Book Title: Mahamani Chintamani Shree Guru Gautamswami
Author(s): Nandlal Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 715
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૧૯ ગણાય. વળી સમગ્ર જિન-ચોવીશીના પ્રથમ ગણધરોને તેમાં નમસ્કાર થવાનું પણ સંભવે છે. પંક્તિનું ત્રીજું ચરણ છે મંગલ સ્થૂલભદ્રાચા– આ વાતમાં નામજોગ નમસ્કરણીય સ્થૂલભદ્રજી મહાત્માને મંગલઘરમાં દાખલ કર્યા ને વ્યક્તિગત અને અજોડપણું જાહેર કરે છે. ચૌદ પૂર્વધરો ભદ્રબાહુસ્વામીજી જેવાને નામજોગ ન લીધા અને સ્થૂલભદ્રજીને જ મંગલઘરમાં પધરાવ્યા તે વ્યક્તિગત વિશેષતા કહી શકાય તેમ છે, જેનું ચિંતન વિશાળ છે એટલે તેમના વિષે સરળતા થાય છે કે સ્થૂલભદ્રાચા–એટલે સ્થૂલભદ્ર જેવા મહાત્માઓને જ મંગલમાં પ્રવેશ મળે છે. જ્યારે ચોથું ચરણ જૈનધર્મ સદા-સર્વદા મહામંગલકારી છે જ. એમ પ્રથમ પંક્તિ મંગલના ભંડારસમા દેવ, ગુરુ, ધર્મને નમસ્કાર થયો. બીજી પંક્તિ છે તીર્થ, દેવ અને ગુરુ તત્ત્વને વંદના કરવાની. શત્રુંજય સમો તીર્થ નહીં અન્ય તીર્થોથી વિશેષ બન્યો. શત્રુંજય તીર્થ શાશ્વત્ છે, કોઈ પણ કાળે તીર્થ રૂપે હોય છે અને રહેશે. વળી ભાવશત્રુ ઉપર જય કરનારો હોતાં શ્રી અરિહંત જેવી ઉપમાને પાત્ર બને છે, તારક છે. વળી અન્ય તીર્થમાં થતી આરાધના કરતાં શત્રુંજય તીર્થની પાવન ભૂમિમાં થતી આરાધનાનું ફળ સો-ગણું જ્ઞાનીઓએ ફરમાવ્યું છે એટલે તે અજોડ બને છે. ઋષભ સમા નહીં દેવ–આ પંક્તિ ગંભીર છે. બધા જ તીર્થકરો પૂર્ણ જ્ઞાની, અનંત શક્તિશાળી, સરખા ગુણધારી અને પરિણામે મોક્ષે પધારવાવાળા હોય જ છે. વળી બધા જ તીર્થકરો શાસનસ્થાપના કરે છે, મોક્ષદાતા છે. તો ઋષભદેવ કેવા કારણે અજોડ બની શકે ? | સમાધાન થાય કે શ્રી ઋષભદેવનું પુણ્યાનુબંધી પુણ્ય અનૂઠું અને વિશેષ હતું. અરિહંતપણાની સામ્યતા દરેક તીર્થકરમાં હોય, પરંતુ પુણ્યકર્મની તરતમતા તો હોય છે. તેના કારણે શ્રી ઋષભદેવસ્વામીને એક અજોડ અને ઉપકારી તપ પ્રાપ્ત થયો. ભૂતકાળના અંતરાય-કર્મથી બંધ પડેલ તે તેમને છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યો. નામ છે વરસીતપ. ૪00 સતત ઉપવાસ થયા; જેની અનુમોદના જૈનશાસનમાં પ્રચલિત થઈ. વરસીતપ ચલણી સિક્કો બન્યો. તે તપમાં વીશ વીશના વીશ ઉપવાસના સળંગ તપ થવાથી વીશ સ્થાનક તપ યુક્ત બની રહ્યો અને તેઓ તારકના પુણ્ય પ્રભાવે જેનશાસનના ચારે સ્થંભોના સભ્યો પ્રભુ અનુમોદનાએ અંતરાય કર્મ-નિવારક ગણી ઉપયોગમાં લીધો છે. તેનું અત્યંતર પરિણામ છે સમ્યગુ દષ્ટિ પ્રગટપણાનું. સતત લાગલગાટ ૪૦૦ દિવસનું વિધિયુક્ત અનુષ્ઠાન મિથ્યાત્વ જેવાં ત્રણ ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાને પહોંચાડવાની સ્પ્રિંગરૂપે બન્યો છે. એટલે અનંત કાળથી ૧-૨-૩ ગુણસ્થાને દોડાદોડી કરતા આત્માઓને ચોથી પગથી દૂર ને દૂર રહેતી, કેમે ચડી શકતા ન હતા તે આત્માઓને આ ચલણી સિક્કો ઉપર ચડવામાં ટેકારૂપ થયો. એટલે સમજાય છે કે જે અન્ય કાળચક્રોમાં આત્માઓને સમ્યગ્દષ્ટિ થતા હતા તેનાથી વિશેષ સંખ્યાના જીવોને સમ્યગુદાતા ઋષભદેવ બન્યા. વળી તેમના પારણાની તિથિને ખગોળમાં રહેલાં તત્ત્વોએ અમર બનાવી એટલે શ્રી ઋષભદેવ સર્વ તીર્થંકરો કરતાંય વિશેષ ઉપકારી બન્યા. શાશ્વત તત્ત્વો પોતાના સ્વભાવે જ રહે છે, છતાં ભગવાનના તપની અનુમોદના માટે જ કાયમની યાદગીરી રૂપ અક્ષય તૃતીયા-વૈશાખ સુદ ૩ અક્ષય બની. તીર્થકરોના કલ્યાણકારી હતedહહહહહહહoodહતા

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854