે તેના અનુકૂલ સેંકડો પદોને અનુસરે છે તે પદાનુસારી હોય છે. જેઓ ગુરુના મુખથી એક સૂત્રપદને અનુસરીને શેષ ઘણા પદોના સમૂહને જાણે છે તેઓ અનુશ્રોત પદાનુસારી હોય છે. પદના અર્થને અથવા ગ્રન્થને બીજાથી સાંભળીને ત્યાર પછી પ્રતિકૂલતા વડે (એટલે ઊલટો) આદિ પદોના અર્થના અને ગ્રન્થના વિચાર કરવામાં જેઓ કુશલ હોય છે તેઓ પ્રતિશ્રોત પદાનુસારી કહેવાય છે. મધ્ય પદના અર્થને અને ગ્રન્થને બીજાના ઉપદેશથી જાણીને આદિથી અન્ત સુધી જાણેલા પદોના સમૂહનો પ્રતિનિયત અર્થ કરીને ગ્રન્થરૂપ સાગરમાંથી તરવા માટે સમર્થ એવા ધારણાશક્તિ વડે અતિશય જ્ઞાનવાળા ઉભયપદ માગનુસારી હોય છે.
(२६) अक्षीण महानसलब्धिः- येषामल्पमप्यन्नं पात्रपतितं श्री गौतमादीनामिव बहुभ्यो दीयमानमपि न क्षीयते तेऽक्षीणमहानसाः कारणे कार्योपचारादिव, अथवा अक्षीणमहानसलब्धयस्तु यत्र, परिमितभूप्रदेशेऽवतिष्ठन्ते, तत्राऽसंख्याता अपि देवादयः परस्परबाधारहितास्तीर्थंकरपर्षदीव સુવમાસને l/ર૬/l.
અર્થ– જેમના પાત્રમાં પડેલું અત્યંત અલ્પ એવું પણ અન્ન શ્રી ગૌતમ ગણધર આદિની જેમ ઘણાં લોકોને આપવા છતાં પણ ક્યારેય ઓછું થતું નથી તે અક્ષીણમહાનસ કહેવાય છે.